Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022464/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સૂરિપુરંદર, યાકિનીમહત્તરાસૂનુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી વિરચિત પંજિકા સમન્વિત લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ વિવેચકઃ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ શબ્દશઃ વિવેચન * મૂળ ગ્રંથકાર : સૂરિપુરંદર, યાકિનીમહત્તરાસૂનુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા * પંજિકાકાર * આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા * દિવ્યકૃપા * વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષડ્રદર્શનના, પ્રવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા * આશીર્વાદદાતા * વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા * વિવેચનકાર * પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા * સંકલન-સંશોધનકારિકા * શાસનસમ્રાટ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના સાધ્વીજી ચારિત્રસ્ત્રીજી મ. સા.ના પ્રશિષ્યા સાધ્વી ઋજુમતિશ્રીજી મ. સા. * પ્રકાશક : વાતાર્થ ગAL. “શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ શબ્દશઃ વિવેચન વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૪૦ + વિ. સં. ૨૦૭૦ જ આવૃત્તિઃ પ્રથમ + નકલ ઃ ૧૦૦૦ મૂલ્ય : રૂ. ૧૪૦-૦૦ OF આર્થિક સહયોગ : પરમપૂજ્ય શ્રી વિશ્વદર્શનવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી શરદભાઈ અમૃતલાલ ઝવેરી પરિવાર, મુંબઈ. : મુખ્ય પ્રાપ્તિસ્થાન: ૧૬ થતદેવતા ભવન, ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com * મુદ્રક : સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૯. ફોનઃ ૨૨૧૭૪૫૧૯ સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.] Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન પર જ અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. (૦૭૯) ૨૩૭૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com * વડોદરાઃ શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ દર્શન', ઈ-કલ, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. (૦૨૭૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in મુંબઈ: શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈટ્સ, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. ૧ (૦૨૨) ર૫૩૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૭ Email : jpdharamshi60@gmail.com શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-ર૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. ૧ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. * (૦૨૬૧) ૩૨૨૮૭૨૩ (મો.) ૯૦૧૬૧૮૮૯૯૦ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ clo. મહાવીર અગરબત્તી વર્ક્સ, c૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. : (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (મો.) ૯૭૨૬૯૯૩૯૯૦ Email: karan.u.shah@hotmail.com + BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. : (080) (O) 22875262 (R) 22259925 (Mo) 9મ્બ8359925 Email : amitvgadiya@gmail.com રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ (મો.) ૯૪૨૭૧૭૮૬૧૩ Email : shree_veer@hotmail.com Page #5 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકાશકીય સુજ્ઞ વાચકો ! પ્રણામ... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્કસ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અધાંશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શેલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યશાનની પ્રાપ્તિમાં તેયાર સામગ્રી પૂરી પડશે. વિકાનેર વિનાનાત્તિ વિદાળનપરિઝમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિઠ્ઠલ્મોગ્ય અને અછૂતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિ પ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લયથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ... ઋતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપસ રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભક્તો Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા . (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કણિકા ૫. કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ) ૬. સદ્ગતિ તમારા હાથમાં ! ૭. સદ્ગતિ આપકે હાથ મેં! (હિન્દી આવૃત્તિ) ૮. દર્શનાચાર ૯. શાસન સ્થાપના ૧૦. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૧૧. અનેકાંતવાદ ૧૨. પ્રશ્નોત્તરી ૧૩. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૪. ચિત્તવૃત્તિ ૧૫. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૬. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૭. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮. ભાગવતી પ્રવજયા પરિચય ૧૯. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિનાજય, સિદ્ધિ, વિનિયોગ) ૨૧. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૨૨. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૩. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૪. જૈનશાસન સવતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૫. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય? (હિન્દી આવૃત્તિ) ૨૬. Is Jaina Order Independent Religion or Denomination? (અંગ્રેજી આવૃત્તિ) 20. Status of religion in modern Nation State theory (zaly zvyfa) ૨૮. ગૃહજિનાલય મહામંગલકારી ૨૯. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર IIIII ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી આવૃત્તિ) 4. Right to Freedom of Religion !!!!! ૬. ‘રક્ષાધર્મ' અભિયાન ૭. “Rakshadharma'Abhiyaan ૮. સેવો પાસ સંખેસરો ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃત્તિ) સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો ૪ વિવેચનાકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા » ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભાગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાર્જિશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદબાસિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામગ્ગદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્ધાત્રિશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચના ૨૯. યોગદષ્ટિની સક્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા–૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચના ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચના ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિહાવિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશણાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાાત્રિશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચના ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૬. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબદશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબદશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબદશઃ વિવેચન ભાગ-૨ ૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાચિંશિકા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાહ–સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિક્કા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૧૦૬. ધર્મવ્યવરથાદ્વાચિંશિકા-૭ શબ્દશઃ વિવેચન ૧૦૭. દેવસિઅ રાઈએ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબદશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦. વૈરાગ્યકાલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચન ૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન ૧૧૩. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ - ૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧૬. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૧૧૭. વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન ૧૧૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૯. દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચના ૧૨૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૧. તત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૨. તત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨૩. ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨૫. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો T | ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દીક્ષાનો સ્વીકાર કર્યા પછી મોક્ષનો માર્ગ જાણવાની મારી તીવ્ર ઇચ્છા હતી. સૌપ્રથમ પંડિતવર્ય પ્રવીણભાઈની શિક્ષા અનુસારે યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથનું સંકલન કર્યું, તેથી મારી જિજ્ઞાસા કંઈક અંશે સંતોષાઈ. ત્યારપછી ગુરુતત્ત્વવિનિશ્ચયનું સંકલન કરવાથી મૂળગુણ, ઉત્તરગુણથી સંવલિત ભાવચારિત્રનો બોધ થયો, તેથી ચારિત્ર જીવન વિષયક મારી ઘણી મુંઝવણ ઉકેલાઈ ગઈ. ત્યારપછી યોગબિંદુ ગ્રંથનું સંકલન કર્યું, તેથી યોગની ઘણી અવાંતર ભૂમિકાનો બોધ થયો. પ્રવીણભાઈનો મારા ઉપર થયેલો આ ઉપકાર ભવોભવ મારું હિત ક૨શે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આ અનુપમ મનોહર આનંદદાયી યોગમાર્ગને સમજ્યા પછી જીવનમાં ઉતા૨વા માટે મારું મનોમંથન સતત ચાલુ રહ્યું છે, તેમાં યોગવિંશિકા અને યોગશતકના કેટલાક પાઠ પ્રવીણભાઈના મુખથી સાંભળ્યા. પ્રણિધાન આદિ આશયો કરીને, વિષાદિ અનુષ્ઠાન નહિ કરીને, પ્રીતિ-ભક્તિ આદિ અનુષ્ઠાનોપૂર્વક શ્રમણક્રિયા કરવાનો ભાવ થતો હતો, તેમાં બે પ્રતિક્રમણનાં સૂત્રોના અર્થનું જ્ઞાન પર્યાપ્ત ન લાગ્યું, સૂત્રોના ઐદંપર્યને જાણવા માટે મન સતત તલસતું હતું, તેવા શુભ ભાવો દ્વારા જ મારાં કોઈક ક્લિષ્ટ કર્મ ખસી ગયાં હશે અને મને લલિતવિસ્તરા ગ્રંથના અભ્યાસનો અવસર મળી ગયો. પૂજ્ય ચારુનંદિતાશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા સાધ્વી કલ્પનંદિતાશ્રીજીને આ ગ્રંથનો મંગલ પ્રારંભ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. તેમણે ‘પુરિસત્તમાણં' સુધી લખાણ કરેલ, ત્યારપછી તેમને દૂર બેંગ્લોર ચાતુર્માસ ક૨વા જવાનું થયું અને ગ્રંથનું લખાણ અટક્યું. વળી, મારો પુણ્યોદય જાગ્યો અને ‘પુરિસસિહાણું’થી મેં આ ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી નિર્વિઘ્ને ગ્રંથ સમાપ્ત થયી છે. ધર્મસંગ્રહ અને ચૈત્યવંદન ભાષ્ય દ્વારા સૂત્રોની સંપદાઓ જાણ્યા પછી સૂત્રોમાં બતાવેલા ભાવોને નિષ્પન્ન ક૨વા મારું મન તત્પર રહેતું, છતાં એવું લાગતું હતું કે આમાં હજુ ઘણું ખૂટે છે, પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ દ્વારા સૂત્રોના ઐદંપર્યને કેમ પામવું, કદાચ આવા જ કોઈક શુભ ભાવથી બાધક ક્લિષ્ટ કર્મો ખસ્સાં અને બિંદુ જેટલું પણ આ સૂત્રોનું ઐપર્ય જાણવા માટે મને અભ્યાસનો સુયોગ સાંપડ્યો. જિન થવા માટે જેને જિનાજ્ઞાની તીવ્ર ભૂખ લાગી છે તેને જ આ ગ્રંથ ઘેબર આરોગવા જેવો મીઠો લાગશે. જેને જિનાજ્ઞાની તીવ્ર તરસ લાગી છે તેને જ આ ગ્રંથ અમૃતપાન તુલ્ય લાગશે. આ ગ્રંથ ભણ્યા પહેલાં પણ તીવ્ર મનોમંથનની આવશ્યક્તા છે, ભણતી વખતે પણ તીવ્ર મનોમંથનની આવશ્યક્તા છે અને ભણ્યા પછી પણ તીવ્ર મનોમંથનની આવશ્યક્તા છે. આ તીવ્ર મનોમંથન જ અંતિમ લક્ષ સુધી લઈ જવા સમર્થ બનશે. - યોગશતકમાં બતાવેલા ચૈત્યવંદનનો મહિમા વર્ણવતાં જે વિશેષણો છે – દુઃખરૂપી પર્વતને ભેદવામાં વજ્રસમાન, સુખનું કલ્પવૃક્ષ, મહાકલ્યાણકર, સંસાર પરિમિતિકરણ, દુર્લભથી પણ દુર્લભ – આ પાંચ Page #15 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ / પ્રસ્તાવના વિશેષણોનું યથાર્થ જ્ઞાન કરીને, યોગવિંશિકામાં બતાવેલા પ્રણિધાનાદિ આશયોનાં લક્ષણોનો ગર્ભિત અર્થ સમજીને, તેમાં આ લલિતવિસ્તરાનું સાન ભેળવીને જો ચૈત્યવંદન કરવામાં આવશે તો મહાનિર્જરાની પ્રાપ્તિ થશે. આ ગ્રંથના અધ્યયન દ્વારા અનેક જીવો મહાકલ્યાણને પામે એવી નિર્મળ ભાવના રાખું છું. ર પૂજ્યપાદ આચાર્ય ભગવંત નિર્મળચંદ્રસૂરિ મહારાજ (સંસા૨ી પક્ષે ભાઈ)ની અનુમતિ આજ્ઞાનો પ્રવાહ મારા આ સકલ અભ્યાસમાં વહેતો રહ્યો છે, તેમના ઉપકારનું ઋણ મને સતત સ્મૃતિમાં રહો. મારા વડીલો સાબરમતી રહેતા હોય અને મારે પાલડીમાં મારા સમુદાયનાં અન્ય સાધ્વીજી સાથે રહીને અભ્યાસ કરવાનો ૨હે, તેમાં પૂજ્ય પ્રવીણાશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા, પ્રશિષ્યા પૂજ્ય મનોજ્ઞગુણાશ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય વિપુલયશાશ્રીજી મ.સા. પૂ. વિનીતયશાશ્રીજી મ.સા. સૌરભયશાશ્રીજી મહારાજે મને સાથે રાખીને મારા ઉપર ઉપકાર કર્યો છે, તેનું ઋણ જીવનભર ભુલાય તેમ નથી. પૂજ્ય હેમલતાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પૂજ્ય સુવિદિતાશ્રીજી મહારાજે કેટલીક વિષમ પરિસ્થિતિમાં પણ મને સાથે રાખીને મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે. અંતે આ ગ્રંથનું પ્રૂફ જોવામાં સ્મિતાબેન કોઠારી વગેરેએ જે સહયોગ આપ્યો છે તે સર્વના ઋણનું સ્મરણ કરીને વિરમું છું..... વિ. સં. ૨૦૬૯, આસો સુદ-૧૦, તા. ૧૪-૧૦-૨૦૧૩, સોમવાર. 'कल्याणमस्तु सर्वजीवानाम्' શાસનસમ્રાટ પૂજ્ય નેમિસૂરિ મહારાજ સાહેબ સમુદાયનાં પૂ. સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી મ.સા.નાં પ્રશિષ્યા સાધ્વી શ્રી ઋજુમતિશ્રીજી. પ Page #16 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ / સંકલના = સંકલના જગતમાં સર્વોત્તમ પુરુષ તીર્થંકરો છે; કેમ કે જગતના જીવમાત્રને સન્માર્ગ બતાવનારા છે, તેથી જગતગુરુ છે, તે જગદ્ગુરુની પ્રતિમા તે ચૈત્ય છે અને તેમને વંદન કરવાથી વંદન ક૨ના૨ને શુભ ભાવો થાય છે. તે શુભ ભાવો પ્રકર્ષને પામીને તે જીવને જગદ્ગુરુ તુલ્ય બનાવે છે, તેથી જગદ્ગુરુની પ્રતિમાને વંદન ક૨વા માટે ગણધરોએ ચૈત્યવંદનનાં સૂત્રોની રચના કરી છે અને તેના પારમાર્થિક ભાવોને સ્પષ્ટ કરવા માટે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે લલિતવિસ્તરા નામની વૃત્તિ રચેલ છે, જેનાથી યોગ્ય જીવોને ચૈત્યવંદન કરવાથી કઈ રીતે વીતરાગતુલ્ય થવાને અનુકૂળ ઉત્તમ ભાવો થાય છે તેનો માર્ગાનુસા૨ી બોધ કરાવ્યો છે. 3 તેમાં પ્રથમ ચૈત્યવંદન કરવાના અધિકારી જીવો કેવી યોગ્યતાવાળા હોય છે, અનધિકારી જીવો ચૈત્યવંદન કરીને પણ તે પ્રકારના કોઈ સુંદર ફળને પામતા નથી તે બતાવેલ છે, તેથી ચૈત્યવંદનના અધિકારી થવા માટે જે મહાત્મા તેને અનુરૂપ ઉચિત ગુણોમાં યત્ન કરે છે તે ક્રમસર ચૈત્યવંદન કરવાના અધિકારને પામે છે. તે અધિકારને પ્રાપ્ત કર્યા પછી દઢ પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરે તો તે મહાત્માને અવશ્ય સર્વ પ્રકારની કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે; કેમ કે આ ચૈત્યવંદન અચિંત્ય ચિંતામણિ કલ્પ છે, છતાં અનધિકારી જીવો તેને વિધિપૂર્વક સેવવા સમર્થ નથી અને યથાતથા ચૈત્યવંદન કરીને તેના લાધવનું આપાદન કરે છે અને લોકોને પણ આ ચૈત્યવંદનની ક્રિયા અસાર છે તેવો બોધ કરાવે છે. તેવા અયોગ્ય જીવોને ચૈત્યવંદન આપવાનો પણ નિષેધ છે, તેથી મહાત્મા યોગ્ય જીવોને વિધિપૂર્વક ચૈત્યવંદન આપે, તેનાથી આપનારને પણ મહાનિર્જરા થાય છે; કેમ કે તે મહાત્મા ભગવાનની આજ્ઞાનુસાર અધિકારીને ચૈત્યવંદન આપીને તે જીવોનું હિત કરે છે અને ભગવાનની આજ્ઞાનું સમ્યગ્ આરાધન કરે છે, તેથી સ્વપરને ઇષ્ટ ફલની પ્રાપ્તિ થાય છે. વળી, અનધિકારી જીવોને ચૈત્યવંદન નહિ આપવાથી તેઓનું હિત થાય છે; કેમ કે અનધિકારી જીવો યથાતથા ચૈત્યવંદન કરીને તેના પ્રત્યે અનાદર પરિણામવાળા હોવાથી ક્લિષ્ટ કર્મોને બાંધે છે અને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે, માટે વિવેકી પુરુષે યોગ્ય જીવોને ભગવાનના શાસનનું ગાંભીર્ય બતાવીને ચૈત્યવંદનની અધિકારિતાના ગુણો પ્રથમ તેનામાં સ્થિર થાય તે પ્રકારે કહેવું જોઈએ, ત્યારપછી યોગ્યતાની પ્રાપ્તિ થાય ત્યારે વિધિપૂર્વક ચૈત્યવંદન સૂત્ર ગ્રહણ કરાવે. વળી અભ્યાસદશામાં શુદ્ધ ચૈત્યવંદન કરવાના અર્થ થઈને કંઈક શુદ્ધિને અભિમુખ ત્રુટિવાળું ચૈત્યવંદન કરે તોપણ તેઓનું હિત થાય છે. વળી, ચૈત્યવંદનમાં પ્રથમ નમુન્થુણં સૂત્ર બોલાય છે, તેમાં જગતગુરુ કેવા ઉત્તમ ગુણોવાળા છે તે પ્રથમ બતાવેલ છે. ત્યારપછી અન્ય જીવો કરતાં તીર્થંકર થાય તેવી અનાદિ વિશેષ યોગ્યતાવાળા છે, માટે ભગવાનને પુરુષોત્તમ કહ્યા. વળી સમ્યક્ત્વ પામ્યા પછી તે મહાત્માઓ કઈ રીતે યોગમાર્ગને સાધે છે અને ચરમભવમાં સંયમ ગ્રહણ કરે છે ત્યારે સિંહની જેમ ઘાતી કર્મને જીતવા મહા પરાક્રમ કરે છે, સંસારમાં જન્મ્યા હોવા છતાં પુંડરીકની જેમ વિષયોથી કઈ રીતે નિર્લેપ ૨હે છે તે બતાવ્યું. કેવલજ્ઞાન પામ્યા પછી Page #17 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ / સંકલન કઈ રીતે જગતના જીવોને ઉપકાર કરે છે અને અંતે શિવ, અચલ આદિ શબ્દો દ્વારા કેવી ઉત્તમ સિદ્ધિગતિને પામે છે અને ત્યાં મોહ રહિત હોવાથી જિન અને કર્મ વગેરેના ઉપદ્રવ રહિત હોવાથી જિતભયવાળા સદા રહે છે તે બતાવેલ છે. તેનું સ્મરણ કરવાથી સિદ્ધ અવસ્થાનું અત્યંત સ્મરણ થાય છે તેના બળથી પરમગુરુ એવા તીર્થકરોનું અનાદિ કાળથી કેવું ઉત્તમ સ્વરૂપ છે અને સિદ્ધ અવસ્થાને પામે છે ત્યારે કેવી આત્માની અવસ્થા છે તેનો પારમાર્થિક બોધ થાય છે. તેથી તેવા ઉત્તમ તીર્થકરો પ્રત્યે અત્યંત ભક્તિ ઉલ્લસિત થાય છે, જે ચૈત્યવંદનની પૂર્વભૂમિકા સ્વરૂપ છે. ત્યારપછી અરિહંત ચેઇયાણં સૂત્ર દ્વારા જે જિનાલયમાં પોતે ચૈત્યવંદન કરે છે તેમના વંદન, પૂજન, સત્કાર, સન્માન દ્વારા જે ઉત્તમ ભાવો થાય છે તે ભાવો મને પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ એ પ્રકારનું પ્રતિસંધાન કરાય છે, અને તે ભાવો શા માટે જોઈએ છે, તે સ્પષ્ટ કરવા અર્થે બોધિલાભની ઇચ્છા કરાય છે અને બોધિલાભ પૂર્ણ સુખમય મોક્ષ માટે જોઈએ છે તેમ ઇચ્છા કરાય છે. તેથી જે મહાત્મા અરિહંત ચેઇયાણં સૂત્રમાં કહ્યું એ પ્રમાણે વધતી જતી શ્રદ્ધા આદિ પૂર્વક કાયોત્સર્ગ કરે છે તે મહાત્માને પ્રસ્તુત એક નવકારના કાઉસ્સગ્ગ દ્વારા તીર્થકરોના વંદન, પૂજન, સત્કાર, સન્માનથી થતા ભક્તિના ભાવો જેટલા ઉલ્લસિત થાય છે તેને અનુરૂપ બોધિની પ્રાપ્તિ સુલભ બને છે; કેમ કે નમુત્થણં સૂત્ર દ્વારા તે મહાત્માએ પરમગુરુના સ્વરૂપનું સ્મરણ કરેલ અને તેના પ્રત્યે જેટલો ભક્તિનો અતિશય થાય તેને અનુરૂપ વીતરાગતાને અભિમુખ ચિત્ત પ્રસર્પણ પામે છે અને તેનાથી જે ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત થાય છે તે બોધિની પ્રાપ્તિ દ્વારા અવશ્ય મોક્ષનું કારણ બને છે. વળી એક તીર્થકરની સ્તુતિરૂપ ચૈત્યવંદન કર્યા પછી સર્વ ચૈત્યને વંદન કરીને વિશેષ પ્રકારે તે જ ભાવોને દઢ કરવા માટે લોગસ્સ અને સવ્વલોએ અરિહંત ચેઇયાણંથી યત્ન કરાય છે, તેથી જગતમાં વર્તતી સર્વ શાશ્વત અશાશ્વત પ્રતિમાઓ પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે અને તે પ્રતિમાઓ જગતુગુરુની છે, તેથી તે ભક્તિ જગતગુરુ પ્રત્યે જ અતિશયિત થાય છે. ત્યારપછી જગતુગુરુએ બતાવેલ યોગમાર્ગ કઈ રીતે સંસારના ઉચ્છેદનું કારણ છે, મોહનાશનું કારણ છે અને સુગતિઓની પરંપરા દ્વારા જીવોના એકાંત હિતનું કારણ છે તેનું સ્મરણ “પુષ્પરવરદી' સૂત્રથી કરાય છે; કેમ કે જગતગુરુ પણ શ્રુતજ્ઞાન આપીને જગતના હિતને કરનારા છે. તેથી જેમ જગતુગુરુ પૂજ્ય છે, તેમ તેમનો બતાવેલો માર્ગ પણ અત્યંત પૂજ્ય છે, તેથી તેના પ્રત્યે પણ ભક્તિનો અતિશય કરવા માટે ચૈત્યવંદનમાં ત્રીજી સ્તુતિ બોલાય છે અને ત્યાં પણ તે શ્રુત ભગવાન પ્રત્યે વંદન, પૂજન, સત્કાર, સન્માન દ્વારા જે ઉત્તમ ફળ મળે તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ એમ પ્રતિસંધાન કરાય છે અને તે પ્રતિસંધાન દ્વારા બોધિલાભ અને મોક્ષ ઇચ્છાય છે; કેમ કે પરમગુરુએ બતાવેલા માર્ગ પ્રત્યેનો બહુમાનભાવ તે માર્ગમાં અપ્રમાદથી યત્ન કરાવીને જગતુગુરુની જેમ મોક્ષરૂપ ફળમાં જ વિશ્રાંત થાય છે. તેથી જે મહાત્માઓ વધતી જતી શ્રદ્ધા આદિ ભાવપૂર્વક તે પ્રકારનો કાઉસ્સગ્ન કરે છે તેઓનો બહુમાનભાવ શ્રુત પ્રત્યે અતિશય થાય છે. તેથી જે અંશથી શ્રુતનો બહુમાનભાવ અતિશય થાય તે અંશથી તે મહાત્માને જન્મ-જન્માંતરમાં તે શ્રુતજ્ઞાનની પારમાર્થિક પ્રાપ્તિ થાય છે, જેનાથી તે મહાત્મા પૂર્ણ યોગમાર્ગને સેવીને અવશ્ય સિદ્ધગતિને પામશે અને આ ત્રણે સ્તુતિઓ પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિનું એક કારણ છે અને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુગતિઓની પરંપરાનું કારણ છે. વળી જીવના સર્વ પ્રયત્નના ફળ સ્વરૂપ મોક્ષ છે, તેથી ત્રણ સ્તુતિ કર્યા પછી સિદ્ધ અવસ્થાનું સ્મરણ કરાય છે, જેથી ઉપયોગપૂર્વક ચૈત્યવંદન કરનારા મહાત્માને સિદ્ધ અવસ્થા પ્રત્યે ભક્તિનો અતિશય થાય અને તેની પ્રાપ્તિ Page #18 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ | સંકલના માટે જ હું તીર્થંકરોની અને તીર્થંકરોના બતાવેલા માર્ગની સ્તુતિ કરીને તેના પ્રત્યે ભક્તિવાળો થાઉં છું, તે પ્રકારનું પ્રતિસંધાન થાય છે, ત્યારપછી આસન્ન ઉપકારી વીર ભગવાનની સ્તુતિ કરાય છે, તેથી તેમને આશ્રયીને કૃતજ્ઞતા ગુણનું સ્મરણ થાય છે અને તેમની સ્તુતિ પણ ભાવનાપ્રકર્ષથી મોક્ષફળને આપનાર છે તેમ સ્મરણ કરાય છે, જેથી વિવેકી મહાત્માને પ્રસ્તુત ચૈત્યવંદન ભાવનાપ્રકર્ષથી તત્ક્ષણ મોક્ષનું કારણ છે તેવો સ્પષ્ટ નિર્ણય થાય છે અને તે ભાવનાપ્રકર્ષ માટે જ મહાત્માઓ ફરી ફરી ચૈત્યવંદન કરીને સુવિશુદ્ધ ચૈત્યવંદનની શક્તિનો સંચય ક૨વા યત્ન કરે છે. વળી ચોથી સ્તુતિ વૈયાવચ્ચ કરનારા દેવોની કરાય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ એવા તે દેવો માર્ગમાં પ્રવૃત્તિ ક૨ના૨ા જીવોને મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં અતિશય યત્ન કરાવવામાં પ્રબળ કારણ બને છે. વળી, તે દેવો સમ્યગ્દષ્ટિ છે અને તેઓમાં દેવભવકૃત વિશિષ્ટ શક્તિ છે અને તે દેવો ચૈત્યવંદન કરનારાને ક્વચિત્ સાક્ષાત્ સહાય ન કરે, તોપણ ઉચિત સ્થાને કરાયેલી ઉચિત પ્રાર્થના પોતાના શુભ અધ્યવસાયથી યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્નોના શમનમાં પ્રબળ કારણ છે. તેથી ચોથી સ્તુતિ દ્વારા સાધુઓ અને શ્રાવકો તે દેવોની પણ સ્તુતિ કરે છે અને ચૈત્યવંદનના અંતે જયવીયરાય સૂત્ર બોલાય છે જેમાં સંક્ષેપથી સંપૂર્ણ યોગમાર્ગના પ્રયત્ન માટે અપેક્ષિત ભાવોની ઇચ્છા કરાય છે, તેથી જે મહાત્મા તે ભવનિર્વેદ આદિ ભાવો કેવા ઉત્તમ ભાવોવાળા છે અને સદ્ગુરુનો યોગ અને તેનું પારતંત્ર્ય પ્રાપ્ત થવા માટે પોતાનામાં કેવી યોગ્યતા જોઈએ તેનું રહસ્ય પ્રસ્તુત ગ્રંથથી જાણશે અને તે પ્રમાણે તે ભાવો પ્રત્યે અત્યંત પક્ષપાત થાય તે રીતે જગદ્ગુરુ પાસે તેની યાચના કરશે. તેના ફળરૂપે તે મહાત્માને જન્મજન્માંત૨માં કઈ રીતે બોધિનાં બધાં અંગો પૂર્ણ પ્રાપ્ત થાય છે અને તેના બળથી તે મહાત્મા સુખપૂર્વક સંસારસાગરને તરે છે તેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું છે, તેથી જે મહાત્મા પ્રસ્તુત ગ્રંથને નિપુણતાપૂર્વક જાણશે અને જાણ્યા પછી તેના ભાવોથી આત્માને અત્યંત ભાવિત ક૨શે અને જે સ્થાનોનો બોધ દુષ્કર છે તે સ્થાનો ગીતાર્થ પાસેથી જાણીને તે ભાવોને સેવવામાં સમ્યગ્ યત્ન કરશે તે મહાત્મા અવશ્ય અલ્પભવમાં સંસારનો અંત ક૨વા સમર્થ બનશે, માટે પોતાની શક્તિને ગોપવ્યા વગર ચિંતામણિથી અધિક એવા ચૈત્યવંદન સૂત્ર છે અને તેના અર્થને પ્રકાશન કરનારી લલિતવિસ્તરા વૃત્તિ છે તેનો યથાર્થ બોધ ક૨વા અને પુનઃ પુનઃ ભાવન ક૨વા શક્તિ અનુસાર પ્રસ્તુત ગ્રંથમાં સર્વ પ્રકારે યત્ન કરવો જોઈએ, જેનાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. છદ્મસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં. વિ. સં. ૨૦૬૯, આસો સુદ-૧૦, તી. ૧૪-૧૦-૨૦૧૩, સોમવાર. ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ ( (5) (筑 - • પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #19 -------------------------------------------------------------------------- ________________ લલિતવિક્તા ભાગ-૨ / અખલિકા [ પાના ન. | i = ૧-૧૦ ૪-૭ ૭-૮ $ $ $ $ $ ૯-૧૦ ૧૧-૧૯ ૧૧-૧૭ $ ૨ ૨ khk અનુક્રમણિકા shah ક્રમ | વિષય ૧૫. અભયદયાણ. ભવનિર્વેદ દ્વારથી અર્થથી ભગવાનનું બહુમાન, વિશિષ્ટ કર્મના ક્ષયોપશમ માટે અભયદયાણ આદિ સૂત્રપંચક. સંસારી જીવોને સાત પ્રકારનો ભય. ચિતના સ્વાથ્યથી સાધ્ય અધિકૃત ધર્મ. ભગવાનથી અભયની સિદ્ધિમાં હેતુ-ગુણ પ્રકર્ષરૂપપણું, અચિંત્ય શક્તિયુક્તપણા, તે પ્રકારના ભાવથી અવસ્થિતિ, સર્વથા પરાર્થકરણ. ૧૬. ચખુલ્યાણ. ઇન્દ્રિયનું વિશ્લેષણ. આત્મધર્મરૂપ ચા, કાળની ઉપયોગિતા ચક્ષની પ્રાપ્તિ ધર્મકલ્પવૃક્ષનું અવંધ્યબીજ છે. ૧૭. મમ્મદયાણ. માર્ગનો અર્થ. સાનુબંધ થયોપશમ વગર સમ્યગ્દર્શન આદિનો અયોગ તેમાં હેતુ, ક્લિષ્ટ દુઃખનો અર્થ ક્લિષ્ટ કર્મ, મહાવીર સ્વામી - જીંદકાચાર્યના શિષ્યો, ફરી ક્લિષ્ટ દુઃખના અનુભવની ઉપપત્તિ. જીવ માર્ગથી પાત પામે તોપણ પૂર્વની જેમ અતિશય સાનુબંધ ક્લેશવાળો નથી એ પ્રવચનનું પરમગુહ્ય છે, અન્ય દર્શનવાળા પ્રવૃત્તિ પરાક્રમ-જય-આનંદ-ઋતમ્મર ભેદવાળો કર્મયોગ માને છે. ૧૮. સરણદયાણ. શરણ એ તત્ત્વચિંતારૂપ અધ્યવસાય છે અથવા વિવિદિષા છે, તેનાથી પ્રશાના શુશ્રદાદિ આઠ ગુણો થાય છે. વિવિદિષા વગર ભાવસાર શુશ્રુષાદિ થતા નથી. ૧૯. બોહિયાણ. બોધિ શબ્દનો અર્થ, અભયાદિ પાંચ અપુનબંધકને થાય છે, ઇતર-ઇતર ફલવાળા અભયાદિ. અપુનબંધકમાં અભય આદિની યોગ્યતા, ગોપેન્દ્રનો અભિપ્રાય-નિવૃત્ત ૧૩-૧૯ ૧૯-૩૩ ૧૯-૨૧ ૨૧-૨૩ ૨ ૨૭-૩૩ ૩-૪૫ ૩૭-૩૯ ૩૯-૪૫ ૪૫-૫૫ ૪૫-૫૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨/ અનુગરિકા પાના નં. ૫૦-૫૫ પપ પ૦-૬૧ ૫૭-૫૭. ૫૭-૧ ઉ૧-૧૮ ૯૧-૯૮ ઉ૮-૮૧ મ વિષય અધિકારવાની પ્રકૃતિ હોતે છતે શ્રદ્ધા આદિ તત્ત્વધર્મની યોનિઓ પ્રાપ્ત થાય છે. ઉપયોગસંપદાની જ હેતસંપદા પાંચમી. ૨૦. ધમ્માણ. ધમ્મદયાણ આદિ સૂત્ર પંચકનો ક્રમ, ધખદયાણંથી સદેશનાની યોગ્યતારૂપ અનુગ્રહ. ચારિત્રધર્મના બે પ્રકાર, ભગવાનનું બહુમાન અને ચારિત્રધર્મનો તેવો સ્વભાવ કારણમાં કાર્યનો ઉપચાર. ૨૧. ધમ્મસથાણું. ધર્મની દેશનાનું સ્વરૂપ. ૨૨. ધમ્મનાયગાણું. ભગવાનમાં ધર્મના નાયક થવાનું લક્ષણ છે – ૧. ધર્મના વશીકરણનો ભાવ-વિધિનું સમાસાદન, નિરતિચારપાલન, યથોચિત દાન, જીવોને ચારિત્રદાનમાં વચનની અપેક્ષાનો અભાવ. ૨. ઉત્તમની પ્રાપ્તિવાળા - પ્રધાન શાયિકધર્મની પ્રાપ્તિ, સત્તાર્યકરણ સ્વભાવ, હનમાં પ્રવૃત્તિ તે પ્રકારના ભવ્યત્વનો યોગ. ૩. ધર્મના ફલના પરિભોગને કરનારા-સકલ સૌંદર્ય, પ્રાતિહાર્યનો યોગ, સમગ્ર પુણ્યના સમૂહથી ઉત્પન્ન થયેલી ઉદાર દ્ધિ, સમગ્ર રદ્ધિનું આધિપત્ય. ૪. ચારિત્રના વિઘાતની અનુપપત્તિ-અવંધ્ય પુણ્યનું બીજ, અધિક ફળની અનુપપત્તિ, પાપ શયનો ભાવ, અહેતુક વિશાતની અસિદ્ધિ. | ભગવાન હનમાં પણ પ્રવૃત્તિ કરે છે – તેમાં ભગવાન અને બોધ કરવા ભૃગુકચ્છ ગયા તે પ્રસંગનું વિસ્તારથી વર્ણન. ૨૩. ધમ્મસારહીણ. ભગવાન ધર્મના સારથી-ચારિત્રરથનું સમ્યક પ્રવર્તન, તેમાં કારણ પરિપાકનું અપેક્ષણ, તેમાં કારણ પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ, તેમાં કારણ અપુનબંધકપણું, તેમાં કારણ પ્રકૃતિને અભિમુખપણાની ઉપપત્તિ. ૨૯. | ભગવાન ધર્મના સારથી - ચારિત્રધર્મના સમ્યક પ્રવર્તનનો યોગ-સમ્યક ૬૮-૮૧ ૭૧-૭૭. ૮૧-૯૪ ૮૧-૮૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ / અનુક્રમણિકા હમા વિષય પાના નં. ૮૫-૮૮ ૮૮-૯૪ ૯૪-૧૦૦ ૯૪-૯૯ ૯૯-૧૦૦ ૧૦૦ ૧૦૦-૧૧૫ પાલન-તેમાં કારણ ગાંભીર્યનો યોગ, તેમાં કારણ સુંદર સહકારીની પ્રાપ્તિ, તેમાં કારણ અનુબંધ પ્રધાનપણું, તેમાં કારણ અતિચારના ભીરુપણાની ઉપપત્તિ. દમનના યોગથી ભગવાન સારથી. ૨૪. ધમ્મવરચાઉરંતચકવીર્ણ. ત્રિકોટિ પરિશુદ્ધધર્મ - દાનાદિ ચાર પ્રકારનો ધર્મ, ચાર ગતિને અથવા ભાવ શત્રુને નાશ કરે માટે ધર્મચક્ર, કષ-છેદ-તાપની પરીક્ષાથી સુપરિશુદ્ધધર્મ. ભગવાન તથાભવ્યત્વના નિયોગથી વરબોધિના લાભથી માંડીને સિદ્ધિની પ્રાપ્તિ સુધી વર્તે છે, માટે ધર્મ ચતુરંત ચક્રવર્તી. સ્તોતવ્યસંપદાની વિશેષથી ઉપયોગસંપદા છઠી. ૨૫. અપડિહયવરનાણદંસણધરાણ. ઇષ્ટ તત્ત્વને જુઓ' એવા બોદ્ધના મતના નિરાકરણ માટે અપ્પડિયવરનાણદંસણધરાણું. અપ્રતિહત વરશાનદર્શન ન હોય તો તત્ત્વનો અયોગ. નિરાવરણ હેતુમાં સર્વજ્ઞાન-સર્વદર્શન સ્વભાવત્વરૂપ વિશેષણની સિદ્ધિ. નિરાવરણ હેતુરૂપ વિશેષ્યની સિદ્ધિ. અપ્રતિહત વરજ્ઞાનદર્શન ધરત્વ ન હોય તો અવિકલ પરાર્થ સંપાદનનો અસંભવ. ૨૬. વિયછઉમાણે. તીર્થના રક્ષણ માટે ભગવાન ફરી જન્મ લે છે એવા ગોશાલકના મતના નિરાકરણ માટે વિયટછઉમાણે પદ. ભગવાનને ફરી જન્મ લેવાના હેતુનો અભાવ છે, ભવ્ય જીવોના ઉચ્છેદની શંકા અને સમાધાન. સ્તોતવ્યસંપદાની જ સ્વરૂપ સંપદા સાતમી. ૨૭. જિણાાં જાવયાણ. તત્તાંતવાદિ માધ્યમિકો ભગવાનને અજિનાદિ માને છે, તે મતના નિરાકરણ માટે જિણાણે જાવયાણું. ૧૦૦-૧૦૧ ૧૦૧-૧૦૩ ૧૦૩-૧૦૮ ૧૦૮-૧૧૨ ૧૧૨-૧૧૫ ૧૧૫-૧૨૦ ૧૧પ-૧૧૭ ૧૧૭-૧૨૦ ૧૨૦-૧૨૧ ૧૨૧-૧૨૯ ૧૨૧-૧૨૪. Page #22 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ | અનુક્રમણિકા કમ વિષય પાના નં. ૪૭. ૧૨૪-૧૨૫ ૧૨૫-૧૨૯ ૧૩૦-૧૩૭ ૧૩૦ ૧૩૧-૧૩૪ ૧૩૪-૧૩૭. ૧૩૭૧૪૬ પ૩. ૫૪. ૧૩૭–૧૪૬ ૧૪-૧૫૩ | ‘પપ માધ્યમિકો રાગાદિને ભ્રાતિ માત્ર કલ્પના અર્થાત્ અસતુ માને છે તેનું નિરાકરણ. માધ્યમિકોના મતમાં અતિપ્રસંગ અને અનુભવ બાધા એ રૂપ દોષ, માટે ભગવાન જિન છે. ૨૮. તિeણાણં તારયાણું. કાર્યમાત્ર પ્રત્યે કાલ કારણ છે તેમ માનનારા શિષ્યોના મતના નિરાકરણ માટે તિણાણે તારયાણં પદ. ભગવાનને ભવનું આવર્ત નથી; કેમ કે કારણનો અભાવ છે, દૃષ્ટતથી સિદ્ધ. પૂર્વપક્ષીએ આપેલું તુ આવર્તનું દૃષ્ટાંત તેમાં મુક્તત્વનો વિરોધ, તીર્ણાદિની સિદ્ધિ. ૨૯. બુદ્ધાણં બોહચાણ. બુદ્ધાણં બોહયારું પદથી મીમાંસક મતનું નિરાકરણ. ૩૦. મુત્તાણ મોયગાણું. જગત્કર્તમાં લીન મુક્તવાદી સંતપન શિષ્યોના મતના નિરાકરણ માટે મુતાણું મોયગાણે પદ. સંતપન શિષ્યોના મતે અતિજઘન્ય મુક્તત્વ. નિમિત્ત કર્તૃત્વ હોતે છતે તત્વથી ઈશ્વરનું અકર્તૃત્વ, ઈશ્વર અને મુક્ત બંનેના એકીભાવરૂપ લય સંગત નથી. આત્મતુલ્ય પરફલ કર્તૃત્ત્વસંપદા આઠમી. ૩૧. સવજૂર્ણ સવદરિસીણં. બુદ્ધિના યોગથી જ્ઞાનને સ્વીકારનારા કપિલના શિષ્યોના મતના નિરાકરણ માટે સવ્યસૂર્ણ સત્રદરિસર્ણ પદ. સાંખ્યદર્શનકારના મતનું નિરાકરણ. ક્ષણિક બોદ્ધવાદીના મતનું નિરાકરણ. ૩૨. શિવમયલ-સંપત્તાણે. સર્વગત આત્મવાદી મતના નિરાકરણ માટે સિવમલ-સંપત્તાણું. મુક્ત આત્માનું નિશ્ચયથી અને વ્યવહારથી સ્થાન. ૧૪૭ ૧૪૭-૧૪૯ ૫૮. ૧૪૯-૧૫૩ ૧૫૭-૧૫૪ પ૯, છે. ૧૫૪-૧૭૩ ઉ૩, ૧૫૪-૧૫૬ ૧૫૭-૧૫૮ ૧૧૮-૧૭૩ ૧૭૩-૧૭૯ ૧૭૩-૧૭૪ ૧૭૪-૧૭૯ ૪. ૫. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મ ૬૭. ૭૮. ૬૯. ૭૦. ૭૧. ૭૨. ૭૩. ૭૪. ૭૫. ૩૭. ૭૭. ૭૮. ૭૯. ૮૦. ૧. ૩૩. નમો જિણાણં જિયભયાણં. આદિ અંત મધ્યવ્યાપી નમસ્કાર. વિષય અદ્વૈત મુક્તનો વ્યવચ્છેદ, નિરુપચરિત જિતભયત્વ. એક વખત વિચટન સ્વભાવમાં અનેક દોષ. લલિતવિસ્તરા ભાગ-૨ / અનુક્રમણિકા પાના નં. ૧૭૯ ૨૧૫ ૧૭૯ પરમબ્રહ્મના ક્ષેત્રવિદ અંશો વહ્નિસ્ફુલિંગ જેવા, કૂવામાં પડેલાના ઉત્તારણનું દૃષ્ટાંત, દૃષ્ટ ઇષ્ટ અવિરુદ્ધ વચન જ વચન અદ્વૈત વાદીનું કથન શ્રદ્ધામાત્ર ગમ્ય. કૂપપતિત ઉદાહરણ ઉદાહરણ માત્ર. ભવ કૂપમાં પડેલાનો ઉદ્ધાર કરવા ઉપાયમાર્ગણનું સ્વરૂપ આગમથી, અનુમાનથી, ધ્યાનના અભ્યાસથી પુરુષ ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે. આગમથી, અનુમાનથી અને ધ્યાનના અભ્યાસથી પ્રજ્ઞાને પ્રવર્તાવતો પુરુષ ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે, તેમાં સાક્ષીરૂપે અન્ય વચનો. જિતભયત્વના કથનનું નિગમન, એક નમસ્કાર દ્વારા અનેકને વિષય કરવા એ સદાશયની સ્ફાતિ અર્થાત્ વિવેકનું કાર્ય હેતુભેદ, ફલભેદ. એકની પૂજાથી સર્વની પૂજા – તેમાં વિશેષ – (૧) અનુદાર ચિત્તવાળાના પ્રવર્તન માટે (૨) બીજા તીર્થંકરોની પણ સમાન સંપદાનો બોધ કરાવવા માટે (૩) સંઘપૂજાદિમાં આશયની વ્યાપ્તિ બતાવવા માટે. પ્રધાનગુણના અપરિક્ષયપૂર્વક પ્રધાનફલની આપ્તિરૂપ અભયસંપદા નવમી. વિચારકોની પ્રવૃત્તિ માટે સ્તોતવ્યસંપદા, સંપદાના ઉપન્યાસ ક્રમમાં હેતુ, સંપદાની વ્યાખ્યા. ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ. નમુન્થુણં સૂત્ર બોલવાનો વિધિ. નમ્રુત્યુર્ણ સિવાયના સૂત્રો બોલીને પણ યોગમાર્ગની વૃદ્ધિ. ૧૮૦-૧૮૩ ૧૮૩-૧૮૭ ૧૮૭-૧૯૫ ૧૯૭-૧૯૮ ૧૯૮-૨૦૨ ૨૦૩-૨૦૪ ૨૦૪-૨૧૨ ૨૧૦-૨૧૫ ૨૧૫ ૨૧૫-૨૨૨ ૨૨૨ ૨૪૭ ૪૭ ૨૫૦ ૨૫૦ ૨૫૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ સૂરિપુરંદર, યાકિનીમહત્તરાસૂનુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી વિરચિત પંજિકા સમન્વિત લલિતવિસ્તા સૂત્ર - अहं नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । હું નમઃ । -- શબ્દશઃ વિવેચન ભાગ ૨ ગમવાળું ।।।। સૂત્રાર્થ: અભયને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ, [૧૫]] લલિતવિસ્તરા : साम्प्रतं भवनिर्वेदद्वारेणार्थतो भगवद्बहुमानादेव विशिष्टकर्म्मक्षयोपशमभावाद् अभयादिधर्म्मसिद्धेः, तद्व्यतिरेकेण नैःश्रेयसधर्म्मासम्भवाद्, भगवन्त एव तथा तथा सर्वकल्याणहेतवः इति प्रतिपादयन्नाह'अभयदयाण 'मित्यादिसूत्रपञ्चकम् । લલિતવિસ્તરાર્થ : હવે ભવનિર્વેદ દ્વારા અર્થથી ભગવાનનું બહુમાન હોવાને કારણે જ વિશિષ્ટ કર્મના ક્ષયોપશમનો ભાવ હોવાથી અભય આદિ ધર્મની સિદ્ધિ હોવાને કારણે તેના વ્યતિરેકથી=અભયાદિ સિદ્ધિના અભાવથી, નિઃશ્રેયસ ધર્મનો અસંભવ હોવાને કારણે ભગવાન જ તે તે પ્રકારે=અભયાદિ પ્રકારે, સર્વકલ્યાણના હેતુ છે, એ પ્રમાણે પ્રતિપાદન કરતાં અભયદયાણં ઈત્યાદિ સૂત્રપંચકને કહે છે Page #25 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તા ભાગ-૨ પંજિકા - 'भवनिर्वेदमित्यादि, भवनिर्वेदः-संसारोद्वेगो, यथा, 'कायः संनिहितापायः, सम्पदः पदमापदाम्। समागमाः सापगमाः, सर्वमुत्पादिभङ्मुरम्।।' एवंचिन्तालक्षणः, स एव द्वारम् उपायस्तेन, भगवन्त एव तथा तथा सर्वकल्याणहेतव इत्युत्तरेण सम्बन्धः, कथमित्याह अर्थतः तत्त्ववृत्त्या, भगवद्बहुमानादेव-अर्हत्पक्षपातादेव, भवनिर्वेदस्यैव भगवद्बहुमानत्वात्। ततः किमित्याह-विशिष्टकर्मक्षयोपशमभावाद-विशिष्टस्य मिथ्यात्वमोहादेः कर्मणः क्षयोपशमः उक्तरूपस्तद्भावात्, ततोऽपि किमित्याह- अभयादिधर्मसिद्धेः-अभयचक्षुर्मार्गशरणादिधर्मभावात्। व्यतिरेकमाह- तद्व्यतिरेकेण=अभयादिधर्मसिद्ध्यभावेन, नैःश्रेयसधासम्भवात्=निःश्रेयसफलानां सम्यग्दर्शनादिधर्माणामघटनात्, 'भगवन्त एव' अर्हल्लक्षणाः, 'तथा तथा' अभयदानादिप्रकारेण, 'सर्वकल्याणहेतवः'सम्यक्त्वादिकुशलपरंपराकारणमिति। પંજિકાર્ચ - ભવનિર્વેદિ'ચારિ .... શતપરંપરાવરિપમિતિ ભવનિર્વેદ ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, ભવનો નિર્વેદ=સંસારનો ઉદ્વેગ, કઈ રીતે ભવનો ઉદ્વેગ થાય તે યથાથી બતાવે છે – કાયા સંનિહિત અપાયવાળી =કાયાને કારણે સર્વ પ્રકારના અનર્થી પ્રાપ્ત થઈ શકે છે, સંપત્તિઓ આપત્તિઓનું સ્થાન છે; કેમ કે ગમે તે પ્રકારે નાશ થવાનો સંભવ છે, સમાગમો અપગમ સહિત છે= જે સુંદર સમાગમો થાય છે તેનો અવશ્ય વિયોગ થાય છે, સર્વ ઉત્પન્ન થનારી વસ્તુ નાશવંત છે, આવી ચિંતાના સ્વરૂપવાળો ભવનિર્વેદ છે, તે જ=ભવનિર્વેદ જ, દ્વાર છે=ઉપાય છે, તેનાથી=ભવતિર્વેદથી, ભગવાન જ તે તે પ્રકારે સર્વકલ્યાણના હેતુ છે, એ પ્રમાણે ઉત્તરની સાથે=લલિતવિસ્તરામાં ઉત્તરના કથનની સાથે, સંબંધ છે. કેવી રીતે ? એથી કહે છે=ભગવાન ભવનિર્વેદાદિ દ્વારા સર્વકલ્યાણના હેતુ કેવી રીતે છે? એથી કહે છે – અર્થથીતત્વવૃત્તિથી=શબ્દથી નહિ પરંતુ શબ્દના પારમાર્થિક અર્થનો વિચાર કરવાથી, ભગવાનના બહુમાનથી જ=અરિહંતના પક્ષપાતથી જ, વિશિષ્ટ કર્મનો ક્ષયોપશમ થાય છે એમ હેતુનું ભોજન છે; કેમ કે ભવનિર્વેદનું જ ભગવાનનું બહુમાનપણું છે. તેનાથી શું=ભગવાનના બહુમાનથી શું પ્રાપ્ત થાય છે? એને કહે છે – વિશિષ્ટ કર્મનો ક્ષયોપશમભાવ થવાથી–વિશિષ્ટ મિથ્યાત્વ મોહાદિ કર્મોનો ઉક્તરૂપવાળો ક્ષયોપશમ તેનો ભાવ હોવાથી, અભયાદિ ધર્મની સિદ્ધિ છે એમ હેતુનું યોજન છે. તેનાથી પણ=વિશિષ્ટ કર્મના ક્ષયોપશમના ભાવથી પણ, શું ?=શું પ્રાપ્ત થાય છે? એથી કહે Page #26 -------------------------------------------------------------------------- ________________ અભયવ્યાણ અભયાદિ ધર્મની સિદ્ધિ હોવાથી=અભય-ચક્ષુ-માર્ગ-શરણ આદિ ધર્મની પ્રાપ્તિ હોવાથી, ભગવાન જ કલ્યાણના હેતુ છે એમ યોજન છે, વ્યતિરેકને કહે છે–પૂર્વમાં અવયથી ભગવાન કઈ રીતે કલ્યાણના હેતુ છે તેને બતાવેલ તેના વ્યતિરેકથી=અભયાદિ ધર્મની સિદ્ધિના અભાવથી, વિશ્રેયસ ધર્મનો અસંભવ હોવાને કારણે=નિઃશ્રેયસ ફલવાળા સમ્યગ્દર્શન આદિ ધર્મોનું અઘટન હોવાને કારણે, અરિહંત સ્વરૂપ ભગવાન જ તે તે પ્રકારે=અભયદાનાદિ પ્રકારથી, સર્વકલ્યાણના હેતુ છે=સમ્યક્વાદિ કુશલ પરંપરાના કારણ છે. ભાવાર્થ : અભયદયાણ આદિ પાંચમી સંપદાનું ઉત્થાન કરતાં બતાવે છે – ભવનિર્વેદ દ્વારા અર્થથી જીવોને ભગવાનનું બહુમાન પ્રગટ થાય છે; કેમ કે ભગવાન ભવથી અતીત અવસ્થાવાળા છે, તેથી જેઓને ભવ નિર્ગુણ જણાય છે તેઓને અર્થથી ભવથી અતીત અવસ્થા પ્રત્યે બહુમાન થાય છે, જે ભગવાનના બહુમાન સ્વરૂપ જ છે. કઈ રીતે જીવોને નિર્વેદ થાય છે ? તે બતાવતાં પંજિકાકાર કહે છે – જે જીવોની મતિ કંઈક નિર્મળ થયેલી છે તેઓને કાયા સંનિહિત અપાયરૂપે દેખાય છે અર્થાતુ પૂર્વમાં મૂઢતાને કારણે કાયા સુખનું સાધન દેખાતી હતી, વસ્તુને વાસ્તવિક જોનારી કંઈક દૃષ્ટિ પ્રગટ થવાથી તેને દેખાય છે કે કાયાને કારણે જ મારે પરવશ થઈને સર્વ પ્રવૃત્તિઓ કરવી પડે છે અને રોગાદિ થાય ત્યારે આ જ કાયા મહાશત્રુનું કાર્ય કરે છે, જો કાયા ન હોત તો કોઈ ઉપદ્રવ થાય નહિ અને સંસારી જીવો કાયાના ઉપદ્રવના નિવારણ માટે જ સર્વ જીવનવ્યવસ્થામાં યત્ન કરે છે. વળી, પુણ્યથી પ્રાપ્ત થયેલી સંપત્તિઓ આપત્તિઓનું સ્થાન છે; કેમ કે ચોરાદિથી નાશ થવાનો ભય રહે છે, વળી, સંસારમાં જેટલા સુંદર સમાગમો છે તે નાશ થનારા હોવાથી અપગમથી યુક્ત છે, આથી જ સુંદર એવા સ્વજનાદિનો સમાગમ હોય અને તેઓનું મૃત્યુ થાય છે ત્યારે સંતાપ પ્રગટે છે, આ રીતે અનુભવ અનુસાર પદાર્થને જોવાથી કાયા પ્રત્યેનું મમત્વ કંઈક શિથિલ થાય છે, સંપત્તિઓ પ્રત્યેનું મમત્વ કંઈક શિથિલ થાય છે અને સુંદર સમાગમો નાશવંત હોવાથી તેના પ્રત્યે પણ મમત્વ કંઈક ઘટે છે, વળી, વિચારે છે કે સર્વ ઉત્પાદિત વસ્તુ ભંગુર છે સર્વ ઉત્પન્ન થનારી વસ્તુ નાશવંત છે, આ પ્રકારે વાસ્તવિક સ્વરૂપને વિચારવાથી ભવ પ્રત્યે કંઈક અંશે નિર્વેદ થાય છે, તેથી જેમ રોગીને રોગ પ્રત્યે નિર્વેદ થાય તો અર્થથી આરોગ્યનું બહુમાન થાય છે, તેમ ભવ પ્રત્યે નિર્વેદ થવાથી ભવથી અતીત અવસ્થાવાળા ભગવાન પ્રત્યે બહુમાન થાય છે. આ બહુમાનનો પરિણામ જીવના વિશિષ્ટ ક્ષયોપશમનું કારણ બને છે અર્થાત્ પૂર્વમાં ઉત્કટ મિથ્યાત્વને કારણે માત્ર ભોગાદિમાં જે સારબુદ્ધિ હતી તે હવે કંઈક શિથિલ થાય છે અને ચિત્ત સંસારની અતીત અવસ્થાને અભિમુખ બને તેવો મંદ મિથ્યાત્વજન્ય જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષયોપશમભાવ વર્તે છે, જેનાથી અભયાદિ ધર્મોની સિદ્ધિ થાય છે અને અભયાદિ ધર્મોની સિદ્ધિ વગર મોક્ષનું કારણ બને એવા ધર્મનો અસંભવ છે અર્થાત્ પૂર્વમાં પણ જીવ ક્યારેક દયાદિ ભાવો કરે છે ત્યારે Page #27 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ આત્મામાં કંઈક નિર્મળતા પ્રગટે છે, તોપણ જ્યાં સુધી ભવ પ્રત્યે નિર્વેદ ન થાય ત્યાં સુધી જે ધર્મો પ્રગટે છે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષનું કારણ બનતા નથી, આથી જ અભવ્ય પણ કંઈક શુભભાવો કરે છે ત્યારે તેનામાં ધર્મ પ્રગટે છે, તોપણ ભવને નિર્ગુણ જાણી શકે તેવી મતિ તેને ક્યારેય થતી નથી, તેથી ભવને સારરૂપે જોનાર અભવ્યને કે ચરમાવર્ત બહારવર્તાિ જીવોને ભગવાન પ્રત્યે બહુમાન થતું નથી અને જેઓને ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્ બોધ નથી, તોપણ ભવને નિર્ગુણ જાણે છે તેઓને ભગવાન પ્રત્યે બહુમાન થાય છે તેના કારણે જ અભયાદિના કારણભૂત વિશિષ્ટ ક્ષયોપશમ તેઓને થાય છે અને તે જીવોને માટે ભગવાન જ અભયાદિની પ્રાપ્તિ દ્વારા કલ્યાણના હેતુ છે તે બતાવવા માટે અભયાદિ સંપદાને પ્રતિપાદન કરતાં કહે છે – ललितविस्त : इह भयं सप्तधा-इहपरलोकाऽऽदानाकस्मादाजीवमरणाश्लाघाभेदेन, एतत्प्रतिपक्षतोऽभयमिति विशिष्टमात्मनः स्वास्थ्यम्=निःश्रेयसधर्मभूमिकानिबन्धनभूता धृतिरित्यर्थः। ललितविस्तरार्थ : महीसंसारमा, भय सात प्रकारे छे - Ecोs-परलो-माहान-उस्मात्-मा04= આજીવિકા, મરણ-અશ્લાઘાના ભેદથી સાત પ્રકારે છે, આના પ્રતિપક્ષથી સાત પ્રકારના ભયના પ્રતિપક્ષથી, અભય છે, એથી આત્માનું વિશિષ્ટ સ્વારબ્ધ છે નિઃશ્રેયસ ધર્મની ભૂમિકાના કારણભૂત ધૃતિ છે, એ પ્રકારનો અર્થ છેઃઅભય શબ્દનો અર્થ છે. नि: 'इहे त्यादि 'इहपरलोकआदानअकस्मादआजीवमरणअश्लाघाभेदेन', इहपरलोकादिभिः उपाथिभिः, भेदो विशेषः, तेन, तत्र मनुष्यादिकस्य सजातीयादेरन्यस्मान्मनुष्यादेरेव सकाशाद् यद्भयं तदिहलोकभयम्, इहाधिकृतभीतिमतो भावलोक इहलोकः, ततो भयमिति व्युत्पत्तिः, तथा विजातीयात्तिर्यग्देवादेः सकाशान्मनुष्यादीनां यद्भयं, तत् परलोकभयम्, आदीयत इति आदानम् तदर्थं चौरादिभ्यो यद्भयं तदादानभयम्, अकस्मादेव बाह्यनिमित्तानपेक्षं गृहादिष्वेव स्थितस्य रात्र्यादौ भयमकस्माद्भयम्, आजीवो-वर्तनोपायस्तस्मिन् अन्येनोपरुध्यमाने भयमाजीवभयम्, मरणभयं प्रतीतम्, अश्लाघाभयम् अकीर्तिभयम्; ‘एवं हि क्रियमाणे महदयशो भवतीति तद्भयान प्रवर्त्तते इति, एतत्प्रतिपक्षतः एतस्य-उक्तभयस्य, प्रतिपक्षतः-परिहारेण, अभयं भयाभावरूपम्, इति-इत्येवंलक्षणम् पर्यायतोप्याह- विशिष्ट वक्ष्यमाणगुणनिबन्धनत्वेन प्रतिनियतम्, आत्मनो जीवस्य, स्वास्थ्य स्वरूपावस्थान; तात्पर्यतोऽप्याह- 'निःश्रेयसधर्मभूमिकानिबन्धनभूता धृतिरित्यर्थ' इति, निःश्रेयसाय मोक्षाय, धम्मो निःश्रेयसधर्मः सम्यग्दर्शनादिः, तस्य भूमिका-बीजभूतो मार्गबहुमानादिर्गुणः, तस्य निबन्धनभूता-कारणभूता, धृतिः आत्मनः स्वरूपावधारणम्, 'इत्यर्थः' इति-एषः, अर्थः-परमार्थः। Page #28 -------------------------------------------------------------------------- ________________ અભયયાણ પંજિકાર્ચ - ચારિ... બર્થ-પરમાર્થઃ | ઈહલોક-પરલોક-આદાન-અકસ્માત-આજીવ આજીવિકા, મરણઅશ્લાઘાના ભેદથી ઈહ પરલોકાદિ ઉપાધિઓ વડે ભેદ–વિશેષ, તેનાથી ભય સાત પ્રકારનો છે એમ અવય છે, ત્યાં=સાત પ્રકારના ભયમાં, મનુષ્યાદિને સજાતીય એવા અન્ય મનુષ્યાદિથી જ જે, ભય તે ઈહલોક ભય છે, અહીં=ઈહલોક ભયમાં, અધિકૃત ભીતિવાળો જે જીવ તેના ભાવવાળો લોક ઈહલોક છે=અધિકત એવો મનુષ્ય ભીતિવાળો હોય તેના ભાવવાળો જે અન્ય મનુષ્ય તે ઈહલોક તેનાથી ભય, એ પ્રકારની વ્યુત્પત્તિ છે, અને વિજાતીય એવા તિર્યંચ દેવાદિથી મનુષ્યાદિને જે ભય તે પરલોક ભય છે, ગ્રહણ કરાય છે એ આદાન, તેને માટે આદાન માટે, ચોરાદિથી જે ભય અર્થાત ચોરાદિ મારી પાસેથી મારું ધન લઈ જશે તે આદાન ભય છે, અકસ્માત જ=બાહા નિમિત અનપેક્ષ ગૃહાદિમાં જ રહેલા રાત્રિ આદિમાં ભય અકસ્માત ભય છે, આજીવ આજીવિકા=જીવનની વ્યવસ્થાનો ઉપાય તે અન્ય દ્વારા ઉપરોધ કરાયે છતે ભય આજીવભય છે, મરણભય પ્રતીત છે, અશ્લાઘા ભય અકીતિનો ભય છે. આ પ્રમાણે કરાવે છતે મોટો અપયશ થાય છે, એ પ્રકારે તેના ભયથી અકીતિના ભયથી, પ્રવર્તતો નથી, આના પ્રતિપક્ષથી-આના અર્થાત્ ઉક્તભયના પ્રતિપથી અથત પરિહારથી અભય=ભયાભાવરૂપ અભય, આવા લક્ષણવાળા અભયને પર્યાયથી પણ કહે છે–વિશિષ્ટ=વયમાણ ગુણના કારણપણાથી પ્રતિનિયત, આત્માનું જીવનું, સ્વાસ્થ= સ્વરૂપનું અવસ્થાન, અભય છે એમ અવય છે, તાત્પર્યથી પણ કહે છેઃઅભયના સ્વરૂપને તાત્પર્યથી કહે છે – નિરોયસ ધર્મની ભૂમિકાના કારણભૂત વૃતિ એ પ્રકારે અર્થ છે અભયનો અર્થ છે, વિશ્રેયસ માટે=મોક્ષ માટે, ધર્મ વિશ્રેયસ ધર્મ, સમ્યગ્દર્શનાદિ તેની ભૂમિકા બીજભૂત માર્ગ બહુમાનાદિ ગુણ, તેના કારણભૂત ધૃતિ આત્માના સ્વરૂપનું અવધારણ, એ પ્રકારે અર્થ છે=તિ અર્થાત આ, અર્થ છે અર્થાત પરમાર્થ છે. ભાવાર્થ : સંસારી જીવો સાત પ્રકારના ભયથી સતત વ્યાકુળ છે, તેથી તેના નિરાકરણ માટે જ સર્વ પ્રકારની ચિંતામાં પ્રાપ્ત થયેલો મનુષ્યભવ પૂરો કરે છે અને તે તે પ્રકારની રક્ષણની બાહ્ય સામગ્રી તે જીવને પ્રાપ્ત થયેલ હોય તો તે તે પ્રકારના ભયો તેને વ્યક્ત દેખાતા નથી, તે સિવાયના અન્ય કોઈક ભયને આશ્રયીને સંસારી જીવો સતત પ્રવૃત્તિ કરે છે, આથી જ જે લોકોને બાહ્ય સુરક્ષાની પ્રાપ્તિ છે તેઓને આ લોકનો ભય ઉપયોગરૂપે પ્રવર્તતો નથી, તોપણ ક્યારેક આજીવિકાના ભયથી ધન સંચયમાં જ યત્ન કરતા હોય છે, મરણના ભયથી દેહને રોગાદિ ન થાય તેની ચિંતા કરતાં હોય છે, લોકમાં પોતાની અપકીર્તિ ન થાય તેનો જ વિચાર કરતાં હોય છે. વળી, અભવ્યજીવ કે ચરમાવર્ત બહારના જીવો વિશિષ્ટ પ્રકારના સુંદર ભવ અર્થે ધર્મ કરતા હોય છે ત્યારે પણ આજીવિકાના પરિણામથી તપ-ત્યાગાદિમાં પ્રવર્તે છે અથવા આ લોકમાં શ્લાઘા આદિથી તપત્યાગમાં પ્રવર્તે છે, તેથી સાત ભયને અવલંબીને જ સંસારી જીવોની સર્વ પ્રવૃત્તિ હોય છે અને જ્યારે ભવના Page #29 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળદૃષ્ટિ જીવમાં પ્રગટે છે ત્યારે તે જીવને ભવ પ્રત્યે નિર્વેદ થાય છે તેના કારણે ભવના કારણભૂત સંગનો પરિણામ તેને કંઈક અસાર જણાય છે, તેથી વિશિષ્ટ પ્રકારની આત્માની સ્વસ્થતાપૂર્વક સંસારના સ્વરૂપનું અવલોકન કરે તેવી પ્રથમ ભૂમિકાની અભય દૃષ્ટિ તે જીવમાં પ્રગટે છેઃ સંસારના ભયની ઉપેક્ષા કરીને આત્માના હિતની સ્વસ્થતાથી વિચારણા કરે તેવી ધૃતિ પ્રગટે છે, જે ધૃતિ મોક્ષના કારણભૂત જે સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે તેનું કારણ બને તેવી ચિત્તની સ્વસ્થતા છે, તે ભગવાન પ્રત્યેના બહુમાનથી પ્રગટ થયેલો જીવનો આદ્ય ભૂમિકાના પરિણામ છે, તેથી ભગવાન અભયને દેનારા છે તેમ કહેવાય છે. વસ્તુતઃ સંસારી જીવો સંસારમાં જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ સાત ભયોને અવલંબીને તેના રક્ષણના ઉપાયરૂપે કરે છે અને જ્યારે સાક્ષાત્ કોઈ ભય ઉપસ્થિત ન હોય ત્યારે ભોગવિલાસમાં પ્રયત્ન કરે છે, વળી, ક્યારેક દુઃખી આદિ જીવોને જોઈને દયાદિના પરિણામવાળા થાય છે, તોપણ દેહની સાથે એકતાને પામેલો પોતાનો આત્મા કઈ રીતે સંસારની સર્વ કદર્થના પામે છે અને શું કરવાથી સંસારના પરિભ્રમણની આ વિડંબના દૂર થાય તેનો ક્યારેય સ્વસ્થતાથી વિચાર કરતા નથી, તેથી કંઈક શુભભાવો કરીને મનુષ્યભવ કે દેવભવ પ્રાપ્ત કરે છે તોપણ મોક્ષને અનુકૂળ આત્માના હિતની ચિંતા થાય તેવો અભય તેઓને પ્રગટ થતો નથી, પરંતુ જ્યારે ભવથી કંઈક વિરક્ત ચિત્ત થાય છે ત્યારે ભવથી અતીત અવસ્થાનો વિચાર કરે તેવી ધૃતિ પ્રગટે છે તે અભય છે અને તેવો અભય ભગવાનથી પ્રાપ્ત થાય છે; કેમ કે ભવનિર્વેદ થયા વગર તેવી ધૃતિ પ્રાપ્ત થતી નથી, જેથી આત્માની ચિંતા પ્રગટે અને જેઓને ભવનો નિર્વેદ થયો છે તેઓ આત્માના હિતની ચિંતાનો વિચાર કરે છે અને ભવનો નિર્વેદ અર્થથી ભગવાનના બહુમાનરૂપ હોવાથી અભયની ભૂમિકા દેનારા ભગવાન છે તેમ કહેવાય છે. વળી, અભવ્ય કે દુર્ભવ્ય જીવ પરલોકની ચિંતા કરે છે તે પણ ભોગસામગ્રીયુક્ત પરલોકની ચિંતા કરે છે, તેથી તેને લેશ પણ ભવનિર્વેદ થતો નથી, પરંતુ સમૃદ્ધિયુક્ત જ ભવની ઇચ્છાથી ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, માટે ભગવાન તેઓના અભયને દેનારા નથી. લલિતવિસ્તરા : नह्यस्मिन्नसति यथोदितधर्मासिद्धिः, सन्निहितभयोपद्रवैः प्रकामं चेतसोऽभिभवात् चेतःस्वास्थ्यसाध्यश्चाधिकृतो धर्मः तत्स्वभावत्वात्, विरुद्धश्च भयपरिणामेन, तस्य तथाऽस्वास्थ्यकारित्वात्। લલિતવિસ્તરાર્થ - જે કારણથી આ નહિ હોતે છતે=ભયરૂપ સ્વાથ્ય નહિ હોતે છતે, યથોદિત ધર્મની સિદ્ધિ નથી; કેમ કે સંનિહિતભયના ઉપદ્રવોથી ચિત્તનો અત્યંત અભિભવ છે અને ચિત્તના સ્વાધ્યથી સાધ્ય અધિકૃત ધર્મ છે; કેમ કે તસ્વભાવપણું છે=ધર્મનું ચિત્તના સ્વાધ્યરૂપ સ્વભાવપણું છે, અને ભય પરિણામથી વિરુદ્ધ છેકચિત્તનું સ્વાધ્ય નિરાકૃત છે; કેમ કે તેનું=ભય પરિણામનું, તે પ્રકારે અસ્વાધ્યકારિપણું છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ અભયદયાણં પંજિકા ઃ एतदेव भावयति ‘ન રીતિ’ ન=નૈવ, દિ=યસ્માત્ અસ્મિન્ સ્વાસ્થ્ય અસતિ=અવિદ્યમાને, ‘વોવિતધર્મસિદ્ધિ: નિ:શ્રેયસधर्म्मनिष्पत्तिः, कुत इत्याह- सन्निहितभयोपद्रवैः = सन्निहितैः - चेतसि वर्तमानैः भयान्येवोक्तरूपाणि उपद्रवाः મથોપદ્રવા:-વ્યસનાનિ તે:, પ્રજામમ્=પ્રત્યર્થ, ચેતો=મનસો, મિમવા=પીડનાત્, પ્રામપ્રદળ ચ भयोपद्रवाणामान्तरङ्गत्वेनात्यन्तिकाभिभवहेतुत्वख्यापनार्थमिति, यदि नामैवं, ततः किमित्याह- चेतः स्वास्थ्यसाध्यश्चाधिकृतो धर्म्मः=चित्तसमाधानहेतुश्चाधिकृतो धर्म्मः सम्यग्दर्शनादिः, कुत इत्याह- तत्स्वभावत्वात् स्वभावो ह्यसौ धर्म्मस्य यच्चेतः स्वास्थ्यसाध्योऽसाविति । ननु भयपरिणामेऽप्यस्य सम्भवात् कथमभयहेतुकत्वमित्याह - विरुद्धश्च = निराकृतश्च भयपरिणामेन, कुत इत्याह- तस्य = भयपरिणामस्य, तथा अस्वास्थ्यकारित्वात्= धर्म्मसाधकेन चेतः स्वास्थ्येन विरुद्धस्य अस्वास्थ्यस्य विधायकत्वात् । પંજિકાર્ય : તદેવ . વિધાવત્ત્તાત્ ।। આને જ=નિઃશ્રેયસ ધર્મની ભૂમિકારૂપ અભય છે એને જ, ભાવન કરે છે=સ્પષ્ટ કરે છે — =િજે કારણથી, આ સ્વાસ્થ્ય અવિદ્યમાન હોતે છતે યથોદિત ધર્મની સિદ્ધિ=મોક્ષના કારણીભૂત ધર્મની નિષ્પત્તિ, નથી જ. કયા કારણથી ?=અભયરૂપ સ્વાસ્થ્ય વગર મોક્ષને અનુકૂળ ધર્મની નિષ્પત્તિ કયા કારણથી નથી? એથી કહે છે – સંનિહિત ભયરૂપ ઉપદ્રવોથી—ચિત્તમાં વર્તતા સંનિહિત ભયો અર્થાત્ ઉક્તરૂપવાળા ઉપદ્રવો ભય ઉપદ્રવો અર્થાત્ આપત્તિઓ તેઓથી, ચિત્તને અત્યંત અભિભવ=પીડન છે, અને પ્રકામનું ગ્રહણ ભય ઉપદ્રવોનું અંતરંગપણું હોવાથી આત્યંતિક અભિભવના હેતુત્વના ખ્યાપન માટે છે, જો આમ છે=અંતરંગ ભય ઉપદ્રવોથી ચિત્ત અભિભૂત છે, તેનાથી શું ? એથી કહે છે અને ચિત્તના સ્વાસ્થ્યથી સાધ્ય અધિકૃત ધર્મ છે=ચિત્તનું સમાધાન છે હેતુ જેને એવો સમ્યગ્દર્શનાદિરૂપ અધિકૃત ધર્મ છે, કેમ ? એથી કહે છે=ચિત્તના સમાધાનના હેતુવાળો અધિકૃત ધર્મ કેમ છે ? એથી કહે છે તત્ સ્વભાવપણું હોવાથી ચિત્તના સ્વાસ્થ્યથી સાઘ્ય અધિકૃત ધર્મ છે એમ અન્વય છે, =િજે કારણથી, ધર્મનો આ સ્વભાવ છે જે ચિત્તના સ્વાસ્થ્યથી સાધ્ય આ છે. 1 - - ‘નનુ’થી શંકા કરે છે ભયના પરિણામમાં પણ આનો=ધર્મનો, સંભવ હોવાથી=ચિત્ત કંઈક ભયના પરિણામવાળું હોય તોપણ આચરણાત્મક ધર્મનો સંભવ હોવાથી, કેવી રીતે અભય હેતુપણું છે ?=ધર્મમાં અભય હેતુપણું છે ?, એથી કહે છે – અને ભયપરિણામથી વિરુદ્ધ છે=ધર્મ નિરાકૃત છે=બાહ્ય આચરણાથી ધર્મનું સેવન હોવા છતાં આત્માની સ્વસ્થ પ્રકૃતિરૂપ મૂળ ધર્મનો અભાવ છે, કયા કારણથી ? એથી કહે છે=બાહ્યથી ધર્મનું સેવન હોવા છતાં આત્માના સ્વાસ્થ્યરૂપ ધર્મ ભયપરિણામને = Page #31 -------------------------------------------------------------------------- ________________ લલિતવિક્તા ભાગ-૨ કારણે કયા કારણથી વિરાકૃત છે? એથી કહે છે; કેમ કે તેનું=ભયપરિણામવું, તે પ્રકારે અસ્વાસ્થકારિપણું છે=ધર્મસાધક એવા ચિતસ્વાથ્યની સાથે વિરુદ્ધ એવા અસ્વાસ્થનું વિધાયકપણું છે. ભાવાર્થ - પૂર્વમાં સ્થાપન કર્યું કે અભય મોક્ષના કારણભૂત ધર્મની ભૂમિકાના કારણભૂત ધૃતિ છે તે કથનને જ યુક્તિથી સ્પષ્ટ કરે છે – જે જીવોને ભવના વૈરાગ્યરૂપ સ્વાથ્ય લેશ પણ નથી તેઓને ભવ નિસાર જણાતો નથી, પરંતુ અનુકૂળ સંયોગોથી ભવ સારભૂત જણાય છે અને ભવમાં દેહાદિને પ્રતિકૂળ સંયોગોના નિવારણમાં જ તેઓની સર્વ પ્રવૃત્તિ છે, પરંતુ ભવના કારણભૂત સંગથી પર થવાને અભિમુખ એવો વિરક્તભાવ લેશ પણ નથી, એથી ચિત્તમાં જે કંઈ વિચારણા કરે છે તે અનુકૂળ સંગની પ્રાપ્તિ માટે કરે છે અને પ્રતિકુળ સંયોગોના નિવારણ માટે કરે છે, તેથી બાહ્યથી ક્વચિત્ ધર્મની ક્રિયા કરે તોપણ અનુકૂળ સંયોગોનો વિયોગ ન થાય અને અનુકૂળ સંયોગો સદા મળે તેવા ભયથી તેનું ચિત્ત હંમેશાં ઉપદ્રવ વાળું છે, તેથી અંતરંગ ધર્મ પ્રગટ થતો નથી; કેમ કે ચિત્તના સ્વાથ્યથી સાધ્ય અધિકૃત ધર્મ છે અર્થાત્ બાહ્ય પદાર્થનો ભય કંઈક અલ્પ થાય તો સ્વસ્થ થયેલું ચિત્ત આત્માના પારમાર્થિક ધર્મની નિષ્પત્તિનું કારણ બને, અને તેવો ધર્મ ભોગની અત્યંત લાલાસાવાળા જીવોમાં પ્રગટ થઈ શકે નહિ; કેમ કે ભયપરિણામથી તે ધર્મ નિરાકૃત છે જીવમાં ધર્મ પ્રગટ થઈ શકતો નથી. તેથી એ ફલિત થાય કે જેઓનું ચિત્ત સંસારની કંઈક નિર્ગુણતાને જોઈ શકે છે તેઓ સંસારથી પર અવસ્થાનો કંઈક વિચાર કરી શકે એવા ચિત્તના સ્વાસ્થવાળા બને છે, એનાથી જ તેઓમાં કંઈક કંઈક અંશથી ધર્મ પ્રગટ થાય છે; કેમ કે ભવથી વિરક્ત થવાને કારણે ભવથી પર અવસ્થાવાળા વીતરાગ પ્રત્યે તેને બહુમાન થાય છે અને તેથી વીતરાગની ભક્તિ કરીને સંસારમાં કંઈક અંશે નિર્ભયતાને પ્રાપ્ત કરે છે અને જેઓને માત્ર બાહ્ય અનુકૂળ સંગો જ સુખનાં કારણ દેખાય છે તેઓની જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે બાહ્ય અનુકૂળ સંગ માટે જ થાય છે, તેથી તેઓની ધર્મની બાહ્ય આચરણાથી પણ અંતરંગ ધર્મ પ્રગટ થતો નથી; કેમ કે ભગવાનની સ્તુતિ કરે તોપણ સંગ વગરની ભગવાનની અવસ્થા તેને અસાર જણાય છે અને સંગવાળી અવસ્થા જ તેને સારી જણાય છે અને તે તે ભવમાં પ્રાપ્ત થયેલા શરીરને અનુકૂળ જ ભાવો તેને પ્રિય લાગે છે સાર લાગે છે, જેમ ભુંડના ભાવમાં વિષ્ટા જ પ્રિય લાગે છે, મનુષ્યના ભવમાં વિષ્ટા પ્રાયઃ પ્રિય લાગતી નથી, તેમ કોઈક રીતે બાહ્યથી સુંદર ચારિત્ર પાળીને નવમા સૈવેયકમાં જાય ત્યારે તે દેવભવનાં ભૌતિક સુખો જ તેને અત્યંત પ્રિય લાગે છે અને તે ભવના તે દેહાદિના સંગને કારણે જ સ્ત્રી આદિની ઇચ્છા થતી નથી, જેમ મનુષ્યને વિષ્ટાની ઇચ્છા થતી નથી, પરંતુ સંગથી પર અવસ્થાને અભિમુખ ચિત્ત જેઓનું લેશ પણ નથી, તેઓનાં ધર્મ-અનુષ્ઠાનોથી પણ મોક્ષને અનુકૂળ ધર્મ નિષ્પન્ન થતો નથી અને જેઓનું મિથ્યાત્વ કંઈક મંદ થયું છે, તેથી વિડંબનારૂપે ભવ કંઈક અંશથી વિડંબના સ્વરૂપ દેખાય છે, તેથી સાત ભયોની ચિંતાનો કંઈક ત્યાગ કરીને સંસારથી અતીત અવસ્થાને અભિમુખ વિચાર કરે છે, તેવા અભયને દેનારા ભગવાન છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ અભયવ્યાણ લલિતવિસ્તારા अतोऽस्य गुणप्रकर्षरूपत्वाद् अचिन्त्यशक्तियुक्तत्वात् तथाभावेनावस्थितेः सर्वथा परार्थकरणाद्, भगवद्भ्य एव सिद्धिरिति, तदित्थंभूतमभयं ददतीत्यभयदाः।।१५।। લલિતવિસ્તરાર્થ આથી=નિઃશ્રેયસ ધર્મની ભૂમિકાના કારણભૂત વૃતિરૂપપણું હોવાથી, આની=અભયની, ભગવાનથી જ સિદ્ધિ છે એમ આગળ સાથે સંબંધ છે. કેમ ભગવાનથી જ અભયની સિદ્ધિ છે ? એમાં હેત કહે છે – ગુપ્તકર્ષરૂપપણું હોવાથી - અચિંત્ય શક્તિયુક્તપણું હોવાથી તે પ્રકારના ભાવથી અવસ્થિતિ હોવાથી - સર્વથા પરાર્થકરણ હોવાથી ભગવાનથી જ સિદ્ધિ છે=આભયની સિદ્ધિ છે, તે કારણથી આવા પ્રકારના અભયને આપે છે એ અભયને દેનારા છે. ll૧૫ll પંજિફા - अतो-निःश्रेयसधर्मभूमिकानिबन्धनभूतधृतिरूपत्वाद्, अस्य अभयस्य, 'भगवद्भ्य एव सिद्धि रित्युत्तरेण सम्बन्धः, 'गुणप्रकर्षरूपत्वादि'त्यादिः अत्र चत्त्वारः परम्पराफलभूता हेतवो-गुणप्रकर्षरूपत्व-अचिन्त्यशक्तियुक्तत्व-तथाभावावस्थितत्व-सर्वथापरार्थकरणलक्षणाः; तथाहि-भगवतां गुणप्रकर्षपूर्वकमचिन्त्यशक्तियुक्तत्वं, गुणप्रकर्षाभावेऽचिन्त्यशक्तियुक्तत्वाभावात्, अचिन्त्यशक्तियुक्तत्वे च तथाभावेन अभयभावेन अवस्थितिः, अचिन्त्यशक्तियुक्तत्वमन्तरेण तथाभावेनावस्थातुमशक्यत्वात्, तथाभावेनावस्थितौ च सर्वथा सर्वप्रकारेबीजाधानादिभिः, परार्थकरणं-परहितविधानं, स्वयं तथारूपगुणशून्येन परेषु गुणाधानस्याशक्यत्वात्, ભાગ પર્વ ન રાતો, નાથપ્પડ, તિ' પવારાર્થપાશ્વ પંજિકાર્ય : તો' ... વાર્થ આનાથી નિશ્રેયસધર્મની ભૂમિકાના કારણભૂત વૃતિરૂપપણું હોવાથી, આની અભયની, ભગવાનથી જ સિદ્ધિ છે, એ પ્રમાણે ઉત્તરની સાથે સંબંધ છે=લલિતવિસ્તરામાં સંબંધ છે. ગુણપ્રકર્ષરૂપતાઃ ઈત્યાદિ અહીં=ભગવાનથી અભયની સિદ્ધિ છે એમાં, પરંપરાલભૂત ચાર હેતુઓ છે=ગુણપ્રકર્ષરૂપત્ર-અચિંત્ય શક્તિયુક્તત્વ-તથાભાવ અવસ્થિતત્વ-સર્વથાપરાર્થકરણરૂપ ચાર હેતુઓ છે, તે આ પ્રમાણે – ભગવાનનું ગુણપ્રકર્ષપૂર્વક અચિંત્ય શક્તિયુક્તપણું છે; કેમ કે ગુણના પ્રકર્ષના અભાવમાં અચિંત્ય શક્તિયુક્તત્વનો અભાવ છે અને અચિંત્ય શક્તિયુક્તપણું હોત છતે તથાભાવથી=અભયભાવથી, અવસ્થિતિ છે=ભગવાન અચિંત્ય શક્તિયુક્ત હોવાને કારણે સર્વ પ્રકારના ભયોથી પર એવા અભય ભાવથી રહેલા છે; કેમ કે અચિંત્ય શક્તિયુક્તપણા વગર=સંપૂર્ણ ઘાતિકર્મથી રહિત અવસ્થારૂપ અચિંત્ય શક્તિયુક્તપણા વગર, તે પ્રકારના ભાવથી=સંપૂર્ણ ભય વગરના ભાવથી, રહેવા માટે અશક્યપણું છે અને તથાભાવથી અવસ્થિતિ હોતે છતે સર્વથા=બીજધાનાદિ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લલિતવિસ્તર ભાર સર્વ પ્રકારે, પરાર્થકરણ છે–પરહિતનું વિધાન છે; કેમ કે સ્વયં તેવા રૂપ-ગુણશૂન્ય એવા ભગવાહ વડે=સ્વયં અભયાદિ ગુણના પ્રકર્ષથી શૂલ્ય એવા ભગવાન વડે, પરમાં ગુણાધાનનું અશક્યપણું છે, તેથી ભગવાનથી જ અભયની સિદ્ધિ છે એમ અત્રય છે, સ્વતઃ નથી, વળી, અન્યથી નથી. પ્રતિ એ પ્રકારે, વિકારનો અર્થ છે. II૧૫ ભાવાર્થ જે જીવોને સંસારનું વાસ્તવિક સ્વરૂપ કર્મમલની કંઈક વિગમનતાને કારણે યથાર્થ દેખાય છે, તેથી ભવનિર્વેદ થાય છે અને ભવનિર્વેદ થવાથી અર્થથી ભગવાનનું બહુમાન થાય છે, તેથી મોક્ષનું કારણ બને તેવી ધર્મની ભૂમિકાના કારણભૂત એવું ધૃતિરૂપપણું અભયનું છે, માટે ભગવાનથી જ અભયની સિદ્ધિ છે અન્યથી નહિ કે સ્વતઃ પણ નથી. અહીં પ્રશ્ન થાય કે ભગવાનથી અભયની સિદ્ધિ કેમ છે ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે – ભગવાન ઘાતિકર્મનો નાશ કરીને વીતરાગ-સર્વજ્ઞ થયેલા છે, તેથી ગુણપ્રકર્ષવાળા છે અને ભગવાન ગુણપ્રકર્ષવાળા હોવાને કારણે અચિંત્ય શક્તિયુક્ત છે; કેમ કે ભગવાન પોતાના નિરાકુળભાવમાં સદા સ્વસ્થ રહી શકે તેવી અચિંત્ય શક્તિ ગુણપ્રકર્ષને કારણે જ છે, આથી જ જેઓએ ઘાતિકર્મનો ક્ષય કર્યો નથી તેવા ગુણવાન, ઉપશાંત વીતરાગ પણ આત્માના નિરાકુળભાવમાં સદા રહી શકતા નથી, પરંતુ વીતરાગ-સર્વજ્ઞ થયા પછી ભગવાનમાં સદા પોતાના નિરાકુળ સ્વભાવમાં રહેવાની અચિંત્ય શક્તિ પ્રગટ થયેલી છે અને ભગવાન અચિંત્ય શક્તિયુક્ત હોવાને કારણે જ અભય ભાવથી રહે છે. જેમ સામાન્યથી અચિંત્ય શક્તિવાળો રાજા શત્રુઓથી ભય વગર રહી શકે છે તેમ ભગવાને પણ આત્માની નિરાકુળ અવસ્થારૂપ અચિંત્ય શક્તિને ક્ષાયિક ભાવરૂપે પ્રાપ્ત કરેલી છે, તેથી હવે એમને ઘાતિકર્મોનો લેશ પણ ભય નથી, તેથી સર્વ કર્મના બીજભૂત ઘાતિકર્મને જીતી લીધેલા હોવાથી અભય ભાવથી રહેલ છે. વળી, ભગવાન સદા અભય ભાવથી રહેલા હોવાને કારણે જ સર્વ પ્રકારે બીજાધાનાદિ દ્વારા પરહિતને કરનારા છે; કેમ કે યોગ્ય જીવો ભગવાનના દર્શન પામીને પણ બીજાધાન પ્રાપ્ત કરે છે, ભગવાનના વચનના શ્રવણથી પણ બીજાધાનને પ્રાપ્ત કરે છે, ભગવાનની મૂર્તિને જોઈને પણ બીજાધાન પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ પણ બીજાધાન કર્યા પછી ભગવાન તુલ્ય થવાને અનુકૂળ અંકુરા આદિ ભાવોને પણ ભગવાનથી જ પ્રાપ્ત કરે છે, તેથી સર્વ પ્રકારનું સંસારી જીવોના હિતનું વિધાન ભગવાન કરે છે. જો ભગવાન તેવા ગુણવાળા ન હોય તો બીજામાં તેવા ગુણનું આધાન કરી શકે નહિ, આથી જ ગુણ રહિત એવા અભવ્યાદિ કોઈનામાં ગુણનું આધાન કરી શકે નહિ, ભગવાનથી જ સર્વ કલ્યાણની પરંપરાના કારણભૂત બીજાધાનની પ્રાપ્તિ છે. અભયદયાણ પદનું નિગમન કરતાં કહે છે – ભગવાન આવા પ્રકારના અભયને આપે છે=મોક્ષના કારણભૂત જે ધર્મ છે તેની ભૂમિકાનું કારણ બને તેવા પ્રકારની વૃતિરૂપ અભયને આપે છે, એથી ભગવાન અભયને દેનારા છે. I૧પો Page #34 -------------------------------------------------------------------------- ________________ મુદયાણ सूत्र: चक्खुदयाणं ।।१६।। सूत्रार्थ : ચક્ષને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ. ૧૬ सालितविस्तरा : तथा 'चक्खुदयाणं ।' इह चक्षुः चक्षुरिन्द्रियं, तच्च द्विधा, -द्रव्यतो भावतश्च, द्रव्येन्द्रियं बाह्यनिर्वृत्तिसाधकतमकरणरूपं 'निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रिय मिति वचनात्। भावेन्द्रियं तु क्षयोपशम उपयोगश्च, 'लब्ध्युपयोगौ भावेन्द्रिय मिति वचनात् । લલિતવિસ્તરાર્થ: અને ચક્ષને દેનારા ભગવાન છે, અહીં=જક્ષની પ્રાપ્તિના વિષયમાં, ચક્ષુ ચક્ષુ ઇન્દ્રિય છે અને તે=જક્ષ ઈન્દ્રિય, બે પ્રકારની છે – દ્રવ્યથી અને ભાવથી, દ્રવ્યેન્દ્રિય બાહનિવૃત્તિ સ્વરૂપ, સાધકતમ કરણરૂપ છે=બોધ કરવા પ્રત્યે બલવાન કારણરૂપ કરણ છે; કેમ કે નિવૃત્તિ અને ઉપકરણ એમ બે દ્રવ્યન્દ્રિય છે, એ પ્રકારનું વચન છે, વળી, ભાવેન્દ્રિય ક્ષયોપશમ અને ઉપયોગરૂપ છે; કેમ કે લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે, એ પ્રકારનું વચન છે. पंक्ति : चक्षुः ‘बाह्यनिर्वृत्तिसाधकतमकरणरूप मिति, बाह्या-बहिर्वर्तिनी, उपलक्षणत्वाच्चास्या अभ्यन्तरा च निर्वृत्तिः-वक्ष्यमाणरूपा, साधकतमं करणंच उपकरणेन्द्रियं ततस्ते रूपं यस्य तत्तथा 'निवृत्त्युपकरणे त्यादिसूत्रद्वयाभिप्रायोऽयम्, -इहेन्दनादिन्द्रो जीवः, सर्वविषयोपलब्धिभोगलक्षणपरमैश्वर्ययोगात्, तस्य लिङ्गमिन्द्रियं, श्रोत्रादि, तच्चतुर्विधं नामादिभेदात्, तत्र नामस्थापने सुज्ञाने, निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम्, लब्ध्युपयोगी भावेन्द्रियम्, तत्र निर्वृत्तिराकारः सा च बाह्या अभ्यन्तरा च, तत्र बाह्या अनेकप्रकारा, अभ्यन्तरा पुनः क्रमेण श्रोत्रादीनां कदम्बपुष्प-धान्यमसूर-अतिमुक्तकपुष्पचन्द्रिका-क्षुरप्र-नानाकारसंस्थाना, उपकरणेन्द्रियं विषयग्रहणे समर्थं, छेद्यच्छेदने खड्गस्येव धारा, यस्मिन्नुपहते निवृत्तिसद्भावेऽपि विषयं न गृह्णातीति, लब्धीन्द्रियं यस्तदावरणक्षयोपशमः, उपयोगेन्द्रियं यः स्वविषये ज्ञानव्यापार इति। लिअर्थ : चक्षुः ..... ज्ञानव्यापार इति ।। यानिवृति Alsdi २९३५ छ, MInfedतनी, सने આનું બાહ્મનિવૃતિ ઈજિયનું, ઉપલક્ષણપણું હોવાથી અને અત્યંતરનિવૃત્તિ, તેથી બાહ્મનિવૃત્તિ ઇન્દ્રિય અને અત્યંતરતિવૃતિ ઈન્દ્રિય વસ્થમાણ સ્વરૂપવાળી છે અને સાધકતમ કરણ ઉપકરણેન્દ્રિય છે, તેથી તે=નિવૃત્તિ અને ઉપકરણરૂપ સ્વરૂપ છે જેને તે તેવા છેઃનિવૃત્યુપકરણેન્દ્રિયરૂપ છે, Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લલિતવરા ભાગર; નિવૃત્તિઉપકરણ ઈત્યાદિ સૂત્રદ્વયનો અભિપ્રાય=લલિતવિસ્તરામાં રતિ વરના દ્વારા જે બે સૂત્રો કહાં તેનો અભિપ્રાય, આ છે – અહીં=ઈન્દ્રિય શબ્દમાં, ઈદનને કારણે એશ્વર્યને કારણે, ઇ જીવ છે; કેમ કે સર્વ વિષયની ઉપલબ્ધિ અને ભોગરૂપ પરમ એશ્વર્યનો યોગ છે, તેનું લિંગ શ્રોત્રાદિ ઇન્દ્રિય છે, તે=ઈન્દ્રિય, નામાદિના ભેદથી ચતુર્વિધ છે, ત્યાં=ઈન્દ્રિયોના નામાદિ ચાર ભેદમાં, નામ અને સ્થાપના બે ભેદો સુજ્ઞાન છે=સુગમ છે, નિવૃત્તિ અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે, લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે, ત્યાં દ્રવ્યન્દ્રિયમાં, નિવૃત્તિ આકાર છે=ઈન્દ્રિયોનો આકાર છે અને તે=ઈદ્રિયોનો આકાર, બાહા અને અત્યંતર છે, ત્યાં બાહ્ય અને અત્યંતરમાં, બાહ્ય અનેક પ્રકારો છે=ઈન્દ્રિયોના અનેક પ્રકારો છે, વળી, શ્રોત્રાદિ ઈન્દ્રિયોના અત્યંત આકારો ક્રમથી કદંબ પુષ્પ, મસૂરધાન્ય, અતિમુક્તક પુષ્પચંદ્રિકા, ક્ષરમ, અનેક આકારનાં સંસ્થાનો છે, ઉપકરણેન્દ્રિય વિષયગ્રહણમાં સમર્થ છે, જેમ ખડગની ધારા છેવતા છેદનમાં સમર્થ છે, જે ઉપહત થયે છd=ઉપકરણેન્દ્રિય ઉપહત થયે છતે, નિવૃત્તિના સદ્ભાવમાં પણ=અત્યંતરનિવૃતિ ઈન્દ્રિયના સદ્દભાવમાં પણ, જીવ વિષયને ગ્રહણ કરતો નથી, લબ્ધિ ઈન્દ્રિય જે તેના આવરણનો ક્ષયોપશમ છે. ઉપયોગ ઈન્દ્રિય જે સ્વવિષયમાં તે તે ઇન્દ્રિયના વિષયમાં, જ્ઞાનનો વ્યાપાર છે. ભાવાર્થ : ભગવાન સંસારના ઉચ્છેદના કારણભૂત અંતરંગ ચક્ષુને આપનારા છે અને તે અંતરંગ ચક્ષુ બહિરંગ ચક્ષુ સાથે કઈ રીતે સંબદ્ધ છે તે બતાવવા માટે પ્રથમ સંસારી જીવોને જે ચક્ષુ ઇન્દ્રિયની પ્રાપ્તિ છે તેનું સ્વરૂપ શાસ્ત્રવચનની મર્યાદા અનુસાર શું છે તે બતાવે છે – ચક્ષુ ઇન્દ્રિય દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે અને દ્રવ્યથી જે ચક્ષુ ઇન્દ્રિય છે તે બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિય અને અત્યંતરનિવૃત્તિ ઇન્દ્રિય છે અને જીવ ચક્ષુથી જે બોધની પ્રાપ્તિ કરે છે તેમાં ચક્ષુ ઇન્દ્રિય સાધકતમ કરણ છે. કઈ ઇન્દ્રિય સાધકતમ કરણ છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – જે દ્રવ્યેન્દ્રિય છે તે બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિયરૂપ અને અત્યંતરનિવૃત્તિ ઇન્દ્રિયરૂપ છે, તેમાં જે અત્યંતરનિવૃત્તિ ઇન્દ્રિય છે તેમાં ઉપકરણ ઇન્દ્રિય છે અર્થાતુ બોધ કરવાને અનુકૂળ સામર્થ્યવાળા પુગલો છે તેમાં જે સામર્થ્ય છે તે ઉપકરણ ઇન્દ્રિય છે અને તે ઉપકરણ ઇન્દ્રિયરૂપ સામર્થ્યથી યુક્ત અત્યંતરનિવૃત્તિ ઇન્દ્રિય છે તે જીવને બોધ કરવા પ્રત્યે સાધકતમ સાધન છે, માટે તેને સાધકતમ કરણ કહેવાય છે. વળી, ભાવેન્દ્રિય જીવના પરિણામ સ્વરૂપ છે, જે લબ્ધિ અને ઉપયોગ સ્વરૂપ છે, તેમાં તે તે ઇન્દ્રિયો દ્વારા બોધ કરવાનો જે મતિજ્ઞાનનો ક્ષયોપશમ જીવમાં વર્તે છે તે લબ્ધિરૂપ ભાવેન્દ્રિય છે અને તે તે કાળમાં જીવ જે જે ઇન્દ્રિયથી જે જે બોધ કરે છે તે જ્ઞાનનો વ્યાપાર ઉપયોગ ઇન્દ્રિયરૂપ છે. તેથી એ ફલિત થાય કે અત્યંતરનિવૃત્તિ ઇન્દ્રિય શક્તિથી યુક્ત છે, તે જીવને બોધ કરવા માટે સાધકતમ અવલંબન છે, જેમ ચાલવા માટે અસમર્થ પુરુષ લાકડીથી ચાલે છે તેમ ઘણું જ્ઞાન આવૃત્ત થયેલું હોવાથી અને અલ્પ જ્ઞાન જે આવૃત્ત નથી છતાં ઇન્દ્રિયના આલંબન વગર કાર્ય કરવા અસમર્થ હોવાના કારણે Page #36 -------------------------------------------------------------------------- ________________ સમુદયાણં ૧૩ હણાયેલી શક્તિવાળું હોવાથી જીવ ક્ષયોપશમવાળા જ્ઞાનથી પણ ઇન્દ્રિયોના આલંબન વગર બોધ ક૨વા સમર્થ નથી, પરંતુ દ્રવ્ય ઇન્દ્રિયરૂપ પુદ્ગલની સહાયતાના બળથી તે જીવ બોધ કરવા સમર્થ બને છે અને તે તે ઇન્દ્રિયનો બોધ કરવાનો મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ વર્તે છે તે લબ્ધિ ઇન્દ્રિય છે, અને જ્યારે જીવ ઇન્દ્રિયનું અવલંબન લઈને બોધનો વ્યાપાર કરે છે તે ઉપયોગ ઇન્દ્રિય છે. આ લબ્ધિ ઇન્દ્રિય અને ઉપયોગ ઇન્દ્રિય જીવના જ્ઞાનના પરિણામ સ્વરૂપ હોવાથી ભાવેન્દ્રિય છે. લલિતવિસ્તરા ઃ तदत्र चक्षुः विशिष्टमेवात्मधर्म्मरूपं तत्त्वावबोधनिबन्धन श्रद्धास्वभावं गृह्यते; श्रद्धाविहीनस्याचक्षुष्मत इव रूपमिव तत्त्वदर्शनायोगाद्, न चेयं मार्गानुसारिणी सुखमवाप्यते, सत्यां चास्यां भवत्येतन्नियोगतः कल्याणचक्षुषीव सद्रूपदर्शनम्, न ह्यत्र प्रतिबन्धो नियमेन ऋते कालादिति निपुणसमयविदः, अयं चाप्रतिबन्ध एव, तथातद्भवनोपयोगित्वात् तमन्तरेण तत्सिद्ध्यसिद्धेः, विशिष्टोपादानहेतोरेव तथापरिणतिस्वभावत्वात् । तदेषाऽवन्ध्यबीजभूता धर्म्मकल्पद्रुमस्येति परिभावनीयम्, इयं चेह चक्षुरिन्द्रियं चोक्तवद् भगवद्भ्य इति चक्षुर्ददतीति चक्षुर्दाः । । १६ ।। લલિતવિસ્તરાર્થ : તે કારણથી=પૂર્વમાં સામાન્યથી ચક્ષુ ઇન્દ્રિય દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે તેમ બતાવ્યું તે કારણથી, અહીં=ચવવુવાળું સૂત્રમાં, વિશિષ્ટ જ આત્મધર્મરૂપ તત્ત્વના અવબોધનું કારણ એવી શ્રદ્ધા સ્વભાવવાળી ચક્ષુ ગ્રહણ કરાય છે; કેમ કે અચક્ષુવાળા પુરુષને રૂપ દેખાતું નથી, તેની જેમ શ્રદ્ધાવિહીનને=‘ભગવાન જ સર્વ કલ્યાણનું કારણ છે' એવી શ્રદ્ધા રહિત જીવને, તત્ત્વદર્શનનો અયોગ છે, અને માર્ગાનુસારિણી આ=વિશિષ્ટ આત્મધર્મરૂપ ચક્ષુ, સુખે પ્રાપ્ત થતી નથી અને આ હોતે છતે=ભગવાનના વચનમાં રુચિરૂપ શ્રદ્ધા હોતે છતે, આ=તત્ત્વદર્શન, નક્કી થાય છે, જેમ નિર્મળ ચક્ષુ હોતે છતે વિધમાનરૂપનું દર્શન થાય છે, અહીં=માર્ગાનુસારી બોધમાં, કાળને છોડીને નક્કી પ્રતિબંધ નથી, એ પ્રમાણે નિપુણ એવા સમયના જાણનારાઓ કહે છે અને આ=કાળનો પ્રતિબંધ, અપ્રતિબંધ જ છે; કેમ કે તે પ્રકારે તેના ભવનમાં ઉપયોગીપણું છે=યથાર્થ બોધરૂપે પરિણામ પમાડવામાં કાળનું ઉપયોગીપણું છે. કેમ કાળનું યથાર્થ બોધ ક૨વામાં ઉપયોગીપણું છે ? એથી કહે છે તેના વગર=કાળક્ષેપ વગર, તેની સિદ્ધિની અસિદ્ધિ છે=યથાર્થ દર્શનની પ્રાપ્તિની અસિદ્ધિ છે. કેમ કાળવિલંબન વગર યથાર્થ દર્શનની સિદ્ધિની અસિદ્ધિ છે ? તેમાં હેતુ કહે છે - વિશિષ્ટ ઉપાદાન હેતુનું જ=વિચિત્ર સહાકારી કારણથી આહિત સ્વભાવ અતિશયવાળા ઉપાદાન હેતુનું જ, તથાપરિણતિ સ્વભાવપણું છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લલિતવિસ્તરા ભાગ-૧ તે કારણથી રાક્ષની પ્રાપ્તિ કર્યા પછી કાળને છોડીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં વિલંબન નથી તે કારણથી, આ ચક્ષની પ્રાપ્તિ, ધર્મકલ્પવૃક્ષના અવંધ્ય બીજભૂત છે એ પ્રકારે પરિભાવન કરવું જોઈએ, અને અહીં=સંસારમાં, આ ચક્ષુ ઈન્દ્રિય પૂર્વમાં કહ્યું એની જેમ=અભયદયાણં પદમાં કહ્યું એની જેમ, ભગવાનથી પ્રાપ્ત થાય છે, એથી ચક્ષને આપે છે, એથી ભગવાન ચક્ષને मापनास छे. ॥१७॥ es:___ 'तद्' इत्यादि, यत इन्द्रियत्वेन सामान्यत इत्थं चक्षुः, तत्-तस्माद् अत्र-सूत्रे, चक्षुर्विशिष्टमेव न सामान्यम्, आत्मधर्मरूपम् उपयोगविशेषतया जीवस्वभावभूतं, विशेष्यमेवाह-तत्त्वावबोधनिबन्धनं जीवादिपदार्थप्रतीतिकारणं, या श्रद्धा-रुचिः धर्मप्रशंसादिरूपा, सा स्वभावो-लक्षणं, यस्य तत्तथा, गृह्यते अङ्गीक्रियते। ननु ज्ञानावरणादिक्षयोपशम एव चक्षुष्टया वक्तुं युक्तः, तस्यैव दर्शनहेतुत्वात्, न तु मिथ्यात्वमोहक्षयोपशमसाध्या तत्त्वरुचिरूपा श्रद्धेत्याशङ्क्याह श्रद्धाविहीनस्य-तत्त्वरुचिरहितस्य, अचक्षुष्मत इव अन्यस्येव, रूपमिव-नीलादिवर्ण इव, यत् तत्त्वं जीवादिलक्षणं, तस्य दर्शनम् अवलोकनं, तस्य अयोगात्= अनुपपत्तेः, भवत्वेवं, तथाप्यसावन्यहेतुसाध्या स्याद्, न भगवत्प्रसादसाध्येत्याह- न च-नैव, इयं-तत्त्वरुचिरूपा श्रद्धा, मार्ग=सम्यग्दर्शनादिकं मुक्तिपथम् अनुकूलतया, सरतिगच्छतीत्येवंशीला, मार्गानुसारिणी सुखम्= अपरिक्लेशं यथाकथञ्चिदित्यर्थः अवाप्यते। भवतु भगवत्प्रसादसाध्येयं, परं स्वसाध्यं प्रति न नियतो हेतुभावोऽस्याः स्यादित्याहसत्यां च-विद्यमानायां च, अस्याम् उक्तरूपश्रद्धायां, भवति-जायते, एतत् तत्त्वदर्शनं, नियोगतः= अवश्यंभावेन, निदर्शनमाह- कल्याणचक्षुषीव-निरुपहतायामिव दृष्टी, सद्रूपदर्शनं सतः-सद्भूतस्य, रूपस्य, दर्शनम् अवलोकनं, न तु काचकामलाद्युपहत इव चक्षुषि अन्यथेति, एतदेव भावयति- न हि-नैव, अत्र-मार्गानुसारिश्रद्धासाध्यदर्शने, प्रतिबन्यो-विष्कम्भो, नियमेन अवश्यंभावेन, कुतश्चिदिति गम्यते, किं सर्वथा? नेत्याह-ऋते विना, कालात्, काल एव ह्यत्र प्रतिबन्धक इति भावः, इति–एवं, निपुणसमयविदो= निश्चयनयव्यवहारिणो ब्रुवते। ननु कालेऽपि प्रतिबन्धके कथमुच्यते 'न ह्यत्र प्रतिबन्धो नियमेने त्याहअयं च कालप्रतिबन्धः 'अप्रतिबंध एव', कुत इत्याह- 'तथेति' दर्शनरूपतया तस्याः श्रद्धायाः, भवनं परिणमनं, तद्भवनं, तत्र उपयोगित्वात् व्यापारवत्त्वात् कालस्या व्यतिरेकमाह-तम्-कालम्, अन्तरेण विना, तत्सिद्ध्यसिद्धेः तस्य-दर्शनस्य स्वभावलाभानिष्पत्तेः, कुत इत्याह- विशिष्टस्य-विचित्रसहकारिकारणाहितस्वभावातिशयस्य, उपादानहेतोरेव-परिणामिकारणस्यैव, तथापरिणतिस्वभावत्वात् तथापरिणतिः= कार्याभिमुखपरिणतिः(णामः प्र०...), सैव स्वभावो यस्य कालस्य तत्तथा, तद्भावस्तत्त्वं, तस्माद् द्रव्यपर्यायत्वात्कालस्य। 'उक्तवदिति-प्राक्सूत्राभिहिताभयधर्मवत्।।१६।। Page #38 -------------------------------------------------------------------------- ________________ હબુદયાણ જિકાર્ચ - છે. “તદ્'..... મથથર્મવત્ / તદ્ ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે – જે કારણથી ઇન્દ્રિયપણારૂપે સામાન્યપણાથી આવા પ્રકારની ચક્ષુ છે=પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારની ચહ્યું છે, તે કારણથી અહીં ચબુદયાણં સૂત્રમાં, સામાન્ય નહિ, વિશિષ્ટ જ ચક્ષુ આત્મધર્મરૂપsઉપયોગવિશેષપણાથી જીવના સ્વભાવભૂત તત્વની પ્રાપ્તિનું કારણ બને તેવા ઉપયોગ વિશેષપણાથી જીવતા સ્વભાવભૂત, ચણ ગ્રહણ થાય છે એમ અવય છે, વિશેષ્યને જ કહે છે કેવા પ્રકારની વિશિષ્ટ ચક્ષુ છે એ રૂપ વિશેષ્યને જ કહે છે – તત્વના અવબોધનું કારણ=જીવાદિ પદાર્થની પ્રતીતિનું કારણ, જે શ્રદ્ધા=ધર્મ પ્રશંસારિરૂપ રુચિ, તે સ્વભાવ=સ્વરૂપ છે જેને તે તેવી છે તત્વાવબોધ નિબંધન શ્રદ્ધા સ્વભાવવાળી ચક્ષુ છે, તે ચક્ષને અહીં ગ્રહણ કરાય છે= પૂર્વમાં વર્ણન કર્યું તેવી દ્રવ્યયિરૂપ અને ભાવેન્દ્રિયરૂપ ચક્ષુ ગ્રહણ કરાતી નથી પરંતુ વિશિષ્ટ જ આત્મધર્મરૂપ ચક્ષુ ગ્રહણ કરાય છે. નથી શંકા કરે છે – જ્ઞાનાવરણાદિનો ક્ષયોપશમ જ ચક્ષપણાથી કહેવા માટે યુક્ત છે; કેમ કે તેનું જ=જ્ઞાનાવરણાદિતા ક્ષયોપશમનું જ, દર્શનનું હેતુપણું છે, પરંતુ મિથ્યાત્વમોહના ક્ષયોપશમ સાધ્ય તત્વરુચિરૂપ શ્રદ્ધા નહિ, એ પ્રકારની આશંકા કરીને કહે છે – જેમ અચાવાળા જીવને જેમ રૂપનું=જેમ આંધળાને જેમ લીલાદિ વર્ણવું, અદર્શન છે તેમ શ્રદ્ધાવિહીનને તત્વરુચિ રહિત જીવને, જે જીવાદિ સ્વરૂપ તત્વ છે તેનું દર્શન=અવલોકન, તેનો અયોગ હોવાથી=અનુપપતિ હોવાથી, શ્રદ્ધા સ્વભાવવાળી ચણ ગ્રહણ કરાય છે, જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમરૂપ ચક્ષુ નહિ એમ અન્વય છે. આ પ્રમાણે હો શ્રદ્ધા સ્વભાવવાળી ચક્ષુ અહીં ગ્રહણ કરાય છે એ પ્રમાણે હો, તોપણ આ=શ્રદ્ધારૂપ ચક્ષ, અન્ય હેતુ સાધ્ય થાય, ભગવાનના પ્રસાદથી સાધ્ય નહિ, એથી કહે છે–એ પ્રકારની શંકાના સમાધાનરૂપે લલિતવિસ્તરામાં કહે છે – આ તત્ત્વરુચિરૂપ શ્રદ્ધા, માર્ગ=સમ્યગ્દર્શનાદિરૂપ મુક્તિપથને, અનુકૂળપણાથી વર્તે છે એવા સ્વભાવવાળી માર્ગાનુસારી સુખે પ્રાપ્ત કરાતી નથી જ=ફ્લેશ વગર=ઉચિત થત્ન વગર જેમ તેમ પ્રાપ્ત થતી નથી. ભગવાનના પ્રસાદથી સાધ્ય આ શ્રદ્ધા, થાઓ, પરંતુ સ્વસાધ્ય પ્રત્યે તત્વની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન પ્રત્યે, નિયમથી આનો શ્રદ્ધાનો, હેતુભાવ ન થાય, એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – આ હોતે છતે-પૂર્વમાં કહેલ સ્વરૂપવાળી શ્રદ્ધા વિદ્યમાન હોતે છતે, આeતત્વદર્શન, વિયોગથી અવશ્યભાવથી, થાય છે, દગંતને કહે છે – કલ્યાણચક્ષુવાળાને જેમ સરૂપનું દર્શન=નિરુપહત દષ્ટિ હોતે છતે સદ્દભૂત રૂપનું અવલોકન, થાય છે, પરંતુ કમળા આદિ રોગોથી ઉપહત ચક્ષુ હોતે છતે જેમ રૂપદર્શન થતું નથી તેમ અન્યથા–ઉક્તરૂપવાળી શ્રદ્ધા વગર, તત્વનું દર્શન થતું નથી, આને જ ભાવન કરે છે=શ્રદ્ધા હોતે છતે નિયમથી તત્વનું દર્શન થાય છે એને જ સ્પષ્ટ કરે છે – અહીં–માર્ગાનુસારી શ્રદ્ધાથી સાધ્ય દર્શનમાં, પ્રતિબંધ=વિધ્વંભ=વિલંબ, નિયમથી= અવયંભાવથી, કોઈનાથી નથી, લલિતવિસ્તરામાં લુષિ અધ્યાહાર છે એ પ્રમાણે બતાવવા માટે યુતસ્થિતિ અને કહેલ છે, શું સર્વથા તત્વદર્શનમાં વિલંબન નથી ? એથી કહે છે – નહિ, તો શેનાથી વિલંબત છે? એથી કહે છે – કાળને છોડીને વિલંબત નથી, કાળ જ અહીં ચક્ષુ મળ્યા Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ લલિતવિસ્તા ભાગ-૨ પછી દર્શનની પ્રાપ્તિમાં, પ્રતિબંધક છે, એ પ્રકારનો ભાવ છે, એ રીતે કાળ જ પ્રતિબંધક છે અન્ય નહિ એ રીતે, નિપુણ એવા સમયના જાણનારાઓ કહે છે=નિશ્ચયનયથી વ્યવહાર કરનારા મહાત્માઓ કહે છે. કાળનો પ્રતિબંધ હોતે છતે પણ કેમ અહીં નિયમથી પ્રતિબંધ નથી એ પ્રમાણે કહેવાય છે? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – અને આ કાળપ્રતિબંધ અપ્રતિબંધ જ છે, કેમ અપ્રતિબંધ છે ? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – તે પ્રકારે દર્શનરૂપપણાથી તેનું શ્રદ્ધાનું, ભવન પરિણમન રૂપ તદ્દભવન, તેમાં ઉપયોગીપણું છેઃકાળનું વ્યાપારપણું છે. વ્યતિરેકને કહે છે પૂર્વમાં અવયથી કહ્યું કે કાલનો પ્રતિબંધ પ્રતિબંધ નથી. હવે વ્યતિરેકથી કાળનો પ્રતિબંધ પ્રતિબંધ નથી તે બતાવે છે – તેના વગર કાળ વગર, તેની સિદ્ધિની અસિદ્ધિ હોવાથીeતે દર્શનના સ્વભાવલાભની અનિષ્પત્તિ હોવાથી, કાળનો પ્રતિબંધ પ્રતિબંધ નથી એમ અવથ છે, કયા કારણથી=કાળક્ષેપ વગર તત્વના દર્શનની પ્રાપ્તિની અસિદ્ધિ કયા કારણથી છે? એથી કહે છે – વિશિષ્ટ ઉપાદાન હેતુનું જ-વિચિત્ર સહકારી કારણથી આધાર થયેલા સ્વભાવ અતિશયરૂપ પરિણામી કારણનું જ, તથા પરિણતિ સ્વભાવપણું હોવાથી કાળ વગર દર્શનની પ્રાપ્તિની અસિદ્ધિ છે એમ અવય છે, તથારિતિદ્વમાવત્વાન્નો અર્થ સ્પષ્ટ કરે છે – તથા પરિણતિ કાર્યને અભિમુખ પરિણતિ તે જ સ્વભાવ છે જે કાલનો તે તેવો છે તથા પરિણતિસ્વભાવવાળો છે તેનો ભાવ તપણું છે=તથા પરિણતિ સ્વભાવત્વ છે તે કારણથી કાળનું દ્રવ્યના પર્યાયરૂપપણું હોવાથી, કાળવિલંબન વગર તત્ત્વના દર્શનની અપ્રાપ્તિ છે. સવદ્ એ પ્રકારે લલિતવિસ્તરામાં કહ્યું છે એનો અર્થ સ્પષ્ટ કરે છે – પૂર્વના સૂત્રમાં કહેલા અભયધર્મની જેમ ચણ ભગવાનથી મળે છે એમ અવય છે. ૧૬i. ભાવાર્થ : પૂર્વમાં કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી ચક્ષુનું સ્વરૂપ બતાવ્યું, જે ચક્ષુ દ્રવ્યથી પુદ્ગલ સ્વરૂપ છે અને ભાવથી જીવના બોધ સ્વરૂપ છે, ફક્ત તે ચક્ષુ બાહ્ય પદાર્થ માત્રનો બોધ કરાવે છે અને તેનાથી જ્ઞાનાત્મક બોધ થાય છે તે પણ બાહ્ય પદાર્થ વિષયક છે, પરંતુ દેહમાં વર્તતા આત્માના સ્વરૂપને જોવાને અનુકૂળ બોધરૂપ ચક્ષુ તે બાહ્ય ચક્ષુ કરતાં વિશિષ્ટ જ છે; કેમ કે બાહ્ય ચક્ષુ માત્ર બાહ્ય પુદ્ગલના રૂપને જોઈ શકે છે, પરંતુ આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે સમર્થ બને તેવી આ વિશિષ્ટ ચહ્યું છે અને તે વિશિષ્ટ ચક્ષુ ભગવાનથી પ્રાપ્ત થાય છે, જેના બળથી ભગવાન તુલ્ય પોતાનું નિરાકુળ સ્વરૂપ કંઈક જોઈ શકાય તેવો બોધ પ્રગટ થાય છે. તેથી તે ચક્ષુનું સ્વરૂપ બતાવતાં કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવને જીવાદિ પદાર્થોમાં પ્રતીતિરૂપ જે બોધ છે તેના બોધનું કારણ બને તેવી તત્ત્વને અભિમુખ રુચિ સ્વભાવવાળી આ ચક્ષુ છે, તેથી જે જીવોને સિદ્ધ અવસ્થામાં જેવી નિરાકુળ અવસ્થા છે તેવી અવસ્થાની પ્રાપ્તિના કારણભૂત જીવાદિ સાત તત્ત્વનો યથાર્થ બોધ છે અને તે સાત તત્ત્વના પરમાર્થને પ્રાપ્ત કરીને તેના બળથી જ યોગ્ય જીવો સંસારનો Page #40 -------------------------------------------------------------------------- ________________ ચક્કુદયાણં ક્ષય કરીને આત્માની નિરાકુળ અવસ્થારૂપ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે, તે અવસ્થાની પ્રાપ્તિના કારણીભૂત જે જીવાદિ પદાર્થની યથાર્થ પ્રતીતિ છે તેને અભિમુખ એવી જે રુચિ પ્રગટ થાય તે અંતરંગ ચક્ષુ છે અને જે જીવોને તેવી અંતરંગ ચક્ષુ પ્રગટ થઈ છે તેવા જીવોને વિવેકપૂર્વક સેવાતા ધર્મમાં વર્તતા ગુણોને જોવાની કંઈક નિર્મળદૃષ્ટિ વર્તે છે, તેથી તેઓ યોગ્ય જીવોના સેવાતા ધર્મની પ્રશંસા આદિ કરે છે, જે ધર્મના કંઈક પારમાર્થિક સ્વરૂપને જોનારી ચક્ષુ છે. ૧૭ અહીં કોઈને પ્રશ્ન થાય કે તત્ત્વને જોવાને માટે જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ આવશ્યક છે અર્થાત્ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ આવશ્યક છે, તેથી તેવા પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી ચક્ષુની પ્રાપ્તિ છે તેમ કહેવું જોઈએ, પરંતુ આત્મકલ્યાણના કા૨ણીભૂત તત્ત્વની શ્રદ્ધારૂપ ચક્ષુની પ્રાપ્તિ છે તેમ કહેવું જોઈએ નહિ, તેના નિરાકરણ માટે કહે છે જે જીવોને મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો નથી તે જીવોને તત્ત્વની રુચિ લેશ પણ થતી નથી, તેથી તેવા જીવો જ્ઞાનાવરણીય આદિના ક્ષયોપશમવાળા હોય તોપણ તેઓને બાહ્ય પદાર્થ વિષયક જ સૂક્ષ્મ બોધ થાય છે, આમ છતાં દેહ અંતર્વર્તી આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણવાને અભિમુખ તત્ત્વરુચિવાળા નથી તેવા જીવોને, ચક્ષુ રહિત જીવોને જેમ નીલાદિ વર્ણોનો બોધ થતો નથી તેમ આત્માના નિરાકુળ સ્વભાવને અભિમુખ બોધ થાય તેવું તત્ત્વનું દર્શન થતું નથી. અહીં પ્રશ્ન થાય કે તત્ત્વની રુચિ સ્વરૂપ આત્મધર્મરૂપ ચક્ષુ છે તેમ સ્વીકારીએ તોપણ તેવી ચક્ષુની પ્રાપ્તિ જીવોને તેના હેતુઓથી થાય છે તેમ કહેવું જોઈએ, પરંતુ ભગવાનના પ્રસાદથી થાય છે તેમ કહેવું જોઈએ નહિ, તેના નિરાકરણ માટે કહે છે સંસારઅવસ્થાથી પર એવી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિના કારણીભૂત એવો જીવાદિ પદાર્થોનો તત્ત્વને સ્પર્શે તેવો બોધ થાય તેવી માર્ગાનુસારી ચક્ષુ સુખપૂર્વક પ્રાપ્ત થતી નથી, એથી તેની પ્રાપ્તિમાં ભગવાનનો પ્રસાદ જ બલવાન કારણ છે; કેમ કે જે જીવો ભવથી વિરક્ત થયા છે તેઓ સ્વસ્થતાથી ભવથી અતીત અવસ્થાને જોવાને અભિમુખ થાય તેવી પરિણતિવાળા છે, તેથી અભય અવસ્થાને પામેલા છે તેવા જીવોને ભગવાનની પ્રતિમા, ભગવાનનો ઉપદેશ આદિ મળે ત્યારે તેના અવલંબન દ્વારા તેઓ સુખપૂર્વક માર્ગાનુસા૨ી ચક્ષુને પ્રાપ્ત કરે છે, પરંતુ જેઓને તેવું આલંબન પ્રાપ્ત થતું નથી તેઓ યથાતથા પ્રયત્ન કરીને અંતરંગ ચક્ષુને પ્રાપ્ત કરી શકતા નથી, માટે ભગવાનના પ્રસાદથી આ ચક્ષુ પ્રાપ્ત થાય છે, તેમ કહેલ છે. વળી, કર્મના વિગમનને કારણે યોગ્યતાને પામેલા જીવો ભગવાનના પ્રસાદથી ચક્ષુને પ્રાપ્ત કરે તેઓને નિયમથી તત્ત્વનું દર્શન થાય છે, જેમ જેઓને બાહ્ય નિર્મળ ચક્ષુ પ્રાપ્ત થયેલી હોય તેઓ બાહ્ય પદાર્થનું રૂપ યથાર્થ જોઈ શકે છે, તેમ જે જીવોને સંસારથી પર અવસ્થાને અભિમુખ એવો જે મોક્ષમાર્ગ છે તેના પરમાર્થને જોનારી દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે તેઓ અવશ્ય મોક્ષમાર્ગના પારમાર્થિક સ્વરૂપને જોશે તેવા નિર્મળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરશે. અહીં ચક્ષુ મળ્યા પછી મોક્ષના કા૨ણીભૂત મોક્ષમાર્ગને યથાર્થ જોનારી નિર્મળદ્રુષ્ટિની પ્રાપ્તિમાં કાળને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ લલિતવિસ્તરા ભાગ-૨ છોડીને વિઘ્ન કરનાર અન્ય કોઈ વસ્તુ નથી, એ પ્રમાણે નિપુણ એવા શાસ્ત્રના જાણનારાઓ કહે છેઃ નિશ્ચયની સૂક્ષ્મ દૃષ્ટિથી પદાર્થને જોનારા મહાત્માઓ કહે છે. આશય એ છે કે ચક્ષની પ્રાપ્તિ પછી પણ મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય વર્તે છે, તેથી જ શરીરવર્તી આત્માના પારમાર્થિક સ્વરૂપના રહસ્યને જાણી શકે તેવો સૂક્ષ્મ બોધ થયો નથી, પરંતુ મિથ્યાત્વની મંદતાને કારણે આત્માની નિરાકુળ અવસ્થાને જોનારી કંઈક દૃષ્ટિ પ્રગટ થઈ છે તે દૃષ્ટિ ઉત્તરોત્તર વૃદ્ધિ દ્વારા મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ કરીને સમ્યક્તને પ્રાપ્ત કરે તેમાં પ્રતિબંધક અંતરંગ કર્મો પણ છે અને અન્ય સામગ્રીની વિકલતા આદિ પણ છે, તોપણ નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો કાળને છોડીને અન્ય કોઈ કારણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં વિલંબન કરનાર નથી; કેમ કે જીવ સુખનો અર્થ છે અને અત્યાર સુધી તેને સુખ બાહ્ય પદાર્થજન્ય જ પ્રતીત થતું હતું, હવે આત્માના વિતરાગતાને અભિમુખ ભાવોમાં સુખ છે તેવું જોનારી ચક્ષુ મળી છે, તેથી તે ચક્ષુના બળથી તે જીવ તેના વિશેષ સ્વરૂપને જાણવા યત્ન કરશે, જેથી અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે, તેથી ચક્ષની પ્રાપ્તિ પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જે કંઈ વિલંબ થાય છે, તેમાં મુખ્ય કારણ કાળ જ છે. જેમ વૃક્ષ ઉપર કેરી પ્રગટ થયેલી હોય તો તે ક્રમસર ઉચિત કાળે અવશ્ય પાકે છે તેમ સુખના અર્થી જીવને અંતરંગ સુખ દેખાય તેવી નિર્મળ ચક્ષુ પ્રગટ થાય છે ત્યારે તેના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે જે યત્ન કરે છે તેના બળથી નિયતકાળે અવશ્ય તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે, તેથી કાળ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં વિલંબનું કારણ છે, અન્ય કોઈ કારણ નથી તેમ નિશ્ચયનયની દૃષ્ટિથી કહેવાય છે; કેમ કે કાળના પરિપાકનું ઉલ્લંઘન જીવ કરી શકતો નથી, પરંતુ પ્રાપ્ત થયેલી ચક્ષુના બળથી યત્ન કરીને તત્ત્વના દર્શનમાં પ્રતિબંધક મિથ્યાત્વનો ક્ષયોપશમ આદિ જીવ કરી શકે છે. વળી, ચક્ષની પ્રાપ્તિ પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં કાળ પ્રતિબંધક છે તેમ કહ્યું તે પણ પરમાર્થથી પ્રતિબંધક નથી; કેમ કે કાળનું જ તે તે રૂપે ભવનમાં ઉપયોગીપણું છે, જેમ માટીમાંથી કુંભાર ઘટ બનાવે છે ત્યારે માટીના પિંડની ઉત્તરની જ અવસ્થામાં ઘટ થતો નથી, તોપણ કુંભારના પ્રયત્નથી પિંડ અવસ્થા જ ઉત્તર-ઉત્તર અવસ્થાને પામીને ઘટરૂપે પરિણમન પામે છે, તેથી ઘટની પ્રાપ્તિમાં કાળવિલંબન પરમાર્થથી પ્રતિબંધક નથી; કેમ કે કાળવિલંબન વગર ઘટની સિદ્ધિ થઈ શકે નહિ, તેમ ચક્ષુની પ્રાપ્તિ પછી તે જીવ ઉત્તરોત્તર તત્ત્વને જોવા માટે પ્રયત્ન કરીને સૂક્ષ્મ તત્ત્વને પ્રાપ્ત કરશે તેમાં કાળવિલંબન પરમાર્થથી પ્રતિબંધરૂપ નથી; કેમ કે ચક્ષુથી થયેલો બોધ જ તે તે રૂપે થઈને સમ્યગ્દર્શનરૂપે થાય તેમાં કાળનું ઉપયોગીપણું છે અર્થાત્ કાળ જ તે પ્રકારે થવામાં વ્યાપારવાળો છે, જેમ કુંભારના પ્રયત્નથી પિંડ અવસ્થામાંથી ઘટ અવસ્થાની પરિણતિમાં વચલી સર્વ ક્ષણોરૂપ કાળ તે તે રૂપે ઘટને અભિમુખ પિંડને પરિણમન પમાડીને ઘટરૂપ કાર્ય કરે છે તેમ જીવમાં પ્રગટ થયેલ ચક્ષુના કાળમાં વર્તતી રૂચિ જ ઉત્તરોત્તર તે તે ભાવરૂપે પરિણમન પામીને સમ્યગ્દર્શનરૂપે થશે તેમાં કાળનું ઉપયોગીપણું છે. વળી, કાળના વિલંબન વગર પ્રાપ્ત થયેલી ચલુ તત્કાળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરાવી શકતી નથી, તેથી ચક્ષુની પ્રાપ્તિ પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પ્રત્યે કાળ પણ ઉપયોગી છે. કેમ કાળ ઉપયોગી છે તેમાં યુક્તિ બતાવતાં કહે છે – વિશિષ્ટ ઉપાદાનહેતુનું જ તથા પરિણામી સ્વભાવપણું છે=અનેક પ્રકારના સહકારી Page #42 -------------------------------------------------------------------------- ________________ મષ્ણવ્યાણ કારણથી આધાન થયેલા સ્વભાવના અતિશયવાળા પરિણામી કારણનું જ કાર્યને અભિમુખ પરિણતિ સ્વભાવપણું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં પ્રગટ થયેલી ચક્ષુ ઉપાદાન કારણ છે અને તે ઉપાદાન કારણરૂપ ચક્ષુ ઉપદેશની સામગ્રી કે અન્ય સહકારી કારણોથી યુક્ત થાય તો તે તે ભાવરૂપે પરિણમન પામીને સમ્યગ્દર્શનરૂપે પરિણમન પામે છે, તેથી ચક્ષુની પ્રાપ્તિ પછી પણ જીવને અન્ય સહકારી કારણો પ્રાપ્ત થયેલાં હોય તો ચક્ષુદર્શનકાળમાં વર્તતી તત્ત્વની રુચિ જ ઉત્તરોત્તર અતિશય-અતિશયતર તત્ત્વ પ્રત્યે પ્રકર્ષ રુચિરૂપે પરિણમન પામે છે, તે સર્વ પરિણમન પામવા પ્રત્યે કાળ પણ કારણ બને છે, કેમ કે કાળ એ જીવદ્રવ્યનો પર્યાય જ છે, તેથી પ્રતિક્ષણ જીવને ઉત્તર-ઉત્તર રૂપે પરિણમન પમાડીને સમ્યગ્દર્શનરૂપે પરિણમન પમાડે છે, માટે ચક્ષુની પ્રાપ્તિ ધર્મરૂપ કલ્પવૃક્ષના અવંધ્યબીજભૂત છે એ પ્રમાણે ભાવન કરવું જોઈએ અર્થાત્ પ્રાપ્ત થયેલી ચક્ષુ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સમ્યગ્દર્શનરૂપે પરિણમન પામશે અને સમ્યગ્દર્શન સમ્યગુ યત્ન કરાવીને અવશ્ય સમ્યગું ચારિત્રરૂપે પરિણમન પામશે, તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્યારિત્રરૂપ જે કલ્પવૃક્ષ છે તેની પ્રાપ્તિમાં અવંધ્ય કારણ બને તેવી આ ચક્ષની પ્રાપ્તિ છે; કેમ કે સુખના અર્થી જીવને ચક્ષુની પ્રાપ્તિના કાળમાં આત્માની નિરાકુળ અવસ્થામાં કંઈક સુખ દેખાય છે, તેથી તેના રહસ્યને જાણવા માટે યત્ન કરીને તે જીવ ઉત્તરોત્તર અંતરંગ નિરાકુળ અવસ્થાના સુખને પ્રાપ્ત કરવા યત્ન કરશે, તેથી આત્માની નિરાકુળ અવસ્થામાં વિશ્રાંતિરૂપ ધર્મકલ્પવૃક્ષની નિષ્પત્તિનું પ્રબળ કારણ આ ચક્ષુ છે અને આ વિશિષ્ટ પ્રકારની અંતરંગ ચક્ષુ ઇન્દ્રિય અભયની જેમ ભગવાનથી પ્રાપ્ત થાય છે; કેમ કે ભગવાનને નિરાકુળ અવસ્થારૂપે જોવાને અનુકૂળ યત્ન સ્વસ્થતાપૂર્વક જે મહાત્માઓ કરે છે તેવા અભય અવસ્થાને પામેલા મહાત્માઓ ભગવાનના દર્શનના બળથી નિરાકુળ અવસ્થાને જોઈ શકે તેવી નિર્મળ ચક્ષુને પ્રાપ્ત કરે છે, તેથી ભગવાનથી ચક્ષની પ્રાપ્તિ છે, માટે ભગવાન ચક્ષુને દેનારા છે. આવા સૂત્ર : મળવાપાં પાછા સૂત્રાર્થ : માર્ગને દેનારા ભગવાનને નમસ્કાર થા. ૧૭માં લલિતવિસ્તરા - तथा मग्गदयाणं। इह मार्गः घेतसोडवक्रगमनं, भुजङ्गमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः, हेतुस्वरूपफलशुद्धा सुखेत्यर्थः। લલિતવિસ્તરાર્થ અને માર્ગને દેનારા ભગવાન છે, અહીંમગદયાણં સૂત્રમાં, માર્ગ ચિત્તનું અવક્રગમન છે. કેવું અવક્રગમન છે ? તે સ્પષ્ટ કરે છે – Page #43 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ સર્પની ગમનનલિકાની લંબાઈ સમાન વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ સ્વરસને વહન કરનાર=જીવના પોતાના સ્વરૂપને વહન કરનાર, ક્ષયોપશમવિશેષ માર્ગ છે, હેતુ-સ્વરૂપફલશુદ્ધ એવી સુખા છે=સુખાસિકા છે, એ પ્રકારનો અર્થ છે=માર્ગનો અર્થ છે. પંજિકા ઃ ‘મળવાળ’, ‘માર્ગ’ હેત્વાતિ, દ=સૂત્રે, માń:-પન્થાઃ, સક્ષિળ ફત્યાહ- ચેતસો=મનસો, अवक्रगमनं = अकुटिला प्रवृत्तिः, कीदृश इत्याह- भुजङ्गमस्य = सर्प्यस्य, गमननलिका शुषिरवंशादिलक्षणा ययाऽसावन्तः प्रविष्टो गन्तुं शक्नोति, तस्या आयामो=दैर्घ्यं तेन तुल्यः क्षयोपशमविशेष इति योगः । किंभूत इत्याह- 'विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः' इति वक्ष्यमाणविशिष्टगुणलाभहेतुः, स्वरसवाही- निजाभिलाषप्रवृत्तः क्षयोपशमो - दुःखहेतुदर्शनमोहादिक्षयविशेष:, तथाहि - यथा भुजङ्गमस्य नलिकान्तः प्रविष्टस्य (પ્ર૦... પ્રવૃત્તસ્થ) મનેડવજ્ર વ નહિવાડયામઃ સમીહિતસ્થાનાવાલિદેતુ, વજ્ર તંત્ર પન્નુમ (Po... मशक्य)त्वाद्, एवमसावपि मिथ्यात्वमोहनीयादिक्षयोपशमश्चेतस इति, तात्पर्यमाह- 'हेतुस्वरूपफलशुद्धा', શ્વેતુના-પૂર્વાવિત(વૃતિ)શ્રદ્ધા ક્ષળેન, સ્વરૂપેળ સ્વાતેનેવ, શેન-વિવિવિષાવિના, શુદ્ધા=નિર્દોષા, સુહા= उपशमसुखरूपा सुखासिकेत्यर्थः, एष मार्गस्वरूपनिश्चयः । ૨૦ પંજિકાર્થ ઃ - ‘મળવાળ’ માર્ગસ્વરૂપનિષવઃ ।। માલવાનું માર્ગ ૪ ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, અહીં=સૂત્રમાં, માર્ગ પંથ છે, તે કેવા સ્વરૂપવાળો છે ? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે ચિત્તનું=મનનું, અવક્રગમન=અકુટિલા પ્રવૃત્તિ, કેવા પ્રકારનો માર્ગ છે ? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે — પોલા વાંશ આદિ રૂપ સર્પની ગમનનલિકા, જેનાથી અંદર પ્રવેશેલો એવો આ=સાપ, જવા માટે સમર્થ બને છે, તેનો આયામÊધ્યું, તેની સાથે તુલ્ય એવો ક્ષયોપશમવિશેષ એ પ્રમાણે યોગ છે=લલિતવિસ્તરામાં તુલ્ય શબ્દનો ક્ષયોપશમવિશેષ સાથે સંબંધ છે, કેવા પ્રકારનો ક્ષયોપશમવિશેષ છે ? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ=આગળ કહેશે એવા પ્રકારના ગુણના લાભનું કારણ, સ્વરસવાહી=પોતાના અભિલાષથી પ્રવૃત્ત=ચક્ષુની પ્રાપ્તિ થયેલી હોવાને કારણે ચક્ષુથી દેખાતા તે માર્ગમાં જવાનો પોતાનો અભિલાષ થયેલો હોવાથી તે માર્ગમાં પ્રયત્ન કરાવે એવો, ક્ષયોપશમવિશેષ=દુઃખના હેતુ એવા દર્શનમોહાદિનો ક્ષયવિશેષ=વિપર્યાસને કારણે સુખના અર્થી જીવને દુ:ખમાં પ્રયત્ન કરાવે એવો દર્શનમોહ અને જ્ઞાનાવરણાદિ કર્મ છે તેના ક્ષયવિશેષ રૂપ માર્ગ છે, તે આ પ્રમાણે – જે પ્રમાણે નલિકાની અંદર પ્રવેશ કરેલા સર્પના ગમનમાં અવક્ર જ નલિકાનો આયામ સમીહિત સ્થાનની પ્રાપ્તિનો હેતુ છે=નલિકાના બીજા છેડા દ્વારા સર્પને સમીહિત સ્થાનની પ્રાપ્તિનો હેતુ છે; કેમ કે વક્રગમન હોતે છતે ત્યાં=નલિકામાં, જવા માટે અશક્યપણું છે, એ રીતે આ પણ મિથ્યાત્વ મોહનીય આદિનો ક્ષયોપશમ ચિત્તનું અવક્રગમન છે, તાત્પર્યંતે કહે છે=અત્યાર સુધી માર્ગનો અર્થ કર્યો તેનાથી શું ફલિત થયું તેને લલિતવિસ્તરામાં કહે છે – હેતુ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મમ્મદયાણ સ્વરૂપ-ફલશુદ્ધા સુખા=પૂર્વમાં કહેલ વૃતિશ્રદ્ધા સ્વરૂપ હેતુથી સ્વગત જ એવા સ્વરૂપથી અર્થાત માર્ગરૂપ જ સ્વરૂપથી વિવિદિષા આદિ રૂપ થી અર્થાત્ શરણ આદિ રૂપ ફલથી શુદ્ધ અર્થાત્ નિર્દોષ ઉપશમના સુખરૂપ સુખાસિકા છે. આ માર્ગના સ્વરૂપનો નિશ્ચય છે. ભાવાર્થ : જે જીવોને ભવ પ્રત્યે વિરક્તભાવ થયો છે તેઓ વીતરાગને અભિમુખ ભાવવાળા થયા, તેથી સંસારના ભયોથી કંઈક નિર્ભય થઈને સંસારથી અતીત અવસ્થાને પામેલા એવા પરમાત્માના સ્વરૂપને સ્વસ્થતાપૂર્વક જોવામાં મતિજ્ઞાનના વ્યાપારવાળા થાય છે, જેથી મિથ્યાત્વની મંદતાજન્ય નિર્મળમતિથી ભગવાનના સ્વરૂપને જોઈ શકાય તેવી કંઈક ચક્ષુ પ્રાપ્ત થાય છે, એ ચક્ષુથી તેઓને જણાય છે કે શિષ્ટ એવા ભગવાનના વચન પ્રમાણે માર્ગમાં ગમન કરવામાં આવશે તો મને હિતની પ્રાપ્તિ થશે, તેથી ભગવાનના વચનના નિયંત્રણ નીચે ચિત્તનું અવક્રગમન થાય તે રીતે દેવ-ગુરુ-ધર્મનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવા માટે તે મહાત્મા યત્ન કરે છે, જે માર્ગગમનતુલ્ય છે અને તે ગમન કેવા સ્વરૂપવાળું છે તે દૃષ્ટાંતથી બતાવે છે – જેમ સાપનો સ્વભાવ પ્રકૃતિથી વક્રગમનવાળો છે, તેમ સંસારી જીવોનું ચિત્ત પણ પ્રકૃતિથી જ આત્માના પારમાર્થિક સ્વરૂપના બોધને અનુકૂળ વ્યાપાર કરવાને બદલે બાહ્ય પદાર્થોને અવલંબીને પોતાના હિતઅહિતની વિચારણા કરે તે પ્રકારે વક્રગમન સ્વભાવવાળું છે, તોપણ ચક્ષુ મળવાથી તે મહાત્માનું જણાય છે. કે સર્વજ્ઞના વચનાનુસાર તત્ત્વાતત્ત્વનો વિભાગ કરવા હું યત્ન કરીશ તો સુખપૂર્વક તત્ત્વને પ્રાપ્ત કરી શકીશ. જેમ વક્ર ચાલવાના સ્વભાવવાળો પણ સાપ નલિકામાં પ્રવેશ કરીને અવક્રગમન દ્વારા પોતાના ઇષ્ટ સ્થાનને પામે છે તેમ ભગવાનના વચનની મર્યાદારૂપ નલિકાથી નિયંત્રિત થઈને પ્રવર્તતું ચિત્ત પોતાને ઇષ્ટ એવા તત્ત્વનો નિર્ણય કરી શકે તે પ્રકારે તત્ત્વ જાણવા માટે વ્યાપારવાળું બને છે, એથી ઉત્કટ મિથ્યાત્વ મોહનીય આદિના ક્ષયોપશમથી પ્રવર્તતું ચિત્ત અર્થાત્ જીવની પોતાના રસને વહન કરનારી પ્રવૃત્તિથી તત્ત્વને જાણવા માટે પ્રવર્તે તેવો ક્ષયોપશમવિશેષ જે જીવમાં પ્રગટ થાય છે તે માર્ગ છે, આ માર્ગ અભય અને ચક્ષુરૂપ હેતુથી પ્રાપ્ત થયેલો છે, પરંતુ સ્વમતિથી પ્રાપ્ત થયેલો નથી, માટે શુદ્ધ છે, વળી સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણવાની મર્યાદાથી પ્રવર્તે તેવા સ્વરૂપવાળો ક્ષયોપશમ છે, તેથી સ્વરૂપથી શુદ્ધ છે અને આ માર્ગગમનના ફલરૂપે જીવમાં તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ વિવિદિષારૂપ ફળ પ્રાપ્ત થશે, તેવું જ આ માર્ગનું ગમન છે, તેથી ફલથી પણ શુદ્ધ તત્ત્વના નિર્ણયને અનુકૂળ ઊહાપોહમાં બાધક એવા કષાયોના ઉપશમજન્ય સુખાસિકારૂપ આ માર્ગ છે. લલિતવિસ્તરા - नास्मिन्नान्तरेऽसति यथोदितगुणस्थानावाप्तिः, मार्गविषमतया चेतःस्खलनेन प्रतिबन्धोपपत्तेः, सानुबन्धक्षयोपशमतो यथोदितगुणस्थानावाप्तिः, अन्यथा तदयोगात्, क्लिष्टदुःखस्य तत्र तत्त्वतो बाधकत्वात्, 'सानुबन्धं क्लिष्टमेतत्' इति तन्त्रगर्भः, तद्बाधितस्यास्य तथागमनाभावाद्, भूयस्तदनुभवोपपत्तेः। Page #45 -------------------------------------------------------------------------- ________________ ર લલિતવિસ્તરા ભાગ-૨ ललितविस्तरार्थ : અંતરંગ હેતુ એવો આ માર્ગ નહિ હોતે છતે યથોદિત ગુણસ્થાનક્ળી પ્રાપ્તિ નથી=સમ્યગ્દર્શન આદિ ગુણની પ્રાપ્તિ નથી; કેમ કે માર્ગનું વિષમપણું હોવાથી ચિત્તની સ્ખલનાને કારણે પ્રતિબંધની ઉપપત્તિ છે=સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિમાં બાધકની પ્રાપ્તિ છે, સાનુબંધ ક્ષયોપશમથી યથોદિત ગુણસ્થાનની પ્રાપ્તિ છે; કેમ કે અન્યથા=સાનુબંધ ક્ષયોપશમ વગર, તેનો અયોગ છે=સમ્યગ્દર્શન આદિનો અયોગ છે. કેમ સાનુબંધ ક્ષયોપશમ વગર સમ્યગ્દર્શન આદિનો અયોગ છે ? તેમાં હેતુ કહે છે ત્યાં=નિરનુબંધ ક્ષયોપશમમાં, ક્લિષ્ટ દુઃખનું તત્ત્વથી બાધકપણું છે, આ=ક્લિષ્ટ દુઃખને કરાવે એવું કર્મ, સાનુબંધ ક્લિષ્ટ છે એ તંત્રનો ગર્ભ છે=ભગવાનના પ્રવચનનું રહસ્ય છે; તદ્બાધિત એવા આના=ક્લિષ્ટ કર્મથી બાધિત એવા ચિત્તના, તથાગમનનો અભાવ છે. કેમ ક્લિષ્ટ કર્મથી બાધિત ચિત્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય તે પ્રકારે જતું નથી ? તેમાં હેતુ કહે છે - ફરી તેના અનુભવની ઉપપત્તિ છે=ક્લિષ્ટ દુઃખના અનુભવની ઉપપત્તિ છે. पंनिडा : व्यतिरेकतो भावयन्नाह - न=नैव, अस्मिन्=क्षयोपशमरूपे मार्गे, आन्तरे = अन्तरङ्गहेतो, असति = अविद्यमाने, बहिरङ्गगुर्व्वादिसहकारिसद्भावेऽपि, यथोदितगुणस्थानावाप्तिः = सम्यग्दर्शनादिगुणलाभ:, कुत इत्याह- मार्गविषमतया = क्षयोपशमविसंस्थुलतया, चेतः स्खलनेन = मनोव्याघातेन, प्रतिबन्धोपपत्तेः = यथोदितगुणस्थानावाप्तेर्विष्कम्भसम्भवात् कुतः ? यतः 'सानुबन्धक्षयोपशमात् ' = उत्तरोत्तरानुबन्धप्रधानक्षयोपशमाद्, गुणस्थानावाप्तिः पूर्वोक्ता जायत इति । व्यतिरेकमाह- अन्यथा = सानुबन्धक्षयोपशमाभावे, तदयोगात् = यथोदितगुणस्थानावाप्तेरभावात्, कुत इत्याह- क्लिष्टदुःखस्य-क्लिष्टं दुःखयतीति दुःखं कर्म्म, ततः क्लिष्टकर्म्मणः, तत्र = निरनुबन्धक्षयोपशमे, तत्त्वतः=अन्तरङ्गवृत्त्या, बाधकत्वात् प्रकृतगुणस्थानस्येति, क्लिष्टस्वरूपमेव व्याचष्टे - सानुबन्धं परम्परानुबन्धवत्, क्लिष्टं= क्लेशकारि, एतत् = कर्म्म, न पुनस्तत्कालमेव परमक्लेशकार्य्यपि स्कन्दकाचार्यशिष्यकर्म्मवद्, महावीरकर्म्मवद् वा; 'इति तन्त्रगर्भः ' = एष प्रवचनपरमार्थः, कुत एतदित्याह - तद्द्बाधितस्य - क्लिष्टकर्म्माभिभूतस्य, अस्य = चेतसः, तथागमनाभावात् = अवक्रतया विशिष्टगुणस्थानगमनाभावात्, कुत इत्याह- भूयः पुनः, तदनुभवोपपत्तेः तस्य- क्लिष्टदुःखस्य अनुभव एवोपपत्तिस्तस्याः, अवश्यमनुभवनीये हि तत्र कथमवक्रं चित्तगमनं स्यादिति भावः । पंािर्थ : व्यतिरेकतो स्यादिति भावः ।। व्यतिरेऽथी भावन उरतां ग्रंथअर श्री ललितविस्तरामां हे छे= Page #46 -------------------------------------------------------------------------- ________________ મમ્મદભાણ ૨૩ પૂર્વમાં માર્ગનું સ્વરૂપ બતાવ્યું. હવે તે માર્ગનું સ્વરૂપ વ્યતિરેકથી બતાવતાં લલિતવિસ્તરામાં કહે છે – આંતર આ નહિ હોતે છતે-અંતરંગ હેતુ એવો ક્ષયોપશમરૂપ માર્ગ નહિ હોતે છતે, બહિરંગ ગુરુ આદિ સહકારીના સભાવમાં પણ=બાહ્યથી સદગુરુનો યોગ-સતિયાનું સેવન આદિ સહકારીનો સદ્ભાવ હોવા છતાં પણ, યથોદિત ગુણસ્થાનકની પ્રાપ્તિ=સમ્યગ્દર્શન આદિ ગુણનો લાભ, નથી જ, કથા કારણથી=બહિરંગ ગુરુ આદિનો યોગ-શાસ્ત્રઅધ્યયન-સક્રિયાનું સેવન આદિ સહકારીઓ હોવા છતાં પણ અંતરંગ ક્ષયોપશમરૂપ માર્ગ અવિદ્યમાન હોતે છતે ગુણસ્થાનકની પ્રાપ્તિ કયા કારણથી તથી ? એમાં હતુ કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – માર્ગનું વિષમપણું હોવાથી ક્ષયોપશમનું વિસંસ્થલપણું હોવાથીeગુણસ્થાનકની પ્રાપ્તિને અનુકૂળ ઊહ પ્રવર્તે તે પ્રકારના ક્ષયોપશમભાવનું અતિતુચ્છપણું હોવાથી, ચિત્તના સ્મલનને કારણે=મનના વ્યાઘાતને કારણે, પ્રતિબંધની ઉપપતિ છે= થોદિત ગુણસ્થાનકની પ્રાપ્તિના વિખંભનો સંભવ છે=સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિમાં બાધકનો સંભવ છે, કયા કારણથી ?