Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 707
________________ અધ્યાત્મ રાજચંદ્ર આ વ્યાખ્યાનસાર બે છે. તે પૈકી પ્રથમ વ્યાખ્યાનસાર અંગે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના અનન્ય સંશેાધક શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતાએ તેની પાદસેંધમાં કહ્યું છે તેમ–વિ. સં. ૧૯૫૪ના માહથી ચિત્ર માસ સુધીમાં, તેમ જ સં. ૧૫૫ની સાલના તે અરસામાં શ્રીમદની મોરબીમાં લાંબો વખત સ્થિતિ હતી. તે વેળા તેમણે કરેલાં વ્યાખ્યાનોને એક શ્રેતા-મુમુક્ષુએ સ્મૃતિપરથી ટકેલ આ સાર છે.” અને દ્વિતીય વ્યાખ્યાનસાર અંગે તે જ મહાન સંશોધકે પાદમાં દર્શાવ્યું છે તેમ સં. ૧૫૬ના અશાડ-શ્રાવણમાં શ્રીમદ્દની મેરબીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતેવખત કરેલ વ્યાખ્યાનને સાર તથા પુછાયેલા પ્રશ્નોનાં સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક શ્રેતા મુમુક્ષુએ કરેલ તે ટકેલ છે. શ્રી મનસુખભાઈની આ પાદોંધ પરથી સ્પષ્ટ સમજાય છે કે મોરબીમાં શ્રીમદે ત્રણ ત્રણ માસ જેટલી લાંબી સ્થિતિ કરી હતી તે વખતે એક મુમુક્ષુ શ્રેતાએ લીધેલી તેની આ ટૂંકી સ્મૃતિનેધ છે. આ તે સ્મૃતિ પરથી નેંધેલી માત્ર સંક્ષિપ્ત નોંધ-ટાંચણમાત્ર છે, તે પછી આટલી દીઘ સ્થિતિ દરમ્યાન વ્યાખ્યાનની વૃષ્ટિ કરી–પરમાર્થમેઘવર્ષા વર્ષાવી પરમધર્મમેઘ શ્રીમદે શ્રીમુખે જે બેધને ધેધ વહાવ્યું હશે, તે તો કેટલો બધો વિસ્તારવાળ-કે સેંકડેગણે વિપુલ હશે તે સહેજે સમજાય છે. આ બંને વ્યાખ્યાનસારમાં ગુણસ્થાનક, કર્મસિદ્ધાંત, સમ્યગદર્શન-જ્ઞાનચારિત્ર, મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, ધર્મ, પુરુષાર્થ આદિ ચારે અનુગના વિવિધ વિષય સંબંધી એટલું બધું તત્ત્વતલસ્પશી વિપુલ વિવેચન છે કે, તેનું અત્ર સ્થળસંકેચથી સામાન્ય દિગદર્શન પણ કરાવી શકાય એટલે અવકાશ નથી. અત્રે દ્રવ્યાનુગ-કરણનુયોગ આદિ ચારે અનુગના વિષયમાં પદે પદે શ્રીમદ્દનું અદ્ભુત સ્વામિત્વ પ્રકાશે છે; અને કર્મગ્રંથના વિષયનું તો એટલું બધું અસાધારણ પ્રભુત્વ ઝળહળી ઊઠે છે કે તેમણે જે કર્મવિષયને લગતા પરમ રહસ્યભૂત ચમત્કારિક ખુલાસાઓ પ્રકાશ્યા છે, તે પ્રાયે અન્યત્ર ક્યાંય જોવા મળવા દુર્લભ છે. આ સ્પષ્ટ બતાવે છે કે શ્રીમદ્દ સમયસારાદિ દ્રવ્યાનુગના તે એક્કા છે જ, પણ કર્મગ્રંથ આદિ કરણનુગના પણ તેવા જ એક્કા (ace) છે. ખરેખર ! આ માત્ર સંક્ષિપ્ત નેંધરૂપ આશચગંભીર વ્યાખ્યાન સારામાં તે શ્રીમદે સમયસાર-પ્રવચનસાર અને કર્મ ગ્રંથે-ધર્મગ્રંથોનો આશય સમાય એવા મહાપ્રબંધો રચ્યા છે. તે પછી સાગરવરગંભીર શ્રીમદના સાક્ષાત્ સવિસ્તર વ્યાખ્યાનનું તે પૂછવું જ શું? અત્ર સ્થળાભાવે આટલે અંગુલિનિર્દેશ માત્ર કરી સંતોષ માનશું. આવું અદ્ભુત હતું શ્રીમદૂનું દ્રવ્યાનુયોગનું પ્રભુત્વ! આવું અલૌકિક હતું શ્રીમદ્દનું કર્મશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનું સ્વામિત્વ ! આવું અપૂર્વ હતું શ્રીમદ્દનું મોક્ષમાર્ગનું માર્ગ, દર્શન! આવું અનુપમ હતું શ્રીમદનું તત્વતલસ્પર્શી તત્ત્વવિજ્ઞાન અને આવી અદ્દભુત અલૌકિક અપૂર્વ અનુપમ હતી પરમ અમૃત Immortal, nectarlike) શ્રીમદની આ પરમ અમૃત મહાપ્રબંધરચના !

Loading...

Page Navigation
1 ... 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794