Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 63
________________ કિલો જાર સવાર-સાંજ પારેવાંને નંખાતી. પણ દાણા વીણતાં આ કાળજી રાખવાની વાત સાસુજીએ એકવાર કહી પછી ભૂલ ન થઈ. મુકુંદરાયના માતુશ્રી કહે છે કે હું નવી પરણીને આવી. દીવાસળીની ડબ્બી નવી-સવી આવેલી. સવારે એક સળી વપરાય. બપોરે દેવતા(અગ્નિ)ભરવાનો. સાંજે દેવતાને ચેતાવીને (ફૂંક મારીને) રાંધવાનું, કોડિયાં પેટાવવાનાં. મારા પિતાજીને ત્યાં દીવાસળી બહુ જોઈ હતી એટલે અગ્નિ ભરવાની ટેવ નહીં. એક દિવસ સવારમાં જ બે દીવાસળી અને સાંજે દેવતા સરખો ભરેલો નહીં એટલે ત્રીજી દીવાસળી વાપરવી પડી. આ વાતની સસરાને ખબર પડી એટલે “આજે દિવસ સારો છે, મુરત સારું છે” કહી અમને અલગ કર્યા. વડીલોનું અનુશાસન કેવું? કરકસર ખવરાવ્ય-પીવરાવ્યું નહીં, પણ એવી કે દાણો સાફ કરતી વખતે એક પણ દાણો ઢોળાવો ન જોઈએ.પારેવાંને બે-ચાર ગડિયાં (માપ) જાર નંખાય. પણ લેતાં કે નાંખતાં દાણો ઢોળાવો ન જોઈએ. વાડામાંથી ઘેર સોંસરવી નીરણ લાવી ઢોરને નાંખવા સવારે-રાત્રે નીકળવાનું પણ તણખલું હેઠે ન પડવું જોઈએ. છાણ લેતાં, છાણાં થાપતાં, સૂકવતાં છાણ ચોંટી ન રહેવું જોઈએ. ધોયેલાં કપડાં એવી રીતે સંકેલવા કે પહેરતી-ઓઢતી વખતે વાર જ ન લાગે. આ બધી વાતોમાં ભૂલ થાય તો દાદાને ન ગમે. કરકસર એવી કે ચાર દિવસે એક દીવાસળી (માચીસની સળી) વાપરું.” સભાઃ “અમારે તો જમતાં જમતાં કેટલાય દાણા નીચે પડે.” ગુરુજી: “દક્ષિણ ભારતના પ્રસિદ્ધ કવિ તિરુવલ્લુવરે લગ્ન પછી પત્નીને કહ્યું કે હું જમવા બેસું ત્યારે પાટલા પરસોયો (ચીપિયો) અને પાણીનો એક વાટકો અચૂક મૂકવા. પત્નીએ પતિની આજ્ઞા સ્વીકારી. સવારે અને સાંજે પતિ જમવા બેસે ત્યારે બધી સામગ્રી સાથે સોયો-વાટકો પણ અચૂક મૂકે. પ્રાર્થના : 2 પ૬ પડાવઃ 8

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112