–અંતરંગ સંયોપશમરૂપ માર્ગ ન હોય તો સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિનો બાધ કયા કારણથી થાય છે? તે બતાવે છે – જે કારણથી સાનુબંધ થયોપશમથી–ઉત્તરોત્તર વૃદ્ધિ પ્રધાન થોપશમથી, પૂર્વોક્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, વ્યતિરેકને કહે છે – અન્યથા સાનુબંધ થોપશમનો અભાવ હોતે છતે, તેનો અયોગ હોવાથી= થોદિત ગુણસ્થાનકની પ્રાપ્તિનો અભાવ હોવાથી, સાનુબંધ શયોપશમથી યથોદિત ગુણસ્થાનકની પ્રાપ્તિ છે એમ અત્રય છે. કયા કારણથી ?=સાનુબંધ ક્ષયોપશમ વગર સમ્યગ્દર્શન આદિની અપ્રાપ્તિ કયા કારણથી છે ? એમાં હેતુ કહે છે – ત્યાં=લિરનુબંધ ક્ષયોપશમમાંaઉત્તરોત્તર સૂક્ષ્મ તત્વને બતાવે તેનાથી વિપરીત એવા વિરનુબંધ શયોપશમમાં, ક્લિષ્ટ દુખતું ક્લિષ્ટ કર્મનું, તત્વથી=અંતરંગવૃત્તિથી, પ્રકૃત ગુણસ્થાનકનું બાધકપણું છે=સમ્યગ્દર્શન આદિ ગુણસ્થાનકની પ્રાપ્તિનું બાધકપણું છે. ક્લિષ્ટ દુઃખનો અર્થ ક્લિષ્ટ કર્મ કેમ કર્યો ? તે સ્પષ્ટ કરે છે – દુઃખને ઉત્પન્ન કરે છે એ દુઃખ, ક્લિષ્ટ એવું દુઃખ કર્મ છે, તેથી ક્લિષ્ટ દુઃખનો અર્થ ક્લિષ્ટ કર્મ કરેલ છે, લિષ્ટ સ્વરૂપને જ=કમલા લિષ્ટ સ્વરૂપને જ, કહે છે – સાનુબંધ કિલષ્ટ આ છે= પરંપરા અનુબંધવાળું ફ્લેશકારી કર્મ છે, પરંતુ તત્કાલ જ પરમ ફ્લેશકારી પણ નથી, સ્કંદકાચાર્યના શિષ્યના કર્મની જેમ અથવા મહાવીર ભગવાનના કર્મની જેમ, એ તંત્રગર્ભ છે=આ પ્રવચનો પરમાર્થ છે, કયા કારણથી આ છે ?=સાનુબંધ લિષ્ટ કર્મ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં બાધક છે એ પ્રવચનનો પરમાર્થ કયા કારણથી છે ? એથી કહે છે – તેનાથી બાધિત એવા આના=ક્લિષ્ટ કર્મથી અભિભૂત ચિત્તના, તથાગમનનો અભાવ હોવાથી=અવક્રપણાથી વિશિષ્ટ ગુણસ્થાનકમાં ગમનનો અભાવ હોવાથી, સાનુબંધ લિષ્ટ કર્મ તત્વથી બાધક છે એમ અવય છે, કયા કારણથી ? એથી કહે છે=ક્લિષ્ટ કર્મથી અભિભૂત ચિત્ત વિશિષ્ટ ગુણસ્થાનક તરફ કયા કારણથી જતું નથી ? એથી કહે છે – ફરી પણ તેના અનુભવની ઉપપતિ હોવાથી તેના અર્થાત્ ક્લિષ્ટ દુઃખના અનુભવની જ ઉપપત્તિ હોવાથી–ચિત જયારે વક્રગમન કરે છે ત્યારે કષાયોના ક્લેશના અનુભવની જ ઉપપત્તિ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લલિતવિસ્તરા ભાગ-૨ હોવાથી, કષાય અનુકૂળ ચિત્તથી ગુણસ્થાનકની પ્રાપ્તિ થઈ શકે નહિ એમ અવય છે, દિ=જે કારણથી, અવશ્ય અનુભવનીય તે હોતે છતે કષાય આપાદક કિલષ્ટ કર્મ હોતે છતે, કેવી રીતે અવક્ર ચિતગમત થાય ? એ પ્રકારનો ભાવ છે. ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે ભગવાન જે માર્ગને આપે છે એ માર્ગ ચિત્તના અવક્રગમન સ્વરૂપ છે. કેમ માર્ગ ચિત્તના અવક્રગમન સ્વરૂપ છે તેને જ દઢ કરવા માટે કહે છે – જે જીવોને બહિરંગ ગુરુ આદિનો સહકાર મળેલો હોય, શાસ્ત્રઅધ્યયન-સક્રિયા કરતાં હોય, સંયમના આચારો પાળતા હોય તો પણ જો તેઓનું ચિત્ત ભગવાને બતાવેલા ક્રિયાઓના પરમાર્થને સ્પર્શે તે રીતે અંતરંગ માર્ગમાં પ્રવર્તતું ન હોય, પરંતુ તે તે બાહ્ય ક્રિયાઓ કરીને બાહ્ય પ્રવૃત્તિમાં જ વિશ્રાંત થતું હોય તો તેઓને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને તેવા સમ્યગ્દર્શન આદિ ગુણોનો લાભ થતો નથી, તેથી નક્કી થાય છે કે ઉપદેશનું શ્રવણ, બાહ્ય ધર્મક્રિયાનું સેવન, શાસ્ત્રઅધ્યયન આદિ પ્રવૃત્તિ હોવા છતાં મોહનાશને અનુકૂળ અંતરંગ ક્ષયોપશમ ભાવરૂપ માર્ગ પ્રવર્તે નહિ તો ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય નહિ, અને જે પ્રવૃત્તિથી સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ થતી ન હોય તે પ્રવૃત્તિને માર્ગરૂપે કહી શકાય નહિ, પરંતુ જે માર્ગની પ્રવૃત્તિથી સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરીને ક્ષપકશ્રેણી આદિની પ્રાપ્તિ થાય તેમ હોય તેવી પ્રવૃત્તિને માર્ગગમનરૂપે સ્વીકારી શકાય. અહીં પ્રશ્ન થાય કે તે જીવો બહિરંગ ધર્મ-અનુષ્ઠાન સેવે છે, સદ્ગુરુનું આલંબન લે છે, છતાં માર્ગગમનની પ્રાપ્તિ કેમ નથી ? તેમાં યુક્તિ બતાવે છે – તેઓની આચરણામાં ક્ષયોપશમભાવરૂપ માર્ગ અત્યંત સ્થૂલ છે, તેથી તેઓની પ્રવૃત્તિ બહિરંગ આચરણારૂપ છે, જેના કારણે ચિત્ત વ્યાઘાતને પામે છે ગુણસ્થાનકને અનુકૂળ પ્રવર્તતું નથી, તેથી યથોદિત ગુણસ્થાનકની પ્રાપ્તિમાં વિખંભનો સંભવ છે તે આચરણાથી સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિરૂપ ઉપરના ગુણસ્થાનકમાં જવાની પ્રવૃત્તિ ચિત્તની સ્કૂલનાને કારણે થતી નથી અર્થાત્ અંતરંગ ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળી તે બહિરંગ ક્રિયા થઈ શકે તે પ્રકારે ચિત્ત પ્રવર્તતું નથી, તેથી તે બહિરંગ આચરણાઓથી ઉપર ઉપરના ગુણસ્થાનકોની પ્રાપ્તિ થતી નથી, માટે તે દેશવિરતિની કે સર્વવિરતિની આચરણા પણ માર્ગગમન સ્વરૂપ નથી. કેમ ભગવાનના વચનાનુસાર તે જીવો સંયમની ક્રિયાઓ કરે છે, છતાં માર્ગગમન સ્વરૂપ તે ક્રિયાઓ નથી ? તેમાં યુક્તિ બતાવે છે – સાનુબંધ ક્ષયોપશમથી જ ગુણસ્થાનકની પ્રાપ્તિ છે જે ક્રિયાઓ દ્વારા કષાયોનો ઉપશમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તે પ્રકારના અનુબંધથી યુક્ત ક્ષયોપશમવાળી ક્રિયાઓથી જ સમ્યગ્દર્શન આદિ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે અને જે જીવો બહિરંગ ગુરુ આદિના યોગવાળા છે, બહિરંગ ક્રિયા આદિ કરે છે, પરંતુ અંતરંગ રીતે કષાયોના ઉપશમમાં યત્ન કરતા નથી તેઓની તે તે ક્રિયાઓ દ્વારા પણ મેં આ તપ કર્યું છે, મેં આ ક્રિયાઓ કરી છે ઇત્યાદિ બાહ્ય ક્રિયા કરવા માત્રનું અભિમાન થાય છે, પરંતુ અંતરંગ ક્રિયાજન્ય ઉપશમને Page #48 -------------------------------------------------------------------------- ________________ મગ્મદયાણં ૫ અનુકૂળ કોઈ યત્ન થતો નથી, તે ક્રિયાકાળમાં વર્તતો તેઓનો ક્ષયોપશમ સાનુબંધ નહિ હોવાને કારણે સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિ દ્વારા સંસારથી નિસ્તારનું કા૨ણ થતો નથી, તેથી તેઓની પ્રવૃત્તિ માર્ગગમનરૂપ થતી નથી. અહીં પ્રશ્ન થાય કે તે જીવો સદ્ગુરુનું આલંબન લે છે, સન્ક્રિયાઓ કરે છે, શાસ્ત્રઅધ્યયન કરે છે, તેઓને સાનુબંધ ક્ષયોપશમ કેમ થતો નથી ? જેથી તેઓ તે ક્રિયા કરીને માર્ગગમન કરી શકતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે છતાં — નિરનુબંધ ક્ષયોપશમમાં અંતરંગવૃત્તિથી ક્લિષ્ટ કર્મનું બાધકપણું છે, આશય એ છે કે જે જીવોના માર્ગગમનને અનુકૂળ પ્રવૃત્તિ કરવામાં બાધક ક્લિષ્ટ કર્મો વર્તે છે તેના કારણે તેઓ સંયમ આદિની ક્રિયાઓ કરે છે, તોપણ તેઓનું ચિત્ત તે ક્રિયાઓ દ્વારા કષાયોના શમનને બદલે માત્ર બાહ્ય ક્રિયાઓ કરીને સંતોષ પામે તેવાં ક્લિષ્ટ કર્મો તેઓને વર્તે છે, તેથી તે ક્લિષ્ટ કર્મોના ઉદયથી હણાયેલું તેઓનું ચિત્ત ગુણસ્થાનકને અભિમુખ જવામાં વ્યાઘાત પામે છે. કેવા પ્રકારનું તેઓનું સાનુબંધ ક્લિષ્ટ કર્મ છે તે સ્પષ્ટ કરતાં કહે છે – પરંપરાએ ક્લેશને કરાવનાર એવું તેઓનું કર્મ છે અર્થાત્ માત્ર તત્કાલ ક્લેશ કરાવનારું નથી, પરંતુ ઉત્તર-ઉત્તરમાં પણ ક્લેશ કરાવે તેવું છે, આથી જ વર્તમાનમાં તે તે ક્રિયાઓના ક્લેશોને પ્રાપ્ત કરે છે, તેના દ્વારા કષાયોને કરીને ઉત્ત૨-ઉત્તરમાં ક્લેશને પ્રાપ્ત કરે છે, જેમ તપ કરીને તપમાં અહંકારબુદ્ધિ કરે છે, તેથી તપના ક્લેશને અનુભવે છે, કષાયના ક્લેશને અનુભવે છે અને પોતાની જે કષાયોની પ્રકૃતિ છે તેને અતિશય અતિશય કરીને ક્લેશની પરંપરાને પ્રાપ્ત કરે છે, વળી તેઓનું તે કર્મ ક્લિષ્ટ તત્કાલમાત્ર ક્લેશકારી નથી, જેમ સ્કંદકાચાર્યના શિષ્યોનું કર્મ કે વીર ભગવાનનું કર્મ તત્કાલમાત્ર ક્લેશકારી હતું. સાનુબંધ ફ્લેશકારી ન હતું તેથી જેઓનું કર્મ સ્કંદકાચાર્યના શિષ્યની જેમ તત્કાલ ક્લેશકારી હોય તેઓને તે કર્મજન્ય ઘાણીમાં પિલાવા આદિ કષ્ટોની પ્રાપ્તિ થાય અથવા લોચાદિના કે ઉપવાસાદિના કષ્ટોની પ્રાપ્તિ થાય, છતાં જો તેઓનું ચિત્ત માર્ગગમનમાં હોય તો જેમ સ્કંદકાચાર્યના શિષ્યો ઘાણીમાં પિલાવાની ક્રિયા દ્વારા શમભાવના પરિણામ તરફ જઈને કષાયોના શમનને પ્રાપ્ત કરી શક્યા તેમ તપાદિના કે લોચાદિના કષ્ટો દ્વારા પણ તે મહાત્મા શમભાવ તરફ યત્ન કરી શકે છે; કેમ કે કષાયોના શમનના ઉપયોગપૂર્વક જ શક્તિનું આલોચન કરીને તેવા મહાત્માઓ સર્વ ક્રિયા કરે છે તેઓનું તે કર્મ સાનુબંધ ફ્લેશકારી નથી તેમ પ્રાપ્ત થાય, પરંતુ જેઓનું તેવું નિરનુબંધ ફ્લેશકારી કર્મ નથી તેઓ તપાદિ કરીને પણ ઉપશમભાવ ત૨ફ જતા નથી, તેથી તેઓની તપાદિની ક્રિયા સાનુબંધ ક્લિષ્ટ કર્મના ઉદયથી થાય છે, તેથી તપાદિના ક્લેશને વેઠીને પણ કષાયોની વૃદ્ધિ કરીને ક્લેશની પરંપરાને જ પ્રાપ્ત કરે છે, આથી જ તેઓના સંયમના કષ્ટો તેઓને વર્તમાનમાં ક્લેશ કરાવે છે અને તે કષ્ટો દ્વારા ઉપશમભાવને પ્રાપ્ત કર્યા વગર તે તે પ્રકારનાં કષાયોને કરીને તેઓ ક્લિષ્ટ કર્મો જ બાંધે છે, જેથી દુર્ગતિની પ્રાપ્તિ કરે છે. આથી જ જેઓ માર્ગગમન કરનારા છે તેઓ સ્વભૂમિકા અનુસાર ક્લેશના પરિહાર માટે પોતાના ચિત્તની ભૂમિકા અનુસાર જેમ ઉચિત ધર્મઅનુષ્ઠાન સેવે છે તેમ ધર્મમાં પ્રધાન પરિણામવાળા થઈને અર્થ-કામને તે રીતે સેવે છે જેનાથી પણ વિકારો વૃદ્ધિ ન પામે પરંતુ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ લલિતવિસ્તા ભાગ-૨ કામાદિની વિચ્છતા અલ્પ થાય તેઓ પણ માર્ગગમનની પરિણતિવાળા હોવાથી અર્થઉપાર્જન કરીને પણ ક્લેશની અલ્પતા કરે છે, ભોગાદિની ઇચ્છા થાય છે ત્યારે પણ સલ્લ કામા, વિસં કામા ઇત્યાદિ વચનોનું સ્મરણ કરીને ભોગાદિની વૃત્તિને શાંત કરવા યત્ન કરે છે અને તે પ્રકારના ભાવનથી પણ ચિત્ત ભોગાદિની ઇચ્છા વગરનું ન થાય તો વણલેપની જેમ ભોગ કરીને ભોગની ઇચ્છાને શાંત કરે છે. તેઓનું ચિત્ત અવક્ર રીતે માર્ગ ઉપર જતું હોવાથી ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે વળી સંયમ ગ્રહણ કરીને જેઓ સ્વભૂમિકા અનુસાર અપ્રમાદથી સંયમની ક્રિયા કરીને તે તે ક્રિયા દ્વારા કષાયોનો ઉપશમ થાય તે પ્રકારે યત્ન કરે છે તેનું ચિત્ત માર્ગમાં અવક્ર ગમનવાળું હોવાથી ગુણસ્થાનકની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે અને જેઓ સંયમ ગ્રહણ કરીને પણ ક્રિયાકાળમાં સ્વશક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરીને તે તે ક્રિયાના ભાવોથી આત્માને ભાવિત કરવા યત્ન કરતા નથી, માત્ર બાહ્ય પ્રવૃત્તિ કરે છે તેઓને વર્તમાનમાં બાહ્ય પ્રવૃત્તિજન્ય ક્લેશ પ્રાપ્ત થાય છે અને કષાયોનો ઉપશમ નહિ થયેલો હોવાથી કષાયજન્ય કર્મબંધ દ્વારા આગામી ક્લેશોની પરંપરાની પ્રાપ્તિ થાય છે એ પ્રવચનનો પરમાર્થ છે. અહીં વિશેષ એ છે કે કોઈપણ બાહ્ય ક્રિયા કષાયના શમનથી થતી હોય અને ઉત્તરના કષાયના શમનનું કારણ બનતી હોય તે ક્રિયા ચિત્તના અવક્રગમનપૂર્વકની હોવાથી માર્ગગમનરૂપ છે, જેમ વિર ભગવાનને પૂર્વના કર્મના ઉદયથી અશાતા ઉત્પન્ન કરે તેવા ઉપસર્ગો આદિની પ્રાપ્તિ થઈ, તોપણ અદીનભાવથી ઉપસર્ગોનો જય કરીને વિર ભગવાનનું ચિત્ત શમભાવમાં અતિશયવાળું થયું, તેથી ઉપસર્ગોનો ક્લેશ તત્કાલ જ અશાતારૂપ પ્રાપ્ત થયો, પરંતુ અંતરંગ તો ક્લેશના શમનજન્ય સુખની જ પ્રાપ્તિ થઈ, તેથી વીર ભગવાનનું ક્લિષ્ટ કર્મ સાનુબંધ શવાળું ન હતું અને જેઓને કોઈ પ્રકારનાં ક્લેશકારી કર્મો નથી, તેઓને કોઈ પ્રકારનાં કષ્ટોને વેક્યા વગર ભરત મહારાજાની જેમ કષાયોના ઉમૂલનને અનુકૂળ ચિત્તનું અવક્રગમન થાય છે, જેથી માર્ગગમન કરીને ભરત મહારાજા કેવળજ્ઞાન પામ્યા તે રીતે જેઓનું ચિત્ત તે તે પ્રકારની સંયમની કષ્ટકારી ક્રિયાઓ દ્વારા શમભાવને અનુકૂળ જઈ શકે તેવું છે તેઓ તે તે પ્રકારની ક્રિયાથી તત્કાલ અલ્પ ફ્લેશ પ્રાપ્ત કરે છે, પરંતુ ચિત્તમાં કષાયોના ઉપશમજન્ય સુખને પ્રાપ્ત કરે છે, તેથી તેઓનું ચિત્ત અવગમનપૂર્વક ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકને પામે છે અને જેઓનું ચિત્ત તે તે પ્રકારનાં ક્લિષ્ટ કર્મોથી અભિભૂત થાય છે તેઓનું ચિત્ત અવક્રગમનપણાથી વિશિષ્ટ ગુણસ્થાનકમાં જવા સમર્થ બનતું નથી, પરંતુ તે તે કષ્ટક્રિયા દ્વારા તેઓને ત્યારે જ ક્લેશનો અનુભવ થાય છે અને તે ક્લેશના સંસ્કારને કારણે ફરી પણ તેઓને તેવું ક્લેશકારી ચિત્ત ઉત્પન્ન થશે, તેથી તેઓનું ચિત્ત ધર્મઅનુષ્ઠાન કાળમાં પણ ક્લેશને અનુભવનારું હોવાથી કેવી રીતે અવગમન કરી શકે ? અર્થાતુ કરી શકે નહિ; કેમ કે વર્તમાનના કષ્ટ કાલમાં જે અરતિ આદિ ભાવો થાય છે તે ભાવોનો જ ફરી ફરી અનુભવ કરીને તેઓ ક્લેશની પરંપરાને જ પ્રાપ્ત કરશે. લલિતવિસ્તરા - न चासो तथाऽतिसंक्लिष्टस्तत्प्राप्ताविति प्रवचनपरमगुह्यम्, न खलु भिन्नग्रन्थे यस्तद्बन्ध इति तन्त्रयुक्त्युपपत्तेः, एवमन्यनिवृत्तिगमनेन (पंजिका पाठः ‘अनिवृत्तिगमनेन') अस्य भेदः। Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૭. મમ્મદયાણ सिद्धं चैतत्प्रवृत्त्यादिशब्दवाच्यतया योगाचार्याणां, 'प्रवृत्तिपराक्रमजयाऽनन्दऋतम्भरभेदः कर्मयोग' इत्यादिविचित्रवचनश्रवणादिति, न चेदं यथोदितमार्गाभावे; स चोक्तवद् भगवद्भ्यः, इति मार्ग ददतीति मार्गदाः।।१७॥ ललितविस्तरार्थ : અને આ=માર્ગ ઉપર ચાલનાર પ્રકૃતિ જીવ, તેની પ્રાપ્તિ હોતે છતેત્રમાર્ગની પ્રાપ્તિ હોતે છતે, તેવા પ્રકારનો અતિ સંક્લિષ્ટ નથી જ=માર્ગથી પાત પામે તોપણ પૂર્વની જેમ અતિશય સાનુબંધ લેશવાળો નથી, એ પ્રવચનનું પરમગુહ્ય છે; કેમ કે ભિન્નગ્રંથિવાળા જીવને ફરી તેનો બંધ નથી= ગ્રંથિકાળમાં થતો બંધ નથી, એ પ્રમાણે તંત્રયુક્તિની ઉપપતિ છે, આ રીતે=જીવ માર્ગમાં ગમન કરે છે એ રીતે, સાનુબંઘપણાને કારણે અનિવૃતિગમનથી=અનિવૃત્તિકરણની પ્રાપ્તિથી, આનો= માર્ગરૂપ ક્ષયોપશમનો, ભેદ છે=અન્ય ક્ષયોપશમ કરતાં વિશેષ છે. અને યોગાચાર્યોને આ સાનુબંધ ક્ષયોપશમવાળાને ગ્રંથિભેદ લક્ષણ વસ્તુ, પ્રવૃત્તિ આદિ શબ્દ વાપ્યપણાથી સિદ્ધ છે; કેમ કે પ્રવૃત્તિ-પરાક્રમ-જય-આનંદ-ઋતભર ભેજવાળો કર્મયોગ છે, ઈત્યાદિ વિચિત્ર વચનનું શ્રવણ છે અને આ=પ્રવૃત્તિ આદિરૂપ કર્મયોગ, યથોદિત માર્ગના અભાવમાંગચિતના અવક્રગમનરૂપ માર્ગના અભાવમાં, નથી અને આનંચિતના અવક્રગમનરૂપ માર્ગ, ઉક્તની જેમ અભય અને ચક્ષની જેમ, ભગવાનથી છે, એથી માર્ગને આપે છે, એથી भगवान भानि नारा छ. ।।१७।। निका:ननु सम्यग्दर्शनावाप्तावपि कस्यचिन्मिथ्यात्वगमनाद् कथमत्र क्लिष्टदुःखाभाव इत्याह न च नैव, असौ-प्रकृतजीवः, तथा प्रागिव, अतिसंक्लिष्टः अतीव सानुबन्धक्लेशवान्, तत्प्राप्तौ= मार्गप्राप्ती, इति एतत् प्रवचनपरमगुह्य-शासनहदयम्, अत्र हेतुः-न खलु-नैव, भिन्नग्रन्थेः सम्यक्त्ववतो, भूयः पुनः, तद्बन्धो-ग्रन्थिबन्धः, इति एवं, तन्त्रयुक्त्युपपत्तेः पुनस्तबन्धेन न व्यवलीयते कदाचिदित्यादिशास्त्रीययुक्तियोगात्, ततः किं सिद्धमित्याह-एवं-सानुबन्धतया, अनिवृत्तिगमनेन अनिवृत्तिकरणप्राप्त्या, अस्य-मार्गरूपक्षयोपशमस्य, भेदो विशेषः, शेषक्षयोपशमेभ्यः। परतन्त्रेणापीदं साधयन्नाहसिद्धं च-प्रतीतं च, 'एतत्' सानुबन्थक्षयोपशमवतो ग्रन्थिभेदादिलक्षणं वस्तु, 'प्रवृत्त्यादिशब्दवाच्यतया' नामान्तरेणेत्यर्थः, योगाचार्याणां पतञ्जलिप्रभृतीनां, कथमित्याह-'प्रवृत्तिपराक्रमजयानन्दऋतम्भरभेदः कर्मयोगः', प्रवृत्तिः-चरमयथाप्रवृत्तिकरणशुद्धिलक्षणा, प्रकृतो मार्ग इत्यर्थः, पराक्रमेण वीर्यविशेषवृद्ध्या अपूर्वकरणेनेत्यर्थः, जयो-विबन्धकाभिभवो, विघ्नजयोऽनिवृत्तिकरणमित्यर्थः, आनन्दः सम्यग्दर्शनलाभरूपः, Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ લલિતવિસ્તા ભાગ-૨ 'तमोग्रन्थिभेदादानन्दः' इति वक्ष्यमाणवचनात्, ऋतम्भरः सम्यग्दर्शनपूर्वको देवतापूजनादिर्व्यापारः, ऋतस्य= सत्यस्य भरणात; ततश्च ते प्रवृत्त्यादयो भेदा यस्य स तथा, कर्मयोगः-क्रियालक्षणः, कर्मग्रहणं इच्छालक्षणस्य प्रणिधानयोगस्य व्यवच्छेदार्थम्, सामान्येन ह्यन्यत्र योगः पञ्चधा; यदुक्तं- 'प्रणिधि-प्रवृत्ति-विघ्नजय-सिद्धिविनियोगभेदतः प्रायः। धर्मज्ञैराख्यातः शुभाशयः पञ्चधाऽत्र विधौ।।१।।' (षोडशके ३-६) शुभाशयश्च योगः, "ત્યાવિત્તિ, માલિશાલીછાયોલિવરના રાછા પંજિકાર્ચ - નનુ સપના ... આશિકારીછાવાવિવારના | સમ્યગ્દર્શનની પ્રાપ્તિ હોતે છતે પણ કોઈક જીવને મિથ્યાત્વમાં ગમન હોવાથી કેવી રીતે અહીં–માર્ગગમતમાં, કિલષ્ટ દુઃખનો અભાવ છે ? અર્થાત્ સખ્યત્વથી ભ્રષ્ટ થયા પછી તે જીવ મિથ્યાત્વને કારણે ક્લિષ્ટ કર્મો બાંધીને ક્લિષ્ટ દુઃખોની પરંપરાને પ્રાપ્ત કરે છે, તેથી માર્ગગમનમાં કિલષ્ટ દુઃખનો અભાવ છે તેમ કહી શકાય નહિ એ પ્રકારની શંકામાં કહે છે – આ=પ્રત જીવ=માર્ગ ઉપર ચાલનાર સખ્યત્વથી ભ્રષ્ટ થયેલો પ્રતિ જીવ, તેની પ્રાપ્તિમાં માર્ગની પ્રાપ્તિમાં, તે પ્રકારે પૂર્વની જેમ, અતિસંક્લિષ્ટ નથી જ=અતિશય સાનુબંધ ફ્લેશવાળો નથી જ, એ પ્રવચનનું પરમગુહ્ય છે=ભગવાનના શાસનનું હદય છે, આમાં માર્ગને પામ્યા પછી મિથ્યાત્વમાં જવા છતાં તેવો અતિસંક્લેશ થતો નથી તેમાં, હેતુ કહે છે – ભિન્ન ગ્રંથિવાળા જીવન=સમ્યક્તવાળા જીવને, ફરી તબંધ નથી=ગ્રંથિભેદ પૂર્વે વિકાળમાં જે બંધ હતો તે બંધ નથી, એ પ્રકારે તંત્રયુક્તિની ઉપપતિ છે ફરી તે બંધથી ક્યારેય વિશેષથી અવલીન થતો નથી અર્થાત્ ક્યારેય બાંધત નથી ઈત્યાદિ શાસ્ત્રયુક્તિનો યોગ છે, તેનાથી=અત્યાર સુધી વર્ણન કર્યું કે ચિતના અવક્રગમનવાળા જીવોને સાનુબંધ ફ્લેશ પ્રાપ્ત થતો નથી તેનાથી=સમ્યક્તથી પાત પામ્યા પછી ફરી અતિસંક્લેશ પામતો નથી એમ કહ્યું તેનાથી, શું સિદ્ધ છે? એથી કહે છે લલિતવિસ્તરામાં કહે છે – આ રીતે સાનુબંધપણું હોવાથી=જેઓ માર્ગ ઉપર અવક્રગમન કરે છે તેઓના ચિત્તમાં પૂર્વમાં કહ્યું એ રીતે સાનુબંધ ક્ષયોપશમ હોવાથી, અનિવૃત્તિ ગમતથી=અનિવૃત્તિકરણની પ્રાપ્તિથી, શેષક્ષયોપશમોથી આનો ભેદ છેઃમાર્ગરૂપ ક્ષયોપશમનો વિશેષ છે. પરતંત્ર વડે પણ=અન્ય દર્શનના વચન વડે પણ, આનેત્રચિતના અવક્રગમતરૂપ માર્ગ સાનુબંધ ક્ષયોપશમવાળો છે એને, સાધતાં=સ્પષ્ટ કરતાં, કહે છે=ગ્રંથકારશ્રી લલિતવિસ્તરામાં કહે છે – આ= સાનુબંધ ક્ષયોપશમવાળા જીવને ગ્રંથિભેદાદિ રૂપ વસ્તુ,સિદ્ધ છે=જેઓ ચિત્તના અવક્રગમતવાળા છે તેઓ ઉત્તર-ઉત્તરના માર્ગને પામીને ગ્રંથિભેદાદિ કરે છે તે પ્રતીત છે. પતંજલિ વગેરે યોગાચાર્યોને પ્રવૃત્તિ આદિ શબ્દ વાગ્યપણાથી નામાંતર વડે સિદ્ધ છે. કેમ સિદ્ધ છે ? તેમાં હેતુ કહે છે – પ્રવૃત્તિ-પરાક્રમ-જય-આનંદ-ઋતંભર ભેજવાળો કર્મયોગ છે, એ પ્રકારના વચનનું શ્રવણ અન્ય દર્શનમાં છે એમ અન્વય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ મમ્મદલ્યાણ પ્રવૃત્તિ આદિનો અર્થ સ્પષ્ટ કરે છે – પ્રવૃત્તિ ચરમયથાપ્રવૃત્તિકરણની શુદ્ધિરૂપ પ્રકૃત માર્ગ છે, એ પ્રકારનો પ્રવૃત્તિનો અર્થ છે અભયચક્ષુ આદિ સર્વ ચરમયથાપ્રવૃત્તિકરણ સ્વરૂપ છે અને તેની શુદ્ધિ ચિતના અવક્રગમતરૂપ માર્ગથી થાય છે તેથી અવ્ય દર્શનવાળા પ્રવૃતિરૂપ કર્મયોગ કહે છે તે પ્રકૃત માર્ગરૂપ છે, પરાક્રમથી=વીર્યવિશેષની વૃદ્ધિથી=માર્ગની પ્રાપ્તિ થયા પછી ચિત્તના અવક્રગમતથી થયેલા વીર્યવિશેષની વૃદ્ધિથી, અપૂર્વકરણરૂપ પરાક્રમથી જય=વિબંધકનો અભિભવ=વિધ્યનો જય અનિવૃત્તિકરણ, એ પ્રકારનો પરાક્રમથી જયનો અર્થ =માર્ગગમનથી વીર્યવિશેષની વૃદ્ધિ થાય છે તેનાથી સખ્યત્વની પ્રાપ્તિમાં વિધ્ધભૂત જે કર્મો છે તેનો જય અનિવૃત્તિકરણથી થાય છે એ પ્રકારનો અર્થ છે, આનંદ=સમ્યગ્દર્શનના લાભારૂપ આનંદ છે; કેમ કે અંધકારની ગ્રંથિના ભેદથી આનંદ થાય છે, એ પ્રકારે વસ્થમાણ વચન છે=આત્માના અસંગભાવરૂપ પારમાર્થિક સ્વરૂપને જોવામાં જે ગાઢ અંધકારરૂપ રાગ-દ્વેષની પરિણતિ હતી તેથી માત્ર બાહ્ય વિષયજન્ય સુખમાં સુખનું દર્શન હતું, આત્માના સ્વાસ્થના સુખમાં સુખનું દર્શન થતું ન હતું, તેવા અંધકારરૂપ ગ્રંથિનો ભેદ થવાથી આત્માના નિરાકુળ સ્વભાવના દર્શનરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જીવને આનંદ સ્વરૂપ છે એ પ્રકારનું વયમાણ વચન છે, તમ્બરા=સગર્શનપૂર્વક દેવતાપૂજનાદિ વ્યાપાર કર્મયોગ છે એમ અવથ છે. તમ્મરનો અર્થ સ્પષ્ટ કરે છે – તનું સત્યનું, ભરણ હોવાથી દેવતાપૂજનાદિ વ્યાપાર ઋતબ્બર કર્મયોગ છે=સમ્યગ્દર્શનની પ્રાપ્તિપૂર્વક વીતરાગની પૂજા કે અન્ય ધર્મ-અનુષ્ઠાન જે સેવન કરાય છે તેનાથી આત્માના અસંગભાવની પરિણતિરૂપ સત્યનું પોષણ થવાથી તે વ્યાપારને ઋતમ્ભર કર્મયોગ કહેવાય છે, અને ત્યારપછી તે પ્રવૃત્તિ આદિ ભેદો છે જેને તે તેવો છે=પ્રવૃત્તિ-પરાક્રમ-જય-આનંદ ઋતભર ભેજવાળો છે. તેવો કોણ છે? એથી કહે છે – ક્રિયાલક્ષણ કર્મયોગ છે, કર્મનું ગ્રહણ કર્મયોગમાં રહેલા કર્મ શબ્દનું ગ્રહણ, ઈચ્છારૂપ પ્રણિધાનયોગના વ્યવચ્છેદ માટે છે=જયવીયરાયમાં ભવનિર્વેદ આદિતી જે ઈચ્છા કરાય છે તે રૂપ પ્રણિધાનયોગના વ્યવચ્છેદ માટે છે, દિ=જે કારણથી, અન્યત્ર અન્ય ગ્રંથોમાં, સામાન્યથી પાંચ પ્રકારે યોગો કહેવાયા છે, જે કારણથી કહેવાયું છે – આ વિધિમાં યોગની વિચારણામાં, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગના ભેદથી પ્રાયઃ શુભાશય પાંચ પ્રકારે ધર્મજ્ઞો વડે કહેવાયો છે. અને શુભાશય=ઉદ્ધરણમાં કહેલ શુભાશય, યોગ છે, માટે યોગ પાંચ પ્રકારનો છે એમ ઉદ્ધારણ પૂર્વે કહેલ છે, ઇત્યાદિ=લલિતવિસ્તરામાં કર્મયોગ પછી કહેલ જે ઈત્યાદિ શબ્દ છે, તેમાં ગાદિ શબ્દથી ઇચ્છાયોગાદિ વચનનું ગ્રહણ છે=ાલિ શબ્દથી ઇચ્છાયોગ-શાસ્ત્રયોગ-સામર્થ્યયોગને કહેનારા વચનનું ગ્રહણ છે. ll૧૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦. લલિતવિસ્તાર ભાગ-૨ ભાવાર્થ પૂર્વમાં કહ્યું કે ચિત્તનું અવક્રગમન સાનુબંધ ક્લિષ્ટ કર્મવાળું નથી, તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ માર્ગ ઉપર ગમન કરે છે તેઓને વીર ભગવાન આદિની જેમ તત્કાલ ફ્લેશકારી કર્મની પ્રાપ્તિ થઈ શકે, પરંતુ તે ક્લેશકારી કર્મના ઉદયકાળમાં પણ ચિત્ત માર્ગમાં ગમન કરનારું હોવાથી વીર ભગવાનની જેમ ગુણની વૃદ્ધિની જ પ્રાપ્તિ થાય છે, પરંતુ નવા નવા લેશોની પ્રાપ્તિ થતી નથી. ત્યાં પ્રશ્ન થાય કે કોઈ જીવ માર્ગગમન કરે અને તેના ચિત્તનું અવક્રગમન હોવાથી તે જીવ ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિ દ્વારા સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છતાં કોઈક રીતે મિથ્યાત્વને પામે છે ત્યારે તે જીવને સાનુબંધ ક્લિષ્ટ કર્મનો ઉદય પ્રાપ્ત થાય છે, આથી જ વીર ભગવાન પણ સમ્યગ્દર્શન પામ્યા પછી મિથ્યાત્વને પામે છે ત્યારે ત્રિપૃષ્ઠના ભવમાં નારીના ભવને પ્રાપ્ત કરે તેવાં ક્લિષ્ટ કર્મો બાંધે છે, તેથી સાનુબંધ ક્ષયોપશમવાળા જીવને પણ સાનુબંધ ક્લિષ્ટ દુ:ખ નથી તેમ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ, તે શંકાના નિવારણ માટે કહે છે – માર્ગની પ્રાપ્તિ થયા પછી તે જીવ સમ્યક્તથી ભ્રષ્ટ થાય ત્યારે સાનુબંધ ફ્લેશને પામે છે તોપણ પૂર્વના જેવો અતિસાનુબંધ ફ્લેશને પામતો નથી, એ પ્રવચનનું રહસ્ય છે. આશય એ છે કે જેઓ માર્ગ ઉપર અવક્રગમન કરે છે તેઓ ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકને પામીને સમ્યક્ત પામે છે, ત્યારપછી પણ જો માર્ગગમન ચાલુ રહે તો તે ભવમાં કે કેટલાક પરિમિત ભવોમાં સર્વ ક્લેશનો નાશ કરે છે તેઓને વીર ભગવાનને ચરમભવમાં ઉપસર્ગો પ્રાપ્ત થયા તેમ કોઈક ક્લેશ પ્રાપ્ત થાય, તોપણ તે ક્લેશ ઉત્તર-ઉત્તર ક્લેશને કરાવતો નથી, પરંતુ સમભાવની વૃદ્ધિ દ્વારા ચિત્તની સ્વસ્થતાની વૃદ્ધિનું જ કારણ બને છે. વળી, કોઈક જીવ ચિત્તના અવક્રગમનરૂપ માર્ગને પામીને કોઈક નિમિત્તે મરીચિની જેમ કષાયને વશ મિથ્યાત્વને પામે છે, તોપણ મિથ્યાત્વની પ્રાપ્તિ પછી તે જીવને સાનુબંધ ફ્લેશની પ્રાપ્તિ થાય છે, છતાં તે જીવને પૂર્વની જેમ અતિતીવ્ર સાનુબંધ ફ્લેશની પ્રાપ્તિ થતી નથી, આથી જ મરીચિના ભવમાં મિથ્યાત્વને પામ્યા પછી ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સાતમી નરકની પ્રાપ્તિ થાય તેવો સાનુબંધ ફ્લેશ વિર ભગવાનના જીવને પ્રાપ્ત થયો, તોપણ ગ્રંથિભેદ કર્યા પછી પૂર્વની જેમ મિથ્યાત્વની ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે તેવો ક્લેશ પ્રાપ્ત થયો નહિ, તેથી માર્ગના ગમનને કારણે સાનુબંધ ફ્લેશની હાનિ થાય છે, તે સાનુબંધ સંક્લેશની હાનિ પાત પછી પણ પાત અવસ્થામાં પૂર્વના જેવા તીવ્ર સંક્લેશની હાનિરૂપે વિદ્યમાન રહે છે, તે પ્રકારનું વીર ભગવાનના શાસનનું રહસ્ય છે, માટે કલ્યાણના અર્થીએ ચિત્તનું અવક્રગમન થાય તે રીતે જ સર્વ ધર્મઅનુષ્ઠાન સેવવાં જોઈએ. અહીં પ્રશ્ન થાય કે મિથ્યાત્વ પામ્યા પછી તે જીવો અતિસંક્લેશને કેમ પ્રાપ્ત કરતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે – ભિન્નગ્રંથિજીવને પાત થયા પછી પણ ગ્રંથિબંધને ઓળંગીનેeગ્રંથિભેદ કાળમાં સત્તામાં રહેલી કર્મસ્થિતિને Page #54 -------------------------------------------------------------------------- ________________ મગલ્યાણ ૩૧ ઓળંગીને અધિક બંધ થતો નથી, એ પ્રકારે શાસ્ત્રની યુક્તિ છે, માટે સમ્યક્તથી પાત થયા પછી પણ તે જીવોને પૂર્વના જેવો સંક્લેશ થતો નથી. આ રીતે માર્ગગમનનો અર્થ કરવાથી શું પ્રાપ્ત થાય તે સ્પષ્ટ કરે છે – જે જીવો ચિત્તના અવક્રગમનમાં યત્ન કરે છે તે જીવોને તેના કારણે સાનુબંધ ક્ષયોપશમની પ્રાપ્તિ થાય છે, તેથી તેઓ અપૂર્વકરણની પ્રાપ્તિ કરીને અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરે છે, તેથી શેષ ક્ષયોપશમ કરતાં માર્ગગમનરૂપ ક્ષયોપશમનો ભેદ છે અર્થાત્ જે જીવો ધર્મબુદ્ધિથી તપત્યાગાદિ કરે છે ત્યારે કંઈક શુભભાવો કરે છે, તોપણ ચિત્તનું અવક્રગમન કરી શકતા નથી તેઓનો ધર્મને અનુકૂળ વર્તતો જે ક્ષયોપશમ છે તેના કરતાં માર્ગગમનરૂપ ક્ષયોપશમ વિશેષ પ્રકારનો છે; કેમ કે આ પ્રકારે માર્ગગમન કરે તેવા ક્ષયોપશમવાળા જીવો અનિવૃત્તિકરણને પામીને સમ્યક્તને પ્રાપ્ત કરે છે, જ્યારે શેષ ક્ષયોપશમવાળા જીવો કંઈક શુભભાવો કરે છે, તોપણ અનિવૃત્તિકરણને પામીને સમ્યક્તને પ્રાપ્ત કરી શકતા નથી. પૂર્વમાં કહ્યું કે ચિત્તના અવક્રગમનરૂપ માર્ગ સાનુબંધ ક્ષયોપશમવાળો છે, તેથી અનિવૃત્તિકરણની પ્રાપ્તિ દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ કરાવે છે, તેથી અન્ય ક્ષયોપશમ કરતાં માર્ગગમનરૂપ ક્ષયોપશમનો ભેદ છે, એ કથનને અન્ય દર્શનના વચન દ્વારા પણ સ્થાપન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અન્ય દર્શનના વિચારક એવા યોગાચાર્યો પણ સાનુબંધ ક્ષયોપશમવાળા જીવોને ગ્રંથિભેદાદિ વસ્તુ પ્રાપ્ત થાય છે તે પ્રવૃત્તિ આદિ શબ્દના વાપણાથી સ્વીકારે છે અર્થાતુ અન્ય દર્શનવાળા કહે છે કે પ્રવૃત્તિ, પરાક્રમ, જય, આનંદ અને તમ્મરના ભેદવાળો કર્મયોગ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો સંસારના ઉચ્છેદનું કારણ બને તેવી પ્રવૃત્તિરૂપ કર્મયોગ સેવે છે તે ચિત્તના અવક્રગમનરૂપ માર્ગ સ્વરૂપ છે અને તે ચરમયથાપ્રવૃત્તિકરણની શુદ્ધિ સ્વરૂપ છે; કેમ કે અભય, ચક્ષુ આદિની પ્રાપ્તિ પણ ચરમયથાપ્રવૃત્તિકરણરૂપ છે અને જ્યારે જીવ અવક્રગમન થાય તે રીતે માર્ગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે ચરમયથાપ્રવૃત્તિકરણની તે પ્રકારે શુદ્ધિ થાય છે, જેથી અપૂર્વકરણ કરીને અવશ્ય સમ્યક્તને પામે છે, તેથી પ્રવૃત્તિ એ માર્ગગમનરૂપ છે અને માર્ગગમનરૂપ પ્રવૃત્તિ કરનારા જીવોમાં વિર્યવિશેષની વૃદ્ધિ થાય ત્યારે તમોગ્રંથિને ભેદ કરવા યત્ન કરે છે જે અપૂર્વકરણરૂપ પરાક્રમ છે અને તે પરાક્રમ કરવા દ્વારા આત્માની નિરાકુળ અવસ્થાને જોવામાં બાધક એવા જે મિથ્યાત્વના દળિયા હતા તેનો અભિભવ કરીને અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરે છે, તે અનિવૃત્તિકરણ પરાક્રમ દ્વારા વિધ્વજયરૂપ માર્ગ છે અને તેનાથી મોહથી અનાકુળ એવા શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જોઈ શકે એવી નિર્મળદૃષ્ટિની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનનો લાભ થાય છે અને કોઈક અપૂર્વ વસ્તુની પ્રાપ્તિથી જેમ આનંદ થાય તેમ સમ્યગ્દર્શનના લાભથી તે જીવને આનંદ થાય છે અર્થાત્ અત્યાર સુધી હું આત્માની મુક્ત અવસ્થાના પારમાર્થિક સ્વરૂપને તે રીતે જાણવા સમર્થ ન હતો, તેથી જ સુખ માટે યત્ન કરીને પણ સંસારની વિડંબનાને મેં પ્રાપ્ત કરી, હવે મોહથી અનાકુળ આત્મામાં જ પારમાર્થિક સુખ છે તેવો નિર્ણય થવાથી તેના ઉપાયને સેવીને હું અવશ્ય સદા માટે સુખી થઈશ, તેવો બોધ થવાથી આનંદ થાય છે, ત્યારપછી તે જીવ મુક્ત અવસ્થાની પ્રાપ્તિના ઉપાયભૂત દેવતાપૂજનાદિ વ્યાપાર કરે છે તે તમ્મર કર્મયોગ છે; કેમ કે Page #55 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ ઋતનો અર્થ સત્ય થાય છે અને સત્યને જે ભરે તે ઋતમ્મર કહેવાય, એ પ્રકારની ઋતમ્ભર શબ્દની વ્યુત્પત્તિ છે, તેથી સમ્યક્તની પ્રાપ્તિ પછી વીતરાગના પારમાર્થિક સ્વરૂપના બોધપૂર્વક તે જીવ વીતરાગની પૂજા આદિ વ્યાપાર કરે છે તેનાથી તે આત્મા વીતરાગતુલ્ય થવાને અનુરૂપ સત્ય સુખને આત્મામાં પ્રગટ કરે છે અને આદિ પદથી સામાયિક આદિ અન્ય વ્યાપાર કરીને પણ તે જીવ શમભાવના કંડકોને સ્પર્શ કરવા દ્વારા સત્ય સુખને પ્રગટ કરે છે, તેથી તે ઋતમ્મર કર્મયોગ છે. અહીં કર્મયોગ કહેવાથી ઇચ્છારૂપ પ્રણિધાન યોગનો વ્યવચ્છેદ થાય છે, જેમ જયવીયરાયમાં ભવનિર્વેદ આદિની ઇચ્છાઓ કરાય છે તે ઇચ્છારૂપ પ્રણિધાન યોગ છે, પરંતુ કર્મયોગ નથી. કેમ ઇચ્છારૂપ પ્રણિધાન યોગ છે તે કર્મયોગ નથી, છતાં તે યોગ છે? તે બતાવવા માટે પંજિકામાં કહે છે – અન્ય ગ્રંથોમાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગના ભેદથી પાંચ પ્રકારનો શુભાશય કહ્યો છે અને તે શુભાશય યોગ છે, તેમાંથી પ્રણિધાનરૂપ યોગ કર્મયોગ નથી, પરંતુ પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ એ કર્મયોગ છે, તેમાં પ્રવૃત્તિ એ માર્ગગમન સ્વરૂપ છે, વિધ્વજય એ પરાક્રમ દ્વારા વિઘ્નોના જય સ્વરૂપ છે અને તે અનિવૃત્તિકરણરૂપ છે, સિદ્ધિ એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સ્વરૂપ છે, વિનિયોગ એ સમ્યગ્દર્શનપૂર્વક દેવતાપૂજનાદિ વ્યાપારરૂપ ઋતમ્બરા પ્રજ્ઞા સ્વરૂપ છે અને લલિતવિસ્તરામાં ઇત્યાદિ શબ્દ છે તેમાં આદિ શબ્દથી ઇચ્છાયોગ આદિ ત્રણનું ગ્રહણ છે, તેથી એ પ્રાપ્ત થાય કે અન્ય દર્શનમાં જે ઇચ્છાયોગ કહ્યો છે તે ચિત્તના અવક્રગમનરૂપ છે અને શાસ્ત્રયોગ કહ્યો છે તે ગ્રંથિનો ભેદ કરીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સ્વરૂપ છે, તેથી અન્ય દર્શનના વચનાનુસાર પણ માર્ગગમનરૂપ સાનુબંધ લયોપશમવાળા જીવને ગ્રંથિભેદાદિરૂપ વસ્તુની પ્રાપ્તિ થાય છે અર્થાત્ ગ્રંથિભેદ થાય છે, ઉપર-ઉપરનાં ગુણસ્થાનકો પ્રાપ્ત થાય છે યાવતું ક્ષપકશ્રેણી પામીને કેવલજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે, આથી જ સાનુબંધ ક્ષયોપશમવાળા જીવો સામર્થ્યયોગને પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. વળી, અન્ય દર્શનવાળા પ્રવૃત્તિ આદિ કર્મયોગ સ્વીકારે છે એ ચિત્તના અવક્રગમનરૂપ માર્ગની પ્રાપ્તિ વગર થઈ શકે નહિ; કેમ કે કર્મયોગને અન્ય દર્શનવાળા મોક્ષના કારણરૂપે સ્વીકારે છે, તેથી મોક્ષના કારણભૂત એવો પ્રવૃત્તિરૂપ કર્મયોગ ચિત્તના અવક્રગમનથી જ થઈ શકે અને તેવું ચિત્તનું અવક્રગમન અભય-ચક્ષુની જેમ ભગવાનથી જ પ્રાપ્ત થાય છે; કેમ કે વીતરાગના વીતરાગ સ્વરૂપને જોવાને અનુકૂળ વ્યાપાર જિનપ્રતિમાને જોઈને કે જિનવચનને સાંભળીને કે કોઈક અન્ય નિમિત્તે જીવમાં પ્રગટ થાય છે ત્યારે ભગવાનના સ્વરૂપના અવલંબનથી જ ચિત્તનું અવક્રગમન વીતરાગતાને અભિમુખ જાય છે, માટે ભગવાનથી તે માર્ગ પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે અને આ પ્રકારના માર્ગને દેનારા ભગવાન છે, તેથી માર્ગને દેનારા ભગવાન છે એમ મમ્મદયાણ શબ્દથી સ્તુતિ કરીને મહાત્માઓ વીતરાગે બતાવેલા ઉત્તમ માર્ગમાં પ્રસ્થાનને અનુકૂળ બળ સંચય કરે છે. પ્રસ્તુતમાં પ્રવૃત્તિ આદિ કર્મયોગ દ્વારા પ્રવૃત્તિ શબ્દથી ચિત્તના અવક્રગમનરૂપ માર્ગ સ્વીકાર્યો તે ઉપરઉપરના દરેક ગુણસ્થાનકમાં પણ યોજન થાય છે, આથી જ ક્ષપકશ્રેણીમાં ચડેલા યોગી પરાક્રમ દ્વારા Page #56 -------------------------------------------------------------------------- ________________ સરણદયાણં વિબંધકનો જય કરીને પ્રાતિભજ્ઞાન પ્રાપ્ત કરે છે તેને પણ ઋતમ્ભરા પ્રજ્ઞા કહેવાય છે, તેવી રીતે પ્રણિધાન વગેરે પાંચ આશયો કહ્યા, તેનું યોજન પ્રસ્તુતમાં સમ્યગ્દર્શનની સાથે કર્યું, તે રીતે ઉ૫૨-ઉપરના ગુણસ્થાનકમાં પણ તેનું યોજન છે, આથી જ ષોડશકમાં એ પાંચ આશયોને તે તે ભૂમિકાને અનુરૂપ યોગમાર્ગની સાથે યોજન કરેલ છે, તેથી પ્રસ્તુત વર્ણનમાં તેનું યોજન સમ્યગ્દર્શન સાથે છે અને ષોડશકમાં તેનું યોજન અન્ય પ્રકારે છે તેમ વિચારીને વિરોધનું ભાવન કરવું નહિ; કેમ કે અપેક્ષાભેદથી સર્વ કથન પરસ્પર અવિરુદ્ધ છે. II૧૭ના સૂત્ર : સરાયાનું ।।૮।। 33 સૂત્રાર્થ શરણને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ, [૧૮] લલિતવિસ્તરા ઃ तथा 'सरणदयाणं' । इह शरणं भयार्त्तत्राणं, तच्च संसारकान्तारगतानां अतिप्रबलरागादिपीडितानां दुःखपरम्परासंक्लेशविक्षोभतः समास्वासनस्थानकल्पं, तत्त्वचिन्तारूपमध्यवसानं, विविदिषेत्यर्थः । सत्यां चास्यां तत्त्वगोचराः शुश्रूषा श्रवणग्रहणधारणाविज्ञानऊहाऽपोहतत्त्वाभिनिवेशा: प्रज्ञागुणाः । प्रतिगुणमनन्तपापपरमाण्वपगमेनैते इति समयवृद्धाः, तदन्येभ्यस्तत्त्वज्ञानायोगात्, तदाभासतयैतेषां भिज्ञजातीयत्वात्, बाह्याकृतिसाम्येऽपि फलभेदोपपत्तेः । લલિતવિસ્તરાર્થ: અને શરણને દેનારા ભગવાન છે, અહીં=શરણદયાણં પદમાં, શરણ ભયથી આર્ત જીવોનું ત્રાણ છે અને તે સંસારરૂપી અટવીમાં પ્રાપ્ત થયેલા અતિપ્રબલ રાગાદિ શત્રુઓથી પીડિત જીવોને દુઃખની પરંપરારૂપ સંક્લેશના વિક્ષોભથી સમાશ્વાસનના સ્થાન જેવો તત્ત્વચિંતારૂપ અધ્યવસાય છે=વિવિદિષા છે એ પ્રકારનો અર્થ છે=શરણનો અર્થ છે, અને આ હોતે છતે=વિવિદિષા હોતે છતે, તત્ત્વના ગોચરવાળા=તત્ત્વના વિષયવાળા, શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ-ધારણા-વિજ્ઞાન-ઊહ-અપોહતત્ત્વના અભિનિવેશરૂપ પ્રજ્ઞાગુણો થાય છે, આ=શુશ્રુષાદિ, પ્રતિગુણ=શુશ્રુષા આદિ પ્રત્યેક ગુણ, અનંત પાપપરમાણુના અપગમથી થાય છે એ પ્રમાણે બહુશ્રુતો કહે છે; કેમ કે તેના કરતાં અન્યથી=શુશ્રુષા આદિ કરતાં અન્યથી, તત્ત્વજ્ઞાનનો અયોગ છે. કેમ શુશ્રુષા આદિ વગર તત્ત્વજ્ઞાનનો અયોગ છે ? એથી હેતુ કહે છે - - તેના આભાસપણાથી=તત્ત્વના વિષયવાળા શુશ્રુષા આદિ સદેશપણાથી, આમનું=અન્ય પ્રકારથી થયેલા શુશ્રુષાદિનું, ભિન્નજાતીયપણું છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ३४ લલિતવિસ્તરા ભાગ-૨ અહીં પ્રશ્ન થાય કે તે જીવો પણ તત્ત્વને જાણવા માટે શાસ્ત્રઅધ્યયન આદિ કરે છે તેઓના શુશ્રુષા આદિથી તત્ત્વજ્ઞાનનો અયોગ છે; કેમ કે ભિન્નજાતીયપણું છે એમ કેમ કહી શકાય ? તેના સમાધાન માટે અન્ય હેતુ કહે છે – બાહ્ય આકૃતિના સામ્યમાં પણ શાઅશ્રવણ આદિ જ્યિા બાહ્ય રીતે સમાન હોવા છતાં પણ, લભેદની ઉપપત્તિ છે. नि: 'दुःखपरम्परासंक्लेशविक्षोभतः' इति, दुःखपरम्परायाः-नरकादिभवरूपायाः, संक्लेशस्य च क्रोधादिलक्षणस्य, विक्षोभतः स्वरूपहासलक्षणचलनादिति। 'शुश्रूषे त्यादि, शुश्रूषा श्रोतुमिच्छा, श्रवणं श्रोत्रोपयोगः, ग्रहणं शास्त्रार्थमात्रोपादानं, धारणम्= अविस्मरणं, मोहसन्देहविपर्ययव्युदासेन ज्ञान-विज्ञान, विज्ञातमर्थमवलम्ब्यान्येषु व्याप्त्या तथाविधवितर्कणम्ऊहः, उक्तियुक्तिभ्यां विरुद्धादर्थात्प्रत्यपायसम्भावनया व्यावर्त्तनम्-अपोहः, अथवा सामान्यज्ञानम् ऊहो, विशेषज्ञानम् अपोहः, विज्ञानोहापोहानुगमविशुद्धम् इदमित्थमेवेतिनिश्चयः-तत्त्वाभिनिवेशः, पश्चात्पदाष्टकस्य द्वन्दः समासः, 'प्रज्ञागुणाः' बुद्धरुपकारिण इत्यर्थः। किंविशिष्टा इत्याह प्रतिगुणम् एकैकं शुश्रूषादिकं गुणमपेक्ष्योत्तरोत्तरे, 'अनन्तपापपरमाण्वपगमेन', अनन्तानाम् अतिबहूनां, पापपरमाणूनां ज्ञानावरणादिक्लिष्टकर्मांशलक्षणानाम्, अपगमेन-प्रलयेन, एते तत्त्वगोचराः शुश्रूषादयः, इति-एतत्, समयवृद्धाः=बहुश्रुताः ब्रूवते, कुत एतदित्याह- तदन्येभ्यः=उक्तविलक्षणहेतुप्रभवेभ्यः, तत्त्वज्ञानायोगाद्-भवनैर्गुण्यादिपरमार्थापरिज्ञानात्, एतदपि कुत इत्याह- तदाभासतया तत्त्वगोचरशुश्रूषादिसदृशतया, एतेषां-प्रतिगुणमनन्तपापपरमाण्वपगममन्तरेण जातानां, भिन्नजातीयत्वाद् अन्यजातिस्वभावत्वात्। नन्वाकारसमतायामपि कुत एतदित्याह- बाह्याकृतिसाम्येऽपि तत्त्वगोचराणामितरेषां च शुश्रूषादिनां फलभेदोपपत्तेः, फलस्य-भवानुरागस्य, तद्विरागस्य च यो भेदः आत्यन्तिकं वैलक्षण्यं, स एव उपपत्तिः युक्तिः, तस्याः, कथं नाम एकस्वभावेषु द्वयेष्वपि शुश्रूषादिषु बहिराकारसमतायामित्थं फलभेदो युज्यत इति भावः। पंरिक्षार्थ : 'दुःखपरम्परा ..... युज्यत इति भावः ।।सनी परंपराना लेना पक्षोलथी मेललितविस्तरातुं પ્રતીક છે, તેનો અર્થ કરે છે – તરકાદિ ભવરૂપ દુઃખની પરંપરાના અને ક્રોધાદિરૂપ સંક્લેશના વિક્ષોભથી=સ્વરૂપના હાસરૂપ ચલનથી, સમાજાસનના સ્થાનરૂપ શરણ છે એમ અવય છે. વળી, વિવિદિષારૂપ શરણની પ્રાપ્તિ થાય છે ત્યારે શુશ્રષા આદિ ગુણો પ્રગટે છે, તેનો અર્થ કરવા માટે પંજિકામાં શુકૂવા ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક ગ્રહણ કરેલ છે. શુશ્રષા=સાંભળવાની ઈચ્છા કઈ Page #58 -------------------------------------------------------------------------- ________________ સરણદયાણં રીતે તત્ત્વની પ્રાપ્તિ થાય જેનાથી સંસારનો ઉચ્છેદ થાય એ પ્રકારના પારમાર્થિક અર્થને સાંભળવાની ઇચ્છા, શુશ્રૂષા છે, શ્રવણ=શ્રોત્રનો ઉપયોગ=કોઈ મહાત્મા સંસારના ઉચ્છેદના પારમાર્થિક તત્ત્વને બતાવતા હોય ત્યારે તે તત્ત્વના રહસ્યની પ્રાપ્તિને અનુકૂળ શ્રોત્રેન્દ્રિયનો ઉપયોગ, શ્રવણ છે, ગ્રહણ=શાસ્ત્રાર્થ માત્રનું ઉપાદાન=ભવથી આત્માનું રક્ષણ કરે તેવા શાસ્ત્રના પારમાર્થિક અર્થ માત્રને તે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરે તે ગ્રહણ છે, ધારણ=અવિસ્મરણ=શાસ્ત્રથી પ્રાપ્ત થયેલા પારમાર્થિક અર્થનું અવિસ્મરણ રહે તે પ્રકારે પુનઃ પુનઃ ભાવન કરીને ધારણ કરે તે ધારણા ગુણ છે, મોહ-સંદેહવિપર્યયના વ્યુદાસથી જ્ઞાન વિજ્ઞાન છે=વિશેષ જ્ઞાન છે=ઉપદેશકના વચનથી જે શાસ્ત્રના વચનનું ગ્રહણ થયેલું તે અર્થને યથાર્થ ધારણ કર્યા પછી અનુભવ અને યુક્તિ અનુસાર તેનું વિશેષ જ્ઞાન કરવા માટે યત્ન કરે ત્યારે આ તત્ત્વ આમ જ છે એ પ્રકારનું જે જ્ઞાન છે તે અજ્ઞાન-સંદેહ અને વિપર્યયથી રહિત જ્ઞાન સ્વરૂપ છે તે વિજ્ઞાન છે, વિજ્ઞાત અર્થનું અવલંબન લઈને અન્ય અર્થોમાં વ્યાપ્તિથી તે પ્રકારે તર્ક કરવો ઊહ છે=ગુરુના વચનથી એક સ્થાનમાં યથાર્થ નિર્ણય થયો હોય તેને અવલંબીને તત્સદેશ અન્ય અન્ય સ્થાનોમાં પણ તે રીતે વિશેષ નિર્ણય કરવા માટે જે વિચારણા પ્રવર્તે છે તે ઊહ નામનો પ્રજ્ઞાગુણ છે, ઉક્તિ અને યુક્તિ દ્વારા=શાસ્ત્રવચન અને માર્ગાનુસારી યુક્તિ દ્વારા, વિરુદ્ધ એવા અર્થથી પ્રત્યપાયની સંભાવનાને કારણે વ્યાવર્તન અપોહ છે=એક સ્થાને વિજ્ઞાન કર્યા પછી અન્ય સ્થાને તે પ્રકારે નિર્ણય કરવા માટે ઊહ પ્રવર્તે છે ત્યારે જો શાસ્ત્રનો અર્થ વિપરીત રીતે ગ્રહણ થશે તો અનર્થની સંભાવના છે તેથી વિપરીત અર્થ ન થાય તે પ્રકારે ચિત્તનું વિપરીત અર્થથી વ્યાવર્તન અપોહ નામનો પ્રજ્ઞાગુણ છે, અથવા ઊહ અને અપોહતો અન્ય પ્રકારે અર્થ કરે છે – સામાન્ય જ્ઞાન ઊહ છે=શ્રવણથી જે વિજ્ઞાન થયું ત્યારપછી તેનો ઊહ કરીને જે સામાન્ય જ્ઞાન થાય છે તે ઊહ છે, અને વિશેષ સૂક્ષ્મ ઊહ થવાથી વિશેષ જ્ઞાન પ્રગટે છે તે અપોહ છે અર્થાત્ પૂર્વના સામાન્ય જ્ઞાનનો ત્યાગ કરીને વિશેષ સૂક્ષ્મ જ્ઞાનને પ્રાપ્ત કરે છે તે અપોહ છે, વિજ્ઞાન-ઊહઅપોહના અનુસરણથી વિશુદ્ધ ‘આ આમ જ છે' એ પ્રકારનો નિશ્ચય તત્ત્વનો અભિનિવેશ છે= ધારણ કર્યા પછી મોહ-સંદેહ અને વિપર્યયથી રહિત જે વિજ્ઞાન થયું તેના ઉપર વિશેષ પ્રકારે ઊહ અને અપોહ કરીને જે વિશેષ નિર્ણય થયો કે ‘ભગવાનના આ વચનનું તત્ત્વ આમ જ છે' જેના અનુસાર પ્રવૃત્તિ કરીને હું અવશ્ય સંસારનો ઉચ્છેદ કરી શકીશ તે તત્ત્વનો અભિનિવેશ છે અર્થાત્ તત્ત્વને સેવવાનો દૃઢ આગ્રહ થાય તેવો મતિજ્ઞાનનો ઉપયોગવિશેષ છે, પછીથી=શુશ્રૂષા આદિનો અર્થ કર્યા પછીથી, પદ અષ્ટકનો દ્વંદ્વ સમાસ છે—લલિતવિસ્તરામાં દ્વંદ્વ સમાસ છે, અને તે આઠ પ્રજ્ઞાના ગુણો છે=બુદ્ધિને ઉપકાર કરનારા છે એ પ્રકારનો અર્થ છે=બુદ્ધિને હિતમાં પ્રવર્તાવીને કલ્યાણની પરંપરાનું કારણ બને તેવા ઉપકારી ગુણો છે. ૩૫ કેવા વિશિષ્ટ પ્રજ્ઞાગુણો છે ? એથી કહે છે પ્રતિગુણ=એક એક શુશ્રૂષાદિ ગુણની અપેક્ષાએ ઉત્તર-ઉત્તરથી, અનંત પાપપરમાણુના અપગમને કારણે આ તત્ત્વગોચર શુશ્રૂષાદિ થાય છે એમ અન્વય છે=અતિઘણા જ્ઞાનાવરણાદિ ક્લિષ્ટ કર્યોરૂપ પાપપરમાણુઓના પ્રલયથી તત્ત્વ વિષયક - Page #59 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તસ ભાગ-૨ શુશ્રષાદિ થાય છે, એ સમયવૃદ્ધો કહે છે, કયા કારણથી આ છે=તત્વગોચર શુશ્રષાદિ ઉત્તરોત્તર અનંત પાપપરમાણુઓના વિગમનથી થાય છે એ છે ? એથી કહે છે – તેના અચથી=ઉક્તથી વિલક્ષણ હેતુથી પ્રભવ એવા શુશ્રુષાદિથીતત્વના નિર્ણયનું કારણ બને તેનાથી વિલક્ષણ એવા કોઈક સાંભળવા આદિના પ્રયોજનથી પ્રગટ થયેલા શુશ્રષા આદિથી, તત્વજ્ઞાનનો અયોગ હોવાથી= ભવન્યાદિ પરમાર્થનું અપરિજ્ઞાન હોવાથી=સંસાર ચારગતિની વિડંબના સ્વરૂપ છે તેના વિસ્તારનો એક અંતરંગ માર્ગ જિનવચનથી નિયંત્રિત પરિણતિરૂપ છે ઈત્યાદિ પરમાર્થનું અપરિજ્ઞાન થવાથી, તે શુશ્રષાદિ ગુણો અનંત પાપપરમાણુઓના વિગમનથી થયેલા નથી, પરંતુ જેઓમાં ચિત્તનું અવક્રગમન વર્તે છે તેનાથી પ્રગટ થયેલી વિવિદિષાને કારણે જે શુશ્રષાદિ પ્રગટ થયા છે તે ઉત્તર-ઉત્તર ચિત્તના અવક્રગમનથી થનારા હોવાને કારણે અનંત પાપપરમાણુઓના વિગમતથી થાય છે એ પ્રમાણે સમયવૃદ્ધો કહે છે એમ અવાય છે, આ પણ કયા કારણથી છે ?=ઉક્ત વિલક્ષણ હેતુથી થયેલા શુશ્રષાદિથી તત્ત્વજ્ઞાનનો અયોગ છે એ પણ કયા કારણથી છે? એથી લલિતવિસ્તરામાં કહે છે – તઆભાસપણું હોવાને કારણે તત્વગોચર શુશ્રુષાદિ સદશપણું હોવાને કારણે તત્વના નિર્ણયને અભિમુખ વિવિદિષા વગર કંઈક ધર્મ સાંભળવો છે એવી મુગ્ધબુદ્ધિથી શુશ્રષાદિ પ્રવર્તતા હોવાથી તત્વગોચર શુશ્રષાદિ સદશપણું હોવાને કારણે, આમનું પ્રતિગુણ અનંત પાપપરમાણુના અપગમ વગર થયેલા શુશ્રષાદિનું, ભિવજાતીયપણું હોવાથી તત્ત્વજ્ઞાનનો અયોગ છેeતત્વની પ્રાપ્તિનું કારણ બને તેના કરતાં અન્ય જાતિસ્વભાવપણું હોવાને કારણે તત્વજ્ઞાનનો અયોગ છે એમ અવય છે. “નથી શંકા કરે છે – આકારથી સમાનતામાં પણ=ધર્મને મારે સાંભળવો છે ઇત્યાદિ આકારથી સમાનતામાં પણ, કયા કારણથી આ છે ?=ભિવજાતીય સ્વભાવવાળા શુશ્રષાદિ છે ? એથી કહે છે – બાહ્ય આકૃતિના સામ્યમાં પણ ફલભેદની ઉપપત્તિ હોવાથી તત્વગોચર શુશ્રષાદિના અને મુગ્ધતાથી ધર્મશ્રવણ વિષયક ઈતર શ્રેષાદિના તત્ત્વનો બોધ અને અબોધરૂપ ફલભેદની ઉપપતિ હોવાથી, ઈતર શુશ્રષાદિનું ભિજાતીયપણું છે એમ અવય છે. ફલભેદની ઉપપત્તિનો અર્થ સ્પષ્ટ કરે છે – નો=ભવના અનુરાગતો, અને તેના વિરાગનો જે ભેદ આત્યંતિક વૈલક્ષણ્ય, તે જ ઉપપતિ-યુક્તિ, તેના કારણે શુશ્રષાદિનો ભિન્ન સ્વભાવ છે એમ અવય છે, કેવી રીતે એક સ્વભાવવાળા બન્ને પણ શુશ્રષાદિમાં બહિરઆકારની સમતા હોતે છતે આ પ્રકારે=ભવનો અનુરાગ અને ભવનો વિરાગ એ પ્રકારે, ભેદ ઘટે? અર્થાત્ ઘટે નહિ, એથી તે શુશ્રષાદિ અન્ય સ્વભાવવાળા છે, એક સ્વભાવવાળા નથી અર્થાત્ તત્ત્વગોચર શુશ્રષાદિ ચિત્તના અવક્રગમતથી થયેલા હોવાને કારણે ભવનો અને ભવનાં કારણોનો યથાર્થ બોધ કરાવીને ભવથી વિરક્ત થવાનું કારણ બને છે અને મુગ્ધતાથી ધર્મશ્રવણ કરનારા જીવોના શુશ્રષાદિ ભવના અનુરાગને કરનારા હોવાથી તાત્વિક શુશ્રષાદિ કરતાં વિલક્ષણ શુશ્રષાદિ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ સરણયાણ ભાવાર્થ : જે જીવોને ભવથી કંઈક વૈરાગ્ય થયો છે તેઓને અભયની પ્રાપ્તિ થઈ તેના કારણે સ્વસ્થતાથી તત્ત્વને જાણવાને અભિમુખ પરિણામવાળા થાય છે, જેના બળથી સંસારના ઉચ્છેદનો માર્ગ દેખાય તેવી ચક્ષુ મળે છે અને ચક્ષુની પ્રાપ્તિ પછી ભવના ઉચ્છેદનો માર્ગ જે ચિત્તના અવક્રગમનરૂપ છે તેને પ્રાપ્ત કરે છે, ત્યારે તે જીવો તત્ત્વને જાણવાને અનુકૂળ માર્ગાનુસારી ચિત્તના અવક્રગમનથી યુક્ત ઊહ કરે છે, ત્યારપછી તેઓને વિવિદિષારૂપ શરણની પ્રાપ્તિ થાય છે, જેમ કોઈ વટેમાર્ગુને માર્ગનો બોધ હોય, તેથી ઇષ્ટ સ્થાને જવા માટે તત્પર થાય અને રસ્તામાં લુંટારા આદિથી ભય હોય ત્યારે બળવાન રક્ષકનું શરણું સ્વીકારીને તે માર્ગથી ઇષ્ટ સ્થાને જઈ શકે છે, તેમ જે જીવોને બોધ થયો કે સંસારના ઉચ્છેદ માટે મારે કષાયોનો નાશ થાય તે પ્રકારે દુષ્કતો પ્રત્યે નિંદા કરવી છે અને ગુણવાનનો પક્ષપાત કરવી છે, તેથી ચિત્ત દુષ્કતથી વિમુખ થઈને ગુણ તરફ જવાને માટે સમર્થ બને, આમ છતાં તે પ્રકારે દુષ્કતની નિંદા અને સુકૃતની અનુમોદના કરે ત્યારે પણ અંતરંગ અનાદિના મોહ સંસ્કારો સ્થિર થયેલા હોવાથી તેના ચિત્તનું ગમન તે પ્રકારે પ્રવર્તી શકતું નથી, પરંતુ વિક્ષોભને કરનારા સંસ્કારો રૂપી લુંટારાઓ તેના ચિત્તને ઇષ્ટ સ્થાને જવામાં વિઘ્ન કરે છે તે વિઘ્નના નિવારણ માટે જ દઢ પ્રણિધાનપૂર્વક મહાત્માઓ ભાવથી ભગવાનનું શરણું સ્વીકારે છે તે વખતે ભગવાનના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શવા જે અંતરંગ યત્ન સ્વરૂપ વિવિદિષા પ્રવર્તે છે તેનાથી ભગવાનના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શીને ચિત્ત કંઈક શાંતરસને પામે છે, જેથી વિદ્ગા આપાદક કુસંસ્કારો ઉસ્થિત થઈને ચિત્તના અવક્રગમનરૂપ માર્ગમાં અલના કરાવી શકતા નથી, તેથી સુરક્ષાના કારણભૂત પુરુષના શરણના બળથી લુંટારાઓથી રક્ષિત થઈને માર્ગગમન કરનાર પુરુષ ઇષ્ટ સ્થાને જઈ શકે છે તેમ ભગવાનના શરણના બળથી કે અરિહંતાદિ ચાર શરણાના બળથી મોક્ષમાર્ગમાં ચાલનાર પુરુષનું ચિત્ત અવક્રગમનપૂર્વક મોહનાશને અનુકૂળ યત્ન કરવા સમર્થ બને છે અને દુષ્કૃતની નિંદાથી આત્મામાં અનાદિથી સ્થિર થયેલા દુષ્કતના સંસ્કારોનો અને દુષ્કતજન્ય પાપોનો નાશ કરવા અને ગુણો તરફ જવા માટે સમર્થ બને છે. જ્યારે જીવમાં ભગવાનના શરણરૂપ વિવિદિષા પ્રગટે છે ત્યારે તે જીવમાં તત્ત્વગોચર આઠ પ્રજ્ઞાગુણો ક્રમસર પ્રગટે છે, જેનાથી મોહની આકુળતાવાળું જીવનું સ્વરૂપ જીવની વિડંબના છે અને મોહથી અનાકુળ જીવનું પારમાર્થિક સ્વરૂપ જીવની સુંદર અવસ્થા છે તેના રહસ્યને સ્પર્શે તેવો તત્ત્વનો અભિનિવેશ પ્રગટે છે; કેમ કે વિવિદિષા થવાને કારણે તે જીવને ભગવાનના વચનનો પરમાર્થ શું છે તેના રહસ્યને જાણવાની ઉત્કટ ઇચ્છા થાય છે, જોકે સંક્ષેપથી ભગવાનનું વચન વિધિ-નિષેધાત્મક છે, તેમાં હિંસાદિ પાંચ પાપો, ક્રોધાદિ ચાર કષાયો અને મિથ્યાત્વ હેય છે તેના ત્યાગનું વિધાન કરે છે તે ભગવાનનું વચન નિષેધાત્મક છે અને વિતરાગતાની પ્રાપ્તિને અનુકૂળ રહસ્ય પ્રાપ્ત થાય તે રીતે આગમના અધ્યયનનું વિધાન કરે છે અને અધ્યયન દ્વારા તે રીતે સંપન્ન થયા પછી ધ્યાન દ્વારા આત્માના પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાનું વિધાન કરે છે તે ભગવાનનું વચન વિધેયાત્મક છે અને તે વિધિ-નિષેધના અંગભૂત જ જીવોની ભૂમિકાના મેદથી સર્વ આચારોની વિધિ છે અને તેના રહસ્યને જાણવાની શુશ્રુષા પ્રગટે છે; કેમ કે ભગવાનના Page #61 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ ગુણોના અવલંબનથી શાંત થયેલું ચિત્ત ભગવાને બતાવેલા સૂક્ષ્મ રહસ્યને જાણીને તત્ત્વની પ્રાપ્તિનું અત્યંત અર્થી બને છે તે શુશ્રુષા છે. તે શુશ્રષાવાળા મહાત્મા તત્ત્વના બતાવનારા ઉચિત ગુરુ આદિને કે ધર્મશાસ્ત્રને પ્રાપ્ત કરીને તેનું શ્રવણ કરે છે, જેના બળથી તત્ત્વના યથાર્થ નિર્ણયને અનુકૂળ શુશ્રુષાગુણ પ્રવર્તે છે તે વખતે ઘણાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનો નાશ થાય છે; કેમ કે શુશ્રુષા ગુણકાળમાં પારમાર્થિક તત્ત્વને અભિમુખ ઇચ્છા પ્રવર્તે છે, તેથી તત્ત્વની પ્રાપ્તિમાં બાધક એવા ઘણા પાપપરમાણુઓ નાશ પામે છે, ત્યારપછી ઉપદેશના શ્રવણકાળમાં તત્ત્વનો યથાર્થ બોધ થવામાં બાધક ઘણાં જ્ઞાનાવરણીય આદિ ક્લિષ્ટ કર્મો નાશ પામે છે, વળી, ઉપદેશના શ્રવણના બળથી શાસ્ત્રના પારમાર્થિક અર્થમાત્રને ગ્રહણ કરે એવો મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે ત્યારે તેના કરતાં પણ અનંતા જ્ઞાનાવરણીય આદિ પાપપરમાણુઓ નાશ પામે છે જેના દ્વારા શાસ્ત્રના પારમાર્થિક અર્થનો બોધ થાય છે, તે બોધ કર્યા પછી પણ તે મહાત્મા તે બોધને દઢ કરવા માટે પુનઃ પુનઃ ભાવન કરીને અવિસ્મરણરૂપ કરે છે ત્યારે તત્ત્વની પ્રાપ્તિમાં બાધક અનંત જ્ઞાનાવરણીય આદિ કર્મોનો નાશ થાય છે, આ રીતે સાંભળેલા અર્થને યથાર્થ ધારણ કર્યા પછી તત્ત્વના વિષયમાં અનાભોગ, સંદેહ અને વિપર્યય વગરનો જે યથાર્થ બોધ થાય છે તે વિજ્ઞાન છે અને તે વિજ્ઞાનની પ્રાપ્તિના કાળમાં પણ સૂક્ષ્મ માર્ગાનુસારી ચિત્તનું અવક્રગમન પ્રવર્તતું હોવાથી અનંત જ્ઞાનાવરણીય આદિ ક્લિષ્ટ કર્મો નાશ પામે છે. આ રીતે શાસ્ત્રના કોઈક સ્થાનનો યથાર્થ નિર્ણય કર્યા પછી ઊહ-અપોહ કરીને તે મહાત્મા શાસ્ત્રનાં અન્ય અન્ય વચનો વિષયક પારમાર્થિક અર્થનો નિર્ણય કરવા યત્ન કરે છે, તે યત્ન કરતી વખતે ઘણાં ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. આ રીતે જ્ઞાન-ઊહ-અપોહથી તત્ત્વના નિશ્ચયરૂપ અભિનિવેશ થાય છે ત્યારે પૂર્વના ગુણોથી થયેલ નિર્જરા કરતાં પણ ઘણાં ક્લિષ્ટ કર્મો નાશ પામે છે, આ પ્રકારના પ્રજ્ઞાગુણની પ્રાપ્તિ પ્રત્યે ભગવાનનું શરણું સ્વીકારીને પ્રગટ થયેલી વિવિદિષા પ્રબળ કારણ છે; કેમ કે ભાવથી ભગવાનનું શરણું સ્વીકારવાથી વીતરાગનાં વચનો વીતરાગતાના પારમાર્થિક બોધનું કારણ બને તે પ્રકારે જ શુશ્રુષાદિ ભાવોમાં યત્ન કરાવે છે, તેથી ભગવાનના શરણના બળથી તત્ત્વવિષયક શુશ્રુષાદિ આઠ પ્રજ્ઞાના ગુણો પ્રગટે છે અને તે ગુણો ઘણાં ક્લિષ્ટ કર્મોના નાશથી ઉત્તર-ઉત્તરના પ્રજ્ઞાગુણની પ્રાપ્તિનું કારણ બને છે, આ પ્રકારના યત્નથી તત્ત્વના યથાર્થ બોધમાં બાધક જ્ઞાનાવરણીય, તત્ત્વના પારમાર્થિક સ્વરૂપની રુચિમાં બાધક દર્શનમોહનીય અને તત્ત્વને સમ્યગુ પરિણામ પમાડવામાં બાધક ચારિત્રમોહનીયરૂપ સર્વ ક્લિષ્ટ કર્મો ક્રમસર નાશ પામે છે જે ભગવાનના શરણપૂર્વક ચિત્તના અવક્રગમનનું ફળ છે. વળી, જેઓને કોઈક રીતે ધર્મબુદ્ધિ થઈ છે, તેથી ધર્મને સાંભળવાની વૃત્તિવાળા છે, શ્રવણ આદિ ક્રિયાઓ પણ કરે છે, તોપણ ભગવાનના શરણરૂપ વિવિદિષા વગર પ્રગટ થયેલા શુશ્રુષાદિથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, આથી જ મુગ્ધબુદ્ધિથી ધર્મશ્રવણના અર્થી શ્રોતાઓ ઉપદેશકો પાસે ધર્મ સાંભળવાની ક્રિયા કરે છે, તોપણ વીતરાગના પારમાર્થિક સૂક્ષ્મ સ્વરૂપને સ્પર્શીને તતુલ્ય થવાના ઉપાયરૂપે તત્ત્વશ્રવણના અર્થી થયા નથી તેઓને ઉપદેશાદિ દ્વારા તે તે બાહ્ય ક્રિયા માત્રનો બોધ થાય છે, પરંતુ કઈ રીતે ચિત્તના Page #62 -------------------------------------------------------------------------- ________________ સરણદયાણ ૩૯ અવક્રગમનપૂર્વક તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ તે પ્રકારનો વિચાર માત્ર પણ આવતો નથી, તેથી તેઓની ધર્મ સાંભળવા આદિની ક્રિયા શુશ્રુષારૂપ પ્રજ્ઞાગુણવાળી નથી, પરંતુ તદુઆભાસવાળી છે, તેથી જે શુશ્રષા આદિથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે તેના કરતાં ભિન્નજાતિવાળાં શુશ્રુષા આદિ છે. જોકે બાહ્ય રીતે તત્ત્વના અર્થી જીવો પણ ધર્મશ્રવણ કરે છે અને સ્થૂલ આચારના અર્થી જીવો પણ ધર્મશ્રવણ કરે છે, તેથી બન્ને પ્રકારના જીવોમાં વર્તતા શુશ્રુષાદિ પ્રજ્ઞાગુણો સમાન દેખાય છે, તોપણ વિવિદિષાથી પ્રગટ થયેલા શુશ્રુષાદિ ગુણો વિતરાગતાના પારમાર્થિક સૂક્ષ્મ-સૂક્ષ્મતર સ્વરૂપને જાણીને વિતરાગ થવા યત્ન કરાવે તેવા હોય છે અને જેઓ મુગ્ધતાથી ધર્મશ્રવણ કરે છે અને બાહ્ય ક્રિયા માત્રમાં જ તેઓની ધર્મબુદ્ધિ વિશ્રાંત થાય છે તેવા જીવોની શુશ્રુષા આદિ ક્રિયાઓ વીતરાગતાના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શીને વીતરાગતુલ્ય થવાને અનુકૂળ પરિણામવાળી નહિ હોવાથી અને તેઓને બાહ્ય સંગમાત્રમાં જ સુખબુદ્ધિ હોવાથી તેઓના શુશ્રુષાદિથી પણ ભવનો અનુરાગ જ પ્રગટે છે, તેથી તેઓની શુશ્રુષાદિ ક્રિયાથી પણ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી; કેમ કે શરણ વગર મોહનાશને અનુકૂળ મોક્ષમાર્ગમાં ગમન અશક્ય છે અને તેવા શરણને દેનારા ભગવાન છે એમ અન્વય છે. લલિતવિસ્તરા - संभवन्ति तु वस्त्वन्तरोपायतया तद्विविदिषामन्तरेण, न पुनः स्वार्थसाधकत्वेन भावसाराः, अन्येषां प्रबोधविप्रकर्षण प्रबलमोहनिद्रोपेतत्वात्। उक्तं चैतदन्यैरप्यध्यात्मचिन्तकैः, यदाहावधूताचार्य:- 'नाप्रत्ययानुग्रहमन्तरेण तत्त्वशुश्रूषादयः, उदकपयोऽमृतकल्पज्ञानाजनकत्वात्। लोकसिद्धास्तु सुप्तनृपाख्यानकगोचरा इवान्यार्था एवेति, विषयतृडपहार्येव हि ज्ञानं विशिष्टकर्मक्षयोपशमजं, नान्यद्, अभक्ष्यास्पर्शनीयन्यायेनाज्ञानत्वात्, न चेदं यथोदितशरणाभावे, तच्च पूर्ववद् भगवद्भ्य इति शरणं ददतीति शरणदाः।।१८।। લલિતવિસ્તરાર્થ: વળી, વસ્તુ અંતરના ઉપાયપણાથી તદ્વિવિદિષા વગર તત્ત્વની જિજ્ઞાસા વગર, સંભવે છે= શુશ્રુષાદિ સંભવે છે, પરંતુ સ્વાર્થસાધકપણાથી=પરમાર્થના પ્રાપકપણાથી, ભાવસાર શુશ્રુષાદિ સંભવતા નથી; કેમ કે અન્ય જીવોને=વસ્તુ અંતરના ઉપાયપણાથી શુશ્રુષાદિમાં પ્રવૃત જીવોને, પ્રબોધના વિપકર્ષથી-તત્વના પરિજ્ઞાન પ્રત્યે દૂરવર્તી ભાવ હોવાથી, પ્રબલ મોહનિદ્રાથી યુક્તપણું છે. અને આ=પારમાર્થિક શુશ્રષાથી અન્ય શુશ્રુષા દ્વારા તત્વજ્ઞાનનો અભાવ છે એ, અન્ય એવા પણ અધ્યાત્મચિંતકો વડે કહેવાયું છે, જેને=અન્ય શુશ્રુષા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિનું કારણ નથી એમ પૂર્વમાં કહ્યું જેને, અવધૂતાચાર્ય કહે છે – અપ્રત્યયના અનુગ્રહ વગર સદાશિવના ઉપકાર વગર, તત્ત્વશુષાદિ થતા નથી; કેમ કે પાણી-દૂધ-અમૃત કલ્પજ્ઞાનનું અજનકપણું =શ્રુતચિંતા અને ભાવના જ્ઞાનનું અજનકપણું છે, વળી, લોકમાં સિદ્ધ એવા સુવાની ઈચ્છાવાળા Page #63 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ રાજાના ક્થાશ્રવણના વિષયવાળા શુશ્રુષાદિ જેવા અન્ય અર્થવાળા જ શુશ્રુષાદિ થાય છે, हि = भे કારણથી, વિષયની તૃષાનું અપહારી જ જ્ઞાન વિશિષ્ટ કર્મના ક્ષયોપશમથી થનારું છે, અન્ય નહિ; કેમ કે અભક્ષ્ય અને અસ્પર્શનીય ન્યાયથી અજ્ઞાનપણું છે અને આ=સમ્યજ્ઞાન, યોદિત શરણના અભાવમાં નથી જ અને તે=શરણ, પૂર્વની જેમ=અભય આદિની જેમ, ભગવાનથી છે, मेथी शरराने खाये छे से शराने हेनारा भगवान छे. ॥१८॥ ४० पंरिडा : तर्हि न संभविष्यन्त्येव तत्त्वगोचरतामन्तरेण शुश्रूषादय इत्याशङ्क्याह संभवन्ति तु न न संभवन्ति, तुः पूर्वेभ्य एषां विशेषणार्थः, तदेव दर्शयति- वस्त्वन्तरोपायतया वस्त्वन्तरंतत्त्वविविदिषापेक्षया पूजाभिलाषादि, तद् उपायः - कारणं येषां ते तथा, तद्भावस्तत्ता, तया । अत एवाहतद्विविदिषामन्तरेण तत्त्वजिज्ञासां विना, व्यवच्छेद्यमाह- न पुनः = न तु, स्वार्थसाधकत्वेन भावसारा:परमार्थरूपाः । ननु कथं न स्वार्थसाधका एते ? इत्याह- अन्येषां = वस्त्वन्तरोपायतया प्रवृत्तानां, प्रबोधविप्रकर्षेण = तत्त्वपरिज्ञानदूरभावेन हेतुना, प्रबलमोहनिद्रोपेतत्वाद् = बलिष्ठमिथ्यात्वमोहस्वापावष्टब्धत्वात्। परमतेनाप्येतत्समर्थयन्नाह उक्तं च=निरूपितं च, एतत् = तदन्येभ्यस्तत्त्वज्ञानाभावलक्षणं वस्तु, अन्यैरपि = अस्मदपेक्षया भिन्नजातीयैरपि, किं पुनरस्माभिः, कैरित्याह- अध्यात्मचिन्तकैः = आत्मतत्त्वगवेषकैः, कुत इत्याह यद्-यस्मात्कारणाद् आह=उक्तवान्, अवधूताचार्यो = योगिमार्गप्रणायकः, उक्तमेव दर्शयति- न= नैव, अप्रत्ययानुग्रहं सदाशिवकृतोपकारम्, अन्तरेण=विना, तत्त्वशुश्रूषादयः उक्तरूपाः, कुत इत्याह- उदकपयोऽमृतकल्पज्ञानाजनकत्वात्, उदकं - जलं, पयः-क्षीरं, अमृतं सुधा, तत्कल्पानि, विषयतृष्णापहारित्वेन श्रुतचिन्ताभावनारूपाणि ज्ञानानि तदजनकत्वात्, तत्त्वगोचरा एव हि शुश्रूषादयो मृदुमध्याधिकमात्रावस्था एवंरूपज्ञानजनका इति । स एव इतरानवजानन्नाह- लोकसिद्धास्तु = सामान्येन लोकप्रतिष्ठिताः, तुः = पुनः शुश्रूषादयः, सुप्तनृपाख्यानगोचरा इव= यथा सुप्तस्य- शय्यागतस्य नृपस्य राज्ञो निद्रालाभार्थम् 'आख्यानविषया' शुश्रूषादयोऽन्यार्था एव भवन्ति, न त्वाख्यानपरिज्ञानार्थाः । 'इति' अवधूताचार्योक्तिसमाप्त्यर्थः । सर्वतात्पर्यमाह - विषयतृडपहार्येव हि ज्ञानम् = (विषाकार) विषयाभिलाषनिवर्त्तकमेव, हि:- यस्मात्कारणात्, ज्ञानं तत्त्वबोधः, कीदृशमित्याह - विशिष्टकर्म्मक्षयोपशमजं विशिष्टात्- मिथ्यात्वमोहविषयात् क्षयोपशमाज्जातम् । अनभिमतप्रतिषेधमाह - न= नैव, अन्यद् = विषयतृष्णानपहारि, ज्ञानमिति गम्यते, कुत इत्याहअभक्ष्यास्पर्शनीयन्यायेन प्राग्व्याख्यातेन, अज्ञानत्वात् - तत्त्वचिन्तायां ज्ञानाभावरूपत्वात्, यदि नामैवं ततः किमित्याह - न च = नैव, इदं ज्ञानं, यथोदितशरणाभावे = प्रागुदितविविदिषाविरहलक्षणे, एवमपि किमित्याहतच्च=शरणं, पूर्व्ववद्=अभयादिधर्म्मवद्, 'भगवद्भ्य' इति । । १८ ।। Page #64 -------------------------------------------------------------------------- ________________ સરણદયાણં પંજિકાર્થ : तर्हि न संभविष्य • ‘માવ་' કૃતિ ।। તોપૂર્વમાં કહ્યું કે અન્ય પ્રકારે થતી સાંભળવા આદિની ક્રિયાથી તત્ત્વજ્ઞાન થતું નથી તો, તત્ત્વની વિષયતા વગર શુશ્રુષાદિ સંભવતા નથી જ, એ પ્રકારની આશંકા કરીને લલિતવિસ્તરામાં કહે છે સંભવે છે જ, નથી સંભવતા એમ નહિ=શુશ્રૂષાદિ ગુણ તત્ત્વગોચરતા વગર પણ સંભવે છે જ, પરંતુ નથી સંભવતા એમ નહિ, તુ શબ્દ=લલિતવિસ્તરામાં રહેલો તુ શબ્દ, પૂર્વના શુશ્રૂષાદિથી આમના=તત્ત્વગોચરતા વગર થયેલા શુશ્રુષાદિતા, વિશેષણ અર્થવાળો છે=વિલક્ષણતાને બતાવવાના અર્થવાળો છે, તેને જ=તત્ત્વગોચર શુશ્રૂષા કરતાં વિલક્ષણ શુશ્રૂષાના સ્વરૂપને જ, બતાવે છે વસ્તુ અંતરરૂપ ઉપાયપણાથી વિવિદિષા વગર તે શુશ્રુષાદિ થાય એમ અન્વય છે=વસ્તુ અંતર અર્થાત્ તત્ત્વવિવિદિષાની અપેક્ષાથી પૂજાના અભિલાષાદિરૂપ વસ્તુ અંતર અર્થાત્ લોકમાં પૂજાની પ્રાપ્તિ અથવા સ્કૂલ આચારોને સેવીને તૃપ્તિની પ્રાપ્તિ કે અન્ય કોઈ અભિલાષારૂપ વસ્તુ અંતર તે ઉપાય છે અર્થાત્ કારણ છે જેઓને તે તેવા છે અર્થાત્ વસ્તુ અંતર ઉપાયવાળા શુશ્રુષાદિ છે તેનો ભાવ તે પણાથી અર્થાત્ વસ્તુ અંતરના ઉપાયપણાથી શુશ્રુષાદિ સંભવે છે એમ અન્વય છે, આથી જ કહે છે=વસ્તુ અંતરરૂપ ઉપાયપણાથી શુશ્રુષાદિ સંભવે છે આથી જ કહે છે – તેની વિવિદિષા વગર=તત્ત્વજિજ્ઞાસા વગર, સંભવે છે એમ અન્વય છે, વ્યવચ્છેદ્યને કહે છે=કેવા શુશ્રૂષાદિ થતા નથી તે રૂપ વ્યવચ્છેદ્યને કહે છે · વળી, સ્વાર્થ સાધકપણાથી ભાવસાર અર્થાત્ પરમાર્થરૂપ, શુશ્રુષાદિ થતા નથી=તત્ત્વનો સૂક્ષ્મ બોધ કરાવીને સંસારના ઉચ્છેદનું કારણ બને એવા જીવના સ્વપ્રયોજનના સાધકપણારૂપે ભાવસાર શુશ્રુષાદિ થતા નથી. – - ૪૧ ‘નનુ'થી શંકા કરે છે – કેવી રીતે સ્વાર્થના સાધક એવા આ થતા નથી ?=ઉપાયાંતરથી થનારા વિવિદિશા આદિ સ્વાર્થના સાધક કેવી રીતે થતા નથી ? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે અન્ય જીવોને=વસ્તુ અંતરના ઉપાયપણાથી પ્રવૃત્ત જીવોને=ક્તત્ત્વના નિર્ણયને અનુરૂપ શુશ્રુષાદિ કરતાં અન્ય વસ્તુના બોધના ઉપાયરૂપપણાથી પ્રવૃત્ત જીવોને, પ્રબોધનો વિપ્રકર્ષ હોવાથી=તત્ત્વપરિક્ષાનના દૂરવર્તી ભાવરૂપ હેતુ હોવાથીતત્ત્વનું પરિશાત તે શ્રવણથી ન થઈ શકે તેવા દૂરવર્તી પરિણતિવાળા હોવાથી, પ્રબલ મોહનિદ્રાથી યુક્તપણું હોવાથી=બલિષ્ઠ મિથ્યાત્વ મોહની નિદ્રાથી અવષ્ટધ્ધપણું હોવાથી=આત્માના નિરાકુળ સ્વભાવના પરમાર્થને જાણવામાં વિપર્યાસ કરાવે તેવા બલવાન મિથ્યાત્વ મોહનીય કર્મથી યુક્તપણું હોવાથી, સ્વાર્થસાધક શુશ્રૂષાદિ થતા નથી એમ અન્વય છે. - પરમતથી પણ=અન્ય દર્શનના મતથી પણ, આને સમર્થન કરતાં=વસ્તુ અંતરના ઉપાયથી પણ શુશ્રૂષાદિ થાય છે એને સમર્થન કરતાં, લલિતવિસ્તરામાં કહે છે આ=તેના અન્યથી તત્ત્વજ્ઞાનના અભાવરૂપ વસ્તુ=પારમાર્થિક શુશ્રૂષાદિ કરતાં અન્ય શુશ્રુષાદિથી તત્ત્વજ્ઞાનના અભાવરૂપ વસ્તુ, અન્ય પણ અધ્યાત્મ ચિંતકો વડે કહેવાયી છે=અમારી અપેક્ષાએ ભિન્ન જાતીવાળા આત્મતત્ત્વના ગવેષક એવા અન્યો વડે કહેવાયી છે, શું વળી, અમારા વડે ?=અમારા વડે તો કહેવાયું છે પરંતુ અન્ય વડે પણ કહેવાયું છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ લલિતવિસ્તર ભાગમ કયા વચનથી કહેવાયું છે? એથી કહે છે – જે કારણથી અવધૂત આચાર્યએ યોગીના માર્ગના પ્રણાયક એવા આચાર્યએ, કહ્યું છે, કહેલાને જ=અવધૂત આચાર્ય વડે જે કહેવાયું છે એને જ બતાવે છે – અપ્રત્યયતા અનુગ્રહ વગર=સદાશિવકૃત ઉપકાર વગર=જેમને સંસારના ક્લેશનો કોઈ પ્રત્યય નથી તેવા સદા સુખવાળા સિદ્ધોના કરાયેલા ઉપકાર વગર, ઉક્ત રૂપવાળા તત્વશુશ્રષાદિ=સિદ્ધતુલ્ય થવાનું કારણ બને તેવા તત્વના પરમાર્થને સાંભળવાની ઈચ્છા આદિ રૂપ શુશ્રષાદિ, થતા નથી જ, કયા કારણથી=સદાશિવના ઉપકાર વગર તત્વશભૂષાદિ કયા કારણથી થતા નથી ? એથી કહે છે – પાણી - સ્વાદિષ્ટ દૂધ અને અમૃત જેવા જ્ઞાનનું અજનકપણું હોવાથી સદાશિવની કૃપા વગર તત્વશુશ્રષાદિ થતા નથી એમ અવાય છે=ઉદક અર્થાત્ જલ, પયમ્ અર્થાત્ ક્ષીર, અમૃત અર્થાત્ સુધા, તતુલ્ય અર્થાત્ ઉદક આદિ સમાન વિષયતૃષ્ણાના અપહારીપણાને કારણે શ્રુત-ચિંતા-ભાવનારૂપ જ્ઞાનો તેનું અજનકપણું હોવાથી સિદ્ધ ભગવંતોના અનુગ્રહ વગર તત્વશુશ્રષાદિ થતા નથી, દિ=જે કારણથી, તત્વગોચર જ શુશ્રષાદિ મૃદુ-મધ્યમ કે અધિક માત્રાની અવસ્થાવાળા આવા સ્વરૂપવાળા જ્ઞાનના જનક છે=શ્રુત-ચિંતાદિ જ્ઞાનના જનક છે, ઈતર શુશ્રુષાદિને જાણતા તે જ અવધૂત આચાર્ય જ, કહે છે – વળી, લોકસિદ્ધ સામાન્યથી લોકમાં પ્રતિષ્ઠિત શુશ્રષાદિ, સુખ તૃપના આખ્યાતના વિષયવાળાની જેમ અન્ય અર્થવાળા જ થાય છે=જે પ્રમાણે સૂતેલા અર્થાત્ શય્યાગત રાજાના નિદ્રા લાભ માટે કથાનક વિષયવાળા શુશ્રુષાદિ અત્યાર્થવાળા જ થાય છે, પરંતુ કથાનકના પરિજ્ઞાનના અર્થવાળા નહિ, “ત્તિ' શબ્દ અવધૂત આચાર્યના કથનની સમાપ્તિવાળો છે. સર્વના તાત્પર્ય કહે છે=અવધૂત આચાર્યના કથનના તાત્પર્ય કહે છે – દિ=જે કારણથી, વિષયતૃષ્ણાનું અપહારી જ જ્ઞાન છે= અર્થાત્ જે કારણથી વિષના આકારવાળા વિષયના અભિલાષનું તિવર્તક જ જ્ઞાન અર્થાત્ તત્વબોધ છે. કેવા પ્રકારનું જ્ઞાન છે ? એથી કહે છે – વિશિષ્ટ કર્મના ક્ષયોપશમથી થનારું જ્ઞાન છે=વિશિષ્ટ એવા મિથ્યાત્વમોહના વિષયવાળા ક્ષયોપશમથી થનારું જ્ઞાન છે, અનભિમતના પ્રતિષેધને કહે છે=જે જ્ઞાન કલ્યાણ માટે અનભિમત છે તેવા જ્ઞાનના પ્રતિષેધ માટે કહે છે – અન્ય=વિષયતૃષ્ણાનું અનાહારી, જ્ઞાન નથી જ સ્થૂલથી જ્ઞાન હોવા છતાં પરમાર્થથી જ્ઞાન નથી જ, સાનં એ પ્રમાણે લલિતવિસ્તરામાં અધ્યાહાર છે તે બતાવવા માટે જ્ઞાનપતિ થતે એમ કહેલ છે, કયા કારણથી=વિષયતૃષ્ણાનો અપહાર ન થતો હોય તેવું જ્ઞાન પરમાર્થથી જ્ઞાન કયા કારણથી નથી ? એથી કહે છે – પૂર્વમાં કહેવાયેલા એવા અભક્ષ્ય અસ્પર્શતીય વ્યાયથી અજ્ઞાનપણું છે તત્વચિંતામાં જ્ઞાનના અભાવરૂપપણું છે અર્થાત્ જેમ માંસ અભક્ષ્ય છે તે પથ્થરની જેમ ભક્ષણ અયોગ્ય નથી, પરંતુ પાપજનક છે માટે ભક્ષણ અયોગ્ય છે અને ચંડાલની સ્ત્રી આકાશની જેમ સ્પર્શ ન થઈ શકે તેવી નથી, પરંતુ શિષ્યલોકને અસ્પર્શનીય છે, છતાં અભક્ષ્યનો Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ચરણદયાણ અર્થ ભક્ષણ ન થઈ શકે અને અસ્પર્શનીયનો અર્થ સ્પર્શ ન થઈ શકે તેવો બોધ અજ્ઞાનરૂપ છે તેમ જે શુશ્રષાદિથી પારમાર્થિક તત્વનો બોધ થતો નથી, પરંતુ આ અભય છે માટે ભક્ષણ ન થઈ શકે તેના જેવો વિપર્યાસવાળો બોધ છે તેમાં જ્ઞાનના અભાવરૂ૫પણું છે, જો આ પ્રમાણે છેઃવિષયતૃષ્ણાને શાંત ન કરે તેવું જ્ઞાન અજ્ઞાન છે તે પ્રમાણે છે, તેનાથી શું–તેનાથી શું પ્રાપ્ત થાય ? એને કહે છે – યથોદિત શરણના અભાવમાં=પૂર્વમાં કહેલ વિવિદિષાના વિરહરૂપ શરણના અભાવમાં, આ=જ્ઞાન= વિષયતૃષ્ણાને અપહાર કરનાર સમ્યમ્ જ્ઞાન, નથી જ, આ રીતે પણ=વિવિદિષારૂપ શરણથી વિષયતૃષ્ણાનું અપહારી જ્ઞાન થાય છે એ રીતે પણ, શું? શું પ્રાપ્ત થાય છે? એને કહે છે – અને તે=શરણ, પૂર્વની જેમ અભયાદિ ધર્મની જેમ, ભગવાથી થાય છે. ll૧૮ ભાવાર્થ વળી, કેટલાક જીવોને સર્વ કર્મ રહિત શુદ્ધ આત્મા કેવા સ્વરૂપવાળો છે અને તેની પ્રાપ્તિનો પારમાર્થિક ઉપાય શું છે તેના પરમાર્થને જાણવાને અનુકૂળ ઉત્કટ ઇચ્છારૂપ વિવિદિષા વગર શુશ્રુષાદિ ગુણો થાય છે જ. કેમ સંસારના પરિભ્રમણના ઉચ્છેદના પારમાર્થિક રહસ્યને જાણવાના ઉત્કટ અભિલાષ વગર ધર્મશાસ્ત્રને સાંભળવા આદિ પરિણામો થાય છે ? તેથી કહે છે – હું શાસ્ત્રના બોધવાળો છું' તે પ્રકારની પૂજાના અભિલાષથી, ‘હું ધર્મી છું તે પ્રકારની ખ્યાતિના અભિલાષથી કે મુગ્ધ બુદ્ધિથી ધર્મ સાંભળવાના અભિલાષા થાય છે તે સંસારના ઉચ્છેદના ઉપાયપણાથી અન્ય એવા ઉપાયપણાથી થાય છે, તેથી તેવા શુશ્રુષાદિ સર્વ ગુણો સ્વાર્થ સાધકપણાથી ભાવસાર થતા નથી; કેમ કે તત્ત્વના નિર્ણય માટે ચિત્તના અવક્રગમનરૂપ માર્ગગમનની પ્રવૃત્તિથી તે શુશ્રુષાદિ થયેલા નથી, પરંતુ બાહ્ય પદાર્થોને આશ્રયીને પ્રવર્તતા વક્ર ચિત્તના ગમનથી થયેલા શુશ્રુષાદિ છે, તેથી તે શ્રવણ આદિની સર્વ ક્રિયા યાવતુ શાસ્ત્રના શબ્દોનો સ્થૂલથી થતો યથાર્થ બોધ પોતાના પ્રયોજનનો સાધક બનતો નથી; કેમ કે તે બોધ મોહધારાની વૃદ્ધિનું જ કારણ છે. કેમ વિવિદિષા વગર તેઓને ભાવસાર શુશ્રુષાદિ થતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે – વસ્તુ અંતરના ઉપાયથી જેઓ શાસ્ત્રનું શ્રવણ આદિ કરે છે તેઓમાં તત્ત્વના પરિજ્ઞાનથી દૂરવર્તી ભાવ વર્તે છે; કેમ કે તેઓ પ્રબલ મોહનિદ્રાથી યુક્ત છે, આથી જ સંસારની વિડંબનાનો કઈ રીતે ઉશ્કેદ થાય તેના પરમાર્થને પ્રાપ્ત કરવાની ઉત્કટ જિજ્ઞાસાથી શાસ્ત્રો ભણતા નથી, ઉપદેશ સાંભળતા નથી, પરંતુ અનાદિથી બાહ્ય પદાર્થને જોનારી મૂઢ દૃષ્ટિથી જેમ ભોગાદિમાં પ્રયત્ન કર્યો તેમ શાસ્ત્રશ્રવણાદિમાં પણ મૂઢતાથી પ્રયત્ન કરે છે, તેથી તેઓ પ્રબળ મોહની નિદ્રાથી યુક્ત છે, માટે આત્મકલ્યાણનું કારણ બને તેવા શુશ્રુષાદિ થતા નથી. વળી, આ કથન અધ્યાત્મ ચિંતક અન્ય વડે પણ કહેવાયું છે તેમ બતાવીને અન્ય દર્શનના તત્ત્વના અર્થી યોગીઓ પણ પરમાર્થને જોનારા હોય છે અને તેઓ પણ વિવિદિષાને અન્ય શબ્દ દ્વારા સ્વીકારીને મોક્ષના કારણરૂપે સ્વીકારે છે અને તે વિવિદિષા ભગવાનથી થાય છે તેમ સ્વીકારે છે તે બતાવવા માટે કહે છે – Page #67 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગમ અન્ય એવા અવધૂત આચાર્ય કહે છે કે સદાશિવકૃત ઉપકાર વગર તત્ત્વશુશ્રુષાદિ થતા નથી; કેમ કે અન્ય શુશ્રુષાદિ સ્વાદુ જલ, મધુર દૂધ કે અમૃત જેવા જ્ઞાનના જનક નથી. આશય એ છે કે જેઓને સદા ઉપદ્રવ વગરના સિદ્ધ ભગવંત પ્રત્યે અત્યંત બહુમાન થયું છે અને તેના સ્વરૂપની પ્રાપ્તિની અત્યંત અર્થિતા છે તેઓને સર્વ ઉપદ્રવથી રહિત સદાશિવકૃત ઉપકાર વર્તે છે; કેમ કે તેઓનું ચિત્ત સદાશિવના ગુણથી અત્યંત વાસિત છે અર્થાત્ સિદ્ધ અવસ્થાના સ્વરૂપથી વાસિત છે, તેથી તેની પ્રાપ્તિના ઉપાયરૂપે જ તત્ત્વને શ્રવણ કરવાની ઉત્કટ ઇચ્છા આદિ ભાવો થાય છે, તેના કારણે તે શુશ્રુષાદિથી તેઓને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પ્રથમ ભૂમિકામાં શ્રુતજ્ઞાન સ્વરૂપ હોય છે, ત્યારપછી ચિંતાજ્ઞાન સ્વરૂપ થાય છે, ત્યારપછી ભાવનાજ્ઞાન સ્વરૂપ થાય છે અને આ ત્રણે જ્ઞાનો સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પ્રત્યે કારણભાવરૂપે પ્રવર્તતાં હોવાથી જીવમાં વર્તતી વિષયતૃષ્ણાનો અપાહાર કરીને જીવને અસંગભાવને અભિમુખ-અભિમુખતર કરે છે, તેથી સિદ્ધ અવસ્થાના સ્વરૂપની જિજ્ઞાસાથી તેઓ જે શાસ્ત્રઅધ્યયન કરે છે કે તત્ત્વને કહેનારા ગુરુ પાસેથી તત્ત્વનું શ્રવણ કરે છે તેનાથી તે પ્રકારના તત્ત્વને સ્પર્શનારો બોધ થાય છે, જેથી આત્માની નિરાકુળ અવસ્થા પ્રત્યે ગમનમાં ભગવાનનું વચન કઈ રીતે કારણ છે તેના પરમાર્થનો બોધ થાય છે, જે બોધથી વિકારી સુખ વિકારરૂપે દેખાય છે, નિર્વિકારી સુખ આત્માના પારમાર્થિક સુખરૂપે દેખાય છે, તે જ્ઞાનથી તેઓનું ચિત્ત સદા નિર્વિકારીભાવોને અભિમુખ યત્ન કરાવે છે જેથી વિકારી સુખરૂપ જે વિષયની તૃષ્ણા છે તે અલ્પ-અલ્પતર થાય છે, તેથી પારમાર્થિક શુશ્રુષાથી પ્રગટ થયેલ શ્રુતજ્ઞાન સ્વાદુ જળની જેમ વિષયતૃષ્ણાનો અપહાર કરે છે. વળી, તત્ત્વના અર્થી જીવોને પારમાર્થિક શુશ્રુષા આદિથી થયેલા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પછી તે શ્રતના પદાર્થ વિષયક જ સૂક્ષ્મ દૃષ્ટિથી ઊહાપોહ થાય છે, જેથી અનેક દૃષ્ટિથી વસ્તુને જોનારી નિર્મળ દૃષ્ટિરૂપ ચિંતાજ્ઞાન પ્રગટે છે, તે સ્વાદિષ્ટ મધુર દૂધ જેવું છે. જેમ તૃષાતુર માણસ સ્વાદિષ્ટ મધુર દૂધનું પાન કરે તો તૃષાનું શમન થાય છે, દેહની ધાતુઓ પુષ્ટ બને છે, તેથી સ્વાદુ જલ કરતાં પણ સ્વાદુ દૂધનું પાન અધિક ગુણકારી બને છે, તેમ ચિંતાજ્ઞાનવાળા મહાત્માઓને વિષયની તૃષ્ણા તો દૂર થાય છે, પરંતુ ચિંતાજ્ઞાનને કારણે ભાવધાતુઓ પુષ્ટ થયેલી હોવાથી વિશિષ્ટ આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને ચિંતાજ્ઞાન થયા પછી તેના પરમાર્થથી આત્મા જ્યારે અત્યંત ભાવિત થાય છે ત્યારે સર્વત્ર ભગવાનની આજ્ઞાને પ્રધાન કરે તેવું નિર્મળ જ્ઞાન પ્રગટે છે, તેથી તે ભાવનાજ્ઞાન અમૃત કહ્યું છે. જેમ અમૃત દેહવર્તી વિષનો નાશ કરીને જીવને અમર થવાનું કારણ બને છે, તેમ ભાવનાજ્ઞાન મોહવિષનો નાશ કરીને અલ્પકાળમાં અમર અવસ્થારૂપ મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. આવાં શ્રુત-ચિંતાદિ જ્ઞાનો સદાશિવના અનુગ્રહ વગર થતાં નથી; કેમ કે સિદ્ધ અવસ્થારૂપ તત્ત્વના વિષયવાળા જ શુશ્રુષાદિ પ્રથમ ભૂમિકાના હોય તો શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરાવે છે, મધ્યમ ભૂમિકાના થાય ત્યારે ચિંતાજ્ઞાન પ્રાપ્ત કરાવે છે અને ઉત્કૃષ્ટ માત્રાવાળા થાય ત્યારે ભાવનાજ્ઞાન પ્રાપ્ત કરાવે છે. વળી, અન્ય પ્રકારના શુશ્રુષાદિ કેવા છે તે દૃષ્ટાંતથી અવધૂત આચાર્ય બતાવે છે – કોઈ રાજાને Page #68 -------------------------------------------------------------------------- ________________ બોહિદયાણં ૪૫ રાજ્યની ચિંતાને કા૨ણે ઊંઘ આવતી ન હોય ત્યારે તે ચિંતાથી ચિત્તના નિવર્તન માટે શય્યામાં સૂઈને કથા કહેનારા પાસેથી કથા સાંભળે, જેથી કથાશ્રવણમાં ચિત્ત વ્યાપારવાળું થાય અને અન્ય ચિંતાનું નિવર્તન થવાથી નિદ્રાની પ્રાપ્તિ થાય, પરંતુ તે કથાના રહસ્યને પ્રાપ્ત કરવાના આશયથી કથા સાંભળતો નથી, તેમ જેઓને સત્શાસ્ત્રો કઈ રીતે સદાશિવતુલ્ય થવાનું કારણ છે તે પ્રકારની ઉત્કટ ઇચ્છારૂપ વિવિદિષા થઈ નથી તેઓ કોઈક કારણથી ધર્મશાસ્ત્રો સાંભળે છે તેનાથી તેઓને તે શાસ્ત્રોનો કંઈક બોધ થવા છતાં સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનું કારણ બને તેવો બોધ થતો નથી, માટે સૂવાની ઇચ્છાવાળા રાજાના કથાનકશ્રવણ જેવા અન્યાર્થ-વાળા જ તેઓના શુશ્રુષાદિ છે; કેમ કે વિશિષ્ટ કર્મના ક્ષયોપશમથી થયેલું જ્ઞાન જ વિષયની તૃષ્ણાને દૂર કરનાર છે, તેથી જેઓને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિના રહસ્યને જાણવાની ઉત્કટ ઇચ્છા છે તેઓને જ વિશિષ્ટ કર્મના ક્ષયોપશમથી થનારું જ્ઞાન શાસ્ત્રવચનથી પ્રગટે છે, જેનાથી વિષયની તૃષ્ણા દૂર થાય છે અને અંતરંગ સ્વાસ્થ્યની વૃદ્ધિ થવાથી સંસારઅવસ્થામાં પણ અન્ય સર્વ જીવોના સુખ કરતાં પણ અતિશયંવાળું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે. એ સિવાય શાસ્ત્રઅધ્યયનથી થનારું કે ઉપદેશના શ્રવણથી થનારું જ્ઞાન વિષય-તૃષ્ણાનું અપહારી નથી જ; કેમ કે અભક્ષ્ય અને અસ્પર્શનીય ન્યાયથી અજ્ઞાનપણું છે. જેમ કોઈ ભણેલ હોય અને તેને બોધ હોય કે જેનું ભક્ષણ ન થઈ શકે તે અભક્ષ્ય કહેવાય, જેમ પથ્થરનું ભક્ષણ થઈ શકે નહિ અને જેનો સ્પર્શ ન થઈ શકે તે અસ્પર્શનીય કહેવાય, જેમ અરૂપી એવા આકાશનો સ્પર્શ થઈ શકે નહિ, વસ્તુતઃ માંસાદિ અભક્ષ્ય છે અને ચંડાલ આદિ અસ્પર્શનીય છે તે વિશિષ્ટ અર્થમાં અભક્ષ્ય છે અને વિશિષ્ટ અર્થમાં અસ્પર્શનીય છે તેનો બોધ નહિ હોવાથી અભક્ષ્ય શબ્દથી માંસને અભક્ષ્ય સ્વીકારતો નથી અને અસ્પર્શનીય શબ્દથી ચંડાલ આદિને અસ્પર્શનીય સ્વીકારતો નથી તે તેનું અજ્ઞાન છે, તે રીતે જેઓને ાસ્ત્રઅધ્યયનથી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનું કારણ બને તેને અનુકૂળ ભાવથી અસંગ થવા માટે કઈ રીતે યત્ન કરવો જોઈએ તેના પરમાર્થનો બોધ થાય નહિ તેઓને અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી શાસ્ત્રશ્રવણ આદિથી પણ અજ્ઞાનની જ પ્રાપ્તિ છે, તેથી વિષયતૃષ્ણાનો અપહાર થતો નથી અને પૂર્વમાં વર્ણન કર્યું તેવું વિવિદિષારૂપ શરણ જેઓને પ્રાપ્ત થયું નથી તેઓને શ્રુત-ચિંતાદિ સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ નથી, માટે વિવિદિષારૂપ ભગવાનના શરણની પ્રાપ્તિથી શ્રુત-ચિંતાદિ જ્ઞાનો પ્રગટે છે અને તે શરણ અભયાદિની જેમ ભગવાનથી પ્રાપ્ત થાય છે; કેમ કે સિદ્ધ અવસ્થા પ્રત્યેની જિજ્ઞાસાથી તત્ત્વના પારમાર્થિક બોધની પ્રાપ્તિ થાય છે અને સિદ્ધ અવસ્થા એ ભગવાનનું જ પારમાર્થિક સ્વરૂપ છે, આથી જ તત્ત્વકાય અવસ્થારૂપ ભગવાનના સ્વરૂપનું ભાવન કરીને જેઓ ભાવથી ભગવાનનું શરણ ગ્રહણ કરે છે તેઓના ચિત્તમાં તે પ્રકારના કષાયોનો ઉપશમ થાય છે, જેથી વિવિદિષા પ્રગટે છે, જેના બળથી તેઓ શાસ્ત્રના રહસ્યને પ્રાપ્ત કરી શકે છે. આ રીતે શરણને દેનારા ભગવાન છે, માટે તે સ્વરૂપે પ્રસ્તુત સૂત્રથી ભગવાનની સ્તુતિ કરેલી છે. ૧૮ સૂત્રઃ વોહિયાળ ।।।। Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬. લલિતવિસ્તરા ભાગ-૧ સૂત્રાર્થ : - બધિને દેનાર ભગવાનને નમસ્કાર થાઓ. ll૧૯ll લલિતવિસ્તરા - तथा 'बोहिदयाणं'। इह बोधिः-जिनप्रणीतधर्मप्राप्तिः, इयं पुनर्यथाप्रवृत्तापूर्वाऽनिवृत्तिकरणत्रयव्यापाराभिव्यङ्ग्यमभिन्नपूर्वग्रन्थिभेदतः पश्चानुपूर्व्या प्रशमसंवेगनिदाऽनुकम्पाऽस्तिक्याभिव्यक्ति, लक्षणं तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनं; विज्ञप्तिरित्यर्थः, पञ्चकमप्येतदपुनर्बन्धकस्य यथोदितस्य, अस्य पुनर्बन्धके स्वरूपेणाभावात्, इतरेतरफलमेतदिति नियमः, अनीदृशस्य तत्त्वायोगात्, न ह्यचक्षुष्फलमभयं, चक्षुर्वाऽमार्गफलमित्यादि। एवं चोत्कृष्टस्थितेराग्रन्थिप्राप्तिमेते भवन्तोऽप्यसकृन्न तद्रूपतामासादयन्ति, विवक्षितफलयोग्यतावैकल्यात्। લલિતવિસ્તરાર્થઃ અને બોધિને દેનારા ભગવાન છે, અહીં=સંસારમાં, બોધિ ભગવાને કહેલ ધર્મની પ્રાપ્તિ છેઃ શ્રુત-વ્યાત્રિરૂપ ધર્મની પ્રાપ્તિ છે, આ=બોધિ, વળી, યથાપ્રવૃત, અપૂર્વ, અનિવૃત્તિકરણના વ્યાપારથી અભિવ્યંગ્ય અભિન્ન પૂર્વ એવી ગ્રંથિના ભેદથી થાય છે, પચ્ચાનુપૂર્વથી પ્રશમ-સંવેગ-નિર્વેદઅનુકંપા-આસિક્યની અભિવ્યક્તિ સ્વરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે=વિજ્ઞતિ છે એ પ્રકારનો અર્થ છેઃબોધિ શબ્દનો અર્થ છે, પંચક પણ આ=અભયાદિ પાંચે પણ આ, યથોદિત અપુનર્ણધક જીવને થાય છે; કેમ કે આનો=અભયાદિ પંચકનો, પુનબંધક હોતે છતે=ફરી ઉત્કૃષ્ટ સ્થિતિબંધક જીવ હોતે છતે, સ્વરૂપથી અભાવ છે, ઈતર-ઈતર ફલવાળું આ છે=પૂર્વ-પૂર્વ ઉત્તર-ઉત્તરના કાર્યવાળું આ અર્થાત્ પંચક છે, એ નિયમ છે; કેમ કે અનીદશને=ઈતર ઈતર લના અક્ષરૂપ પંચકવાળા જીવને, તત્ત્વનો અયોગ છે અભયાદિ ભાવનું અઘટન છે, અચક્ષુલવાળું અભય નથી જ અથવા અમાર્ગફલવાળી ચક્ષુ નથી જ ઈત્યાદિ. અને આ રીતે=ઈતર-ઈતર ફલવાળા અભયાદિ હોતે છતે ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને ગ્રંથિની પ્રાપ્તિ સુધી વારંવાર થતા પણ આ અભયાદિ, તદ્રુપતાને=ભાવરૂપ અભયાદિ રૂપતાને, પ્રાપ્ત કરતા નથી; કેમ કે વિવક્ષિત ફલની યોગ્યતા વિકલપણું છેઃઉત્તર-ઉત્તરના ગુણને પ્રગટ કરે તેવી યોગ્યતા વિકલપણું છે. પંજિકા :___ बोहिदयाणं। पञ्चकमपि-अभयचक्षुरादिरूपम् (अपि), आस्तां प्रस्तुता बोधिः, एतद् अनन्तरोदितम् अपुनर्बन्धकस्य उक्तलक्षणस्य, कुत इत्याह- यथोदितस्य उक्तनिर्वचनस्य, अस्य-पञ्चकस्य, पुनर्बन्धके Page #70 -------------------------------------------------------------------------- ________________ જોહિલ્યાણ अपुनर्बन्धकविलक्षणे, स्वरूपेण-स्वस्वभावेन, अभावात्, अस्यैव हेतोः सिद्ध्यर्थमाह- इतरेतरफलं= इतरस्य-पूर्वपूर्वस्य, इतरद्-उत्तरोत्तरं, फलं-कार्य, एतत्-पञ्चकम्, इति एषः, नियमो-व्यवस्था, कुत एतदित्याह- अनीदृशस्य-इतरेतराफलस्य पञ्चकस्य, तत्त्वायोगात्-तत्त्वस्य-अभयादिभावस्य, अयोगाद्अघटनात्, एतदेव भावयति- न हि-नैव, अचक्षुष्फलं नास्ति चक्षुः फलमस्य तत्तथा, अभयं धृतिः चक्षुर्वा उक्तरूपम्, अमार्गफलं-मार्गलक्षणफलरहितमिति आदि' शब्दान्मार्गोऽशरणफलः, शरणं चाबोधिપતિ यदि नामैवं ततः किम्? इत्याहएवं च-इतरेतरफलतायां च सत्याम् उत्कृष्टस्थितेः मिथ्यात्वादिगतायाः, आ-इति प्रारभ्य, ग्रन्थिप्राप्ति समयसिद्धग्रन्थिस्थानं यावद्, एते अभयादयो, भवन्तोऽपि-जायमाना अपि, असकृद्-अनेकशः, न-नैव, तद्रूपतां=भावरूपाभयादिरूपताम्, आसादयन्ति लभन्ते, कुत इत्याह- विवक्षितफलयोग्यतावैकल्यात्= विवक्षितं फलमभयस्य चक्षुः, चक्षुषो मार्गः इत्यादिरूपं, तज्जननस्वभावाभावात्। પંજિકાર્ચ - વોદિયા ..... સ્વમાવામાવાન્ બોહિદયાણ એ પ્રતીક છે, અભય-ચક્ષ આદિ રૂપ પંચક પણ, પ્રસ્તુત બોધિ દૂર રહો, અનંતર ઉદિત આ પંચક પણ, ઉક્ત લક્ષણવાળા અપુનબંધકને થાય છે. કયા કારણથી અપુનબંધકને થાય છે? એથી કહે છે – યથોદિત=પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાળા, આવો=અભયાદિ પંચકનો, અપુનબંધકથી વિલક્ષણ પ્રતિબંધક જીવમાં સ્વરૂપથી=સ્વસ્વભાવથી, અભાવ હોવાને કારણે અપુનબંધકને થાય છે એમ અવય છે, આ જ હેતુની સિદ્ધિ માટે કહે છે–પુતબંધક જીવમાં અભયાદિ પંચકનો સ્વરૂપથી અભાવ છે એ રૂપ હેતુની જ સિદ્ધિ માટે કહે છે – ઈતર ઈતર ફલવાળું પૂર્વ-પૂર્વરૂપ ઈતરનું ઉત્તર-ઉત્તરરૂપ ઈતર ફલવાળું અર્થાત્ કાર્યવાળું આ પંચક છે એ નિયમ=વ્યવસ્થા છે=પદાર્થની વ્યવસ્થા છે, કયા કારણથી આ છે=પૂર્વ-પૂર્વ ઉત્તર-ઉત્તરના ફલવાળું છે એ કયા કારણથી છે ? એથી કહે છે – અનીદશ=ઈતર-ઈતર ફલના અભાવવાળા પંચકને, તત્વનો અયોગ છે અભયાદિ ભાવરૂપ તત્વનું અઘટન છે, આને જ=ઈતર ઈતર ફલના અભાવવાળા પંચકને તત્વતો અયોગ છે એને જ, ભાવન કરે છે – અચશુકલવાળું અભય નથી જ=ચક્ષફલ છે અને તે તેવું છેઃચકલવાળું અભય છે, માટે અચકલવાળું અભય નથી જ એમ અવય છે અથવા ચક્ષsઉક્ત રૂપવાળી ચક્ષ, અમાર્ગફલવાળી તથી જ=માર્ગ સ્વરૂપ ફલ રહિત નથી જ, આદિ શબ્દથી=ઈત્યાદિમાં રહેલા આદિ શબ્દથી, માર્ગ અશરણફલવાળો નથી જ અને શરણ અબોધિફલવાળું નથી જ. જો આ પ્રમાણે છેઃઅભય આદિ ઉત્તર-ઉત્તરના ચક્ષ આદિ ફલવાળા છે એ પ્રમાણે છે, તેનાથી શું?=તેનાથી શું પ્રાપ્ત થાય ? એથી લલિતવિસ્તરામાં કહે છે – અને આ રીતે ઇતરેતર ફલતા હોતે Page #71 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ છતે=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે અભય આદિમાં ઉત્તર-ઉત્તરના ચક્ષુ આદિની લતા હોતે છતે, ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને ગ્રંથિપ્રાપ્તિ સુધી=મિથ્યાત્વાદિ ગત ૭૦ કોડાકોડી આદિ રૂપ ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને શાસ્ત્રમાં સિદ્ધ ગ્રંથિસ્થાનરૂપ અંતઃકોડાકોડીરૂપ કર્મની સ્થિતિ સુધી, અસકૃત્ આ થતા પણ= અનેક વખત અભયાદિ થતા પણ, તપતાને=ભાવરૂપ અભયાદિ રૂપતાને, પ્રાપ્ત કરતા નથી જ, કયા કારણથી ?=પ્રાપ્ત થતા અભયાદિ કયા કારણથી ભાવરૂપ અભયાદિને પ્રાપ્ત કરતા નથી ? એથી કહે છે વિવક્ષિત ફલની યોગ્યતાનું વૈકલ્ય હોવાથીઅભયનું વિવક્ષિત ફલ ચક્ષુ ચક્ષુનું વિવક્ષિત ફલ માર્ગ ઇત્યાદિ રૂપ તદ્દનન સ્વભાવનો અભાવ હોવાથી, ભાવરૂપ અભયાદિની પ્રાપ્તિ થતી નથી એમ અન્વય છે. ૪૯ ભાવાર્થ ઃ ભગવાન બોધિને આપનારા છે અને તે બોધિ ભગવાનથી પ્રણીત ધર્મની પ્રાપ્તિ સ્વરૂપ છે, તેથી ભગવાને સર્વજ્ઞ થયા પછી જે સન્માર્ગ બતાવ્યો, તે સન્માર્ગના તાત્પર્યને સ્પર્શે તેવો શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય, તે ક્ષયોપશમ સંસારના ઉચ્છેદની સૂક્ષ્મ દિશાને બતાવીને જીવને સતત સંસારના ઉચ્છેદને અનુકૂળ દૃઢ યત્ન કરાવે તેવા બોધ સ્વરૂપ છે, તેથી બોધિ પ્રાપ્તિ પછી જીવ હંમેશાં સંસારના કારણીભૂત કષાયોના શમનમાં યત્ન કરાવે તે રીતે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, જેથી તેના પ્રયત્નાનુસાર કષાયના શમનરૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તેથી શ્રુત-ચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિ સ્વરૂપ બોધિ છે અને સમ્યગ્દષ્ટિને પણ નિર્મળ શ્રુત અને અનંતાનુબંધીના ઉપશમજન્ય ચારિત્રની પ્રાપ્તિ વર્તે છે અને તે બોધિ ઉત્તર-ઉત્તરના કષાયોના ઉપશમ માટે જીવને સદા પ્રયત્ન કરાવે છે. આ બોધિ વળી, યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના વ્યાપારથી અભિવ્યંગ્ય પૂર્વમાં ભેદી નથી તેવી ગ્રંથિના ભેદથી પ્રાપ્ત થાય છે અને બોધિની પ્રાપ્તિમાં પ્રથમ આસ્તિક્યની અભિવ્યક્તિ થાય છે અર્થાત્ ભગવાનનું વચન જ સર્વ કલ્યાણનું એક કારણ છે તેવા સૂક્ષ્મ બોધપૂર્વક ભગવાનના વચનમાં સ્થિર રુચિરૂપ આસ્તિક્ય પ્રાપ્ત થાય છે, ત્યારપછી સર્વ જીવો પ્રત્યે સ્વશક્તિ અનુસાર દ્રવ્ય અને ભાવરૂપ અનુકંપા પ્રગટે છે, ત્યારપછી સંસાર પ્રત્યે અત્યંત નિર્વેદ થાય છે, ત્યારપછી મોક્ષની ઉત્કટ ઇચ્છારૂપ સંવેગ ઉત્પન્ન થાય છે અને ત્યારપછી કષાયોના શમનરૂપ પ્રશમનો પરિણામ પ્રગટ થાય છે, તેથી તત્ત્વના પારમાર્થિક અર્થના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન એ બોધિ છે, તેને વિશેષ પ્રકારની જ્ઞપ્તિરૂપ વિજ્ઞપ્તિ કહેવાય છે. તેથી એ ફલિત થાય કે અભય આદિના ક્રમથી જીવ ચિત્તના અવક્રગમનરૂપ માર્ગમાં પ્રવર્તે ત્યારે ચરમયથાપ્રવૃત્તકરણની શુદ્ધિ પ્રાપ્ત થાય છે એમ મગદયાણુંમાં કહેલ, ત્યારપછી વિવિદિષા પ્રગટે છે, જેથી ભગવાનનું શરણું ભાવથી પ્રાપ્ત થાય છે, તે ચરમયથાપ્રવૃત્તકરણનો જ શુદ્ધિવિશેષ છે, તેના બળથી જીવમાં તમોગ્રંથિના ભેદને અનુકૂળ અપૂર્વ અધ્યવસાય પ્રગટે છે, જેથી સંસારના ઉચ્છેદના પારમાર્થિક તત્ત્વને જોવામાં બાધક જે અંધકારરૂપ અજ્ઞાન હતું તે રૂપ ગ્રંથિનો ભેદ થાય છે જેનાથી અનિવૃત્તિકરણનો અધ્યવસાય પ્રગટે છે, તે સિદ્ધ અવસ્થાના પારમાર્થિક સ્વરૂપને નિર્મળ મતિથી જોઈ શકે તેવા સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરાવીને નિવર્તન પામે છે, તેથી તે અધ્યવસાયને અનિવૃત્તિકરણ કહેવાય છે, જેનાથી મોહથી Page #72 -------------------------------------------------------------------------- ________________ બોહિદયાણં ૪૯ અનાકુળ સિદ્ધના આત્માનું પારમાર્થિક સ્વરૂપ તે જીવને સ્પષ્ટ દેખાય છે જે બોધિ સ્વરૂપ છે અને અંતરંગ અસંગભાવમાં યત્ન કરવાથી જે સંયમ પ્રગટે છે તે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય છે તેમ સ્પષ્ટ દેખાય છે, તેથી બોધિની પ્રાપ્તિ પછી જીવને સિદ્ધ અવસ્થાની અત્યંત અર્થિતા થાય છે અને તેના કારણભૂત નિગ્રંથભાવની અત્યંત અર્થિતા થાય છે, તેથી બાહ્ય સંગનો ત્યાગ કરીને અંતરંગ કષાય-નોકષાયના પરિણામરૂપ સંગનો અત્યંત ઉચ્છેદ કરવા તત્પર થાય છે અને જો સમ્યક્ત્વથી પાત ન પામે તો તે જ ભવમાં કે પરિમિત ભવોમાં બાહ્ય અને અત્યંતર ગ્રંથિનો ત્યાગ કરીને અવશ્ય વીતરાગ સર્વજ્ઞ બને છે તેવા બોધિની પ્રાપ્તિ ભગવાનથી થાય છે. વળી, આ અભયાદિ પાંચની પ્રાપ્તિ અપુનર્બંધકને થાય છે; કેમ કે જે જીવમાં ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા પડી છે તેઓમાં કષાયનો અત્યંત સંક્લેશ છે, તેવા જીવોમાં અભયથી માંડીને બોધિ સુધીના પાંચેમાંથી કોઈપણ ભાવની સ્વરૂપથી પ્રાપ્તિ થતી નથી. કેમ પ્રાપ્તિ થતી નથી ? તેથી કહે છે - અભય આદિ ઉત્તર-ઉત્તરના ફલવાળા છે, તેથી જેઓને અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત થઈ છે તેઓ સ્વસ્થતાથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોવા માટે વ્યાપારવાળા થાય ત્યારે સાત ભયોથી પર થઈને અભયની પ્રાપ્તિવાળા બને છે અને તે અભયની પ્રાપ્તિ મતિજ્ઞાનના તે પ્રકારના ઉપયોગ સ્વરૂપ છે, તેનાથી ચિત્ત સંસારથી વિમુખ થઈને પરમાત્માના પારમાર્થિક સ્વરૂપને અભિમુખ પ્રવર્તે તેવો કંઈક મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે અને જો તે ઉપયોગ તે રીતે વારંવાર પ્રવર્તે તો કંઈક આવરણના ક્ષયોપશમથી તેને સિદ્ધ અવસ્થાનું કંઈક સ્વરૂપ અસ્પષ્ટ પણ દેખાય છે, જેથી તેને જોવાને અનુકૂળ ચક્ષુની તેને પ્રાપ્તિ થાય છે, તેથી અભયનું ફળ ચક્ષુ છે અને સિદ્ધ અવસ્થાનું કંઈક સ્વરૂપ જેને દેખાય તે જીવને તેની પ્રાપ્તિના ઉપાય વિષયક માર્ગનું કંઈક દર્શન થાય છે, જેથી ચિત્તના અવક્રગમનરૂપ માર્ગમાં જવાનો તે અર્થી બને છે. તે ચક્ષુના બળથી જ જ્યારે માર્ગને જોઈને માર્ગમાં જવા માટે પ્રવૃત્ત થાય છે ત્યારે ચક્ષુના ફળરૂપ માર્ગને પ્રાપ્ત કરે છે. માર્ગને પામ્યા પછી સંપૂર્ણ મોહથી અનાકુળ સિદ્ધ અવસ્થાના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે તે રીતે અવક્ર ચાલતું ચિત્ત અર્થાત્ અવક્ર રીતે જતો મતિજ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ ઊહવાળો બને છે ત્યારે માર્ગનું ફળ વિવિદિષારૂપ શરણ પ્રાપ્ત થાય છે અને ભગવાનના શરણરૂપ વિવિદિષાને પ્રાપ્ત કર્યા પછી તે જીવ સતત પ્રમાદ વગર યત્ન કરે તો ગ્રંથિભેદ કરીને બોધિને પ્રાપ્ત કરે છે, તેથી અભયાદિ ઉત્તર-ઉત્તરના ફલવાળા છે અને જેઓને ભવ પ્રત્યે તેવો વિરક્ત ભાવ થયો નથી જેથી ભવના ઉચ્છેદના ઉપાય વિષયક સૂક્ષ્મ ઊહ પ્રગટે, તેવા જીવોને અભય આદિ ઉત્તર-ઉત્તરના ફલવાળા નથી, માટે તે પારમાર્થિક અભયાદિ નથી. આનાથી એ ફલિત થાય કે જે જીવો સંસારથી વિમુખ થયા છે અને પારમાર્થિક અભયને પામ્યા છે છતાં વિશેષ સામગ્રી ન મળે અને વ્યાઘાતક સામગ્રી મળે તો તે અભય ચક્ષુનું કારણ ન બને, પરંતુ સામાન્યથી જે જીવને ભવથી વિરક્ત ભાવ થયો છે તેને ભવના ઉચ્છેદ વિષયક જિજ્ઞાસા અવશ્ય થાય છે, તેથી તેના રહસ્યને જાણવા યત્ન કરે તો ક્રમસર ઉત્તર-ઉત્તરના ચક્ષુ આદિની પ્રાપ્તિ દ્વારા આ ભવમાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. ક્વચિત્ સામગ્રી ન મળે અને વિઘાતક સામગ્રીથી પ્રગટ થયેલ અભય આદિ નાશ પામે તોપણ ફરી તે જીવો કેટલાક ભવો પછી અભય આદિને પામીને અવશ્ય ચક્ષુ આદિને પામશે અને જેઓને Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૦ લલિતવિસ્તરા ભાગ-૨ પારમાર્થિક અભય આદિ પ્રગટ થયા નથી તેવા અભયાદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને ગ્રંથિદેશ સુધી જીવ વારંવાર પ્રાપ્ત કરે છે, તો પણ અભય આદિ ચક્ષુ આદિના જનક બનતા નથી, તેથી અભય આદિ સદશ જણાય છે, પરંતુ ભાવરૂપ અભય આદિ નથી; કેમ કે કોઈક નિમિત્તથી તેવા જીવો ધર્મશાસ્ત્રશ્રવણ કરે છે, સ્વસ્થ થઈને બાહ્ય ક્રિયાઓ કરે છે તોપણ તેઓને સંગ અવસ્થા જ સાર જણાય છે અને સંગ અવસ્થાને અનુકૂળ ભાવોમાં સુખ છે, પ્રતિકૂળ ભાવોમાં દુઃખ છે તેવી સ્થિર બુદ્ધિવાળા છે, તેથી ઉત્કૃષ્ટ સંક્લેશ કરી શકે તેવી યોગ્યતા તેઓમાં પડી છે, માટે ભવથી અતીત મોક્ષના પારમાર્થિક સ્વરૂપ વિષયક જિજ્ઞાસા પણ તેઓને થતી નથી, તેથી તેઓનો સ્થૂલથી દેખાતો અભય પારમાર્થિક અભય નથી, સ્થૂલથી દેખાતી ભગવાનના વચનમાં રુચિરૂપ ચક્ષુ પારમાર્થિક ચક્ષુ નથી. આથી જ મુક્ત અવસ્થાની પારમાર્થિક રુચિ નહિ હોવાને કારણે તેની પ્રાપ્તિ વિષયક જિજ્ઞાસા પણ થતી નથી, પરંતુ આ લોકના તુચ્છ સંગો કે પરલોકના તુચ્છ બાહ્ય સંગજન્ય સુખોમાં જ તેઓને સારબુદ્ધિ વર્તે છે, તેથી શાસ્ત્રો ભણે, સૂક્ષ્મ બોધ થાય તોપણ તમોગ્રંથિને ભેદીને મોક્ષના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે તેઓ સમર્થ બને તેમ નથી; કેમ કે તેઓના અભય-ચક્ષુ આદિ ભાવો ભવના ઉચ્છેદનાં કારણ બને તેવા નથી, પરંતુ તેઓના અભયાદિ ભાવો પણ ભવના અંગભૂત ભાવો જ છે, તેથી ૭૦ કોડાકોડીથી માંડીને અંતઃકોડાકોડીરૂપ ગ્રંથિદેશ સુધી તેવા ભાવો અનેક વખત થાય છે તો પણ તે અભય આદિ ઉત્તર-ઉત્તરના ફલના કારણ નહિ હોવાથી ભાવથી અભયરૂપતા આદિને પામતા નથી. લલિતવિસ્તરા : योग्यता चाफलप्राप्तेस्तथाक्षयोपशमवृद्धिः, लोकोत्तरभावामृतास्वादरूपा, वैमुख्यकारिणी विषयविषाभिलाषस्य, न चेयमपुनर्बन्धकमन्तरेणेति भावनीयम्। इष्यते चैतदपरैरपि मुमुक्षुभिः, यथोक्तं भगवद्गोपेन्द्रेण-'निवृत्ताधिकारायां प्रकृतौ धृतिः, श्रद्धा, सुखा, विविदिषा, विज्ञप्तिरिति तत्त्वधर्मयोनयः; नानिवृत्ताधिकारायां, भवन्तीनामपि तद्रूपतायोगाद्' इति, विज्ञप्तिश्च बोधिः प्रशमादिलक्षणाभेदात्, एतत्प्राप्तिश्च यथोक्तप्रपञ्चतो भगवद्भ्य एवेति बोधि ददतीति बोधिदाः।।१९।। લલિતવિસ્તરાર્થ : અને યોગ્યતા=અભય આદિમાં ઉત્તર-ઉત્તર ફળની યોગ્યતા, આફલપ્રાપ્તિ સુધી તે પ્રકારના ક્ષયોપશમની વૃદ્ધિ છેત્રફલને અનુકૂળ ક્ષયોપશમભાવની વૃદ્ધિ છે, લોકોતર ભાવ અમૃતના આસ્વાદનરૂપ છે, વિષયરૂપી વિષના અભિલાષના વૈમુખ્યને કરનારી છે અને આ તેવા પ્રકારના ક્ષયોપશમભાવની વૃદ્ધિ, અપુનબંધક વગર નથી એ પ્રમાણે ભાવન કરવું જોઈએ. અને આ=અભય આદિ, બીજા પણ મુમુક્ષઓ વડે ઈચ્છાય છે, જે પ્રમાણે ભગવાન ગોપેન્દ્ર વડે કહેવાયું છે – નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા, વિજ્ઞપ્તિ Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૧ બોહિયાણ એ તત્ત્વધર્મની યોનિઓ પ્રાપ્ત થાય છે, કેમ કે અનિવૃત્ત અધિકારવાળા જીવોમાં થતાની પણ=પૃતિ આદિ થતાની પણ, તદ્રુપતાનો અયોગ છે અને વિજ્ઞતિ બોધિ છે; કેમ કે પ્રશમાદિ લક્ષણની સાથે અભેદ છે અને આની પ્રાપ્તિ વૃતિ આદિની પ્રાપ્તિ, પૂર્વમાં કહેવાયેલા પ્રપંચથી=પૂર્વમાં કહેવાયેલા વિસ્તારથી, ભગવાનથી જ છે, એથી બોધિને આપે છે, એથી બોધિને દેનારા भगवान छे. ||१|| पंनिया: योग्यतामेवाहयोग्यता च-प्रागुपन्यस्ता अभयादीनाम् आफलप्राविधिक्षदिनप्राप्तिं यावत्, तथा फलानुकूला, क्षयोपशमवृद्धिः स्वावारककर्मक्षयविशेषवृद्धिः, लोकोत्तरभावामृतास्वादरूपा-लोकोत्तरभावाः विहितौदार्यदाक्षिण्यादयः, त एव अमृतं-सुधा, तदास्वादरूपा; अत एव वैमुख्यकारिणी-विमुखताहेतुः, विषयविषाभिलाषस्य-विषाकारविषयवाञ्छारूपस्येति, ततः किमित्याह- न च-नैव, इयम् उक्तरूपा क्षयोपशमवृद्धिः, अपुनर्बन्धकं पापं न तीव्रभावात् करोती'त्यादि लक्षणम्, अन्तरेण विना, अन्यस्य भवबहुमानित्वात्, ततः किमित्याह- इति एतद्, भावनीयं यदुत- पञ्चकमप्येतदपुनर्बन्धकस्येति हेतुं, स्वरूपं, फलं चापेक्ष्य विचारणीयम्। परमतसंवादेनाप्याह... इष्यते च एतद्-अभयादिकम्, अपरैरपि जैनव्यतिरिक्तैः (अपि) मुमुक्षुभिः कथमित्याह- यथोक्तं यस्मादुक्तं, भगवद्गोपेन्द्रेण-भगवता परिव्राजकेन गोपेन्द्रनाम्ना, उक्तमेव दर्शयति- निवृत्ताधिकारायां व्यावृत्तपुरुषाभिभवलक्षणस्वव्यापारायां, प्रकृतौ सत्त्वरजस्तमोलक्षणायां, ज्ञानावरणादिकर्मणीत्यर्थः, 'धृतिः श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरित्येता' यथाक्रममभयाद्यपरनामानः तत्त्वधर्मयोनयः पारमार्थिककुशलोत्पत्तिस्थानानि, भवन्तीति। व्यवच्छेद्यमाह- नानिवृत्ताधिकारायां प्रकृताविति गम्यते, कुत इत्याह- भवन्तीनामपि धृत्यादिधर्मयोनीनां, कुतोऽपि हेतोः प्रकृतेरनिवृत्ताधिकारत्वेन, तद्रूपताऽयोगात् तात्त्विकधृत्यादिस्वभावाभावाद्, 'इतिः' परोक्तसमाप्त्यर्थः, एवमपि किमित्याह-विज्ञप्तिश्च-पञ्चमी धर्मयोनिः बोधिः जिनोक्तधर्मप्राप्तिः, कुत इत्याह- प्रशमादिलक्षणाभेदात्-प्रशमसंवेगादिभ्यो लक्षणेभ्योऽभेदाद, अव्यतिरेकाद्विज्ञप्तेः।।१९।। निमार्थ :__योग्यतामेवाह ..... अव्यतिरेकाद्विज्ञप्तेः ।। योग्यताने समयमा तती या मालिनी योग्यताने જ, કહે છે – અને અભય આદિની પૂર્વમાં કહેલી યોગ્યતા=અભય આદિમાં ચક્ષ આદિની યોગ્યતા છે એમ પૂર્વમાં કહ્યું તે યોગ્યતા, ફલપ્રાપ્તિ સુધી=ચક્ષુ આદિના ફળની પ્રાપ્તિ સુધી, તે પ્રકારે ક્ષયોપશમની વૃદ્ધિ =ફળને અનુકૂળ સ્વ-આવારક કર્મના ક્ષયવિશેષની વૃદ્ધિ છે=અભય આદિ જે પ્રાપ્ત થાય તે ચક્ષુ આદિની પ્રાપ્તિનું કારણ ન બને ત્યાં સુધી પણ સતત અભયના આવારક કર્મના Page #75 -------------------------------------------------------------------------- ________________ પર લલિતવિસ્તરા ભાગ-૨ ક્ષયોપશમની વૃદ્ધિ થાય તેવી અભય આદિમાં યોગ્યતા છે, લોકોત્તર ભાવ અમૃતના આસ્વાદરૂપ છેઃ સેવાયેલા ઔદાર્ય દાક્ષિણ્ય આદિ જે લોકોત્તર ભાવો છે તે જ અમૃત અથત સુધા તેના આસ્વાદનરૂપ છે, આથી જ=લોકોત્તર ભાવરૂપ અમૃતનું આસ્વાદન છે આથી જ, વિષયરૂપી વિષના અભિલાષના વિષના સ્વરૂપવાળા જે વિષયો તેની ઈચ્છારૂપ અભિલાષના, વૈમુખ્ય કરનારી છે=અભયાદિમાં વર્તતી ચક્ષુ આદિની યોગ્યતા વિમુખતાનો હેતુ છે, તેથી શું અભય આદિમાં યોગ્યતા તથાલયોપશમની વૃદ્ધિ આદિ રૂપ છે તેથી શું પ્રાપ્ત થાય ? એને કહે છે – આaઉક્તરૂપવાળી ક્ષયોપશમની વૃદ્ધિ અપુતબંધક વગર=પાપ તીવ્રભાવથી કરે નહિ ઈત્યાદિ લક્ષણવાળા અ૫નબંધક વગર, નથી જ, કેમ કે અન્યનું અપુનબંધક દશા પામ્યા નથી તેવા જીવોનું, ભવબહુમાનીપણું છે=ભવમાં વર્તતા અનુકૂળ સંયોગ માત્રમાં સારી બુદ્ધિપણું છે, તેનાથી શું?=અપુતબંધક વગર ઉક્તરૂપવાળી ક્ષયોપશમની વૃદ્ધિ નથી તેનાથી શું? એથી કહે છે – આ ક્ષયોપશમની વૃદ્ધિ અપુનબંધક વગર નથી એ, ભાવન કરવું જોઈએ, તે ભાવનને જ ધુતથી સ્પષ્ટ કરે છે – પંચક પણ આ અભયાદિ પંચક પણ આ, અપુનબંધકને છે એ પ્રમાણે હેતુ, સ્વરૂપ અને ફલની અપેક્ષાએ વિચારવું જોઈએ=ચક્ષનો હેતુ અભય છે માર્ગનો હેતુ ચક્ષુ છે એ રૂપ હેતુને ભાવરૂપ અભયના સ્વરૂપને ભાવરૂપ ચક્ષુના સ્વરૂપને ભાવરૂપ માર્ગના સ્વરૂપ અને અભયનું ફલ ચક્ષુ છે ચક્ષનું ફલ માર્ગ છે એ રૂપ ફલની અપેક્ષા રાખીને વિચારણા કરવી જોઈએ, જેથી પારમાર્થિક અભય આદિના સ્વરૂપનો બોધ થાય અને તેવા સ્વરૂપને દેનારા ભગવાન છે તે રૂપે સ્તુતિ કરવાથી તે સ્તુતિના બળથી પોતાનામાં પણ પારમાર્થિક અભય આદિની પ્રાપ્તિ થાય. પરમતતા સંવાદનથી પણ કહે છે અપુતબંધક જીવોના અભય આદિમાં તે પ્રકારના ક્ષયોપશમભાવની વૃદ્ધિની યોગ્યતા છે એને પરમતના સંવાદનથી પણ કહે છે – અને બીજાઓ વડે પણ=જેનાથી વ્યતિરિક્ત એવા બીજા મુમુક્ષુઓ વડે પણ, આ=અભયાદિ, ઈચ્છાય છે. કેવી રીતે બીજાઓ વડે અભયાદિ ઈચ્છાય છે? એને કહે છે – જે કારણથી ભગવાન ગોપેન્દ્ર વડે=ભગવાન ગોપેન્દ્ર નામના પરિવ્રાજક વડે, જે પ્રમાણે કહેવાયું છે. કહેવાયેલાને જ=ગોપેન્દ્ર વડે કહેવાયેલા વચનને જ, બતાવે છે – નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે=વ્યાવૃત થયો છે પુરુષના અભિભવ સ્વરૂપ સ્વવ્યાપાર જેવો એવી સત્વ-રજ-તમોરૂપ અર્થાત જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપ પ્રકૃતિ હોતે છતે, ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા, વિજ્ઞતિ એ અનુક્રમે અભય આદિ અપર નામવાળી તત્વધર્મની યોનિઓ=પારમાર્થિક કુશલ ઉત્પત્તિનાં સ્થાનો, થાય છે=જીવમાં પ્રગટ થાય છે, વ્યવચ્છેદ્યને કહે છે =કેવા પ્રકારના વૃતિ આદિ તત્વધર્મની યોનિ નથી તે રૂપ વ્યવચ્છેદ્યને કહે છે – અનિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે વૃતિ આદિ થતા નથી એમ અવય છે, લલિતવિસ્તરામાં પ્રવૃત્તો એ અધ્યાહાર છે તે બતાવવા માટે પ્રસ્તાવિતિ વ્યક્તિ એમ કહેલ છે, કયા કારણથી ?=અનિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે કયા કારણથી વૃતિ આદિ ધર્મ યોતિઓ થતી નથી ? એથી કહે છે – પ્રકૃતિના અનિવૃત્ત અધિકારપણાને કારણે કોઈક પણ હેતુથી Page #76 -------------------------------------------------------------------------- ________________ બોદિયાણ પર થતી પણ વૃતિ આદિ ધર્મયોનિઓની તદ્રુપતાનો અયોગ હોવાથી તાત્વિક વૃતિ આદિના સ્વભાવનો અભાવ હોવાથી, પારમાર્થિક તત્વધર્મની યોનિઓ થતી નથી એમ અત્રય છે, રતિ શબ્દ પર વડે કહેવાયેલા કથનની સમાપ્તિના અર્થવાળો છે, આ રીતે પણ શું ?અભય આદિ ઉત્તર-ઉત્તરના લવાળા છે એ રીતે પણ શું પ્રાપ્ત થાય ? એથી કહે છે – વિજ્ઞપ્તિ=પાંચમી ધર્મયોતિ, બોધિ છે= અન્ય દર્શનવાળા જે વિજ્ઞપ્તિરૂપ પાંચમી ધર્મયોનિ કહે છે તે ભગવાને કહેલા ધર્મની પ્રાપ્તિરૂપ બોધિ છે, કયા કારણથી ?