Page #1
--------------------------------------------------------------------------
________________ ભાગ-૨ V પ્રાર્થના જયવીયરાય સૂત્ર 'તે નિઃસ્વાર્થ
Page #2
--------------------------------------------------------------------------
________________ પ્રાર્થના જયવીયરાય સૂત્ર ભાગ-૨ જે નિ:સ્વાર્થ : પ્રકાશક : પરમાર્થ પરિવાર * * * . કરી * * જાય = કામ કરતા કરી કેમ કરી છે તકનીકી it. HERE નામદાર * વાડા'' કરો માનનો ક રકમ શિત નીક કરી : Bhikha* * * નમ: - : -w ; * * કે ET-2 રીત : -કજ છે છે. * તમારો ક.* - * * T નેતા નથી જ FEE: ' જેમાં છે. રા - ઈ :: રાજક ( >> *" જનાર કર માદા કામ
Page #3
--------------------------------------------------------------------------
________________ TOP (ાપ્તિસ્થાન : પરમ કે. સંઘવી આર. કે. મેટલ ઈંડસ્ટ્રીઝ ૪એ, જવાહર મેન્શન બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, ફણસ વાડી, વિનય હોટલની બાજુમાં, મુંબઈ - 400 004 પરમભાઈ : 9820441030 અલ્પેશભાઈ : 9867162234 રાજુભાઈ : 9867170852 અંકીતભાઈ : 9867170831 છે કકકકરનાર 13 પદ્ધ અ***ીધા F /hકમનનગારી રાજકોટ, : 1 11 છે a nts કામ કર, Retry FEE HERE કાક TET Exhifflifal :શાકાકામા - પ્રા .ni. hth #મ દાદા-1 Hit liET ki]tપER - - તુલા-Shતક - કકકકકકd - કક :. . 1 * : Fli E કદી કાજ, is best, f/7. 00/3.be: Jes, fit રાધા list? માતા - કાર : 8 હજાર ., . t ::/ 2018 4i . TEEngt; it જોકે , હ ' ' Sત દE લી the કિ. f, WHEN કિલર i5I3 from મી.,
Page #4
--------------------------------------------------------------------------
________________ સુકૃત સહભાગી શ્રી સિધ્ધાચલ ભાડતીર્થાધિપતિ શ્રી આદિનાથાય નમ: શ્રી સંભવનાથ સ્વામીને નમઃ શ્રી પદમ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિ સદૃગુરૂભ્યો નમ: અધ્યાત્મયોગી પ.પૂ.આ.દે.શ્રી.વિ.કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.દે.શ્રી.વિ.પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી સર્વશ્રેષ્ઠ તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થે પાલીતાણા નગરે આવેલા શ્રી કચ્છ વાગડ - સાત - ચોવીસી જૈન સમાજ સંચાલિત શ્રી વેલજી દામજી ભણશાલી જૈન યાત્રિક ભવનમાં થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી પુસ્તક પ્રકાશનનો લાભ લીધો છે. તેની ખુબ ખુબ અનુમોદના : નોંધ : ગૃહસ્થ આ પુસ્તકની માલિકી કરતાં પૂર્વે 2.40 જ્ઞાનખાતામાં જમાં કરવાનાં રહેશે.
Page #5
--------------------------------------------------------------------------
________________ : નોંધ: આ પુસ્તક આપને અન્ય કોઈ નામે પ્રકાશિત કરવું હોય તો અંદરની મેટર યથાવત્ રાખીને પ્રકાશિત કરવાનો હક્ક પરમાર્થ પરિવાર આપને આપે છે. આ પુસ્તક વાંચ્યા પછી જરૂર ન હોય તો નીચેના ઠેકાણે પરત કરવી આર. કે. મેટલ ઈંડસ્ટ્રીઝ ૪/એ, જવાહર મેન્શન બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, ફણસ વાડી, વિનય હોટલની બાજુમાં, મુંબઈ - 400 004 મો. 9820441030 પર ન ર - - કાકી ht " 'કોમ 48. Rang દરેક :- ** રાજકMediાનાર FEaa નિક sec ધારાસ * 1 HEaa કna કે, છે નક ના - - - કરે RTE ના EMI Editing : કારતક - - કક * : -મકર ** અમારૂ દિયર કાકા-કાકે કે, કડHક માડમના /id=0. છે. માદા કસ ક THE- ક ક , ; કકકકકકક 11મhavi કકકર liai' , ના કરકર - E રોજ એક કાકા થયા છે cr":"'"iii કરે છે કે જિક કાકર RTH REH.. : કડક છે & રીટાળી you? - Etપકો કાકા efore - - B કેક - : ક, કોટક gi he છે કે મારા અથર્વ વનrtainment કોનીઝ, " * * જ. www.edu/ - હકિક દા R. B. .
Page #6
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના બિલ્ડીંગમાં એક ઘરે પુત્રનો જન્મ થયો. બિલ્ડીંગમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. બાજુની બિલ્ડીંગમાં યુવાનનાં લગ્ન હતાં. સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે જ, જેનાં લગ્ન હતાં તે યુવાનનું મૃત્યુ થયું. બિલ્ડીંગમાં સર્વત્રશોક છવાઇ ગયો. આ ઘટનાની વાત અમે ગુરુભગવત કરી ત્યારે ગુરુભગવંતે અમને એક પંક્તિ સમજાવી, “એક ઘરે ધવલમંગલહુવે, એક ઘરે રુબહુનાર રે, એકરામારમે કંતશું એક છેડે શયલ શણગાર રે.” દેખાતાં વિશ્વમાં રોજના પ્રાયઃ 1 સેકંડમાં ચાર મનુષ્યનો જન્મ થાય છે અને બે મનુષ્યનું મૃત્યુ થાય છે. તેથી રોજના 3,45,600 મનુષ્યનો જન્મ થાય છે, તથા 1,72,800 મનુષ્યનું મૃત્યુ થાય છે. સંસારનું કારમું સ્વરૂપ જોતાં અમે ધ્રૂજી ઊઠ્યા. ગુરુભગવંતને કારમા સંસારનો અંત કેવી રીતે લાવવો? એ પ્રશ્ન પૂછ્યો. ગુરુ ભગવંતે સંસારનો અંત લાવવા માટે અમને “પ્રાર્થનાસૂત્ર”ની સમજ આપી. ગમતાનો ગુલાલ એ ન્યાયે “પ્રાર્થના” પુસ્તક પરમાર્થ પરિવાર પ્રકાશિત કરી રહ્યો છે. પ્રાર્થના-પુસ્તકમાં જિનાજ્ઞાવિદ્ધ તથા ગુરુ ભગવંતના આશયવિરુદ્ધ નિરુપણ થયું હોય તો મિચ્છામિદુક્કડમ્.... ધ્યાન દોરવા નમ્ર વિનંતી સાથે.. પરમાર્થ પરિવાર
Page #7
--------------------------------------------------------------------------
________________ ' અનુક્રમણિકા 01 23 48 પડાવ 6 ... ઝક પડાવ 7 ઝક પડાવ 8 ઝક પડાવ 9 ઝમ પડાવ 10 ... પડાવ 11 ......................... 71 - છે જિf &ii. /WWay b '. - # n 5-7 stઇરzarreforms તા.રરાજ * જ. :: છે ના artist , [માથાના કામમાં કાયદાકWNL+TIFE હા ! " , કે નાdreditary - Meaninફગર ref=Ter" " પર પડ કરો: મદદથી P : * * '' પ * રહi STEP.7*7;1* , Thકે. ' hક, કે.કા 15th E- Ek' " - : , N: : ; . , IT'S 1 & 13 પર જન- DEEPA E! 1 : ress as 1. * 3 d First : પિ કે . . s, ન કર [' - to તે ના Id f.'', ' કરી * * f*ltis arry
Page #8
--------------------------------------------------------------------------
________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | I અનંતલબ્લિનિધાન-ગૌતમસ્વામિને નમઃll પડાવ : 6 જળ ભરી સંપુટ પત્રમાં,યુગલીક નર પૂંજત ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંતઃ દયાનંદ સરસ્વતી આપણે ભવનો અંત લાવવા માટે ભેગા થયા છીએ. એકવાર સ્વામી દયાનંદ સરસ્વતી મંદિરમાં ગયા હતા ત્યાં એમણે શિવલિંગ પર ઉંદર ફરતો જોયો અને એમને વિચાર આવ્યો કે જે પોતાનું રક્ષણ નથી કરી શકતો એ મારું શું રક્ષણ કરશે? જયાં જયાં ભગવાનની મૂર્તિ છે ત્યાં ત્યાં ભગવાને રક્ષા કરવા આવવું પડે એવી દયાનંદ સરસ્વતીની માન્યતા છે કેમ કે તેમને ભગવાનના સ્વરૂપનો બોધ જ નથી. જ્યાં જ્યાં પોતાની મૂર્તિ છે ત્યાં એ મૂર્તિની રક્ષા કરવા ભગવાને આવવું પડે તો એ ભગવાન ન કહેવાય, ચોકીદાર કહેવાય. ભગવાનનું મંદિર બને કે તૂટે એનાથી ભગવાનને કોઈ મતલબ ન હોય. જો ભગવાન મંદિર બને કે તૂટે એનું ધ્યાન રાખે છે તો એનો મતલબ ભગવાનમાં રાગ છે અને જેનામાં રાગ હોય એ ભગવાન ન કહેવાય. ઘણા પૂછે છે કે ધરતીકંપમાં દેરાસર કેમ પડ્યું? દેરાસરની રક્ષા ભગવાને કેમ ન કરી? દેરાસરની રક્ષા કરવાનું કામ શાસનરાગી દેવ-દેવી આદિ કરે. ભગવાન થોડા કરે? દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપની સમજણ ઇન્દ્રભૂતિ ગૌતમ યજ્ઞ કરાવતા હતા, ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મના બોધમાં ગોટાળો હતો. પણ સમવસરણમાં ભગવાન પાસે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજ્યા. જેવું દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાયું કે તરત અગિયારેય પ્રાર્થના : 2 પડાવ : 6
Page #9
--------------------------------------------------------------------------
________________ ગણધરોએ ભગવાનને જીવન સમર્પિત કરી દીધું. ગણધર ભગવંત આપણને પણ કહે છે કે જો તમારે કલ્યાણ કરવું હોય તો ભગવાનની ઉપાસના-ભક્તિ કરવાની અને ભગવાનની ભક્તિ કર્યા પછી પ્રાર્થના કરવાની, જો કે તમે ભક્તિ કરો તો એનું ફળ મળવાનું જ છે, છતાં ભગવાન પાસે પ્રાર્થના કરવાથી શુભકામનાઓનો દઢ સંકલ્પ થશે. તેથી શુભ ભાવનાઓની વૃદ્ધિ થશે. સંસારીજીવો આશાવાદી દુનિયામાં મોટા ભાગના લોકોને સંસાર પરથી વૈરાગ્ય થતો નથી. કારણ કે, સંસારી જીવો સંસારમાં 100% આશાવાદી છે. સભાઃ “કઈ રીતે?” ગુરુજીઃ “ડિસેમ્બર મહિનામાં ઓપન ગ્રાઉન્ડમાં એક યુવાનનાં લગ્ન હતાં. અણધાર્યો વરસાદ આવ્યો. લગ્નની સાજસજાવટ પર પાણી ફરી વળ્યું. સંસારી જીવોએ પોતાનો ઓલ ઇન્ડિયા રેડિયો ચાલુ કર્યો. ફલાણો કેટરર હોત તો બધું ફાસ્ટ મેનેજ થઈ જાત. જો ગ્રાઉન્ડમાં ડોમહોત તો વાંધો ન આવત. દેવતાઓએ બનાવેલી છપ્પન કરોડ જાદવોની નગરી દ્વારિકાનો જો નાશ થઈ શકે તો તારા દીકરાનાં લગ્નમાં અણધાર્યો વરસાદ ન આવી શકે? ખરેખર તો અહીં સંસારના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ કે પુદ્ગલ ધોખેબાજ છે. એ ક્યારે ધોખો આપે-દગો કરે- એનો કોઈ ભરોસો નથી. એની જગ્યાએ સંસારી જીવો આશાવાદી દરજી છે. બેઠાં બેઠાં આશાઓનાં થીંગડાં માર્યા જ કરશે.” સભાઃ “સંસારી જીવ આશાવાદી દરજી કેમ બન્યો છે?” ગુરુજી: “ધીરે ધીરે પ્રીત કેરો દીવડો પ્રગટાવ્યો. પ્રાર્થના : 2 પડાવ : 6
Page #10
--------------------------------------------------------------------------
