Book Title: Updesh Sagar
Author(s): Mahavir Vidyalay
Publisher: Mahavir Vidyalay

View full book text
Previous | Next

Page 232
________________ રર૪ શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થ સાધુએ અનાદિકનો મુદ્દલ સંગ્રહ કરે નહિ, પાતરાને લેપ થાય એટલું ઘી વગેરે રાખવું નહિ. પણ પક્ષી જેમ પત્ર [ પાંખ ] એકઠી કરીને ઉડે છે, તેમ સાધુએ પાત્ર [પાતરાં] એકઠાં કરીને કશી પણ અપેક્ષા રાખ્યા સિવાય વિચરવું. | ભાવાર્થ:–લજજાવાન સાધુ નિર્દોષ આહાર વિહાર સંયમ માર્ગે વિચરે છે, અને ગામ યા નગરમાં નિત્ય [ સ્થિર ] વાસ કરતું નથી, અને પ્રમાદી ગૃહસ્થના સમુહમાં અપ્રમાદી રહીને સૂઝતે આહાર ગ્રહણ કરે છે. [૧૭] ભાવાર્થ –સર્વોત્કૃષ્ટ જ્ઞાની, સર્વાધિકદર્શી અને અનુત્તર જ્ઞાન, દર્શનના ધારણ કરનાર અરિહંત જ્ઞાતપુત્ર વૈશાલિક [ સિ. દ્વાર્થ અને ત્રિશલાના પુત્ર ] શ્રી મહાવીર ભગવાને આ પ્રમાણે કહ્યું છે. [૧૮] છઠું અધ્યયન સંપૂર્ણ અધ્યયન સાતમું. ભાવાર્થ –પણાને નિમિત્તે કઈ [ માંસાહારી ] માણસ મેંઢને ઉછેરે, તેને જવ, મગ, મઠ વિગેરે ખવડાવે છે અને પિતાના ઘરના આંગણે તેને પાળી પિષીને પુષ્ટ કરે. [૧] - ભાવાર્થ–પછી જ્યારે તે રાતે માતે, મોટા પેટવાળે અને પુષ્ટ શરીરવાળો થાય ત્યારે ઘરનો ધણી એમ ઈચ્છે છે કે હવે પર આવે તે સારૂં. [૨] ભાવાર્થ-જ્યાં સુધી પરણે ન આવે ત્યાં સુધી તે બિચારૂં પ્રાણી (માંસાહારીને ઘેર ) જીવવા પામે છે, પણ પરણે આવ્યું કે તરત જ તેનું માથું છેદાય છે અને તે ખવાય છે. [૩] ભાવાર્થ-જેવી રીતે પરેણાની ખાતર મેંઢાનું સારી રીતે પાલનપોષણ થાય છે, તેવી રીતે મૂર્ખ અને અજ્ઞાની મનુષ્ય નરકની જીદગી માટે પાપનું પિષણ કરે છે. (૪) ભાવાર્થ --એ પ્રાણઘાતક મૂર્ખ માણસ જીવહિંસા કરે છે, મૃષાવાદ બેલે છે, વાટપાડુને ધધ કરે છે, ચોરી કરે છે, અદત્તાદાન લે છે અને કોઈનું ધન હરવાનું ચિંતવન મનમાં કર્યા કરે છે. (૫)

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250