–અવ્ય દર્શનવાળા જે વિન્નતિ કહે છે તે કયા કારણથી બોધિ છે? એથી કહે છે – પ્રશમાદિ લક્ષણનો અભેદ હોવાને કારણે વિજ્ઞપ્તિનો પ્રથમ-સંવેગ આદિ લક્ષણોથી અભેદ હોવાને કારણે અર્થાત્ અવ્યતિરેક હોવાને કારણે, વિજ્ઞપ્તિ બોધિ છે એમ અવય છે. ll૧૯iા ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે અભય આદિ પંચકમાં ઇતર ઇતરના ફલની યોગ્યતા છે તે યોગ્યતા કેવા પ્રકારની છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જે જીવોને ભવના વૈરાગ્યને કારણે અભયની પ્રાપ્તિ થાય છે તેઓને ચક્ષુરૂપ ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે અભયમાં તે પ્રકારના ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે, તેથી તે અભય જ પૂર્વ પૂર્વ કરતાં અતિશય અતિશયતર થાય છે અને ચક્ષુરૂપ ફળની પ્રાપ્તિ થયા પછી પણ અભય ઉત્તરોત્તર વૃદ્ધિ જ પામે છે. વળી, અભયના બળથી ચક્ષુ મળે છે તે ચક્ષુ પણ સિદ્ધ અવસ્થાની કંઈક રુચિ સ્વરૂપ છે તેના દ્વારા ચિત્તના અવક્રગમનરૂપ માર્ગની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તત્ત્વને જોનારી નિર્મળ દૃષ્ટિ જે અલ્પ પ્રાપ્ત થઈ છે તે પણ માર્ગની પ્રાપ્તિને અનુકૂળ ઉત્તર-ઉત્તરના ક્ષયોપશમભાવની વૃદ્ધિને પામે છે અને તે વૃદ્ધિ પામતી ચક્ષુ પણ માર્ગની પ્રાપ્તિ પછી નાશ પામતી નથી, પરંતુ ભગવાનના પ્રસાદથી પ્રાપ્ત થયેલ અભય અને તત્ત્વરુચિ રૂપ ચક્ષુથી સહિત ચિત્તના અવક્રગમનરૂપ માર્ગમાં જીવ ગમન કરે તેવો ક્ષયોપશમ પ્રગટે છે અને તે માર્ગગમન પણ સતત અધિક અધિક જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષયોપશમના બળથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે, જેના ફળરૂપે વિવિદિષારૂપ શરણની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ અભય, ચહ્યું અને ચિત્તના અવક્રગમનરૂપ માર્ગથી સહિત વિવિદિષામાં ઉત્તરોત્તર યત્ન થાય છે અને વિવિદિષાનો પણ તે પ્રકારનો ક્ષયોપશમ સતત વૃદ્ધિ પામીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા બોધિને પ્રાપ્ત કરાવે છે, અને તે બોધિની પ્રાપ્તિ પણ સતત ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષપકશ્રેણી તરફ જીવ જાય તે પ્રકારે ક્ષયોપશમભાવની વૃદ્ધિ કરાવે છે, તેથી અભય આદિમાં વર્તતી યોગ્યતા ફલપ્રાપ્તિ સુધી ફલને અનુકૂળ ક્ષયોપશમભાવની વૃદ્ધિવાળી છે. વળી, અભય આદિમાં વર્તતી તે પ્રકારની ક્ષયોપશમની વૃદ્ધિ લોકોત્તર ભાવરૂપ અમૃતના આસ્વાદન સ્વરૂપ છે અર્થાત્ સંસારી જીવોને જે ભોગસુખોનું આસ્વાદન પ્રાપ્ત થાય છે તે લૌકિક ભાવો સ્વરૂપ છે, પરંતુ અભયાદિ ભાવોમાં વર્તતી યોગ્યતા અનાદિકાળમાં ક્યારેય પ્રાપ્ત થઈ નથી તેવા લોકોત્તર ભાવરૂપ અમૃતના આસ્વાદન જેવી છે જેના કારણે તે જીવોમાં વિશેષ પ્રકારનું ઔદાર્ય-દાક્ષિણ્ય આદિ ભાવો જે Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૪ લલિતવિસ્તાર ભાગ-૧ પ્રકારે શાસ્ત્રમાં વિહિત છે તેવા પ્રકારના પ્રગટ થાય છે, તેના કારણે પ્રશમસુખનો કંઈક અનુભવ થાય છે, તેથી તે ભાવો અમૃતના આસ્વાદન જેવા છે. વળી, અભય આદિમાં વર્તતી યોગ્યતા આત્મામાં જે વિષયરૂપી વિષનો અભિલાષ છે=વિષના આકારવાળા જે વિષયો છે તેની ઇચ્છાનો વિમુખભાવ કરાવે છે, જેમ વિવેકી જીવોને વિષ ખાવાની ઇચ્છા થાય નહિ તેમ નિર્મળ ક્ષયોપશમને કારણે અભયાદિ પરિણામવાળા જીવોને વિષયો વિષના વિકારને પ્રગટ કરનારા છે તેવું દેખાય છે એથી તેઓને વિષયોથી વિમુખભાવ થાય છે અને આવો વિમુખભવ અપુનબંધક અવસ્થા વગર સંભવી શકે નહિ; કેમ કે અપુનબંધક અવસ્થા પૂર્વના જીવોને ભવમાં બહુમાન વર્તે છે, તેથી ભવથી અતીત અવસ્થા પ્રત્યે તેઓ ક્યારે પણ સન્મુખ થતા નથી, પરંતુ ક્યારેક ધર્મની પ્રવૃત્તિ કરે છે તોપણ બાહ્ય પદાર્થના શ્રેષ્ઠ સંગવાળા ભવ માટે જ કરે છે, જ્યારે અપુનબંધક દશા પામેલા જીવોને ભવનો સંગ કંઈક અલ્પ થયો છે, તેથી ભવથી અતીત અવસ્થાને અભિમુખ ભાવોવાળા થાય તેવા અભયાદિને પ્રાપ્ત કરે છે. વળી, આ અભયાદિ પાંચે હેતુ, સ્વરૂપ અને ફલથી વિચારવા જોઈએ અર્થાત્ અભય કેવા સ્વરૂપવાળો છે, અભય કઈ રીતે ચક્ષુના ફલવાળો છે તેનો વિચાર કરવો જોઈએ અને ચક્ષુનો હેતુ અભય કઈ રીતે છે, ચક્ષુનું સ્વરૂપ કેવું છે અને ચક્ષુનું ફળ કઈ રીતે માર્ગની પ્રાપ્તિ છે અને ઉત્તર-ઉત્તરની પ્રાપ્તિમાં પૂર્વ પૂર્વના અભયાદિ અનિવૃત્તિરૂપે રહે છે અને મોક્ષપ્રાપ્તિ સુધી અથવા વીતરાગતાની પ્રાપ્તિ સુધી આ સર્વ ભાવો કઈ રીતે જીવમાં વર્તે છે અને તેની પ્રાપ્તિ પ્રત્યે ભગવાન કઈ રીતે કારણ છે તેનું સૂક્ષ્મ બુદ્ધિથી આલોચન કરવું જોઈએ, જેથી અભય આદિને દેનારા ભગવાન છે તેમ કહેવાથી શબ્દમાત્રથી અભયાદિની ઉપસ્થિતિ ન થાય, પરંતુ જે પ્રકારે અભય આદિનું સૂક્ષ્મ સ્વરૂપ પોતે જોઈ શકે છે તેવા અભય આદિને દેનારા ભગવાન છે તે પ્રકારની ઉપસ્થિતિ થવાથી ભગવાનના પારમાર્થિક અભય આદિ ભાવોને દેનારા સ્વરૂપથી સ્તુતિ કરીને વિપુલ નિર્જરાની પ્રાપ્તિ થાય. વળી, અભય આદિની પ્રાપ્તિ થાય છે એ કથન ભગવાન ગોપેન્દ્રઋષિ પણ કહે છે. ગોપેન્દ્રઋષિ શું કહે છે ? તે બતાવે છે – આત્મા ઉપર જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિ ગાઢપણે વર્તે છે. તે પ્રકૃતિઓ સતત પુરુષનો અભિભવ કરે છે, તેથી પુરુષ સુખનો અર્થી હોવા છતાં સુખના ઉપાયમાં યત્ન કરીને વર્તમાનમાં પણ સુખી થતો નથી અને આગામીકાળમાં પણ સુખને પ્રાપ્ત કરતો નથી, પરંતુ હંમેશાં ક્લિષ્ટ કર્મોથી અભિભવ પામીને સંસારના પરિભ્રમણના અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે અને જ્યારે તે જ્ઞાનાવરણીય આદિ કર્મોની પ્રકૃતિનો અધિકાર કંઈક અંશથી જીવ ઉપરથી નિવર્તન પામે છે ત્યારે ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિરૂપ તત્ત્વધર્મની યોનિઓ પ્રગટ થાય છે એમ ગોપેન્દ્રઋષિ કહે છે. તેનાથી એ ફલિત થાય કે જીવ ઉપરથી કર્મોનું પ્રાચર્ય ઘટે ત્યારે જીવ અપુનબંધક થાય છે અને સિદ્ધ અવસ્થાને અભિમુખ કંઈક વિચારણા કરે તેવા ધૃતિ આદિ ભાવો થાય છે, જે અભયાદિ સ્વરૂપ જ છે. માટે મોક્ષના અર્થે વિચાર કરનારા સર્વદર્શનકારોને અભય આદિ પાંચ અન્ય શબ્દોથી અભિમત જ છે અને જેઓ Page #78 -------------------------------------------------------------------------- ________________ પપ બોલિથાણું ઉપરથી કર્મના અભિભવનો અધિકાર ગયો નથી તેવા જીવો ક્યારેક ધૃતિપૂર્વક સંયમની ક્રિયાઓ કરતા હોય, શાસ્ત્રઅધ્યયન કરતા હોય તોપણ ભવ પ્રત્યે તીવ્ર રુચિવાળા હોવાથી તેઓમાં દેખાતા ધૃતિ, શ્રદ્ધા આદિ ભાવો પારમાર્થિક વૃતિ આદિ સ્વભાવવાળા નથી, આથી જ કેટલાક જીવોને શાસ્ત્રઅધ્યયનથી બોધ થાય છે તો પણ તેઓની વિષયની તૃષ્ણા જતી નથી, તેઓના કષાયોનો નાશ થતો નથી, પરંતુ માત્ર તે તે બાહ્ય પ્રવૃત્તિઓ કરીને તુચ્છ ઐહિક સુખમાં જ સ્થિરસુખની બુદ્ધિવાળા તેઓનું જ્ઞાન પણ આત્મકલ્યાણનું કારણ બનતું નથી; કેમ કે વિજ્ઞપ્તિ એ બોધિસ્વરૂપ છે અને બોધિ પ્રશમાદિ લક્ષણવાળું છે, તેથી જેઓને શાસ્ત્રનો પારમાર્થિક બોધ થયો છે તેનું ચિત્ત સદા પ્રશમાદિ ભાવોની વૃદ્ધિને અનુકૂળ જ યત્નવાળું હોય છે, આથી જ કોઈ યોગ્ય જીવ પૂર્વમાં માંસાહાર આદિ અતિ વ્યસનવાળો હોય છતાં કોઈક નિમિત્તને પામીને અભય આદિના ક્રમથી બોધિને પ્રાપ્ત કરે ત્યારે તે મહાત્માને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા મુનિનું પારમાર્થિક સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે અને તે વર્તમાનમાં સુખરૂપ છે, આગામીકાળમાં સુખની પરંપરાનું એક કારણ છે તેવો સ્થિર નિર્ણય થાય છે, તેથી પોતાનામાં તીવ્ર કામાદિ વિકારો હોય તોપણ તે મહાત્મા સદા તેવા મુનિના સ્વરૂપનું ભાવન કરીને વિષયોની તૃષ્ણા શમાવવા યત્ન કરે છે; કેમ કે અનંતાનુબંધીના ઉપશમજન્ય પ્રશમનો પરિણામ તેને મુનિભાવના પારમાર્થિક પ્રશમની ઉત્કટ ઇચ્છા ઉત્પન્ન કરે છે અને પૂર્વમાં વિસ્તારથી વર્ણન કર્યું તે રીતે આવા અભય આદિની પ્રાપ્તિ ભગવાનથી જ થાય છે, માટે ભગવાન બોધિને દેનારા છે. ll૧૯ll લલિતવિસ્તરા : एवमभयदानचक्षुर्दानमार्गदानशरणदानबोधिदानेभ्य एव यथोदितोपयोगसिद्धरुपयोगसम्पद एव દેતુસમ્પતિ (પ. સંપ) લલિતવિસ્તરાર્થ: આ રીતે પ્રસ્તુત સંપદામાં વર્ણન કર્યું એ રીતે, અભયદાન, ચક્ષુદાન, માર્ગદાન, શરણદાન અને બોલિદાનથી જ યથા ઉદિત ઉપયોગની સિદ્ધિ હોવાથી જે પ્રમાણે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે ભગવાનના ઉપયોગની સિદ્ધિ હોવાથી, ઉપયોગસંપદાની જ હેતુસંપદા છે. સંપદા-પો ભાવાર્થ : પ્રસ્તુત સંપદામાં અભયથી માંડીને બોધિ સુધી વર્ણન કર્યું એ પ્રમાણે ભગવાનથી અભયદાન, ચક્ષુદાન, માર્ગદાન, શરણદાન અને બોધિદાન જીવોની યોગ્યતા અનુસાર પ્રાપ્ત થાય છે, તેથી પ્રસ્તુત સંપદાથી પૂર્વની સામાન્ય ઉપયોગસંપદા લોકોત્તમત્વાદિ પાંચ પદો દ્વારા બતાવી તે ઉપયોગસંપદાની સિદ્ધિ અભયદાનાદિથી થાય છે, જો ભગવાનથી અભયદાનાદિની પ્રાપ્તિ થતી ન હોય તો સંસારી જીવોને ભગવાનનો કોઈ ઉપયોગ પ્રાપ્ત થાય નહિ અને ભગવાનથી અભયાદિની પ્રાપ્તિ થાય છે, માટે ઉપયોગસંપદાની જ અભયદાનાદિ સંપદા હેતુસંપદા છે. સંપદા-પા Page #79 -------------------------------------------------------------------------- ________________ પક. લલિતવિસ્તરા ભાગ-૨ અવતરણિકા - सद्देशनायोग्यताविधाय्यनुग्रहसम्पादनादिना तात्त्विकधर्मदातृत्वादिप्रकारेण परमशास्तृत्वसम्पत्समन्विता भगवन्त इति न्यायतः प्रतिपादयन्नाह- 'धम्मदयाण मित्यादिसूत्रपञ्चकम् - અવતરણિયાર્થ: સદેશનાની યોગ્યતાને કરનાર એવા અનુગ્રહના સંપાદન આદિથી તાત્વિક ઘર્મદાતૃત્વ આદિ પ્રકારથી પરમ શાસ્તૃત્વ સંપદાથી સમન્વિત ભગવાન છે એ પ્રકારના વાયથી પ્રતિપાદન કરતાં-એ પ્રકારની યુક્તિથી પ્રતિપાદન કરતાં, ગ્રંથકારશ્રી ધમ્મદયાણ ઈત્યાદિ સૂત્રપંચને કહે પંજિકા - 'सद्देशनेत्यादि', इदमत्र हृदयम्-सद्देशनाया योग्यताया विधायिनो अनुग्रहस्य' स्वविषये बहुमानलक्षणस्य प्राक् सम्पादनेन, 'आदि'शब्दात् तदनु सद्देशनया, यत् तात्त्विकधर्मस्य दातृत्वम्, 'आदि'शब्दात् परिपालनं, तेन, परमया भावरूपया, शास्तृत्वसम्पदा-धर्मचक्रवर्तित्वरूपया, समन्विताः सङ्गता युक्ता भगवन्त, इति यथाक्रमं सूत्रपञ्चकेन प्रतिपादयन्नाहપંજિકાર્ય : “સંદેશનેત્યાતિ' પ્રતિપવિત્રદા સદેશના ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આ=આગળ કહે છે એ, અહીં=પ્રસ્તુત અવતરણિકામાં, હદય છે= તાત્પર્ય છે, સદેશવાની યોગ્યતા કરનારા અનુગ્રહતું સ્વવિષયમાં બહુમાન સ્વરૂપ અનુગ્રહતું=ભગવાનની દેશનાના વિષયમાં બહુમાનરૂપ અનુગ્રહનું, પૂર્વમાં સંપાદન કરવાથી ભગવાન તાત્વિક ધર્મના દાતા છે એમ અવય છે, આદિ શબદથી=અનુગ્રહ સંપાદનાદિમાં રહેલા આદિ શબ્દથી, ત્યારપછી=સદેશનાને યોગ્ય જીવોનો અનુગ્રહ કર્યા પછી સદેશના વડે જે તાત્વિકધર્મનું દાતૃપણું છે=સદેશના વડે ભગવાનનું જે પારમાર્થિક ધર્મનું દાતાપણું છે, આદિ શબ્દથી તાત્વિક ધર્મના દાતૃત્વાદિમાં રહેલા આદિ શબ્દથી, પરિપાલન છે તાત્વિકધર્મના દાન પછી પ્રગટ થયેલા તાત્વિકધર્મનું પરિપાલન છે, તેના કારણે પરમ શાસ્તૃત્વ સંપદા સમન્વિત ભગવાન છેઃ ભાવરૂપ ધર્મચક્રવર્તિત્વરૂપ પરમ શાસ્તૃત્વ સંપદાથી યુક્ત ભગવાન છે, એ પ્રમાણે યથાક્રમ સૂત્રપંચક વડે પ્રતિપાદન કરતાં કહે છે=ધમ્મદયાણં પદથી ગ્રંથકારશ્રી કહે છે. ભાવાર્થ - ભગવાન જ્યારે સાક્ષાત્ વિચરે છે ત્યારે ભગવાનની યોગમુદ્રાને જોઈને અને ભગવાનની તથા પ્રકારના પુષ્યજન્ય બાહ્ય સમૃદ્ધિને જોઈને ઘણા યોગ્ય જીવોમાં ક્લિષ્ટ કર્મોના ક્ષયોપશમજન્ય સદેશનાને સ્પર્શી શકે તેવા ભાવો થાય છે, જે સદ્ધર્મની દેશનાની યોગ્યતાને કરનાર અનુગ્રહનું સંપાદન છે, તેથી તેવા યોગ્ય Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૭ ધમ્મદયાણ જીવોને ભગવાનના વિષયમાં બહુમાન થાય છે. ત્યારપછી ભગવાન દેશના આપે છે, જેનાથી તે યોગ્ય જીવોને તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિ થાય છે; કેમ કે ભગવાનના ઉપદેશના શ્રવણથી આત્મામાં તાત્ત્વિક ધર્મનાં બાધક ક્લિષ્ટ કર્મો દૂર થાય છે, તેથી ભગવાન તાત્ત્વિક ધર્મના દાતા બને છે. ત્યારપછી ભગવાનના અનુશાસનના બળથી તેઓમાં પ્રગટ થયેલા તાત્ત્વિક ધર્મનું પરિપાલન થાય છે, તેથી ભગવાન પરમ શાસ્તૃત્વ સંપદાથી યુક્ત છે. તેથી એ ફલિત થાય કે પ્રથમ ભગવાન સદેશનાની યોગ્યતા પ્રગટ કરે છે, ત્યારપછી દેશના આપે છે, તેનાથી જીવમાં સદ્ધર્મ પ્રગટે છે અને સદ્ધર્મ પ્રગટ્યા પછી તે જીવમાં પ્રગટ થયેલા ધર્મનું પરિપાલન કરે છે, તેથી ભગવાન જગતના યોગ્ય જીવોને પરમ અનુશાસન આપનારા બને છે તેને પ્રસ્તુત સંપદાથી બતાવે છે, તેમાં પ્રથમ સદેશનાની યોગ્યતારૂપ અનુગ્રહ કઈ રીતે પ્રગટ થાય છે ? તે ધમ્મદયાણંથી બતાવે છે – સૂત્ર : થમ્પયા ૨૦ના સૂત્રાર્થ : ધર્મને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ. ૨૦થી લલિતવિસ્તરા :। इह धर्मश्चारित्रधर्मः परिगृह्यते; स च श्रावकसाधुधर्मभेदेन द्विथा, श्रावकधर्मोऽणुव्रतायुपासकप्रतिमागतक्रियासाध्यः साधुधाभिलाषातिशयरूपः आत्मपरिणामः, साधुधर्मः पुनः सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङ्ग्यः सकलसत्त्वहिताशयामृतलक्षणः स्वपरिणाम एव, क्षायोपशमिकादिभावस्वरूपत्वाद्धर्मस्य। नायं भगवदनुग्रहमन्तरेण, विचित्रहेतुप्रभवत्वेऽपि महानुभावतयाऽस्यैव प्राधान्यात्, भवत्येवैतदासत्रस्य भगवति बहुमानः, ततो हि सद्देशनायोग्यता, ततः पुनरयं नियोगतः; इत्युभयतत्स्वभावतया तदाधिपत्यसिद्धेः, कारणे कार्योपचाराद् धर्म ददतीति धर्मदाः।।२०।। લલિતવિસ્તરાર્થ - અહીં=પ્રસ્તુત સંપદામાં, ધર્મ ચારિત્રધર્મ ગ્રહણ કરાય છે અને તે=ચારિત્રધર્મ, શ્રાવકધર્મ અને સાધુધર્મના ભેદથી બે પ્રકારે છે, શ્રાવકધર્મ અણુવ્રતાદિથી માંડીને ઉપાસક પ્રતિસાગત ક્રિયાથી સાધ્ય સાધુધર્મના અભિલાષના અતિશયરૂપ આત્મપરિણામ છે શક્તિ અનુસાર અણવત-ગુણવતશિક્ષાવતથી માંડીને શ્રાવકની પ્રતિમાની ક્રિયાથી સાધ્ય એવો જીવનો પરિણામ છે જે પરિણામમાં ભાવસાધુના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શીને તેવી ત્રણ ગુતિની પરિણતિને સ્પર્શવાનો અભિલાષ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૮ લલિતવિસ્તર ભાગમાં અતિશય વર્તે છે, વળી, સાધુધર્મ સામાયિકાદિગત વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યંગ્ય એવો બધા જીવોના હિતના આશયરૂપ અમૃતસ્વરૂપ સ્વપરિણામ જ છે; કેમ કે ધર્મનું ક્ષાયોપથમિક આદિ ભાવસ્વરૂપપણું છે. આ=ધર્મ, ભગવાનના અનુગ્રહ વગર નથી; કેમ કે વિચિત્ર હેતુથી પ્રભાવપણું હોવા છતાં પણ= ચારિત્રધર્મનું અનેક હેતુઓથી પ્રભવપણું હોવા છતાં પણ, મહાનુભાવપણાને કારણે આનું જ ભગવાનના અનુગ્રહનું જ, પ્રાધાન્ય છે-અન્ય સર્વ હતુઓમાં ભગવાનના આલંબનરૂપ ભગવાનના અનુગ્રહનું જ પ્રાધાન્ય છે, આના આસન્નન=ચારિત્રધર્મના આસન્ન જીવોને, ભગવાનમાં બહુમાન થાય છે, તેનાથી જ=ભગવાનમાં થયેલા બહુમાનથી જ, સદેશનાની યોગ્યતા થાય છે, તેનાથી= સદ્ધર્મની યોગ્યતાથી, વળી, આચારિત્રધર્મ, નિયોગથી થાય છે, આ રીતે ઉભયના તત સ્વભાવપણાને કારણે=ભગવાન પ્રત્યે બહુમાન અને ચારિત્રધર્મ તે રૂપ ઉભયનું તત્ સ્વભાવપણું હોવાને કારણે, તેના આધિપત્યની સિદ્ધિ હોવાથી ભગવાનના અનુગ્રહથી આ ચારિત્રધર્મ થાય છે એમ અન્વય છે; કારણમાં કાર્યનો ઉપચાર છે સદ્ધર્મની દેશનાની યોગ્યતારૂપ કારણમાં ચારિત્રધર્મરૂપ કાર્યનો ઉપચાર છે, તેથી ધર્મને આપે છે એથી ધર્મને દેનારા છે. ર૦II પંજિકા - 'नायमित्यादि' न-नैव, अयम्-उक्तरूपो धर्मो, भगवदनुग्रहं सहकारिणम्, अन्तरेण विना, कुत इत्याह-विचित्रहेतुप्रभवत्वेऽपि विचित्राःस्वयोग्यतागुरुसंयोगादयो हेतवः, प्रभवो-जन्मस्थानं, यस्य तद्भावस्तत्त्वं, तस्मिन्नपि धर्मस्य, महानुभावतया अचिन्त्यशक्तितया, अस्यैव-भगवदनुग्रहस्य (एव), हेतुषु प्राधान्यात्ज्येष्ठतया, तदेव भावयति- भवत्येव-न न भवति, एतदासनस्य-धर्मासनस्य, भगवति-परमगुरौ, बहुमानो भवनिर्वेदरूपः, ततो भगवद्बहुमानात्, हिः स्फुटं, सद्देशनायोग्यता-सद्देशनायाः वक्ष्यमाणरूपायाः, योग्यता-उचितत्वम्, ततः सद्देशनायोग्यतायाः, पुनर्, अयं-धर्मो, नियोगतः=अवश्यंतया, इति एवं, परम्परया उभयतत्स्वभावतया उभयस्य भगवद्बहुमानप्रकृतधर्मलक्षणस्य, तत्स्वभावतया कार्यकारणस्वभावतया, तदाधिपत्यसिद्धेः तस्य भगवद्बहुमानस्य महानुभावतयाऽधिकृतधर्महेंतुषु प्रथानभावसिद्धेः, कारणे-सद्देशनायोग्यतायां, कार्यस्य-धर्मास्य, उपचाराद्-अध्यारोपाद्, 'धर्मं ददतीति धर्मदाः' ।।२०।। પંજિકાર્ચ - નામિત્કારિ'થર્મલાઃ' નાયમ્ ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આ=ઉક્ત સ્વરૂપવાળો ધર્મ, સહકારી એવા ભગવાનના અનુગ્રહ વગર નથી જ, કયા કારણથી ?=ભગવાનના અનુગ્રહ વગર ઉક્તરૂપવાળો ચારિત્રધર્મ કયા કારણથી પ્રાપ્ત થતો નથી ? એથી કહે છે – વિચિત્ર હેતુથી પ્રાપ્તપણું હોવા છતાં પણ=વિવિધ પ્રકારના સ્વયોગ્યતા ગુરુસંયોગાદિ હેતુઓથી પ્રભવ છે અર્થાત જન્મસ્થાન છે જેને તેનો ભાવ તત્વ તે હોતે છતે પણ=ધર્મનું વિચિત્ર પ્રભાવપણું હોતે છતે પણ, Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્મલ્યાણ પ૯ મહાનુભાવપણાને કારણે=અચિંત્ય શક્તિપણું હોવાને કારણે, ભગવદ્ અનુગ્રહરૂપ આનું જ હેતુઓમાં પ્રાધાન્ય હોવાથીeષ્ઠાણું હોવાથી, ભગવાનના અનુગ્રહ વગર ધર્મ પ્રગટ થતો નથી એમ અવય છે, તેને જ=સર્વ હતુઓમાં ભગવાનના અનુગ્રહનું પ્રાધાન્ય છે તેને જ, ભાવન કરે છે=સ્પષ્ટ કરે છે – આવા આસાને=ધર્મના આસન્ન જીવને, ભગવાનમાં=પરમગુરુમાં, ભવનિર્વેદરૂપ બહુમાન થાય છે જન્નતથી થતું એમ નહિ, પરંતુ થાય છે જ, તેથી=ભગવાનના બહુમાનથી, દિ=સ્પષ્ટ, સદેશનાની યોગ્યતા=વસ્થમાણ સ્વરૂપવાળી સદેશવાનું ઉચિતપણું થાય છે, તેથી=સદેશવાની યોગ્યતાથી, વળી, આ=ધર્મ, નિયોગથી=અવશ્યપણાથી, થાય છે, એ રીતે પરંપરાથી=ભગવાનના બહુમાનથી સશતાની યોગ્યતા અને તેના દ્વારા ધર્મની પ્રાપ્તિ એ રૂપ પરંપરાથી, ઉભય તસ્વભાવપણાને કારણે=ભગવાનનું બહુમાન અને પ્રકૃતિ ધર્મ સ્વરૂપ ઉભયતા તસ્વભાવપણાને કારણે અર્થાત્ કાર્ય-કારણસ્વભાવપણાને કારણે અર્થાત્ ભગવાનના બહુમાનમાં કારણસ્વભાવ છે અને ચારિત્રધર્મમાં કાર્ય સ્વભાવ છે એ રૂપ કાર્ય-કારણસ્વભાવપણાને કારણે, તદ્ આધિપત્યની સિદ્ધિ હોવાથી તે ભગવાનના બહુમાનનું મહાનુભાવપણું હોવાને કારણે અધિકૃત ધર્મના હેતુઓમાં અર્થાત્ જીવને જે ચારિત્રધર્મ પ્રાપ્ત થાય છે તેના સ્વયોગ્યતા આદિ ધર્મના હેતુઓમાં પ્રધાનભાવની સિદ્ધિ હોવાથી, ભગવાનના અનુગ્રહ વગર ચારિત્રની પ્રાપ્તિ નથી જ એમ અવય છે, કારણમાં સદેશનાની યોગ્યતામાં, કાર્યનો=ચારિત્રધર્મરૂપ કાર્યનો, ઉપચાર હોવાથી=અધ્યારોપ હોવાથી, ધમ્મદયાણં પદ દ્વારા ધર્મને આપે છે, એથી ધર્મને દેનારા ભગવાન છે અર્થાત્ ચારિત્રધર્મની યોગ્યતા આપે છે તેથી ચારિત્ર આપે છે એ પ્રકારના ઉપચારથી ભગવાન ધર્મ દેનારા છે. ૨૦માં ભાવાર્થ : ભગવાન ધર્મને દેનારા છે, એ વચનમાં ધર્મ શબ્દથી ચારિત્રધર્મ ગ્રહણ કરાય છે અને તે ચારિત્રધર્મ બે પ્રકારે છે – ૧. શ્રાવકધર્મ ૨. સાધુધર્મ. શ્રાવકધર્મ અણુવ્રતાદિ બાર વ્રતો અને શ્રાવકની અગિયાર પ્રતિમા તેને ઉચિત ક્રિયાથી પ્રગટ થતો આત્માનો પરિણામ છે. આ શ્રાવકધર્મ મોક્ષની ઉત્કટ ઇચ્છાથી ઉત્પન્ન થયેલો છે, તેથી મોક્ષના પ્રબલ કારણભૂત ત્રણ ગુપ્તિના સામ્રાજ્ય સ્વરૂપ જે સાધુધર્મ છે તેને પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા શ્રાવકને હોય છે, પરંતુ તે પ્રકારનું અંતરંગ બળ પ્રગટ્યું નથી, જેથી ત્રણ ગુપ્તિના પરિણામને સ્પર્શીને આજીવન સુધી અસંગભાવને પ્રગટ કરવા ઉદ્યમ કરી શકે, તેથી તેવા સાધુધર્મને નિત્ય સ્મરણ કરીને એવા સાધુધર્મને અનુરૂપ અંતરંગ ગુપ્તિઓની પરિણતિ પ્રગટે તે રીતે વિવેકી શ્રાવકો શ્રાવકધર્મનું સેવન કરે છે, જેનાથી ત્રણ ગુપ્તિને અનુકૂળ કંઈક ગુપ્તિના અંશોરૂપ આત્મપરિણામ પ્રગટ થાય છે તે શ્રાવકધર્મ છે. વળી, સાધુધર્મ સામાયિક આદિગત જે વિશુદ્ધ ક્રિયાઓ છે તેનાથી અભિવ્યક્ત થનાર જગતના જીવમાત્રનું હિત કરે તેવા પકાયના પાલનના અધ્યવસાયરૂપ જીવનો પરિણામ છે અર્થાત્ કોઈ જીવને પીડા Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉ૦ લલિતવિસ્તરા ભાગ-૨ ન થાય, કોઈ જીવનો પ્રાણનાશ ન થાય, કોઈ જીવને કષાયનો ઉદ્રક ન થાય, તે પ્રકારે સંવૃત્ત ચિત્તથી સર્વ પ્રવૃત્તિઓ કરે તેવો જીવનો પરિણામ છે. કેમ શ્રાવકધર્મ અને સાધુધર્મ ક્રિયારૂપ નથી, પરંતુ આત્મપરિણામરૂપ છે ? તેમાં હેતુ કહે છે – ધર્મનું ક્ષાયોપથમિક આદિ ભાવરૂપપણું છે, તેથી બાહ્ય આચરણારૂપ શ્રાવકધર્મ કે સાધુધર્મ નથી, પરંતુ ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન કરનારા કષાયોના ક્ષાયોપથમિક ભાવરૂપ ચારિત્રધર્મ છે, “આદિ' પદથી ઉપશમભાવરૂપ કે ક્ષાયિક ભાવરૂપ ચારિત્રધર્મ છે, ચારિત્રધર્મનું લાયોપથમિકભાવપણું છે, આથી અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી પ્રગટ થયેલો વીતરાગતા તરફ ગમન કરે તેવો જીવનો પરિણામ શ્રાવકધર્મ છે, તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો પણ ક્ષયોપશમ કરાવે છે અને પ્રકર્ષને પામીને ક્ષાયિક ભાવના ચારિત્રની પ્રાપ્તિ કરાવે છે અને સાધુધર્મ અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનીય કષાય, પ્રત્યાખ્યાનીય કષાય અને સંજવલન કષાય સર્વના ક્ષયોપશમ ભાવથી પ્રવર્તે છે, તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય છે અને આવો ચારિત્રધર્મ ભગવાનના અનુગ્રહ વગર પ્રાપ્ત થતો નથી. જોકે ચારિત્રની પ્રાપ્તિ પ્રત્યે અનેક હેતુઓ છે, જેમ જીવની કષાયોની મંદતાજન્ય યોગ્યતા હેતુ છે, ગુરુનો સંયોગ કષાયોની મંદતાનો ક્ષયોપશમ ભાવ કરવામાં નિમિત્ત કારણરૂપે હેતુ છે, કલ્યાણમિત્રનો યોગ નિમિત્ત કારણરૂપે હેતુ છે, તે સિવાય બાહ્ય તેવા પ્રકારનાં નિમિત્તો પણ ચારિત્રના ક્ષયોપશમ પ્રત્યે હેતુ છે, તોપણ ભગવાનની મહાનુભાવતા હોવાને કારણે ભગવાનનો અનુગ્રહ જ ચારિત્રપ્રાપ્તિ પ્રત્યે પ્રબળ હેતુ છે; કેમ કે વીતરાગની મુદ્રા, વીતરાગનું વચન કે વીતરાગનાં દર્શન તે પ્રકારના ભાવ પ્રત્યે જેવું બલવાન નિમિત્ત બને છે તેવા અન્ય કારણો બલવાન નથી, આથી જ ભગવાનની મુદ્રાને જોઈને કે ભગવાનને દેવો આદિથી પૂજાતા જોઈને ઘણા યોગ્ય જીવોને ભગવાન પ્રત્યે બહુમાન થાય છે, તેથી ધર્મને આસન્ન રહેલા યોગ્ય પણ જીવોને જ્યાં સુધી ભગવાન પ્રત્યે તેવું બહુમાન થતું નથી ત્યાં સુધી ધર્મને પ્રાપ્ત કરતા નથી, માટે ધર્મની પ્રાપ્તિમાં ભગવાનનું બહુમાન જ પ્રધાન હેતુ છે. વળી, યોગ્ય જીવોને ભગવાનનું બહુમાન થાય છે ત્યારપછી ભગવાનની દેશના સાંભળે ત્યારે અવશ્ય ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે, આથી જ ભગવાનના વિરહકાળમાં પણ જિનપ્રતિમાની યોગમુદ્રાને જોઈને યોગ્ય જીવોને ભગવાનમાં બહુમાન થાય છે, તેથી ભગવાનની દેશના પરિણમન પામે તેવી યોગ્યતા પ્રગટે છે, અને ભગવાનના વચનનો પરમાર્થ પ્રાપ્ત થાય તેવા સદ્ગુરુ કે સલ્ફાસ્ત્રની પ્રાપ્તિ થાય તો તે જીવો સંસારના નિર્ગુણ સ્વભાવને યથાર્થ જોનારા બને છે, સંસારના ઉચ્છેદનો ઉપાય જીવનો ત્રણ ગુપ્તિનો પરિણામ જ છે તેવા સૂક્ષ્મ બોધવાળા થાય છે અને તેવી ત્રણ ગુપ્તિની પ્રાપ્તિના અત્યંત અર્થી બને છે. ક્વચિત્ તેવી શક્તિ પોતાનામાં પ્રગટ થઈ નથી તેમ જણાય તો નિપુણતાપૂર્વક તેની પ્રાપ્તિના ઉપાયભૂત શ્રાવકધર્મના રહસ્યને જાણીને તે પ્રકારે શ્રાવકધર્મ સેવે છે, જેથી અલ્પકાળમાં સાધુધર્મની પ્રાપ્તિ કરીને સંસારનો ક્ષય કરવા સમર્થ બને છે. આ રીતે ભગવાનના દર્શનાદિથી ભગવાનનું બહુમાન થાય છે અને તેનાથી પ્રકૃત એવો ચારિત્રધર્મ પ્રાપ્ત થાય છે, તેથી ભગવાનનું બહુમાન ચારિત્ર પ્રત્યે કારણ બને છે અને ચારિત્રધર્મની પ્રાપ્તિ તેનું કાર્ય બને છે. આ રીતે ઉભયનું તત્ત્વભાવપણું હોવાથી=ભગવાનના બહુમાનનું કારણ સ્વભાવપણું છે અને Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૧ 'ધમ્મદેસયાણ ચારિત્રનું કાર્ય સ્વભાવપણું છે તેથી, ભગવાનમાં તેના આધિપત્યની સિદ્ધિ છે=અન્ય સર્વ હતુઓ કરતાં ચારિત્ર પ્રત્યે ભગવાન પ્રધાન હેતુ છે તેની સિદ્ધિ છે, અને ભગવાનને જોઈને યોગ્ય જીવોને બહુમાન થાય છે માટે ભગવાન પ્રત્યેના બહુમાનરૂપ કારણમાં ચારિત્રધર્મરૂપ કાર્યનો ઉપચાર કરીને ભગવાન ચારિત્રધર્મને દેનારા છે તેમ કહેવાય છે, તેથી ભગવાન ધર્મને દેનારા છે તે પ્રકારે સ્તુતિ કરીને વિવેકી પુરુષને સ્મરણ થાય છે કે લોકોત્તમ એવા તીર્થકરો પ્રત્યે બહુમાન ઉત્પન્ન કરવામાં ભગવાન પ્રબળ કારણ છે, તેના દ્વારા ચારિત્ર પ્રાપ્તિ પ્રત્યે ભગવાન પ્રબળ કારણ છે, માટે ભગવાન ચારિત્રધર્મને દેનારા છે. ll૨ની सूत्र: धम्मदेसयाणं ।।२१।। सूत्रार्थ : ધર્મદેશક એવા ભગવાનને નમસ્કાર થાઓ. ll૧૧|| ललितविस्तरा : तथा 'धम्मदेसयाणं' तत्र 'धर्मः' प्रस्तुत एव, तं यथाभव्यमभिदधति; तद्यथा, -प्रदीप्तगृहोदरकल्पोऽयं भवो, निवासः शारीरादिदुःखानां, न युक्तः इह विदुषः प्रमादः, यतः अतिदुर्लभेयं मानुषावस्था, प्रधानं परलोकसाधनं, परिणामकटवो विषयाः, विप्रयोगान्तानि सत्सङ्गतानि, पातभयातुरमविज्ञातपातमायुः, तदेवं व्यवस्थिते विध्यापनेऽस्य यतितव्यं। एतच्च सिद्धान्तवासनासारो धर्ममेघो यदि परं विध्यापयति, अतः स्वीकर्तव्यः सिद्धान्तः, सम्यक् सेवितव्यास्तदभिज्ञाः, भावनीयं मुण्डमालालुकाज्ञातं, त्यक्तव्या खल्वसदपेक्षा, भवितव्यमाजाप्रधानेन, उपादेयं प्रणिधानं, पोषणीयं साधुसेवया धर्मशरीरं, रक्षणीयं प्रवचनमालिन्यम्, एतच्च विधिप्रवृत्तः सम्पादयति, अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं, सूत्राद् ज्ञातव्य आत्मभावः, प्रवृत्तावपेक्षितव्यानि निमित्तानि, यतितव्यमसंपन्नयोगेषु, लक्षयितव्या विस्रोतसिका, प्रतिविधेयमनागतमस्याः भयशरणाधुदाहरणेन। भवत्येवं सोपक्रमकर्मनाशः, निरुपक्रमकानुबन्धव्यवच्छित्तिः, इत्येवं धर्मं देशयन्तीति धर्मदेशकाः।।२१।। ललितविस्तरार्थ : અને ધર્મના દેશક ભગવાન છે, ત્યાં ધમ્મદેસયાણં પદમાં, ધર્મ પ્રસ્તુત જ છે=પ્રસ્તુત એવો ચારિત્રધર્મ જ છે, તેને યથાભવ્ય કહે છેઃયથાયોગ્ય કહે છે જે પ્રમાણે જીવની યોગ્યતા છે તે प्रमाणे हे छ - ते मा प्रभारी धनी देशना मापे छ 'यथा'थी जताव छ - Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨ લલિતવિસ્તરા ભાગ-૨ બળતા ઘરના ઉદર જેવો આ ભવ છે જેમાં સંસારી જીવો વર્તે છે તે આ ભવ બળતા ઘરની અંદર નિવાસસ્થાન જેવો છે, શારીરાદિ દુઃખોનો નિવાસ છે જેમાં સંસારી જીવો વર્તે છે તેવો ભવ શરીરને પ્રતિકુળ સંયોગથી થનારાં શારીરિક દુઃખો અને અંતરંગ કષાયોના સંક્લેશ૩૫ માનસિક દુઃખોનું નિવાસસ્થાન છે, અહીં=સંસારમાં, વિદ્વાનને પ્રમાદયુક્ત નથી=બળતા એવા ભવરૂપી ગૃહમાં નિશ્ચિત થઈને બેસવારૂપ પ્રમાદયુક્ત નથી, જે કારણથી આ મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે, પ્રધાન પરલોકનું સાધન છે=મનુષ્ય અવસ્થા પરલોકની ઉત્તમ પરંપરાને પ્રગટ કરવાનું પ્રબળ સાધન છે, વિષયો પરિણામથી કટુ છે=વિષયોમાં રાગની વૃદ્ધિ થવાથી દુર્ગતિઓની પરંપરા થાય છે તેથી વિષયોના સેવનનું પરિણામ કરુ છે, સત્સંગમો વિયોગના અંતવાળા છે= સંસારી જીવોને જે અનુકૂળ સંયોગો છે જેનાથી તે સ્વસ્થ થઈને બેસે છે તે વિયોગના અંતવાળા છે, પાતભયમાં આતુર અવિજ્ઞાતપાતવાળું આયુષ્ય છે=જેમ ક્ષીણ થયેલી દિવાલ હમણાં પડશે હમણાં પડશે તેવી હોય તેમ જીવનું આયુષ્ય સતત પાત થવામાં તત્પર હોય છે અને ક્યારે પડશે તે નક્કી ન થાય તેવું અજ્ઞાતપાતવાળું આયુષ્ય છે, તેથી આ પ્રમાણે ભવ વ્યવસ્થિત હોતે જીતે આના વિધ્યાપનમાં–બળતા ઘરના ઉદર જેવા ભવને બુઝાવવામાં, યત્ન કરવો જોઈએ. અને સિદ્ધાંતની વાસના છે પ્રધાન જેમાં એવો શ્રેષ્ઠ ધર્મમેઘ જો પ્રગટ થાય તો આને=ભવને, બુઝાવે છે, આથી=ધર્મમેઘ બળતા ઘર જેવા ભવને બુઝાવે છે આથી, સિદ્ધાંતને સ્વીકારવો જોઈએ=ભગવાનના વચનરૂપ સિદ્ધાંત જ તત્ત્વ છે એ પ્રમાણે સ્વીકારવું જોઈએ, તેના જાણનારા= સિદ્ધાંતના જાણનારા મહાપુરુષોની, સમ્યફ સેવા કરવી જોઈએ, મુપ્પમાલા અને આલુકા=માટીનો ઘડો, તેનું દષ્ટાંત ભાવન કરવું જોઈએ, અસદ્ અપેક્ષા છોડવી જોઈએ=જગતના સર્વ પદાર્થો અનિત્ય હોવા છતાં હજી આયુષ્ય છે, હજી ભોગસામગ્રી છે એ પ્રકારની અસ અપેક્ષા છોડવી જોઈએ, આજ્ઞાપ્રધાનથી ભગવાનના વચનપ્રધાનથી, થવું જોઈએ, પ્રણિધાન આદરવું જોઈએ= ભવનો મારે અંત કરવો છે તે પ્રકારે દઢ સંકલ્પ કરવો જોઈએ, સાધુસેવાથી–ઉત્તમ પુરુષોની સેવાથી, ધર્મશરીરનું પોષણ કરવું જોઈએ, પ્રવચન માલિત્યનું રક્ષણ કરવું જોઈએ, અને આ=પ્રવચનના માલિત્યનું રક્ષણ, વિપ્રિવૃત જીવ સંપાદન કરે છે, આથી સર્વત્ર સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં, વિધિથી પ્રવર્તવું જોઈએ, સૂત્રથી શાસ્ત્રવચનથી, પોતાનો ભાવ જાણવો જોઈએ, પ્રવૃત્તિમાં=આત્મકલ્યાણ માટે સેવાતી ઉચિત પ્રવૃત્તિમાં, નિમિત્તોની અપેક્ષા રાખવી જોઈએ, અસંપન્ન યોગોમાં=જે પ્રકારના ઉત્તમ પરિણામવાળા ચિત્તના યોગો પ્રાપ્ત થયા ન હોય તેમાં, યત્ન કરવો જોઈએ, વિસ્રોતસિક જાણવી જોઈએ=ચિતના વિપરીત પ્રવાહને જાણવો જોઈએ, ભય શરણાદિના ઉદાહરણથી આનું ચિત્તના વિપરીત પ્રવાહનું, અનાગત–પાતનો પ્રસંગ ઉત્પન્ન થાય તેના પૂર્વે, પ્રતિવિધાન કરવું જોઈએ=ચિત્તના વિપરીત પ્રવાહના નિવારણનો ઉચિત ઉપાય કરવો જોઈએ. આ રીતે=ચિતનો વિપરીત પ્રવાહ વર્તતો હોય ત્યારે પૂર્વમાં જ પ્રતિવિધાન કરવામાં આવે એ રીતે, સોપક્રમ કર્મનો નાશ થાય છે, નિરુપક્રમ કર્મના અનુબંધની વ્યવસ્થિતિ થાય છે=નિરુપક્રમ Page #86 -------------------------------------------------------------------------- ________________ ધમ્મદેસાણં ર કર્મ ઉત્તરોતર પ્રવાહરૂપે પ્રવર્તી શકે તેનો વ્યવચ્છેદ થાય છે, આ પ્રકારે=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, ધર્મની દેશના આપે છે, એથી ધર્મના દેશક ભગવાન છે. ર૧ાા પંજિકા - 'मुण्डमालालुकाज्ञातम्' इति, मुण्डमाला-शिरःस्रग्, आलुका-मृण्मयी वार्घटिका, ते एव ज्ञातं-दृष्टान्तो, યથા, अनित्यताकृतबुद्धिानमाल्यो न शोचते । नित्यताकृतबुद्धिस्तु भग्नभाण्डोऽपि शोचते ।।१।। 'सूत्रे' इत्यादि, सूत्राद्-रक्तद्विष्टादिलक्षणनिरूपकादागमात् 'ज्ञातव्यो' बोद्धव्यः, आत्मभावः रागादिरूप आत्मपरिणामो; यथोक्तं- 'भावणसुयपाढो तित्थसवणमसइ तयत्थजाणंमि। तत्तो य आयपेहणमइनिउणं दोसविक्खाए' इति 'निमित्तानी'ति इष्टानिष्टसूचकानि शकुनादीनि सहकारिकारणानि वा। 'भयशरणायुदाहरणेने ति 'सरणं भए उवाओ, रोगे किरिया, विसंमि मंतोत्ति' इत्युदाहरणम्।।२१।। પંજિકાર્ય : મુહમીનાનુવાતિ.....ત્યુદરમ્મુ માત્રાનુજ્ઞાતિમ્ એ પ્રકારે પ્રતીક છે, મુખ્તમાલા કંઠમાં ધારણ કરાયેલી પુષ્પોની માળા, આલુકા=માટીની વાઈટિકા=માટીનો ઘડો, મુષ્ઠમાલા અને માટીનો ઘડો તે જ દષ્ટાંત છે, તે દષ્ટાંત કથા'થી સ્પષ્ટ કરે છે – અનિત્યતાકૃત બુદ્ધિવાળો પુરુષ પ્લાન થયેલી માલાનો શોક કરતો નથી, વળી, નિત્યતાકૃત બુદ્ધિવાળો ભગ્ન થયેલા ભાષ્ઠવાળો પણ શોક કરે છે. સૂત્ર ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, સૂત્રથી=રક્તદ્વિદિ લક્ષણ નિરૂપક આગમથી=રાગદ્વેષાદિના સ્વરૂપને યથાર્થ બતાવનારા આગમથી, આત્માનો ભાવ=રાગાદિરૂપ આત્માનો પરિણામ, જાણવો જોઈએ, જે પ્રમાણે કહેવાયેલું છે – ભાવના ગ્રુતનો પાઠ કરવો જોઈએ, તીર્થમાં શ્રવણ કરવું જોઈએ, અનેક વખત કરવું જોઈએ, તદર્થનું જ્ઞાન થયે છતે અને ત્યારપછી દોષની અપેક્ષાએ અતિનિપુણ આત્મપ્રેક્ષણ કરવું જોઈએ, નિમિત્તો, ઈષ્ટ-અનિષ્ટ સૂચક શકુનો અથવા સહકારી કારણો તેની અપેક્ષા રાખવી જોઈએ એમ અવય છે, ભય શરણાદિ ઉદાહરણથી એ લલિતવિસરાનું પ્રતીક છે, ભયમાં ઉપાય શરણ છે, સેગમાં ઉપાય ક્રિયા છે, વિષમાં ઉપાય મંત્ર છે, એ પ્રકારે ઉદાહરણ છે. ૨૧II ભાવાર્થ - યોગ્ય જીવો સન્મુખ થયેલા હોય તેઓને ઉદ્દેશીને ભગવાન ધર્મદેશના આપે છે, તે ધર્મદેશનામાં ધર્મ દેશવિરતિરૂપ અને સર્વવિરતિરૂપ છે અને તે ધર્મને જીવોની યોગ્યતા અનુસાર આપે છે, દેશવિરતિધર્મની કે સર્વવિરતિધર્મની પ્રાપ્તિ ભગવાન યોગ્ય જીવોને કઈ રીતે કરાવે છે તે સંક્ષેપથી બતાવે છે – સંસારી જીવોને સંસારમાં પ્રાપ્ત થયેલો જન્મ કેવો છે તેનો યથાર્થ બોધ કરાવવા માટે ભગવાન કહે છે Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉજ લલિતવિસ્તા ભાગ-૨ કે જેમ કોઈ ઘર સળગતું હોય તેની મધ્યમાં આપણે બેઠા હોઈએ તો અવશ્ય બળીને ભસ્મ થવાય છે, તેમ આ ભવ પણ કર્મથી પ્રાપ્ત થયેલો છે અને જે પ્રકારે કર્મનો ઉદય આવે છે તે પ્રકારે પરિણામ કરીને સંસારી જીવો ભવમાં જીવે છે, તે રીતે પ્રચુર કર્મ બાંધીને તેઓ દુરંત સંસારમાં અનેક કદર્થનાઓ પ્રાપ્ત કરશે, ફક્ત મૂઢતાને કારણે ભવ જેવો વાસ્તવિક છે તેવો દેખાતો નથી, જો દેખાય કે ઘર બળી રહ્યું છે અને હું તેમાં બેઠો છું તો સંસારી જીવ તે અગ્નિને શાંત કરવા અવશ્ય યત્ન કરે, પરંતુ જીવોને મૂઢતાથી જેવો ભવ છે તેવો યથાર્થ દેખાતો નથી. વળી, ભવમાં રહેલા જીવોને શરીરની પ્રતિકૂળતાજન્ય અનેક દુઃખો પ્રત્યક્ષથી દેખાય છે અને માનસિક રાગાદિ ક્લેશોનાં દુઃખો પણ નિપુણતાથી જોનારા જીવોને દેખાય છે, તેથી ભવમાં શારીરિક અને માનસિક દુઃખો સતત પ્રાપ્ત થાય છે, માટે કર્મના સંયોગજન્ય ભવના ઉચ્છેદમાં બુદ્ધિમાન પુરુષે પ્રમાદ કરવો જોઈએ નહિ, ભગવાનના વચનથી જેઓને આ પ્રકારનો ભવ દેખાય છે તેઓને ભવના ઉચ્છેદની જિજ્ઞાસા થાય છે. બુદ્ધિમાને કેમ પ્રમાદ કરવો જોઈએ નહિ, તેમાં ભગવાન યુક્તિ બતાવે છે – મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે; કેમ કે એકેન્દ્રિયાદિ ભવોમાં જીવ હિતાહિતનો વિચાર કરી શકે તેમ નથી અને હિતની વિચારણા કરી શકે તેવો આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે, તે અતિદુર્લભ છે, માટે પ્રમાદ કરવો જોઈએ નહિ. વળી, પરલોકને સાધવા માટે પ્રધાન કારણ આ મનુષ્યભવ છે; કેમ કે મનુષ્યભવને પામીને જેઓ ભવના વાસ્તવિક સ્વરૂપને જાણીને તેના ઉચ્છેદ માટે ઉચિત યત્ન કરે તો પ્રાપ્ત થયેલો મનુષ્યભવ અવશ્ય સદ્ગતિઓની પરંપરા દ્વારા હિતનું કારણ બને છે, માટે મનુષ્યભવ પરલોકનું પ્રધાન સાધન છે. વળી, સંસારી જીવોને સાધનામાં વિઘ્ન કરનારા ઇન્દ્રિયોના વિષયો છે તે પરિણામથી કટુ છે; કેમ કે વિષયોમાં આસક્ત થયેલા જીવો આ ભવમાં પણ વિનાશ પામે છે અને જન્માંતરમાં પણ અનર્થોની પરંપરા પ્રાપ્ત કરે છે, માટે ભોગવતી વખતે વિષયો મધુર લાગવા છતાં પરિણામથી કટુ છે. વળી, સંસારી જીવોને જે સુંદર અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે તેના પ્રત્યે મોહના વશથી સંસારી જીવો ધર્મ સાધવા સમર્થ બનતા નથી તે સુંદર સંગમો વિયોગ અંતવાળા છે, તેથી જ્યારે તેનો વિયોગ પ્રાપ્ત થશે ત્યારે જીવ દુઃખી થશે, માટે તેના પ્રત્યેની મૂર્છાનો ત્યાગ કરીને આત્મહિત સાધવા યત્ન કરવો જોઈએ, જેથી તે અનુકૂળ સંયોગોનો વિયોગ થાય ત્યારે પણ સંક્લેશ પ્રાપ્ત થાય નહિ. વળી, સંસારી જીવોને સામાન્યથી વિચાર આવે છે કે હજી આયુષ્ય દીર્ઘ છે, તેથી પ્રથમ અવસ્થામાં ભોગવિલાસ કરી લઉં પછી પરલોકની ચિંતા કરીશ, એ પ્રકારના મિથ્યા આશ્વાસનના નિવારણ માટે ભગવાન કહે છે કે આયુષ્ય પાતના ભયમાં આતુર છે અને અવિજ્ઞાતપાતવાળું છે, જેમ કોઈ ઘરની દિવાલ ક્ષીણ થયેલી હોય તે પડું પડું અવસ્થાવાળી હોય અને ક્યારે પડશે તે કહી શકાય નહિ, તેમ આયુષ્ય પણ સતત નાશ તરફ જઈ રહ્યું છે અને ક્યારે નાશ પામશે તે કહી શકાય નહિ, માટે બુદ્ધિમાને ક્ષણભર પણ પ્રમાદ કરવો જોઈએ નહિ, આ પ્રમાણે સંસારનું સ્વરૂપ વિદ્યમાન હોતે છતે બુદ્ધિમાન પુરુષે સતત બળતા Page #88 -------------------------------------------------------------------------- ________________ ધમ્મદેસયાણ એવા ભવને બુઝવવા માટે યત્ન કરવો જોઈએ અર્થાત્ સંગથી ભવપરંપરા ચાલે છે તેના ઉચ્છેદ માટે સતત અસંગપરિણતિ પ્રગટ થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ. અહીં પ્રશ્ન થાય કે બળતા એવા ઘરને બુઝવવાનો ઉપાય જલાદિ છે તેમ ભવને કઈ રીતે બુઝવી શકાય? તેથી કહે છે – જો વળી, સિદ્ધાંતવાસનાસાર ધર્મમેઘ પ્રગટ થાય તો બળતો એવો આ ભવ બુઝાય છે અર્થાત્ જેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણીને તેનાથી આત્માને અત્યંત વાસિત કરે તો આત્મામાં અસંગભાવની પરિણતિ કંઈક કંઈક અંશથી પ્રગટે છે અને જ્યારે તે અસંગની પરિણતિ અત્યંત વૃદ્ધિ પામે ત્યારે ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ થાય છે, જેનાથી ચિત્ત અત્યંત શાંત-શાંતતર રસમાં જાય છે, જેના પ્રકર્ષથી ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે તે ધર્મમઘ છે અને જ્યારે તેની તીવ્ર વૃષ્ટિ થાય છે ત્યારે કષાયોરૂપી અગ્નિ બુઝાય છે, તેથી બળતા ઘર જેવો ભવ વિનાશ પામે છે. અહીં પ્રશ્ન થાય કે ભવને સિદ્ધાંતવાસનાસાર ધર્મમેઘ ઓલવી શકે છે તો તેના માટે શું કરવું જોઈએ? તેથી કહે છે – સિદ્ધાંત સ્વીકારવો જોઈએ=મારે ધર્મમેઘ પ્રગટ કરવો છે એવો દઢ સંકલ્પ કરીને ભગવાનના વચનરૂપ સિદ્ધાંત સ્વીકારવો જોઈએ, અને તેનાથી આત્માને અત્યંત વાસિત કરવો જોઈએ. વળી, સિદ્ધાંતના જાણનારા મહાપુરુષોની સમ્યકુ સેવા કરવી જોઈએ અર્થાત્ તેઓ પાસેથી સિદ્ધાંતના રહસ્યને જાણવા માટે સતત ઉદ્યમ કરવો જોઈએ. વળી, સિદ્ધાંતને સમ્યફ પરિણમન પમાડવામાં જીવને બાહ્ય પદાર્થોમાં રહેલી આસ્થા વ્યાઘાતક છે તેના નિવારણ માટે ભગવાન કહે છે કે મુંડમાલા અને આલુકાનું દૃષ્ટાંત ભાવન કરવું જોઈએ. જેમ સંસારી જીવો ભોગવિલાસ માટે સુગંધી પુષ્પોની માળા કંઠમાં ધારણ કરે છે અને તેઓને જ્ઞાન છે કે પરિમિત કાળમાં જ આ માળા કરમાઈ જશે, તેથી તેમાં અનિત્યતા બુદ્ધિ વર્તે છે, માટે જ્યારે માળા કરમાયેલી જુએ છે ત્યારે શોક કરતા નથી અને માટીનો ઘડો કોઈક રીતે ફૂટી જાય ત્યારે આ હજી જીર્ણ થયો નથી તેવી નિત્યતા બુદ્ધિ હોવાથી તે ઘટના નાશમાં શોક કરે છે, તેનું ભાવન કરીને વિચારવું જોઈએ કે સંસારના સર્વ સંયોગો અનિત્ય છે, જેથી કોઈક સંયોગ ક્યારે પણ વિષમતાને પ્રાપ્ત કરે ત્યારે પણ શોક થતો નથી, આ રીતે સંસારના સર્વ સંયોગો અનિત્ય છે તેવું અત્યંત ભાવન કરવાથી નિમિત્તા પ્રમાણે ભાવો થતા નથી, તેથી સુખપૂર્વક જીવ સિદ્ધાંતને જાણનારા પુરુષોની સમ્યફ ઉપાસના કરીને સિદ્ધાંત વાસના સાર ધર્મમેઘને પ્રગટ કરી શકે છે. વળી, સિદ્ધાંતથી આત્માને વાસિત કરવામાં વ્યાઘાતક અસત્ પદાર્થોની અપેક્ષા છે તે અપેક્ષાઓનો ત્યાગ કરવો જોઈએ અર્થાત્ સદા વિચારવું જોઈએ કે બાહ્ય પદાર્થોની અપેક્ષાથી જીવ ક્યારેય તૃપ્ત થતો નથી, માટે ભૂતકાળના કર્મજન્ય જે સંયોગો પ્રાપ્ત થયા છે તેમાં ચિત્તને સંતોષપરાયણ બનાવીને સિદ્ધાંતના રહસ્યને જાણવા પ્રયત્ન કરવો જોઈએ. વળી, ભગવાનની આજ્ઞાપ્રધાન થવું જોઈએ=ભગવાનની આજ્ઞા છે કે પોતાની શક્તિનું સમાલોચન Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૬ લલિતવિસ્તરા ભાગ-૨ કરીને શક્તિ અનુસાર ગુણસ્થાનકની ઉચિત ક્રિયાનો સ્વીકાર કરવો જોઈએ અને જેમાં શક્તિ નથી તેવા ઉત્તમ અનુષ્ઠાનમાં તીવ્ર રાગ રાખવો જોઈએ અને સદા ભાવન કરવું જોઈએ કે કઈ રીતે હું યત્ન કરું કે જેથી તે અનુષ્ઠાનની શક્તિ પ્રગટે અને બળ સંચય થયા પછી ઉપરની ભૂમિકાનું અનુષ્ઠાન સ્વીકારવું જોઈએ, જેથી સમ્યગ્ રીતે ફોરવાયેલી શક્તિ સાનુબંધ ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને, આ પ્રકારે આજ્ઞાપ્રધાન થવું જોઈએ. વળી, પ્રણિધાન કરવું જોઈએ અર્થાત્ મહાવિડંબનારૂપ આ ભવના ઉચ્છેદના ઉપાયોને હું સમ્યક્ સેવું, જેથી ભવનો ઉચ્છેદ થાય તે પ્રકારે દૃઢ પ્રણિધાન કરીને તેના ઉપાયોને સેવવા જોઈએ. વળી, ઉત્તમ પુરુષોને સેવવાથી પોતાના ધર્મરૂપી શરીરનું પોષણ કરવું જોઈએ; કેમ કે ગુણના સ્મરણપૂર્વક કરાયેલી ગુણવાનની ભક્તિથી પોતાનું ધર્મરૂપી શરીર પુષ્ટ પુષ્ટતર થાય છે. - વળી, પ્રવચનના માલિન્યનું રક્ષણ કરવું જોઈએ, કઈ રીતે રક્ષણ કરવું જોઈએ ? તે સ્પષ્ટ ક૨વા માટે કહે છે – વિધિમાં પ્રવૃત્ત જીવ પ્રવચનના માલિત્યના પરિહારને સંપાદન કરે છે; કેમ કે અવિધિથી ધર્મ અનુષ્ઠાન કરનારા જીવોને જોઈને ઘણા યોગ્ય જીવોને ભગવાનના અનુષ્ઠાન વિષયક વિપર્યાસ થાય છે, જેનાથી ભગવાનના પ્રવચનની મલિનતા થાય છે અને જે જીવો ભગવાનના વચન અનુસાર વિધિપૂર્વક સ્વભૂમિકાનું અનુષ્ઠાન સેવે છે, તેનાથી અન્ય કોઈ જીવોને માર્ગનો ભ્રમ થતો નથી, તેથી વિધિપ્રવૃત્ત જીવ પ્રવચનના માલિન્યનું રક્ષણ કરે છે, આથી વિવેકીએ સ્વભૂમિકા અનુસાર સર્વ અનુષ્ઠાનોમાં વિધિથી યત્ન ક૨વો જોઈએ, જેથી પ્રવચનના માલિન્યજન્ય અનર્થની પ્રાપ્તિ થાય નહિ. વળી, પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન સ્વીકાર્યા પછી સૂત્રથી પોતાનો ભાવ જાણવો જોઈએ= આગમમાં રાગ-દ્વેષના સૂક્ષ્મ સ્વરૂપને બતાવનારાં જે વચનો છે તેનો પ્રથમ અભ્યાસ કરવો જોઈએ, તીર્થ જેવા મહાપુરુષો પાસેથી વારંવાર તેના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ અને તે શાસ્ત્રવચન દ્વારા જ્યારે રાગાદિ પરિણામોની સૂક્ષ્મ પરિણતિ કઈ રીતે જીવને ઉપદ્રવ કરે છે અને તેના નાશનો ઉપાય ભાવના શ્રુત પાઠ કઈ રીતે બને છે તેના પરમાર્થનું જ્ઞાન થાય ત્યારપછી અતિનિપુણતાપૂર્વક પોતાના આત્માનું પ્રેક્ષણ કરવું જોઈએ અર્થાત્ કયા પ્રકારના રાગાદિ કયાં નિમિત્તોથી પોતાના ચિત્તમાં કાલુષ્ય કરે છે જેના કારણે ગુણસ્થાનકની વૃદ્ધિની ક્રિયા કરવા છતાં ગુણસ્થાનકની તે પ્રકારની વૃદ્ધિ થતી નથી તે પ્રકારના આત્મભાવોને સૂત્રના બળથી જાણવા યત્ન કરવો જોઈએ, ત્યારપછી ભાવના શ્રુતના વચનો ચિત્તને સ્પર્શે તે રીતે ભાવન ક૨વા જોઈએ જેથી માત્ર બાહ્ય ક્રિયા કરીને ચિત્ત સંતોષવાળું થાય નહિ, પરંતુ તે તે ગુણસ્થાનકની ક્રિયા દ્વારા રાગાદિ ભાવોથી પોતાનું રક્ષણ થાય અને ઉત્તરોત્તર ગુણસ્થાનકની વૃદ્ધિમાં બાધક રાગાદિનો ક્ષય પોતે સુખપૂર્વક કરી શકે. વળી, સ્વભૂમિકા અનુસાર જે ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેમાં નિમિત્તોની અપેક્ષા રાખવી જોઈએ અર્થાત્ ઇષ્ટ-અનિષ્ટ સૂચક નિમિત્તોની અપેક્ષા રાખવી જોઈએ અથવા સહકારી કારણોરૂપ નિમિત્તોની અપેક્ષા રાખવી જોઈએ; કેમ કે ઇષ્ટ-અનિષ્ટ શકુનો પ્રાપ્ત થવા છતાં તેની ઉપેક્ષા કરીને પ્રવૃત્તિ ક૨વાથી જ્યારે વિપરીત સંયોગોની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવ માર્ગથી પણ ભ્રંશ પામે છે, તેથી નિમિત્તોની અપેક્ષા રાખીને Page #90 -------------------------------------------------------------------------- ________________ ધમ્મદેસયાણ ઉ૭ તેવા સંયોગોમાં વિપરીતતાનાં સૂચક નિમિત્તો મળે ત્યારે તે પ્રવૃત્તિનો પરિહાર કરવાથી પરમાર્થથી સંક્લેશની પ્રાપ્તિનો જ પરિહાર થાય છે, તેથી અનર્થોથી આત્માનું રક્ષણ થાય છે. વળી, સહકારી કારણોરૂપ નિમિત્તોની વિચારણા કરીને ઉચિત અનુષ્ઠાન સ્વીકારવામાં આવે તો તે સહકારી કારણના બળથી પણ આત્માનું રક્ષણ થાય છે અને વિપરીત સહકારી કારણો હોય અને તેની ઉપેક્ષા કરીને કોઈ પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે તો વિપરીત સહકારીના કારણે ક્લેશોની પરંપરા દ્વારા અનર્થોની પ્રાપ્તિ થાય છે, માટે સહકારી કારણોની અપેક્ષા રાખીને પ્રવૃત્તિનો સ્વીકાર કરવો જોઈએ. વળી, સંસારના ઉચ્છેદના અર્થી જીવે મોક્ષસાધક જે જે યોગો પોતાને પ્રગટ થયા નથી તેવા અસંપન્ન યોગોમાં પ્રયત્ન કરવો જોઈએ, જેમ જે કળામાં પોતાની કુશળતા ન હોય તે કળા અભ્યાસથી સિદ્ધ થાય છે, તેમ મોક્ષસાધક એવા ઉત્તમ ચિત્તને અનુકૂળ જે ઉચિત ક્રિયા હોય તેમાં પોતે સંપન્ન ન હોય તે ક્રિયામાં નિપુણતાપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો ક્રમે કરીને અસંપન્ન યોગ પણ સંપન્ન બને છે. વળી, પોતાના ચિત્તનો વિપરીત પ્રવાહ પ્રવર્તતો હોય તેને જાણવા યત્ન કરવો જોઈએ, જેમ સંસારથી ભય પામેલ યોગ્ય પણ જીવ પોતાની શક્તિનું આલોચન કરીને સર્વવિરતિ ગ્રહણ કરે અને ઉત્સાહથી સંયમની ક્રિયા કરીને ભવના ઉચ્છદ માટે યત્ન કરે છતાં કોઈક નિમિત્તથી ચિત્તનો પ્રવાહ વિપરીત પ્રવર્તે તો ગુણસ્થાનકની વૃદ્ધિને બદલે વારંવાર તેને સંયમની કષ્ટતા જ જણાય છે, જેથી ચિત્ત ગુણસ્થાનકની વૃદ્ધિમાં જવાને બદલે પાતને અભિમુખ વિપરીત પ્રવાહવાળું બને છે, તે વખતે કલ્યાણના અર્થી જીવે પોતાની તે પ્રકારની વિસ્રોતસિકાને જોઈને તેનાથી પોતાનું રક્ષણ કરવા માટે પ્રતિવિધાન કરવું જોઈએ, જેથી પ્રાપ્ત થયેલા ગુણસ્થાનકથી પાત પ્રાપ્ત થાય નહિ. જેમ સંસારમાં કોઈકથી ભય હોય ત્યારે રક્ષણના સ્થાનનું શરણ લેવામાં આવે છે, રોગ થયો હોય તો તેની ચિકિત્સા કરવામાં આવે છે અને શરીરમાં વિષ ફેલાયું હોય તો વિષના નિવારણ માટે વિષનિવારક મંત્રનો આશ્રય કરાય છે, તેમ પોતાના ચિત્તનો પ્રવાહ વિપરીત ચાલતો હોય અને તેને ભય લાગે કે હું સંયમનું રક્ષણ કરી શકીશ નહિ ત્યારે ગુણવાન ગુરુનું શરણું સ્વીકારે, જેથી ગુરુ ઉચિત અનુશાસન આપીને ચિત્તના વિપરીત ચાલતા પ્રવાહથી પોતાનું રક્ષણ કરે. વળી, જેમ દેહમાં રોગ થયો હોય ત્યારે ઔષધ કરાય છે તેમ ચિત્તમાં કોઈક વિકારો ઉત્પન્ન થયા હોય ત્યારે તેના શમન માટે વિવેકપૂર્વક છઠ અઠમ આદિ તપ કરાય છે, જેથી તે તે પ્રકારના વિકારો શાંત થાય છે. વળી, દેહમાં ઝેર વ્યાપ્ત થયું હોય ત્યારે વિષનાશક મંત્રનો આશ્રય કરાય છે, તેમ જેનું ચિત્ત બાહ્ય નિમિત્તોથી વાસિત બનતું હોય તેના કારણે રાગાદિ ઝેર વૃદ્ધિ પામતાં હોય ત્યારે તે રાગાદિ ઝેરના નિવારણ માટે સ્વાધ્યાય આદિ મંત્ર છે, તેથી વિવેકપૂર્વક જે પ્રકારના રાગાદિ ચિત્તને વ્યાકુળ કરતા હોય તેને અનુરૂપ ઉચિત સ્વાધ્યાય આદિ દ્વારા રાગાદિરૂપ વિષનો નાશ કરવો જોઈએ, જેથી ગુણસ્થાનકના પાતની પ્રાપ્તિ પૂર્વે જ ભયાદિમાં શરણ આદિના ઉદાહરણ દ્વારા પોતાના આત્માનું રક્ષણ થાય. આ રીતે અત્યાર સુધી સંક્ષેપથી ભગવાનની દેશના બતાવી અને તે દેશના સાંભળીને યોગ્ય જીવ તે Page #91 -------------------------------------------------------------------------- ________________ ५८ લલિતવિસ્તરા ભાગ-૨ દેશનાના સર્વ અંગોને ઉચિત રીતે અવધારણ કરીને સમ્યગુ યત્ન કરે તો સોપક્રમ કર્મનો નાશ થાય છે, તેથી પોતાની જે ભૂમિકા હોય તે ભૂમિકા અનુસાર તે તે ઉચિત ધર્મને સેવીને સળગતા ઘર તુલ્ય ભવને બુઝાવવા માટે યત્ન કરી શકે છે, અને જે કર્મ નિરુપક્રમ છે તે વર્તમાનમાં તેના પ્રયત્નથી નાશ પામે તેમ નથી, તોપણ તે નિરુપક્રમ કર્મના પ્રવાહનો વિચ્છેદ થાય છે, તેથી પ્રસ્તુતમાં વર્ણન કરાયેલી દેશનાના અવલંબનના બળથી યોગ્ય જીવો શક્તિ અનુસાર અપ્રમાદથી યત્ન કરે તો સોપક્રમ કર્મનો નાશ કરીને ગુણસ્થાનકની વૃદ્ધિ કરે છે અને નિરુપક્રમ કર્મના અનુબંધનો વિચ્છેદ કરીને પરિમિતભવોમાં અવશ્ય મોક્ષમાં જાય છે. આવા પ્રકારના ધર્મની દેશના ભગવાન આપે છે, એથી ભગવાન ધર્મના દેશક છે, તે સ્વરૂપે ભગવાનની સ્તુતિ કરવાથી ભગવાનની બતાવેલી દેશના શીધ્ર પરિણમન પામે છે. આવા सूत्र: धम्मनायगाणं ।।२२।। सूत्रार्थ : ધર્મના નાયક એવા ભગવાનને નમસ્કાર થાઓ. Jરરા ललितविस्तरा : तथा 'धम्मनायगाणं'। इह धर्मः अधिकृत एव, तस्य स्वामिनः, तल्लक्षणयोगेन, तद्यथा, (१) तद्वशीकरणभावात् (२) तदुत्तमावाप्तेः, (३) तत्फलपरिभोगात् (४) तद्विघातानुपपत्तेः। तथाहि एतद्वशिनो भगवन्तः (१) विधिसमासादनेन, विधिनायमाप्तो भगवद्भिः, तथा (२) निरतिचारपालनतया, पालितश्चातिचारविरहेण; एवं (३) यथोचितदानतः, दत्तश्च यथाभव्यं, तथा (४) तत्रापेक्षाऽभावेन, नामीषां दाने वचनापेक्षा।।। एवं च तदुत्तमावाप्तयश्च भगवन्तः (१) प्रधानक्षायिकथावाप्त्या, तीर्थकरत्वात् प्रधानोऽयं भगवतां; तथा (२) परार्थसंपादनेन, सत्त्वार्थकरणशीलतया एवं (३) हीनेऽपि प्रवृत्तेः, अश्वबोधाय गमनाऽकर्णनात्तथा (४) तथाभव्यत्वयोगात्, अत्युदारमेतदेतेषाम्।२।। एवं तत्फलपरिभोगयुक्ताः (१) सकलसौन्दर्येण निरुपम रूपादि भगवतां; तथा (२) प्रातिहार्ययोगात् नान्येषामेतत् एवं (३) उदारच॑नुभूतेः; समग्रपुण्यसम्भारजेयं, तथा (४) तदाधिपत्यतो भावात्, न देवानां स्वातन्त्र्येण। एवं तद्विघातरहिताः (१) अवन्थ्यपुण्यबीजत्वात्, एतेषां स्वाश्रयपुष्टमेतत्; तथा (२) अधिकानुपपत्तेः नातोऽधिकं पुण्यं; एवं (३) पापक्षयभावात्, निर्दग्धमेतत् तथा (४) अहेतुकविघातासिद्धेः, सदा सत्त्वादिभावेन, एवं धर्मस्य नायका धर्मनायका इति।।२२।। Page #92 -------------------------------------------------------------------------- ________________ ધમ્મનાયગાણ GE લલિતવિસ્તરાર્થ : અને ધર્મના નાયક ભગવાન છે, અહીં ધમ્મનાયગાણ પદમાં, ધર્મ અધિકૃત જ છે=દેશવિરતિરૂપ અને સર્વવિરતિરૂપ અધિકૃત જ ધર્મ છે, તેના સ્વામી ભગવાન છે; કેમ કે તેના લક્ષણનો યોગ છે=ભગવાનમાં ધર્મના નાયકના લક્ષણનો યોગ છે, તે=ભગવાનમાં ધર્મના નાયકના લક્ષણનો ચોગ છે તે, “કથા'થી બતાવે છે – ૧. તેના વશીકરણનો ભાવ હોવાથી=ધર્મના વશીકરણનો સદ્ભાવ હોવાથી, ૨. તેના ઉત્તમની પ્રાપ્તિ હોવાથી ચારિત્રધર્મમાં જે ઉત્તમ ચારિત્રધર્મ તેની પ્રાપ્તિ હોવાથી, ૩. તેના ફલનો પરિભોગ હોવાથીચારિત્રધર્મના ફલનો પરિભોગ હોવાથી, ૪. તેના વિઘાતની અનુપપત્તિ હોવાથી ચારિત્રના વિઘાતની અનુપપત્તિ હોવાથી, ભગવાનમાં ધર્મનાયજ્ઞા લક્ષણનો યોગ છે એમ અન્વય છે. ભગવાનમાં તદ્વશીકરણ આદિ ચાર હેતુઓનો સભાવ કેમ છે? તે તથાદિ થી બતાવે છે – આના વશવાળા ભગવાન છે=અધિકૃત એવા ચારિત્રધર્મના વશવાળા ભગવાન છે. કેમ ભગવાનને ચારિત્ર વશ છે તેમાં ચાર હેતુઓ કહે છે – ૧. વિધિના સમાસાદનાથી=વિધિના સમ્યક સેવનથી, વિધિ વડે આ=ચારિત્ર, ભગવાન વડે પ્રાપ્ત કરાયું છે અને ૨. નિરતિચાર પાલનપણાને કારણે=ભગવાને નિરતિચાર પાલન કરેલું હોવાને કારણે, ચારિત્ર ભગવાનને વશવર્તી છે એમ અન્વય છે અને અતિચારના વિરહથી ભગવાને ચારિત્રપાલન કરેલ છે, એ રીતે જે રીતે ચારિત્રપાલન કરેલ છે એ રીતે, ૩. યથા ઉચિત દાનથી ભગવાનને ચારિત્ર વશવર્તી છે અને ભગવાન વડે યથાભવ્ય ચારિત્ર અપાયું છે અને ૪. ત્યાં યથાભવ્ય ચારિત્રના દાનમાં, અપેક્ષાનો અભાવ હોવાથી ચારિત્ર ભગવાનને વશવર્તી છે એમ અન્વય છે, આમના દાનમાં=જીવોને ચારિત્રના દાનમાં, વચનની અપેક્ષા નથી. ભગવાન ધર્મના નાયક કેમ છે તેમાં ચાર હેતુઓ બતાવેલ, તેમાંથી ભગવાને ચારિત્રને વશ કઈ રીતે કરેલ છે તે ચાર હેતુઓથી બતાવ્યું, હવે ભગવાનને ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ કઈ રીતે થઈ છે ? તેમાં ચાર હેતુઓ બતાવે છે – અને આ રીતે=જે રીતે ભગવાને ચારિત્રને વશ કર્યું એ રીતે, તેના ઉત્તમની પ્રાપ્તિવાળા ભગવાન છે; કેમ કે ૧. પ્રધાન ક્ષાયિકધર્મની અવાતિ હોવાથી ઉત્તમધર્મની પ્રાપ્તિવાળા ભગવાન છે એમ અન્વય છે, તીર્થંકરપણું હોવાને કારણે ભગવાનને આ પ્રધાન છે ચારિત્રધર્મ પ્રધાન છે, અને ૨. સત્ત્વાર્થકરણ સ્વભાવપણું હોવાથી પરાર્થ સંપાદનને કારણે ભગવાનમાં ઉત્તમની અવાતિ છે એમ અન્વય છે, એ રીતે પરાર્થ સંપાદન કરે છે એ રીતે, ૩. હીનમાં પણ પ્રવૃત્તિ હોવાને કારણે ભગવાનમાં ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ છે એમ અન્વય છે. કેમ ભગવાનની હીનમાં પ્રવૃત્તિ છે ? તેમાં હેતુ કહે છે – Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦. લલિતવિસ્તરા ભાગ-૨ અશ્વના બોધ માટે ભગવાનના ગમનનું શ્રવણ છે અને ૪. તે પ્રકારના ભવ્યત્વના યોગથી ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિવાળા ભગવાન છે એમ અન્વય છે, આમનું=ભગવાનનું, આ અતિ ઉદાર છે–ચારિત્ર અતિ ઉદાર છે. વળી, ભગવાન ધર્મના ફલના પરિભોગને કરનારા હોવાથી ધર્મના નાયક છે એમ કહ્યું, તેથી હવે ભગવાન ધર્મના ફલના પરિભોગને કરનારા કઈ રીતે છે ? તેમાં ચાર હેતુ બતાવે છે – આ રીતે=ચારિત્રધર્મના ઉત્તમની પ્રાપ્તિ કરી એ રીતે, તેના ફલના પરિભોગયુક્ત ભગવાન છે, ૧. સકલ સૌંદર્યને કારણે ભગવાન ચારિત્રના ફલના પરિભોગયુક્ત છે એમ અન્વય છે. કેમ ભગવાનમાં સકલ સૌંદર્ય છે ? તે સ્પષ્ટ કરે છે – ભગવાનમાં નિરુપમ રૂપાદિ છે અને ૨. પ્રાતિહાર્યના યોગથી ભગવાન ચારિત્રના ફલના પરિભોગયુક્ત છે, આ=પ્રાતિહાર્ય, અન્ય મહાત્માઓને નથી, આ રીતે જે રીતે પ્રાતિહાર્યનો યોગ છે એ રીતે, ઉદાર ઋદ્ધિની અનુભૂતિ હોવાથી ભગવાન ચાત્રિફલના પરિભોગથી યુક્ત છે. કેમ ઉદાર ઋદ્ધિની અનુભૂતિ છે ? તે સ્પષ્ટ કરે છે – સમગ્ર પુણ્યના સમૂહથી ઉત્પન્ન થયેલી આ=ભગવાનની સમૃદ્ધિ છે અને ૪. તેના આધિપત્યનો ભાવ હોવાથી=સમગ્ર ઋદ્ધિના આધિપત્યનો ભાવ હોવાથી, ભગવાન ચારિત્રફલના પરિભોગથી યુક્ત છે. ભગવાનમાં ઋદ્ધિના આધિપત્યનો ભાવ કેમ છે ? તે સ્પષ્ટ કરે છે – દેવોમાં સ્વાતંત્ર્યથી નથી=અષ્ટ પ્રાતિહાર્ય કરનારા પણ દેવોમાં સ્વાતંત્ર્યથી અષ્ટ પ્રાતિહાર્યની ઋદ્ધિ નથી. વળી, ભગવાનમાં ચારિત્રના વિઘાતની અનુપપત્તિ છે તેમાં ચાર હેતુઓ બતાવે છે – આ રીતે=ભગવાન ધર્મના ફ્લનો પરિભોગ કરે છે એ રીતે, તેના વિઘાતથી રહિત છે યાત્રિધર્મના વિઘાતથી રહિત છે, ૧. અવંધ્ય પુણ્યનું બીજ૫ણું હોવાથી ચારિત્રના વિઘાતથી રહિત છે એમ અન્વય છે, સ્વઆશ્રય એવા=અવંધ્ય પુણ્યબીજના આશ્રય એવા, ભગવાનથી પુષ્ટ એવું આ=ચાસ્ત્રિ, આમને છે=ભગવાનને છે, અને ૨. અધિકની અનુપપતિ હોવાથી=ભગવાનને ચારિત્રનું જે ફળ પ્રાપ્ત થયું છે તેનાથી અધિક ફળની અનુપપત્તિ હોવાથી, તેના વિઘાતથી રહિત છે, આનાથી= ભગવાનને ચારિત્રનું જે ફળ મળ્યું છે તેનાથી, અધિક પુણ્ય નથી, એ રીતે=ભગવાનથી અધિક પુણ્યની અનુપપતિ છે એ રીતે, ૩. પાપક્ષયનો ભાવ હોવાથી તેના વિઘાત રહિત છે એમ અન્વય છે, આ=પાપ, અત્યંત બાળી નાખેલું છે અને ૪. અહેતુક વિઘાતની અસિદ્ધિ હોવાથી=વિઘાતના હેતુ નહિ હોવાને કારણે વિઘાતની અસિદ્ધિ હોવાથી, ભગવાન ચારિત્રના ફળના વિઘાત રહિત છે. હેતુ નહિ હોવાને કારણે વિઘાતની અસિદ્ધિ કેમ છે ? તેમાં હેતુ કહે છે – Page #94 -------------------------------------------------------------------------- ________________ ધમનાયગાણ સદા સત્ત્વાદિ ભાવને કારણે અહેતુક વિઘાતની અસિદ્ધિ છે, એ રીતે=અત્યાર સુધી વર્ણન st मेरीत, धर्मना नायsधर्मनायs, भगवान छ. ||२२|| ला :धर्मस्य नायकत्वे भगवतां साध्ये तद्वशीकरणादयश्चत्वारो मूलहेतवः, प्रत्येकं स्वप्रतिष्ठापकैः सभावनिकैश्चान्यैश्चतुर्भिरेव हेतुभिरनुगता व्याख्येयाः, तत्र तद्वशीकरणभावस्य मूलहेतोः (१) विधिसमासादनं, (२) निरतिचारपालनं, (३) यथोचितदानं, (४) तत्रापेक्षाभावश्च, एते सभावनिकाश्चत्वारः प्रतिहेतवः, द्वितीयस्य च तदुत्तमावाप्तिरूपस्य (१) प्रधानक्षायिकधर्मावाप्तिः, (२) परार्थसम्पादनं, (३) हीनेऽपि प्रवृत्तिः, (४) तथाभव्यत्वयोगश्चेत्येवंलक्षणाः। तृतीयस्य पुनस्तत्फलपरिभोगलक्षणस्य (१) सकल सौन्दर्य (२) प्रातिहार्ययोग, (३) उदारऱ्यानुभूतिः, (४) तदाधिपत्यभावश्चेत्येवंरूपाः। चतुर्थस्य तु तद्विघातानुपपत्तिरूपस्य (१) अवन्ध्यपुण्यबीजत्वं, (२) अधिकानुपपत्तिः, (३) पापक्षयभावो, (४) अहेतुकविघातासिद्धिश्चेत्येवंस्वभावाः सभावनिकाश्चत्वार एव प्रतिहेतवः, एते च भावनाग्रन्थेनैव व्याख्याता इति न पुनः प्रयासः। परं, _ 'एतद्वशिनः' इति, एषः अधिकृतो धर्मो, वशी:=वश्यो, येषां ते एतद्वशिन इति, विधिसमासादनेने ति, विधिसमासादितो ह्यर्थोऽव्यभिचारितया वश्यो भवति, न्यायोपात्तवित्तवद्, 'तत्रे'ति-दाने, 'वचनापेक्षेति, नहि भगवन्तो धर्मदाने अन्यमुनय इव पराज्ञामपेक्षन्ते, 'क्षमाश्रमणानां हस्तेन सम्यक्त्वसामायिकमारोपयामी'त्याद्यनुच्चारणात्। 'अश्वबोधाय गमनाऽकर्णनादिति, अश्वस्य-तुरङ्गमस्य, बोधाय सम्बोधाय, भगवतः श्रीमतो मुनिसुव्रतस्वामिनो भृगुकच्छे गमनश्रवणात्, तथाहि, 'किल भगवान् भुवनजनानन्दनो द्विषदुःसहप्रतापपरिभूतसमस्तामित्रसुमित्राभिधानभूपालकुलकमलखण्डमण्डनाऽमलराजहंसो भुवनत्रयाभिनन्दितपद्मापदपद्मावतीदेवीदिव्योदरशुक्तिमुक्ताफलाकारः श्रीमुनिसुव्रततीर्थनाथो मगधमण्डलमण्डनराजगृहपुरपरिपालितप्राज्यराजः सारस्वतादिवृन्दारकवृन्दाभिनन्दितदीक्षावसरः तत्कालमिलितसमस्तवासवविसरविरचितोदारपूजोपचारः चारकाकारसंसारनिस्सरणसज्जां प्रव्रज्यां जग्राह, तदनु पवनवदप्रतिबद्धतया निजचरणकमलपांशुपातपूतं भूतलं कुर्वन् कियन्तमपि कालं छद्मस्थतया विहत्य निशातशुक्लध्यानकुठारधाराव्यापारविलूनदुरन्तमोहतरुमूलजालः सकलकालभाविभावस्वभावावभासनपटिष्ठं केवलज्ञानमुत्पादयामास, समुत्पन्नज्ञानं च भगवन्तमासनचलनानन्तरं विज्ञाय भक्तिभरनिर्भरा निखिलसुरपतयो विहितसमवसरणादिरमणीयसपर्याः पर्यायेण यथास्थानमुपविश्य भगवन्तं पर्युपासयामासुः, भगवांश्च सनीरनीरद इव भव्यजन्तुसन्तानशिखिमण्डलोल्लासनस्वभावो भासुराभिनवाञ्जनपुञ्जसङ्काशकायः कषायग्रीष्मसमयसंतप्तप्राणिसंतापापनोददक्षो विक्षिप्तान्धकारभामण्डलतडिल्लतालङ्कृतः स्फुरद्धर्मचक्रकान्तिकलापोत्पादि Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ લલિતવિસ્તરા ભાગ-૨ तनभोभूषणाऽखण्डलकोदण्डाडम्बरः सौधर्मेशानसुरपतिपाणिपल्लवप्रेर्यमाणधवलचामरोपनिपातप्राप्तबलाकापङ्क्तिप्रभवशोभः सकलसत्त्वसाधारणाभिः सद्धर्मदेशनानीरधाराभिः स्वस्थीचकार निःशेषप्राणीहृदयभूप्रदेशानिति, ततः प्रवृत्ते तीर्थेऽन्यदा भानुमानिव भगवान् प्रबोधयन् भव्यपद्माकरान् दक्षिणापथमुखमण्डनं जगाम भृगुकच्छाभिधानं नगरमिति; समवससार च तत्र पूर्वोत्तरदिग्भागभाजिकोरिण्टकनामन्युद्याने। अत्रान्तरे निशम्य निजपरिजनाद् जिनागमनम्, आनन्दनिर्भरमानसः समारुह्य जात्यतुरङ्गममनुगम्यमानो मनुजव्रजेनाजगाम जगद्गुरुचरणारविन्दवन्दनाय तन्नगरनायको जितशत्रुनामा नरपतिः; प्रणिपत्य सकलकमलानिकेतनं जिनपतिपदकमलमुपविष्टो घटितकरकुड्मलो भगवच्चरणमूले; समाकर्णितवान् कर्णामृतभूतां भगवद्देशनाम्, तदनु जाननपि जनबोधनाय विनयपूर्वं प्रणम्य पप्रच्छ परमगुरुं गणधरो, यथा- 'भगवन्नमुष्यां मनुष्यामरतिर्यक्कुलसङ्खलायां पर्षदि कियद्भिर्भव्यजन्तुभिरपूर्वैरभ्युपगतं सम्यक्त्वं, परीत्तः कृतः संसारसागरः; पात्रीकृतो निर्वृतिसुखानामात्मेति?' ततः कुन्दकान्तदन्तदीप्तिभि-रुद्योतयन्नभोऽङ्गणं जगाद जगन्नाथो, यथा-'सौम्य! समाकर्णय न केनचित् तुरङ्गरत्नमपहायापरेणेति,' ततः श्रुत्वा सर्वज्ञवचनमवोचज्जितशत्रुभूपतिः-'भगवन्! कौतुकाकुलित(प्र०... कलित)चित्तो जिज्ञासामि तुरगवृत्तान्तमहम्। अन्यच्च-भगवन्नहमस्मिन्नश्वरत्ने समारुह्य चलितस्ते चलननलिनमभिवन्दितुम्, विलोक्य त्रिलोकीतिलकतुल्यं समवसरणमवतीर्णस्तुरङ्गमात्, प्रवृत्तः पद्भ्यामेवागन्तुम्, तावत्सकलजन्तुजातचित्तानन्ददायिनी सजलजलदनादगम्भीरां गम्भीरभवपाथोधिपोतोपमां समाकर्ण्य भगवद्देशनामानन्दपयःप्लावितपवित्रनेत्रपात्रो निश्चलीकृतकर्णयुगलः समुल्लसितरोमकूपो मुकुलिताक्षः क्षणमात्रमवस्थितोऽसावश्वः, तदनु पुनर्द्धर्मश्रवणविश्राणितश्रवणोपयोगः समागतः समवसरणतोरणान्तिकं, तत्र चापूर्वप्रमोदरसमनुभवन् भूमिन्यस्तजानुयुगलो गलन्निखिलाशुद्धकलिमलः(प्र०... कलमलः) कथयन्निव निजमानसविशदवासनां शिरसाऽभिवन्द्य भगवन्तं तथास्थित एवासितुमारब्धवान्, ततस्तदेवंविधमश्वविलसितं विलोक्य विस्मितोऽहं कदाचिददृष्टपूर्वाश्चर्यपूर्यमाणमानसः समागतो भगवत्समीपमिति, ततः कथयतु मथितमिथ्यात्वो भगवान् किमेतिदति', भगवता भणितं'सौम्य! समाकर्णय-समस्ति समस्तमेदिनीपद्मासद्मभूतं पद्मिनिखेटं नाम नगरं, तत्राभ्यस्तजिनधर्मो जिनधर्मनामधेयः श्रेष्ठश्रीसञ्चयसमाश्रयः श्रेष्ठी वसति स्म, तथाऽपरः सागरदत्ताभिधानः प्रभूतधननिधानं निखिलजनप्रधानं जिनधर्मश्रावकपरममित्रं दीनानाथादिदयादानपरायणस्तस्मिन्नेव पुरे श्रेष्ठी तिष्ठति स्म; स च प्रतिदिनं जिनधर्मश्रावकसमेतो याति जिनालयं, पर्युपास्ते पञ्चप्रकाराचारधारिणः श्रमणान्। अन्यदा तच्चरणान्तिके धर्ममाकर्णयनिमां गाथामाकर्णयाञ्चकार, यथा-'जो कारवेइ पडिमं, जिणाण जियरागदोसमोहाणं। सो पावइ अन्नभवे भवमहणं धम्मवररयणं ।।१।।' अवगतश्चानेनास्या भावार्थो भवितव्यतानियोगतः, समारोपितश्चेतसि, गृहीतः परमार्थबुद्ध्या, निवेदितः स्वाभिप्रायः श्रावकाय, कृता तेनापि तदभिप्रायपुष्टिः, तदनु कारितवानसौ सकलकल्याणकारिणी कल्याणमयीं जिनपतिप्रतिमां, प्रतिष्ठापयामास स महता विभवेन, तेन च सागरदत्तश्रेष्ठिना पूर्वमेव नगरबहिष्कारितं रुद्रायतनम्। Page #96 -------------------------------------------------------------------------- ________________ ७३ ધમ્મનાયગાણ अन्यदा तत्र पवित्रकारोपणदिने जटाधारिणः प्रव्रजिताः पशुपतिलिङ्गपूरणनिमित्तं शठप्रकृतयो मठेभ्यो घृतादिपूर्णकुम्भान्निष्कासयामासुः, तदधोभागे च भूयस्यो घृतपिपीलिकाः पिण्डीभूता भूतवत्यः; तेषु च निष्कास्यमानेषु भूतले ता निपेतुः; ते च ताः पथि पतिता निर्दयतया मर्दयन्तः सञ्चरन्ति स्म, सोऽपि करुणाईचेतास्तच्चरणचूर्यमाणा वस्त्रप्रान्तेनोत्सारयाञ्चकार; तं चोत्सारयन्तं दृष्ट्वा एकेन जटाधारिणा धर्ममत्सरिणा घृतपिपीलिकापुजं पादेनाक्रम्योपहसितः सागरदत्तः श्रेष्ठी-'अहो श्रेष्ठिन्! श्वेताम्बर इव दयापरः संवृत्तोऽसि।' ततोऽसौ वणिक् विलक्षीभूतः किमयमेवमाहेत्यभिधाय तदाचार्यमुखमवालोकत, तेनापि तद्वचनमपकर्णितम्, ततश्चिन्तितं चतुरचेतसा सागरदत्तेनन खल्वमीषां मूर्खचक्रवर्तिनां मनसि जीवदया, न प्रशस्ता चेतोवृत्तिः, नापि सुन्दरं धर्मानुष्ठानमिति परिभाव्योपरोधविहिततत्कार्यो विशिष्टवीर्यविरहादनुपार्जितसम्यक्त्वरत्नः प्रवर्तितमहारम्भः समुपार्जितवित्तरक्षणाक्षणिको गृहपुत्रकलत्रादिकृतममत्वः प्रकृत्यैव दानरुचिः प्रचुरद्रविणवाञ्छया 'कदा व्रजति सार्थः? क्व किं क्रयाणकं क्रीणाति लोकः? कस्मिन्मण्डले कियती भूमिः? कः क्रयविक्रयकालः? किं वा वस्तु प्राचुर्येणोपयुज्यते?' इत्याद्यहर्निशं चिन्तयन्नुपार्जिततिर्यग्गतियोग्यका मृत्वा समुत्पन्नस्तव तुरङ्गतया, स्थापितः (च) स्ववाहनतया, अद्य तु मदीयवचनमाकर्ण्य पूर्वजन्मनिओपितार्हत्प्रतिमाप्रभावप्राप्तावन्ध्यबोधिबीजोभेदादवाप्तं सम्यक्त्वं, भाजनीकृतः खल्वात्मा शिवसुखानामिति, एतत्सम्बोधनार्थं चाहमत्रागतवानिति च भगवानुवाचेति, ततः प्रभृति चाश्वावबोध इति नाम तीर्थं भृगुकच्छं रूढमिति।। 'तदाधिपत्यतो भावान्न देवानां स्वातन्त्र्येणे'ति, भगवत्स्वेवाधिपतिषु इयमुदारद्धिरुत्पद्यते, न देवेषु कर्तृष्वपि, 'अधिकानुपपत्ते रिति, -अधिकपुण्यसम्भवे हीनतरद्विहन्यते। 'सदासत्त्वादिभावेने ति, 'नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात्। अपेक्षातो हि भावानां कादाचित्कत्वसंभवः।।१।।' इति। अत्र 'तथा'शब्दा ‘एवं शब्दाश्चानन्तरहेतुना उत्तरहेतोस्तुल्यसाध्यसूचनार्थाः।।२२।। पंनिवार्थ : धर्मस्य ..... सूचनार्थाः ।। भगवान धर्मना वायsugj साध्य होते ते तशीsegule यार मूण હેતુઓ દરેક સ્વપ્રતિષ્ઠાપક સભાવનિકાવાળા અન્ય ચાર જ હેતુઓ વડે અનુગત વ્યાખ્યાન કરવાં જોઈએ=ભગવાન ધર્મના લાયક છે તે સાધ્ય છે અને તેના તદ્વશીકરણાદિ ચાર મૂળ હેતુઓ છે તેમાંથી પ્રત્યેક હેતુ સ્વ-પ્રતિષ્ઠાપક એવા ચાર હેતુઓથી તેની ભાવલિકાઓથી યુક્ત લલિતવિસ્તરામાં બતાવેલ છે તે પ્રમાણે યોજન કરીને વ્યાખ્યાન કરવું જોઈએ, ત્યાં=ભગવાનના ધર્મનાયકપણાની સિદ્ધિમાં, તદ્વશીકરણ ભાવરૂપ મૂળ હેતુના ૧. વિધિ સમાસાદન ૨. નિરતિચાર પાલન ૩. યથા ઉચિત દાન અને ૪. ત્યાં અપેક્ષાનો અભાવ એ ભાવલિકા સહિત ચાર પ્રતિ હેતુઓ છે=લલિતવિસ્તરામાં એ ચાર પ્રતિ હેતુઓ કઈ અપેક્ષાએ છે તેની ભાવલિકાઓ તે તે હેતુઓ સાથે બતાવેલ છે તેનાથી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ લલિતવિસ્તરા ભાગ-૨ સહિત ચાર પ્રતિ હેતુઓ છે, અને તદ્ ઉત્તમ અવાપ્તિરૂપ બીજા હેતુના ૧. પ્રધાન ક્ષાયિકધર્મની પ્રાપ્તિ ૨. પરાર્થનું સંપાદન ૩. હીતમાં પણ પ્રવૃત્તિ અને ૪. તથાભવ્યત્વનો યોગ એવા લક્ષણવાળા ભાવલિકાઓ સહિત ચાર પ્રતિ હેતુઓ છે, વળી, તત્કલ પરિભોગ સ્વરૂપ ત્રીજા મૂળ હેતુના ૧. સકલ સૌંદર્ય ૨. પ્રાતિહાર્યનો યોગ ૩. ઉદાર ઋદ્ધિની અનુભૂતિ અને ૪. તેના આધિપત્યનો ભાવ, આવા સ્વરૂપવાળા ભાવલિકાઓ સહિત ચાર પ્રતિeતુઓ છે, વળી, તેના વિઘાતની અનુપપત્તિરૂપ ચોથા મૂળ હેતુના ૧. અવંધ્યપુણ્યબીજત્વ ૨. અધિકારી અનુપપતિ ૩. પાપક્ષયનો ભાવ અને ૪. અહેતુક વિઘાતની અસિદ્ધિ, આવા સ્વભાવવાળા ભાવલિકા સહિત ચાર જ પ્રતિeતુઓ છે, આ ચાર પ્રતિહેતુઓ ભાવતાગ્રંથથી જ=ભાવનિકા બતાવી છે તે ગ્રંથથી જ, વ્યાખ્યાન કરાયા છે, એથી ફરી પ્રયાસ નથી=પંજિકાકાર દ્વારા ફરી પ્રયાસ કરાતો નથી પરંતુ, આને વશવાળા એ લલિતવિસ્તરાનું પ્રતીક છે તેનો અર્થ સ્પષ્ટ કરે છે – આ અધિકૃત ધર્મ=ચારિત્રરૂપ ધર્મ, વશી છે=વશ્ય છે જેઓને તેઓ એના વશવાળા છે ચારિત્રના વશવાળા છે, વિથસમાસાનનો અર્થ સ્પષ્ટ કરે છે – વિધિથી પ્રાપ્ત કરાયેલો અર્થ અવ્યભિચારીપણાથી વશ્ય થાય છે, ચાયથી પ્રાપ્ત કરાયેલા ધનની જેમ, માટે વિધિથી ભગવાને ચારિત્રધર્મ પ્રાપ્ત કર્યો છે, તેથી ચારિત્ર ભગવાનને વશ છે, ત્યાં ચોથા હેતુમાં, જે તત્ર શબ્દ છે તે દાન અર્થમાં છે, તેમાં વચનની અપેક્ષા ભગવાનને નથી, દિ=જે કારણથી, ભગવાન ધર્મના દાતમાં અન્ય મુનિઓની જેમ બીજાની આજ્ઞાની અપેક્ષા રાખતા નથી; કેમ કે ક્ષમાશ્રમણના હસ્તથી સમ્યક્ત સામાયિકને હું આરોપણ કરું છું ઈત્યાદિ અનુચ્ચારણ છે. અશ્વબોધ માટે ગમનનું આકર્ણન હોવાથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે તેનો અર્થ કરે છે – અશ્વને બોધ માટે=સંબોધન કરવા માટે, ભગવાન શ્રીમાન્ મુનિસુવ્રત સ્વામીનું ભૃગુકચ્છમાં ગમતનું શ્રવણ હોવાથી હનમાં પણ ભગવાનની પ્રવૃત્તિ છે એમ અવય છે, તે આ પ્રમાણે – જગતના લોકોને આનંદ પમાડનારા શત્રુને દુસહ એવા પ્રતાપથી પરાભવ પામેલા અમિત્ર અર્થાત્ મિત્ર નથી એવા રાજાઓના સુમિત્ર નામવાળા રાજાના કુળરૂપી કમળવતમાં શોભતા નિર્મળ રાજહંસ જેવા, ભુવતત્રયથી અભિનંદિત પદ્મનું સ્થાન એવી પદ્માવતી દેવીના દિવ્ય ઉદરરૂપી શક્તિમાં મુક્તાલના આકારવાળા, મગધમંડલને શોભાવનાર રાજગૃહ નગરનું પાલન કરાયું છે શ્રેષ્ઠ રાય જેમના વડે એવા, સારસ્વત આદિ લોકાંતિક દેવના સમૂહથી અભિનંદિત કરાયો છે દીક્ષા અવસર જેમનો એવા, તત્કાલ એકઠા થયેલા સમસ્ત ઈન્દ્રોના સમૂહથી રચાયેલી ઉદાર પૂજાના ઉપચારવાળા ભગવાન્ શ્રી મુનિસુવ્રત તીર્થનાથે કારાગૃહના આકારવાળા સંસારથી નીકળવામાં સજ્જ એવી પ્રવ્રયાને ગ્રહણ કરી. ત્યારપછી પવનની જેમ અપ્રતિબદ્ધપણાથી=સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં અસંશ્લેષપણાથી, પોતાના ચરણકમલની રજના પાતથી પવિત્ર ભૂતલને કરતાં કેટલોક કાળ છદ્મસ્થપણાથી વિચારીને તીક્ષણ એવા શુકલ ધ્યાનરૂપી કુહાડાની ધારના વ્યાપારથી કાપી નંખાયો છે દુરંત મોહરૂપી વૃક્ષના મૂળનો સમૂહ જેમના વડે એવા, સકલ કાલમાં થનારા ભાવોના સ્વભાવના અવભાસનમાં સમર્થ એવા Page #98 -------------------------------------------------------------------------- ________________ ધમ્મનાયગાણું ૭૫ કેવળજ્ઞાનને પ્રભુએ ઉત્પન્ન કર્યું, અને આસનના ચલનના અનંતર સમુત્પન્ન જ્ઞાનવાળા ભગવાનને જાણીને ભક્તિના સમૂહથી સભર એવા, કરાઈ છે સમવસરણાદિ રમણીય પૂજા જેમના વડે એવા, સર્વ ઈન્દ્રો પર્યાયથી=મથી, યથાસ્થાને બેસીને ભગવાનની પપાસના કરતા હતા, પાણીથી યુક્ત વાદળાની જેમ ભવ્ય પ્રાણીઓના સમૂહરૂપી મોરના મંડલને ઉલ્લાસ કરવાના સ્વભાવવાળા તેજસ્વી નવા અંજનના પુંજ જેવી કાયાવાળા કષાયોરૂપી ગ્રીષ્મ ઋતુથી સંતપ્ત પ્રાણીઓના સંતાપને દૂર કરવામાં સમર્થ ફેંકાયો છે અંધકાર જેના વડે એવા, ભામંડલના તેજથી અલંકૃત થયેલા સ્કુરાયમાન ધર્મચક્રની કાંતિના સમૂહથી ઉત્પન્ન કરાયેલા આકાશને શોભાવનારા, ઈન્દ્રધનુષના આડંબરવાળા સૌધર્મેન્દ્ર-ઈશાનેન્દ્રના હાથથી વિંઝાતા સફેદ ચામરના ઉપનિપાતથી પ્રાપ્ત થયેલી બગલાની શ્રેણી જેવી થયેલી શોભાવાળા, ભગવાને સકલ જીવોને સાધારણ એવી સદ્ધર્મની દેશનારૂપી પાણીની ધારાથી સમસ્ત પ્રાણીઓના હદયરૂપી ભૂમિપ્રદેશોને સ્વસ્થ કર્યો. ત્યારપછી તીર્થ પ્રવૃત થયે છતે એકવાર ભવ્યજીવો રૂપી સરોવરોને સૂર્યની જેમ પ્રબોધન કરતાં ભગવાન્ દક્ષિણાપથના મુખમંડળરૂપ ભૃગુકચ્છ નગરમાં ગયા અને ત્યાં=ભૃગુકચ્છમાં, પૂર્વ-ઉત્તર દિશાના ભાગરૂપ કોરિંટક ઉદ્યાનમાં સમવસર્યા. એટલામાં પોતાના પરિજનથી જિનાગમતને સાંભળીને આનંદથી સભર એવા માનસવાળો મનુષ્યોના સમૂહથી અનુસરણ કરાતો તે નગરનો નાયક જિતશત્રુરાજા જાત્ય અશ્વ ઉપર ચડીને જગતગુરુના ચરણકમળને વંદન કરવા માટે આવ્યો, સકલ લક્ષ્મીનું સ્થાન એવા જિનપતિના ચરણકમલને નમસ્કાર કરીને રચેલી હાથની અંજલિવાળો ભગવાનના ચરણમાં બેઠો, કર્ણને અમૃત જેવી ભગવાનની દેશના સાંભળી, ત્યારપછી જાણતા એવા પણ ગણધરે લોકોના બોધન માટે વિનયપૂર્વક પ્રણામ કરીને પરમગુરુને પૂછ્યું, જે આ પ્રમાણે – હે ભગવન્! મનુષ્યો, દેવો અને તિર્યંચોના સમૂહથી ભરેલી આ પર્ષદામાં કેટલા ભવ્યજીવો વડે અપૂર્વથી પૂર્વે નહીં પ્રાપ્ત કરાયેલા એવા જીવોથી, સમ્યક્ત પ્રાપ્ત કરાયું ? સંસારસાગર પરિમિત કરાયો ? આત્મા નિવૃત્તિસુખનું પાત્ર કરાયો ? ત્યારપછી મચકુંદની કાંતિ જેવી દાંતની દીપ્તિથી ગગનાંગણને પ્રકાશિત કરતાં જગન્નાથ બોલ્યાજે આ પ્રમાણે – હે સૌમ્ય ! સાંભળ, તુરંગરત્નને છોડીને બીજા કોઈ વડે નહિ=અપૂર્વથી સમ્યક્ત પ્રાપ્ત કરાયું નથી, ત્યારપછી સર્વજ્ઞતા વચનને સાંભળીને જિતશત્રુ રાજાએ કહ્યું – હે ભગવદ્ ! કૌતુકથી યુક્ત ચિત્તવાળો હું તુરગના વૃતાંતને જાણવા ઈચ્છું . અને વળી, હે ભગવન્! હું આ અશ્વરત્ન ઉપર ચડીને તમારા ચરણકમળને વંદન કરવા માટે ચાલ્યો, ત્રણ લોકના તિલક સમાન સમવસરણને જોઈને અશ્વ ઉપરથી ઊતર્યો, પગ વડે જ આવવાને માટે પ્રવૃત્ત થયો, તેટલામાં સકલ પ્રાણીઓના સમૂહના ચિત્તને આનંદ આપનારી, જળવાળા મેઘના અવાજ જેવી ગંભીર ગંભીરભવસમુદ્રથી તારવામાં વહાણની ઉપમાવાળી, ભગવાનની દેશના સાંભળીને આનંદરૂપી પાણીથી ભીંજાયેલા પવિત્રનેત્રપાત્રવાળો, નિશ્ચલ કરાયેલા કર્ણયુગલવાળો, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૬ લલિતવિસ્તરા ભાગન ઉલ્લાસ પામેલા રોમકૂપવાળો, વિકસિતનેત્રવાળો, આ અશ્વ ક્ષણમાત્ર રહ્યો, ત્યારપછી ફરી ધર્મશ્રવણથી આપેલા શ્રવણના ઉપયોગવાળો સમવસરણના તોરણ પાસે આવ્યો અને ત્યાં અપૂર્વપ્રમોદના રસને અનુભવતો ભૂમિ ઉપર મુકાયેલા જાનુયુગલવાળો ગળી ગયેલી સમગ્ર કલિમલવાળો પોતાના મનની નિર્મળ વાસનાને જાણે કહેતો તે અશ્વ ભગવંતને મસ્તકથી વંદન કરીને તે પ્રમાણે રહેલો જ અા દેશના સાંભળવા લાગ્યો, ત્યારપછી તે આવા પ્રકારની અશ્વની ચેષ્ટાને જોઈને વિસ્મય પામેલો ક્યારેય પૂર્વે નહિ જોવાયેલા આશ્ચર્યથી પુરાતા માનસવાળો હું ભગવાનની પાસે આવ્યો, તેથી મથળ કર્યું છે મિથ્યાત્વ એવા ભગવાન ! કહો, આ શું ? - ભગવાન વડે કહેવાયું હે સૌમ્ય ! સાંભળ, સમગ્ર પૃથ્વીરૂપી પદ્માના નિવાસરૂપ પદ્મનિખેટ નામનું નગર હતું, ત્યાં અભ્યાસ કરાયેલા જિનધર્મવાળો શ્રેષ્ઠ લક્ષ્મીના સંચયના સમાશ્રયવાળો જિનધર્મ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. અને તે જ નગરમાં ઘણા ધનના ભંડારવાળો સમગ્ર લોકમાં પ્રધાન જિનધર્મ શ્રાવકનો પરમમિત્ર દીન અનાથ આદિની દયા અને દાનમાં પરાયણ બીજો સાગરદત્ત નામે શ્રેષ્ઠી રહેતો હતો અને તે હંમેશાં જિનધર્મ શ્રાવક સાથે જિનાલય જાય છે, પાંચ પ્રકારના આચારને ધારણ કરનારા શ્રમણોની પર્વપાસના કરે છે. એક વાર તેમના ચરણ પાસે ધર્મને સાંભળતા એવા તેણે આ ગાથાને સાંભળી જે પ્રમાણે – જે જીવ જિતાયા છે રાગ-દ્વેષ-મોહ જેમના વડે એવા જિનની પ્રતિમાને કરાવે છે તે જીવ અન્ય ભવમાં ભવને મથત કરનાર શ્રેષ્ઠ ધર્મરત્વ પામે છે, ભવિતવ્યતા નિયોગથી આના વડે આનો ભાવાર્થ જણાયો, ચિત્તમાં આરોપણ કરાયો, પરમાર્થબુદ્ધિથી ગ્રહણ કરાયો, પોતાનો અભિપ્રાય શ્રાવકને નિવેદન કરાયો, તેના વડે પણ તેના અભિપ્રાયની પુષ્ટિ કરાઈ, ત્યારપછી આણે=સાગરદત્ત શ્રેષ્ઠીએ, સકલ કલ્યાણને કરનારી કલ્યાણમયી જિનપ્રતિમા કરાવી, તેણે મોટા વૈભવ વડે પ્રતિષ્ઠા કરાવી અને તે સાગરદત્ત શ્રેષ્ઠી વડે પહેલાં જ નગર બહાર રુદ્રાયતન કરાવાયું હતું. – એકવાર ત્યાં પવિત્રક આરોપણના દિવસે પ્રજિત થયેલા શઠ પ્રકૃતિવાળા જટાધારીઓ પશુપતિલિંગપૂરણનિમિત્તે મઠમાંથી ઘી આદિથી ભરેલા કુંભોને કાઢતા હતા અને તેના અધોભાગમાં=કુંભોના નીચેના ભાગમાં, ઘણી ઘીમેલો એકઠી થયેલી હતી અને તે કુંભો કાઢતે છતે તે ઘીમેલો ભૂતલ ઉપર પડતી હતી અને તે જટાધારીઓ માર્ગમાં પડેલી તે ઘીમેલોને નિર્દયપણાથી મર્દન કરતા ચાલતા હતા, કરુણાથી આર્દ્ર ચિત્તવાળો તે સાગરદત્ત શ્રેષ્ઠી પણ તેઓના પગથી કચરાતી તે ઘીમેલોને વસ્ત્રના છેડા વડે દૂર કરતો હતો અને દૂર કરતાં તેને જોઈને ધર્મમત્સરી એક જટાધારી વડે ઘીમેલના સમૂહને પગથી હણીને સાગરદત્ત શ્રેષ્ઠી હસાયો – અહો શ્રેષ્ઠીન્, શ્વેતામ્બરની જેમ દયાપર સંવૃત્ત તું છે, તેથી તે વણિક વિલખો થયો, શું આ આ પ્રમાણે કહે છે ? એ પ્રમાણે કહીને ત્યારે આચાર્યના મુખને જોયું, તેના વડે પણ તેનું વચન કર્ણ પર ન લેવાયું, ત્યારપછી ચતુરચિત્તવાળા સાગરદત્ત વડે વિચારાયું – ખરેખર ! આ મૂર્ખ ચક્રવર્તીઓના મનમાં જીવદયા નથી, ચિત્તની વૃત્તિ પ્રશસ્ત નથી, Page #100 -------------------------------------------------------------------------- ________________ ધમ્મનાયગાણું ધર્મ અનુષ્ઠાન પણ સુંદર નથી, એ પ્રમાણે પરિભાવિત કરીને ઉપરોધથી કરાયેલા તે કાર્યવાળો વજનાદિના આગ્રહથી પ્રસંગને અનુરૂપ કરાયેલા તે કાર્યવાળો, વિશિષ્ટ વીર્યના વિરહને કારણે નહિ ઉપાર્જિત કરાયેલા સમ્યક્તરત્નવાળો, પ્રવર્તાવેલા મહા આરંભવાળો, ઉપાર્જન કરેલા ધનરક્ષણમાં સતત પ્રવૃત્ત ઘર-પુત્ર-પત્ની આદિમાં કરાયેલા મમત્વવાળો, પ્રકૃતિથી જ દાનની રુચિવાળો, ઘણા ધનની ઈચ્છાથી સાથે કયાં જાય છે? લોકો કયાં શું કરિયાણું ખરીદે છે? કયા મંડલમાં કેટલી ભૂમિ છે? કયો ખરીદવેચાણનો કાળ છે ? અથવા કઈ વસ્તુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરાય છે ? ઈત્યાદિ રાત-દિવસ વિચાર કરતો ઉપાર્જન કરાયેલા તિર્યંચગતિયોગ્ય કર્મવાળો મરીને તારા અશ્વપણાથી ઉત્પન્ન થયો અને સ્વવાહનપણાથી સ્થાપન કરાયો, આજે વળી, મારા વચનને સાંભળીને પૂર્વજન્મમાં નિર્માણ કરાયેલી અર્હત્ પ્રતિમાના પ્રભાવથી પ્રાપ્ત થયેલા અવંધ્ય બોધિબીજના ઉદ્દભેદથી સમ્યક્ત પ્રાપ્ત કરાયું. પોતાનો આત્મા શિવસખતે ભાજન કરાયો અને આના સંબોધન માટે હું અહીં આવ્યો એ પ્રમાણે ભગવાને કહ્યું, ત્યારથી માંડીને અશ્વાવબોધ એ પ્રમાણે તામતીર્થ ભુગુકચ્છ રૂઢ થયું. તેના આધિપત્યનો ભાવ હોવાથી સ્વાતંત્ર્યથી દેવોને નથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – ભગવાન અધિપતિ હોતે છતે આ ઉદાર ઋદ્ધિ ઉત્પન્ન થાય છે–અષ્ટ પ્રાતિહાર્ય૩૫ ઋદ્ધિ ઉત્પન્ન થાય છે, કરનારા પણ દેવોમાં અષ્ટ પ્રાતિહાર્ય કરનારા પણ દેવોમાં, નથી તે ઋદ્ધિ નથી. અધિકની અનુપપતિ હોવાથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, અધિક પુણ્યનો સંભવ હોતે છતે હીનતર પુણ્ય હણાય છે, જેમ ભગવાનનું અધિક પુણ્ય હોવાના કારણે ગૌતમ આદિ મહામુનિઓનું હીવતર પુણ્ય હણાય છે, પરંતુ ભગવાનના પુણ્યથી અધિક પુણ્યની અનુપ પતિ છે, માટે તદ્વિઘાત રહિત ભગવાન છે. સદા સત્ત્વાદિ ભાવથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – અન્યનું અનપેક્ષણ હોવાથી હેતુનું નિત્ય સત્વ અથવા અસત્વ થાય, દિ=જે કારણથી, અપેક્ષાથી ભાવોના કાદાચિત્કત્વનો સંભવ છે. અહીં=લલિતવિસ્તરામાં, તથા શબ્દો=ચારે હેતુઓના અવાંતર હેતુઓમાં જે તથા શબ્દ છે તે, અને પર્વ શબ્દ છે તે અનંતર હેતુથી ઉત્તરના હેતુની તુલ્ય સાધ્યને સૂચનના અર્થવાળા છે અર્થાત્ મૂળ હેતુને સાધનાર જે પૂર્વનો હેતુ છે તે હેતુથી ઉત્તરનો હેતુ પણ તુલ્ય રીતે મૂળ હેતુને સાધનાર છે તેને સૂચન કરનાર છે. IIરરા ભાવાર્થ - ભગવાન ચારિત્રધર્મના નાયક : ભગવાન ચારિત્રધર્મના નાયક છે; કેમ કે (૧) ભગવાનને ચારિત્ર અત્યંત વશ થયેલું છે, જેમ અન્ય મહામુનિઓ ચારિત્રની આરાધના કરતા હોય, તોપણ નિમિત્ત પામીને ચારિત્રમાં સ્કૂલના થાય છે તે બતાવે Page #101 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૧ છે કે તેઓને ચારિત્ર કંઈક પ્રકૃતિરૂપ હોવા છતાં અત્યંત વશ નથી, પરંતુ આત્માના નિરાકુળ સ્વભાવમાં રહેવારૂપ ચારિત્ર ભગવાનને અત્યંત વશ છે. (૨) વળી, ચારિત્રધર્મની પ્રાપ્તિ તરતમતાથી થાય છે, પરંતુ ભગવાનને તે ચારિત્ર પરાકોટીનું પ્રાપ્ત થયું છે, તેથી ભગવાન ચારિત્રના સ્વામી છે. (૩) વળી, ચારિત્રના ફલનો ઉપભોગ કરનારા છે, માટે ભગવાન ચારિત્રધર્મના સ્વામી છે. (૪) વળી, પ્રાપ્ત થયેલા ચારિત્રમાં ક્યારેય વિઘાતની અનુપપત્તિ છે, માટે ભગવાન ચારિત્રના નાયક છે. આ રીતે ભગવાન ચારિત્રધર્મના નાયક કેમ છે, તેમાં મૂળ ચાર હેતુઓ છે. હવે તે ચાર હેતુઓના અવાંતર ચાર હેતુઓ છે તે બતાવે છેઃ ભગવાનને ચારિત્ર વશ છે માટે ભગવાન ચારિત્રના સ્વામી છે. કેમ ભગવાનને ચારિત્ર વશ છે તેમાં ચાર હેતુ બતાવે છે. ભગવાન ચારિત્રધર્મના વશવાળા: (૧) ભગવાને વિધિપૂર્વક ચારિત્રનું સેવન કર્યું છે, તેથી ચારિત્ર ભગવાનને વશ થયેલ, તેથી એ પ્રાપ્ત થાય કે મોહદશામાં વર્તતા જીવોને ચારિત્ર કલ્યાણનું કારણ છે તેવો બોધ થાય અને ચારિત્રને સેવીને સંસારનો અંત કરવો છે તેવો દઢ સંકલ્પ થાય, તોપણ વિધિપૂર્વક ચારિત્રનું સેવન અત્યંત ધીરપુરુષો જ કરી શકે છે, તેથી ઘણા મહાત્માઓ ચારિત્રનું સેવન કરતા હોય, તોપણ નિમિત્તોને પામીને અલના પામે છે, પરંતુ ભગવાન તો મહાસાત્વિકપુરુષ હતા, તેથી વિધિપૂર્વક ચારિત્રનું પાલન કરીને જીવની પ્રકૃતિરૂપે ચારિત્રને પ્રાપ્ત કર્યું, માટે ચારિત્ર ભગવાનને વશ થયું. (૨) વળી, ભગવાને ચારિત્રનું નિરતિચાર પાલન કર્યું, તેથી પ્રતિકૂળ સંયોગોમાં પણ અલના પામ્યા વગર ધીરતાથી આત્માની નિરાકુળ પ્રકૃતિમાં વિશ્રાંત થવા માટે યત્ન સ્વરૂપ ચારિત્રનું પાલન કર્યું, તેથી ચારિત્ર ભગવાનને અત્યંત વશ થયેલ છે. (૩) વળી, જે વસ્તુ પોતાને સ્વાધીન હોય તે યથા ઉચિત દાન કરી શકાય છે, જેમ ધનસંપત્તિનો સ્વામી પોતાને ઉચિત જણાય તે પ્રકારે પોતાના ધનનું દાન કરી શકે છે, તેથી તેની સંપત્તિ તેને વશ છે તેમ કહેવાય છે, તે રીતે ભગવાન પણ જીવોની યોગ્યતા અનુસાર ચારિત્રનું દાન કરે છે, તેથી ભગવાનને ચારિત્ર વશ છે તેમ કહેવાય છે. (૪) વળી, કોઈની પાસે સંપત્તિ હોય તો પણ તેના દાનમાં બીજાની અનુજ્ઞા લઈને તે દાન કરી શકે તેમ હોય તો તે સંપત્તિ તેને વશ નથી તેમ કહેવાય છે, તે રીતે અન્ય મુનિઓ પણ યોગ્ય જીવોને ચારિત્રનું દાન કરે છે તોપણ તે દાન વખતે તેઓને અન્યની અપેક્ષા છે, આથી જ દીક્ષા આપતી વખતે ક્ષમાશ્રમણના હસ્તથી હું સમ્યક્ત સામાયિક અર્પણ કરું છું એમ અન્ય મુનિઓ કહે છે; કેમ કે અન્ય મુનિઓ પરમગુરુના વચનને કે પરમગુરુના વચનાનુસાર ચાલનારા ઋષિઓને પરતંત્ર થઈને જ સર્વ ક્રિયાઓ કરવાના અધિકારી છે, તેથી તેઓને ચારિત્ર વશ નથી, પરંતુ ક્ષમાશ્રમણને પરતંત્ર થઈને ચારિત્રને વશ કરવા યત્ન કરે છે, જ્યારે ભગવાનને ચારિત્રના દાનમાં અન્યની અપેક્ષાનો અભાવ છે, આથી જ “ક્ષમાશ્રમણના હસ્તથી હું સમ્યક્ત સામાયિક આરોપણ કરું છું,’ એ પ્રમાણે ભગવાન કહેતા નથી, પરંતુ પોતાનામાં વશ થયેલા Page #102 -------------------------------------------------------------------------- ________________ ધમ્મનાયગાણ ચારિત્રના બળથી જીવોની યોગ્યતા અનુસાર યોગ્ય જીવોને ચારિત્રનું દાન કરે છે, તેથી આ ચાર હેતુઓથી ભગવાનમાં ચારિત્ર અત્યંત વશ છે, માટે ભગવાન ચારિત્રના નાયક છે એમ સિદ્ધ થાય છે. ભગવાનને ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ - વળી, ભગવાને ઉત્તમ એવા ચારિત્રની પ્રાપ્તિ કરી છે માટે ભગવાન ચારિત્રધર્મના નાયક છે. કેમ ભગવાને ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ કરી છે ? તેમાં ચાર હેતુ બતાવે છે – (૧) પ્રધાન એવા ક્ષાયિકધર્મની ભગવાનને પ્રાપ્તિ છે અર્થાતુ અન્ય કેવલીઓને ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ હોવા છતાં પ્રધાન શાયિક ચારિત્રની પ્રાપ્તિ નથી, પરંતુ ભગવાન તીર્થકર છે, તેથી તીર્થંકરનામકર્મથી ઉપબૃહીત એવું ક્ષાયિક ચારિત્ર પ્રધાન ક્ષાયિક ચારિત્ર છે અને તેવું ભગવાને પ્રાપ્ત કર્યું છે, માટે ભગવાનમાં ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ છે. (૨) વળી, ભગવાન ચારિત્રને પ્રાપ્ત કરીને ઘણા જીવોના હિતનું સંપાદન કરે છે, માટે ભગવાનને પ્રાપ્ત થયેલું ચારિત્ર અન્યના ચારિત્ર કરતાં ઉત્તમ ચારિત્ર છે; કેમ કે સ્વપરના કલ્યાણનું એક કારણ છે. (૩) વળી, ભગવાનમાં તેનું ઉત્તમ ચારિત્ર છે, તેથી હીન એવા પશુમાં પણ યોગ્યતા જણાય તો તેના ઉપકાર માટે પ્રવૃત્તિ કરે છે, આથી જ હીન એવા અશ્વને ઉપકાર થશે તેવું મુનિસુવ્રત સ્વામી ભગવાનને જણાવાથી તેના ઉપકાર માટે ભગવાન ગયા, તેવું આગમમાં સંભળાય છે, તેથી નક્કી થાય છે કે ઉત્તમ પુરુષોમાં ઉત્તમતાની પરાકાષ્ઠાવાળું ચારિત્ર હોય છે. (૪) વળી, ભગવાનમાં તથાભવ્યત્વનો યોગ છે, તેથી અતિ ઉદાર એવું ચારિત્ર પ્રાપ્ત થયું છે, તેથી એ ફલિત થાય કે અન્ય પણ ભવ્યજીવો પોતાના ભવ્યત્વ પ્રમાણે કેવલી પણ થાય છે, ક્ષાયિક ચારિત્ર પણ પ્રાપ્ત કરે છે તોપણ ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ કરાવે તેવા ભવ્યત્વનો યોગ ભગવાનમાં છે, તેથી ભગવાને જે સાયિક ચારિત્ર પ્રાપ્ત કર્યું તે અતિ ઉદાર છે, જેના કારણે સર્વ યોગ્ય જીવોના કલ્યાણ માટે પ્રબળ કારણ બને તેવું ઉત્તમ ચારિત્ર ભગવાને પ્રાપ્ત કર્યું છે. ભગવાન ચારિત્રધર્મના ફલના પરિભોગના કારણે ધર્મના નાયક - વળી, ભગવાન ધર્મના નાયક કેમ છે? તેમાં હેત કહ્યો કે ચારિત્ર ધર્મના ફળનો પરિભોગ છે તેમાં ચાર હેતુઓ બતાવે છે – (૧) ભગવાનમાં સકલ પ્રકારનું સૌંદર્ય છે તે બતાવે છે કે ભગવાને પૂર્વભવમાં તે પ્રકારે સુંદર ચારિત્ર પાળેલું જેનાથી વિશિષ્ટ પ્રકારનું પુણ્ય ઉપાર્જન કર્યું, જેથી ચરમ ભવમાં ભગવાનને નિરુપમ રૂપાદિની પ્રાપ્તિ થઈ, તે અરિત્રના ફળના પરિભોગ સ્વરૂપ છે; કેમ કે સમ્ય રીતે સેવાયેલું ચારિત્ર વિશિષ્ટ પુણ્ય અને વિશિષ્ટ નિર્જરા દ્વારા મોક્ષ પ્રત્યે કારણ બને છે અને ભગવાને જે વિશિષ્ટ ચારિત્રનું પાલન કર્યું, તેનાથી તીર્થંકર નામકર્મનો બંધ થયો, તેના ફળ સ્વરૂપે નિરુપમ રૂપાદિની પ્રાપ્તિ થઈ, માટે ભગવાન ચારિત્રના ફળના પરિભોગને કારણે ધર્મના નાયક છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ (૨) વળી, કેવળજ્ઞાન થયા પછી આઠ પ્રાતિહાર્ય પ્રગટ થાય છે તે અન્ય કોઈ મહાત્મામાં નથી, તેથી ચારિત્રના શ્રેષ્ઠ ફળરૂપ પ્રાતિહાર્યનો યોગ હોવાથી પણ ભગવાન ધર્મના નાયક છે. ૮૦ (૩) વળી, ભગવાનને ચરમભવમાં ઉદાર ઋદ્ધિની અનુભૂતિ છે, તે સમગ્ર પુણ્યના સંભાસ્થી થનારી છે, તેથી ચારિત્રના ફળરૂપ મહાસમૃદ્ધિને ભોગવનારા હોવાથી ભગવાન ચારિત્ર ધર્મના નાયક છે. (૪) વળી, ભગવાનને જે ઉદાર ઋદ્ધિ છે તેમાં ભગવાનનો આધિપત્યનો ભાવ છે; કેમ કે દેવો ભગવાન પ્રત્યેની ભક્તિથી તેવી સર્વ સમૃદ્ધિ કરે છે, જેથી કેવળજ્ઞાન પછી ભગવાન સુવર્ણકમળ પર પગ મૂકે છે, ચામરો વિંઝાય છે તોપણ તેવી સમૃદ્ધિ દેવોને સ્વાતંત્ર્યથી નથી, પરંતુ દેવો ભગવાનના પુણ્યથી આવર્જિત થઈને તે સર્વ સમૃદ્ધિ પ્રગટ કરે છે, માટે નિર્લેપ યોગી હોવા છતાં ચારિત્રના ફળરૂપે મહાસમૃદ્ધિને ભોગવનારા ભગવાન ચારિત્ર ધર્મના નાયક છે. ભગવાનનું ચારિત્ર વિઘાત રહિત ઃ વળી, ભગવાનમાં ચારિત્ર વિદ્યાતને પામે તેવું નથી, જો કે ક્ષાયિકભાવનું ચારિત્ર અન્ય કેવળીઓમાં છે, તોપણ ભગવાનના ચારિત્રથી પ્રાપ્ત થયેલું જે પુણ્ય તેનું ફળ જે ભગવાન ભોગવે છે તે વિધાત રહિત છે, માટે ભગવાન ચારિત્રના નાયક છે. કેમ ભગવાનનું ચારિત્રના સેવનથી પ્રાપ્ત થયેલું પુણ્ય વિદ્યાત રહિત છે ? તેમાં ચાર હેતુઓ બતાવે છે – (૧) અવંધ્ય પુણ્યનું બીજ છે=ભગવાનને ચારિત્રના ફળરૂપે કેવળજ્ઞાન થયા પછી જે સમૃદ્ધિ પ્રગટ થઈ છે તે સર્વ તેમના ઉત્તમ પરિણામથી પુષ્ટ થયેલા પુણ્યરૂપ બીજથી પ્રગટ થયેલી છે, જે પુણ્ય ક્યારેય પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ જાય નહિ તે અવંધ્ય પુણ્ય છે, જેમ કોઈ જીવે ભૂતકાળમાં સુંદર પુણ્ય બાંધ્યું હોય અને વ્યાઘાતક સામગ્રી મળે તો તે પુણ્ય નિષ્ફળ જાય છે, તેથી જે પુણ્ય બલવાન વિપરીત સામગ્રીને પામીને વ્યાઘાત પામે તેવું હોય તે વંધ્યપુણ્ય કહેવાય, પરંતુ ભગવાનનું પુણ્ય કોઈ નિમિત્તને પામીને વ્યાઘાત ન પામે તેવું અવંધ્ય હોય છે અને તેવા અવંધ્ય પુણ્યનું બીજપણું ભગવાનને પ્રાપ્ત થયેલા ચારિત્રના ફળમાં છે, તેથી ભગવાન જે ચારિત્રના ફળનો ઉપભોગ કરે છે તે વિદ્યાત રહિત છે; કેમ કે ભગવાનરૂપ આશ્રયથી પુષ્ટ થયેલું તે પુણ્ય છે, તેથી ક્યારેય વિદ્યાત પામતું નથી. (૨) વળી, ભગવાનને જે તીર્થંકરની સમૃદ્ધિરૂપ ફળ મળ્યું છે તેનાથી અધિકની અનુપપત્તિ છે; કેમ કે પુણ્યના ફળરૂપે જે ચક્રવર્તી આદિ અન્ય પદવીઓ મળે છે તે પણ આનાથી અધિક પુણ્યરૂપ નથી, માટે ભગવાનને પ્રાપ્ત થયેલ પુણ્યના ફળમાં વિઘાતની અનુપપત્તિ છે, તેથી વિદ્યાત રહિત પુણ્યનું ફળ હોવાને કા૨ણે ભગવાન ચારિત્રધર્મના નાયક છે. (૩) વળી, ભગવાને જે ચારિત્ર પાળ્યું તેના કારણે જેમ ઘાતિકર્મનો નાશ થયો તેમ અન્ય પણ પાપપ્રકૃતિઓનો ક્ષય થયેલો છે, તેથી ચારિત્રના ફળમાં વ્યાઘાત કરનારી પાપપ્રકૃતિઓ નિર્દગ્ધ થયેલ છે, આથી જ અન્ય કેવલીઓને કેવલજ્ઞાન પછી પણ કોઈક પાપપ્રકૃતિઓ ઉદયમાં આવે છે, તેથી અશાતા આદિનો પણ અનુભવ કરે છે, પરંતુ ભગવાને પાપપ્રકૃતિનો તે રીતે ક્ષય કરેલો હોવાથી ભગવાનને Page #104 -------------------------------------------------------------------------- ________________ ધમ્મસારહીણ ચારિત્રના ફળરૂપ જે પુણ્ય છે તે પાપપ્રકૃતિના વિદ્યાતથી રહિત છે, માટે ભગવાન ધર્મના નાયક છે. (૪) વળી, ભગવાને ધર્મના સેવનથી જે શ્રેષ્ઠ પુણ્ય અર્જન કર્યું તેના વિદ્યાતનો કોઈ હેતુ નથી, તેથી અહેતુક વિદ્યાત હોવાને કારણે ભગવાનને ધર્મના ફળમાં વિઘાતની અસિદ્ધિ છે. કેમ ભગવાનના પુણ્યના વિઘાતનો હેતુ નથી ? તેથી કહે છે ૧ જે અહેતુક હોય તેને સદા સત્ત્વની પ્રાપ્તિ થાય કે સદા અસત્ત્વની પ્રાપ્તિ થાય, જેમ આત્મા પ્રત્યે કોઈ હેતુ નથી, તેથી પોતાના આત્માનું સદા સત્ત્વ છે અને તે તે જન્મ પ્રત્યે તે તે કર્મ હેતુ છે, તેથી તે તે જન્મનું સદા સત્ત્વ નથી, પરંતુ જ્યારે હેતુ પ્રાપ્ત થાય ત્યારે તેનું સત્ત્વ પ્રાપ્ત થાય છે. વળી, શશશૃંગનો કોઈ હેતુ નથી, તેથી શશશૃંગનું સદા અસત્ત્વ પ્રાપ્ત થાય છે અને ભગવાને ચારિત્રધર્મનું સેવન કરીને તીર્થંકરનામકર્મરૂપ શ્રેષ્ઠ પુણ્ય બાંધ્યું છે તેના વિઘાતનો કોઈ હેતુ નથી, તેથી અહેતુક એવા વિદ્યાતની ભગવાનના પુણ્યના ફળમાં અસિદ્ધિ છે, તેથી જ્યારથી ભગવાનનું તીર્થંકરનામકર્મ વિપાકમાં આવે છે ત્યારથી ભગવાનમાં તે પુણ્યનું સદા સત્ત્વ છે, પરંતુ સંસારી જીવોને શાતા વર્તતી હોય તોપણ વિધાતની સામગ્રી પામીને તે શાતાના વિઘાતની સિદ્ધિ થાય છે, તેમ ભગવાનના પુણ્યના ફળમાં વિઘાતનો હેતુ નહિ હોવાથી વિઘાતની અસિદ્ધિ છે, તેથી ચારિત્રનું ફળ ભગવાનને વિદ્યાત રહિત છે, તેથી ભગવાન ધર્મના નાયક છે. II૨૨શા સૂત્ર : થમ્નસારહીનં ।।૨રૂ।। સૂત્રાર્થ - ધર્મના સારથિ એવા ભગવાનને નમસ્કાર થાઓ. ||૩|| લલિતવિસ્તરા : तथा, 'धम्मसारहीणं' । इहापि धर्मोऽधिकृत एव, तस्य स्वपरापेक्षया सम्यक्प्रवर्त्तनपालनदमनयोगतः सारथित्वम् । - तद्यथा • सम्यक्प्रवर्त्तनयोगेन परिपाकापेक्षणात् प्रवर्त्तकज्ञानसिद्धेः, अपुनर्बन्धकत्वात्, प्रकृत्याभिमुख्योपपत्तेः । લલિતવિસ્તરાર્થ ઃ અને ભગવાન ધર્મના સારથિ છે, અહીં પણ=પ્રસ્તુત સૂત્રમાં પણ, ધર્મ અધિકૃત જ છે=ચારિત્રધર્મ જ છે, તેનું સ્વપરની અપેક્ષાથી સમ્યક્ પ્રવર્તન-પાલન અને દમનયોગને કારણે સારથિપણું છે, તે આ પ્રમાણે છે=ભગવાનનું સારથિપણું સમ્યક્ પ્રવર્તન આદિને કારણે આ પ્રમાણે છે સમ્યક્ પ્રવર્તનના યોગને કારણે ભગવાન સારથિ છે. કેમ સમ્યક્ પ્રવર્તનનો યોગ છે ? તેમાં હેતુ કહે છે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૨ લલિતવિસ્તાર ભાગ-૨ પરિપાનું અપેક્ષણ છે. કેમ પરિપાકનું અપેક્ષણ છે? તેમાં હેતુ કહે છે – પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ છે. કેમ પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ છે? તેમાં હેતુ કહે છે – અપુનબંધકપણું છે. કેમ અપુનબંધકપણું છે ? તેમાં હેતુ કહે છે – પ્રકૃતિને અભિમુખપણાની ઉપપત્તિ છે. પંજિકા - દાપી'ચારિપિ , ન વત્ન પૂર્વસૂત્રે, “ઘ' “થવૃત્ત =ચારિત્રધર્મ ચર્થ, ‘તચ=ાથચેવ, 'स्वपरापेक्षया' स्वस्मिन्परस्मिंश्चेत्यर्थः, 'प्रवर्तनपालनदमनयोगतः' हेतुत्रितयतया साधयिष्यमाणात्, 'सारथित्वं' रथप्रवर्तकत्वम्। તરે તથા રૂાવિના માવતિतत् सारथित्वं यथा भवति तथा प्रतिपाद्यत इत्यर्थः, 'सम्यक्प्रवर्त्तनयोगेन' अवन्ध्यमूलारम्भव्यापारण, धर्मसारथित्वमिति संटङ्कः, एषोऽपि कुत इत्याह- 'परिपाकापेक्षणात्' परिपाकस्य-प्रकर्षपर्यन्तलक्षणस्य अपेक्षणात्-साध्यत्वेनाश्रयणात्, एतदपि कुत इत्याह- 'प्रवर्तकज्ञानसिद्धेः'=अर्थित्वगर्भप्रवृत्तिफलस्य ज्ञानस्य भावात्, प्रदर्शकाद्यन्यज्ञानेन प्रवृत्तेरयोगात्, सापि कथमित्याह- 'अपुनर्बन्धकत्वात्'='पापं न तीव्रभावात्करोति' इत्यादिलक्षणोऽपुनर्बन्धकस्तद्भावात्, तदपि कथमित्याह- 'प्रकृत्याभिमुख्योपपत्तेः'-प्रकृत्या-तथाभव्यत्वपरिपाकेन स्वभावभूतया(आभिमुख्योपपत्तेः-) धर्म प्रति प्रशंसादिनानुकूलभावघटनात्। પંજિકાર્ચ - પી ચારિ ... માપદના ફૂદાવી ઇત્યાદિ પ્રતીક છે, અહીં પણ કેવલ પૂર્વસૂત્રમાં નહિ, ધર્મ અધિકૃત જ છે=ચારિત્રધર્મ જ છે એ પ્રકારનો અર્થ છે, તેનું-રથની જેવા ચારિત્રનું, સ્વ-પરની અપેક્ષાએ સ્વમાં અને પરમાં, પ્રવર્તન-પાલન અને દમનના યોગથી=હેતુત્રિતપણાથી સિદ્ધ કરાશે એવા પ્રવર્તન-પાલન અને દમનના યોગથી, સારથિપણું છે=રથ પ્રવર્તકપણું છે. તેને જ=સારથિપણાને જ, તવથા ઈત્યાદિથી ભાવન કરે છે–તે સારથિપણું જે પ્રમાણે થાય તે પ્રમાણે પ્રતિપાદન કરાય છે=ભગવાનને પોતાના ચારિત્રધર્મનું સારથિપણું જે પ્રમાણે થાય તે પ્રમાણે પ્રતિપાદન કરાય છે, સમ્યફ પ્રવર્તનના યોગથી=અવંધ્ય મૂલ આરંભના વ્યાપારથી=ચારિત્રધર્મનો મૂલા આરંભ અવશ્ય લલચસ્થાને પહોંચાડે તેવા અવંધ્ય મૂલ આરંભના વ્યાપારથી, ધર્મસારથિપણું છે એ પ્રમાણે સંરંક છે=યોજન છે, આ પણ=સમ્યફ પ્રવર્તનનો યોગ પણ, કયા કારણથી છે? એથી કહે Page #106 -------------------------------------------------------------------------- ________________ ધમ્મસારવીણ ૮૩ છે – પરિપાકનું અપેક્ષણ હોવાથી=પ્રકર્ષપર્વતના સ્વરૂપ રૂપ ચારિત્રના પરિપાકનું અપેક્ષણ હોવાથી અર્થાત્ સાધ્યપણારૂપે આયણ હોવાથી સમ્યફ પ્રવર્તનનો યોગ છે એમ અવય છે, આ પણ=પરિપાકનું અપેક્ષણ પણ, કયા કારણથી છે ? એથી કહે છે – પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ હોવાથી અધિત્વ ગર્ભ પ્રવૃત્તિના ફલવાળા જ્ઞાનનો સદ્ભાવ હોવાથી પરિપાકનું અપેક્ષણ છે, પ્રદર્શકાદિ અન્ય જ્ઞાનથી પ્રવૃતિનો અયોગ હોવાને કારણે પ્રવર્તક જ્ઞાનથી જ સમ્યફ પ્રવર્તનનો યોગ છે એમ અવય છે, તે પણ=પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ પણ, કેમ છે ? એથી કહે છે – અપુનબંધકપણું હોવાથી=પાપ તીવ્રભાવથી કરતો નથી ઈત્યાદિ સ્વરૂપ અપુનબંધક તેનો ભાવ હોવાથી પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ છે, તે પણ અપુનબંધકપણું પણ, કેમ છે? એથી કહે છે – પ્રકૃતિથી અભિમુખપણાની ઉપપતિ હોવાથી= તથાભવ્યત્વના પરિપાકને કારણે સ્વભાવભૂત એવી પ્રકૃતિથી અભિમુખપણાની ઉપપત્તિ હોવાથી=ધર્મ પ્રત્યે પ્રશંસાદિથી અનુકૂળ ભાવનું ઘટના હોવાથી અપુનબંધકપણાની પ્રાપ્તિ છે. ભાવાર્થ ભગવાન ધર્મના સારથિ છે એ કથનમાં ધર્મ ચારિત્રધર્મ સ્વરૂપ છે અને ભગવાન તે ચારિત્રધર્મને સ્વપરની અપેક્ષાથી સમ્યક પ્રવર્તન, પાલન અને દમન કરે છે, તેથી ભગવાન સારથિ થયા, તેમાં પ્રથમ ભગવાને પોતાના ચારિત્રધર્મરૂપી રથને સમ્યફ પ્રવર્તાવ્યો, જેથી તેઓ ચારિત્રધર્મરૂપી રથને યોગનિરોધરૂપ ચરમ ભૂમિકા સુધી પ્રાપ્ત કરાવી શક્યા, તેથી પોતાના ધર્મરૂપી રથને સમ્યફ પ્રવર્તાવ્યો એમ કહેવાય છે. ભગવાને ચારિત્રને સમ્યફ પ્રવર્તાવ્યું એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાને અવંધ્ય મૂલ આરંભ કરેલ અર્થાત્ ચારિત્રધર્મનો પ્રારંભ તે પ્રકારે કર્યો કે જે અવશ્ય ફલ સુધી પ્રવર્તન પામે, જેમ ભગવાને ચરમભવમાં ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે તે ચારિત્રનો મૂલ આરંભ તે પ્રકારનો હતો કે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અવશ્ય ફળને પ્રાપ્ત કરાવે. કેમ ભગવાને પોતાનો ચારિત્રરથ સમ્યફ પ્રવર્તાવ્યો ? તેમાં ચાર હેતુ કહે છે – (૧) પરિપાકની અપેક્ષા : ભગવાને ચારિત્ર ગ્રહણ કર્યા પછી પરિપાકની અપેક્ષા રાખેલી, તેથી ચરમભવમાં કે તેની પૂર્વના ભવમાં જે કંઈ ચારિત્ર પાળ્યું છે તે ચારિત્રના પાલનમાં પ્રકર્ષપર્યત જે ચારિત્રનો પરિપાક છે તેને મારે સાધવો છે એ પ્રકારે આશ્રય કરેલ, તેથી હંમેશાં ચારિત્રપાલનકાળમાં પોતાનું વર્તમાનનું ચારિત્ર કઈ રીતે ત્રણ ગુપ્તિના સામ્રાજ્ય દ્વારા સર્વ સંવરરૂપ યોગનિરોધ સુધીની ભૂમિકાને પ્રાપ્ત કરશે તે પ્રકારે અપેક્ષા રાખીને પ્રવૃત્તિ કરેલી, તેથી પરિપાકની અપેક્ષાથી તેઓની પ્રવૃત્તિ હોવાને કારણે ચારિત્રરથને સમ્યફ પ્રવર્તાવી શક્યા, તેથી ભગવાનમાં સમ્યફ પ્રવર્તનના યોગની પ્રાપ્તિ હતી. (૨) પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ - અહીં પ્રશ્ન થાય કે ભગવાન જ્યારે છઘર્થીકાળમાં, ચરમભવમાં કે પૂર્વના ભવમાં ચારિત્રપાલન કરતા હતા ત્યારે પરિપાકની અપેક્ષા કયા કારણથી રાખી શક્યા ? જેથી તેઓમાં સમ્યફ પ્રવર્તનના યોગની પ્રાપ્તિ થઈ ? તેમાં હેતુ કહે છે – Page #107 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ ભગવાનને પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ હતી=પ્રવૃત્તિનું ફળ મારે પ્રાપ્ત કરવું છે' તેવા અર્થીપણાથી યુક્ત એવી પ્રવૃત્તિના ફળવાળા જ્ઞાનની ભગવાનને પ્રાપ્તિ હતી, તેથી ભગવાન પોતાનો ચારિત્રરથ લક્ષ્યને અનુકૂળ સતત પ્રવર્તાવી શક્યા. જ અહીં પ્રશ્ન થાય કે અન્ય પણ જીવો મોક્ષના માટે સંયમ ગ્રહણ કરે છે તેઓને સમ્યક્ પ્રવર્તનનો યોગ કેમ પ્રાપ્ત થતો નથી ? તેમાં યુક્તિ બતાવે છે - — પ્રદર્શક આદિ અન્ય જ્ઞાનથી પ્રવૃત્તિનો અયોગ છે, તેથી જેઓ સ્થૂલથી ચારિત્રના આચારો પાળે છે તેમાં તેઓ મોક્ષપથમાં જઈ રહ્યા છે તેવું પ્રદર્શક જ્ઞાન છે અને કેટલાક જીવોને વિપરીત પ્રવૃત્તિ કરાવે તેવું વિપર્યાસવાળું જ્ઞાન છે, તેથી યથાતથા ચારિત્રની પ્રવૃત્તિ કરે છે તેવા જ્ઞાનથી મોહનાશને અનુકૂળ અંતરંગ પ્રવૃત્તિનો અયોગ હોવાથી તેઓમાં સમ્યક્ પ્રવર્તનનો યોગ પ્રાપ્ત થતો નથી, પરંતુ ભગવાનમાં પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ હોવાથી સમ્યક્ પ્રવર્તનનો યોગ હતો, તેથી ભગવાન પોતાના ચારિત્રધર્મરૂપી રથના સારથિ બન્યા. (૩) અપુનઃધકપણાની પ્રાપ્તિ : વળી, ભગવાનમાં પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ કેમ થઈ ? તેમાં યુક્તિ બતાવે છે – ભગવાને ચારિત્ર પ્રાપ્ત કર્યું તેના પૂર્વે અપુનર્બંધક દશાની પ્રાપ્તિ કરી ત્યારે, પાપ તીવ્રભાવથી ન કરે તેવી સુંદર પ્રકૃતિવાળા બન્યા, તેથી તત્ત્વનો અર્થી એવો ભગવાનનો આત્મા તત્ત્વને જાણવા માટે સમ્યગ્ યત્નવાળો બન્યો, જેનાથી પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ થઈ, જેમ વીર ભગવાનને નયસારના ભવમાં અપુનર્બંધક દશાની પ્રાપ્તિ હતી, તેથી ભદ્રક પ્રકૃતિવાળા એવા ભગવાનના આત્માને સાધુને દાન આપીને ભોજન ક૨વાનો વિચાર આવ્યો અને મહાત્માઓના સંપર્કથી દેવ, ગુરુ અને ધર્મના પારમાર્થિક સ્વરૂપની પ્રાપ્તિરૂપ સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યું, તેથી તેમને વીતરાગદેવ જ ઉપાસ્યરૂપે જણાયા, ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા ગુરુ જ ગુરુ રૂપે આશ્રયણીય જણાયા અને સર્વજ્ઞ વીતરાગનું વચન વીતરાગતાનું એક કારણ છે, માટે તેવો ધર્મ સેવવો જોઈએ તે રૂપ સૂક્ષ્મ બુદ્ધિ પ્રગટી, તેનાથી પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ થઈ, તેથી પ્રવર્તક જ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યે અપુનર્બંધકપણું કારણ બન્યું. (૪) પ્રકૃતિથી અભિમુખપણાની ઉપપત્તિ થઈ : અહીં પ્રશ્ન થાય કે અપુનર્બંધકપણાની પણ પ્રાપ્તિ કેમ થઈ ? તેથી કહે છે – પ્રકૃતિથી અભિમુખપણાની ઉપપત્તિ થઈ, તેથી અપુનર્બંધક થયા અર્થાત્ તથાભવ્યત્વને કારણે જીવની સ્વભાવભૂત જે પ્રકૃતિ છે તે પ્રકૃતિથી ધર્મને અભિમુખ પરિણામવાળા થયા, તેથી શુદ્ધ ધર્મને જોઈને પ્રશંસાદિ દ્વારા ચારિત્ર ધર્મને અભિમુખ ભાવવાળા થયા, જેનાથી તીવ્રભાવથી પાપ ન કરે તેવી અપુનર્બંધક દશાની પ્રાપ્તિ થઈ. તેથી એ ફલિત થાય કે જીવ પ્રથમ પ્રકૃતિથી જ ધર્મને વિમુખ અને અધર્મને સન્મુખ પ્રવર્તે છે, તેથી મોહના પરિણામથી જીવનું વીર્ય બાહ્ય ભાવોમાં દૃઢપણે પ્રવર્તે છે અને તેના દ્વારા તે તે બાહ્ય ક્રિયાઓ અને મોહના ભાવો કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્યારે તે જીવમાં વર્તતું સિદ્ધિગમન યોગ્યત્વ સિદ્ધિગમનને Page #108 -------------------------------------------------------------------------- ________________ ધમ્મસારહીણ અભિમુખ થાય છે ત્યારે તે જીવને જે પ્રકારનું ભવ્યત્વ છે તે પ્રકારે ભવ્યત્વ પરિપાકભાવને પામે છે, જેથી કંઈક ધર્મને અભિમુખ બને છે, તે પ્રકૃતિથી મોક્ષને અભિમુખ ભાવની પ્રાપ્તિ છે, તેના કારણે જીવમાં પાપ કરવાની વૃત્તિ વિદ્યમાન હોવા છતાં તીવ્રભાવથી પાપ કરતો નથી; કેમ કે અત્યંત સંગ પરિણામના પ્રકર્ષથી જ તીવ્રભાવથી પાપ થાય છે અને અપુનબંધક દશાવાળા જીવો કંઈક અસંગભાવને અભિમુખ થયા છે, તેથી સંગના પરિણામને કારણે જે પાપો કરે છે તે કંઈક શિથિલ થાય છે અને તે જીવોને જ્યારે કોઈક નિમિત્તથી સમ્યક્ત પ્રાપ્ત થાય છે ત્યારે તે જીવોને સંપૂર્ણ દ્રવ્યસંગ અને બાહ્ય પદાર્થોમાં સંશ્લેષરૂપ ભાવસંગ રહિત નિરાકુળ આત્મા સુખમય જણાય છે, તેથી તેની પ્રાપ્તિનો ઉપાય તેવા પ્રકારનો ધર્મ છે કે જે અસંગભાવની પ્રાપ્તિ દ્વારા ઉત્તરોત્તર વીતરાગતાનું કારણ બને તેવો સામાન્યથી બોધ થાય છે, તેથી તે મહાત્માઓ વીતરાગના વચનના રહસ્યને જાણવાની ઉત્કટ ઇચ્છાવાળા થાય છે અને જેમ જેમ તે જીવોને ભગવાનના વચનનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય છે તેમ તેમ સિદ્ધ અવસ્થાના રહસ્યને જાણીને ત્યાં સુધી પોતાનો ચારિત્રરથ પહોંચે તે પ્રકારે અપેક્ષા રાખીને બાહ્ય અને અતર ગ્રંથિનો ત્યાગ કરીને સતત નિગ્રંથભાવમાં જવા યત્ન કરે છે, આથી જ તીર્થકરો પોતાના ચારિત્રરથને નિગ્રંથભાવમાં પ્રવર્તાવીને ઉત્તરોત્તર ક્ષાયિક ચારિત્રને અને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેથી સ્વના ચારિત્રરથને સમ્યક્ પ્રવર્તાવનારા હોવાથી ભગવાન ધર્મના સારથિ છે. લલિતવિસ્તરા : तथा गाम्भीर्ययोगात्, साधुसहकारिप्राप्तेः, अनुबन्धप्रधानत्वाद् अतीचारभीरुत्वोपपत्तेः। લલિતવિસ્તરાર્થ: અને ગાંભીર્યના યોગથી સમ્યફ પ્રવર્તનનો યોગ છે. કેમ ગાંભીર્યનો યોગ છે ? તેમાં હેતુ કહે છે – સુંદર સહકારીની પ્રાપ્તિ છે. કેમ સુંદર સહકારીની પ્રાપ્તિ છે ? તેમાં હેતુ કહે છે – અનુબંધપ્રધાનપણું છે. કેમ અનુબંધપ્રધાનપણું છે ? તેમાં હેતુ કહે છે – અતિચારના ભીરુપણાની ઉપપત્તિ છે. પંજિકા - 'तथा'शब्दः सम्यक्प्रवर्तनयोगस्यैव प्रथमहेतोः सिद्धये परस्परापेक्षवक्ष्यमाणहेत्वन्तरचतुष्टयसमुच्चयार्थः, ततो गाम्भीर्ययोगा'च्च सम्यक्प्रवर्तनयोगो, गाम्भीर्यं चास्याचिन्त्यत्रिभुवनातिशायिकल्याणहेतुशक्तिसंपन्नता, एतदपि कुत इत्याह, 'साधुसहकारिप्राप्तेः'-फलाव्यभिचारिचारुगुर्वादिसहकारिलाभात्, इयमपि कथमित्याह Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬. લલિતવિસ્તરા ભાગ'अनुबन्धप्रधानत्वात्' निरनुबन्धस्योक्तसहकारिप्राप्त्यभावात्, तदपि कथमित्याह-'अतिचारभीरुत्वोपपत्तेः' अतिचारोपहतस्यानुबन्धाभावात्। પંજિકાર્ય : તથાશા ... માવાન્ II તથા શબ્દ સમ્યફ પ્રવર્તનયોગરૂપ જ પ્રથમ હેતુની સિદ્ધિ માટે પરસ્પર અપેક્ષાથી કહેવાના હેતુ-અંતર ચતુષ્ટયના સમુચ્ચય અર્થવાળો છે=પૂર્વમાં સમ્યક પ્રવર્તનના યોગમાં પરસ્પર અપેક્ષાવાળા ચાર હેતુઓ બતાવ્યા તેના અન્ય ચાર હેતુઓ પણ સમ્યફ પ્રવર્તનયોગમાં પરસ્પર અપેક્ષાવાળા છે તેનો સમુચ્ચય લલિતવિસ્તરામાં રહેલ તથા શબ્દ કરે છે, તેથી ગાંભીર્યના યોગને કારણે સમ્યફ પ્રવર્તનનો યોગ છે અને ગાંભીર્ય આમનું ભગવાનનું, અચિંત્ય ત્રિભુવન અતિશાયિકલ્યાણના હેતુની શક્તિસંપન્નતા છે–ત્રણે ભુવનમાં અતિશાયિકલ્યાણનું કારણ ચારિત્રનો પરિણામ છે અને તે અચિંત્ય અતિશાયિકલ્યાણનું કારણ છે અને તેવા કલ્યાણના કારણરૂપ મહાવીર્ય પ્રવર્તાવે એવી શક્તિની સંપન્નતા ભગવાનમાં હતી, તેથી ચારિત્રરથનું સમ્યફ પ્રવર્તન કરી શક્યા, આ પણ=ચારિત્રના પરમાર્થને સ્પર્શીને ચારિત્રમાં વીર્યને પ્રવર્તાવી શકે એવા ગાંભીર્યનો યોગ પણ, ભગવાનને શેનાથી પ્રાપ્ત થયો ? એથી કહે છે – સુંદર સહકારીની પ્રાપ્તિ હોવાથી ફળની પ્રાપ્તિમાં અવ્યભિચારી કારણ બને એવા સુંદર ગુરુ-કલ્યાણમિત્ર આદિ સહકારીનો લાભ હોવાથી ગાંભીર્યનો યોગ ભગવાનને પ્રાપ્ત થયો, આ પણ=સુંદર સહકારીની પ્રાપ્તિ પણ, કેમ થઈ?=ભગવાન પ્રાપ્તિ કેમ થઈ ? એથી કહે છે – અનુબંધપ્રધાનપણું હોવાથી સુંદર સહકારીની પ્રાપ્તિ છે એમ અવય છે; કેમ કે બિરનુબંધવાળા જીવને ઉક્ત સહકારીની પ્રાપ્તિનો અભાવ છે, તે પણ=ભગવાનમાં અનુબંધપ્રધાનપણું પણ, કેમ થયું ? એથી કહે છે – અતિચારતા ભીરુત્વની ઉપપત્તિ હોવાથી અનુબંધપ્રધાનપણું છે એમ અવય છે; કેમ કે અતિચારથી ઉપહત જીવને અનુબંધનો અભાવ છે. ભાવાર્થ : ભગવાન ધર્મના સારથિ કેમ થયા તેમાં પૂર્વમાં કહ્યું કે સમ્યક પ્રવર્તનનો યોગ છે, તેથી ભગવાને પોતાના ચારિત્રરૂપી રથને સમ્યફ પ્રવર્તાવ્યો, માટે ભગવાન પોતાના ચારિત્રરૂપી રથના સારથિ હતા. કેમ ભગવાને ચારિત્રરૂપી રથને સમ્યક પ્રવર્તાવ્યો તેમાં પરિપાકની અપેક્ષા વગેરે ચાર હેતુ પૂર્વમાં બતાવ્યા. હવે સમ્યફ પ્રવર્તનમાં તથાથી અન્ય ચાર હેતુઓ બતાવે છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાને પોતાનો ચારિત્રરૂપી રથ મોક્ષપથમાં સમ્યફ પ્રવર્તાવ્યો ત્યારે પરિપાકની અપેક્ષા રાખેલી, તેથી પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ થયેલી, છતાં તેમનું પ્રવર્તક જ્ઞાન પરિપાક સુધી પ્રવર્તનનું કારણ કેમ બન્યું ? તેમાં ચાર હેતુ કહે છે – (૧) ગાંભીર્યયોગની પ્રાપ્તિ - ભગવાનમાં ગાંભીર્યનો યોગ પ્રાપ્ત થયો, તેથી ગંભીરતાપૂર્વક સર્વ કલ્યાણના એક કારણભૂત ચારિત્રને અનુકૂળ પોતે યત્ન કરી શકે તેવી શક્તિ તેમને પ્રાપ્ત થઈ; કેમ કે સંયમની સર્વ ક્રિયાઓ અસંગભાવની વૃદ્ધિ Page #110 -------------------------------------------------------------------------- ________________ ધમ્મસારહીણું કરીને ઉત્તરોત્તર ક્ષાયિક વીતરાગતાનું કારણ કઈ રીતે બને તેના પરમાર્થને જોવાને અનુકૂળ ગાંભીર્ય તેમનામાં પ્રગટ થયેલું, જેમ ભિક્ષા અટનની ક્રિયા, વિહારની ક્રિયા કે સ્વાધ્યાય આદિની સર્વ ક્રિયાઓ માત્ર બાહ્ય આચરણારૂપ યથાર્થ કરવાથી અસંગભાવની પ્રાપ્તિ થતી નથી, પરંતુ તે તે ક્રિયાઓ દ્વારા સમભાવના કંડકો કઈ રીતે વધે તેના નિપુણ જ્ઞાનપૂર્વક તે ક્રિયાઓમાં યત્ન કરી શકે તેવી શક્તિસંપન્નતા તેમનામાં ગાંભીર્યને કારણે પ્રગટ થઈ, તેથી ગંભીરતાપૂર્વક સંયમની ક્રિયાઓ કરીને ભગવાને પોતાનો ચારિત્રરથ પરિપાકને પ્રાપ્ત કરે તે રીતે પ્રવર્તાવ્યો, જેથી ચારિત્રના પ્રકર્ષપર્યંત પરિપાકને પ્રાપ્ત કરી શક્યા. ૭ (૨) ગુરુ-કલ્યાણમિત્રની પ્રાપ્તિ : અહીં પ્રશ્ન થાય કે ભગવાનને પૂર્વના ભવોમાં પરિપાકના પ્રકર્ષને પહોંચાડે તેના રહસ્યને પ્રાપ્ત કરાવે તેવો ગાંભીર્યયોગ શેનાથી પ્રાપ્ત થયો જેથી ભગવાન પોતાનો રથ સમ્યક્ પ્રવર્તાવી શક્યા ? તેમાં હેતુ કહે છે – ભગવાનને તે તે ભવમાં ફળના અવ્યભિચારી એવા સુંદર ગુરુ-કલ્યાણમિત્ર આદિની પ્રાપ્તિ થઈ, તેથી તેવા ઉત્તમ ગુરુ, ઉત્તમ કલ્યાણમિત્ર આદિ સહકારીને પામીને ભગવાને તેઓના બળથી તે પ્રકારનો સૂક્ષ્મ બોધ પ્રાપ્ત કર્યો, જેથી માત્ર ચારિત્રની બાહ્ય ક્રિયાથી તેમને સંતોષ થયો નહિ, પરંતુ ચારિત્રની બાહ્ય ક્રિયાઓ નિગ્રંથ-ભાવની વૃદ્ધિ કરવામાં કઈ રીતે કારણ છે તેના સૂક્ષ્મ રહસ્યને પ્રાપ્ત કરે તેવા ગાંભીર્યને પ્રાપ્ત કર્યું. અર્થાત્ તેવાં સુંદર સહકારી કારણોથી ભગવાનને ગાંભીર્યનો યોગ પ્રાપ્ત થયો. (૩) અનુબંધપ્રધાનપણાથી સહકારીની પ્રાપ્તિ : અહીં પ્રશ્ન થાય કે ભગવાનને તેવા સુંદર સહકારી ગુરુ આદિનો યોગ કેમ પ્રાપ્ત થયો ? તેમાં હેતુ કહે છે - ભગવાનમાં અનુબંધપ્રધાનપણું હતું; કેમ કે જે જીવો ચારિત્રની ક્રિયા કરીને ઉત્તરોત્તર સંયમના કંડકોની વૃદ્ધિ કરીને મારે પૂર્ણ ચારિત્ર પ્રાપ્ત કરવું છે તેવા ઉત્તમ પરિણામવાળા થયા નથી તેઓ નિરનુબંધ પરિણામવાળા છે, તેવા જીવોને ક્વચિત્ ભવિતવ્યતાથી સારા ગુરુ આદિનો યોગ થાય, તોપણ પરમાર્થથી સાધુ સહકારીની પ્રાપ્તિનો અભાવ છે; કેમ કે ફલ નિષ્પન્ન કરે એવા સાધુ સહકારી એમને પ્રાપ્ત થયા નથી અને જે જીવોમાં પરિપાકની અપેક્ષાપૂર્વક પ્રવર્તક જ્ઞાન પ્રગટેલું છે તે જીવો હંમેશાં પોતાનો ચારિત્રરથ કઈ રીતે ભાવચારિત્રની પ્રાપ્તિ દ્વારા ઉત્તરોત્તર ક્ષાયિક ચારિત્રનું કારણ બનશે તેના અનુબંધને જોનારા છે, તેઓ નિપુણતાપૂર્વક ગાંભીર્યની પ્રાપ્તિનું કારણ બને એવા સાધુ સહકારીને પ્રાપ્ત કરવા યત્ન કરે છે, જેથી તેઓની નિપુણતાને કારણે તેવા ઉત્તમ ગુરુનો યોગ થાય છે. તે સદ્ગુરુ તે મહાત્માને સર્વ કલ્યાણના કારણભૂત ચારિત્રની શક્તિ તેનામાં પ્રગટે તેવા ગાંભીર્યની પ્રાપ્તિ કરાવે છે, તેથી અનુબંધ પ્રધાનપણાને કા૨ણે તે મહાત્માને સાધુ સહકારીની પ્રાપ્તિ થઈ. (૪) અતિચારના ભીરુત્વની ઉપપત્તિ થઈ : અહીં પ્રશ્ન થાય કે તે મહાત્મા અનુબંધપ્રધાન કેમ થાય ? તેમાં હેતુ કહે છે - Page #111 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ તે મહાત્મામાં અતિચારના ભીરુત્વની ઉપપત્તિ થયેલી; કેમ કે જેઓનું ચિત્ત અતિચારો સેવવામાં ઉપેક્ષાવાળું છે તેઓમાં અનુબંધ પ્રધાનપણાનો અભાવ છે, તેથી બાહ્યથી સારા ગુરુ આદિનો યોગ હોય તોપણ તે મહાત્મામાં ગાંભીર્યનો યોગ થતો નથી, તેથી તેઓનો ચારિત્રરથ સમ્યક્ પ્રવર્તન પામતો નથી, પરંતુ ભગવાનને તો જે ભવોમાં સમ્યક્ પ્રવર્તનનો યોગ થયો ત્યારે તેઓ સમ્યક્ત્વને પામેલા, તેથી પ્રકર્ષપર્યંત જે સિદ્ધ અવસ્થા તેની પ્રાપ્તિના અત્યંત અર્થી થયેલા અને તેના ઉપાયરૂપે જ ગાંભીર્યપૂર્વક ચારિત્ર ગ્રહણ કરેલું અને પોતાના ચારિત્રમાં અતિચારો ન લાગે તેવો ભીરુભાવ ત્યારે હતો, તેથી અતિચાર રહિત ચારિત્ર પાળવાના અત્યંત અર્થી હતા, માટે ચારિત્ર ઉત્તરોત્તર અનુબંધવાળું કેમ થાય તેવો પ્રધાન પરિણામ તેઓમાં વર્તતો હતો, તેના કારણે સુંદર સહકારીને પ્રાપ્ત કરીને ત્રણ ભુવનમાં અતિશય કલ્યાણના કારણભૂત એવા ચારિત્રની શક્તિને પ્રાપ્ત કરીને પોતાના ચારિત્રરથને સમ્યક્ પ્રવર્તાવ્યો, જેથી ચ૨મભવમાં કેવળજ્ઞાન પામીને તીર્થંકર થયા. .. લલિતવિસ્તરા : एतेन पालनाऽयोगः प्रत्युक्तः सम्यक्प्रवर्तनस्य निर्वहणफलत्वात्, नान्यथा सम्यक्त्वमिति समयविदः, एवं दमनयोगेन, दान्तो ह्येवं धर्म्मः कर्म्मवशितया कृतोऽव्यभिचारी अनिवर्त्तकभावेन नियुक्तः स्वकार्ये स्वाङ्गोपचयकारितया नीतः स्वात्मीभावं, तत्प्रकर्षस्यात्मरूपत्वेन । भावधर्म्माप्तौ हि भवत्येवैतदेवं तदाद्यस्थानस्याप्येवंप्रवृत्तेरवन्ध्यबीजत्वात् । सुसंवृतकाञ्चनरत्नकरण्डकप्राप्तितुल्या हि प्रथमधर्म्मस्थानप्राप्तिरित्यन्यैरप्यभ्युपगमात्, तदेवं धर्म्मस्य सारथयो ધર્મસારથય:।।