________________ અનાદિ કાળથી સંસારી જીવને ભ્રમના કારણે ભૌતિક સુખોમાં જ સાચા સુખની આસ્થા બેસતી ગઈ. ભૌતિક સુખ જાણે આત્માનો સ્વભાવ ન હોય! એવી દૃઢ માન્યતા થતી ગઈ.” સભાઃ “આવું કેમ બન્યું?” ગુરુજીઃ “ગુરુનાં રખોપાંનાં ઘૂંટડેના ઢાંક્યો. ગુરુનાં હિતવચન સાંભળવા જીવતૈયાર નથી.” સભાઃ “હિત વચનો એટલે શું?” ગુરુજી: “ભૌતિક સુખો વિકારી છે. જેની આગળ-પાછળ દુઃખ જ હોય છે. ભૌતિક સુખો દુઃખોપચાર છે. ગુરુના આવાં હિતવચનો ન સાંભળ્યાં. તેથી કવિ આગળ કહે છે, વાયરો વાયો રે ભેંકાર, ઉપર મેહુલાનો માર, દીવડો નહી રે. પ્રગટે...” અર્થાત્ સાચા સુખરૂપી દીવડો નહીં પ્રગટે. સભાઃ “એનો મતલબ કે અમે આશાવાદી દરજી મટીને સંસારના બે ટુકડા કરી નાંખીએ એવા લુહાર બનીએ..” ગુરુજી: “પરફેક્ટ, ગણધર ભગવંત પ્રથમ પ્રાર્થનામાં જીવને જે પુદ્ગલ રસિકતા અર્થાત્ ભવાભિનંદીપણું એના બે ટુકડા નહીં પણ ચૂરેચૂરા કરી નાખવા એટલે જ ભવ-નિવ્વઓ અર્થાત્ પ્રથમ પ્રાર્થના. બીજી પ્રાર્થનામાં ગણધર ભગવંત ભગવાનને કહે છે કે મારામાંથી કદાગ્રહ ચાલ્યો જાય. કદાગ્રહના કારણે જે માર્ગ હોય તે માર્ગ બરાબર સમજી નથી શકાતો. સભાઃ “શ્રાવકમાં કદાગ્રહનો ત્યાગ હોય?” ગુરુજી: “શાસ્ત્રમાં ભાવાવકનાં લક્ષણો આપ્યાં છે તેમાં લખ્યું છે કે “વ્યસ્થાનિસી” સર્વવિષયમાં કદાગ્રહરહિત.” પ્રાર્થનાઃ 2 પડાવ : 6
Page #11
--------------------------------------------------------------------------
________________ ત્રીજી પ્રાર્થના- “ઇષ્ટફલસિદ્ધિ” કોઈ જીવને ‘ભવનિબેઓ“, મગ્ગાણુસારિઆ આવી ગયા છે પછી પણ ઇચ્છાઓ તો રહેવાની જ છે. સંસારી જીવ ઇચ્છા વગરનો ન હોય. ઇચ્છા બે પ્રકારની છેઃ આત્મિક ઇચ્છા અને ભૌતિક ઇચ્છા. ઇષ્ટફલસિદ્ધિમાં આત્મિક ઇચ્છા નથી લેવાની પણ ભૌતિક ઇચ્છા લેવાની છે. ભૌતિક ઇચ્છા બે પ્રકારની છેઃ (1) ધર્મ અવિરોધી (2) વાસનાપૂર્તિ કરે તેવી. અર્થાત્ સૃષ્ટસિદ્ધિઃ વિરોધિત્ન निष्पत्ति. ભવનિર્વેદમાં અને મગ્ગાણુસારિઆ પામેલા જીવના આત્મા ઉપર પણ પાપકર્મ લાગેલાં છે. તેથી જીવની ધર્મસાધનાને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પાપકર્મ ડિસ્ટર્બ ન કરે, એના માટે ત્રીજી પ્રાર્થના ઇષ્ટફલસિદ્ધિ.” લોગ-વિરુદ્ધચ્ચાઓ આત્મવિકાસ માટે હૃદયની કોમળતાઓ જરૂરી છે. આથી જ પોતાના આત્માની જેમ બીજાનો વિચાર પણ એ રીતે રાખવાનો છે કે આપણા નિમિત્તે એને ચિત્તસંક્લેશ ન થાય. આપણે એવી બેપરવાઈ ન કરાય યા કઠોરતા ન રખાય કે જેથી આપણી મનમાની પ્રવૃત્તિના કારણે બીજાઓને સંક્લેશ થાય. આ દોષ ટાળવા માટે લોક-વિરુદ્ધ આચરણનો ત્યાગ કરવાનો છે. સભાઃ “લોકવિરુદ્ધમાં શું આવે?” ગુરુજી: “નિંદા, દ્રોહ, કોઈનાં નાણાં પાછાં ન આપવાં વગેરે.. તમે જેની નિંદા કરી તેને સંક્લેશ થતાં કર્મ બંધાય છે અને આગળ જતાં ધરમ તરફ દુર્ભાવવાળા બને છે. તેથી ભવાંતરમાં પણ એને બોધિ, ધર્મપ્રાપ્તિદુર્લભ બને છે. પ્રાર્થના : 2 પડાવ : 6
Page #12
--------------------------------------------------------------------------
________________ ઉદ્યો ન જોઇfપતો” નિન્દુ-સુત્યાયામ્' એ ધાતુ પરથી નિન્દા શબ્દ બન્યો છે. જુગુપ્સા અર્થમાં ‘કુત્સા” અર્થ વાપરીએ છીએ. કુત્સા=અવક્ષેપ. ક્ષેપ = ફેંકવું. અવક્ષેપ = નીચે ફેંકવું. નિંદા કરવી એટલે શું? નીચે પાડવો, નીચું ઉતારવું, ઇમેજ, પ્રેસ્ટિજ, પ્રતિભા નીચે પાડવી. કોઈને નજરમાંથી નીચે ઉતારવું તે નિંદા.” સભાઃ “નિંદાનો જનક કોણ છે? નિંદા શામાંથી જન્મે છે? અર્થાત્ તેનું બ્રીડિંગ સેન્ટરક્યું?” ગુરુજી: વાંદાનાં ઉત્પત્તિસ્થાનો ગંદકી, ગટરની મોરી વગેરે છે. એમ નિંદાના ઉત્પત્તિસ્થાનો ઇર્ષ્યા, જુગુપ્સા, લોભ, અભિમાન, ક્રોધ વગેરે છે, જે આત્માને પીડા આપનારા છે. તમારે સારા લાગવું છે તેથી બીજામાં ખામી હોય કે ન હોય તેને આગળ કરીને સામેવાળાને હલકા ચીતરવાં એનું નામ નિંદા. ઈર્ષ્યાની ભૂમિકા રૂપમાં કામદેવને શરમાવે, સામર્થ્યમાં ઇન્દ્રને પણ પાછો પાડે એવો રાવણ સીતા પાછળ કામાંધ છે. કરગરે છે, છતાં સીતાએ રાવણ સામું જોયું નથી.” સભાઃ “વ્યભિચારી નટ-નટીઓ ક્યાંક નજરે ચઢી જાય તો અમે ઊભા રહીને ટગરટગર જોયા કરીએ છીએ. એમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરીએ છીએ.” ગુરુજીઃ વિચારવા જેવું છે. દશરથ રાવણની ચાકરી કરતા. ગામેગામ રાવણના નામના રાસડાઓ લેવાતા હતા એવા રાવણને પણ જોવાની સીતાને ઇચ્છા નથી. તમે નટ-નટીઓને જોવા ઊભા રહી જાવ. એમની સાથે ફોટા પડાવો. એમના ઓટોગ્રાફ લો. ખરેખર તો નટ-નટીઓએ પ્રાર્થના : 2 પડાવ : 6
Page #13
--------------------------------------------------------------------------
________________ મેકઅપના લપેડાઓ જ લગાડેલા હોય છે. જયારે રાવણ કુદરતી સૌંદર્યવાન છે છતાં સીતા એની સામે જોવા તૈયાર નથી.” સભાઃ “રાવણ વ્યભિચારી છે?” ગુરુજી: “નટ-નટીઓની છાપ સતી સ્ત્રી કે મહાપુરુષ તરીકેની છે? નટનટીઓનાં લફરાંઓ, પરાક્રમો તમારા ધ્યાનમાં નથી? રાવણના જીવનમાં વ્યભિચાર તો દૂરની વાત છે, કેવા સજ્જન છે તે આપણે જોઈએ. રાવણ દિગ્વિજય કરવા નીકળ્યા છે. નળકુબેરનો વિજય કરવા કુંભકર્ણ રાવણની આજ્ઞાથી ગયા. નળકુબેરે આશાળી વિદ્યા વડે પોતાના નગરની આસપાસ સો-યોજન પર્યત અગ્નિમય કિલ્લો કરેલો હતો. તેમાં એવા અગ્નિમય યંત્રો ગોઠવેલાં હતાં કે જેમાંથી નીકળતા કણીયા જાણે આકાશમાં અગ્નિ ઉત્પન્ન કરતાં હોય તેવા દેખાતા હતા. આવા દુર્જય કિલ્લાનો ટેકો લઈ, ક્રોધથી પ્રજવલિત અગ્નિકુમારની જેમ એ નળકુબેર સુભટોથી વિટળાઈને રહ્યો હતો. સૂઈને ઊઠેલા પુરુષો જેમ ગ્રીષ્મ ઋતુના મધ્યાહ્ન કાળના સૂર્યને જોઈ શકે નહીં તેમ કુંભકર્ણ વગેરે જીતવાની વાત તો દૂર રહી, કિલ્લાની સામે પણ જોઈ શક્યા નહીં. તેથી આ દુર્લધ્ય પુર ખરેખર દુર્લધ્ય છે એવું સમજી ઉત્સાહભંગ થવાથી પાછા આવ્યા. તેથી રાવણ પોતે ત્યાં આવ્યા અને કિલ્લાને જીતવાના ઉપાયોનો ભાઈઓ સાથે વિચાર-વિમર્શ કરવા લાગ્યા. એ દરમિયાન નળકુબેરની પત્ની ઉપરંભાએ એક દૂતીને મોકલીને સમાચાર મોકલ્યા કે ઉપરંભા તમારી સાથે ક્રીડા કરવાને ઇચ્છે છે. તમારા ગુણોથી તેનું મન તો હરાઈ ગયેલું છે. માત્ર શરીર જ અહીં રહેલું છે. તે માનદ ! આ કિલ્લાને રક્ષણ કરનારી આશાળી નામની વિદ્યા છે તે ઉપરંભા પોતાના શરીરની જેમ તમને આધીન કરી દેશે. જેથી હથેળીમાં રહેલા પ્રાર્થના : 2 પડાવ : 6
Page #14
--------------------------------------------------------------------------
________________ આમળાની માફક આ નગરને નળકુબેરસહિત પ્રાપ્ત કરશો.” વિભીષણે દૂતીને કહ્યું, “વમસ્તુ'. એમ કહીને વિદાય કરી. ગુસ્સામાં રાવણ વિભીષણને બોલ્યા કે અરે ! કુલવિરુદ્ધ કાર્ય તે કેમ સ્વીકાર્યું? રે મૂઢ ! આપણા કુળમાં કોઈ પુરુષે રણભૂમિમાં શત્રુઓને પૃષ્ઠ અને પરસ્ત્રીને હૃદય કદી આપ્યું નથી. અરે વિભીષણ! આવા વચનથી પણ તેઆપણા કુળને કલંક લગાડ્યું છે. તારી આવી મતિ કેમ થઈ? સીતાનો ત્યાગ થવાનું કારણ ખાનદાન અને સદાચારી એવા રાવણની સામે પણ જોવા તૈયાર ન હતા એવા સીતાજી લંકા-વિજય પછી અયોધ્યામાં સુખેથી રહે છે. કાળક્રમે સીતાજી ગર્ભવતી થયા. પતિવ્રતા સ્ત્રીનું સ્થાન ક્યા પતિના હૃદયમાં ન હોય? એમાં પણ ગર્ભવતી થાય એટલે પત્નીનું માન ઓર વધી જાય છે. તેથી સીતાની શોક્યના દિલમાં તેલ રેડાય છે. શોક્યના દિલમાં ઇર્ષા ઉત્પન્ન થઈ છે. તેથી સીતાને હલકી ચીતરવા માટે કપટપૂર્વક સ્ત્રીઓએ સીતાને કહ્યું કે, અમે રાવણના રૂપનાં વખાણ બહુ સાંભળ્યાં છે. રાવણનું રૂપ આલેખીને બતાવો ને? સીતાજીએ કહ્યું કે રાવણ અશોકવાટિકામાં મને મળવા આવતો ત્યારે મારી દૃષ્ટિ નીચી રહેતી હોવાથી, મેં રાવણનાં સર્વ અંગો જોયાં નથી, મારી દષ્ટિ એનાં ચરણ ઉપર જ પડી છે. તેથી હું રાવણને શી રીતે આલેખી બતાવું? સપત્નીઓના આગ્રહથી સરળ પ્રકૃતિવાળા સીતાજીએ રાવણનાં ચરણ આલેખ્યાં અને તે જ સમયે રામ ત્યાં આવી ચડ્યા એટલે શોક્યો બોલી, “સ્વામી ! જુઓ તમારી પ્રિયા સીતા અદ્યાપિ રાવણને સંભારે છે. હે નાથ ! જુઓ. સીતાજીએ પોતે રાવણના બે ચરણ આલેખ્યા છે. હજુ સીતા રાવણની જ ઇચ્છા કરે છે. તે આપ ધ્યાનમાં રાખજો. તે સાંભળી રામે ગંભીરપણે મોટું મન રાખ્યું અને સીતાદેવીને ન જણાય તેમ ત્યાંથી તત્કાળ પ્રાર્થનાઃ 2 પડાવ : 6
Page #15
--------------------------------------------------------------------------
________________ પાછા વળી ગયા. સીતાની ઈર્ષ્યાથી આ વાત દાસીઓ દ્વારા શોક્યોએ લોકમાં ફેલાવી. તેથી લોક પણ સીતાની નિંદા કરવા લાગ્યું. ખરેખર સીતાની ઇર્ષ્યાથી શોક્યોને શું ફાયદો થયો? રામે સીતાનો ત્યાગ કર્યો તેથી ત્રણ ખંડનો સ્વામી લક્ષ્મણ રડે છે. રામ દુઃખી, સતી સીતાને પતિનો વિયોગ. શું ફાયદો થયો?” સભાઃ “અહીં સીતાજીની ભૂલ ન હતી છતાં શોક્યોએ ખોટી વાત કરી એ ભૂલ. પણ ખરેખર કોઈ કંજૂસ હોય એને તો આ કંજૂસ એમ કહેવાય ને?એમાં તો પાપ ન લાગે ને?” ગુરુજી: “દશવૈકાલિક નામા આગમમાં દશમું “સભિક્ષુ” અધ્યયન છે. એમાં લખ્યું છે કે " પરં વાલિ મયં સુરીજો” જે બીજાને કોઈ દિવસ એમ ન કહે કે આ કુશીલ, હલકો, દુરાચારી, અભિમાની, નિર્દય, માયાવી, જૂઠો, લબાડ વગેરે છે. એવું ન કહેતે ભિક્ષુ છે. કંજૂસને પણ કંજૂસ કહે તો તેને દ્વેષ થાય તેથી “નેત્ર પેન્ન ન તો વજ્ઞા?’ જેનાથી બીજાને ક્રોધ થાય તેવાં વચનો કહેવાં નહીં.” સભાઃ “એક વ્યક્તિ અમારા ધ્યાનમાં છે. અબજોપતિ છે છતાં મૈયા પાસે શાક પણ રાત્રે સૌથી છેલ્લે વધ્યું હોય તેવું લેવા આવે. કપડાં પણ જ્યાં સેલ લાગ્યું હોય ત્યાંથી લે. દીવાળીનું બોનસ વોચમેનને પાંચ રૂપિયા જ આપે. આવી વ્યક્તિની નિંદા થઈ જાય છે, તો શું કરવું?” ગુરુજી: સમજો કે કોઈ વ્યક્તિ અત્યંત કંજૂસ છે, તો એ એનો દુર્ગુણ છે. એવી વ્યક્તિની નિંદા ન થઈ જાય માટે, 14 પૂર્વધર શય્યભવસૂરિ મ.સા.આપણને દવા આપે છે “નાળિયે પત્તેય પુન્ન-પાવ” તમારે વિચારવાનું છે કે પોતાના કરેલા પુણ્ય-પાપ દરેક પોતે ભોગવે છે. કોઈ માણસ બળતો અંગારો હાથમાં લે તો એ પોતે બળશે. હું કાંઈ બળવાનો પ્રાર્થના : 2 પડાવ : 6
Page #16
--------------------------------------------------------------------------
