________________
૧૮૦
સૂત્રકૃતાંગ.
યક્ષ છે, એ યુક્તિયે બાધિત હોવાથી સાંભળવાયેગ્ય નથી. વળી તમે કહ્યું “અપરિમાણને જાણે, તેપણ યુક્તિરહિત છે. કારણ કે અપરિમિત જાણવા પણું છતાં જે તે સર્વજ્ઞા ન હોય, તે તેને હેય, ઉપાદેય, ઉપદેશ દાનના વિકલપણાથી તેને બુદ્ધિવાને ન સ્વીકારે, તે પ્રમાણે તેનું કીટસંખ્યાનું પરિજ્ઞાન પણ ઉપયોગીજ છે. કારણ કે આ વિષયમાં એનું અપરિજ્ઞાન જ છે, તે બીજી જગ્યાએ પણ અજ્ઞાન હશે એવી શંકાથી હેય, ઉપાદેયમાં તેનું અજ્ઞાનપણું ધારીને બુદ્ધિમાન પુરૂષની પ્રવૃતિ (જિજ્ઞાસા) તેના તરફ ન થાય. જેથી સર્વજ્ઞપણું ઈચ્છવાજોગ છે. (કે જેથી તેને ઉપર વિશ્વાસ થાય) તથા તમે કહ્યું કે, “સ્વાપ ( સૂતેલા ) બોધ (જાગેલા) ના વિભાગવડે પરિમિત જાણે” આ બાબત પણ સર્વજનેમાં સામાન્ય હેવાથી કંઈપણ વિશેષ નથી, તથા કેટલાક વાદી એમ કહે છે કે “બ્રહ્માને ઉંઘવામાં તથા જાગવામાં લોકને પ્રલય તથા ઉદય થાય છે, તે પણ યુક્તિથી વિરૂદ્ધ છે. એ બાબત પૂર્વે કહી ગયા છીએ, તેમ સર્વથા બધા જગતની એકદમ ઉત્તિ થાય, અને પાછવિનાશ થાય એવું નથી,” આવું જગત કદાપિ નહતું એવું નથી. આ વચન જાણીતું છે તેથી, એ પ્રમાણે અનંતાદિક લેકવાદને પરિહરીને જેવું હોય તે વસ્તુને સ્વભાવ પાછલી અધ ગાથાવડે બતાવે છે. જે કેટલાક રસ અને સ્થાવર આ સંસારમાં પિતાના કર્મની પરિણતિને અનુસરે સંસારમાં