૨૩।। લલિતવિસ્તરાર્થ : આના દ્વારા=ભગવાને ચારિત્રધર્મરૂપી રથને સમ્યક્ પ્રવર્તાવ્યો તે યુક્તિપૂર્વક પૂર્વમાં બતાવ્યું. એના દ્વારા, પાલનનો અયોગ પ્રત્યુક્ત છે=ભગવાને પોતાના ચારિત્રરથનું સમ્યક્ પાલન કર્યું નથી એ રૂપ અયોગ નિરાકૃત છે; કેમ કે સમ્યક્ પ્રવર્તનનું નિર્વહણ ફલપણું છે=જે ચારિત્ર તેમણે ગ્રહણ કરેલું તેનો તેમણે સમ્યક્ નિર્વાહ કરેલો તે કથન સમ્યક્ પ્રવર્તનથી જ સિદ્ધ થાય છે, અન્યથા સમ્યક્પણું નથી=જો ચારિત્રરથને સમ્યક્ પાલન ન કરે તો તેમના પ્રવર્તનમાં સમ્યપણું નથી, એ પ્રમાણે સમયના જાણનારા કહે છે, એ રીતે=જે રીતે ભગવાને પોતાનો ચારિત્રરથ સમ્યક્ પ્રવર્તાવ્યો અને પાલન કર્યું એ રીતે, દમનના યોગથી ભગવાન સારથિ છે, આ રીતે=આગળ કહે છે એ રીતે, કર્મવશિપણાથી=ચારિત્ર મોહનીયકર્મને વશ કર્યું હોવાથી, ધર્મ દાન્ત કરાયો, અનિવર્તકભાવથી અવ્યભિચારી કરાયો, સ્વ-અંગોના ઉપચયકારિપણાથી સ્વકાર્યમાં નિયોજન કરાયો, સ્વ-આત્મીભાવરૂપે પ્રાપ્ત કરાયો; કેમ કે તેના પ્રકર્ષનું=ચારિત્રના પ્રકર્ષનું, આત્મરૂપપણું છે. ભાવધર્મની પ્રાપ્તિ થયે છતે આ=ધર્મસારથિપણું, દ્દિ=સ્પષ્ટ, આ પ્રકારે=સમ્યક્ પ્રવર્તનયોગાદિ Page #112 -------------------------------------------------------------------------- ________________ ધમ્મસારહીણ ८G પ્રકારે, થાય છે જ; કેમ કે તેના આધસ્થાનની પણ આ પ્રકારે પ્રવૃત્તિ છે=ધર્મના આધસ્થાનની પણ ધર્મસારથિત્વને અનુકૂળ પ્રવૃત્તિ છે. કેમ આદ્યસ્થાનની આવા પ્રકારની પ્રવૃત્તિ છે ? તેમાં હેતુ કહે છે – અવંધ્યબીજાણું છે ધર્મના આધસ્થાનનું ધર્મના સારથિપણાનું અવંધ્યબીજાણું છે, દિ=જે કારણથી, સુસંવૃત્ત સુવર્ણના અને રત્નના કરંડિયાની પ્રાપ્તિ તુલ્ય પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ છે, એ પ્રમાણે અન્યો વડે પણ સ્વીકારાયેલું હોવાથી ઘર્મનું આધસ્થાન ધર્મસારથિત્વનું અવંધ્યબીજ છે એમ અન્વય છે, સર્વ કથનનું તવંથી નિગમન કરે છે – આ રીતે ધર્મના સારથિ ભગવાન छे. ॥२३॥ les:इत्थं प्रथमहेतुसिद्धिमभिधाय द्वितीयसिद्ध्यर्थमाहएतेन-सम्यक्प्रवर्तनयोगसाधनेन, किमित्याह- पालनाऽयोगः=पालनस्यायोगः अघटनं, प्रत्युक्तो निराकृतः, कुत इत्याह- सम्यक्प्रवर्त्तनस्य उक्तरूपस्य, निर्वहणफलत्वात्=पालनफलत्वात्। अथ कथमयं नियमो यदुत- पालनफलमेव सम्यक्प्रवर्त्तनमित्याह- न-नैव, अन्यथा पालनाऽभावे, सम्यक्त्वं सम्यग्भावः प्रवर्तनस्य, इति-एवं, समयविदः प्रवचनवेदिनो वदन्ति। अथ तृतीयहेतुसिद्धिमाह- एवमिति यथा सम्यक्प्रवर्तनपालनाख्यहेतुद्वयाद्धर्मसारथित्वं तथा, दमनयोगेनापीत्यर्थो, दमनयोगेन-सर्वथा स्वायत्तीकरणेन, अमुमेव साधयन्नाह- दान्तो-वशीकृतो हिः स्फुटम्, एवं वक्ष्यमाणेन अव्यभिचारीकरणस्वकार्यनियोगस्वात्मीभावनयनरूपप्रकारत्रयेण, धर्मः, कयेत्याहकर्मवशितया कर्म-चारित्रमोहादि, वशि-वश्यम् अबाधकत्वेन, येषां ते तथा, तद्भावस्तत्ता तया, तदेव प्रकारत्रयमाह- कृतो-विहितः, अव्यभिचारी-अविसंवादकः, कथमित्याह- अनिवर्तकभावेन-आफलप्राप्तेरनुपरमस्वभावेन, नियुक्तो व्यापारितः, स्वकार्ये कृत्स्नकर्मक्षयलक्षणे, कयेत्याह- स्वाङ्गोपचयकारितया स्वाङ्गानां-मनुजत्वार्यदेशोत्पन्नत्वादीनामधिकृतधर्मलाभहेतूनाम्, उपचयः-प्रकर्षः, तत्कारितया, नीतः प्रापितः, स्वात्मीभावं-निजस्वभावरूपं, कथमित्याह- तत्प्रकर्षस्य-धर्मप्रकर्षस्य, यथाख्यातचारित्रतया, आत्मरूपत्वेन-जीवस्वभावत्वेन, इति। आह-इत्थं धर्मसारथित्वभवने को हेतुरित्याहभावधर्माप्तौ-क्षायोपशमिकादिधर्मलाभे, हिः स्फुटं, भवत्येव=न न भवति, एतत् धर्मसारथित्वं, एवं सम्यक्प्रवर्तनयोगादिप्रकारेण, कुत इत्याह- तदाद्यस्थानस्यापि-धर्मप्रशंसादिकालभाविनो धर्मविशेषस्यापि, किं पुनर्वरबोधेः प्राप्तौ? एवंप्रवृत्तेः धर्मसारथित्वकरणेन भगवतां प्रवृत्तेः, कुत इत्याह- अवन्ध्यबीजत्वात् अनुपहतशक्तिकारणत्वाद्धर्मसारथित्वं प्रति, न हि सर्वथा कारणेऽसत्कार्यमुत्पद्यत इति वस्तुव्यवस्था। Page #113 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ परमतेनापि समर्थयन्नाह - 'सुसंवृतेत्यादि, सुसंवृतः = सर्वथानुद्घाटितः काञ्चनस्य रत्नानां च यः करण्डको=भाजनविशेषः, तत्प्राप्तितुल्या, हिः = यस्मात् प्रथमधर्म्मस्थानप्राप्तिः धर्म्मप्रशंसादिरूपा, यथा हि कश्चित्क्वचिदनुद्घाटितं काञ्चनरत्नकरण्डकमवाप्नुवंस्तदन्तर्गतं काञ्चनादि वस्तु विशेषतोऽनवबुध्यमानोऽपि लभते, एवं भगवन्तोऽपि प्रथमधर्म्मस्थानावाप्तौ मोक्षावसानां कल्याणसम्पदं तदनवबोधेऽपि लभन्ते एव, तदवन्ध्यहेतुकत्वात् तस्याः, इति- इत्येवम्, अन्यैरपि = बौद्धैरभ्युपगमात् ।। २३ ।। પંજિકાર્ય : GO इत्थं प्रथमहेतु. . પદ્મમાત્ ।। આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પ્રથમ હેતુસિદ્ધિને કહીને=ભગવાન ધર્મસારથિ છે તેમાં સમ્યક્ પ્રવર્તનરૂપ પ્રથમ હેતુની સિદ્ધિને કહીને, બીજા હેતુની સિદ્ધિ માટે કહે છે= લલિતવિસ્તરામાં કહે છે આના દ્વારા=સમ્યક્ પ્રવર્તનયોગના સાધન દ્વારા=સમ્યક્ પ્રવર્તનયોગ ભગવાનમાં કઈ રીતે છે તેની સિદ્ધિ કરવા દ્વારા, શું ? એથી કહે છે – પાલનનો અયોગ=પાલનનું અઘટન, પ્રત્યુક્ત છે=નિરાકૃત છે, કેમ=સમ્યક્ પ્રવર્તનયોગ દ્વારા પાલનનો અયોગ નિરાકૃત કેમ છે? એથી કહે છે સમ્યક્ પ્રવર્તનનું પૂર્વમાં કહેલા સમ્યક્ પ્રવર્તનનું, નિર્વહણ લપણું છે=પાલન ફલપણું છે=સમ્યક્ પ્રવર્તન હોય ત્યાં સમ્યક્ પાલન અવશ્ય હોય એ પ્રકારનું સમ્યક્ પ્રવર્તનનું ફલ છે. હવે કેવી રીતે આ નિયમ છે ? તે થવુતથી બતાવે છે પાલન ળવાળું જ સમ્યક્ પ્રવર્તન છે એથી કહે છે અન્યથા=પાલનના અભાવમાં, સમ્યક્ત્વ=પ્રવર્તનનો સમ્યક્ ભાવ, નથી જ એ પ્રમાણે સમયના જાણનારાઓ કહે છે=પ્રવચનને જાણનારાઓ કહે છે. - – આ હવે ત્રીજા હેતુની સિદ્ધિને કહે છે=સારથિપણામાં ત્રીજા હેતુરૂપ દમનની સિદ્ધિને કહે છે રીતે=જે રીતે સમ્યક્ પ્રવર્તન અને પાલન નામના હેતુન્દ્વયથી ધર્મસારથિપણું છે તે રીતે, દમનયોગથી પણ એ પ્રકારનો અર્થ છે=દમનયોગથી પણ ભગવાનનું સારથિપણું છે એ પ્રકારનો અર્થ છે, દમનયોગથી=સર્વથા સ્વાયત્તીકરણથી=ભગવાને પોતાના ચારિત્રરૂપી રથને અત્યંત સ્વાધીન કર્યો તે રૂપ દમનયોગથી ભગવાનનું સારથિપણું છે, આને જ સાધતાં=દમનયોગને જ સાધતાં, કહે છે= લલિતવિસ્તરામાં કહે છે આ રીતે=વક્ષ્યમાણ એવા અવ્યભિચારીકરણ-સ્વકાર્યનિયોગ-સ્વાત્મી ભાવ નયનરૂપ પ્રકારત્રયથી, ધર્મ દિ=સ્પષ્ટ, દાન્ત=વશીકૃત છે, કોનાથી ધર્મ વશ કરાયો ? એથી કહે છે – કર્મવશિપણાથી=ચારિત્ર મોહનીય આદિ જે કર્મ અબાધકપણાથી વશ્ય છે જેઓને તે તેવા છે અર્થાત્ કર્મવશી છે, તેનો ભાવ તત્તા અર્થાત્ કર્મવશિતા, તેનાથી=ચારિત્રમોહનીય કર્મને વશ કરીને ભગવાને ચારિત્રધર્મ પોતાને સ્વાધીન કર્યો એ રૂપ દમનયોગથી ભગવાન સારથિ છે એમ અન્વય છે, તે જ પ્રકાત્રયને કહે છે=ભગવાને ત્રણ પ્રકારથી ધર્મને વશ કર્યો તે પ્રકારન્રયને કહે છે અવ્યભિચારી=અવિસંવાદક, કરાયો=પોતાનામાં પ્રગટ થયેલું ચારિત્ર વિસંવાદ વગર ક્ષાયિકભાવને પામે તેવો અવ્યભિચારી ચારિત્રધર્મ કરાયો. કઈ રીતે=કઈ રીતે ભગવાને ચારિત્રરથ અવિસંવાદક કર્યો ? એથી કહે છે – અતિવર્તકભાવથી=ફલપ્રાપ્તિ સુધી વચમાં સ્ખલના ન પામે તે પ્રકારના - - Page #114 -------------------------------------------------------------------------- ________________ હળ ધમ્મસારહીણ સ્વભાવથી અવ્યભિચારી કરાયો, સ્વીકાર્યમાં=સંપૂર્ણ કર્મક્ષયરૂપ સ્વકાર્યમાં, નિયુક્ત કરાયોચારિત્રરથ વ્યાપારિત કરાયો, કોનાથી સ્વીકાર્યમાં ચારિત્રરથ નિયુક્ત કરાયો ? એથી કહે છે – સ્વાંગ ઉપચકારિપણાથી=મનુષ્યત્વ-આર્યદેશઉત્પાત્ર આદિ અધિકૃત ધર્મલાભના હેતુરૂપ સ્વ-અંગોનો ઉપચય અર્થાત્ પ્રકર્ષ, તત્કારિપણાથી અર્થાત્ તત્ નિષ્પાદકપણાથી ચારિત્રરથ સ્વકાર્યમાં વિયોગ કરાયો એમ અવય છે, સ્વ-આત્મીભાવ પ્રાપ્ત કરાયો=નિજસ્વભાવરૂપ ચારિત્ર પ્રાપ્ત કરાયું, કેવી રીતે ? એથી કહે છે – તેના પ્રકર્ષતું ધર્મના પ્રકર્ષતું, યથાખ્યાત ચારિત્રપણાથી આત્મરૂપપણું હોવાને કારણે જીવસ્વભાવપણું હોવાને કારણે, સ્વ-આત્મીભાવ પ્રાપ્ત કરાયો એમ અવય છે. અહીં પ્રશ્ન કરે છે – આ પ્રકારે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે ભગવાને પોતાના ધર્મરથને સ્વપરની અપેક્ષાએ પ્રવર્તન-પાલન-દમયોગથી પ્રવર્તાવ્યો એ પ્રકારે, ધર્મસારથિપણું થવામાં કયો હેતુ છે ? એથી લલિતવિસ્તરામાં કહે છે – ભાવધર્મની પ્રાપ્તિ થયે છd=ાયોપશમિકાદિ ધર્મનો લાભ થયે છતે, આ પ્રકારે=સમ્યફ પ્રવર્તનયોગાદિ પ્રકારથી, આ ધર્મસારથિપણું, સ્પષ્ટ થાય છે જ, નથી થતું એમ નહિ, કયા કારણથી ?=ભાવધર્મની પ્રાપ્તિ થયે છતે ધર્મસારથિપણું કયા કારણથી થાય છે? એથી કહે છે – તેના આદ્ય સ્થાનની પણ=ધર્મપ્રશંસાદિ કાલભાવિ ધર્મવિશેષતી પણ, શું વળી, વરબોધિની પ્રાપ્તિમાં? આવા પ્રકારની પ્રવૃત્તિ હોવાને કારણે=ભગવાનની ધર્મસારથિત્વકરણથી પ્રવૃત્તિ હોવાને કારણે ભાવધર્મની પ્રાપ્તિ થયે છતે ધર્મસારથિપણું થાય છે જ એમ અવય છે, કથા કારણથી ? ધર્મના આદ્ય સ્થાનમાં કયા કારણથી ભગવાનની આવા પ્રકારની પ્રવૃત્તિ છે? એથી કહે છે – અવંધ્યબીજપણું હોવાથી=ધર્મસારથિત્વ પ્રત્યે અનુપહત શક્તિવાળું કારણ પણું હોવાથી, ભગવાનની આવા પ્રકારની પ્રવૃત્તિ છે, કિજે કારણથી, કારણમાં સર્વથા અસત્ એવું કાર્ય ઉત્પન્ન થતું નથી એ પ્રકારની વસ્તુવ્યવસ્થા છે. પરમતથી પણ સમર્થન કરતાં=બોદ્ધમતથી પણ આવા ધર્મસ્થાનની પ્રાપ્તિમાં અવંધ્યબીજાપણું છે એનું સમર્થન કરતાં, કહે છે – સુસંવૃત ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, દિ=જે કારણથી, સુસંવૃત=સર્વથા પ્રગટ નહિ થયેલ સુવર્ણનો અને રત્નોનો જે કરંડકઃભાજનવિશેષ, તેની પ્રાપ્તિ તુલ્ય ધર્મપ્રશંસાદિરૂપ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ છે, જે પ્રમાણે ક્યારેય નહિ ખૂલેલા સુવર્ણ-રત્નના કરંડકને પ્રાપ્ત કરતો કોઈક પુરુષ તદ્ અંતર્ગત સુવર્ણાદિ વસ્તુને વિશેષથી નહિ જાણતો પણ પ્રાપ્ત કરે છે=જયારે તે કરંડિયો ખોલે છે ત્યારે પ્રાપ્ત કરે છે, એ રીતે ભગવાન પણ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિમાં તેનો અવબોધ હોતે છતે પણ આ પ્રથમ સ્થાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને તીર્થકરસમૃદ્ધિમાં પર્યવસાન પામશે એ પ્રકારનો અવબોધ હોવા છતાં પણ, મોક્ષઅવસાનવાળી કલ્યાણ સંપદાને પ્રાપ્ત કરે છે જ; કેમ કે તેનું=પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિનું, તેનું અવંધ્યહેતુપણું છે=મોક્ષઅવસાનવાળી કલ્યાણસંપદાનું અવંધ્ય કારણ પણું છે, એ પ્રમાણે અવ્યો વડે પણ=બૌદ્ધો વડે પણ, સ્વીકારાયું છે. ૨૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨ લલિતવિસ્તરા ભાગ-૨ ભાવાર્થ : પૂર્વમાં ભગવાન પોતાના ધર્મરથને કઈ રીતે સમ્યફ પ્રવર્તાવે છે તે યુક્તિથી બતાવ્યું, તેનાથી ભગવાને પોતાના ધર્મરથનું પાલન કર્યું છે તેની પણ સિદ્ધિ થાય છે; કેમ કે સમ્યક પ્રવર્તનનો અર્થ જ એ છે કે તે રથને ઉચિત સ્થાને પહોંચાડે અને જો તે રથને ઉચિત સ્થાને પહોંચાડવામાં યત્ન કરતી વખતે તેનું સમ્યક પાલન કરવામાં ન આવે તો તે પુરુષ તે રથનું સમ્યફ પ્રવર્તન કરે છે તેમ કહી શકાય નહિ, તેથી અર્થથી ફલિત થયું કે ભગવાને પોતાના ધર્મરથનું સમ્યફ પાલનપૂર્વક ફળપ્રાપ્તિ સુધી સમ્યફ પ્રવર્તન કર્યું છે. વળી, સારથિ જેમ રથને સમ્યફ પ્રવર્તન કરે છે, પાલન કરે છે, તેમ ઉન્માર્ગમાં જતા અશ્વને દમન કરે છે, જેથી તે રથ સમ્યફ પ્રવર્તન દ્વારા ઉચિત સ્થાને પહોંચે, તેમ ભગવાને પણ પોતાના ચારિત્રરથને મોક્ષમાં પ્રવર્તાવતી વખતે તે રીતે દમન કર્યું છે કે જેથી ઉત્પથમાં ગમન વગર તેમનો રથ માર્ગમાં પ્રવર્યો. કઈ રીતે ભગવાને રથને દમન કર્યો છે તે સ્પષ્ટ કરતાં કહે છે – કર્મને વશ કરવા દ્વારા ભગવાને પોતાના ચારિત્રરથને દમન કર્યો છે. કઈ રીતે કર્મને વશ કર્યા છે તે સ્પષ્ટ કરતાં કહે છે – અનિવર્તિકભાવથી ચારિત્રને અવ્યભિચારી કર્યું છે ફલપ્રાપ્તિ સુધી પોતાનું ચારિત્ર ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તે રીતે અવ્યભિચારી કર્યું છે, જેમ ભગવાને વરબોધિ પ્રાપ્ત થયા પછી પોતાનું ચારિત્ર ફલપ્રાપ્તિ પ્રત્યે વ્યભિચારી ન થાય તે રીતે વ્યાપારવાળું કર્યું છે. કઈ રીતે ફલપ્રાપ્તિ સુધી નિવર્તન ન પામે તે પ્રકારે વ્યાપારવાળું કર્યું છે તેમાં યુક્તિ બતાવે છે – ભગવાને વરબોધિ પ્રાપ્ત કર્યું ત્યારપછી ચારિત્ર નિવર્તન પામ્યા વગર અવશ્ય મોક્ષનું કારણ બને તે રીતે સ્વ-અંગોનો ઉપચય કરવામાં ચારિત્રને વ્યાપારવાળું કર્યું છે, તેથી ત્રીજા ભવમાં જે ઉત્તમ ચારિત્ર પાળ્યું, તેનાથી દેવભવની ઉત્તરમાં શ્રેષ્ઠ મનુષ્યભવ, આર્યદેશમાં ઉત્પત્તિ આદિ ચારિત્રની પ્રાપ્તિનાં જે પ્રબળ સર્વ કારણો છે તે સર્વનો ઉપચય થાય તે રીતે ચારિત્રનું પાલન કર્યું છે, તેથી પૂર્વના ત્રીજા ભવમાં કે કોઈક પૂર્વના ભવમાં તીર્થકરો તે રીતે ચારિત્ર પાળે છે, જેથી ઉત્તરઉત્તરના ભવમાં વિશિષ્ટ વિશિષ્ટ ચારિત્રની પ્રાપ્તિના કારણભૂત ભવોની પ્રાપ્તિ કરીને મોક્ષપ્રાપ્તિ સુધી નિવર્તન ન પામે તેવા ચારિત્રને પુષ્ટ કરે છે અને તે રીતે અનેક ભવોમાં ચારિત્રને પુષ્ટ કર્યા પછી ચરમભવમાં તે ચારિત્ર ક્ષાયિકભાવરૂપે આત્મસાત્ કરે છે, તેથી ચારિત્રરથને અવ્યભિચારી પ્રવર્તન, સ્વકાર્યમાં નિયોજન અને સ્વ-આત્મીભાવ નયનરૂપ પ્રકારથી દમન કરે છે અર્થાતું ચારિત્રમોહનીય કર્મને વશ થઈને તેમનું ચારિત્ર નાશ ન પામે, પરંતુ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તે રીતે દમન કરે છે. અહીં પ્રશ્ન થાય કે ભગવાન આ રીતે પોતાના ધર્મરથના સારથિ કેમ થયા ? તેમાં યુક્તિ બતાવે છે– જ્યારે જીવને ભાવધર્મની પ્રાપ્તિ થાય છે ત્યારે તેઓ સમ્યફ પ્રવર્તનાદિ પ્રકારથી અવશ્ય ધર્મસારથિ થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે ભગવાનના આત્માને સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે ચાર ગતિના પરિભ્રમણરૂપ ભવ જીવને જે પ્રકારે કદર્થના સ્વરૂપ છે તે પ્રકારે જ સ્પષ્ટ ભાસે છે અને તે ભવમાંથી નિસ્તારનો એક ઉપાય સર્વજ્ઞકથિત શુદ્ધ માર્ગ છે તેવો સ્પષ્ટ નિર્ણય થાય છે, તેથી તે મહાત્માઓ ગંભીરતાપૂર્વક પોતાના રથને મોક્ષમાં તે રીતે પ્રવર્તાવે છે, જેથી નિમિત્તોને પામીને પણ પોતાનો રથ ઉત્પથમાં જાય નહિ અને સંસારરૂપી અટવીમાંથી નીકળીને મોક્ષપથ પ્રત્યે સતત પ્રયાણ કરે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ધમ્મસારહીણું ૯૩ વળી, જેમ સારથિ રથને જંગલમાંથી ઇષ્ટ સ્થાનમાં લઈ જાય છે ત્યારે માર્ગનો યથાર્થ બોધ હોય તો રથને સમ્યગ્ માર્ગમાં પ્રવર્તાવે છે અને અશ્વનું તે રીતે પાલન કરે છે, જેથી ૨થને શક્તિથી અધિક પ્રવર્તાવીને માર્ગમાં તેમનો વિનાશ થાય નહિ. જો અવિચારકની જેમ શીઘ્ર પહોંચવાના ઉદ્દેશથી રથને પ્રવર્તાવે અને અશ્વનું પાલન કરે નહિ તો તે ૨થ ઇષ્ટ સ્થાન સુધી પહોંચી શકે નહિ, તેથી શ્રાંત થયેલા અશ્વોને વિશ્રામ કરાવીને અને આહારાદિ દાન કરીને સમ્યક્ પાલન કરે છે. વળી, તે ૨થ માર્ગમાં જતો હોય ત્યારે કોઈક રીતે અશ્વ ઉત્પથમાં જાય તે સારથિ તેનું દમન કરે છે, તેમ ભગવાને પણ પોતાનો સદ્વીર્ય રૂપી ૨થ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવતી વખતે બાહ્ય ક્રિયારૂપ ઉચિત આચરણા અને સંયમના પરિણામોની વૃદ્ધિ થાય તેવી અંતરંગ આચરણારૂપ બે અશ્વોને તે રીતે પ્રવર્તાવ્યા કે જેથી ચારિત્રની વૃદ્ધિ થાય. વળી, ભવરૂપી અટવીમાંથી નીકળતી વખતે મોક્ષની પ્રાપ્તિ સુધી તે ૨થ સમ્યક્ પ્રવર્તે તર્થે નિપુણતાપૂર્વક તે બાહ્ય આચરણા અને અંતરંગ આચરણાને પોતાની શક્તિ અનુસાર પ્રવર્તાવી, જેથી તે બંને આચરણારૂપી અશ્વો ઉત્તરોત્તર માર્ગમાં ગમન કરી શકે. જો શક્તિનું આલોચન કર્યા વગર બાહ્ય ક્રિયા કે અંતરંગ યત્ન કરત તો ભગવાનના રથના તે બે અશ્વોનું સમ્યક્ પાલન થાત નહિ, પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિથી પ્રગટ થયેલા સમ્યક્ પ્રવર્તક જ્ઞાનને કા૨ણે ભગવાને પોતાના અશ્વોનું તે રીતે પાલન કર્યું કે જેથી તે અશ્વો અસંગભાવની વૃદ્ધિ દ્વારા ઇષ્ટ સ્થાને જવા સમર્થ બન્યા. વળી, ક્યારેક નિમિત્તોને પામીને અશ્વ ઉત્પથમાં જાય ત્યારે સારથિ તેનું દમન કરીને તેને વશ કરે છે, તેમ ચારિત્રમોહનીય આદિ કર્મ જીવને ઉત્પથમાં લઈ જાય તેવા છે, પરંતુ ભગવાને નિપુણતાપૂર્વક તેઓને વશ કર્યાં, જેથી સિદ્ધિપથમાં તેમનું ગમન અસ્ખલિત પ્રવર્ત્યે. વળી, તે જ ભવમાં ક્ષાયિક સુધીની પ્રાપ્તિ શક્ય નહિ હોવાથી ચારિત્રનું કારણ બને એવા મનુષ્યભવ આદિ ચારિત્રનાં અંગોનો ઉપચય કરે, તે રીતે જ ચારિત્રમાં યત્ન કર્યો, જેથી રાત્રિના શયનતુલ્ય શક્તિના સંચય માટે ઉત્તરનો દેવભવ બને છે અને ત્યારપછી ઉત્તરના મનુષ્યભવમાં ઉત્તમ સામગ્રીને પામીને વિશેષ પ્રકારના ચારિત્રપથમાં ગમન કરીને ચારિત્રની જ વૃદ્ધિ કરે છે અને ચરમભવમાં ચારિત્રને ક્ષાયિકભાવરૂપે આત્મસાત્ કરે છે. આ રીતે દમન દ્વારા ભગવાન પોતાનો ૨થ મોક્ષમાર્ગ સુધી પહોંચાડે છે, તે સારથિપણું ભાવધર્મની પ્રાપ્તિથી શરૂ થાય છે અને ભગવાનને આદ્ય ધર્મસ્થાનની પ્રાપ્તિ થઈ તે પણ આવા સારથિત્વરૂપ નહિ હોવા છતાં આવા સારથિત્વની પ્રાપ્તિ પ્રત્યે અવંધ્ય કારણ હતું, સમ્યક્ત્વરૂપ ભાવધર્મની પ્રાપ્તિ થઈ ત્યારે તો ભગવાનનો આત્મા ધર્મસારથિ બન્યો, પરંતુ ભાવધર્મની આદ્ય સ્થાનની પ્રાપ્તિ થઈ ત્યારે પણ ભગવાનના આત્મામાં સારથિપણાનું અવંધ્યબીજપણું હતું અને તે બૌદ્ધદર્શનના વચનથી સ્પષ્ટ કરે છે બૌદ્ધદર્શનવાળા પણ માને છે કે કોઈ પુરુષને સારી રીતે રક્ષણ કરાયેલો એવો સુવર્ણનો અને રત્નનો કરંડિયો પ્રાપ્ત થાય ત્યારે જ્યાં સુધી તે કરંડિયાને ઉઘાડે નહિ ત્યાં સુધી આ કરંડિયામાં સુવર્ણ અને રત્નો છે તેવો બોધ થતો નથી, તોપણ તે કરંડિયાની પ્રાપ્તિ વખતે કરંડિયામાં સંવૃત એવા સુવર્ણની અને રત્નની તેમને પ્રાપ્તિ થયેલી છે અને જ્યારે તે કરંડિયો ઉઘાડે ત્યારે વ્યક્ત સુવર્ણ અને રત્નોની પ્રાપ્તિ થાય છે, તેમ ભગવાનના આત્માને ધર્મપ્રશંસાદિરૂપ આદ્ય ધર્મસ્થાનની પ્રાપ્તિ થઈ તે પણ તે રત્નના કરંડિયાની Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ લલિતવિસ્તરા ભાગ-૨ પ્રાપ્તિ તુલ્ય હતી; કેમ કે વિશેષ સામગ્રી પામીને જ્યારે ભગવાનનો આત્મા ભાવધર્મ પ્રાપ્ત કરે છે ત્યારે સુવર્ણની અને રત્નની પ્રાપ્તિતુલ્ય ધર્મસારથિપણાની પ્રાપ્તિ થાય છે, માટે ભાવધર્મની પ્રાપ્તિ પૂર્વે પણ ધર્મસારથિ થવાને અનુરૂપ કંઈક ગુણ ભગવાનના આત્મામાં પ્રગટે છે, જેમ નયસારના ભવમાં સમ્યક્ત્વપ્રાપ્તિ પૂર્વે ભગવાનનો આત્મા ભદ્રક પ્રકૃતિવાળો થયેલો, જેથી ધર્મને અભિમુખ દાનધર્મના પરિણામવાળા થયા, તે સંવૃત સુવર્ણ-રત્નના કરંડિયાની પ્રાપ્તિ તુલ્ય અવસ્થા હતી અને જ્યારે મહાત્માના તે ઉપદેશથી સમ્યક્ત્વને પામ્યા ત્યારે ભગવાનના આત્માને સંસારનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ જણાયું, મોક્ષ અવસ્થા અત્યંત પ્રાપ્તવ્ય જણાઈ અને તેના ઉપાયભૂત સર્વજ્ઞકથિત ધર્મ છે તેવો સૂક્ષ્મ બોધ થયો, તેથી નયસારના ભવમાં ભગવાને પોતાનો ધર્મ૨થ મોક્ષમાર્ગમાં સમ્યક્ પ્રવર્તાવવાનો પ્રારંભ કર્યો, જો કે ત્યારે ભગવાનના આત્માને વિરતિની પ્રાપ્તિ ન હતી, તોપણ અનંતાનુબંધીના ક્ષયોપશમજન્ય અલ્પ ચારિત્રની પ્રાપ્તિ થઈ, તે ચારિત્રને સમ્યક્ત્વની ઉચિત ક્રિયાઓ દ્વારા અતિશય અતિશયતર કરીને પોતાનો ચારિત્રરથ મુક્તિપથમાં પ્રવર્તાવ્યો, તેના દ્વારા ઉત્તમભવ આદિની પ્રાપ્તિ થાય તેવા સ્વ-અંગોનો ઉપચય કર્યો. તે દમનની ક્રિયા હતી અને મરીચિના ભવમાં સંયમ ગ્રહણ કરીને વિશેષથી ચારિત્રપથમાં પ્રવર્ત્ય અને સંયમનાં કષ્ટોથી કંઈક શ્રાંત થયા ત્યારે ધર્મરથ કંઈક સ્ખલના પામ્યો તોપણ માર્ગમાં પ્રવર્તતો હતો, તેથી સમ્યક્ત્વના બળથી મંદગતિથી મોક્ષમાં જતો હતો અને જ્યારે ઉત્સૂત્ર-પ્રરૂપણા કરી ત્યારે ઉત્પથમાં તેમના રથનું ગમન થયું, તોપણ ફરી વિશ્વભૂતિના ભવમાં તે ચારિત્રરથને માર્ગમાં પ્રવર્તાવ્યો. ત્યાં પણ નિદાન કરીને ફરી ૨થનું માર્ગમાંથી ઉત્પથમાં ગમન થયું, ફરી પૂર્વના ત્રીજા ભવમાં સંયમ ગ્રહણ કરીને પોતાના ચારિત્રથને તે રીતે માર્ગમાં પ્રવર્તાવ્યો અને ચારિત્રમોહનીય આદિ કર્મને તે રીતે વશ કર્યાં, જેથી ઉત્પથના ગમન વગર ચરમભવમાં ચારિત્રરથને સ્વ-આત્મીભાવરૂપે પ્રાપ્ત કરાવ્યો. આ રીતે ભગવાને પોતાના ચારિત્રરથને ઉપાદાન ભાવથી મોક્ષમાં પ્રવર્તાવ્યો અને ચરમભવમાં અન્ય યોગ્ય જીવોના રથોને નિમિત્તભાવથી મોક્ષપથમાં પ્રવર્તાવ્યા, તેથી ભગવાન સ્વના અને પરના રથના સારથિ બન્યા. તે સ્વરૂપે ભગવાનની સ્તુતિ કરવા માટે તેવા ધર્મસારથિ ભગવાનને પ્રસ્તુત સૂત્રથી નમસ્કાર કરાય છે, જેનાથી ભગવાનના ધર્મસારથિપણાની જેટલી સ્પષ્ટ ઉપસ્થિતિપૂર્વક તે ભાવ પ્રત્યે પ્રવર્ધમાન ભક્તિ ઉલ્લસિત થાય તે પ્રમાણે નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ૨૩/ સૂત્ર : धम्मवरचाउरन्तचक्कवट्टीणं ।। २४ ।। સૂત્રાર્થ : ધર્મરૂપ શ્રેષ્ઠ ચાતુરંત ચક્ર વર્તે છે જેમને એવા ભગવાનને નમસ્કાર થાઓ. ૨૪/ લલિતવિસ્તરા : तथा, ‘धम्मवरचाउरन्तचक्कवट्टीणं' । धर्मोऽधिकृत एव, स एव वरं प्रधानं, चतुरन्तहेतुत्वात् : Page #118 -------------------------------------------------------------------------- ________________ ધમ્મવરચાઉરંતચક્રવીણ चतुरन्तं, चक्रमिव चक्रं, तेन वर्तितुं शीलं येषां ते तथाविधाः, इदमत्र हृदयम्, -यथोदितधर्म एव वरं-प्रधानं, चक्रवर्तिचक्रापेक्षया लोकद्वयोपकारित्वेन, कपिलादिप्रणीतधर्मचक्रापेक्षया वा त्रिकोटिपरिशुद्धतया चत्वारो गतिविशेषाः नारकतिर्यग्नरामरलक्षणाः, तदुच्छेदेन तदन्तहेतुत्वाच्चतुरन्तं चतुर्भिर्वाऽन्तो यस्मिंस्तच्चतुरन्तं, कैश्चतुर्भिः? दानशीलतपोभावनाख्यैर्द्धमः, अन्तः प्रक्रमाद् भवान्तोऽभिगृह्यते, चक्रमिव चक्रमतिरौद्रमहामिथ्यात्वादिलक्षणभावशत्रुलवनात्, तथा च लूयन्त एवानेन भावशत्रवो मिथ्यात्वादय इति प्रतीतं, दानाद्यभ्यासादाग्रहनिवृत्त्यादिसिद्धेः, महात्मनां स्वानुभवसिद्धमेतत्। લલિતવિસ્તરાર્થ: અને ધર્મરૂપ શ્રેષ્ઠ ચાતુરંત ચવાળા ભગવાન છે, ધર્મ અધિકૃત જ છે, તે જ વર=પ્રધાન, ચારના અંતનું કારણ પણું હોવાથી ચતુરંત એવા ચક્રની જેવું ચક્ર, તેનાથી વર્તવાનો સ્વભાવ છે જેઓને તે તેવા છે=ધર્મવરચતુરંત ચક્રવાળા છે, આ અહીં=પ્રસ્તુત સૂત્રના કથનમાં, હૃદય છે= તાત્પર્ય છે – યથોદિત ધર્મ જ વર=પ્રધાન, ચક્રવર્તીના ચની અપેક્ષાએ લોકલ્યના ઉપકારિપણાથી અથવા કપિલાદિ પ્રણીત ધર્મચક્કી અપેક્ષાએ નિકોટિ પરિશુદ્ધપણું હોવાને કારણે નારક, તિર્યંચ, નર, અમર સ્વરૂપ ચાર ગતિવિશેષો તેના ઉચ્છેદને કારણે તદ્ અંતનું હેતુપણું હોવાથી ધર્મ જ શ્રેષ્ઠ ચક્ર ચાર ગતિના ઉચ્છેદને કરનાર હોવાથી ચતુરંત છે અથવા ચારથી=ચાર ધર્મોથી, અંતઃ ભવનો અંત, છે જેમાં તે ચતુરંતવાળું છે=ધર્મ ચતુરંત ચક્ર છે. કયા ચાર ધર્મો વડે અંત છે જેમાં તેવું ચતુરંતવાળું છે? એથી કહે છે – દાન, શીલ, તપ, ભાવ નામના ધમ વડે અંત=પ્રક્રમથી ભવનો અંત, ગ્રહણ કરાય છે, ચક્રના જેવું ચક્ર છે; કેમ કે અતિ રૌદ્ર મહામિથ્યાત્વાદિરૂપ ભાવશગુનો નાશ કરનાર છે અને તે પ્રમાણે આના દ્વારા=ધર્મચક્ર દ્વારા, મિથ્યાત્વાદિ ભાવશત્રુઓ નાશ કરાય છે જ એ પ્રતીત છે; કેમ કે દાનાદિ અભ્યાસથી આગ્રહની નિવૃત્તિ આદિની સિદ્ધિ છે, આ=દાનાદિથી ભાવશત્રુઓનો નાશ થાય છે એ, મહાત્માઓને સ્વઅનુભવ સિદ્ધ છે. પંજિકા - 'त्रिकोटिपरिशुद्धतयेति, तिसृभिरादिमध्यान्ताविसंवादिलक्षणाभिः कषच्छेदतापरूपाभिर्वा 'कोटिभिः'विभागः, 'परिशुद्धो'-निर्दोषो यः स तथा तद्भावस्तत्ता तया, कषादिलक्षणं चेदम् पाणवहाईयाणं पावट्ठाणाणं जो उ पडिसेहो । झाणज्झयणाईणं, जो उ विही एस धम्मकसो ।।१।। पंचवस्तुक १०२२ बज्ज्ञाणुठ्ठाणेणं जेण न बाहिज्जए तयं नियमा । संभवइ य परिशुद्धं सो पुण धम्ममि छेओ त्ति ।।२।। पंचवस्तुक १०२३ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬. લલિતવિસ્તરા ભાગ-૨ जीवाइभाववाओ, बंधाइपसाहगो इहं तावो । एएहिं सुपरिसुद्धो धम्मो धम्मत्तणमुवेइ ।।३।। पंचवस्तुक १०२४ 'आग्रहनिवृत्त्यादिसिद्ध 'रिति, आग्रहो मूर्छा, लुब्धिरिति पर्यायाः; ततो विहितदानशीलतपोभावनाभ्यासपरायणस्य पुंसः, आग्रहस्य मूर्छाया, निवृत्तिः उपरमः, 'आदि'शब्दाद् यथासम्भवं शेषदोषनिवृत्तिग्रहः, તથા સિદ્ધાવાન્ા પંજિકાર્ય : ‘ત્રિદિવરિશુદ્ધતિ ... સિહે બાવાન્ II ત્રિદિરિજીતરિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આદિ, મધ્ય અને અંતમાં અવિસંવાદિપ ત્રણ કોટિથી પરિશુદ્ધ અથવા કષ-છેદ-તાપરૂપ ત્રણ વિભાગોથી પરિશુદ્ધ અર્થાત્ નિર્દોષ જે છે તે તેવો છે તે ધર્મ ત્રિકોટિ પરિશુદ્ધ છે, તેનાથી=ત્રિકોટિ પરિશુદ્ધપણું હોવાથી ધર્મ વરચક્ર છે એમ અત્રય છે અને કષાદિનું લક્ષણ આ છે – પાણીવધ આદિ પાપસ્થાનકોનો જે પ્રતિષેધ, ધ્યાન-અધ્યયનાદિનો જે વિધિ એ ધર્મકષ છે=કષધર્મ છે. તે વિધિ-પ્રતિષેધ, નિયમથી જે બાહ્ય અનુષ્ઠાનોથી બાધ પામતા નથી અને પરિશુદ્ધ સંભવે છે તે વળી =બાહ્યઅનુષ્ઠાનને બતાવનારો ઉપદેશ કે અર્થ ધર્મમાં છેદ છે. અહીં=ધર્મમાં, જીવાદિ ભાવોને કહેનારો બંધાદિનો પ્રસાધક=બંધ-નિર્જરા આદિનો પ્રસાધક, તાપ છે, આના વડે= પૂર્વમાં કહેવાયેલા કષ-છેદ-તાપ વડે, સુપરિશુદ્ધ ધર્મ ધર્મપણાને પામે છે. નિવૃિિસદ્ધઃ એ લલિતવિસ્તારનું પ્રતીક છે, આગ્રહ, મૂચ્છ, લુબ્ધિ એ પર્યાયો છે= પર્યાયવાચી શબ્દો છે, તેથી વિહિત દાન-શીલ-તપ-ભાવના અભ્યાસપરાયણ પુરુષના આગ્રહની=મૂચ્છની, નિવૃતિ–ઉપરમ, થાય છે, આદિ શબ્દથી=નિવૃત્તિ આદિમાં રહેલા આદિ શબ્દથી, યથાસંભવ શેષ દોષની નિવૃત્તિનું ગ્રહણ છે, તેની સિદ્ધિ હોવાથી=સદ્ભાવ હોવાથી, ચાર પ્રકારનો ધર્મ ભાવશત્રુઓનો નાશ કરે છે એ પ્રતીત છે એમ અવય છે. ભાવાર્થ ભગવાન અધિકૃત એવા ચારિત્રધર્મરૂપ શ્રેષ્ઠ ચક્રવાળા છે, જે ચક્ર ચાર ગતિને અંત કરનાર હોવાથી ચતુરંત છે એવું ધર્મરૂપ શ્રેષ્ઠ ચક્ર વર્તે છે જેમને એવા ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે. આ ધર્મચક્ર શ્રેષ્ઠ ચક્ર કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – ચક્રવર્તીનું ચક્ર આ લોકમાત્રમાં ઉપકારક છે, જ્યારે ભગવાનનું ચારિત્રરૂપ ચક્ર લોકદ્રયમાં ઉપકારક છે; કેમ કે ભગવાને ચાર ગતિઓનો અંત કરે તેવું ધર્મચક્ર પ્રાપ્ત કર્યું છે, જે ધર્મચક્રની પ્રાપ્તિને કારણે ભગવાન મનુષ્યભવમાં દેવતાઓથી પૂજાય છે અને આ લોકમાં સર્વ સમૃદ્ધિથી યુક્ત છે અને પરલોકમાં પણ ચાર ગતિનો ઉચ્છેદ કરીને મોક્ષમાં જનારા છે, તેથી ભગવાનનું ચારિત્રધર્મરૂપ ચક્ર લોકદ્રયને ઉપકારક છે અથવા કપિલાદિ પ્રણીત ધર્મચક્રની અપેક્ષાએ ભગવાનથી પ્રણીત ધર્મ ત્રિકોટિ પરિશુદ્ધ છે, માટે વરચક્ર છે, Page #120 -------------------------------------------------------------------------- ________________ ધમ્મરચાઉતચક્રવીણ તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનપ્રણીત ચારિત્રધર્મ આદિ, મધ્ય અને અંતમાં એકાંતે સુખને કરનાર છે, લેશ પણ દુઃખના સંશ્લેષવાળો નથી, તેથી ત્રિકોટિ પરિશુદ્ધ છે. જેમ ભગવાન વડે ઉપદેશ અપાયેલા ધર્મના પરમાર્થને જાણીને જે જીવો ભગવાને બતાવેલા ધર્મનું સેવન કરે છે તે વખતે તેઓના ચિત્તમાં કષાયોના તાપના શમનથી સુખ થાય છે, કષાયોની આકુળતા અલ્પ થવાને કારણે આરોગ્યની વૃદ્ધિ થાય છે, પૂર્વની પાપપ્રકૃતિઓ પુણ્યપ્રકૃતિમાં ફેરવાય છે, પૂર્વની બંધાયેલી પુણ્યપ્રકૃતિઓ બલિષ્ઠ થાય છે, તેથી ધર્મ સેવનકાળથી જ સુખનો પ્રારંભ થાય છે, તેથી ભગવાને બતાવેલો વિવેકયુક્ત સ્વાદુ પથ્ય અન્ન જેવો ધર્મ સેવનકાળમાં અવિસંવાદી ફલને આપનાર છે, મધ્યમાંsઉત્તર-ઉત્તરના ભવોમાં, સુદેવત્વ-સુમાનુષત્વની પ્રાપ્તિ દ્વારા સુખને આપનાર છે અને અંતમાં સર્વ ઉપદ્રવ રહિત પૂર્ણ સુખમય મોક્ષને આપનાર છે, તેથી સ્વાદુ પથ્ય અન્ન સેવનકાળમાં પણ આ@ાદ કરે છે અને રોગની અલ્પતા કરીને આરોગ્યના સુખને આપે છે અને અંતે સર્વથા રોગનો નાશ થવાથી પૂર્ણસુખને આપે છે તેવો ત્રિકોટિ પરિશુદ્ધ ધર્મ ભગવાને કહ્યો છે, જ્યારે કપિલાદિ અન્ય દર્શનવાળાઓ જે ધર્મ કહે છે તે હિતકારી હોવા છતાં ત્રિકોટિ પરિશુદ્ધ નથી, માટે ભગવાનથી પ્રણીત ધર્મચક્ર ત્રિકોટિ પરિશુદ્ધ હોવાને કારણે અન્ય દર્શનપ્રણીત ધર્મચક્ર કરતાં પ્રધાન ચક્ર છે. વળી, ત્રિકોટિ પરિશુદ્ધનો અર્થ અપેક્ષાએ અન્ય પ્રકારે કરે છે – ભગવાનનું વચન કષ-છેદ-તાપથી પરિશુદ્ધ છે, જ્યારે અન્ય દર્શનનાં વચનો એક નયથી સત્ય હોવા છતાં કષ-છેદ-તાપશુદ્ધ નથી અને કષછેદ-તાપથી શુદ્ધ સો ટચનું સુવર્ણ કહેવાય, તેમ ભગવાનથી પ્રણીત ધર્મ પરિપૂર્ણ શુદ્ધ છે, માટે શ્રેષ્ઠ ચક્ર છે. કષ-છેદ-તાપ શું છે ? તે સંક્ષેપથી બતાવે છે – ભગવાનનું વચન વિધિ અને નિષેધને કરનારું છે, તેમાં પ્રાણાતિપાત આદિ પાંચ અવ્રત, ચાર કષાયો અને મિથ્યાત્વનો નિષેધ કર્યો છે અને ધ્યાન-અધ્યયનાદિની વિધિ બતાવી છે, તેથી એ ફલિત થાય કે ભગવાને જે પ્રાણાતિપાત આદિ દશનો નિષેધ કર્યો છે તે સંસારને અનુકૂળ જીવની પરિણતિ સ્વરૂપ છે, તેના નિષેધથી સંસારના સર્જનનો અવરોધ થાય છે અને આત્માના નિરાકુળ ભાવને પ્રગટ કરે તેવાં શાસ્ત્રઅધ્યયન અને ધ્યાનાદિ વિધિ બતાવી છે અને આ વિધિ-નિષેધરૂપ જે ધર્મ બતાવ્યો છે તે વિધિ-નિષેધને યોગ્ય જીવો સ્વશક્તિ અનુસાર સમ્યક સેવન કરી શકે તેવાં બાહ્ય અનુષ્ઠાનો બતાવ્યાં છે, જે અનુષ્ઠાનના સેવનથી ધર્મ સેવનના અર્થી જીવો અવશ્ય સ્વભૂમિકા અનુસાર પ્રતિષેધથી નિવર્તન પામીને સંસારને અલ્પ કરે છે અને સ્વભૂમિકા અનુસાર ધ્યાન-અધ્યયનાદિરૂપ વિધિના સેવનથી વીતરાગતાને અનુકૂળ ધર્મ પ્રગટ કરી શકે છે, જે ધર્મ સમ્યગુ રીતે સેવવામાં આવે તો આદિ, મધ્ય અને અંતમાં વિસંવાદ વગર સુખની પ્રાપ્તિનું કારણ બને છે. વળી, ભગવાને જીવાદિ પદાર્થનો જે વાદ અનેકાંતાત્મક બતાવ્યો છે તે બંધ અને નિર્જરાનો પ્રસાધક છે, તેથી ભગવાનના વચનમાં પદાર્થવ્યવસ્થા અનુસાર પણ બંધ-નિર્જરા આદિની સંગતિ છે અને ભગવાને Page #121 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ–૨ ૯. બતાવેલા ઉચિત અનુષ્ઠાન દ્વારા યોગ્ય જીવો સ્વભૂમિકા અનુસાર વિધિ અને નિષેધનું સમ્યગ્ સેવન કરીને ધર્મના ફળને પામે છે, માટે ભગવાને બતાવેલો ધર્મ ત્રિકોટિ પરિશુદ્ધ છે, તેથી અન્ય પ્રણીત ધર્મ કરતાં શ્રેષ્ઠ ધર્મચક્ર છે અને તે ધર્મચક્ર ચાર ગતિઓના અંતને કરનાર હોવાથી ચતુરંતવાળું કહેવાય છે; કેમ કે ભગવાને બતાવેલા ધર્મને જે જીવો ભગવાને જે રીતે બતાવ્યો છે તે રીતે નિપુણતાપૂર્વક જાણીને સેવે તો તેઓને ન૨ક અને તિર્યંચગતિની પ્રાપ્તિ થતી નથી, કુદેવત્વ અને કુમાનુષત્વની પ્રાપ્તિ થતી નથી અને સુદેવત્વ-સુમાનુષત્વ દ્વારા ઉત્તરોત્ત૨ના ધર્મને સેવીને તે મહાત્મા ચાર ગતિઓનો અંત કરે છે, માટે ચાર ગતિઓના અંતને કરનાર શ્રેષ્ઠ ચક્ર ભગવાને બતાવેલો ધર્મ છે અને તેવા ચાર ગતિના અંતને કરનારા ત્રિકોટિ પરિશુદ્ધ ધર્મને ભગવાને સ્વયં વરબોધિની પ્રાપ્તિથી સેવ્યો છે, તેથી તેવા શ્રેષ્ઠ ધર્મરૂપી ચક્રવાળા ભગવાન છે અથવા દાન-શીલ-તપ-ભાવરૂપ ચાર પ્રકારના ધર્મથી ભવનો અંત કરે તેવું ધર્મવરચક્ર છે અને તેવા શ્રેષ્ઠ ધર્મરૂપી ચક્રવાળા ભગવાન છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાને દાન-શીલ-તપ અને ભાવ નામના ચાર પ્રકારના ધર્મને તે રીતે સેવ્યો છે, જેથી ભવનો અંત થાય છે, જેમ ચક્ર શત્રુનો નાશ કરે છે, તેમ ભગવાને સેવેલો ચાર પ્રકારનો ધર્મ અતિરૌદ્ર એવા મિથ્યાત્વાદિ ભાવશત્રુનો નાશ કરનાર થયો. વળી, ભગવાને સેવેલા ધર્મ દ્વારા મિથ્યાત્વાદિ ભાવશત્રુઓ નાશ થાય છે એ મહાત્માઓને સ્વઅનુભવથી પ્રતીત છે; કેમ કે જે મહાત્માઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણીને ઉત્તમ એવો દાનધર્મ સેવે છે તેના દ્વારા તેઓ પરમગુરુની ભક્તિ કરીને, સુસાધુની ભક્તિ કરીને મૂર્છાનો ત્યાગ કરે છે તે સ્વઅનુભવ સિદ્ધ છે તે અર્થાત્ જે દાન કર્યું તે ધનના વ્યયથી મૂર્છા જતી નથી, પરંતુ ૫૨મ ગુરુની ભક્તિ કરીને હું મારા આત્માને કૃતકૃત્ય કરું, તે વખતે વીતરાગતા આદિ ગુણોના સ્મરણને કારણે અને તેના પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે ધનવ્યય કરેલો હોવાથી પરમગુરુની ભક્તિથી પરમગુરુને તુલ્ય થવાને અનુકૂળ જીવની પરિણતિમાં જે બાધક કર્મો મિથ્યાત્વાદિ ભાવો છે તેનો નાશ થાય છે, તેથી બાહ્ય સંગ અલ્પ થાય છે, માટે મૂર્છાની નિવૃત્તિ થાય છે, તે રીતે સુસાધુના ગુણો પ્રત્યે બહુમાન થવાથી સુસાધુની જેમ નિર્મમ થવામાં બાધક કર્મોનો નાશ થાય છે, જેથી મૂર્છાની નિવૃત્તિ થાય છે. વળી, શીલ, તપ અને ભાવધર્મ તો સાક્ષાત્ મિથ્યાત્વાદિના ઉન્મૂલનને અનુકૂળ અને વીતરાગતાની નિષ્પત્તિને અનુકૂળ જીવના પરિણામ સ્વરૂપ હોવાથી દાનાદિ ચાર ધર્મથી મિથ્યાત્વાદિ ભાવશત્રુઓનો નાશ થાય છે, મૂર્છાની નિવૃત્તિ આદિ થાય છે તે સ્વસંવેદન સિદ્ધ છે અને તેવા ઉત્તમ દાનાદિ ચાર પ્રકારના ધર્મને સેવીને ભગવાને ભવનો અંત કર્યો, તેથી શ્રેષ્ઠ ધર્મરૂપી ચક્રવાળા ભગવાન છે. દાન, શીલ, તપ અને ભાવધર્મ માત્ર બાહ્ય સેવનાત્મક હોય તો મૂર્છાની નિવૃત્તિ કે શેષ દોષોની નિવૃત્તિ થતી નથી, જેમ કોઈ વિપુલ દાન આપે, કોઈ બાહ્યથી શીલની આચરણા કરે, છઠ્ઠ અઠ્ઠમાદિ તપ કરે, સ્થૂલથી બાર ભાવનાઓ આદિ ભાવન કરે, છતાં જો સંસારના વાસ્તવિક સ્વરૂપનું પર્યાલોચન કરીને વીતરાગતાને અભિમુખ કોઈ યત્ન ન કરે તો તે ચારે પ્રકારના સ્થૂલ આચારોરૂપ ધર્મથી ભવનો અંત થાય નહિ, પરંતુ ભગવાને તો વરબોધિની પ્રાપ્તિ પછી તે તે ભવમાં દાનાદિ ધર્મ તે પ્રકારે સેવ્યો છે કે જેથી બાહ્ય પદાર્થો પ્રત્યે મૂર્છાની નિવૃત્તિ થાય એટલું જ નહિ પણ અન્ય સર્વ કષાયો પણ ક્ષીણ-ક્ષીણતર થાય Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯ ધમ્મવસ્યાઉતચકવઢીણ અને વીતરાગતાને અભિમુખ પોતાનો આત્મા ભાવિત થાય તે રીતે ધર્મને સેવીને ભગવાને ભવનો અંત કર્યો અને વર્તમાનમાં પણ જે મહાત્માઓ તે રીતે વિવેકપૂર્વક દાનાદિ ધર્મ કરે છે તેનાથી પોતાનામાં વર્તતા મૂચ્છના પરિણામરૂપ આગ્રહની નિવૃત્તિ આદિ પ્રગટ થતાં તેઓને સ્વઅનુભવથી દેખાય છે. લલિતવિસ્તરા - एतेन च वर्तन्ते भगवन्तः, तथाभव्यत्वनियोगतो वरबोधिलाभादारभ्य तथा तथौचित्येन आसिद्धिप्राप्तेः एवमेव वर्तनादिति। तदेवमेतेन वर्तितुं शीला धर्मवरचतुरन्तचक्रवर्तिनः।।२४।। લલિતવિસ્તરાર્થ - અને આનાથી=પૂર્વમાં કહ્યું એવા ધર્મવર ચતુરંતચર્થી, ભગવાન વર્તે છે; કેમ કે તથાભવ્યત્વના નિયોગથી તીર્થકરરૂપે સિદ્ધ થવાનું કારણ બને તેવા ભવ્યત્વના વ્યાપારથી, વરબોધિના લાભથી માંડીને તે તે પ્રકારે ઔચિત્યથી=જે જે પ્રકારે વરબોધિકાળમાં પોતાના સંયોગો હતા તેને અનુરૂપ તે તે પ્રકારના ઓચિત્યથી, સિદ્ધિની પ્રાપ્તિ સુધી=ભગવાન મોક્ષને પામે ત્યાં સુધી, આ રીતે જ વર્તે છે. ધર્મવર ચતુરંત ચક્વતના અર્થને તવંથી નિગમન કરે છે – આ રીતે આના દ્વારા=શ્રેષ્ઠ ચક્ર દ્વારા, વર્તવાના સ્વભાવવાળા ભગવાન ધર્મવર ચતુરંત ચક્રવર્તી છે. IIRIT ભાવાર્થ : પૂર્વમાં ધર્મવર ચતુરંત ચક્ર શું છે? તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું એવા ચક્રથી ભગવાન વર્તે છે, તેથી ભગવાન ધર્મવર ચતુરંત ચક્રવર્તી છે, કઈ રીતે ભગવાન એવા ચક્રથી વર્તે છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – જેમ ચક્રવર્તીને ચક્રની પ્રાપ્તિ થાય ત્યારે પોતાના શત્રુનો નાશ કરવા માટે સતત પ્રવર્તે છે તેમ ભગવાનને તથાભવ્યત્વના વ્યાપારના કારણે વરબોધિની પ્રાપ્તિ થઈ તે ધર્મવર ચક્રની પ્રાપ્તિતુલ્ય છે, તેથી જ્યારથી ભગવાનને વરબોધિની પ્રાપ્તિ થઈ ત્યારથી પોતાના ભાવશત્રુને નાશ કરવા માટે તે તે પ્રકારે ઔચિત્યથી સિદ્ધિ પ્રાપ્તિ સુધી યત્ન કર્યો. તેથી એ ફલિત થાય કે તીર્થંકરના આત્માઓમાં તીર્થંકર થઈને મોક્ષમાં જાય એવા પ્રકારનું ભવ્યત્વ હોય છે અને તે ભવ્યત્વ વરબોધિના પ્રાપ્તિકાળમાં વ્યાપારવાળું થાય છે, તેથી તેઓને સંસારનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું જ રૌદ્ર દેખાય છે અને તે સંસારમાંથી નિસ્તારનો ઉપાય સર્વજ્ઞપ્રણીત શ્રતધર્મ છે તેવો સ્પષ્ટ નિર્ણય થાયછે, તેથી તેઓને પરિણામ થાય છે કે મોહરૂપી અંધકારથી ગહન એવી ભવાટવીમાં ભમતા જગતના જીવોને આ શ્રતધર્મને આપીને હું સર્વ જીવનો વિસ્તાર કરું અને તેવો નિર્મળ અધ્યવસાય પ્રગટ થયા પછી તે મહાત્માઓ તે તે પ્રકારે ઔચિત્યથી પોતાના ચાર ગતિરૂપ સંસારનો ઉચ્છેદ થાય અને અન્ય યોગ્ય જીવોના નિસ્તારમાં પોતે જે રીતે નિમિત્તભાવ પામી શકે તે તે પ્રકારે ઔચિત્યથી મોક્ષપ્રાપ્તિ સુધી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ લલિતવિસ્તરા ભાગ-૨ યત્ન કરે છે અને અન્ય યોગ્ય જીવોના ચાર ગતિના ઉચ્છેદ માટે નિમિત્તભાવરૂપે કારણ બને છે. આ પ્રકારે ચક્રને પ્રવર્તાવીને ભગવાન ભવનો અંત કરનારા હોવાથી ધર્મવર ચક્રવર્તી છે. ૨૪ લલિતવિસ્તાર:___ एवं धर्मदत्वधर्मदेशकत्वधर्मनायकत्वधर्मसारथित्वधर्मवरचतुरन्तचक्रवर्तित्वैर्विशेषोपयोगसिद्धेः स्तोतव्यसम्पद एव विशेषेणोपयोगसम्पद इति।।संपदा-६॥ લલિતવિસ્તરાર્થ : આ રીતે=પ્રસ્તુત સંપદાનું અત્યાર સુધી વર્ણન ક્યું એ રીતે, ધર્મદત, ધર્મદેશકત્વ, ધર્મનાયકત્વ, ધર્મસારથિ, ધર્મવર ચતુરંત ચક્રવર્તિત વડે વિશેષથી ઉપયોગની સિદ્ધિ હોવાથી યોગ્ય જીવોને ઘર્મદત્યાદિ ભાવો વડે વિશેષથી ભગવાનના ઉપયોગની સિદ્ધિ હોવાથી, સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદા છે પ્રસ્તુત વિશેષથી ઉપયોગસંપદા છે. Hસંપદાભાવાર્થ પ્રસ્તુત સંપદામાં ભગવાન કઈ રીતે ધર્મને દેનારા છે, કઈ રીતે ધર્મના દેશક છે, કઈ રીતે ધર્મના નાયક છે, કઈ રીતે ધર્મના સારથિ છે, કઈ રીતે ધર્મવર ચતુરંત ચક્રવાળા છે તેનું વિસ્તારથી વર્ણન કર્યું, તેના દ્વારા યોગ્ય જીવોને ભગવાનનો વિશેષથી ઉપયોગ થાય છે તેની સિદ્ધિ થાય છે; કેમ કે ધર્મદેશનાદિ દ્વારા જ યોગ્ય જીવોને ભગવાનથી ઉપકાર થાય છે, માટે ભગવાનના ઉપયોગની સિદ્ધિ હોવાથી ભગવાનની સ્તોતવ્યસંપદા છે તેના જ વિશેષથી ઉપયોગરૂપ પ્રસ્તુત ઉપયોગસંપદા છે. સંપદા-કા અવતરણિકા - एते च कैश्चिदिष्टतत्त्वदर्शनवादिभिर्बोद्धभेदैरन्यत्र प्रतिहतवरज्ञानदर्शनधरा एवेष्यन्ते 'तत्त्वमिष्टं तु पश्यतु' इति वचनाद्, एतन्निराचिकीर्षयाहઅવતરણિકાર્ય : અને કેટલાક ઈષ્ટ તત્વના દર્શનવાદી એવા બૌદ્ધના ભેદો વડે અન્યત્રતત્વને છોડીને અન્યત્ર, પ્રતિહતવરજ્ઞાન-દર્શનધરનારા જ આ=ભગવાન, ઈચ્છાય છે; કેમ કે “ઈષ્ટ તત્ત્વને જુઓ” એ પ્રકારનું વચન છે=બૌદ્ધદર્શનવાદીનું વચન છે, આનું નિરાકરણ કરવાની ઈચ્છાથી તત્ત્વને છોડીને અન્યત્ર પ્રતિહતવરજ્ઞાન-દર્શનધરનારા ભગવાન છે એનું નિરાકરણ કરવાની ઈચ્છાથી, કહે છે – પંજિકા - 'तत्त्वमिष्टं तु पश्यत्वि'ति-'सर्वं पश्यतु वा मा वा, तत्त्वमिष्टं तु पश्यतु। प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ।।१।।' इति संपूर्णश्लोकपाठः। Page #124 -------------------------------------------------------------------------- ________________ અપડિહયવરનાણદંસણધરાણ ૧૦૧ પંજિકાર્ય : તત્ત્વમિષ્ટ વૃાનુવાદાણા'તિ સંપૂરતોષક તત્ત્વમષ્ઠત પત્નિતિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, સર્વ જુઓ અથવા ન જુઓ, ઈષ્ટ તત્વને વળી, અવશ્ય જુઓ, જો દૂરદર્શી તમને પ્રમાણ છે તો આ આપણે ગીધડાંની ઉપાસના કરીએ. એ પ્રમાણે સંપૂર્ણ શ્લોકનો પાઠ છે. ભાવાર્થ - કેટલાક બૌદ્ધદર્શનવાદીઓ આત્માને મોક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી જે ઇષ્ટ તત્ત્વ છે તેને જોનારા બુદ્ધ ભગવાન છે તેમ માને છે, તેથી તેઓના મતે ભગવાન અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધરનારા નથી, પરંતુ સંસારથી વિસ્તાર માટે જીવને ઉપયોગી થાય તેટલું ઇષ્ટ તત્ત્વ જોનારા છે તેમ માને છે અને તેવા ભગવાનને ઉપાસ્ય સ્વીકારે છે; કેમ કે તેઓ માને છે કે સર્વ પદાર્થને કોઈ જુએ કે ન જુએ તેની કોઈ આવશ્યકતા નથી, પરંતુ કલ્યાણ માટે ઉપયોગી જે ઇષ્ટ તત્ત્વ છે તેને જુએ તે પુરુષ પ્રમાણરૂપ છે; કેમ કે તેના વચનથી જ ઇષ્ટની સિદ્ધિ થાય છે, અનુપયોગી કીટકની સંખ્યા આદિનું જ્ઞાન કે અન્ય પદાર્થોનું જ્ઞાન આત્મા માટે કોઈ ઉપયોગી નથી, તેથી ભગવાનને સર્વ શેયના જાણનારા છે એમ સ્વીકારવું તે અર્થ વગરનું છે, એમ જે બૌદ્ધો કહે છે, તેના નિરાકરણ માટે પ્રસ્તુત સૂત્રથી કહે છે – સૂત્ર - अप्पडिहयवरनाणदंसणधराणं ।।२५।। સૂત્રાર્થ - અપ્રતિહતવરજ્ઞાન-દર્શનને ધારણ કરનારા ભગવાનને નમસ્કાર થાઓ. રપાઈ લલિતવિસ્તરા - 'अप्रतिहतवरज्ञानदर्शनधरेभ्यः'। अप्रतिहते सर्वत्राप्रतिस्खलिते क्षायिकत्वाद्, वरे-प्रधाने, ज्ञानदर्शने विशेषसामान्यावबोधरूपे धारयन्तीति समासः; सर्वज्ञानदर्शनस्वभावत्वे निरावरणत्वेन, अन्यथा तत्त्वायोगात्। લલિતવિસ્તરાર્થ: અપ્રતિકતવરજ્ઞાન-દર્શનને ધારણ કરનારા ભગવાન છે, અપ્રતિહત ક્ષાયિકપણું હોવાથી સર્વત્ર પ્રતિસ્પલિત=સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં સ્કૂલના વગર જનાર, વર=પ્રધાન એવા, જ્ઞાન-દર્શનને વિશેષ-સામાન્ય અવબોધરૂપ જ્ઞાન-દર્શનને, ધારણ કરે છે, એ પ્રકારે સમાસ છે, સર્વજ્ઞાન, સર્વદર્શન સ્વભાવપણું હોતે છતે નિરાવરણપણું હોવાથી અપ્રતિકતવરજ્ઞાન-દર્શન ધારણ કરનારા ભગવાન છે એમ અન્વય છે, અન્યથા–ઉક્ત પ્રકાર વગર સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન ન હોય તો, તત્ત્વનો અયોગ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ લલિતવિસ્તા ભાગ-૨ પંજિકા - _ 'सर्वज्ञाने'त्यादि-सर्वज्ञानदर्शनस्वभावत्वे नयान्तराभिप्रायेण सार्वदिके सर्वज्ञसर्वदर्शित्वरूपे सति, निरावरणत्वेन घातिक्षयात्, अप्रतिहतवरज्ञानदर्शनधरा भगवन्तः। व्यतिरेकमाह- अन्यथा उक्तप्रकारव्यतिरेकेण, तत्त्वायोगात् अप्रतिहतवरज्ञानदर्शनधरत्वायोगात् यतो न निरावरणा अपि धर्मास्तिकायादय उक्तरूपविकलाः सन्तः, एकेन्द्रियादयो वा उक्तरूपयोगेऽप्यनिरावरणाः, प्रकृतसूत्रार्थभाज इति। પંજિકાર્ય - સર્વજ્ઞાત્યાદિ પ્રવૃતસ્ત્રાર્થમાન વિ . સર્વજ્ઞાન ઈત્યાદિ લલિતવિસ્તારનું પ્રતીક છે, સર્વજ્ઞાનદર્શન સ્વભાવપણું હોતે છતે=ાયાંતરના અભિપ્રાયથી સાદિક સર્વજ્ઞ-સર્વદર્શિત્વરૂપ હોતે છતે=આત્મા “શ' સ્વભાવવાળો છે તેથી કર્મવાળી અવસ્થામાં શક્તિરૂપે અને મુક્ત અવસ્થામાં અભિવ્યક્તિરૂપે સર્વજ્ઞ સર્વદશિરૂપપણું હોતે છત, ઘાતિક્ષયથી નિરાવરણપણું હોવાને કારણે અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરનારા ભગવાન છે. વ્યતિરેકને કહે છે – અન્યથા–ઉક્ત પ્રકાર વગર=સર્વજ્ઞ સર્વ દશિત્વ જીવતો સ્વભાવ ન હોય અને નિરાવરણત્વ ન હોય તો તત્વનો અયોગ હોવાને કારણે=અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધરવતો અયોગ હોવાને કારણે, સર્વજ્ઞ-સર્વદશિસ્વભાવપણું હોતે છતે તિરાવરણ થવાને કારણે ભગવાન અપ્રતિહતવરજ્ઞાનદર્શન ધારણ કરનારા છે, એમ અત્રય છે. જે કારણથી નિરાવરણવાળા પણ ધમસ્તિકાય આદિ ઉક્ત સ્વરૂપ વિકલ છતાં પ્રકૃત સૂત્રાર્થને ભજનારા નથી=અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધરનારા નથી, અથવા એકેન્દ્રિયાદિ ઉક્તરૂપતા યોગમાં પણ ચેતન હોવાથી શક્તિરૂપે અપ્રતિહત જ્ઞાન-દર્શનધરપણાના યોગમાં પણ, અતિરાવરણ છે (તેથી) પ્રકૃત સૂત્રાર્થને ભજનારા નથી, તેથી અપ્રતિહતવરજ્ઞાન-દર્શન ધારણ કરનારા નથી. ભાવાર્થ : જ્ઞાનાવરણીય કર્મનો અને દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરેલો હોવાથી ભગવાન સર્વત્ર અપ્રતિઅલિત જ્ઞાન-દર્શનના સ્વભાવને ધારણ કરનારા છે=વિશેષ-સામાન્યના અવબોધરૂપ જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે અર્થાત્ ક્ષેત્ર અને કાળથી તેમનું જ્ઞાન ક્યાંય અલના પામતું નથી, પરંતુ સર્વ ક્ષેત્રમાં રહેલાં સર્વ દ્રવ્યો અને ત્રણે કાળના સર્વ પર્યાયોને સ્વરૂપથી યથાર્થ જાણે છે, તેથી અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે. કેમ ભગવાન અપ્રતિકતવરજ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે ? તેમાં યુક્તિ આપે છે – ભગવાનના આત્મામાં સર્વજ્ઞાન અને સર્વદર્શન સ્વભાવપણું અનાદિથી હતું, પરંતુ પૂર્વમાં તે આવૃત્ત હતું. અને ત્યારપછી સાધના દ્વારા તે આવરણનો નાશ થયો, તેથી તેમનું જ્ઞાન-દર્શન નિરાવરણ થયું, માટે ભગવાન અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે, તેને જ સ્પષ્ટ કરવા માટે યુક્તિ બતાવે છે – Page #126 -------------------------------------------------------------------------- ________________ અપડિહયવરનાણદંસણધરાણ ૧૦૩ જો ભગવાનના આત્મામાં સર્વજ્ઞાન અને સર્વદર્શન સ્વભાવ ન હોય અને સ્વભાવ હોવા છતાં તે નિરાવરણ ન હોય તો ભગવાન અપ્રતિહતવરજ્ઞાન-દર્શનને ધરનારા થાય નહિ, જેમ ધર્માસ્તિકાય આદિ પદાર્થો નિરાવરણ છે, પરંતુ સર્વજ્ઞાન અને સર્વદર્શન સ્વભાવવાળા નથી, તેથી પ્રકૃત સૂત્રનો જે અર્થ છે તેવા અર્થને ભજનારા નથી અને એકેન્દ્રિયાદિ સર્વ છબસ્થ જીવો સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવવાળા છે, છતાં નિરાવરણ નથી, માટે પ્રત સૂત્રના અર્થને ભજનારા નથી અને ભગવાને સાધના દ્વારા ઘાતિકર્મનો ક્ષય કર્યો છે, તેથી નિરાવરણ છે અને તેમનામાં વર્તતો સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવ આવરણના ક્ષયથી પ્રગટ થયેલો છે. તેથી અપ્રતિહત શ્રેષ્ઠ એવા જ્ઞાન-દર્શનને ધારણ કરનારા ભગવાન છે. અહીં શ્રેષ્ઠ જ્ઞાન કહેવાથી મતિ આદિ ચાર જ્ઞાન કરતાં કેવલજ્ઞાન કેવલદર્શન શ્રેષ્ઠ છે તેમ બતાવેલ છે અને અપ્રતિહત કહેવાથી બુદ્ધ તત્ત્વના જ જ્ઞાનવાળા છે, જગતના જોય માત્રના જાણનારા નથી તે મતનું નિરાકરણ થાય છે; કેમ કે ભગવાન જોય માત્રને જાણનારા છે. લલિતવિસ્તરાઃ सर्वज्ञस्वभावत्वं च सामान्येन सर्वावबोधसिद्धेः, विशेषाणामपि ज्ञेयत्वेन ज्ञानगम्यत्वात्, न चैते साक्षात्कारमन्तरेण गम्यन्ते, सामान्यरूपानतिक्रमात्। લલિતવિસ્તરાર્થ: અને સામાન્યથી સર્વ અવબોધની સિદ્ધિ હોવાને કારણે સર્વ જીવોને સામાન્યથી જગતના સર્વ પદાર્થોના બોધની સિદ્ધિ હોવાને કારણે, સર્વજ્ઞ સ્વભાવપણું છે=સર્વ જીવોનું સર્વજ્ઞ સ્વભાવપણું છે; કેમ કે વિશેષોનું પણ શેયપણું હોવાને કારણે જ્ઞાન ગમ્યપણું છે, આ=વિશેષો, સાક્ષાત્કાર વગર સામાન્યથી બોઘ થયા વગર, જણાતા નથી; કેમ કે સામાન્ય રૂપનો અનતિક્રમ છે=સર્વ વિશેષોમાં સામાન્ય રૂપનો અભેદ છે. પંજિકા:हेतुविशेषणसिद्ध्यर्थमाह सर्वज्ञस्वभावत्वं च हेतुविशेषणतयोपन्यस्तं, सामान्येन महासामान्यनाम्ना सत्तालक्षणेन, सर्वावबोधसिद्धेः= सर्वेषां-धर्मास्तिकायादिज्ञेयानाम्, अवबोधसिद्धेः-परिच्छेदसद्भावात्, (प्र.इति) ज्ञेयवस्तुप्रतिबिम्बसङ्क्रमस्य तु तदाकारत्वे ज्ञानस्याभ्युपगम्यमाने अनेकदोषप्रसङ्गात् व्याप्त्यनुपपत्तेः, धर्मास्तिकायादिष्वमूर्त्तत्वेनाकाराभावे प्रतिबिम्बायोगात्, तस्य मूर्तधर्मत्वात्, तथा तत्प्रतिबद्धवस्तुसङ्क्रमाभावेऽभावात्, न ह्यङ्गनावदनच्छायाणुसङ्क्रमातिरेकेणाऽऽदर्शक तत्प्रतिबिम्बसम्भवोऽस्ति, अम्भसि वा निशाकरबिम्बस्येति, अन्यथाऽतिप्रसङ्गात्, उक्तं च परममुनिभिः‘सामा तु दिया छाया, अभासुरगया निसं तु कालाभा। सच्चेव भासुरगया, सदेहवण्णा मुणेयव्वा।।१।। .. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ લલિતવિસ્તરા ભાગ-૨ जे आयरसस्संतो, देहावयवा हवंति संकेता। तेसिं तत्थुवलद्धी पगासजोगा न इयरेसिं।।२।।' इत्यादि, चित्रास्तरणाधनेकवस्तुग्रहणावसरे चैकत्रानेकप्रतिबिम्बोदयासम्भवात्, सम्भवे वा प्रतिबिम्बसाकोपपत्तेः, तदनुसारेण परस्परसङ्कीर्णवस्तुप्रतिपत्तिप्रसङ्गादिति, एकस्मिन्नपि घटादौ सद्रूपे परिच्छिन्ने तद्रूपानतिक्रमात् शुद्धसङ्ग्रहनयाभिप्रायेण सर्वसत्तापरिच्छेदः सिध्यति। __ आह- 'सत्तामात्रपरिच्छेदेऽपि विशेषाणामनवबोधात् कथं सर्वावबोधसिद्धि रित्याशक्याह- विशेषाणामपि न केवलं सामान्यस्य, ज्ञेयत्वेन ज्ञानविषयत्वेन, ज्ञानगम्यत्वात् ज्ञानेन -अवबोधरूपेणावबोधनीयरूपत्वात्, यद्येवं ततः किमित्याह- न च-नैव, एते-विशेषाः, साक्षात्कारं दर्शनोपयोगम्, अन्तरेण विना, तेनासाक्षात्कृता इत्यर्थः, गम्यन्ते=बुध्यन्ते, कथमित्याह- सामान्यरूपानतिक्रमात्, सामान्यरूपातिक्रमे ह्यसद्रूपतया खरविषाणादिवदसन्त एव विशेषाः स्युरिति। इदमुक्तं भवति-दर्शनोपयोगेन सामान्यमात्रावबोधेऽपि तत्स्वरूपानतिक्रमात् सङ्ग्रहनयाभिप्रायेण विशेषाणामपि ग्रहणाच्छद्मस्थोऽपि सर्वदा सर्वज्ञस्वभावः स्यात्, घातिकर्मक्षये तु सर्वनयसंमत्या निरुपचरितैव सर्वज्ञस्वभावता; ज्ञानक्रियायोगपद्यस्यैव मोक्षमार्गतेति, सर्वदर्शनस्वभावता तु सामान्यावबोधत एव सिद्धति न तत्सिद्धये यत्नः कृत इति। निसार्थ : हेतुविशेषण ..... यत्नः कृत इति ।। सेतु विशेषता Ale भाटे ४ छ - पूर्वvi jd ભગવાનના આત્માનું સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવપણું હોતે છતે નિરાવરણ હોવાને કારણે અપ્રતિહાવરજ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે, તેમાં સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવપણું હોતે છતે નિરાવરણરૂપ જે હેતુ છે તેના સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવત્વરૂપ વિશેષણની સિદ્ધિ માટે કહે છે – અને સર્વજ્ઞ સ્વભાવપણું છે=હેતુના વિશેષણપણાથી ઉપચસ્ત સર્વજ્ઞ સ્વભાવપણું સર્વ જીવોનું છે; કેમ કે સામાન્યથી=મહા સામાન્ય નામની સત્તારૂપ સામાન્યથી, સર્વ અવબોધની સિદ્ધિ હોવાને કારણે સર્વ એવા ધમસ્તિકાયાદિ જોયોના પરિચ્છેદનો સદ્ભાવ હોવાને કારણે, જીવમાં સર્વત્તા સ્વભાવપણું છે. અહીં કેટલાક દર્શનવાદીઓ માને છે કે શેય વસ્તુનું પ્રતિબિંબ જ્ઞાનમાં સંક્રમણ પામે છે, માટે છદ્મસ્થને એક વસ્તુના બોધથી સત્તા માત્રનો બોધ થવાને કારણે સર્વ બોધની સિદ્ધિ છે તેમ કહી શકાય નહિ, તેના નિરાકરણ માટે હેતુ કહે છે – વળી, શેય વસ્તુના પ્રતિબિંબના સંક્રમ એવા જ્ઞાનનું તદાકારપણું સ્વીકાર કરાયે છતેત્રણેય આકારપણું સ્વીકાર કરાયે છતે, અનેક દોષનો પ્રસંગ છે, વ્યાપ્તિની અનુપપત્તિ છે=ણેય વસ્તુ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એ પ્રકારની સર્વત્ર વ્યાપ્તિની અનુપપતિ છે, ઘમસ્તિકાય આદિમાં અમૂર્તપણું Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ આપડિહયવરનાણદંસણધરાણ હોવાને કારણે આકારનો અભાવ હોતે છતે પ્રતિબિંબનો અયોગ છે; કેમ કે તેનું પ્રતિબિંબનું, મૂર્તધર્મપણું છે અને તત્ પ્રતિબદ્ધ વસ્તુના સંક્રમના અભાવમાં આત્મા સાથે પ્રતિબદ્ધ વસ્તુના સંક્રમના અભાવમાં, બોધનો અભાવ છે, દિ=જે કારણથી, સ્ત્રીના વદનની છાયાના અણુના સંક્રમ વગર દર્પણમાં તેના પ્રતિબિંબનો સંભવ નથી=સ્ત્રીના મુખના પ્રતિબિંબનો સંભવ નથી, અથવા પાણીમાં ચંદ્રના બિંબની છાયાના અણુના સંક્રમ વગર પ્રતિબિંબનો સંભવ નથી; કેમ કે અન્યથા છાયાના અણુના સંક્રમ વગર ચંદ્રના બિબતો પાણીમાં સંક્રમ સ્વીકારીએ તો, અતિપ્રસંગ છે=અરૂપી પદાર્થના પણ સંક્રમનો અતિપ્રસંગ છે, અને પરમમુનિઓ વડે કહેવાયું છે – અભાસ્વર પદાર્થમાં પડેલી છાયા દિવસે શ્યામ દેખાય છે, રાત્રે વળી, કાળી આભા દેખાય છે, તે જ ભાસ્કર પદાર્થમાં પડેલી છાયા સ્વદેહના વર્ણવાળી જાણવી. દર્પણની અંદર સંક્રાંત થયેલા જે દેહના અવયવો છે, તેઓની ત્યાં=દર્પણમાં, ઉપલબ્ધિ પ્રકાશના યોગથી છે, ઈતરની નથી. ઈત્યાદિ વળી, જ્ઞાનમાં શેય વસ્તુનું પ્રતિબિંબ સ્વીકારવામાં આવે તો અન્ય શું દોષ આવે ? તે બતાવે છે – અને વિવિધ પ્રકારની સાદડી આદિ અનેક વસ્તુના ગ્રહણના અવસરમાં=વિવિધ પ્રકારની સાદડી આદિ અનેક વસ્તુના બોધના અવસરમાં, એક જ્ઞાનના બોધમાં અનેક પ્રતિબિંબના ઉદયનો અસંભવ છે અથવા સંભવ હોતે છતે પ્રતિબિબના સાંકર્થની ઉપપતિ છે=એક જ્ઞાનમાં અનેક વસ્તુના મિશ્રણ સ્વરૂપે બોધ થવાની આપત્તિ છે, તેના અનુસારથી=પ્રતિબિંબના સાંકર્યતા અનુસારથી, પરસ્પર સંકીર્ણ વસ્તુના બોધનો પ્રસંગ છે, માટે જ્ઞાનમાં શેય વસ્તુના પ્રતિબિંબનું સંક્રમણ થાય છે તેમ સ્વીકારવું ઉચિત નથી એમ અવય છે. તો શું સ્વીકારવું ઉચિત છે ? તે સ્પષ્ટ કરે છે – એક પણ ઘટાદિ વસ્તુમાં સદ્ રૂપનો પરિચ્છેદ થયે છતે=આ સત્ છે એ પ્રકારનો અસ્તિત્વનો બોધ થયે છતે, તેના રૂપનો અતિક્રમ હોવાથી=સદ્ધિ એ પ્રકારનું સ્વરૂપ સર્વ પદાર્થોમાં વિદ્યમાન હોવાથી, શુદ્ધ સંગ્રહાયતા અભિપ્રાયથી સર્વની સતાનો પરિચ્છેદ સિદ્ધ થાય છે, તેથી સામાન્યથી સર્વના અવબોધની સિદ્ધિ હોવાને કારણે જીવવું સર્વજ્ઞ સ્વભાવપણું છે એમ લલિતવિસ્તારના કથન સાથે સંબંધ છે. અહીં પ્રશ્ન કરે છે – સતા માત્રનો પરિચ્છેદ હોવા છતાં પણ=સર્વ પદાર્થોમાં રહેલી સતા માત્રનો બોધ હોવા છતાં પણ, વિશેષોનો અનવબોધ હોવાથી કેવી રીતે સર્વ અવબોધની સિદ્ધિ છે? એ પ્રકારે આશંકા કરીને લલિતવિસ્તરામાં કહે છે – કેવલ સામાન્ય નહિ, પરંતુ વિશેષોનું પણ શેયપણું હોવાથી=જ્ઞાનવિષયપણું હોવાથી, જ્ઞાતગમ્યપણું હોવાને કારણે=અવબોધરૂપ જ્ઞાનથી અવબોધનીયરૂપપણું હોવાને કારણે, જીવનું સર્વજ્ઞ સ્વભાવપણું છે એમ અત્રય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ લલિતવિસ્તરા ભાગ-૨ જો આ પ્રમાણે છે=જીવનું સર્વજ્ઞ સ્વભાવપણું છે એ પ્રમાણે છે, તેનાથી શું?–તેનાથી શું સિદ્ધ થાય ? એથી કહે છે – સાક્ષાત્કાર વગર=દર્શન ઉપયોગ વગર તેના વડે=દર્શન ઉપયોગ વડે, અસ્તિત્વરૂપે અસાક્ષાત્કૃત એવા આ વિશેષો જણાતા નથી જ, કેમ જણાતા નથી એમાં હેતુ કહે છે લલિતવિસ્તરામાં હેતુ કહે છે – સામાન્યરૂપનો અતિક્રમ છે, હિ=જે કારણથી, સામાન્યરૂપનો અતિક્રમ થયે છત=સામાન્યરૂપ વગર વિશેષરૂપ હોતે છતે, અસરૂપપણું હોવાને કારણે ગધેડાના શિંગડા આદિની જેમ અસદુ જ વિશેષો થાય. આ કહેવાયેલું થાય છે પૂર્વના કથનથી આ કહેવાયેલું થાય છે – દર્શનના ઉપયોગથી સામાન્યમાત્રના અવબોધમાં પણ તેના સ્વરૂપનો અતિક્રમ હોવાથી વ્યક્તિ એ રૂપ સામાન્યમાત્રના સ્વરૂપનો સર્વ પદાર્થોમાં અતિક્રમ હોવાથી, સંગ્રહાલયના અભિપ્રાયથી વિશેષોનું પણ ગ્રહણ થયેલું હોવાને કારણે તે સામાન્ય સાથે અભિન્નરૂપે સર્વ પદાર્થોમાં રહેલા વિશેષોનું પણ ગ્રહણ થયેલું હોવાને કારણે, છદ્મસ્થ પણ સર્વદા સર્વજ્ઞ સ્વભાવવાળો થાય, વળી, ઘાતકર્મનો ક્ષય થયે છતે સર્વ તયની સંમતિથી નિરુપચરિત જ સર્વજ્ઞ સ્વભાવતા છે, જેમ જ્ઞાન-ક્રિયાના યૌગપધતી જ મોક્ષમાર્ગના છે, (જ્ઞાનક્રિયાયોગ-પચ્ચેવ મોક્ષમતતિ છે તેના સ્થાને જ્ઞાનક્રિયાયોપચ્ચેવ મોક્ષનાવ પાઠ જોઈએ.) વળી, સર્વદર્શન સ્વભાવતા સામાન્ય અવબોધથી જ સિદ્ધ છે, એથી તેની સિદ્ધિ માટે=સર્વદર્શન સ્વભાવતાની સિદ્ધિ માટે, યત્ન કરાયો નથી. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આત્માનું સર્વજ્ઞાન-સર્વદર્શન સ્વભાવપણું હોવાને કારણે સાધના દ્વારા ભગવાને ઘાતિકર્મનો ક્ષય કર્યો ત્યારે નિરાવરણ થવાને કારણે ભગવાન અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા થયા, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે આત્માનું સર્વજ્ઞાન-સર્વદર્શન સ્વભાવપણું છે તેમ કઈ રીતે નક્કી થાય ? તેથી સંસારી જીવોમાં સર્વજ્ઞ સ્વભાવપણું વિદ્યમાન છે તે બતાવવા માટે યુક્તિ આપે છે – સામાન્યથી સંસારી જીવોને કોઈ વસ્તુનો બોધ થાય છે ત્યારે સર્વ વસ્તુઓનો બોધ થાય છે અર્થાત્ અસ્તિત્વરૂપે એક વસ્તુનો બોધ થાય છે તેવો જ અસ્તિત્વ ધર્મ સર્વ પદાર્થોમાં સમાન છે, તેથી અસ્તિત્વની સાથે અભિન્ન એવા સર્વ વિશેષોનો બોધ સંગ્રહનયની દૃષ્ટિથી થાય છે; કેમ કે વિશેષોનું પણ જ્ઞાનનું વિષયપણું હોવાથી જ્ઞાનગમ્યપણું છે, તેથી જેમ જીવને સામાન્યનો બોધ થયો તેમ સામાન્ય સાથે અભિન્નરૂપે સર્વ વિશેષોનો પણ સામાન્યરૂપે બોધ થાય છે. અહીં પ્રશ્ન થાય કે અસ્તિત્વરૂપે એક વસ્તુનો બોધ થાય તે વખતે તે અસ્તિત્વરૂપે સર્વનો બોધ થયો છે તેમ કહી શકાય, પરંતુ સર્વ પદાર્થોમાં રહેલા વિશેષોનો પણ તેને બોધ થયો છે, માટે જીવમાં સર્વજ્ઞ સ્વભાવપણું છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – જગતમાં વર્તતા અસ્તિત્વ ધરાવનારા સર્વ પદાર્થોમાં જે વિશેષો છે તે સામાન્યનો બોધ કર્યા વગર Page #130 -------------------------------------------------------------------------- ________________ અપ્પડિહયવરનાણદંસણધરાણ * ૧૦૭ જણાતા નથી, જેમ સંસારવર્તી જીવો ઘટને જુએ છે ત્યારે પ્રથમ અસ્તિત્વરૂપે સામાન્યથી જુએ છે, ત્યારપછી તે અસ્તિત્વ સાથે અભિન્ન એવા વિશેષરૂપ ઘટને જુએ છે, આથી જ ટોક્તિ એ પ્રકારનો બોધ થાય છે, એથી અસ્તિત્વથી અભિન્ન સર્વ વિશેષો છે અને સામાન્યરૂપ અસ્તિનો બોધ થયા વગર વિશેષનું જ્ઞાન થતું નથી, માટે સામાન્યનો બોધ થાય છે ત્યારે તે સામાન્યથી અભિન્ન સર્વ વિશેષોનો પણ સામાન્યરૂપે બોધ થાય છે; કેમ કે સર્વ વિશેષો સામાન્યરૂપનો અતિક્રમ કરતા નથી અને જો સર્વ વિશેષોમાં અસ્તિરૂપ સામાન્ય ન હોય તો ખરવિષાણની જેમ સર્વ વિશેષો અસત્ જ પ્રાપ્ત થાય, માટે સામાન્યરૂપનો વિશેષમાં અનતિક્રમ હોવાને કારણે સામાન્યથી અભિન્નરૂપે સર્વ વિશેષોનું ગ્રહણ છદ્મસ્થોને સંગ્રહનયના અભિપ્રાયથી થાય છે. તેથી છદ્મસ્થો પણ સર્વદા સર્વજ્ઞ સ્વભાવવાળા છે વળી, ઘાતિકર્મનો ક્ષય થાય ત્યારે બધા નયોની સંમતિથી નિરુપચરિત જ સર્વજ્ઞ સ્વભાવતા જીવમાં પ્રગટ થાય છે, જેમ સર્વનયની સંમતિથી જ્ઞાન-ક્રિયાના યૌગપદ્યની જ મોક્ષમાર્ગતા છે; કેમ કે વ્યવહારનયથી ક્રિયાની મોક્ષમાર્ચતા છે અને નિશ્ચયનયથી જ્ઞાનની મોક્ષમાર્ગતા છે, માટે વ્યવહારનય-નિશ્ચયનયરૂપ સર્વનય-સંમત મોક્ષમાર્ગના જ્ઞાન-ક્રિયામાં છે. તેમ પ્રસ્તુતમાં ઘાતિકર્મનો ક્ષય થાય ત્યારે નિશ્ચય-વ્યવહાર ઉભય નયને સંમત એવી નિરુપચરિત સર્વજ્ઞ સ્વભાવના છે. વળી, સંસારી જીવોને સંગ્રહનયની દૃષ્ટિથી વિશેષોનો પણ બોધ થયેલો હોવાથી સર્વજ્ઞ સ્વભાવતા છે, જેમ વ્યવહારનયથી ક્રિયા મોક્ષમાર્ગ છે. વળી, ગ્રંથકારશ્રીએ સંસારી જીવોમાં સર્વજ્ઞ સ્વભાવતાની સિદ્ધિ કરી, પરંતુ સર્વદર્શન સ્વભાવતાની સિદ્ધિ કેમ કરી નહિ ? એ પ્રકારની જિજ્ઞાસામાં પંજિકાકાર કહે છે – જીવોને અસ્તિરૂપે વસ્તુનો બોધ થાય છે ત્યારે સામાન્ય બોધને કારણે સર્વદર્શન સ્વભાવતા સિદ્ધ જ છે, માટે સર્વદર્શન સ્વભાવતાની સિદ્ધિ માટે લલિતવિસ્તરામાં યત્ન કરાયો નથી. લલિતવિસ્તરામાં જગતના સર્વ જીવો સંગ્રહનયની દૃષ્ટિથી સર્વજ્ઞ સ્વભાવવાળા છે એમ બતાવ્યું, તેની સિદ્ધિ યુક્તિથી કરી, ત્યાં કેટલાક માને છે કે શેય વસ્તુના પ્રતિબિંબનું જ્ઞાનમાં સંક્રમણ થાય છે, તેથી જીવોને જ્ઞાનમાં આ ઘટ છે, આ પટ છે, ઇત્યાદિ આકારો પ્રતિભાસે છે, જેમ દર્પણની સન્મુખ વસ્તુ હોય તો દર્પણમાં વસ્તુના પ્રતિબિંબનું સંક્રમણ થાય છે, તેમ જીવના જ્ઞાનમાં શેય વસ્તુના પ્રતિબિંબનું સંક્રમણ થાય છે, તેથી સર્વ જ્ઞેય વસ્તુનું જ્ઞાન કોઈને પણ સંભવી શકે નહિ, પરંતુ જ્ઞાનવાળી વ્યક્તિની સન્મુખ રહેલી વસ્તુનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે ત્યારે તે વસ્તુનો બોધ થાય છે, તેનું નિરાકરણ કરવા માટે પંજિકાકાર કહે છે – શેય વસ્તુના પ્રતિબિંબનું સંક્રમણ જ્ઞાનમાં થાય છે એમ સ્વીકારવામાં આવે તો અનેક દોષોની પ્રાપ્તિ થાય છે. કયા અનેક દોષોની પ્રાપ્તિ થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે – વ્યાપ્તિની અનુપપત્તિ છે અર્થાતુ. બધા પદાર્થોનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે તે પ્રકારની વ્યાપ્તિની પ્રાપ્તિ થતી નથી. કેમ બધા શેયનું પ્રતિબિંબ આત્મામાં પડે છે તેમ સ્વીકારી શકાય નહિ ? તેમાં યુક્તિ બતાવે છે – સ્થૂલથી બોધ કરનારા જીવોને ઘટ-પટાદિનો બોધ થાય છે ત્યારે કહી શકાય કે ઘટ-પટાદિ આકારનું Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ લલિતવિસ્તરા ભાગ-૨ પ્રતિબિંબ તેઓના જ્ઞાનમાં પડે છે, તોપણ ધર્માસ્તિકાય આદિ અમૂર્ત દ્રવ્યોનો આકાર વિદ્યમાન નથી, તેથી તેઓનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે તેમ કહી શકાય નહિ અને ધર્માસ્તિકાય આદિ પદાર્થોનો બોધ પણ યોગ્ય જીવોને શાસ્ત્રના વચનથી થાય છે અને તે બોધ જ્ઞેય એવા ધર્માસ્તિકાય આદિના પ્રતિબિંબના સંક્રમણથી થયેલો છે તેમ કહી શકાય નહિ; કેમ કે પ્રતિબિંબનું સંક્રમણ મૂર્તનો ધર્મ છે, વળી, અમૂર્ત સાથે પ્રતિબદ્ધ વસ્તુના સંક્રમણના અભાવમાં જ્ઞાનનો અભાવ પ્રાપ્ત થાય, તેથી શેય વસ્તુના પ્રતિબિંબથી જ જ્ઞાન થાય છે તેમ માનવું ઉચિત નથી. વળી, સ્ત્રીના મુખની છાયાના સંક્રમણ વગર દર્પણમાં તેના પ્રતિબિંબનો સંભવ નથી અને પાણીમાં ચંદ્રના બિંબના અણુના સંક્રમણ વગર પ્રતિબિંબનો સંભવ નથી, તેથી જે પદાર્થમાંથી છાયાના અણુઓ નીકળતા હોય તે પદાર્થનું જ પ્રતિબિંબ પડે, અન્ય પદાર્થનું નહિ તેમ માનવું પડે અને અરૂપી એવા ધર્માસ્તિકાય આદિમાંથી છાયાના અણુઓ નીકળતા નથી, તેથી તેનું સંક્રમણ જ્ઞાનમાં થઈ શકે નહિ, તેથી તેનો બોધ થઈ શકે નહિ. વળી, છાયાના અણુના સંક્રમણ વગર ચંદ્રનું પ્રતિબિંબ પાણીમાં પડે છે તેમ સ્વીકારીએ તો અમૂર્ત એવા ધર્માસ્તિકાય આદિનું પણ પ્રતિબિંબ પાણીમાં પડે છે તેમ માનવાનો અતિપ્રસંગ આવે. વળી, કોઈ જીવ અનેક પ્રકારના આસ્તરણ આદિ અનેક વસ્તુ ગ્રહણ કરતો હોય ત્યારે તેના જ્ઞાનમાં અનેક વસ્તુના પ્રતિબિંબના ઉદયની પ્રાપ્તિ થવી જોઈએ, વસ્તુતઃ અનેક વસ્તુના ગ્રહણકાળમાં પણ તે જીવનો ઉપયોગ કોઈ એક વસ્તુ વિષયક હોય ત્યારે તે સર્વ વસ્તુઓનો બોધ થતો નથી, છતાં સન્મુખ રહેલી વસ્તુનું પ્રતિબિંબ પડે છે એમ સ્વીકારીએ તો તેના જ્ઞાનમાં તે સર્વના પ્રતિબિંબની પ્રાપ્તિ થવી જોઈએ. વળી, સન્મુખ રહેલી બધી વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેમ માનીએ તો પ્રતિબિંબમાં સાંકર્યની પ્રાપ્તિ થાય અર્થાત્ તેના જ્ઞાનમાં તે અનેક વસ્તુઓ તેના પ્રતિબિંબને અનુસારે પરસ્પર સંકીર્ણ સ્વરૂપે જણાવી જોઈએ, વસ્તુતઃ પૂર્વવર્તી વસ્તુને તે જીવ પૃથક્ પૃથક્ રૂપે જુએ છે તે પ્રકારે બોધ થવો જોઈએ નહિ, માટે જ્ઞાનમાં શેયના પ્રતિબિંબનું સંક્રમણ સ્વીકારીને આત્મા સર્વજ્ઞ સ્વભાવવાળો નથી તેમ સ્થાપવું યુક્ત નથી, પરંતુ આત્માને સામાન્યથી સર્વનો બોધ થાય છે અને તે સામાન્યની સાથે અભિન્ન એવા સર્વ વિશેષોનો બોધ તેને સંગ્રહનયથી થાય છે તેમ અનુભવ અનુસાર સ્વીકારીને આત્માના સર્વજ્ઞ સ્વભાવને સ્વીકારવો જોઈએ. લલિતવિસ્તરા ઃ निरावरणत्वं चावरणक्षयात्, क्षयश्च प्रतिपक्षसेवनया तत्तानवोपलब्धेः, तत्क्षये च सर्वज्ञानं तत्स्वभावत्वेन दृश्यते चावरणहानिसमुत्थो ज्ञानातिशयः । લલિતવિસ્તરાર્થ : અને આવરણના ક્ષયથી નિરાવરણપણું છે=ભગવાનનું નિરાવરણપણું છે અને પ્રતિપક્ષના સેવનથી=રાગાદિના પ્રતિપક્ષના સેવનથી, તેના તાનવની ઉપલબ્ધિ હોવાને કારણે=આવરણની Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ છપ્પડિહયવરનાણદંસણધરાણ અલ્પતાની ઉપલબ્ધિ હોવાને કારણે, ક્ષય છે=આવરણનો ક્ષય છે, અને તેના ક્ષયમાં=આવરણના ક્ષયમાં, તવભાવપણું હોવાને કારણે જીવનું સ્વભાવપણું હોવાને કારણે, સર્વજ્ઞાન છે=ભગવાનને સર્વ વસ્તુઓનું જ્ઞાન છે, અને આવરણની હાનિથી ઊઠેલો જ્ઞાનાતિશય દેખાય છે. fes:इत्थं विशेषणसिद्धिमभिधाय विशेष्यसिद्ध्यर्थमाहनिरावरणत्वं च प्राग् हेतुतयोपन्यस्तम् आवरणक्षयाद्-आवरणस्य-ज्ञानावरणादेः, क्षयात्-निर्मूलप्रलयात्। ननु जीवाविभागीभूतस्यावरणस्य क्षय एव दुरुपपादः, इत्याशङ्क्याह- क्षयश्च उक्तरूपः, प्रतिपक्षसेवनया मिथ्यादर्शनादीनां सामान्यबन्धहेतूनां ज्ञानप्रत्यनीकान्तरायोपघातादीनां च विशेषहेतूनां, प्रतिपक्षस्य-विरोधिनः सम्यग्दर्शनादेर्शानबहुमानादेश्च सेवनया-अभ्यासेन, प्रयोगोऽत्र, यद् यस्य कारणेन सह विरुध्यते तत् तद्विरुध्यमानसेवने क्षीयते, यथा रोमोद्धषणादिकारणेन शीतेन विरुध्यमानस्याग्नेरासेवने रोमोद्धषणादिर्विकारः, विरुध्यते चावरणहेतुभिर्मिथ्यादर्शनादिभिः सह सम्यग्दर्शनादिगुणकलाप इति कारणविरुद्धोपलब्धिः। नन्वतीन्द्रियत्वादावरणक्षयस्य कथं तेन हेतोः प्रतिबन्धसिद्धिरित्याशङ्क्याह- तत्तानवोपलब्धः तस्यआवरणस्य, तानवं-तुच्छभावो देशक्षयलक्षणः प्रकृतयैव प्रतिपक्षसेवनया, तस्योपलब्धः, स्वानुभवादिसिद्धज्ञानादिवृद्ध्यन्यथानुपपत्तेः प्रतिबन्धसिद्धिः, न च वक्तव्यं प्रतिपक्षसेवनया तानवमात्रोपलब्धः कथं सर्वावरणक्षयनिश्चय इति?' ये यतो देशतः क्षीयमाणा दृश्यन्ते ते ततः प्रकृष्टावस्थात् संभवत्सर्वक्षया अपि, चिकित्सासमीरणादिभ्य इव रोगजलधरादय इति, एवं च जीवाविभागीभूतस्यापि चिकित्सातो रोगस्येवावरणस्य प्रतिपक्षसेवनया क्षयोऽदुष्ट इति यत्किञ्चिदेतत् यदुतावरणक्षय एव दुरुपपाद इति। .. अथ प्रकृतिसद्धिमाह- तत्क्षये च-आवरणक्षये च, सर्वज्ञानं सर्वज्ञेयावबोधः, कुत इत्याह- तत्स्वभावत्वेन, स्वभावो ह्यसौ जीवस्य यदावरणक्षये सर्वज्ञानम्, एतदेव भावयति- दृश्यते च-प्रतीयते चानुभवानुमानादिभिः, आवरणहानिसमुत्थो निद्राद्यावरणक्षयविशेषप्रभवो, ज्ञानातिशयो ज्ञानप्रकर्षः। पंबिवार्थ : इत्थं विशेषणसिद्धि ..... ज्ञानप्रकर्षः । मा शतपूर्वमा मलितविस्तराम { मे शत, विशेषानी સિદ્ધિને કહી=સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ હોતે છતે નિરાવરણરૂપ હેતુથી ભગવાનમાં અપ્રતિહતવરજ્ઞાન નપણું સ્થાપન કર્યું તેમાં રહેલા હેતુના વિશેષણ એવા સર્વજ્ઞ સર્વદર્શન સ્વભાવતાની સિદ્ધિને કહીને, વિશેષ્યની સિદ્ધિ માટે=નિરાવરણત્વરૂપ વિશેની સિદ્ધિ માટે, કહે છે – અને પૂર્વમાં હેતુપણાથી ઉપન્યસ્ત એવું નિરાવરણપણું આવરણના ક્ષયથી છે=જ્ઞાનાવરણાદિ આવરણના નિર્મુલ પ્રલયરૂપ ક્ષયથી છે. નથી શંકા કરે છે – જીવની સાથે અવિભાગીભૂત આવરણનો ક્ષય જ દુરુપપાદ છે= સ્વીકારી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. લલિતવિસ્તરા ભાગ-૨ શકાય તેવો નથી અર્થાત્ જીવે જે જ્ઞાનાવરણાદિ કર્મો બાંધ્યાં છે તે તેના જીવપ્રદેશોની સાથે એકમેક ભાવ પામેલાં છે, તેથી તેવા એકમેક ભાવ પામેલાં કર્મોના આવરણનો ક્ષય થાય છે તેમ કહી શકાય નહિ, એ પ્રકારની આશંકા કરીને કહે છે – પ્રતિપક્ષના સેવનથી ઉક્તરૂપવાળો ક્ષય છે–સામાન્ય બંધના હેતુ એવા મિથ્યાદર્શનાદિના અને જ્ઞાનના પ્રત્યતીક એવા અંતરાય-ઉપઘાત આદિ રૂપ વિશેષ હેતુઓના પ્રતિપક્ષના અર્થાત વિરોધી એવા સમ્યગ્દર્શન આદિના અને જ્ઞાનના બહુમાન આદિના સેવનથી અર્થાત્ અભ્યાસથી આવરણનો ક્ષય છે એમ અત્રય છે, અહીં=પ્રતિપક્ષના સેવનથી આવરણનો ક્ષય છે એમાં, પ્રયોગ–અનુમાનનો પ્રયોગ છે, જે જેના કારણની સાથે વિરોધ પામે છે તે તેના વિરુધ્ધમાનના સેવનમાં ક્ષય પામે છે, જે પ્રમાણે રોમ ઉદધષણાદિ કારણરૂપ શીતની સાથે વિધ્યમાન એવા અગ્નિતા આસેવામાં રોમ ઉદ્દઘુષણાદિ વિકાર ક્ષય પામે છે અને આવરણના હેતુ એવા મિથ્યાદર્શન આદિ સાથે સમ્યગ્દર્શન આદિ ગુણનો કલાપ વિરોધ પામે છે એથી કારણ વિરુદ્ધની ઉપલબ્ધિ છે=આવરણના કારણ એવા મિથ્યાદર્શનાદિ તેના વિરુદ્ધ એવા સમ્યગ્દર્શનાદિની ઉપલબ્ધિ છે. નનુથી શંકા કરે છે – આવરણ ક્ષય, અતીન્દ્રિયપણું હોવાથી તેની સાથે=આવરણ ક્ષયની સાથે, હેતુના પ્રતિબંધની સિદ્ધિ કેવી રીતે થાય ?–અતીન્દ્રિય એવા આવરણ ક્ષયની સાથે સમ્યગ્દર્શનાદિનો કારણરૂપે સંબંધ છે એ પ્રકારની વ્યાપ્તિની સિદ્ધિ કેવી રીતે થાય ? એ પ્રકારની આશંકા કરીને કહે છે લલિતવિસ્તરામાં કહે છે – તેના તાવની ઉપલબ્ધિ હોવાથી પ્રકૃતિ જ એવા પ્રતિપક્ષના સેવનથી તે આવરણના દેશયરૂપ તુચ્છ ભાવ સ્વરૂપ તાવ તેની ઉપલબ્ધિ હોવાથી અર્થાત સમ્યગ્દર્શનાદિરૂપ પ્રકૃતિ જ પ્રતિપક્ષના સેવનથી જ્ઞાનાવરણાદિ કર્મોના અલ્પતાની ઉપલબ્ધિ હોવાથી, સ્વઅનુભવ આદિથી સિદ્ધ એવા જ્ઞાનાદિની વૃદ્ધિની અન્યથા અનુપપત્તિ હોવાથી પ્રતિબંધની સિદ્ધિ છે=આવરણના ક્ષય પ્રત્યે સમ્યગ્દર્શનાદિ હેતુઓ છે એ પ્રકારના હેતુની વ્યાતિરૂપ પ્રતિબંધની સિદ્ધિ છે, અને પ્રતિપક્ષના સેવનથી તાતવ=અલ્પતા, માત્રની ઉપલબ્ધિ હોવાથી=સમ્યગ્દર્શનાદિના સેવનથી જ્ઞાનાવરણીય આદિ કર્મના અલ્પ થવા માત્રની ઉપલબ્ધિ હોવાથી, સર્વ આવરણના ક્ષયનો નિશ્ચય કેવી રીતે થાય? એ પ્રમાણે ન કહેવું, જે કારણથી જે દેશથી ક્ષય પામતા જે દેખાય છે, પ્રકૃષ્ટ અવસ્થાવાળા તેનાથી=પ્રકૃષ્ટ અવસ્થાવાળા દેશથી ક્ષય કરનારા પરિણામથી, તે સંભવતા સર્વ ક્ષયવાળા પણ છે, જેમ ચિકિત્સાથી રોગ અને પવન આદિથી વાદળાં આદિ દેશથી ક્ષય પામતાં દેખાતાં સર્વથી ક્ષય પામે છે, અને એ રીતે પૂર્વમાં ચિકિત્સા અને રોગતા દૃષ્ટાંતથી બતાવ્યું કે પ્રતિપક્ષના સેવનથી દેશથી ક્ષય પામતાં એવાં કર્મો પ્રષ્ટિ એવા તેના ક્ષયના ઉપાયથી સંપૂર્ણ ક્ષય પામે છે એ રીતે, જીવતા અવિભાગીભૂત પણ આવરણનો ચિકિત્સાથી રોગની જેમ પ્રતિપક્ષના સેવનથી ક્ષય અદુષ્ટ છે, એથી આ=આગળ બતાવે છે એ, યત્કિંચૈિત્ છે અને તે કુતથી બતાવે છે – આવરણનો ક્ષય દુરુપપાદ છે એમ જે પૂર્વમાં કહેલું એ યત્કિંચિત્ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ અપડિહયવરનાણદંસણધરાણ ૧૧૧ હવે પ્રકૃતસિદ્ધિને કહે છે=આવરણના ક્ષયથી સર્વજ્ઞાત થાય છે એ રૂપ પ્રકૃતસિદ્ધિને કહે છેઃ લલિતવિસ્તરામાં કહે છે – અને તેના ક્ષયમાં=આવરણના ક્ષયમાં, સર્વજ્ઞાન થાય છે=સર્વ જોયતો અવબોધ થાય છે, કયા કારણથી ?=આવરણના ક્ષયમાં સર્વ જોયતો બોધ કયા કારણથી થાય છે? એથી કહે છે – તસ્વભાવપણું હોવાને કારણે સર્વજ્ઞાત થાય છે એમ અવય છે. તસ્વભાવપણું સ્પષ્ટ કરે છે – જીવતો આ સ્વભાવ છે, જે આવરણના ક્ષયમાં સર્વજ્ઞાન થાય છે, આને જ=આવરણના ક્ષયથી સર્વજ્ઞાત થાય છે એને જ, ભાવન કરે છે – અને આવરણની હાનિથી ઉત્પન્ન થયેલો જ્ઞાનાતિશય દેખાય છે=નિદ્રાદિ આવરણના ક્ષયવિશેષથી થયેલો જ્ઞાનનો પ્રકર્ષ અનુભવ-અનુમાનાદિથી પ્રતીત થાય છે અર્થાત્ જેઓની મોહતી નિદ્રા દૂર થાય છે અને તેના કારણે શાસ્ત્રઅધ્યયન આદિ ક્રિયા કરે છે તેના દ્વારા જ્ઞાનાવરણાદિ ક્ષયવિશેષથી થયેલો જ્ઞાનપ્રકર્ષ યોગ્ય જીવોને અનુભવથી દેખાય છે અને તે પ્રકારની વ્યાપ્તિના બળથી અનુમાનથી દેખાય છે અને શાસ્ત્રવચનથી દેખાય છે. ભાવાર્થ પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે જીવનું સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવપણું છે અને ભગવાને આવરણનો નાશ કર્યો છે, તેથી અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે. હવે ભગવાનનું જ્ઞાન નિરાવરણ કેમ થયું? તે યુક્તિથી બતાવે છે – ભગવાને આવરણનો ક્ષય કરેલો હોવાથી ભગવાનનું જ્ઞાન નિરાવરણ થયું, ત્યાં પ્રશ્ન થાય કે જીવના અધ્યવસાયથી જે જ્ઞાનાવરણ કર્મો બંધાયાં છે તે જીવ સાથે એકમેક થયેલાં છે તેથી તેનો ક્ષય થઈ શકે છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – પ્રતિપક્ષના સેવનથી કર્મોનો ક્ષય થાય છે, સામાન્યથી જીવમાં વર્તતા મિથ્યાત્વના અને કષાયોના પરિણામથી જ્ઞાનની વિકૃતિ થાય છે અને વિકૃત થયેલા જ્ઞાનથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અને જેઓ વિવેકપૂર્વક જ્ઞાનની વિકૃતિના આપાદક મિથ્યાદર્શનાદિને ક્ષય કરવા માટે તેના પ્રતિપક્ષભૂત સમ્યગ્દર્શન આદિનું સેવન કરે છે, તેનાથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનાવરણ આદિના બંધનાં કારણો જે મિથ્યાદર્શન આદિ છે તેના વિરુદ્ધ એવા સમ્યગ્દર્શન આદિ રૂપ પ્રતિપક્ષના સેવનથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે તે કઈ રીતે નક્કી થઈ શકે? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે આત્મા ઉપર આવરણ રૂપે રહેલાં કર્મોનો ક્ષય અતીન્દ્રિય છે, તેથી તેવા કાર્ય સાથે સમ્યગ્દર્શન આદિ ગુણોનો કારણભાવ છે તેવી વ્યાપ્તિનો બોધ થઈ શકે નહિ, તેના નિરાકરણ માટે કહે છે – જેઓ મિથ્યાદર્શન આદિથી વિપરીત એવા સમ્યગ્દર્શન આદિ ગુણોને સેવે છે તેઓમાં જ્ઞાનાવરણીય કર્મ અલ્પ થતું દેખાય છે, તેના બળથી નક્કી થાય છે કે સમ્યગ્દર્શન આદિના સેવનથી સંપૂર્ણ જ્ઞાનાવરણનો ક્ષય Page #135 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ ૧૧૨ થઈ શકે છે. જેમ શરીરમાં રોગ થયો હોય અને ઉચિત ઔષધનું સેવન કરવામાં આવે તો તેનાથી રોગ અલ્પ થતો દેખાય છે અને ક્રમસર રોગ નાશ થવાથી સંપૂર્ણ રોગનો નાશ પણ થતો દેખાય છે, તેમ જેઓ સમ્યગ્દર્શન આદિ ગુણોને સેવે છે તેનાથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થતો પ્રત્યક્ષથી દેખાય છે, તેથી તેના પ્રકર્ષના સેવનથી સંપૂર્ણ આવરણનો નાશ પણ થાય છે તેમ નિર્ણય કરી શકાય છે, તેથી જેઓ કર્મનાશના કારણીભૂત એવો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયોનો નાશ કરે છે તેના બળથી સંપૂર્ણ જ્ઞાનાવરણનો નાશ થાય છે, એ પ્રમાણે આવરણોના નાશ પ્રત્યે સમ્યગ્દર્શન આદિનું સેવન હેતુ છે એની વ્યાપ્તિનું ગ્રહણ થાય છે અને તેના ક્ષયમાં સર્વજ્ઞાન પ્રગટ થાય છે; કેમ કે જીવનો સંપૂર્ણ જ્ઞાન ક૨વાનો સ્વભાવ છે અને તે સ્વભાવ છદ્મસ્થ અવસ્થામાં કર્મોથી આવૃત્ત હતો અને તે આવરણના ક્ષયથી તે સ્વભાવ પ્રગટ થાય છે, તેથી સર્વ શેયનું જ્ઞાન થાય છે, આ કથનને જ યુક્તિથી બતાવે છે - સંસારી જીવોમાં મોહની નિદ્રાનું આવરણ છે તે આવરણનો ક્ષય થાય છે ત્યારે સંસારી જીવોને સંસારનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું ચાર ગતિઓની વિડંબના સ્વરૂપ દેખાય છે અને સંપૂર્ણ મોહથી અનાકુળ સિદ્ધ ભગવંતો ઉપદ્રવ વગરના છે તે પ્રકારે શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વઅનુભવ અનુસાર દેખાય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય વીતરાગનું વચન છે તે પણ યુક્તિ અને સ્વઅનુભવ અનુસાર જણાય છે અને તેથી અપ્રમાદભાવથી જેમ શાસ્ત્ર ભણે છે તેમ તેમ સ્વઅનુભવથી કાર્ય-કારણભાવની વ્યવસ્થાનો સૂક્ષ્મ બોધ થાય તેવો જ્ઞાનનો પ્રકર્ષ દેખાય છે, તેથી આવરણની હાનિથી ઉત્પન્ન થયેલ જ્ઞાનના અતિશયના બળથી અનુમાન થઈ શકે છે કે સંપૂર્ણ આવરણ નાશ થાય તો સર્વ જ્ઞેયનું જ્ઞાન પ્રગટ થાય છે અને ભગવાને સંપૂર્ણ આવરણનો નાશ કર્યો છે, તેથી અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે. લલિતવિસ્તરા : न चास्य कश्चिदविषय इति स्वार्थानतिलङ्घनमेव, इत्थं चैतद्, अन्यथा अविकलपरार्थसंपादनासम्भवः, तदन्याशयाद्यपरिच्छेदादिति सूक्ष्मधिया भावनीयम्, ज्ञानग्रहणं चादौ सर्वा लब्धयः साकारोपयोगोपयुक्तस्येति ज्ञापनार्थमिति अप्रतिहतवरज्ञानदर्शनधराः ।। २५ । । લલિતવિસ્તરાર્થ : અને આનો=પ્રકૃષ્ટ જ્ઞાનાતિશયનો, અવિષય કોઈ નથી એ રીતે સ્વ-અર્થનું અનતિલંઘન જ છે=પ્રકૃત સૂત્રનો અપ્રતિહત જ્ઞાનદર્શનધરત્વરૂપ જે સ્વ-અર્થ છે તેનું અનતિલંઘન જ છે, અને આ રીતે જ આ છે=અરિહંત વસ્તુ છે, અન્યથા અવિકલ પરાર્થના સંપાદનનો અસંભવ છે; કેમ કે તેનાથી અન્ય આશય આદિનો અપરિચ્છેદ છે=પુરુષાર્થને ઉપયોગી એવા ઇષ્ટ તત્ત્વથી અન્ય એવા આશય આદિનો અપરિચ્છેદ છે, એ પ્રમાણે સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ અને આદિમાં જ્ઞાનનું ગ્રહણ સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગથી ઉપયુક્તને છે એ જણાવવા માટે છે, એથી અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનધરનારા ભગવાન છે. II૨૫।। Page #136 -------------------------------------------------------------------------- ________________ અપડિહયવરનાણદંસણધરાણ ૧૧૩ પંજિકા : તતઃ ?િ ત્યાદन चास्य-ज्ञानातिशयस्य प्रकृष्टरूपस्य, कश्चित् ज्ञेयविशेषः, अविषयः अगोचरः, सर्वस्य सतो ज्ञेयस्वभावानतिक्रमात्, केवलस्य निरावरणत्वेनाप्रतिस्खलितत्वात्, इति-एवमुक्तयुक्त्या, स्वार्थानतिलङ्घनमेव, स्वार्थः प्रकृतसूत्रस्याप्रतिहतवरज्ञानदर्शनधरत्वं, तस्य अनतिलङ्घनमेव-अनतिक्रमणमेव, प्रतिहतवरज्ञानदर्शनधरत्वे हि भगवतां वितथार्थतया सूत्रस्य स्वार्थातिलङ्घनं प्रसजतीति। 'इत्थं चैतद्', इत्थमेव अप्रतिहतवरज्ञानदर्शनप्रकारमेव, एतद्-अर्हल्लक्षणं वस्तुः विपक्षे बाधामाह- अन्यथा उक्तप्रकाराभावे, अविकलपरार्थसंपादनाऽसंभवः, अविकलस्य-परिपूर्णस्य, परार्थस्य-परोपकारस्य भगवतां, घटनाऽयोगः, कुत इत्याहतदन्याशयाद्यपरिच्छेदात्, तदन्येषां-पुरुषार्थोपयोगीष्टतत्त्वविलक्षणानाम्, आशयादीनाम्-अभिप्रायद्रव्यक्षेत्रकालभावानाम्, अपरिच्छेदाद-अनवबोधात्, सकलहेयपरिज्ञाने ह्यविकलमुपादेयमवबोद्धं शक्यं, परस्परापेक्षात्मलाभत्वाद्धयोपादेययोः, हस्वदीर्घयोरिव पितृपुत्रयोरिव वेति सर्वमनवबुध्यमानाः कथमिवाविकलं परार्थ સંપારિતિકારક પંજિકાર્ય : ત: વિશ? સંપતિ છે તેનાથી શું ? પૂર્વમાં યુક્તિથી સિદ્ધ કર્યું કે જીવનું સર્વજ્ઞસર્વદર્શી સ્વભાવપણું છે અને આવરણના ક્ષયથી ભગવાનનું નિરાવરણપણું છે તેનાથી શું સિદ્ધ થાય? એને કહે છે – અને આનો=પ્રકૃષ્ટ રૂપવાળા જ્ઞાનાતિશયતો, કોઈ લેયવિશેષ અવિષય અગોચર, નથી; કેમ કે સર્વ સત્તા જોય સ્વભાવનો અતિક્રમ છે, કેવલનું નિરાવરણપણું હોવાને કારણે અપ્રતિખ્ખલિતપણું છે એ રીતે ઉક્ત યુક્તિથી પૂર્વમાં સ્થાપન કર્યું કે જીવતો જ્ઞાન-દર્શન સ્વભાવ છે અને ભગવાનનું જ્ઞાન વિરાવરણ છે એ યુક્તિથી, સ્વ-અર્થનું અનતિલંઘન જ છે, સ્વ-અર્થ પ્રકૃત સૂત્રનું અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરત્વ છે તેનું અનતિલંઘન જ છે અનતિક્રમણ જ છે, કિજે કારણથી, ભગવાનનું પ્રતિહિતવરજ્ઞાનદર્શનધરપણું હોતે છતે સૂત્રનું વિતથઅર્થપણું હોવાને કારણે સ્વ-અર્થનું અતિલંઘન પ્રાપ્ત થાય, અને ‘આ રીતે જ આ છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – આ રીતે જ=અપ્રતિહતવરજ્ઞાન-દર્શન પ્રકાર જ, આ=અરિહંતરૂપ વસ્તુ છે, વિપક્ષમાં બાધાને કહે છેઃઅપ્રતિહતવરજ્ઞાન-દર્શનવાળા ભગવાન ન સ્વીકારવામાં આવે તો બાધાને કહે છે – અન્યથા–ઉક્ત પ્રકારના અભાવમાં=અપ્રતિહતવરજ્ઞાનદર્શન પ્રકારના અભાવમાં, અવિકલ પરાર્થ સંપાદનનો અસંભવ છે=અવિકલ અર્થાત્ પરિપૂર્ણ પરોપકારરૂપ પરાર્થનો ભગવાનને ઘટનનો અયોગ છે, કેમ એથી કહે છે=ભગવાન અપ્રતિહત જ્ઞાનદર્શનવાળા ન હોય તો કેમ પરિપૂર્ણ પરોપકાર ન થાય ? એમાં હેતુ કહે છે – તેના અન્ય આશય આદિનો અપરિચ્છેદ છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – તેનાથી અન્ય એવા પુરુષાર્થ ઉપયોગી ઈષ્ટ Page #137 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ ૧૧૪ તત્ત્વથી વિલક્ષણ એવા, આશય આદિનો=અભિપ્રાયદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો, અપરિચ્છેદ છે=અનવબોધ છે, =જે કારણથી, સકલ હેયના પરિજ્ઞાનમાં અવિકલ ઉપાદેયનો બોધ કરવો શક્ય છે; કેમ કે હેયઉપાદેયનું પરસ્પર અપેક્ષારૂપે લાભપણું છે, હસ્વ-દીર્ઘની જેમ અથવા પિતા-પુત્રની જેમ, એથી સર્વને નહિ જાણતા એવા ભગવાન કેવી રીતે અવિકલ પરાર્થ સંપાદન કરે ? અર્થાત્ જો અપ્રતિહતવરજ્ઞાનદર્શનવાળા ન હોય તો પરિપૂર્ણ પરાર્થ સંપાદન કરી શકે નહિ. ર૫ા ભાવાર્થ: પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સિદ્ધ કર્યું કે આત્માનો સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવ છે અને ભગવાને સાધના કરીને જ્ઞાનના આવરણનો નાશ કર્યો, તેનાથી શું સિદ્ધ થયું ? તે બતાવે છે — અને ભગવાન નિરાવરણ થયા તેના કારણે ભગવાનને જે પ્રકૃષ્ટ જ્ઞાન થયું તેનો અવિષય કોઈ શેય વિશેષ નથી; કેમ કે જગતમાં જે કંઈ સત્ વસ્તુ છે તે સર્વ શેય સ્વભાવવાળી છે અને ભગવાનનું કેવલજ્ઞાન નિરાવરણવાળું હોવાથી શેયનો બોધ ક૨વામાં પ્રતિસ્ખલના પામતું નથી, તેથી પ્રસ્તુત સૂત્રનો જે સ્વ-અર્થ છે તેનું અતિલંઘન થતું નથી અર્થાત્ પ્રસ્તુત સૂત્ર ભગવાનમાં અપ્રતિહતવ૨જ્ઞાન-દર્શનને બતાવે છે તેની સંગતિ થાય છે. વળી, ભગવાનને અપ્રતિહતવરજ્ઞાન-દર્શન જ સ્વીકારવું ઉચિત છે, પરંતુ બૌદ્ધદર્શનવાદી માને છે તેવું પ્રતિહતવરજ્ઞાન-દર્શન માનવું ઉચિત નથી તે બતાવવા માટે કહે છે ભગવાન અપ્રતિહતવરજ્ઞાનદર્શનવાળા છે તેમ માનવું ઉચિત છે, જો તેમ ન માનવામાં આવે તો ભગવાનથી પરિપૂર્ણ પરોપકાર થઈ શકે નહિ. — અહીં પ્રશ્ન થાય કે ભગવાન પુરુષાર્થને ઉપયોગી એવા ઇષ્ટ તત્ત્વને યથાર્થ જોતા હોય તો યોગ્ય જીવોને કલ્યાણ માટે ઉપયોગી ઇષ્ટ તત્ત્વને બતાવીને પૂર્ણ ઉપકાર કરી શકશે, તેથી સર્વ શેયનું ભગવાનને જ્ઞાન છે તેમ ન સ્વીકારીએ તોપણ પરિપૂર્ણ ઉપકાર થઈ શકશે, તેનું નિરાકરણ ક૨વા માટે કહે છે — જો ભગવાન સર્વ શેયને જાણતા ન હોય અને કલ્યાણને માટે ઉપયોગી ઇષ્ટ તત્ત્વને માત્ર જાણતા હોય તો ભગવાનને અન્યનો અભિપ્રાય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો બોધ નથી, તેથી તે તે જીવોના તે તે પ્રકારના અભિપ્રાયને સામે રાખીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે, તેનો નિર્ણય કરી શકે નહિ, તેથી કોઈક યોગ્ય જીવનો અભિપ્રાય નહિ જાણી શકવાથી અથવા તે તે દ્રવ્ય ક્ષેત્ર પ્રમાણે કઈ પ્રવૃત્તિથી તેનું હિત થશે તેનો નિર્ણય નહિ કરી શકવાથી ભગવાન તે જીવનો ઉપકાર કરી શકે નહિ. તેથી એ ફલિત થાય કે અવિકલ ઉપકાર કરવા માટે જેમ ઉપાદેયનું જ્ઞાન આવશ્યક છે, તેમ સકલ હેયનું પરિજ્ઞાન પણ આવશ્યક છે, તેથી કોઈક દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાં કોઈકને માટે કોઈક કૃત્ય ઉપાદેય હોય તેનું તે જ કૃત્ય અન્ય કોઈક જીવને આશ્રયીને હેય બને છે, વળી, કોઈક નિયત દ્રવ્ય-ક્ષેત્રાદિમાં કોઈક કૃત્ય ઉપાદેય હોય, તેનું તે કૃત્ય અન્ય દ્રવ્ય-ક્ષેત્રાદિમાં હેય બને છે, તેથી સર્વ શેયનું જ્ઞાન હોય તો જ અન્યના અભિપ્રાયો દ્રવ્ય ક્ષેત્ર આદિનું જ્ઞાન કરીને ભગવાન અવિકલ ઉપકાર કરી શકે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ વિયફ્ટછઉમાણ વળી, હેય-ઉપાદેયનું જ્ઞાન પરસ્પર અપેક્ષાવાળું કેમ છે ? તે યુક્તિથી બતાવતાં કહે છે – હ્રસ્વ અને દીર્ઘ પરસ્પર અપેક્ષાવાળા છે, પિતા અને પુત્ર પરસ્પર અપેક્ષાવાળા છે, તેથી આ પિતા છે એવું જ્ઞાન ન થાય તો આ પુત્ર છે તેમ પણ જ્ઞાન થઈ શકે નહિ અને આ પુત્ર છે તેમ જ્ઞાન ન થાય તો આ તેના પિતા છે તેવું જ્ઞાન થઈ શકે નહિ, તેથી બીજાના ઉપકાર માટે ઉપાદેયનો બોધ પરિપૂર્ણ કરવા માટે સકલ હેયનું જ્ઞાન આવશ્યક છે અને જેઓને સર્વનો બોધ નથી, માત્ર કલ્યાણ માટે શું કરવું ઉચિત છે તેટલો જ પુરુષાર્થને ઉપયોગી ઇષ્ટ તત્ત્વનો બોધ છે તેઓ ક્ષતિ વગર પૂર્ણ પરોપકાર સંપાદન કરી શકે નહિ, એ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઈએ, જેથી પરિપૂર્ણ ઉપકારને કરનારા ભગવાનને સ્વીકારવા હોય તો ભગવાનને અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનને ધરનારા છે તેમ જ સ્વીકારવું જોઈએ. વળી, સૂત્રમાં જ્ઞાન પ્રથમ ગ્રહણ કર્યું અને દર્શન પછી ગ્રહણ કર્યું, તેનાથી એ જ્ઞાપન થાય છે કે બધી લબ્ધિઓ સાકાર ઉપયોગવાળાને થાય છે, તેથી એ ફલિત થાય કે સૂત્રના પરમાર્થને સ્પર્શીને ઉપયોગ પ્રવર્તતો હોય તો જે ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ લબ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ અન્યમનસ્કતાથી કે સમૂર્છાિમની જેમ કરાતી ક્રિયાઓથી કોઈ ગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી. રપા અવતરણિકા - एतेप्याजीविकनयमतानुसारिभिर्गोशाल(प्र. गोशालक)शिष्यैस्तत्त्वतः खल्वव्यावृत्तच्छद्यान एवेष्यन्ते 'तीर्थनिकारदर्शनादागच्छन्तीति वचनात्, एतनिवृत्त्यर्थमाह - અવતરણિકાW: આજીવિક નયના મતાનુસારી ગોશાલકના શિષ્યો વડે તત્વથી ખરેખર આ પણ=અપ્રતિકત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા ભગવાન પણ, અવ્યાવૃત છદ્મવાળા જ ઈચ્છાય છે; કેમ કે તીર્થના વિનાશના દર્શનથી આવે છે=ફ્રી સંસારમાં જન્મ લે છે, એ પ્રકારનું વચન છે, એની નિવૃત્તિ માટે=જેઓ ભગવાનને અવ્યાવૃત છઘવાળા માને છે એ મતની નિવૃત્તિ માટે, કહે છે – સૂત્ર : વિટ્ટ૭૩મા શારદા સૂત્રાર્થ : વ્યાવૃત છદ્મવાળા ભગવાનને નમસ્કાર થાઓ. Jારકા લલિતવિસ્તરા : 'वियदृच्छउमाणं'-व्यावृत्तछद्मभ्यः, छादयतीति छद्म घातिकाभिधीयते ज्ञानावरणादि, तद्बन्धयोग्यतालक्षणश्च भवाधिकार इति, असत्यस्मिन्कर्मयोगाभावात्, अत एवाहुरपरे- ‘असहजाऽविद्ये 'ति व्यावृत्तं छद्म येषां, ते तथाविधा इति विग्रहः। Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ લલિતવિસ્તરાર્થ : વ્યાવૃત્ત છદ્મવાળા ભગવાન છે, છાદન કરે એ ‘છદ્મ.’ ઘાતિકર્મ જ્ઞાનાવરણાદિ છદ્મ કહેવાય છે અને તદ્ બંધયોગ્યતા લક્ષણવાળો ભવનો અધિકાર છે—જ્ઞાનાવરણાદિ કર્મના બંધની યોગ્યતાવાળો ભવનો અધિકાર છે, એથી આ નહિ હોતે છતે=ભવનો અધિકાર નહિ હોતે છતે, કર્મયોગનો અભાવ હોવાથી=ફરી જન્મ લેવારૂપ કર્મયોગનો અભાવ હોવાથી તીર્થના વિનાશના દર્શનને કારણે ફરી સંસારમાં જન્મ લેતા નથી. એમ અન્વય છે. આથી જ=ભવ અધિકારના અભાવમાં કર્મયોગનો અભાવ છે આથી જ, બીજા કહે છે · અસહજ અવિધા છે, વ્યાવૃત્ત છદ્મ છે જેઓને તે તેવા પ્રકારના છે=વ્યાવૃત્ત છદ્મવાળા છે, એ પ્રમાણે વિગ્રહ છે=સમાસનો વિગ્રહ છે. પંજિકા ઃ ‘તદ્વન્ચે'ત્યાવિ, તÇ=જ્ઞાનાવરાવિધર્મો, વયોગ્યતા-પાવવો પ્રવૃત્તિરૂપા, લક્ષાં=સ્વમાવો, यस्य स तथा, चकारः समुच्चये भिन्नक्रमश्च ततो भवाधिकारश्च छद्यकारणत्वाच्छद्योच्यते, कुत इत्याह‘અસતી'ત્યાવિ, સુગમ ચૈતન્, અત વ=મવાધિારામાવે ધર્મવોળામાવાવેવ, આતુઃ ધ્રુવતે, અવરે-તીર્થા:, असहजा=जीवेनासहभाविनी, जीवस्वभावो न भवतीत्यर्थः, अविद्या = कर्म्मकृतो बुद्धिविपर्यासः, कर्म्मव्यावृत्ती तद्व्यावृत्तेः, इति = एवं कार्यकारणरूपं, 'व्यावृत्तं छद्म येषामित्यादि सुगमं चैतत् नवरं - લલિતવિસ્તરા ભાગ-૨ પંજિકાર્ય :‘તબન્યું 'સ્થાવિ કે.... • સુામ ચેતત્ નવર – તત્ વન્ય ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેની=જ્ઞાનાવરણાદિ કર્મની, કષાયની અને યોગની પ્રવૃત્તિરૂપ બંધયોગ્યતા, લક્ષણ છે=સ્વભાવ છે જેને તે તેવો છે—તબંધ યોગ્યતાલક્ષણવાળો છે, ‘ચ’કાર સમુચ્ચયમાં છે અને ભિન્નક્રમવાળો છે, તેથી=‘ચ’કારનું અન્યત્ર યોજન છે તેથી, ભવાધિકાર પછી યોજન છે અને ભવાધિકાર છદ્મનું કારણ હોવાથી છદ્મ કહેવાય છે. કેમ ?=કેમ છદ્મ શબ્દથી ભવતા અધિકારનું ગ્રહણ છે ? એથી કહે છે - અસતીત્વાવિ પ્રતીક છે અને આ=ગ્નસતીત્વાતિનો અર્થ સુગમ છે, આથી જ=ભવ અધિકારનો અભાવ હોતે છતે કર્મયોગનો અભાવ હોવાથી જ, અપર તીર્થિકો અસહજ અવિદ્યા કહે છે=જીવતી સાથે અસહભાવી એવો અર્થાત્ જીવનો સ્વભાવ નથી એવો કર્મકૃત બુદ્ધિવિપર્યાસ કહે છે; કેમ કે કર્મની વ્યાવૃત્તિ થયે છતે તેની વ્યાવૃત્તિ છે=અવિદ્યાની વ્યાવૃત્તિ છે, આ પ્રકારે કાર્યકારણરૂપ વ્યાવૃત્ત છે છદ્મ જેઓને ઈત્યાદિ અને આ=વ્યાવૃત્ત છદ્મનો સમાસ ખોલ્યો એ, કેવલ સુગમ છે. ભાવાર્થ: ગોશાલકના શિષ્યો ભગવાનને સાક્ષાત્ છદ્મસ્થ છે તેમ કહેતા નથી, પરંતુ છદ્મસ્થનું કારણ કર્મબંધની યોગ્યતારૂપ ભવ અધિકાર છે અને તીર્થનો નાશ થાય છે ત્યારે તીર્થના રક્ષણ માટે ભગવાન ફરી જન્મ લે છે તેમ કહે છે, તેથી અર્થથી એ ફલિત થાય કે ભગવાન કર્મબંધની યોગ્યતારૂપ ભવના અધિકારવાળા છે Page #140 -------------------------------------------------------------------------- ________________ વિયટછઉમાણે ૧૧૭ અને કર્મબંધની યોગ્યતા કષાયની અને યોગની પ્રવૃત્તિરૂપ છે, આથી જ ભગવાન તીર્થનો નાશ જોઈને પોતાના તીર્થના રાગને કારણે જન્મ લેવાની પ્રવૃત્તિ કરે છે, તેથી ગોશાલકના મતાનુસાર ભગવાન રાગી છે અને જન્મ લેવાને અનુકૂળ યોગની પ્રવૃત્તિવાળા છે, તેના નિરાકરણ માટે કહે છે – ભગવાન વ્યાવૃત્ત છદ્મવાળા છે અને વ્યાવૃત્ત છઘની વ્યુત્પત્તિ એ છે કે ઘાતિકર્મ છદ્મ કહેવાય છે અને જ્ઞાનાવરણીય કર્મના બંધની યોગ્યતારૂપ ભવનો અધિકાર છે, જે છદ્મનું કારણ હોવાથી છદ્મ કહેવાય છે. અને ભગવાન કર્મબંધની યોગ્યતારૂપ કષાયની અને યોગની પ્રવૃત્તિ સ્વરૂપ ભવના અધિકારવાળા નથી, તેથી તીર્થના નાશને જોઈને તીર્થના રક્ષણ માટે જન્મ લેતા નથી. આ જ કથનને અન્ય દર્શનના વચનથી પુષ્ટ કરે છે – ભગવાનને ભવના અધિકારનો અભાવ હોવાને કારણે તીર્થના રક્ષણ માટે જન્મ લેનારૂપ કર્મયોગનો અભાવ જ છે, આથી અન્ય દર્શનવાળા કહે છે – અસહજ અવિદ્યા છેઃકર્મકૃત બુદ્ધિનો વિપર્યાસ જીવનો સ્વભાવ નથી, પરંતુ જીવની સાથે અસહભાવી છે અને ભગવાને આત્માના અસહજ સ્વભાવનો નાશ કર્યો છે, તેથી કર્મબંધની યોગ્યતા નાશ પામેલ છે, તેથી તેમને કર્મકૃત બુદ્ધિનો વિપર્યાસ નથી. તેથી એ ફલિત થાય કે જો ભગવાન તીર્થના નાશ માટે જન્મ લેતા હોય તો ભગવાનમાં કર્મકૃત બુદ્ધિનો વિપર્યાય છે તેમ માનવું પડે, પરંતુ ભગવાન તો વ્યાવૃત્ત થયેલા છબસ્થ ભાવવાળા છે, તેથી ઘાતકર્મો નથી અને ઘાતકર્મના કારણભૂત કર્મબંધની યોગ્યતા સ્વરૂપ બુદ્ધિનો વિપર્યાસ પણ નથી, તેથી તીર્થના રક્ષણના આશયથી ફરી જન્મ લેતા નથી તે બતાવવા માટે ભગવાન વ્યાવૃત્ત છદ્મવાળા છે એમ પ્રસ્તુત સૂત્રમાં કહેલ છે. લલિતવિસ્તરાઃ नाक्षीणे संसारेऽपवर्गः क्षीणे च जन्मपरिग्रह इत्यसत्, हेत्वभावेन सदा तदापत्तेः, न तीर्थनिकारो हेतुः, अविद्याऽभावेन तत्संभवाभावात्, तद्भावे च छद्मस्थास्ते, कुतस्तेषां केवलमपवर्गो वेति भावनीयमेतत्, न चान्यथा भव्योच्छेदेन संसारशून्यतेत्यसदालम्बनं ग्राह्यम्, आनन्त्येन भव्योच्छेदासिद्धेः, अनन्तानन्तकस्यानुच्छेदरूपत्वाद् अन्यथा सकलमुक्तिभावेनेष्टसंसारिवदुपचरितसंसारभाजः सर्वसंसारिण इति बलादापद्यते, अनिष्टं चैतिदति व्यावृत्तच्छद्मान इति।।२६।। લલિતવિસ્તરાર્થ : સંસાર અક્ષીણ હોતે છતે અપવર્ગ નથી અને ક્ષીણ થયે છત=સંસાર ક્ષીણ થયે છતે, જન્મ પરિગ્રહ એ અસત્ છેeતીર્થનો નાશ થતો જોઈને ભગવાન જન્મ લે છે એ અસત્ છે; કેમ કે હેતુનો અભાવ હોવાથી–ફરી જન્મ લેવાના હેતુનો અભાવ હોવાથી, સદા તેની આપત્તિ છે=જન્મનો હેતુ ન હોય છતાં જો ભગવાન ફરી જન્મ લેતા હોય તો સદા જન્મ લેવાની આપત્તિ આવે, તીર્થનો વિનાશ હેતુ નથી=જન્મ લેવાનો હેતુ નથી; કેમ કે અવિધાનો અભાવ હોવાથી-કર્મકૃત Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ લલિતવિસ્તરા ભાગ-૨ બુદ્ધિના વિપર્યાસરૂપ અવિધાનો અભાવ હોવાથી, તેના સંભવનો અભાવ છે તીર્થનિકારને જોઈને=તીર્થનાશને, જન્મપરિગ્રહની ઈચ્છાના સંભવનો અભાવ છે, અને તેના ભાવમાં=જન્મ લેવાના પરિણામના સદ્ભાવમાં, તેઓ છદ્મસ્થ છે, કેવી રીતે તેઓને કેવલ કેવલજ્ઞાન અથવા અપવર્ગ થાય? એથી આ ભાવન કરવું જોઈએ ક્ષીણ સંસાર હોતે છતે જન્મનો પરિગ્રહ નથી એ ભાવન કરવું જોઈએ, અને અન્યથા=મોક્ષથી પછી ફરી અહીં આગમનના અભાવમાં, ભવ્યનો ઉચ્છેદ થવાથી સંસારશૂન્યતા થશે એ પ્રકારે અસળું આલંબન ગ્રહણ કરવું જોઈએ નહિ; કેમ કે અનંતપણું હોવાને કારણે ભવ્યના ઉચ્છેદની અસિદ્ધિ છે=જગતમાં પ્રચુર પ્રમાણમાં અનંત ભવ્યજીવો છે તેથી ભવ્યના ઉચ્છેદની અસિદ્ધિ છે. અનંતકાળમાં પણ કેમ ભવ્યનો ઉચ્છેદ નહિ થાય ? એથી તેમાં હેતુ કહે છે – અનંતાનંતકનું અનુચ્છેદરૂપપણું છે, અન્યથા–એવું ન માનો અને મોક્ષમાં ગયેલા જીવો ફરી આવે છે એમ માનો તો, સકલ જીવોને મુક્તિનો ભાવ થવાથી ઈષ્ટ સંસારીની જેમ સર્વ સંસારીઓ ઉપચરિત સંસારવાળા અવશ્ય પ્રાપ્ત થશે અને આ અનિષ્ટ છે=સર્વ સંસારીઓ ઉપચરિત સંસારવાળા છે એ અનિષ્ટ છે, એથી ભગવાન વ્યાવૃત છઘવાળા છે. રિકો પંજિકા - 'न चान्यथेति, न च-नैव, अन्यथा-मोक्षात्पुनरिहागमनाभावे। 'इष्टसंसारिवदिति-मोक्षव्यावृत्तविवक्षितगोशालकादिसंसारिवत्।।२६।। પંજિકાર્ચ - ર રાત્તિ ... સંસાવિત્ | ર વાચથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – અવ્યથા મોક્ષમાંથી ફરી આગમનના અભાવમાં, નથી જ=ભવ્યનો ઉચ્છેદ છે તેથી સંસારની શૂન્યતા છે એ પ્રકારે અસદ્ આલંબન ગ્રાહ્ય નથી જ, એમ અવય છે, સંસારિવત્ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – મોક્ષથી વ્યાવૃત વિવક્ષિત ગોપાલક આદિ સંસારીની જેમ=મોક્ષમાંથી આવેલા એવા વિવક્ષિત ગોપાલક આદિ સંસારી જીવોની જેમ, ઉપચરિત સંસારવાળા સર્વ સંસારીઓ પ્રાપ્ત થશે એમ અવય છે. રા. ભાવાર્થ - પૂર્વમાં કહ્યું કે તીર્થના નાશને જોઈને ભગવાન જન્મ લેતા નથી; કેમ કે ભવનો અધિકાર નથી, એ કથનને જ યુક્તિથી સ્પષ્ટ કરે છે – અક્ષણ સંસાર હોય તો મોક્ષ સંભવે નહિ, તેથી જેઓએ સંસારનો નાશ કર્યો નથી તેઓએ ક્યારેય મોક્ષ પ્રાપ્ત કર્યો નથી અને ક્ષીણ સંસાર થયે છતે જન્મનું ગ્રહણ નથી, તેથી ક્ષીણ સંસારવાળા મુક્ત આત્માઓ ક્યારેય જન્મને પામે નહિ, માટે ગોશાલકમતવાળા કહે છે કે મોક્ષમાં ગયા પછી પણ તીર્થનો નાશ જોઈને Page #142 -------------------------------------------------------------------------- ________________ વિયછઉમાણે. ૧૧૯ ભગવાન જન્મ લે છે, એ અસત્ છે. કેમ એ કથન અસત્ છે ? એમાં યુક્તિ આપે છે – જન્મના ગ્રહણમાં હેતુનો અભાવ હોવાથી જો ભગવાન ફરી જન્મ ગ્રહણ કરતા હોય તો સદા જન્મની આપત્તિ આવે; કેમ કે હેતુથી ક્યારેક વસ્તુની ઉત્પત્તિ હોય છે, જેનો કોઈ હેતુ નથી, તેની સદા પ્રાપ્તિ થાય છે અને ભગવાનને જન્મના હેતુભૂત કર્મબંધની યોગ્યતા ન હોય, છતાં જો જન્મ ગ્રહણ કરતા હોય તો સદા જન્મ ગ્રહણની આપત્તિ આવે, ક્યારેક ગ્રહણ કરે છે એમ કહી શકાય નહિ, જેમ આત્માનો કોઈ હેતુ નથી, તેથી આત્માની સદા પ્રાપ્તિ છે, તેમ જન્મનો હેતુ એવું કર્મ ન હોય છતાં નાશ પામતા તીર્થના રક્ષણ માટે ભગવાન જન્મ ગ્રહણ કરે છે એમ સ્વીકારીએ તો સદા જન્મની પ્રાપ્તિ થાય. અહીં પૂર્વપક્ષી કહે કે તીર્થનો નાશ જન્મનો હેતુ છે, તેથી ભગવાન સદા જન્મ ગ્રહણ કરતા નથી, પરંતુ જ્યારે તીર્થના નાશરૂપ હેતુની પ્રાપ્તિ થાય ત્યારે જન્મ ગ્રહણ કરે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – તીર્થનો નાશ જન્મ પ્રત્યે હેતુ નથી; કેમ કે ભગવાનને પોતાના તીર્થ પ્રત્યે રાગરૂપ અવિદ્યાનો અભાવ હોવાથી તેના રક્ષણ માટે જન્મ ગ્રહણના સંભવનો અભાવ છે; કેમ કે જેઓમાં રાગરૂપ અવિદ્યા હોય તેઓ જ પોતાના રાગના વિષયભૂત વસ્તુનો નાશ જોઈને પોતાનાથી તેનું રક્ષણ થશે તેમ જણાય તો રક્ષણ કરવા યત્ન કરે, પરંતુ ભગવાન તો વીતરાગ છે, તેથી તીર્થનો નાશ જોઈને તેના રક્ષણ માટે અહીં આવે એવો સંભવ નથી, અને જો તીર્થના રક્ષણ માટે ભગવાન આવે છે તેમ સ્વીકારવામાં આવે તો તેઓ છદ્મસ્થ છે તેમ માનવું પડે. જો ભગવાન છમસ્થ હોય તો જ્ઞાનાવરણીય કર્મના અભાવજન્ય કેવલજ્ઞાન ભગવાનને ક્યાંથી હોય ? અથવા સંસારના નાશરૂપ અપવર્ગ ક્યાંથી હોય? અર્થાતુ જો ભગવાન છદ્મસ્થ હોય તો ભગવાનમાં કેવલજ્ઞાન અને અપવર્ગ સંભવે નહિ, એ ભાવન કરવું જોઈએ. અહીં કોઈક વિચારકને પ્રશ્ન થાય કે જેઓનો સંસાર ક્ષય પામે છે તેઓ ફરી જન્મ લેતા નથી, તેમ માનવામાં આવે તો ભવ્યનો ઉચ્છેદ પ્રાપ્ત થાય અને સંસાર સર્વ ભવ્યજીવોથી રહિત પ્રાપ્ત થાય, તેથી સંસારમાં કોઈ જીવ નથી તેમ શૂન્યતાની આપત્તિ આવે, માટે મોક્ષમાં ગયેલા જીવો પણ અવધિ પૂરી થાય છે ત્યારે ફરી સંસારમાં જન્મ લે છે એમ માનવું જોઈએ. જેમ દેવલોકમાં ગયેલા જીવો ત્યાંના આયુષ્યની અવધિ પૂરી થાય છે ત્યારે અન્ય ભવામાં આવે છે, તેમ મોક્ષમાં ગયેલા જીવો પણ ફરી સંસારમાં આવે છે તેમ માનવું જોઈએ અને તેમ ન માનવામાં આવે તો સર્વ ભવ્યોના ઉચ્છેદની પ્રાપ્તિ થાય, માટે જેમ ભવ્યજીવો મોક્ષમાં ગયા પછી આવે છે તેમ તીર્થના રક્ષણ માટે ભગવાન પણ ફરી જન્મ લે છે તેમ સ્વીકારવું જોઈએ, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – ભવ્યજીવો અનંત છે, તેથી સર્વ ભવ્યોના ઉચ્છેદની સિદ્ધિ થઈ શકે તેમ નથી, માટે જેઓનો સંસાર ક્ષય પામ્યો છે તેઓ ફરી જન્મ ગ્રહણ કરતા નથી તેમજ સ્વીકારવું જોઈએ. અહીં પ્રશ્ન થાય કે ભવ્યો અનંતા છે, તોપણ અનંતકાળમાં ક્રમસર મોક્ષમાં જતા હોય અને ફરી સંસારમાં આવતા ન હોય તો ઘણા દીર્ઘકાળવાળા અનંતકાળથી સર્વ ભવ્યોના ઉચ્છેદની આપત્તિ આવે, માટે મોક્ષમાં ગયેલા પણ ફરી જન્મ લે છે તેમ સ્વીકારવું જોઈએ, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ લલિતવિસ્તરા ભાગ-૨ ભવ્યોની સંખ્યા અનંત અનંત છે, જેનો ઉચ્છેદ થઈ શકે તેમ નથી, તેથી અનંતકાળથી ભવ્યજીવો સતત મોક્ષમાં જાય છે અને ફરી સંસારમાં આવતા નથી, તોપણ ભવ્યની સંખ્યાનો ક્યારેય ઉચ્છેદ થવાનો નથી. આ કથનને જ પુષ્ટ કરવા યુક્તિ બતાવે છે – અન્યથા–એવું ન માનવામાં આવે અને કહેવામાં આવે કે ગમે એટલી મોટી સંખ્યામાં ભવ્યજીવો હોય તોપણ તેટલા દીર્ધકાળવાળા અનંતકાળથી બધા ભવ્યોના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય, માટે ભવ્યજીવો પણ મોક્ષમાં ગયા પછી કાલાવધિ પ્રાપ્ત થાય ત્યારે ફરી જન્મ ગ્રહણ કરે છે, તો જ દષ્ટ સંસારની વ્યવસ્થા સંગત થાય, તેને ગ્રંથકારશ્રી કહે છે, તેમ સ્વીકારીએ તો બધા ભવ્યજીવોને મુક્તિની પ્રાપ્તિ થવાથી તે ભવ્યજીવો ફરી સંસારમાં ભવ ગ્રહણ કરે છે તો સર્વ સંસારીઓ ઉપચરિત સંસારવાળા પ્રાપ્ત થાય, જેમ ઇષ્ટ સંસારી ઉપચરિત સંસારવાળા પ્રાપ્ત થયેલ છે અર્થાતુ ગોશાલક આદિ કહે છે કે પોતે મોક્ષમાં ગયેલ છે, પરંતુ તીર્થનો નાશ થતો જોઈને તેના રક્ષણ માટે મેં જન્મ લીધો છે, તેમ સર્વ ભવ્યજીવો મોક્ષમાં જાય ત્યારપછી તેઓ ઇષ્ટ એવા સંસારી ગોશાલકની જેમ પોતાની ઇચ્છાથી ફરી જન્મ લેનારા છે, પરંતુ કર્મને પરતંત્ર જન્મનારા નથી, તેમ બળાત્કારે સ્વીકારવું પડે; કેમ કે ભવ્યજીવોનો ઉચ્છેદ ન થાય, માટે મોક્ષમાં ગયેલા જીવો ભવનો ક્ષય કર્યા પછી પણ ગોશાલક આદિની જેમ કોઈક પ્રયોજનથી જન્મ ગ્રહણ કરે છે તેમ માનવાનો પ્રસંગ આવે અને એ અનિષ્ટ છે અર્થાત્ જેઓના ભવનો નાશ થઈ ચૂક્યો છે, છતાં કોઈક હેતુથી તેઓ જન્મ ગ્રહણ કરે છે તેમ સર્વ જીવોને આશ્રયીને સ્વીકારી શકાય નહીં; કેમ કે સ્વ અનુભવ વિરોધ છે. એથી ભગવાન વ્યાવૃત્ત છબવાળા છે, માટે ફરી જન્મ લેતા નથી એમ જ સ્વીકારવું જોઈએ. ll૨ાા લલિતવિસ્તરા :___ एवमप्रतिहतवरज्ञानदर्शनधरत्वेन व्यावृत्तच्छद्यतया चैतद्रूपत्वात् स्तोतव्यसम्पद एव सकारणा स्वरूपसम्पदिति।