________________ છું? એ જે કંજૂસાઈ કરે છે, એનાથી એ બદનામ થશે. હું બદનામ થવાનો નથી.” સભાઃ “એંઠા મોંઢે બોલે તો?” ગુરુજી: “તમારી જવાબદારી આવતી હોય તો કહેવાનું, બાકી માથું મારવાનું નહીં.” સભાઃ “દેવ-ગુરુ-ધર્મની નિંદા કરે તો પણ ચૂપ રહેવાનું?” ગુરુજી: “નિન્દો ન બોડપ તો કોઈની પણ નિંદા ન કરવી. એમાં અધમ એટલે પાપી, મધ્યમ એટલે લૌકિક સદ્ગુણીઓ, ઉત્તમ એટલે લોકોત્તર સદ્ગુણીઓની નિંદા ન કરવી એ અર્થ લેવો. પણ જે અધમાધમ અર્થાત્ જે જગતને પાપ તરફ લઈ જનારા છે તેની તો નિંદા કરવાની. નિન્યો ન ફોડપિ નોશેનો અર્થ વ્યાકરણ મુજબ સર્વત્ર નિંદાત્યાગ થાય છે. જ્યારે ધર્મશાસ્ત્ર મુજબ જે લોકો જગતમાં ઉન્માર્ગ પ્રવર્તાવે છે તેમના સિવાયની નિંદાનો ત્યાગ. નવિનિંદા મારગ કહેતા ગોશાળો પોતાની જાતને સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે. જગતમાં ઉન્માર્ગનું સ્થાપન કરી રહ્યો હતો તેથી સમવસરણમાં બધાની વચ્ચે ભગવાને કહ્યું કે તું જૂઠો છે, તું દંભી છે. તું એ જ મખલીપુત્ર ગોશાળો છે. મારી પાસેથી જ નિમિત્તશાસ્ત્ર ભણીને પોતાની જાતને સર્વજ્ઞ કહેવડાવે છે. ભગવાન એવું બોલ્યા કે ગોશાળો આખેઆખો ઊભો સળગી ગયો.” સભાઃ “આને નિંદા ન કહેવાય?” ગુરુજીઃ “નવિ નિંદા મારગ કહેતા, સમ પરિણામે ગહગહતા. સગા બાપને મરચું લાગી જાય એવું મયણા જાહેરમાં છડેચોક બોલી છે. કારણ કે પિતા જાહેરમાં ઉન્માર્ગની સ્થાપના કરી રહ્યા છે. આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે. રસ્તે રખડતો માણસ પણ આપણા ધર્મને ટપલી પ્રાર્થના : 2 પડાવ : 6
Page #17
--------------------------------------------------------------------------
________________ મારી જાય એવી હાલત છે. કલિકાલ સર્વજ્ઞની બદબોઈ કરવા મંજરી નામનું કલ્પિત પાત્ર લખી એની સાથે પ્રેમની વાતોવાળી નવલકથાઓ લખાય છે અને વંચાય છે. માકુભાઈનો સંઘ નીકળ્યો અને મનુભાઈ પંચોલીએ ટિકા-ટિપ્પણ કરતી નવલકથા લખી છે. વર્ષો પૂર્વે શ્રાવકો સમેતશિખર યાત્રા કરવા નીકળ્યા. દિલ્હીમાં નેહરુજી મળ્યા. નેહરુજીએ પૂછ્યું કે ક્યાં જાઓ છો ? તો કહ્યું કે સમેતશિખર. તો નેહરુજીએ કહ્યું કે ભાખરા-નાંગલ જાવ, એ સાચાં તીર્થો છે. એ શ્રાવકોને બસની વ્યવસ્થા કરાવીને ભાખરા-નાંગલ જવા રવાના કરી દીધા. દેવ-ગુરુ-ધર્મની નિંદા કરતો હોય તો તમારી શક્તિ હોય તો તેનો પ્રતિકાર કરવો જોઈએ. શક્તિ ન હોય તો ઊભા થઈ શકાય, ઊભા થવાની શક્તિ ન હોય તો કાનમાં આંગળી નાખી દેવાની. દેવ-ગુરુ-ધર્મની નિંદા સાંભળવાથી પાયમાલ થઈ જવાય.” માત્ર શબ્દકોશના આધારે અર્થન કરાય. સભાઃ “ભગવાન મહાવીરે માંસભક્ષણ કર્યું એવું ભણાવવામાં આવે છે.” ગુરુજીઃ “શબ્દોના અર્થ માત્ર કોશના આધારે ન થાય. સિંધ દેશમાં બે વસ્તુ પ્રોમિનન્ટ છે. સિંધ દેશમાં મીઠું પેદા થાય છે, જેને સિંધાલૂણ કહેવાય છે. બીજું સિંધ દેશના ઘોડા પ્રખ્યાત છે. સિંધ દેશમાં જે પેદા થાય તેને સૈન્ધવ કહેવાય. વ્યક્તિ જમવા બેઠી છે ત્યારે સૈધવ આનય (મીઠું લાવી બોલ્યા તો ત્યાં સૈન્ધવનો અર્થ મીઠું થાય છે. અને યુદ્ધના મેદાનમાં સૈધવ આનય બોલ્યા તો ત્યાં ઘોડો અર્થકરાય. પ્રાર્થના 2 10 પડાવ : 6
Page #18
--------------------------------------------------------------------------
________________ દરેક દ્રવ્યમાં છ રસમાંથી કોઈ ને કોઈ રસ હોય છે. વસ્તુના ગુણધર્મ, વીર્ય, વિપાક જોવું પડે. સૂંઠ ઉષ્ણવીર્ય છે, પણ વિપાકે મધુર છે. તીખી વસ્તુ પિત્ત ઉત્પન્ન કરે છે. ગળી વસ્તુ પિત્તનું શમન કરે છે. આમળામાં પાંચ રસ છે. બીજી એક વનસ્પતિમાં પણ પાંચ રસ છે. આમળા અને બીજી વનસ્પતિમાં ગુણ-વીર્ય-વિપાક સરખું છે પણ પ્રભાવ સરખો નથી. માટે પ્રભાવ પણ જાણવો પડે. દવા માટે ક્યું દ્રવ્ય અનુપાનમાં વાપરવું, ન વાપરવું એની જાણકારી જોઈએ. આ બધી જાણકારી વગર કેવળ કોશના આધારે અર્થ કરવા જાય તો ભગવાનને માંસાહારી કહેવા જેવું થાય. ભલા ભાઈ ! માંસ ઉષ્ણવીર્ય છે. એનાથી કોઈ દિવસ લોહીના ઝાડા મટે? પિત્તવરને નાશક ઔષધ લેવું પડે.” માર્કાર એટલે બિલાડી અર્થ થાય. એમ માર્જર નામનો વાયુ પણ છે. એ વાયુને નાશ કરે માટે એવા ઔષધને માર્જરિ કહેવાય. આ સંદર્ભ ફોરેન સ્કોલરોને ખબર ન હોવાથી શબ્દાર્થ કરીને મૂકવાથી આવા ગોટાળા થયા છે. આપણા ભગવાન માટે ગમેતેમ બોલાયછતાં શાંતિથી બેઠા રહીએ તે કેમ ચાલે? રોજ દાડો ઊગે ને મોંકાણના સમાચાર આવે છતાં આપણે કુંભકર્ણની ઊંઘમાંથી ઊઠતાં જ નથી. કાણાંગ સૂત્રમાં 6 કારણ આપ્યાં છે જેના કારણે વ્યક્તિમાં ઉન્માદ પેદા થાય છે. તે 6 કારણમાંથી 4 કારણ નિંદાનાં આપ્યાં છે. એમાં (1) અરિહંતોની (2) એમણે બતાવેલ ધર્મની (3) ભાવાચાર્ય, ઉપાધ્યાયની (4) ચતુર્વિધ સંઘની નિંદા. ઉપરોક્ત ચાર નિંદાથી જીવ પાગલ બની જાય પ્રાર્થના : 2 11 11 પડાવ : 6
Page #19
--------------------------------------------------------------------------
________________ અરિહંતાદિનનીનિંદાન થાય સભાઃ “અરિહંતાદિપરમાત્માની નિંદા કેવી રીતે થાય?” ગુરુજીઃ “અરિહંત પરમાત્માના અતિશય, જોજનગામીની વાણી, મેરુપર્વત ડોલાવ્યો, એમના જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિ ગુણો મગજમાં ન બેસે માટે એમના માટે પણ એલફેલ બોલે. આ રીતે અરિહંત પરમાત્માની નિંદા કરે છે.” સભાઃ “આચાર્યભગવંતની પણ નિંદા થાય?” ગુરુજી: “નિંદા કરવાવાળા કોઈને ના મૂકે. આ આચાર્ય તો અમારા ખોળામાં મોટા થયા છે. મેં એમના સેડાં લૂક્યાં છે. આજે આચાર્ય થયા એટલે શું? અમારા અંધારામાં ગયા એ અજવાળાની વાતો કરે?” સભાઃ “શાસ્ત્રીય ઉદાહરણ ખરું?” ગુરુજી: “કલિકાલસર્વજ્ઞ નાની ઉંમરમાં આચાર્ય થયા છે. બ્રાહ્મણોને શ્રમણો સાથે વેર તેથી મજાક ઉડાડવા હેમચંદ્રસૂરિ મ.સા.ને પૂછ્યું, “ત પીતમ્ ? (છાશ પીધી?) પીત શબ્દના બે અર્થ થાય-પીધું અને પીળું. કલિકાલસર્વજ્ઞજીએ વળતો જવાબ આપ્યો “તત્રં ન તુ પતિ પિ તુ શ્વેતનું? એટલે કે છાશ સફેદ છે, પીળી નહીં. આવું જ એક વાર દિગમ્બરાચાર્ય કુમુદચંદ્રસૂરિએ રાજસભામાં સભાજનો વચ્ચે કહ્યું કે આ બાળક મારી સાથે વાદ કરશે ? ત્યારે તો કપડાં પહેર્યા છે. જે કપડાંન પહેરે તે બાળક કહેવાય!” સભાઃ “નજીકના ભૂતકાળમાં ગુરુભગવંતની નિંદાનો જવાબ આપ્યો હોય તેવું ઉદાહરણ ખરું?” એક વાર એક શ્રાવકે વૃદ્ધિચંદ્ર મ.સા.ને વાત કરી કે આપ મેલાં કપડાં પહેરો છો પણ મૂલચંદજી મ.સા. તો ધોળાં, સ્વચ્છ કપડાં પહેરે છે. પ્રાર્થના: 2. પડાવ 6. | 12 કિરણ કરીને જ n H I 18 , '' #In[ SSA It we+ *H, New
Page #20
--------------------------------------------------------------------------
________________ ખરેખર તો શ્રાવકે બે સાધુભગવંતો વચ્ચે સોયનું કામ કરવું જોઈએ. એના બદલે આ શ્રાવકે કાતરનું કામ કર્યું. અહીંયા ગુણિયલ આચાર્ય ભગવંતની નિંદા થઈ રહી હતી. તેથી વૃદ્ધિચંદ્રમ.સા.એ ખૂબ સરસ જવાબ આપ્યો કે હું ગયા ભવમાં ખેડૂત હતો એટલે મારામાં મેલા રહેવાના સંસ્કાર રહી ગયા છે. જ્યારે મૂલચંદજી ગયા ભવમાં બ્રાહ્મણ હતા. તેથી બ્રાહ્મણના સંસ્કાર રહી ગયા છે તેથી ધોળાં, સ્વચ્છ કપડાં પહેરે છે. પણ તું ગયા ભવમાં ચંડાલ હતો.તેથી તારી નજર ચામડા પર છે, તેથી જ બાહ્ય જુએ છે, આત્મીક ગુણીયલતા જોતો નથી. ધર્મવિરોધી બોલનારને તરત બંધ કરાવતા પણ આવડવું જોઈએ. એનાથી સુલભબોધિથવાય. એક સ્થાનકવાસી ભાઈએ એક ગુરુભગવંતને કહ્યું કે પથરા પૂજવાથી મોક્ષ મળતો હોય તો હું ડુંગરે ડુંગરા પૂછું ! આ કંઈ પ્રશ્ન પૂછવાની રીત છે ? તરણતારણ ભગવાનની પ્રતિમા માટે પથરો શબ્દ વાપર્યો. ગુરુ મ.સા.એ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો કે મોઢે કપડું બાંધવાથી મોક્ષ મળતો હોય તો હું કપડાંના તાકાને તાકા બાંધું. જીવે સુલભબોધિ થવાનો રસ્તો (1) અરિહંત પરમાત્મા (2) એમણે પ્રરૂપિત ધર્મ (3) આચાર્યઉપાધ્યાય (4) ચતુર્વિધ સંઘ (પ) દેવલોકના દેવતા આ પાંચના વર્ણવાદ, પ્રશંસા, ગુણસ્તવ કરવાથી જીવસુલભબોધિ બને.” સભાઃ “હે ભગવાન! આપના સમયાઆગમ)માં નિયાણું કરવાની ના પાડી છે. છતાંય ભવોભવ તમારું શાસન મળજો એમ બોલવાથી શાસન મળે ને?” ગુરુજીઃ “શાસન મેળવવા પુણ્ય તો બાંધવું પડશેને? - ઉપરોક્ત પાંચના વર્ણવાદ કરવાથી પુણ્ય બંધાશે, શાસન મળશે. | પ્રાર્થના : 2 13 પડાવઃ 6
Page #21
--------------------------------------------------------------------------
________________ દેવ-ગુરુ-ધર્મની નિંદા ન થાય એવું કરવું જોઈએ એના બદલે તમે દેવ-ગુરુ-ધર્મની નિંદા થાય એવું કર્યું-કરાવ્યું એટલે “પડિસિદ્ધાણં કરણે " દોષ આવ્યો. ઉત્તમ પુરુષોની ઇમેજ પ્રભાવ વધે એવું કરવું જોઈએ. એવું ન કર્યું તેથી કિાણમકરણે દોષ લાગ્યો.” સભાઃ “ઉત્તમ પુરુષોની મહાનતા વધે એવું કાર્ય કોણે કર્યું છે?” ગુરુજી: “ગોશાળો સ્વભાવે ટીખળી છે. ગમે ત્યાં ગમે તેની સાથે પંગો લઈ લે. ગોશાળાએ એક જગ્યાએ શ્રાપ આપ્યો કે મારા ગુરુના તપના તેજથી મહોલ્લો બળી જાય ! વ્યંતર દેવોએ પ્રભુની ભક્તિના કારણે મહોલ્લો બાળી નાંખ્યો.” સભાઃ “આ વ્યાજબી કહેવાય?” ગુરુજી: “વાસ્તવમાં વનસ્પતિ, કીડી, વાંદા વગેરે જીવોની હિંસા થઈ છતાં વ્યાજબી એટલા માટે કે મોટા પુરુષોની હીનતાન થાય એના માટેનો પ્રયત્ન છે. ઇન્દ્ર મહારાજા ભગવાનના જન્મ વખતે ઉદ્દઘોષણા કરાવે છે કે ભગવાન અને ભગવાનની માતાનું કોઈએ અહિત વિચાર્યું તો એના મસ્તકના સાતટુકડા કરી નાખીશ. ઈન્દ્ર મહારાજાએ આ જાહેરાત દ્વારા પ્રભુને લોક નજરથી ઉપર ઊઠાવવાનું કામ કર્યું છે. મોટા પુરુષોને હલકા પાડવા, ઇમેજ તોડી નાખવી એ બહુ મોટું પાપ છે. વર્તમાનનું તમારું ભૌતિક શિક્ષણ દેવ-ગુરુ-ધર્મને હલકા પાડવાનું મોટા પાયે કામ કરે છે. ન્યૂઝ પેપરો પણ દેવ-ગુરુ-ધર્મની નિંદા કરવામાં પાછી પાની કરતા નથી.આવા ન્યૂઝપેપરને ખરીદવા એ પણ પરોક્ષ રીતે દેવ-ગુરુ-ધર્મની નિંદા કરી કહેવાય.” સભાઃ “આપણો ધર્મતો મૈત્રીભાવમાં નથી માનતો?” પ્રાર્થના : 2 પડાવ : 6
Page #22
--------------------------------------------------------------------------
________________ ગુરુજીઃ “મૈત્રી નિખિલ સત્ત્વપુ. મૈત્રીનો અર્થ શું? પરહિતચિંતા એ મૈત્રી છે. સમષ્ટિનું હિત કરવા માટે અધમાધમ જીવને તોડી પાડવો એ પણ મૈત્રી કહેવાય. ઘણીવાર અધમાધમ જીવોને ચૂપ કરવામાં પણ મૈત્રી છે. મૈત્રી એટલે પંપાળવું એવો અર્થ નહીં સમજવાનો. ગોશાળાની ઉન્માર્ગગામી પ્રવૃત્તિ તોડી પાડી એ પણ પ્રભુજીની મૈત્રી જ હતી. નાગશ્રીની કથા નાયધમ્મકતામાં દ્રૌપદીના પૂર્વભવની વાત છે. ચંપાનગરીમાં સોમદેવ, સોમભૂતિ અને સોમદત્ત નામે ત્રણ સહોદર બંધુ હતા. તેમને અનુક્રમે નાગશ્રી, યજ્ઞશ્રી અને ભૂતશ્રી નામે ત્રણ સ્ત્રીઓ હતી. વારાફરતી એક-એક દિવસ સર્વે એક- એકને ઘરે ભોજન કરવા જતાં. એકવાર નાગશ્રીએ અજાણતાં કડવી તુંબડીનું શાક રાંધ્યું. તેને હિંગ વગેરે દ્રવ્યથી સારી રીતે વઘાર્યું. પાછળથી જરા ચાખતાં તેને જરાક કડવું લાગ્યું. એટલે તેમાં થયેલ દ્રવ્યનો ખર્ચ વ્યર્થ ન જાય તે માટે પાત્રમાં જુદું રાખી મૂક્યું. બીજા ભોજનથી બધાંને જમાડ્યાં. એવામાં ધર્મઘોષસૂરિના ધર્મચિ નામે મુનિ માસક્ષમણને પારણે નાગશ્રીના ઘરે આવ્યા. નાગશ્રીએ “આ શાકમાં થયેલો ખર્ચ વૃથા ન થાઓ” એવું વિચારીને કડવું શાકતે મુનિને વહોરાવ્યું. અહો ! આ સ્ત્રીની બુદ્ધિને ધિક્કાર છે, જેને ઘેર તપના તેજથી કાંચનગિરિ જેવા મુનિવર પધાર્યા તેમને તેણીએ ઉકરડા જેવા ગયા. કલ્પવૃક્ષ, સૂર્ય, કામકુંભ અને પુણ્યોદય જેવા મુનિને એ પાપી સ્ત્રીએ આકડો, રાહુ, કુંભારનો કુંભ અને ખાબોચિયા જેવા ગણ્યા. આહાર લઈને મુનિ ગુરુ પાસે આવ્યા. જ્ઞાની ગુરુએ તે આહાર અયોગ્ય (વિષમિશ્રિત) જાણી શિષ્યને કહ્યું, “નિરવદ્ય સ્થાને જઈને પરઠવો જી, તમે છો દયાના જાણ રે, બીજો આહાર આણી કરી છે, તમે કરો | પ્રાર્થના : 2 15 usid :$
Page #23
--------------------------------------------------------------------------
________________ નિરધારરે.” ધર્મરુચિ મ.સા.એ શાક થોડું પરઠવ્યું. શાકમાં સ્વાદિષ્ટ પદાર્થો નાખેલા હોવાથી કીડીઓ આવી. શાક ખાતાં કીડીઓ મરી ગઈ. “દીઠા દીઠારે જીવોના સંહારરે!” મ.સા. વિચારે છે, “જો હું બીજા જીવોને અભયદાન આપું અને આ આહાર વાપરું તો મારી જિંદગીનો અંત થાય છે પણ તે સાથે ભવનો પણ અંત થવો સંભવ છે. અને પરવશ તો કીડીઓની વિરાધના થવાથી ભવની વૃદ્ધિ થશે.” સભાઃ “ગુરુઆજ્ઞા તો પરઠવવાની હતી અને પોતે વાપરી ગયા તો ગુરુઆજ્ઞા ભંગનો દોષ ન લાગે?” ગુરુજી: “ગુરુઆજ્ઞાનામાત્રવર્ડસ(શબ્દો)ને પાળવાના નથી. ગુરુવચનના ઐદંપર્યને પણ પાળવાનું છે. ગુરુઆજ્ઞાનું ઔદંપર્ય પણ તેઓ સમજેલા હતા.” સભાઃ “એ શેના આધારે કહો છો?” ગુરુજી: “સઝાયમાં સ્પષ્ટ લખ્યું કે “તમે છો દયાના જાણ રે” અર્થાત ધર્મરુચિ મ.સા.જ્ઞાની છે માટે જ વિચારે છે કે મારા ગુરુની પણ આજ્ઞા છે કે શુદ્ધ સ્થાને જઈને આ આહાર પરઠવી દેવો. તો મારા પેટ જેવું શુદ્ધ બીજું સ્થળ ક્યાંય પણ જોવામાં આવતું નથી. મહાત્મા આવ્યા નહીં તેથી સહવર્તી જોવા જાય છે. મહાત્મા કાળધર્મ પામ્યા. ચંપાનગરીમાં ધર્મઘોષસૂરિ મ.સા.ના શિષ્યો મહોલ્લેમહોલ્લે, ગલી-ગલીએ, પોળે-પોળે કહે છે કે અન્યા, અપુણ્યા, પાપીણી, દુર્ભગીઓમાં લીંબોળી જેવી. સભાઃ “લીંબોળી જેવી એટલે શું?” ગુરુજીઃ “કોઈ પણ વ્યક્તિ ભૂખી હોય તો પીપળાનાં પાન ખાય પણ આ પ્રાર્થના : 2. 16 ysia : $
Page #24
--------------------------------------------------------------------------
________________ લીંબોળી ન ખાય. એવી અત્યંત અનાદેય નાગશ્રીએ કડવી તુંબડીનું શાક વહોરાવીને સાધુને મારી નાખ્યા. ચંપાનગરીના લોકો પાસેથી સોમદેવ વગેરે બ્રાહ્મણોએ વાત સાંભળી. બ્રાહ્મણો ભયંકર ગુસ્સે થયા. બ્રાહ્મણોના આગેવાનો ભેગા થઈ એના ઘરે આવે છે. અપ્રાર્થિત એવા મૃત્યુની ઇચ્છાવાળી થઈ છે?ચૌદશના દિવસે ભાગ્યશાળીઓનો જન્મ થતો હોય છે. જ્યોતિષીની દષ્ટિએ એ કહે છે કે તું હીનચતુર્દશીના દિવસે જન્મેલી છે, પાપીણી. આક્રોશભર્યા શબ્દો સંભળાવે છે. એના કુલનું અભિમાન નીચે પાડે છે. કપડાં, દાગીના બધું લઈ લે છે. તર્જના, તાડના કરે છે. એની નિંદા કરે છે, લાકડીઓથી મારે છે, ધિક્કારે છે, ધૂકે છે. ઘરમાંથી કાઢી મૂકી. હડકાયા કૂતરાની જેમ કોઈ એને ગામમાં પણ રાખવા તૈયાર નથી. કોઈ ઊભી પણ રહેવા દેતું નથી. સાંધાવાળા જૂનાં કપડાં લાજ ઢાંકવા રહેવા દીધા છે. હાથમાં એક તૂટેલું ઠીકરું અને પાણી માટે ફૂટેલો ઘડો રહેવા દીધો છે. માખીઓનો સમુદાય છઠ્ઠી નરકમાં ગઈ.” સભાઃ “બીચારીની આવી હાલત કરી? ક્ષમા ન રાખવી જોઈએ?” ગુરુજી: “આ બીચારી નથી. અધમાધમ જીવ છે. અસ્થાને ક્ષમા એ ગુણ નથી. કપૂર ગુણકારી છતાં નાળિયેરના પાણીમાં ન નંખાય. નાળિયેરના પાણીમાં નાખો તો મૃત્યુલાવે. કોની નિંદા કરવાથી પાપનબંધાય? ઉત્તમ પુરુષોની નિંદા ક્યારેય નહીં કરવાની. મધ્યમ એટલે માર્ગને પામેલાની પણ ક્યારેય નિદાન કરવી. લૌકિક સદ્ગુણીની નિંદા ન કરવી. અધમ લોકો ચોર-કસાઈની પણ નિંદા ન કરવી. કરી કે , મા પ્રાથના :). 17 પડાવ 6 . જ કાકી , | કનકાઇક, કws &; ,,
Page #25
--------------------------------------------------------------------------
________________ દોષદૃષ્ટિવાળા કાગડા જેવા હોય છે. એને ઉકરડો અને મરેલા ઉંદરો જ દેખાય. બગીચામાં ઊગેલાં ફૂલો ન દેખાય. સંવત્સરીના દિવસે ખાય એની પણ નિંદા ન કરાય. નિંદા કેવળ પોતાના દોષોની અને જે અધમાધમ જીવો છે, જે માર્ગને ધક્કો પહોંચાડે છે, ઉન્માર્ગને સ્થાપે છે, શાસનના પ્રત્યનિક છે. એ બધાંની નિંદા નહીં કરો તો પાપ બંધાશે.” સભાઃ પ્રભાવના માટે બહેનો પડાપડી કરતાં હોય છે, એની નિંદા કરાય?” ગુરુજી: “પ્રભાવના માટે પડાપડી કરનારની પણ નિંદા ન કરાય. એને ગુરુ મ.સા. સમજાવશે. પણ તમારે નિંદા ન કરવી. વર્ષો પહેલાં દુષ્કાળ વગેરે કારણસર અનાજ વિતરણ કરવા નીકળેલા યુવાનો ગાડીઓ ચોરામાં ઠાલવી જાય અને કહે કે અમે આગળના ગામમાં જઈએ છીએ. તમે તમારી રીતે લઈ લેજો. કાર્યકર્તા પાછા આવ્યા. અનાજના ઢગલા જેમના તેમ. એક દાણો પણ ઓછો ન થાય. આપવા છતાં જાતે લે નહીં. આપણી વૃત્તિ નીચે ગઈ કેમ કે શ્રીમંત ઘરની સ્ત્રીઓ પણ પ્રભાવના માટે પડાપડી કરે. આ આપણી તુચ્છ વૃત્તિ, અશુભ લેશ્યાના પ્રતીક છે. પ્રભાવના માટે ઝૂંટાઝૂંટી ન હોય. ઇવન માંગવું એ કેટલું નાનપભર્યું હશે કે શાંતનુ શેઠે ચોરી કરી પણ માંગ્યું નહીં. ખાનદાન માણસમાગી શકે નહીં.” સભાઃ “અમે તો ફ્રેન્કલી કહી દઈએ કે મારી આગ્રહ કરવાની ટેવ નથી. તમે જાતે માંગી લેજો.” ગુરુજી: “તમારી આગ્રહ કરવાની ટેવ નથી એ કોઈ ગુણ નથી, પણ એ તો દોષ છે. આગ્રહ કરવાની ટેવ નથી તો ટેવ પાડ. કશું જ ફ્રેન્કલી મંગાય નહીં.” સભાઃ “સાધુ ભગવંતો વગેરે તો વસતિ વગેરેનીયાચના કરે છે?” | પ્રાર્થના : 2 18 પડાવ : 6
Page #26
--------------------------------------------------------------------------
________________ ગુરુજીઃ “માંગવાનો જન્મ શામાંથી થયો એ જોવાનું. સાધુભગવંત પણ માગે છે અને ભિખારી પણ માગે છે. પણ બંનેમાં ફરક છે. ભિખારી લાચારીના કારણે માગે છે. જ્યારે સાધુ ભગવંતને અહિંસક જીવન જીવવું છે. અહિંસક રીતે આજીવિકા ચલાવવા માટે યાચના સિવાય બીજો કોઈ ઉપાય જગતમાં નથી. અહિંસક આજીવિકા ચલાવવાની વૃત્તિ છે. માટે એ કોઈ દોષ નથી, ગુણ છે. પ્રજાનું કૌવત હણાઈ જઈ રહ્યું છે. જેટલું મફતમાં મળતું હોય એટલું ઘરભેગું કરો એવી વૃત્તિ પેદા થઈ રહી છે. માગવામાં માગવામાં ફેર છે માગવાની વૃત્તિના અવગુણના છેડા છેક આચાર્ય પદવી માંગવા સુધી પહોંચતા હોય છે. સાબરમતીમાં સુશ્રાવક જવાનમલજી પ્રતાપચંદજી બેડાવાળા. પોતાની શ્રાવિકા શાક પીરસવાનું ભૂલી ગઈ હોય તો ખાલી રોટલી વાપરીને ઊભા થઈ જાય પણ શ્રાવિકા પાસે શાક માગ્યું નથી. | મૂળ વાત, દેવ-ગુરુ-ધર્મ તથા એને પૂરક વ્યવસ્થાની નિંદા કરનારની નિંદા કરવી પડે.” સભાઃ “રીત-રિવાજોની નિંદા ન થાય?” ગુરુજી: “ના, પૂર્વકાળમાં માણસ બાજોઠ પર થાળી રાખીને વાપરતો હતો. તમને આ પરંપરા ઓર્થોડોક્સ લાગે છે. જ્યારે એક ફોરેનર ઇન્ડિયા આવ્યો. તેને વાપરવા માટે બાજોઠ આપ્યો તો એણે પોતાની ડાયરીમાં લખ્યું કે ઇન્ડિયામાં દરેક વ્યક્તિને વ્યક્તિગત ડાયનિંગ ટેબલ આપવામાં આવે છે. કોમન ડાયનિંગ ટેબલ નથી. એ ખૂબ ખુશ થયો. ખરેખર આર્ય રીત-રિવાજો એ ધર્મના પૂરક હતા એની નિંદા ન કરાય અને કોઈ નિંદા કરતો હોય તો બચાવ કરવો. | પ્રાર્થના : 2 19 પડાવઃ 6
Page #27
--------------------------------------------------------------------------
________________ મૂળ વાત, નિંદા એ પાર્ટનરશિપવાળો બિઝનેસ છે. એમાં બે જણ હોય તો જામે, એકલા નિંદા કામે નહીં. અહીં એટલું ધ્યાન રાખવું કે લોકવિરુદ્ધ નિંદા ઇત્યાદિ પ્રવૃત્તિ જીવનમાં ન જોઈએ. રાવણના જીવનમાં ભવનિર્વેદ છે. સંસારને અસાર માને છે તેથી જ ધરણેન્દ્ર રાવણની ભક્તિ કરવા ઇચ્છે છે ત્યારે રાવણ ભક્તિના ફળ તરીકે મોક્ષ જ માંગે છે. અર્થાત્ સંસારને અસાર જ માને છે તો જ મોક્ષ માગે ને! મોક્ષ માગે છે તેથી માર્ગનુસરિતા પણ છે. જીવનમાં ભૌતિક સુવિધાઓ પણ છે કે જેનાથી જીવન અસ્તવ્યસ્ત ન થઈ જાય. અર્થાત્ ઇષ્ટફલસિદ્ધિ પણ છે. જ્યાં સુધી સીતાનું અપહરણ નહોતું કર્યું ત્યાં સુધી લોકવિરુદ્ધ એક પણ પ્રવૃત્તિ ન હતી. ત્રણ ખંડનો માલિક છે છતાં એના જીવન ઉપર કોઈ આંગળી ચીંધી શકે એવો એક પણ અવગુણ નથી. 100% જેન્ટલમેન છે. રાવણના જીવનમાં એક પણ વસ્તુ લોકવિરુદ્ધ નહીં દેખાય. નિકાચિત કર્મના કારણે સીતાનું અપહરણ થયું. રામ સાથે યુદ્ધ ચાલુ છે. જે દિવસે મરી ગયો તે દિવસે પણ ભગવાનની ભક્તિ કરવા જાય છે ત્યારે એમ નથી કહેતો કે હું જીતી જાઉં. પણ ભગવાનને કહે છે કે પ્રભુ, મને સમાધિ મળજો ભવોભવતમારું શાસન મળજો. આપણા જીવનમાં અનંતીવાર લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરWકરણ આવ્યું છે. 4,5,6 પ્રાર્થનાઘણીવાર જીવનમાં આત્મસાત્ પણ ૧લી, રજી પ્રાર્થના જીવનમાં ન હોય તો ૪,૫,૬ની કોઈ તાત્ત્વિક વેલ્યુ નથી.” સભાઃ “લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરFકરણ જેના જીવનમાં હોય પણ ભવનિર્વેદ, માર્ગાનુસારિતા નહતો કલ્યાણ ન થાય.” ગુરુજી: "4, 5,6 જેના જીવનમાં છે પણ ૧લી, રજી પ્રાર્થના જેના પ્રાર્થના : 2 20 પડાવ : 6
Page #28
--------------------------------------------------------------------------
________________ જીવનમાં નથી એને ધર્મપમાડવો સહેલો. જેના જીવનમાં સંસ્કૃતિ, મર્યાદા હોય તેને ધર્મપમાડવો સહેલો. ૧લી, રજી પ્રાર્થના વિના 4, 5, 6 પ્રાર્થના જીવનમાં અનંતીવાર આવી હતી. તેથી ગણધર ભગવંતે ૧લી, રજી પ્રાર્થના પછી ૪થી, પમી,૬ઠ્ઠી પ્રાર્થના માગી.” સભાઃ “જેના જીવનમાં લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે, દા.ત. સ્મગલર છે એને ધર્મ કરવાનું મન થાયતો ધર્મ કરી શકે?” ગુરુજીઃ “જેના જીવનમાં લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે એવા જીવોએ જાહેરમાં ધર્મ ન કરાય.” સભાઃ “કેમ ન થાય?” ગુરુજીઃ “શાસનની અપભ્રાંજના થાય.” સભાઃ “ધર્મમાં આવશે તો સ્મગલિંગનો ધંધો છૂટી જશે.” ગુરુજી: “ધર્મમાં આવવાની ના નથી પાડી. ઉપાશ્રયના દરવાજા ખુલ્લા છે. સજ્જન મોભાદાર વ્યક્તિ ગમે ત્યારે આવી શકશે, જ્યારે મોટી લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર જાહેરમાં ધર્મનકરી શકે. દાન પણ જાહેરમાં ન આપી શકે. સ્મગલિંગ કરીને પૈસા લાવ્યો એટલે ખોટી રીતે કમાયો છે, માટે તેને જાહેરમાં દાન નહીંથાય.” સભાઃ “સ્મગલર જાહેરમાં દેરાસર બનાવે તો શું કરવાનું?” ગુરુજીઃ “સંઘમાં આપણું કોઈ નથી સાંભળવાના.બાકી સંઘાચાર્ય પગલાં લઈ શકે. દા.ત. આવા સ્મગલરે બનાવેલા દેરાસરમાં પગ પણ મૂકાય નહીં અને કોઈ પગ ન મૂકે. મારું ચોમાસું મુલુંડમાં હતું. સંવત્સરીની રાત્રે હું પ્રાયઃ 12.30 વાગે માત્રુ પરઠવવા નીચે આવ્યો. મંડપમાં જ માત્રાની કૂંડી હતી ત્યાં રસોડામાંથી ધૂમાડો નીકળતાં જોયો. મેં ત્યાં તપાસ કરી તો શીરો, મગ પ્રાર્થના : 2 પડાવ : 6 " 2 21
Page #29
--------------------------------------------------------------------------
________________ 12.30 વાગે થઈ ગયા હતા. મેં પૂછ્યું આટલું વહેલું કેમ બનાવ્યું? તો રસોઇયો કહે કે ચાર ઓર્ડર છે, શું કરું? હવે હું તમને કહું કે આ મધ્યરાત્રે બનેલું છે. વાસી છે, ખાતાં નહીં. તો તમે માનો?” ..વિશેષ વાતો અવસરે. પ્રાર્થના 2 પ્રાર્થના : 2 2 2 પડાવ 6 પડાવ : 6
Page #30
--------------------------------------------------------------------------
________________ પડાવ : 7 જળ ભરી સંપુટ પત્રમાં,યુગલીક નર પૂંજત ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંતઃ ભવનો અંત લાવવા માટે આપણે સુધર્માસ્વામી ભગવંતે બનાવેલ જયવયરાય સૂત્રની વિચારણા કરી રહ્યા છીએ. (1) ભવનિર્વેદ (2) માર્થાનુસારિતા (3) ઇષ્ટફલસિદ્ધિ (4) લોકવિરુદ્ધનો ત્યાગ (૫)ગુરુજનપૂજા (6) પરાર્થકરણ (૭)સદ્ગુરુનો યોગ (8) તેમના વચનની સેવા.. આભવમખેડા ગણધર ભગવંતે અહીં સુધી જ સૂત્ર બનાવ્યું છે. પછીની જે માંગણીઓ છે તે પૂર્વાચાર્યકૃત છે. સભાઃ “ગણધર ભગવંતે કેમ અધૂરું સૂત્ર બનાવ્યું?” ગુરુજીઃ “ગણધર ભગવંતે કેમ 8 પ્રાર્થના સુધી જ સૂત્ર બનાવ્યું તે વિચારીએ. તમે કહ્યું કે ગણધર ભગવંતે કેમ અધૂરું સૂત્ર બનાવ્યું. સૂત્ર અધૂરું છોડવાનું સંભવિત કારણ (1) વ્યક્તિને આવડતું ન હોય તો અધૂરું છોડે (2) વ્યક્તિના કામમાં ઠેકાણું ન હોય તો અધૂરું છોડે. (3) કાર્ય કરતાં કાંઈ ગણધર ભગવંતે આઠ પ્રાર્થના સુધી જ સૂત્ર બનાવ્યું પણ આગળનું સૂત્ર ન બનાવવામાં એક પણ ઉપરોક્ત કારણ નથી. (1) ગણધર ભગવંતો શ્રતના પારગામી છે. તેથી તેમને આવડતું નથી એવું તો નથી જ. (2) તીર્થકર ભગવંતના પટ્ટધરના કામમાં ઠેકાણું ન હોય એ વાતમાં દમ નથી. (3) જયવીયરાયસૂત્ર બનાવતાં કોઈ વિપ્ન પણ આવ્યું નથી. છતાં...” સભાઃ “તે કાળે આગળની પ્રાર્થનાઓની જરૂર નહીં હોય.” પ્રાર્થના : 2 પડાવ : 7
Page #31
--------------------------------------------------------------------------
________________ ગુરુજી: “ના, તે કાળે પણ આગળની પ્રાર્થનાની જરૂર હતી. દા.ત. ભવે ભવે તુમ્હચલણા -ભવોભવ મને તમારું શાસન મળજો . ચોથા આરામાં પણ પૂરેપૂરો ચતુર્વિધ સંઘ મોક્ષમાં નથી જવાનો તેથી તેમને પણ જયાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી ભવોભવ પ્રભુનું શાસન મળજો એવી પ્રાર્થનાની જરૂર છે જ.” સભાઃ “પહેલી આઠ પ્રાર્થનાની અંતર્ગત પાછળની પ્રાર્થનાઓ આવી જતી હશે.” ગુરુજીઃ “બરાબર, તમે મહેનત કરો તો બધા જવાબ આવડી જાય એવી તમારી શક્તિ છે. ભારતનું બંધારણ એક ચોપડીમાં લખાઈ જાય પરંતુ બંધારણનું અર્થઘટન કરવા માટે હજારો પુસ્તકો ઓછાં પડે. એટલે ગણધર ભગવંતે 8 પ્રાર્થનામાં જે માંગ્યું હતું તે આપણા જેવા મંદ ક્ષયોપશમવાળા ન સમજી શકે એટલે વિસ્તૃત કરીને આપ્યું.” સભાઃ “પ્રથમ આઠ પ્રાર્થનામાં “ભવે ભવે તુમ્હ ચલણાણ” ભવોભવ તમારું શાસન મળજો એવી પ્રાર્થનાનો સમાવેશ ક્યાં કરવામાં આવેલ છે?” ગુરુજી: “સદ્દગુરુ જોગો..”માં આવી જાય. સદ્ગુરુ શાસનમાં જ હોય. શાસન બહાર સગુરુ છે જ નહીં તેથી ઈન્ડાયરેક્ટલી તો આ વાત આવી જતી હતી. પણ આપણે ન સમજી શકીએ તેથી અન્ડરલાઇન કરીને અર્થાત્ સેપરેટ સમજાવી હોય અથવા દ્વિબદ્ધ સુબદ્ધ એ ન્યાયે પણ લખી હોય. ગણધર ભગવંતે કરેલ આઠ પ્રાર્થનાને યથાર્થ સમજીને પૂર્વાચાર્ય ભગવંતોએ એ પ્રાર્થનાઓને આપણા બોધ માટે વિસ્તૃત કરી છે.” સભાઃ “ઉદાહરણથી સમજાવો ને!” ગુરુજી: “લૌકિક ઉદાહરણ લઈએ. વડીલો કહેતા કે ગામેગામ ઘર બાંધવા જોઈએ. આ પંક્તિનો શબ્દાર્થ થાય છે કે દરેક ગામમાં ઘર હોવું જોઈએ. ભારતમાં 6 લાખ ગામડાં છે. છ લાખ ગામમાં ઘર બાંધવા માટે પુષ્કળ પ્રાર્થનાઃ 2 24 પડાવઃ 7 કિપ
Page #32
--------------------------------------------------------------------------
________________ પૈસા જોઈએ. એટલા પૈસા કમાવવામાં માણસ ટેન્શનમાં ઊંધો વળી જાય. કદાચ પુણ્ય હોય અને પુષ્કળ પૈસા છે તેથી બિહારમાં ઘર લીધું. તમને કોઈ પૂછે કે બિહારમાં ઘર કેમ લીધું? મારા પિતાજી કહી ગયા કે ગામેગામ ઘર હોવા જોઈએ. માટે બિહારમાં કોઈ સ્વજન નથી છતાં ઘર લીધું. ખરેખર તમારા પિતા જે કહી ગયા છે તેનો મતલબ એવો થાય છે કે દરેક વ્યક્તિ સાથે એવા મીઠા સંબંધો રાખવા કે અન્ય ગામમાં જવાનું થાય તો પરાયું ન લાગે. પોતાનું જ ઘર લાગે. એથી એ ગામમાં પગ મૂકવામાં સંકોચ ન થાય. સમજો કે તમારે અમદાવાદ જવું છે અને ત્યાં ચોવિહાર કરવા છે. તમે પાડોશી સાથે સારા સંબંધ રાખ્યા છે. તેમની પુત્રવધૂ અમદાવાદની છે તો તરત કહેશે કે મારા પિયર જજો. ત્યાં બધી વ્યવસ્થા થઈ જશે. મારા પિયરિયાંને જ તમારા ચોવિહારનો લાભ આપજો. તમારા પિતા કહી ગયા કે ગામેગામ ઘર બાંધવા અર્થાત્ તારો સ્વભાવ સારો રાખજે. આજુબાજુવાળા સાથે કટકટ કરતો નહીં. કચરાના ડબ્બા વગેરે માટે માથાકૂટ કરતો નહીં. બાજુવાળા નાના છોકરાં ગંદકી કરી જાય તો ઝઘડવા માટે જતો નહીં. આવી લાખો હિતશિક્ષાઓ ગામેગામ ઘર બાંધવામાં રહેલી છે.” સભાઃ “ગામેગામ સંબંધ રાખવા એમ જ લખ્યું હોત તો?” ગુરુજી: “વરસાદ પડે તો લોકો કહે કે આ વરસે સોનું વરસ્યું. ખરેખર તો સોનું નથી વરસ્યું પણ પાણી વરસ્યું છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને આ રીતે ભાષા બોલાતી હોય છે. ભાષાની અમુક પ્રકારની મર્યાદાઓ આવવાની તેથી સમજવામાં તકલીફ થાય.માટે જ ગુરુની જરૂર પડે. માટે સાધુ ભગવંતોના પમ્પસૂત્રમાં તોપમ્બમ્સ નવાઇન પઢિએ... અહીંક્રમનો વ્યુત્કમ કર્યો છે. પ્રાર્થનાઃ 2 25 પડાવ : 7
Page #33
--------------------------------------------------------------------------
________________ સભાઃ “ક્રમશું હોય?” ગુરુજી: “જે ન ભણ્ય, ન ભણાવ્યું ને બદલે જે ન ભણાવ્યું ન ભણ્યું. આમ લખવા પાછળ શાસ્ત્રકાર ગુરુગમથી ભણવાની વાત કરે છે. માટે ક્રમનો વ્યુત્ક્રમ કરીને લખ્યું છે.” સભાઃ “આ અર્થ ટીકામાં લખ્યો છે?” ગુરુજી: મને ભણતાં પ્રશ્ન થયેલો તેથી મેં સુવિશાલગચ્છાધિપતિ પૂજ્ય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ને આનો અર્થ પૂછાવ્યો. તો એમણે આ અર્થ કરી આપ્યો. મને ખૂબ સંતોષ થયો. | મૂળ વાત, બંધારણની ચોપડીઓ બજારમાં મળે છે છતાં વકીલો પાસે તમારે અર્થ સમજવા જવું પડે છે. નેટ ઉપર સર્ચ કરો તો દવાની માહિતી મળે છતાં ડૉક્ટરની જરૂર પડે છે. જીએસટીના નિયમો ગુપ્ત નથી છતાં સી.એ. પાસે જવું પડે છે.” સભાઃ “સી.એ. જેટલું જીએસટીનું જ્ઞાન નથી માટે જવું પડે છે.” ગુરુજી: પૂર્વાચાર્યો જેટલું જ્ઞાન આપણને નથી તેથી જ પૂર્વાચાર્યોએ જે આગમો ઉપર ટીકા, ભાષ્યાદિ જો લખ્યાં છે તે મૂળ આગમના જ અર્થ છે. છતાં એ ભાષ્યાદિને માનવા નહીં એ બહુ ગંભીર ભૂલ છે. દા.ત. તમારા પિતા કહી ગયા કે સમાજમાં કોઈની સાથે બગાડતો નહીં. એમાં પડોશીનો ઉલ્લેખ ન કર્યો હોય તો પણ સમજવાનું જ હોય કે પડોશી સાથે બગાડાય જ નહીં. તમે તમારો કક્કો લઈને બેસી જાવ કે પિતાજી ક્યાં લખીને ગયા છે કે પડોશી...પિતાજી તો સમાજ સાથે ન બગાડવાનું લખી ગયા છે. આ જ કક્કો ખરો કરો એ વ્યાજબી નથી. આઠ માગણીની અંદર ગણધર ભગવંતે જે માંગ્યું, એમાં બધું આવી ગયું હતું. શું મંગાય એનો પૂરેપૂરો બોધ એમની પાસે હતો. છતાં પૂર્વાચાર્ય દિબધ્ધ સુબદ્ધમ્ ન્યાય અથવા તો સ્પષ્ટ બોધ થાય એવા ઉદાત્ત પ્રાર્થના : 2 26 પડાવ : 7.
