SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૨ દુઃવાઘનુભવતઃ (પ્ર... ૩:લાઘનુમવાન્) તત્વભાવત્વોપપોઃ ૩:ઘાવીનામોચિક્રિયાઽભાવસ્વમાવ त्वोपपत्तेरिति । પંજિકાર્થ : अर्थतने ભાવસ્વમાવત્વોષપત્તેિિત ।। અર્થના બોધમાં ખરેખર ! પુરુષની બુદ્ધિ કરણ છે=પુરુષ બુદ્ધિરૂપ સાધન દ્વારા અર્થનો બોધ કરે છે, અને પ્રકૃતિનો વિયોગ થયે છતે=સાધના કરીને મુક્ત થયેલા જીવોની સાથે પ્રકૃતિનો વિયોગ થયે છતે, મુક્ત અવસ્થામાં કરણનો અભાવ હોવાથી=પ્રકૃતિજન્ય બુદ્ધિરૂપ કરણનો અભાવ હોવાથી, સર્વજ્ઞપણું અને સર્વદર્શિપણું સંભવતું નથી એ પ્રકારના પરવા આશયના નિરાકરણ માટે કહે છે • ન ચ રોત્સાહિ લલિતવિસ્તરાનું પ્રતીક છે અને એ=લલિતવિસ્તરાનું એ કથન, સુગમ છે. - ૧૬૦ = નન્નુથી શંકા કરે છે — નીલપીતાદિની જેમ બાહ્ય અર્થરૂપ ધર્મો દુઃખ-દ્વેષ-શોક-વૈષયિક સુખાદિ છે, તેથી મુક્ત અવસ્થામાં સર્વજ્ઞત્વ સર્વદર્શિત્વ સ્વીકાર કરાયે છતે બાહ્ય અર્થના વેદનવેળામાં સર્વ દુઃખાદિનો અનુભવ તેઓનેમુક્ત આત્માઓને, પ્રાપ્ત થશે એ પ્રકારની આશંકાના પરિહાર માટે લલિતવિસ્તરામાં કહે છે – = – ન ચોવિòત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે — ઔદાયિક ક્રિયાના ભાવથી રહિત જીવને=અસદ્વૈધ આદિ કર્મના વિપાકથી પ્રભવ એવા સ્વપરિણામ રહિત જીવને, જ્ઞાનમાત્રથી= પરિક્ષાનથી જ, દુ:ખાદિ નથી જદુઃખ દ્વેષાદિ ભાવો નથી જ, હેતુને કહે છે=ઔદાયિક ક્રિયાના ભાવથી રહિત જીવને જ્ઞાનમાત્રથી દુઃખાદિ નથી, તેમાં હેતુને કહે છે – તે પ્રકારના અનુભવથી=જ્ઞાનમાત્રથી જ દુ:ખાદિના અનુભવનથી, તત્વભાવત્વની ઉપપત્તિ છેદુઃખાદિની ઔદયિક ક્રિયાના અભાવ સ્વભાવત્વની ઉપપત્તિ છે=જ્ઞાનમાત્રથી જ દુઃખાદિનો અનુભવ થાય છે તેમ તમે સાંખ્યદર્શનવાદીઓ સ્વીકારો તો દુઃખાદિના ઔદાયિક ક્રિયાના અભાવસ્વભાવત્વની ઉપપત્તિ થાય. ભાવાર્થ = ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું કે આત્માનો જ્ઞાનદર્શન સ્વભાવ છે અને મુક્ત આત્મા નિરાવૃત્ત છે, તેથી સિદ્ધના જીવો સર્વજ્ઞ સર્વદર્શી છે, ત્યાં સાંખ્યદર્શનકાર કહે છે કે અર્થને બોધ ક૨વામાં પુરુષને બુદ્ધિ કરણ છે અને મુક્ત આત્માઓને પ્રકૃતિનો વિયોગ થયેલો હોવાથી બુદ્ધિરૂપ કરણનો અભાવ છે, તેથી મુક્ત આત્મા અર્થનો બોધ કરી શકે નહિ, તેને ગ્રંથકારશ્રી કહે છે = કરણના અભાવમાં કર્તા તત્ ફલનો સાધક નથી, એ પ્રકારનું સાંખ્યદર્શનકારનું વચન અનેકાંતિક છે અર્થાત્ પુરુષ જ્ઞાનસ્વરૂપ છે છતાં બુદ્ધિરૂપ કરણથી જ બોધ કરી શકે છે તેવો એકાંત સ્થાપન થઈ શકે નહિ; કેમ કે કોઈ તરવૈયો તરવામાં કુશળ હોય તો નાવરૂપ કરણ વગર પણ નદીને તરી શકે છે અને અકુશળ હોય એવો પુરુષ નાવથી તરી શકે છે એ પ્રકારે અનુભવથી દેખાય છે, તેમ જે જીવોનાં
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy