Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 21
________________ દેવ-ગુરુ-ધર્મની નિંદા ન થાય એવું કરવું જોઈએ એના બદલે તમે દેવ-ગુરુ-ધર્મની નિંદા થાય એવું કર્યું-કરાવ્યું એટલે “પડિસિદ્ધાણં કરણે " દોષ આવ્યો. ઉત્તમ પુરુષોની ઇમેજ પ્રભાવ વધે એવું કરવું જોઈએ. એવું ન કર્યું તેથી કિાણમકરણે દોષ લાગ્યો.” સભાઃ “ઉત્તમ પુરુષોની મહાનતા વધે એવું કાર્ય કોણે કર્યું છે?” ગુરુજી: “ગોશાળો સ્વભાવે ટીખળી છે. ગમે ત્યાં ગમે તેની સાથે પંગો લઈ લે. ગોશાળાએ એક જગ્યાએ શ્રાપ આપ્યો કે મારા ગુરુના તપના તેજથી મહોલ્લો બળી જાય ! વ્યંતર દેવોએ પ્રભુની ભક્તિના કારણે મહોલ્લો બાળી નાંખ્યો.” સભાઃ “આ વ્યાજબી કહેવાય?” ગુરુજી: “વાસ્તવમાં વનસ્પતિ, કીડી, વાંદા વગેરે જીવોની હિંસા થઈ છતાં વ્યાજબી એટલા માટે કે મોટા પુરુષોની હીનતાન થાય એના માટેનો પ્રયત્ન છે. ઇન્દ્ર મહારાજા ભગવાનના જન્મ વખતે ઉદ્દઘોષણા કરાવે છે કે ભગવાન અને ભગવાનની માતાનું કોઈએ અહિત વિચાર્યું તો એના મસ્તકના સાતટુકડા કરી નાખીશ. ઈન્દ્ર મહારાજાએ આ જાહેરાત દ્વારા પ્રભુને લોક નજરથી ઉપર ઊઠાવવાનું કામ કર્યું છે. મોટા પુરુષોને હલકા પાડવા, ઇમેજ તોડી નાખવી એ બહુ મોટું પાપ છે. વર્તમાનનું તમારું ભૌતિક શિક્ષણ દેવ-ગુરુ-ધર્મને હલકા પાડવાનું મોટા પાયે કામ કરે છે. ન્યૂઝ પેપરો પણ દેવ-ગુરુ-ધર્મની નિંદા કરવામાં પાછી પાની કરતા નથી.આવા ન્યૂઝપેપરને ખરીદવા એ પણ પરોક્ષ રીતે દેવ-ગુરુ-ધર્મની નિંદા કરી કહેવાય.” સભાઃ “આપણો ધર્મતો મૈત્રીભાવમાં નથી માનતો?” પ્રાર્થના : 2 પડાવ : 6

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112