७। संपत्। લલિતવિસ્તરાર્થ - આ રીતે=પ્રસ્તુત સંપદામાં વર્ણન કર્યું એ રીતે, અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધરપણાને કારણે અને વ્યાવૃતળાપણાને કારણે ‘આ’ રૂપપણું હોવાથી=ભગવાનનું પ્રતિકતવરજ્ઞાન-દર્શનધર અને વ્યાવૃતછમ એ રૂપપણું હોવાથી, સ્તોતવ્યસંપદાની જ સકારણ એવી સ્વરૂપસંપદા છે=ભગવાનનું અપ્રતિકતવરજ્ઞાન-દર્શનધરપણું અને વ્યાવૃત્તછમ્રપણું એ ઘાતકર્મના નાશરૂપ કારણથી થયેલું હોવાથી સકારણ એવી સ્વરૂપસંપદા છે. સંપદા-છો. ભાવાર્થ - પ્રસ્તુત સંપદામાં ભગવાન અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધર કેમ છે અને વ્યાવૃત્ત છદ્મવાળા ભગવાનને કેમ સ્વીકાર્યા ? તે યુક્તિથી સ્થાપન કર્યું, તેથી ભગવાન ઘાતિકર્મના ક્ષયથી તેવા સ્વરૂપવાળા થયા છે, માટે ભગવાનની જેમ સ્તોતવ્યસંપદા સ્તુતિપાત્ર છે, તેથી તે સંપદાને કારણે જ ભગવાન સ્તુતિ કરવા યોગ્ય બને Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ જિણાણ જાવયાણ છે, તે સ્તોતવ્યસંપદાની જ ઘાતિકર્મના નાશથી થયેલી આ પ્રસ્તુત સ્વરૂપસંપદા છે, એથી પ્રસ્તુત સંપદા ભગવાનની સ્તોતવ્યસંપદાની જ સકારણ સ્વરૂપ સંપદા છે. સંપદા-છા अवतरकि : एतेऽपि कल्पिताविद्यावादिभिस्तत्त्वान्तवादिभिः परमार्थेनाजिनादय एवेष्यन्ते 'भ्रान्तिमात्रमसदविद्येति वचनाद्, एतद्व्यपोहायाह - अवतरार्थ: કલ્પિત અવિધાવાદી એવા તત્ત્વાંતવાદી વડે આ પણ=પૂર્વમાં વર્ણન કર્યું એવા સ્વરૂપવાળા ભગવાન પણ, પરમાર્થથી અજિનાદિ જ ઈચ્છાય છે, કેમ કે અસદ્ અવિધા ભ્રાંતિમાત્ર છે એ પ્રમાણે વચન છે, એના વ્યપોહ માટેકલ્પિત અવિધાવાદી એવા તત્ત્વાંતવાદી વડે કહેવાયેલા भतना निNS२९भाटे, 5& छ - नि:_ 'तत्त्वान्तवादिभिरिति, तत्त्वान्तं तत्त्वनिष्ठारूपं निराकारं स्वच्छसंवेदनमेव वस्तुतया वदितुं शीलं येषां ते तथा तैः, एते च सुगतशिष्यचतुर्थप्रस्थानवतिनो माध्यमिका इति सम्भाव्यते; तेषामेव निराकारं स्वच्छसंवेदनमात्रमन्तरेण संवेदनान्तराणां भ्रान्तिमात्रतया एकान्तत एवासत्त्वाभ्युपगमात्, तथा च सौगतप्रस्थानचतुष्टयलक्षणमिदं, यथा 'अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो न हि बाह्यवस्तुविसरः सूत्रान्तिकैराश्रितः। योगाचारमतानुगैरभिहिता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतिधयः स्वच्छां परं संविदम्'।।१।। इति। 'प्रत्यक्षो न हि बाह्यवस्तुविसर' इति, यतोऽसावालम्बनप्रत्ययत्वेन स्वजन्यप्रत्यक्षज्ञानकाले क्षणिकत्वेन व्यावृत्तत्वात् तज्ज्ञानगतनीलाद्याकारान्यथानुपपत्तिवशेन पश्चादनुमेय एव, प्रत्यक्षस्तु तज्ज्ञानस्य स्वात्मैव, स्वसंवेदनरूपत्वादिति, तथा तैरपि बुद्धो जिनत्वेनाभ्युपगम्यते; तदुक्तम् 'शौद्धोदनिर्दशबलो बुद्धः शाक्यस्तथागतः सुगतः। ___माजिदद्वयवादी समन्तभद्रो जिनश्च सिद्धार्थः ।।' इति। (प्र०... जिनश्च तुल्यार्थाः) ािर्थ :-- 'तत्त्वान्तवादिभिरिति ..... सिद्धार्थः।।' इति ।। तत्त्वान्तवादिभिरिति मे मलितविस्तरातुं प्रती छ, તત્વાંતeતત્વમાં નિષ્ઠારૂપ નિરાકાર સ્વચ્છ સંવેદન જ વસ્તુપણા વડે કહેવાનો સ્વભાવ છે જેઓને તે તેવા છેતત્વાંતવાદી છે, તેઓ વડે ભગવાન પરમાર્થથી અજિનાદિ છે એમ ઈચ્છાય છે અને આ સુગત શિષ્યોમાં ચોથા પ્રસ્થાવર્તી માધ્યમિકો છે એ પ્રમાણે સંભાવના કરાય છે, કેમ કે તેષાઋતેઓ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લલિતવિસ્તરા ભાગ-૨ વડે જ નિરાકાર સ્વચ્છ સંવેદન માત્ર વગર બીજા સંવેદનોનું ભ્રાંતિમાત્રપણું હોવાને કારણે એકાંતથી જ અસત્વનો સ્વીકાર છે અને તે રીતે સુગતના શિષ્યો ચાર પ્રસ્થાનવાળા છે તે રીતે, સીગત પ્રસ્થાન ચતુષ્ટયનું લક્ષણ આ છે=આગળ બતાવે છે એ છે, જે યથાથી બતાવે છે – મતિમાન એવા વૈભાષિક વડે જ્ઞાનથી યુક્ત અર્થ કહેવાય છે=બૌદ્ધની પ્રથમ શાખા અનુસાર જ્ઞાનથી યુક્ત અર્થ જીવોને પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે. બાહ્ય વસ્તુનો વિસ્તાર પ્રત્યક્ષ નથી એ પ્રમાણે સૂત્રાંતિકો વડે આશ્રય કરાયો છે=બાહ્ય વસ્તુનો વિસ્તાર જ્ઞાનથી ઉત્તરમાં અમેય છે, જ્ઞાન સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ છે, બાહ્ય વસ્તુનો વિસ્તાર પ્રત્યક્ષ તથી અનુમેય છે એમ સૂત્રાંતિક મતવાળા સ્વીકારે છે. યોગાચારના મતને અનુસરનારા વડે પર એવી સાકાર બુદ્ધિ કહેવાઈ છે=બૌદ્ધની ત્રીજી શાખા પ્રકૃષ્ટ સ્પષ્ટ એવા બોધને સ્વીકારે છે, પરંતુ બોધતા વિષયભૂત ય પદાર્થો જ્ઞાનથી અતિરિક્ત નથી તેમ માને છે, ખરેખર ! કૃત બુદ્ધિવાળા મધ્યમો =માધ્યમિકો, સ્વચ્છ પરા સંવિદને માને છે =કૃતાર્થ થયેલી બુદ્ધિવાળા માધ્યમિકો ઘટાકાર-પટાકાર સ્વરૂપ જ્ઞાન પણ ભ્રાંતિરૂપ છે, પરમાર્થથી કોઈ વિષયના આકાર વગરની સ્વચ્છ પ્રકૃષ્ટ સંવિત્તિને તત્વરૂપે માને છે. ત્તિ શબ્દ બોદ્ધના ચાર મતના લક્ષણની સમાપ્તિ માટે છે. બાહ્ય વસ્તુનો વિસ્તાર પ્રત્યક્ષ નથી, જે કારણથી આ=બાહ્ય વસ્તુનો વિસ્તાર, પાછળથી અતુમેય જ છે એમ અવય છે. કેમ પાછળથી અનુમય છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – આલંબન પ્રત્યયપણું હોવાથી=પ્રત્યક્ષજ્ઞાનમાં આલંબનનું પ્રત્યયપણું હોવાથી, સ્વજન્ય પ્રત્યક્ષજ્ઞાનકાળમાં=બાહ્ય વસ્તુથી થનારા પ્રત્યક્ષજ્ઞાનકાળમાં, ક્ષણિકપણું હોવાથી=જ્ઞાનના વિષયભૂત બાહ્ય પદાર્થોનું ક્ષણિકપણું હોવાથી, વ્યાવૃતપણું હોવાને કારણે=બાહ્ય પદાર્થના પ્રત્યક્ષજ્ઞાનકાળમાં બાહ્ય પદાર્થનો અભાવ હોવાને કારણે, પ્રત્યક્ષજ્ઞાનનો વિષય બાહ્ય વસ્તુ નથી, પરંતુ તે જ્ઞાનગત નીલાદિ આકારની અન્યથા અનુપાતિના વશથી=બાહ્ય પદાર્થને અવલંબીતે થયેલા જ્ઞાનગત નીલાદિ આકારની અન્યથા અનુપપતિના વશથી, પાછળથી=પ્રત્યક્ષજ્ઞાન થયા પછી, તે જ્ઞાનનો વિષય અનુમેય જ છે, વળી, તે જ્ઞાનનો સ્વ-આત્મા જ પ્રત્યક્ષ છે તે જ્ઞાનનું પોતાનું સ્વરૂપ જ બોધ કરનારને પ્રત્યક્ષ છે; કેમ કે સ્વસંવેદનરૂપપણું છે=જ્ઞાનનું સ્વસંવેદનરૂપપણું છે, અને તેઓ વડે પણ=સૂત્રાંતિકો વડે પણ, બુદ્ધ જિનપણારૂપે સ્વીકારાયા છે, તે કહેવાયું છે – શૌદ્ધોદન, દશબલ, બુદ્ધ, શાક્ય, તથાગત, સુગત, મારજિત્, અયવાદી સમંતભદ્ર અને જિન એ સિદ્ધ અર્થવાળા છે વ્યુત્પત્તિ અર્થવાળા છે. ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ જિણાણ જાવયાણ ૧૩ ભાવાર્થ : ચાર બૌદ્ધ મતો ઋજુસૂત્રાદિ નયોના એકાંત અવલંબનથી પ્રવર્તે છે, તેમાં ઋજુસૂત્ર નય અનુસાર ચાલનાર વૈભાષિક મત કહે છે કે જ્ઞાનથી સમન્વિત અર્થ છે અને તે જ્ઞાનના વિષયભૂત પદાર્થ ક્ષણિક છે અને જ્ઞાન પણ ક્ષણિક છે, તેથી પદાર્થની ક્ષણસંતતિ ચાલે છે અને જ્ઞાનની ક્ષણસંતતિ ચાલે છે, તેથી તે મતાનુસાર બાહ્ય પદાર્થોનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. સૌત્રાંતિક મત બાહ્ય વસ્તુનો વિસ્તાર ક્ષણિક છે તેમ સ્વીકારે છે. પરંતુ બાહ્ય વસ્તુનું જ્ઞાન પ્રત્યક્ષથી થતું નથી, પણ જ્ઞાન થયા પછી બાહ્ય વસ્તુ છે તેનું અનુમાન કરાય છે; કેમ કે જ્ઞાન વસ્તુના આલંબનથી થાય છે અને વસ્તુનું આલંબન લઈને ઉત્તર ક્ષણમાં તે વસ્તુજન્ય પ્રત્યક્ષજ્ઞાન થાય છે તે કાળમાં=વસ્તુના પ્રત્યજ્ઞ જ્ઞાનના કાળમાં વસ્તુ નથી; કેમ કે વસ્તુ ક્ષણિક હોવાથી તે વસ્તુ ઉત્તર ક્ષણમાં નાશ પામેલી છે, તોપણ તે વસ્તુને અવલંબીને થયેલું જ્ઞાન છે તેમાં નીલાદિ આકારોની પ્રતીતિ થાય છે તે પ્રતીતિ નીલાદિ આકારવાળી વસ્તુ ન હોય તો થઈ શકે નહિ, માટે પ્રત્યક્ષજ્ઞાન થયા પછી તે જ્ઞાનના આલંબનભૂત બાહ્ય પદાર્થ છે તેનું અનુમાન થાય છે. વળી, તે જ્ઞાનનું પ્રત્યક્ષ પોતાનું સ્વરૂપ જ છે; કેમ કે જ્ઞાન સંવેદન સ્વરૂપ છે તેમ સૂત્રાંતિકો માને છે. વળી, યોગાચાર મતવાળા નિદ્રામાં હાથી, ઘોડા દેખાય છે, વસ્તુતઃ તે વખતે ત્યાં હાથી, ઘોડા નથી તેમ સંસારી જીવોને જે જ્ઞાન થાય છે તેના વિષયભૂત કોઈ બાહ્ય વસ્તુ નથી, પરંતુ ઘટાકાર-પટાકાર આદિ રૂપ જે સાકાર બુદ્ધિ છે તે જ વાસ્તવિક વસ્તુ છે તેમ માને છે. વળી, માધ્યમિકો એવંભૂત નયનું એકાંત અવલંબન લઈને કહે છે કે સ્વચ્છ પરા સંવિતું તત્ત્વ છે, અન્ય સર્વ કલ્પિત વિદ્યા છે, તેથી સંસારી જીવોને બાહ્ય ઘટ-પટાદિરૂપ જ્ઞાન થાય છે તે ભ્રાંતિમાત્રરૂપ અસતું એવી અવિદ્યા છે, પરમાર્થથી કોઈ શેયના આકાર વગરનું સ્વચ્છ જ્ઞાન એ જ તત્ત્વ છે. વળી, સૂત્રાંતિકો બુદ્ધને જિનરૂપે સ્વીકારે છે, તેમાં પંજિકાકારે બુદ્ધનાં અનેક નામો બતાવ્યાં તે વ્યુત્પત્તિઅર્થને કહેનારાં છે તે પ્રમાણે જિન પણ બુદ્ધનું નામ છે, તેથી તેઓ જિનને સ્વીકારે છે, પરંતુ બૌદ્ધની ચોથી શાખાના જે માધ્યમિકો છે તેઓ કલ્પિત અવિદ્યાવાદિ છે, તેથી તેઓના મતાનુસાર બાહ્ય પદાર્થો કલ્પિત છે, સંસારી જીવોને જે રાગાદિ થાય છે તે પણ કલ્પિત છે, પરમાર્થથી તેવો કોઈ પદાર્થ જગતમાં નથી, પરંતુ સ્વચ્છ જ્ઞાનની પરા સંવિત્તિ છે, જેની અંદર કોઈ શેયનું પ્રતિબિંબ નથી, માત્ર સ્વચ્છ જ્ઞાનની સંવિત્તિ છે. જેમ સ્વચ્છ દર્પણમાં કોઈનું પ્રતિબિંબ ન હોય તો પ્રતિબિંબ વગરનું સ્વચ્છ દર્પણ દેખાય છે, તેમ સ્વચ્છ પ્રકૃષ્ટ જ્ઞાનની સંવિત્તિ માત્ર જગતમાં છે એ સિવાય શેય વસ્તુ નથી, શેયના આકારવાળું જ્ઞાન નથી, રાગાદિના પરિણામવાળું જ્ઞાન નથી, તેથી રાગાદિ જ ન હોય, પરંતુ કલ્પિત રાગાદિ હોય તો તેને જીતનારા જિન છે તેમ કહી શકાય નહિ, માટે ભગવાન બુદ્ધ જિન નથી, પરંતુ અજિનાદિ જ છે, તેમ માધ્યમિકો માને છે, તે મતના નિરાકરણ માટે કહે છે – Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સૂત્રઃ નિશાળ નાવવાનું ।।૨૭।। સૂત્રાર્થ : જીતનારા, જિતાવનારા એવા ભગવાનને નમસ્કાર થાઓ. ||૭|| : લલિતવિસ્તરા ભાગ-૨ લલિતવિસ્તરા तत्र रागद्वेषकषायेन्द्रियपरीषहोपसर्गघातिकर्म्मजेतृत्वाज्जिनाः, न खल्वेषामसतां जय:, असत्त्वादेव हि सकलव्यवहारगोचरातीतत्वेन जयविषयताऽयोगात्, भ्रान्तिमात्रकल्पनाऽप्येषामसङ्गतैव, निमित्तमन्तरेण भ्रान्तेरयोगात्। લલિતવિસ્તરાર્થ : ત્યાં=જિણાણું જાવયાણં પદમાં, રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય-પરીષહ-ઉપસર્ગ-ઘાતિકર્મનું જીતવાપણું હોવાથી જિનો છે, ખરેખર ! અસત્ એવા આમનો જય નથી; કેમ કે અસત્ત્વ હોવાને કારણે જ સકલ વ્યવહારનું ગોચરાતીતપણું હોવાથી જયની વિષયતાનો અયોગ છે, આમની=રાગ-દ્વેષાદિની ભ્રાંતિમાત્રની કલ્પના પણ અસંગત જ છે; કેમ કે નિમિત્ત વગર ભ્રાંતિનો અયોગ છે. પંજિકા ઃ ‘ને'ત્યાવિ, ન તુ=નેવ, પાં=રાવીનામ્, અક્ષતામ્=વિદ્યમાનાનાં, ખયો=નિગ્રહઃ, જૈત ફાદअसत्त्वादेव=अविद्यमानत्वादेव, हि स्फुटं, सकलव्यवहारगोचरातीतत्वेन = निग्रहादिनिखिललोकव्यवहारयोग्यतापेतत्वेन वान्ध्येयादिवत्, जयविषयताऽयोगात् = जयक्रियां प्रति विषयभावायोगात्, अभ्युच्चयमाहभ्रान्तिमात्रकल्पनापि='भ्रान्तिमात्रमसदविद्यमान 'मितिवचनात्, न केवलं जय इति 'अपि' शब्दार्थः, एषां - રાજાવીનામ્, અસાતવ=પ્રયટમાના (વ), જૈત ત્યા૪- નિમિત્તે નીવાર્તૃથવાર્યરૂપમ્, ગન્તરેળ=વિના, भ्रान्तेरयोगात् । પંજિકાર્ય ઃ ‘ને‘ત્યાવિ... પ્રાન્તેરથોત્ ।। નેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, અસદ્ એવા આમનો=અવિધમાન એવા રાગાદિનો, જય=નિગ્રહ, નથી જ. કેમ અસ ્ એવા પણ રાગાદિનો જય નથી ? એમાં હેતુ કહે છે અસત્ત્વ હોવાથી જ=અવિદ્યમાનપણું હોવાથી જ, =િસ્પષ્ટ, સકલ વ્યવહારનું ગોચરાતીતપણું હોવાને કારણે=નિગ્રહ-અનુગ્રહાદિ સંપૂર્ણ લોકવ્યવહારની યોગ્યતાથી રહિતપણું હોવાને કારણે, વંધ્યાપુત્રાદિની જેમ જયવિષયતાનો અયોગ છે=જયની ક્રિયા પ્રત્યે વિષયભાવનો અયોગ છે. = Page #148 -------------------------------------------------------------------------- ________________ જિસાણં જવયાણ ૧૨૫ અભ્યચ્ચયને કહે છે – અવિદ્યમાન એવા રાગાદિનો જય નથી એ કથનને જ પુષ્ટ કરવા માટે અન્ય કથનના સમુચ્ચયને કહે છે – આમની ભ્રાંતિમાત્રકલ્પના પણ અસંગત જ છે=ભ્રાંતિમાત્ર અસદુ અવિદ્યમાન છે, એ વચન હોવાથી ભ્રાંતિમાત્રની કલ્પના પણ, કેવલ જય નહિ, એ જ શબ્દનો અર્થ છે, શગાદિની ભ્રાંતિમાત્રની કલ્પના પણ અઘટમાન જ છે, કયા હેતુથી ? એથી કહે છે – જીવથી પૃથક કર્મરૂપ નિમિત વગર ભ્રાંતિનો અયોગ છે. ભાવાર્થભગવાનને જિન અને જાપક કહ્યા, ત્યાં ભગવાન કોને જીતનારા છે ? તે બતાવતાં કહે છે – ભગવાન આત્માના અંતરંગ શત્રુ રાગ-દ્વેષ-કષાયોને જીતનારા છે, વળી, વિષયોમાં જતી પાંચ ઇન્દ્રિયોને જીતનારા છે, વળી, પરિષદો અને ઉપસર્ગો જીવને વ્યાકુળ કરે છે તેને પણ જીતનારા છે, અંતરંગ રીતે ઘાતિકર્મો જીવને વિડંબના કરનારા છે તેનો પણ ભગવાને જય કર્યો છે, માટે પોતાના અંતરંગ સર્વ શત્રુઓના જીતનારા હોવાથી ભગવાન જિન છે અને જો અંતરંગ શત્રુ ન હોય તો તેઓનો જય થાય નહિ; કેમ કે જો રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓ અસત્ જ હોય તો તેઓના વિષયક કોઈ વ્યવહાર થઈ શકે નહિ, તેથી તેઓ વ્યવહારના વિષયથી અતીત બને અને જે વસ્તુ વ્યવહારનો વિષય હોય નહિ, તેનો જય થઈ શકે નહિ, માટે માધ્યમિકો કહે છે કે કલ્પિત અવિદ્યા છે, તેથી તેઓના મતાનુસાર રાગ-દ્વેષાદિ સર્વ કલ્પિત અવિદ્યારૂપ છે, તેથી તેઓનો જય થઈ શકે નહિ. વળી, માધ્યમિકો કહે છે કે ભ્રાંતિમાત્ર કલ્પના છે માટે અસતું છે, તેનું નિરાકરણ કરતાં કહે છે – રાગાદિની ભ્રાંતિમાત્ર કલ્પના પણ સંગત નથી; કેમ કે નિમિત્ત વગર ભ્રાંતિ થઈ શકે નહિ અર્થાત્ જીવથી પૃથભૂત કર્મરૂપ નિમિત્ત હોય તો તે નિમિત્તથી ભ્રાંતિ થઈ શકે અને તેમ સ્વીકારીએ તો કર્મના કારણે સંસારી જીવોને બાહ્ય પદાર્થોમાં ભ્રમ થાય છે કે શરીરરૂપ હું છું અને શરીરને ઉપષ્ટભક પદાર્થો સુખનાં સાધન છે અને શરીરને વ્યાઘાતક પદાર્થો દુઃખનાં સાધન છે અને તેનાથી રાગ-દ્વેષાદિ થાય તેમ સ્વીકારી શકાય, પરંતુ જેઓ “સ્વચ્છ પરા સંવિત્તિથી અન્ય કંઈ નથી', તેમ માનીને અવિદ્યાને ભ્રાંતિમાત્ર છે તેમ કહીને અસત્ કહે છે, તે વચન સંગત નથી, માટે ભગવાને કર્મજન્ય ભ્રાંતિને કારણે પૂર્વમાં જે પોતાનામાં રાગાદિ ભાવો હતા તેઓનો જય કર્યો છે, માટે જિન છે તેમ સ્વીકારવું જોઈએ, પરંતુ માધ્યમિકો માને છે કે ભગવાન અજિન છે; કેમ કે રાગાદિ ભાવો જ અસત્ છે, માટે તેઓનો જય થઈ શકે નહિ તે કથન સંગત નથી. -- - લલિતવિસ્તરા : न चासदेव निमित्तम्, अतिप्रसङ्गात् चितिमात्रादेव तु तदभ्युपगमेऽनुपरम इत्यनिर्मोक्षप्रसङ्गः, तथापि तदसत्त्वेऽनुभवबाधा, न हि मृगतृष्णिकादावपि जलाद्यनुभवोऽनुभवात्मनाप्यसन्नेव, आविद्वदङ्गनादिसिद्धमेतत्, न चायं पुरुषमात्रनिमित्तः, सर्वत्र सदाऽभावानुपपत्तेः, नैवं चितिमात्रनिबन्धना Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ લલિતવિસ્તરા ભાગ-૨ रागादय इति भावनीयम्, एवं च तथाभव्यत्वादिसामग्रीसमुद्भूतचरणपरिणामतो रागादिजेतृत्वादिना તાત્તિનનાલિસિદ્ધિઃારકા લલિતવિસ્તરાર્થ: અસદું જ નિમિત નથી જ=ભ્રાંતિનું નિમિત્તે અસદ્ જ નથી; કેમ કે અતિપ્રસંગ છેકનિમિત્ત વગર ભ્રાંતિ થતી હોય તો હંમેશાં સત્ત્વ કે અસત્ત્વ સ્વીકારવાનો પ્રસંગ છે, વળી, ચિતિમાત્રથી જ, તેનો સ્વીકાર કરાયે છતે=ભ્રાંતિનો સ્વીકાર કરાયે છતે, અનુપરમ છે=ભ્રાંતિમાત્રને અનુપરમ છે, એ રીતે નિર્મોક્ષનો પ્રસંગ છે, તોપણ=ચૈતન્યમાત્રથી ભ્રાંતિમાત્ર સ્વીકારવામાં આવે તોપણ, તેના અસત્ત્વમાંeભ્રાંતિમાત્રના અસત્ત્વમાં, અનુભવ બાધા છે. કેમ અનુભવ બાધા છે ? તે સ્પષ્ટ કરે છે – મૃગતૃષ્ણિકાદિમાં પણ જલાદિનો અનુભવ અનુભવ સ્વરૂપે પણ અસ જ નથી, આ=મૃગતૃષ્ણિકાદિમાં જલાદિનો અનુભવ અનુભવ સ્વરૂપે અસત્ જ નથી એ, વિદ્વાનથી માંડીને સ્ત્રી આદિ સર્વ જનને સિદ્ધ છે અને આ મૃગતૃષ્ણિકાદિનો અનુભવ, પુરુષમાત્ર નિમિત્ત નથી; કેમ કે સર્વત્ર સદા અભાવની અનુપપત્તિ છે મૃગતૃષ્ણિકાદિના અભાવની અનુપપત્તિ છે, એ રીતે મૃગતૃષ્નિકાદિના અનુભવની જેમ ચિતિમાત્ર નિબંધન રાગાદિ નથી એ રીતે, ભાવન કરવું જોઈએ અને આ રીતે= રાગાદિ ચિતિમાત્ર નિબંધન નથી પરંતુ કર્મનિમિત છે એ રીતે, તેવા પ્રકારના ભવ્યત્યાદિ સામગ્રીથી સમુભૂત રાત્રિના પરિણામથી રાગાદિના જેતૃપણાદિ વડે તાત્વિક જિનાદિની સિદ્ધિ છે=ભગવાનમાં તાત્વિક જિનત્વ અને જાપકત્વની સિદ્ધિ છે. ll૧૭ના પંજિકા :पराशङ्कापरिहारायाह न च-नैव, असदेव न किञ्चिदेवेत्यर्थः, 'निमित्तं' प्रकृतभ्रान्तः, हेतुमाह- अतिप्रसङ्गात् नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरिति प्राप्तेरिति, पुनरप्याशङ्क्याह-चितिमात्रादेव-चैतन्यमात्रादेव, तु-पुनः, स्वव्यतिरिक्तकर्मलक्षणसहकारिरहितात्, तदभ्युपगमे भ्रान्तिमात्राभ्युपगमे, अनुपरमो भ्रान्तिमात्रस्यानुच्छेदो, अभ्रान्तज्ञानेष्वपि भ्रान्तिनिमित्ततया परिकल्पितस्य चितिमात्रस्य भावात्, ततः किमित्याह- इति एवम्, अनिर्मोक्षप्रसङ्गः संसारानुच्छेदापत्तिः, चितिमात्रस्य मोक्षेऽपि भावात्, अभ्युपगम्यापि दूषणमाह- तथापि चितिमात्रादेव भ्रान्तिमात्राभ्युपगमेऽपि, तदसत्त्वे-भ्रान्तिमात्रासत्त्वे, अनुभवबाधा-तस्य स्वयं संवेदनं न प्राप्नोतीति, न ह्यसच्छशशृङ्गाद्यनुभूयत इति। एनामेव व्यतिरेकतः प्रतिवस्तूपन्यासेन भावयन्नाह- न हि मृगतृष्णिकादावपि मरुमरीचिकाद्विचन्द्रादावपि मिथ्यारूपे विषये, आस्तां सत्याभिमते जलादौ, अनुभवः तज्ज्ञानवृत्तिः, अनुभवात्मनापि=ज्ञानात्मनापि, असन्नेव सविषयतया तु स्यादप्यसनिति 'अपि' शब्दार्थः, 'आविद्वदङ्गनादिसिद्धमेतत्' सर्वजनप्रतीतिमत्यर्थः। Page #150 -------------------------------------------------------------------------- ________________ જિણાણ જાવયાણું ૧૨૭ अत्रैव विशेषमाह- न च अयं-मृगतृष्णिकाद्यनुभवः, पुरुषमात्रनिमित्तः, पुरुषमात्रं-पुरुष एव तदनुभववान् स्वव्यतिरिक्तरविकरादिकारणनिरपेक्षो निमित्तं हेतुर्यस्य स तथा, कुत इत्याह- सर्वत्र क्षेत्रे दृष्टरि, वा, सदा-सर्वकालम्, अभावानुपपत्तेः अनुपरमप्राप्तेः, प्रस्तुतयोजनमाह-न-नैव, एवं-मृगतृष्णिकाद्यनुभववत्, चितिमात्रनिबन्धना रागादयः, किन्तु चैतन्यव्यतिरिक्तपौद्गलिककर्मसहकारिनिमित्ताः, इति भावनीयं= પ્રાવસ્થ ભાવના વારકા પંજિકાર્ય : પરાશ ... માવના વા પરની આશંકાના પરિવાર માટે કહે છે – પ્રકૃત ભ્રાંતિનું નિમિત્ત અસદ્ જ નથી જન્નત કિંચિક્ક નથી જ, પરંતુ કંઈક છે જ, હેતુને કહે છે=પ્રકૃત ભ્રાંતિનું નિમિત્ત અસદ્ જ નથી જ તેમાં હેતુને કહે છે – અતિપ્રસંગ છે=અહેતુનું નિત્ય સત્વ અથવા અસત્વ છે, એ પ્રકારના કથનની પ્રાપ્તિ છે. વળી, પણ આશંકા કરીને કહે છે – ચિતિમાત્રથી જ=ચેતવ્યમાત્રથી જ વળી, અર્થાત્ સ્વવ્યતિરિક્ત કર્મરૂપ સહકારી રહિત ચૈતન્યમાત્રથી જ, તેનો અભ્યપગમ કરાવે છતે=ભ્રાંતિમાત્રનો સ્વીકાર કરાયે છત, અનુપરમ છે=ભ્રાંતિમાત્રનો અનુચ્છેદ છે; કેમ કે અભ્રાંત જ્ઞાનોમાં પણ ભ્રાંતિના નિમિતપણાથી પરિકલ્પિત ચિતિમાત્રનો સદ્ભાવ છે. તેનાથી શું?=ભ્રાંતિનો અનુપરમ થાય તેનાથી શું? એથી કહે છે – એ રીતે=ચિતિમાત્રને કારણે ભ્રાંતિમાત્ર સ્વીકારવાથી ભ્રાંતિમાત્રનો અનુપરમ થાય એ રીતે, અતિક્ષનો પ્રસંગ છે=સંસારના અનુચ્છેદતી આપત્તિ છે; કેમ કે ચિતિમાત્રનો મોક્ષમાં પણ ભાવ છે, સ્વીકારીને પણ=ચિતિમાત્રથી ભ્રાંતિ થાય છે એમ પૂર્વપક્ષી કહે છે તેને સ્વીકારીને પણ, દૂષણને કહે છે – તોપણ=ચિતિમાત્રથી જ ભ્રાંતિમાત્રનો સ્વીકાર કરાય છતે પણ, તેના અસત્વમાં=ભ્રાંતિમાત્રના અસત્ત્વમાં, અનુભવ બાધા છેeતેનું સ્વયં સંવેદન પ્રાપ્ત થતું નથી એ રૂપ અનુભવ બાધા છે. કઈ રીતે અનુભવ બાધા છે ? તે સ્પષ્ટ કરે છે – અસદ્ એવા શશશૃંગાદિ અનુભવાતા નથી જ, તેમ ભ્રાંતિમાત્રરૂપ રાગાદિ હોય તો તેનો સંસારી જીવોને અનુભવ થાય છે તે થવો જોઈએ નહિ, એ પ્રકારે તાત્પર્ય છે, આને જ=ચિતિમાત્રથી ભ્રાંતિ સ્વીકારવામાં અનુભવ બાધા છે એને જ, વ્યતિરેકથી પ્રતિવસ્તુના ઉપચાસ દ્વારા સદશ દૃષ્ટાંતના ઉપચાસ દ્વારા, ભાવન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – મૃગતૃષ્ણિકાદિમાં પણ=મિથ્થારૂપ વિષયવાળા મમરીચિકા – બે ચંદ્ર આદિમાં પણ, અનુભવ=તદ્ જ્ઞાનની વૃત્તિ, અનુભવ સ્વરૂપે પણ=જ્ઞાન સ્વરૂપે પણ, અસદ્દ નથી જ, સત્ય અભિમત જલાદિમાં દૂર રહો, મિથ્થારૂપ જલાદિમાં પણ, એ મૃષ્ટિ વિમલાવમાં રહેલા પ શબ્દનો અર્થ છે, વળી, સવિષયપણાથી અસદ્ થાય પણ એ શબ્દનો અર્થ છે=ાનુમવાત્મનામાં રહેલા ગરિ શબ્દનો અર્થ છે, આ મૃગણિકા આદિમાં જ્ઞાન સ્વરૂપે પણ જલાદિનો અનુભવ છે એ, વિદ્વાનથી માંડીને સ્ત્રી આદિ સર્વ લોકોને સિદ્ધ છે=પ્રતીત છે, આમાં જ=મૃગતૃષ્ણિકાદિ અનુભવમાં જ, વિશેષતે કહે છે – અને આ મૃગતૃષ્ણિકાદિનો Page #151 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ અનુભવ, પુરુષમાત્ર નિમિત્ત નથી, પુરુષમાત્ર=તેના અનુભવવાળો પુરુષ જ સ્વવ્યતિરિક્ત સૂર્યનાં કિરણો આદિ કારણ નિરપેક્ષ, હેતુ છે જેને તે તેવો છે=પુરુષમાત્ર નિમિત્તવાળો છે અને મૃગતૃષ્ણિકાદિનો અનુભવ પુરુષમાત્ર નિમિત્તવાળો નથી એમ અન્વય છે, કયા કારણથી ?=મૃગતૃષ્ણિકાદિનો અનુભવ પુરુષમાત્ર નિમિત્તવાળો કયા કારણથી નથી ? એથી કહે છે – સર્વત્ર=સર્વ ક્ષેત્રોમાં, અથવા સર્વ જોનારામાં સદા=સર્વ કાલ, અભાવની અનુપપત્તિ હોવાથી=અનુપરમની પ્રાપ્તિ હોવાથી, પુરુષમાત્ર નિમિત્તવાળો મૃગતૃષ્ણિકાદિનો અનુભવ નથી એમ અન્વય છે. ૧૨૮ પ્રસ્તુત યોજનને કહે છે=ભૃગતૃષ્ણિકાના દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે મૃગતૃષ્ણિકા પુરુષમાત્ર નિમિત્ત નથી, પરંતુ અન્ય નિમિત્તક છે, એને પ્રસ્તુત એવા રાગાદિમાં યોજનને કહે છે આ રીતે= મૃગતૃષ્ણિકાદિના અનુભવની જેમ, ચિતિમાત્ર નિબંધન=ચૈતન્યમાત્ર કારણવાળા, રાગાદિ નથી જ, પરંતુ ચૈતન્યથી વ્યતિરિક્ત પૌદ્ગલિક કર્મરૂપ સહકારીના નિમિત્તવાળા રાગાદિ છે એ પ્રમાણે ભાવન કરવું જોઈએ=પૂર્વની જેમ અર્થાત્ પૂર્વમાં જેમ પુરુષમાત્ર નિમિત્ત મૃગતૃષ્ણિકાદિ નથી તેનું ભાવન કર્યું એની જેમ આની અર્થાત્ ચિતિમાત્ર નિબંધનવાળા રાગાદિ નથી એની, ભાવના કરવી જોઈએ. ।।૨૭।। - ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે રાગાદિ ભ્રાંતિમાત્ર છે એ પ્રકારની માધ્યમિકોની કલ્પના અસંગત છે; કેમ કે ભ્રાંતિ પણ નિમિત્ત વગર થઈ શકે નહિ, ત્યાં માધ્યમિકો કહે કે ભ્રાંતિનું નિમિત્ત અસત્ જ છે, તેથી નિમિત્ત વગર ભ્રાંતિ થાય છે, તેથી સંસારી જીવોમાં રાગાદિ દેખાય છે, વસ્તુતઃ નિરાકાર સ્વચ્છ સંવેદન સિવાય અન્ય કોઈ વસ્તુ નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે જો ભ્રાંતિનું નિમિત્તે અસદ્ જ હોય તો સદા ભ્રાંતિ થવાનો પ્રસંગ આવે, જેમ આત્માનું કોઈ નિમિત્ત નથી, તેથી આત્મા સદા છે અથવા સદા ભ્રાંતિના અસત્ત્વનો પ્રસંગ આવે, જેમ શશશૃંગનું કોઈ નિમિત્ત નથી, તેમ ભ્રાંતિનું પણ કોઈ નિમિત્ત ન હોય તો ભ્રાંતિના સદા અસત્ત્વનો પ્રસંગ આવે અને માધ્યમિકો ‘સંસા૨અવસ્થામાં ભ્રાંતિને કારણે રાગાદિ દેખાય છે અને મુક્ત અવસ્થામાં ભ્રાંતિનું નિવર્તન થવાથી તે રાગાદિનો અભાવ પ્રતીત થાય છે' તેમ સ્વીકારે છે, તેથી ભ્રાંતિનું કોઈ નિમિત્ત ન હોય તો ભ્રાંતિનું સદા સત્ત્વ છે કે સદા અસત્ત્વ છે તેમ જ માનવું પડે. માધ્યમિકો કહે છે તે રીતે ચૈતન્યમાત્રને કારણે જ ભ્રાંતિ થાય છે તેમ સ્વીકારીએ તો ભ્રાંતિનો ઉ૫૨મ ક્યારેય પ્રાપ્ત ન થાય, તેથી સંસારના અનુચ્છેદની આપત્તિ આવે. વસ્તુતઃ માધ્યમિકો માને છે કે અસત્ એવી અવિદ્યાને કારણે સંસારી જીવોને ભ્રાંતિમાત્રરૂપ જ રાગાદિ ભાવો અનુભવાય છે અને જ્યારે તે ભ્રાંતિમાત્ર દૂર થાય છે ત્યારે સ્વચ્છ ચિતિમાત્રનું સંવેદન થાય છે તે જ મોક્ષ છે તેની સંગતિ થઈ શકે નહિ; કેમ કે ચૈતન્યમાત્રથી જ ભ્રાંતિ થતી હોય તો મુક્ત આત્માઓમાં પણ ચૈતન્ય વિદ્યમાન છે, તેથી તેઓના ચૈતન્યથી પણ તેઓને ભ્રાંતિમાત્ર થવી જોઈએ તેથી મુક્ત આત્માઓને પણ ભ્રાંતિથી રાગાદિનો અનુભવ થવો જોઈએ, તેથી કોઈ જીવના સંસારનો ઉચ્છેદ ક્યારેય પ્રાપ્ત થાય નહિ. આ રીતે માધ્યમિકોને દોષ આપ્યા પછી ચૈતન્યમાત્રથી ભ્રાંતિમાત્ર થાય છે તેમ Page #152 -------------------------------------------------------------------------- ________________ જિરાસં જાવયાણ ૧૯ સ્વીકારીને પણ દોષ આપતાં કહે છે – ચૈિતન્યમાત્રથી જ ભ્રાંતિમાત્ર સ્વીકાર કરાય છતે પણ ભ્રાંતિમાત્રના અસત્ત્વમાં અનુભવની બાધા છે; કેમ કે જેમ શશશૃંગ છે તેમ કોઈકને ભ્રમ થાય છતાં ક્યારેય શશશૃંગ સ્વસંવેદનથી દેખાતું નથી, તેમ ચૈતન્યમાત્રથી ભ્રાંતિમાત્ર થાય છે તેમ સ્વીકારીને રાગાદિનો જે અનુભવ થાય છે તે ભ્રાંત છે તેમ કહેવામાં આવે તો સંસારી જીવોને સ્વસંવેદનથી રાગાદિનો અનુભવ થાય છે તે થવો જોઈએ નહિ, જેમ કોઈકને ભ્રાંતિથી શશશૃંગ છે તેમ અનુભવ થાય, તોપણ પ્રત્યક્ષથી કોઈને શશશૃંગનો અનુભવ થતો નથી, તેમ સંસારી જીવોને પ્રત્યક્ષથી રાગાદિનો અનુભવ થાય છે તે સંગત થાય નહિ, માટે ચૈતન્યમાત્રથી ભ્રાંતિ સ્વીકારવામાં આવે તોપણ સંસારી જીવોને સ્વસંવેદનથી રાગાદિનો અનુભવ છે તે બાધ પામે છે, માટે ભ્રાંતિને કરનાર કોઈક નિમિત્ત કારણ છે જેના કારણે સંસારી જીવોને રાગાદિ થાય છે તેમ સ્વીકારી શકાય. વળી, ચૈતન્યમાત્રથી ભ્રાંતિમાત્ર સ્વીકારીને રાગાદિનો અનુભવ સંગત નથી તેને સ્પષ્ટ કરવા માટે કહે છે – મૃગતૃષ્ણિકા આદિમાં પણ જ્ઞાનરૂપે અનુભવ અસદ્ નથી જ, પરંતુ જલરૂપે અસત્ છે, જેમ અત્યંત દૂર સૂર્યનાં કિરણો રેતી ઉપર પડતાં જોઈને કોઈને ભ્રમ થાય કે ત્યાં પાણી છે, તે વખતે તે પુરુષને જ્ઞાનરૂપે જલની પ્રતીતિ વિદ્યમાન જ છે, ફક્ત ત્યાં જાય ત્યારે તે જ્ઞાનના વિષયભૂત જલની તેને અપ્રાપ્તિ થાય છે, પરંતુ પોતાને દૂરવર્તી પાણીનું જ્ઞાન થયું તે વસ્તુ તો તેને અનુભવસિદ્ધ છે, એ વસ્તુ સર્વ જનને પ્રતીત છે અર્થાત્ વિદ્વાનથી માંડીને સ્ત્રી આદિ બધાને પ્રતીત છે અને આ મૃગતૃષ્ણિકાદિનો અનુભવ પુરુષમાત્ર નિમિત્ત નથી, પરંતુ પુરુષથી વ્યતિરિક્ત સૂર્યનાં કિરણાદિ કારણોથી થનારો છે. જો મૃગતૃષ્ણિકાદિનો અનુભવ પુરુષમાત્ર નિમિત્ત હોય તો સર્વ ક્ષેત્રમાં અને સર્વ દ્રષ્ટાઓને સદા તેના અભાવની અપ્રાપ્તિ થાય; કેમ કે પાણી નહિ હોવા છતાં પાણીનો ભ્રમ પુરુષમાત્ર નિમિત્ત થતો હોય તો વર્તમાનમાં જોનારા બધા દ્રષ્ટાને પાણીનો ભ્રમ થવો જોઈએ, પરંતુ સૂર્યનાં કિરણો આદિના નિમિત્તથી જ પુરુષને મૃગતૃષ્ણિકાનો ભ્રમ થાય છે, એ રીતે=જે રીતે પુરુષમાત્ર નિબંધન મૃગતૃષ્ણિકા નથી એ રીતે, ચૈતન્યમાત્ર નિબંધન રાગાદિ નથી, પરંતુ જેમ મૃગતૃષ્ણિકા પુરુષથી વ્યતિરિક્ત સૂર્યનાં કિરણાદિ નિમિત્ત છે તેમ ચૈતન્યથી વ્યતિરિક્ત પૌદ્ગલિક કર્મના સહકાર નિમિત્ત રાગાદિ છે એ પ્રકારે ભાવન કરવું જોઈએ. તેથી એ ફલિત થાય કે સંસારી જીવોનાં કર્મોના નિમિત્તે અને ચૈતન્યના નિમિત્તે આત્મામાં વાસ્તવિક રાગાદિ ભાવો થાય છે તેમ ભગવાનના આત્મામાં પણ સંસારઅવસ્થામાં રાગાદિ ભાવો વિદ્યમાન હતા અને તે કર્મજન્ય રાગાદિ ભાવોથી પોતાનો આત્મા નવાં નવાં કર્મ બાંધીને ચાર ગતિઓની વિડંબનાને પામે છે તેવો માર્ગાનુસારી બોધ ભગવાનના આત્માને થયો, તે ભગવાનમાં વર્તતી તથાભવ્યત્યાદિ સામગ્રીથી થયો અને તેના કારણે સંસારના ઉચ્છેદના કારણભૂત ચારિત્રનો પરિણામ થયો, તેથી ભગવાનના આત્માએ મહા પરાક્રમ કરીને રાગાદિ અંતરંગ શત્રુઓને જીત્યા, તેથી ભગવાનમાં તાત્ત્વિક જિનાદિની સિદ્ધિ છે અર્થાત્ સ્વયં રાગાદિને જીત્યા અને યોગ્ય જીવોને ઉચિત અનુશાસન આપીને રાગાદિ જિતાવ્યા, તે બતાવવા માટે પ્રસ્તુત સૂત્રથી જિણાણે જાવયાણ દ્વારા ભગવાનની સ્તુતિ કરાઈ છે. ll૨ણા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ લલિતવિસ્તરા ભાગ-૨ અવતરણિકા - एते चावर्तकालकारणवादिभिरनन्तशिष्यैर्भावतोऽतीर्णादय एवेष्यन्ते, 'काल एव कृत्स्नं जगदावर्त्तयती तिवचनात्, एतन्निरासायाह - અવતરણિયાર્થ: અને આવર્તકાલ કારણવાદિ અનંતશિષ્યો વડે આ=ભગવાન, ભાવથી અતીર્ણાદિ જ ઈચ્છાય છે; કેમ કે કાળ જ સંપૂર્ણ જગતને પરાવર્તન કરે છે, એ પ્રકારનું વચન છે, એના નિરાસ માટે કહે છે – પંજિકા - 'एते चावतकालकारणवादिभिरिति, आवर्तस्य-नरनारकादिपर्यायपरिवर्तरूपस्य, काल एव, कारणंનિમિત્તતિ, (વાલિમ-)વાવપૂર્વક પંજિકાર્ચ - “તે રાવર્નશાનારા ... વાહૂઃ | ત્તે ચાવવાનરખવારિમિતિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, નર-નારકાદિ પર્યાયતા પરિવર્તનરૂપ આવર્તનું કાલ જ કારણ છે=નિમિત્ત છે, એ પ્રકારના વાદીઓ વડે=વાચાળો વડે, ભગવાન અતીણદિ ઇચ્છાયા છે એમ અવય છે. ભાવાર્થ : સ્યાદ્વાદીઓ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે, તેથી કાર્યમાત્ર પ્રત્યે પાંચ કારણોને ઉચિત સ્થાને યોજન કરીને કાર્યમાત્ર પ્રત્યે તે તે કારણો કઈ રીતે વ્યાપારવાળાં છે તેનો યથાર્થ બોધ કરાવે છે, છતાં કેટલાક એકાંત દર્શનવાદીઓ તે કારણોમાંથી કોઈક એક કારણને ગ્રહણ કરીને પોતાનો મત પ્રવર્તાવે છે, તેમ કાર્યમાત્ર પ્રત્યે કાલ જ કારણ છે તેમ માનનારા અનંત શિષ્યો આવર્તકાલકારણવાદી છે=નર-નારકાદિ પર્યાયના પરિવર્તનરૂપ જે જીવના આવર્તો થાય છે, તેનું કાલ જ નિમિત્ત કારણ છે તેમ માને છે. તેથી તેઓ કહે છે કે ભગવાન સ્વપરાક્રમ કરીને સંસારથી તરેલા નથી, પરંતુ ભગવાનના કાલના પરિપાકને કારણે જ ભગવાન સંસારથી તરેલા છે. તેથી ભાવથી અતીર્ણાદિ જ છે; કેમ કે કાલ જ સંપૂર્ણ જગતને તે તે ભાવરૂપે આવર્તન કરે છે, તેથી જે જીવન જે આવર્તનનો કાળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તે નર-નારકાદિ પર્યાયને પ્રાપ્ત કરે છે અને જ્યારે મુક્ત પર્યાયને પ્રાપ્ત કરવાનો કાળ પાકે ત્યારે તે જીવ મુક્ત થાય છે, અને ફરી નટ નાટકાદિ આ વર્તનો કાળ આવશે ત્યારે તેઓ સંસારમાં આવશે માટે ભગવાન સ્વયં તરેલા છે અને બીજાને તારે છે તેમ કહી શકાય નહિ, પરંતુ કાળના આવર્તથી જ ભગવાન મુક્ત અવસ્થાને પામ્યા છે, અને કાળના આવર્તથી જ ફરી સંસારઅવસ્થાને પામશે. તે પ્રકારના આવર્તકાલકારણવાદી મતના નિરાસ માટે કહે છે – Page #154 -------------------------------------------------------------------------- ________________ તિસાણ તારયાણ १39 सूत्र: तिण्णाणं तारयाणं ।।२८।। सूत्रार्थ : તરના તારનારા ભગવાનને નમસ્કાર થાઓ. ૨૮ ललितविस्तश: 'तीर्णेभ्यस्तारकेभ्यः'। ज्ञानदर्शनचारित्रपोतेन भवार्णवं तीर्णवन्तस्तीर्णाः, नैतेषां जीवितावर्त्तवद् भवावों, निबन्धनाभावात्, न ह्यस्यायुष्कान्तरवद् भवाधिकारान्तरं, तद्भावेऽत्यन्तमरणवन्मुक्त्यसिद्धेः, तत्सिद्धौ च तद्भावेन भवनाभावः, हेत्वभावात्, न हि मृतस्तद्भावेन भवति मरणभावविरोधात्। ललितविस्तरार्थ : તરનારા તારનારા ભગવાન છે, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નાવથી ભવરૂપ સમુદ્રને તર્યા છે, તેથી તરેલા છે, આમનું=ભગવાનનું, જીવિત આવર્તની જેમ ભવનું આવર્ત નથી; કેમ કે નિબંધનનો અભાવ છે કારણનો અભાવ છે, શિ=જે કારણથી, આમનું તીર્ણ એવા ભગવાનનું, આયુષ્ક અંતરની જેમ ભવ અધિકાર અંતર નથી અન્ય ભવનો અધિકાર નથી; કેમ કે તેના ભાવમાં=બીજા ભવની પ્રાપ્તિમાં, અત્યંત મરણની જેમ મુક્તિની અસિદ્ધિ છે અને તેની સિદ્ધિ થયે છતે તે ભાવથી ભવનનો અભાવ છે; કેમ કે હેતુનો અભાવ છે, મરેલો તે ભાવથી થતો નથી જ; કેમ કે મરણ ભાવનો વિરોધ છે. les:___ 'तीर्णाः'। 'नतेषामित्यादि, न=नैव, एतेषां-तीर्णानां, जीवितावर्त्तवत् जीवितस्य प्रागनुभूतस्य, आवर्तवत्पुनर्भवनमिव, भवावतॊ भवस्य काष्टकोदयलक्षणस्य क्षीणस्य, आवर्त्तः प्रागुक्तरूपः, कुत इत्याहनिबन्धनाभावात्=निबन्धनस्य-हेतोर्वक्ष्यमाणस्य अभावात्। इदमेव भावयति- न=नैव, हिः यस्माद्, अस्य-तीर्णस्य, आयुष्कान्तरवत्=नारकाद्यायुष्कविशेषवद्, भवाधिकारान्तरंक्षीणाद् भवाधिकाराद् अन्यो भवाधिकारो, येनासाविह पुनरावर्तेत। विपक्षे बाधामाह- तद्भावे-तस्य-आयुष्कान्तरस्य भवाधिकारान्तरस्य च, भावे-सत्तायाम्, अत्यन्तमरणवत्सर्वप्रकारजीवितक्षयेण मरणस्येव, मुक्त्यसिद्धेः मुक्तेः-तीर्णतायाः असिद्धेः-अयोगात्। ___ व्यतिरेकमाह- तत्सिद्धौ च-तस्य-अत्यन्तमरणस्य मुक्तेर्वा, सिद्धौ-अभ्युपगतायां, तद्भावेन-आयुष्यकान्तरसाध्येन भवाधिकारान्तरसाध्येन च भावेन, भवनाभावः परिणतेरभावः; कुत इत्याह- हेत्वभावात् हेतोःआयुष्कान्तरस्य भवाधिकारान्तरस्य च अभावात्, पुनस्तदेव प्रतिवस्तूपमया भावयति- न हि मृतः परासुः, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ લલિતવિસ્તરા ભાગ-૨ तद्भावेन=अतीतामृतभावेन भवति, कथमित्याह- मरणभावविरोधात्-मरणामरणयोरात्यन्तिको विरोध इतिकृत्वा। પંજિકાર્ય : ‘ત્તી નિવૃત્તી તી તેવાન્ ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આમjતરેલા એવા ભગવાનનું, જીવિત આવર્તની જેમ ભવઆવર્ત નથી જ=પૂર્વમાં અનુભવેલા એવા જીવિતનું ફરી ભવનની જેમ કમષ્ટકના ઉદય સ્વરૂપ ક્ષીણ ભવનો પૂર્વમાં કહેલા સ્વરૂપવાળો આવર્ત નથી જ, કથા કારણથી?=કયા કારણથી ભવનો આવર્ત નથી? એથી કહે છે – નિબંધનનો અભાવ હોવાથી=વસ્થમાણ હેતુરૂપ તિબંધનનો અભાવ હોવાથી, ફરી ભવનું આવર્ત નથી એમ અવય છે. આને જ તીર્ણ એવા ભગવાનને ફરી ભવનો આવર્ત નથી એને જ, ભાવન કરે છે – હિં=જે કારણથી, આનેત્રતીર્ણનેeતીર્ણ એવા ભગવાનને, આયુષ્કાંતરની જેમeતારકાદિ આયુષ્ક વિશેષની જેમ, ભવાધિકારસંતર=ક્ષીણ થયેલા ભવ અધિકારથી બીજો ભવનો અધિકાર, નથી જ, જેના કારણે=જે ભવાધિકારાંતરને કારણે, આ તીર્ણ એવા ભગવાન, અહીં ભવમાં, ફરી આવર્તન પામે. વિપક્ષમાં=તીર્ણ એવા ભગવાનનો ભવાધિકારાંતર સ્વીકારવારૂપ વિપક્ષમાં, બાધાને કહે છે – તેના ભાવમાં=આયુષ્કાંતરની અને ભવાધિકારાંતરની સતામાં, અત્યંત મરણની જેમ=સર્વ પ્રકારના જીવિતના ક્ષયથી મરણની જેમ, મુક્તિની અસિદ્ધિ હોવાથી=તીર્ણતાનો અયોગ હોવાથી તીર્ણ એવા ભગવાનને ભવાધિકાર નથી એમ અવય છે. વ્યતિરેકને કહે છે – અને તેની સિદ્ધિ થયે છતે અત્યંત મરણ અથવા મુક્તિનો સ્વીકાર કરાયે છતે, તેના ભાવથી-આયુષ્કાંતરથી સાધ્ય એવા ભાવથી અને ભવાધિકારાંતરથી સાધ્ય એવા ભાવથી, ભવનનો અભાવ છે=પરિણતિનો અભાવ છે=તીર્ણ એવા ભગવાનને તે પ્રકારની પરિણતિનો અભાવ છે, કયા કારણથી ?=કયા કારણથી તીર્ણ એવા ભગવાનને ફરી ભવમાં ભવનનો અભાવ છે? એથી કહે છે – હેતુનો અભાવ હોવાથી=આયુષ્પાંતર અને ભવાધિકારાંતરરૂપ હેતુનો અભાવ હોવાથી, ફરી ભગવાનનું ભવમાં ભવન નથી, ફરી તેને જન્નતીર્ણ એવા ભગવાનને ફરી ભવમાં ભવન નથી તેને જ, પ્રતિવસ્તુની ઉપમાથી=સદશ દષ્ટાંતથી, ભાવન કરે છે–સ્પષ્ટ કરે છે – મરેલો=પર છે અસુ અર્થાત્ પ્રાણ જેવા એવો મરેલો, તે ભાવથી=અતીત અમૃતભાવથી, થતો નથી જ, કેમ અતીત અમૃતભાવથી થતો નથી ? એને કહે છે – મરણભાવનો વિરોધ હોવાથી=મરણ અને અમરણતો આત્યંતિક વિરોધ છે એથી કરીને મરેલો અતીત અમૃતભાવથી થતો નથી એમ અત્રય છે. ભાવાર્થ ભગવાન ભવરૂપી સમુદ્રથી તરેલા છે અને તારનારા છે. કઈ રીતે ભગવાન ભવરૂપી સમુદ્રથી તર્યા છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ તિસાણં તારયાણ ભગવાનને સંસારના વાસ્તવિક સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું, સંસારથી પર અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તેવો સ્પષ્ટ બોધ થયો અને સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય જિનવચનાનુસાર અપ્રમાદભાવથી કરાયેલો યત્ન છે તેવું જ્ઞાન થયું અને તેનું જ્ઞાન થવાથી સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિ માટે મારે જિનવચનાનુસાર અપ્રમાદભાવથી યત્ન કરવો જોઈએ, તેવી ઉત્કટ રુચિરૂપ સમ્યગ્દર્શન થયું અને તે તે ભવમાં પ્રાપ્ત થયેલી પોતાની શક્તિના પ્રકર્ષથી જિનવચનને સેવીને વિતરાગતુલ્ય થવા માટેના અંતરંગ અને બહિરંગ ઉચિત યત્નરૂપ ચારિત્રનું સેવન કર્યું, તે રૂ૫ રત્નત્રયી સ્વરૂપ નાવથી ભગવાન ભવસમુદ્રને તર્યા, તેથી તીર્ણ છે અને તર્યા પછી યોગ્ય જીવોને ઉચિત અનુશાસન આપીને તારનારા છે, તેવા ભગવાનને પ્રસ્તુત સૂત્રથી નમસ્કાર કરાય છે. વળી, આવર્તકાલ કારણવાદી મતનો નિરાસ કરતાં કહે છે – તીર્ણ એવા ભગવાનને જીવિતના આવર્તની જેમ ફરી ભવનો આવર્ત નથી અર્થાત્ જેમ સંસારી જીવોને નર-નારકાદિ ભવોમાં તે તે નરનારકાદિ પર્યાયથી જીવિત છે, તે ફરી તેવું જ આયુષ્ય બાંધે છે ત્યારે તેનું જીવિત આવર્ત પામે છે, તેમ ભગવાન સંસારસમુદ્રથી કરીને મોક્ષમાં ગયા પછી ફરી ભવના આવર્તન પામતા નથી; કેમ કે ફરી ભવમાં આવવાના કારણનો અભાવ છે. કેમ ફરી ભવમાં આવવાના કારણનો અભાવ છે ? તે બતાવતાં કહે છે – સંસારી જીવોને આયુષ્કાતર કારણ વિદ્યમાન હોય છે, તેથી વર્તમાનના ભવના ક્ષય પછી આયુષ્કાંતરને અનુરૂપ ભવને પ્રાપ્ત કરે છે, પરંતુ તીર્ણ એવા ભગવાનને ક્ષીણ એવા ભવના અધિકારથી અન્ય ભવનો અધિકાર નથી, તેથી ભગવાન ફરી ભવમાં આવતા નથી અથવા ભગવાનનો સંસાર ક્ષય થાય છે ત્યારે ભગવાનને આયુષ્પાંતર નથી, તેથી નવા ભવમાં જન્મતા નથી, પરંતુ મુક્ત થાય છે, મુક્ત થયા પછી ભગવાનને અન્ય ભવનો અધિકાર પણ વિદ્યમાન નથી, તેથી જેમ અન્ય ભવનું આયુષ્ય ન હતું, તેથી મુક્ત થયા તેમ ભવનો અધિકાર ક્ષીણ થયો હોવાથી અન્ય ભવનો અધિકાર વિદ્યમાન નથી, તેથી ફરી સંસારમાં જન્મવારૂપે આવર્ત પામતા નથી, આ કથનને જ સ્પષ્ટ કરવા માટે કહે છે – જો સંસારસાગરથી તર્યા પછી ભગવાનને અન્ય આયુષ્ય વિદ્યમાન હોય તો મુક્તિની સિદ્ધિ થઈ શકે નહિ, જેમ અત્યંત મરણ ત્યારે જ સિદ્ધ થાય કે સર્વ પ્રકારે જીવિતનો ક્ષય થાય, તેમ મુક્તિની સિદ્ધિ ત્યારે જ થઈ શકે કે આયુષ્પાંતર ન હોય અને ભવનો અધિકારાંતર પણ ન હોય, આ કથનને જ દૃઢ કરવા વ્યતિરેકથી કહે છે – અત્યંત મરણની કે મુક્તિની સિદ્ધિ થયે છતે આયુષ્કાંતરથી સાધ્ય એવા ભવની પરિણતિનો અભાવ છે અને ભવાધિકારાંતરથી સાધ્ય એવા ભવની પરિણતિનો અભાવ છે; કેમ કે હેતુનો અભાવ છે=આયુષ્પાંતર કે ભવાધિકારતરરૂપ હેતુનો અભાવ છે, આ જ કથનને સદશ દષ્ટાંતથી ભાવન કરે છે – કોઈ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે પૂર્વમાં જે મનુષ્યભવરૂપે વિદ્યમાન હતો તે રૂપે ફરી ક્યારેય થતો નથી, પરંતુ તત્સદશ આયુષ્ય બાંધ્યું હોય તો તત્સદશ અન્ય મનુષ્યભવરૂપે થાય છે, પરંતુ પૂર્વના મનુષ્યભવરૂપે પરિવર્તન પામતો નથી; કેમ કે ફરી પૂર્વના મનુષ્યભવરૂપે થાય છે તેમ સ્વીકારીએ તો પૂર્વમાં મનુષ્યભવમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ લલિતવિસ્તા ભાગ-૨ મરણ પામી અને ફરી તે અતીત મનુષ્યભવને પામ્યો એમ કહેવાથી મરણ અને અમરણનો આત્યંતિક વિરોધ પ્રાપ્ત થાય અર્થાત્ તે મનુષ્યભવરૂપે મર્યો અને પૂર્વનો મનુષ્યભવ ફરી પ્રાપ્ત થયો, માટે મર્યો નથી તેમ વિરોધ પ્રાપ્ત થાય, માટે જે કોઈ મરે છે તે ફરી પૂર્વની અવસ્થા પામે છે તેમ કહી શકાય નહિ, તેમ ભગવાનને પૂર્વમાં જે ભવનો અધિકાર હતો તે ફરી પરાવર્તન થાય છે તેમ કહી શકાય નહિ અને તત્સદશ અન્ય ભવ ભગવાનને પ્રાપ્ત થતો નથી; કેમ કે ભગવાને અન્ય ભવની પ્રાપ્તિનાં કારણોનો ક્ષય કર્યો છે, માટે ભગવાન તીર્ણ છે. લલિતવિસ્તરા : एतेन ऋत्त्वावर्त्तनिदर्शनं प्रत्युक्तं, न्यायानुपपत्तेः, तदावृत्तौ तदवस्थाभावेन परिणामान्तरायोगात्, अन्यथा तस्यावृत्तिरित्ययुक्तं, तस्य तदवस्थानिबन्धनत्वात्, अन्यथा तदहेतुकत्वोपपत्तेः, एवं न मुक्तः पुनर्भवे भवति मुक्तत्वविरोधात्, सर्वथा भवाधिकारनिवृत्तिरेव मुक्तिरिति, तद्भावेन भावतस्तीर्णादिસિદ્ધિા૨૮ાા લલિતવિસ્તરાર્થ: આના દ્વારા=મરેલાનો પૂર્વના અમૃતભાવ સાથે વિરોધ છે એના દ્વારા, ઋતુના આવર્તનું દષ્ટાંત કાલને જ કારણ સ્વીકારનારા સ્વમતને સ્થાપન કરવા માટે ઋતુના આવર્તનું દષ્ટાંત આપે છે તે દષ્ટાંત, પ્રયુક્ત છે; કેમ કે ન્યાયની અનુપપત્તિ છે. તે ન્યાયની અનુપપત્તિ સ્પષ્ટ કરે છે – તેની આવૃત્તિમાં પૂર્વના ભાવની આવૃત્તિમાં, તદવસ્થાભાવથી પરિણામાંતરનો અયોગ છે, અન્યથા=પરિણામાંતર હોતે છતે, તેની આવૃત્તિ=ઋતુની આવૃત્તિ, એ અયુક્ત છે; કેમ કે તેનું= ઋતુનું, તરવસ્થા નિબંધનપણું છે, અન્યથા તદ્ અહેતુકત્વની ઉપપત્તિ છે, એ રીતે==ઋતુના આવર્તનું દષ્ટાંત અનુચિત છે એ રીતે, મુક્ત થયેલો જીવ ફરી ભવમાં થતો નથી; કેમ કે મુક્તત્વનો વિરોધ છે. કેમ મુક્તત્વનો વિરોધ છે? તેથી કહે છે – સર્વથા ભવ અધિકારની નિવૃત્તિ જ મુક્તિ છે એથી તદ્ ભાવને કારણે=સર્વથા ભવ અધિકારની નિવૃત્તિના ભાવને કારણે, ભાવથી તીર્ણાદિની સિદ્ધિ છે=ભગવાનમાં ભાવથી તીર્ણત્વ અને તારકત્વની સિદ્ધિ છે. ll૨૮ll પંજિકા : एतेन=मृतस्यामृतभावप्रतिषेधेन, ऋत्वावर्तनिदर्शनं 'ऋतुर्व्यतीतः परिवर्त्तते पुनः' इति दृष्टान्तः, प्रत्युक्तं= निराकृतं; कुत इत्याह- न्यायानुपपत्तेः, तामेव दर्शयति- तदावृत्तौ-तस्य-ऋतोर्वसन्तादेः, आवृत्तौ-पुनर्भवने, Page #158 -------------------------------------------------------------------------- ________________ તિહાણ તારયાણ ૧૩૫ तदवस्थाभावेन तस्याः-अतीतवसन्तादिऋतुहेतुकायाश्चूतादेरङ्कुरादिकायाः पुरुषस्य च बालकुमारादिकाया अवस्थाया भावेन-प्राप्त्या, परिणामान्तराभावात् स एव प्राक्परिणामः प्राप्नोति नापर इति भावः। विपक्षे बाधामाह- अन्यथा परिणामान्तरे, तदावृत्तिः तस्यः-ऋतोः आवृत्तिः-पुनर्भवनम्, इति एतद्, अयुक्तम् असाम्प्रतं, कुत इत्याह- तस्य-ऋतोः, तदवस्थानिबन्धनत्वात् तस्याः-चूतादेरङ्कुरादिकायाः, अवस्थाया निबन्धनत्वात्, तदवस्थाजननस्वभावो ह्यसौ ऋतुः कथमिवासौ अवस्था तत्सन्निधौ न स्यात्? एतदेव व्यतिरेकत आह- अन्यथा तत्सन्निधानेऽप्यभवने, तदहेतुकत्वोपपत्तेः सः-अतीतऋतुलक्षणो, अहेतुर्यस्याः सा तथा, तद्भावस्तत्त्वं, तदुपपत्तेः; तद्धेतुकाऽसौ न प्राप्नोतीति भावः।।२८।। પંજિકાર્ચ - “ન'. પ્રાનોતીતિ ભાવ: || આતા દ્વારા મૃતના અમૃતભાવના પ્રતિષેધ દ્વારા=જે મરેલો છે તેમાં પૂર્વનો અમૃતભાવ સંભવે નહિ એ કથન દ્વારા, ઋતુ આવર્તનું દષ્ટાંત પ્રત્યુક્ત છે=ગયેલી ઋતુ ફરી પરિવર્તન પામે છે એ દાંત વિરાતિ છે, કયા કારણથી ?=પૂર્વમાં કહેલા દષ્ટાંતથી જગતનું પરિવર્તન કયા કારણથી સ્વીકારી શકાય નહિ? એને કહે છે – ન્યાયની અનુપપતિ હોવાથી ઋતુ પરિવર્તનનું દષ્ટાંત સ્વીકારી શકાય નહિ એમ અવાય છે, તેને જ=ન્યાયની અનુપપતિને જ, બતાવે છે – તેની આવૃત્તિ થયે છતે અર્થાત્ વસંત આદિ ઋતુની ફરી ભવનરૂપ આવૃત્તિ થયે છતે, તદ્દ અવસ્થા ભાવથી તેના અર્થાત્ અતીત વસંત આદિ ઋતુના હેતુવાળી ચૂતાદિની અંકુરાદિ અને પુરુષની બાલકુમારાદિક અવસ્થાના ભાવથી અર્થાત્ પ્રાપ્તિથી, પરિણામાંતરનો અભાવ થવાથી તે જ પૂર્વનો પરિણામ પ્રાપ્ત થાય છે, અપર થાય નહિ જો પૂર્વની જ ઋતુ ફરી પરાવર્તન થતી હોય તો આંબાના વૃક્ષની અંકુરાદિક અવસ્થા પ્રાપ્ત થાય પરંતુ ઉત્તર-ઉત્તરની અવસ્થા પ્રાપ્ત થાય નહિ અને પુરુષની બાલ કે કુમાદિ જે અવસ્થા હોય તે જ અવસ્થા ઉત્તરમાં પ્રાપ્ત થાય અન્ય અવસ્થા પ્રાપ્ત થાય નહિ. વિપક્ષમાં તે જ ભાવ નથી પરંતુ પરિણામાંતરરૂપ ભાવ છે=પૂર્વની ઋતુમાં જે અંકુરાદિ ભાવ હતો કે પુરુષનો બાલાદિ ભાવ હતો તે જ ભાવ નથી પરંતુ પરિણામાંતરરૂપ ભાવ છે, તે પ્રકારના સ્વીકામાં, બાધાને કહે છે – અન્યથા=પરિણામાંતરમાં=સૂતાદિની અંકુરાદિ અવસ્થાના પરિણામાંતરમાં કે પુરુષની બાલ-કુમારાદિ અવસ્થાના પરિણામોતરમાં, તેની આવૃત્તિ તે ઋતુનું ફરી ભવન છે, એ અયુક્ત છે=અસાંપ્રત છે, કયા કારણથી અયુક્ત છે ? એથી કહે છે – તે ઋતુનું તદ્ અવસ્થા તિબંધનપણું હોવાથી=સૂતાદિની અંકુરિકા અવસ્થા, નિબંધનપણું હોવાથી ઋતુની આવૃત્તિ અયુક્ત છે એમ અવથ છે, તદ્ અવસ્થા જનવ સ્વભાવવાળો આ ઋતુ છેઃચૂતાદિની અંકુરાદિ અવસ્થા અને પુરુષની બાલાદિ અવસ્થાના જતન સ્વભાવવાળો આ ઋતુ છે, કેવી રીતે આ અવસ્થા=સૂતાદિની અંકુર અવસ્થા અને પુરુષની બાલાદિ અવસ્થા, તેના સંનિધિમાં ન થાય ?=ઋતુના સંનિધિમાં ન થાય ? અર્થાત્ અવશ્ય થવી જોઈએ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ લલિતવિસ્તરા ભાગ-૨ આને જ=ઋતુના સાંનિધ્યમાં તેના કાર્યરૂપ ચૂતાદિતી અંકુરાદિ અવસ્થા અને પુરુષની બાલાદિ અવસ્થા ફરી થવી જોઈએ એને જ, વ્યતિરેકથી કહે છે – અન્યથા તેના સંવિધાનમાં પણ=ઋતુના સંવિધાનમાં પણ, અભવન હોતે છતે ચૂતાદિની અંકુર અવસ્થાનું અને પુરુષની બાલ-કુમારાદિ અવસ્થાનું અભવન હોતે છતે, તેના અહેતુકત્વની ઉપપત્તિ હોવાથી=અતીત ઋતુ લક્ષણ અહેતુ છે જેવો તે તેવી છે અર્થાત્ ઋતુહેતુક અંકુરો નથી અને ઋતુહેતુક બાલ-કુમારાદિ ભાવ નથી તે રૂપ અહેતુકવવાળા છે તેનો ભાવ તત્વ અર્થાત્ અહેતુકત્વ તેની ઉપપતિ હોવાથી ઋતુહેતુક અંકુરાદિ કે ઋતુહેતુક બાલ-કુમારાદિ ભાવો છે તેમ કહી શકાય નહિ એમ અવાય છે. આ જ કથનને સ્પષ્ટ કરે છે – તહેતુક આ=ઋતુહેતુક અંકુરાદિ અવસ્થા કે ઋતુહેતુક બાલ-કુમારાદિ અવસ્થા, પ્રાપ્ત થતી નથી. એ પ્રકારનો ભાવ છે. ૨૮ ભાવાર્થ પૂર્વમાં યુક્તિથી કહ્યું કે મરેલો જીવ તે ભાવથી ફરી થતો નથી અને જો મરેલો જીવ ફરી તે જ ભાવથી થતો હોય તો મરણના અમરણનો વિરોધ થાય, એ કથન દ્વારા ઋતુ આવર્તનું દૃષ્ટાંત નિરાકરણ કરાયું અર્થાત્ પૂર્વપક્ષી કહે છે કે જેમ છયે ઋતુઓ ફરી ફરી આવર્તન પામે છે, તેમ સંસારી જીવો ચાર ગતિમાં ફરી ફરી આવર્તન પામે છે અને ભવથી મુક્ત થાય છે તે પણ ફરી ભવમાં આવર્તન પામે છે; કેમ કે કાળ જ જગતના સર્વ પદાર્થોનું સતત આવર્તન કરે છે, માટે ઋતુનું દૃષ્ટાંત લઈને પૂર્વપક્ષી ભગવાનને અતીર્થાધિરૂપે સ્વીકારે છે, તેનું નિરાકરણ થાય છે, કેમ કે યુક્તિની અસંગતિ છે અને તે યુક્તિની અસંગતિ જ બતાવે છે – જો તે રીતે ઋતુ ફરી થતી હોય તો તે ઋતુના હેતુથી થનારી ચૂતાદિની અંકુર અવસ્થાની અને પુરુષની બાલ-કુમારાદિ અવસ્થાની પ્રાપ્તિ થવાથી પરિણામાંતરનો અભાવ પ્રાપ્ત થાય અર્થાત્ ચૂતાદિની અંકુર અવસ્થાથી ઉત્તર-ઉત્તરની અવસ્થા થાય નહિ, પરંતુ ફરી ફરી અંકુર અવસ્થા પ્રાપ્ત થાય અને પુરુષની બાલ-કુમારાદિ જે અવસ્થા હોય તે જ ફરી પ્રાપ્ત થાય, પરંતુ ઉત્તર-ઉત્તરની અવસ્થા પ્રાપ્ત થાય નહિ; કેમ કે પૂર્વની ઋતુનું જ કાર્ય ચૂતની અંકુર અવસ્થા હતું અને ફરી તે ઋતુ આવે તો ફરી તે ચૂતનું કાર્ય અંકુર જ પ્રાપ્ત થાય અને પૂર્વની ઋતુનું જ કાર્ય પુરુષની બાલ અવસ્થા હતું, ફરી તેની તે ઋતુ આવે તો તે પુરુષ બાલ અવસ્થાને પ્રાપ્ત કરે, તેથી આંબાનું વૃક્ષ ક્રમસર વિકાસ પામે છે અને પુરુષ ક્રમસર મોટો થાય છે તે સંગત થાય નહિ અને તેની સંગતિ માટે પરિણામાંતર સ્વીકારવામાં આવે અંકુરાદિમાં ક્રમસર પરિણામાંતર થાય છે અને પુરુષ પણ ક્રમસર ઉત્તર-ઉત્તરની અવસ્થાને પામે છે તેમ સ્વીકારવામાં આવે, તો ઋતુની ફરી આવૃત્તિ થાય છે તેમ સ્વીકારવું અયુક્ત છે; કેમ કે પૂર્વની ઋતુ ચૂતની અંકુર અવસ્થાનું કારણ હતું અને પુરુષની બાલ અવસ્થાનું કારણ હતું, હવે તે ઋતુ તે અવસ્થાને ફરી ઉત્પન્ન કરતી નથી, તેથી ઋતુ આવર્તન પામે છે તેમ કહી શકાય નહિ, પરંતુ તત્સદશ અન્ય ઋતુ આવે છે તેમ જ માનવું પડે અને એવું ન માનવામાં આવે તો ઋતુ ચૂતાદિની અંકુર અવસ્થાનું કારણ છે તેમ માની શકાય નહિ, તેથી અંકુર અવસ્થા અને બાલ અવસ્થા ઋતુહેતુક છે તેને ઋતુ-અહેતુકત્વના સ્વીકારની આપત્તિ આવે, માટે ઋતુ પરાવર્તન Page #160 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધાણં બોયાણ ૧૩૭ થાય છે એ દૃષ્ટાંત અસંગત છે, તેથી તત્સદશ અન્ય અન્ય ઋતુઓ આવે છે એમ જ માનવું જોઈએ અને સંસારી જીવો કાલથી પરાવર્તન પામતા નથી, પરંતુ વર્તમાનમાં જે પ્રકારનાં કર્મો કરે છે તે કર્મોને અનુરૂપ તે તે ગતિઓમાં પરાવર્તન પામે છે અને જેઓ ભવના કારણભૂત કર્મનો નાશ કરવા માટે યત્ન કરે છે અને રત્નત્રયીના સેવન દ્વારા કર્મોનો નાશ કરે છે તેઓ ભવથી તીર્ણ છે, તે રીતે મુક્ત થયેલા જીવો ફરી ભવમાં આવતા નથી; કેમ કે મુક્તત્વનો વિરોધ છે. અહીં પ્રશ્ન થાય કે કર્મથી મુક્ત થયા પછી પણ ફરી ભવમાં આવે છે તેમ સ્વીકારીએ તો શું વાંધો? તેથી કહે છે – સર્વથા ભવ અધિકારની નિવૃત્તિ જ મુક્તિ છે, તેથી એ પ્રાપ્ત થાય કે અંતરંગ સંશ્લેષરૂપ પરિણામ અને બાહ્ય કર્મ સાથે સંબંધરૂપ પરિણામ સંસાર છે અને જ્યારે સાધના દ્વારા જીવ વીતરાગ બને છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી યોગનિરોધ કરે છે ત્યારે સર્વ કર્મથી મુક્ત થાય છે, ત્યારપછી બાહ્ય પદાર્થ સાથે સંશ્લેષનો પરિણામ જીવમાં સદા માટે નથી, તેથી તેના કાર્યરૂપ બાહ્ય કર્મ સાથે સંબંધ થતો નથી અને કર્મનો જીવમાં સર્વથા અભાવ હોવાના કારણે ભવના અધિકારની સર્વથા નિવૃત્તિ વર્તે છે, તે જ મુક્તિ છે અને તે ભાવને પામેલા ભગવાન છે, તેથી ભાવથી સંસારથી તર્ણ છે અને યોગ્ય જીવોને ઉચિત અનુશાસન આપીને તારનારા ભગવાન છે, માટે ભગવાનમાં ભાવથી તીર્ણત્વ અને તારકત્વની સિદ્ધિ છે, માટે કાલ જ સંપૂર્ણ જગતનું આવર્તન કરે છે તેમ કહીને ભગવાનને અતીર્ણાદિ સ્વીકારનાર કાલકારણવાદી મતનું નિરાકરણ થાય છે. સંક્ષેપથી એ ફલિત થાય કે ભગવાન ભવસમુદ્રથી તરેલા છે અને તારનારા છે, એ પ્રકારે સ્મરણ કરીને તેઓની સ્તુતિ કરવાથી ભગવાનના તે ગુણ પ્રત્યે રાગ વૃદ્ધિ પામે છે, તેથી તે તે ગુણ પ્રત્યેના રાગના ઉપયોગથી તે ગુણની પ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મોનો ક્ષય થાય છે, તેથી તિજ્ઞાણે તારયાણ શબ્દથી સ્તવના કરનાર મહાત્માના ચિત્તમાં ભગવાનના તે ગુણજન્ય જે પ્રકારનો રોગ થાય છે તેને અનુરૂપ તેનો સંસાર અલ્પ અલ્પતર થાય છે અને ઉપયોગશૂન્ય બોલવાથી તે પ્રકારનો કોઈ રાગભાવ ન થાય તો તે ગુણને અભિમુખ વીર્ય ઉલ્લસિત થાય નહિ, તેથી તે પ્રકારની નિર્જરાની પ્રાપ્તિ પણ થાય નહિ, માટે નિર્જરા દ્વારા સંસારલયના અર્થીએ ભગવાનના તરણ અને તારણ સ્વરૂપને અત્યંત ભાવન કરીને તે ભાવ પ્રત્યે રાગવૃદ્ધિ થાય તેવો યત્ન પ્રસ્તુત સૂત્રથી કરવો જોઈએ, જે પ્રસ્તુત સૂત્રનું તાત્પર્ય છે. l૨૮ના અવતરણિકા: एतेऽपि परोक्षज्ञानवादिभिर्मीमांसकभेदैर्नीत्या अबुद्धादय एवेष्यन्ते, 'अप्रत्यक्षा च नो बुद्धिः, प्रत्यक्षोऽर्थः' इति वचनाद्, एतद्व्यवच्छेदार्थमाह - અવતરણિકાર્ય :મીમાંસકના એક ભેદ એવા પરોક્ષજ્ઞાનવાદી વડે નીતિથી યુક્તિથી, આ પણ=ભગવાન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ લલિતવિસ્તરા ભાગ-૨ પણ, અબુદ્ધાદિ જ ઇચ્છાય છે; કેમ કે અપ્રત્યક્ષ અમારી બુદ્ધિ છે અને પ્રત્યક્ષ અર્થ છે, એ પ્રકારનું વચન છે, એના વ્યવચ્છેદ માટે=મીમાંસકમતના વ્યવચ્છેદ માટે, કહે છે = ભાવાર્થ: સ્યાદ્વાદી જ્ઞાનને સ્વ-પર પ્રકાશક માને છે, તેથી જ્ઞાન જ્ઞેય વસ્તુનું પ્રકાશન કરે છે, માટે જ્ઞાન પરપ્રકાશક છે અને જ્ઞાન કરનાર પુરુષને જ્ઞાન સ્વસંવેદિત થાય છે, માટે સ્વપ્રકાશક છે તેમ કહે છે, પરંતુ એકાંતવાદીઓમાંથી કેટલાક જ્ઞાનને સ્વસંવેદિત માને છે અને કેટલાક પરસંવેદિત માને છે, તેમાંથી જ્ઞાનને સ્વસંવેદિત માનનારા બૌદ્ધદર્શનવાદીઓ છે અને જ્ઞાનને ૫૨સંવેદિત માનનારો મીમાંસકોનો કોઈક ભેદ છે, તે મીમાંસકો કહે છે કે બોધ કરનારની પોતાની બુદ્ધિ અપ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ અર્થ છે, તેમાં યુક્તિ આપે છે કે ઇન્દ્રિયોથી દેખાતા ઘટ-પટાદિ અર્થો પ્રત્યક્ષ છે અને તેનું પ્રત્યક્ષ થયા પછી તે ઘટ જ્ઞાત થવાને કારણે પોતાને ઘટનું જ્ઞાન થયું છે તેમ અનુમાન કરાય છે; કેમ કે ઘટનું જ્ઞાન થયું ન હોય તો ઘટ જ્ઞાત બને નહિ અને દેખાતો ઘટ મારાથી જ્ઞાત છે, માટે મને ઘટનું જ્ઞાન થયું છે તેમ ઉત્તરમાં અનુમાન થાય છે, માટે જ્ઞાન પરોક્ષ છે તેમ કહીને ભગવાન પણ બોધવાળા નથી, પરંતુ અબોધવાળા છે તેમ કહે છે, તેનું નિરાકરણ ક૨વા માટે પ્રસ્તુત સૂત્રમાં કહે છે - સૂત્રઃ બુદ્ધાળું-વોદયાળ ।।૨૬।। સૂત્રાર્થ : બોધ પામેલા બોધ પમાડનારા ભગવાનને નમસ્કાર થાઓ. [૨૯] લલિતવિસ્તરા : 'बुद्धेभ्यः बोधकेभ्यः' । अज्ञाननिद्राप्रसुप्ते जगत्यपरोपदेशेन जीवाजीवादिरूपं तत्त्वं बुद्धवन्तो बुद्धाः, स्वसंविदितेन ज्ञानेन, अन्यथा बोधायोगात् । લલિતવિસ્તરાર્થ : બોધ પામેલા બોધ કરાવનારા ભગવાન છે, અજ્ઞાનનિદ્રાથી સૂતેલા જગતમાં=સંસારી જીવો પદાર્થને વાસ્તવિક જોવામાં અજ્ઞાનવાળા છે તે રૂપ નિદ્રાથી જગત સૂતેલું છે તે જગતમાં, અપરોપદેશથી=બીજાના ઉપદેશ વગર, જીવાજીવાદિરૂપ તત્ત્વના સ્વસંવેદિત જ્ઞાનથી બોઘવાળા ભગવાન છે, તેથી બુદ્ધ છે; કેમ કે અન્યથા=સ્વસંવેદિત જ્ઞાન ન હોય તો, બોધનો અયોગ છે. પંજિકા ઃ 'अन्यथा बोधे 'त्यादि, अन्यथा - अस्वसंविदितत्वे बुद्धेः, बोधायोगात् = जीवादितत्त्वस्य संवेदनायोगात् । Page #162 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધાણં બોહયાણં પંજિકાર્ય : ૧૩૯ 'अन्यथा • સંવેદ્દનાયોશાત્ ।। અન્યથા ઘોષેત્પાદ્દિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – અન્યથા=બુદ્ધિનું અસંવેદિતપણું હોતે છતે, બોધનો અયોગ હોવાથી=જીવાદિ તત્ત્વના સંવેદનનો અયોગ હોવાથી ભગવાન બોધવાળા થાય નહિ એમ અન્વય છે. ભાવાર્થ: ભગવાન બોધવાળા છે તેમ કહેવાથી મીમાંસક મતનું નિરાકરણ થાય છે. કેમ ભગવાન બોધવાળા છે તે બતાવતાં કહે છે જગતના જીવો અજ્ઞાનનિદ્રાથી ઊંઘે છે, તેથી બોધવાળા નથી તેવા જગતમાં ભગવાન ચરમભવમાં જન્મે છે ત્યારે કોઈના ઉપદેશ વગર સ્વસંવેદિત જ્ઞાનથી જીવાદિ સાત તત્ત્વોનો યથાર્થ બોધ કરે છે; કેમ કે જેમ સંસારી જીવોને ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થનો બોધ સ્વસંવેદનથી થાય છે તેમ ભગવાન નિર્મળ મતિવાળા હોવાથી મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત જીવાજીવાદિ સાત તત્ત્વોનું જે પ્રકારનું સ્વરૂપ છે તે સ્વરૂપે જ સ્વસંવેદનથી યથાર્થ બોધ થાય છે, તેથી ભગવાન બુદ્ધ છે. - અહીં પ્રશ્ન થાય કે બુદ્ધિ સ્વસંવેદિત નથી, પરંતુ અનુમાનથી બુદ્ધિના સંવેદનનો નિર્ણય થાય છે, તેથી ભગવાનને જે બોધ છે તે સ્વસંવેદિત છે એમ કેમ કહી શકાય ? તેમ મીમાંસક કહે, એના નિરાકરણ માટે કહે છે. -- બુદ્ધિનું અસંવેદિતપણું સ્વીકારવામાં આવે તો જીવાદિ તત્ત્વોનું ભગવાનને જે સંવેદન થાય છે તેનો અયોગ પ્રાપ્ત થાય અને જો ભગવાનને જીવાદિ તત્ત્વોનું યથાર્થ સંવેદન ન હોય તો સંસારના ઉચ્છેદ માટે યત્ન કરી શકે નહિ, માટે બુદ્ધિને સ્વસંવેદિત માનવી જોઈએ; કેમ કે ભગવાનને જીવાદિ તત્ત્વોનું સ્વસંવેદન હોવાથી જ પરના ઉપદેશ વગર સંસારના ઉચ્છેદ માટે યત્ન કરી શક્યા. લલિતવિસ્તરા ઃ नास्वसंविदिताया बुद्धेरवगमे कश्चिदुपायः, अनुमानादिबुद्धेरविषयत्वात्, न ज्ञानव्यक्तिर्विषयः, तदा तदसत्त्वात्; न तत्सामान्यं तदात्मकत्वात्, न च व्यक्त्यग्रहे तद्ग्रह इत्यपि चिन्त्यम् । લલિતવિસ્તરાર્થ : અસ્વસંવિદિત એવી બુદ્ધિના અવગમમાં=નિર્ણયમાં, કોઈ ઉપાય નથી; કેમ કે અનુમાન આદિ બુદ્ધિનું અવિષયપણું છે, જ્ઞાનવ્યક્તિ વિષય નથી=વસ્તુનું પ્રત્યક્ષ થયા પછી જે અનુમાન કરાય છે તે અનુમાનનો વિષય પૂર્વની જ્ઞાનવ્યક્તિ નથી; કેમ કે ત્યારે=અનુમાન આદિ કાળમાં, તેનું અસત્ત્વ છે, તેનો સામાન્ય વિષય નથી=અનુમાનનો પૂર્વનું જ્ઞાન સામાન્ય વિષય નથી; કેમ કે તદાત્મકપણું છે=પૂર્વના જ્ઞાનવ્યકત્યાત્મક જ સામાન્ય છે, અને વ્યક્તિના અગ્રહમાં=પૂર્વના જ્ઞાનરૂપ વ્યક્તિના અગ્રહમાં, તેનો ગ્રહ નથી તે જ્ઞાનમાં વર્તતા સામાન્યનો ગ્રહ નથી, એ પણ ચિંત્ય છે=પરિભાવન કરવા જેવું છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ લલિતવિના ભાગર પંજિકા - स्याद् वक्तव्यं 'बुद्ध्यन्तरेण बुद्धिसंवेदने प्रकृतिसद्धिर्भविष्यती'त्याशङ्क्याहनास्वसंविदिताया बुद्धेः प्रत्यक्षादिरूपायाः, अवगमे कश्चिदुपायः=बुद्ध्यन्तरलक्षणः, कुत इत्याहअनुमानादिबुद्धरविषयत्वाद्-अनुमानागमादिबुद्ध्यन्तरस्य तत्राप्रवृत्तेः एतदेव भावयति- न ज्ञानव्यक्तिः= प्रतिनियतबहिरर्थग्राहिका प्रत्यक्षादिरूपा, अनुमानादिबुद्धेः विषयः ग्राह्यः; कुत इत्याह- तदा-अनुमानादिबुद्धिकाले, तदसत्त्वात् तस्या-ज्ञानव्यक्तेाह्यरूपाया असत्त्वात्, योगपद्येन ज्ञानद्वयस्यानभ्युपगमात्, तर्हि तत्सामान्यं विषयो भविष्यतीत्याह- न तत्सामान्यं न प्रत्यक्षादिव्यक्तिसामान्यं, विषय इत्यनुवर्तते, कुत इत्याह- तदात्मकत्वात् व्यक्तिरूपज्ञानस्वभावत्वात् सामान्यस्य, व्यक्त्यभावे तदभावात्। अभ्युच्चयमाह- न च-नैव, व्यक्त्यग्रहे, व्यक्ती-तदाधारभूतायामपरिच्छिद्यमानायां, तद्ग्रहः-सामान्यग्रहः, कथञ्चिद् व्यक्तिभ्यो भेदाभ्युपगमेऽपि, इत्यपि-एतदपि, न केवलं व्यक्त्यभावे सामान्याभावः किन्तु व्यक्त्यग्रहे न च तद्ग्रहः इति ‘अपि' शब्दार्थः, चिन्त्यं-परिभाव्यं, वृक्षादिविशेषप्रमेयेषु इत्थमेव दर्शनात्। પંજિકાર્ય : ચાલ્વટ્ય સ્થવ સર્જનાત્ વક્તવ્ય થાય=આ પ્રમાણે મીમાંસકનું વક્તવ્ય થાય, બુદ્ધિ અંતરથી બુદ્ધિનું સંવેદન હોતે છતે=ણેયનું પ્રત્યક્ષ થયા પછી અન્ય બુદ્ધિ દ્વારા બુદ્ધિનું સંવેદન થયે છત, પ્રકૃતિની સિદ્ધિ થશે મને બોધ છે એ પ્રકારે પ્રકૃતિની સિદ્ધિ થશે, એ પ્રકારની આશંકા કરીને કહે છે=મીમાંસકના મતાનુસાર આશંકા કરીને કહે છે – અસ્વસંવિદિત એવી પ્રત્યક્ષરૂપ બુદ્ધિના અવગમમાં કોઈ ઉપાય નથી=બીજી બુદ્ધિરૂપ કોઈ ઉપાય નથી, કેમ ? એથી કહે છે–પૂર્વની બુદ્ધિનો ઉત્તરની બુદ્ધિથી બોધ થાય છે તેમ કેમ ન સ્વીકારી શકાય? એથી કહે છે – અનુમાનાદિ બુદ્ધિનું અવિષયપણું હોવાથી=અનુમાન-આગમાદિ બુદ્ધિ અંતરની ત્યાં અર્થાત્ પ્રત્યક્ષાદિરૂપ બુદ્ધિના નિર્ણયમાં અપ્રવૃત્તિ હોવાથી, પૂર્વની બુદ્ધિનો નિર્ણય કરવાનો કોઈ ઉપાય નથી, આને જ ભાવન કરે છે–પ્રત્યક્ષાદિ બુદ્ધિ અનુમાનાદિ બુદ્ધિનો અવિષય છે એને જ ભાવન કરે છે – જ્ઞાન વ્યક્તિ વિષય નથી=પ્રતિબિયત બાહ્ય અર્થને ગ્રહણ કરનારી પ્રત્યક્ષાદિ રૂપ જ્ઞાન વ્યક્તિ અનુમાનાદિ બુદ્ધિથી ગ્રાહ્ય નથી, કેમ અનુમાનાદિ બુદ્ધિથી પ્રત્યક્ષાદિ રૂપ બુદ્ધિ ગ્રાહ્ય નથી? એથી કહે છે – ત્યારે અનુમાનાદિ બુદ્ધિકાળમાં, તેનું અસત્વ હોવાથી ગ્રાહ્યરૂપવાળી તે જ્ઞાનવ્યક્તિનું અસત્વ હોવાથી, અનુમાનાદિ બુદ્ધિનો વિષય પૂર્વની બુદ્ધિ નથી; કેમ કે યુગપથી જ્ઞાનયમો અલભ્યપગમ છે તો તેનો સામાન્ય વિષય થશેaઉત્તરમાં કરાતા અનુમાનનો સામાન્ય વિષય થશે, એથી કહે છે – તે સામાન્ય નથી=પ્રત્યક્ષાદિ વ્યક્તિ સામાન્ય વિષય નથી, વિષય એ પ્રકારે અનુવર્તન પામે છે પૂર્વમાં જ્ઞાનવ્યક્તિ વિષય નથી એમ કહ્યું ત્યાં રહેલો વિષય શબ્દ તત્સામાન્ય પછી અનુવર્તન પામે છે, કયા કારણથી ?=કયા કારણથી તેનો સામાન્ય વિષય નથી? તેમાં હેતુ કહે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧ બુદ્ધાણં બોહવાણ છે – તદાત્મકપણું છે–સામાન્યનું વ્યક્તિરૂપ જ્ઞાનસ્વભાવપણું છે. અહીં પ્રશ્ન થાય કે વ્યક્તિરૂપ જ્ઞાનસ્વભાવપણું હોવાને કારણે પૂર્વના જ્ઞાનનું સામાન્ય અનુમાનાદિનો વિષય કેમ નથી ? એમાં હેતુ કહે છે – વ્યક્તિના અભાવમાં=જ્ઞાનરૂપ વ્યક્તિના અભાવમાં, તેનો અભાવ છે=સામાન્યનો અભાવ છે. અબ્યુચ્ચયને કહે છે–એ કથનને જ દઢ કરવા માટે કહે છે – વ્યક્તિના અગ્રહમાં તેના આધારભૂત અપરિચ્છિવમાન વ્યક્તિમાં સામાવ્યના આધારભૂત અજ્ઞાત એવી વ્યક્તિમાં, તેનો ગ્રહ=સામાનો ગ્રહ, નથી જ, કોઈક રીતે વ્યક્તિથી ભેદનો સ્વીકાર કરાયે છતે પણ=વિશેષરૂપ વ્યક્તિથી સામાન્યરૂપ વ્યક્તિનો ભેદ સ્વીકાર કરાયે છતે પણ, સામાન્યનો ગ્રહ નથી એમ અવય છે, કેવલ વ્યક્તિના અભાવમાં સામાન્યનો અભાવ નથી, પરંતુ વ્યક્તિના ગ્રહમાં તેનો ગ્રહ નથી, એ ગાર શબ્દનો અર્થ છે, આ પણ ચિંતન કરવું જોઈએ=પરિભાવિત કરવું જોઈએ; કેમ કે વૃક્ષાદિ વિશેષ પ્રમેયમાં આ રીતે જ વૃક્ષાદિ વિશેષ હોતે છતે સામાન્યનું ગ્રહણ થાય છે એ રીતે જ, દર્શન છે. ભાવાર્થ મીમાંસકો માને છે કે બાહ્ય પદાર્થ ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે તે પ્રત્યક્ષ છે, તેથી ચક્ષુથી ઘટને જોવાથી જોનાર પુરુષને ઘટ પ્રત્યક્ષ દેખાય છે, ત્યારપછી તેને જણાય છે કે મા ધટો જ્ઞાતઃ તેથી જ્ઞાત ઘટને જોઈને તે અનુમાન કરે છે કે મને ઘટનું જ્ઞાન થયેલું, તેથી ઘટનું જ્ઞાન પરોક્ષ છે અને ઘટ પ્રત્યક્ષ છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અસ્વસંવિદિત એવી બુદ્ધિના અવગમમાં કોઈ ઉપાય નથી, કેમ કે અસ્વસંવિદિત બુદ્ધિ અનુમાનાદિ બુદ્ધિનો અવિષય છે અર્થાતુ જ્યારે ઘટ પ્રત્યક્ષ થયો ત્યારે બોધ કરનારને સ્વસંવિદિત બુદ્ધિ ન હોય તો જ્ઞાત ઘટના બળથી બુદ્ધિનો નિર્ણય થઈ શકે નહિ; કેમ કે પૂર્વની બુદ્ધિ અનુમાનાદિનો વિષય નથી. કેમ પૂર્વની જ્ઞાન વ્યક્તિ અનુમાનાદિનો વિષય નથી ? તેમાં યુક્તિ બતાવે છે – જ્યારે અનુમાન કરે છે ત્યારે પૂર્વની જ્ઞાનરૂપ વ્યક્તિનું અસત્ત્વ છે. કેમ પૂર્વની જ્ઞાનવ્યક્તિનું અસત્ત્વ છે? તેથી કહે છે – એક સાથે બે જ્ઞાનનો અસ્વીકાર છે અર્થાત્ બોધ કરનાર પુરુષને એક કાળમાં બે જ્ઞાનનો ઉપયોગ હોઈ શકે નહિ, તેથી પૂર્વનું જ્ઞાન જ્યારે હતું ત્યારે અનુમાનનું જ્ઞાન નથી અને જ્યારે અનુમાન કરે છે ત્યારે પૂર્વનું જ્ઞાન વિદ્યમાન નથી, તેથી અવિદ્યમાન એવા જ્ઞાનનું અનુમાન પાછળથી થઈ શકે નહિ, અહીં મીમાંસક કહે કે અનુમાનકાળમાં પૂર્વનું જ્ઞાન અવિદ્યમાન હોવા છતાં અનુમાનથી પૂર્વના જ્ઞાનનો બોધ સામાન્યથી થશે, તેથી જ્ઞાત ઘટને જોઈને પૂર્વમાં મને ઘટનું જ્ઞાન હતું તેમ અનુમાન થઈ શકશે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અનુમાન દ્વારા પૂર્વની જ્ઞાનવ્યક્તિનો સામાન્યરૂપે પણ બોધ થઈ શકે નહિ; કેમ કે સામાન્યનું વિશેષાત્મકપણું છે અને જ્ઞાનરૂ૫ વ્યક્તિવિશેષનું અગ્રહણ થાય તો તેમાં રહેલ સામાન્યનું પણ ગ્રહણ થઈ શકે નહિ, જેમ આંબો, લીમડો આદિ પ્રમેય એવા વૃક્ષવિશેષ કોઈ પણ વિદ્યમાન ન હોય તો તે સર્વમાં વર્તતું વૃક્ષત્વ સામાન્ય Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ લલિતવિસ્તરા ભાગ-૨ પણ દેખાતું નથી, તેથી નક્કી થાય કે વિશેષ વિદ્યમાન હોય તો તેમાં વર્તતા સામાન્યનો બોધ થઈ શકે અને ઘટનું પ્રત્યક્ષ થયા પછી જ્ઞાત ઘટને જોઈને મને ઘટનું જ્ઞાન થયું છે તેવો બોધ ઉત્તરમાં કરવો હોય તો તે જ્ઞાનવિશેષ વિદ્યમાન હોય તો જ તેમાં વર્તતા સામાન્યનો બોધ થઈ શકે, પરંતુ જે જ્ઞાનવિશેષનું પોતાને સંવેદન જ નથી તેનો સામાન્યથી પણ બોધ થઈ શકે નહિ, જેમ કોઈ વૃક્ષવિશેષનો જેને ક્યારેય બોધ થયો ન હોય તેને તે સર્વ વૃક્ષવિશેષમાં વર્તતા વૃક્ષ સામાન્યનો બોધ થઈ શકે નહિ. એથી મીમાંસક બુદ્ધિને અસ્વસંવિદિત સ્વીકારીને તે બુદ્ધિનો અનુમાનની બુદ્ધિથી કે આગમની બુદ્ધિથી બોધ થાય છે તેમ માને તે અસંગત છે, માટે બોધને સ્વસંવિદિત જ માનવો જોઈએ અને ભગવાન સ્વસંવિદિત જ્ઞાનના બળથી જ જીવાદિ તત્ત્વના બોધના સ્વરૂપવાળા હતા, માટે બુદ્ધ હતા તેમ માનવું જોઈએ. લલિતવિસ્તરા : नार्थप्रत्यक्षता लिङ्ग, यत् प्रत्यक्षपरिच्छेद्योऽर्थ एवार्थप्रत्यक्षता, प्रत्यक्षकर्मरूपतामापत्रोऽर्थ एव, न चेयमस्य विशिष्टावस्था विशेषणाप्रतीतौ प्रतीयत इति परिभावनीयम्। લલિતવિસ્તરાર્થ - અર્થપ્રત્યક્ષતા લિંગ નથી ઘટનું જ્ઞાન થાય છે ત્યારે અર્થમાં રહેલી પ્રત્યક્ષતા પરોક્ષ એવા ઘટના જ્ઞાનનું લિંગ નથી, જે કારણથી પ્રત્યક્ષથી પરિચ્છેદ્ય અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે. તે અર્થપ્રત્યક્ષતાને જ સ્પષ્ટ કરે છે – પ્રત્યક્ષજ્ઞાનની કર્મરૂપતાને પામેલો ઘટાદિ અર્થ જ છે અને આની અર્થની, આ વિશિષ્ટ અવસ્થા=પ્રત્યક્ષજ્ઞાનના વિષયરૂપ વિશિષ્ટ અવસ્થા, વિશેષણની અપ્રતીતિમાં=પ્રત્યક્ષજ્ઞાનરૂપ વિશેષણની અપ્રતીતિમાં, પ્રતીત થતી નથી એ પ્રમાણે પરિભાવન કરવું જોઈએ. પંજિકા : किञ्च साध्याविनाभाविनो लिङ्गानिश्चितात् साध्यनिश्चायकमनुमानं, न चात्र तथाविधं लिङ्गमस्ति, तथा चाह न=नैव, अर्थप्रत्यक्षता=लिङ्गान्तरासम्भवेनापरैलिंगतया कल्पिता वक्ष्यमाणरूपा-अर्थप्रत्यक्षता, लिङ्गहेतुर्बुद्धिग्राहकानुमानस्य, कुत इत्याह- यद्-यस्मात्, प्रत्यक्षपरिच्छेद्योऽर्थ एव, न तु तत्परिच्छेदोऽपि, अर्थप्रत्यक्षता लिङ्गमभिमता, एतदेव स्पष्टयति- प्रत्यक्षकर्मरूपतां प्रत्यक्षस्य-इन्द्रियज्ञानस्य, कर्मरूपतांविषयताम्, आपन्नोऽर्थ एव, न तु तद्व्यतिरिक्तं किञ्चित्, यदि नामैवं ततः किमित्याह- 'न च' इयं प्रत्यक्षता, अस्य अर्थस्य, विशिष्टावस्था प्रत्यक्षज्ञानविषयभावपरिणतिरूपा, विशेषणाप्रतीतौ विशेषणस्य-प्रत्यक्षज्ञानस्य, अप्रतीतौ-असंवेदने, प्रतीयते निश्चीयते, इति परिभावनीयम्, न हि प्रदीपादिप्रकाशाप्रतीतौ तत्प्रकाशितघटादिप्रतीतिरुपलभ्यते, न चान्वयव्यतिरेकाभ्यामनिश्चिताद्धेतोः साध्यप्रतीतिरिति। Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ બુદ્ધાણં બોહયાણ પંજિકાર્ય : વિશ્વ સાળાવનામાવિનો સાર્થકતનિશિક્તિ . વળી, સાધ્યની સાથે અવિનાભાવી એવા નિશ્ચિત લિંગથી સાધ્ય નિશ્ચાયક અનુમાન થાય છે=પર્વતો વહિન વન વિના ધૂમાનુષ એ પ્રકારના અનુમાનમાં વહ્નિ રૂપ સાધ્યની સાથે અવિનાભાવી એવા પ્રત્યક્ષથી નિશ્ચિત બૂમરૂપ લિંગથી વર્તિમાન પર્વત છે એ પ્રકારનું સાધ્ય નિશ્ચાયક અનુમાન થાય છે, અને અહીં મીમાંસક પદાર્થનું પ્રત્યક્ષ થયા પછી અનુમાન દ્વારા તે પદાર્થના જ્ઞાનનો નિર્ણય કરે છે એમાં, તેવા પ્રકારનું લિંગ નથી અને તે પ્રકારે કહે છે=મીમાંસકતા અનુમાનમાં તેવા પ્રકારનું લિંગ નથી એ પ્રકારે લલિતવિસ્તરામાં કહે છે – અર્થપ્રત્યક્ષતા લિંગ નથી જ=લિંગાંતરનો અસંભવ હોવાને કારણે અર્થાત્ પ્રત્યક્ષતાથી અન્ય કોઈ લિંગ દ્વારા પૂર્વના જ્ઞાનનું અનુમાન કરવા માટે લિંગાંતર નહિ હોવાને કારણે, અપર વડે લિંગપણાથી કલ્પિત વસ્થમાણરૂપ અર્થપ્રત્યક્ષતા બુદ્ધિગ્રાહક અનુમાનનો હેતુ નથી જ=મીમાંસક વડે વસ્થમાણરૂપ અર્થપ્રત્યક્ષતા લિંગાણારૂપે કલ્પિત છે અર્થાત્ ઘટ પ્રત્યક્ષ છે તેમાં રહેલી અર્થપ્રત્યક્ષતા ઘટતું મને જ્ઞાન છે, તેના લિંગાણારૂપે કલ્પિત છે પરંતુ ઘટના જ્ઞાનરૂપ બુદ્ધિના ગ્રાહક એવા અનુમાનનું લિંગ એ અર્થપ્રત્યક્ષતા નથી; એમ ગ્રંથકારશ્રી કહે છે, કેમ ? એથી કહે છેઃઅર્થપ્રત્યક્ષતા લિંગ કેમ નથી ? એથી કહે છે – જે કારણથી પ્રત્યક્ષ પરિચ્છેદ્ય અર્થ જ અર્થ-પ્રત્યક્ષતા લિંગ તમને અભિમત છે, પરંતુ તેનો પરિચ્છેદ પણ નહિ–અર્થનું જ્ઞાન પણ નહિ, એને જ=પ્રત્યક્ષથી પરિચ્છેદ્ય અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે માટે અર્થપ્રત્યક્ષતા લિંગ નથી એમ પૂર્વમાં કહ્યું એને જ સ્પષ્ટ કરે છે – પ્રત્યક્ષની કર્મરૂપતાને પામેલો અર્થ જ છે=પ્રત્યક્ષ એવા ઈન્દ્રિય જ્ઞાનની વિષયતાને પામેલો અર્થ જ છે, પરંતુ તેનાથી વ્યતિરિક્ત કંઈ નથી, જો આ પ્રમાણે છેઃપ્રત્યક્ષની કર્મરૂપતાને પામેલો અર્થ છે એ પ્રમાણે છે, તેનાથી શું?=તેનાથી શું સિદ્ધ થાય ? એથી કહે છે – આની=અર્થતી, આ વિશિષ્ટ અવસ્થા=પ્રત્યક્ષજ્ઞાનના વિષયભાવપરિણતિ રૂપ પ્રત્યક્ષતારૂપ વિશિષ્ટ અવસ્થા, વિશેષણની અપ્રતીતિ હોતે છતે=પ્રત્યક્ષજ્ઞાનરૂપ વિશેષણનું અસંવેદન હોતે છતે, પ્રતીતિ થતી નથી–નિશ્ચય થતો નથી, એ પ્રમાણે પરિભાવન કરવું જોઈએ, શિ=જે કારણથી, પ્રદીપાદિતા પ્રકાશની અપ્રતીતિ હોતે છતે તેનાથી પ્રકાશિત ઘટાદિની પ્રતીતિ ઉપલબ્ધ થતી નથી અને અન્વય-વ્યતિરેક દ્વારા અનિશ્ચિત એવા હેતુથી સાધ્યની પ્રતીતિ નથી. ભાવાર્થ : પર્વત અગ્નિવાળો છે; કેમ કે ધૂમ વિના અગ્નિની અનુપપત્તિ છે એ પ્રકારે સાધ્યનું નિશ્ચાયક અનુમાન થાય છે, તે સ્થાનમાં વહ્નિરૂપ સાધ્યની સાથે અવિનાભાવિ એવા નિશ્ચિત લિંગથી અનુમાન થાય છે, પરંતુ મીમાંસકો માને છે કે અર્થનું પ્રત્યક્ષજ્ઞાન થાય છે, તેનાથી પરોક્ષ એવા જ્ઞાનનું અનુમાન થાય છે, તે સ્થાનમાં સાધ્યની સાથે અવિનાભાવિ એવું લિંગ નથી, એ બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – અર્થપ્રત્યક્ષતા લિંગ નથી=અર્થમાં રહેલી પ્રત્યક્ષતા પોતાને થયેલા જ્ઞાનના અનુમાન માટે લિંગ નથી. કેમ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ લલિતવિક્તા ભાગ-૨ લિંગ નથી તે બતાવતા કહે છે – જે કારણથી પ્રત્યક્ષજ્ઞાનથી પરિચ્છેદ્ય એવો અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે, તેનાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – પ્રત્યક્ષજ્ઞાનની કર્મરૂપતાને પામેલો બાહ્ય અર્થ જ છે, તે જ અર્થ-પ્રત્યક્ષતા છે. તેથી એ ફલિત થયું કે બોધ કરનારને પ્રત્યક્ષ એવું જ્ઞાન થયું છે, તેનું કર્મ પ્રત્યક્ષજ્ઞાનના વિષયભૂત ઘટ છે, તેથી ઘટ પ્રત્યક્ષજ્ઞાનની કર્મરૂપતાને પામેલો અર્થ છે, તેનાથી વ્યતિરિક્ત બીજું કંઈ નથી=પ્રત્યક્ષજ્ઞાનની કર્મરૂપતાને પામેલ ઘટરૂપ અર્થથી અન્ય કોઈ વસ્તુ અર્થપ્રત્યક્ષતા નથી અને તે અર્થપ્રત્યક્ષતાને મીમાંસક બુદ્ધિગ્રાહક અનુમાનના લિંગરૂપે સ્વીકારે છે, પરંતુ તે લિંગ થઈ શકે નહિ. કેમ લિંગ થઈ શકે નહિ તે સ્પષ્ટ કરે છે – મીમાંસક મતાનુસાર અર્થની આ વિશિષ્ટ અવસ્થા છે અર્થાતુ ઘટ પ્રત્યક્ષજ્ઞાનનો વિષય થવાથી પ્રત્યક્ષજ્ઞાનની વિષયતાથી વિશિષ્ટ એવો આ ઘટ છે તેમ પ્રાપ્ત થાય અને ઘટની તે વિશિષ્ટ અવસ્થામાં રહેલ પ્રત્યક્ષજ્ઞાનરૂપ જે વિશેષણ તેની પ્રતીતિ ન થતી હોય તો ઘટરૂપ અર્થની આ વિશિષ્ટ અવસ્થા પ્રતીત થઈ શકે નહિ. જેમ પ્રદીપાદિથી ઘટાદિ પ્રકાશિત થતા હોય ત્યારે પ્રદીપાદિનો પ્રકાશ અપ્રતીત હોય તો તેનાથી ઘટાદિની પ્રતીતિ થઈ શકે નહિ, તેમ પ્રત્યક્ષજ્ઞાન જ અપ્રતીત હોય તો પ્રત્યક્ષજ્ઞાનથી વિશિષ્ટ અર્થ પ્રતીત થાય છે તેમ કહી શકાય નહિ, માટે અર્થનું પ્રત્યક્ષજ્ઞાન થાય છે તેમ સ્વીકારવું હોય તો અર્થનું પ્રત્યક્ષજ્ઞાન પોતે સ્વસંવિદિત જ છે તેમ સ્વીકારવું જોઈએ. જેમ અંધકારમાં રહેલા ઘટને પ્રદીપનો પ્રકાશ પ્રકાશિત કરતો હોય તો પ્રદીપનો પ્રકાશ પણ પ્રતીત થાય છે એમ સ્વીકારવું પડે, તેમ પ્રદીપના સ્થાનીય પ્રત્યક્ષજ્ઞાન છે તેનાથી પ્રકાશિત ઘટાદિ અર્થ હોય તો ઘટ પ્રત્યક્ષ છે તેમ કહી શકાય અને તેમ સ્વીકારીએ તો જેમ ઘટ પ્રત્યક્ષ છે તેમ ઘટને પ્રત્યક્ષ કરનાર એવું જ્ઞાન પણ સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે તેમ સ્વીકારવું જોઈએ. આ પ્રકારે યુક્તિ અનુસાર મીમાંસકે પરિભાવન કરવું જોઈએ અને ભગવાન સ્વસંવિદિત શાનથી બોધવાના છે તેમ સ્વીકારવું જોઈએ. લલિતવિક્તા : एवं चेन्द्रियवदज्ञातस्वरूपैवेयं स्वकार्यकारिणीत्यप्ययुक्तमेव, तत्कार्यप्रत्यक्षत्वेन वैधात्, अतोऽर्थप्रत्यक्षताऽर्थपरिच्छेद एवेति नीत्या बुद्धादिसिद्धिः।।२९।। લલિતવિસ્તરાર્થ: અને આ રીતે પૂર્વમાં કહ્યું એ પ્રકારે અનુમાન આદિની વિષયતા ઘટતી નથી એ રીતે, ઈન્દ્રિયની જેમ અજ્ઞાતસ્વરૂપવાળી જ આ=પ્રત્યક્ષબુદ્ધિ, સ્વકાર્ય કરનારી છે–પરિચ્છેધ વિષયનો બોધ કરાવનારી છે, એ પણ અયુક્ત જ છે; કેમ કે તેના કાર્યના પ્રત્યક્ષત્વની સાથે=ઈજિયના જ્ઞાનરૂપ કાર્યના પ્રત્યક્ષત્વની સાથે, વૈધર્મ છે, આથી અર્થપ્રત્યક્ષતા અર્થપરિચ્છેદ જ છે, એ નીતિથી=અત્યાર સુધી વર્ણન કર્યું એ યુક્તિથી, બુદ્ધ આદિની સિદ્ધિ છે=બુદ્ધની અને બોધકની સિદ્ધિ છે. III Page #168 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધાણં બોહયાણ ૧૪૫ પંજિકા - स्याद् वक्तव्यं यथेन्द्रियं स्वयमप्रतीतमपि ज्ञानं प्रत्यक्षं जनयति, तथा तद्भवा बुद्धिरपि स्वयमप्रतीताप्यर्थप्रत्ययं करिष्यती'त्याशङ्कां परिहरनाह एवं च अनेन प्रकारेण, अनुमानादिविषयताऽघटनेप्रत्यक्षबुद्धिः इन्द्रियवद्, अज्ञातस्वरूपैवेयं-स्वयमप्रतीतैव प्रत्यक्षबुद्धिः, स्वकार्यकारिणी स्वकार्य विषयस्य परिच्छेद्यत्वं तत्कारिणी, इत्यपि एतदपि, न केवलमस्यानुमानादिविषयत्वम्, अयुक्तमेव, कुत इत्याह- तत्कार्यप्रत्यक्षत्वेन तस्य- इन्द्रियस्य, कार्य-विज्ञानं, तस्य प्रत्यक्षत्वं, तेन, वैधात्-वैसदृश्याद् बुद्धिकृतार्थप्रत्यक्षतायाः, अन्यादृशं हीन्द्रियप्रत्यक्षमन्यादृशं बुद्धेः, इदमेवाह- अतः इन्द्रियाद्, अर्थप्रत्यक्षता अर्थपरिच्छेद एव=विषयप्रतीतिरेवोपलब्धव्यापाररूपा, बुद्धेस्तु विषयस्योपलभ्यमानतैवार्थप्रत्यक्षता; साधर्म्यसिद्धौ च दृष्टान्तसिद्धिरिति।।२९।। પંજિકાર્ય : દ્િવવ્યું. વૃદન્તિિિિત | વક્તવ્ય થાય=આગળ કહે છે એ પ્રકારે મીમાંસકનું કથન થાય, જે પ્રમાણે ઈન્દ્રિય સ્વયં અપ્રતીત પણ પ્રત્યક્ષ એવા જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે પ્રમાણે, તેનાથી થનારી=ઈન્દ્રિયથી થનારી, બુદ્ધિ પણ સ્વયં અપ્રતીત પણ અર્થતા પ્રત્યયને કરશેઃઅર્થનું પ્રત્યક્ષજ્ઞાન કરશે, એ પ્રકારની આશંકાનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અને આ રીતે પૂર્વમાં કહ્યું એ પ્રકારથી, અનુમાનાદિની વિષયતાનું અઘટન થયે છતે ઇન્દ્રિયની જેમ અજ્ઞાત સ્વરૂપવાળી જ આસ્વયં અપ્રતીત જ, પ્રત્યક્ષબુદ્ધિ સ્વીકાર્ય કરનારી છે સ્વકાર્ય એવું વિષયનું પરિચ્છેદ્યપણું તેને કરનારી છે, એ પણ અયુક્ત જ છે, આવું=પ્રત્યક્ષબુદ્ધિનું અનુમાનાદિ વિષયત્વ કેવલ અયુક્ત નથી, પરંતુ આ પણ અયુક્ત જ છે એમ અવય છે, કયા કારણથી કયા કારણથી ઇન્દ્રિયની જેમ ઈદ્રિયથી થનારું જ્ઞાન પ્રત્યક્ષ નથી એ કથન અયુક્ત છે? એથી કહે છે – તત્કાર્યતા પ્રત્યક્ષપણાથી વધર્મ હોવાને કારણે=ઈન્દ્રિયનું કાર્ય વિજ્ઞાન તેનું પ્રત્યક્ષપણું તેની સાથે બુદ્ધિકૃત અર્થપ્રત્યક્ષતાનું વિદેશપણું હોવાથી મીમાંસકનું કથન અયુક્ત છે એમ અવાય છે. હિ=જે કારણથી, ઈન્દ્રિય પ્રત્યક્ષ અન્યાદશ છે બુદ્ધિનું પ્રત્યક્ષ અન્યાદશ છે=ઈન્દ્રિયનું પ્રત્યક્ષ જુદા પ્રકારનું છે, બુદ્ધિનું પ્રત્યક્ષ જુદા પ્રકારનું છે, એને જ કહે છેકબુદ્ધિ અને ઇન્દ્રિયની અર્થપ્રત્યક્ષતા જુદા પ્રકારની છે એને જ કહે છે – આનાથી=ઈન્દ્રિયથી, અર્થપ્રત્યક્ષતા અર્થનો પરિચ્છેદ જ છે=ઉપલબ્ધ વ્યાપારરૂપ વિષયની પ્રતીતિ જ છે, વળી, વિષયની ઉપલભ્યમાનતા જ બુદ્ધિની અર્થપ્રત્યક્ષતા છે અને સાધર્યની સિદ્ધિ થયે છતે દાંતની સિદ્ધિ છે, (માટે ઈન્દ્રિયની જેમ અજ્ઞાતસ્વરૂપવાળી જ બુદ્ધિ અર્થનું પ્રત્યક્ષ કરે છે તે મીમાંસકનું કથન અયુક્ત છે; કેમ કે દષ્ટાંતની અસિદ્ધિ છે.) રહા ભાવાર્થ - પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી બતાવ્યું કે અર્થપ્રત્યક્ષતા બુદ્ધિના ગ્રાહક અનુમાનનું લિંગ થતું નથી એ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬. લલિતવિક્તા ભાગ-૨ રીતે પૂર્વનું કથન ઘટે નહિ, તોપણ ઇન્દ્રિયની જેમ અજ્ઞાત સ્વરૂપવાળી પ્રત્યક્ષ બુદ્ધિ સ્વકાર્ય કરે છે એમ મીમાંસક કહે છે, એ પણ અયુક્ત જ છે. આશય એ છે કે ઇન્દ્રિયો સ્વયં પ્રતીત થતી નથી, તોપણ ઇન્દ્રિયથી ઘટાદિનું જ્ઞાન પ્રત્યક્ષ થાય છે તેમ ઇન્દ્રિયથી થનારી બુદ્ધિ પણ સ્વયં પ્રતીત થતી નથી તો પણ તે બુદ્ધિ અર્થનું પ્રત્યક્ષ કરશે તેમ સ્વીકારી શકાશે, જેમ સંસારી જીવોને પોતાની અંતરંગ ચક્ષુ સ્વયં પ્રતીત થતી નથી, છતાં તે ચક્ષુથી દેખાતો ઘટ પ્રત્યક્ષ થાય છે તેમ ચક્ષુથી બોધ કરનારને ઘટનું જ્ઞાન થાય છે છતાં તે ઘટના જ્ઞાનની તેને પ્રતીતિ થતી નથી, તો પણ તેને બુદ્ધિથી બાહ્ય ઘટ પ્રત્યક્ષ દેખાય છે, માટે ઘટના પ્રત્યક્ષના બળથી પોતાને બુદ્ધિ ઉત્પન્ન થઈ છે તેમ અનુમાન થઈ શકશે, એમ મીમાંસક કહે છે તે પણ અયુક્ત જ છે. કેમ અયુક્ત છે એમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – ઇન્દ્રિયનું જે પ્રત્યક્ષરૂપ કાર્ય છે તેની સાથે બુદ્ધિકૃત અર્થપ્રત્યક્ષતાનું વૈધર્મ છે, એથી તે દૃષ્ટાંતના બળથી બુદ્ધિને ઇન્દ્રિયની જેમ પરોક્ષ સ્વીકારી શકાય નહિ. કેવા પ્રકારનું વૈધર્મ છે ? તે સ્પષ્ટ કરે છે – ઇન્દ્રિયોની સન્મુખ વિષય પ્રાપ્ત થાય છે ત્યારે ઇન્દ્રિયોને વિષયની પ્રતીતિ થાય છે, પરંતુ ઇન્દ્રિય પોતે જ્ઞાન કરતી નથી પણ ઉપલબ્ધ એવા વિષયને ગ્રહણ કરવામાં વ્યાપારરૂપ હોય છે તે ઇન્દ્રિયની અર્થપ્રત્યક્ષતા છે અર્થાત્ અર્થનો પરિચ્છેદ માત્ર કરે છે, ઇન્દ્રિયો સ્વયં બોધ કરતી નથી, જ્યારે બોધ કરનાર પુરુષની બુદ્ધિમાં વિષયની ઉપલભ્યમાનતા જ અર્થપ્રત્યક્ષતા છે. તેથી એ ફલિત થાય કે બોધ કરનાર પુરુષને ઘટના આકાર પરિણત બુદ્ધિ છે તે જ્ઞાનસ્વરૂપ છે, તેથી જ્ઞાનમાં વિષય ઉપલભ્યમાન છે અને ઇન્દ્રિય વિષયની સાથે સંપર્કને પામે છે ત્યારે ઉપલબ્ધ એવી વસ્તુના ગ્રહણને અનુકૂળ વ્યાપારરૂપ જ ઇન્દ્રિયની અર્થપ્રત્યક્ષતા છે અર્થાત્ આ પટથી વિલક્ષણ એવો આ ઘટ છે એ પ્રકારે ગ્રહણ કરવામાં વ્યાપારવાળી ઇન્દ્રિય હોય છે અને તેના કારણે બોધ કરનાર પુરુષની બુદ્ધિમાં વિષયનો ઉપલંભ થાય છે, તેથી ઇન્દ્રિય સાક્ષાત્ સ્વસંવેદનરૂપ નહિ હોવા છતાં ઘટાદિ વસ્તુના પરિચ્છેદનના જ વ્યાપારવાળી હોય છે અને તે અર્થનો યથાર્થ બોધ બુદ્ધિમાં થાય છે, તેથી ઇન્દ્રિય અને બુદ્ધિમાં સાધર્મ નથી, માટે ઇન્દ્રિયના દૃષ્ટાંતથી બુદ્ધિને પરોક્ષ સ્વીકારી શકાય નહિ, આ પ્રકારે નીતિથી વિચારીએ તો= યુક્તિથી વિચારીએ તો, ભગવાનમાં બુદ્ધત્વ અને બોધકત્વની સિદ્ધિ થાય છે. રિલા અવતરણિકા: एतेऽपि जगत्कर्तृलीनमुक्तवादिभिः सन्तपनविनेयैस्तत्त्वतोऽमुक्तादय एवेष्यन्ते, ‘ब्रह्मवद् ब्रह्मसङ्गतानां स्थिति रितिवचनात् एतनिराचिकीर्षयाऽह - અવતરણિકાર્ચ - જગકર્તામાં લીન મુક્તવાદી સંતપન શિષ્યો વડે આ પણ=ભગવાન પણ, તત્ત્વથી અમુક્તાદિ જ ઈચ્છાય છે; કેમ કે બ્રહ્માની જેમ બ્રહાસંગત જીવોની સ્થિતિ છે, એ પ્રકારનું વચન છે, એનું= જગત્કર્તામાં લીન મુક્તવાદીના મતનું, નિરાકરણ કરવાની ઈચ્છાથી કહે છે – Page #170 -------------------------------------------------------------------------- ________________ મુતાણં મોયગાણું ૧૪૭ ભાવાર્થ : જગત્કર્તા એવા ઈશ્વરમાં જેઓ લીન થાય છે તેઓ સંસારથી મુક્ત થાય છે અને જગત્કર્તમાં લીન થવાથી તેઓ જગત્કર્તા સ્વરૂપ જ બને છે, પરંતુ જગત્કર્તાથી પૃથક પોતાના સ્વરૂપે રહેતા નથી એમ સંતાન નામના કોઈક ઋષિના શિષ્યો વડે સ્વીકારાય છે, તેથી તેઓના મતે ભગવાન તત્ત્વથી અમુક્ત અને અમોચક છે; કેમ કે તેઓ માને છે કે બ્રહ્મ સાથે સંગત થયેલા અર્થાત્ લીન થયેલા જીવોની સ્થિતિ બ્રહ્મ જેવી હોય છે, તે મતનું નિરાકરણ કરવાની ઇચ્છાથી કહે છે. સૂત્ર - કુત્તા નો રૂપા સૂત્રાર્થ : મુકાયેલા અને મુકાવનારા ભગવાનને નમસ્કાર થાઓ. ૩૦ લલિતવિસ્તરા - 'मुक्तेभ्यो मोचकेभ्यः।' चतुर्गतिविपाकचित्रकर्मबन्धमुक्तत्वान्मुक्ताः कृतकृत्या निष्ठितार्था इति योऽर्थः, न जगत्कर्तरि लये मुक्तानां निष्ठितार्थत्वं, तत्करणेन कृतकृत्यत्वायोगात्; हीनादिकरणे चेच्छाद्वेषादि-प्रसङ्गः, तद्व्यतिरेकेण तथाप्रवृत्त्यसिद्धेः, एवं सामान्यसंसारिणोऽविशिष्टतरं मुक्तत्वमिति चिन्तनीयम्। લલિતવિસ્તરાર્થ: મુક્ત થયેલા મુકાવનારા ભગવાન છે, ચાર ગતિના વિપાકવાળા ચિત્ર કર્મબંધથી મુક્તપણું હોવાને કારણે મુક્ત થયેલા કૃતકૃત્ય થયેલા=નિષ્ઠિત અર્થવાળા, એ પ્રમાણે જે અર્થ છે, તે મુક્તનો અર્થ છે. જગત્કર્તામાં લય થયે છતે નિષ્ક્રિતાર્થપણું નથી મુક્ત થયેલાનું નિષ્ઠિતાર્થપણું નથી; કેમ કે તેના કરણથી જગતના કરણથી, કૃતકૃત્યત્વનો અયોગ છે અને હીનાદિના કરણમાં કેટલાક જીવોને હીન કેટલાકને શ્રેષ્ઠ ઈત્યાદિરૂપ જગતના કરણમાં, ઈચ્છા-દ્વેષાદિનો પ્રસંગ છે; કેમ કે તેના વગર=ઈચ્છા-દ્વેષાદિ વગર, તે પ્રકારની પ્રવૃત્તિની અસિદ્ધિ છે હીનાદિ કરણરૂપ પ્રવૃત્તિની સિદ્ધિ છે, એ રીતે જગકર્તમાં લીન થવાથી મુક્ત આત્મા જગકર્તરૂપ બને અને હીનાદિ જગતને કરે એ રીતે, સામાન્ય સંસારીથી અવિશિષ્ટતર=અતિ જઘન્ય, મુક્તત્વ છે એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. પંજિકા - 'नेत्यादि, न-नैव, जगत्कर्तरि ब्रह्मलक्षण आधारभूते, लये-अभिन्नरूपावस्थाने, मुक्तानां निष्ठितार्थत्वं, कुत इत्याह- तत्करणेन-तस्य-जगतः, करणेन, ब्रह्मसाङ्गत्येन मुक्तानां कृतकृत्यत्वायोगात् । Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ લલિતકાર ભાગ-૨ अत्रैवाभ्युच्चयमाह- हीनादिकरणे हीनमध्यमोत्कृष्टजगत्करणे, मुक्तानाम् इच्छाद्वेषादिप्रसङ्गः सङ्कल्पमत्सराभिष्वङ्गप्राप्तिः, कुत इत्याह- तद्व्यतिरेकेण=इच्छादीनन्तरेण, तथाप्रवृत्त्यसिद्धेः वैचित्र्येण प्रवृत्त्ययोगात्, एवं जगत्करणे सामान्यसंसारिणो मनुष्याद्यन्यतरस्माद्, अविशिष्टतरम् अतिजघन्यं, मुक्तत्वम् इति चिन्तनीयम् अस्य भावना कार्या, अन्यस्य जगत्कर्तुमशक्तत्वेन परिमितेच्छादिदोषत्वात्। પંજિકાર્ય : ચારિ, -નેવ ... પરિમિત્તેજીવિતોષાત્ II નેચર લલિતવિસ્તરાનું પ્રતીક છે, જગત્કર્તામાં= બ્રહ્માસ્વરૂપ આધારભૂત જગત્કર્તામાં=સાધના કરીને જેઓ મુક્ત થયા છે તે સર્વના બ્રહ્મસ્વરૂપ આધારભૂત એવા જગત્કર્તામાં, લય થયે છd=અભિવરૂપ અવસ્થાન થયે છતે, મુક્ત જીવોનું નિષ્ઠિતાર્થપણું નથી જ=સર્વ જીવોનું પરમપ્રયોજન પૂર્ણ સુખની પ્રાપ્તિ છે તે રૂપ તિષ્ઠિતાર્થપણું મુક્તોને નથી જ, કયા કારણથી=કયા કારણથી નિષ્કિતાર્થપણું નથી ? એથી કહે છે – તસ્કરણથી કૃતકૃત્યત્વનો અયોગ હોવાથી=બ્રહ્માના સાંગત્યને કારણે મુક્ત જીવોને જગતના કરણને કારણે કૃતકૃત્યત્વનો અયોગ હોવાથી તિષ્ઠિતાર્થપણું નથી એમ અત્રય છે. આમાં જ મુક્ત જીવોનું કૃતકૃત્યત્વ નથી એમાં જ, અમ્યુચ્ચયને કહે છે – હીનાદિ કરણમાં ઈચ્છાઢેષાદિનો પ્રસંગ છે-મુક્ત જીવોને હીન-મધ્યમ-ઉત્કૃષ્ટ જગતકરણમાં સંકલ્પ-મત્સર-અભિળંગની પ્રાપ્તિ છે, કયા કારણથી ?=કયા કારણથી ઈચ્છા-દ્વેષાદિની પ્રાપ્તિ છે ? એથી કહે છે – તેના વ્યતિરેકથી=ઈચ્છાદિ વગર, તે પ્રકારની પ્રવૃત્તિની અસિદ્ધિ હોવાથી=વચિત્રથી જગતનિર્માણની પ્રવૃત્તિનો અયોગ હોવાથી, ઈચ્છા-દ્વેષાદિનો પ્રસંગ છે એમ અત્રય છે, આ રીતે જગતના કરણમાં= સાધના કરીને જગત્કર્તમાં લીન થવાથી મુક્ત જીવો જગત્કર્તા બને છે એ રીતે જગતકરણમાં, સામાન્ય સંસારી જીવોથી=મનુષ્યાદિ અન્યતર એવા સંસારી જીવોથી, અવિશિષ્ટતર=અતિ જઘન્ય, મુક્તત્વ છે એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ=આની અર્થાત્ મુક્તની ભાવના કરવી જોઈએ; કેમ કે અન્યનું=સંસારી જીવોનું, જગત કરવા માટે અશક્તપણું હોવાને કારણે પરિમિત ઈચ્છાદિ દોષપણું છે, (તેથી સંસારી જીવો તેટલા જઘન્ય નથી, મુક્ત જીવો તેનાથી અધિક જઘન્ય છે તેમ પ્રાપ્ત થાય.) ભાવાર્થ - ભગવાન ચાર ગતિઓના પરિભ્રમણને અનુકૂળ વિપાકવાળા, ચિત્રકર્મોના બંધનવાળા પૂર્વે હતા તેનાથી મુક્ત થયા, તેથી મુક્ત કહેવાય છે અર્થાત્ કૃતકૃત્ય કહેવાય છે; કેમ કે ઉપદ્રવવાની અવસ્થાથી મુક્ત થવું તે જ જીવ માટે કર્તવ્ય કૃત્ય છે અને તે કર્તવ્ય કૃત્યને તેઓએ પ્રાપ્ત કર્યું એથી મુક્ત થયા ત્યારે કૃતકૃત્ય થયા એમ કહેવાય છે. તેનાથી શું પ્રાપ્ત થાય ? એથી કહે છે – નિષ્ઠિત પ્રયોજનવાળા થયા, અર્થાત્ નિષ્કિતાર્થવાળા થયા; કેમ કે સર્વ દુઃખોનો અંત કરીને પૂર્ણ સુખમય અવસ્થા પ્રાપ્ત કરવી એ જીવનું પ્રયોજન છે અને સાધનાકાળમાં તે પ્રયોજન કંઈક પ્રાપ્ત થયેલું, તેથી કંઈક સુખની પરંપરાની પ્રાપ્તિ થઈ, પરંતુ તેની નિષ્ઠા મુક્ત અવસ્થામાં જ પ્રાપ્ત થાય છે, અર્થાત્ સંપૂર્ણ ઉપદ્રવથી રહિત પૂર્ણ સુખમય અવસ્થા Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ મુત્તાણ મોયગાણ હંમેશ માટે પ્રાપ્ત થાય છે, આ પ્રકારનો મુક્ત શબ્દનો અર્થ છે. વળી, જગત્કર્તામાં લીન મુક્તવાદી માને છે તેમ મુક્તને સ્વીકારીએ તો મુક્ત થયેલા જીવોમાં નિષ્ક્રિતાર્થપણાની પ્રાપ્તિ થાય નહિ. કેમ જગત્કર્તામાં મુક્ત આત્માઓ લય પામે છે તેમ સ્વીકારવાથી નિષ્ઠિતઅર્થપણું પ્રાપ્ત થાય નહિ? તેથી કહે છે – મુક્તાત્માઓ સાધનાથી જગત્કર્તામાં લય પામે તો તેઓ જગત્કર્તા સ્વરૂપ બને, તેથી તેઓને જગતનાં કૃત્યો કરવાની પ્રવૃત્તિ સદા પ્રાપ્ત થાય, તેથી કૃતકૃત્યત્વનો અયોગ થાય; કેમ કે તેઓને જગતના નિર્માણનું કૃત્ય સદા કર્તવ્યરૂપે રહે છે, તેથી સર્વ કૃત્યો કરી લીધાં છે, કોઈ કૃત્ય કરવાનું બાકી નથી તેમ કહી શકાય નહિ, આ રીતે મુક્ત જીવોને કૃતકૃત્યત્વ નથી તેમ બતાવ્યા પછી જગત્કર્તામાં મુક્ત જીવોનો લય સ્વીકારવાથી અન્ય દોષ પ્રાપ્ત થાય છે તે બતાવે છે – જગત્કર્તા કેટલાક સંસારી જીવોને હીન કરે છે, કેટલાકને મધ્યમ કરે છે અને કેટલાકને ઉત્કૃષ્ટ કરે છે, તેથી જગત્કર્તાને જીવોને હીનાદિ કરવાની છે તે પ્રકારની ઇચ્છા થાય છે, માટે કેટલાક જીવો પ્રત્યે દ્વેષ થાય છે, તેથી તેઓને હીન કરે છે, કેટલાકને શ્રેષ્ઠ કરે છે તેઓ પ્રત્યે પક્ષપાત થાય છે તેમ માનવું પડે; કેમ કે તે પ્રકારના પક્ષપાત વગર તે તે પ્રકારની ઇચ્છા અને જીવોને હીનાદિ કરવાની છે તે પ્રકારની પ્રવૃત્તિ થઈ શકે નહિ. અને આ રીતે મુક્ત થયેલા જીવોનો જગત્કર્તામાં લય સ્વીકારીને તેઓ જગતના હીનાદિ ભાવોનું સર્જન કરે છે તેમ સ્વીકારવામાં આવે તો મુક્ત જીવો સામાન્ય સંસારી જીવો કરતાં પણ અત્યંત જઘન્ય છે તેમ માનવું પડે; કેમ કે સંસારી જીવોમાં જગતના કર્તા જેવી શક્તિ નહિ હોવાથી તેઓને પોતાની શક્તિ અનુસાર પરિમિત ઇચ્છાદિ દોષો થાય છે, તેથી સંસારી જીવો પોતાના પરિમિત ઇચ્છાદિ દોષોને કારણે તુચ્છ પ્રકૃતિવાળા છે તેના કરતાં પણ મહાશક્તિવાળા એવા જગત્કર્તા પોતાની અતિશય શક્તિને કારણે સંસારી જીવોને અનેક પ્રકારની વિડંબના કરે છે, માટે અતિ જઘન્ય છે તેમ માનવું પડે, તેથી જગત્કર્તામાં મુક્ત આત્માઓ લય પામે છે તેમ સ્વીકારવું ઉચિત નથી, પરંતુ સાધના દ્વારા કર્મના ઉપદ્રવોથી મુક્ત થયેલા છે અને યોગ્ય જીવોને મુકાવનારા છે તેમ જ માનવું ઉચિત છે. લલિતવિસ્તરા - निमित्तकर्तृत्वाभ्युपगमे तु तत्त्वतोऽकर्तृत्वं स्वातन्त्र्यासिद्धेः, न च द्वयोरेकीभावः, अन्यतराभावप्रसङ्गात्, न सत्तायाः सत्तान्तरप्रवेशेऽनुपचयः, उपचये च 'सैव सा' इत्ययुक्तं, तदन्तरमापत्रः स इति नीतिः, नैवमन्यस्य अन्यत्र लय इति मोहविषप्रसरकटकबन्धः। तदेवं निमित्तकर्तृत्वपरभावनिवृत्तिभ्यां तत्त्वतो मुक्तादिसिद्धिः॥३०॥ લલિતવિસ્તરાર્થ:વળી, નિમિતકતૃત્વ સ્વીકાર કરાયે છતે=જગતના વૈચિત્ર્યમાં જગતના જીવોનાં કમોં જ કર્તા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ લલિતવિસ્તરા ભાગ-૨ છે, ઈશ્વર નિમિતમાત્ર કર્તા છે એમ સ્વીકાર કરાયે છતે, તત્વથી અકર્તુત્વ છે=ઈશ્વરનું અકર્તુત્વ છે; કેમ કે સ્વાતંત્ર્યની અસિદ્ધિ છે સ્વતંત્ર કર્તા એ રૂપ કર્તાના લક્ષણની અસિદ્ધિ છે, અને બંનેનો એકીભાવ નથી=ઈશ્વર અને મુક્ત એ બંનેનો એકીભાવ નથી; કેમ કે અન્યતના અભાવનો પ્રસંગ છે=ઈશ્વર કે મુક્ત એ બેમાંથી એકના અભાવનો પ્રસંગ છે, અને સત્તાના સત્તાંતર પ્રવેશમાં અનુપચય નથી અને ઉપચયમાં તે જ તે છે–પૂર્વની સત્તા જ મુક્ત થયેલા જીવની સત્તા છે એ અયુક્ત છે; કેમ કે તેનાથી અંતરને=પૂર્વની સત્તા કરતાં અન્ય સત્તાને, પામેલો તે છે=ઉપચય છે, એ પ્રકારની નીતિ છે, આ રીતે-પૂર્વમાં બતાવ્યું એ રીતે, અન્યનો=મુક્ત થયેલા જીવનો, અન્યત્ર=ઈશ્વરરૂપ પુરુષમાં, લય નથી એથી મોહવિષના પ્રસરમાં કટકબંધ છે= તત્વને જોવામાં મૂઢ દષ્ટિને કારણે વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જોયા વગર ઉન્મતની જેમ પદાર્થને જોવાની દૃષ્ટિરૂપ જે મોહવિષ પ્રસર થતો હતો તેને પ્રસ્તુત પદાર્થને જોનારી દષ્ટિથી કટકબંધની પ્રાપ્તિ થાય છે માટે કટકબંધ છે, તે કારણથી=પૂર્વનું કથન મોહવિષના પ્રસાર માટે કટકબંધ છે તે કારણથી, આ રીતે પૂર્વમાં યુક્તિથી બતાવ્યું એ રીતે, નિમિત્તકર્તુત્વ અને પરભાવની નિવૃત્તિ દ્વારા તત્વથી મુક્તાદિની સિદ્ધિ છે=ભગવાનના મુક્તત્વ મોચકત્વની સિદ્ધિ છે. II3oI પાલિકા : अथ कर्मादिकृतं जगद्वैचित्र्यं, पुरुषस्तु निमित्तमात्रत्वेन कर्तेत्यपि निरस्यन्नाहनिमित्तमात्रकर्तृत्वाभ्युपगमे तु-निमित्तं सन्नसौ कर्ता, इच्छादिदोषपरिजिहीर्षयेत्येवमङ्गीकरणे पुनः, तत्त्वतो निरुपचरिततया, अकर्तृत्वं-पुरुषस्य, हेतुमाह- स्वातन्त्र्यासिद्धेः-स्वतन्त्रः कर्तेतिकर्तृलक्षणानुपपत्तेः, तथाऽन्यस्यान्यत्र लयोऽप्यनुपपन्न इति दर्शयन्नाह 'नच' द्वयोः=मुक्तपरमपुरुषयोः, एकीभावो-लयलक्षणः, कुत इत्याह- अन्यतराभावप्रसङ्गाद=अन्यतरस्यमुक्तस्य परमपुरुषस्य वा, अभावप्रसङ्गात्-असत्त्वप्राप्तेः, अन्यतरस्येतरस्वरूपपरिणतौ तत्र लीनत्वोपपत्तेः, एतदनभ्युपगमे दूषणान्तरमाह न सत्तायाः परमपुरुषलक्षणायाः, सत्तान्तरप्रवेशे, सत्तान्तरे-मुक्तलक्षणे प्रविष्टे सतीत्यर्थः अनुपचयः किन्तूपचय एव वृद्धिरूपः, घृतादिपलस्य पलान्तरप्रवेश इव, यद्येवं ततः किमित्याह- उपचये च सत्तायाः, સવ' પ્રાની પુરુષ મુવા , “સા' સત્તા, તિ, યુ ક્તિ , વતઃ ? યતઃ તત્તરં=સત્તાન્તર पृथक् तत्सत्तापेक्षया, आपनः पाठान्तरे आसनः-प्राप्तः, 'स' इत्युपचयः, क्वचिच्चासत्रमिति पाठस्तत्र तदन्तरमिति योज्यम्, इति नीतिः-एषा न्यायमुद्रा। अथ प्रकृतसिद्धिमाह- न=नैव, एवं द्वयोरेकीभावेऽन्यतराभावप्रसङ्गेन, उपचये तदन्तरापत्त्या वा, अन्यस्य सामान्येन मुक्तादेः, अन्यत्र-पुरुषाकाशादौ, लय इति, एष लयनिषेधो मोहविषप्रसरकटकबन्धः-एवं Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ મુત્તાણં મોયગાણું निषेधे हि कटकबन्ध इव विषं न मोहः प्रसरतीति, तत्-तस्माद्, एवम् उक्तनीत्या, निमित्तकर्तृत्वपरभावनिवृत्तिभ्यां, निमित्तकर्तृत्वं च मुख्यकर्तृत्वायोगेन भव्यानां परिशुद्धप्रणिधानादिप्रवृत्त्यालम्बनतया, परभावनिवृत्तिश्च लयायोगलक्षणा, ताभ्यां तत्त्वतो-मुख्यवृत्त्या, मुक्तादिसिद्धिः=मुक्तमोचकसिद्धिः।।३०।। પંજિકાર્ચ - અથ નિવૃત્ત નત્ર્યિ ... અમોઘવસદ્ધિઃ | અથથી પૂર્વપક્ષી કહે કે કમદિથી કરાયેલું જગÀચિત્ર છે, વળી, પુરુષ=જગત્કર્તા એવા ઈશ્વર, નિમિત્તમાત્રપણાથી કર્તા છે એ પણ નિરાસ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – વળી, નિમિત્તમાત્રકતૃત્વ સ્વીકાર કરાય છd=વળી ઈચ્છાદિ દોષનો પરિહાર કરવાની ઈચ્છાથી નિમિત્ત છતાં આ અર્થાત્ ઈશ્વર કર્તા છે આ પ્રમાણે અંગીકાર કરાયે છતે, તત્વથી=નિરુપચરિતપણાથી પુરુષનું ઈશ્વરનું, અકર્તુત્વ છે, હેતુને કહે છે – સ્વાતંત્ર્યની અસિદ્ધિ હોવાથી સ્વતંત્ર કર્તા એ પ્રમાણે કર્તાના લક્ષણની અનુપપત્તિ હોવાથી ઈશ્વરનું અકર્તુત્વ છે એમ અત્રય છે અને અત્યનો અન્યત્ર લય પણ અનુપપન્ન છે એ પ્રમાણે બતાવતાં કહે છે – અને બંનેનો=મુક્તકો અને પરમપુરુષતો, લયરૂપ એકીભાવ નથી, કયા કારણથી નથી ? એથી કહે છે – અન્યતરના અભાવનો પ્રસંગ હોવાથી મુક્ત અથવા પરમપુરુષ અન્યતરના અભાવનો પ્રસંગ હોવાથી અર્થાત્ અસત્વની પ્રાપ્તિ હોવાથી, અન્યતરની ઈતર સ્વરૂપવાળી પરિણતિ થયે છતે તેમાં લીનત્વની ઉપપત્તિ હોવાથી બંનેનો એકીભાવરૂપ લય નથી એમ અવય છે, આનો અસ્વીકાર કરાવે છd=બંનેનો એકીભાવ થતો નથી એનો અસ્વીકાર કરાય છતે, દૂષણાંતરને કહે છે – સત્તાનો–પરમપુરુષરૂપ સત્તાવો, સત્તાંતરના પ્રવેશમાં અનુપચય નથી=મુક્તલક્ષણ સત્તાંતરના પ્રવેશમાં અનુપચય નથી, પરંતુ વૃદ્ધિરૂપ ઉપચય જ છે, જેમ વૃતાદિ પલતો પલાંતર પ્રવેશમાં વૃદ્ધિરૂપ ઉપચય છે, જો આ પ્રમાણે છે=સત્તાના સત્તાંતર પ્રવેશમાં ઉપચય છે એ પ્રમાણે છે, તેનાથી શું?= તેનાથી શું પ્રાપ્ત થાય? એથી કહે છે – અને સત્તાના ઉપચયમાં પુરુષની અથવા મુક્તની પૂર્વની તે જ સત્તા જ, તે છે=વર્તમાનની સત્તા છે, એ અયુક્ત છે-અસંગત છે, કયા કારણથી પૂર્વની સત્તા જ તે છે એ અયુક્ત છે? એથી કહે છે – જે કારણથી તદંતર=ને સત્તાની અપેક્ષાએ પૃથક સત્તાંતર પામેલ તે ઉપચય છે, ક્વચિત્રકોઈક પ્રતમાં માસઃ એ પ્રકારનો પાઠ છે=આપને બદલે માત્ર એ પ્રકારનો પાઠ છે ત્યાં=પ્રત્યંતરના પાઠમાં તન્તાં એ પ્રમાણે યોજન કરવું=લલિતવિસ્તરામાં તન્તાંની સાથે માત્ર યોજન કરવું, તેથી એ પ્રાપ્ત થાય કે તદંતર પામેલ તે ઉપચય છે. એ પ્રકારની નીતિ છે=આ વ્યાયમુદ્રા છે=સત્તામાં સત્તાંતર મળે તો પૂર્વની સત્તા જ સતા છે એમ કહેવું અયુક્ત છે એ વ્યાયમુદ્રા છે. હવે પ્રકૃતસિદ્ધિને કહે છે=ઈશ્વર અને મુક્ત બંનેના એકીભાવરૂપ લય સંગત નથી એમ કહેવાથી જે પ્રકૃતની સિદ્ધિ છે તેને કહે છે – Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લલિતવિસ્તરા ભાગ-૨ આ રીતે=બંનેના એકીભાવમાં અન્યતરના અભાવનો પ્રસંગ હોવાથી, અથવા ઉપચયમાં તેના અંતરની પ્રાપ્તિ હોવાથી અન્યનોસામાન્યથી મુક્તાદિતો, અન્યત્ર પુરુષ આકાશાદિમાં=ઈશ્વરરૂપ પુરુષ આકાશાદિમાં, લય નથી જ, આ લયનો નિષેધ મોહવિષના પ્રસારમાં કટકબંધ છે=આ પ્રકારે નિષેધ કરાયે છતે કટકબંધની જેમ મોહવિષે પ્રસાર પામતો નથી, તે કારણથી આ રીતે=ઉક્ત નીતિથી=અત્યાર સુધી વર્ણન કર્યું એ નીતિથી, નિમિત્તકર્તુત્વ અને પરભાવની નિવૃત્તિ દ્વારા તત્વથી મુક્તાદિની સિદ્ધિ છે એમ અવય છે અને નિમિત્તકપણું મુખ્ય કર્તુત્વના અયોગથી ભવ્યજીવોના પરિશુદ્ધ પ્રણિધાનાદિ પ્રવૃત્તિના આલંબનપણાથી છે અને લયના અયોગરૂપ પરભાવની નિવૃત્તિ છેઃ મહાસ્વરૂપ હોવા છતાં બ્રહ્મા એવા ઈશ્વરના ભાવરૂપ પરભાવથી નિવૃત્તિ છે, તે બંને દ્વારા=નિમિતકતૃત્વ અને પરભાવની નિવૃત્તિ એ બંને દ્વારા, તત્વથી=મુખ્ય વૃત્તિથી, મુક્તાદિની સિદ્ધિ છે=મુક્ત અને મોચકની સિદ્ધિ છે. li૩૦ગા. ભાવાર્થ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે જગત્કર્તામાં મુક્તાત્માનો લય સ્વીકારવામાં આવે તો મુક્તાત્માઓ જગત્કર્તારૂપે થવાથી જગતના જીવોને હીનાદિ કરે તો ઇચ્છા-દ્વેષાદિનો પ્રસંગ છે, તેથી સામાન્ય સંસારી જીવો કરતાં પણ જગત્કર્તાને હીન સ્વીકારવાની આપત્તિ આવે, તેના નિરાકરણ માટે પૂર્વપક્ષી કહે કે જગતનું વૈચિત્ર્ય કર્માદિથી કરાયેલું છે, ઈશ્વર તો નિમિત્ત માત્રથી કર્તા છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – ઈશ્વરને નિમિત્ત માત્રથી જગતના કર્તા સ્વીકારવામાં આવે તો નિરુપચરિત જગતના કર્તા ઈશ્વર નથી તેમ માનવું પડે; કેમ કે સ્વતંત્ર કર્તા એ કર્તાનું લક્ષણ છે અને તેવું લક્ષણ ઈશ્વરમાં પ્રાપ્ત થાય નહિ; કેમ કે જે જીવોનાં જે જે પ્રકારનાં કર્મો છે તેને પરતંત્ર ઈશ્વર તે તે કાર્ય કરે છે તેમ સિદ્ધ થાય, તેથી ઈશ્વરને સ્વતંત્ર કર્તા સ્વીકારી શકાય નહિ. વળી, સાધના કરીને મુક્ત થયેલા જીવો ઈશ્વરમાં લય પામે છે એ કથન પણ સંગત નથી; કેમ કે મુક્ત અને પરમપુરુષ એ બેનો લયરૂપ એકીભાવ સ્વીકારી શકાય નહિ. કેમ સ્વીકારી શકાય નહિ ? એથી કહે છે – મુક્ત અથવા પરમપુરુષ એ બેમાંથી એકના અભાવની પ્રાપ્તિ થાય; કેમ કે અન્યતરમાંથી કોઈક ઇતર સ્વરૂપની પરિણતિ લયરૂપ એકીભાવ સ્વીકારી શકાય અને તેમ સ્વીકારવાથી બેમાંથી કોઈક એકનો અભાવ પ્રાપ્ત થાય અને જો બેમાંથી એકનો અભાવ થતો નથી છતાં લય થાય છે તેમ સ્વીકારવામાં આવે તો પરમપુરુષની સત્તામાં મુક્ત આત્માની સત્તાનો પ્રવેશ થાય તો અનુપચય નથી, પરંતુ વૃદ્ધિરૂપ ઉપચય જ છે તેમ માનવું પડે. જેમ પલ પ્રમાણ ઘી હોય તેમાં અન્ય ઘીનો પલ પ્રવેશ પામે તો ઘીનો ઉપચય જ થાય છે, તે પ્રમાણે પરમપુરુષની સત્તામાં મુક્તની સત્તાનો પ્રવેશ થાય તો ઉપચયની જ પ્રાપ્તિ થાય અને તેમ સ્વીકારીએ તો પરમપુરુષની અથવા મુક્ત આત્માની જે પૂર્વની સત્તા છે તે જ સત્તા લય થયા પછી છે એમ કહેવું અસંગત થાય; કેમ કે પૂર્વની સત્તા સત્તાંતરને પામેલ છે તે જ ઉપચય છે, જેમ પૂર્વના ઘીમાં નવા ઘીને પ્રવેશ કરાવવામાં આવે તો પૂર્વના ઘી કરતાં ઉપચય પામેલા ઘીની સત્તા અન્ય છે તેમ કહેવું પડે, એ Page #176 -------------------------------------------------------------------------- ________________ મુત્તાણં મોયગાણું પ્રકારની ન્યાયમુદ્રા છે. આ કથનથી શું સિદ્ધ થયું ? તે સ્પષ્ટ કરતાં કહે છે આ રીતે=૫રમપુરુષ અને મુક્ત એ બેના એકીભાવમાં અન્યતરના અભાવની પ્રાપ્તિ છે એ દોષ છે ઉપચય સ્વીકારવાથી નવી સત્તાની પ્રાપ્તિ છે એ રીતે, સામાન્યથી મુક્તાદિ જીવોનો પરમપુરુષમાં કે આકાશમાં લય નથી જ, એ પ્રકારે લયનો નિષેધ કર્યો એ સ્યાદ્વાદની દૃષ્ટિ છે; કેમ કે પદાર્થને વાસ્તવિક જોનારી દૃષ્ટિ છે અને તેમ કરવાથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં મૂઢતારૂપ જે એકાંત નૃષ્ટિ તે રૂપ જે મોહવિષ પ્રસાર પામતો હતો તેને અટકાવવા માટે પદાર્થના વાસ્તવિક અવલોકનરૂપ સ્યાદ્વાદદ્દષ્ટિ કટકબંધ છે, તેથી જેમ પ્રસ્તુતમાં મુક્ત આત્મા કેવા સ્વીકા૨વા જોઈએ તે અનુભવ અને યુક્તિ અનુસાર બતાવ્યું, તે રીતે સ્યાદ્વાદીએ સર્વ પદાર્થોનું નિપુણપ્રજ્ઞાપૂર્વક સ્યાદ્વાદદ્દષ્ટિથી અવલોકન કરવું જોઈએ, જેથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવાની અંતર્ચક્ષુને બંધ કરીને મૂઢતાથી પદાર્થને જોવાથી આત્મામાં જે અજ્ઞાનવિષ પ્રસરે છે તે અજ્ઞાનવિષ વિસ્તાર પામતું અટકે છે, તે કારણથી=અત્યાર સુધી યુક્તિથી સ્થાપન કર્યું તેવું મુક્તાત્માનું સ્વરૂપ છે તે કારણથી, આ રીતે=ઉક્તનીતિથી, નિમિત્તકર્તૃત્વ દ્વારા અને પરભાવની નિવૃત્તિ દ્વારા તત્ત્વથી મુક્ત આત્માની સિદ્ધિ છે. ૫૩ આશય એ છે કે મુક્ત થયેલા જીવો કોઈ બાહ્ય ભાવોને ક૨તા નથી, પરંતુ મુક્ત આત્માઓનું અવલંબન લઈને સંસારી જીવોમાંથી જે યોગ્ય જીવો છે તેઓ જ્યારે પરમાત્માની પૂજા કરે છે ત્યારે સિદ્ધના જીવોની નિષ્કલ અવસ્થાનું સ્મરણ કરે છે, તેના કારણે તેઓમાં સિદ્ધ અવસ્થાનું પરિશુદ્ધ પ્રણિધાન પ્રગટે છે અર્થાત્ જેવા આ સિદ્ધ ભગવંતો છે તેવા જ નિષ્કલ સ્વરૂપવાળા મારે થવું છે, તેથી તેઓના ગુણોમાં લીન થવા માટે હું દઢ મનોવ્યાપારવાળો થાઉં, તે પ્રકારે પ્રણિધાન કરે છે અને ત્યારપછી પરમપુરુષમાં તન્મય થવા માટે જે યત્ન કરે છે તે પ્રકારની પ્રવૃત્તિનું આલંબન સિદ્ધના જીવો છે, તેથી તેઓમાં નિમિત્તકર્તૃત્વ છે અને મુક્ત થયેલા જીવો પરમપુરુષમાં લય પામતા નથી, પરમપુરુષ સદશ રૂપવાળા થઈને સિદ્ધશિલા ઉપર રહે છે, તેથી તેઓને પરમપુરુષરૂપ પરભાવની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પરમપુરુષ તુલ્ય સ્વ સ્વરૂપમાં રહે છે. તે બંને દ્વારા નિમિત્તકર્તૃત્વ અને પરભાવની નિવૃત્તિ દ્વારા, મુખ્ય વૃત્તિથી ભગવાનની મુક્તાદિની સિદ્ધિ છે=ભગવાન મુક્ત થઈને સિદ્ધશિલામાં રહે છે અને યોગ્ય જીવોને તેમના અવલંબનથી મુક્ત કરાવનાર છે, તેની સિદ્ધિ છે. II૩૦ll લલિતવિસ્તરા : एवं जिनजापकतीर्णतारकबुद्धबोधकमुक्तमोचकभावेन स्वपरहितसिद्धेः, आत्मतुल्यपरफलकर्तृत्वसंपदिति ॥८॥ લલિતવિસ્તરાર્થઃ આ રીતે=પ્રસ્તુત સંપદામાં અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, જિનજાપક, તીર્ણતારક, બુદ્ધબોધક, મુક્તમોચક ભાવથી સ્વ-પરના હિતની સિદ્ધિ હોવાથી આત્મતુલ્ય પરફલકત્વની સંપદા છે. IIII Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧પ૪ લલિતવિસ્તરા ભાગ-૨ ભાવાર્થ : પ્રસ્તુત સંપદામાં અત્યાર સુધી વર્ણન કર્યું એનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાન પોતે જિન છે અને તેમનું આલંબન લેનારને જિતાડનારા છે અર્થાત્ ભગવાને ઘાતકર્મોને જીત્યા છે અને ભગવાનનું આલંબન લઈને જેઓ યત્ન કરે છે તેઓને જિતાડનારા છે. વળી, ભગવાન સંસારસમુદ્રથી તરેલા છે અને તેમનું આલંબન લેનારા જીવોને તારનારા છે, તેથી સંસારથી ભય પામેલા જીવોએ ભગવાનની તીર્ણ અવસ્થાનું દઢ અવલંબન લઈને યત્ન કરવો જોઈએ, જેથી ભગવાન તેઓના તારક બને. વિળી, ભગવાન જગતના પૂર્ણ સ્વરૂપને યથાર્થ જાણનારા છે, તેથી બુદ્ધ છે અને ભગવાનના વચનનું અવલંબન લઈને જેઓ માર્ગાનુસારી યત્ન કરે છે તેઓને બોધ કરાવનારા છે અર્થાતુ પોતાના તુલ્ય કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવનારા છે. વળી, ભગવાન સર્વ કર્મોથી મુક્ત છે અને તેમનું આલંબન લેનારા યોગ્ય જીવોને સર્વ કર્મોથી મુકાવનારા છે, તેથી ભગવાને જિનાદિ ભાવોથી પોતાનું હિત કર્યું છે અને જાપકાદિ ભાવોથી પરનું હિત કરે છે, માટે ભગવાન પોતાના તુલ્ય બીજા જીવોમાં ફલન કરનારા છે તેવી સંપદાની સિદ્ધિ થાય છે અને જેઓ જિણાણે જાવયાણ આદિ પદો દ્વારા ભગવાનના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે તે રીતે સ્તુતિ કરે છે તેમાં પણ તેઓના પ્રણિધાનને અનુરૂપ ભગવાનતુલ્ય થવામાં બાધક કર્મો નાશ પામે છે. સંપદા-દા અવતરણિકા - एतेऽपि बुद्धियोगज्ञानवादिभिः कापिलैरसर्वज्ञा असर्वदर्शिनश्चेष्यन्ते, 'बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते' इति वचनात्, एतनिराकरणायाह - અવતરણિકાર્ય : બુદ્ધિના યોગથી જ્ઞાનને સ્વીકારનારા કપિલના શિષ્યો વડે આ પણ=ભગવાન પણ, અસર્વજ્ઞ અને અસર્વદર્શી ઈચ્છાય છે; કેમ કે બુદ્ધિઅધ્યવસિત અર્થને પુરુષ જાણે છે, એ પ્રકારનું વચન છે, એના કપિલ દર્શનના મતના, નિરાકરણ માટે કહે છે – પંજિકા :__'बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते' इति, अत्र हि सांख्यप्रक्रियाः-सत्त्वरजस्तमोलक्षणास्त्रयो गुणाः, तत्साम्यावस्था प्रकृतिः, सैव च प्रधानमित्युच्यते, प्रकृतेर्महान्, महदिति बुद्धराख्या, महतोऽहङ्कारः आत्माभिमानः, ततः पञ्च बुद्धीन्द्रियाणि श्रोत्रादीनि, वाक्पाणिपादपायूपस्थलक्षणानि पञ्चैव कर्मेन्द्रियाणि, एकादशमिच्छारूपं मनः, तथा पञ्च तन्मात्राणि गन्धरसरूपस्पर्शशब्दस्वभावानि, तन्मात्रेभ्यश्च यथाक्रम भूप्रभृतीनि पञ्च महाभूतानि प्रवर्तन्ते इति, अत्र च प्रकृतिविकारत्वेनाचेतनापि बुद्धिश्चैतन्यस्वतत्त्व Page #178 -------------------------------------------------------------------------- ________________ գիկ સબસૂર્ણ સવદરિસીણં पुरुषोपरागात् सचेतनेवावभासते, तदुक्तं- 'पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम्। मनः करोति सानिध्यादुपाधिः स्फटिकं यथा'।।१॥ अस्य व्याख्या, पुरुषः-आत्मा अविकृतात्मैव-नित्य एव, स्वनिर्भासं-स्वाकारम्, अचेतनं-चैतन्यशून्यं सत् मनः अन्तःकरणं, करोति-विदधाति, सानिध्यात सांनिध्यमात्रेण, निदर्शनमाहउपाधिः-पद्यरागादिः, स्फटिकम् उपलविशेषं, यथा स्वनिर्भासं करोति तत्परिणामान्तरापत्तेः, भोगोऽप्यस्य मनोद्वारक एव, अत्राप्युक्तम्- 'विभक्तेदृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते। प्रतिबिम्बोदयः स्वच्छे, यथा चन्द्रमसोऽम्भसि'। अस्य व्याख्या-विभक्ता चासौ आत्मन ईदृक्परिणतिश्च-प्रतिबिम्बोदयरूपेति विग्रहः, तस्यां सत्यां सैव भोग इत्यर्थः, क्व या परिणतिरित्याह-बुद्धौ अन्तःकरणलक्षणायां, भोगो विषयग्रहणरूपः, अस्य-आत्मनः, कथ्यते आसुरिप्रभृतिभिः । किंवदित्याह- प्रतिबिम्बोदयः प्रतिबिम्बपरिणामः, स्वच्छे निर्मले, यथा चन्द्रमसो वास्तवस्य, अम्भसि-उदके, तद्वदिति। अथ प्रकृतं व्याख्यायते बुद्ध्यध्यवसितम् बुद्ध्या अनन्तरोक्तया, अध्यवसितं-प्रतिपन्नं, अर्थ-शब्दादिविषयं, पुरुषः आत्मा, चेतयते-जानाति, अर्थचेतने बुद्धेरन्तरङ्गकरणत्वात्। પંજિકાર્ચ - કુળધ્યવસિાઈ રત્ના બુદ્ધિઅધ્યવસિત અર્થને પુરુષ જાણે છે, એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – અહીં=બુદ્ધિઅધ્યવસિત અર્થ પુરુષ જાણે છે એના વિષયમાં, સાંખ્ય પ્રક્રિયા આ પ્રમાણે છે – સત્વ, રજસ, તમસ રૂપ ત્રણ ગુણો છે તેની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે અને તે જ પ્રધાન એ પ્રમાણે કહેવાય છે, સ્યાદ્વાદી તેને કર્મરૂપી પ્રકૃતિ કહે છે, પ્રકૃતિમાંથી મહાત્ ઉત્પન્ન થાય છે, મહદ્ એ બુદ્ધિનું નામ છે, મહદમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે=આત્મઅભિમાન થાય છે, તેનાથી પાંચ બુદ્ધિ ઈન્દ્રિયો શ્રોત્રાદિ ઉત્પન્ન થાય છે અને વાણી, હાથ, પગ, પાય, ઉપસ્થરૂપ પાંચ જ કર્મઈન્દ્રિયો ઉત્પન્ન થાય છે, અગ્યારમું ઇચ્છારૂપ મન ઉત્પન્ન થાય છે અને ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ સ્વભાવવાળા પાંચ તત્માત્ર થાય છે અને તે તત્માત્રથી યથાક્રમ ભૂમિ વગેરે પાંચ મહાભૂતો પ્રવર્તે છે અને અહીં પ્રકૃતિના વિકારને કારણે અચેતન પણ બુદ્ધિ ચૈતન્ય સ્વતત્વરૂપ પુરુષના ઉપરાગથી સચેતનની જેમ ભાસે છે= પ્રકૃતિનો વિકાર હોવાથી બુદ્ધિ અચેતન છે તોપણ સ્ફટિકમાં જપાકુસુમનું પ્રતિબિંબ પડે તેમ ચૈતન્ય સ્વતત્વરૂપ જે પુરુષ છે તેનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે તેથી તેનાથી ઉપરંજિત બુદ્ધિ હોવાથી સચેતનના જેવી ભાસે છે, તે કહેવાયું છે, અવિકૃત સ્વરૂપ જ પુરુષ સાંનિધ્યથી અચેતન એવા મનને સ્વનિર્ભસવાળું કરે છે, જે પ્રમાણે ઉપાધિ સ્ફટિકને સ્વનિર્ભસવાળું કરે છે. આવી વ્યાખ્યા આ પ્રમાણે છે – પુરુષ આત્મા છે, અવિકૃતાત્મા જ છે=નિત્ય જ પુરુષ છે, અચેતન=ચૈતન્યશૂન્ય છતાં, મનને અંતઃકરણને, સાંનિધ્યથી=સાંનિધ્યમાત્રથી, સ્વનિર્માસવાળું= સ્વઆકારવાળું કરે છે, દાંતને કહે છે – પદ્મરાગાદિ ઉપાધિ ઉપલવિશેષરૂ૫ સ્ફટિકને જે પ્રમાણે સ્વનિર્માસવાળું કરે છે; કેમ કે તેના પરિણામાંતરની પ્રાપ્તિ છેઃસ્ફટિકના પરિણામાંતરની પ્રાપ્તિ છે, આવો આત્માનો, ભોગ પણ મનોકારક જ છે, અહીં પણ=ભોગના વિષયમાં પણ, કહેવાયું છે – Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ લલિતવિક્તા ભાગ-૨ વિભક્તા ઈદકપરિણતિવાળી બુદ્ધિ હોતે છતે આતો આત્માનો, ભોગ કહેવાય છે, જે પ્રમાણે સ્વચ્છ એવા પાણીમાં ચંદ્રના પ્રતિબિંબનો ઉદય થાય છે. આની વ્યાખ્યા - વિભક્તા એવી આ=બુદ્ધિ, આત્માની ઈદકપરિણતિ છે–પ્રતિબિબના ઉદયરૂપ છે, એ પ્રકારે વિગ્રહ છે=સમાસનો વિગ્રહ છે, તે હોતે છતે તે જ ભોગ છે=આત્માનો ભોગ છે=આત્માથી વિભક્ત એવી બુદ્ધિ છે અને તેમાં આત્માનું પ્રતિબિંબ વર્તે છે તેથી આત્માના પ્રતિબિંબરૂપ પરિણતિવાળી બુદ્ધિ છે, તે જ આત્માનો ભોગ છે, જે પરિણતિ કયાં છે ? એથી કહે છે=આત્માના પ્રતિબિંબરૂપ પરિણતિ કયાં છે ? એથી કહે છે – અંતઃકરણ સ્વરૂપ બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબરૂપ પરિણતિ છે, આનો=આત્માનો, વિષયગ્રહણરૂપ ભોગ આસુરિ વગેરે વડે કહેવાય છે, કોની જેમ કોની જેમ બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે ? એથી કહે છે – જે પ્રમાણે સ્વચ્છ પાણીમાં વાસ્તવિક ચંદ્રના પ્રતિબિંબનો ઉદય વર્તે છે તેની જેમ. હવે અત્યાર સુધી સાંખ્ય પ્રક્રિયા બતાવી હવે, પ્રકૃત વ્યાખ્યાન કરાય છે – બુદ્ધિઅધ્યવસિત= અનંતરમાં કહેવાયેલી બુદ્ધિથી અવ્યવસિત અર્થાત સ્વીકારાયેલો, શબ્દાદિ વિષયરૂપ અર્થ પુરુષ=આત્મા, જાણે છે; કેમ કે અર્થના જ્ઞાનમાં બુદ્ધિનું અંતરંગ કરણપણું છે. ભાવાર્થ - સાંખ્યદર્શનવાળા કપિલ મતના અનુયાયી છે, તેઓ આત્માને એકાંત નિત્ય માને છે અને પ્રકૃતિ આત્માથી ભિન્ન છે, તેમાંથી બુદ્ધિ આદિ પદાર્થો ઉત્પન્ન થાય છે, તેના કારણે સંસારમાં દેખાતી સર્વ વસ્તુની સંગતિ થાય છે અને સંસારમાં જે કંઈ દેખાય છે તે સર્વ પ્રકૃતિનું જ કાર્ય છે, પુરુષ સર્વથા વિકાર વગરનો કૂટસ્થ નિત્ય છે તેમ માને છે અને પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તેથી અચેતન એવી પણ બુદ્ધિ ચેતન જેવી જણાય છે, તેથી તેઓ કહે છે કે બુદ્ધિથી અધ્યવસિત અર્થને પુરુષ જાણે છે અને જેઓ સાંખ્યદર્શનની પ્રક્રિયા અનુસાર સાધના કરે છે તેમનો મોક્ષ થાય છે ત્યારે બુદ્ધિમાં પ્રતિબિંબ પડતું બંધ થાય છે, તેથી પુરુષ કોઈ પ્રકારનું જ્ઞાન કરતો નથી, કેમ કે બુદ્ધિરૂપ અંતઃકરણ દ્વારા જ પુરુષને જ્ઞાન થાય છે અને મુક્ત આત્માને બુદ્ધિરૂપ અંતઃકરણ નથી, તેથી કોઈ બાહ્ય પદાર્થોનું જ્ઞાન પુરુષ કરતો નથી તેથી જેઓ મુક્ત થયા છે તેઓ અસર્વજ્ઞ અને અસર્વદર્શી છે તેમ માને છે. તેઓના મતને નિરાસ કરવા માટે પ્રસ્તુત સૂત્રમાં કહે છેસૂત્રઃ સત્રલૂપ સદ્વરિલીui રૂા સૂત્રાર્થ : સર્વજ્ઞ સર્વદર્શ એવા ભગવાનને નમસ્કાર થાઓ. ll૩૧ લલિતવિસ્તરા - 'सर्वज्ञेभ्यः सर्वदर्शिभ्यः' सर्च जानन्तीति सर्वज्ञाः, सर्वं पश्यन्तीति सर्वदर्शिनः, तत्स्वभावत्वे Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ સભ્રૂણં સવ્વદરિસીણં ૩ ચ ‘સ્થિતઃ सति निरावरणत्वात्, मत्तोऽन्ये मदर्थाश्च गुणा इति अतस्तत्तत्स्वभावत्वसिद्धिः, शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चन्द्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवद् ।। १ ।। इत्यादि । લલિતવિસ્તરાર્થ : સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન છે, સર્વને જાણે છે એથી સર્વજ્ઞ છે, સર્વને જુએ છે એથી સર્વદર્શી છે; કેમ કે તત્ત્વભાવપણું હોતે છતે=આત્માનું સર્વજ્ઞત્વ સર્વદર્શીત્વ સ્વભાવપણું હોતે છતે, નિરાવરણપણું છે, મારાથી અન્ય=પૃથક્ જ્ઞાનાદિ ગુણો છે, અને મારા અર્થવાળા ગુણો છે એથી તત્ તત્ સ્વભાવત્વની સિદ્ધિ છે=ગુણોની દ્રવ્ય સ્વભાવત્વની સિદ્ધિ છે અને કહેવાયું છે ચંદ્રની જેમ જીવ ભાવશુદ્ધિને કારણે પ્રકૃતિથી રહેલો છે અને ચંદ્રિકાની જેવું વિજ્ઞાન છે અને તેનું આવરણ=વિજ્ઞાનનું આવરણ, વાદળાની જેમ છે. ઈત્યાદિ=જીવના સ્વરૂપને કહેનારા અન્ય ક્શનનો આદિથી સંગ્રહ છે. — પંજિકા ઃ 'मत्तोऽन्ये मदर्थाश्चेत्यादि; इह किलैकदा भगवानर्हन् द्रव्यान् पर्यायान् भिन्नानभिन्नांश्च स्वशिष्येभ्य आचिख्यासुरात्मानमेवातिसन्निहिततयोद्दिश्याह- मत्तो = मत्सकाशाद्, अन्ये= पृथक्, गुणाः = ज्ञानदर्शनोपयोगादयः, लक्षणसंख्याप्रयोजनसंज्ञाभेदात्, तथाहि - 'गुणपर्यायवद् द्रव्यमिति (तत्त्वार्थ. ५-३७) लक्षणोऽहं, 'द्रव्याश्रया निर्गुणा गुणाः' (तत्वार्थ. ५-४० ) इतिलक्षणाश्च गुणाः, एकोऽहमनेके गुणाः, बन्धमोक्षादिक्रियाफलवानहं विषयावगमादिफलाश्च गुणाः, अर्हत्तीर्थकरपारगतादिशब्दवाच्योऽहं धर्म्मपर्यायादिशब्दवाच्याश्च गुणाः, मदर्थाश्चेति, अहमर्थः साध्यं येषां ते तथा, न हि गुणवृत्तिविलक्षणा काचिदैकान्तिकी ममापि प्रवृत्तिरस्ति तथाप्रतिभासात् । 'इति' वाक्यपरिसमाप्तौ । अत = एतद्वाक्यात्, तत्तत्स्वभावत्वसिद्धिः = तेषां गुणानां तत्स्वभावत्वसिद्धिः - द्रव्यस्वभावत्वसिद्धिः । પંજિકાર્થ : ‘મત્તોડન્ટે મર્ભાગ્યે’ ..... દ્રવ્યસ્વમાવત્વસિદ્ધિ: ।। મત્તોડન્ટે મર્વાશ્વેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, અહીં=સંસારમાં, એકવાર ખરેખર ભિન્ન-અભિન્ન દ્રવ્યોને અને પર્યાયોને સ્વશિષ્યોને કહેવાની ઇચ્છાવાળા અરિહંત ભગવાન મહાવીર અતિસંનિહિતપણું હોવાને કારણે પોતાને જ ઉદ્દેશીને કહે છે. મારાથી અન્ય=પૃથક્, ગુણો=જ્ઞાનદર્શનઉપયોગાદિ છે; કેમ કે લક્ષણ સંખ્યા, પ્રયોજન અને સંજ્ઞાનો ભેદ છે, તે આ પ્રમાણે – ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે એ પ્રમાણે લક્ષણવાળો હું છું અને દ્રવ્યના આશ્રયવાળા નિર્ગુણ ગુણો છે, એ લક્ષણવાળા ગુણો છે, હું એક છું, ગુણો અનેક છે, બંધ, મોક્ષ આદિ ક્રિયાના ફુલવાળો હું છું, વિષયના અવગમાદિ લવાળા ગુણો છે, અરિહંત, તીર્થંકર, પારગત આદિ શબ્દથી વાચ્ય હું છું, ધર્મ, પર્યાય આદિ શબ્દોથી વાચ્ય ગુણો છે=દ્રવ્યના ધર્મો છે દ્રવ્યના પર્યાયો છે ઇત્યાદિ શબ્દ વાચ્ય ગુણો છે, અને મ ્ અર્થવાળા ગુણો છે=‘હું' અર્થ અર્થાત્ સાધ્ય છું જેઓને તે તેવા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ લલિતવિસ્તરા ભાગ-૨ છે=મ અર્થવાળા છે, શિ=જે કારણથી, ગુણવૃત્તિથી વિલક્ષણ કોઈક એકાંતિકી મારી પણ પ્રવૃત્તિ નથી; કેમ કે તે પ્રકારે પ્રતિભાસ છે=ગુણમાં મારી પ્રવૃત્તિ છે તે પ્રકારે પ્રતિભાસ છે, “ત્તિ' વાક્ય પરિસમાપ્તિમાં છે, આથી આ વાક્યથી=મારાથી અન્ય ગુણો છે અને મદ્ અર્થવાળા ગુણો છે એ વાક્યથી, તત્ તત્ સ્વભાવત્વની સિદ્ધિ છે–તે ગુણોના દ્રવ્યસ્વભાવત્વની સિદ્ધિ છે=જીવદ્રવ્યના સ્વભાવત્વની સિદ્ધિ છે. ભાવાર્થ: ભગવાન સર્વને જાણે છે માટે સર્વજ્ઞ છે અને સર્વને જુએ છે, તેથી સર્વદર્શી છે. કેમ ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી છે તેમાં મુક્તિ આપે છે – સર્વજ્ઞ સર્વદર્શી જીવનો સ્વભાવ છે અને ભગવાને સાધના કરીને તે સ્વભાવને આવરનારાં કર્મોનો નાશ કર્યો છે, એથી નિરાવરણ છે અને નિરાવરણ હોવાને કારણે ભગવાનમાં સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ અભિવ્યક્ત થયો છે, આ પ્રમાણે કહેવાથી સાંખ્ય મતનો નિરાસ થાય છે; કેમ કે સાંખ્યદર્શનકારો બુદ્ધિથી પુરુષને જ્ઞાન થાય છે તેમ માને છે, પરંતુ પુરુષનો જ્ઞાન સ્વભાવ નથી અને મુક્ત આત્માને કર્મની પ્રકૃતિજન્ય બુદ્ધિ નથી, તેથી જ્ઞાન કરવાનું સાધન બુદ્ધિરૂપ અંતઃકરણ નથી, માટે મુક્ત આત્માને જ્ઞાન નથી તેમ કહે છે તેનું નિરાકરણ થાય છે; કેમ કે જ્ઞાન દર્શન એ જીવનો સ્વભાવ છે અને સંસારઅવસ્થામાં તે આવૃત્ત હતો અને મુક્ત આત્માને તે આવરણનો ક્ષય થવાથી પોતાનો જ્ઞાન-દર્શન સ્વભાવ પ્રગટ થયો. અહીં પ્રશ્ન થાય કે આત્માનો જ્ઞાન-દર્શન સ્વભાવ છે તે કઈ રીતે સ્વીકારી શકાય ? તેથી કહે છે – ભગવાને પોતાના શિષ્યોને દ્રવ્ય પર્યાયો કથંચિત્ ભિન્ન છે અને કથંચિ અભિન્ન છે તેનો બોધ કરાવવા માટે પોતાના આત્માને ઉદ્દેશીને કહેલું છે કે મારાથી અન્ય ગુણો છે, તેથી આત્માથી ગુણ ભિન્ન છે. કેમ પોતાનાથી ગુણો ભિન્ન છે ? તેમાં યુક્તિ આપે છે – ગુણોનું લક્ષણ અને આત્માનું લક્ષણ ભિન્ન છે અર્થાત્ ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે એ આત્માનું લક્ષણ છે, વળી, દ્રવ્યના આશ્રયવાળા અને ગુણ રહિત ગુણો છે એ પ્રકારે ગુણનું લક્ષણ છે, તેથી લક્ષણના ભેદથી આત્મા અને ગુણોનો ભેદ છે. વળી, પોતાનો આત્મા એક છે અને ગુણો અનેક છે, તેથી આત્માની સંખ્યા અને ગુણની સંખ્યાના ભેદને કારણે આત્માથી ભિન્ન ગુણો છે. બંધ, મોક્ષ આદિની ક્રિયાના ફલવાળો હું છું બંધની ક્રિયા કરીને બંધના ફલવાળો હું છું, મોક્ષની ક્રિયા કરીને મોક્ષના ફલવાળો હું છું અને વિષયના બોધાદિ ફલવાળા ગુણો છે જીવમાં વર્તતો જ્ઞાનગુણ વિષયના બોધના ફલવાળો છે, વળી, જીવનો વીર્ય ગુણ પુદ્ગલો સાથે સંશ્લેષના પરિણામરૂપ ફલવાળો છે, આ રીતે આત્માનું પ્રયોજન=બંધ-મોક્ષ આદિ ક્રિયાના ફલરૂપ પ્રયોજન, ભિન્ન છે અને ગુણોનું પ્રયોજન=વિષયના અવગમાદિ ફલરૂપ પ્રયોજન, ભિન્ન છે, તેથી પ્રયોજનના ભેદથી ગુણો આત્માથી ભિન્ન છે, વળી, અરિહંત, તીર્થકર, પારગત આદિ શબ્દોથી વાચ્ય હું છું=ભગવાન છે, અને આત્માનો ધર્મ, આત્માના પર્યાયો આદિ શબ્દથી વાચ્ય ગુણો છે, તેથી આત્માને કહેનારી સંજ્ઞા જુદી છે અને ગુણોને કહેનારી સંજ્ઞા જુદી છે, તેથી આત્માથી ભિન્ન ગુણો છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સવર્ણ સબૂદરિણીય વળી, આત્માથી ગુણો અભિન્ન કઈ રીતે છે? તે બતાવવા માટે કહે છે – હું જ ગુણોને માટે સાધ્ય છું, તેથી મારા અર્થવાળા ગુણો છે, તેથી ગુણોમાં વર્તનથી વિલક્ષણ મારી કોઈ એકાંત પ્રવૃત્તિ નથી, પરંતુ ગુણમાં વર્તવા રૂપ જ મારી પ્રવૃત્તિ છે, તેથી ગુણથી હું અભિન્ન છું, એથી ગુણથી કથંચિત્ ભેદને અને કથંચિત્ અભેદને કહેનારા ભગવાનના વચનથી ગુણો આત્મારૂપ દ્રવ્યનો સ્વભાવ છે તેમ સિદ્ધ થાય છે, માટે ભગવાનનો જ્ઞાન-દર્શન સ્વભાવ છે, વળી, તેમાં સાક્ષી આપે છે – પ્રકૃતિથી જીવ શીતલ ચંદ્ર જેવો છે, તેથી જેમ ચંદ્રમાં સહજ શીતલતા વર્તે છે તેમ જીવમાં કષાયોના સંતાપ વગરની શીતલતા સહજ વર્તે છે અને ચંદ્રમાં જેમ ચંદ્રિકા છે તેમ જીવમાં વિજ્ઞાન વર્તે છે અને ચંદ્રની ચંદ્રિકાને વાદળાંઓ આવૃત્ત કરે છે તેમ સંસારી જીવોમાં વર્તતા ચંદ્રિકા જેવા વિજ્ઞાનને વાદળાં જેવાં આવરણ આવૃત્ત કરે છે, એથી સંસારી જીવનો સ્વભાવ કેવલજ્ઞાન કેવલદર્શન સ્વરૂપ છે, ફક્ત કર્મથી આવૃત્ત હોવાને કારણે અપ્રગટ છે અને ભગવાને આવરણનો ક્ષય કર્યો છે, તેથી ભગવાનમાં કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ વર્તે છે. લલિતવિસ્તરા - 'न करणाभावे कर्ता तत्फलसाधकः' इत्यप्यनैकान्तिकम्, परिनिष्ठितप्लवकस्य तरकाण्डाभावे प्लवनसंदर्शनादिति, न चौदयिकक्रियाभावरहितस्य ज्ञानमात्राद् दुःखादयः, तथानुभवतस्तत्स्वभावत्वोपपत्तेः। લલિતવિસ્તરાર્થ: કરણના અભાવમાં=બુદ્ધિરૂપ કરણના અભાવમાં, કર્તા=મુક્ત આત્મારૂપ કર્તા, તત્ ફલસાધક નથી ચૈતન્યના બોધરૂપ ફલનો સાધક નથી, એ પણ અનેકાંતિક છે=એ પ્રકારનું સાંખ્યદર્શનનું વચન પણ વ્યભિચારી છે; કેમ કે પરિનિષ્ઠિત પ્લવકનું તરવાની ક્રિયામાં કુશળબનેલા તરવૈયાનું, તરકાંડના અભાવમાં કરણરૂપ નાવના અભાવમાં, પ્લવનનું દર્શન છે તરણનું દર્શન છે અને ઔદયિક ક્રિયાના ભાવ રહિત જીવને=ઔદયિક ક્રિયા વગરના સિદ્ધના જીવને, જ્ઞાનમાત્રથી દુઃખાદિ નથી; કેમ કે તે પ્રકારના અનુભવથી જ્ઞાનમાત્રથી દુઃખાદિ થાય છે તે પ્રકારના અનુભવથી, તત્રસ્વભાવત્વની ઉપપતિ છે=દુઃખાદિના ઔદયિક ક્રિયાના અભાવરૂપ સ્વભાવત્વની ઉપપત્તિ છે. પંજિકા - अर्थचेतने पुरुषस्य किल बुद्धिः करणं, प्रकृतिवियोगे च मुक्तावस्थायां करणाभावान्न सर्वज्ञत्वं सर्वदर्शित्वं वा संभवतीतिपराकूतनिराकरणायोवाच__'नच करणे'त्यादि। सुगमं चैतत्। ननु नीलपीतादय इव बहिरर्थधर्मा दुःखद्वेषशोकवैषयिकसुखादयः; ततो मुक्तावस्थायां सर्वज्ञत्वसर्बदर्शित्वाभ्युपगमे बहिरर्थवेदनवेलायां सर्वदुःखाद्यनुभवस्तस्य प्राप्नोतीत्याशङ्कापरिहारायाह- 'न चौदयिके 'त्यादि, न च नैव, औदयिकक्रियाभावरहितस्य-असद्वेद्यादिकर्मपाकप्रभवस्वपरिणामरहितस्य, ज्ञानमात्रात्=परिज्ञानादेव, दुःखादयो दुःखद्वेषादयः, हेतुमाह- तथानुभवतः=ज्ञानमात्रादेव Page #183 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ દુઃવાઘનુભવતઃ (પ્ર... ૩:લાઘનુમવાન્) તત્વભાવત્વોપપોઃ ૩:ઘાવીનામોચિક્રિયાઽભાવસ્વમાવ त्वोपपत्तेरिति । પંજિકાર્થ : अर्थतने ભાવસ્વમાવત્વોષપત્તેિિત ।। અર્થના બોધમાં ખરેખર ! પુરુષની બુદ્ધિ કરણ છે=પુરુષ બુદ્ધિરૂપ સાધન દ્વારા અર્થનો બોધ કરે છે, અને પ્રકૃતિનો વિયોગ થયે છતે=સાધના કરીને મુક્ત થયેલા જીવોની સાથે પ્રકૃતિનો વિયોગ થયે છતે, મુક્ત અવસ્થામાં કરણનો અભાવ હોવાથી=પ્રકૃતિજન્ય બુદ્ધિરૂપ કરણનો અભાવ હોવાથી, સર્વજ્ઞપણું અને સર્વદર્શિપણું સંભવતું નથી એ પ્રકારના પરવા આશયના નિરાકરણ માટે કહે છે • ન ચ રોત્સાહિ લલિતવિસ્તરાનું પ્રતીક છે અને એ=લલિતવિસ્તરાનું એ કથન, સુગમ છે. - ૧૬૦ = નન્નુથી શંકા કરે છે — નીલપીતાદિની જેમ બાહ્ય અર્થરૂપ ધર્મો દુઃખ-દ્વેષ-શોક-વૈષયિક સુખાદિ છે, તેથી મુક્ત અવસ્થામાં સર્વજ્ઞત્વ સર્વદર્શિત્વ સ્વીકાર કરાયે છતે બાહ્ય અર્થના વેદનવેળામાં સર્વ દુઃખાદિનો અનુભવ તેઓનેમુક્ત આત્માઓને, પ્રાપ્ત થશે એ પ્રકારની આશંકાના પરિહાર માટે લલિતવિસ્તરામાં કહે છે – = – ન ચોવિòત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે — ઔદાયિક ક્રિયાના ભાવથી રહિત જીવને=અસદ્વૈધ આદિ કર્મના વિપાકથી પ્રભવ એવા સ્વપરિણામ રહિત જીવને, જ્ઞાનમાત્રથી= પરિક્ષાનથી જ, દુ:ખાદિ નથી જદુઃખ દ્વેષાદિ ભાવો નથી જ, હેતુને કહે છે=ઔદાયિક ક્રિયાના ભાવથી રહિત જીવને જ્ઞાનમાત્રથી દુઃખાદિ નથી, તેમાં હેતુને કહે છે – તે પ્રકારના અનુભવથી=જ્ઞાનમાત્રથી જ દુ:ખાદિના અનુભવનથી, તત્વભાવત્વની ઉપપત્તિ છેદુઃખાદિની ઔદયિક ક્રિયાના અભાવ સ્વભાવત્વની ઉપપત્તિ છે=જ્ઞાનમાત્રથી જ દુઃખાદિનો અનુભવ થાય છે તેમ તમે સાંખ્યદર્શનવાદીઓ સ્વીકારો તો દુઃખાદિના ઔદાયિક ક્રિયાના અભાવસ્વભાવત્વની ઉપપત્તિ થાય. ભાવાર્થ = ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું કે આત્માનો જ્ઞાનદર્શન સ્વભાવ છે અને મુક્ત આત્મા નિરાવૃત્ત છે, તેથી સિદ્ધના જીવો સર્વજ્ઞ સર્વદર્શી છે, ત્યાં સાંખ્યદર્શનકાર કહે છે કે અર્થને બોધ ક૨વામાં પુરુષને બુદ્ધિ કરણ છે અને મુક્ત આત્માઓને પ્રકૃતિનો વિયોગ થયેલો હોવાથી બુદ્ધિરૂપ કરણનો અભાવ છે, તેથી મુક્ત આત્મા અર્થનો બોધ કરી શકે નહિ, તેને ગ્રંથકારશ્રી કહે છે = કરણના અભાવમાં કર્તા તત્ ફલનો સાધક નથી, એ પ્રકારનું સાંખ્યદર્શનકારનું વચન અનેકાંતિક છે અર્થાત્ પુરુષ જ્ઞાનસ્વરૂપ છે છતાં બુદ્ધિરૂપ કરણથી જ બોધ કરી શકે છે તેવો એકાંત સ્થાપન થઈ શકે નહિ; કેમ કે કોઈ તરવૈયો તરવામાં કુશળ હોય તો નાવરૂપ કરણ વગર પણ નદીને તરી શકે છે અને અકુશળ હોય એવો પુરુષ નાવથી તરી શકે છે એ પ્રકારે અનુભવથી દેખાય છે, તેમ જે જીવોનાં Page #184 -------------------------------------------------------------------------- ________________ સાબાસં સવદરિસી ૧૬૧ જ્ઞાનાવરણીય આદિ કર્મો કંઈક વિદ્યમાન છે તેઓ બુદ્ધિરૂપી કરણથી જોય પદાર્થનો બોધ કરી શકે છે, તોપણ કુશળ તરવૈયાની જેમ જેઓએ ઘાતકર્મો નાશ કર્યો છે તેવા મુક્ત જીવો બુદ્ધિરૂપી કરણ વગર પણ પોતાના જ્ઞાનના ફળરૂપે શેયનો બોધ કરી શકે છે, તેથી સંસારી જીવોના અનુભવ અનુસાર નાવરૂપી કરણથી જ તરી શકાય તેમ એકાંતે કહી શકાય નહિ, તે રીતે સંસારી જીવોને બુદ્ધિરૂપી કરણથી બોધ થાય છે, તેથી મુક્ત આત્માઓને બુદ્ધિરૂપી કરણ નથી, માટે બોધ થતો નથી તેમ કહી શકાય નહિ. અહીં સાંખ્યદર્શનકાર કહે કે નીલપીતાદિ બાહ્ય અર્થના ધર્મો છે તેમ દુઃખ, શોક વૈષયિક સુખાદિ પણ બાહ્ય અર્થોના ધર્મો છે અને મુક્ત અવસ્થામાં સર્વજ્ઞ-સર્વદર્શિપણું સ્વીકારવામાં આવે તો બાહ્ય અર્થની વેદનવેળામાં મુક્ત આત્માને સર્વ દુઃખાદિના અનુભવની પ્રાપ્તિ થાય અર્થાત્ જેમ સંસારી જીવોને ઇન્દ્રિયોને પ્રતિકૂળ અર્થના બોધથી દુઃખ-દ્વેષાદિ થાય છે તેમ મુક્ત આત્માઓને પણ જો સર્વજ્ઞ સર્વદર્શી સ્વીકારશો તો બાહ્ય અર્થના બોધકાળમાં સર્વ પ્રકારના દુઃખાદિના અનુભવની પ્રાપ્તિ થશે, જેમ સંસારી જીવોને દૂર રહેલા પણ પ્રતિકૂળ અર્થોના દર્શનથી દુઃખ-દ્વેષાદિ થાય છે, તેના નિરાકરણ માટે કહે છે – ઔદયિક ક્રિયાના ભાવથી રહિત જીવને જ્ઞાનમાત્રથી દુઃખાદિ થતા નથી અર્થાત્ સંસારી જીવોને બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષના પરિણામરૂપ ઔદયિક ક્રિયા છે, તેથી ઇન્દ્રિયોથી પ્રતિકૂળ પદાર્થોનું દર્શન થાય છે ત્યારે તે જીવોમાં તે પ્રકારના કર્મના વિપાકથી થયેલ ઔદયિક ભાવની ક્રિયા થાય છે તેનાથી દુઃખ-દ્વેષાદિ થાય છે, પરંતુ સિદ્ધના જીવોને તેવા પ્રકારના કર્મના વિપાકથી થયેલી ઔદયિક ક્રિયા નથી, પરંતુ આત્માનો જ્ઞાન સ્વભાવ છે, તેથી શેયનો તેમને બોધ થાય છે તોપણ દુઃખાદિ ભાવો થતા નથી, આથી જ સિદ્ધના જીવોને નરકના જીવોની કારમી યાતના સ્પષ્ટ દેખાય છે, તો પણ તેના દર્શનથી વિહ્વળતા આદિ કોઈ ભાવો થતા નથી અને દેવલોકમાં દેવોનાં રૂપો કે અપ્સરાઓ આદિનાં રૂપો પણ પ્રત્યક્ષ દેખાય છે, તોપણ તે ભાવોના દર્શનથી રાગાત્મક સુખના ભાવોનું કોઈ વેદન થતું નથી. અને જો જ્ઞાનમાત્રથી દુઃખાદિનો અનુભવ સ્વીકારવામાં આવે તો દુઃખાદિ ઔદયિક ક્રિયાના અભાવ સ્વભાવવાળા છે તેમ માનવાની આપત્તિ આવે, વસ્તુતઃ સંસારી જીવોને બાહ્ય પદાર્થોના જ્ઞાનથી જે દુઃખાદિ થાય છે તેનું કારણ દુઃખાદિમાં ઔદયિક ક્રિયાનું સ્વભાવત્વ છે અર્થાત્ ઔદયિક ક્રિયાના કારણે જ જ્ઞાનમાં દુઃખાદિનું વદન થાય છે, તેથી સિદ્ધના જીવોને ઔદયિક ક્રિયા નહિ હોવાથી જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન થવા છતાં તે પ્રકારનાં દુઃખ, દ્વેષ, શોકાદિનું વદન થતું નથી, પરંતુ સિદ્ધના જીવો પોતાના નિરાકુળ સ્વભાવમાં જ સદા સ્થિર છે. લલિતવિસ્તરા : अन्यस्त्वाह- ज्ञानस्य विशेषविषयत्वाद् दर्शनस्य च सामान्यविषयत्वात् तयोः सर्वार्थविषयत्वमयुक्तं, तदुभयस्य सर्वार्थविषयत्वादिति, उच्यते, न हि सामान्यविशेषयोर्भेद एव, किन्तु त एव पदार्थाः समविषमतया संप्रज्ञायमानाः सामान्यविशेषशब्दाभिधेयतां प्रतिपद्यन्ते, ततश्च त एव ज्ञायन्ते त एव दृश्यन्ते इति युक्तं ज्ञानदर्शनयोः सर्वार्थविषयत्वमिति। आह- ‘एवमपि ज्ञानेन विषमताधर्मविशिष्टा एव गम्यन्ते, न समताधर्मविशिष्टा अपि, तथा Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ લલિતવિસ્તરા ભાગ-૨ दर्शनेन च समताधर्मविशिष्टा एव गम्यन्ते, न विषमताधर्मविशिष्टा अपि, ततश्च ज्ञानेन समताख्यधर्माग्रहणाद् दर्शनेन च विषमताख्यधाग्रहणाद्, धर्माणामपि चार्थत्वाद्, अयुक्तमेव तयोः सर्वार्थविषयत्वमिति,' न, धर्मधर्मिणोः सर्वथा भेदानभ्युपगमात्, ततश्चाभ्यन्तरीकृतसमताख्यधर्माण एव विषमताधर्मविशिष्टा ज्ञानेन गम्यन्ते, तथा, अभ्यन्तरीकृतविषमताख्यधर्माण एव च समताधर्मविशिष्टा दर्शनेन गम्यन्ते इत्यतो न दोषः, एतदुक्तं भवति- जीवस्वाभाव्यात् सामान्यप्रधानमुपसर्जनीकृतविशेषमर्थग्रहणं दर्शनमुच्यते, तथा विशेषप्रधानमुपसर्जनीकृतसामान्यं च ज्ञानमिति कृतं विस्तरेण। લલિતવિસ્તરાર્થ : વળી, અન્ય કહે છે – જ્ઞાનનું વિશેષ વિષયપણું હોવાથી અને દર્શનનું સામાન્ય વિષયપણું હોવાથી તે બેનું જ્ઞાન-દર્શનનું, સર્વાર્થવિષયપણું અયુક્ત છે=જ્ઞાન અને દર્શન પ્રત્યેનું સર્વાર્થવિષયપણું અયુક્ત છે; કેમ કે તદુભયનું જ્ઞાન-દર્શન ઉભયનું, સર્વાર્થવિષયપણું છે. કૃતિ શબ્દ અન્યના કથનની સમાપ્તિ માટે છે. ઉત્તર આપે છે=અન્યએ કેવલજ્ઞાન અને કેવલદર્શન અસર્વાર્થ વિષય છે એ પ્રકારનો દોષ આપ્યો તેનું નિરાકરણ કરવા માટે ઉત્તર આપે છે – સામાન્ય-વિશેષનો ભેદ નથી જ, પરંતુ તે જ પદાર્થો સમ-વિષમપણાથી જણાતા સામાન્યવિશેષ શબ્દની અભિધેયતાને પ્રાપ્ત કરે છે અને તેથી સામાન્ય-વિશેષાત્મક રહેલા પદાર્થો સામાન્ય-વિશેષ શબ્દની અભિધેયતાને પ્રાપ્ત કરે છે તેથી, તેઓ જ જણાય છે, તેઓ જ દેખાય છે, એથી જ્ઞાન-દર્શનનું સર્વાર્થવિષયપણું યુક્ત છે=જોવાનો વિષય પણ સર્વ પદાથો છે અને જ્ઞાનનો વિષય પણ સર્વ પદાર્થો છે, તેથી જ્ઞાનદર્શનનું સર્વાર્થવિષયપણું યુક્ત છે, રૂતિ શબ્દ ૩થી કરાયેલા કથનની સમાપ્તિ માટે છે. આથી પૂર્વપક્ષી કહે છે – આ રીતે પણ=પૂર્વમાં જ્ઞાનની અને દર્શનની સર્વાર્થવિષયતા બતાવી એ રીતે પણ, જ્ઞાનથી વિષમતાધર્મ વિશિષ્ટ વિષયો જ જણાય છે=વિષમતાધર્મ વિશિષ્ટ સર્વ શેય ધમ જણાય છે, સમતાધર્મ વિશિષ્ટ પણ જણાતા નથી=દરેકમાં જે સમાનતા છે તે રૂપ ધર્મથી વિશિષ્ટ સર્વ પદાર્થો જ્ઞાનથી જણાતા નથી, અને તે પ્રકારે દર્શનથી સમતાધર્મ વિશિષ્ટ જ જણાય છે સમતાધર્મ વિશિષ્ટ સર્વ પદાર્થો જણાય છે, વિષમતાધર્મ વિશિષ્ટ પણ સર્વ પદાર્થો જણાતા નથી અને તેથી જ્ઞાનથી વિષમતાધર્મ વિશિષ્ટ પદાર્થો જણાય છે અને દર્શનથી સમતાધર્મ વિશિષ્ટ પદાર્થો જણાય છે તેથી, જ્ઞાન દ્વારા સમતા નામના ધર્મનું અગ્રહણ હોવાથી, દર્શનથી વિષમતા નામના ધર્મનું અગ્રહણ હોવાથી અને ધર્મોનું પણ અર્થપણું હોવાથી=પદાર્થનું સ્વરૂપપણું હોવાથી, તે બેનું=જ્ઞાન-દર્શન બંનેનું, સર્વાર્થવિષયપણું અયુક્ત જ છે=જ્ઞાન અને દર્શનનું પૃથફ રૂપે સર્વાર્થવિષયપણું અયુક્ત જ છે. તિ શબ્દ સાદથી કરેલા પૂર્વપક્ષીના કથનની સમાપ્તિ માટે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – Page #186 -------------------------------------------------------------------------- ________________ સવજૂર્ણ સવદરિસીમાં ૧૬૩ એમ ન કહેવું; કેમ કે ધર્મ-ધર્મના સર્વથા ભેદનો અનભ્યપગમ છે અને તેથી ધર્મ-ધર્મનો કથંચિત્ અભેદ છે તેથી, અત્યંતરીત સમતા નામના ધર્માવાળા જ વિષમતાધર્મ વિશિષ્ટ એવા પદાર્થો જ્ઞાનથી જણાય છે, અને અત્યંતરીત વિષમતાખ્ય ધર્મવાળા જ સમતાધર્મ વિશિષ્ટ પદાર્થો દર્શનથી જણાય છે, એથી દોષ નથી=જ્ઞાનને અને દર્શનને પ્રત્યેકને સર્વાર્થવિષયક સ્વીકારવામાં દોષ નથી. આ= આગળ કહે છે એ, કહેવાયેલું થાય છે – જીવ સ્વાભાવ્યથી=જીવનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી, સામાન્ય પ્રધાનવાળા અને ગૌણ કરાયેલા વિશેષવાળા અર્થનું ગ્રહણ દર્શન કહેવાય છે અને વિશેષ પ્રધાનવાળા અને ગૌણ કરાયેલા સામાન્યવાળા અર્થનું ગ્રહણ જ્ઞાન કહેવાય છે, એથી વિસ્તારથી સર્યું. ભાવાર્થ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે આત્માનો જ્ઞાન-દર્શન સ્વભાવ છે અને મુક્ત આત્માઓ નિરાવરણ છે, તેથી તેઓમાં કેવલજ્ઞાન કેવલદર્શન વર્તે છે અને કેવલજ્ઞાનનો અર્થ સંપૂર્ણ શેયનું જ્ઞાન છે તેમ બતાવેલ છે અને કેવલદર્શનનો અર્થ સંપૂર્ણ પદાર્થોનું દર્શન છે તેમ બતાવેલ છે, ત્યાં અન્ય શંકા કરે છે – જ્ઞાન વિશેષ વિષયવાળું છે અને દર્શન સામાન્ય વિષયવાળું છે, તેથી જ્ઞાન વિશેષ વિષયને જાણે છે, સામાન્ય વિષયને જાણતું નથી અને દર્શન સામાન્ય વિષયને જુએ છે, વિશેષ વિષયને જોતું નથી એવો અર્થ પ્રાપ્ત થાય, તેથી જ્ઞાન સર્વ શેયના વિષયવાળું છે અને દર્શન સર્વ શેયને જોનારું છે તેમ કહી શકાય નહિ, પરંતુ જ્ઞાન-દર્શન ઉભય સર્વ અર્થના વિષયવાળાં છે તેમ માનવું પડે, એથી કેવલજ્ઞાન પણ સર્વ અર્થના વિષયવાળું નથી અને કેવલદર્શન પણ સર્વ અર્થના વિષયવાળું નથી એમ માનવાની આપત્તિ આવે, તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – સામાન્ય-વિશેષનો ભેદ જ નથી, પરંતુ તે જ પદાર્થો સમપણાથી અને વિષમપણાથી જણાતા સામાન્ય અને વિશેષ શબ્દની વિષયતાને પામે છે, તેથી જગતવર્તી સર્વ પદાર્થો સમરૂપે દર્શનથી દેખાય છે અને તેના તે જ સર્વ પદાર્થો વિષમપણારૂપે જ્ઞાનથી જણાય છે, તેથી જ્ઞાનના વિષયભૂત પણ સર્વ પદાર્થો છે અને તેના તે જ સર્વ પદાર્થો દર્શનના વિષયભૂત પણ છે, તેથી જ્ઞાન પણ સર્વાર્થવિષયવાળું છે અને દર્શન પણ સર્વાર્થવિષયવાળું છે. અહીં પૂર્વપક્ષી શંકા કરે છે – આ રીર્ત જગતવર્તી સર્વ પદાર્થો સમપણાથી જણાય ત્યારે દર્શન કહેવાય છે અને તેના તે જ પદાર્થો વિષમપણાથી જણાય છે ત્યારે જ્ઞાન કહેવાય છે એમ કહીને જ્ઞાન-દર્શનનું સર્વાર્થવિષયપણું સ્થાપન કર્યું એ રીતે પણ જ્ઞાનથી વિષમતાધર્મ વિશિષ્ટ જ જગતવર્તી સર્વ પદાર્થો જણાય છે, પરંતુ જ્ઞાનથી સમતાધર્મ વિશિષ્ટ પણ તે પદાર્થો જણાતા નથી તેમ પ્રાપ્ત થાય અને દર્શનથી જગતવર્તી સર્વ પદાર્થો સમતાધર્મ વિશિષ્ટ જ જણાય છે, તોપણ વિષમતાધર્મ વિશિષ્ટ પણ તે પદાર્થો જણાતા નથી અને જેમ પદાર્થો વસ્તુરૂપે સત્ છે તેમ પદાર્થમાં રહેલા ધર્મો પણ વસ્તુરૂપે સતું છે, તેથી જ્ઞાન-દર્શન પૃથફ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ લલિતવિસ્તરા ભાગ-૨ રૂપે સર્વ ધર્મોને ગ્રહણ કરતાં નથી, પરંતુ દર્શન સામાન્ય ધર્મ વિશિષ્ટ જ પદાર્થને ગ્રહણ કરે છે, તેથી દર્શન અસર્વાર્થવિષયવાળું છે અને જ્ઞાન પણ વિષમતાધર્મ વિશિષ્ટ જ વસ્તુને ગ્રહણ કરે છે, તેથી જ્ઞાન પણ અસર્વાર્થવિષયવાળું છે, તેથી જ્ઞાન-દર્શન બંનેને પૃથક રૂપે સર્વાર્થવિષયવાળા કહી શકાય નહિ, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ધર્મ-ધર્મીનો સર્વથા ભેદ સ્યાદ્વાદી સ્વીકારતા નથી, તેથી ધર્મો સ્વરૂપ જ ધર્મ છે, માટે જ્ઞાન જ્યારે વિષમતાધર્મ વિશિષ્ટ વસ્તુને જાણે છે ત્યારે પણ સમાનતારૂપ ધર્મો ગૌણરૂપે તે વસ્તુમાં જણાય જ છે, તેથી કેવલજ્ઞાનમાં દ્રવ્યથી પૃથક રૂપે પર્યાય જણાતા નથી, પરંતુ દ્રવ્ય સાથે સંશ્લિષ્ટ સ્વરૂપવાળા જ પર્યાયો જણાય છે, તેથી જ્ઞાનનો વિષય પણ સર્વ દ્રવ્યોથી સંશ્લિષ્ટ તે તે દ્રવ્યના પર્યાયો છે, માટે જ્ઞાન સર્વાર્થવિષયવાળું છે, વળી, દર્શનથી સતાધર્મ વિશિષ્ટ પદાર્થોને કેવલી જુએ છે ત્યારે પણ તે દ્રવ્યો વિષમતા ધર્મથી પૃથફ નથી, પરંતુ કેવલીને વિષમતાધર્મથી સંશ્લિષ્ટ જ તે સમતાધર્મવાળી વસ્તુ દેખાય છે, તેથી કેવલદર્શનના વિષયમાં પણ સર્વ વિષમતા ધર્મો ગૌણરૂપે છે અને સમતાધર્મો મુખ્યરૂપે છે, માટે કેવલદર્શન પણ સર્વાર્થવિષયવાળું છે. આ જ પદાર્થને સ્પષ્ટ કરતાં કહે છે – જીવનો જોવાનો અને જ્ઞાન કરવાનો સ્વભાવ છે, તેથી ગૌણ કરાયા છે વિશેષ ધર્મો જેમાં અને પ્રધાન કરાયા છે. સામાન્ય ધર્મો જેમાં એવા અર્થને ગ્રહણ કરે છે અને દર્શન કહેવાય છે, અને ગૌણ કરાયું છે સામાન્ય જેમાં અને પ્રધાન કરાયું છે વિશેષ જેમાં એવા અર્થનું ગ્રહણ જ્ઞાન કહેવાય છે, તેથી કેવલજ્ઞાન પણ સર્વ દ્રવ્ય સર્વ પર્યાય વિષયવાળું છે અને કેવલદર્શન પણ સર્વ દ્રવ્ય સર્વ પર્યાય વિષયવાળું છે, માટે કેવલજ્ઞાન, કેવલદર્શન સર્વાર્થ વિષયવાળાં છે એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. લલિતવિસ્તરા - अपर आह- 'मुक्तात्मनोऽमूर्त्तत्वात् ज्ञानस्यापि तद्धर्मत्वेन तत्त्वाद् विषयाकारताऽयोगतस्तत्त्वतो ज्ञानाभावः, निस्तरङ्गमहोदधिकल्पो ह्यसौ, तत्तरङ्गतुल्याश्च महदादिपवनयोगतो वृत्तय इति तदभावातदभावः, एवं सर्वज्ञत्वानुपपत्तिरेवेति', एतदप्यसत्, विषयग्रहणपरिणामस्याकारत्वात्, तस्य चामूर्तेऽप्यविरोधात्, अनेकविषयस्यापि चास्य संभवात्, चित्रास्तरणादौ तथोपलब्धेरिति। લલિતવિસ્તરાર્થ - અપર=સાંખ્ય, કહે છે–પ્રશ્ન કરે છે – મુક્ત આત્માનું અમૂર્તપણું હોવાથી જ્ઞાનનું પણ તદ્ધર્મપણું હોવાને કારણે મુક્ત આત્માનું ધર્મપણું હોવાને કારણે, (જ્ઞાનનું પણ) અમૂર્તપણું હોવાથી, વિષય આકારતાનો અયોગ હોવાને કારણે=અમૂર્ત એવા જ્ઞાનમાં ઘટ-પટાદિ આકારનો અયોગ હોવાને કારણે, તત્ત્વથી જ્ઞાનનો અભાવ છે=મુક્ત આત્માઓને જ્ઞાનનો અભાવ છે. કેમ જ્ઞાનનો અભાવ છે તે સાંખ્યદર્શનકાર યુક્તિથી સ્પષ્ટ કરે છે – નિસ્તરંગ મહોદધિ જેવો આ મુક્તાત્મા છે, અને તેના તરંગતુલ્ય=સમુદ્રના તરંગતુલ્ય, મહદ્ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સવ્યસૂર્ણ સવદરિસીપ્સ આદિ પવનના યોગથી વૃત્તિઓ છે=જ્ઞાનની વૃત્તિઓ છે, એથી તેનો અભાવ હોવાને કારણે=મહદ્ આદિ પવનનો અભાવ હોવાને કારણે, તેનો અભાવ છેeતરંગતુલ્ય જ્ઞાનની વૃત્તિઓનો અભાવ छे, मारीत सर्वज्ञत्वनी मनुपपति १ छे=भुत मात्मामा सर्वत्पनी मसंगति छ, इति શબ્દ સાંખ્યના કથનની સમાપ્તિ માટે છે. આ પણ સાંખ્યનું આ કથન પણ, અસત્ છેપૂર્વમાં બતાવ્યું એ સાંખ્યનું કથન તો અસતું હતું પરંતુ આ કથન પણ અસત્ છે; કેમ કે વિષયગ્રહણ પરિણામનું આકારપણું છે=વિષયના બોધના પરિણામ સ્વરૂપ જીવનું આકારપણું છે, અને તેના=જીવના પરિણામ સ્વરૂપ આકારના, અમૂર્તપણામાં પણ=મુક્ત આત્માના અમૂર્તપણામાં પણ, અવિરોધ છે અને અનેક વિષયનો પણ આને=આકારવાળા જ્ઞાનને, સંભવ છે; કેમ કે ચિત્ર આસ્તરણ આદિમાં=અનેક વર્ણવાળા કંબલાદિમાં, તે પ્રકારની ઉપલબ્ધિ છે=એક સાથે અનેક આકારોની ઉપલબ્ધિ છે. fes: 'अपरेत्यादि', अपरः-सांख्यः, आह-प्रेरयति, मुक्तात्मनः क्षीणकर्मणः, अमूर्तत्वात् रूपादिरहितत्वात्, किमित्याह- ज्ञानस्यापि-न केवलं मुक्तात्मनः, तद्धर्मत्वेन-मुक्तात्मधर्मत्वेन तत्त्वाद् अमूर्त्तत्वात्, ततः किमित्याह- विषयाकारताऽयोगतः विषयस्येव-गोचरस्येव, आकारः-स्वभावो यस्य तत्तथा तद्भावस्तत्ता, तस्याः अयोगतः-अघटनात्, तत्त्वतो निरुक्तवृत्त्या, ज्ञायतेऽनेनेति करणसाधनज्ञानाभाव एव, तदेव भावयतिनिस्तरङ्गमहोदधिकल्पो ह्यसौ-मुक्तात्मा, 'तत्तरङ्गतुल्याश्च महदादिपवनयोगतो वृत्तय' इति बुद्ध्यह ङ्कारादिप्रकृतिविकारपवनसम्बन्थात्, वृत्तयो-विषयज्ञानादिकाः प्रवृत्तयः, इति=एवं, तदभावात् महदादिपवनयोगाभावात्, तदभावः तरङ्गतुल्यवृत्त्यभावः, ततः किमित्याह- एवं वृत्त्यभावात्, सर्वज्ञत्वानुपपत्तिरेव मुक्तावस्थायां; निराकारेण तु विज्ञानेन विषयग्रहणाभ्युपगमे विषयप्रतिनियमस्याघटनात्। 'इतिः' परवक्तव्यतासमाप्तौ। एतदपि साङ्ख्योक्तम्, असद्-असुन्दरं, कुत इत्याह- विषयग्रहणपरिणामस्य-विषयग्राहकत्वेन जीवपरिणतेरेव आकारत्वात्, तस्य च=उक्तरूपस्याकारस्य, अमूर्तेऽपि-मुक्तात्मन्यपि, न केवलं मूर्ते इति 'अपे'रर्थः, अविरोधात्=केनाप्यबाध्यमानत्वात्। अभ्युच्चयमाह- अनेकविषयस्यापि च युगपदने विषयमाश्रित्य प्रवृत्तस्यापि च, किं पुनरेकविषयस्य, अस्य उक्तरूपाकारस्य, संभवात् घटनात्, एतदपि कुत इत्याह- 'चित्रास्तरणादौ', चित्रे प्रतीते, आस्तरणे च-वर्णकम्बले, 'आदि शब्दादन्यबहुवर्णविषयग्रहः, तथोपलब्धः-युगपद्बहुविषयाकारोपलब्धेः स्वसंवेदनेनैव। शिक्षार्थ :_ 'अपरेत्यादि' ..... स्वसंवेदनेनैव ।। अपरेत्यादि मेलितविस्तरातुं प्रती छ, अपर=सांध्य, हे છે=પ્રશ્ન કરે છે – મુક્ત આત્માનું=ક્ષીણ કર્મવાળા જીવનું, અમૂર્તપણું હોવાથી પાદિ રહિતપણું Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ લલિતવિરતા ભાગ-૨ હોવાથી શું =શું પ્રાપ્ત થાય છે? એથી કહે છે – જ્ઞાનનું પણ=કેવલ મુક્તાત્માનું નહિ પરંતુ શાવવું પણ, તદ્ધર્મપણું હોવાથી=મુક્તાત્માનું ધર્મપણું હોવાથી તત્પણું છે=અમૂર્તપણું છે, તેથીતેનાથી શું= શાનનું પણ અમૂર્તપણું હોવાથી શું? એથી કહે છે – વિષયઆકારતાવો અયોગ હેવા કારણેવિષયની જેમ અર્થાત ગોચરની જેમ, આકાર છે અર્થાત્ સ્વભાવ છે જેને તે તેવા છે અર્થાત વિષયઆકારવાળા છે તેનો ભાવ અથત વિષયઆકારવાળાનો ભાવ તતા અથતિ વિષયઆકારતા છે તેનો અયોગ હોવાને કારણે અર્થાત્ અઘટન હોવાને કારણે, તત્વથી=નિરુક્ત વૃત્તિથી, આના વડે જણાય છે એ પ્રકારના કરણ સાધનવાળા જ્ઞાનનો અભાવ જ છે=મુક્ત આત્માને કરણ સાધનવાળા જ્ઞાનનો અભાવ જ છે, તેને જ ભાવન કરે છે મુક્ત આત્માને જ્ઞાનનો અભાવ જ છે એને જ સ્પષ્ટ કરે છે – નિતરંગ સ્થિર સમુદ્ર જેવો આ=મુક્તાત્મા છે, અને તત્ તરંગતુલ્ય મહદ્ આદિ પવનના યોગથી વૃત્તિઓ છે, તેનો જ અર્થ સ્પષ્ટ કરે છે – બુદ્ધિ અહંકાર આદિ પ્રકૃતિના વિકારરૂપ પવનના સંબંધથી વૃત્તિઓ=વિષય જ્ઞાનાદિ પ્રવૃત્તિઓ છે, એ રીતે=નિતરંગ મહોદધિ જેવો આત્મા છે અને મહદ આદિ પવનના યોગથી સમુદ્રના તરંગતુલ્ય વૃતિઓ છે એ રીતે, તેનો અભાવ હોવાથી=મહદ્ આદિ પવનના યોગનો અભાવ હોવાથી, તેનો અભાવ છે=તરંગતુલ્ય વૃત્તિઓનો અભાવ છે=નિતરંગ મહોદધિ જેવા મુક્ત આત્માને તરંગતુલ્ય જ્ઞાનની વૃત્તિઓનો અભાવ છે, તેથી શું? એથી કહે છે–પૂર્વમાં સિદ્ધ કર્યું કે મુક્ત આત્માઓને તરંગતુલ્ય વૃત્તિનો અભાવ છે તેથી શું પ્રાપ્ત થાય? એથી કહે છે – આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, વૃત્તિનો અભાવ હોવાથી મુક્ત આત્માને જ્ઞાનની વૃત્તિનો અભાવે હોવાથી, મુક્ત અવસ્થામાં સર્વજ્ઞત્વની અનુપાતિ જ છે; કેમ કે નિરાકાર એવા વિજ્ઞાન વડે વિષયગ્રહણ સ્વીકાર કરાયે છતે વિષયના પ્રતિનિયમનું અઘટન છે=મુક્ત અવસ્થામાં નિરાકાર વિજ્ઞાન છે છતાં તેઓ સર્વ વિષયને ગ્રહણ કરે છે તેમ સ્વીકારવામાં આવે તો વિષયના આકારરૂપ જે પ્રતિનિયમ છે તે નિરાકાર જ્ઞાનમાં ઘટે નહિ. તિ શબ્દ પર વક્તવ્યની પરિસમાપ્તિમાં છે. આ પણ સાંખ્યથી કહેવાયેલું અસત્ છે=અસુંદર છે, કયા કારણથી ? એથી કહે છે =કયા કારણથી સાંખ્યનું કથન અસુંદર છે ? એથી કહે છે – વિષયગ્રહણ પરિણામવું અર્થાત વિષયના ગ્રાહકપણારૂપે જીવપરિણતિનું જ આકારપણું હોવાથી=કેવલજ્ઞાનમાં જગતના પદાર્થોનું જ્ઞાન થાય છે તે વિષયના ગ્રાહકપણારૂપે જીવની પરિણતિનું જ આકારપણું છે તેથી, વિરોધ નથી એમ અન્વય છે, અને તેનો=ઉક્તરૂપ આકારનો=વિષયગ્રહણ પરિણતિરૂપ જીવતા આકારનો, અમૂર્તમાં પણ=મુક્ત આત્મામાં પણ, અવિરોધ હોવાથી કોઈના વડે પણ અબાધ્યમાનપણું હોવાથી સાંખ્ય મત અસત્ છે એમ અવય છે, કેવલ મૂર્તમાં નહિ એ આપનો અર્થ છે=અમૂર્વેપિમાં રહેલા પિનો અર્થ છે. અમ્યુચ્ચયને કહે છે–સાંખ્ય મત અસત્ છે તેને સ્પષ્ટ કરવા માટે અન્ય હેતુનો સમુચ્ચય બતાવે છે – અનેક વિષયના પણ આનો એક સાથે અનેક વિષયને આશ્રયીને પ્રવૃત એવા પણ આનો=ઉક્તા આકારનો, સંભવ હોવાથી=ઘટન હોવાથી સાંખ્ય મત અયુક્ત છે, શું વળી, એક વિષયવાળા ઉક્તરૂપ આકારનો સંભવ હોવાથી સાંખ્ય મત અસંગત છે અર્થાત એક વિષયના ઉક્તરૂપ આકારવાળા Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ સવ્વપૂર્ણ સવદરિસીણ શાનનો તો મુક્તાત્મામાં સંભવ છે, પરંતુ એક સાથે અનેક વિષયને આગ્રાથીને પ્રવૃત્ત પણ ઉક્તરૂપ આકારનો સંભવ છે, આ પણ=એક જ્ઞાનમાં અનેક આકારોનો સંભવ છે એ પણ, કયા કારણથી છે? એથી કહે છે – ચિત્ર આસ્તરણ આદિમાં તે પ્રકારની ઉપલબ્ધિ હોવાથી પ્રતીત એવા ચિત્ર સ્વરૂપવાળી વર્ણકંબલમાં સ્વસંવેદનથી જ એક સાથે ઘણા વિષયના આકારની ઉપલબ્ધિ હોવાથી મુક્ત આત્માના જ્ઞાનમાં પણ અનેક આકારનો સંભવ છે એમ અવાય છે. વિટારિતોમાં રહેલા ગાદિ શબ્દથી અન્ય બહુવર્ણવાળા વિષયનો ગ્રહ છે. ભાવાર્થ - સાંખ્યદર્શનકાર કહે છે – મુક્ત આત્મા અમૂર્ત છે અને જ્ઞાન મુક્ત આત્માનો ધર્મ છે તે પણ અમૂર્ત છે, માટે અમૂર્ત એવા જ્ઞાનમાં વિષયના આકારનો અયોગ છે, તેથી પરમાર્થથી વિચારીએ તો મુક્ત જીવોને જ્ઞાનનો અભાવ છે. કેમ મુક્ત જીવોને જ્ઞાનનો અભાવ છે તે યુક્તિથી બતાવ્યા પછી તેને દઢ કરવા માટે કહે છે – સ્થિર સમુદ્ર જેવો મુક્ત આત્મા છે અને સમુદ્રમાં તરંગો થાય તેના જેવી જ્ઞાનની વૃત્તિઓ છે. આ જ્ઞાનની વૃત્તિઓ મહદ્ આદિ પવનના યોગથી થાય છે આ ઘટ છે આ પટ છે એ પ્રકારનો બુદ્ધિરૂપ પવન અને આ સંપત્તિ મારી છે ઇત્યાદિ રૂપ પવન જે પ્રકૃતિનો વિકાર છે તેના સંબંધથી થાય છે, જેમ સ્થિર સમુદ્ર હોય ત્યારે તેમાં પાણીના કોઈ તરંગો નથી, પરંતુ પવનના યોગથી પાણીમાં તરંગો ઊઠે છે તેમ સ્થિર સમુદ્ર જેવો આત્મા છે અને સંસારી જીવોનો આત્મા બુદ્ધિ, અહંકાર આદિ પ્રકૃતિના વિકારવાળો છે તે વિકારરૂપ પવનથી આત્મામાં જ્ઞાનની વૃત્તિઓ થાય છે અને મુક્ત આત્માઓની સાથે પ્રકૃતિનો વિયોગ છે, તેથી પ્રકૃતિથી જન્ય મહદ્, અહંકાર આદિ તેઓમાં નથી, તેથી સમુદ્રના તરંગતુલ્ય જ્ઞાનની વૃત્તિઓ મુક્ત આત્મામાં નથી, આ રીતે મુક્ત આત્મામાં સર્વશપણાની અનુપપત્તિ જ છે, એમ સાંખ્યદર્શનકાર કહે છે તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સાંખ્યદર્શનકારનું આ કથન પણ અસત્ છે; કેમ કે વિષયગ્રહણના જીવના પરિણામરૂપ જ આકાર છેઃ શેયનો આકાર છે, અને તેવો આકાર અમૂર્ત આત્માઓમાં પણ સ્વીકારવામાં વિરોધ નથી; કેમ કે જ્ઞયનું જ્ઞાન કરવું એ જીવનો સ્વભાવ છે અને જગતવર્તી પદાર્થો જોય છે, તેથી નિરાવરણ એવું જ્ઞાન અવશ્ય શેયના આકારરૂપે પરિણમન પામે છે, તેથી સિદ્ધના જીવોને કેવલજ્ઞાન સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. અહીં પ્રશ્ન થાય કે જગતવર્તી શેય પદાર્થો અનંતા છે તે સર્વ પદાર્થોને એક સાથે જ્ઞાન કઈ રીતે ગ્રહણ કરી શકે ? તેથી કહે છે – કેવલજ્ઞાનમાં અનેક વિષયના ગ્રહણનો પણ સંભવ છે, કઈ રીતે સંભવ છે તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. ચિત્ર વર્ણવાળા કંબલાદિમાં ઘણા વર્ષો એકસાથે ઉપલબ્ધ થાય છે, તેથી તે કંબલને જોનારને પ્રતીત થાય કે અનેક વર્ષોવાળી કંબલને હું જોઉં છું, તેમ નિરાવરણ જ્ઞાન પણ સર્વ શેયને જાણવા સમર્થ હોવાથી સર્વ શેયના આકારરૂપે પરિણમન પામે છે. અહીં વિશેષ એ છે કે સિદ્ધના જીવો મોહના તરંગોથી રહિત છે અને યોગના વ્યાપાર વગરના છે, તેથી Page #191 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ ૧૬૮ સ્થિર સમુદ્ર જેવા છે અને આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી આત્માને શેયનો બોધ થાય છે તે શેયરૂપ વિષયના ગ્રહણના પરિણામ સ્વરૂપ છે, પરંતુ સમુદ્રમાં જેમ તરંગો થાય તેવો જ્ઞેયનો બોધ સિદ્ધના જીવોને નથી, ફક્ત છદ્મસ્થ અવસ્થામાં જીવને જે જ્ઞાન થાય છે તેમાં આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે, ઇત્યાદિ બુદ્ધિ થાય છે અને ધનાદિમાં અહંકાર થાય છે, તે તરંગતુલ્ય છે, તેવા તરંગો સિદ્ધના જીવોમાં નથી, માટે શેયનું જ્ઞાન થવા છતાં નિસ્તરંગ મહોદધિ જેવો સિદ્ધનો આત્મા છે તેમ સ્વીકારવામાં વિરોધ નથી. લલિતવિસ્તરા : एतेन विषयाकाराप्रतिसंक्रमादिना ज्ञानस्य प्रतिबिम्बाकारताप्रतिक्षेपः प्रत्युक्तः, विषयग्रहणपरिणामस्यैव प्रतिबिम्बत्वेनाभ्युपगमात्, एवं साकारं ज्ञानमनाकारं च दर्शनमित्यपि सिद्धं भवति, ततश्च सर्वज्ञाः सर्वदर्शिनः, तेभ्यो नम इति क्रियायोगः । । ३१ ॥ લલિતવિસ્તરાર્થ : આનાથી=વિષયગ્રહણ પરિણામનું જ આકારપણું છે એ પૂર્વમાં સ્થાપન કર્યું એનાથી, ક્ષણિક બૌદ્ધવાદીનો મત પ્રત્યુક્ત છે એમ અન્વય છે, ક્ષણિક બૌદ્ધવાદીનો મત બતાવે છે – વિષયનું અપ્રતિસંક્રમણ હોવાથી અને આકારનું અપ્રતિસંક્રમણ આદિ હોવાથી=જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ સ્વીકારો તો વિષયનું પ્રતિસંક્રમણ પ્રાપ્ત થાય અથવા આકારનું પ્રતિસંક્રમણ પ્રાપ્ત થાય જે અસંગત છે તેથી જ્ઞાનમાં વિષયનું અપ્રતિસંક્રમણ અને આકારનું અપ્રતિસંક્રમણ હોવાથી, જ્ઞાનની પ્રતિબિંબ આકારતાનો પ્રતિક્ષેપ છે=જ્ઞાન પ્રતિબિંબ આકારરૂપે થતું નથી એમ ક્ષણિવાદી બૌદ્ધ કહે છે તે પૂર્વના કથનથી પ્રત્યુક્ત છે એમ અન્વય છે; કેમ કે વિષયગ્રહણના પરિણામનો જ પ્રતિબિંબપણાથી અભ્યુપગમ છે. (તેથી ક્ષણિકવાદી બૌદ્ધે આપેલા દોષોની પ્રાપ્તિ નથી.) આ રીતે=અત્યાર સુધી સ્થાપન કર્યું એ રીતે, સાકાર જ્ઞાન છે, અનાકાર દર્શન છે, એ પણ સિદ્ધ થાય છે, અને તેથી=સિદ્ધના જીવોમાં આવરણના ક્ષયથી જ્ઞાન-દર્શન પ્રગટ થયા છે તેથી, સર્વજ્ઞ સર્વદર્શી છે, તેઓને નમસ્કાર કરું છું, એ પ્રકારની ક્રિયાનો યોગ છે. II૩૧|| પંજિકા ઃ अथ प्रसङ्गसिद्धिमाह एतेन = विषयग्रहणपरिणामस्यैवाकारत्वेन, विषयाकाराप्रतिसंक्रमादिना, विषयाकारस्य = ग्राह्यसंनिवेशस्य, अप्रतिसंक्रमः = स्वग्राहिणि ज्ञानेऽप्रतिबिम्बनं, विषयाकाराप्रतिसंक्रमः, विषयाकारप्रतिसंक्रमे हि एकत्वं वा ज्ञानज्ञेययोरेकाकारीभूतत्वात् विषयो वा निराकारः स्यात् तदाकारस्य ज्ञाने प्रतिसंक्रान्तत्वाद्, यदाह धर्म्मसंग्रहणीकारः ‘તમિત્રાારત્તે, વોખ્ખું ઘુત્તમો દ ન મવે ?! नाणे व तदाकारे, तस्साणागारभावोत्ति ।।१।। Page #192 -------------------------------------------------------------------------- ________________ સવ્વભ્રૂણં સવ્વદરિસીણં 'आदि'शब्दात् प्रतिनियतप्रतिपत्तिहेतोर्ज्ञेयेन तुल्याकारतया ज्ञानस्य, प्रतिषेधो दृश्यः; क्रमवृत्तिनोर्ज्ञेयज्ञानयोः क्षणिकयोः क्षणस्थायिना ज्ञानेन उभयाश्रितायास्तस्या एव प्रतिपत्तुमशक्यत्वात्, किञ्च तुल्यत्वं नाम सामान्यं तच्चैकमनेकव्यक्त्याश्रितमिति कथं न तदाश्रितदोषप्रसंग: ? । अत्राप्याह 'सिय तत्तुल्लागारं जं तं भणिमो अओ तदागारं । अत्रोत्तरं-तग्गहणाभावे नणु, तुल्लत्तं गम्मई कह णु ? ।। १ ।। तुल्लत्तं सामन्नं एगमणेगासियं अजुत्ततरं । तम्हा घडादिकज्जं दीसइ मोहाभिहाणमिदं ।।२।।' ततस्तेन विषयाकाराप्रतिसंक्रमादिना कारणेन, ज्ञानस्य विज्ञानस्य विषयग्राहिणः, प्रतिबिम्बाकारताप्रतिक्षेपो-ज्ञानवादिप्रतिज्ञातो 'विषयप्रतिबिम्बाकारं विज्ञानं न घटते, किन्तु अबाह्याकारमेव सत्स्वभावमात्रप्रतिभासीत्येवंरूपः प्रत्युक्तः = निराकृतः, 'विषयग्रहणे 'त्यादि, हेतुश्च प्रतीतः एवं = मुक्तरूपपरिणामस्याऽऽकारत्वे, सामयिकविवक्षया साकारं विशेषग्रहणपरिणामवत्, ज्ञानम् = उपयोगविशेषः, अनाकारं च = सामान्यપ્રદળપરિળામવત્ (ચ), વર્શન=પયોળમેલ વ, કૃષિ=તવૃત્તિ, સિદ્ધ મતિા પંજિકાર્થ : अथ प्रसङ्गसिद्धिमाह ‘સિદ્ધ મવૃતિ’ ।। હવે પ્રસંગથી સિદ્ધિને કહે છે=પૂર્વમાં સ્થાપન કર્યું કે જ્ઞાનમાં શેયનું પ્રતિબિંબ પડતું નથી, પરંતુ વિષયગ્રાહકપણારૂપે જીવની પરિણતિ જ શેયના આકારરૂપ છે એ કથન દ્વારા પ્રસંગથી જે સિદ્ધ થાય છે તેને બતાવે છે ..... ૧૯ - આના દ્વારા=વિષયગ્રહણ પરિણામનું જ આકારપણું છે એ કથન દ્વારા, વિષયના અને આકારના અપ્રતિસંક્રમણ આદિથી જ્ઞાનની પ્રતિબિંબ આકારતાનો પ્રતિક્ષેપ છે એમ આગળ સાથે અન્વય છે. વિષયના અને આકારના અપ્રતિસંક્રમણનો અર્થ સ્પષ્ટ કરે છે - વિષયનો અને આકારનો=ગ્રાહ્યનો અને સંનિવેશનો, અપ્રતિસંક્રમ=સ્વગ્રાહી એવા જ્ઞાનમાં અપ્રતિબિંબન, વિષય-આકારનો અપ્રતિસંક્રમ છે, દ્દિ=જે કારણથી, વિષયના અને આકારના પ્રતિસંક્રમમાં જ્ઞાનનું અને જ્ઞેયનું એકત્વ થાય; કેમ કે એકાકારીભૂતપણું છે અથવા વિષય નિરાકાર થાય; કેમ કે તેના આકારનું=વિષયના આકારનું, જ્ઞાનમાં પ્રતિસંક્રાંતપણું છે, જેને ધર્મસંગ્રહણીકાર કહે છે – તદ્ અભિન્ન આકારપણું હોતે છતે બંનેનું પણ=જ્ઞાન અને અર્થ બંનેનું પણ, એકત્વ કેમ ન થાય ? જ્ઞાનમાં તેનો આકાર હોતે છતે=અર્થનો આકાર હોતે છતે, તે અર્થને અનાકાર ભાવ પ્રાપ્ત થાય. II૬૪૩૪। આવિ શબ્દથી=લલિતવિસ્તરામાં વિષયારાપ્રતિસંમાલિનામાં રહેલા આદિ શબ્દથી, પ્રતિનિયત પ્રતિપત્તિનો હેતુ હોવાને કારણે=આ ઘટ છે આ પટ છે ઇત્યાદિ પ્રતિનિયત બોધનો હેતુ હોવાને કારણે, જ્ઞેયની સાથે જ્ઞાનની તુલ્ય આકારતાનો પ્રતિષેધ જાણવો=ઞાતિ શબ્દથી પ્રતિષેધ જાણવો; કેમ કે ક્ષણિક ક્રમવૃત્તિવાળા શેય અને જ્ઞાનનો ક્ષણસ્થાયી એવા જ્ઞાનની સાથે ઉભય આશ્રિત એવી તેનું જ=તુલ્ય આકારતાનું જ, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ લલિતવિસ્તરા ભાગ- સ્વીકારવા માટે અશક્યપણું છે=mય અને જ્ઞાન બંને ક્ષણિક છે અને ક્રમવર્તી થનારા છે તેથી પ્રથમ જોયા હોય અને ત્યારપછી બીજી ક્ષણમાં જ્ઞાન થાય છે ત્યારે જોય નાશ પામે છે તેથી ભણસ્થાયી એવા જ્ઞાનની સાથે ઉભયમાં આશ્રય કરીને રહેનારી અર્થાત જોય અને જ્ઞાન ઉભયમાં આશ્રય કરીને રહેનારી તુલ્યતાની ક્ષણસ્થાયી જ્ઞાન સાથે પ્રાપ્તિ થાય નહિ, વળી, તુલ્યપણું એટલે સામાન્ય, અને તે સામાન્ય, એક અને અનેક વ્યક્તિ આશ્રિત છે, એથી કેવી રીતે તેના આશ્રિત દોષનો પ્રસંગ ન આવે ?=જો એક હોય એવી તુલ્યતા અનેકમાં આશ્રિત સ્વીકારીએ તો અનેકને આશ્રિત હોવાથી તુલ્યતા એક સ્વીકારી શકાય નહિ પરંતુ અનેક આશ્રિત હોવાથી અનેક સ્વીકારતા દોષનો પ્રસંગ આવે, અહીં પણ તુલ્ય આકારતાના વિષયમાં પણ, ધર્મસંગ્રહણીકાર કહે છે – થાયઅર્થવાદીના મતે થાય, જે કારણથી તે=જ્ઞાન, તત્ તુલ્ય આકારવાળું થાય અર્થના આકાર સદશ આકારવાળું થાય, આથી તદાકાર છેઃ જ્ઞાન અર્થના આકારવાળું છે, એમાં બૌદ્ધવાદી ઉત્તર આપે છે – તેના ગ્રહણના અભાવમાં વસ્તુનું બીજી ક્ષણમાં જ્ઞાન થાય છે ત્યારે વસ્તુનો નાશ થયેલો હોવાથી વસ્તુના ગ્રહણના અભાવમાં, તુલ્યપણું કેવી રીતે જણાય ? જ્ઞાનશેયની તુલ્ય આકારવાળું છે તે કેવી રીતે જણાય ? અર્થાત્ જણાય નહિ. ૬૪૪ તુલ્યત્વ સામાન્ય છે (તે) એક છે અને અનેક આશ્રિત છે એ અયુક્તતર છે, તે કારણથી ઘટાદિ કાર્ય દેખાય છેઅનેક પરમાણુઓમાં રહેનારું ઘટાદિ કાર્ય છે, એ મોહનું અભિધાન છે. I૬૪૭ના તેથી તે વિષય-આકારના અપ્રતિસંક્રમણ આદિ કારણથી જ્ઞાનની=વિષયગ્રાહી એવા વિજ્ઞાનની, પ્રતિબિબ આકારતાનો પ્રતિક્ષેપ=વિષય અને પ્રતિબિંબ આકારવાળું વિજ્ઞાન ઘટતું નથી પરંતુ અબાહ્ય આકાર જ સત્ સ્વભાવ માત્ર પ્રતિભાષી એવા સ્વરૂપવાળો' જ્ઞાનવાદીથી પ્રતિજ્ઞાત પ્રતિબિંબ આકારતાનો પ્રતિક્ષેપ, પ્રત્યુક્ત છે, વિષયાત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે અને હેતુ=બૌદ્ધવાદીના કથનના નિરાકરણમાં વિષયગ્રહણ ઈત્યાદિ હેતુ છે, એ પ્રતીત છે= સ્પષ્ટ છે, આ રીતે મુક્તરૂપ પરિણામનું આકારપણું હોતે છતે=મોક્ષમાં ગયેલા જીવોના જ્ઞાનરૂપ પરિણામનું આકારપણું હોત છત, સામયિક વિક્ષાથી=એક સમયથી વિવાથી, સાકાર=વિશેષગ્રહણ પરિણામવાળું, જ્ઞાન છેઃ ઉપયોગવિશેષ છે, અને અલાકાર સામાન્ય ગ્રહણના પરિણામવાળું, દર્શન છે=ઉપયોગનો ભેદ જ છે=જ્ઞાનના ઉપયોગ કરતાં ભિન્ન ઉપયોગ જ છે, એ પણ સિદ્ધ થાય છે. ll૩૧II ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સિદ્ધ આત્મામાં સર્વશપણું છે તે વિષયગ્રહણના પરિણામના આકારવાળું છે, એ કથન દ્વારા બૌદ્ધ મતનું નિરાકરણ થાય છે. બૌદ્ધદર્શનવાદી કહે છે કે જ્ઞાનની પ્રતિબિંબ આકારતા થઈ શકે નહિ, તેમાં ત્રણ હેતુ બતાવે છે – ૧. વિષયનું અપ્રતિસંક્રમણ છે ૨. આકારનું અપ્રતિસંક્રમણ છે અને ૩. શેયની સાથે જ્ઞાનની તુલ્ય આકારતાનો પ્રતિષેધ છે. તેમાં બૌદ્ધદર્શનવાદી યુક્તિ બતાવે છે – જ્ઞાનમાં શેયની પ્રતિબિંબ આકારતા માનીએ તો જોય એવો વિષય તેમાં પ્રતિસંક્રમણ થાય છે તેમ માનવું પડે, અર્થાત્ કોઈ પુરુષ ઘટનું જ્ઞાન કરે ત્યારે ય એવો ઘટ જ્ઞાનમાં સંક્રમણ પામે છે તેમ માનવું પડે, તેથી Page #194 -------------------------------------------------------------------------- ________________ સભ્રૂણં સવ્વદરિસીણં ૧૭૧ જ્ઞાન અને શેય એકાકાર બની જાય છે એમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો જ્ઞાન થયા પછી બાહ્ય શેયની પ્રાપ્તિ થવી જોઈએ નહિ અને કોઈને ઘટાદિનું જ્ઞાન થાય છે ત્યારે પણ બાહ્ય ઘટાદિ જ્ઞેયની પ્રાપ્તિ થાય છે, તેથી શેય એવો વિષય જ્ઞાનમાં પ્રતિસંક્રમણ પામતો નથી, તેથી જ્ઞાનમાં શેયની પ્રતિબિંબઆકારતા નથી. એમ બૌદ્ધદર્શનવાદી કહે છે. વળી, વિષય જ્ઞાનમાં પ્રતિસંક્રમણ ન પામતો હોય અને વિષયમાં રહેલો આકાર જ્ઞાનમાં પ્રતિસંક્રમણ પામે છે તેમ સ્વીકારીએ તો જ્ઞાનમાં શેયના પ્રતિબિંબના આકારની પ્રાપ્તિ થાય, પરંતુ શેયનો આકાર જ્ઞાનમાં પ્રતિસંક્રમણ થતો નથી; કેમ કે શેયનો આકાર જ્ઞાનમાં પ્રતિસંક્રમણ પામે તો તે જ્ઞેય નિરાકાર પ્રાપ્ત થાય અને જ્ઞાન કર્યા પછી શેય નિરાકાર પ્રાપ્ત થતું નથી, માટે શેયનો આકાર પણ જ્ઞાનમાં પ્રતિસંક્રમ પામતો નથી, માટે જ્ઞાનની પ્રતિબિંબ આકારતા સ્વીકારી શકાય નહિ. એમ બૌદ્ધદર્શનવાદી કહે છે. આ બે વિકલ્પથી જ્ઞાનની પ્રતિબિંબ આકારતા સિદ્ધ નહિ થવાથી કોઈ ત્રીજો વિકલ્પ કરે કે શેયની સાથે જ્ઞાનમાં તુલ્ય આકારતા છે, તેથી શેયનું જ્ઞાનમાં સંક્રમણ પણ થતું નથી અને શેયના આકારનું પણ સંક્રમણ થતું નથી, પરંતુ શેયમાં અને જ્ઞાનમાં તુલ્ય આકારતા છે એ જ જ્ઞાનમાં શેયની પ્રતિબિંબ આકારતા છે, તેનું નિરાકરણ કરતાં બૌદ્ધદર્શનવાદી કહે છે શેય સાથે જ્ઞાનની તુલ્ય આકારતાનો પ્રતિષેધ પ્રાપ્ત છે; કેમ કે શેય અને જ્ઞાન બંને ક્ષણિક પદાર્થ છે અને ક્રમવર્તી થાય છે અર્થાત્ પ્રથમ શેય ઉત્પન્ન થાય છે અને બીજી ક્ષણમાં શેયનું જ્ઞાન થાય છે અને જ્ઞેયની જ્ઞાન ક્ષણમાં શેય વિદ્યમાન નથી, તેથી અવિદ્યમાન એવું જ્ઞેય અને વિદ્યમાન એવું જ્ઞાન છે એ બેમાં ઉભય આશ્રિત એવી તુલ્યતા છે તે કહી શકાય નહિ; કેમ કે તુલ્યતાનો અર્થ જ એ થાય છે કે બેમાં આશ્રિત છે અર્થાત્ જ્ઞેયમાં અને જ્ઞાનમાં આશ્રિત છે અને જ્ઞેય અને જ્ઞાન બંને સાથે વિદ્યમાન હોય તો તેને જોઈને આ બેમાં તુલ્યતા છે તેવો નિર્ણય થાય, વસ્તુતઃ જ્ઞેય પૂર્વમાં હતું ત્યારે જ્ઞાન ન હતું અને જ્યારે જ્ઞાન થયું ત્યારે શેય નથી, તેથી તે બેમાં તુલ્યતા છે તેવો બોધ થઈ શકે નહિ. વળી, તુલ્યતા સ્વીકારવામાં બૌદ્ધવાદી અન્ય દોષ પણ આપે છે તુલ્ય એટલે સામાન્ય અને સામાન્ય એક છે અને અનેક આશ્રિત છે તે તુલ્યતા કહી શકાય અને તે અયુક્તતર છે; કેમ કે જે એક હોય તે અનેકને આશ્રયીને રહી શકે નહિ અને અનેકને આશ્રયીને રહે તો તે અનેક જ બને, તેથી ઘટાદિ કાર્ય દેખાય છે અર્થાત્ અનેક અવયવોમાં રહેલું એક ઘટાદિ કાર્ય દેખાય છે તેથી અનેક અવયવોને આશ્રિત એક ઘટ હોવાથી તુલ્યતાની સિદ્ધિ છે એમ કોઈ કહે તે મોહનું કથન છે, તેથી કોઈપણ પદાર્થમાં તુલ્યતા સંભવી શકે નહિ, માટે જ્ઞાન અને જ્ઞેયમાં તુલ્યતા છે તેમ કહી શકાય નહિ; કેમ કે જ્ઞાન અને જ્ઞેય પૂર્વ-ઉત્તર ભાવિ છે, માટે પણ તેઓમાં તુલ્યતા છે તેમ કહી શકાય નહિ અને સાથે રહેલી વસ્તુમાં પણ તુલ્યતા છે એ વચન જ સંગત નથી; કેમ કે તુલ્યતા એક હોય તો અનેકને આશ્રયીને રહી શકે નહિ, પરંતુ તુલ્યતાના અનેકત્વની પ્રાપ્તિ થાય, તેથી તુલ્યતાના એકત્વનો વિરોધ છે. આ રીતે ત્રણ હેતુઓ દ્વારા ક્ષણિકવાદી જ્ઞાનની પ્રતિબિંબ આકારતાનો પ્રતિક્ષેપ કરે છે તે પ્રત્યુક્ત છે એમ ગ્રંથકારશ્રી કહે છે, કેમ પ્રત્યુક્ત છે ? તેમાં યુક્તિ આપે છે - Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ લલિતવિસ્તરા ભાગ-૨ જ્ઞાનનો વિષયના ગ્રહણનો પરિણામ છે તેને જ અમે પ્રતિબિંબ કહીએ છીએ, પરંતુ વિષય જ્ઞાનમાં સંક્રમણ પામે છે તે રૂ૫ પ્રતિબિંબ અમે સ્વીકારતા નથી અથવા વિષયનો આકાર જ્ઞાનમાં સંક્રમણ પામે છે એ રૂપ પ્રતિબિંબ પણ અમે સ્વીકારતા નથી અને શેયની સાથે જ્ઞાનની તુલ્ય આકારતા છે એ રૂપ પ્રતિબિંબ પણ અમે સ્વીકારતા નથી, પરંતુ જોયનો સ્વભાવ છે કે જ્ઞાનનો વિષય બને અને જ્ઞાનનો સ્વભાવ છે કે શેયને ગ્રહણ કરે, તેથી શેયનો બોધ થાય તેવા પ્રકારનો જ્ઞાનનો પરિણામ એને જ અમે પ્રતિબિંબરૂપે સ્વીકારીએ છીએ તેથી બૌદ્ધ આપેલા દોષોની અમને પ્રાપ્તિ નથી. આ રીતે કથન કર્યા પછી પ્રસ્તુત પદનું નિગમન કરતાં કહે છે – મુક્ત આત્માના જ્ઞાનના પરિણામને અમે આકાર રૂપે સ્વીકાર્યો, એ રીતે સાકાર કેવલજ્ઞાન છે અને અનાકાર કેવલદર્શન છે એ પણ સિદ્ધ થાય છે અને તેથી ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી છે, તેવા ભગવાનને નમસ્કાર કરું છું, એ પ્રકારે ક્રિયાનો યોગ છે. પંજિકામાં બૌદ્ધદર્શનની યુક્તિ આપવા માટે ધર્મ સંગ્રહણીની ગાથા-૬૪૩ આપેલ છે, તેનો અર્થ આ પ્રમાણે છે – શેય પદાર્થનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે એમ જેઓ માને છે તેને બૌદ્ધદર્શનવાદી કહે છે – તદ્ અભિન્ન આકારપણું હોતે છતે શેયની સાથે જ્ઞાનનું અભિન્ન આકારપણું હોતે છતે, બંનેમાંથી એકતમ કેવી રીતે ન થાય ? અર્થાત્ ય અને જ્ઞાન એકનો અભાવ પ્રાપ્ત થાય અથવા જ્ઞાનમાં શેયનો આકાર પ્રાપ્ત થયે છતે તેનો=શેયનો, અનાકાર ભાવ પ્રાપ્ત થાય, આ રીતે વિષયનું અને આકારનું જ્ઞાનમાં પ્રતિસંક્રમણ થતું નથી તેમ બતાવ્યા પછી આદિ શબ્દથી શેનું ગ્રહણ છે? તે બતાવવા ધર્મ સંગ્રહણીના બે શ્લોકો બતાવે છે. વળી, બૌદ્ધવાદી કહે છે – “શેનું જ્ઞાનમાં પ્રતિસંક્રમણ થતું નથી અને શેયનો આકાર પણ પ્રતિસંક્રમણ પામતો નથી, પરંતુ જોયની સાથે જ્ઞાનની તુલ્ય આકારતા છે તે પ્રતિબિંબનો આકાર છે તેમ પણ કહી શકાય નહિ” તે સ્થાપન કરવા માટે ધર્મ સંગ્રહણીની ગાથા-૬૪૪-૬૪૭ બતાવે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – જે કારણથી તે=જ્ઞાન, શેયના તુલ્ય આકારવાળું છે તેમ અમે કહીએ છીએ, આથી શેયનો આકાર એ પ્રતિબિંબ છે માટે કોઈ દોષ નથી એમ પ્રતિબિંબવાદી કહે છે તેને બૌદ્ધદર્શનવાદી કહે તે અર્થના ગ્રહણનો અભાવ હોતે છતે જ્ઞાનનું અર્થના આકાર સાથે તુલ્યપણું છે તે કેવી રીતે જાણી શકાય ? અર્થાતુ જાણી શકાય નહિ; કેમ કે પ્રથમ ક્ષણમાં અર્થ થાય છે, બીજી ક્ષણમાં જ્ઞાન થાય છે અને જ્ઞાન ક્ષણમાં અર્થ વિદ્યમાન નથી, તેથી જ્ઞાનથી અર્થનું ગ્રહણ થતું નથી, છતાં તે બંને તુલ્ય આકારવાળા છે તેમ કેમ કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ. વળી, પોતાના સમર્થન માટે જ્ઞાનવાદી યુક્તિ આપે છે – તુલ્યત્વ એટલે સામાન્ય છે અને તે સામાન્ય એક છે અને અનેક વ્યક્તિને આશ્રિત છે તેમ કહેવું અત્યંત અસંગત છે; કેમ કે જે એક હોય એ અનેકને આશ્રિત હોય નહિ, પરંતુ દરેક પદાર્થ પોતાના સ્વરૂપમાં જ વિશ્રાંત છે અને એકને અનેક આશ્રિત સ્વીકારો તો તે એક ન કહી શકાય, અનેક જ કહી શકાય, જેમ તૈયાયિકો અનેક ઘટમાં એક ઘટત્વ આશ્રિત છે તેમ કહે છે તે યુક્તિ વિરુદ્ધ છે; કેમ કે દરેક ઘટમાં રહેલું ઘટત્વ પોતાનામાં જ વિશ્રાંત થઈ શકે, પરંતુ અનેક Page #196 -------------------------------------------------------------------------- ________________ શિવમયલ-સાંપરાણ ૧૭૩ ઘટમાં વર્તતું હોય તો તે ઘટત્વ પણ અનેક જ બને, એક કહી શકાય નહિ. આથી જ ઘણા પરમાણુઓનું કાર્ય ઘટાદિ છે એમ કહીને ઘણા પરમાણુઓમાં ઘટાદિરૂપ એક કાર્ય દેખાય છે, તે મોહથી બોલાય છે, વસ્તુતઃ દરેક પદાર્થ ક્ષણિક છે અને તે પદાર્થ ઉત્તરમાં પોતાના સંતાનને ઉત્પન્ન કરે છે અને તે સંતાન ક્યારેક સદશ હોય અને ક્યારેક વિસદશ હોય, આથી ઘટ ઉત્પન્ન થયા પછી પ્રતિક્ષણ સદશ સંતાનને ઉત્પન્ન કરે છે અને ઘટ પણ ઉત્પન્ન થયા પૂર્વે પિંડાદિ સ્વરૂપે હતો તે જ વિસદશ સંતાનથી ઘટરૂપે થયો, પરંતુ અનેક પરમાણુઓમાં આશ્રિત એવી ઘટ વસ્તુ નથી, છતાં મોહથી તૈયાયિક આદિ અનેક પરમાણુઓમાં ઘટ ઉત્પન્ન થયો એમ કહે છે, એ પ્રકારે ક્ષણિકવાદી બૌદ્ધ કહે છે, અને તેની પ્રતિબિંબ આકારતાનો પ્રતિક્ષેપ કરે છે તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિષયના પ્રતિબિંબ આકારવાળું જ્ઞાન ઘટતું નથી, પરંતુ અબાહ્ય આકારવાળું જ વિદ્યમાન સ્વભાવ માત્ર પ્રતિભાસી એવા સ્વરૂપવાળું જ્ઞાનવાદી પ્રતિજ્ઞાત જ્ઞાન અર્થાત્ બોધ છે, તેથી બૌદ્ધના મતે જ્ઞાન સત્ સ્વભાવમાત્રનો પ્રતિભાસ કરે છે અર્થાત્ આ બાહ્ય ઘટ છે, પટ છે ઇત્યાદિ સ્વભાવમાત્રનું પ્રતિભાસી જ્ઞાન છે અને તે જ્ઞાન બાહ્ય આકારવાળું નથી એમ કહીને જ્ઞાનની પ્રતિબિંબઆકારતાનો પ્રતિક્ષેપ કરે છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અમે શેયનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે એમ અમે સ્વીકારતા નથી, પરંતુ વિષયનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપને ગ્રહણ કરવાનો જ્ઞાનનો પરિણામ છે, તેને જ અમે પ્રતિબિંબ કહીએ છીએ, માટે બૌદ્ધ આપેલા દોષો અમને પ્રાપ્ત થતા નથી. ૩૧iા અવતરણિકા : एते च सर्वेऽपि सर्वगतात्मवादिभिर्द्रव्यादिवादिभिस्तत्त्वेन सदा लोकान्तशिवादिस्थानस्था एवेष्यन्ते, 'विभुनित्य आत्मे 'तिवचनात्, एतद्व्यपोहायाह - અવતરણિતાર્થ : અને સર્વગત આત્મવાદી એવા દ્રવ્યાદિવાદી વૈશેષિકો વડે તત્ત્વથી આ સર્વ પણ=મોક્ષમાં ગયેલા સર્વ પણ, સદા લોકના અંત સુધી શિવાદિ સ્થાનમાં રહેલા જ ઈચ્છાય છે; કેમ કે વિભુ નિત્ય આત્મા છે, એ પ્રકારનું વચન છે, એના બપોહ માટે=સર્વગત આત્મવાદી મતના વ્યપોહ માટે, કહે છે – પંજિકા: 'द्रव्यादिवादिभिः' इति-द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायवादिभिः वैशेषिकैरित्यर्थः, 'विभु रिति= साकाशव्यापी । પંજિકાર્ચ - “થવિધિ .... શિક્તિ-સારવ્યાપી વ્યારિવામિઃ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ લલિતવિસ્તરા ભાગ-૨ અર્થ સ્પષ્ટ કરે છે – દ્રવ્ય-ગુણ-કર્મ-સામાવ્ય-વિશેષ-સમવાયવાદી એવા વૈશેષિકો વડે સર્વગત આત્મા સ્વીકારાય છે એમ અત્રય છે, વિભ=સર્વ આકાશવ્યાપી આત્મા છે. भावार्थ: વૈશેષિક મત દ્રવ્ય-ગુણ આદિ છ પદાર્થો માને છે, તેથી દ્રવ્યાદિવાદી છે અને આત્માને સર્વગત માને છેક લોકવ્યાપી માને છે, તેથી જેઓ સાધના કરીને મુક્ત થાય છે તેઓ પણ પરમાર્થથી સદા લોકના અંત સુધી શિવાદિ સ્થાનમાં રહેલા છે તેમ માને છે અર્થાત્ સંસારઅવસ્થામાં હતા ત્યારે પણ આત્મા વિભુ હોવાથી લોકના અંત સુધી સર્વત્ર રહેલ છે અને સાધના કરીને મુક્ત થાય છે ત્યારે પણ લોકના અંત સુધી રહેનાર છે. ફક્ત સાધના પૂર્વે શિવાદિ સ્થાનવાળા ન હતા અને સાધના કરી ત્યારે શિવાદિ સ્થાનવાળા થાય છે તેમ માને છે તે મતનું નિરાકરણ કરીને સિદ્ધશિલા ઉપર મુક્ત આત્મા રહે છે, તે બતાવવા માટે કહે છે. सूत्र : सिवमयलमरुअमणंतमक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं ।।३२॥ सूत्रार्थ : શિવ-અચલ-અરજ=રોગ રહિત-અનંત-અક્ષય-અવ્યાબાધ-અપુનરાવૃતિવાળા=જ્યાંથી ફરી સંસારમાં આગમન ન થાય એવા, સિદ્ધિગતિ નામવાળા સ્થાનને પામેલા ભગવાનને नमस्कार थामओ. ||3|| ललितविस्तश: इह तिष्ठन्त्यस्मिन्निति स्थानं, व्यवहारतः सिद्धिक्षेत्रम् ‘इह बोंदिं चइत्ता णं तत्थ गंतूण सिज्झइत्तिवचनात् निश्चयतस्तु तत्स्वरूपमेव, 'सर्वे भावा आत्मभावे तिष्ठन्ती तिवचनात्, एतदेव विशेष्यते- (शिवमित्यादिभिः) तत्र 'शिवम्' इति सर्वोपद्रवरहितत्वाच्छिवम्, तथा स्वाभाविकप्रायोगिकचलनक्रियारहितत्वात्र चलमचलम्, तथा रुजाशब्देन व्याधिवेदनाभिधानं, ततश्चाविद्यमानरुजमरुजं तनिबन्धनयोः शरीरमनसोरभावात्, तथा नास्यान्तो विद्यत इत्यनन्तं, केवलात्मनोऽनन्तत्वात्, तथा नास्य क्षयो विद्यत इत्यक्षयं, विनाशकारणाभावात्, सततमनश्वरमित्यर्थः, तथा अविद्यमानव्याबाधम् अमूर्त्तत्वात् अव्याबाधम्, तत्स्वभावत्वादितिभावना, तथा न पुनरावृत्तिर्यस्मात्, तद् अपुनरावृत्ति, आवर्तनमावृत्तिः, भवार्णवे तथा तथाऽऽवर्त्तनमित्यर्थः, तथा सिध्यन्ति निष्ठितार्था भवन्त्यस्यां प्राणिन इति 'सिद्धिः' लोकान्तक्षेत्रलक्षणा, सैव च गम्यमानत्वाद् गतिः, सिद्धिगतिरेव 'नामधेयं' यस्य तत् तथाविधमिति, 'स्थानं' प्रागुक्तमेव, इह च स्थानस्थानिनोरभेदोपचारादेवमाहेति, 'संप्राप्ताः' Page #198 -------------------------------------------------------------------------- ________________ સિવમયલ-સંપત્તાણ ૧૭૫ इति, सम्यग्-अशेषकर्मविच्युत्या, स्वरूपगमनेन परिणामान्तरापत्त्या प्राप्ताः, न विभूनां नित्यानां चैवं प्राप्तिसंभवः, सर्वगतत्वे सति सदैकस्वभावत्वात्, विभूनां सदा सर्वत्र भावः, नित्यानां चैकरूपतयावस्थानं, तद्भावाव्ययस्य नित्यत्वात्, अतः क्षेत्रासर्वगतपरिणामिनामेवैवंप्राप्तिसंभव इति भावनीयम्, तत् तेभ्यो नम इति क्रियायोग इति।।३२॥ લલિતવિસ્તરાર્થ : અહીં પ્રસ્તુત પદમાં, આમાં રહે છે એ સ્થાન છે, વ્યવહારથી સિદ્ધિનું ક્ષેત્ર છે; કેમ કે અહીં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે, એ પ્રમાણે વચન છે, વળી, નિશ્ચયથી તેનું સ્વરૂપ જ સ્થાન છે=આત્માનું સ્વરૂપ જ સ્થાન છે; કેમ કે સર્વ ભાવો પોતાના ભાવમાં રહે છે, એ પ્રકારનું વચન છે, આને જ વ્યવહારનય અને નિશ્ચયનયને અભિમત સ્થાનને જ, વિશેષિત કરે છે – ત્યાં=સિદ્ધિગતિ સ્થાનનાં વિશેષણો આપ્યાં તેમાં, શિવ એ સર્વ ઉપદ્રવ રહિતપણું હોવાથી શિવ છે અને સ્વાભાવિક અને પ્રાયોગિક ચલનક્રિયાથી રહિતપણું હોવાને કારણે સિદ્ધના જીવો સ્વાભાવિક ચલનચિાવાળા નથી અને પ્રાયોગિક ચલનક્રિયાવાળા નથી તે કારણે, ન ચલ અચલ છે અને રાજા શબ્દથી વ્યાધિ વેદનાનું કથન છે અને તેથી અવિધમાન રુજ અરુજ છે= ભગવાને પ્રાપ્ત કરેલું રસ્થાન રોગ રહિત છે; કેમ કે તેના નિબંધન એવા શરીર અને મનનો અભાવ છે અને આને અંત વિધમાન નથી=મુક્ત આત્માના સ્થાનને અંત વિધમાન નથી, એથી અનંત છે; કેમ કે કેવલ આત્માનું અનંતપણું છે મુક્ત અવસ્થામાં કર્મ-શરીર વગેરેથી રહિત મુક્ત આત્મા છે તેથી કેવલ આત્મા છે અને તે અંત વગર રહેનાર હોવાથી અનંતપણું છે, અને આનો ક્ષય વિધમાન નથી સિદ્ધ અવસ્થાના સ્થાનનો ક્ષય વિધમાન નથી, એથી અક્ષય છે; કેમ કે વિનાશના કારણનો અભાવ છે સંસારી જીવોને તે તે ભવનો ક્ષય થાય છે તેમાં આયુષ્ય ક્ષયરૂપ વિનાશનું કારણ છે તેમ મુક્ત અવસ્થામાં વિનાશનું કોઈ કારણ નથી, માટે અક્ષય છે, સતત છે=અનશ્વર છે એ પ્રકારનો અક્ષય શબ્દનો અર્થ છે, અને અવિધમાન વ્યાબાધાવાળું અવ્યાબાધ છે; કેમ કે અમૂર્તપણું છે. અહીં પ્રશ્ન થાય કે કેમ અમૂર્ત છે ? માટે બાધા નથી તેમ કહેવાય છે, તેથી બીજો હેતુ કહે છે – તસ્વભાવપણું છે અમૂર્ત આત્માનું બાધા ન પામે તેવું સ્વભાવપણું છે, એ પ્રકારની ભાવના છે અને જ્યાંથી ફરી આવૃત્તિ નથી તે અપુનરાવૃત્તિ છે. આવૃત્તિ શું છે ? તે સ્પષ્ટ કરે છે – આવર્તન આવૃત્તિ છે, ભવરૂપી સમુદ્રમાં તે તે પ્રકારે આવર્તન એ આવૃત્તિ છે=સંસારી જીવો ભવરૂપી સમુદ્રમાં નર-નારકાદિ તે તે ભાવો રૂપે આવર્તન પામે છે તે આવૃત્તિ છે એ પ્રકારનો અર્થ છે અને જે રસ્થાનથી ફરી આવૃત્તિ નથી તે અપુનરાવૃત્તિ સ્થાન છે એમ અન્વય છે, અને સિદ્ધ થાય છેકનિષ્ઠિત અર્થવાળા થાય છે, આમાં પ્રાણીઓ એ લોકાંત ક્ષેત્રસ્વરૂપ સિદ્ધિ છે અને તે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ લલિતવિસ્તરા ભાગ-૨ જ=સિદ્ધિ જ, ગમ્યમાનપણું હોવાથી ગતિ છે=મુક્ત થયેલા જીવો તે સિદ્ધિગતિમાં જનારા હોવાથી ગતિ છે, સિદ્ધિગતિ જ નામ છે જેને તે તેવા પ્રકારનું છેકસિદ્ધિગતિ નામવાળું છે, સ્થાનનો અર્થ પૂર્વમાં કહેવાયેલો જ છે અને અહીં સ્થાન અને સ્થાનીનો અભેદ ઉપચાર હોવાથી=વ્યવહારનયને અભિમત સિદ્ધશિલારૂપ સ્થાન અને નિશ્ચયનયને અભિમત આત્માના સ્વરૂપ રૂપ સ્થાન તે સ્થાનમાં રહેનારા જીવોરૂપ સ્થાની તે બેનો અભેદ ઉપચાર હોવાથી, આ પ્રમાણે કહે છેઃશિવ-અચલ આદિ વિશેષણોવાનું કહે છે, સંપ્રાપ્ત=સખ્ય અર્થાત્ સમગ્ર કર્મની વિશ્રુતિથી સ્વરૂપગમન વડે પરિણામાંતરની આપત્તિથી પ્રાપ્ત થયેલા=સિદ્ધના જીવો સર્વ કર્મનો નાશ થવાથી પોતાના સ્વરૂપને પામેલા છે તેથી સંસારઅવસ્થામાં જે પરિણામ હતો તેના કરતાં પરિણામાંતરની પ્રાપ્તિથી પ્રાપ્ત છે. અને વિભુ નિત્ય આત્માઓને આ પ્રકારે પ્રાપ્તિનો સંભવ નથી; કેમ કે સર્વગતપણું હોતે જીતે સદા એક સ્વભાવપણું છે=વિભુ નિત્ય આત્મા સ્વીકારનારના મતે આત્માનું સર્વગતપણું હોત છતે સદા એક સ્વભાવપણું છે, તેથી સાધના કરીને આવા સ્થાનની પ્રાપ્તિનો સંભવ નથી એમ અન્વય છે, વિભુ આત્માઓનો સદા સર્વત્ર ભાવ છે અને નિત્ય આત્માઓનું એક રૂપપણાથી અવસ્થાન છે; કેમ કે તભાવ અવ્યયનું નિત્યપણું છે, તેથી નિત્ય આત્મા સ્વીકારીએ તો જે ભાવ તેનામાં વિધમાન છે તે ભાવનો અવ્યય હોવાથી સદા તે સ્વરૂપે જ અવસ્થાન પ્રાપ્ત થાય, આથી ક્ષેત્રમાં અસર્વગતને અને પરિણામી જીવોને આવા પ્રકારની પ્રાપ્તિનો સંભવ છે=પૂર્વમાં વર્ણન કર્યું એવા શિવ-અચલ આદિ વિશેષણોવાળા સ્થાનની પ્રાપ્તિનો સંભવ છે, એ પ્રમાણે ભાવન કરવું જોઈએ, તે કારણથી=પૂર્વમાં વર્ણન કર્યું તેવા વિશેષણવાળા સ્થાનને ભગવાન પ્રાપ્ત થયેલા છે તે કારણથી, તેઓને નમસ્કાર કરું છું એ પ્રકારે ક્રિયાનો યોગ છે નમો જિણાણં પદમાં રહેલા નમઃ' શબ્દની ક્રિયાનો યોગ છે. IBશા ભાવાર્થ સ્થાન-સ્થાનવાનનો અભેદ કરીને મુક્ત આત્માને જે ભાવોની પ્રાપ્તિ થઈ છે તે સર્વ વિશેષણો તે સ્થાનમાં યોજન કરીને તેના સ્થાન પામેલા ભગવાનને નમસ્કાર થાઓ એમ સંબંધ છે, સ્થાન શું છે? તે નિશ્ચયથી અને વ્યવહારથી સ્પષ્ટ કરે છે – સિદ્ધના જીવો સિદ્ધક્ષેત્રમાં રહે છે તે ક્ષેત્ર તેઓને રહેવાનું સ્થાન છે, કેવી રીતે નક્કી થાય કે સિદ્ધના જીવો સિદ્ધશિલા ઉપર રહે છે, તેથી શાસ્ત્રવચનની પ્રમાણતા બતાવે છે – મુક્ત થયેલા જીવો અહીં શરીરને છોડીને તે સિદ્ધશિલાના સ્થાનમાં જઈને સિદ્ધ થાય છે, તેથી સિદ્ધશિલામાં નિવાસ કરવાનું તેમનું સ્થાન છે એમ શાસ્ત્રવચનથી નિર્ણય થાય છે. વળી, નિશ્ચયનયથી વિચારીએ તો દરેક પદાર્થ પોતાના સ્વરૂપમાં જ વર્તે છે, તેથી પોતાના સ્વરૂપમાં વર્તવારૂપ જ સ્થાન છે, છતાં સંસારી જીવો જ્યાં સુધી સાધના કરીને પોતાને વળગેલા કર્મથી મુક્ત થતા નથી, ત્યાં સુધી પોતાના Page #200 -------------------------------------------------------------------------- ________________ શિવમયલ-સંપત્તાણું ૧૭૭. ભાવમાં વર્તતા નથી, પરંતુ વિકૃતભાવમાં વર્તે છે અને મુક્ત આત્માઓ સાધના કરીને કર્મથી મુક્ત થયા છે, તેથી તેમનું વિકૃત સ્વરૂપ દૂર થયું છે, તેથી પોતાના સ્વરૂપમાં જ રહે છે તે તેમનું સ્થાન છે. તેથી એ ફલિત થાય કે નિશ્ચયનયને અભિમત પોતાના સ્વરૂપમાં રહે છે, તેથી શિવ-અચલ આદિ વિશેષણોવાળા સિદ્ધના જીવો છે અને તેઓ સિદ્ધશિલા ઉપર વર્તે છે તેથી તે સિદ્ધક્ષેત્રરૂપ સ્થાનનો પણ તેમના આત્મા સાથે અભેદ કરવાથી શિવ-અચલ આદિ સ્થાનવાળા છે તેમ કહેલ છે, હવે તે સ્થાનના વિશેષણોને સ્પષ્ટ કરે છે – સિદ્ધના જીવો આત્મામાં વર્તે છે અને સિદ્ધક્ષેત્રમાં વર્તે છે તે રૂપ સ્થાન સર્વ ઉપદ્રવથી રહિત હોવાને કારણે શિવ કહેવાય છે; કેમ કે અશિવ શબ્દ ઉપદ્રવનો વાચક છે અને સંસારી જીવો કર્મના ઉપદ્રવવાળા છે. તે ઉપદ્રવ નરકમાં અને નિગોદમાં અત્યંત પ્રકર્ષવાળો છે અને કંઈક પુણ્યના સહકારવાળા દેવભવમાં કે મનુષ્યભવમાં તે ઉપદ્રવ કંઈક અલ્પ છે, તોપણ સંપૂર્ણ ઉપદ્રવ રહિત ચાર ગતિમાંથી કોઈ ગતિ નથી, પરંતુ સિદ્ધિગતિ જ સર્વ ઉપદ્રવથી રહિત છે, તેને પામેલા સિદ્ધના જીવો છે. વળી, સિદ્ધિગતિ અચલ છે; કેમ કે સ્વાભાવિક કે પ્રાયોગિક ચલનક્રિયાથી રહિત છે અર્થાત્ સંસારઅવસ્થામાં સંસારી જીવો પ્રાયોગિક ચલનક્રિયાવાળા હોય છે; કેમ કે કર્મના ઉદયથી સતત તેઓનું વીર્ય કોઈક યોગોમાં વર્તે છે અને કર્મથી મુક્ત થાય છે ત્યારે ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે સિદ્ધના જીવો સ્વાભાવિક સિદ્ધશિલા ઉપર જાય છે, તોપણ ત્યાં ગયા પછી સ્વાભાવિક કે પ્રાયોગિક કોઈ ચલનક્રિયા નથી, પરંતુ સિદ્ધશિલા ઉપર પ્રતિનિયત સ્થાનમાં અચલ જ વર્તે છે, તેથી અંતરંગ પણ વીર્ય વ્યાપારરૂપ ક્રિયા નથી અને આત્મપ્રદેશોમાં કંપનરૂપ ક્રિયા નથી, તેથી અચલ છે. રુજા શબ્દ વ્યાધિમાં અને પ્રતિકૂળ વેદનામાં વપરાય છે. સિદ્ધ અવસ્થામાં શરીર અને કર્મ નહિ હોવાથી અંતરંગ મોહનો વ્યાધિ નથી અને શરીરને કારણે જે વેદનાઓ થાય છે તે વેદના પણ નથી, તેથી અવિદ્યમાન રાજવાળો છે; કેમ કે રુજના કારણભૂત શરીર અને મનનો અભાવ છે. સંસારી જીવોને શરીરને કારણે વેદનાઓ થાય છે અને મનને કારણે કાષાયિક ભાવારૂપ વ્યાધિ થાય છે, સિદ્ધના જીવોને તેનો અભાવ છે, માટે સિદ્ધનું સ્થાન અરુજ છે. વળી, સિદ્ધમાં ગયા પછી તે સ્થાનમાં તેઓ સદા રહે છે, તેથી અનંત છે; કેમ કે કર્મ રહિત, શરીર રહિત એવા કેવલ આત્માનું સદા તે રૂપે અવસ્થાન હોવાથી અનંતપણું =અંત વગરનું અવસ્થાન છે માટે સિદ્ધના જીવો અનંત એવા સ્થાનને પામેલા છે. વળી, સિદ્ધનું સ્થાન અક્ષય છે; કેમ કે વિનાશના કારણનો અભાવ છે, સામાન્યથી સંસારી જીવોનો દરેક ભવ આયુષ્યના ક્ષયથી વિનાશ પામે છે, જ્યારે સિદ્ધ અવસ્થા આયુષ્યના બળથી પ્રાપ્ત થયેલ નથી, પરંતુ કર્મ રહિત થવાથી પ્રાપ્ત થયેલ છે અને તેની પ્રાપ્તિ પછી તેના વિનાશનું કોઈ કારણ નથી, તેથી સતત અનશ્વર છે. વળી, સિદ્ધ અવસ્થા સર્વ બાધાઓથી રહિત છે; કેમ કે સિદ્ધ અવસ્થામાં આત્માનું અમૂર્ણપણું છે અને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ લલિતવિસ્તરા ભાગ-૨ અમૂર્ત આત્માનો તેવો જ સ્વભાવ છે કે તેને કોઈ બાધા ઉત્પન્ન ન થાય, જોકે સંસારી જીવોનો આત્મા પણ પરમાર્થથી અમૂર્ત છે, તોપણ અનાદિથી કર્મના સંયોગને કારણે કથંચિત્ મૂર્તભાવને પામેલો છે, તેથી મૂર્તિ એવા શરીર સાથે સંબંધિત થાય છે તેના કારણે ઉપદ્રવકારી પદાર્થોથી તેને અનેક પ્રકારની વ્યાબાધાઓ થાય છે, સિદ્ધના જીવો તે સર્વ વ્યાબાધાથી રહિત એવા સ્થાનને પામેલા છે. વળી, અપુનરાવૃત્તિ એવી સિદ્ધિગતિને પામેલા છે, આવર્તન આવૃત્તિ છે અને સંસારી જીવો ભવસમુદ્રમાં નર-નારકાદિ તે તે ભાવરૂપે આવર્તન પામે છે તેવું આવર્તન ક્યારેય નથી જેમાં એવા સ્થાન પામેલા સિદ્ધના જીવો છે. વળી, સિદ્ધ થાય છેનિષ્ઠિત પ્રયોજનવાળા થાય છે જેમાં એવી ગતિ તે સિદ્ધિગતિ છે અને તેવી ગતિને પામેલા સિદ્ધના જીવો છે, કઈ રીતે પામેલા છે, તેથી કહે છે – સંપૂર્ણ કર્મના નાશને કારણે આત્માના સ્વરૂપની પ્રાપ્તિ દ્વારા સંસારઅવસ્થા કરતાં પરિણામાંતર અવસ્થાને પ્રાપ્ત થયેલા છે, માટે સમ્યગૂપ્રાપ્ત થયેલા છે અર્થાત્ તેવી સિદ્ધિગતિને સમ્યફપ્રાપ્ત કરેલ છે. વળી, વૈશેષિક મત આત્માને વિભુ માને છે અને નિત્ય માને છે તેના મતે આવા પ્રકારની પ્રાપ્તિનો સંભવ નથી અર્થાત્ સિદ્ધશિલારૂપ ક્ષેત્રની પ્રાપ્તિ અને આત્માના સ્વરૂપની પ્રાપ્તિ એ રૂપ પ્રાપ્તિનો સંભવ નથી; કેમ કે આત્મા વિભુ હોય તો ચૌદ રાજલોકરૂપ સર્વ ક્ષેત્રમાં રહે, તેથી સિદ્ધના ક્ષેત્રની પ્રાપ્તિ સંભવે નહિ અને આત્મા એકાંતે નિત્ય હોય તો સંસારઅવસ્થામાં કે મુક્ત અવસ્થામાં સદા એક સ્વભાવ છે, તેથી સંસારઅવસ્થાના ભાવને છોડીને પરિણામાંતરની પ્રાપ્તિ સંભવે નહિ; કેમ કે સંસારઅવસ્થામાં જે ભાવ હતો તેનો અવ્યય હોય તો જ આત્માને નિત્ય કહી શકાય, પરંતુ સંસારઅવસ્થામાં કર્મના સંયોગને કારણે સંસારી જીવોનો જે વિકૃતભાવ હતો તેના ત્યાગપૂર્વક પરિણામાંતરને સિદ્ધના જીવો મુક્ત અવસ્થામાં પામે છે તેમ સ્વીકારવું હોય તો આત્માને એકાંતે નિત્ય કહી શકાય નહિ. વસ્તુતઃ તત્ત્વાર્થ સૂત્રમાં દરેક પદાર્થનું તદ્ભાવના અવ્યયરૂપ નિત્યપણું કહેલ છે તે દરેક પદાર્થ પોતાના સ્વરૂપથી ક્યારેય વ્યય પામતો નથી તેમ આત્મા પણ નર-નારકાધિરૂપે કે સિદ્ધરૂપે થાય છે ત્યારે પણ આત્મદ્રવ્ય પોતાના ચૈતન્ય સ્વરૂપથી નાશ પામતું નથી, તેને આશ્રયીને નિત્ય કહેલ છે, અને તેમ સ્વીકારીએ તો કથંચિત્ નિત્ય એવા આત્માને પરિણામાંતર રૂપ સિદ્ધિગતિનો સંભવ છે જ્યારે વૈશેષિક મતવાળા આત્માને એકાંત નિત્ય સ્વીકારે છે અને તેમ સ્વીકારીએ તો સંસારઅવસ્થા કરતાં મુક્ત અવસ્થામાં આત્માનું પરિણામાંતર થાય છે તે પણ પ્રાપ્ત થાય નહિ; કેમ કે ત્રણે કાળમાં આત્મા સર્વ સ્વરૂપે એક સ્વરૂપવાળો છે તેવો અર્થ વૈશેષિક મતે પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો સંસારઅવસ્થા કરતાં વિલક્ષણ મુક્ત અવસ્થાની પ્રાપ્તિ છે તે સંભવે નહિ. આથી ક્ષેત્રથી અસર્વગત અને પરિણામી આત્માને પૂર્વમાં કહ્યું એવી સંપ્રાપ્તિ સંભવે છે; કેમ કે સંસારી જીવોનો આત્મા દેહના પરિમાણવાળો છે, તેથી સર્વ ક્ષેત્રમાં નથી અને સાધના કરીને મુક્ત થાય છે ત્યારે ક્ષેત્રમંતરરૂપ સિદ્ધશિલાને પ્રાપ્ત કરે છે અને પરિણામી એવો આત્મા સંસારઅવસ્થામાં કર્મજન્ય વિકૃત અવસ્થાવાળો હતો તેના ત્યાગપૂર્વક અવિકૃત અવસ્થારૂપ પરિણામાંતરને પામે છે, તેથી પૂર્વમાં વર્ણન કર્યું એવી શિવ-અચલ આદિ સ્થાનની પ્રાપ્તિનો સંભવ સ્યાદ્વાદીના મતે છે, વૈશેષિક મતે નથી, એ પ્રમાણે Page #202 -------------------------------------------------------------------------- ________________ નમો જિસાણ જિયભયાણ ૧૭૯ ભાવન કરવું જોઈએ અને તેવા પ્રકારના સ્થાન પામેલા ભગવાનને નમસ્કાર થાઓ એમ કહીને મહાત્મા તેવા પ્રકારના સ્થાનની પ્રાપ્તિને અનુકૂળ આત્માનું અંતરંગ બળ સંચય કરે છે, જેથી પોતાને પણ તેવા ઉત્તમ સ્થાનની શીધ્ર પ્રાપ્તિ થાય. Iકશા અવતરણિકા - एवंभूता एव प्रेक्षावतां नमस्कारार्हाः आद्यन्तसङ्गतश्च नमस्कारो मध्यव्यापीति भावना, जितभया अप्येते एव, नान्ये, इति प्रतिपादयत्राह - અવતરણિયાર્થ: આવા પ્રકારના જ=પ્રસ્તુત સંપદામાં બતાવ્યું એવા પ્રકારના જ મુક્ત આત્માઓ, વિચારકોને નમસ્કારયોગ્ય છે અને આદિ અંતમાં સંગત એવો નમસ્કાર મધ્યવ્યાપી છે=વચલા દરેક પદમાં વ્યાપ્ત છે, એ પ્રકારે ભાવના છે, જિતભયવાળા પણ આ જ છે=સર્વજ્ઞ સર્વદર્શી હોતે છતે શિવઅચલ આદિ વિશેષણોવાળા સ્થાનને પામેલા સિદ્ધના જીવો જ છે, અન્ય નથી એ પ્રમાણે પ્રતિપાદન કરતાં કહે છે – ભાવાર્થ વિચારક જીવોને પૂર્વમાં અત્યાર સુધી વર્ણન કર્યું એવા ગુણોવાળા જ નમસ્કાર કરવાયોગ્ય છે; કેમ કે નમસ્કારની ક્રિયાથી તત્ તુલ્ય થવાને અનુકૂળ બળ સંચય થાય છે અને વિચારક જીવોને તેવી ઉત્તમ ગુણોવાળી અવસ્થા જ આત્માની સુંદર અવસ્થા છે તેવું જણાય છે, તેથી પુનઃ પુનઃ તેમના ગુણોનું સ્મરણ કરીને તેવા ઉત્તમ પુરુષોને નમસ્કાર કરીને બુદ્ધિમાન પુરુષો તેવી ઉત્તમતાને પ્રગટ કરવા માટે સદા ઉદ્યમશીલ થાય છે. વળી, પ્રસ્તુત સૂત્રના પ્રારંભમાં નમોડસ્તુ શબ્દથી આઘમાં નમસ્કાર કરેલ અને નમો જિણાણ શબ્દથી અંતમાં નમસ્કાર કરેલ છે, તેથી તે નમસ્કાર મધ્યના દરેક પદ સાથે યોજન પામે છે, તેથી બુદ્ધિમાન પુરુષ દરેક પદે આવા ગુણવાળાને હું નમસ્કાર કરું છું એમ પ્રતિસંધાન કરીને તેવા ગુણની પ્રાપ્તિમાં બાધક પોતાના ક્લિષ્ટ કર્મનો નાશ કરે છે, જેથી તે ગુણની પ્રાપ્તિને અનુકૂળ બોધ, સૂક્ષ્મ રૂચિ અને શક્તિ અનુસાર તે ગુણોને સ્પર્શતો જીવનો પરિણામ પ્રગટ થાય છે, જે પ્રકર્ષને પામીને તે ગુણની પ્રાપ્તિમાં જ વિશ્રાંત થશે. સૂત્રઃ --નમો ના નિયમથાઇi iારૂરૂા. સુવાર્થ:જિન જિતભથવાળા ભગવાનને નમસ્કાર કરું છું. ૩૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ લલિતવિક્તા ભાગ-૨ લલિતવિસ્તરા - 'नमो जिनेभ्यः जितभयेभ्यः'। नम इति पूर्ववत्, जिना इति च, जितभयाः भवप्रपञ्चनिवृत्तेः क्षपितभया, इत्युक्तं भवति- अनेनाद्वैतमुक्तव्यवच्छेदः, तत्र हि क्षेत्रज्ञाः परमब्रह्मस्फुलिङ्गकल्पाः, तेषां च ततः पृथग्भावे न ब्रह्मसत्तात एव कश्चिदपरो हेतुरिति सा तल्लयेऽपि तथाविधैव, तद्वदेव भूयः पृथक्त्वापत्तिः। एवं हि भूयो भवभावेन न सर्वथा जितभयत्वं, सहजभवभावव्यवच्छित्तौ तु तत्तत्स्वभावतया भवत्युक्तवत् शक्तिरूपेणापि सर्वथा भयपरिक्षय इति निरुपचरितमेतत्। લલિતવિસ્તરાર્થ: જિન અને જિતભયવાળા ભગવાન છે તેમને હું નમસ્કાર કરું છું, નમઃ શબ્દ પૂર્વની જેમ=નમુત્થણ પદમાં કહેલ તેમ, પૂજા અર્થમાં છે, તેથી તેમના સ્વરૂપને અવલંબીને તત્ તુલ્ય થવાને અનુકૂળ બોલનાર જીવના મનોવ્યાપારરૂપ છે અને જિન એ પ્રમાણે પૂર્વની જેમ છે=જિણાણું જાવયાણ પદમાં કહ્યું એ પ્રમાણે જિન શબ્દનો અર્થ છે, જિતભયવાળા ભગવાન છે=ભવના પ્રપંચની નિવૃત્તિથી ક્ષપિત ભયવાળા છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે=જિતભય પદથી કહેવાયેલું થાય છે. આના દ્વારા=ભગવાન જિતભયવાળા છે એમ કહ્યું એના દ્વારા, અદ્વૈતમુક્તનો વ્યવચ્છેદ છે, =જે કારણથી, ત્યાં=અદ્વૈતમતમાં, ક્ષેત્રજ્ઞ=સંસારી જીવો, પરમબ્રહાના સ્ફલિંગ જેવા છે અને તેઓનો ક્ષેત્રજ્ઞોનો સંસારી જીવોનો, તેનાથી=પરમબ્રહ્મથી, પુથભાવમાં બ્રહ્મસતાથી જ બીજો કોઈ હેતુ નથી, એ રીતે તેમાં લય હોતે છતે પણ=બ્રાહ્મમાં લય હોતે છતે પણ=મુક્ત આત્માનો લય હોતે છતે પણ, તે=બ્રહાસત્તા, તેવા પ્રકારની જ છે=વિચટનનો હેતુ જ છે, (એથી) તેની જેમ જ એક વખતની જેમ જ, ફરી પૃથત્વની આપત્તિ છે. કિજે કારણથી, આ રીતે ફરી પણ પૃથફભાવની આપત્તિ છે એ રીતે, ફરી ભવભાવ થવાને કારણે સર્વથા જિતભયપણું નથી, વળી, સહજ ભવભાવની વ્યવસ્થિતિમાં તત્ તત્ સ્વભાવપણાથી= સહજ ભવભાવની વ્યવસ્થિતિનું જિતભયત્વ સ્વભાવપણું હોવાથી, ઉક્તની જેમ શક્તિરૂપથી પણ સર્વથા ભયનો પરિક્ષય થાય છે, એથી આ=જિતભયત્વ, નિરુપચરિત છે. પંજિકા : 'अनेने त्यादि, अनेन भावतो जितभयत्वनिर्देशेन अद्वैते परमब्रह्मलक्षणे सति, मुक्ताः क्षीणभवाः, તેષાં વ્યવચ્છતો નિરા:, વૃત તિ ની, ત ત્યાદ- તત્ર રાતે, દિ=સ્મા, ક્ષેત્રના =સંસારિક, परमब्रह्मविस्फुलिङ्गकल्पा:=परमब्रह्मणः-परमपुरुषस्य, (स्फुलिङ्गकल्पा:-) अवयवा एवेति भावः, यदि नामैवं ततः किमित्याह- तेषां च-क्षेत्रज्ञानां, ततः परमब्रह्मणः, पृथग्भावे-विचटने न-नैव, ब्रह्मसत्तात Page #204 -------------------------------------------------------------------------- ________________ નમો જિણાë જિયભયાણ ૧૮૧ વૈ=aહાસત્તા સાશા, શ્વિ–નાદિ, પર=ગવો, દેતુ=નિમિત્ત તિ–પર્વ, સાહસ, तल्लयेऽपि तस्मिन्-ब्रह्मणि, मुक्तात्मनो लयेऽपि, तथाविधैव-विचटनहेतुरेव, तद्वदेव-एकवारमिव, भूयः पुनः, पृथक्त्वापत्तिः विचटनप्रसङ्ग इति । તા: વિમ્ ? ત્યા एवं-भूयः पृथक्त्वापत्त्या, हिः यस्माद्, भूयो भवभावेन पुनः संसारापत्त्या, न=नैव, सर्वथा शक्तिक्षयेणापि, जितभयत्वम् उक्तरूपं, यथा स्यात्तदाह (प्र०... तथाह) सहजभवभावव्यवच्छित्तौ तु-सहजस्य-ब्रह्मविचटनादेः कुतोऽप्यप्रवृत्तस्य जीवतुल्यकालभाविनो, भवभावस्य-संसारपर्यायस्य, व्यवच्छित्तौ-क्षये, पुनः किम्? इत्याहतत्तत्स्वभावतया तस्याः-सहजभवभावव्यवच्छित्तेः (तत्स्वभावतया-) जितभयत्वस्वभावतया 'भवत्येतदि'त्युत्तरेण सह संबन्धः, कीदृशमित्याह-निरुपचरितं तात्त्विकं, कुत इत्याह- उक्तवत् प्रागुक्तशिवाचलादिस्थानप्राप्तिन्यायेन, शक्तिरूपेणापि भययोग्यस्वभावेनापि, किं पुनः साक्षाद् भयभावेन, अत एवाह- सर्वथा सर्वप्रकारैः, भयपरिक्षयो-भयनिवृत्तिः, इति-अस्माद्धेतोः, एतत्-जितभयत्वमिति । પંજિકાર્થ: ગનેનેચર... નિમીત્વતિ છે અને નેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આના દ્વારા=ભાવથી જિતભયત્વના નિર્દેશ દ્વારા, પરમબ્રહમ સ્વરૂપ અદ્વૈત હોતે છતે મુક્ત છે=ક્ષીણ ભવવાળા છે, તેઓનો=અદ્વૈત મુક્તનો વ્યવચ્છેદ=નિરાસ, કરાયો, વૃત એ શબ્દ લલિતવિસ્તરામાં વ્યવછેઃ પછી અધ્યાહાર છે, કયા કારણથી ?=કયા કારણથી અદ્વૈત મુક્ત મતનો વ્યવચ્છેદ કરાયો ? એથી કહે છે– દિ=જે કારણથી, ત્યાં અદ્વૈતમતમાં, ક્ષેત્રજ્ઞ=સંસારી જીવો, પરમબ્રાના વિસ્ફલિંગ જેવા છે–પરમ પુરુષના અવયવો જ છે, જો આમ છે=સંસારી જીવો પરમબ્રહાના અવયવો જ છે એમ છે, તેનાથી શું?=તેનાથી શું સિદ્ધ થાય ? એથી કહે છે – તેઓના=ક્ષેત્રજ્ઞ જીવોના=સંસારી જીવોના, તેનાથી પૃથભાવમાં=પરમબ્રહાથી વિચટનમાં, બ્રહ્મસત્તાથી જ કોઈક કાલાદિ અન્ય હેતુ=અન્ય નિમિત, નથી જ, એ રીતે તે=બ્રહ્મ સત્તા, તેના લયમાં પણ=તે બ્રામાં મુક્ત આત્માના લયમાં પણ, તેવા પ્રકારની જ વિચટન હેતુ છે, તેની જેમ જ એક વખતની જેમ જ, ફરી પૃથક્વતી આપત્તિ છે=વિચટનનો પ્રસંગ છે. તેનાથી શું ?=બ્રહામાં લય પામેલા મુક્ત આત્માઓને પણ એક વખતની જેમ ફરી વિચટનનો પ્રસંગ છે એમ પૂર્વમાં કહ્યું તેનાથી શું પ્રાપ્ત થાય? એને કહે છે – હિ=જે કારણથી, આ રીતે ફરી પૃથક્તની આપત્તિ હોવાથી ફરી ભવભાવ હોવાને કારણે=ફરી સંસારની આપતિ હોવાને કારણે, સર્વથા જિતભયત્વ શક્તિક્ષયરૂપે પણ ઉક્તરૂપવાળું જિતભયત્વ, નથી જ, જે પ્રમાણે થાય=જે પ્રમાણે સ્વીકારવાથી સર્વથા જિતભયત્વ થાય, તેને કહે છે – વળી, સહજ ભવભાવની વ્યવચ્છિત્તિ થયે છતે=બ્રા વિચટનાદિ કોઈનાથી પણ અપ્રવૃત્ત જીવના તુલ્યકાલભાવિ ભવભાવની અર્થાત Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ લલિતવિસ્તરા ભાગ-૨ સંસાર પર્યાયની વ્યવચ્છિત્તિ થયે છતે અર્થાત્ ક્ષય થયે છતે શું ?=ભવભાવની વ્યવચ્છિત્તિ થયે છતે શું પ્રાપ્ત થાય ? એથી કહે છે તત્ તત્ સ્વભાવપણાથી=તેના અર્થાત્ સહજ ભાવ વ્યવચ્છિત્તિના જિતભયત્વ સ્વભાવપણાથી, આ થાય છે=જિતભયત્વ થાય છે, એમ ઉત્તરની સાથે સંબંધ છે. કેવા પ્રકારનું જિતભયત્વ થાય છે ? એથી કહે છે . નિરુપચરિત=તાત્ત્વિક જિનભયત્વ થાય છે, કયા કારણથી નિરુપચરિત જિતભયત્વ થાય છે ? એથી કહે છે ઉક્તની જેમ=પૂર્વમાં કહેલા શિવ-અચલ આદિ સ્થાનની પ્રાપ્તિના ન્યાયથી, શક્તિરૂપથી પણ=ભયયોગ્ય સ્વભાવપણાથી પણ, શું વળી, સાક્ષાત્ ભયભાવથી ? આથી જ કહે છે=શક્તિરૂપથી પણ ભયનો ક્ષય છે આથી જ કહે છે સર્વથા=સર્વ પ્રકારે, ભયપરિક્ષય=ભયની નિવૃત્તિ છે, એ હેતુથી આ=જિતભયત્વ, નિરુપચરિત છે એમ અન્વય છે. - ભાવાર્થ: શુદ્ધ સંગ્રહનયની એકાંત દૃષ્ટિથી બ્રહ્માદ્વૈત મત પ્રવર્તે છે અને શુદ્ધ સંગ્રહનય ઊર્ધ્વતા સામાન્ય અને તિર્થંક્ સામાન્યને સ્વીકારીને પ્રવર્તે છે અને એકાંતે જગત આખું બ્રહ્મસ્વરૂપ છે તેમ સ્થાપન કરીને સંસારની દુષ્ટ વ્યવસ્થાની સંગતિ કરવા માટે બ્રહ્માદ્વૈતવાદી કહે છે કે અગ્નિમાંથી સ્ફુલિંગો નીકળે તેમ પરમબ્રહ્મમાંથી સ્ફુલિંગો જેવા ક્ષેત્રજ્ઞ જીવો નીકળેલા છે=સંસારી જીવો નીકળેલા છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – સંસારી જીવો બ્રહ્મથી પૃથક્ થયા તેમાં બ્રહ્મસત્તાથી બીજો કોઈ હેતુ નથી; કેમ કે બ્રહ્માદ્વૈતના મતે બ્રહ્મ સિવાય અન્ય કોઈ વસ્તુ નથી જેને બ્રહ્મસત્તામાંથી સંસારી જીવોને પૃથક્ કરવાનું કારણ સ્વીકારી શકાય, તેથી બ્રહ્મની સત્તાથી સંસારી જીવો એક વખત પૃથક્ થયા તેમાં બ્રહ્મની સત્તા જ કારણ છે અને પૃથક્ થયેલા સંસારી જીવો બ્રહ્મમાં લય પામે તોપણ બ્રહ્મમાં લય પામેલા મુક્ત આત્માઓ પૂર્વમાં એક વખત બ્રહ્મની સત્તાથી જ પૃથક્ થયા તેમ ફરી તેઓને બ્રહ્મની સત્તાથી પૃથક્ થવાની આપત્તિ આવે, તેથી જો તેઓ પ્રથમવારની જેમ મુક્તમાં ગયા પછી ફરી સંસારમાં આવે તેમ સ્વીકારવામાં આવે તો તેઓમાં સર્વથા જિતભયત્વની પ્રાપ્તિ થાય નહિ અર્થાત્ વર્તમાનમાં મુક્ત થયેલા હોવાથી સંસારના ઉપદ્રવોથી મુક્ત છે, તેથી જિતભયત્વ છે, તોપણ જેમ પ્રથમવાર બ્રહ્મની સત્તાથી પૃથક્ થઈને સંસારમાં આવ્યા તે પ્રકારે ફરી સંસારમાં આવવાની શક્તિ તેઓમાં વિદ્યમાન છે, તેથી સંસારમાં ફરી જન્મવાની શક્તિના ક્ષયથી તેઓ જિતભય થયેલા નથી, આથી જ મુક્ત થયા પછી ફરી સંસારમાં જન્મવાની શક્તિ હોવાને કારણે ઉપદ્રવવાળા થશે, તેથી કિંચિત્ કાળ માટે જિતભયવાળા હોવા છતાં મુક્ત થયેલા આત્માઓ સર્વથા જિતભયવાળા નથી, વસ્તુતઃ ભગવાન સર્વથા જિતભય હોવાને કારણે જિયભયાણં પદથી તેમની સ્તુતિ કરીને અદ્વૈત મુક્ત મતનો વ્યવચ્છેદ કરાય છે. અહીં પ્રશ્ન થાય કે તો કઈ રીતે મુક્તપણું સ્વીકારવાથી સર્વથા જિતભયત્વની પ્રાપ્તિ થાય ? તેથી કહે છે – Page #206 -------------------------------------------------------------------------- ________________ નમો જિહાણ જિયભયાણ ૧૮૩ સંસારી જીવોનો સંસાર પર્યાય બ્રહ્મ વિચટનાદિ કોઈનાથી પણ પ્રવૃત્ત નથી, પરંતુ સહજ અનાદિકાળથી છે અર્થાત્ જ્યારથી જીવનું અસ્તિત્વ છે ત્યારથી જીવને સંસાર પર્યાયની પ્રાપ્તિ છે અને જે મહાત્મા સંસાર પર્યાયના વાસ્તવિક સ્વરૂપને જાણીને અને સંસાર પર્યાયને કારણે પોતાની થતી કદર્થનાને જાણીને સંસાર પર્યાયના ઉચ્છેદના ઉપાયભૂત ભાવથી અસંગ પરિણતિને પ્રગટ કરવા યત્ન કરે છે તેનાથી સંસાર પર્યાયનો ક્ષય થાય છે અને સંસાર પર્યાયના ક્ષયનો તેવો જ સ્વભાવ છે જેથી ફરી સંસાર પર્યાયની પ્રાપ્તિ થાય નહિ, તેથી સંસાર પર્યાયનો ક્ષય થવાને કારણે પૂર્વમાં કહેવાયેલા શિવ-અચલ આદિ વિશેષણોવાળા સ્થાનની પ્રાપ્તિ દ્વારા નિરુપચરિત જિતભયત્વની પ્રાપ્તિ થાય છે, કેમ કે તે સ્થાનની પ્રાપ્તિ થવાથી શક્તિરૂપથી પણ સર્વથા ભવનો પરિક્ષય થાય છે, આથી જ સિદ્ધમાં ગયેલા જીવો ક્યારેય ફરી સંસાર પર્યાયને પ્રાપ્ત કરતા નથી, તેથી મુક્ત થયા ત્યારથી સદા માટે તેઓને સંસારના કોઈ ઉપદ્રવો નથી, વળી ભવિષ્યમાં પણ ઉપદ્રવો થવાની શક્તિ તેઓમાં નથી, તેથી સર્વ પ્રકારે ભયનો પરિક્ષય થવાને કારણે સિદ્ધના જીવોને નિરુપચરિત જિતભયત્વ છે. લલિતવિસ્તરા : न'सकृद्विचटनस्वभावत्वकल्पनयाऽद्वैतेऽप्येवमेवादोष' इति न्याय्यं वचः, अनेकदोषोपपत्तेः, तथाहितद्विचटनं शुद्धादशुद्धाद्वा ब्रह्मणः? इति निरूपणीयमेतत्, शुद्धविचटने कुतस्तेषामिहाशुद्धिः? अशुद्धविचटने तु तत्र लयोऽपार्थकः, न चैवमेकमविभागं च तदिति, अनेकत्वे च परमताङ्गीकरणमेव, तद्विभागानामेव नीत्या आत्मत्वादिति। લલિતવિસ્તરાર્થ : એક વખત વિચટનના સ્વભાવતની કલ્પનાથી=બ્રહાનો એક વખત જ વિચટનનો સ્વભાવ છે પરંતુ સાધના કરીને મુક્ત થયેલાને ફરી વિચટન કરે નહિ એવા સ્વભાવની કલ્પનાથી, અદ્વૈતમાં પણ=બ્રહ્માદ્વૈતમાં પણ, આ રીતે જ જે રીતે તમે અર્થાત્ સ્યાદ્વાદી સ્વીકારો છો એ રીતે જ, અદોષ છે એ પ્રકારે ન્યાયવચન નથી; કેમ કે અનેક દોષની ઉપપત્તિ છે, તે આ પ્રમાણે – તે વિચટન=એક વખત વિચટન, શુદ્ધ બ્રહાથી થાય છે અથવા અશુદ્ધ બ્રહ્મથી થાય છે એ નિરૂપણીય છે=એક વખત થતું વિચહ્ન વિચારણીય છે, શુદ્ધથી વિચટનમાં શુદ્ધ બ્રહથી સંસારી જીવોના પૃથભાવમાં, શેનાથી તેઓની=સંસારી જીવોની, અહીં=સંસારમાં, અશુદ્ધિ છે? વળી, અશુલ્થી વિચટનમાં-અશુદ્ધ બ્રહથી સંસારી જીવોના પૃથભાવમાં, ત્યાં બ્રહામાં, લય અપાર્થક છે. અને આ રીતે=પરમબ્રહ્મથી સંસારી જીવોનું વિચટન સ્વીકારાયે છતે, એક=અદ્વિતીય, અને અવિભાગ તે=પરમબ્રહ્મ, નથી અને અનેકપણામાં પરમતનું અંગીકરણ જ છે; કેમ કે તેના વિભાગોને જ નીતિથી આત્મપણું છે–પરમબ્રહ્મના વિભાગોને જ યુક્તિથી ક્ષેત્રાપણું છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ લલિતવિસ્તરા ભાગ-૨ पंEिs: अत्रैव परमतमाशक्य परिहरनाहन-नैव, सकृद्विचटनस्वभावत्वकल्पनया एकवारं परमब्रह्मणः सकाशाद्विभक्तिभावस्वभावत्वकल्पनया, अद्वैतेऽपि-परमब्रह्मलक्षणे, किं पुनः द्वैते, एवमेव-भवदभ्युपगमन्यायेनैव, अदोषः उपचरितं जितभयत्वमेवलक्षणदोषाभावः, इति एवंरूपं, न्याय्यं न्यायानुगतं, वचो वचनम्, कुत इत्याह-अनेकदोषोपपत्तेः, तामेव भावयति- 'तथाही ति पूर्वोक्तभावनार्थः, तत् सकृद्, विचटनं विभागो, ब्रह्मणः सकाशात् क्षेत्रविदामिति गम्यते, शुद्धात सकलदोषरहिताद्, अशुद्धाद्-इतररूपात्, 'वा'शब्दो विकल्पार्थः, ब्रह्मणः परमपुरुषादद्वैतरूपात् 'पुरुष एवेदमित्यादिवेदवाक्यनिरूपितात्, इति एवं, निरूपणीयं-पर्यालोच्यम्, एतत् सकृतिचटनं, प्रकारद्वयेऽपि दोषसंभवात्, दोषमेव दर्शयति- ('शुद्धविचटने'=) शुद्धाद् ब्रह्मणो विचटने, कुतः? न कुतश्चिदित्यर्थः तेषां क्षेत्रविदाम्, इह-संसारे, अशुद्धिः, यत्क्षयार्थं यमनियमाभ्यासो योगिनामिति, अशुद्धविचटने तु-अशुद्धाद्विचटने पुनः, तत्रब्रह्मणि, लयः-उक्तरूपः अपार्थकः निरर्थकः, तदशुद्धिजन्यस्य क्लेशस्य तत्रापि मुक्तानां प्राप्तेः। तदभ्युपगमेनापि ब्रह्म दूषयन्नाह न च नैव, एवं परमब्रह्मणः क्षेत्रज्ञानां विचटने लये च, एकम् अद्वितीयम्, अविभागं च-निरवयवं (च), तत्=परमब्रह्म, 'इति' किन्तु विपर्यय इति, एवमपि किमित्याह- अनेकत्वे च क्षेत्रज्ञापेक्षया परमब्रह्मणः, 'परमताङ्गीकरणमेवा'भ्युपगतं स्यात्, कुत इत्याह-तद्विभागानामेव-तस्य परमब्रह्मणः आत्मसामान्यरूपस्य, 'विभागानां'-व्यक्तिरूपाणां (एव), 'नीत्या' युक्त्या, 'आत्मत्वात्' क्षेत्रज्ञत्वात्। निसर्थ: अत्रैव परमतमाशङ्क्य ..... क्षेत्रज्ञत्वात् ।। x=पूर्वमा स्याद्वाना मत पियरत हितमयत्व છે એમ સ્થાપન કર્યું એમાં જ, પરમતની આશંકા કરીને=અદ્વૈતમતની આશંકા કરીને, પરિહાર કરતાંeતેના મતની યુક્તિનું નિરાકરણ કરતાં, કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – એક વખત વિચટનના સ્વભાવત્વની કલ્પનાથી પરમબ્રહ્મથી એકવાર વિભક્તિના ભાવરૂપ સ્વભાવત્વની કલ્પનાથી, અદ્વૈતમાં પણ પરમબ્રહ્મ સ્વરૂપ અદ્વૈતમાં પણ, શું વળી, ઢેતમાં? આ રીતે જ તમારા વડે સ્વીકારાયેલ યુક્તિથી જ સ્યાદ્વાદી વડે સ્વીકારાયેલ યુક્તિથી જ, અદોષsઉપચરિત જિતભયત્વ છે એ રૂપ દોષનો અભાવ છે, એવા સ્વરૂપવાળું થાયવચન=ન્યાયયુક્ત વચન, નથી જ, કયા કારણથી ?=કયા કારણથી અદ્વૈત મતનું કથન સ્યાદ્વાદીના મતતુલ્ય તિરુપચરિત જિતભત્વને કહેનારું નથી ? એથી કહે છે – અનેક દોષોની ઉપપત્તિ છે=શુદ્ધ બ્રામાંથી સંસારી જીવોનું એક વખત વિચટન થાય છે તેમ સ્વીકારીને મુક્ત થયેલામાં સર્વથા જિતભયત્વ સ્થાપન કરવા છતાં અનેક पानी प्राति छ, तर ने पीने ४, मावन ३ छ - तथाहि श६ पूवातना भावन Page #208 -------------------------------------------------------------------------- ________________ નમો જિણાણ જિયભયાણં ૧૮૫ અર્થવાળો છે=પૂર્વમાં કહેલા અનેક દોષોની ઉપપત્તિના ભાવન અર્થવાળો છે, તે=એક વખત વિચટન= બ્રહ્મમાંથી ક્ષેત્રવિદોનો વિભાગ, શુદ્ધથી=સકલ દોષ રહિત બ્રહ્મથી, અથવા અશુદ્ધથી=ઇતરરૂપ એવા અદ્વૈતરૂપ પરમ પુરુષથી, આસમૃદ્ વિચટન છે, એ રીતે નિરૂપણીય છે=પર્યાલોચ્ય છે; કેમ કે પ્રકારદ્વયમાં પણ=શુદ્ધ બ્રહ્મથી સમૃદ્ વિચટન છે કે અશુદ્ધ બ્રહ્મથી સમૃદ્ વિચટન છે એ રૂપ પ્રકારયમાં પણ, દોષનો સંભવ છે, તે વિચટન ક્ષેત્રવિદોનું છે એ બતાવવા માટે તક્રિટનું પછી ક્ષેત્રવિદ્વાન્ શબ્દ અધ્યાહાર છે, લલિતવિસ્તરામાં વા શબ્દ વિકલ્પાર્થવાળો છે. બ્રહ્મનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે પુરુષ જ આ છે=જે કંઈ દેખાય છે એ સર્વ પુરુષ જ છે, ઇત્યાદિ વેદવાક્યથી નિરુપિત અદ્વૈતરૂપ પરમ પુરુષરૂપ બ્રહ્મથી આ વિચટન છે એમ અન્વય છે, દોષને જ=શુદ્ધ કે અશુદ્ધ બ્રહ્મથી વિચટનને સ્વીકારવામાં દોષને જ, બતાવે છે શુદ્ધ બ્રહ્મથી વિચટનમાં કોનાથી તેઓની=સંસારી જીવોની, અહીં=સંસારમાં, અશુદ્ધિ છે ? અર્થાત્ કોઈનાથી નથી, જેના ક્ષય માટે=જે અશુદ્ધિના ક્ષય માટે, યોગીઓનો યમ-નિયમનો અભ્યાસ છે, વળી, અશુદ્ધથી વિચટનમાં=અશુદ્ધ બ્રહ્મથી સંસારી જીવોના વિચટનમાં, ત્યાં=બ્રહ્મમાં=અશુદ્ધ બ્રહ્મમાં, ઉક્તરૂપ લય અપાર્થક છે=નિરર્થક છે; કેમ કે તેની અશુદ્ધિથી જન્ય એવા ક્લેશની=બ્રાની અશુદ્ધિથી જન્ય ક્લેશની, ત્યાં પણ=બ્રહ્મના લયમાં પણ, મુક્તોને પ્રાપ્તિ છે. - - તેના અશ્રુપગમથી પણ=બ્રહ્મમાંથી એક વખત વિચટન થાય છે તેવા સ્વભાવત્વના સ્વીકારથી પણ, બ્રહ્માને દૂષણ કરતાં કહે છે - આ રીતે=પરમબ્રહ્મથી ક્ષેત્રજ્ઞોના વિચટનમાં અને લયમાં, એક=અદ્વિતીય, અને અવિભાગવાળું= નિરવયવવાળું, તે=પરમબ્રહ્મ, નથી જ, પરંતુ વિપર્યય છે=પરમબ્રા વિભાગવાળું જ છે એ પ્રકારનો વિપર્યય છે, આ રીતે પણ શું=બ્રહ્માતવાદીને એક અને અવિભાગવાળા બ્રાના સ્વીકારથી વિપર્યયની પ્રાપ્તિ છે એ રીતે પણ શું પ્રાપ્ત થાય ? એથી કહે છે અને અનેકપણામાં=સંસારી જીવોની અપેક્ષાએ પરમબ્રહ્મના અનેકપણામાં, પરમતનું અંગીકરણ જ સ્વીકારાયેલું થાય=સ્યાદ્વાદીનો મત જ સ્વીકારાયેલો થાય, કયા કારણથી ?=બ્રહ્માદ્વૈતવાદી વડે પરમતનો સ્વીકાર કયા કારણથી છે ? એથી કહે છે · તેના વિભાગોનું જ=આત્મ સામાન્યરૂપ પરમબ્રહ્મના વ્યક્તિરૂપ વિભાગોનું નીતિથી= યુક્તિથી, આત્મપણું હોવાથી=સંસારી જીવોરૂપ આત્મપણું હોવાથી, પરમતનું અંગીકરણ જ છે એમ — અન્વય છે. - ભાવાર્થ: પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે બ્રહ્માદ્વૈત મતાનુસાર સંપૂર્ણ જિતભયત્વની પ્રાપ્તિ નથી; કેમ કે ફરી વિચટનનો પ્રસંગ છે, ત્યાં પૂર્વપક્ષી કહે કે અમે બ્રહ્માદ્વૈતને સ્વીકારીએ છીએ અને બ્રહ્મનો એક વખત જ વિચટનનો સ્વભાવ છે તેમ સ્વીકારશું, તેથી જેઓ બ્રહ્મમાંથી વિભાગને પામીને સંસારમાં આવ્યા છે તેઓ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ લલિતવિસ્તા ભાગ-૨ સાધના કરીને મુક્ત થશે ત્યારપછી ફરી વિચટન પામશે નહિ; કેમ કે પરમબ્રહ્મનો તેવો જ સ્વભાવ છે કે તેઓને એક વખત વિચટન કરે, પરંતુ જેઓ બ્રહ્મમાં લય પામે તેઓને ફરી વિચટન કરે નહિ, તેથી જેમ સ્યાદ્વાદી મુક્ત આત્માઓને સર્વથા જિતભયત્વ સ્વીકારે છે તેમ બ્રહ્માદ્વૈતના મતમાં પણ સર્વથા જિતભયત્વની પ્રાપ્તિ થશે, તેને ગ્રંથકારશ્રી કહે છે કે તેમ સ્વીકારવામાં અનેક દોષોની પ્રાપ્તિ છે=બ્રહ્માદ્વૈતવાદી સ્વીકારે કે બ્રહ્મમાંથી એક વખત સંસારી જીવોનું વિચટન થાય છે બીજી વખત વિચટન થતું નથી તેમ સ્વીકારવામાં અનેક દોષોની પ્રાપ્તિ છે. કઈ રીતે અનેક દોષોની પ્રાપ્તિ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સંસારી જીવોનું બ્રહ્મમાંથી જે એક વખત વિચટન થયું છે તે શુદ્ધ બ્રહ્મમાંથી વિચટન થયું છે કે અશુદ્ધ બ્રહ્મમાંથી વિચટન થયું છે એ વિચારકે નિપુણપ્રજ્ઞાથી વિચારવું પડે અને બ્રહ્માદ્વૈતવાદી કહે કે શુદ્ધ બ્રહ્મમાંથી સંસારી જીવોનું એક વખત વિચટન થયું છે તો વિચારકને પ્રશ્ન થાય કે શુદ્ધ બ્રહ્મમાંથી પૃથફ થયેલા સંસારી જીવોને શેનાથી અશુદ્ધિની પ્રાપ્તિ થઈ, જે અશુદ્ધિના નિવર્તન માટે યોગીઓને યમ-નિયમનો અભ્યાસ કરવો પડે છે ? તેથી શુદ્ધ બ્રહ્મમાંથી અશુદ્ધ સંસારી જીવો પ્રગટ થયા છે તે સ્વીકારવામાં કોઈ યુક્તિ નથી, તેથી સંસારી જીવોની અશુદ્ધિની સંગતિ કરવા માટે બ્રહ્માદ્વૈતવાદી કહે કે અશુદ્ધ બ્રહ્મમાંથી સંસારી જીવો પૃથક થયા છે, તેથી પોતાની અશુદ્ધિના નિવારણ માટે યોગીઓ યમ-નિયમમાં યત્ન કરે છે તેને ગ્રંથકારશ્રી કહે છે – અશુદ્ધ બ્રહ્મમાંથી છૂટા પડેલા તેઓ આ રીતે અભ્યાસ કરીને બ્રહ્મમાં લય થાય તે નિરર્થક છે; કેમ કે જે અશુદ્ધ બ્રહ્મમાંથી તેઓ છૂટા પડ્યા છે તેમાં લય પામવાથી અશુદ્ધ બ્રહ્મના ક્લેશની તેઓને મુક્ત અવસ્થામાં પ્રાપ્તિ થશે, તેથી સાધના કરીને પરમબ્રહ્મમાં લીન થવા છતાં ક્લેશોના નિવારણરૂપ જિતભયત્વની તેઓને પ્રાપ્તિ થશે નહિ. વળી, બ્રહ્મવાદી બ્રહ્મનો એક વખત વિચટનનો સ્વભાવ સ્વીકારીને મુક્ત થયેલાને જિતભયત્વનું સ્થાપન કરે, તોપણ તેઓને અન્ય શું દૂષણ પ્રાપ્ત થાય ? તે બતાવતાં કહે છે – પરમબ્રહ્મમાંથી સંસારી જીવોનું વિચટન સ્વીકારવામાં આવે અને સાધના કરીને તેઓ પરમબ્રહ્મમાં લય પામે છે તેમ સ્વીકારવામાં આવે તો પરમબ્રહ્મ એક છે અર્થાત્ પરમબ્રહ્મ સિવાય અન્ય કંઈ નથી અને પરમબ્રહ્મનો વિભાગ નથી, પરંતુ પરમબ્રહ્મ અવયવ વગરનું અર્થાત્ નિરવયવ છે એમ પરમબ્રહ્મવાદી માને છે તે સંગત થાય નહિ, પરંતુ તેનાથી વિપરીત સિદ્ધિ થાય અર્થાત્ પરમબ્રહ્મ એક નથી, પરંતુ તેમાંથી વિચટન થયેલા સંસારી જીવો પરમબ્રહ્મથી પૃથક છે, તેથી પરમબ્રહ્મ સંસારરૂપ અને મુક્તરૂપ એમ બે પ્રકારનું છે અને તે બે પ્રકારના બ્રહ્મમાં પણ અવાંતર અનેક વિભાગો પડે છે. તેથી તે તે જીવરૂપે સર્વ જીવોને પૃથફ સ્વીકારવા પડે. આ રીતે બ્રહ્માદ્વૈતવાદી સ્વીકારે તો યુક્તિથી સ્યાદ્વાદીના મતનો જ સ્વીકાર થાય છે; કેમ કે સ્યાદ્વાદી આત્મ સામાન્યરૂપ પરમબ્રહ્મને એક સ્વીકારે છે, આથી જ “એગો આયા” સૂત્ર પ્રવર્તે છે અને તે તે જીવરૂપે સર્વ જીવોને પૃથફ સ્વીકારે છે તે જ અર્થ બ્રહ્માદ્વૈતવાદીને સ્વીકારવો પડે. તેથી એ ફલિત થાય કે સંસારી જીવો અને મુક્ત જીવોનો ચેતનધર્મ સર્વથા સમાન છે, તેથી સારશ્યને Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ નમો નિણાણે જિયભયાણ ગ્રહણ કરીને સ્યાદ્વાદી બધા આત્માઓને એક સ્વરૂપે સ્વીકારે છે અને વ્યક્તિરૂપ જે આત્માઓ છે તે જુદા જુદા છે, તેથી પરમબ્રહ્મથી ભિન્ન સ્વરૂપવાળા ક્ષેત્રજ્ઞ જીવો છે, આથી જ તે ક્ષેત્રજ્ઞ જીવો સાધના કરીને મુક્ત થાય છે ત્યારે પરમબ્રહ્મ સ્વરૂપ મુકત આત્માઓની તુલ્ય બને છે એમ સ્યાદ્વાદી સ્વીકારે છે તેનો જ સ્વીકાર શબ્દાંતરથી બ્રહ્માદ્વૈતવાદી વડે થાય છે. લલિતવિસ્તરા - एतेन यदाह'परमब्रह्मण एते क्षेत्रविदोंऽशा व्यवस्थिता वचनात्। वह्निस्फुलिङ्गकल्पाः समुद्रलवणोपमास्त्वन्ये ।।१।। सादिपृथक्त्वममीषामनादि वाऽहेतुकादि वाऽचिन्त्यम्। युक्त्या ह्यतीन्द्रियत्वात् प्रयोजनाभावतश्चैव।।२।। कूपे पतितोत्तारणकर्तुस्तदुपायमार्गणं न्याय्यम्। તુ પતિતઃ મમ'તિ, ઢન્તા તથા નાવાર ના भवकूपपतितसत्त्वोत्तारणकर्तुरपि युज्यते ह्येवम्। तदुपायमार्गणमलं वचनाच्छेषव्युदासेन।।४।। एवं चाद्वैते सति वर्णविलोपाद्यसङ्गतं नीत्या। ब्रह्मणि वर्णाभावात् क्षेत्रविदां द्वैतभावाच्च।।५।।' इत्यादि एतदपि प्रतिक्षिप्तं, श्रद्धामात्रगम्यत्वाद्, दृष्टेष्टाविरुद्धस्य वचनस्य वचनत्वाद्, अन्यथा ततः प्रवृत्त्यसिद्धेः, वचनानां बहुत्वात्, मिथो विरुद्धोपपत्तेः, विशेषस्य दुर्लक्षत्वात्, एकप्रवृत्तेरपरबाधितत्वात्, तत्त्यागादितरप्रवृत्ती यदृच्छा, वचनस्याप्रयोजकत्वात्, तदन्तरनिराकरणादिति । લલિતવિસ્તરાર્થ : આના દ્વારા=પૂર્વમાં બ્રહ્માદ્વૈતમતનો નિરાસ કરીને સ્થાપન કર્યું કે આ રીતે સ્યાદ્વાદનો મત જ સ્વીકૃત થાય છે એના દ્વારા, જેને કોઈક કહે છે એ પણ પ્રતિક્ષિપ્ત છે એમ આગળ સાથે સંબંધ છે અને બ્રહ્માદ્વૈતવાદી જે કહે છે તે પાંચ આર્યા દ્વારા બતાવે છે – પરમબ્રહના આ ક્ષેત્રવિદો અંશો વ્યવસ્થિત છે એ વચનથી વહ્નિસ્ફલિંગકલ્પ વળી, અન્ય સમુદ્રના લવણની ઉપમાવાળા છે ક્ષેત્રવિદો વહ્નિસ્ફલિંગકલા છે અને સમુદ્રમાં જેમ લવણ લીન વર્તે છે તેમ તેની ઉપમાવાળા પરમબ્રહ્મ છે સંસારી જીવો વિચટન પૂર્વ પરમબ્રહામાં લીન વર્તે છે. III આમનું બ્રહ્મથી છૂટા પડેલા સંસારી જીવોનું, સાદિ પૃથક્ત છે કે અનાદિ પૃથક્વ છે? અથવા અહેતુક છે અને આદિથી સહેતુક છે એ યુક્તિથી અચિંત્ય છે; કેમ કે અતીન્દ્રિયપણું છે અને પ્રયોજનનો અભાવ જ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ લલિતવિસ્તરા ભાગ-૨ છે બ્રહ્મથી સંસારી જીવો સાદિ પૃફ થયા છે ઈત્યાદિ જાણવાના પ્રયોજનનો અભાવ જ છે. ll કૂવામાં પડેલાનું ઉતારણકર્તાને તેના ઉપાયનું માર્ગણ ન્યાય છે, પરંતુ કેવી રીતે આ પડ્યો તેને જાણવાનું પ્રયોજન નથી; કેમ કે હન્ત ! તે પ્રકારે દર્શન જ છે=પ્રત્યપધારણ કરનાર પુરુષને તે પ્રકારે દર્શન જ છે-કૂવામાં પડેલાને કૂવામાંથી કાઢવાના ઉપાયના માર્ગણનું જ દર્શન છે. II3II એ રીતે ભવકૂપપતિત જીવોનું ઉતારણ કરનારને પણ શેષના બુદાસ દ્વારા વચનથી તેના ઉપાયનું માર્ગણ અત્યંત ઘટે છે. llll અને આ રીતે (વચનના પ્રામાણ્યથી) અદ્વૈત હોતે છતે નીતિથી વર્ણ વિલોપાદિ અસંગત છે; કેમ કે બ્રહામાં વર્ણનો અભાવ છે અને ક્ષેત્રના જાણનારાઓના સંસારી જીવોના, મુક્ત-અમુક્તરૂપ દ્વૈતનો ભાવ છે. આપણા ઈત્યાદિ – એ પણ પૂર્વના કથનથી પ્રતિક્ષિપ્ત છે; કેમ કે શ્રદ્ધામાત્ર ગમ્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે વચનથી તેનો સ્વીકાર થશે, તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધ વચનનું જ વચનપણું છે, અન્યથા દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધપણું ન હોય તો, તેનાથીeતે વચનથી, પ્રવૃત્તિની અસિદ્ધિ છે; કેમ કે વચનોનું બહુપણું હોવાથી પરસ્પર વિરુદ્ધની ઉપપત્તિ છે=ભિન્ન ભિન્ન દર્શનના વચનોમાં પરસ્પર વિરુદ્ધની ઉપપતિ છે. અહીં પૂર્વપક્ષી કહે કે વિશિષ્ટ વચનથી પ્રવૃત્તિ થશે તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – વિશેષનું દુર્લક્ષપણું છે; કેમ કે એકની પ્રવૃત્તિથી એક વચનની પ્રવૃત્તિથી, અપરનું બાધિતપણું છે, તેના ત્યાગથી=બાંધક વચનના ત્યાગથી, ઈતરમાં પ્રવૃત્તિ કરાયે છતે યદચ્છા છે; કેમ કે વચનનું અાયોજકપણું છે. કેમ વચનનું અપ્રયોજકપણું છે? તેમાં હેતુ કહે છે – તદંતરથી નિરાકરણ છે. પંજિકા - एतेन–ब्रह्मनिरासेन, यदाह कश्चिदेतत् तदपि प्रतिक्षिप्तमिति योगः, उक्तमेव दर्शयति, परमब्रह्मे त्यादिरार्याः, પરમબ્રહાર=પુરુષાતન્નક્ષUાણ, શાસ્ત્રજ્ઞોસિદ્ધાક્ષેત્રવિ=નીવાડ, ગંગા=વિમા II:, વ્યવસ્થિત = प्रतिष्ठिताः, कुतः प्रमाणादित्याह- वचनाद आगमात्, ते च द्विधा इत्याह- वह्निस्फुलिङ्गकल्पाः पृथगेव विचटनेन संसारिणः, 'समुद्रलवणोपमास्त्वन्ये' यथा समुद्रे लवणमपृथगेव लीनतया व्यवस्थितम्, एवं मुक्तात्मानः प्राग्विचटनात् संसारिणोऽपि च ब्रह्मणीति।।१।। 