Page #34
--------------------------------------------------------------------------
________________ આશયથી આગળની પ્રાર્થનાઓ બનાવી છે. આપણી વાત ચોથી પ્રાર્થના લોગવિરુદ્ધચ્ચાઓની ચાલતી હતી. લોગ-સારા, સજ્જન લોકો અને એ લોકોને જે ન ગમતું હોય તેનો ત્યાગ એનું નામ “લોગવિરુદ્ધચ્ચાઓ. અહીં સર્જન લોકો જ લેવા પડશે. સજ્જન=શિષ્ટ જન. જૈન લેવા એવું ન સમજવું. ટૂંકમાં, દુનિયામાં જેટલા શિષ્ટજન છે એ લોકોને નથી ગમતું એવી વસ્તુનો ત્યાગ એટલે લોગવિરુદ્ધચ્ચાઓ.” સભાઃ “શિષ્ટજન અર્થાત્ સજ્જન કોને ગણવા?” ગુરુજી: “જેને સુકૃતો સહજ ગમતાં હોય, સારાં કામો ગમતાં હોય અને ખરાબ કામો ન ગમતાં હોય. એને શિષ્ટજન અર્થાત્ સર્જન કહેવાય. લોક વિરુદ્ધ પ્રવૃત્તિ બે પ્રકારની આવશેઃ 1) જે પ્રવૃત્તિ સીધેસીધી નિંદ્ય લાગશે જેમ કે, વેશ્યાનો ધંધો કરવો, કતલખાનું ચલાવવું, સ્મગલિંગ કરવું, જુગાર રમવો આ બધી સ્પષ્ટ અયોગ્ય પ્રવૃત્તિઓ છે. આમાં બહુ સમજવાની જરૂર ન પડે. જ્યારે બીજી લોક વિરુદ્ધ પ્રવૃત્તિમાં સ્પષ્ટ, સીધું, દેખીતું પાપ ન દેખાય. દા.ત. વડીલોથી જુદાં રહેવાનું, દારુ, સ્મગલિંગ –વેશ્યાના ધંધામાં સીધું પાપ દેખાશે. તમે વડીલોથી જુદાં સ્વતંત્ર રહો એમાં આવું સીધું પાપન દેખાયછતાં એવી પ્રવૃત્તિઓનો પણ ત્યાગ કરવા.'' સભાઃ “આજે તો દેખીતું પાપ દેખાય એમાં સમજાવવા જઈએ તો પણ સામે ગળે વળગે.” ગુરુજી: “તમારી વાત સાચી છે, એક યુવાનને એક સજ્જનભાઈ સમજાવવા ગયા કે તું મહિને 15 હજાર રૂપિયા દારૂ-સિગારેટ પાછળ ઊડાડી નાખે છે. 12 મહિનાના 1 લાખ 80 હજાર થાય અને 10 વર્ષના 18 લાખ રૂપિયા થઈ ગયા. આ 18 લાખ રૂપિયા બચાવ્યા હોત તો તારી પ્રાર્થના : 2 27 પડાવ : 7
Page #35
--------------------------------------------------------------------------
________________ પાસે આજે 60 તોલા સોનું હોત. વ્યસની યુવાને કાકાને વળતો સવાલ કર્યો કે તમારી ઉંમર કેટલી થઈ? તો કાકાએ જવાબ આપ્યો કે 60 વર્ષ. યુવાને ફરી સવાલ કર્યો કે તમે દારૂ, સિગારેટ પીઓ છો? તો કાકા કહે કે ના, તો તમારી પાસે 360 તોલા સોનું હોવું જોઈએ ને! છે તમારી પાસે 360 તોલા સોનું? જડ અને વક્ર લોકો એવા હોય છે કે તમે એને સમજાવવા જાવ તો તમને ગળે વળગે. કોઈ સજ્જને દારૂ, સિગારેટનું સેવન જીવનમાં ક્યારેય કર્યું નથી છતાં કેન્સર થાય તો કહેશે કે દારૂ-સિગારેટ ન પીધાં છતાં કેન્સર થયું તો અમને શાંતિથી પીવા દો. માથાકૂટ ન કરો. ભલા માણસ ! સિગારેટ વગેરે પીતા ન હતા છતાં કેન્સર થયું તો વિચાર કર કે જે પીએ છે તેને તો કેન્સરના ચાન્સ કેટલા વધી જાય?” સભાઃ “વક જડ તો કહેશે કે મારા દાદા રોજની ૬૦બીડી પીતા હોવા છતાં કાંઈન થયું, ૮૩વર્ષ જીવ્યા.” ગુરુજી: “આવા જડ, વક્રને સમજાવી ન શકાય. વ્યસનો પણ માત્ર ભૌતિક આશયથી નથી છોડવાના.” સભાઃ “આપે ગઈ કાલે કહ્યું કે “નિન્હો નોડપિ તો એમાં અધમાધમ જીવ સિવાય બીજા કોઈની નિંદા ન કરવી. અમારા ઘરે કોઈ વસ્તુ ચોરી જાય તો એની પણ નિંદા ન કરાય?” ગુરુજી: “ના, તમે આર્યદિશની સત્યઘટનાઓથી પરિચિત નથી. બાકી કેવા કેવા અદ્ભુત ઉદાહરણો તમને સાંભળવા મળે. મુકુન્દરાય પારાશર્યજીએ પોતાની માની વાતો લખી છે તે વાંચો તો સમજાય. મારાં બાનાં અવસાન પહેલાંના ત્રણેક વર્ષે બનેલી હકીકત છે. બાના પિયરના ગામ મોરબીમાં એક ભાઈ રહેતા હતા. પણ ભાવનગર આવે ત્યારે બા પાસે આવતા રહેતા. તેઓ મારી માને ફઈ કહેતા અને પ્રાર્થના : 2 28 પડાવ : 7
Page #36
--------------------------------------------------------------------------
________________ છેવટનાં વરસોમાં તો વારંવાર આવતા. કોઈ પણ કારણે તેમને હસ્તલાઘવની(ચોરી) ટેવ પડેલી તે છૂટતી જ ન હતી. પછીનાં વરસોમાં સાવ નિર્ધન થઈ જવાથી એ ટેવ વધી હોઈ, બે-ચાર મિનિટ પણ ઓરડામાં એકલા પડવા દીધા હોય તો કંઈક વસ્તુ તો જાય જ. છતાં બા તેમને જમીને જવાનું કે બપોર પછી છાંયો ઢળે જવાનું કહેતાં ત્યારે મને ઘણો ચિત્તક્લેશ થતો. બાને આ ભાઈની ટેવ બાબતે ખબર હતી. છતાં પણ તેઓ તેમને હેતથી અવનવું ખવડાવતાં. મિષ્ટાન્ન બનાવી દેતાં અને અવનવા અથાણાં કાઢી ખવડાવતાં. ઉનાળામાં તો બા તેમને પંખો ય નાખતાં. વાત સાચી કે એ ભાઈ બહુ ભાવથી જમતા અને વારંવાર ફઇ-ફઈ કહી બાળપણની વાતો સંભારતા. એક વાર તેઓ સવારમાં મારા ઘરે આવ્યા. બાએ જમવા રોક્યા.બા ઘરમાં હતાં અને હું બાજુની ઓરડીમાં બે-ત્રણ પુસ્તકો મૂકવાને એક પુસ્તક લેવા ગયો. પુસ્તક ગોતતાં બે-ત્રણ મિનિટ થઈ. પાછો આવ્યો ત્યારે ટેબલ પરથી બે નાની વસ્તુઓ ગયેલી. મેં અંદર જઈને બાને કહ્યું, આપણે સહુ જાણીએ છીએ કે એ ભાઈ આવે છે ત્યારે કંઈક વસ્તુ જાય છે. તોય બેસવાનું, જમવાનું શા માટે કહેવું?” બાએ કહ્યું, “ભાઈ! હું જીવું છું ત્યાં સુધી રે ‘વા દે.”કહી બા મૂંગા થઈ ગયાં. બાએ શ્રીખંડ કરી ખવરાવ્યો. પંખો નાંખતાં, જૂની વાતો સંભારતાં બંને બેઠાં. હું રસોડામાં જઈ લુસલુસ જમી ઓફિસે જવા નીકળ્યો. જતાં જતાં કહેતો ગયો કે મને આ બધું ગમતું નથી. ઓફિસેથી પાછો ઘેર આવ્યો ત્યારે મેં બાને પૂછ્યું, “હું ગરમ થઈ, બોલીને ઓફિસ ગયો ત્યારે તમારે મને કંઈ કહેવું હતું? બાએ કહ્યું કે તને આવડા મોટાને મારે શું કહેવાનું હોય? મેં કહ્યું કે તમે મારી સામે જોતા'તા ત્યારે શું વિચાર આવતા‘તા?” પ્રાર્થના : 2 29 પડાવ : 7
Page #37
--------------------------------------------------------------------------
________________ બાએ કહ્યું કે મને તો ત્યારે તારા બાપા યાદ આવતા'તા. અમે એકવાર આપણા ગામડે ગયા. ત્યારે ઓરડાની ચાવી જેની પાસે હતી તે કમરૂદ્દીનભાઈએ કહ્યું કે તમારા ફલાણા સગા પંદર દિ‘પહેલાં આવ્યા હતા અને ચાવી માંગી કે તમે સામાન રાજકોટ મંગાવ્યો છે, માટે લેવા આવ્યા છે. એમ કહી એક મોટું કબાટ, એક પેટી, તાંબા-પિત્તળના કે રૂપાનાં વાસણ લઈ ગયા છે. તારા બાપુ કંઈ બોલ્યા નહીં. પછી ઓરડામાં ગયા. પટારો ઉઘાડ્યો. ત્યાં તાળું તોડી ઘરેણાં વગેરે લઈ ગયા હતા. મને આ વસ્તુસ્થિતિ જોતાં દુઃખ થયું ત્યારે તારા બાપાએ કહ્યું કે આ વાત કોઈને, બા સુદ્ધાને ના કહેવી. મૂંગા રહેતા અને ખમી ખાતાં શીખવું. આપણા નસીબનું નહોતું એમ મન મનાવવું. એ યાદ આવતાં મને થયું કે એ બાપનો તું દીકરો થઈ આમ કેમ વ?તમને સમજાયું હશે કે તમારે ઘરેથી કોઈ વસ્તુ ચોરી જાય તો નિંદા તો બહુદૂરની વાત છે.” સભાઃ “શ્રાવક આવી રીતે કોઈ ચોરી કરી જતું હોય તે સહન કરે ? ક્યાં સુધી સહન કરવાનું?” ગુરુજીઃ “ભૌતિક નુકસાનમાં જેટલું સહન થાય તેટલું કરવું. સહન કરશો તો સારું છે. જયાં સુધી તમારી સમાધિટકતી હોય ત્યાં સુધી સહન કરવામાં કોઈ વાંધો નથી. મૂળ વાત, લોકવિરુદ્ધ બે પ્રકારે છેઃ (1) જેમાં પાપ સ્પષ્ટ દેખાય, (2) જેમાં પાપ સ્પષ્ટ ન દેખાતું હોય. જેમ કે મા-બાપથી અલગ રહેવું વગેરે. તમારી બહેન વિધવા થઈ છે. એના સાસરીપક્ષમાં કોઈ નથી. ત્યારે ભાઈ તરીકે તમારી જવાબદારી વિધવા બહેનના ભરણપોષણની આવે. તમારે ચૂં કે ચા કર્યા વગર ભરણપોષણ કરવાનું. તમે ગાડીઓમાં ફરો અને બહેનનું ભરણપોષણ ન કરો તો ન ચાલે પણ આજે સમાજ પ્રાર્થના : 2 30 પડાવ : 7
Page #38
--------------------------------------------------------------------------
________________ વ્યવસ્થા તૂટી ગઈ છે. તમે હાથ ઊંચા કરી નાખો તો કોઈ કહેનાર રહ્યું નથી. બાકી સમાજવ્યવસ્થા હોય તો સજ્જનો તમારો હાથ પકડશે. માય લાઈફ ઈઝ માય લાઇફ એ વાત અહીં ન ચાલે. અહીં સજ્જનો પણ Involve થશે. અહીં ચૂકો તો ગણધર ભગવંતો તમને ચૂક્યા કહેશે. માટે ગણધર ભગવંતો ભગવાન પાસે પ્રાર્થના કરે છે. લોકવિરુદ્ધચ્ચાઓ.” સભાઃ " 12 વ્રતધારી શ્રાવક હોય અને એની વિધવા બહેનના ભરણપોષણની જવાબદારી છતી શક્તિએ ન લે તો લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય?” ગુરુજીઃ “હા, 100% લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય. શાસ્ત્રકારો જેનામાં જેટલી ભૂમિકા મુજબ ખામી હશે તે ખામી તટસ્થતાપૂર્વક જરૂર બતાવશે. ભગવાનના શાસનમાં જરા પણ મારાતારાનો ભેદભાવ નથી. લોકવિરુદ્ધ પ્રવૃત્તિમાં મીરાંના જીવનને જોઈએ. મીરાંના લગ્ન રાજઘરાણામાં થયેલાં છે. અંબાણી ફેમિલીની પુત્રવધૂઓનો દબદબો કેવો હોય? એનું સ્ટેટસ કેવું હોય? એની પાસે પૈસાની રેલમછેલ કેવી હોય?” સભાઃ “આટલા પૈસાવાળાને તો પાર્ટી, શોપિંગ, ફેશનમાંથી બહાર નીકળવાનો ટાઇમ જનમળે.” ગુરુજીઃ “મીરાં રાજરાણી છે. એમને કોઈ ગૃહકાર્ય વગેરે કરવાનાં ન હોય. મીરાંનાં નવાં નવાં લગ્ન થયાં છે અને પતિનું મૃત્યુ થઈ જાય છે અને મીરાં વિધવા થયાં છે. તમે હોવ તો મીરાંને શું શિખામણ આપો?” સભાઃ “બીજાં લગ્ન કરી લે. આખી જિંદગી કેવી રીતે નીકળશે?” ગુરુજી: “બીજો પતિ કરશે એટલે જિંદગી નીકળી જશે? બીજો પતિ નહીં મરે એની ગેરંટી છે? આર્યદેશની વાતો સાંભળો તો ખબર પડે. ગંગડોશીની વાત છે. ગંગુનાં લગ્નનાં બે-ત્રણ વર્ષમાં જ પતિ મરી ગયો. બીજાં લગ્નની વાત કરી પ્રાર્થના 2 31 પડાવ : 7
Page #39
--------------------------------------------------------------------------
________________ (એમના સમાજમાં ઘરઘરણાં-બીજાં લગ્ન- થતાં હતાં). તો ગંગુવહુ ચિડાઇને કહેતી કે આવી વાત મારી આગળ નહીં. જે ધણીને મેં જીવ દીધો એનું ગામતરુ (મૃત્યુ) થયા કેડે હું એને છેહ (દગો) દઉં તો હું ક્યા ભવમાં છૂટું?” સભાઃ “નાની ઉંમરમાં વિધવા થાય તો જિંદગી નીકળે કેવી રીતે?” ગુરુજીઃ “ધર્મમાં મન લગાડવાથી જિંદગી સુખપૂર્વક નીકળી જાય.” સભાઃ “ધર્મગમવો તો જોઈએ ને?” ગુરુજી: “ધર્મમાં ન ગમવા જેવું શું છે? બીજો પતિ બે વર્ષમાં મરી જશે તો? પતિ નથી તો શું થયું? પરિવારમાં સાસુ-જેઠાણી વગેરે તો છે જ ને?ધર્મમાં મન લગાડવાનું. સામયિક પ્રતિક્રમણ કરી શકાય. બાકીના ટાઇમમાં ઘરનાં કર્તવ્ય આવશે. પતિના સાથે જે ટાઇમ મળતો હતો તે ધર્મમાં લગાડી દેવાનો. મીરાં વિધવા થયાં. બીજાં લગ્નની વાત નથી. શ્રીકૃષ્ણની ભક્તિમાં પોતાનું મન લગાડી દે છે. બીજાં લગ્નનો વિચાર સુદ્ધાં નથી કરતાં. મીરાંના પદો વૈરાગ્યમય છે. છતાં મીરાંના જીવનમાં લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે.” સભાઃ “શું છે?” ગુરુજીઃ “શ્રીકૃષ્ણની ભક્તિ ગમે ત્યાં રસ્તા ઉપર પણ કરવા બેસી જાય. વીણા વગાડે, ભગવાનનાં ગીતો ગાય. આદિશની સ્ત્રીઓ આમ રસ્તા પર ન ગાય. રાસડા પણ ન લે. ગમે ત્યાં બેસી ન જવાય. ગમે ત્યાં ભજન ન કરે. ગમે ત્યાં નાચે નહીં.” સભાઃ “ભજન જ ગાયછેને?” ગુરુજીઃ “સ્ત્રીઓથી જાહેરમાં ગમે ત્યાં ભજન કરવું, નાચવું વગેરે ન થાય.” પ્રાર્થના 2 32 પડાવ : 7 32.
Page #40
--------------------------------------------------------------------------
________________ સભાઃ “મંદોદરીએ અષ્ટાપદ પર્વત પર નૃત્ય કર્યું છે.” ગુરુજીઃ “મંદોદરીએ ભગવાનની સામે નૃત્ય કર્યું છે.” સભાઃ સ્ત્રીથી ભગવાનની સામે નૃત્ય થાય?” ગુરુજી: “સતી મંદોદરીએ કર્યું તે ખોટું છે? મંદોદરી સ્ત્રી નથી?” સભાઃ “મંદોદરીએ ભગવાન સામે નૃત્ય કર્યું તે સારું કે ખોટું?” ગુરુજી: “સતી મંદોદરીએ ભગવાન સામે નૃત્ય કર્યું એ સારું છે. મીરાએ કર્યું એ ખોટું છે.” સભાઃ “મંદોદરી આપણાં છે એટલે સારું અને મીરાં બીજા ધર્મનાં છે માટે ખોટું?” ગુરુજી: “વાહ ભાઈ વાહ! કૃષ્ણ કરે તે લીલા અને બાકી બધાં કરે તે ગુનો એવું નથી મંદોદરીએ ભગવાન સામે નૃત્ય કર્યું એ ખોટું નથી કારણ કે ત્યાં કોઈ પુરુષની હાજરી નથી.” સભાઃ “રાવણ હાજર છે ને?” ગુરુજી: ભાઈ, પુરુષનો અર્થ અહીં પરપુરુષ લેવાનો છે. રાવણ તો તેનો પતિ છે. આર્ય દેશમાં સ્ત્રી પોતાના પતિ સિવાય અન્ય કોઈ પણ પુરુષની હાજરીમાં નૃત્ય ન કરે. જ્યારે મીરાં ભજન ગાતાં રસ્તા ઉપર નાચે ત્યારે ત્યાં અનેક પરપુરુષો હોય માટે ખોટું છે. મારાતારાનો ભેદ નથી. શ્રાવિકા બહેનો પણ રસ્તા પર નાચે તો ખોટું જ કહેવાય. ભલે એ ભગવાન મહાવીરના ઉપાસક હોય. ખોટું તો ખોટું જ કહેવાય. તેમાં ભેદભાવ ન હોય.” સભાઃ “કોઈ પતિ-પત્ની બંને દેરાસરમાં આવે. અન્ય કોઈ પુરુષ નથી તો સ્ત્રી ભગવાન સામે નૃત્ય કરી શકે?” ગુરુજીઃ “હા, કરી શકે. એમાં કાંઈ ખોટું નથી. મહિલામંડળ પૂજા ભણાવતી વખતે દાંડિયા વગેરે રમે છે તે ખોટું નથી. બહેનો દેરાસરમાં આ પ્રાર્થના : 2 33 પડાવ : 7
Page #41
--------------------------------------------------------------------------
________________ રીતે ભક્તિ કરતાં હોય ત્યારે ભાઈઓએ વિવેક રાખવો જોઈએ. આર્યદેશની વાતો સાંભળશો તો આનંદચકિત થઈ જશો. તાનસેને રાજદરબારમાં એકવાર કહેલું કે દરેક રાગોની વિશિષ્ટ તાકાત હોય છે. હિંડોળ રાગથી હિંડોળા અને શેરડીના સંચાઓ ચાલે છે. શ્રી રાગથી અકાલને મારી હટાવાય અને લીલી હરિયાળી થાય છે. ભાગ્યશ્રી રાગ શુદ્ધ રાગમાં ગવાય તો સરસ્વતી માતાનું સર્જન થાય છે. તેવી જ રીતે દીપક રાગ ગાવાથી અગ્નિ વગર દીપક પ્રગટ થઈ જાય છે. રાજાને આશ્ચર્ય થયું કે જો ખરેખર તમારા દીપક રાગમાં તાકાત હોય તો અહીંયા ઘીના દીવાઓ તમે દીપક રાગથી પ્રગટાવી આપો. ત્યારે તાનસેને જવાબ આપ્યો કે રાજાધિરાજ એ હું નહીં કરી શકું કેમ કે સામે મેઘમલ્હાર રાગ ગાવો પડે. નહીં તો છ મહિના સુધી મારે તળાવમાં છાતીસમાણા પાણીમાં બેસવું પડે ત્યારે તેમાંથી પ્રગટેલો દાહ શાંત થાય. રાજાએ કહ્યું કે તમે છ મહિના દરબારમાં નહીં આવો તો ચાલશે. પરંતુ મારે તમારા દીપક રાગની તાકાત જોવી છે. રાજાભિયોગને કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ગામ વડનગરમાં સંગીતની કસોટી થઈ અને તાનસેન દ્વારા દીપક રાગ ગવાતા બધા દીપક અગ્નિ વગર પ્રગટ્યા. પરંતુ તાનસેને રાગના પ્રતાપે શરીરમાં લાગેલા દાહને કારણે દોડીને તળાવમાં ઝંપલાવ્યું અને છાતીસમાણા પાણીમાં રહેવાનું શરૂ કર્યું. બીજે દિવસે સવારે તે ગામની નાની દીકરીઓ પાણી ભરવા આવી અને તેમણે તાનસેનને જોતાવેત જ કહ્યું કે આપનું નામ તાનસેન છે ને? અને આપના ઇંગિત પરથી જણાય છે કે આપે દીપક રાગ ગાયો લાગે છે. તાનસેને પૂછ્યું કે બેટા તમને કેવી રીતે ખબર પડી? બંને દીકરીઓએ જવાબ આપ્યો કે અમે પણ સંગીતના ઉપાસક છીએ અને આપ અમારે ત્યાં પધારો. અમે તમને મેઘમલ્હાર સંભળાવીશું અને પ્રાર્થના : 2 34 પડાવ : 7
Page #42
--------------------------------------------------------------------------
________________ આપનો દાહ શાંત થઈ જશે. પરંતુ આપે અમને એક વચન આપવું પડશે કે આપ અમારું નામ ગુપ્ત રાખશો. કારણ કે એ જમાનામાં પરપુરુષની હાજરીમાં જાહેરમાં સ્ત્રીઓ ગાતી ન હતી. તાનસેનને આવકારીને તાના રીરી પોતાના ઘરે તેમનું સ્વાગત કરીને મેઘમલ્હાર રાગ સંભળાવે છે અને તાનસેનનો દાહ શાંત થઈ જાય છે. અને એ જ દિવસે તાનસેન રાજસભામાં હાજર થાય છે. રાજાએ તરત પૂછ્યું કે તમે તો કહેતા હતા ને કે હું છ મહિના સુધી નહીં આવી શકું તો આજે આપ કેવી રીતે આવી ગયા? ત્યારે તાનસેને કહ્યું કે હું વચનથી બંધાયેલો છું એટલે નામ નહીં આપું પણ રૈયતમાં બે નાની દીકરીઓ છે તેઓ તળાવમાં પાણી ભરવા આવી અને મારા ઇંગિત આકાર પરથી તેમણે કહી દીધું કે તમે દીપક રાગ ગાયો છે અને તેમણે મને મેઘમલ્હાર રાગ સંભળાવ્યો છે અને મારો દાહ શાંત થયો છે. આ પણ સંગીતના સાત સૂરોની સૂરાવલિની કમાલ છે. રાજાએ હવે જિદ પકડી કે મને એ બંને દીકરીઓનાં નામ આપો. તાનસેને આનાકાની તો ઘણી કરી પણ રાજાભિયોગના કારણે તેમણે બંનેનાં નામો આપ્યાં. અને બંને દીકરીઓને રાજ્યસભામાં હાજર થવા કહેણ મોકલવામાં આવ્યું. બંને દીકરીઓએ રાજયસભામાં જવાને બદલે પોતાના ઘરમાં જ સમાધિ લીધી અને આજે પણ તે બંને દીકરીઓના બલિદાનને સંગીતકારો આલાપની અંદર તાનારીરીનાં નામો વાપરીને અંજલિ આપે છે. આજે જોવાલાયક સ્થળોમાં આ બંનેનાં બલિદાનની યશોગાથારૂપ દહેરીઓનાં દર્શન માટે લોકો ટોળે વળે મીરાં તો ભજન ગાતાં હતાં પણ તમે તો ઇન્ડિયન આઇડિયલમાં તમારી દીકરીઓને હલકાં ગીતો ગામ વચ્ચે ગાવા માટે પ્રોત્સાહિત કરો એવા છો. પ્રાર્થના : 2 35 પડાવ : 7
Page #43
--------------------------------------------------------------------------
