________________
અથ શ્રી ઉપદેશ શતક. ते मृत्युलोके भूमि भार भूता,
मनुष्य स्वरुपेण मृगाश्चरंति ॥ ६ ॥ ભાવાર્થ-જે મનુષ્યમાં વિદ્યા, તપ, દાન, શીયળ અને ધર્મ વગેરે ગુણ ન હોય તે મનુષ્ય આ પૃથ્વી પર ભારભુત છે, એટલે તેનું શરીર મનુષ્યનું, બાકી પશુ સમાન જાણ.
દાન વિષે રાજા અને પ્રધાન વચ્ચે સંવાદ. श्लोकः-आपदार्थं धनं रक्षेत् भाग्यवानं कचापदः ।
कदापि कुपितो दैवः संचितो पि विनस्यते ।।
ભાવાર્થ એક રાજા દાન દેવામાં શૂરે હતે. દરેકને મેં માગ્યું દાન આપતે, આ પ્રમાણે હંમેશા ચાલશે તે રાજા રાજ્યગાદી પણ કદાચ ગુમાવી બેસશે એમ ધારી પ્રધાને રાજાના બેસવાના ઠેકાણે લખ્યું કે,
आपदार्थं धनं रक्षेत् । હે રાજન ! ધન જેને તેને મેં માગ્યું નહિ આપતાં સાચવી રાખવાની જરૂર છે, કારણકે અણધારી આફત વખતે ધન ઘણું જ ઉપયોગી થઈ પડે છે. આ પ્રમાણે વાંચી નીચે રાજાએ લખ્યું કે,
भाग्यवानं कचापदः॥ ભાગ્યવાન માણસને કેઈ પણ જાતની આફત આવેજ નહિ, એ ચોક્કસ માનવું.
ત્યારે નીચે પ્રધાને લખ્યું કે,
__कदापि कुपितो दैवः। કદાચ દેવ કે પાયમાન થાય ત્યારે શું થાય? ત્યારે રાજાએ જણાવ્યું કે,
संचितो पि विनस्यते ॥