Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 52
________________ પાંડવો અને કૌરવો વચ્ચે જે ઝગડા હતા તે ભૌતિક બાબતે હતા માટે એને ધર્મયુદ્ધ ન કહેવાય. જેને પાપ-પુણ્યના ફંડા ક્લિયર નથી તો પ્રોપર પ્રાયશ્ચિત કેવી રીતે આપશે? સંવિજ્ઞ-ગીતાર્થ ગુરુ જ સાંગોપાંગ આલોચના આપી શકે. આલોચના એ જૈન શાસનની મોનોપોલી છે. એવી રીતે (1) ભવનિર્વેદ,(૨) માર્થાનુસારિતા, (3) ઇષ્ટફળસિદ્ધિ, (4) લોકવિરુદ્ધ ત્યાગ (5) ગુરુજનપૂજા અને (6) પરાર્થકરણ. આ છ પ્રાર્થનામાં જે માગણીઓ કરી છે તે તમે અન્ય ધર્મમાં પણ પામી શકો છો. સુહગુરુજોગો અને તāયણ સેવણા આભવમખંડા એ લોકોત્તર સૌંદર્ય છે. જૈનધર્મ અત્યંત પ્રામાણિક છે કે જે દર્શનમાં જેટલો વિકાસ થઈ શકે તેટલો ઉલ્લેખ કરે છે. છ પ્રાર્થના પછી આગળનો વિકાસ કોઈ સાધકમાં દેખાય તો એમાં તે-તે ધર્મશાસ્ત્રો વગેરે કારણ નથી પણ અંતરનો સહજ ઉઘાડ થતાં કેવલજ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે. 84 લાખ જીવાયોનિમાં 14 લાખ મન્યુષ્ય છે. એમાં સંજ્ઞા પંચેન્દ્રિય મનુષ્ય કેવલ અઢીદ્વીપમાં છે. એમાં મોટા ભાગના મનુષ્યો અનાર્ય છે. એમનામાં કાંઈધર્મ જેવું નથી. વર્તમાન દુનિયાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો મનુષ્યની મોટી સંખ્યા ખ્રિસ્તીઓ અને મુસલમાનોની છે. પછી હિન્દુ વગેરે આવે. એમાં જૈનધર્મ પાળનારા બહુ ઓછા. એમાં પણ સાધુ તો ખૂબ જ ઓછા છે.” સભાઃ “માઇક્રો માઈનોરિટી છે.” ગુરુજીઃ “વાત સાચી છે. સાધુઓની સંખ્યા માઇક્રોમાઇનોરિટીમાં છે. સંવિજ્ઞ-ગીતાર્થ શુદ્ધ પ્રરૂપક પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતનાં તમને દર્શન થાય તો તમને લાગે કે આ યુનિક છે.” પ્રાર્થના : 2 45 પડાવ : 7

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112