'सादी'त्याद्यार्यात्रयं सुगममेव, परं 'हन्त तथादर्शनादेवेति हन्तेति प्रत्यवधारणे, प्रत्यवधारयतः, तथादर्शनादेव-कूपपतनकारणविचारणमन्तरेणोत्तारणोपायमार्गणस्यैव दर्शनात्। 'शेषव्युदासेने'ति, वचनव्यतिरिक्तप्रमाणपरिहारेण साद्यनादिविचटनविचारपरिहारेण वा।।२-४ ।। 'एवं Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ નમો જિહાણ જિયભયાણ चेत्यादिरार्या, 'एवमिति वचनप्रमाणतः, 'चः' समुच्चये, अद्वैते-आत्मनामेकीभावे सति, वर्णविलोपादि वर्णा-ब्राह्मणक्षत्रियवैश्यशुद्रलक्षणास्तेषां, विलोपः-प्रतिनियतस्वाचारपरिहारेण परवर्णाचारकरणम्, 'आदि ग्रहणात् स्वाचारपराचारानुवृत्तिरूपसंकरः, असङ्गतम् अयुक्तं, नीत्या न्यायेन, तामेवाह- ब्रह्मणिपरमपुरुषलक्षणे, वर्णाभावात् ब्राह्मणादिवर्णविभागाभावात्, मा भूद् ब्रह्मणि वर्णविभागः, तदंशभूतेष्वात्मसु भविष्यतीत्याशङ्क्याह- क्षेत्रविदां द्वैतभावाच्च क्षेत्रविदोऽपि मुक्तामुक्तभेदेन द्वैविध्यमेवाश्रिताः अतः, तेष्वपि न वर्णविभागो, अतः कथमसत्यां वर्णव्यवस्थायां वर्णविलोपादि तात्त्विकमिति ।।५।। 'इत्यादिः'= एवमन्यदपि वचनं गृह्यते । एतदपि अनन्तरोक्तम्, किं पुनः परम्परोक्तं प्राच्यमिति 'अपि'शब्दार्थः, प्रतिक्षिप्तं निराकृतं, कुत इत्याह- श्रद्धामात्रगम्यत्वात्-रुचिमात्रविषयत्वात्। ननु वचनादित्युक्तं, तत्कथमित्थमुच्यत इत्याह- 'दृष्टेष्टे 'त्यादि दृष्टेष्टाविरुद्धस्य, दृष्टम् अशेषप्रमाणोपलब्धम्, इष्टं वचनोक्तमेव, तयोरविरोधेन अविरुद्धस्य, वचनस्य आगमस्य वचनत्वाद् आगमत्वात्, कुत इत्याह- अन्यथा-उक्तलक्षणविरहे, ततो-वचनात्, प्रवृत्त्यसिद्धेः= हेयोपादेययोर्हानोपादानासिद्धेः, कुत इत्याह- वचनानां-शिवसुगतसुरगुरुप्रभृतिप्रणीतानां, बहुत्वाद् व्यक्तिभेदेन, एवमपि किमित्याह- मिथः परस्परं, विरुद्धोपपत्तेः नित्यानित्यादिविरुद्धार्थाभिधानात्, तर्हि विशिष्टादेव ततः प्रवर्तितव्यं इत्याह-विशेषस्य दृष्टेष्टाविरोधलक्षणस्य विचारमन्तरेण दुर्लक्षत्वात्। (ननु) सर्ववचनेभ्यो युगपत्प्रवृत्तिरसम्भविन्येवेति एकत एव ततः प्रवर्तितव्यमिति आह- तत्र च एकप्रवृत्तेः एकतो वचनात् प्रवृत्तेः-उक्तलक्षणायाः, अपरबाधितत्वाद्-अपरेण वचनेन निराकृतत्वात्, ततः किमित्याह- तत्त्यागाद् बाधकवचनत्यागाद्, इतरप्रवृत्तौ-बाध्यमानवचनप्रवृत्तौ, यदृच्छा-स्वेच्छा, कथमित्याह- वचनस्यकस्यचिद् अप्रयोजकत्वाद्-अप्रवर्तकत्वाद्, एतदपि कुत इत्याह- तदन्तरनिराकरणात् तदन्तरेण-वचनान्तरेण, सर्ववचनानां निराकरणात् । पंबिधार्थ : 'एतेन' ..... निराकरणात् ।। माना ENGAL ARRA SIN, d Is A छ, त । પ્રતિક્ષિપ્ત છે એમ સંબંધ છે=એમ આગળ સાથે સંબંધ છે, કહેવાયેલું જ=કોઈક વડે કહેવાયેલું જ, બતાવે છે – પરમબ્રહ્મ ઈત્યાદિ આર્યાઓ છે=લલિતવિસ્તરામાં અન્ય દર્શનને કહેનારાં વચનો છે. પરમબ્રહ્માના=પુરુષાઢેત સ્વરૂપ પરમાના, આ=શાસ્ત્રલોકસિદ્ધ, ક્ષેત્રવિદોકજીવો, અંશો વ્યવસ્થિત छ=fAcid fals छ, ज्या प्रमाथी ? मेथी छ - क्यनथी सामथी, ते शो વ્યવસ્થિત છે એમ અત્રય છે અને તે બે પ્રકારના છે – વહ્નિસ્ફલિંગકલ્પ પૃથર્ જ વિચટન વડે સંસારી જીવો વહ્નિસ્કૂલિંગકલ્પ છે, વળી, અન્યો સમુદ્રના લવણની ઉપમાવાળા છે=જે પ્રમાણે સમુદ્રમાં લવણ અપૃથર્ જ લીપણાથી વ્યવસ્થિત છે, એ રીતે મુક્ત આત્માઓના વિચટનથી પ્રાગુ संसाNो ५ नमi लीनguथी व्यवस्थित छ, सादि Suilt माया त्रय सुगम ४ छ= Page #213 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ - લલિતવિસ્તરામાં બતાવેલા ત્રણ શ્લોકો સુગમ જ છે, ફક્ત દન્ત તથા વર્શનાવેવ એ લલિતવિસ્તરાના કથનનો અર્થ કરે છે • ક્રૂત્ત એ શબ્દ પ્રત્યવધારણમાં છે, તેથી પ્રત્યવધારણ કરનાર પુરુષને તે પ્રકારનું દર્શન હોવાથી જ=કૂવામાં પડવાના કારણના વિચાર વગર ઉત્તારણના ઉપાયના માર્ગણનું જ દર્શન હોવાથી, તેના ઉપાયનું માર્ગણ ન્યાય છે એ પ્રકારે અન્વય છે, રોપવ્યુવાસેન એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે વચનવ્યતિરિક્ત પ્રમાણના પરિહારથી=આગમવચનને છોડીને અન્ય પ્રમાણના પરિહારથી, અથવા સાદિ-અનાદિ વિચટનના વિચારના પરિહારથી=બ્રહ્મથી સંસારી જીવોનું વિચટન સાદિ છે અનાદિ છે તેના વિચારના ત્યાગથી, તેના ઉપાયનું માર્ગણ ઘટે છે એમ મૂળ સાથે સંબંધ છે, વં ચ ઇત્યાદિ આર્યાનો અર્થ કરે છે • વં=આવા પ્રકારના વચનના પ્રામાણ્યથી, ૬ સમુચ્ચયમાં છે, અદ્વૈતે=આત્માઓનો એકીભાવ હોતે છતે, નીતિથી=ન્યાયથી, વર્ણવિલોપાદિ=બ્રાહ્મણક્ષત્રિય-વૈશ્ય-ક્ષુદ્રરૂપ વર્ણો તેઓનો વિલોપ અર્થાત્ પ્રતિનિયત સ્વઆચારના પરિહારથી પરવર્ણના આચારનું કરણ એ રૂપ વિલોપ અને આદિ ગ્રહણથી સ્વઆચાર-પરઆચારની અનુવૃત્તિરૂપ સંકર, અસંગત છે=અયુક્ત છે, તેને જ કહે છે=અદ્વૈત હોતે છતે નીતિથી વર્ણવિલોપાદિ અસંગત છે તેને જ કહે છે - પરમ પુરુષ સ્વરૂપ બ્રહ્મમાં વર્ણનો અભાવ હોવાથી=બ્રાહ્મણ આદિ વર્ણના વિભાગનો અભાવ હોવાથી, બ્રહ્મમાં વર્ણવિભાગ ન થાઓ, તેના અંશભૂત આત્માઓમાં થશે=વર્ણવિભાગ થશે, એ પ્રકારની આશંકા કરીને કહે છે અને ક્ષેત્રવિદ્ જીવોના દ્વૈતનો ભાવ હોવાથી=ક્ષેત્રવિદ્ પણ મુક્ત-અમુક્તના ભેદથી વૈવિધ્યને જ આશ્રિત છે આથી, તેઓમાં પણ વર્ણનો વિભાગ નથી, આથી=સંસારી જીવોમાં વર્ણનો વિભાગ નથી આથી, કેવી રીતે અવિદ્યમાન એવી વર્ણવ્યવસ્થામાં વર્ણવિલોપાદિ તાત્ત્વિક છે ? અર્થાત્ તાત્ત્વિક નથી, ઇત્યાદિ=એ વગેરે, અન્ય પણ વચન ગ્રહણ કરાય છે=અદ્વૈતવાદીનાં અન્ય વચનો પણ ઇત્યાદિથી ગ્રહણ કરાય છે. - ૧૯૦ - - - આ પણ=અનંતરમાં કહેવાયેલું, શું વળી, પરંપરાથી કહેવાયેલું ? પ્રાચ્ય=પ્રસ્તુત આલાવાના પૂર્વપક્ષીનું કથન, એ અપિ શબ્દનો અર્થ છે, આ પણ પ્રતિક્ષિપ્ત છે=નિરાકૃત છે, કયા કારણથી નિરાકૃત છે ? એથી કહે છે શ્રદ્ધામાત્ર ગમ્યપણું હોવાથી=સ્વદર્શનની રુચિમાત્રનું વિષયપણું હોવાથી નિરાકૃત છે, નનુથી કહે છે વચનથી એ પ્રમાણે કહેવાયું છે=શાસ્ત્રવચનથી પૂર્વમાં પાંચ આર્યાઓ દ્વારા કહ્યું એ પ્રમાણે કહેવાયું છે, તે કારણથી કેવી રીતે આ પ્રમાણે=શ્રદ્ધામાત્ર ગમ્ય છે એ પ્રમાણે, કહેવાય છે અર્થાત્ શ્રદ્ધામાત્ર ગમ્ય નથી, પરંતુ વચનથી સ્વીકૃત છે, એથી કહે છે દૃષ્ટાવિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, દૃષ્ટ-ઇષ્ટ અવિરુદ્ધ એવા વચનનું વચનપણું હોવાથી વચન ગમ્ય નથી, પરંતુ શ્રદ્ધાગમ્ય છે એમ અન્વય છે=દૃષ્ટ અર્થાત્ અશેષ પ્રમાણથી ઉપલબ્ધ અર્થાત્ પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી ઉપલબ્ધ ઇષ્ટ અર્થાત્ વચન ઉક્ત જ, તે બેના અવિરોધથી અવિરુદ્ધ વચનનું આગમપણું હોવાથી તેવું આગમવચન અદ્વૈતવાદીનું નથી માટે તેમનું વચન પ્રમાણ નથી, એમ અન્વય છે કયા કારણથી તેઓનું વચન પ્રમાણ નથી ? એથી કહે અન્યથા=દૃષ્ટ-ઇષ્ટ અવિરુદ્ધ લક્ષણના વિરહમાં, તેનાથી=તે વચનથી, પ્રવૃત્તિની અસિદ્ધિ હોવાથી=હેયના હાનની અને = Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ નમો જિણાણે જિયભયાણ ઉપાદેયના ઉપાદાનની અસિદ્ધિ હોવાથી, તેવું વચન પ્રમાણ નથી, કેમ દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધ વચનથી પ્રવૃત્તિ નથી ? તેમાં હેતુ કહે છે – વચનોનું શિવ-સુગત-સુરગુરુ પ્રણીત વચનોનું, વ્યક્તિના ભેદથી બહુપણું છે આ રીતે પણ શું?=વચનો ઘણાં હોય એવાથી શું? એથી કહે છે – પરસ્પર વિરુદ્ધની ઉપપત્તિ હોવાથીનિત્યાલિત્યાદિ વિરુદ્ધ અર્થનું અભિધાન હોવાથી, તેવાં વચનોથી પ્રવૃત્તિ થાય નહિ એમ અવય છે. તો વિશિષ્ટ જ એવા તેનાથી=આગમથી, પ્રવર્તવું જોઈએ, એથી કહે છે– દષ્ટ-ઈષ્ટ અવિરોધ લક્ષણના વિચાર વગર વિશેષનું દુર્લક્ષપણું હોવાથી દષ્ટ-ઈષ્ટ અવિરોધ લક્ષણવાળા આગમથી જ પ્રવૃત્તિ થઈ શકે, એમ અવય છે સર્વ વચનોથી=સર્વ દર્શનનાં વચનોથી, એક સાથે પ્રવૃત્તિનો અસંભવ જ છે, એથી એક જ એવા તેનાથી=સર્વ દર્શકોમાંથી એક જ એવા તેનાથી, પ્રવર્તવું જોઈએ, એથી કહે છે – અને ત્યાં એકની પ્રવૃત્તિથી=એક એવા વચનથી ઉક્ત લક્ષણ પ્રવૃત્તિ કરવાથી, અપરનું બાધિતપણું હોવાથી અપરદર્શનના વચનથી નિરાકૃતપણું હોવાથી, તેનાથી શું? એથી કહે છે - તેના ત્યાગથી=બાધક વચનના ત્યાગથી, ઈતર વડે પ્રવૃત્તિમાં બાધ્યમાન વચન વડે પ્રવૃત્તિમાં, યદચ્છા=સ્વઈચ્છા છે, કેમ સ્વઈચ્છા પ્રવર્તક છે ? એથી કહે છે – કોઈ પણ વચનનું અપ્રયોજકપણું હોવાથી યદચ્છા પ્રવર્તક છે, વચન પ્રવર્તક નથી એમ અવય છે, આ પણ કયા કારણથી છે ?=વચનનું અપ્રયોજકપણું કયા કારણથી છે ? એથી કહે છે – તેના અંતરથી નિરાકરણ હોવાને કારણે=વચનાંતર વડે સર્વ વચનોનું નિરાકરણ હોવાને કારણે, વચનથી પ્રવૃત્તિ નથી, સ્વઈચ્છાથી પ્રવૃત્તિ છે એમ અવય છે. ભાવાર્થ : આના દ્વારા=પૂર્વમાં જિઅભયાર્ણ પદથી ભગવાને સર્વ ભયોને જીત્યા છે તેમ સ્થાપન કર્યું અને બ્રહ્માદ્વૈત મતમાં તે સંગત થતું નથી તેમ કહીને બ્રહ્માદ્વૈત મતનો નિરાસ કર્યો એના દ્વારા, બ્રહ્માદ્વૈતવાદી જે પાંચ આર્યાઓ કહે છે તે પણ પ્રતિક્ષિપ્ત થાય છે, બ્રહ્માદ્વૈતવાદી શું કહે છે ? તે બતાવતાં કહે છે – આ સંસારી જીવો પરમબ્રહ્મના અંશો છે, એ પ્રમાણે શાસ્ત્રવચન છે, તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવો વહ્નિના સ્કૂલિંગ જેવા છે અને પરમબ્રહ્મ સમુદ્રમાં લવણની ઉપમા જેવા છે. જેમ અગ્નિ સળગતો હોય ત્યારે તેમાંથી તણખા ઊડે છે, તેમ પરમબ્રહ્મમાંથી સંસારી જીવો વિચટનથી પૃથક થયેલા છે, જે તણખા જેવા બ્રહ્મના જ અંશો છે. વળી, સમુદ્રમાં લવણ અપૃથફરૂપે લનપણાથી વ્યવસ્થિત છે તેમ બ્રહ્મમાંથી છૂટા પડેલા આત્માઓ વિચટન પૂર્વે બ્રહ્મમાં લીનરૂપે હતા, તેથી સમુદ્રમાં લવણની ઉપમાવાળા છે. વળી, બ્રહ્મમાંથી જે સંસારી જીવોનું વિચટન થાય છે તે સાદિ પૃથક્ત છે કે અનાદિ પૃથક્ત છે ? અહેતુક છે કે સહેતુક છે એ વગેરે યુક્તિથી વિચારી શકાય તેવું નથી; કેમ કે ઇન્દ્રિયથી દેખાતું નથી કે આ જીવનું બ્રહ્મમાંથી ક્યારે વિચટન થયું અને હેતુથી વિચટન થયું કે હેતુ વગર વિચટન થયું, તેથી ઇન્દ્રિયનો અવિષય હોવાથી તેની વિચારણા કરી શકાય નહિ. વળી, તે સર્વને જાણવાનું જીવને કોઈ પ્રયોજન નથી; કેમ કે કૂવામાં પડેલાને કૂવામાંથી બહાર Page #215 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ નીકળવાનો ઉપાય જ આવશ્યક છે અને સંસારી જીવોને કૂવામાંથી બહાર કાઢનારા પુરુષને પણ તેના ઉપાયોનો જ વિચાર કરવો આવશ્યક છે અર્થાત્ સંસારી જીવો બ્રહ્મમાંથી પૃથક્ થઈને સંસારરૂપી કૂવામાં પડ્યા છે, તેઓને તે કૂવામાંથી કઈ રીતે બહાર કાઢવા તેના ઉપાયનો જ વિચાર ઉપદેશકે કરવો જોઈએ, પરંતુ આ જીવો કઈ રીતે બ્રહ્મમાંથી પૃથક્ થઈને સંસારરૂપી કૂવામાં પડ્યા છે તેને જાણવાનું કોઈ પ્રયોજન નથી; કેમ કે સંસારમાં પણ કોઈ કૂવામાં પડેલો હોય તેને કૂવામાંથી કાઢવાનો ઉપાય શું છે તેનો જ વિચાર કૂવાના કાંઠે રહેલો પુરુષ કરે છે, પરંતુ આ કઈ રીતે પડ્યો તે જાણવાનું તેને પ્રયોજન નથી, તે પ્રકારે જ લોકમાં દેખાય છે, એ રીતે ભવરૂપી કૂવામાં પડેલા જીવોનો ઉદ્ધાર કરનારા ઉપદેશકોએ તેના ઉપાયનો જ વિચાર કરવો આવશ્યક છે, પરંતુ કઈ રીતે આ સંસારી જીવો બ્રહ્મમાંથી છૂટા પડ્યા, કયા કારણથી છૂટા પડ્યા એ સર્વ વિચારણાના વ્યુદાસથી સંસારરૂપી કૂવામાંથી બહાર નીકળવાના માર્ગની વિચારણા કરવી આવશ્યક છે=શાસ્ત્રવચનથી આવશ્યક છે, આ રીતે બ્રહ્માદ્વૈત સિદ્ધ થયે છતે=શાસ્ત્રવચનના પ્રમાણથી પૂર્વમાં વર્ણન કર્યું એ ૨ીતે બ્રહ્માદ્વૈત સિદ્ધ થયે છતે, નીતિથી વર્ણવિલોપાદિ પણ અસંગત છે; કેમ કે શુદ્ધ બ્રહ્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ રૂપ વર્ણોનો વિભાગ નથી અને ક્ષેત્રવિદ્ એવા જે સંસારી જીવો છે તેમાં પણ મુક્ત-અમુક્ત એમ બે ભેદક છે અર્થાત્ જેઓ સાધના કરીને બ્રહ્મમાં લીન થયા તેઓ મુક્ત છે અને જેઓ સાધના કરીને બ્રહ્મમાં લીન થયા નથી તેઓ અમુક્ત છે, એ પ્રકારે સંસારી જીવોના બે ભેદો છે, આથી અદ્વૈતવાદીના મતે ક્ષેત્રવિદ્ જીવોમાં પણ વર્ણવિભાગ નથી અર્થાત્ બ્રાહ્મણ આદિ વર્ણ વિભાગ નથી, તેથી બ્રહ્મમાં પણ વર્ણવિભાગ નથી અને સંસારી જીવોમાં પણ વર્ણવિભાગ નથી, તેથી અવિદ્યમાન એવી વર્ણવ્યવસ્થા હોતે છતે વર્ણના વિભાગને માનનારા બ્રાહ્મણો અદ્વૈતવાદીને વર્ણવિલોપનો જે દોષ આપે છે તે તાત્ત્વિક નથી અર્થાત્ બ્રહ્માદ્વૈતવાદીને કેટલાક બ્રાહ્મણો કહે છે કે લોકમાં કેટલાક બ્રાહ્મણો છે, કેટલાક ક્ષુદ્રો છે, કેટલાક વૈશ્ય છે તે સર્વ વિભાગનો વિલોપ તમારા મતને સ્વીકારવાથી થાય છે, માટે બ્રહ્માદ્વૈતવાદ સંગત નથી તેને બ્રહ્માદ્વૈતવાદી કહે છે કે વર્ણવ્યવસ્થા જ વાસ્તવિક નથી, તેથી વર્ણવિલોપાદિનો પ્રસંગ અમારા મતે નથી. ૧૯૨ આ સર્વ કથન પૂર્વના કથનથી નિરાકૃત છે; કેમ કે પૂર્વમાં સ્થાપન કર્યું કે ભગવાન જિતભયવાળા છે તેવા જિતભયવાળાપણું બ્રહ્માદ્વૈત મતમાં સંગત થતું નથી, તેથી કૂવામાં પડેલાના દૃષ્ટાંતથી કોઈ સાધના કરીને મુક્ત થાય તોપણ પ્રથમની જેમ સંસારમાં આવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય અને કદાચ બ્રહ્માદ્વૈતવાદી કહે કે આત્મા બ્રહ્મમાંથી એક વખત જ પૃથક્ થાય છે, પરંતુ સાધના કરીને મુક્ત થયા પછી તે આત્મા ફરી બ્રહ્મમાંથી પૃથક્ થતો નથી, તેમ સ્વીકારવામાં પણ અનેક દોષો આવે છે તેમ પૂર્વમાં કહ્યું તેનાથી બ્રહ્માદ્વૈતવાદીનું સર્વ કથન નિરાકૃત થાય છે, કેમ નિરાકૃત થાય છે એમાં યુક્તિ બતાવે છે બ્રહ્માદ્વૈતવાદીનું વચન શ્રદ્ધામાત્ર ગમ્ય છે અર્થાત્ આ આપણું દર્શન છે અને તે દર્શન આ પ્રમાણે કહે છે, માટે આપણે તેમ જ સ્વીકારવું જોઈએ, તેવી મૂઢતાથી યુક્ત શ્રદ્ધાથી તે સ્વીકારી શકાય, પરંતુ યુક્તિ અને અનુભવ અનુસાર સ્વીકારી શકાય નહિ. - Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ નમો જિણાણં જિયભયાણં અહીં અદ્વૈતવાદી કહે કે શાસ્ત્રવચનથી તેનો સ્વીકાર થઈ શકશે તેને ગ્રંથકારશ્રી કહે છે દૃષ્ટ-ઇષ્ટ અવિરુદ્ધ વચન જ શાસ્ત્રરૂપે પ્રમાણ છે અર્થાત્ જે વચન દૃષ્ટ વ્યવસ્થાને બાધ કરે તે રીતે કહેતું ન હોય, પરંતુ દૃષ્ટ વ્યવસ્થા સાથે અનુભવ અનુસાર શાસ્ત્રવચનો સંગત થતાં હોય અને ઇષ્ટ એવું પોતાનું શાસ્ત્ર તેનો જ પરસ્પર વિરોધ થતો ન હોય તેવા શાસ્ત્રનું વચન જ પ્રમાણ છે અને તેવું વચન સ્યાદ્વાદીનું છે, અન્યનું નથી અને દૃષ્ટ-ઇષ્ટ વિરોધી શાસ્ત્રનું વચન પણ સ્વીકા૨વામાં આવે તો તેનાથી પ્રવૃત્તિની અસિદ્ધિ થાય; કેમ કે ભિન્ન ભિન્ન દર્શનનાં ઘણાં શાસ્ત્રવચનો છે અને તેઓનો પરસ્પર વિરોધ પ્રત્યક્ષથી દેખાય છે, તેથી તેવા કોઈ શાસ્ત્રથી પ્રવૃત્તિ થઈ શકે નહિ, અહીં અદ્વૈતવાદી કહે કે વિશેષ શાસ્ત્રથી પ્રવૃત્તિ થશે તેને ગ્રંથકારશ્રી કહે છે – તે તે દર્શનનાં શાસ્ત્રોમાં કયા દર્શનનું શાસ્ત્ર વિશેષ છે તે જાણી શકાય તેમ નથી; કેમ કે એક દર્શનના શાસ્ત્રની પ્રવૃત્તિથી ઇતર દર્શનના શાસ્ત્રનું બાધિતપણું છે, આમ છતાં અન્ય દર્શનનાં શાસ્ત્રોના ત્યાગપૂર્વક પોતાને અભિમત શાસ્ત્રથી પ્રવૃત્તિ ક૨વામાં યદચ્છા પ્રવર્તક છે, વચન પ્રયોજક નથી અર્થાત્ પોતાની રુચિ અનુસાર તે જીવો પ્રવૃત્તિ કરે છે, પરંતુ વચન તેઓની પ્રવૃત્તિનું પ્રયોજક નથી; કેમ કે પોતે જે વચનને સ્વીકારીને પ્રવૃત્તિ કરે છે, તે વચનનું તેનાથી અન્ય વચન દ્વારા નિરાકરણ કરાયેલ છે, તેથી તે જીવો વચનથી પ્રવૃત્તિ કરતાં નથી, પરંતુ વચનનું અવલંબન લઈને સ્વઇચ્છા અનુસાર પ્રવૃત્તિ કરે છે, માટે તેઓની પ્રવૃત્તિ શ્રદ્ધામાત્ર ગમ્ય છે, યુક્તિ અનુભવ અનુસાર નથી. લલિતવિસ્તરા : न ह्यदुष्टं ब्राह्मणं प्रव्रजितं वा अवमन्यमानो दुष्टं वा मन्यमानः तद्भक्त इत्युच्यते न च दुष्टेतरावगमो विचारमन्तरेण, विचारश्च युक्तिगर्भ इत्यालोचनीयमेतत् । લલિતવિસ્તરાર્થ: f=જે કારણથી, અદુષ્ટ બ્રાહ્મણને કે અદુષ્ટ પ્રવ્રુજિતને અવગણના કરતો પુરુષ અથવા દુષ્ટ માનતો પુરુષ=અદુષ્ટ બ્રાહ્મણને કે અદુષ્ટ પ્રવ્રુજિતને દુષ્ટ માનતો પુરુષ, તેનો ભક્ત છે એ પ્રમાણે કહેવાતું નથી. (તે કારણથી અદુષ્ટ એવા સ્યાદ્વાદનાં વચનને અવગણના કરતો અથવા અદુષ્ટ એવા સ્યાદ્વાદનાં વચનને દુષ્ટ માનતો તેનો ભક્ત=વચનનો ભક્ત, કહેવાતો નથી.) અને દુષ્ટ ઇતરનો અવગમ=આ વચન દુષ્ટ છે અને આ વચન અદુષ્ટ છે એ પ્રકારનો બોધ, વિચાર વગર નથી અને વિચાર=આ વચન દુષ્ટ છે અને આ વચન અદુષ્ટ છે એના નિર્ણયને અનુકૂળ વિચાર, યુક્તિગર્ભ છે એ રીતે આ=વચનમાત્રથી પ્રવર્તન=વિચાર્યા વગર જે તે વચનથી પ્રવર્તન, આલોચનીય છે. પંજિકા ઃ भवतु नाम वचनानां विरोधस्तथापि वचनबहुमानात् प्रवृत्तस्य यतः कुतोऽपि वचनादिष्टसिद्धिर्भविष्यतीत्याशङ्क्य व्यतिरेकतः प्रतिवस्तूपन्यासमाह - Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લલિતવિસ્તરા ભાગ-૨ ન=નેવ, દિ=સ્મા, દુષ્ટગનરાધું, બ્રાહvi=દિન, પ્રનતં વા=માનવાલિ (વા), अवमन्यमानः अनाद्रियमाणो, दुष्टं वा=सदोष (वा), मन्यमानो वचनकरणादिना तद्भक्तो ब्राह्मणभक्तः प्रव्रजितभक्तो वा, इति एवम्, उच्यते कुशलैः, अतोऽदुष्टभक्त एव ब्राह्मणादिभक्तः, एवमत्रापि योजना વા एवं तदुष्टात् ततः प्रवर्तिष्यत इत्याशङ्क्याह न च दुष्टेतरावगमो–दुष्टादुष्टयोरवगमो विचारमन्तरेण, अतो विचार आश्रयणीयः, 'विचारश्च युक्तिगो' न च युक्तिः प्रमाणं परमते, वचनमात्रस्यैव प्रमाणत्वाभ्युपगमात्, इति एवं, ब्राह्मणादिन्यायेन आलोचनीयमेतत्= वचनमात्रात्प्रवर्त्तनमिति। પંજિકાર્ય : આવતુ નામ ..... માત્રાઅવર્ણનીતિ . વચનોનો વિરોધ હો, તોપણ વચનના બહુમાનથી પ્રવૃત્તિને= પોતપોતાના દર્શનના વચનના બહુમાનથી પ્રવૃત્તિને, જે કોઈપણ વચનથી ઈષ્ટ સિદ્ધિ થશે, એ પ્રકારની આશંકા કરીને વ્યતિરેકથી પ્રતિવસ્તુના ઉપચાસને કહે છે – હિં=જે કારણથી, અદુષ્ટ=અપરાધવાળા, બ્રાહ્મણને અથવા પ્રવ્રુજિતને=ભાગવતઆદિને અનાદર કરતો અથવા દુષ્ટ=સદોષ, માનતો વચનકરણાદિથી તેનો ભક્ત=બ્રાહ્મણ તો ભક્ત અથવા પ્રવ્રજિતનો ભક્ત, એ પ્રમાણે કુશલો વડે કહેવાતું નથી, આથી અદુષ્ટતો ભક્ત જ બ્રાહ્મણાદિતો ભક્ત છે=આદુષ્ટ એવા બ્રાહમણાદિનો ભક્ત જ બ્રાહ્મણાદિનો ભક્ત છે, એ રીતે અહીં પણ=વચનસ્વીકારમાં પણ, યોજના કરવી જોઈએ અર્થાત્ જે રીતે બ્રાહ્મણમાં યોજના બતાવી એ રીતે અદુષ્ટ વચનને અદુષ્ટ સ્વીકારનાર વચનનો ભક્ત છે, પરંતુ અદુષ્ટ એવા સ્યાદ્વાદના વચનને દુષ્ટ માનનાર વચનનો ભક્ત નથી એ પ્રમાણે યોજના કરવી. આ રીતે=આદુષ્ટ વચનને અદુષ્ટ સ્વીકારે તો તેનો ભક્ત કહેવાય એ રીતે, તો અદુષ્ટ એવા તેનાથી=અદુષ્ટ એવા વચનથી, પ્રવર્તન કરાશે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – દુષ્ટ-ઈતરનો અવગમ=દુષ્ટ-અદુષ્ટતો બોધ, વિચાર વગર થતો નથી, આથી વિચાર આશ્રયણીય છે–દુષ્ટ અને અદુષ્ટના નિર્ણય માટે પરીક્ષા આશ્રયણીય છે, અને પરીક્ષારૂપ વિચાર યુક્તિગર્ભ છે અને પરમતમાં=અદ્વૈતવાદીના મતમાં, યુક્તિ પ્રમાણ નથી; કેમ કે વચનમાત્રનું જ પ્રમાણપણું સ્વીકારાયું છે, આ રીતે બ્રાહ્મણ આદિ વ્યાયથી=પૂર્વમાં કહ્યું કે અદુષ્ટ બ્રાહ્મણને કે અદુષ્ટ પ્રવ્રજિતને અવગણના કરતો કે દુષ્ટ માનતો તેનો ભક્ત નથી એ ન્યાયથી, આ વચનમાત્રથી પ્રવર્તન આલોચનીય છે અદુષ્ટ બ્રાઠાણને કે અદુષ્ટ પ્રવ્રજિતને અવગણના કરતો તેનો ભક્ત નથી તેમ અદુષ્ટ વચનને અવગણના કરતો જે તે વચનથી પ્રવર્તે છે તે સદ્ધચનનો ભક્ત નથી પરંતુ યદચ્છાથી પ્રવૃત્તિ કરનાર છે એ પ્રમાણે આલોચન કરવું. Page #218 -------------------------------------------------------------------------- ________________ નમો જિહાણ જિયભયાણ ૧૫ ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે અદ્વૈતવાદીનું કથન શ્રદ્ધામાત્ર ગમ્ય છે, પરંતુ આગમથી પ્રમાણભૂત નથી તે જ યુક્તિથી સ્પષ્ટ કરવા માટે કહે છે – કોઈ પુરુષ અદુષ્ટ બ્રાહ્મણને અવગણના કરતો અર્થાત્ તે દુષ્ટ હોય તો અવગણના કરે તે ઉચિત છે, પરંતુ જે બ્રાહ્મણ દુષ્ટ નથી, પરંતુ બ્રાહ્મણની આચારસંહિતા અનુસાર જીવનાર છે, તેથી અદુષ્ટ છે અને તેની અવગણના કોઈ કરતો હોય અથવા અદુષ્ટ એવા પ્રવ્રજિતની કોઈ અવગણના કરતો હોય અર્થાત્ દુષ્ટ પ્રવ્રજિત હોય અને અવગણના કરે તે ઉચિત છે, પરંતુ પ્રવજ્યાની સર્વ ઉચિત પ્રવૃત્તિ યથાર્થ કરતો હોય અને તેની અવગણના કોઈ પુરુષ કરતો હોય અથવા અષ્ટ બ્રાહ્મણને પણ દુષ્ટ બ્રાહ્મણ માનતો હોય અથવા અદુષ્ટ પ્રવ્રજિતને દુષ્ટ પ્રવ્રજિત માનતો હોય તે પુરુષ તે બ્રાહ્મણનો કે તે પ્રવ્રજિતનો ભક્ત કહેવાય નહિ, તેમ અદુષ્ટ બ્રાહ્મણ સ્થાનીય કે અદુષ્ટ પ્રવ્રજિત સ્થાનીય વીતરાગ-સર્વજ્ઞનું વચન છે; કેમ કે વિતરાગને રાગ-દ્વેષ અને અજ્ઞાનનો અભાવ છે, જેથી અસત્ય બોલવાનું કારણ નથી, તેથી વીતરાગસર્વજ્ઞથી કહેવાયેલું સર્વ વચન અદુષ્ટ છે, છતાં તે વચનને કોઈ દર્શનવાદી અવગણના કરે અર્થાત્ તેની ઉપેક્ષા કરીને પોતાને અભિમત દર્શનને સ્વીકારે અથવા સુબદ્ધ પણ સ્યાદ્વાદાનું વચન અનેકાંતિક છે માટે દુષ્ટ છે તેમ માને તે આગમરૂપ વચનનો ભક્ત નથી. જો કે તેવા પુરુષો પણ પોતાને અભિમત આગમરૂપ વચનથી પ્રવૃત્તિ કરે છે તોપણ અદુષ્ટ એવા આગમના તેઓ ભક્ત નથી, તેથી યદચ્છાથી પ્રવૃત્તિ કરે છે, પરંતુ પ્રામાણિક વચનથી પ્રવૃત્તિ કરતા નથી, માટે વચનના ભક્ત કહેવાય નહિ. વળી, ક્યું આગમ દુષ્ટ છે અને ક્યું આગમ અદુષ્ટ છે તેનો નિર્ણય પરીક્ષારૂપ વિચાર વગર થઈ શકે નહિ અને પરીક્ષારૂપ વિચાર યુક્તિગર્ભ છે એ રીતે વચનમાત્રથી પ્રવૃત્તિ કરવી એમ સ્વીકારવું એનું આલોચન કરવું જોઈએ અર્થાત્ વચનમાત્રથી જેને પ્રવૃત્તિ કરવી હોય તેણે પ્રામાણિક વચનની પરીક્ષા કરીને તેના ભક્ત થવું જોઈએ અને તેના અનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ અને તે રીતે વિચારીએ તો બ્રહ્માદ્વૈતવાદીનો મત પૂર્વમાં કહ્યું એ રીતે યુક્તિથી સંગત થતો નથી અને સ્યાદ્વાદી જે રીતે ભગવાનને જિતભયવાળા સ્વીકારે છે, તે રીતે સ્વીકારવાથી ભગવાન જિતભયવાળા છે તે સંગત થાય છે, કેમ કે મુક્ત થયા પછી ફરી ક્યારેય સંસારમાં આગમન નથી, તેથી સ્યાદ્વાદી અનાદિથી જીવ કર્મયુક્ત છે અને સાધના કરીને મુક્ત થાય છે, ત્યારપછી સંસારમાં ફરી તેમનું આગમન નથી, માટે મુક્ત એવા ભગવાન જિતભયવાળા છે એમ સ્વીકારે છે, તે રીતે યુક્તિ અને અનુભવ અનુસાર સર્વજ્ઞના વચનના પ્રામાણ્યથી સ્વીકારવું જોઈએ. પંજિકામાં કહ્યું કે વ્યતિરેકથી પ્રતિવસ્તુના ઉપન્યાસને કહે છે, તેથી એ પ્રાપ્ત થાય કે વચનનો ઉપાસક કોણ નથી તે વ્યતિરેકથી બતાવ્યું છે અને અદુષ્ટ બ્રાહ્મણ અને અદુષ્ટ પ્રવ્રજિતની અવગણના કરતો કે દુષ્ટ માનતો તેનો ભક્ત નથી એ સદશ દષ્ટાંત છે અર્થાતુ પ્રતિવસ્તુનો ઉપન્યાસ છે અને તેના દ્વારા બ્રહ્માદ્વૈતવાદી સદ્ધચનના ઉપાસક નથી તેમ સ્થાપન કરેલ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ લલિતવાર ભાગ-૨ લલિતવિસ્તરા : कूपपतितोदाहरणमप्युदाहरणमात्रम् न्यायानुपपत्तेः, तदुद्भूतादेरपि तथादर्शनाभावात्, तत्र चोत्तारणे दोषसंभवात्, तथा कर्तुमशक्यत्वात्, प्रयासनैष्फल्यात्। લલિતવિસ્તરાર્થ : કૂપપતિત ઉદાહરણ પણ ઉદાહરણમાત્ર છે, કેમ કે ન્યાયની અનુપપત્તિ છે. કેમ ન્યાયની અનુપપત્તિ છે? તેમાં હેતુ કહે છે – તદ્ ઉભૂત આદિના પણ કૂવામાં ઉત્પન્ન થયેલા મસ્યાદિના પણ, તે પ્રકારે દર્શનનો અભાવ છે કૂવામાંથી બહાર કાઢવા જોઈએ તે પ્રકારે દર્શનનો અભાવ છે, અને ત્યાં ઉતારણમાંત ઉભૂત એવા માછલા આદિના ઉતારણમાં, દોષનો સંભવ હોવાથી તેઓનું ઉતારણ યુક્તિસંગત નથી, એમ અન્વય છે અને તે પ્રકારે કરવા માટે અશક્યપણું હોવાથી કૂવામાંથી ઉતારણ કરવું ઉચિત નથી. ' કેમ ઉત્તારણ કરવું ઉચિત નથી ? તેમાં હેતુ કહે છે – પ્રયાસનું નિષ્કલપણું હોવાથી ઉત્તારણ કરવું ઉચિત નથી. પંજિકા - तदुद्भूतेत्यादि, तदुद्भूतादेरपि तस्मिन्-कूपे, उद्भूतो-मत्स्यादिः, आदिशब्दादतद्भूतोऽपि प्रयोजनवशात् तत्रैव बद्धस्थितिः, तस्यापि, तथादर्शनाभावात्-पतनकारणमविचायेवोत्तारणोपायमार्गणस्यानवलोकनात्, एवं च तथादर्शनादितिहेतोः प्रागुक्तस्य प्रतिजैकदेशासिद्धतेति। अथ तदुद्भूतादिरप्युत्तारयिष्यते ततो न हेतोः प्रतिजैकदेशासिद्धता इत्याह- तत्र च-तदुद्भूतादेरपि उत्तारणे, दोषसम्भवात् मरणाद्यनर्थसम्भवात्, 'तथेति हेत्वन्तरसमुच्चये, कर्तुम् उत्तारणस्य तदुद्भूतादेः, 'अशक्यत्वात्' हेतुमाह- प्रयासनैष्फल्यात्-प्रयासस्य-प्रयत्नस्य, नैष्फल्याद्-उत्तारणीयोत्तारलक्षणफलाभावात्। પંજિકાર્ય - તદુપૂત્યાર .... નક્ષત્તામાવત્ તલુમૂત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તદ્ ઉદ્દભૂત આદિનું પણ=તેમાં અર્થાત્ કૂવામાં ઉદ્દભૂત એવા મસ્થાદિ કવિ શબ્દથી અતદ્દભૂત પણ અર્થાત કૂવામાં નહિ ઉત્પન્ન થયેલો પણ પ્રયોજનના વશથી ત્યાં જ બદ્ધ સ્થિતિવાળો અર્થાત્ કૂવામાં રહેવાના પરિણામવાળો તેનો પણ તે પ્રકારે દર્શનનો અભાવ હોવાથી=પતનના કારણનો વિચાર કર્યા વગર જ બહાર કાઢવાના ઉપાયના માર્ગણનું અવલોકન હોવાથી, ન્યાયની અનુપપતિ છે એમ અવય છે અને આ રીતેeત ઉદ્દભૂત આદિને બહાર કાઢવા માટેના પ્રયત્નના દર્શનનો અભાવ છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે, પૂર્વમાં કહેલ તથા વર્ણનાત્ એ રૂપ હેતુની=અદ્વૈતવાદીના મતને કહેનારા Page #220 -------------------------------------------------------------------------- ________________ નમો જિરાસં જિયભયાણ ૧૯૭ ત્રીજા શ્લોકમાં કહેલ તથા દર્શનાર્ એ રૂપ હેતુની, પ્રતિજ્ઞાના એક દેશની અસિદ્ધતા છે=બીજા શ્લોકમાં તેણે પ્રતિજ્ઞા કરેલી કે કૂવામાં પડેલાને તે કૂવામાં કેમ પડ્યો તેની વિચારણા કર્યા વગર તેને કાઢવા વિષયક લોકો વિચારણા કરે છે તે સ્થાનમાં માછલાને આશ્રયીને એક દેશની અસિદ્ધિ છે, હવે તેમાં ઉદ્દભૂત આદિને પણ ઉત્તારણ કરાશે-કૂવામાં પડેલા માછલા આદિનું પણ ઉત્તારણ કરાશે, તેથી હેતુની પ્રતિજ્ઞાતા એક દેશની અસિદ્ધતા નથી, એથી કહે છે – અને ત્યાં ઉત્તારણમાંeતદ્ ઉદ્દભૂત આદિના પણ ઉતારણમાં, દોષતો સંભવ હોવાથી=મરણાદિ અનર્થનો સંભવ હોવાથી, ન્યાયની અનુપપત્તિ છે એમ અવય છે, તથા એ હેતુ અંતરના સમુચ્ચયમાં છે, તદ્ ઉદ્દભૂત આદિના ઉત્તારણને કરવા માટે અશક્યપણું હોવાથી કૂપ ઉદાહરણમાં ન્યાયની અનુપપતિ છે એમ અવય છે, હેતુને કહે છેeતદ્ ઉદ્દભૂત આદિના ઉત્તારણના અશક્યપણામાં હેતુને કહે છે – પ્રયાસનું નિષ્કલપણું હોવાથી=સદ્ ઉભૂત એવા મસ્યાદિના ઉત્તારણના પ્રયત્નનું નિષ્કલપણું હોવાથી અર્થાત ઉતારણીયને ઉત્તારણ સ્વરૂપ ફલનો અભાવ હોવાથી=જેઓ કૂવામાં પડેલા છે અને કાઢવા યોગ્ય છે તેઓના ઉતારણરૂપ ફલનો અભાવ હોવાથી માછલા આદિનું ઉત્તારણ અશક્ય છે એમ અવય છે. ભાવાર્થ : અદ્વૈતવાદીએ પોતાના મતને સ્થાપન કરનારા જે ચાર શ્લોકો કહ્યા છે તેમાં બીજા અને ચોથા શ્લોકમાં કહ્યું કે કૂવામાં પડેલો કોઈ હોય તે કેમ પડ્યો તેનો વિચાર કર્યા વગર લોકમાં તેને બહાર કાઢવાનો વિચાર કરાય છે, તેમ ભવરૂપી કૂવામાં પડેલા જીવોને ઉત્તારણ કરનાર પુરુષે પણ એ રીતે જ પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ આ જીવો ભવમાં કેમ પડ્યા તેનો વિચાર કર્યા વગર તેને ભવમાંથી કાઢવાનો જ વિચાર કરવો જોઈએ, ત્યાં કૂપપતિત ઉદાહરણ પણ ઉદાહરણ માત્ર છે, વસ્તુતઃ યુક્તિ સંગત નથી; કેમ કે કૂવામાં માછલા આદિ પણ ઉત્પન્ન થયેલા હોય છે અને કોઈ પ્રયોજનવશથી કોઈ પુરુષ કૂવામાં બેઠેલ હોય ત્યારે તે કૂવામાં કેમ પડ્યો છે તેનો વિચાર કર્યા વગર કાઢવાનો પ્રયત્ન કરાતો નથી, તેથી સંસારરૂપી કૂવામાં જીવો કેમ પડ્યા છે તેનો વિચાર કર્યા વગર તેને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ કહેવું ઉચિત નથી, પરંતુ વિચારકે જાણવું જોઈએ કે કયા પ્રયોજનથી સંસારી જીવો ભવરૂપી કૂવામાં પડ્યા છે, તેનો પણ યથાર્થ નિર્ણય કરવા પ્રયત્ન કરવો જોઈએ, માટે પૂર્વપક્ષીએ આપેલું કૂવાનું ઉદાહરણ યુક્તિયુક્ત નથી; કેમ કે તેણે તથા વર્ણનાત્ જે હેતુ આપ્યો અને તે હેતુમાં તેણે પ્રતિજ્ઞા કરેલી કે તે કૂવામાં કેમ પડ્યો તેનો વિચાર કર્યા વગર તેને કાઢવા માટે લોકો પ્રયત્ન કરે છે તેમ દેખાય છે તે રૂપ હેતુનો એક દેશ અસિદ્ધ છે, આથી જ કૂવામાં માછલાને પડેલા જોઈને તેઓની દયાથી તેને કાઢવા માટે કોઈ બુદ્ધિમાન પ્રયત્ન કરતો નથી, પરંતુ વિચારે છે કે તે કૂવામાં પડેલા નથી, પરંતુ કૂવામાં જ ઉત્પન્ન થયેલા છે, માટે તેમને બહાર કાઢવા જોઈએ નહિ, વળી, કોઈક પુરુષ કોઈક પ્રયોજનવશ કૂવામાં જ રહેવાની બદ્ધ સ્થિતિવાળો હોય તેને પણ કાઢવા કોઈ પ્રયત્ન કરતો નથી, માટે આ કૂવામાં કેમ પડ્યો છે તેનો વિચાર કર્યા વગર તેને કાઢવાનું લોકમાં દર્શન છે, એ પ્રકારનો હેતુ એક દેશમાં અસિદ્ધ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯ લલિતવિસ્તરા ભાગ-૨ - અહીં પૂર્વપક્ષી કહે કે કૂવામાં જે પડ્યા હોય તે સર્વને વિચાર્યા વગર બહાર કાઢવા જ ઉચિત છે પૂર્વપક્ષના કથન પ્રમાણે સ્વીકારવામાં દોષ બતાવે છે માછલા આદિને તેઓ કૂવામાં કેમ પડ્યા છે તેનો વિચાર કર્યા વગર તેમને કાઢવામાં આવે તો તેઓને મરણ આદિ અનર્થનો સંભવ છે, માટે કૂવામાં તેઓ કેમ પડ્યા છે તેનો વિચાર કર્યા વગર તેઓને કાઢવા ઉચિત નથી. વળી, અન્ય હેતુ કહે છે – કૂવા આદિમાં પડેલા માછલા આદિને બહાર કાઢવા અશક્ય છે, અહીં કોઈ કહે કે દૃઢ પ્રયત્નશીલ માટે અશક્ય કંઈ નથી, તેથી સર્વ યત્નથી કૂવામાં પડેલા બધા માછલાને કેમ પડ્યા છે તેનો વિચાર કર્યા વગર બહાર કાઢી શકાશે, તેનું નિરાકરણ કરવા માટે કહે છે કે તે પ્રકારના પ્રયાસનું નિષ્ફળપણું છે; કેમ કે કૂવામાં પડેલાને ઉત્તારણનું પ્રયોજન તેને આપત્તિમાંથી ૨ક્ષણ ક૨વાનું છે, જ્યારે આ રીતે બધા માછલાઓને બહાર કાઢી નાખવામાં આવે તેનાથી ઉત્તારણીયનું ઉત્તારણરૂપ ફલ પ્રાપ્ત થતું નથી, પરંતુ અનુત્તા૨ણીય એવા માછલાને ઉત્તારણ કરીને તેઓને અનર્થ જ સંપાદન કરાય છે, માટે પૂર્વપક્ષીએ કૂપપતિત ઉદાહરણ આપ્યું તે ઉદાહરણ યુક્તિસંગત નથી. = લલિતવિસ્તરા : न चोपायमार्गणमपि न विचाररूपं तदिहापि विचारोऽनाश्रयणीय एव; दैवायत्तं च तद्, अतीन्द्रियं च दैवमिति युक्तेरविषयः, शकुनाद्यागमयुक्तिविषयतायां तु समान एव प्रसङ्ग इतरत्रापीति, तस्माद्यथाविषयं त्रिकोटिपरिशुद्धविचारशुद्धितः प्रवर्त्तितव्यमिति उक्तं च ‘આગમેનાનુમાનેન, ધ્યાનાભ્યાસરમેન ચ । त्रिधा प्रकल्पयन्प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ।।१।।' લલિતવિસ્તરાર્થ : ઉપાયમાર્ગણ પણ ન વિચારરૂપ નથી જ અર્થાત્ વિચારરૂપ છે, તે કારણથી અહીં પણ=ઉત્તારણના ઉપાયમાં પણ, વિચાર અનાશ્રયણીય જ છે=જો આગમના વચનમાં વિચાર અનાશ્રયણીય હોય તો કૂવામાં પડેલાના ઉત્તારણના ઉપાયમાં પણ વિચાર અનાશ્રયણીય જ છે, અને તે=કૂવામાંથી ઉત્તારણ, દૈવ આધીન છે અને દૈવ અતીન્દ્રિય છે એથી યુક્તિનો અવિષય છે. (માટે જો આગમનું વચન વિચાર માટે અનાશ્રયણીય હોય તો કૂવામાંથી ઉત્તારણના ઉપાયનું માર્ગણ પણ વિચારને માટે અનાશ્રયણીય છે.) શકુનાદિ આગમથી અને યુક્તિથી વિષયતામાં તત્ર પણ સમાન જ પ્રસંગ છે=પરમબ્રહ્માદિ વિષયક અતીન્દ્રિય વચનાર્થમાં પણ સમાન જ પ્રસંગ છે, તેથી યથાવિષય ત્રિકોટિ પરિશુદ્ધ વિચારની શુદ્ધિથી પ્રવર્તવું જોઈએ અને કહેવાયું છે – આગમથી, અનુમાનથી અને ધ્યાનના અભ્યાસના રસથી ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રકલ્પન કરતો=તત્ત્વને જાણવા માટે સ્વબુદ્ધિને પ્રવર્તાવતો પુરુષ, ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે. = Page #222 -------------------------------------------------------------------------- ________________ નમો જિણાણં જિયભયાણં पत्रिका : १८७ अभ्युच्चयमाह न च नैव, उपायमार्गणमपि = उत्तारणोपायगवेषणमपि परोपन्यस्तं 'न विचाररूपं' किन्तु विचाररूपमेव, यदि नामैवं ततः किमित्याह - तत् = तस्माद्, इहापि = उत्तारणोपाये (अपि) आस्तां तावत्प्रकृतवचनार्थे, विचारो - विमर्शः, अनाश्रयणीय एव =न विधेय एव परमते । अथातीन्द्रियत्वाद् युक्तेरविषयो वचनार्थः, इदं च कूपपतितोत्तारणं तथाविधं न भविष्यतीत्याशङ्क्याहदैवायत्तं च = कर्माधीनं (च), तद् = उत्तारणं, ततः किमित्याह- अतीन्द्रियं च इन्द्रियविषयातीतं च तदुत्तारणहेतुः दैवं = कर्म्म, इति = अस्माद्धेतोः, युक्तेः = विचारणस्य, अविषयो, भवन्मतेन वचनमात्रस्यैव विषयत्वात् कथं तत्र सम्यगविज्ञाते तदायत्तायोत्तारणाय प्रवृत्तिरिति ? | पुनरप्यभिप्रायान्तरमाशङ्क्याह- शकुनाद्यागमयुक्तिविषयतायां तु शकुनाद्यागमाश्च, 'आदि'शब्दाद् ज्योतिष्काद्यागमग्रहो, युक्तिश्च - विचारः, तद्विषयतायां तु दैवस्यानुकूलेतररूपस्य, समान एव प्रसङ्गः इतरत्रापि-परमब्रह्मादावतीन्द्रिये वचनार्थे, तदपि युक्त्यागमाभ्यां विचारयितुं प्रयुज्यत इत्ययुक्तमुक्तं प्राक् 'सादिपृथक्त्वममीषामनादि चे 'त्यादि । 'इतिः ' प्रक्रमसमाप्त्यर्थः, तस्मात् = वचनमात्रस्याप्रामाण्यात् यथाविषयं = कषादिसर्वविषयानतिक्रमेण, त्रिकोटिपरिशुद्धविचारशुद्धितः = तिसृभिः कषच्छेदतापलक्षणाभिरादिमध्यावसानाविसंवादलक्षणाभिर्वा कोटिभिः, परिशुद्धो= निर्दोषो यो विचारो - विमर्श:, तेन या शुद्धिः = वचनस्य निर्दोषता, तस्याः सकाशात् प्रवर्त्तितव्यं हेयोपादेययोः । पत्रिकार्थ : अभ्युच्चयमाह ..... हेयोपादेययोः ।। अल्युय्ययने हे छे=पूर्वमां पहाड उघाडशुगमात्र छे तेम કહીને પુરુષાદ્વૈતવાદીનું વચન સંગત નથી તેમ સ્થાપન કર્યું. હવે તેનું અન્ય વચન સંગત નથી તે બતાવવા માટે અમ્યુચ્ચયને કહે છે – ઉપાયનું માર્ગણ પણ=પર વડે ઉપન્યસ્ત કૂવામાંથી ઉત્તારણના ઉપાયનું ગવેષણ પણ, ‘ન વિચારરૂપ’ નથી જ, પરંતુ વિચારરૂપ જ છે, જો આ પ્રમાણે છે=કૂવામાં પડેલાને બહાર કાઢવાનો ઉપાય વિચારરૂપ જ છે એ પ્રમાણે છે, તેનાથી શું ?=તેનાથી શું પ્રાપ્ત થાય? એથી કહે છે તે કારણથી અહીં પણ=ઉત્તારણના ઉપાયમાં પણ, પ્રકૃત પ્રવચતાર્થના વિષયમાં તો દૂર રહો પરંતુ ઉત્તારણના ઉપાયમાં પણ, વિચાર અનાશ્રયણીય છે=પરમતમાં વિધેય નથી જ અર્થાત્ જેમ પરમતમાં બ્રહ્મમાંથી વિચટન કેમ થયું, તેનાં કારણો શું છે તેનો વિચાર અનાશ્રણીય જ છે તેમ કૂવામાં પડેલાના ઉત્તારણના ઉપાય વિષયક વિચાર પણ અનાશ્રયણીય ४ छे. અથથી પૂર્વપક્ષી કહે કે વચનનો અર્થ યુક્તિનો અવિષય છે; કેમ કે અતીન્દ્રિયપણું છે=બ્રહ્મમાંથી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ લલિતવિસ્તરા ભાગ-૨ વિચટન થઈને સંસારી જીવો સંસારરૂપી કૂવામાં પડ્યા છે, કેમ પડ્યા છે આગમમાં કહેલું તે સર્વ યુક્તિનો અવિષય છે; કેમ કે અતીન્દ્રિય છે, અને આ કૂપપતિતનું ઉતારણ તેવા પ્રકારનું થશે નહિ અર્થાત્ આગમ વિષયક વિચાર આવશ્યક નથી, પરંતુ કૂવામાં પડેલાના ઉત્તારણના ઉપાય વિષયક વિચારણા આવશ્યક છે; કેમ કે ફૂપપતિત ઉતારણ આગમની જેમ અતીન્દ્રિય નહિ થાય, પરંતુ બુદ્ધિનો વિષય થશે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – દેવને આધીન=કર્મને આધીન, તે છે=કૂવામાંથી ઉતારણ છે અર્થાત્ જે જીવ કૂવામાં પડેલો છે તે જીવતું નીકળવાનું ભાગ્ય હોય તો જ કાઢનાર પુરુષ તેને કૂવામાંથી બહાર કાઢી શકે છે, તેથી શું તેથી શું સિદ્ધ થાય? એથી કહે છે – અને દવ અતીન્દ્રિય છે=તેના ઉતારણનો હેતુ એવું દેવ ઈદ્રિયોના વિષયથી અતીત છે, એ હેતુથી યુક્તિનો=વિચારણનો, અવિષય છે; કેમ કે તમારા મતે વચનમાત્રનું જ વિષયપણું છે, તેથી કેવી રીતે ત્યાં=કૂવામાંથી ઉત્તારણના વિષયમાં, સમ્યમ્ અવિજ્ઞાત હોતે છતે અર્થાત્ આ જીવનું દૈવ ઉતારણને અનુકૂળ છે એ પ્રકારે સખ્ય અવિજ્ઞાત હોતે છતે, તેને આધીન ઉત્તારણ માટે સમ્યજ્ઞાનને આધીન ઉતારણ માટે, પ્રવૃત્તિ કેવી રીતે થાય ? અર્થાત્ થઈ શકે નહિ. (માટે જો આગમનાં વચનો અતીન્દ્રિય હોવાથી અનાલોચનીય છે તો કૂવામાં પડેલાનું ઉત્તારણ પણ યુક્તિનો અવિષય હોવાથી તેના ઉપાયના માર્ગણનો પણ વિચાર અનાશ્રયણીય છે.) ફરી પણ અભિપ્રાયાંતરની આશંકા કરીને કહે છે–પૂર્વમાં આગમનું વચન અને કૂપપતિતનું ઉત્તારણ સમાન નથી તેમ આશંકા કરી અને તેનું નિવારણ કર્યું વળી, પૂર્વપક્ષીના તે કથન વિષયક અભિપ્રાયાંતરની આશંકા કરીને કહે છે – શકુનાદિ આગમયુક્તિની વિષમતામાં વળી, ઈતરમાં પણ સમાન જ પ્રસંગ છે=શકુનાદિ આગમ અને ગારિ શબ્દથી જ્યોતિષ્ક આદિ આગમનું ગ્રહણ છે અને યુક્તિ વિચારરૂપ છે તેની વિષયતામાં વળી, અર્થાત્ અનુકૂલ ઈતરરૂપ દેવની વિષયતામાં વળી, પરમબ્રહ્માદિ વિષયક અતીન્દ્રિય વચનાર્થરૂપ ઈતરત્ર પણ સમાન જ પ્રસંગ છે, તે પણ=પરમબ્રહ્માદિ વિષયક અતીન્દ્રિય વચનાર્થ પણ, યુક્તિ અને આગમ દ્વારા વિચારવા માટે પ્રયત્ન કરવો જોઈએ, એથી આમનું સાદિ પૃથક્ત કે અનાદિ ઈત્યાદિ પૂર્વમાં કહેવાયેલું અયુક્ત છે=પૂર્વપક્ષીના શ્લોક-રમાં કહેવાયેલું અયુક્ત છે. તિ=લલિતવિસ્તરામાં રહેલો તિ શબ્દ, પ્રક્રમના સમાપ્તિ અર્થવાળો છે–પૂર્વપક્ષીએ કહેલ કે આગમમાં બ્રહામાંથી વિચટન થયું છે તે સાદિ પૃથક્વ છે કે અનાદિ પૃથક્ત છે, અહેતુક છે કે સહેતુક છે એ વિચારી શકાય નહિ; કેમ કે અતીન્દ્રિય છે એ કથનનું નિરાકરણ કરવાનો પ્રક્રમ લલિતવિસ્તરામાં ૨૩૨ાવનાથી કર્યો છે તેના સમાપ્તિ અર્થવાળો છે, તે કારણથી=વચનમાત્રનું અપ્રમાણપણું હોવાથી, યથાવિષય=કષાદિ સર્વ વિષયના અતિક્રમથી શાસ્ત્રની પરીક્ષા વિષયક જે કષાદિ સર્વ વિષયો છે તેના અતિક્રમથી, ત્રિકોટિ પરિશુદ્ધ વિચારની શુદ્ધિથી પ્રવર્તવું જોઈએ=કષ-છેદ-તાપ સ્વરૂપ ત્રણ કોટિથી અથવા આદિ-મધ્ય-અંતમાં અવિસંવાદ સ્વરૂપ ત્રણ કોટિથી પરિશુદ્ધ અર્થાત્ નિર્દોષ જે વિચાર અર્થાત વિમર્શ તેનાથી જે શુદ્ધિ અર્થાત્ વચતની નિર્દોષતા તેનાથી હેય-ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ નમો જિણાણે જિયભચાણ ભાવાર્થ: પૂર્વમાં અદ્વૈતવાદીની માન્યતાને સ્થાપન કરનારા ચાર શ્લોકો બતાવ્યા, તેમાં અદ્વૈતવાદીએ કહેલ કે બ્રહ્મમાંથી સંસારી જીવોનું વિચટન થયું છે તે સાદિ પૃથક્વ છે, અનાદિ પૃથક્વ છે, સહેતુક છે, અહેતુક છે એ વગેરે યુક્તિથી વિચારી શકાય નહિ, માટે વિચારકે તેનો વિચાર કરવો જોઈએ નહિ, પરંતુ જેમ કોઈ કૂવામાં પડેલો હોય તેને જોઈને આ કેમ પડ્યો તેની વિચારણા આવશ્યક નથી, પરંતુ તેને કૂવામાંથી બહાર કાઢવાના ઉપાયનું માર્ગણ જ આવશ્યક છે, તેમ સંસારરૂપી કૂવામાં પડેલા જીવોને કઈ રીતે બહાર કાઢવા જોઈએ, તેની વિચારણા વિચારકે કરવી જોઈએ, તેને ગ્રંથકારશ્રી કહે છે – કૂવામાંથી બહાર કાઢવાના ઉપાયનું માર્ગણ પણ “ન વિચારરૂપ' નથી=વિચારના અભાવરૂપ નથી, પરંતુ વિચારરૂપ જ છે, તેથી જો બ્રહ્મમાંથી તેઓ કેમ છૂટા પડ્યા ઇત્યાદિ વિચાર કરવો ઉચિત ન હોય તો કૂવામાં પડેલાને બહાર કાઢવાના ઉપાય વિષયક પણ વિચારણા કરવી જોઈએ નહિ અર્થાતુ આ પુરુષ કૂવામાં પડ્યો છે તેને કયા ઉપાયથી કાઢી શકાશે તેનો વિચાર પણ કરવો જોઈએ નહિ. અહીં પ્રશ્ન થાય કે બ્રહ્મમાંથી વિચટન થયેલા જીવો સાદિ છે, અનાદિ છે' ઇત્યાદિ અતીન્દ્રિય હોવાથી તેનો વિચાર થઈ શકે નહિ, તેથી તેનો વિચાર અનાશ્રયણીય છે, જ્યારે કૂવામાં પડેલા કોઈને જોઈને તેને કાઢવાના ઉપાયનો વિચાર તેવો નથી, તેથી તેના વિષયક વિચારણા કરવી ઉચિત છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – કૂવામાંથી બહાર કાઢવું એ કૂવામાં પડેલા જીવના ભાગ્યને આધીન છે અને તેનું ભાગ્ય કેવું છે તે યુક્તિથી દેખાતું નથી, તેથી હું પ્રયત્ન કરીશ તેના દ્વારા તે કૂવામાંથી નીકળશે તેનો નિર્ણય થઈ શકે નહિ; કેમ કે કૂવામાંથી નીકળવાનું તેનું ભાગ્ય ઇન્દ્રિયનો અવિષય છે, તેથી ત્યાં પણ યુક્તિથી વિચારી શકાય નહિ અર્થાત્ આ પ્રકારનો પ્રયત્ન કરીને કૂવામાં પડેલાને આપણે બહાર કાઢીએ તેનો વિચાર થઈ શકે નહિ, માટે ઇન્દ્રિયનો અવિષય હોય તેને યુક્તિથી વિચારી શકાય નહિ એમ કહેવામાં આવે તો કૂવામાં પડેલ પુરુષને કાઢવાના ઉપાયનું માર્ગણ પણ યુક્તિનો અવિષય હોવાથી તેનો વિચાર કરવો જોઈએ નહિ. અહીં પૂર્વપક્ષી કહે કે શકુન શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના જાણકાર પુરુષ શકુનાદિથી કે જ્યોતિષ શાસ્ત્રના બળથી આ પુરુષ કૂવામાંથી બહાર કાઢી શકાશે તેનો નિર્ણય કરે તો તેનું દૈવ બહાર નીકળવાને અનુકૂળ છે તેનો નિર્ણય થાય અને ત્યારપછી કયા પ્રયત્નથી તેને બહાર કાઢવો જોઈએ તેનો યુક્તિથી વિચાર કરવામાં આવે તો તે પુરુષનો કૂવામાંથી ઉત્તાર થઈ શકે છે તેને ગ્રંથકારશ્રી કહે છે – આગમનો વિષય અતીન્દ્રિય હોવા છતાં આગમ દ્વારા અને યુક્તિ દ્વારા પદાર્થને જાણવામાં આવે તો ક્ય આગમ તત્ત્વને કહેનારા વચન સ્વરૂપ છે તેનો નિર્ણય થઈ શકે, તેથી જેમ કૂવામાં પડેલાના ઉત્તારણના વિષયમાં શકુનાદિ આગમ અને યુક્તિ દ્વારા પ્રવૃત્તિ કરવી ઉચિત છે તેમ પૂર્વપક્ષી સ્વીકારે તો આગમના વિષયમાં પણ તેમ સ્વીકારી શકાય, માટે પૂર્વપક્ષીએ કહેલું કે સંસારમાં આવેલા જીવો સાદિ પૃથક્ત છે, ઇત્યાદિ વિચાર કરવા જેવું નથી, પરંતુ આગમના વચનથી જ સ્વીકારી લેવા જેવું છે તે તેનું કથન અયુક્ત છે, તો શું કરવું જોઈએ ? તેથી કહે છે – Page #225 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ વચનમાત્ર પ્રમાણ નથી, પરંતુ યુક્તિસંગત વચન પ્રમાણ છે, તે કારણથી વચનની પરીક્ષા કષાદિથી જે પ્રકારે થઈ શકે તેના અતિક્રમ વગર પરીક્ષા કરવી જોઈએ અને જે આગમનું કથન કષ-છેદ-તાપ ત્રણ કોટિથી પરિશુદ્ધ હોય અથવા જે આગમનું વચન આદિ, મધ્ય અને અવસાનમાં પરસ્પર વિસંવાદ વગરનું હોય તેવું નિર્દોષ વચન કયા દર્શનના આગમનું છે તેનો નિર્ણય કરવો જોઈએ અને તેવા વચનથી જ હેયઉપાદેયમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. માત્ર આપણું આગમ છે એમ માનીને સ્યાદ્વાદ આદિનું વચન મૂઢતાથી સ્વીકારવું જોઈએ નહિ, પરંતુ શાસ્ત્રને સ્વીકાર્યા પછી શાસ્ત્રમાં કહેલાં વચનોને જાણીને યુક્તિ અને અનુભવ અનુસાર તે વચનને જાણીને તેનો સ્વીકાર કરવો જોઈએ, જેથી સંસારના ઉચ્છેદના કારણીભૂત ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય. આથી જ કહ્યું છે કે જે પુરુષ માર્ગાનુસા૨ી બુદ્ધિથી આગમ દ્વારા વસ્તુને જાણે, ત્યારપછી અનુમાનરૂપ યુક્તિ દ્વારા તે વસ્તુનો નિર્ણય કરે અને સ્વઅનુભવરૂપ જે ધ્યાનનો અભ્યાસ છે તેના રસથી વસ્તુને જાણવા યત્ન કરે તો ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે, જેમ સર્વજ્ઞનું વચન સંસારની વ્યવસ્થા અને સંસારથી મુક્ત થવાની વ્યવસ્થા કઈ રીતે બતાવે છે તેનો નિર્ણય કોઈ કષ-છેદ-તાપથી કરે તો તેને જણાય કે સંસારથી મુક્ત થવાનો ઉપાય ભગવાને ક્રોધાદિ ચાર કષાયો, હિંસાદિ પાંચ અવિરતિ અને મિથ્યાત્વ દશના નિષેધરૂપ બતાવ્યો છે અને શુદ્ધ આત્માના પ્રગટીકરણના ઉપાયભૂત નિગ્રંથભાવની પ્રાપ્તિનું કારણ બને તેવા ધ્યાનઅધ્યયનને વિધિરૂપે મુક્ત થવાનો ઉપાય બતાવેલ છે, અને તે વિધિ-નિષેધને અનુરૂપ સર્વ ઉચિત અનુષ્ઠાનો ભગવાને બતાવ્યાં છે, તેથી ભગવાનનું આગમ કષ-છેદ શુદ્ધ છે, માટે મોક્ષને અનુકૂળ વિધિ-નિષેધ છે તેવો નિર્ણય પરીક્ષાથી થાય, તો આ આગમ કષશુદ્ધ છે તેમ જણાય અને તેનો નિર્ણય ક૨વા માટે શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી વિચારાય તો ભગવાને કહેલ સર્વ અનુષ્ઠાનો કઈ રીતે રાગાદિનો ઉચ્છેદ કરવાનું કારણ બને છે અને આત્માની અસંગ પરિણતિરૂપ નિગ્રંથભાવનું કારણ બને છે તે સ્વઅભ્યાસના બળથી જણાય છે, તેથી શાસ્ત્રમાં કહેલ વિધિ-નિષેધ અને તેને પોષક ઉચિત અનુષ્ઠાનરૂપ છેદશુદ્ધિ શાસ્ત્રમાં છે અને તે સ્વઅનુભવથી જાણવા પ્રયત્ન કરે તો, યુક્તિ અને અનુભવથી કઈ રીતે સંસારનો ઉચ્છેદ થાય તેવો સૂક્ષ્મ તત્ત્વનો બોધ આગમથી થાય છે, તેનો નિર્ણય વિચારકને થઈ શકે છે. ૨૦૨ વળી, ભગવાનનું આગમ સ્યાદ્વાદને કહેનાર છે, તેથી આત્માને પરિણામી સ્વીકારે છે, સંસારઅવસ્થામાં આત્મા કર્મથી બદ્ધ છે અને કર્મથી મુક્ત થાય તો પૂર્ણ સુખમય મુક્ત અવસ્થાને પામે છે તે વ્યવસ્થા પરિણામી આત્મા સ્વીકારવાથી સંગત થાય છે અને નિપુણતાપૂર્વક ઉચિત અનુષ્ઠાન દ્વારા જે મહાત્માઓ યત્ન કરે છે તેઓ તે અનુષ્ઠાનના બળથી રાગાદિનો ક્ષય કરી શકે છે અને નિગ્રંથભાવમાં જઈ શકે છે તેવો યથાર્થ નિર્ણય જેઓને થાય છે તેઓ સર્વજ્ઞના વચનના પારમાર્થિક તત્ત્વને પ્રાપ્ત કરે છે અને તેનાથી તેઓને જણાય છે કે ભગવાનના વચનાનુસાર કરાયેલો ધર્મ આદ્ય ભૂમિકાનો પણ કષાયોના ઉપશમ દ્વારા સુખનું કારણ બને છે અને ભાવિ સુખની પરંપરાનું કારણ બને છે, મધ્યમ ભૂમિકાનો ધર્મ પણ ઉત્તરોત્તર સુખની પરંપરા દ્વારા કલ્યાણનું કારણ બને છે અને અવસાનમાં પણ સર્વ કર્મથી મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરાવીને સુખનું કારણ બને છે. આ રીતે સર્વજ્ઞએ કહેલા શાસ્ત્રનાં સર્વ વચનો પરિપૂર્ણ શુદ્ધ છે તેનો યુક્તિથી નિર્ણય કરીને તે શાસ્ત્રવચનથી જ હિતમાં પ્રવૃત્તિ ક૨વી જોઈએ, જેથી ક્રમે કરીને ભગવાનની જેમ જિતભયત્વની પ્રાપ્તિ થાય. Page #226 -------------------------------------------------------------------------- ________________ નમો જિહાણ જિયભયાણ ૨૦૩ લલિતવિસ્તરા :'आगमश्चोपपत्तिश्च, संपूर्ण दृष्टिलक्षणम् । अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ।।२।।' 'आगमो ह्याप्तवचनमाप्तं दोषक्षयाद्विदुः । वीतरागोऽनृतं वाक्यं, न ब्रूयाद्धत्वसंभवात् ।।३।।' 'तच्चैतदुपपत्त्यैव, प्रायशो गम्यते बुधैः । वाक्यलिङ्गा हि वक्तारः, सद्वाक्यं चोपपत्तिमत् ।।४।।' ‘મન્યથાતિપ્રસ: ચાત, તત્તયા રહિત ૬ सर्वस्यैव हि तत्प्राप्तेरित्यनर्थो महानयम् ।।५।।' इत्यलं प्रसंगेन । લલિતવિસ્તરાર્થ પૂર્વમાં કહ્યું કે તત્ત્વ જાણવા માટે આગમથી, અનુમાનથી અને ધ્યાનના અભ્યાસથી ત્રણ પ્રકારે પ્રજ્ઞાને વ્યાકૃત કરતો પુરુષ ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે, તેમાં સાક્ષીરૂપે અન્ય વચનો બતાવે છે – આગમ અને ઉપપતિ સંપૂર્ણ દૃષ્ટિનું સ્વરૂપ અતીન્દ્રિય અર્થોના સદ્ભાવના નિર્ણય માટે છે. આગમ આપ્ત વચન છે, દોષના ક્ષયથી આપ્ત કહેવાયા છે, વીતરાગ અમૃત વાક્ય બોલે નહિ; કેમ કે હેતનો અસંભવ છે=ભૂષાભાષણના હેતુ રાગ-દ્વેષ અને અજ્ઞાનનો વીતરાગમાં અસંભવ છે. અને તે આ=આપ્ત વચન, ઉપપતિથી જ પ્રાયઃ બધો વડે જણાય છે, દિકજે કારણથી, વાક્ય-લિંગવાળા વક્તાઓ છે યથાર્થ વાક્ય કે અયથાર્થ વાક્યોના લિંગથી વક્તા સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે એ નિર્ણય થાય છે અને સદ્ધાક્ય ઉપપત્તિવાળું છે. અન્યથા સદ્વાક્ય ઉપપત્તિવાળું ન હોય તો, અતિપ્રસંગ છે, ત—તે કારણથી, તેનાથી રહિત=ઉપપત્તિથી રહિત, જો થાય જ સદ્વાક્ય થાય, તો સર્વનાં જ વચનોની તેની પ્રાપ્તિ હોવાથી=સદ્વાક્યની પ્રાપ્તિ હોવાથી અર્થાત્ સર્વ દર્શનકારોનાં વચનો ઉપપત્તિવાળાં નહિ હોવા છતાં તે વચનોને સદ્ધાક્યથી પ્રાપ્તિ હોવાથી, આ મહાન અનર્થ છે સર્વ દર્શનોનાં વચનોને સદ્વાક્ય સ્વીકારવારૂપ મહાન અનર્થ છે, એથી પ્રસંગથી સર્યું પૂર્વમાં બ્રહાદ્વૈતવાદીના મતમાં જિતભયત્વ સંગત નથી એના દ્વારા તેને અભિમત જે ચાર શ્લોકો બતાવ્યા તે' સંગત નથી એમ બતાવીને ત્રિકોટિ પરિશુદ્ધ આગમથી પ્રવર્તવું જોઈએ તે કથન પ્રસંગથી કહ્યું તે અહીં પૂર્ણ થાય છે તેથી કહે છે પ્રસંગથી સર્યું. ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે ત્રિકોટિ પરિશુદ્ધ વિચારની શુદ્ધિથી આગમનો નિર્ણય કરીને પ્રવર્તવું જોઈએ, એ કથનને જ પુષ્ટ કરવા માટે કહે છે – છદ્મસ્થ જીવો અતીન્દ્રિય અર્થોને સાક્ષાત્ જોનારા નથી, કેવલી જ સર્વ પદાર્થોને સાક્ષાત્ જોનારા છે, તોપણ છદ્મસ્થને અતીન્દ્રિય અર્થોના સદ્ભાવના નિર્ણય માટે આગમ અને ઉપપત્તિ સંપૂર્ણ બોધનું કારણ છે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ લલિતલિશ ભાગ-૨ અર્થાત્ છદ્મસ્થ આગમવચનથી અતીન્દ્રિય અર્થોને જાણ્યા પછી યુક્તિ અને અનુભવ અનુસાર આગમવચનને જાણવા યત્ન કરે તો ઉચિત પ્રવૃત્તિ કરીને હિત સાધી શકે તેવો યથાર્થ બોધ પ્રાપ્ત કરે છે, પરંતુ આગમવચન કે યુક્તિ વગર પદાર્થનો નિર્ણય કરવા યત્ન કરે તો અતીન્દ્રિય અર્થોનો નિર્ણય થઈ શકે નહિ. અહીં પ્રશ્ન થાય કે કોનું વચન બોધના કારણભૂત આગમ છે ? જેનાથી અતીન્દ્રિય અર્થોની પ્રાપ્તિ થાય? તેથી કહે છે – આગમ આપ્તવચન છે અને આપ્ત દોષના ક્ષયથી થયેલા છે અને તે વીતરાગ સર્વજ્ઞ છે અને વીતરાગ સર્વજ્ઞ અસત્ય વાક્ય બોલે નહિ. કેમ અસત્ય વચન બોલે નહિ ? તેથી કહે છે – અસત્ય બોલવાનાં ત્રણ કારણો છે, રાગ-દ્વેષ અને અજ્ઞાન. વીતરાગ સર્વજ્ઞ હોવાથી તેમનામાં રાગ-દ્વેષ અને અજ્ઞાનનો અભાવ છે, તેથી તેમના વચનમાં અસત્યપણાનો અભાવ છે. અહીં પ્રશ્ન થાય કે કયું આગમ સર્વજ્ઞકથિત છે ? જેનો નિર્ણય કરીને આગમ અને ઉપપત્તિ દ્વારા અતીન્દ્રિય અર્થોનો નિર્ણય થાય ? તેથી કહે છે – પ્રાયઃ કરીને ઉપપત્તિ દ્વારા જ બુધ પુરુષોથી આપ્તવચન જણાય છે, આથી જેનું વચન દષ્ટ-ઇષ્ટ અવિરુદ્ધ હોય, યુક્તિથી સંગત થતું હોય તે વચન આપ્તનું વચન છે તેવો નિર્ણય બુધ પુરુષો વડે થાય છે; કેમ કે આ વક્તા સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ તે તેમનાં વાક્યોના બળથી નક્કી થાય છે, માટે સદ્વાક્યને કહેનારા વક્તા સર્વજ્ઞ છે અને અસતાક્યને કહેનારા વક્તા અસર્વજ્ઞ છે તે બતાવવા માટે અહીં કહ્યું છે કે વક્તા વાક્યલિંગવાળા હોય છે. અહીં પ્રશ્ન થાય કે આ સદ્વાક્ય છે અને આ અસદ્ધાક્ય છે તે કેવી રીતે નક્કી થાય ? જેનાથી આ વાક્યને કહેનારા સર્વજ્ઞ છે અને આ વાક્યને કહેનારા સર્વજ્ઞ નથી તે નક્કી થાય, તેથી કહે છે – સદ્ધાક્ય ઉપપત્તિવાળું છે, તેથી બુદ્ધિમાન પુરુષ ઉપપત્તિ દ્વારા આ આખુવચન છે તેવો નિર્ણય પ્રાયઃ કરી શકે છે, અન્યથા=સદ્વાક્ય ઉપપત્તિવાળું ન હોય તો, અતિપ્રસંગ પ્રાપ્ત થાય બધાં દર્શનનાં વચનોને સદ્વાક્ય સ્વીકારવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય, અને જો ઉપપત્તિ રહિત પણ સદ્વાક્ય હોય તો બધાં જ બોલાયેલાં વચનોને સદ્વાક્યની પ્રાપ્તિ થાય, તેથી મહાન અનર્થ પ્રાપ્ત થાય; કેમ કે અસંબદ્ધ બોલાયેલાં વાક્યોથી ઇષ્ટની પ્રાપ્તિ થાય નહિ, પરંતુ કલ્યાણના અર્થી જીવોને પણ તે અસંબદ્ધ વાક્યો અનુસાર પ્રવૃત્તિથી અનર્થની પ્રાપ્તિ થાય, આથી વિસ્તારથી સર્યું અર્થાત્ ભગવાન જિતભયવાળા છે અને તેવું જિતભયપણું સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી અસંગભાવની પ્રાપ્તિ દ્વારા થાય છે, માટે ત્રિકોટિ પરિશુદ્ધ આગમનો નિર્ણય કરીને તેનાથી પ્રવૃત્તિ કરવી જોઈએ, એ પ્રકારના વિસ્તારથી સર્યું. લલિતવિસ્તરા :तदेवमर्हतां बहुत्वसिद्धिः, विषयबहुत्वेन च नमस्कर्तुः फलातिशयः सदाशयस्फातिसद्धेः। आह-'एकया क्रियया अनेकविषयीकरणे, कैवाशयस्फातिः?' नन्वियमेव यदेकया अनेकविषयीकरणं, विवेकफलमेतत् । Page #228 -------------------------------------------------------------------------- ________________ નમો જિણાશં જિયભયાણ ૨૦૫ લલિતવિસ્તાર્થ : તવંથી જિતભયત્વના કથનનું નિગમન કરે છે – આ રીતે=ભગવાન જિતભયવાળા છે અને તેઓની ઉપાસના કરીને જેઓ મોક્ષમાં જાય છે તે સર્વ જિતભયવાળા થાય છે તેનું સ્થાપન કરવા માટે પૂર્વમાં કહ્યું કે ક્ષેત્રજ્ઞાની અપેક્ષાએ પરમબ્રહાનું અનેકપણું સ્વીકાર કરાયે છતે સ્યાદ્વાદીના મતનો સ્વીકાર થાય છે; કેમ કે સ્યાદ્વાદીના મતે આત્મ સામાન્યરૂપ પરમબ્રાહા એક છે અને વ્યક્તિરૂપ આત્મા અનેક છે એ રીતે, અરિહંતોના બહુત્વની સિદ્ધિ છે અને વિષયના બહુત્વને કારણે નમસ્કાર કરનારને=નમો જિહાણ જિઅ ભયાણ દ્વારા જિતભરવાળા સિદ્ધના જીવોને નમસ્કાર કરનારને, ફલનો અતિશય છે; કેમ કે સદાશયના ફાતિની સિદ્ધિ છે એકને નમસ્કાર કરવા કરતાં અનેને નમસ્કાર કરવાને કારણે સદાશયના અતિશયની સિદ્ધિ છે. અહીં ગાથી પ્રશ્ન કરે છે – એક ક્રિયાથી એક નમસ્કારની ક્રિયાથી, અનેકને વિષય કરવામાં આશયની ફાતિ કઈ છે?=આશયની વૃદ્ધિ નથી તેને ગ્રંથકારશ્રી કહે છે – આ જ= એક નમસ્કાર દ્વારા અનેકને વિષય કરે છે એ જ, સદાશયની ફાતિ છે, જે કારણથી એક વડે અનેકનું વિષયીકરણ છે, આ એક નમસ્કાર દ્વારા અનેકને વિષય કર્યા એ, વિવેકલ =એક નમસ્કાર દ્વારા અનેક સિદ્ધોને નમસ્કાર એ નમસ્કાર કરનાર વ્યક્તિમાં પ્રગટ થયેલા વિવેકનું કાર્ય છે. ભાવાર્થજિઅભયાણ દ્વારા બ્રહ્માદ્વૈતમતનું નિરાકરણ થાય છે તેમ બતાવ્યું અને સ્થાપન કર્યું કે આત્મા સામાન્યરૂપે એક છે અને તે તે વ્યક્તિરૂપે અનેક છે અને મોક્ષમાં ગયેલા જીવો સંસારના સર્વ ઉપદ્રવથી રહિત હોવાથી જિતભયવાળા છે અને અનંતકાળથી અનંત જીવો મોક્ષમાં ગયેલા છે તે જિતભયવાળા છે, તેથી જિતભયવાળા એવા અરિહંત અનેક છે તે સિદ્ધ થાય છે અને જિતભયવાળા સર્વને નમો જિણાણે જિઅભયણ પદથી નમસ્કાર કરાય છે, તેથી એક સિદ્ધને નમસ્કાર કરવા કરતાં અનંતા સિદ્ધને નમસ્કાર કરવાથી ફલનો અતિશય થાય છે; કેમ કે વિવેકસંપન્ન જીવ જિતભયવાળા સિદ્ધના જીવો કેવા છે તેનું સ્વરૂપ શાસ્ત્રવચનથી જાણીને તેવા અનંતા જીવો સિદ્ધશિલા ઉપર છે તે રૂપે માનસિક ઉપસ્થિતિ કરે છે, તેથી પૂર્ણ સુખમય અવસ્થાવાળા અનંત સિદ્ધો છે તેવી માનસિક ઉપસ્થિતિ થાય છે અને તેવા અનંત જીવોને હું નમસ્કાર કરું છું, તેથી સદાશયની વૃદ્ધિની સિદ્ધિ થાય છે, જેમ હજાર રૂપિયા મળ્યા હોય તેના બદલે લાખ રૂપિયા મળે ત્યારે હર્ષનો અતિશય થાય છે, તેમ એક સિદ્ધને નમસ્કાર કરવા કરતાં અનંત સિદ્ધોને નમસ્કાર કર્યો છે તેવી બુદ્ધિ થવાથી ઉત્તમ આશયની વૃદ્ધિ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે એક ક્રિયાથી એક નમસ્કાર કરવાની ક્રિયાથી, અનંતા સિદ્ધના જીવોને વિષય કરવાને કારણે કઈ રીતે આશયની વૃદ્ધિ થાય છે? તેથી કહે છે – ખરેખર ! આ રીતે જ જે કારણથી એક નમસ્કારની ક્રિયાથી અનેકને નમસ્કાર કર્યો એ રીતે જ આશયની વૃદ્ધિ થાય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ- ૨૦૬ અહીં પ્રશ્ન થાય કે એક સિદ્ધને નમસ્કાર કરવાને બદલે અનેકને નમસ્કાર કેમ કરાય છે ? તેથી કહે છે – એ વિવેકનું ફળ છે અર્થાત્ કલ્યાણના અર્થી જીવોમાં પણ જેઓમાં વિવેક પ્રગટ્યો છે તેઓ વિચારે છે કે એક તીર્થકરને નમસ્કાર કરવાને બદલે ચોવીસ તીર્થંકરોને હું નમસ્કાર કરું તો વર્તમાન ચોવીસીના સર્વ તીર્થકરો પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે, તેમ હું એક સિદ્ધને નમસ્કાર કરું તેના કરતાં શાસ્ત્રવચનથી જાણીને અનંતકાળથી ગયેલા સિદ્ધોને જિતભયત્વ સ્વરૂપે ઉપસ્થિત કરીને તે સર્વને હું નમસ્કાર કરું એ પ્રકારની નિર્મળ બુદ્ધિ જેને પ્રગટી છે તે તેનામાં પ્રગટેલ વિવેકનું ફળ છે, તેથી તે સર્વને નમસ્કાર કરે છે. લલિતવિસ્તરા - आह-‘एवं ह्येकक्रिययानेकसन्माननं बहुब्राह्मणैकरूपकदानतुल्यं, तत् कथं नाल्पत्वम्?' उच्यते, क्रियाभेदभावात्, सा हि रत्नावलीदर्शनक्रियेव एकरत्नदर्शनक्रियातो भिद्यते, हेतुफलभेदात्, सर्वार्हदालम्बनेयमिति हेतुभेदः, प्रमोदातिशयजनिकेति च फलभेदः, (तत्) कथमित्थमल्पत्वम् ? ब्राह्मणैकरूपकदानोदाहरणं त्वनुपन्यसनीयमेव, रूपकादिव नमस्काराद् ब्राह्मणानामिवार्हतामुपकारायोगात्, कथं तर्हि तत्फलमिति? उच्यते, तदालम्बनचित्तवृत्तेः, तदाधिपत्यतः तत एव तद्भावात्, चिन्तामणिरत्नादौ तथादर्शनादिति वक्ष्यामः। લલિતવિસ્તરાર્થ: બાદથી પૂર્વપક્ષી શંકા કરે છે – આ રીતે-પૂર્વમાં કહ્યું કે વિવેકીપુરુષ એક નમસ્કાર દ્વારા અનંત સિદ્ધોને નમસ્કાર કરે છે એ રીતે, એક ક્રિયા વડે અનેકનું સન્માન ઘણા બ્રાહ્મણને એક રૂપિયાના દાનતુલ્ય છે, તે કારણથી કેવી રીતે અલ્પત્વ ન થાય ? અર્થાત્ અલ્પત્વ થાય, તેને ગ્રંથકારશ્રી કહે છે – ઉત્તર અપાય છે – ક્રિયાભેદનો ભાવ હોવાથીeઘણા બ્રાહ્મણોને રૂપિયાના દાનની ક્રિયા અને અનંતા સિદ્ધોને નમસ્કારની ક્રિયા એ બે ક્રિયામાં ભેદનો સદ્ભાવ હોવાથી અલ્પત્વ નથી એમ અન્વય છે, હિ=જે કારણથી, તે=અનંતા સિદ્ધોને એક નમસ્કારની ક્રિયા, રત્નાવલીના દર્શનની ક્રિયાની જેમ એક રત્નના દર્શનની ક્રિયાથી ભેદ પામે છે; કેમ કે હેતુના ભેદને કારણે ફલનો ભેદ છે. હેતુ અને ફલનો ભેદ સ્પષ્ટ કરે છે – સર્વ અરિહંતના આલંબનવાળી આ છે=એક નમસ્કારની ક્રિયા છે, એથી હેતુનો ભેદ છે અને પ્રમોદ અતિશય જનિકા એક નમસ્કારની ક્રિયા છે એથી ફલભેદ છે, તે કારણથી આ રીતે પૂર્વપક્ષીએ અનેક બ્રાહ્મણોને એક રૂપિયાના દાનનું દષ્ટાંત બતાવ્યું એ રીતે, અલ્પત્વ કેવી રીતે થાય? અર્થાત્ એક નમસ્કાર દ્વારા અનેક સિદ્ધોને નમસ્કાર કરવાથી આશયનું અભત્વ થાય નહિ, પરંતુ આશયનું અતિશયપણું થાય, વળી, બ્રાહ્મણોને એક રૂપિયાના દાનનું ઉદાહરણ Page #230 -------------------------------------------------------------------------- ________________ નમો નિશાશં જિયભયાણ ૨૦૭ અનુપવ્યસનીય જ છે; કેમ કે રૂપિયાથી બ્રાહ્મણોની જેમ નમસ્કારથી અરિહંતોને ઉપકારનો અયોગ છે, તો કેવી રીતે તેનું ફલ છે ?–અવંત સિદ્ધોને કરાયેલા એક નમસ્કારનું ફલ છે ? ઉત્તર અપાય છેeગ્રંથકારશ્રી વડે ઉત્તર અપાય છે – તદ્ આલંબન ચિત્તવૃત્તિથી=ભગવાનના આલંબનવાળી ચિત્તવૃતિથી, નમસ્કારની ક્રિયાનું ફલ છે એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે નમસ્કાર કરનારને ભગવાનથી નમસ્કારની ક્રિયાનું ફલ છે તેમ કેમ કહેવાય છે ? તેમાં હેતુ કહે છે – તેમનું આધિપત્ય હોવાથી=નમસ્કાર કરનારની ચિતવૃત્તિમાં ભગવાનનું આધિપત્ય હોવાથી, તેનાથી જ=ભગવાનથી જ, તેનો ભાવ છે=નમસ્કારની ક્રિયાનું ફળ છે. કઈ રીતે ભગવાનથી જ ફળ છે ? તેમાં હેતુ કહે છે – ચિંતામણિ રત્નાદિમાં તે પ્રકારે દર્શન છે, એ પ્રમાણે અમે કહીશું. પંજિકા : तदालम्बनचित्तवृत्तेः, इति-भगवदालम्बनचित्तवृत्तेर्नमस्काररूपायाः, 'तत्फलमि ति सम्बध्यते। नन्वेवं तर्हि न तद् भगवद्भ्य इत्याशङ्क्याह- तदाधिपत्यतो-भगवदाधिपत्यतो भगवन्त एव तच्चित्तवृत्तेस्तज्जनकेषु हेतुषु प्रधानत्वेनाधिपतयः ततः, तत एव=भगवद्भ्यः एव, तद्भावात्=क्रियाफलभावात्, कथमित्याहचिन्तामणिरत्नादौ तथादर्शनात्-चिन्तामण्यादिप्रणिधानादेर्भवत् फलं चिन्तामणिरत्नादेर्भवतीति लोके प्रतीतिदर्शनात् । પંજિકાર્ચ - તાતિવન ...... પ્રતિવર્ણનાત્ | તાતિવનચિત્તવૃત્તઃ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, નમસ્કારરૂપ ભગવદ્ આલંબનવાળી ચિત્તવૃત્તિ હોવાથી તેનું ફલ છે અર્થાત્ નમસ્કારનું ફલ છે, એ પ્રમાણે સંબંધ કરાય છે. આ રીતે=નમસ્કારરૂપ ભગવદ્ આલંબનવાળી ચિત્તવૃત્તિથી ફલ પ્રાપ્ત થાય છે એ રીતે, તો ભગવાનથી તે નથી=ભગવાનથી ફલ મળતું નથી, એ પ્રકારની આશંકા કરીને કહે છે – તેમનું આધિપત્ય હોવાથી ભગવાનનું આધિપત્ય હોવાથી તદ્ જનક હેતુઓમાં અર્થાત્ નમસ્કારકાળમાં વર્તતી ચિતવૃત્તિના જનક હેતુઓમાં ભગવાન જ તેની ચિત્તવૃત્તિના પ્રધાનપણાથી અધિપતિ છે તેથી, તેમનાથી જ=ભગવાનથી જ, તેનો ભાવ હોવાને કારણે=ક્રિયાના ફલનો સદ્ભાવ હોવાને કારણે, નમસ્કાર કસ્તાને ભગવાનથી ફલ થયું છે એમ કહેવાય છે, કેવી રીતે ચિત્તવૃત્તિ ઉપર ભગવાનનું આધિપત્ય છે ? એથી કહે છે – ચિંતામણિ રત્નાદિમાં તે પ્રકારનું દર્શન હોવાથી–ચિંતામણિ આદિના પ્રણિધાન આદિથી થતું ફલ ચિંતામણિ આદિ રત્નથી થાય છે એ પ્રમાણે લોકમાં પ્રતીતિનું દર્શન હોવાથી ભગવાનથી નમસ્કારનું ફલ થાય છે એમ અવય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ લલિતવિસ્તરા ભાગ-૨ ભાવાર્થ - પૂર્વમાં કહ્યું કે “નમો જિણાણે જિઅભયાણં' પદ દ્વારા અનંતા સિદ્ધોને સ્મૃતિમાં લાવીને નમસ્કાર કરવાથી આશયની વૃદ્ધિ થાય છે, ત્યાં બાદથી પૂર્વપક્ષી શંકા કરે છે – એક નમસ્કારની ક્રિયાથી અનેક સિદ્ધના જીવોને સન્માન કરવામાં આવે તે ઘણા બ્રાહ્મણોને એક રૂપિયાના દાનતુલ્ય છે, તેથી કોઈ એક બ્રાહ્મણને એક રૂપિયાનું દાન આપે અને કોઈ હજાર બ્રાહ્મણ વચ્ચે એક રૂપિયાનું દાન આપે તો એક બ્રાહ્મણને એક રૂપિયો આપનાર કરતાં હજાર બ્રાહ્મણને એક રૂપિયો આપે તો દરેક બ્રાહ્મણને ઘણું અલ્પ પ્રાપ્ત થાય, તેમ અનંતા સિદ્ધોને એક નમસ્કાર કરવાથી અલ્પત્વની પ્રાપ્તિ કેમ નહિ થાય અર્થાત્ પ્રાપ્તિ થશે, તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – ક્રિયાનો ભેદ છે=હજાર બ્રાહ્મણને માત્ર એક રૂપિયો આપવો તે ક્રિયા અને અનંતા સિદ્ધોને એક નમસ્કાર કરવો તે ક્રિયા સમાન નથી પરંતુ ભિન્ન પ્રકારની છે, કઈ રીતે હજાર બ્રાહ્મણને એક રૂપિયાના દાનથી અનંતા સિદ્ધોને એક નમસ્કારની ક્રિયા ભિન્ન પ્રકારની છે તે સ્પષ્ટ કરે છે – જેમ કોઈ એક રત્નના દર્શનની ક્રિયા કરે અને કોઈ રત્નાવલીના દર્શનની ક્રિયા કરે તો એક રત્નના દર્શનની ક્રિયા કરતાં રત્નાવલીના દર્શનની ક્રિયાથી અધિક પ્રમોદ થાય છે; કેમ કે એક રત્નને જોઈને જે આનંદ થાય તેના કરતાં અનેક રત્નોથી સુબદ્ધ ગુંથાયેલી રત્નાવલી અધિક ચિત્તપ્રસાદનું કારણ બને છે, તેથી એક રત્નના દર્શન તુલ્ય એક સિદ્ધ ભગવંતને મનમાં સ્મરણ કરીને તેમની માનસ સ્થાપના કરીને તેમને કરાતી નમસ્કારની ક્રિયા છે અને અનંતા સિદ્ધોને એક સાથે સ્મરણ કરીને તેનાથી થયેલી અનંત સિદ્ધોની જે માનસ સ્થાપના થાય છે અને તે અનંત સિદ્ધોને સ્મૃતિમાં લાવીને એક નમસ્કારની ક્રિયા છે તેથી તે રત્નાવલીના દર્શન તુલ્ય છે; કેમ કે અનંત સિદ્ધની માનસ સ્થાપના કરીને જે નમસ્કારની ક્રિયા કરાય છે તેમાં એક સિદ્ધના નમસ્કાર કરતાં ભાવનો પ્રકર્ષ થાય છે, આ કથનને જ સ્પષ્ટ કરવા માટે કહે છે – હેતુના ભેદથી ફલનો ભેદ હોવાથી ઘણા બ્રાહ્મણોને એક રૂપિયાના દાન તુલ્ય આ ક્રિયા નથી; કેમ કે સર્વ સિદ્ધોના આલંબનવાળી આ નમસ્કારની ક્રિયા છે, તેથી હેતભેદ છે અને તેના કારણે પ્રમોદનો અતિશય થાય છે, તેથી તે નમસ્કારની ક્રિયા પ્રમોદના અતિશયની જનિકા છે, તેથી ફલનો ભેદ થાય છે, જેમ એક રત્નના દર્શન કરતાં રત્નાવલીના દર્શનમાં એક રત્નરૂપ હેતુ કરતાં રત્નાવલીરૂપ હેતુનો ભેદ હોવાને કારણે એક રત્નથી જે પ્રમોદરૂપ ફલ થાય છે તેના કરતાં રત્નાવલીના દર્શનથી પ્રમોદના અતિશયરૂપ ફલભેદ થાય છે, તેથી એક નમસ્કારથી અનંત સિદ્ધોને નમસ્કાર કરવામાં અલ્પત્વ કઈ રીતે થાય ? અર્થાત્ થાય નહિ, વળી, પૂર્વમાં બ્રાહ્મણને એક રૂપિયાના દાનનું જે ઉદાહરણ બતાવ્યું તે ઉચિત નથી જ, કેમ ઉચિત નથી ? તે સ્પષ્ટ કરે છે – રૂપિયાના દાનથી બ્રાહ્મણોને ઉપકાર થાય છે તેમ સિદ્ધોને નમસ્કાર કરવાથી સિદ્ધોને ઉપકારનો યોગ નથી, માટે બ્રાહ્મણોને એક રૂપિયાના દાનનું દૃષ્ટાંત અનુચિત છે. આશય એ છે કે એક બ્રાહ્મણને એક રૂપિયો આપવામાં આવે તો તેને ઘણો ઉપકાર થાય છે અને હજાર બ્રાહ્મણો વચ્ચે એક રૂપિયો આપવામાં આવે તો તે પ્રત્યેક બ્રાહ્મણને ઘણો અલ્પ ઉપકાર થાય છે, પરંતુ Page #232 -------------------------------------------------------------------------- ________________ નમો જિણાણં જિયભયાણં ૨૦૯ અનંત સિદ્ધોને એક નમસ્કાર કરવાથી નમસ્કાર કરનારનો એક નમસ્કાર અનંત સિદ્ધોમાં વિભક્ત થતો નથી, તેથી બ્રાહ્મણોને એક રૂપિયાના દાનનું ઉદાહરણ તેમાં યોજી શકાય નહિ. અહીં પ્રશ્ન થાય કે જો નમસ્કાર કરવાની ક્રિયાથી સિદ્ધના જીવોને ઉપકાર થતો ન હોય તો કેવી રીતે નમસ્કાર કરનારને ફલની પ્રાપ્તિ થાય ? તેથી કહે છે – નમસ્કાર કરનારની સિદ્ધના આલંબનવાળી જે નમસ્કારરૂપ ચિત્તવૃત્તિ છે તેનાથી નમસ્કાર કરનારને ફલ પ્રાપ્ત થાય છે, તેથી એક નમસ્કાર અનંત સિદ્ધોમાં વિભક્ત થતો નથી, પરંતુ અનંત સિદ્ધોને અવલંબીને થયેલી નમસ્કારરૂપ ચિત્તવૃત્તિ પ્રમોદના અતિશયવાળી થાય છે, વળી નમસ્કાર કરનાર જીવને સિદ્ધના સ્વરૂપને જોવાથી જે પ્રકારનો પ્રમોદનો અતિશય થાય છે તે પ્રકારે સિદ્ધ તુલ્ય થવામાં બાધક કર્મોના નાશરૂપ નિર્જરાનો અતિશય પ્રાપ્ત થાય છે, તેથી કોઈ નમસ્કાર કરનાર પુરુષ પોતાની જ્ઞાનશક્તિના અને વીર્યશક્તિના પ્રકર્ષથી એક સિદ્ધને અવલંબીને નમસ્કાર કરે ત્યારે તે સિદ્ધના જીવ પ્રત્યે જે ભક્તિનો પ્રકર્ષ થાય છે તેને અનુરૂપ તે જીવને નિર્જરાની પ્રાપ્તિ થાય છે માટે કોઈ જીવને શાસ્ત્રવચનથી વિવેકદૃષ્ટિ પ્રગટેલી હોય, તેના કારણે ‘મારે સર્વ અનંત સિદ્ધોને નમસ્કા૨ ક૨વા છે’ તેમ સ્મરણ કરીને પોતાના બોધના અને વીર્યના અતિશયથી અનંત સિદ્ધોને નમસ્કાર કરે ત્યારે એકને નમસ્કાર કરવાથી જે ભાવ થયેલો તેના કરતાં નમસ્કારના આલંબનભૂત અનંત સિદ્ધો હોવાથી ભાવનો અતિશય થાય છે, તેથી એક સિદ્ધને નમસ્કારની ક્રિયા કરતાં અનંત સિદ્ધોને નમસ્કા૨ની ક્રિયાથી તે જીવને વિપુલ નિર્જરા થાય છે. અહીં પ્રશ્ન થાય કે આ રીતે તો પોતાના નમસ્કારની ક્રિયાથી સિદ્ધોને કોઈ ઉપકાર થતો નથી અને સિદ્ધો તરફથી તેમને કોઈ ફલ પ્રાપ્ત થતું નથી, પરંતુ સિદ્ધોને અવલંબીને થયેલી નમસ્કારરૂપ ચિત્તવૃત્તિથી જ નમસ્કાર કરનારને નિર્જરારૂપ ફળ મળે છે, તેથી ભગવાનથી નમસ્કારનું ફળ મળે છે તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે નમસ્કાર ક૨ના૨ની નમસ્કારને અનુકૂળ ચિત્તવૃત્તિના જનક જે હેતુઓ છે તે સર્વ હેતુઓમાં ભગવાન જ પ્રધાન છે, તેથી તે નમસ્કારની ક્રિયામાં ભગવાનનું આધિપત્ય છે, તેથી ભગવાનથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે તેમ કહેવાય છે. વસ્તુતઃ જીવને જ્ઞાનાવરણીયનો જે પ્રકારનો સ્થૂલથી કે સૂક્ષ્મથી ક્ષયોપશમ છે, વીર્યંતરાયનો જે પ્રકારનો સ્થૂલથી કે સૂક્ષ્મથી ક્ષયોપશમ છે અને વીતરાગના ગુણોને અવલંબીને વીતરાગ થવાની જે પ્રકારની સ્કૂલ કે સૂક્ષ્મ રુચિ છે તે ત્રણ પરિણામોનાં આવા૨ક કર્મોનો ક્ષયોપશમભાવ તે નમસ્કારની ક્રિયા પ્રત્યે કારણ છે. વળી, કોઈ ઉપદેશક, કલ્યાણમિત્ર આદિ ઉપદેશ આદિ દ્વારા તેની રુચિને અતિશય કરે ત્યારે તે ઉપદેશક આદિ પણ નિમિત્તભાવરૂપે તે નમસ્કારની ક્રિયા પ્રત્યે કારણ છે અને જીવમાં વર્તતા શ્રુતજ્ઞાનથી નિયંત્રિત મતિજ્ઞાનના ક્ષયોપશમજન્ય મતિજ્ઞાનનો વ્યાપાર તે નમસ્કારની ક્રિયા પ્રત્યે હેતુ છે અને અનંત સિદ્ધના જીવોને અવલંબીને તે નમસ્કારનો ઉપયોગ પ્રવર્તે છે ત્યારે તે તે પ્રકારના કર્મના ક્ષયોપશમો અને જીવનો તે નમસ્કારને અનુકૂળ વ્યાપાર અને ઉપદેશકનો નિમિત્ત ભાવ તે જીવને નમસ્કારથી જે નિર્જરા થશે તેના પ્રત્યે કારણ છે તે સર્વ કારણો કરતાં નમસ્કારના વિષયભૂત તે અનંત સિદ્ધના જીવો તે પ્રકારના અધ્યવસાય પ્રત્યે પ્રધાન હેતુ છે; કેમ કે તેઓના આલંબન વગર ક્ષયોપશમભાવવાળાં Page #233 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ–૨ ૧૦ કર્મોથી અને જીવના પુરુષકારથી પણ તે પ્રકારના નમસ્કારનો પરિણામ તે જીવ કરી શકે નહિ, માટે ભગવાનના આલંબનથી તે પ્રકારની ચિત્તવૃત્તિ થયેલી હોવાથી ભગવાનથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થયું છે તેમ કહેવાય છે, જેમ ચિંતામણિ રત્નાદિમાં તે પ્રકારનું દેખાય છે અર્થાત્ કોઈ જીવને ચિંતામણિરત્ન મળેલું હોય અને તેની ઉચિત વિધિ કર્યા પછી ‘મારે આ ફળ જોઈએ છે' તે પ્રકારનું પ્રણિધાન કરે તેનાથી ફળ પ્રાપ્ત થાય છે, તોપણ ચિંતામણિથી મને આ ફળ મળ્યું છે તેમ કહેવાય છે; કેમ કે તે ફલ પ્રત્યે ચિંતામણિનું આધિપત્ય છે=પ્રધાન હેતુપણું છે અને પ્રાર્થના ક૨ના૨નું પ્રણિધાન ગૌણ હેતુ છે, આથી જ ચિંતામણિની પ્રાપ્તિ વગર માત્ર પ્રણિધાનથી ફળ મળતું નથી અને ચિંતામણિની પ્રાપ્તિ થવા છતાં તે પ્રકારના પ્રણિધાન વગર પણ ચિંતામણિ ફળ આપતું નથી, એ પ્રકારે અમે આગળ કહીશું, એમ ગ્રંથકારશ્રી અહીં સ્પષ્ટ કરે છે. લલિતવિસ્તરાઃ कथमेकपूजया सर्वपूजाभिधानं ? तथा चागमः 'एगम्मि पूइयंमी सव्वे ते पूइया होंति । ' अस्ति एतद् विशेषविषयं तु, तुल्यगुणत्वज्ञापनेनैषामनुदारचित्तप्रवर्त्तनार्थं, तदन्येषां सर्वसम्पत्परिग्रहार्थं, सङ्घपूजादावाशयव्याप्तिप्रदर्शनार्थं च । લલિતવિસ્તરાર્થ : કેવી રીતે એકની પૂજાથી સર્વની પૂજાનું અભિધાન છે ?=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે અનંત સિદ્ધોને સ્મરણ કરીને એક નમસ્કાર કરવાથી સર્વને થાય છે, પરંતુ એને નમસ્કાર કરવાથી અનંત સિદ્ધોને નમસ્કાર થાય છે તેમ કહ્યું નહિ, તો પછી એકની પૂજાથી સર્વની પૂજાનું કથન કઈ રીતે સંગત થાય ? અર્થાત્ થાય નહિ અને તે પ્રકારે=એકની પૂજાથી સર્વની પૂજા થાય છે તે પ્રકારે, આગમ છે એકની પૂજા કરાયે છતે તે સર્વની પૂજા થાય છે. આ છે=એકની પૂજાથી સર્વની પૂજા થાય છે એ કહેનારું વચન છે, પરંતુ વિશેષ વિષયવાળું છે. - કઈ રીતે વિશેષ વિષયવાળું છે ? તે સ્પષ્ટ કરે છે આમના=સર્વ ભગવાનોના, તુલ્ય ગુણત્વના જ્ઞાપન વડે અનુદાર ચિત્તના પ્રવર્તન માટે વિશેષ વિષયવાળું છે એમ અન્વય છે, તેમનાથી અન્યોની=પૂજ્યમાન એવા એક ભગવાનથી અન્ય ભગવાનોની, સર્વ સંપદાના પરિગ્રહ માટે વિશેષ વિષયવાળું છે અને સંઘપૂજાદિમાં આશયની વ્યાપ્તિના પ્રદર્શન માટે વિશેષ વિષયવાળું છે એમ અન્વય છે. પંજિકા ઃ 'अनुदारे 'त्यादि, अनुदारचित्तप्रवर्त्तनार्थम्, अनुदारचित्तो हि कापण्यात्सर्व्वपूजां कर्तुमशक्नुवन्नैकमपि पूजयेद्, अतस्तत्प्रवर्त्तनार्थमुच्यते ' एगंमी 'त्यादि । द्वितीयं कारणमाह- तदन्येषां = पूज्यमानादन्येषां भगवतां, सर्वसम्पत्परिग्रहार्थं च = सर्वा:- निरवशेषाः, Page #234 -------------------------------------------------------------------------- ________________ નમો જિયાણ નિયાભથાણું ૧૧ सम्पदः-स्तोतव्यहेतुसंपदादय उक्तरूपास्तासामवबोधनार्थं, च, तेऽपि परिपूर्णसम्पद एवेति भावः। सङ्घपूजादौ-सङ्घचैत्यसाधुपूजादो, 'आशयव्याप्तिप्रदर्शनार्थं चेति तृतीयं कारणमिति। પંજિકાર્ય : “અનુલકરે ત્યાર .... રમતિ | અનુવાત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, અનુદાર ચિતતા પ્રવર્તન માટે એકની પૂજાથી સર્વની પૂજા થાય છે એ કથન છે, તેથી વિશેષ વિષયવાળું છે, દિ=જે કારણથી, અનુદાર ચિત્તવાળો કૃપણતાને કારણે=બધાની પૂજા કરવા માટે અનુત્સાહી ચિતરૂપ કૃપણતાને કારણે, સર્વની પૂજા કરવા માટે અસમર્થ છતો એક પણ ભગવાનની પૂજા કરે નહિ, આથી તેવા અનુદાર ચિત્તવાળાને તેના પ્રવર્તન માટે=એકની પૂજા કરવા માટે પ્રવર્તન કરાવવા અર્થે wifમ ઈત્યાદિ કહેવાય છે. બીજા કારણને કહે છે – તેનાથી અન્યોની=પૂજ્યમાન એવા ભગવાનથી અન્ય ભગવાનોની, સર્વ સંપદાના પરિગ્રહ માટે સર્વ અર્થાત્ નિરવશેષ સંપદાઓ અર્થાત્ ઉક્તરૂપવાળી સ્તોતવ્યહેતુસંપદાદિ તેઓના અવબોધન માટે, તેઓ પણ=બધા ભગવાનો પણ, પરિપૂર્ણ સંપદાવાળા જ છે એ બોધ કરાવવા માટે કિ ઇત્યાદિ કહેવાય છે એમ અવય છે. અને સંઘપૂજાદિમાં=સંઘ-ચૈત્ય-સાધુ-પૂજાદિમાં આશયની વ્યાપ્તિના પ્રદર્શન માટે કિ ઇત્યાદિ કહેવાય છે, એ ત્રીજું કારણ છે. ભાવાર્થ - પૂર્વમાં કહ્યું કે અનંતા સિદ્ધોને એક નમસ્કાર કરવાથી આશયની નિર્મળતા થાય છે અને એક સિદ્ધને નમસ્કાર કરવાથી તે પ્રકારના આશયની નિર્મળતા થતી નથી, ત્યાં શંકા થાય છે તો પછી એક ભગવાનની પૂજા કરવાથી સર્વ ભગવાનની પૂજા થાય છે તેમ કેમ કહ્યું ? અર્થાત્ તેમ કહેવામાં વિરોધ છે; કેમ કે એમ કહેવાથી એ જ પ્રાપ્ત થાય કે કોઈ જીવ એક સિદ્ધને નમસ્કાર કરે તોપણ સર્વ સિદ્ધોને નમસ્કાર પ્રાપ્ત થાય છે, તેથી પૂર્વના કથન સાથે એકની પૂજાથી સર્વની પૂજાનું કથન વિરોધ પામે છે, વળી, તે પ્રકારનું આગમ વિદ્યમાન છે અને તે આગમ જ બતાવે છે – “એક ભગવાનની પૂજા કરાય છતે સર્વની પૂજા થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રકારનું આગમવચન વિશેષ વિષયવાળું છે અર્થાત્ ભિન્ન દૃષ્ટિથી છે, તેથી પૂર્વના કથન સાથે આ કથનનો વિરોધ નથી. જેમ કોઈ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી કહે કે આત્મા નિત્ય છે, તો વળી, કોઈ અન્ય પર્યાયને જોનારી દૃષ્ટિથી આત્માને અનિત્ય કહે તો તે બે કથનોમાં પરસ્પર વિરોધ નથી, તેમ પ્રસ્તુતમાં અનંત સિદ્ધોને એક નમસ્કાર કરવાથી ભાવવિશેષ થાય છે તે બતાવવા માટે પૂર્વનું કથન છે અને આગમમાં એકની પૂજાથી સર્વની પૂજા થાય છે તે અન્ય વિશેષ વિષયને બતાવવા માટે છે, તે જ વિશેષ વિષય સ્પષ્ટ કરતાં કહે છે – ૧. અનુદાર ચિત્તના પ્રવર્તન માટે ૨. અન્ય તીર્થકરોની પણ સમાન જ સર્વ સંપદાઓ છે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ લલિતકલા ભાગ-૨ તે બોધ કરાવવા માટે અને ૩. સંઘપૂજાદિમાં આશય વ્યાપ્તિ બતાવવા માટે ઇત્યાદિ આગમવચન છે. જેમ કોઈ શ્રાવક ભગવાન પ્રત્યે ભક્તિવાળા હોય છતાં અતિ વ્યવસાયને કારણે બધા ભગવાનની ભક્તિ કરવા સમર્થ ન હોય ત્યારે તેને વિચાર થાય કે આટલી પ્રતિમાઓની પૂજા કરવા હું સમર્થ નથી, તેથી પૂજા કરવાનો અભિલાષ હોવા છતાં અનુત્સાહી થાય એવા કૃપણ ચિત્તવાળા શ્રાવકને ભગવાનની પૂજા કરવાનો ઉત્સાહ થાય, તેથી કહેવામાં આવે છે કે એક ભગવાનની પૂજા કરવામાં આવે તોપણ બધા ભગવાનની પૂજા થાય છે; કેમ કે બધા તીર્થકરો સમાન છે, માટે હું એક ભગવાનની પૂજા કરીશ તોપણ તત્ તુલ્ય અન્ય તીર્થકરો હોવાથી તે સર્વની પૂજાનું ફળ મને પ્રાપ્ત થશે, તે પ્રકારનો વિવેક પ્રગટાવવા માટે એકની પૂજાથી બધાની પૂજા થાય છે તેમ કહેવામાં આવે છે. વળી, યોગ્ય જીવને સર્વ તીર્થકરો સમાન સ્તોતવ્યની હેતુસંપદાદિવાળા છે તેવો બોધ કરાવવા માટે એકની પૂજા કરવાથી બધાની પૂજા થાય છે તેમ કહેવામાં આવે છે. વળી, સંઘપૂજા, ચૈત્યપૂજા, સાધુપૂજા કે શ્રાવકાદિપૂજામાં આશયની વ્યાપ્તિ બતાવવા માટે કિ ઇત્યાદિ આગમ વચન છે, તેથી કોઈ શ્રાવક કોઈ પ્રતિનિયત સંઘની ભક્તિ કરે ત્યારે તેને એવો અધ્યવસાય થાય છે કે મેં આખા સંઘની ભક્તિ કરી. વસ્તુતઃ આખો સંઘ ચૌદ રાજલોકવર્તી છે; કેમ કે સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનું ગ્રહણ છે તેમાં અવિરત સમ્યગ્દષ્ટિ આદિનું પણ ગ્રહણ છે, તેથી દેવલોકમાં વર્તતા સમ્યગ્દષ્ટિ દેવો કે સમ્યગ્દષ્ટિ નારકીઓ કે સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર તિર્યંચોનું પણ ગ્રહણ છે અને તે સર્વ ભગવાનના શાસન અંતર્ગત હોવાથી સંઘમાં સ્થાન પ્રાપ્ત કરે છે અને વિવેકી શ્રાવક કોઈ પ્રતિનિયત નગરના સંઘની પૂજા કરે ત્યારે સંઘવર્તી સર્વ જીવોની મેં પૂજા કરી છે તેવો વિશુદ્ધ અધ્યવસાય થાય છે, તેથી મહાવિદેહ આદિના, ભરતાદિના સાધુ-સાધ્વીઓનું પણ ગ્રહણ થાય છે અને સમ્યગ્દષ્ટિ દેવો આદિનું પણ ગ્રહણ થાય છે, તેથી તે સર્વની માનસ ઉપસ્થિતિપૂર્વક મેં આખા સંઘની ભક્તિ કરી છે તેવી વ્યાપ્તિ બતાવવા માટે એકની પૂજા કરાય છતે બધાની પૂજા થાય છે એમ આગમમાં કહેલ છે, તે રીતે કોઈ વિવેકી શ્રાવક એક ચૈત્યમાં રહેલા કે એક નગરમાં રહેલા ભગવાનની પૂજા કરે ત્યારે ત્રણ લોકવર્તી સર્વ ચૈત્યોની મેં પૂજા કરી છે તેવો વિશુદ્ધ વ્યાપક અધ્યવસાય થાય છે. વળી, કોઈ નગરમાં વર્તતા સર્વ સાધુની પૂજા કરે ત્યારે પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ આદિ સર્વત્ર વર્તતા સાધુઓની મેં પૂજા કરી છે તેવો વિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્ત થાય છે તે બતાવવા માટે પ્રષિ ઇત્યાદિ આગમવચન છે. લલિતવિસ્તરા : एवंभूतश्चायमाशय इति, तदाऽपरागतहर्षादिलिङ्गसिद्ध वश्रावकस्य विज्ञेय इति, एवमात्मनि गुरुषु च बहुवचनमित्यपि सफलं वेदितव्यं, तत्तुल्यापरगुणसमावेशेन तत्तुल्यानां परमार्थेन तत्त्वात्, कुशलप्रवृत्तेश्च सूक्ष्माभोगपूर्वकत्वात्, अतिनिपुणबुद्धिगम्यमेतदिति पर्याप्तं प्रसङ्गेन। નો નિને નિમણ્ય તિ પારૂરૂાા Page #236 -------------------------------------------------------------------------- ________________ નમો જિણાણં જિયભયાણં લલિતવિસ્તરાર્થ ઃ અને આવા પ્રકારનો=પૂર્વમાં કહ્યું કે સંઘપૂજાદિમાં આશયની વ્યાપ્તિ બતાવવા માટે મિ ઈત્યાદિ વચન છે એવા પ્રકારનો, વ્યાપક સંઘપૂજાદિનો આશય ભાવશ્રાવકને જાણવો; કેમ કે આ રીતે ત્યારે=એકની પૂજા કરે છે ત્યારે, અપર આગતમાં હર્ષાદિ લિંગની સિદ્ધિ છે, આવા પ્રકારના આત્માઓમાં=તીર્થંકરાદિ કે સુસાધુ આદિ આત્માઓમાં, અને ગુરુઓમાં, બહુવચન= બહુવચનનો પ્રયોગ, એ પણ સફ્ળ જાણવો; કેમ કે તત્ તુલ્ય અપર ગુરુ આદિના ગુણના સમાવેશથી તત્ તુલ્યોનું ઉપસ્થિત ગુરુના તુલ્ય અન્યોનું પરમાર્થથી તત્પણું છે=સમાનપણું છે, અને કુશલ પ્રવૃત્તિનું સૂક્ષ્મ આભોગપૂર્વકપણું છે=એક ગુરુને નમસ્કાર આદિ કરે છે ત્યારે બહુવચનના પ્રયોગ દ્વારા તત્ તુલ્ય સર્વનો સંગ્રહ કરીને નમસ્કારની ક્રિયા કરે તેવી કુશલ પ્રવૃત્તિનું સૂક્ષ્મ ઉપયોગપૂર્વકપણું છે, આએને નમસ્કાર કરીને સર્વ તીર્થંકરોને કે સર્વ ગુરુઓને નમસ્કારના ફલની પ્રાપ્તિ થાય એ, અતિનિપુણ બુદ્ધિગમ્ય છે, એથી પ્રસંગથી પર્યાપ્ત છે=નમો જિણાણં જિઅભયાર્ણમાં બહુવચન દ્વારા સર્વ સિદ્ધોને નમસ્કાર થાય છે તેમ બતાવ્યું ત્યાં પ્રસંગથી એકની પૂજાથી સર્વની પૂજા થાય છે તે પ્રકારના આગમનું ગ્રંથકારશ્રીને સ્મરણ થયું તેની સ્પષ્ટતા ગ્રંથકારશ્રીએ કરી તે પર્યાપ્ત છે, જિનોને જિતભયવાળા સિદ્ધોને હું નમસ્કાર કરું છું. ।।૩૩।। પંજિકા ઃ ૨૧૩ एवंभूतश्चव्यापकश्च, अयं = सङ्घादिपूजाविषय आशयः, कुत इत्याह- इति = एवं यथा एकस्मिन् पूज्यमाने तथा तदा - एक पूजाकाले, अपरागतहर्षादिलिङ्गसिद्धेः = अपरेष्वपूज्यमानेषु सङ्घादिदेशेषु, आगतेषुतत्कालमेव प्राप्तेषु तेषु विषये आगतस्य = आरूढस्य, हर्षपूजाभिलाषादिलिङ्गस्य सिद्धेर्भावश्रावकस्य विज्ञेयो, न त्वन्यथा; तथाविधविवेकाभावेन पूज्यमानव्यतिरेकेणान्येषु हर्षादिलिङ्गाभावात्, 'कुशलप्रवृत्ते 'रिति= શલાનાં-વ્રુદ્ધિમતાં, પ્રવૃત્તે:-‘iમિ પૂછ્યુંમી’સ્વાતિયાઃ।।રૂરૂ।। પંજિકાર્થ ઃ ‘સંભૂતશ્ય’ પૂછ્યુંમી'ત્યાવિાયાઃ ।। અને આવા પ્રકારનો વ્યાપક આ=સંઘાદિ પૂજા વિષયક આશય, ભાવશ્રાવકને થાય છે એમ અન્વય છે, કયા કારણથી ભાવશ્રાવકને થાય છે ? એથી કહે છે—કૃતિ=આ રીતે, જે પ્રકારે એક પૂજ્યમાનમાં છે તે પ્રકારે ત્યારે=એકના પૂજાકાળમાં, અપર આગતોમાં હર્ષાદિ લિંગની સિદ્ધિ હોવાથી=આગત અર્થાત્ તત્કાલ જ પ્રાપ્ત એવા અપૂજ્યમાન સંઘાદિ દેશરૂપ અપરોમાં અથવા તેઓના વિષયમાં=અપૂજ્યમાન સંઘાદિ દેશોના વિષયમાં, આરૂઢ એવા હર્ષ-પૂજા અભિલાષાદિ લિંગની સિદ્ધિ હોવાથી અર્થાત્ જે સંઘની પૂજા કરે છે તે સંઘના અન્ય દેશમાં પણ ઉલ્લસિત થયેલા એવા હર્ષ-પૂજાદિ લિંગની સિદ્ધિ હોવાથી, ભાવશ્રાવકને આવા પ્રકારનો વ્યાપક આશય જાણવો, અન્યથા નહિ=તે પ્રકારનો નિપુણ વ્યાપક પૂજાનો ઉપયોગ ન Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ લલિતવિસ્તરા ભાગ-૨ હોય તેવા શ્રાવકોમાં આ પ્રકારનો વ્યાપક આશય નથી; કેમ કે તેવા પ્રકારના વિવેકના અભાવને કારણે=એક સંઘની પૂજાના કાળમાં સર્વ સંઘોમાં વ્યાપક ભક્તિનો આશય થાય તેવા પ્રકારના વિવેકનો અભાવ હોવાને કારણે, પૂજ્યમાનને છોડીને=જેમની પૂજા કરે છે તેમને છોડીને, અત્યોમાં હદિ લિંગનો અભાવ છે. કુશલપ્રવૃત્તિનું કુશલ એવા બુદ્ધિમાન જીવોની પ્રવૃત્તિનું અર્થાત્ પર પૂમિ ઈત્યાદિરૂપ પ્રવૃત્તિનું, સૂક્ષ્મ આભોગપૂર્વકપણું છે એમ લલિતવિસ્તરામાં અવય છે. li૩૩ ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે એકની પૂજાથી સર્વની પૂજા થાય છે એ કથન સંઘપૂજાદિમાં આશયની વ્યાપ્તિ બતાવવા માટે છે, તેથી જિજ્ઞાસા થાય કે આવા પ્રકારનો વ્યાપક આશય કોણ કરી શકે ? તેથી કહે છે – ભાવશ્રાવકને આવા પ્રકારનો વ્યાપક આશય થાય છે; કેમ કે ભાવશ્રાવક ભગવાનના શાસનના પરમાર્થને જાણનારા છે, તેથી અરિહંતનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું સૂક્ષ્મ બોધપૂર્વક જાણે છે, સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનું પણ વાસ્તવિક મોક્ષને અનુકૂળ કેવું ઉત્તમ સ્વરૂપ છે કે જેના કારણે તેઓ ભગવાનના સંઘમાં પારમાર્થિક સ્થાનને પામ્યા છે તેનો બોધ ભાવશ્રાવકને છે અને પોતાના નગરમાં તેવા ગુણોથી યુક્ત જે ચતુર્વિધ સંઘ છે તેની ભક્તિ કરે છે ત્યારે પણ તેવા ગુણોવાળા અન્ય દેશોમાં રહેલા યાવતું. મહાવિદેહ આદિમાં કે દેવલોક આદિમાં રહેલ શ્રાવકો આદિ સર્વની હું પૂજા કરું છું તેવો ઉદાર આશય થાય છે, તેથી પોતે તત્કાલ પોતાના નગરના સંઘના સાધુ-સાધ્વી આદિની પૂજા કરે છે ત્યારે પણ કોઈ અન્ય મહાત્મા ત્યાં પધારે તેને જોઈને હર્ષનો અતિશય થાય છે એટલું જ નહિ, પરંતુ જેઓ એ નગરમાં નથી, મહાવિદેહ આદિમાં છે તે સર્વ પણ ભગવાનના સંઘ અંતર્ગત છે તેવા ગુણોવાળા સર્વ જીવો પ્રત્યે હર્ષ અને પૂજાનો અભિલાષ આદિ ભાવો તેમના ચિત્તમાં સ્કુરાયમાન થાય છે, તેથી સર્વ સંઘની હું ભક્તિ કરું છું તેવો નિર્મળ આશય થાય છે. જેમ સંભવનાથ ભગવાને પોતાના નગરમાં વર્તતા સંઘની ભક્તિ કરીને તીર્થંકર નામકર્મ બાંધ્યું ત્યારે નિપુણતાપૂર્વક કુશળ પ્રવૃત્તિ કરનારા હોવાથી સર્વત્ર વર્તતા સંઘ પ્રત્યે વ્યાપક ભક્તિનો પરિણામ થયેલો અથવા કૃષ્ણ મહારાજાએ દ્વારિકામાં વર્તતા અઢાર હજાર સાધુઓને જ્યારે વંદન કર્યું ત્યારે સાધુના પારમાર્થિક સ્વરૂપના બોધવાળા હતા અને તેવા ઉત્તમગુણવાળા સર્વ મુનિઓ પ્રત્યે તેમને ભક્તિનો પરિણામ અતિશયથી હતો, તેથી પ્રાયઃ પાંચ ભરત-પાંચ મહાવિદેહ આદિમાં વર્તતા સર્વ સાધુસાધ્વીઓને હું વંદન કરું એવા નિર્મળ પ્રતિસંધાનપૂર્વક વંદન કર્યું, જેથી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈને ક્ષાયિક સમકિતને પામ્યા, તેથી જેઓમાં કુશલ પ્રવૃત્તિ કરવાની સૂક્ષ્મ પ્રજ્ઞા છે તેઓ જ સંઘવર્તી જીવોના પારમાર્થિક ગુણોના બોધપૂર્વક સર્વત્ર વર્તતા તેવા ગુણોવાળા સંઘઅંતવર્તી જીવો પ્રત્યે ભક્તિ ઉલ્લસિત થાય તે પ્રકારે જ સંઘની પૂજા કરે છે, તેથી નિપુણતાપૂર્વક જેઓ સંઘપૂજા આદિ કરી શકે તેઓને જ આવો વ્યાપક શુભાશય થાય છે, આ કથન અતિનિપુણ બુદ્ધિગમ્ય છે, અને આવા પ્રકારના ગુણસંપન્ન તીર્થંકર આદિ આત્માઓમાં અને ગુરુ આદિમાં બહુવચનનો પ્રયોગ પણ સફલ જાણવો. આથી જ પ્રસ્તુતમાં નમો જિણાણે જિઅભયાણ શબ્દથી બહુવચનનો પ્રયોગ કર્યો છે. કેમ બહુવચનનો પ્રયોગ સફલ છે ? તેથી કહે Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ હેતુ, સંપદાની વ્યાખ્યા છે – એક ભગવાન તુલ્ય અપર તીર્થકરો છે, તેથી તત્ તુલ્ય એવા બધા તીર્થકરો પરમાર્થથી આવા સમાન પરિણામવાળા જ છે, તેથી બહુવચન દ્વારા તે સર્વનો સંગ્રહ કરાય છે અને બહુવચનના પ્રયોગ દ્વારા તેવા ગુણવાળા સર્વ તીર્થકરોનો સંગ્રહ કરીને સ્તુતિ કરવાની પ્રવૃત્તિ સૂક્ષ્મ ઉપયોગપૂર્વક થાય છે અને જેમાં તેવી અતિનિપુણ બુદ્ધિ છે તેઓ બહુવચનના પ્રયોગ દ્વારા સર્વ તીર્થકરોને સ્મૃતિમાં લાવીને તેમની ભક્તિ કરે છે, તેથી અતિનિપુણ બુદ્ધિગમ્ય આ સૂક્ષ્મ પદાર્થ છે, અને તે કથન પ્રાસંગિક હતું તે અહીં પૂર્ણ થાય છે, તેથી પ્રસ્તુત પદનો ઉપસંહાર કરતાં કહે છે – જિનને જિતભયવાળાને હું નમસ્કાર કરું છું અર્થાત્ મોક્ષમાં વર્તતા વીતરાગ અને કર્મોના ઉપદ્રવોના ભયથી રહિત એવા સર્વ સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું. ll૧all : લલિતવિસ્તરા : सर्वज्ञसर्वदर्शिनामेव शिवाचलादिस्थानसंप्राप्तेजितभयत्वाभिधानेन प्रधानगुणापरिक्षयप्रधानफलाप्त्यભવસમતુતિ લલિતવિસ્તરાર્થઃ સર્વજ્ઞ સર્વદર્શ એવા ભગવાનને જ શિવ-અચલ આદિ સ્થાનની સંપતિ હોવાથી જિતભયત્વરૂપે અભિધાન હોવાને કારણે પ્રધાનગુણના અપરિક્ષયપૂર્વક પ્રધાનફલની આતિરૂપ અભયસંપદા કહેવાઈ. II-II ભાવાર્થ ભગવાન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયકર્મનો ક્ષય કરે છે ત્યારે સર્વજ્ઞ સર્વદર્શી થાય છે તે ગુણનો નાશ થતો નથી, પરંતુ તે ગુણના પરિક્ષય વગર જ ભગવાનને શિવ-અચલ આદિ સ્થાનની સંપ્રાપ્તિ થાય છે અને તે સંપ્રાપ્તિ સંસારવર્તી અન્ય સર્વ ફલોમાં પ્રધાનફલ છે; કેમ કે ધર્મના સેવનથી જીવ મોક્ષમાં ન જાય ત્યાં સુધી જીવને સુદેવત્વ-સુમાનુષત્વની પ્રાપ્તિ થાય છે તે આનુષંગિક ફળ છે. જીવના પુરુષકારનું પ્રધાનફલ તો શિવ-અચલ આદિ સર્વ ઉપદ્રવોથી રહિત સ્થાનની પ્રાપ્તિ જ છે અને તે પ્રાપ્ત થવાથી ભગવાન સંપૂર્ણ કર્મોના ઉપદ્રવના ભયથી મુક્ત થાય છે. તેથી ત્રણ પદો દ્વારા પ્રધાનગુણના અપરિક્ષયપૂર્વક પ્રધાનફલની પ્રાપ્તિવાળી અભયસંપદા ભગવાને પ્રાપ્ત કરી છે તે કહેવાઈ. III નમુત્થણે સૂત્રના ૩ર આલાવા છે એમ પૂર્વમાં કહેલ અને અન્યના મતે ૩૩ આલાવા છે તેમ કહેલ અને તે આલાવા કુલ ૯ સંપદામાં વિભક્ત છે, તેથી હવે તે ૯ સંપદાઓ આ ક્રમથી કેમ પ્રસ્તુત સૂત્રમાં સંબદ્ધ છે ? તે યુક્તિથી બતાવવા માટે કહે છે – લલિતવિસ્તરા - (१) इह चादौ प्रेक्षापूर्वकारिणां प्रवृत्त्यङ्गत्वात्, अन्यथा तेषां प्रवृत्त्यसिद्धेः प्रेक्षापूर्वकारित्वविरोधात्, स्तोतव्यसम्पदुपन्यासः। (२) तदुपलब्धावस्या एव प्रधानासाधारणासाधारणरूपां हेतुसम्पदं प्रति Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ લલિતવિસ્તા ભાગ-૨ भवति विदुषां जिज्ञासा, तद्भाजनमेते इति तदुपन्यासः। (३) तदवगमेऽप्यस्या एवासाधारणरूपां हेतुसंपदं प्रति, परंपरया मूलशुद्ध्यन्वेषणपरा एते, इति तदुपन्यासः। (४) तत्परिज्ञानेऽपि तस्या एव सामान्येनोपयोगसंपदं प्रति, फलप्रधानारम्भप्रवृत्तिशीला एते, इति तदुपन्यासः। (५) एतत्परिच्छेदेऽपि उपयोगसंपद एव हेतुसंपदं प्रति, विशुद्धिनिपुणारम्भमाज एते, इति तदुपन्यासः। (६) एतद्बोधेऽपि स्तोतव्यसंपद एव विशेषेणोपयोगसंपदं प्रति, सामान्यविशेषरूपफलदर्शिन एते, इति तदुपन्यासः। (७) एतद्विज्ञानेऽपि स्तोतव्यसंपद एव सकारणां स्वरूपसंपदं प्रति, विशेषनिश्चयप्रिया एते, इति तदुपन्यासः। (८) एतत्संवेदनेऽप्यात्मतुल्यपरफलकर्तृत्वसंपदं प्रति, अतिगम्भीरोदारा एते, इति तदुपन्यासः। (९) एतत्प्रतीतावपि प्रधानगुणापरिक्षयप्रधानफलाप्त्यभयसंपदं प्रति भवति विदुषां जिज्ञासा, दीर्घदर्शिन एते, इति तदुपन्यासः। ___ अनेनैव क्रमेण प्रेक्षापूर्वकारिणां जिज्ञासाप्रवृत्तिरित्येवं संपदामुपन्यासः, एतावत्संपत्समन्विताश्च निःश्रेयसनिबन्धनमेते, एतद्गुणबहुमानसारं विशेषप्रणिधाननीतितस्तत्तद्बीजाक्षेपसौविहित्येन सम्यगनुष्ठानमिति च ज्ञापनार्थम् । લલિતવિસ્તરાર્થ: (૧) અને અહીં=નમુત્થરં સૂત્રમાં, પ્રેક્ષાપૂર્વકારીઓની પ્રવૃત્તિનું અંગપણું હોવાથી=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિનું અંગપણું હોવાથી, આદિમાં=સૂત્રના પ્રારંભમાં, સ્તોતવ્યસંપદાનો ઉપવાસ છે; કેમ કે અન્યથા સૂત્રના પ્રારંભમાં ભગવાનની સ્તોતવ્યસંપદાનો ઉપન્યાસ ન હોય તો, તેઓની=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવોની, પ્રવૃત્તિની અસિદ્ધિ છે= ભગવાનની સ્તુતિ કરવાની પ્રવૃત્તિની અસિદ્ધિ છે. કેમ આદિમાં સ્તોતવ્યસંપદાનો ઉપન્યાસ ન હોય તો વિચારકો પ્રવૃત્તિ ન કરે ? તેમાં હેતુ કહે છે – પ્રેક્ષાપૂર્વકારિત્વનો વિરોધ છે=જો પ્રથમ સ્તોતવ્યસંપદાનો ઉપવાસ ન હોય છતાં ભગવાનની સ્તુતિ કરવા પ્રયત્ન કરે તેઓ ભગવાન કેમ સ્તુતિપાત્ર છે તેનો વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરનારા છે, પરંતુ વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા ક્યારેય તેવી પ્રવૃત્તિ કરે નહિ અને જો કરે તો તેમાં પ્રેક્ષાપૂર્વકારિત્વનો વિરોધ પ્રાપ્ત થાય. (૨) તેની ઉપલબ્ધિ થયે છતે સ્તોતવ્યસંપદાની પ્રાપ્તિ થયે છતે, આની જ=સ્તોતવ્યસંપદાની જ, પ્રધાન સાધારણ-અસાધારણરૂ૫=પ્રધાન સાધારણ પ્રધાન અસાધારણરૂપ, હેતુસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે, તેના ભાજન=પ્રધાન સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદાની જિજ્ઞાસાના ભાજન, આ છે=ભગવાન છે, એથી તેનો ઉપવાસ છે સ્તોતવ્યસંપદા પછી બીજી સંપદાનો ઉપન્યાસ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ હેતુ, સંપદાની વ્યાખ્યા (3) તેના અવગમમાં પણ સ્તોતવ્યસંપદાની પ્રધાન સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદાના અવગમમાં પણ, આની જ સ્તોતવ્યસંપદાની જ, અસાધારણરૂપ હેતુસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે એમ યોજન છે. કેમ વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – પરંપરાથી મૂલશુદ્ધિના અન્વેષણ પર આ=વિદ્વાનો, હોય છે, એથી તેનો ઉપચાસ છે–ત્રીજી સંપદાનો ઉપવાસ છે. (૪) તેના પરિજ્ઞાનમાં પણ સ્તોતવ્યસંપદાની અસાધારણરૂપ હેતુસંપદાના પરિજ્ઞાનમાં પણ, તેની જ=સ્તોતવ્યસંપદાની જ, સામાન્યથી ઉપયોગસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે એમ અન્વય છે. કેમ વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – ફલપ્રધાન આરંભમાં=પોતે જે પ્રવૃત્તિ કરે તેનું ફળ પ્રાપ્ત થાય એવા આરંભમાં, પ્રવૃત્તિશીલ આ=વિદ્વાનો છે, જેથી તેનો ઉપચાસ છે=એથી સંપદાનો ઉપન્યાસ છે. (૫) આના પરિચ્છેદમાં પણ=ચોથી સંપદાનો બોધ થયે છતે પણ, ઉપયોગસંપદાની જ=ભગવાનના સામાન્ય ઉપયોગસંપદાની જ, હેતુસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે એમ અન્વય છે. કેમ વિદ્વાનોને ઉપયોગસંપદાની હેતુસંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – વિશુદ્ધિપૂર્વક નિપુણ આરંભવાળા આ=બુદ્ધિમાન પુરુષો છે, એથી=બુદ્ધિમાન પુરુષોને આ પ્રકાસ્ની જિજ્ઞાસા થાય છે એથી, તેનો ઉપવાસ છે=ઉપયોગસંપદાની જ હેતુસંપદાનો ઉપન્યાસ છે. (૬) આના બોધમાં પણ=પાંચમી સંપદાના બોધમાં પણ, સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે. કેમ વિદ્વાનોને સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – સામાન્ય-વિશેષરૂપ ફલને જેનારા આ=વિદ્વાનો હોય છે, એથી તેનો ઉપન્યાસ છેઃછઠી સંપદાનો ઉપન્યાસ છે. (૭) આના વિજ્ઞાનમાં પણ છઠી સંપદાના વિજ્ઞાનમાં પણ, સ્તોતવ્યસંપદાની જ સકારણ સ્વરૂપસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે. કેમ વિદ્વાનોને સ્તોતવ્યસંપદાની જ સકારણ સ્વરૂપ સંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – વિશેષનિશ્ચયપ્રિય આ છે=વિદ્વાનો છે, જેથી તેનો ઉપવાસ છે=સાતમી સંપદાનો ઉપવાસ છે. | (૮) આના સંવેદનમાં પણ સાતમી સંપદાના પારમાર્થિક બોધમાં પણ, આત્મતુલ્ય પર ફલકર્તુત્વની સંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ લલિતવિસ્તરા ભાગ-૨ કેમ વિદ્વાનોને આત્મતુલ્ય પરફલકર્તુત્વસંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – અતિગંભીર ઉદાર =વિદ્વાનો છે, જેથી તેનો ઉપવાસ છે=આઠમી સંપદાનો ઉપવાસ છે. (૯) આની પ્રતીતિમાં પણ આઠમી સંપદાનો યથાર્થ બોધ થવા છતાં પણ, પ્રધાનગણના અપરિક્ષયપૂર્વક પ્રધાનફલની પ્રાપ્તિથી થનારી અભયસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે. કેમ વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – દીર્ઘદર્શી આ હોય છે=વિદ્વાનો હોય છે, એથી તેનો ઉપવાસ છે નવમી સંપદાનો ઉપવાસ છે. આ જ ક્રમથી=પૂર્વમાં વર્ણન કર્યું એ જ ક્રમથી, પ્રેક્ષાપૂર્વક કરનારાઓની જિજ્ઞાસાની પ્રવૃત્તિ છે, એથી આ પ્રકારે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, સંપદાઓનો ઉપન્યાસ છે=નમુત્થણં સૂત્રમાં સંપદાઓનો ઉપવાસ છે, અને આટલી સંપદાઓથી સમન્વિત=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારની નવ સંપદાઓથી સમન્વિત, નિઃશ્રેયસનું કારણ આ=ભગવાન છે, વિશેષ પ્રણિધાનની નીતિથી તે તે બીજના આક્ષેપના સુવિહિતપણાથી આમના ગુણોના બહુમાન પ્રધાન=સ્તોતવ્યસંપદાદિમાં કહેલા ગુણોના બહુમાનપ્રધાન, સમ્યમ્ અનુષ્ઠાન છે અને એ જ્ઞાપન માટે પ્રસ્તુત સૂત્રની રચના છે એમ અન્વય છે. પંજિકા - 'तद्भाजनमेत' इति, तद्भाजनं जिज्ञासाभाजनम्, एते प्रेक्षापूर्वकारिणः। एतद्गुणेत्यादि, 'एतद्गुणबहुमानसारम्', एतेषांस्तोतव्यसंपदादीनां गुणानां, बहुमानेन-प्रीत्या, सारं स एव वा सारः यत्र, 'तत्सम्यगनुष्ठानं भवतीति संबन्धः, कथमित्याह-'विशेषप्रणिधाननीतितः=विशेषेणविभागेन, स्तोतव्यसम्पदादिषु गुणेषु प्रणिधानं-चित्तन्यासः, तदेव 'नीतिः'-प्रणिधीयमानगुणरूपस्वकार्यप्राप्तिहेतुः, तस्याः, 'तत्तद्बीजाऽऽक्षेपसौविहित्येन'='तस्य'-चित्ररूपस्य गुणस्याहत्त्वभगवत्त्वादेः बीजं-हेतुः तत्तदावारककर्महासः तदनुकूलशुभकर्मबन्धश्च, तस्य आक्षेपः-अव्यभिचारस्तेन, सौविहित्यंसुविधानं, तेन 'सम्यग्'-भावरूपम्, 'अनुष्ठानमिति च ज्ञापनार्थम्' एतच्च ज्ञापितं भवतीति भावः। પંજિકાર્ય : તમાનનમે' ...... ભવતિ ભવઃ | તમાનનમે એ બીજી સંપદાના વર્ણનનું પ્રતીક છે, તદ્દ ભાજન=જિજ્ઞાસાનું ભાજન, આ=પ્રેક્ષાપૂર્વકારીઓ છે=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા છે. હતોત્યાતિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, વિહુનાનસારમ્ એ સમ્યમ્ અનુષ્ઠાનનું વિશેષણ છે, તેનો અર્થ કરે છે – આ સ્તોતવ્યસંપદાદિના ગુણોના બહુમાનથી=પ્રીતિથી, સાર=પ્રધાન એવું, તે સગર્ અનુષ્ઠાન થાય છે એમ સંબંધ છે અથવા તે જ આ સંપદાઓના ગુણોનું બહુમાન જ, સાર છે જેમાં તે સમ્યગું અનુષ્ઠાન થાય છે એમ સંબંધ છે, કેવી રીતે આમના ગુણોના બહુમાન Page #242 -------------------------------------------------------------------------- ________________ હેતુ, સંપદાની વ્યાખ્યા ૨૧૯ પ્રધાન અનુષ્ઠાન સમ્યગ અનુષ્ઠાન થાય છે ? એથી કહે છે – વિશેષ પ્રણિધાનની નીતિથી–વિશેષથી અર્થાત્ વિભાગથી સ્તોતવ્યસંપદાદિના ગુણોમાં પ્રણિધાન અર્થાત્ ચિતવ્યાસ તે જ નીતિ અર્થાત પ્રણિધીયમાન ગુણસ્વરૂપ સ્વકાર્યની પ્રાપ્તિનો હેતુ અર્થાત ચિત્તભ્યાસ દ્વારા કરાયેલા પ્રણિધાનના વિષયભૂત ભગવાનના ગુણોની સ્વને પ્રાપ્તિરૂપ જે કાર્ય તેની નિષ્પત્તિનો હેતુ એવી જે નીતિ તેનાથી તે તે બીજના આક્ષેપનું સુવિહિતપણું હોવાથી–તે ચિત્રરૂપવાળા અહત્વ ભગવત્વ આદિ ગુણનું બીજ અર્થાત્ હેતુ અર્થાત્ તે તે આવારક કર્મોનો હ્રાસ અર્થાત્ જે જે સંપદામાં દઢ પ્રણિધાન થયેલ છે તે તે સંપદાથી વાચ્ય જે ગુણો તેનાં આવારક કર્મોનો હ્રાસ અને તેને અનુકૂલ શુભકર્મનો બંધ અર્થાત્ તે તે ગુણ પ્રાપ્તિનું કારણ બને તેને અનુકૂલ પુણ્યપ્રકૃતિનો બંધ બીજ છે, તેનો=તે બીજનો, આક્ષેપ અર્થાત્ અવ્યભિચાર, તેનાથી સોવિહિત્ય=સુવિધાન, તેના વડે સખ્યભાવરૂપ, અનુષ્ઠાન છે અને એ પ્રમાણે જ્ઞાપન અર્થવાળું પ્રસ્તુત નમુત્યુણં સૂત્ર છે અને આ=વિશેષ પ્રણિધાનની નીતિથી તત્ તત્ બીજના આક્ષેપ વડે સુવિધાનથી સમ્યગું અનુષ્ઠાન થાય છે એ, શાપિત થાય છે=નમુત્થણ સૂત્રથી શાપિત થાય છે, એ પ્રકારનો ભાવ છે. ભાવાર્થ અનેક પદો પરસ્પર એકવાક્યતાથી બદ્ધ હોય એવાં વચનોના સમુદાયરૂપ સંપદા છે અર્થાત્ નમુત્થણે સૂત્રમાં ૩ર આલાવા છે તેમાં પરસ્પર એકવાક્યતાથી સંબદ્ધ આલાવાનો સમુદાય એ સંપદા છે અને કોઈ રત્નમાળા સુબદ્ધ રીતે રત્નોથી ગુંથાયેલી હોય તો શોભાયમાન થાય અને તે જ રત્નોની માળા યથાતથા ક્રમ વડે રત્નોથી ગુંથાયેલી હોય તો તે માળા શોભાયમાન હોવા છતાં ગ્લાનિને પામે છે; કેમ કે રત્નો સુંદર છે તોપણ સમ્યગુ યોજનપૂર્વક ગુંથાયેલી નથી, તેથી વિવેકી પુરુષ માળાની ગૂંથણી પણ તે રીતે જ કરે છે, જેથી શોભાની વૃદ્ધિ થાય, તેમ ભગવાનમાં વર્તતા ગુણોના વાચક શબ્દોરૂપ જે ૩૨ આલાવાઓ છે તે ગુણોરૂપી રત્નો છે અને તેમાં જે જે ગુણો એકવાક્યતાથી પરસ્પર સંબંધિત છે તે ૯ સંપદાઓ છે અને તે સંપદાઓને ગણધરોએ તે ક્રમથી જ ગોઠવેલ છે કે જેથી વિચારક પુરુષની ભગવાનની સ્તુતિમાં પ્રવૃત્તિ થાય અને વિચારક પુરુષને જે રીતે જિજ્ઞાસા થાય છે તે ક્રમથી જ નમુત્યુર્ણ સૂત્રમાં ૯ સંપદાઓનું યોજન છે, વિચારકને તે સંપદાઓ કઈ રીતે યોજન કરાયેલી હોય તો સુબદ્ધ ભાસે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – (૧) નમુસ્કુર્ણ સૂત્રમાં વિચારકની પ્રવૃત્તિનું અંગપણું હોવાથી પ્રથમ સ્તોતવ્યસંપદાનો ઉપન્યાસ કર્યો છે; કેમ કે ભગવાન અરિહંત ભગવંત છે તેને બોધ થવાથી વિચારકને નિર્ણય થાય કે ભગવાને ભાવશત્રુનો નાશ કર્યો છે, તેથી અરિહંત છે અને ગુણસંપત્તિ પ્રગટ થયેલી છે, તેથી ભગવંત છે, આમ છતાં માત્ર અરિહંત ગ્રહણ કરવાથી દ્રવ્ય તીર્થકરનું પણ ગ્રહણ થાય છે તેના નિવારણ માટે અને ભાવ તીર્થકરના ગ્રહણ માટે ભગવંત વિશેષણ આપેલ છે અને ભગવાનનું તે સ્વરૂપ જ સ્તોતવ્ય છે; કેમ કે તેમની સ્તુતિ કરીને વિચારકને તેવા સ્તોતવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે અને જો પ્રથમ સ્તોતવ્યસંપદા બતાવેલ ન હોય તો વિચારક પુરુષ તેમાં પ્રવૃત્તિ કરે નહિ; કેમ કે વિચારક પુરુષ સંસારથી પર અવસ્થાને Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦. લલિતવિરારા ભાગ-૨ પામેલા ભગવાન છે, માટે સ્તુતિપાત્ર છે તેવો નિર્ણય થાય તો જ તેમની સ્તુતિ કરે, તેથી પ્રથમ સ્તોતવ્યસંપદાનો ઉપન્યાસ છે. (૨) વળી, ભગવાન અરિહંત ભગવંત છે તેવું જાણ્યા પછી વિદ્વાનોને ભગવાન કઈ રીતે અરિહંત ભગવંત થયા તેની પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદાને જાણવાની ઇચ્છા થાય છે, તેથી ત્યારપછી બીજી સંપદા કહેલ છે. બીજી સંપદામાં કહ્યું કે ભગવાન આદિમાં સંસારને કરવાના સ્વભાવવાળા છે અને તીર્થંકર અને સ્વયં બોધ પામેલા છે, તેથી એ પ્રાપ્ત થાય કે સર્વ ભવ્ય જીવ સાધારણ એવો ભગવાનમાં આદિકરણ સ્વભાવ છે; કેમ કે ભગવાન આદિમાં સંસારને કરનારા હતા, વર્તમાનમાં સંસાર કરનારા નથી, માટે સ્તોતવ્ય છે અને તીર્થકર અને સ્વયં બોધવાના છે, માટે સ્તોતવ્ય છે, તેમાં આદિકરણ સ્વભાવ સાધારણ હેતુ છે અને તીર્થંકરપણું અને સ્વયંબોધપણું અસાધારણ હેતુ છે તેના કારણે જ ભગવાન સ્તુતિપાત્ર બન્યા છે, તેથી હું પણ તેમની સ્તુતિ કરીને સંસારનો અંત કરું, જેથી આદિકરણ સ્વભાવ પ્રગટે અને તેવા પ્રકારની મારી યોગ્યતા હોય તો હું પણ તીર્થકર અને સ્વયંબોધવાળો થાઉં, એ પ્રકારની હેતુસંપદાથી સ્તુતિ કરવાથી વિદ્વાનને સ્તોતવ્યની પ્રાપ્તિનો હેતુ શું છે તેનો યથાર્થ બોધ થાય છે. (૩) વળી, બીજી સંપદાનો બોધ થયા પછી બુદ્ધિમાન પુરુષો સ્તોતવ્યસંપદાની જ અસાધારણ હેતુસંપદાને જાણવાની ઇચ્છાવાળા થાય છે; કેમ કે વિચારક પુરુષો પરંપરાથી મૂલશુદ્ધિના અન્વેષણમાં તત્પર હોય છે, તેથી તેઓને ભગવાન સ્તોતવ્ય કેમ છે તેનો બોધ થયા પછી પરંપરાએ ભગવાન કેમ અરિહંત ભગવંત થયા તેની અન્વેષણાનો પરિણામ થાય છે, તેથી જણાય છે કે અન્ય ભવ્યજીવો કરતાં ભગવાન પુરુષોત્તમ હોવાને કારણે જ તીર્થંકરરૂપે ચરમભવમાં થયા અને સાધનાકાળમાં સિંહ અને પુંડરીક જેવા હતા, તેથી કર્મોને નાશ કરવા સમર્થ બન્યા અને ગંધહસ્તિ જેવા હોવાથી જ તેમની પુણ્યપ્રકૃતિથી સર્વત્ર ઉપદ્રવનું શમન થાય છે, તેથી ભગવાન અરિહંત ભગવંત થયા તેનું મૂળ કારણ ભગવાનની તેવી ઉત્તમતા છે, આથી જ કર્મોની સામે સિંહની જેમ પરાક્રમવાળા થયા અને પુંડરીકની જેમ સંસારમાં નિર્લેપ રહ્યા. આ પ્રકારનાં અરિહંત ભગવંત થવાનાં મૂળ કારણોને જાણીને એ સ્વરૂપે વિચારકને ભગવાન પ્રત્યે ભક્તિ થાય છે. (૪) આ રીતે ભગવાનનું સ્તોતવ્ય સ્વરૂપ જાણ્યા પછી અને તે સ્તોતવ્યના હેતુનું સ્વરૂપ જાણ્યા પછી ભગવાનનું તેવું અસાધારણ સ્વરૂપ પ્રાપ્ત થવા પ્રત્યે કોણ હેતુ છે તેની મૂળશુદ્ધિ કર્યા પછી વિચારકને જિજ્ઞાસા થાય કે આપણને ભગવાનનો સામાન્યથી શું ઉપયોગ છે; કેમ કે વિચારક પુરુષો ફલપ્રધાન આરંભ કરનારા હોય છે, તેથી ભગવાન આવા ગુણિયલ છે તોપણ આપણને તેમનો સામાન્યથી શું ઉપયોગ છે?