________________
૮-મનુષ્યભવની દુર્લભતામાં
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દશદૃષ્ટાંત
(૨) પાશક- પાશક એટલે પાશા. પાશા જુગાર રમવાના ઉપકરણવશેષ છે અને લોકમાં પ્રસિદ્ધ છે. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે– ચંદ્રગુપ્તરાજાના રાજ્યભંડારમાં ધનની વૃદ્ધિ કરવા માટે ચાણક્યે (દેવતાની સાધનાથી અજેય પાશા મેળવીને) એક પુરુષને પાશાથી જુગાર રમવાનું શીખવાડ્યું. વરદાનથી અપાયેલા પાશાઓથી તે લોકોને કહેવા લાગ્યો કે– પાશાની રમતમાં જે મને જીતે તેને હું સોનામહોરોનો થાળ આપું અને હું જીતું તો તમારે મને એક જ સોનામહોર આપવી. આ પ્રમાણે લોભથી હણાયેલ સર્વલોક તેની સાથે રમે છે. વરદાનથી અપાયેલા પાશાઓથી રમતા તેને શું કોઇ જીતે ? કદાચ કોઈ પુરુષ તેને પણ જીતે, તો પણ મનુષ્ય જન્મ ફરી મળતો નથી.
(૩) ધાન્ય- તલ વગેરે ધાન્ય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે– અસદ્ભાવ સ્થાપનાથી (=માનસિક કલ્પનાથી) ભરતક્ષેત્રમાં તલ, મગ, અડદ વગેરે જેટલાં ધાન્યો છે તે બધાંય એક જ સ્થળે ભેગા કરવાના. (મોટો ઢગલો કરવાનો.) તેમાં એક પ્રસ્થ પ્રમાણ સરસવના દાણા નાખવાના. પછી ફેરવી ફેરવીને બધાય સરસવોને ધાન્યોમાં અત્યંત ભેળવી દેવાના. પછી અત્યંત જીર્ણ શરીરવાળી કોઈ વૃદ્ધા તે સરસવોને લેવા માટે એક એક સરસવને શોધે. આ પ્રમાણે સરસવને ગ્રહણ કરતી તે વૃદ્ધા સરસવોના પ્રસ્થને શું પૂર્ણ કરે? કદાચ દેવતાના પ્રભાવથી તેવું બને પણ ખરું. પણ ફરી મનુષ્ય જન્મ મળતો નથી.
(૪) જુગાર- રાજ્ય લઈ લેવાની ઇચ્છાવાળો પુત્ર જીતશત્રુ રાજાને હણવાની ઇચ્છાવાળો થયો. કારણ કે વિષયતૃષ્ણા આદિથી જીવો નિંદાને ગણકારતા નથી. મંત્રીએ આ વાત રાજાને કહી. જીતશત્રુરાજાએ પણ પુત્રને કહ્યું: અમારા કુળમાં જે શ્રમ વિના જલદી રાજ્યને ઇચ્છે છે તે જુગા૨ ૨મીને જીતીને રાજ્ય ગ્રહણ કરે. તેથી તું મારી સાથે જુગાર રમ. રાજકુમારે આનો પણ સ્વીકાર કર્યો. રાજાની સો થાંભલાઓથી બનાવેલી રાજસભા હતી. એક એક થાંભલામાં એક સો આઠ વિભાગો (હાંસો) હતા. તે રમતમાં એક દાવ પુત્રનો અને બાકીના બધાય દાવ રાજાના, અર્થાત્ એકવાર પુત્ર દાવ નાખે અને જીતે તો એક વિભાગ (=હાંસ) જીત્યો ગણાય. પછી જેટલા વિભાગ છે તેટલા બધાને જીતવા રાજા દાવ નાખે. પછી નવેસર રમત શરૂ થાય. તેમાં પણ એકવાર પુત્ર દાવ નાખે અને જીતે તો એક વિભાગ (હાંસ) જીત્યો ગણાય. પછી જેટલા વિભાગ છે તેટલા બધાને જીતવા રાજા દાવ નાખે. આ પ્રમાણે એક એક વિભાગને એક સો આઠ વાર જીતીને રાજ્ય પ્રાપ્ત કરી શકાય. આ કેવી રીતે બની શકે? આમ છતાં કદાચ દૈવી પ્રભાવથી આ બન્ને પણ ખરું. પણ ફરી મનુષ્ય જન્મ ક્યાંથી મળે? અર્થાત્ ફરી મનુષ્ય જન્મ મળતો નથી.
(૫) રત્ન– કોઈ વૃદ્ધ વણિકના ઘરમાં વિવિધ રત્નો હતાં. તે જે નગરમાં રહેતો હતો તે નગરમાં (એવો રિવાજ હતો કે) ઉત્સવના દિવસોમાં જે ધનવાનના ઘરમાં જેટલા ક્રોડ ધન હોય તેટલી ધજાઓ તે પોતાના ઘર ઉપર ફરકાવે. પણ આ વૃદ્ધવણિક પોતાના