________________
ગ્રામીણ કુલપુત્ર
તેઓનું વચન સ્વીકારી આગળ જતાં એક ઠેકાણે વિવાહમાં હસ્તમેળાપ થતો જોઇને વિવાહના મંડપમાં જઇ તે બોલ્યો કે, ‘આવું ન થાઓ-આવું ન થાઓ,' આ શબ્દો સાંભળી ત્યાં ભેગા મળેલા લોકોમાંના કેટલાકે તેને ખૂબ માર્યો, જેથી તેણે અગાઉ બનેલી અને શીખેલી સર્વ સાચી વાત જણાવી, ત્યારે તેઓએ સમજાવ્યું કે, મૂર્ખ ! એવા સમય પર તો ‘નિરંતર થાઓ-નિરંતર થાઓ' એમ બોલવું.”
તે સાંભળી, તે શબ્દો યાદ રાખી ત્યાંથી વિદાય થયો. આગળ જતાં એક માણસના પગમાં બેડી નંખાતી જોઇને તે બોલ્યો કે, “નિરંતર થાઓ-નિરંતર થાઓ' આ વચનો સાંભળતાં જ તે પુરુષના સંબંધીઓએ તેને માર માર્યો, ત્યાં પણ સાચું બોલવાથી તેઓએ કહ્યું કે, ‘અરે મૂર્ખ ! આવા પ્રસંગ પર તો-જલ્દી છૂટા થાઓ-જલ્દી છૂટા થાઓ' એમ બોલવું. તે મનમાં યાદ રાખીને આગળ વધ્યો, રસ્તામાં બે જણા મૈત્રી બાંધતા હતા, તેમને દેખી નજીક જઇ તે બોલ્યો કે, જલ્દી છૂટા થાઓ-જલ્દી છૂટા થાઓ' જેથી તેમણે પણ માર માર્યો તેમની પાસે પણ સત્ય બોલવાથી છૂટ્યો અને કોઈ એક ગામમાં આવી પહોંચ્યો, ત્યાં કોટવાળના ઘરમાં તે નોકરી કરવા રહ્યો, એકદા દુષ્કાળ સમયે તે કોટવાળના ઘરમાં ખાવા માટે રાખ તૈયાર કરેલી, તે વખતે કોટવાળ ચોરામાં ગયેલ હોવાથી પેલો મૂર્ખ તેને બોલાવવા ગયો. ત્યાં ઘણા માણસોની મંડળી બેઠી હતી, તેઓની સમક્ષ મોટા શબ્દે (ઘાંટો પાડી) બોલવા લાગ્યો કે, “ચાલો ચાલો રાબ ઠંડી થઇ જશે” તે સાંભળી કોટવાળ ઘણો જ શરમાઇ ગયો અને ઘેર આવી તેને ખૂબ માર્યો અને શીખવ્યું કે, “મૂર્ખ ! આવી શરમભરી વાત તો ખાનગીમાં જ કહેવી, કદાપિ ચાર જણના સાંભળતા બોલવી નહીં.
ત્યારબાદ થોડા દિવસ પછી ઘરમાં આગ લાગી, તે વખતે કોટવાળને બોલાવવા માટે તે ચોરા ઉપર આવ્યો, આ વખતે પણ અગાઉની માફક મંડળી બેઠેલી હતી જેથી તે કાંઇ પણ બોલ્યા વિના મૂંગો જ ઊભો રહ્યો; અને ઘણીવારે લોકોના સમુદાય વીખરાઇ ગયા પછી તેણે કહ્યું કે, “સ્વામિ ! આજે આપણા ઘરમાં આગ લાગી છે.” તે સાંભળી કોટવાળ ગુસ્સે થઇ બોલ્યો કે, “તારા જેવો મૂર્ખનો સરદાર કોઇ પણ નહીં હોય, એમાં કહેવા શું આવ્યો અને ક્યારનો મૂંગો મૂંગો શું ઉભો રહ્યો ? એવા પ્રસંગે તો જલ્દી જલ્દી ધૂળ, રાખ, માટી કે પાણી નાંખવું જેથી તરત જ આગ ઓલવાઇ જાય.'
એક સમયે કોટવાળ હજામત કરાવી મસ્તકના વાળ (ચોટલી) સુગંધી ધૂપથી ધૂપતો હતો, તે સમયે વાળમાંથી ધૂમાડો નીકળતો દેખી મૂર્ખ માન્યું કે, અરે ! આગ લાગી, તેથી તરત જ તેના ઉપર ધૂળ અને પાણી નાખવા લાગ્યો.
આવી રીતે ખરો ભાવાર્થ (હેતુ) તથા સમયને નહીં જાણી શકનારા પણ ધર્મને અયોગ્ય જાણવા.
૪. પહેલાંથી કોઇએ વ્યુગ્રાહિત કરેલ (ભરમાવેલ) હોય તે પણ ગોશાલાથી ભરમાઇ ગયેલા નિયતિવાદી વિગેરેની જેમ ધર્મને અયોગ્ય સમજવા. એ રીતે ચારે દોષવાળા મનુષ્યો ધર્મને અયોગ્ય જાણવા.
૧. મધ્યસ્થવૃત્તિ-સમર્દષ્ટિ; તે આર્દ્ર કુમારાદિ જેવા ધર્મને યોગ્ય મધ્યસ્થવૃત્તિવાળા જાણવા.