તે બતાવવા માટે ચોથી સંપદાથી લોકોત્તમત્વ, લોકનાથત્વાદિરૂપ ભગવાનનું સ્વરૂપ બતાવાયેલ છે, જેથી મોક્ષમાર્ગમાં ચાલનારા જીવોને ભગવાન કઈ રીતે ઉપકારક છે, તેનો સામાન્યથી બોધ થાય છે; કેમ કે લોકના નાથ હોવાથી ઉચિત અનુશાસન આપે છે, લોકને માટે પ્રદીપતુલ્ય અને પ્રદ્યોત કરનારા હોવાથી ભગવાન લોકોને તે પ્રકારે ઉપકારક થાય છે, માટે ભગવાન જીવોને સામાન્યથી કઈ રીતે ઉપયોગી થાય છે તેવો બોધ થવાથી ફલપ્રધાનમાં આરંભ કરવાની પ્રવૃત્તિવાળા બુદ્ધિમાન પુરુષો ભગવાનની સ્તુતિમાં પ્રવૃત્તિ કરે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧ હેતુ, સંપદાની વ્યાખ્યા (૫) આ રીતે ચાર સંપદા બતાવ્યા પછી બુદ્ધિમાન પુરુષો જીવોને ભગવાનનો જે ઉપયોગ છે તેનો હેતુ શું છે તેની અન્વેષણા કરે છે; કેમ કે બુદ્ધિમાન પુરુષો વિશુદ્ધિપૂર્વક નિપુણ આરંભ કરનારા હોય છે, તેથી તેઓને જિજ્ઞાસા થાય કે ભગવાન આપણને ઉપયોગી છે, તોપણ ભગવાન પાસેથી આપણને શું પ્રાપ્ત થાય છે જેના કારણે ભગવાન આપણને ઉપયોગી છે, તેથી ભગવાન યોગ્ય જીવોને અભય, ચક્ષુ આદિ આપે છે તે બતાવવા માટે ઉપયોગસંપદાની જ હેતુસંપદા બતાવાયેલ છે, તેથી વિશુદ્ધિપૂર્વક નિપુણ આરંભ કરનારા બુદ્ધિમાન પુરુષોને બોધ થાય છે કે ભગવાનના બળથી જ આપણને અભય, ચક્ષુ આદિની પ્રાપ્તિ થશે, માટે આપણે ભગવાનની તે પ્રકારે સ્તુતિ કરવી જોઈએ, જેથી આપણને સ્તુતિના બળથી અભય-ચક્ષુ આદિ ગુણોની પ્રાપ્તિ થાય. | (૯) વળી, કઈ રીતે આપણને ભગવાનનો ઉપયોગ છે તેના હેતુનો બોધ થયા પછી પણ વિચારકને સ્તોતવ્યસંપદાની જ વિશેષ ઉપયોગસંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે, એથી ત્યારપછી ભગવાન ધર્મને દેનારા છે, ધર્મના દેશક છે, ઇત્યાદિ બતાવેલ છે; કેમ કે બુદ્ધિમાનોને ભગવાનનો સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ શું છે તે જાણવાની ઇચ્છા થાય છે અર્થાત્ સામાન્ય વિશેષ ફલને જોનારા હોય છે, તેથી ભગવાનનો સામાન્યથી ઉપયોગ શું છે તેનો બોધ થયા પછી ભગવાનનો વિશેષથી ઉપયોગ શું છે તેની જિજ્ઞાસા થાય છે, તે વિશેષ ઉપયોગ જ ધમ્મદયાણ આદિ પદોથી બતાવાયેલ છે. (૭) વળી, ભગવાનનો વિશેષથી ઉપયોગ શું છે તેનું જ્ઞાન થયા પછી વિચારકને સ્તોતવ્યસંપદાની જ સકારણ સ્વરૂપસંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે; કેમ કે બુદ્ધિમાન પુરુષો વિશેષ નિશ્ચયપ્રિય હોય છે, તેથી ભગવાન અરિહંત ભગવંત કેમ થયા તેનો વિશેષ નિશ્ચય કરાવવા માટે ભગવાન અપ્રતિહત જ્ઞાનદર્શનવાળા છે, વ્યાવૃત્ત છદ્મસ્થ ભાવવાળા છે તેમ સાતમી સંપદામાં બતાવેલ છે. () ભગવાન અપ્રતિહત જ્ઞાન-દર્શન ધરનારા છે અને પ્રસ્થ ભાવ રહિત છે તેવો બોધ થયા પછી પણ વિચારકને જિજ્ઞાસા થાય કે ભગવાન પોતાના તુલ્ય ફલ બીજાને પ્રગટ કરે છે કે નહિ; કેમ કે વિચારક પુરુષો અતિગંભીર ઉદાર આશયવાળા હોય છે, તેથી ભગવાન ઘણા ગુણોથી યુક્ત હોવા છતાં પોતાના તુલ્ય ફળ બીજામાં પ્રગટ કરે તેવા ઉત્તમ છે કે નહિ તે જાણવાની ઇચ્છા થાય છે, તેથી ભગવાન જિણાણું જાવયાણ એ સંપદા દ્વારા પોતાના તુલ્ય પરફલને કરનારા છે તે રૂપે સ્તુતિ કરાયા છે. (૯) આ રીતે ભગવાન બીજાને પોતાના તુલ્ય કરે છે તેવો બોધ થયા પછી પણ વિચારકને જિજ્ઞાસા થાય કે પ્રધાન ગુણના અપરિક્ષયપૂર્વક પ્રધાન ફળની પ્રાપ્તિને કારણે ભગવાન અભય અવસ્થાને પામ્યા છે કે નહિ; કેમ કે બુદ્ધિમાન પુરુષ દીર્ઘદર્શી હોય છે, તેથી જીવને પૂર્ણ સુખની પ્રાપ્તિ જ ઇષ્ટ છે તેમ જાણે છે અને તેવી અવસ્થાને ભગવાન પામ્યા છે કે નહિ તેનો બોધ કરાવવા માટે ૯મી સંપદામાં સર્વજ્ઞ સર્વદર્શી આદિરૂપે ભગવાનની સ્તુતિ કરાઈ છે, જેથી ભગવાન આત્માના મુખ્ય ગુણના નાશ વગર શાશ્વત સુખને પામેલા છે તેવો બોધ થાય છે. પૂર્વમાં ૯ સંપદાઓ આ પ્રકારના ક્રમથી કેમ નિબદ્ધ છે તે બતાવ્યું, હવે તે પ્રકારે સ્તુતિ કરવાથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ લલિતવિસ્તરા ભાગ-૨ - આ ક્રમથી જ વિચારકને ભગવાનના ગુણો વિષયક જિજ્ઞાસાની પ્રવૃત્તિ છે, એથી આ પ્રકારે સૂત્રમાં સંપદાનો ઉપન્યાસ કરાયો છે અને આટલી સંપદાઓમાં બતાવેલા ગુણોથી સમન્વિત એવા ભગવાન મોક્ષનું કારણ બને છે અર્થાત્ સ્વયં આવા ગુણોથી યુક્ત હોવાને કારણે મોક્ષને પ્રાપ્ત કરે છે અને યોગ્ય જીવોને મોક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ બને છે અને જે જીવો વિશેષ પ્રકારના પ્રણિધાનની નીતિથી ચૈત્યવંદન કરે છે તેઓને તે તે બીજના આક્ષેપના સૌવિહિત્યથી સમ્યગું અનુષ્ઠાન થાય છે અને તે સમ્યગુ અનુષ્ઠાન ૯ સંપદામાં બતાવેલા ગુણોના બહુમાનયુક્ત પ્રવૃત્તિરૂપ છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ નમુત્થણે સૂત્રની સંપદાના ક્રમના પરમાર્થને જાણીને અને તે તે સંપદાથી વાચ્ય ભગવાનના ગુણોના પરમાર્થને જાણીને તે ગુણો પ્રત્યે બહુમાનભાવવાળા છે અને સ્તવનના કાળમાં તે તે ગુણોમાં ચિત્તનો વિન્યાસ હોવાથી તે તે ગુણો પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનભાવવાળા થાય છે અને તે તે ગુણો પ્રત્યે રાગનો પરિણામ અતિશય-અતિશયતર થાય છે, તેથી તેવા ગુણો પોતાનામાં પ્રગટે તેવી પુણ્યપ્રકૃતિ બંધાય છે અને તે ગુણોની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મોની નિર્જરા થાય છે; કેમ કે પોતાનામાં તે તે ગુણો શક્તિરૂપે વિદ્યમાન છે તેનાં આવારક કર્મો હોવાથી તે ગુણો પોતાનામાં અભિવ્યક્ત થયા નથી, તોપણ તે ગુણોના બહુમાનને કારણે તે તે ગુણનાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે અને તે ગુણો પ્રત્યેના રાગથી તે ગુણોની પ્રાપ્તિમાં સહાયક થાય તેવા શુભકર્મનો બંધ થાય છે, તેથી તે ચૈત્યવંદનની ક્રિયા સમ્યગુ અનુષ્ઠાન બને છે; કેમ કે સ્તુત્ય એવા ભગવાનના ગુણોની પ્રાપ્તિ પ્રત્યે ચૈત્યવંદન અનુષ્ઠાન અવંધ્યકારણ બને છે અને સ્તુત્યની સ્તુતિ કરવાનું પ્રયોજન સ્તુત્ય તુલ્ય અવસ્થાની પ્રાપ્તિ છે તે પ્રાપ્તિનું પ્રબળ કારણ સમ્યગુ રીતે કરાયેલું અનુષ્ઠાન છે અને તેવું અનુષ્ઠાન આ ક્રમથી ઉપયોગપૂર્વક કરનારા મહાત્માઓને પ્રાપ્ત થાય છે. માટે પૂર્વમાં વર્ણન કર્યું એટલી સંપદાથી સમન્વિત ભગવાન વિવેકપૂર્વક કરાયેલા ચૈત્યવંદનના બળથી યોગ્ય જીવોની મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. લલિતવિસ્તરા - एकानेकस्वभाववस्तुप्रतिबद्धश्चायं प्रपञ्च इति सम्यगालोचनीयम्, अन्यथा कल्पनामात्रमेता इति પનામાવઃ | एकानेकस्वभावत्वं तु वस्तुनो वस्त्वन्तरसम्बन्धाविर्भूतानेकसंबन्धिरूपत्वेन पितृपुत्रभ्रातृभागिनेयादिविशिष्टैकपुरुषवत्, पूर्वापरान्तरितानन्तरितदूरासन्ननवपुराणसमर्थासमर्थदेवदत्तकृतचैत्रस्वामिकलब्धक्रीतहतादिरूपघटवद्वा, सकललोकसिद्धश्चेह पित्रादिव्यवहारः, भिन्नश्च मिथः, तथा प्रतीतेः, तत्तत्त्वनिबन्धनश्च अत एव हेतोः । લલિતવિસ્તરાર્થ : અને એક-અનેક સ્વભાવવાળી વસ્તુ સાથે પ્રતિબદ્ધ આ પ્રપંચ છેકપૂર્વમાં કહેલો ૯ સંપદાનો વિસ્તાર છે, એ પ્રમાણે સમ્યમ્ આલોચન કરવું જોઈએ, અન્યથા=ભગવાન કથંચિત્ એક અને કથંચિત્ અનેક સ્વભાવવાળા ન હોય તો, આ=ચિત્રસંપદાઓ, કાનામાત્ર છે, એથી ફલનો Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨3 ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ અભાવ છે=તે સ્વરૂપે સ્તુતિ કરવાથી ફલનો અભાવ છે. વળી, વસ્તુનું એક-અનેક સ્વભાવપણું વસ્તુ અંતરના સંબંધથી આવિભૂત અનેક સંબંધિરૂપપણાથી છે, જેમ પિતા-પુત્ર-ભાઈ-ભાણેજ આદિથી વિશિષ્ટ એક પુરુષ છે અથવા જેમ पूर्व-मपर, wiतरित-मनतरित, दूर-मासी, नवो-नो, समर्थ-असमर्थ, पEdgd-यारवाभिs, લબ્ધ, ખરીદાયેલો, હરણ કરાયેલો આદિ રૂપવાળો ઘટ છે અને અહીં સંસારમાં, સકલ લોકસિદ્ધ પિતા આદિનો વ્યવહાર છે અને પરસ્પર ભિન્ન છે; કેમ કે તેવા પ્રકારની પ્રતીતિ છે અને આ જ હેતુથીeતેવા પ્રકારની પ્રતીતિરૂપ હેતુથી, તત્ તત્ત્વ નિબંધન છે=આ પિતા છે આ પુત્ર છે ઈત્યાદિ વાસ્તવિક વ્યવહારનું કારણ છે. नि :इयं च चित्रा संपन्न स्याद्वादमन्तरेण संगतिमङ्गतीति तत्सिद्ध्यर्थमाह एकानेकस्वभाववस्तुप्रतिबद्धश्च द्रव्यपर्यायस्वभावार्हल्लक्षणवस्तुनान्तरीयकः पुनः, अयम् अनन्तरोक्तः, प्रपञ्चः चित्रसंपदुपन्यासरूपः, इति एतत्, सम्यगालोचनीयम् अन्वयव्यतिरेकाभ्यां यथेदं वस्तु सिध्यति तथा विमर्शनीयम् । विपक्षे बाधामाह- अन्यथा-एकानेकस्वभावाभावेऽर्हता, कल्पनामात्र कल्पना एव केवला निर्विषयबुद्धिप्रतिभासरूपा, एताः=चित्राः सम्पदः, ततः किमत आह इति=अतः कल्पनामात्रत्वात्, फलाभावः=मिथ्यास्तवत्वेन सम्यक्स्तवसाध्यार्थाभावः; न चैवं, सफलारम्भिमहापुरुषप्रणीतत्वादासाम् इत्येतदुपन्यासान्यथानुपपत्त्यैव चित्ररूपवस्तुसिद्धिरिति । पुनः सामान्येन चित्ररूपवस्तुप्रत्यायनाय प्रयोगमाह'एकानेकस्वभावत्वं तु वस्तुनः' इति साध्यनिर्देशः, अत्र हेतुमाह- 'वस्त्वन्तर मिति, वस्त्वन्तरैः साध्यधर्मिव्यतिरिक्तैः, यः सम्बन्धः तत्स्वभावापेक्षालक्षणः, तेन आविर्भूतानि अनेकानि-नानारूपाणि, सम्बन्धीनि सम्बन्धवन्ति रूपाणि स्वभावात् यस्य तत्तथा तस्य भावस्तत्त्वं तेन। ___ दृष्टान्तमाह-पितृपुत्रभ्रातृभागिनेयैः, 'आदि'शब्दात् पितृव्यमातुलपितामहमातामहपौत्रदौहित्रादिभिर्जनप्रतीतैः, विशिष्टः उपलब्धसंबन्धो यः, एको-द्रव्यतया, पुरुषः तथाविधपुमान्, तस्येव, अस्यैव दृढत्वसंपादनार्थं पुनर्दृष्टान्तान्तरमाह- 'पूर्वेत्यादि, तत्तदपेक्षया पूर्वापरादिपञ्चदशरूपः, 'आदि'शब्दादणुमहदुच्चनीचाद्यनेकरूपश्च यो घटस्तस्येव वा एकानेकस्वभावत्वमिति, हेतुसिद्ध्यर्थमाह- सकललोकसिद्धश्च अविगानेन प्रवृत्तेः, इह-जगति, पित्रादिव्यवहारः=तथाविधाभिधानप्रत्ययप्रवृत्तिरूपः, भिन्नश्च-पृथक् (च), मिथः= परस्परम्, अन्यो हि पितृव्यवहारोऽन्यश्च पुत्रादीनाम्, कुत इत्याह- तथा=मिथो भिन्नतया, प्रतीतेः सर्वत्र सर्वदा सर्वेः प्रत्ययात् तत्तत्त्वनिबन्धनश्च-तस्य-पित्रादितया व्यवहरणीयस्य, तत्त्वं-पित्रादिरूपत्वं, निबन्धनं Page #247 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ ૨૨૪ यस्य स तथा, चकार उक्तसमुच्चये, एतदपि कुत इत्याह- अत एव = तथाप्रतीतेरेव हेतोः न च सम्यक्प्रतीतिरप्रमाणं, सर्वत्रानाश्वासप्रसङ्गात् । પંજિકાર્ય : इयं च चित्रा સર્વત્રાનાશ્વાસપ્રતાત્ ।। અને આ ચિત્રસંપદા સ્યાદ્વાદ વગર સંગતિને પ્રાપ્ત કરતી નથી, એથી તેની સિદ્ધિ માટે=પ્રસ્તુત સૂત્રથી સ્યાદ્વાદની સિદ્ધિ માટે, કહે છે વળી, એક–અનેક સ્વભાવવાળી વસ્તુ સાથે પ્રતિબદ્ધ એવો=દ્રવ્ય-પર્યાય સ્વભાવવાળી અરિહંતરૂપ વસ્તુની સાથે નાંતરીથક અર્થાત્ અવિનાભાવી એવો, આ=અનંતરમાં કહેવાયેલો, પ્રપંચ છે—ચિત્રસંપદાના ઉપન્યાસરૂપ વિસ્તાર છે, એ સમ્યગ્ આલોચન કરવું જોઈએ=અન્વય-વ્યતિરેક દ્વારા જે પ્રમાણે આ પ્રકારે વિમર્શ વસ્તુ સિદ્ધ થાય અર્થાત્ અરિહંતરૂપ વસ્તુ એક-અનેક સ્વભાવવાળી સિદ્ધ થાય કરવો જોઈએ. - વિપક્ષમાં=અરિહંતરૂપ વસ્તુને એક-અનેક નહિ સ્વીકારવારૂપ વિપક્ષમાં, બાધાને કહે છે અન્યથા=અરિહંતના એક-અનેક સ્વભાવના અભાવમાં, આ=ચિત્રસંપદાઓ, કલ્પનામાત્ર થાય= નિર્વિષય બુદ્ધિ પ્રતિભાસરૂપ કેવલ કલ્પના જ થાય, તેનાથી શું ?=ભગવાનની ચિત્રસંપદાઓ કલ્પનામાત્ર થાય તેનાથી શું ? આથી કહે છે - આ કલ્પનામાત્રપણું હોવાથી ફલાભાવ છે=મિથ્યા સ્તવપણું હોવાથી સમ્યક્ સ્તવ સાધ્ય અર્થનો અભાવ છે=ચૈત્યવંદન કરનારને તેવા ગુણોની પ્રાપ્તિરૂપ ફલનો અભાવ છે, અને એ પ્રમાણે નથી=ચૈત્યવંદન મિથ્યા સ્તવરૂપ એ પ્રમાણે નથી; કેમ કે આમનું=૯ સંપદાઓનું, સફલ આરંભિમહાપુરુષથી પ્રણીતપણું છે=૯ સંપદારૂપે ચૈત્યવંદન સૂત્રની રચના ગુણપ્રાપ્તિનું કારણ બને તેવા સફલ આરંભિ ગણધરરૂપ મહાપુરુષથી પ્રણીતપણું છે, એથી આનો ઉપન્યાસ=૯ સંપદાનો ઉપન્યાસ, અન્યથા અનુપપત્તિ હોવાથી જ=ચિત્રરૂપ વસ્તુના સ્વીકાર વગર ગણધરોના વચનની અનુપપત્તિ હોવાથી જ, ચિત્રરૂપ વસ્તુની સિદ્ધિ છે. - વળી, સામાન્યથી ચિત્રરૂપ વસ્તુનો વિશ્વાસ કરાવવા માટે પ્રયોગને કહે છે · વળી, વસ્તુનું એકઅનેક સ્વભાવપણું છે એ સાધ્યનો નિર્દેશ છે=લલિતવિસ્તરામાં કરાયેલા અનુમાનમાં વસ્તુરૂપ પક્ષને ઉદ્દેશીને એક-અનેક સ્વભાવત્વ સાધ્ય છે તેમ બતાવેલ છે, એમાં=એક-અનેક સ્વભાવત્વરૂપ સાધ્યમાં, હેતુને કહે છે – વત્ત્તત્તરમ્ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે. હેતુને સ્પષ્ટ કરે છે – વસ્તુ અંતર વડે=સાધ્યધર્મીથી વ્યતિરિક્ત એવી વસ્તુ અંતર વડે, જે સંબંધ=તત્ સ્વભાવની અપેક્ષારૂપ સંબંધ, તેના વડે આવિર્ભાવ પામેલા અનેક સંબંધીઓ અર્થાત્ જુદા જુદા રૂપવાળા સંબંધવાળાં રૂપો સ્વભાવથી છે જેને તે તેવા છે=અનેક સંબંધી રૂપવાળા છે, તેનો ભાવ તત્ત્વ=અનેક સંબંધિરૂપત્વ તેનાથી અર્થાત્ વસ્તુ અંતરના સંબંધથી આવિર્ભૂત અનેક સંબંધિરૂપત્વ હોવાથી વસ્તુનું એક-અનેક સ્વભાવપણું છે એમ અન્વય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ર૫ ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ દષ્ટાંતને કહે છે – પિતા-પુત્ર-ભાઈ-ભાણેજ આદિ વડે વિશિષ્ટ=ઉપલબ્ધ સંબંધવાળો જે દ્રવ્યપણાથી એક પુરુષ=તેવા પ્રકારનો પુરુષ=અનેક સાથે સંબંધવાળો પુરુષ, તેની જેમ વસ્તુનું એકઅનેક સ્વભાવપણું છે, આદિ શબ્દથી=માજિનેતિમાં રહેલા ગાદિ શબ્દથી, કાકા, મામા, દાદા, નાના, પૌત્ર, દૌહિત્ર આદિ જનપ્રતીત સંબંધોથી વિશિષ્ટ એક પુરુષ દગંત છે, આના જ=વસ્તુનું એકઅનેક સ્વભાવપણું છે એના જ, દઢત્વના સંપાદન માટે ફરી બીજા દાંતને કહે છે – પૂર્વેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તે તે અપેક્ષાથી પૂર્વ-અપર આદિ પંદરરૂપવાળા ઘટની જેમ વસ્તુનું એકઅનેક સ્વભાવપણું છે એમ અવય છે, આદિ શબદથીદતાલિમાં રહેલા આદિ શબ્દથી, નાનો-મોટો, ઊંચો-નીચો આદિ અનેકરૂપવાળો જે ઘટ તેની જેમ એક-અનેક સ્વભાવપણું છે, હેતુની સિદ્ધિ માટે કહે છે – અને અહીં જગતમાં, સકલ લોકસિદ્ધ પિતા આદિનો વ્યવહાર છે તેવા પ્રકારના નામ દ્વારા પ્રત્યયની પ્રવૃત્તિરૂપ વ્યવહાર છે; કેમ કે અવિનાનથી=સર્વ સંમતપણાથી, પ્રવૃત્તિ છે અને પરસ્પર ભિન્ન=પૃથ>, વ્યવહાર છે, દિ=જે કારણથી, પિતાનો વ્યવહાર અવ્ય છે અને પુત્રાદિનો વ્યવહાર અન્ય છે, કયા કારણથી ?=કયા કારણથી પરસ્પર પૃથર્ વ્યવહાર છે? એથી કહે છે – તે પ્રકારથી પરસ્પર ભિન્નપણાથી, પ્રતીતિ હોવાને કારણે=સર્વત્ર સર્વદા સર્વ જીવો વડે બોધ કરાતો હોવાથી પરસ્પર ભિન્ન વ્યવહાર છે એમ અવય છે, અને તેના તત્વનું કારણ છે=પિતા આદિપણાથી વ્યવહરણીય એવા તેના તત્વનું અર્થાત્ પિતા આદિ રૂપપણાનું કારણ છે જેને તે તેવો છે=તત્ તત્વ નિબંધનવાળો છે, “રકાર ઉક્તના સમુચ્ચયમાં છે, આ પણ=તત્ તત્વ તિબંધન વ્યવહાર પણ, શેનાથી ? એથી કહે છે – આ જ હેતુથી તેવા પ્રકારની પ્રતીતિરૂપ જ હેતુથી, આ વ્યવહાર છે એમ અવય છે અને સમ્યફ પ્રતીતિ=સેવા પ્રકારના વ્યવહારની સમ્યફ પ્રતીતિ, અપ્રમાણ નથી; કેમ કે સર્વત્ર અનાભાસનો પ્રસંગ છે=પિતા આદિના વ્યવહારને અપ્રમાણ સ્વીકારીએ તો પોતે વિદ્યમાન છે, ઘટ-પટાદિ વિદ્યમાન છે તે સર્વ પ્રકારની પ્રતીતિઓમાં પણ અવિશ્વાસનો પ્રસંગ આવે અર્થાત્ જેમ પિતાદિ વ્યવહારો કાલ્પનિક છે વાસ્તવિક નથી તેમ પોતાના અસ્તિત્વનો પણ કે ઘટાદિના અસ્તિત્વનો પણ વ્યવહાર કાલ્પનિક છે તેમ માનવાનો પ્રસંગ આવે. ભાવાર્થ : પૂર્વમાં ભગવાનની ૯ સંપદા બતાવી, તેનાથી સિદ્ધ થાય છે કે ભગવાન દ્રવ્યરૂપે એક છે અને પર્યાયરૂપે અનેક સ્વભાવવાળા છે, તેથી એક-અનેક સ્વભાવવાળા ભગવાનરૂપ વસ્તુ સાથે સંબંધવાળો ૯ સંપદાનો વિસ્તાર છે, એ પ્રકારે સમ્યગુ આલોચન કરવું જોઈએ અને જો બૌદ્ધ દર્શનની એકાંત માન્યતા સ્થિર હોય તો એ જ દેખાય કે ભગવાનરૂપ વસ્તુ એક છે, આ અનેક સ્વભાવો કલ્પનામાત્ર છે; કેમ કે બૌદ્ધમત પ્રમાણે સ્વભાવના ભેદથી વસ્તુનો ભેદ થાય છે, જેમ ઘટ કરતાં પટ પોતાના સ્વભાવના ભેદથી ભિન્ન છે, તેથી એક વસ્તુમાં અનેક સ્વભાવો સ્વીકારવામાં આવે તો તે અનેક સ્વભાવને કારણે તે વસ્તુને એક સ્વીકારી શકાય નહિ, અને તેમ સ્વીકારીએ તો ભગવાનનું એક-અનેક સ્વભાવપણું નથી તેમ માનવું પડે અને બૌદ્ધ દર્શન સ્વીકારે છે તેમ સ્વીકારીએ તો ભગવાન ભગવાનરૂપે એક જ છે અને આ સંપદાઓ કલ્પનામાત્ર છે તેમ Page #249 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા ભાગ-૨ ૨૭ માનવું પડે અને આ સંપદાઓ ભગવાનમાં વાસ્તવિક ન હોય તો તે સંપદાથી ભગવાનની સ્તુતિ કરવામાં આવે તો સ્તુતિ કરનારને ફલની પ્રાપ્તિ થાય નહિ; કેમ કે ભગવાન એક છે અનેક નથી માટે ભગવાનમાં તેવા ગુણો નથી, અને ભગવાનમાં તેવા ગુણો ન હોય છતાં તે ગુણોથી ભગવાનની સ્તુતિ કરવામાં આવે તો તે સ્તુતિ મિથ્યા સ્તવરૂપ છે, માટે સમ્યક્ સ્તવથી સાધ્ય એવા નિર્જરારૂપ અને પુણ્યબંધરૂપ ફલ તે સ્તુતિથી થાય નહિ, પરંતુ તેવું નથી; કેમ કે ગણધરોએ આ નમ્રુત્યુણં સૂત્રની રચના કરી છે અને તેઓ સફળ આરંભ કરે તેવા મહાપુરુષ છે, તેથી જો ભગવાનમાં તેવા ગુણોરૂપ અનેક સ્વભાવ ન હોય તો ગણધરો તેવા સ્વરૂપે ભગવાનની સ્તુતિ કરે નહિ. તેથી એ ફલિત થાય કે વસ્તુને યથાર્થ જોનારા અને ભગવાનની સ્તુતિ કરીને પોતાનો પ્રયત્ન સફળ કરનારા ગણધરોએ આ ૯ સંપદાથી બદ્ધ ચૈત્યવંદન સૂત્ર રચ્યું છે, તેથી ભગવાનરૂપ વસ્તુ ચિત્ર સ્વરૂપવાળી છે તેમ સિદ્ધ થાય છે, આ રીતે આગમના પ્રમાણથી ભગવાન એક-અનેક સ્વભાવવાળા છે તેમ બતાવ્યા પછી અનુમાન પ્રમાણથી ભગવાન એક-અનેક સ્વભાવવાળા છે તે બતાવવા માટે કહે છે ભગવાનરૂપ વસ્તુ પક્ષ છે અને તે પક્ષમાં એક-અનેક સ્વભાવપણું સાધ્ય છે અને વસ્તુ અંતરના સંબંધથી આવિર્ભૂત અનેક સંબંધિરૂપપણું હેતુ છે અને તેમાં બે દૃષ્ટાંત છે ૧. એક જ પુરુષ કોઈકના સંબંધથી પિતા, કોઈકના સંબંધથી પુત્ર, કોઈકના સંબંધથી ભાઈ, કોઈકના સંબંધથી ભાણેજ આદિ કહેવાય છે. ૨. એક જ ઘટમાં આ ઘટ કોઈક ઘટની અપેક્ષાએ પૂર્વમાં નિર્માણ થયો છે, વળી, આ જ ઘટ કોઈક અન્ય ઘટની અપેક્ષાએ પછી નિર્માણ થયો છે, વળી, આ જ ઘટ અન્ય ઘટથી અંતરિત રહેલો છે અને આ જ ઘટ પહેલા ઘટથી અનંતરિત છે ઇત્યાદિ પંદર વિકલ્પો અને અપેક્ષાએ અન્ય પણ વિકલ્પો એક ઘટમાં પ્રાપ્ત થાય છે, તેથી તે તે પ્રકારના સંબંધને કારણે એક જ ઘટ ઘટરૂપે એક હોવા છતાં તે તે સંબંધને કારણે અનેક સ્વરૂપવાળો છે અને એક જ પુરુષ પુરુષરૂપે એક હોવા છતાં પિતા-પુત્ર આદિ સંબંધોને કારણે અનેકરૂપવાળો છે, તેમ ભગવાન પણ દ્રવ્યરૂપે એક છે, તોપણ તે તે સંપદાઓરૂપ સંબંધને કારણે અનેક સ્વરૂપવાળા છે, આથી જ ભગવાનરૂપ વસ્તુમાં તીર્થંકરત્વરૂપ ધર્મથી ભગવાન જુદા છે અને ભગવત્ત્વરૂપ ધર્મથી ભગવાન જુદા છે, આંતરશત્રુનો નાશ કરનારા હોવાથી અરિહંતત્વરૂપ ધર્મથી જુદા છે, તેથી ભગવાનરૂપ વસ્તુ જગતવર્તી દરેક વસ્તુ વસ્તુરૂપે એક હોવા છતાં તેમાં વર્તતાં પર્યાય સ્વભાવથી અનેકરૂપ પણ છે, આ પ્રકારે અનુમાનથી એક-અનેક સ્વભાવરૂપ વસ્તુને સ્વીકારવા દ્વારા સ્યાદ્વાદની સિદ્ધિ કરી, હવે અનુભવથી પણ સ્યાદ્વાદની સિદ્ધિ બતાવતાં કહે છે - - સર્વ લોકમાં સિદ્ધ પિતાદિનો વ્યવહાર છે અર્થાત્ કોઈ એક પુરુષ કોઈકના પિતા છે, કોઈકનો પુત્ર છે, કોઈકનો ભાઈ છે એ વ્યવહાર સકલ શિષ્ટ લોકમાં પ્રસિદ્ધ છે અને એક જ પુરુષને પિતા-પુત્ર-ભાઈ આદિથી જે કહેવાય છે તે પરસ્પર ભિન્ન વ્યવહાર છે; કેમ કે તે રીતે જ પ્રતીતિ થાય છે અર્થાત્ પિતા શબ્દથી જે પ્રકારની પ્રતીતિ થાય છે તેના કરતાં ભાઈ શબ્દથી ભિન્ન પ્રકારની પ્રતીતિ થાય છે, માટે પરસ્પર પિતા-પુત્ર એ ભિન્ન ભિન્ન પ્રતીતિઓ છે અને આ પ્રતીતિ તેના તત્ત્વના કારણે જ થાય છે અર્થાત્ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભગવાનરૂપ વના એક-અનેક સ્વભાવતની સિદ્ધિ એક પુરુષમાં તે પ્રકારનો ભિન્ન ભિન્ન સંબંધ વિદ્યમાન છે, તેના કારણે જ થાય છે, પરંતુ કલ્પનામાત્રથી ભિન્ન ભિન્ન વ્યવહાર થતો નથી; કેમ કે તે પ્રકારની પ્રતીતિને કારણે જ તે તે પ્રકારનો ભિન્ન વ્યવહાર થાય છે, માટે પોતાના અનુભવથી પણ સ્વીકારવું જોઈએ કે એક જ પુરુષ પુરુષરૂપે એક હોવા છતાં ભિન્ન ભિન્ન સંબંધથી ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે, માટે તે પ્રતીતિ અનુસાર એક વસ્તુને અનેક સ્વભાવવાળી પણ સ્વીકારવી જોઈએ અને પોતાને એક પુરુષરૂપ વ્યક્તિમાં ભિન્ન ભિન્ન સંબંધથી સમ્યફ પ્રતીતિ થતી હોવા છતાં તેને અપ્રમાણરૂપે સ્વીકારવામાં આવે તો વિચારકને પ્રશ્ન થાય કે હું છું એ પ્રકારની પ્રતીતિ પણ વાસ્તવિક છે કે કાલ્પનિક છે, અને આ રીતે વિકલ્પો કરવામાં આવે તો સર્વત્ર અવિશ્વાસ જ થાય, તેથી પ્રતીતિ અનુસાર પદાર્થની કલ્પના કરવી જોઈએ અને એક પુરુષ પુરુષરૂપે એક પ્રતીત થાય છે અને પિતાપુત્ર આદિરૂપે અનેક પ્રતીત થાય છે, તેમ સર્વત્ર પ્રતીતિ અનુસાર વસ્તુને એક-અનેક સ્વભાવવાળી સ્વીકારવી જોઈએ, જેથી અનેકાંતની સિદ્ધિ થાય. લલિતવિસ્તરા :___ 'वासनाभेदादेवायमित्ययुक्तं, तासामपि तनिबन्धनत्वात्, 'नैकस्वभावादेव ततस्ता इति' रूपाद् રવિવારના પત્તર ! લલિતવિસ્તરાર્થ : વાસનાના ભેદથી જ આ=એક પુરુષરૂપ વસ્તુમાં પિતા-પુત્રાદિનો વ્યવહાર છે એ, અયુક્ત છે; કેમકે તેનું પણ=વાસનાઓનું પણ, તદ્ નિબંધનપણું છે=વ્યવહારના વિષયભૂત વસ્તુના આશ્રયપણું છે, એક સ્વભાવવાળી જ તેનાથી=એક સ્વભાવવાળી જ વ્યવહારના વિષયભૂત વસ્તુથી, તે= પિતાદિની વાસના, નથી; કેમ કે રૂપથી રસાદિ વાસનાની આપત્તિ છે. પંજિકા : अत्रैव पराकूतं निरस्यवाहवासनाभेदादेव-व्यवहर्तृवासनावैचित्र्यादेव, न पुनश्चित्रैकस्वभावत्वाद्वस्तुनः, अयं=पितृपुत्रादिव्यवहारो दृष्टान्ततयोपन्यस्तः, इति-एतत्सुगतशिष्यमतम्, अयुक्तम्-असङ्गतम्, ते हि निरंशैकस्वभावं प्रतिक्षणभगवृत्ति वस्तु प्रतिपन्नाः, इति न तदालम्बनोऽयमेकस्मिन्नपि स्थिरानेकस्वभावसमर्पकः पितृपुत्रादिव्यवहारः, किन्तु प्रतिनियतव्यवहारार्थिकुशलकल्पितसंकेताहितविचित्रवासनापरिपाकतः कल्पितकथाव्यवहारवद् असद्विषय एव प्रवर्त्तते इति, कुतोऽयुक्तत्वमित्याह- तासामपि वासनानां, न केवलं व्यवहारस्य, तनिबन्धनत्वाद्= व्यवहियमाणवस्तुनिबन्धनत्वाद्, अतन्निबन्धनत्वे 'नित्यं सत्त्वमसत्त्वं वेत्यादिप्रसङ्गात्, एवमपि किमित्याहनैकस्वभावादेव-नैकान्तकरूपादेव, ततो व्यवहारविषयवस्तुनः, ताः पित्रादिवासना इति। विपर्यये बाधकमाहरूपात्=कृष्णनीलादेर्वर्णात्, रसादिवासनापत्तेः=रसस्पर्शादिविचित्रवासनापत्तेः, एकस्वभावादपि परैरेवानेकवासनाभ्युपगमात् । Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પંજિકાર્થ ઃ अत्रैव पराकूतं વાસનાયુપામાન્ ।। આમાં જવસ્તુ એક-અનેક સ્વભાવવાળી નથી પરંતુ પ્રતીતિ અનુસાર એક જ છે એમાં જ, પરાકૃતને=બૌદ્ધમતના આશયને, નિરાસ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - લલિતવિસ્તરા ભાગ-૨ વાસનાના ભેદથી જ=વ્યવહાર કરનારા પુરુષોની વાસનાના વૈચિત્ર્યથી જ, આ=દૃષ્ટાંતપણાથી ઉપન્યાસ કરાયેલ પિતા-પુત્ર આદિ વ્યવહાર છે, પરંતુ વસ્તુના ચિત્ર એકસ્વભાવપણાથી નથી એ સુગત શિષ્યોનો મત અયુક્ત છે=અસંગત છે. સુગત શિષ્યનો મત સ્પષ્ટ કરે છે - તેઓ=બૌદ્ધ દર્શનવાદીઓ, નિરંશ એક સ્વભાવવાળી પ્રતિક્ષણ નાશ પામનાર વસ્તુને સ્વીકારનારા છે, એથી તેના આલંબનવાળો=તિરંશ એક સ્વભાવવાળી વસ્તુના આલંબનવાળો, એક પણ વસ્તુમાં આ સ્થિર અનેક સ્વભાવનો સમર્પક પિતા-પુત્ર આદિનો વ્યવહાર નથી, પરંતુ પ્રતિનિયત વ્યવહારના અર્થી એવા કુશલ પુરુષો વડે કલ્પિત સંકેતથી આહિત વિચિત્ર વાસનાના પરિપાકથી=આનો પિતા છે આનો પુત્ર છે ઈત્યાદિ કલ્પિત સંકેતથી આધાન થયેલ વિચિત્ર વાસનાના પરિપાકથી, કલ્પિત કથાના વ્યવહારની જેમ અસદ્ વિષયમાં જ પ્રવર્તે છે અને તેઓનો મત અયુક્ત છે એમ પૂર્વમાં કહ્યું, તેથી હવે કયા કારણથી અયુક્ત છે ? એથી કહે છે તેઓનું પણ=વાસનાઓનું પણ, ત ્ નિબંધનપણું હોવાથી=વ્યવહાર કરાતી વસ્તુને આશ્રિતપણું હોવાથી, તેઓનું કથન અયુક્ત છે એમ અન્વય છે, કેવલ વ્યવહારનું ત ્ નિબંધનપણું નથી, પરંતુ વાસનાનું પણ તદ્ નિબંધનપણું છે એમ અન્વય છે, અદ્નિબંધનપણું હોતે છતે=વાસના વ્યવહાર કરાતી વસ્તુને આશ્રયીને ન હોય તો, નિત્ય સત્ત્વ અથવા નિત્ય અસત્ત્વ ઇત્યાદિનો પ્રસંગ છે=જે વસ્તુનો પિતા-પુત્ર આદિ વ્યવહાર થાય છે તે વસ્તુ નિબંધન ન હોય તો તેમાં સદા પિતા-પુત્ર આદિનો વ્યવહાર થવો જોઈએ, વસ્તુતઃ જ્યાં સુધી તે પુરુષ પિતા થતો નથી ત્યાં સુધી તે પુરુષમાં પિતા તરીકેનો વ્યવહાર થતો નથી તે સંગત થાય નહિ, આ રીતે પણ શું ?=આ રીતે કહેવાથી પણ શું પ્રાપ્ત થાય ? એને કહે છે એક સ્વભાવવાળી જ તેનાથી=એકાંતરૂપવાળી જ વ્યવહારના વિષયભૂત વસ્તુથી, તે=પિતા આદિની વાસના, નથી, વિપર્યયમાં=એકાંત એકરૂપવાળી વસ્તુથી પિતા આદિ વાસનાના સ્વીકારરૂપ વિપર્યયમાં, બાધકને કહે છે રૂપથી=કૃષ્ણ-નીલાદિ વર્ણથી, રસ આદિ વાસનાની આપત્તિ હોવાથી=રસ-સ્પર્શાદિ વિચિત્ર વાસનાની આપત્તિ હોવાથી, વિપર્યયમાં બાધક છે એમ અન્વય છે; કેમ કે એક સ્વભાવથી પણ પર વડે જ=બૌદ્ધ વડે જ, અનેક વાસનાનો સ્વીકાર છે. ન તે - - - ભાવાર્થ: પૂર્વમાં ગ્રંથકારશ્રીએ અનુમાન પ્રમાણથી સ્થાપન કર્યું કે વસ્તુમાં એક અને અનેક સ્વભાવપણું છે અને તેમાં દૃષ્ટાંત આપ્યું કે કોઈ એક જ પુરુષમાં પિતૃત્વ-પુત્રત્વ આદિ સંબંધોને કારણે પિતા-પુત્ર આદિની Page #252 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ પ્રતીતિ થાય છે. ત્યાં બૌદ્ધ દર્શનવાદી કહે છે કે પુરુષરૂપ વ્યક્તિ એક છે અને તે નિરંશ એક સ્વભાવવાળી છે અને પ્રતિક્ષણ નાશ પામવાના સ્વભાવવાળી છે, તેથી આ પિતા છે, આ પુત્ર છે ઇત્યાદિ અનેક વ્યવહારો થાય છે તે કુશલ પુરુષો વડે કલ્પિત સંકેત દ્વારા આધાન થયેલ વિચિત્ર વાસનાના પરિપાકથી થાય છે, પરંતુ વસ્તુને અવલંબીને થતા નથી; કેમ કે દેવદત્તપુરુષ એક સ્વભાવવાળો છે તેમાં કોઈ અંશો નથી, તેથી વસ્તુને અવલંબીને પિતા-પુત્ર આદિનો વ્યવહાર નથી, પરંતુ વાસનાના ભેદથી જ એક પુરુષના સંતાનમાં આ મારા પિતા છે, આ મારો પુત્ર છે, એ પ્રકારનો કલ્પિત વ્યવહાર છે, માટે એક પુરુષમાં પિતા-પુત્ર આદિના વ્યવહારના બળથી વસ્તુને એક-અનેક સ્વરૂપે સ્વીકારવી ઉચિત નથી, એ પ્રકારનો બૌદ્ધનો આશય છે, તેને ગ્રંથકારશ્રી કહે છે - ૨૯ તેનું આ કથન અયુક્ત છે. કેમ અયુક્ત છે ? તેમાં હેતુ કહે છે – વાસનાઓનું પણ વસ્તુ નિબંધનપણું છે અર્થાત્ વસ્તુને અવલંબીને જ વાસના ઉત્પન્ન થાય છે, તેથી દેવદત્તરૂપ એક વ્યક્તિમાં આ મારા પિતા છે એ પ્રકા૨ની વાસના પણ દેવદત્તમાં વર્તતા પિતૃત્વધર્મને આશ્રયીને છે, આ મારો પુત્ર છે એ પ્રકારની વાસના પણ દેવદત્તમાં વર્તતા પુત્રત્વધર્મને કારણે છે, પરંતુ એક સ્વભાવવાળી જ દેવદત્તરૂપ વસ્તુથી પિતા આદિની વાસના થઈ શકે નહિ; કેમ કે જો એક સ્વભાવવાળા દેવદત્તથી જ કોઈકને આ પિતા છે, આ પુત્ર છે, ઇત્યાદિ વાસના થતી હોય તો રૂપને જોવાથી રસાદિની વાસનાની આપત્તિ આવે અર્થાત્ કોઈ વ્યક્તિએ કોઈનું રૂપ જોયું હોય, તેનાથી રૂપની જ વાસના પડે છે, તેથી પાછળથી તેને રૂપનું સ્મરણ થાય છે, રસનું સ્મરણ થતું નથી, તેથી નક્કી થાય છે કે રૂપથી જ રૂપની વાસના પડે, રસાદિની વાસના પડે નહિ, તેમ દેવદત્તરૂપ વ્યક્તિમાં વર્તતા પિતૃત્વધર્મને કારણે જ આ મારા પિતા છે, તેથી પિતાની વાસના ઉત્પન્ન થાય છે, તેથી વાસના પણ વસ્તુમાં વર્તતા સ્વભાવ નિબંધન છે, માટે દેવદત્તરૂપ વસ્તુ વ્યક્તિરૂપે એક છે અને પિતૃત્વ, પુત્રત્વ આદિ ધર્મોરૂપે અનેક છે, તેને આશ્રયીને જ આ મારા પિતા છે, આ મારો પુત્ર છે, ઇત્યાદિ વાસના ઉત્પન્ન થાય છે એમ સ્વીકારવું જોઈએ. લલિતવિસ્તરા : 'जातिभेदतो नैतदि'त्यप्युक्तं, नीलात् पीतादिवासनाप्रसङ्गात्, 'तत्तत्स्वभावत्वान्नैतदि त्यप्यसत्, वाङ्मात्रत्वेन युक्त्यनुपपत्तेः, न हि नीलवासनायाः पीतादिवत् पित्रादिवासनाया न भिन्नः पुत्रादिवासनेति निरूपणीयम् । લલિતવિસ્તરાર્થ : જાતિના ભેદને કારણે આ નથી=રૂપથી રસાદિની વાસના નથી, એ પણ અયુક્ત છે=બૌદ્ધનું કથન અયુક્ત છે; કેમ કે નીલરૂપથી પીત આદિ રૂપની વાસનાનો પ્રસંગ છે, તત્ તત્ સ્વભાવપણું હોવાથી=તે તે રૂપનું તે તે વાસનાજનક સ્વભાવપણું હોવાથી, આ નથી=નીલરૂપથી પીત આદિરૂપની વાસના નથી, એ પ્રમાણે પણ અસત્ છે=એ પ્રકારે બૌદ્ધનું સમાધાન પણ અસત્ છે; કેમ કે વાણીમાત્રપણું હોવાથી યુક્તિની અનુ૫પત્તિ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ લલિતવિસ્તરા ભાગ-૨ યુક્તિની અનુપપત્તિ સ્પષ્ટ કરે છે – નીલ વાસનાથી પીત આદિની જેમ પિતા આદિ વાસનાથી પુત્ર આદિની વાસના ભિન્ન નથી એમ નહિ, પરંતુ ભિન્ન જ છે, એ પ્રમાણે નિરૂપણ કરવું જોઈએ વિચારવું જોઈએ. પંજિકા - परिहारान्तरमाशङ्क्याह जातिभेदतो रूपरसादिजातिविभागतो, नैतत्-न रूपाद् रसादिवासनापत्तिः, अत्यन्तभिन्ना हि रूपजाते रसादिजातिः, कथमिव ततो रसादिवासनाप्रसङ्ग इति, तदप्ययुक्तं, कुत इत्याह नीला-रूपविशेषाद् रूपत्वेनाभिन्नजातीयात्, पीतादिवासनाप्रसङ्गाद्-द्रष्टुः पीतरक्तादिजातीयवासनाप्रसङ्गात्। परिहारान्तरापोहायाह- तत्तत्स्वभावत्वात्, तस्य नीलादेः, तत्स्वभावत्वात्-पीतादिवासनानां सजातीयानामप्यजननस्वभावत्वात्, नीलादिवासनाया एव जननस्वभावत्वात्, न च स्वभावः पर्यनुयोगार्हः, 'अग्निर्दहति नाकाशं, कोऽत्र पर्यनुयुज्यते' इति, न=नैव, एतत्-नीलात्पीतादिवासनाजन्मप्रसञ्जनम् इति एतदपि परिहारान्तरम्, असत् असुन्दरं, कुत इत्याह- वाङ्मात्रत्वेन-वाङ्मात्रमेवेदमिति, युक्त्यनुपपत्तेः, तामेव भावयति- न हि नीलवासनायाः सकाशात्, पीतादिवत्-पीतरक्तादिवासनावत् पित्रादिवासनाया:=पीत्रादिवासनामपेक्ष्य, न भिन्ना=न पृथक्, पुत्रादिवासना, किन्तु भिन्नैवेति, 'इति' एतद्, 'निरूपणीयं' सूक्ष्माभोगेन, यथा नीलादि दृष्टं सद् नीलादिस्ववासनामेव करोति, न भिन्नां पीतादिवासनामपि, तथैकस्वभावं वस्तु पित्रादिवासनामेकामेव कुर्यात्, न तद्व्यतिरिक्तामन्यां पुत्रादिवासनामपीति । પંજિકાર્ય : પરિહરાન્તર ... પુત્રવિવારના મવતિ | પરિહારદંતરની આશંકા કરીને કહે છેપૂર્વમાં વાસના ભેદથી પિતા-પુત્ર આદિનો વ્યવહાર છે તેમ કહ્યું તેમાં ગ્રંથકારશ્રીએ દોષ બતાવ્યો તેથી બૌદ્ધ દર્શનવાદી તેનો પરિહારદંતર બતાવે તેવી આશંકા કરીને કહે છે – જાતિના ભેદને કારણે રૂપ-રસાદિ જાતિના વિભાગને કારણે, આ નથી=રૂપથી રસાદિની વાસનાની આપત્તિ નથી, દિ=જે કારણથી, રૂપજાતિથી અત્યંત ભિન્ન રસાદિ જાતિ છે, તેથી કેવી રીતે તેનાથી=રૂપથી, રસાદિની વાસનાનો પ્રસંગ આવે ? અર્થાત્ આવે નહિ, તે પણ=બૌદ્ધતું તે પ્રકારનું સમાધાન પણ, અયુક્ત છે, કયા કારણથી અયુક્ત છે ? એથી કહે છે – નીલથી=પત્વથી અભિન્ન જાતિવાળા નીલરૂપ વિશેષથી, પીત આદિ વાસનાનો પ્રસંગ હોવાથી=દાને પીત-રક્ત આદિ જાતિની વાસનાનો પ્રસંગ હોવાથી, બોદ્ધનું કથન અયુક્ત છે એમ સંબંધ છે, પરિહારદંતરના નિરાસ માટે કહે છે=બૌદ્ધ દર્શનવાદી નીલથી પીતની વાસના કેમ થતી નથી ? તેના માટે પરિહાર બતાવે તે પરિહારદંતરના નિરાસ માટે કહે છે – તત્ તત્ સ્વભાવત્વથી આ નથી જ એમ આગળમાં અત્ય છે તે નીલાદિના તસ્વભાવપણાથી Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ અર્થાત્ સજાતીય પણ પીત આદિ વાસનાના અજનન સ્વભાવપણાથી નીલાદિ વાસનાનું જ જનત સ્વભાવપણું હોવાથી આ અર્થાત તીલથી પીત આદિ વાસનાના જન્મનો પ્રસંગ નથી જ એમ આગળમાં સંબંધ છે. નીલ રૂપનો નીલ વાસનાજનન સ્વભાવ જ કેમ છે ? એમાં બૌદ્ધ દર્શનવાદી યુક્તિ બતાવે છે – અને સ્વભાવ પ્રશ્ન કરવા યોગ્ય નથી, અગ્નિ બાળે છે, આકાશ બાળતું નથી, એમાં કોણ પ્રશ્ન કરી શકે? આ પણ પરિહારદંતર=બોદ્ધનું સમાધાન, અસત્ છે=અસુંદર છે, કયા કારણથી અસુંદર છે? એમાં હેતુ કહે છે – વાણીમાત્રપણું હોવાથી યુક્તિની અનુપપત્તિ છે–વાણીમાત્ર જ આ અર્થાત્ બૌદ્ધનું સમાધાન છે એથી યુક્તિની અનુપપતિ છે, તેને જ=નીલરૂપથી તીલની વાસના થાય છે અન્ય થતી નથી એ પ્રકારનું બૌદ્ધનું કથન વાણીમાત્ર હોવાને કારણે યુક્તિ વગરનું છે એમ પૂર્વમાં કહ્યું તે યુક્તિની અનુપપતિને જ, ભાવન કરે છે – નીલ વાસનાથી પીત આદિની જેમ=પીત-રક્ત આદિ વાસનાની જેમ, પિતા આદિની વાસનાથી–પિતા આદિની વાસનાની અપેક્ષાએ, પુત્ર આદિની વાસના ભિન્ન નથી એમ નહિ પૃથર્ નથી એમ નહિ, પરંતુ ભિન્ન જ છે, એ સૂક્ષ્મ ઉપયોગથી નિરૂપણ કરવું જોઈએ=વિચારવું જોઈએ, તે સૂક્ષ્મ ઉપયોગથી વિચારણાને “યથા'થી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે નીલાદિ જોવાયેલું છતું નીલાદિ સ્વવાસનાને જ કરે છે, ભિન્ન એવી રીત આદિ વાસનાને પણ કરતી નથી તે પ્રમાણે એક સ્વભાવવાળી વસ્તુ એક જ પિતા આદિ વાસનાને કરે, તેનાથી ભિન્ન અન્ય પુત્ર આદિ વાસનાને પણ કરે નહિ. ભાવાર્થ - પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે એક જ દેવદત્તમાં આ પિતા છે, પુત્ર છે, ઇત્યાદિ અનેક વ્યવહારો થાય છે, તેમાં વ્યવહાર કરનારને આ પિતા છે, આ પુત્ર છે, એ પ્રકારની વાસના દેવદત્તમાં રહેલ પિતૃત્વ, પુત્રવધર્મને આશ્રયીને છે અને તેમ ન સ્વીકારવામાં આવે અને બૌદ્ધ કહે છે તેમ સ્વીકારવામાં આવે તો એક દેવદત્તથી જ પિતાની વાસના, પુત્રની વાસના થઈ શકે છે તો રૂપથી રસની વાસનાની પણ આપત્તિ આવે. તેનું સમાધાન બૌદ્ધ કરે કે રૂપમાં રૂપત જાતિ છે, રસમાં રસત્વ જાતિ છે, માટે રૂપથી રસની વાસના થઈ શકે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રકારનું બૌદ્ધનું સમાધાન પણ અયુક્ત છે; કેમ કે નીલરૂપ અને પીતરૂપ એક જાતિવાળા છે, તેથી એક જાતિવાળા એવા નીલરૂપથી પીત આદિની વાસના સ્વીકારવાનો પ્રસંગ આવે, તેનું સમાધાન કરવા બૌદ્ધ કહે કે નીલરૂપનો તેવો જ સ્વભાવ છે કે નીલની જ વાસના કરે, પીતરૂપની વાસના ન કરી શકે અને આવો સ્વભાવ કેમ છે એ પ્રશ્ન થઈ શકે નહિ; કેમ કે અગ્નિ બાળે છે, આકાશ બાળતું નથી, ત્યાં કોઈ પ્રશ્ન કરી શકે નહિ કે અગ્નિ કેમ બાળે છે, આકાશ કેમ બાળતું નથી, તે રીતે નીલ સ્વભાવથી નીલની જ વાસના થાય છે, પીતની વાસના થતી નથી, આ પ્રકારનું સમાધાન બૌદ્ધ આપે છે તે સુંદર નથી; કેમ કે તે સમાધાન વાણીમાત્રથી છે, પરંતુ તેમ સ્વીકારવામાં યુક્તિની અનુપત્તિ છે અને તે યુક્તિ સ્પષ્ટ કરતાં કહે છે – નીલ વાસનાથી પીત-રક્ત આદિ વાસના ભિન્ન છે, તેમ પિતા આદિ વાસનાથી પુત્ર આદિની વાસના પણ ભિન્ન છે, તેથી જેમ નીલ વાસના અને પીત Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ લલિતવિસ્તરા ભાગ-૨ વાસના નીલરૂપ અને પીતરૂપને કારણે થાય છે, પરંતુ નીલરૂપથી જ પીતરૂપની વાસના થતી નથી, તેમ પિતૃત્વધર્મથી જ પિતાની વાસના થાય છે અને પુત્રવધર્મથી જ પુત્રની વાસના થાય છે, પરંતુ એક દેવદત્તથી પિતાપણાની કે પુત્રપણાની વાસના થતી નથી, માટે બૌદ્ધ દર્શનવાદી કહે કે નીલરૂપથી નીલની જ વાસના થાય, પીતરૂપથી પીતની જ વાસના થાય તો તેણે અર્થથી એ જ સ્વીકાર્યું કે એક દેવદત્તમાં રહેલા પિતૃત્વધર્મથી પિતાની વાસના થઈ અને પુત્રવધર્મથી પુત્રની વાસના થઈ, તેથી બૌદ્ધના સ્વીકાર અનુસાર જ પદાર્થ દેવદત્તરૂપે એક છે અને પુત્રત્વ, પિતૃત્વ આદિ ધર્મરૂપે અનેક છે, આ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક વિચારવું જોઈએ, જેથી પદાર્થ દ્રવ્યરૂપે એક છે તે તે પર્યાયરૂપે અનેક છે તે અનુભવ અનુસાર સંગત થાય. લલિતવિસ્તરા - नोपादानभेदोऽप्यत्र परिहारः, एकस्यानेकनिमित्तत्वायोगात्। લલિતવિસ્તરાર્થ: અહીં એક સ્વભાવવાળી વસ્તુમાં અનેક વ્યવહારના અસંગતપણાના પ્રશ્નમાં, ઉપાદાનભેદ પણ પરિવાર નથી–ઉત્તર નથી; કેમ કે એના અનેક નિમિતત્વનો અયોગ છે. પંજિકા : पुनराशङ्काशेषपरिहारायाह न-नैव, उपादानभेदोऽपि न केवलं व्यवहरणीयपित्रादिनिमित्तो वासनाभेदः, किन्तु व्यवहारकोपादानकारणविशेषोऽपि वासनाभेदहेतुः, अत्र-एकस्वभावे वस्तुनि अनेकव्यवहारासाङ्गत्ये प्रेरिते, परिहार:= उत्तरम्, परो हि पुत्रादेर्वासनाभेदनिमित्तत्वे प्रतिहते सति कदाचिदिदमुत्तरमभिदध्यात् यदुत-'येयमेकस्मिन्नपि देवदत्तादावनेकेषां तं प्रति पितृपुत्रादिरूपतया व्यवस्थितानां या पुत्रादिवासनाप्रवृत्तिः, सा तेषामेव स्वसन्तानगतमनस्कारलक्षणोपादानकारणभेदनिबन्धना, न व्यवहियमाणवस्तुस्वभावभेदनिमित्तेति'; एतदपि अनुत्तरमेव, कुत इत्याह- एकस्य देवदत्तादेः, अनेकनिमित्तत्वायोगात्-अनेकेषां पितृपुत्रादिव्यवहर्तृणां सहकारिभावायोगात्, ते हि तमेकं सहकारिणमासाद्य उपादानभेदेऽपि तथा सर्ववासनावन्तो भवन्ति, न च तस्य तदनुगुणतावत्स्वभावदरिद्रस्यानेकसहकारित्वं युक्तम् । પંજિકાર્ય : પુનરાશા ... સદશારિત્વે યુન્ , ફરી આશંકાશેષતા પરિવાર માટે કહે છેઃબૌદ્ધ વસ્તુને તિરંશ એક સ્વભાવવાળી સ્વીકાર કરવા માટે જે આશંકા કરે છે તે બાકી રહેલી આશંકાના પરિહાર માટે ગ્રંથકારશ્રી કહે છે – અહીં=એક સ્વભાવવાળી વસ્તુમાં, અનેક વ્યવહારનું અસાંગત્ય પ્રેરિત હોતે છતે, ઉપાદાન ભેદ પણ પરિહાર–ઉત્તર, નથી જ અર્થાત્ કેવલ વ્યવહારણીય પિતા આદિ નિમિત્તવાળો વાસનાભેદ Page #256 -------------------------------------------------------------------------- ________________ ભગવાનસ્પ વના એક-અનેક સ્વભાવવની સિદ્ધિ ૨33 નથી, પરંતુ વ્યવહાર કરનારા ઉપાદાન કારણવિશેષ પણ વાસનાભેદનો હેતુ છે એ પરિહાર–ઉત્તર, નથી જ, દિ=જે કારણથી, પર=બૌદ્ધ, પુત્ર આદિતી વાસનાભેદના નિમિતપણામાં પ્રતિહત થયે છd=નિરુતર થયે છતે, કદાચિત્ આ ઉત્તર કહે, શું કહે તે હલુરથી બતાવે છે – એક પણ દેવદત્ત આદિમાં તેના પ્રત્યેદેવદત્ત પ્રત્યે, પિતા-પુત્ર આદિરૂપપણાથી રહેલા અનેક જીવોની જે પુત્ર આદિ વાસનાની પ્રવૃત્તિ છે તે તેઓના જ અનેક જીવોના જ, સ્વસંતાનગત મનસ્કારરૂપ ઉપાદાનકારણના ભેદ તિબંધન છે, વ્યવહાર કરાતી દેવદત્તરૂપ વસ્તુના સ્વભાવના ભેદના નિમિત્તવાળી પુત્ર આદિ વાસનાની પ્રવૃત્તિ નથી, એ પણએ પ્રકારનો બૌદ્ધનો ઉત્તર પણ, અનુતર જ છે, કયા કારણથી અનુત્તર છે ? એથી કહે છે – એક દેવદત્તાદિના અનેક લિમિતત્વનો અયોગ હોવાથી–પિતા-પુત્ર આદિ વ્યવહાર કરનારા અનેકોના સહકારીભાવનો અયોગ હોવાથી બૌદ્ધનો ઉત્તર અનુત્તર જ છે, હિ=જે કારણથી, તેઓ–પિતા-પુત્ર આદિ વ્યવહાર કરનારાઓ, તે એક સહકારીને પામીને–દેવદતરૂપ એક સહકારીને પામીને, ઉપાદાનભેદ હોવા છતાં પણ તે પ્રકારની સર્વ વાસનાવાળા થાય છે આ મારા પિતા છે. આ મારો પુત્ર છે તે પ્રકારની વાસનાવાળા થાય છે, અને તેને અનુગુણ તેટલા સ્વભાવ દરિદ્ર એવા તેનું–પિતાની વાસના પુત્રની વાસના ઈત્યાદિ વાસનાને અનુગુણ તેટલા સ્વભાવ રહિત દરિદ્ર દેવદત્તનું, અનેક સહકારીપણું યુક્ત નથી. ભાવાર્થ - બૌદ્ધ દર્શનવાદી નિરંશ પ્રતિક્ષણ નશ્વર એક દેવદત્ત આદિ વસ્તુને સ્વીકારે છે, પરંતુ એક દેવદત્તરૂપ વસ્તુમાં પિતૃત્વ-પુત્રત્વ આદિ ધર્મને સ્વીકારીને દેવદત્તરૂપ વસ્તુને કથંચિત્ એક અને કથંચિત્ અનેક રૂપે સ્વીકારતો નથી અને લોકમાં આ પિતા છે, આ પુત્ર છે ઇત્યાદિ વ્યવહાર એક દેવદત્તરૂપ વસ્તુને આશ્રયીને પ્રવર્તે છે તેની સંગતિ કરવા માટે તે કહે છે કે ઉપાદાનભેદને આશ્રયીને પિતૃત્વ-પુત્રત્વાદિ વ્યવહાર પ્રવર્તે છે અર્થાત્ બૌદ્ધ દર્શનવાદી કહે છે કે એક દેવદત્તાદિ પ્રત્યે કોઈક આ મારા પિતા છે એમ કહે છે, કોઈક આ મારો પુત્ર છે એમ કહે છે તે દેવદત્ત કરતાં ભિન્ન એવા પુરુષમાં પિતાની વાસના પ્રવર્તે છે, તો કોઈ અન્ય પુરુષમાં પુત્રની વાસના પ્રવર્તે છે, તેમાં તે તે વ્યક્તિના સંતાનગત મનસ્કારરૂપ ઉપાદાનકારણના ભેદ નિબંધન છે, પરંતુ વ્યવહાર કરાતી દેવદત્તરૂપ વસ્તુમાં અનેક સ્વભાવ નિમિત્ત નથી. તેથી એ ફલિત થાય કે એક દેવદત્ત વ્યક્તિ સાથે સંબંધવાળો તેનો જે પુત્ર છે, તેના સંતાનમાં આ મારા પિતા છે એવો મનનો પરિણામ થાય છે તે દેવદત્તને પિતા કહેવાનું કારણ છે, તો વળી, કોઈ અન્ય પુરુષમાં આ મારો પુત્ર છે એ પ્રકારના મનના પરિણામરૂપ ઉપાદાનકારણ નિમિત્તક પુત્રનો વ્યવહાર છે, પરંતુ દેવદત્તરૂપ વ્યક્તિમાં પિતૃત્વ-પુત્રત્વરૂપ સ્વભાવનો ભેદ નથી, માટે નિરંશ એક દેવદત્ત છે તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી અને આ પિતા છે, આ પુત્ર છે, ઇત્યાદિ વ્યવહાર કરનારા પુરુષોના પોતાના તે તે પ્રકારના મનના પરિણામથી જ તે તે વ્યવહાર પ્રવર્તે છે. આ પ્રકારનું બૌદ્ધનું સમાધાન ઉચિત નથી; કેમ કે એક દેવદત્તરૂપ વસ્તુ હોય તો પિતૃત્વ-પુત્રત્વ આદિ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ લલિતવિસ્તરા ભાગ-૨ વ્યવહાર કરનારા અનેકનો સહકારીભાવ દેવદત્તમાં સંગત થાય નહિ અર્થાત્ દેવદત્તમાં તે તે વ્યવહારને અનુકૂળ તેટલા સ્વભાવ નહિ હોવાથી દરિદ્ર દેવદત્ત છે અર્થાત્ દેવદત્તમાં પિતૃત્વ-પુત્રત્યાદિ ધર્મો નથી, તેથી તે ધર્મોના અવલંબન વગર દેવદત્ત આ મારા પિતા છે તેમ વ્યવહાર કરનાર પુરુષમાં સહકારીભાવ પામે નહિ, જેમ દેવદત્ત જેનો પુત્ર-પિતા આદિ નથી તેને આ દેવદત્ત છે તે પ્રકારનો વ્યવહાર કરવામાં દેવદત્ત સહકારી છે, પરંતુ આ મારા પિતા છે તેમ વ્યવહાર કરવામાં સહકારી નથી, તેમ દેવદત્ત માત્ર દેવદત્તરૂપે જ હોય, પરંતુ તે તે વ્યક્તિને આશ્રયીને દેવદત્ત પિતૃત્વધર્મ આદિવાળો ન હોય તો તે તે વ્યક્તિને પિતૃત્વાદિ વ્યવહાર કરવામાં સહકારી પણ દેવદત્ત થઈ શકે નહિ અને દેવદત્ત એક હોવા છતાં તે તે સંબંધીઓને તે તે પ્રકારનો વ્યવહાર કરવામાં સહકારી થાય છે, તેથી દેવદત્તમાં તે તે પ્રકારનો વ્યવહાર કરવાના કારણીભૂત પિતૃત્વાદિ અનેક ધર્મો પણ સ્વીકારવા જોઈએ અને બૌદ્ધ તેમ સ્વીકારે તો દેવદત્ત દેવદત્તરૂપે એક છે અને પિતૃત્વાદિ ધર્મરૂપે અનેક છે તેમ સ્યાદ્વાદનો સ્વીકાર થાય. લલિતવિસ્તરા - न दर्शनादेवाविरोधः इति, अभ्युपगमविचारोपपत्तेः, न च सोऽप्येवं न विरुध्यत एव, तदेकस्वभावत्वेन विरोधात्। લલિતવિસ્તરાર્થ: દર્શનાથી જ અવિરોધ છે=પ્રસ્તુત વાસનાભેદનો અવિરોધ છે, એ પ્રમાણે નથી જ; કેમ કે સ્વીકારમાં વિચારની ઉપપત્તિ છે અને તે પણ સ્વીકાર પણ, આ રીતે એકના અનેક સહકારીત્વના સ્વીકારમાં, વિરોધ પામતા નથી જ એમ નહિ=વિરોધ પામે છે જ; કેમ કે તેના એક સ્વભાવપણાને કારણે વિરોધ છે. પંજિકા - ___ अथ स्यात् 'न हि दृष्टेऽनुपपत्रं नाम दृश्यते हि एकस्मिन्नविभागवति सहकारिणि स्वोपादानभेदादनेकवासनाप्रवृत्तिः' एतत्परिहारायाह न=नैव, दर्शनादेव प्रत्यक्षज्ञानरूपात् केवलाद् अविरोधः प्रस्तुतवासनाभेदस्य 'इति'; कुत इत्याहअभ्युपगमविचारोपपत्तेः, अभ्युपगमो हि विचारयितुमुपपन्नो, न दर्शनम्, यद्येवं ततः किमित्याह- न चनैव, सोऽपि अभ्युपगमः ‘अपिशब्दाद् दर्शनं च, एवम् एकस्यानेकसहकारित्वाभ्युपगमे न विरुध्यत एव, किन्तु विरुध्यत एव, कथमित्याह- तदेकस्वभावत्वेन-व्यवह्रियमाणवस्तुनो निरंशैकस्वभावत्वेन, विरोधाद्निराकरणाद्, अनेकसहकारित्वाभ्युपगमस्य तस्यानेकस्वभावाक्षेपकत्वात् । પંજિકાર્ચ - ગળ ચાન્ ... સ્વમાવાક્ષેપત્તાત્ | અથથી કહે છે – પૂર્વપક્ષીના મતે થાય, દષ્ટમાં ખરેખર Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ અનુપપન્ન નથી, કિજે કારણથી, એક અવિભાગવાળા સહકારીમાં=એક દેવદત્તરૂપ અવિભાગવાળા સહકારીરૂપ પુરુષમાં, સ્વઉપાદાનના ભેદથી=આ મારા પિતા છે આ મારો પુત્ર છે ઈત્યાદિ વ્યવહાર કરનારા ઉપાદાનના ભેદથી, અનેક વાસનાની પ્રવૃત્તિ દેખાય છે, એના પરિહાર માટે=આ પ્રકારના બૌદ્ધના સમાધાનના પરિહાર માટે, કહે છે – દર્શનથી જ પ્રત્યક્ષ જ્ઞાનરૂપ કેવલ દર્શનથી જ, પ્રસ્તુત વાસનાના ભેદતો અવિરોધ નથી જ, કથા કારણથી અવિરોધ નથી ? એથી કહે છે – સ્વીકારમાં વિચારની ઉપપતિ હોવાથી વિરોધ છે એમ અવય છે, દિ=જે કારણથી, અભ્યપગમ=સ્વીકાર, વિચારવા માટે ઉપપન્ન છે, દર્શન નહિ–દેવદતરૂપ એક પુરુષ છે અને તેને આશ્રયીને પિતા-પુત્રાદિ અનેક વાસવાની પ્રવૃત્તિ છે એ પ્રકારનું દર્શન વિચાર માટે ઉપપત્ર નથી, પરંતુ આ દેવદત્ત પુરુષ એક જ દેખાય છે, અનેક ધર્મવાળો નથી એ પ્રકારનો સ્વીકાર વિચારવા માટે ઉપપન્ન છે અર્થાત્ તે દેખાતો પુરુષ પરમાર્થથી એક-અનેક સ્વરૂપવાળો છે કે માત્ર એક સ્વરૂપવાળો છે એ પ્રકારનો વિચાર ઉપપન્ન છે, જો આમ છે=સ્વીકારમાં વિચારની આવશયકતા છે એમ છે, તેનાથી શું? તેનાથી શું સિદ્ધ થાય ? એથી કહે છે – તે અભ્યપગમ પણ અને આપ શબ્દથી દર્શન, આ રીતે=એક દેવદતને અનેક સહકારીપણારૂપે સ્વીકારમાં, વિરોધ નથી પામતું એમ નથી જ, પરંતુ વિરોધ પામે છે જ, કેવી રીતે વિરોધ પામે છે? એથી કહે છે – તેના એક સ્વભાવપણાને કારણે વિરોધ હોવાથી=વ્યવહાર કરાતી દેવદત્તરૂપ વસ્તુના નિરંશ એક સ્વભાવપણાને કારણે નિરાકરણ હોવાથી, વિરોધ પામે છે જ અર્થાત્ એક દેવદતનો અનેકના સહકારીરૂપે સ્વીકાર વિરોધ પામે છે જ એમ અવય છે; કેમ કે અનેક સહકારીત્વના અભ્યપગમ એવા તેનું અનેક વ્યક્તિને પિતા-પુત્રાદિ રૂપે મનસ્કાર કરવામાં સહકારીત્વના અભ્યપગમવાળા દેવદત્તનું, અનેક સ્વભાવનું આક્ષેપકપણું છે. ભાવાર્થ : પૂર્વપક્ષી બૌદ્ધ નિરંશ એક દેવદત્તને સ્વીકારીને અનેકના પિતાદિના વ્યવહારની સંગતિ માટે કહે છે કે દષ્ટ વસ્તુમાં કંઈ અઘટમાન નથી અને એક દેવદત્તરૂપ સહકારી અવિભાગરૂપે દેખાય છે, પરંતુ તેમાં પિતૃત્વ-પુત્રાદિ ધર્મના વિભાગો દેખાતા નથી, તોપણ તે તે વ્યક્તિરૂપ ઉપાદાનના ભેદથી તે તે વ્યક્તિને આ પિતા છે, આ પુત્ર છે, ઇત્યાદિ વાસનાભેદથી તે તે પ્રકારના વ્યવહારની પ્રવૃત્તિ દેખાય છે, માટે દેવદત્તરૂપ એક નિરંશ વ્યક્તિને સ્વીકારવી જોઈએ, તેના પરિવાર માટે ગ્રંથકારશ્રી કહે છે – બૌદ્ધ દર્શનવાદી કહે કે પ્રત્યક્ષ જ્ઞાનરૂપ કેવલ દર્શનથી જ પ્રસ્તુત પિતા-પુત્રાદિની વાસનાભેદનો અવિરોધ છે અર્થાત્ દેવદત્ત વ્યક્તિ એક છે એમ પ્રત્યક્ષથી દેખાય છે, અનેક દેખાતી નથી અને તે તે જીવો પોતાના જ્ઞાનના ઉપયોગથી ચિત્તાદિનો વ્યવહાર કરે છે માટે દેવદત્ત એક જ છે અનેક નથી તેમ માનવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે– એમ કહેવું ઉચિત નથી. કેમ ઉચિત નથી ? એમાં યુક્તિ બતાવતાં કહે છે– કોઈપણ વસ્તુનો સ્વીકાર કરાય ત્યારે તેમાં વિચારનો અવકાશ છે, દર્શનમાં વિચારનો અવકાશ નથી, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ લલિતવિસ્તારા ભાગ-૨ તેથી ચક્ષુથી દેવદત્તરૂપ એક વસ્તુ દેખાય છે અને તેને આશ્રયીને ભિન્ન ભિન્ન લોકોનો પિતા-પુત્રાદિનો વ્યવહાર પણ દેખાય છે, પરંતુ દર્શનથી જે દેખાય છે તેને આશ્રયીને વ્યવહાર પ્રવર્તે છે તે દેવદત્તરૂપ એક વસ્તુને જ અવલંબીને છે કે દેવદત્તરૂપ વસ્તુ એક છે અને પિતૃત્વાદિ ધર્મો તેમાં અનેક છે તેને આશ્રયીને પ્રવર્તે છે ? એ પ્રકારનો સ્વીકાર વિચારનો વિષય બને છે અને તેમ સ્વીકારવાથી શું પ્રાપ્ત થાય ? તેને કહે છે - - અને તે સ્વીકાર આ રીતે વિરોધ પામતો નથી એમ નહિ, પરંતુ વિરોધ પામે છે જ અર્થાત્ બૌદ્ધ દર્શનવાદી કહે છે કે સર્વથા નિરંશ એક દેવદત્તરૂપ વસ્તુ છે, છતાં તે અનેકનો સહકારી થઈ શકે છે તેમ સ્વીકારવામાં વિરોધ પ્રાપ્ત થાય છે જ. કેમ વિરોધ પ્રાપ્ત થાય છે ? તેને બતાવે છે – જો દેવદત્તરૂપ વસ્તુ નિરંશ એક સ્વભાવવાળી હોય તો અનેકને ભિન્ન ભિન્ન પ્રકારે બોધ કરાવવામાં તે સહકારી બને નહિ, પરંતુ બધાને આ દેવદત્ત છે તે પ્રકારે જ બોધ કરાવવામાં સહકારી બને અને દેવદત્તરૂપ એક વસ્તુ ભિન્ન ભિન્ન વ્યક્તિને આ પિતા છે, આ પુત્ર છે, ઇત્યાદિ બોધ કરાવવામાં સહકારી બને છે, તેથી દેવદત્તમાં અનેકને ભિન્ન ભિન્ન રૂપે સહકારી થવાનો સ્વભાવ છે તેમ માનવું જોઈએ અને તેમ સ્વીકારવાથી દેવદત્ત પુરુષરૂપે એક છે અને તેમાં વર્તતા પિતૃત્વાદિ ધર્મોથી અનેક છે જ અનુભવ અનુસાર સિદ્ધ થાય છે. અને તે રીતે ભગવાન પણ પુરુષરૂપે એક છે અને તે તે સંપદાઓના ગુણોથી અનેક સ્વરૂપવાળા છે, આથી જ ભગવાનમાં તે અનેક ગુણો હોવાથી તે સ્વરૂપે તેમની સ્તુતિ વાસ્તવિક સ્તુતિ બને છે અને વાસ્તવિક ગુણોની સ્તુતિ કરવાથી સ્તોતવ્યના અવલંબનથી પોતાનામાં પણ પોતાના માનસવ્યાપારને અનુરૂપ તે તે ગુણો તેટલા તેટલા અંશથી પ્રગટ થાય છે, તેથી નમુન્થુણં સૂત્રમાં કરાયેલી સ્તુતિ સફળ છે એમ સિદ્ધ થાય છે. લલિતવિસ્તરા ઃ न चैकानेकस्वभावेऽप्ययमिति, तथादर्शनोपपत्तेः, न हि पितृवासनानिमित्तस्वभावत्वमेव पुत्रवासनानिमित्तस्वभावत्वं, नीलपीतादावपि तद्भावापत्तेरिति परिभावनीयमेतत् । લલિતવિસ્તરાર્થ -- અને એક-અનેક સ્વભાવમાં પણ=દેવદત્તરૂપ એક વસ્તુના એક-અનેક સ્વભાવમાં પણ, આ=વ્યવહારનો વિરોધ, નથી જ; કેમ કે તે પ્રકારના દર્શનની ઉપપત્તિ છે, પિતાની વાસના નિમિત્ત એવું સ્વભાવપણું જ પુત્રની વાસના નિમિત્ત સ્વભાવપણું નથી જ, કેમ કે નીલપીતાદિમાં પણ તે ભાવની આપત્તિ છે=નીલ વાસનાના નિમિત્ત સ્વભાવપણું જ પિતાદિ વાસનાના નિમિત્ત સ્વભાવપણાની આપત્તિ છે, એથી એ પરિભાવન કરવું જોઈએ. પંજિકા ઃ अथानेकान्तेऽप्येकान्तपक्षदूषणप्रसङ्गपरिहारायाह Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ न च नैव एकानेकस्वभावेऽपि अनेकान्तरूपे, एकान्तरूपे विरोध एवेति अपि'शब्दार्थः, अयमिति व्यवहारविरोध इति, कुत इत्याह- तथादर्शनोपपत्तेः यथा वस्त्वभ्युपगतं तथादर्शनेन व्यवहारस्य उपपत्तेः= घटनात्, तामेवाह- न हि पितृवासनानिमित्तस्वभावत्वमेव, एकानेकस्वभावे वस्तुनि, पुत्रवासनानिमित्तस्वभावत्वं, स्वभाववैचित्र्यादारिद्र्यात् । विपक्षे बाधामाह- नीलपीतादावपि विषये, तद्भावापत्तेः नीलवासनानिमित्तस्वभावत्वमेव पीतादिवासनानिमित्तस्वभावत्वमित्याद्यापत्तेः इति, भावनीयं परिभावनीयम् एतत्, यदुत- 'एकमेव' वस्तु विचित्रवासनावशेन विचित्रव्यवहारप्रवृत्तिहेतुरिति' न भवतीत्यर्थः; अन्यथा तत एव सर्वव्यवहारसिद्धेः किं जगद्वैचित्र्याभ्युपगमेन? પંજિકાર્ય : અથાને ને ...... વિષ્ણુનેન? હવે અનેકાંતમાં પણ એકાંત પક્ષના દૂષણના પ્રસંગના પરિહાર માટે કહે છે=એકાંત પક્ષમાં જે પૂર્વમાં દૂષણ આપ્યું તે દૂષણનો પ્રસંગ અનેકાંત પક્ષમાં પણ છે, એ પ્રકારની શંકાના પરિહાર માટે કહે છે – એક-અનેક સ્વભાવમાં પણ અનેકાંતરૂપ સ્વભાવમાં પણ, આ=વ્યવહારનો વિરોધ, નથી જ, એકાંતરૂપમાં વિરોધ જ છે એ જ શબ્દનો અર્થ છે, કયા કારણથી=એક-અનેક સ્વભાવમાં કયા કારણથી વ્યવહારનો વિરોધ નથી ? એથી કહે છે - તે પ્રકારના દર્શનની ઉપપતિ હોવાથી=જે પ્રમાણે દેવદત્તરૂપ વસ્તુ એક-અનેકરૂપે સ્વીકારાઈ તે પ્રકારના દર્શન વડે વ્યવહારનું ઘટત હોવાથી, આ દેવદત્ત કોઈકનો પિતા છે, કોઈકનો પુત્ર છે, ઈત્યાદિ વ્યવહારનો વિરોધ નથી એમ અવય છે, તેને જ તે પ્રકારના દર્શનથી વ્યવહારની ઉપપત્તિ છે એમ પૂર્વમાં કહ્યું તેને જ. કહે છે – પિતૃવાસના નિમિત સ્વભાવપણું જ એક-અનેક સ્વભાવવાળી વસ્તુમાં પુત્રની વાસના નિમિત્ત સ્વભાવપણું નથી; કેમ કે સ્વભાવના વચિત્યનું અદરિદ્રપણું છે=એકાંતવાદી સ્વભાવના વચિત્રને સ્વીકારવામાં દરિદ્રપણું છે તેવું સ્વભાવના ચિત્રને સ્વીકારવામાં દરિદ્રપણું સ્યાદ્વાદીકા મતમાં નથી. વિપક્ષમાં બાધાને કહે છે એકાંતવાદી બૌદ્ધની જેમ પિતૃવાસના નિમિત્ત સ્વભાવત્વ જ પુત્રવાસના નિમિત સ્વભાવત્વ છે એમ સ્વીકારરૂપ વિપક્ષમાં, બાધાને કહે છે – નીલ-પીતાદિ વિષયમાં પણ તર્ભાવતી આપત્તિ હોવાથી=નીલ વાસવા નિમિત સ્વભાવત્વ જ પીતાદિ વાસના નિમિત્ત સ્વભાવત્વ છે ઈત્યાદિ આપત્તિ હોવાથી, પિતૃવાસના નિમિત સ્વભાવત્વ જ પુત્રવાસના નિમિત્ત સ્વભાવત્વ નથી એમ અવય છે, આ પરિભાવન કરવું જોઈએ, આ શું તે ઉતથી સ્પષ્ટ કરે છે – એક જ વસ્તુ વિચિત્ર વાસનાના વશથી વિચિત્ર વ્યવહારની પ્રવૃત્તિનો હેતુ છે એ નથી, એ પ્રકારનો અર્થ છે=ણતત્ શબ્દનો અર્થ છે અને એ પરિભાવન કરવું જોઈએ એમ અવય છે, અન્યથા–એક જ વસ્તુ વિચિત્ર વ્યવહારની પ્રવૃત્તિનો હેતુ નથી એમ ન સ્વીકારવામાં આવે તો, તેનાથી જ=એક વસ્તુથી જ, સર્વ વ્યવહારની સિદ્ધિ હોવાથી જગતના વૈચિત્રતા સ્વીકાર વડે શું? અર્થાત જગતનું વિચિત્ર નથી. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ લલિતવિક્તા ભાગ-૨ પરંતુ એક વસ્તુરૂપ જ જગત છે અને તેના બળથી જ જગતમાં આ ઘટ છે, આ પટ છે ઈત્યાદિ સર્વ વ્યવહારની સિદ્ધિ થઈ શકે છે, તેમ માનવું પડે. ભાવાર્થ - પૂર્વમાં એકાંત પક્ષમાં એક દેવદત્તમાં પિતા-પુત્રાદિ વ્યવહાર સંગત નથી તેમ બતાવ્યું, હવે દેવદત્તને દેવદત્તરૂપે એક અને પિતૃત્વ-પુત્રત્યાદિ ધર્મરૂપે અનેક સ્વભાવવાળો સ્વીકારવામાં વ્યવહારનો વિરોધ નથી તેમ બતાવે છે; કેમ કે દેવદત્ત દેવદત્તરૂપે એકરૂપ દેખાય છે અને પિતૃત્વ-પુત્રત્વ આદિ ધર્મરૂપે અનેક દેખાય છે, તેથી તે પ્રકારના દર્શનને કારણે લોકમાં આ દેવદત્ત આનો પિતા છે, આનો પુત્ર છે, ઇત્યાદિ વ્યવહાર ઘટે છે, કેમ ઘટે છે ? તેને સ્પષ્ટ કરે છે – - દેવદત્તમાં એક-અનેક સ્વભાવ હોવાને કારણે પિતૃવાસના નિમિત્ત સ્વભાવત્વ જ પુત્રવાસના નિમિત્ત સ્વભાવત્વ નથી; કેમ કે સ્યાદ્વાદી સ્વભાવનું વૈચિત્ર્ય સ્વીકારવામાં અદરિદ્ર છે, વળી, તેમ ન સ્વીકારવામાં આવે તો શું દોષ આવે તે બતાવીને પિતૃવાસના નિમિત્ત સ્વભાવત્વ જ પુત્રવાસના નિમિત્ત સ્વભાવત્વ નથી તેને દઢ કરે છે – જો પિતૃવાસના નિમિત્ત સ્વભાવત્વ જ પુત્રવાસના નિમિત્ત સ્વભાવત્વ છે તેમ માનવામાં આવે તો નીલપીતાદિમાં પણ તે પ્રકારના ભાવની પ્રાપ્તિ થાય અર્થાત્ નીલવાસના નિમિત્ત સ્વભાવત્વ જ પીતાદિ વાસના નિમિત્ત સ્વભાવત્વ છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે અને તે સ્વીકાર અનુભવ વિરુદ્ધ છે એ પ્રકારે પરિભાવન કરવું જોઈએ, એ કથનને જ સ્પષ્ટ કરતાં કહે છે – એક જ વસ્તુ વિચિત્ર વાસનાના વશથી વિચિત્ર વ્યવહારની પ્રવૃત્તિનો હેતુ નથી, પરંતુ વસ્તુમાં રહેલા વિચિત્ર સ્વભાવના વશથી જ વિચિત્ર વ્યવહારની પ્રવૃત્તિ થાય છે એમ ન માનવામાં આવે તો એક દેવદત્તરૂપ વસ્તુથી જેમ વિચિત્ર વાસનાના વશથી આ પિતા છે, આ પુત્ર છે એ પ્રકારના વ્યવહારને સ્વીકારવામાં આવે તો જગત એક વસ્તુ સ્વરૂપ છે, અનેક વસ્તુ સ્વરૂપ નથી તેમ સ્વીકારીને જીવમાં વર્તતી વિચિત્ર વાસનાના વશથી આ ઘટ છે, આ પટ છે, આ જીવ છે, આ અજીવ છે, ઇત્યાદિ વ્યવહાર પ્રવર્તે છે તેમ માનવાની આપત્તિ આવે અને તેમ સ્વીકારીએ તો જગતમાં દેખાતું વચિત્ર વસ્તુના વચિત્રકૃત નથી, પરંતુ જોનાર પુરુષની વાસનાના વૈચિત્ર્યત છે તેમ કુત્સિત કલ્પના કરવાની આપત્તિ આવે, માટે દેવદત્ત દેવદત્તરૂપે એક છે અને પિતૃત્વ-પુત્રત્વ આદિ ધર્મરૂપે અનેક છે તેમ જ અનુભવ અનુસાર સ્વીકારવું જોઈએ અને જગત પણ સત્ સ્વરૂપે એક છે અને સત્ એવું જગત જ જીવ અજીવ આદિ સ્વરૂપે અનેક છે તેમ અનુભવ અનુસાર સ્યાદ્વાદને સ્વીકારવો જોઈએ અને તે રીતે ભગવાન પણ પુરુષરૂપે એક છે અને અહંન્દ્રાદિ ધર્મ સ્વરૂપે અનેક છે તેમ સ્વીકારવું જોઈએ. લલિતવિસ્તરા : एवं उभयथापि उपादाननिमित्तभेदेन न सर्वथैकस्वभावादेकतोऽनेकफलोदयः केषाञ्चिदहेतुकत्वापत्तेः, एकस्यैकत्रोपयोगेनापरत्राभावात् । Page #262 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ લલિતવિસ્તરાર્થ : આ રીતે=પૂર્વમાં કહ્યું કે અનેકાંતવાદના મતે એક-અનેક સ્વભાવનો સ્વીકાર હોવાથી દેવદત્તરૂપ એક વસ્તુમાં પિતા-પુત્રાદિના વ્યવહારનો વિરોધ નથી એ રીતે, ઉભયથા પણ ઉપાદાનના અને નિમિત્તના ભેદ વડે અનેક ફ્લનો ઉદય સર્વથા એક સ્વભાવવાળી એક વસ્તુથી નથી; કેમ કે કેટલાકના=કેટલાક ફલના, અહેતુકત્વની આપત્તિ છે. કેમ કેટલાંક ફલો હેતુ વગર છે એમ સ્વીકારવાની આપત્તિ છે ? તેમાં હેતુ કહે છે પંજિકા ઃ એકનો=એક હેતુનો, એકત્ર ઉપયોગ હોવાને કારણે=એક ફ્લમાં ઉપયોગ હોવાને કારણે, અપરસ્ત્ર=બીજા ફ્લુમાં, અભાવ છે=ઉપયોગનો અભાવ છે. प्रकृतसिद्धिमाह - ૨૩૯ - છે एवम्= उक्तनीत्या, उभयथापि = प्रकारद्वयेनापि, तदेवाह - उपादाननिमित्तभेदेन - उपादानभेदेन निमित्तभेदेन ચ, ન=નેવ, સર્વથે સ્વમાવત:=ાત્તેસ્વમાવાત્, ત:=સ્માહેતો:, અને જોવઃ, અનેT= દિવામુખિ રૂપસ્ય, પાસ્ય=ાર્વસ્થ, (૩૧:)=પ્રભવઃ, થથા પરે: પરિ—તે, તેષાં ત્તિ જિન, ‘રૂપાનોજमनस्कारचक्षुर्लक्षणा रूपविज्ञानजननसामग्री; यथोक्तं- 'रूपालोकमनस्कारचक्षुर्भ्यः संप्रवर्त्तते । विज्ञानं मणिसूर्यांशुगोसकृद्भ्य इवानलः ' । । १ । । इति । अत्र च रूपविज्ञानजनने प्राच्यज्ञानक्षणलक्षणो मनस्कार उपादानहेतुरिति शेषाश्च रूपादित्रितयलक्षणा निमित्तहेतवः, एवं रूपालोकचक्षुषामपि स्वस्वप्राच्यक्षणाः स्वस्वकार्यजनने उपादानहेतवः, शेषत्रितयं च निमित्तहेतुरिति एवमेकस्मादेकस्वभावादेव वस्तुनोऽन्येनान्येनोपादानहेतुना अन्यैश्चान्यैश्च निमित्तहेतुभिः सहायैरनेककार्योदय: सर्वसामग्रीषु योज्यत इति, एतन्निषेधानभ्युपगमे बाधकमाह- 'केषामित्यादि, एकतोऽनेकफलोदये केषाञ्चित् फलानाम्, अहेतुकत्वापत्तेः = निर्हेतुकत्वापत्तेः, कथमित्याह- एकस्य हेतुस्वभावस्य, एकत्र फले, उपयोगेन = व्यापारेण, अपरत्र फलान्तरे, अभावात् उपयोगस्य । પંજિકાર્થ : प्रकृतसिद्धिमाह કયોાસ્ય ।। પ્રકૃત સિદ્ધિને કહે છે=પૂર્વમાં એક નિરંશ દેવદત્તને સ્વીકારવાથી પિતૃત્વ-પુત્રત્વ આદિનો વ્યવહાર સંગત નથી તેમ સ્થાપન કર્યું ત્યારપછી એક દેવદત્તને એક-અનેક સ્વભાવવાળો સ્વીકારવાથી તે વ્યવહાર સંગત છે તેમ સ્થાપન કર્યું તેનાથી પ્રકૃતની સિદ્ધિ થાય છે તેને બતાવે છે – આ રીતે=ઉક્ત નીતિથી, ઉભયથા પણ=પ્રકારદ્વયથી પણ, તેને જ કહે છે=પ્રકારયને જ કહે ઉપાદાન અને નિમિત્તના ભેદથી=ઉપાદાનના ભેદથી અને નિમિત્તના ભેદથી, સર્વથા એક સ્વભાવવાળા એકથી અનેક લનો ઉદય=એકાંત એક સ્વભાવવાળા એક જ હેતુથી આલોક પરલોકરૂપ - Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ લલિતવિસ્તરા ભાગ-૨ કાર્યનો પ્રસવ, નથી જ, જે પ્રમાણે પર એવા બૌદ્ધ વડે કલ્પના કરાય છે. પર એવા બૌદ્ધનો મત જ સ્પષ્ટ કરે છે – તેઓની=બોદ્ધ મતની, ખરેખર રૂપઆલોક મનસ્કાર અને ચક્ષુલક્ષણ રૂપવિજ્ઞાનના જતનની સામગ્રી છે અર્થાત્ રૂપનું જ્ઞાન થવામાં રૂ૫, પ્રકાશ, મન અને ચક્ષુ કારણ છે, જે પ્રમાણે કહેવાયું છેઃ બૌદ્ધ દર્શાવાદી વડે કહેવાયું છે – રૂપ, પ્રકાશ મનસ્કાર અને ચક્ષથી વિજ્ઞાન પ્રવર્તે છે, જેમ મણિ, સૂર્યનાં કિરણો અને ગોબરથી અગ્નિ પ્રવર્તે છે, અને અહીં રૂપવિજ્ઞાનના જનનમાં પૂર્વની જ્ઞાનક્ષણરૂપ મનસ્કાર ઉપાદાન હેતુ છે=રૂપવિજ્ઞાન થાય છે તેના પૂર્વની ક્ષણવાળું જે મન છે તે જ ઉત્તરની ક્ષણના રૂપના જ્ઞાનનું ઉપાદાન કારણ છે અને શેષ રૂપાદિ ત્રણ રૂપ નિમિત્ત હેતુઓ છે=રૂપવિજ્ઞાન પ્રત્યે રૂ૫-પ્રકાશ અને ચક્ષ નિમિત કારણ છે, એ રીતે રૂપઆલોક અને ચક્ષની પણ પોતપોતાની પૂર્વની ક્ષણો સ્વ સ્વ કાર્યજનનમાં ઉપાદાન હેતુ છે અને શેષ ત્રણ નિમિત્ત હેતુ છે, આ રીતે એક સ્વભાવવાળી જ એક વસ્તુથી વસ્તુના અન્ય અન્ય ઉપાદાન હેતુથી અને સહાય એવા અન્ય અન્ય નિમિત્ત હેતુઓથી અનેક કાર્યનો ઉદય સર્વ સામગ્રીઓમાં યોજન થાય છે, એના વિષેધના અભ્યપગમમાં=પર એવા બૌદ્ધ વડે એક જ સ્વભાવવાળી વસ્તુથી અનેક કાર્યો થાય છે તે રૂપના જ્ઞાનમાં ઉપાદાનતા અને નિમિત્તના ભેદથી થાય છે તેમ બતાવ્યું તેના વિષેધતા અસ્વીકારમાં, બાધકને કહે છે – વેષાદિત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, એકથી અનેકના ફલના ઉદયમાં=એક સ્વભાવવાળી એક વસ્તુથી અનેક ફલતા ઉદયમાં, કેટલાંક ફલોના અહેતુકત્વની આપત્તિ હોવાથી= નિર્દેતકત્વની આપત્તિ હોવાથી, સર્વથા એક સ્વભાવવાળી એક વસ્તુથી અનેક ફલનો ઉદય નથી એમ અવય છે, કેવી રીતે ? એથી કહે છે =કેટલાંક લો હેતુ વગર ઉત્પન્ન થયાં છે એ પ્રકારની બોદ્ધમતમાં આપત્તિ કેવી રીતે છે? એથી કહે છે – એક હેતુસ્વભાવનો એક માં ઉપયોગ હોવાને કારણે=વ્યાપાર હોવાને કારણે, અપરમાંaફલાંતરમાં, ઉપયોગનો અભાવ છે અર્થાત્ દેવદત્તમાં રહેલ દેવદતત્વરૂપ સ્વભાવ દેવદતપણાના જ્ઞાનમાં વ્યાપારવાળો હોવાથી દેવદત્તના પિતાપણારૂપે જ્ઞાનમાં તેના ઉપયોગનો અભાવ છે. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે અનેકાંતવાદ વસ્તુને એક-અનેક સ્વભાવવાળી સ્વીકારે છે, તેથી દેવદત્તરૂપ વસ્તુ એક છે. અને પિતૃત્વ-પુત્રત્વ આદિ ધર્મરૂપે અનેક છે, તેથી દેવદત્તરૂપ એક વ્યક્તિમાં પિતા-પુત્ર આદિના ભિન્ન ભિન્ન સંબંધને આશ્રયીને જે વ્યવહાર પ્રવર્તે છે તેમાં વિરોધ પ્રાપ્ત થતો નથી, એ રીતે એકાંતવાદી એવો બૌદ્ધ સર્વથા એક સ્વભાવવાળી વસ્તુથી ઉપાદાન અને નિમિત્તના ભેદથી ઉભયથા પણ તેની સંગતિ કરે, તોપણ એકાંત એક સ્વભાવવાળી વસ્તુથી અનેક ફલનો ઉદય પ્રાપ્ત થઈ શકે નહિ, અહીં બૌદ્ધનો આશય એ છે કે રૂપ, પ્રકાશ, મનસ્કાર અને ચક્ષુ એ ચાર રૂપના જ્ઞાનની જનનસામગ્રી છે અને તેઓ કહે છે કે જેમ ગોબર હોય અને મણિ તેના ઉપર ધારણ કરવામાં આવે અને તે મણિ ઉપર સૂર્યના પ્રકાશનાં કિરણો Page #264 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ ૨૪૧ પડે તો ગોબરમાં અગ્નિ પ્રગટે છે તેમ પટાદિ વસ્તુમાં રૂપ હોય તેના ઉપર પ્રકાશનાં કિરણો પડતાં હોય અને કોઈની ચક્ષુનો સંયોગ થાય તો તેના મનમાં રૂપનું જ્ઞાન પ્રગટ થાય છે અને જે વ્યક્તિને રૂપનું જ્ઞાન થાય છે તે વ્યક્તિ પૂર્વ ક્ષણમાં રૂપના જ્ઞાનને અભિમુખ મનવાળી હોય છે, જેનાથી ઉત્તરમાં રૂપના જ્ઞાનવાળું મન થાય છે, તેથી રૂપના જ્ઞાન વખતે પૂર્વનું મન ઉપાદાન કારણ છે; કેમ કે પૂર્વનું મન જ ઉત્તરમાં રૂપના જ્ઞાનરૂપે થાય છે અને વસ્તુમાં રહેલું રૂપ, પ્રકાશ અને ચક્ષુ એ ત્રણ રૂપના જ્ઞાન પ્રત્યે નિમિત્ત હેતુ બને છે. એ રીતે એક દેવદત્તરૂપ વસ્તુથી કોઈક પુરુષને આ મારા પિતા છે તેવું જ્ઞાન થાય છે ત્યારે તે વ્યક્તિનું મન દેવદત્તરૂપ વ્યક્તિને જોઈને પિતારૂપ જ્ઞાનવાળું થાય છે, તેથી તે વ્યક્તિનું પૂર્વનું મન પિતા એ પ્રકારના જ્ઞાન પ્રત્યે ઉપાદાન કારણ છે તે જોનાર પુરુષની ચક્ષુ, પ્રકાશ અને દેવદત્ત નિમિત્ત કારણ છે, તેથી એક દેવદત્તરૂપ વ્યક્તિને આશ્રયીને ઉપાદાન કારણ એવો કોઈકનો મનસ્કાર અને શેષ ત્રણ નિમિત્ત કારણ બને છે, એથી દેવદત્તને આશ્રયીને પિતાનું જ્ઞાન થાય છે, તે રીતે તે દેવદત્તરૂપ વ્યક્તિને આશ્રયીને અન્ય કોઈ વ્યક્તિને આ મારો પુત્ર છે, એ પ્રકારનું જ્ઞાન થાય છે, ત્યાં પણ તે જ્ઞાન કરનાર વ્યક્તિના મનની પૂર્વ ક્ષણ ઉપાદાન કારણ છે અને તે વ્યક્તિની ચક્ષુ, પ્રકાશ અને દેવદત્ત નિમિત્ત કારણ છે, આ રીતે પરના રૂપના જ્ઞાનમાં જેમ મનસ્કાર ઉપાદાન કારણ છે અને રૂપાદિ ત્રણ નિમિત્ત કારણ છે તેમ પિતાના જ્ઞાનમાં, પુત્રના જ્ઞાનમાં તે તે વ્યક્તિના મનસ્કારની પૂર્વેક્ષણ ઉપાદાન હેતુ છે અને પ્રકાશ, ચક્ષુ અને દેવદત્ત નિમિત્ત હેતુ છે. આ રીતે એક એવા દેવદત્તરૂપ એક સ્વભાવવાળી વસ્તુથી અન્ય અન્ય ઉપાદાન હેતુથી તે તે પ્રકારનો બોધ કરનારના મનની પૂર્વેક્ષણરૂપ ઉપાદાન હેતુથી, અને અન્ય અન્ય નિમિત્તના હેતુની સહાયથી તે તે વ્યક્તિના ચક્ષુ, પ્રકાશ અને દેવદત્તરૂપ વ્યક્તિની સહાયથી, અનેક કાર્યનો ઉદયઆ પિતા છે, આ પુત્ર છે ઇત્યાદિ કાર્યનો ઉદય, થાય છે તેમ સર્વ સામગ્રીઓમાં થઈ શકે છે એમ બૌદ્ધ માને છે તેને ગ્રંથકારશ્રી કહે છે – જે રીતે સ્યાદ્વાદના મતે એક દેવદત્તથી આ પિતા છે, આ પુત્ર છે ઇત્યાદિ બોધરૂપ કાર્ય થાય છે તેમ સર્વથા એક સ્વભાવવાળી દેવદત્તરૂ૫ વસ્તુથી ભિન્ન ભિન્ન વ્યક્તિમાં આ પિતા છે, આ પુત્ર છે એવા બોધરૂપ અનેક ફલનો ઉદય થઈ શકે નહિ; કેમ કે કેટલાંક ફલોના અહેતુકત્વની પ્રાપ્તિ છે. કેમ કેટલાંક ફલોના અહેતુકત્વની પ્રાપ્તિ છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – દેવદત્તરૂપ વ્યક્તિ કોઈકને દેવદત્તરૂપે બોધ કરવામાં ઉપયોગી બને છે તે જ દેવદત્ત અન્યને પિતારૂપે બોધ કરાવવામાં ઉપયોગી બની શકે નહિ; કેમ કે દેવદત્તનો એક ઠેકાણે દેવદત્તરૂપે બોધ કરાવવામાં ઉપયોગ થયેલો હોવાથી પિતારૂપે બોધ કરાવવામાં દેવદત્તનો ઉપયોગ થઈ શકે નહિ, પરંતુ દેવદત્તમાં દેવદત્તત્વથી અતિરિક્ત પિતૃત્વ આદિ ધર્મ હોય તો તે ધર્મ જ આ પિતા છે ઇત્યાદિ બોધ કરાવવામાં ઉપયોગી બની શકે, માટે સર્વથા એક સ્વભાવવાળી દેવદત્તરૂપ વ્યક્તિથી અનેક ફલનો ઉદય બૌદ્ધ દર્શનવાદી ઉપાદાનના અને નિમિત્તના ભેદથી કરે, તોપણ થઈ શકે નહિ, પરંતુ જે રીતે સ્યાદ્વાદી વસ્તુને એક-અનેકરૂપે સ્વીકારે છે તેમ સ્વીકારવામાં આવે તો જ દેવદત્તમાં પિતા-પુત્રાદિનો વ્યવહાર સંગત થાય. લલિતવિસ્તરામાં ૩મયથાપિ એમ કહ્યું ત્યાં પિથી એ કહેવું છે કે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ એક દેવદત્તમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ લલિતવિસ્તરા ભાગ-૨ સંબંધના ભેદથી વાસનાને કારણે પિતા-પુત્ર આદિનો વ્યવહાર થાય છે એમ બૌદ્ધ કહે છે તે સંગત નથી તેમ કહ્યું, ત્યારપછી ઉપાદાન ભેદથી પણ બૌદ્ધના મતમાં પિતા-પુત્ર આદિનો વ્યવહાર સંગત નથી તેમ કહ્યું, હવે સ્યાદ્વાદીના મતમાં જે રીતે સંગત છે તે રીતે ઉપાદાનનો ભેદ અને નિમિત્તનો ભેદ ગ્રહણ કરીને તે સંગત કરવા બૌદ્ધ પ્રયત્ન કરે તે રીતે સમયથી પણ બંને પ્રકારે પણ, તે સંગત થાય નહિ, એ પિ શબ્દનો અર્થ છે અર્થાત્ નિમિત્ત ભેદથી પણ સંગત થાય નહિ, ઉપાદાનના ભેદથી પણ સંગત થાય નહિ, ઉપાદાન અને નિમિત્તને ગ્રહણ કરવારૂપ મયથા પણ સંગત થાય નહિ. અહીં પંજિકામાં અનેક ફલના ઉદયનો અર્થ કરતાં કહ્યું કે આલોક અને પરલોકના કાર્યનો પ્રસવ સર્વથા એક સ્વભાવથી થાય નહિ, જે પ્રમાણે પર એવા બૌદ્ધ વડે પરિકલ્પના કરાય છે અને તેમ કહ્યા પછી તેઓની પરિકલ્પનાની સ્પષ્ટતા કરી કે રૂપ, આલોક, મનસ્કાર અને ચક્ષુથી રૂપનું વિજ્ઞાન થાય છે તે સ્થાનમાં આલોક અને પરલોકના ફલનું કોઈ યોજન બતાવ્યું નથી, તેથી તેને અહીં ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે તે કંઈ સ્પષ્ટ થતું નથી, તેથી એને છોડીને લલિતવિસ્તરાનો અર્થ પ્રસ્તુત બૌદ્ધના એકાંતવાદ સાથે જે રીતે જોડાયેલો છે તે રીતે અમે કરેલ છે વળી, પંજિકામાં કહ્યું કે રૂપ, આલોક અને ચક્ષુની પણ પોતપોતાની પૂર્વની ક્ષણ સ્વકાર્યના જનનમાં ઉપાદાન હેતુ છે અને શેષ ત્રણ નિમિત્ત હેતુ છે, વસ્તુતઃ પૂર્વનું રૂપ ઉત્તરના રૂપને પ્રગટ કરે છે ત્યારે નિમિત્ત હેતુ કોઈ નથી તે પણ પ્રાપ્ત થાય છે, વળી, પૂર્વનો પ્રકાશ ઉત્તરના પ્રકાશ પ્રત્યે નિમિત્ત હેતુ બને છે ત્યારે અન્ય ત્રણ નિમિત્ત હેતુ કોઈ ન હોય તેમ પણ પ્રાપ્ત થાય છે અને પૂર્વની ચક્ષુ ઉત્તરની ચક્ષુ પ્રત્યે ઉપાદાન હેતુ બને છે ત્યારે અન્ય કોઈ ત્રણ નિમિત્ત હેતુ ન હોય તેમ પણ પ્રાપ્ત થાય છે, છતાં પંજિકામાં રૂપ, આલોક, ચક્ષુની પૂર્વની ક્ષણ ઉપાદાન હેતુ છે અને શેષ ત્રણ નિમિત્ત હેતુ છે એમ કહ્યું, તેનું તાત્પર્ય શું છે તે સ્પષ્ટ નહિ હોવાથી તેને ગ્રહણ કરીને અમે લલિતવિસ્તરાનો ભાવાર્થ લખ્યો નથી, પરંતુ લલિતવિસ્તરાના મૂળ કથન સાથે જે રીતે પંજિકાના અર્થનું પ્રતિસંધાન થાય છે તે રીતે અહીં અર્થ કરેલ છે. લલિતવિસ્તરા : अनेककार्यकरणैकस्वभावत्वकल्पना तु शब्दान्तरेणैतदभ्युपगमानुपातिन्येव। निरूपितमेतदन्यत्र'यतः स्वभावतो जातमेकं नान्यत्ततो भवेत् । कृत्स्नं प्रतीत्य तं भूतिभावत्वात् तत्स्वरूपवत् ।।१।। अन्यच्चैवंविधं चेति, यदि स्यात्किं विरुध्यते? । तत्स्वभावस्य कात्स्न्येन, हेतुत्वं प्रथमं प्रति ।।२।।' इत्यादिना ग्रन्थेनेति नेह प्रतन्यते, तदेवं निरुपचरितयथोदितसंपत्सिद्धौ सर्वसिद्धिरिति व्याख्यातं प्रणिपातदण्डकसूत्रम् । Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪s ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ લલિતવિસ્તરાર્થ: વળી, અનેક કાર્યકરણરૂપ એક સ્વભાવપણાની કલ્પના એક જ સ્વભાવ અનેક કાર્ય કરવાના સ્વભાવવાળો છે એ પ્રકારની કલ્પના, શબ્દાંતરથી આના સ્વીકારની અનુપાતિની જ છે=વસ્તુના એક-અનેક સ્વભાવના સ્વીકારને અનુસરનારી જ છે. આ=અનેક કાર્ય કરવાના એક સ્વભાવનો સ્વીકાર અનેકાંતવાદને સ્વીકારે છે એ, અન્યત્ર= અનેકાંત જયપતાકામાં, ઈત્યાદિ બે શ્લોકોથી નિરૂપિત છે, એમ અન્વય છે – ૧. જે સ્વભાવથી એક કાર્ય થયું, તેનાથી તે વસ્તુના સ્વભાવથી, બીજું કાર્ય થાય નહિ; કેમ કે સંપૂર્ણ એવા તેને આશ્રયીને ભૂતિભાવપણું છે–પ્રથમ કાર્યનું ભૂતિભાવપણું છે, તેના સ્વરૂપની જેમ. ૨. અને બીજુ=બીજું કાર્ય, અને આવા પ્રકારનું પ્રથમ હેતુથી જન્ય, એ જો થાય તો શું વિરુદ્ધ છે, તેના સ્વભાવનું સંપૂર્ણપણાથી પ્રથમ પ્રત્યે હેતુપણું છે એ વિરોધ છે એમ અન્વય છે. ઈત્યાદિ ગ્રંથથી નિરૂપિત છે=અનેકાંત જયપતાકામાં નિરૂપિત છે, એથી અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, વિસ્તાર કરાતો નથી. તેથી આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, નિરુપચરિત જે પ્રમાણે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે સંપદાની સિદ્ધિ થયે છતે=ભગવાનની ૯ સંપદાની સિદ્ધિ થયે છતે, સર્વ સિદ્ધિ છે=નિરુપરરિત સંપદા હોવાને કારણે સ્તુતિ કરનારને ઈષ્ટ ફલની પ્રાપ્તિરૂપ સર્વ સિદ્ધિ છે, એ પ્રકારે પ્રણિપાત દંડકસૂત્ર વ્યાખ્યાન કરાયું. પંજિકા - आशङ्कान्तरपरिहारायाह अनेककार्यकरणकस्वभावत्वकल्पना तु एकोऽपि वस्तुस्वभावोऽनेककार्यकरणस्वभावः, ततो न केषाञ्चिदहेतुकत्वमित्येषा पुनः कल्पना, शब्दान्तरेण अस्मदभ्युपगमाद् एकमनेकस्वभावमित्यस्माच्छब्दान्तरेण एकमनेककार्यकरणस्वभावमेवं लक्षणेन, एतदभ्युपगमानुपातिन्येव-एकमनेकस्वभावमित्यस्मन्मतानुसारिण्येव, न टेकस्मात् कथञ्चित्स्वभावभेदमन्तरेणानेकफलोदय इति प्राक् चर्चितमेव। निरूपितम्, एतद् अनन्तरोक्तम्, अन्यत्र अनेकान्तजयपताकायाम्, यथा निरूपितं तथैवाह-'यत इत्यादिश्लोकद्वयं', यतो यस्मात्, स्वभावतो वस्तुगतरूपरसादिरूपादुपादानभूतात्, जातम् उत्पन्नम्, एकं कार्य वस्त्ररूपादि, न अन्यत्-द्वितीयं स्वग्राहकप्रत्यक्षादिकं सहकारिभावेन, ततो वस्तुस्वभावात्, भवेत् जायेत, हेतुमाह- कृत्स्नं समस्तं, प्रतीत्य-आश्रित्य, तं वस्तुस्वभावं भूतिभावत्वाद्-भवनस्वभावत्वात्, आद्यस्यैव कार्यस्य दृष्टान्तमाह- तत्स्वरूपवद्-यथा स्वभावस्य हेतुभूतस्याधिकृतककार्यगतस्वभावस्य वा स्वरूपं स्वभावकााश्रयेणैव भवति, तथा प्रथममपि कार्यमिति। पराभिप्रायमाशङ्क्याह- अन्यच्च-द्वितीयं च, कार्यमिति गम्यते, एवंविधं च तद्धेतुजन्यं च, इति एतद्, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ લલિતવિસ્તરા ભાગ-૨ यदि स्यात् यदि भवेत्, किं विरुध्यते? न किञ्चित्, तदपि भवत्विति भावः। अत्रोत्तरं- तत्स्वभावस्य-वस्तुगतरूपरसादिरूपस्य, कात्स्न्येन सर्वात्मना, हेतुत्वं निमित्तत्वं, प्रथम प्रति आदिकार्यमाश्रित्य, न विरुध्यते? इदमुक्तं भवति-सर्वात्मनोपयुक्तत्वादाद्यकार्य एव, कुतस्ततः कार्यान्तरसंभवः? तत्संभवे च न प्रथमकार्ये तस्य कात्योपयोगः, इति बलादनेकरूपवस्तुसिद्धिरिति, 'आदि'शब्दादन्यकारिकाग्रन्थो दृश्यः। પંજિકાર્ચ - ગાક્રાન્તર કોથઃ II આશંકા અંતરના પરિહાર માટે કહે છે=સર્વથા એક સ્વભાવવાળી એક વસ્તુથી અનેક કાર્ય થાય છે તેની સિદ્ધિ કરવા માટે બૌદ્ધ દર્શતકાર અન્ય આશંકા કરે તેને બતાવીને તેના પરિવાર માટે કહે છે – અને શારીવવમાવત્વના તુ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – એક પણ વસ્તુનો સ્વભાવ અનેક કાર્યકરણના સ્વભાવવાળો છે, તેથી વળી, કેટલાકનું કેટલાંક કાર્યોનું, અહેતુકત્વ નથી એ પ્રકારે આ કલ્પના=બીદ્ધની કલ્પના, શબ્દાંતર વડે આ સ્વીકારની અનુપાતિની જ છે=એક-અનેક સ્વભાવ છે એ પ્રકારના આ અમારા સ્વીકારથી શબ્દાંતર વડે અર્થાત્ એક-અનેક કાર્યકરણ સ્વભાવ છે. એવા સ્વરૂપવાળા શબ્દાંતર વડે એક વસ્તુ અનેક સ્વભાવવાળી છે એ અમારા મતને અનુસરનારી જ બૌદ્ધની કલ્પના છે, કિજે કારણથી, એક વસ્તુથી કોઈ રીતે સ્વભાવભેદ વગર અનેક ફલનો ઉદય નથી=એક દેવદતરૂપ વસ્તુથી કોઈ રીતે પિતૃત્વ-પુત્રત્વરૂપ સ્વભાવભેદ વગર અનેક જીવોને આ પિતા છે, આ પુત્ર છે, ઈત્યાદિ ભિન્ન ભિન્ન બોધરૂપ ફલનો ઉદય નથી, એ પ્રમાણે પૂર્વમાં ચર્ચા કરાયેલું જ છે. આ અનંતરમાં કહેલું અનેક કાર્યકરણના એક સ્વભાવત્વની કલ્પના શબ્દાંતરથી સ્યાદ્વાદને જ સ્વીકારનારી છે એમ અનંતરમાં કહ્યું એ, અન્યત્ર=અનેકાંત જયપતાકામાં, નિરૂપિત છે, જે પ્રમાણે નિરૂપિત છે=અનેકાંત જયપતાકામાં જે પ્રમાણે નિરૂપિત છે તે પ્રકારે જ કહે છે – યત ઈત્યાદિ શ્લોકઠય પ્રતીકરૂપે છે, જે સ્વભાવથી=ઉપાદાનભૂત વસ્તુગત રૂપ રસ આદિ રૂપ જે સ્વભાવથી, થયેલું વસ્ત્રનું રૂપાદિ એક કાર્ય અન્ય સહકારી ભાવથી સ્વગ્રાહક પ્રત્યક્ષાદિરૂપ બીજું કાર્ય, તેનાથી=વસ્તુના સ્વભાવથી, થતું નથી અર્થાત્ પટના ઉપાદાનકારણરૂપ તંતુગત જે રૂપરસાદિથી થયેલું વસ્ત્રના રૂપરસાદિરૂપ કાર્ય થયું તે તંતુના રૂપાદિરૂપ સ્વભાવથી સહકારી ભાવ દ્વારા તંતુના રૂપાદિને ગ્રહણ કરનાર પ્રત્યક્ષાદિ કાર્ય થતું નથી, હેતુને કહે છે=જે ઉપાદાનભૂત સ્વભાવથી કાર્ય થયું તે ઉપાદાનભૂતથી સ્વગ્રાહક પ્રત્યક્ષાદિ થતા નથી એમ પૂર્વમાં કહ્યું તેમાં હેતુને કહે છે – સમસ્ત એવા તે વસ્તુસ્વભાવને આહાથીને ભૂતિભાવપણું હોવાથી પટના રૂપના ઉપાદાન કારણભૂત તંતુના રૂપાદિ સ્વભાવથી પટના રૂપાદિ થયા તે સમસ્ત વસ્તુના સ્વભાવને આશ્રયીને ભવન સ્વભાવવાળા હોવાથી, તંતુના રૂપને જોઈને કોઈને તંતુના રૂપનું પ્રત્યક્ષ આદિ થાય છે તેના પ્રત્યે તંતુના રૂપાદિ કારણ થઈ શકે નહિ એમ Page #268 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવતની સિદ્ધિ ૪૫ અવય છે, આવા જ કાર્યના દગંતને કહે છે–તંતુના રૂપથી બે કાર્યો થયાં, એક પટનું રૂપ અને બીજું તંતુના રૂપનું પ્રત્યક્ષ જ્ઞાન, તેમાં તંતુના રૂપથી પટનું રૂપ સમસ્ત વસ્તુસ્વભાવને આશ્રયીને થાય છે તેમાં દષ્ટાંતને કહે છે – તેના સ્વરૂપની જેમ=જે પ્રકારે હેતુભૂત સ્વભાવનું સ્વરૂપ સ્વ ભાવના સમસ્તપણાને આશ્રયીને થાય છે અથવા અધિકૃત એક કાર્યગત સ્વભાવનું સ્વરૂપ સ્વ ભાવના સમસ્તપણાને આશ્રયીને જ થાય છે તે પ્રકારે પ્રથમ પણ કાર્ય સમસ્તપણાને આશ્રયીને થાય છે એમ અવય છે અર્થાત્ તંતુના રૂપનું સ્વરૂપ અથવા તંતુથી થયેલા પટના રૂપનું સ્વરૂપ પોતાના ભાવના સમસ્તપણાને આશ્રયીને જ થાય છે તેમ પ્રથમ કાર્ય પણ સમસ્તપણાને આશ્રયીને થાય છે, માટે બીજા કાર્ય પ્રત્યે તંતુનું રૂપ હેતુ થઈ શકે નહિ એમ અવય છે. પરના અભિપ્રાયની આશંકા કરીને કહે છે= પ્રથમ શ્લોકમાં કહ્યું કે જે સ્વભાવથી એક કાર્ય થયું તે સ્વભાવથી અન્ય કાર્ય થઈ શકે નહિ ત્યાં બીજાના અભિપ્રાયની આશંકા કરીને કહે છે – અચ= બીજું કાર્ય, અને આવા પ્રકારનું=પ્રથમ કાર્યના હેતુથી જ થાય એવા પ્રકારનું છે, એ જો થાય=જો સ્વીકારાય તો શું વિરોધ થાય? અર્થાત્ કોઈ વિરોધ નથી, તે પણ થાવ=પ્રથમ કાર્યના હેતુથી બીજું કાર્ય પણ થાવ, એ પ્રકારનો પરના અભિપ્રાયનો ભાવ છે. અહીં=પરની શંકામાં, ઉત્તર આપે છે – તેના સ્વભાવનું વસ્તુગત રૂપ-રસાદિરૂપ સ્વભાવનું તેના આદિ કાર્યગત રૂપરસાદિ રૂપ સ્વભાવનું, સંપૂર્ણપણાથી પ્રથમ પ્રત્યે=પ્રથમ કાર્યને આશ્રયીનેત્રપટના રૂપાદિ રૂપ કાર્યને આશ્રયીને, હેતુપણું=નિમિત્તપણું, ન વિરોધ પામે ?=વિરોધ પામે, આ કહેવાયેલું થાય છે=બે શ્લોકોથી આ કહેવાયેલું થાય છે – આવકાર્યમાં જ સર્વાત્મપણાથી ઉપયુક્તપણું હોવાને કારણે તેનાથી=આઈ કાર્યના કારણથી, કાર્યાતરનો સંભવ=અન્ય કાર્યનો સંભવ, કેવી રીતે હોય ? અર્થાત હોઈ શકે નહિ અને તેના સંભવમાં-આવ કાર્યના કારણથી બીજા કાર્યના સંભવમાં, તેનો આધ કાર્યના કારણનો, પ્રથમ કાર્યમાં સંપૂર્ણપણાથી ઉપયોગ નથી, એથી બળાત્કાર અનેકરૂપ વસ્તુની સિદ્ધિ છે=વસ્તુ અનેક કાર્ય કરવાના સ્વભાવવાળી હોવાથી અનેક સ્વરૂપવાળી છે તેની સિદ્ધિ છે, ગાદિ શબદથી=લલિતવિસ્તરામાં ઈત્યાદિ ગ્રંથથી એમ કહ્યું ત્યાં રહેલા ગાદિ શબ્દથી, અન્ય કારિકાનો ગ્રંથ=પ્રસ્તુત બે કારિકા બતાવી તેનાથી અન્ય કારિકાનો ગ્રંથ, ગ્રહણ કરવો. ભાવાર્થ પૂર્વમાં એકાંત એક સ્વરૂપવાળા દેવદત્તથી આ પિતા છે, આ પુત્ર છે, ઇત્યાદિ અનેક બોધરૂપ કાર્ય સંગત થાય નહિ, એથી દેવદત્તમાં અનેક સ્વભાવ માનવા જોઈએ તેમ યુક્તિથી સ્થાપન કર્યું, ત્યાં નિરંશ એક દેવદત્તને સ્વીકારનાર બૌદ્ધ દર્શનવાદી કહે કે દેવદત્તરૂપ વ્યક્તિમાં અનેક કાર્યો કરે એવો એક સ્વભાવ છે અર્થાત્ દેવદત્ત અનેક સ્વભાવવાળો નથી, પરંતુ એક સ્વભાવવાળો છે અને તે એક સ્વભાવ કોઈકને આ પિતા છે, કોઈકને આ પુત્ર છે, ઇત્યાદિ અનેક કાર્યો કરવા સમર્થ છે એ પ્રકારની બૌદ્ધની કલ્પના શબ્દાંતરથી સ્યાદ્વાદને જ અનુસરનારી છે; કેમ કે શબ્દાંતરથી તેણે એક જ સ્વભાવવાળો દેવદત્ત અનેક કાર્ય Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬ લલિતવિસ્તરા ભાગ-૨ કરવાના સ્વભાવવાળો છે એમ સ્વીકારીને વસ્તુને એક-અનેક સ્વભાવવાળી જ સ્વીકારી છે, વસ્તુતઃ એક સ્વભાવથી કોઈ રીતે સ્વભાવભેદ વગર અનેક ફલનો ઉદય થઈ શકે નહિ તેમ પૂર્વમાં સ્પષ્ટતા કરેલ છે, તેથી અર્થથી ફલિત થયું કે બૌદ્ધ દર્શનવાદી દેવદત્તને નિરંશ એક વસ્તુરૂપે સ્વીકારીને અનેક કાર્ય કરવાના સ્વભાવવાળી સ્વીકારે છે, તેથી તે દેવદત્તરૂપ વસ્તુ અનેક સ્વભાવવાળી છે તેની જ સિદ્ધિ થાય છે અને આ કથનને જ ગ્રંથકારશ્રીએ અનેકાંત જયપતાકામાં બતાવેલ છે અને તે અનેકાંત જયપતાકાના જ બે શ્લોકો અહીં બતાવે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – તંતુનું રૂપ પટના રૂપ પ્રત્યે ઉપાદાન કારણ છે અને તંતુનું રૂ૫ તંતુના પ્રત્યક્ષ જ્ઞાન પ્રત્યે પણ સહકારી કારણ છે, તેથી સ્થૂલથી જણાય કે તંતુનું રૂપ બે કાર્યો કરે છે – ૧.પટના રૂપને ઉત્પન્ન કરે છે. ૨. તંતુનું રૂપ કોઈકને તંતુના રૂપનું જ્ઞાન કરાવે છે. ત્યાં તંતુના રૂપના જ્ઞાન પ્રત્યે તંતુનું રૂપ સહકારી છે અને પટના રૂપ પ્રત્યે તંતુનું રૂપ ઉપાદાનરૂપે કારણ છે, તોપણ તંતુનું રૂપ એક સ્વભાવથી બે કાર્ય કરે છે તેનું નિરાકરણ કરતાં કહે છે – તંતુના રૂપ સ્વરૂપ જે સ્વભાવથી વસ્ત્રના રૂપ સ્વરૂપ કાર્ય થયું તે સ્વભાવથી અન્ય કાર્ય થાય નહિ તંતુનું પ્રત્યક્ષ જ્ઞાન થાય નહિ, કેમ થાય નહિ, તેમાં હેતુ કહે છે – તંતુનું રૂપ પ્રથમ કાર્ય પ્રત્યે સમસ્તપણાથી ભવન સ્વભાવવાળું છે, તેથી સમસ્તપણાથી પ્રથમ કાર્ય થતું હોય તો તે કારણથી બીજું કાર્ય થઈ શકે નહિ, આ પ્રકારના હેતુમાં દૃષ્ટાંત બતાવે છે – તેના સ્વરૂપની જેમ તંતુના રૂપનો સ્વભાવ પોતાના ભાવને સંપૂર્ણ આશ્રય કરીને તંતુમાં વર્તે છે તે પ્રમાણે વસ્ત્રના રૂપસ્વરૂપ પ્રથમ કાર્ય પ્રત્યે તંતુનું રૂપ સમસ્તપણાથી પરિણમન પામે છે, તેથી તે તંતુના રૂપથી તંતુના રૂપના જ્ઞાન રૂપ બીજું કાર્ય થઈ શકે નહિ અથવા દૃષ્ટાંતનું યોજન બીજી રીતે કરે છે – અધિકૃત એવું પટના રૂપ સ્વરૂપ કાર્ય તેનામાં રહેલા સ્વભાવનું સ્વરૂપ પોતાના ભાવને સંપૂર્ણપણાથી આશ્રય કરીને જ પટમાં રહે છે તેમ પ્રથમ કાર્ય પ્રત્યે તંતુના રૂપમાં રહેલો સ્વભાવ સંપૂર્ણપણાને આશ્રયીને કાર્યરૂપે પરિણમન પામે છે, તેથી તે તંતુનું રૂપ બીજા કાર્ય પ્રત્યે હેતુ થઈ શકે નહિ. પરના અભિપ્રાયની આશંકા કરીને બીજા શ્લોકમાં કહે છે – બીજું કાર્ય છે=તંતુના રૂપથી તંતુના પ્રત્યક્ષ જ્ઞાનરૂપ બીજું કાર્ય છે, અને તે કાર્ય તેના હેતુથી જન્ય છે=પ્રથમ કાર્યના હેતુ એવા તંતુના રૂપથી જન્ય છે એમ સ્વીકારીએ તો શું વિરોધ છે? અર્થાત્ કોઈ વિરોધ નથી, તેથી એ ફલિત થાય કે તંતુના રૂપથી જેમ પટનું રૂપ થયું તેમ કોઈક વ્યક્તિને તંતુના રૂપથી તંતુના રૂપના પ્રત્યક્ષરૂપ કાર્ય પણ થાય છે તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, આ પ્રમાણે કોઈ કહે તેને ઉત્તર આપતાં બીજા શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – તત્ સ્વભાવનું સંપૂર્ણપણાથી હેતુપણું પ્રથમ કાર્ય પ્રત્યે છે એ પ્રકારનો સ્વીકાર જ શું વિરોધી નથી? અર્થાત્ વિરોધી છે, આ પ્રકારના શ્લોકથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરતાં કહે છે – તંતુના રૂપથી પટનું રૂપ થાય છે એ એક કાર્ય છે અને તંતુના રૂપથી તંતુના રૂપનું જ્ઞાન કોઈકને થાય છે તે બીજું કાર્ય છે, તેમાં તંતુનું રૂપ પટના રૂપ પ્રત્યે સંપૂર્ણપણે વ્યાપારવાળું હોવાથી પ્રથમ કાર્ય કરીને જ ચરિતાર્થ થાય છે, તેથી અન્ય કાર્યનો સંભવ નથી તંતુના પ્રત્યક્ષ જ્ઞાનરૂપ કાર્યનો સંભવ નથી, અને જો એમ કહેવામાં આવે કે Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ નમુત્યુર્ણ સૂત્ર બોલવાનો વિધિ. તંતુના રૂપથી તંતુના રૂપના પ્રત્યક્ષરૂપ બીજું કાર્ય થાય છે તો તંતુનું રૂપ પટના રૂપ સ્વરૂપ પ્રથમ કાર્ય પ્રત્યે સંપૂર્ણપણાથી વ્યાપારવાળું નથી, તેથી અર્થથી તંતુના રૂપમાં અનેક કાર્ય કરવાનો સ્વભાવ પ્રાપ્ત થાય, માટે અનેક સ્વરૂપવાળી વસ્તુની સિદ્ધિ થાય, તેથી અર્થથી સ્યાદ્વાદની જ સિદ્ધિ છે. નમુસ્કુર્ણ સૂત્રમાં અત્યાર સુધી વર્ણન કર્યું તેનું નિગમન કરતાં કહે છે – આ રીતે પૂર્વમાં વર્ણન કરાયું એવી નિરુપચરિત સંપદાઓ ભગવાનમાં સિદ્ધ થયે છતે સર્વની સિદ્ધિ છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન દ્રવ્યરૂપે એક છે અને પર્યાયરૂપે અનેક છે, તેથી ભગવાનમાં અરિહંતવાદિ ગુણોના સમુદાયથી જે ૯ સંપદાઓનું વર્ણન કર્યું તે નિરુપચરિત છે અર્થાત્ ભગવાનમાં તેવા વાસ્તવિક ગુણો છે તેને બતાવનારી તે સંપદાઓ છે તેમ સિદ્ધ થાય છે, તેથી તેમની તે સંપદાઓથી સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને યોગ્ય ફલની પ્રાપ્તિ થવારૂપ સર્વ સિદ્ધિ થાય છે; કેમ કે ભગવાનમાં વિદ્યમાન ગુણોની સ્તુતિ કરવાથી શુભ ભાવ થાય છે, તેનાથી પુણ્યબંધ અને નિર્જરારૂપ શુભ ફળ મળે છે, આ સ્વરૂપે રહેલું પ્રણિપાત દંડક સૂત્ર ગ્રંથકારશ્રી વડે વ્યાખ્યાન કરાયું. આ સૂત્ર ૯ સંપદાઓના સમૂહરૂપ હોવાથી દંડક છે અને દરેક સંપદાનું સ્મરણ કરીને ભગવાનને નમસ્કાર કરાય છે, તેથી પ્રણિપાત છે, માટે નમુસ્કુર્ણ સૂત્રને પ્રણિપાત દંડક સૂત્ર કહેવાય છે. લલિતવિસ્તરા : तदेतदसौ साधुः श्रावको वा यथोदितं पठन् पञ्चाङ्गप्रणिपातं करोति, भूयश्च पादपुञ्छनादिनिषण्णो यथाभव्यं स्थानवालम्बनगतचित्तः, सर्वसाराणि यथाभूतानि असाधारणगुणसङ्गतानि भगवतां दुष्टालङ्कारविरहेण प्रकृष्टशब्दानि, भाववृद्धये परयोगव्याघातवर्जनेन परिशुद्धामापादयन् योगवृद्धिम्, अन्येषां सद्विधानतः सर्वज्ञप्रणीतप्रवचनोन्नतिकराणि, भावसारं परिशुद्धगम्भीरेण ध्वनिना सुनिभृताङ्गः सम्यगनभिभवन् गुरुध्वनि तत्प्रवेशात्, अगणयन् दंशमशकादीन् देहे, योगमुद्रया रागादिविषपरममन्त्ररूपाणि महास्तोत्राणि पठति । લલિતવિસ્તરાર્થ : આ સાધુ અથવા શ્રાવક તે આ યથોદિતને=જે પ્રમાણે પૂર્વમાં કહેવાયું એવા પ્રણિપાત દંડક સૂત્રને, બોલતાં પંચાંગ પ્રણિપાતને કરે છે અને ફરી પાદપુછનાદિ દ્વારા બેઠેલા=jજવા-પ્રમાર્જવા આદિ ક્રિયા દ્વારા બેઠેલા, યથાયોગ્ય સ્થાન-વર્ણ-અર્થ-આલંબન ગત ચિત્તવાળા સાધુ કે શ્રાવક સર્વસાર ભગવાનના યથાભૂત અસાધારણ ગુણોથી સંગત દુષ્ટ અલંકારના વિરહને કારણે પ્રકૃષ્ટ શબ્દવાળા અન્યોને સદ્વિધાન કરનાર હોવાથી સર્વપ્રણીત પ્રવચનની ઉન્નતિને કરનારા રાગાદિ વિષ માટે પરમ મંત્રરૂપ મહાસ્તોત્રોને ભણે છે એમ અન્વય છે. વળી, તે સ્તોત્ર બોલનારા સાધુ કે શ્રાવક કેવો હોય ? તે બતાવવા માટે કહે છે – Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ લલિતવિસ્તરા ભાગ-૨ ભાવવૃદ્ધિ માટે=સ્તોત્ર બોલતી વખતે ભાવવૃદ્ધિ માટે, પરના યોગના વ્યાઘાતના વર્જનથી પરિશુદ્ધ યોગવૃદ્ધિને સંપાદન કરતાં ભાવસાર પરિશુદ્ધ ગંભીર ધ્વનિ વડે સુનિભૂત અંગવાળા ગુરુ ધ્વનિને તેના પ્રવેશથી સમ્યમ્ અનભિભવ કરતાં દેહમાં દંશમશકાદિની ઉપેક્ષા કરતાં સાધુ કે શ્રાવક યોગમુદ્રાથી મહાસ્તોત્રો ભણે છે. પંજિકા : 'यथेत्यादि, 'यथाभव्यं' यथायोग्यं, 'स्थानवालम्बनगतचित्तः' स्थान-योगमुद्रादि, वर्णाः-चैत्यवन्दनसूत्रगताः अर्थः-तस्यैवाभिधेयः, आलम्बनं-जिनप्रतिमादि, तेषु गतम् आरूढं, चित्तं यस्य स तथा, यो हि यत्स्थानवालम्बनेषु मध्ये मनसावलम्बितुं समर्थः तद्गतचित्तः सन्नित्यर्थः। પંજિકાર્ય - “થે 'ચારિ ... સન્નિાર્થ છે. અત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, યથાભવ્ય=યથાયોગ્ય, સ્થાનવર્ણ-અર્થ-આલંબતગત ચિત્તવાળા એ કથનનો અર્થ સ્પષ્ટ કરે છે – સ્થાન યોગમુદ્રાદિ છે, પણ ચૈત્યવંદનસૂત્રગત અક્ષરો છે, અર્થ તેનો જ અભિધેય પદાર્થ છે, આલંબન જિનપ્રતિમાદિ છે, તેઓમાં=સ્થાનાદિમાં, ગયેલું આરૂઢ, ચિત્ત છે જેને તે તેવા છે સ્થા-વર્ણ-અર્થ-આલંબવગત ચિત્તવાળા છે, દિ=જે કારણથી, જે સાધુ કે શ્રાવક જે સ્થાન-વર્ણ-અર્થ-આલંબનમાં મત દ્વારા આલંબન લેવા માટે સમર્થ છે, તેમાં આરૂઢ થયેલા ચિત્તવાળા છતાં સ્તોત્રો બોલે એ પ્રકારનો અર્થ છે યથાયોગ્ય શબ્દનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ નમુત્યુર્ણ સૂત્રનું જે ૯ સંપદાઓથી વર્ણન કર્યું તે પ્રમાણે જ આ સાધુ કે શ્રાવક બોલે છે અર્થાત્ તે ૯ સંપદાઓનું વર્ણન કરીને તે તે આલાવાથી ગ્રંથકારશ્રીએ જે જે અર્થો કર્યા તે પ્રકારે તે અર્થોમાં ચિત્તને સ્થાપન કરીને સાધુ કે શ્રાવક તે સૂત્રને બોલે છે અને અંતે નમો જિણાણે જિઅભયાણ એ બોલતી વખતે પાંચ અંગોનો ભૂમિ ઉપર સ્પર્શ થાય તે રીતે પંચાંગ પ્રણિપાત કરે છે, જેનાથી ભગવાન પ્રત્યે ભક્તિનો પ્રકર્ષ થાય છે. ત્યારપછી ભૂમિને પુંજીને ઉચિત આસનપૂર્વક બેસે છે અને જે પ્રમાણે પોતાની યોગ્યતા હોય એ પ્રમાણે સ્થાન-વર્ણ-અર્થ-આલંબનમાં ચિત્તને સ્થાપન કર્યું છે એવા સાધુ કે શ્રાવક અન્ય પણ મહાસ્તોત્રો બોલે છે, તે સ્તોત્રો કેવા સ્વરૂપવાળાં હોય તે બતાવતાં કહે છે – ભગવાનના ગુણોને યથાર્થ પ્રકાશન કરનારા હોવાથી સર્વ સારરૂપ છે. વળી, તે મહાસ્તોત્રો ભગવાનના યથાભૂત અસાધારણ ગુણોથી યુક્ત છે, તેથી બોલતી વખતે ભગવાનના તે અસાધારણ ગુણો સ્મૃતિમાં આવવાથી વિતરાગના તે ગુણો પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનભાવ થાય છે. વળી, તે સ્તોત્રો દુષ્ટ અલંકાર રહિત હોવાથી શ્રેષ્ઠ શબ્દોથી રચાયેલાં છે એવાં સ્તોત્રો સાધુ કે શ્રાવક બોલે છે, પરંતુ દુષ્ટ અલંકારવાળાં સ્તોત્રો બોલતા નથી. વળી, તે સ્તોત્રો સર્વજ્ઞપ્રણીત વચનની ઉન્નતિને કરનારાં છે; કેમ કે તે સ્તોત્રોને Page #272 -------------------------------------------------------------------------- ________________ નમુન્થુણં સૂત્ર બોલવાનો વિધિ ૨૪૯ સાંભળીને અન્ય જીવોને પણ થાય કે ખરેખર પૂજ્યનું સ્વરૂપ આવું જ સ્વીકારવું ઉચિત છે, તેથી સ્તોત્રો સદ્વિધાનને કરનારાં હોવાને કારણે બીજા જીવોમાં માર્ગની પ્રાપ્તિ દ્વારા પ્રવચનની ઉન્નતિને કરનારાં હોય છે. વળી, સ્તોત્ર બોલતી વખતે સ્થાનાદિમાં ઉપયોગ હોવાથી યોગની વૃદ્ધિ થાય છે, તોપણ તે મહાત્મા સ્તોત્ર બોલતી વખતે સ્તોત્ર બોલનારા અન્ય મહાત્માની ભક્તિમાં વ્યાઘાત ન થાય તે રીતે બોલે છે, તેથી પોતાની યોગવૃદ્ધિ પરિશુદ્ધ બને છે અર્થાત્ સ્થાનાદિના આલંબનને કારણે જે યોગવૃદ્ધિ થાય છે તે અન્યની ભક્તિમાં અંતરાય ન થાય તે રીતે યત્નથી બોલાય તો તે ઉપયોગ અત્યંત વિવેકવાળો હોવાથી પરિશુદ્ધ યોગવૃદ્ધિને પ્રાપ્ત કરે છે. વળી, તે સ્તોત્ર બોલનારા મહાત્મા ભાવસાર પરિશુદ્ધ ગંભીર ધ્વનિથી બોલે છે અર્થાત્ ભગવાનના ગુણોથી પોતાનું ચિત્ત વાસિત થાય તેવા ભાવપૂર્વક અને શક્તિના પ્રકર્ષથી તે ભાવોને સ્પર્શવા માટે ગંભીરતાપૂર્વક ઉપયોગ પ્રવર્તે તે રીતે પરિશુદ્ધ ગંભીર ધ્વનિથી તે સ્તોત્રો બોલે છે, તેથી તે મહાત્મા તે તે ભાવોથી સુનિભૃત અંગવાળા બને છે. વળી, અનેક જણા સાથે સ્તોત્ર બોલતા હોય ત્યારે કોઈનો મોટો ધ્વનિ હોય તેમાં પોતાના ધ્વનિને પ્રવેશ કરાવીને ગુરુ ધ્વનિ અભિભવ ન થાય તે પ્રકારે સમ્યગ્ ઉપયોગપૂર્વક સ્તોત્ર બોલે છે. વળી, સ્તોત્રના શબ્દો અને અર્થોમાં અત્યંત ઉપયોગ હોવાને કારણે શરીરને મચ્છરાદિ દંશ આપે તેને પણ લક્ષ્યમાં લીધા વગર યોગમુદ્રાથી રાગાદિ વિષના પરમ મંત્રરૂપ મહાસ્તોત્રો બોલે છે; કેમ કે ભગવાનના ગુણોને કહેનારાં બધાં સ્તોત્રો વીતરાગતાના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શનારાં હોવાથી અનાદિકાળથી આત્મામાં સ્થિર થયેલા કષાય અને નોકષાયના પરિણામરૂપ જે વિષ છે તેને દૂર કરવા માટે પરમમંત્રરૂપ છે અને તેવાં સ્તોત્રોને તે મહાત્મા બોલે છે ત્યારે સ્તોત્રો બોલવાના કાળમાં તે મહાત્માનું ચિત્તસ્થાનયોગની મુદ્રા, ચૈત્યવંદન સૂત્રગત જે વર્ણો અને તે વર્ષોથી વાચ્ય જે અર્થ અને જિનપ્રતિમાદિ જે આલંબન તેમાં અત્યંત વ્યાપારવાળું હોય છે, તેથી જ્યારે મુદ્રામાં ઉપયોગ હોય છે ત્યારે તે મુદ્રાના બળથી વીતરાગ પાસે પોતે તે તે પ્રકારના યાચના આદિ કરે છે તેવા ભાવો ઉલ્લસિત થાય છે, વર્ણોમાં ઉપયોગ હોય છે ત્યારે તે સૂત્રોના વર્ણોનું કેમ સુવિશુદ્ધ ઉચ્ચારણ થાય તે પ્રકારનો વ્યાપાર હોય છે, અર્થમાં ઉપયોગ જાય છે ત્યારે તે સૂત્રોથી વાચ્ય જે ભગવાનના ગુણો છે તેને સ્પર્શનાર ઉપયોગ પ્રવર્તે છે, જિનપ્રતિમાનું આલંબન ગ્રહણ કરે છે ત્યારે ક્ષાયિકભાવવાળા વીતરાગ જ સ્મૃતિપટમાં સન્મુખ દેખાય છે અને તેમની સ્તુતિ કરીને હું તેમના તુલ્ય થવા યત્ન કરું છું એ પ્રકારનું પ્રતિસંધાન વર્તે છે, આમ છતાં જે સાધુમાં કે શ્રાવકમાં તે પ્રકારની પૂર્ણ શક્તિનો સંચય થયો ન હોય તો સ્થાનાદિ ચારમાંથી જેનું આલંબન લેવા તે સમર્થ હોય તગત ચિત્તથી ચૈત્યવંદન કરે, આથી જ જેઓ ચૈત્યવંદનકાળમાં અર્થ અને આલંબનનું પ્રતિસંધાન ક૨વા સમર્થ નથી, તોપણ તેની પ્રાપ્તિની તીવ્ર સ્પૃહાપૂર્વક ચિત્તને સ્થાન-ઉર્ણમાં સ્થાપન કરે તોપણ તેમની ચૈત્યવંદનની ક્રિયા સફળ છે તે બતાવવા માટે પંજિકામાં યથાભવ્યનો અર્થ કરતાં સ્પષ્ટતા કરી કે સ્થાનાદિમાંથી જેની જેમાં શક્તિ હોય તગત ચિત્તથી કરવું જોઈએ. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ લલિતવિસ્તા ભાગ-૨ વળી, સાધુ કે શ્રાવક ભગવાનનાં સ્તોત્ર બોલતી વખતે અત્યંત વિવેકવાળા હોવાથી અનેક જણ સાથે સ્તોત્ર બોલતા હોય ત્યારે કોઈનો મોટો ધ્વનિ હોય તેમાં પોતાનો ધ્વનિ પ્રવેશ પામે તે રીતે બોલીને બોલાતા સ્તોત્રથી થતા ભાવોનો વ્યાઘાત ન થાય તે રીતે બોલે છે. વળી, ભગવાનના ગુણોમાં દઢ પ્રણિધાન વર્તે તે રીતે સ્તોત્રો બોલે છે, તેથી ક્યારેક દેહને મચ્છર વગેરે દેશ આપે ત્યારે પણ ચિત્ત તેમાં ન પ્રવર્તે, પરંતુ સ્તોત્રોના અર્થમાં ચિત્ત દઢતાથી પ્રવર્તે તે રીતે જ સ્તોત્રો બોલે છે, જેનાથી ગુણસ્થાનકની સતત વૃદ્ધિ થાય છે. લલિતવિસ્તરા - एतानि च तुल्यान्येव प्रायशः, अन्यथा योगव्याघातः, तदज्ञस्य तदपरश्रवणम्, एवमेव शुभचित्तलाभः, तद् व्याघातोऽन्यथेति योगाचार्याः, योगसिद्धिरेव अत्र ज्ञापकं, द्विविधमुक्तं शब्दोक्तमर्थोक्तं च, तदेतदर्थोक्तं वर्त्तते, शुभचित्तलाभार्थत्वाद् वन्दनाया इति। एवं च सति तन्न किञ्चिद् यदुच्यते परैरुपहासबुद्ध्या प्रस्तुतस्यासारतापादनाय; तद्यथा-'अलमनेन क्षपणकवन्दनाकोलाहलकल्पेन अभाविताभिधानेन'; उक्तवदभाविताभिधानायोगात्, स्थानादिगर्भतया भावसारत्वात्, तदपरस्याऽऽगमबाह्यत्वात्, पुरुषप्रवृत्त्या तु तद्बाधायोगात्, अन्यथातिप्रसङ्गादिति न किञ्चिदेव। લલિતવિસ્તરાર્થ : અને આ નમુત્થણં સૂત્ર બોલ્યા પછી સાધુ કે શ્રાવક જે અન્ય સૂત્રો બોલે છે એ, પ્રાયઃ તુલ્ય જ છે=નમુત્થરં સૂસની તુલ્ય જ છે, અન્યથા=જો તે સૂત્રોની સદશ ભગવાનના ગુણોને સ્પર્શનારાં તે સ્તોત્રો ન હોય તો, યોગનો વ્યાઘાત છે=નમુસ્કુર્ણ સૂત્રથી આત્મામાં જે યોગ પ્રગટ થયો છે તેની વૃદ્ધિને બદલે અન્ય પ્રકારનાં સ્તોત્રોથી તેનો વ્યાઘાત થાય, તેના અજ્ઞાને ભગવાનના ગુણોને સ્પર્શે તેવાં સ્તોત્રો નહિ જાણનારા એવા શ્રાવકને અને સાધુએ, તેના અપરનું શ્રવણ કરવું જોઈએ=પોતાનાથી બીજાનાં સ્તોત્રોનું શ્રવણ કરવું જોઈએ, આ રીતે જ તેનાથી અજ્ઞ બીજાનાં સ્તોત્રો શ્રવણ કરે એ રીતે જ, શુભ ચિત્તનો લાભ છે=યોગની વૃદ્ધિ થાય એવા શુભ ચિત્તની પ્રાપ્તિ છે, અન્યથા=અજ્ઞ શ્રાવક આદિ અન્યનું શ્રવણ ન કરે અને જે તે સ્તોત્રો બોલે તો, તેનો વ્યાઘાત થાય યોગવૃદ્ધિરૂપ શુભ ચિતનો વ્યાઘાત થાય, એ પ્રમાણે યોગાચાર્ય કહે છે=યોગનું રહસ્ય જાણનારા મહાપુરુષો કહે છે, આમાં-ચૈત્યવંદનથી શુભ ચિત્તનો લાભ થયો છે એમાં, યોગસિદ્ધિ જ જ્ઞાપક છે–તમારામાં યોગસિદ્ધિ પ્રગટ થઈ છે એ જ શુભ ચિતના લાભનું જ્ઞાપક છે, બે પ્રકારે ઉક્ત છે=પ્રવચન અર્થનો દેશ બે પ્રકારે કહેવાયો છે – શબ્દથી ઉક્ત અને અર્થથી ઉક્ત. તે કારણથી=પ્રવચનનો અર્થ બે પ્રકારનો છે તે કારણથી, આ=ચૈત્યવંદન કરવાથી શુભ ભાવ થયો છે તેની જ્ઞાપક યોગસિદ્ધિ છે એ, અર્થ ઉક્ત વર્તે છે; કેમ કે વંદનાનું શુભ ચિત Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨પ૧ નમુસ્કુર્ણ સિવાયના સૂત્રો બોલીને પણ યોગમાર્ગની વૃદ્ધિ લાભાર્થપણું છે. અને આમ હોતે છતે વંદનાની ક્રિયા યોગવૃદ્ધિનો હેતુ છે એમ હોતે છતે, તે આગળ કહે છે તે, કંઈ નથી=અર્થ વગરનું છે, જે ઉપહાસ બુદ્ધિથી પ્રસ્તુતના=ચૈત્યવંદનની ક્રિયાના, અસારતા આપાદન માટે પર વડે કહેવાયું છે, તે આ પ્રમાણે – કર્મોની ક્ષપણા કરવામાં તત્પર થયેલા પુરુષના વંદનના કોલાહલ જેવા આ અભાવિત અભિધાન વડે સયું અર્થાત્ તેવું ચૈત્યવંદન યોગનિષ્પતિનું કારણ નહિ હોવાથી નિરર્થક છે. કેમ તે કથન અર્થ વગરનું છે? તેમાં હેતુ કહે છે – પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે અભાવિત અભિધાનનો અયોગ છે. કેમ અભાવિત અભિધાનનો અયોગ છે ? એમાં હેતુ કહે છે – થાનાદિ ગર્ભપણું હોવાને કારણે=વિવેકી સાધુ કે શ્રાવક પૂર્વમાં કહ્યું એ રીતે ચૈત્યવંદન કરે છે ત્યારે તેઓના ચિત્તમાં રથાનાદિ ગર્ભપણું હોવાને કારણે ભાવસારપણું છે. અહીં પ્રશ્ન થાય કે બહુલતાએ સ્થાનાદિમાં ઉપયુક્ત થઈને ચૈત્યવંદન કરનારા દેખાતા નથી, તેથી તેઓનું ચિત્ત ચૈત્યવંદનકાળમાં અભાવિત થઈને કોલાહલ કલ્પ જ દેખાય છે, તેથી ત્રીજો હેતુ કહે છે – તેનાથી અપરનું સ્થાનાદિના યત્ન વગરના ચૈત્યવંદન કરનારા સાધુનું અને શ્રાવકનું, આગમબાહ્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે તેવા આગમબાહ્ય કરનારા સાધુના અને શ્રાવકના ચૈત્યવંદનને આશ્રયીને કોલાહલ કલ્પ ચૈત્યવંદન છે તેમ સ્વીકારવું પડશે, તેના નિરાકરણ માટે ચોથો હેતુ કહે છે – પુરુષની પ્રવૃત્તિથી આગમ નિરપેક્ષ ચૈત્યવંદન કરનારા પુરુષની પ્રવૃત્તિથી, તેની બાધાનો અયોગ છે તે ચૈત્યવંદન કોલાહલ કલ્પ હોવાને કારણે અકર્તવ્ય છે એ પ્રકારની બાધાનો અયોગ છે. કેમ તેવા ચૈત્યવંદનને ગ્રહણ કરીને તે ચૈત્યવંદનને અકર્તવ્ય ન કહી શકાય તેમાં પાંચમો હેતુ કહે છે – અન્યથા અતિપ્રસંગ છે=વિવેકીની પ્રવૃત્તિને છોડીને અવિવેકીની પ્રવૃત્તિને ગ્રહણ કરીને તે ચૈત્યવંદન અકર્તવ્ય છે તેમ કહેવામાં આવે તો સર્વ કૃત્યોને અકર્તવ્ય સ્વીકારવાનો અતિપ્રસંગ આવે, એથી અર્થ વગરનું જ છે=પર વડે ઉપહાસબુદ્ધિથી ચૈત્યવંદનની અસારતાનું કથન અર્થ વગરનું જ છે. પંજિકા - द्विविधमित्यादि, द्विविधं-द्विप्रकारम्, उक्तं प्रवचनार्थदेशः, तदेव व्यनक्ति- शब्दोक्तं सूत्रादिष्टमेव, अर्थोक्तं सूत्रार्थयुक्तिसामर्थ्यगतम् । इति श्री मुनिचन्द्रसूरिविरचितललितविस्तरापञ्जिकायां प्रणिपातदंडकः समाप्तः । Page #275 -------------------------------------------------------------------------- ________________ રીપર લલિતવિસ્તરા ભાગ-૨ પંજિકાર્ય : વિમિત્કારિ ... સામાન્ II વિદ્યમિત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, દ્વિવિધ ઉક્ત છે=બે પ્રકારનો, પ્રવચનાર્થનો દેશ છે, તેને જ=બે પ્રકારના પ્રવચનાર્થના દેશને જ, વ્યક્ત કરે છે સ્પષ્ટ કરે છે – શથી કહેવાયેલું સૂત્રથી આદિષ્ટ જ, અર્થથી કહેવાયેલું=સૂત્રના અર્થતી યુક્તિના સામર્થ્યથી પ્રાપ્ત થયેલું, આ પ્રમાણે શ્રી મુનિચંદ્રસૂરિ વડે રચાયેલી લલિતવિસ્તરાની પંજિકામાં પ્રણિપાતદંડક સમાપ્ત થયો. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે સાધુ અને શ્રાવક પૂર્વમાં વર્ણન કરાયેલ નમુત્થણે સૂત્રને બોલ્યા પછી પંચાંગ પ્રણિપાત કરે છે, ત્યારપછી ઉચિત વિધિથી બેસીને રાગાદિ વિષના પરમ મંત્રરૂપ મહાસ્તોત્રો ભણે છે જેનાથી પોતાનો આત્મા ભગવાનના ગુણોથી અત્યંત વાસિત થાય તે સ્તોત્રો પ્રાયઃ નમુત્યુર્ણ સૂત્રમાં બતાવાયેલા ભગવાનના ગુણો તુલ્ય જ ગુણોને અભિવ્યક્ત કરનારાં હોય છે અને જો તેવા તુલ્ય સ્તોત્રો ન બોલે અને જે તે પ્રકારનાં સ્તોત્રો બોલે તો નમુત્થણે સૂત્રથી પ્રગટ થયેલો જે યોગનો પરિણામ છે તેનો વ્યાઘાત થાય છે, તેથી વિવેકી સાધુ અને શ્રાવકે પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે દૃઢ પ્રણિધાનપૂર્વક નમુત્થણં સૂત્ર બોલીને જે યોગનું ચિત્ત પ્રગટ કર્યું છે તેને જ અતિશય કરે તેવાં અન્ય સ્તોત્રો બોલવાં જોઈએ, જેથી તે સ્તવનો દ્વારા યોગના ચિત્તની વૃદ્ધિ થાય અર્થાતુ યોગમાર્ગમાં પ્રવર્તતા ચિત્તની વૃદ્ધિ થાય અને જેઓને તે પ્રકારનો બોધ નથી કે કયાં સ્તવનો બોલીને યોગમાર્ગના ચિત્તની વૃદ્ધિ થાય તેવા સાધુએ અને શ્રાવકે બીજાનાં તેવાં સ્તોત્રોનું શ્રવણ કરવું જોઈએ અર્થાત્ જેઓ ભગવાનની સ્તુતિ કરવામાં નિપુણ પ્રજ્ઞાવાળા છે તેઓ જે નમુત્યુર્ણ સૂત્ર બોલે તે નમુત્થણે સૂત્રથી પ્રગટ થયેલ યોગમાર્ગમાં પ્રસ્થિત ચિત્ત ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તે પ્રકારનાં અન્ય સ્તવનો ત્યારપછી બોલે, તેઓનાં બોલાયેલાં તે નમુત્થણે સૂત્રને અને સ્તવનોને અજ્ઞ સાધુએ અને શ્રાવકે સાંભળવાં જોઈએ, એ રીતે જ અજ્ઞ સાધુને કે શ્રાવકને શુભ ચિત્તનો લાભ થાય છે, કેમ કે જેઓ દૃઢ પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરે છે તેઓની ભાવિત દશાથી બોલાયેલા ચૈત્યવંદનને સાંભળીને તે અજ્ઞ જીવોને પણ કંઈક શુભ ભાવો થાય છે, અન્યથા તેનો વ્યાઘાત થાય અર્થાત્ જો અજ્ઞ જીવો અન્યનું ચૈત્યવંદન ન સાંભળે અને યથાતથા ચૈત્યવંદન કરે તો શુભ ચિત્તનો વ્યાઘાત થાય છે એ પ્રમાણે યોગચાર્યો કહે છે; કેમ કે યોગના રહસ્યને જાણનારાઓ જે ક્રિયાથી યોગના કોઈ અંશો પ્રગટે નહિ તેની ક્રિયાને શુભ ચિત્તના વ્યાઘાત કરનારી કહે છે, તેથી અન્ન જીવોએ કલ્યાણને માટે જે યોગીઓ ભાવને સ્પર્શે તે રીતે ચૈત્યવંદન કરે છે તેઓનું ચૈત્યવંદન સાંભળવું જોઈએ. ચૈત્યવંદન વાસ્તવિક રીતે કર્યું છે કે નથી કર્યું તેની જ્ઞાપક યોગસિદ્ધિ જ છે, નહિ કે યથાતથા બોલાયેલી ચૈત્યવંદનની ક્રિયા. જેમ કોઈએ કોઈ વસ્તુનો વેપાર કર્યો, તે વસ્તુથી તેને ધનની પ્રાપ્તિ થઈ નહિ, તો તેણે વેપાર કર્યો છે તેમ કહેવાય નહિ, પરંતુ ધનની પ્રાપ્તિ થાય તે જ “વેપાર કર્યો છે તેનું જ્ઞાપક છે, તેમ જ Page #276 -------------------------------------------------------------------------- ________________ નમુસ્કુર્ણ સિવાયના સૂત્રો બોલીને પણ યોગમાર્ગની વૃદ્ધિ ૨૫૩ ચૈત્યવંદનની ક્રિયાથી આત્મામાં યોગમાર્ગની કંઈક ભૂમિકા પ્રગટ થાય તે જ ચૈત્યવંદનની ક્રિયાનો જ્ઞાપક છે અને જો લેશ પણ યોગસિદ્ધિ ન થાય તો ચૈત્યવંદન કર્યું છે તેમ કહી શકાય નહિ, માટે ચૈત્યવંદન દ્વારા શુભ ચિત્તના લાભરૂપ યોગસિદ્ધિના અર્થીએ પોતાનામાં તે પ્રકારે ચૈત્યવંદન કરવાની શક્તિ ન હોય તો શાસ્ત્રમર્યાદાના જાણનારા યોગીઓ દ્વારા કરાતા ચૈત્યવંદનને જ શ્રવણ કરવું જોઈએ તેથી શુભ ચિત્તની પ્રાપ્તિ થવાને કારણે પોતે ચૈત્યવંદન કર્યું છે' તેમ નક્કી થાય. અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં જે ચૈત્યવંદનની વિધિ બતાવી છે તે વિધિ અનુસાર અજ્ઞ જીવો પણ ચૈત્યવંદન કરે અને તેઓને તેનાથી યોગની સિદ્ધિ ન થાય, તોપણ તેઓએ ચૈત્યવંદન કર્યું નથી તેમ કેમ ન કહી શકાય ? તે શંકાના નિવારણ માટે કહે છે – પ્રવચન અર્થનો દેશ બે પ્રકારનો છે – ૧. શબ્દથી કહેવાયેલો અને ૨. અર્થથી કહેવાયેલો, તેથી ચૈત્યવંદનમાં કયા ક્રમથી ક્યાં સૂત્રો બોલવાં જોઈએ તે કહેનારાં વચનો શબ્દોક્ત છે=શબ્દોથી ચૈત્યવંદન આ રીતે થાય તેમ કહેવાયેલું છે, અને સૂત્રના અર્થોની જે યુક્તિ છે તેના સામર્થ્યથી પ્રાપ્ત જે અર્થ છે તે અર્થોક્ત છે અને પ્રસ્તુત ચૈત્યવંદનની ક્રિયા અર્થોક્ત વર્તે છે; કેમ કે ચૈત્યવંદનની ક્રિયા માત્ર શબ્દ અનુસાર કરવાથી શુભ ચિત્તની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સૂત્રના રહસ્યને જાણનારા વિવેકી સાધુ કે શ્રાવક શુભ ચિત્તનો લાભ થાય તે રીતે ચૈત્યવંદન કરે તે પારમાર્થિક ચૈત્યવંદન છે તે કથન અર્થથી પ્રાપ્ત છે; કેમ કે માત્ર જિનપ્રતિમા આગળ તે ક્રમથી સૂત્રો બોલવાથી શુભ ચિત્તનો લાભ થતો નથી, પરંતુ સ્તોત્રના રહસ્યને જાણનારાને કે સ્તોત્રના રહસ્યને જાણનારાથી બોલાતાં સૂત્રોનું શ્રવણ કરનારાને જે શુભ ચિત્તનો લાભ થાય છે તેનાથી જ તેઓએ ચૈત્યવંદન કર્યું છે તેમ કહેવાય છે. શબ્દોક્ત મર્યાદાથી અજ્ઞ જીવોએ ચૈત્યવંદન કરેલું હોવા છતાં શુભ ચિત્તની પ્રાપ્તિ નહિ હોવાથી તેઓએ ચૈત્યવંદન કર્યું નથી એમ કહેવાય છે, માટે શુભ ચિત્તનો લાભ થાય તે પ્રકારના દૃઢ પ્રણિધાનપૂર્વક અજ્ઞ જીવોએ પણ બીજાનાં સ્તોત્રોનું શ્રવણ કરવું જોઈએ, જેથી તેના શ્રવણના પ્રણિધાનના બળથી પણ કંઈક યોગસિદ્ધિ થાય અને કરાયેલું ચૈત્યવંદન ફળવાળું બને અને આમ હોતે છતે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે શુભ ચિત્તનો લાભ થાય તેવું ચૈત્યવંદન કરવું જોઈએ, અન્યથા તેણે શબ્દથી ચૈત્યવંદન કર્યું છે, અર્થથી કર્યું નથી એમ હોતે છતે, અમે તે જ ચૈત્યવંદનને ચૈત્યવંદન સ્વીકારીએ છીએ જેનાથી ચૈત્યવંદન કરનારને શુભ ચિત્તનો લાભ થાય, માટે પર વડે ઉપહાસબુદ્ધિથી પ્રસ્તુત એવા ચૈત્યવંદનની અસારતાના આપાદન માટે જે કહેવાયું છે તે અર્થ વગરનું છે, ચૈત્યવંદનની ક્રિયાને નિરર્થક કહેનારા શું કહે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – કેટલાક કહે છે કે યોગમાર્ગની નિષ્પત્તિના અર્થી એવા ક્ષપણક સાધુ કે શ્રાવક કોલાહલકલ્પ ચૈત્યવંદન કરે છે તેનાથી યોગમાર્ગને અનુકૂળ ચિત્ત ભાવિત થતું નથી એવું અભાવિત ચૈત્યવંદન કરવું નિરર્થક છે. આ પ્રકારે કહેનારા તેઓ સ્કૂલ દૃષ્ટિથી મુગ્ધ જીવો જે ચૈત્યવંદન કરે છે તેને સન્મુખ રાખીને કહે છે અને કહે છે કે ખરેખર યોગ આત્માની તત્ત્વથી ભાવિત અવસ્થા છે, તેથી પરમાત્માના ગુણોથી આત્માને ભાવિત કરવો જોઈએ, તેના બદલે જિનાલયમાં કોલાહલ જેવું ચૈત્યવંદન કરીને યોગમાર્ગને વ્યાઘાત થાય તેવું Page #277 -------------------------------------------------------------------------- ________________ ૫૪ લલિતવિસ્તરા ભાગ-૨ વાતાવરણ કરે છે, માટે તેવું ચૈત્યવંદન કરવું જોઈએ નહિ, પરંતુ શાંતમુદ્રાથી પરમાત્માનાં દર્શન કરવાં જોઈએ, જેથી ભગવાનના ગુણોથી ચિત્ત ભાવિત થાય. આ પ્રકારના પરના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વમાં કહ્યું એ પ્રકારે જેઓ સ્થાનાદિમાં યત્નપૂર્વક ચૈત્યવંદન કરે છે અથવા તેના વિષયમાં અજ્ઞ જીવો સ્થાનાદિમાં યત્ન કરનારા મહાત્માઓના ચૈત્યવંદનને સાંભળે છે. તેઓનું અભાવિત અભિધાન નથી, પરંતુ સૂત્રના અર્થમાં દઢ પ્રણિધાનપૂર્વક તેઓ ચૈત્યવંદન કરે છે ત્યારે સ્થાન-ઉર્ણ-અર્થ-આલંબનમાં યથાયોગ્ય ઉપયોગ પ્રવર્તતો હોવાથી તેઓની ચૈત્યવંદનની ક્રિયા ભગવાનના ગુણોથી ભાવિત અભિધાનવાળી છે, માટે તેવી ક્રિયાને અસાર કહેવી ઉચિત નથી અને જેઓ અજ્ઞ છે અને સ્વમતિથી માત્ર શબ્દાત્મક ચૈત્યવંદન કરે છે તેઓની ચૈત્યવંદનની ક્રિયા આગમબાહ્ય છે અને તેવા પુરુષોની ચૈત્યવંદનની ક્રિયાને ગ્રહણ કરીને સર્વ ચૈત્યવંદનની ક્રિયા અસાર છે તેમ કહી શકાય નહિ, આમ છતાં આગમબાહ્ય જીવોની કોલાહલકલ્પ ચૈત્યવંદનની ક્રિયાને ગ્રહણ કરીને બધા જીવોની ચૈત્યવંદનની ક્રિયા અસાર છે તેમ કહેવામાં આવે તો સર્વત્ર અતિપ્રસંગ પ્રાપ્ત થાય, જેમ વેપારમાં અનિપુણ પુરુષ જેમ તેમ વેપાર કરીને ધનના અર્જનને બદલે ધનને અલ્પ કરે તેને ગ્રહણ કરીને વેપારને અસાર કહેવાનો અતિપ્રસંગ આવે, તેથી વિવેકપૂર્વકની ધનઅર્જનની ક્રિયા જ ધનપ્રાપ્તિનો હેતુ છે, તેમ વિવેકપૂર્વકની ચૈત્યવંદનની ક્રિયા શુભ ચિત્તના લાભનો હેતુ છે, એથી કોલાહલકલ્પ ચૈત્યવંદનને ગ્રહણ કરીને ચૈત્યવંદનની અસારતાને કહેનારું પરનું વચન અર્થ વગરનું જ છે. અનુસંધાન : લલિતવિસ્તરા ભાગ-૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ सिव-मयल-मरुअ-मणंत-मक्खय-मव्वाबाहमपुणरावित्तिसिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं / / 'શિવ-અચલ-અરુજ-રોગ રહિત-અનંત-અક્ષયઅવ્યાબાધ-અપુનરાવૃત્તિવાળા=જ્યાંથી ફરી સંસારમાં આગમન ન થાય એવા, સિદ્ધિગતિ નામવાળા સ્થાનને પામેલા ભગવાનને હું નમસ્કાર થાઓ. : પ્રકાશક : શ્રતદેવતા ભવન', 5, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com