________________ આર્યદિશમાં કેવી મર્યાદા હતી તે આ બે પનિહારીઓની વાત ઉપરથી તમને સમજાશે.” સભાઃ “સ્ત્રીઓને ગોંધી જ રાખવાની ને?” ગુરુજી: “તમારું માથું ઠેકાણે નથી માટે તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે છે. બાકી... જલિયાવાલા બાગની ઘટનાથી દુઃખી સરદાર ઉધમસિંહ ફોરેનમાં પહોંચ્યા. ત્યાં ઘણા અંગ્રેજોને માર્યા અને જયારે સરદાર ભાગતા હતા ત્યારે એક યુવતીએ જાણી કરીને પોતાનો પગ આડો કરીને સરદાર ઉજમસિંહને નીચે પટક્યા. પડવાના કારણે પકડાઈ ગયા ત્યારે લોકોએ પૂછ્યું કે તમારી પાસે બંદૂક તો હતી જ. તમે કેમ એ યુવતી પર બંદૂક ન ચલાવી? ત્યારે ઉજમસિંહે કહ્યું કે હું ભારતીય છું. અમે છોકરી પર આંખ પણ નથી ઊઠાવતા તો બંદૂક તો કેવી રીતે ઊઠાવું? ભારતીય સંસ્કૃતિ તમને ખબર હોત તો કદાચ આવું ન બોલતા કે સ્ત્રીઓને ગાંધી જ રાખવાની?” સભાઃ “રામ, લક્ષ્મણ , સીતા વનવાસમાં ગયા ત્યારે એક મહાત્મા સામે સીતાએ નૃત્ય કર્યું અને રામ લક્ષ્મણે વાજિંત્ર વગાડ્યા. સીતા માટે લક્ષ્મણ પરપુરુષ હતા તો સીતાજીની આ પ્રવૃત્તિ લોગવિરુદ્ધ ન કહેવાય?” ગુરુજી: “અહીં સીતાજીના જીવનમાં લોગવિરુદ્ધ નહીં બતાવી શકો. કારણ કે લક્ષ્મણ અત્યંત મર્યાદાવાન છે. સીતાજીના અપહરણ બાદ સીતાજીના દાગીનાઓ મળ્યા તો લક્ષ્મણ કહે છે કે મેં ક્યારેય પણ ભાભીની સામે જોયું નથી. તેથી હાર, કુંડલ, બંગડી વગેરે નહીં ઓળખી શકું. પણ રોજ એમના ચરણે નમસ્કાર કરતો હતો તેથી તેમના પાયલને ઓળખી શકીશ. આવા લક્ષ્મણ દિયર છે માટે ચાલે બાકી બીજા કોઈદિયર હોય તો ચાલે.” સભાઃ “અમારાં ભાભીઓ તો બંગડી પહેરતાં જ નથી.” પ્રાર્થનાઃ 2 36 પડાવ : 7
Page #44
--------------------------------------------------------------------------
________________ ગુરુજી: “પૂર્વકાળમાં વિધવા સ્ત્રી હાથમાં બંગડી વગેરે પહેરતી નહોતી. આજે સધવા સ્ત્રીઓ પણ બંગડી પહેરતી નથી તે લોકવિરુદ્ધ છે. જે વિધવા હાથમાં બંગડી પહેરે તે પણ લોકવિરુદ્ધમાં આવશે. જેટલા પણ શિષ્ટપુરુષમાન્ય રીતરિવાજો છે તે રીતિ-રિવાજોનો લોપ તે લોકવિરુદ્ધમાં આવશે.' સભાઃ “અમે બંને પતિ-પત્ની છીએ અને ગુરુમહારાજ પધાર્યા હોય તો મારી પત્ની ગુરુ મ.સા.ની સામે નૃત્ય કરી શકે ને? સીતાજીએ મ.સા.ની આગળ નૃત્ય કર્યું હતું ને?” ગુરુજીઃ “કરી શકે. પણ પહેલાં ભૂમિકા જોવી પડશે કે મ.સા. કઈ ભૂમિકાના છે, મારા જેવા સ્થવિર કલ્પી હોય તો ન થઈ શકે. સમતાની ભૂમિકાવાળા હોય અને કરે તો વાંધો નહીં. કદાચ અમારો પ્રવેશ વગેરે છે અને બહેનો હર્ષમાં નાચવાનું ચાલુ કરે તો મારે કહેવું પડે કે મર્યાદા રાખવી પડશે. ચોથા આરામાં મંદોદરીને પરપુરુષની સામે નાચવાની છૂટ ન હતી. એ કાળ તો અત્યંત મર્યાદાવાળો હતો. છતાં નિષેધ છે. તો પંચમ કાળમાં તો સુતરામ નિષેધ કરવો જ પડે.” સભાઃ “દીકરા-દીકરીનાં લગ્નમાં નાચતાં ન આવડતું હોય તો 50-50 હજાર રૂપિયા આપીને કોરિયોગ્રાફર રાખે છે!” ગુરુજી: “તમારી તો વાત થાય તેમ નથી ! ઘણાંને લગ્ન વગેરેમાં નાચવું નથી. ઘણાને ઘરમાં ટીવી લાવવું નથી, ઘરમાં એ.સી. લાવવું નથી. છતાં કેમ લાવે છે ?" સભાઃ “સ્ટેટસ થઈ ગયું છે માટે !" ગુરુજી: “ના, લોકસંજ્ઞાના કારણે. બધાંનાં લગ્નમાં સંગીતસંધ્યા હોય એટલે આપણે રાખવી જ પડે. બધાંના ઘરે ટીવી હોય એટલે આપણે ટીવી પ્રાર્થના : 2 37 પડાવઃ 7
Page #45
--------------------------------------------------------------------------
________________ લાવવું જ પડે. બધાંના ઘરે એ.સી. હોય તો આપણે એ.સી. રાખવું જ પડે. આનું નામ છે લોકસંજ્ઞા. લોક એટલે અહીં ગાડરિયો પ્રવાહ એવો અર્થ લેવાનો છે. સબસે બૂરા રોગ, ક્યા કહેંગે લોગ.” સભાઃ “લેટઆઉટ ફીલ થાય છે.” ગુરુજીઃ “હા, એને થાય કે હું માર્કેટમાંથી બહાર ફેંકાઈ જઈશ.લગ્નમાં રાત્રિભોજન ત્યાગ, સંગીતસંધ્યા નહીં, આઇસ્ક્રીમ, બ્રેડ, પાંઉં જેવી અભક્ષ્ય કોઈ વસ્તુ નહીં. આ બધું કરવા જઈશ તો બધું હચમચી જશે. સાહેબ! મને મારો છોકરો કહેશે કે પપ્પા, આ મારી દીક્ષા નથી, મારાં લગ્ન છે. આને કહેવાય લોકસંજ્ઞા. લોકસંજ્ઞા એ દોષ છે. લોગવિરુદ્ધચ્ચાઓ એ ગુણ છે. લોકસંજ્ઞામાં ગાડરિયા પ્રવાહનો ડર છે, જે દોષરૂપ છે જ્યારે લોગવિરુદ્ધચ્ચાઓમાંશિષ્ટ પુરુષોનો ડર છે, એ ગુણરૂપ છે. ટી.વી. આવ્યું તો ટાઇમ બગડ્યા, મન બગડ્યા, જીવન બગડ્યા, શરીર બગડ્યાં છતાં તમે ટી.વી. ઘરમાં લાવ્યા. આ લોકસંજ્ઞા છે. યુવાનોને કોથળા જેવા જીન્સ અનુકૂળ આવતા નથી. લેંઘોઝભ્ભો અનુકૂળ છે છતાં કોથળા જેવા જીન્સ પહેરે છે.” સભાઃ “અમારે સ્વજનનો શોક હોય તો લેંઘા-ઝભ્ભા પહેરવાં પડે છે.” ગુરુજી: “તમારા જેવામાંથી જ એક યુવાન મને મળ્યો. એને એના પિતાનું શોક હોવાથી ર મહિના લેઘો-ઝભ્ભો પહેર્યા. મને કહે કે સાહેબ! અત્યંત કમ્ફર્ટ લાગે છે. શરીર પતલું થાય, જાડું થાય, પેન્ટમાં તો ટેન્શન પણ લેંઘામાં નાડું હોવાથી કોઈ ટેન્શન નહીં. છતાં પહેરતાં નથી, કારણ? લોકસંજ્ઞા. ટેટુ કરાવે, દુઃખે છતાં બધાં કરાવે તો આપણે પણ કરાવો. આ છે લોકસંજ્ઞા. પ્રાર્થના : 2 38 પડાવ : 7
Page #46
--------------------------------------------------------------------------
________________ ફોરેન ગયા. સ્કાયડાઇવિંગમાં ડર લાગે છતાં નહીં કરીએ તો લોકો શું કહેશે? આ છે લોકસંજ્ઞા. સોળ વરસની છોકરી સાડી પહેરે તો કોણ લેશે ? આ છે લોકસંજ્ઞા.” લોકસંજ્ઞા થકી લોકબહુબાહુલો રાઉલો દાસસવિ ઉવેખે, એક તુજ આણશું જેહરાતા રહે, તેહને એનિજમિત્ર દેખે. બધાં જ આવા નથી હોતા. એક બહેને મને વાત કરી કે હું સાડી પહેરું છું. મારી દીકરી સ્કૂલમાં ભણે છે. એની મીટિંગ હોય તો સ્કૂલમાં પણ સાડી પહેરીને જાઉં છું.” સભાઃ “બી.એમ.સી.ની સ્કૂલ હશે.” ગુરુજી: “એની છોકરી જ્યાં ભણે છે ત્યાં જૂહી ચાવલાની દીકરી પણ એના જ ક્લાસમાં ભણે છે. એવી મોડર્ન સ્કૂલમાં પણ આ બહેન સાડી પહેરીને જ જાય. બધાં એમને ફોન કરીને પૂછે કે આ સાડી ક્યા ડિઝાઈનર પાસે તૈયાર કરાવી? ઉપરના ઉદાહરણમાં મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સંસ્કૃતિ, સદાચાર, ધર્મ માટે આપણને ગર્વ હોવો જોઈએ.” સભાઃ “સંસ્કૃતિ, સદાચાર વિરુદ્ધ વર્તન કરનારાઓને ઇન્ફિરિયર ફીલ કરાવતાં આવડવું જોઈએ.” ગુરુજી: “હા, આવડવું જોઈએ. ન આવડતું હોય તો શીખો પણ સંસ્કૃતિસદાચારોને છોડીને તમે વેસ્ટર્ન કલ્ચર અપનાવી લો તે ન ચાલે.” લૌકિક સૌંદર્ય-લોકોત્તર સોંદર્ય પ્રાર્થનાસૂત્રમાં પહેલી 6 પ્રાર્થનાને લૌકિક સૌંદર્ય કહ્યું છે. પછીની પ્રાર્થનાને લોકોત્તર સૌંદર્ય કહ્યું છે. શાસ્ત્રમાં ખૂબ સરસ વાતો આવે. તપના બાર પ્રકાર બતાવ્યા એને બે ભાગમાં વિભાજિત કર્યા છે બાહ્ય અને છે પ્રાર્થના : 2 39 પડાવ : 7
Page #47
--------------------------------------------------------------------------
________________ અત્યંતર. ઉપવાસ એ બાહ્ય તપ છે. આલોચના સ્વાધ્યાય એ અત્યંતર તપમાં સમાઈ જાય છે. સભાઃ “જે બહારથી થાય તે બાહ્ય તપ અને જે અંદરથી થાય તે અત્યંતર?” ગુરુજી: “આવો અર્થ નથી લેવાનો. જિનશાસન સિવાય બીજે પણ મળે તેને બાહ્યમાં લીધું છે અને જે જિનશાસનમાં જ મળે તેને અત્યંતરમાં લીધું ઉપવાસ માસક્ષમણ એ બાહ્ય તપ છે. બીજા ધર્મમાં પણ મૃત્યુંજય તપ વગેરે આવે છે.” સભાઃ “મૃત્યુંજયતપમાં ફરાળ, ફુટ લેવાય?” ગુરુજી: “ઉપવાસમાં ફરાળ, ફુટવગેરે જે ચાલુ થયું તે તેમના ધર્મની ખામી ન કહેવાય. એ ચાલુ કરનારની ખામી કહેવાય. જૈન ધર્મમાં રાત્રિભોજનની ના છે. છતાં તમે કરો તો તે તમારી ખામી કહેવાય, જૈન ધર્મની નહીં. અન્ય ધર્મમાં ઉપવાસમાં કશું ખાવાનું ન હોય તેથી તપ ત્યાં પણ છે અને આપણે ત્યાં પણ છે. માટે બાહ્ય તપમાં લીધા. જ્યારે સ્વાધ્યાયાદિ તો આપણે ત્યાં જ છે.” સભાઃ “સ્વાધ્યાય એટલે ધાર્મિક પુસ્તકનું વાંચન-પઠન જ ને? એ તો અન્ય ધર્મોમાં પણ છે. તો સ્વાધ્યાયને અન્ય ધર્મમાં નહીં એમ કેમ કીધું?' ગુરુજી: તમે સ્વાધ્યાયનો અર્થ શું કર્યો?સોફા પર બેસીને ચોપડી વાંચવી તે? એ અર્થ આપણે ત્યાં નથી. સ્વાધ્યાય કરવો હોય તો સૌથી પહેલાં તમારા જીવનમાં પાપત્યાગનો સંકલ્પ જોઈશે. આલોચનાનો સ્વાધ્યાય ત્યારે જ ગણાયકે જ્યારે તમે ઇરિયાવહિયમૂ કરીને સંકલ્પપૂર્વક બેસો.” સભાઃ “ઇરિયાવહિયમ્ કરતા તો 1 મિનિટ લાગે એમાં શું નવાઇ?'' ગુરુજીઃ “હસ્તમેળાપની ક્રિયા બે મિનિટની જ હોય છે પણ જિંદગીભર પ્રાર્થના : 2 40 પડાવ : 7
Page #48
--------------------------------------------------------------------------
________________ તમારી પદુડી નીકળી જાય છે ને ! ભલે ઇરિયાવલિયમ્ સૂત્રમાં 1 મિનિટ લાગે પણ તેમાં ૧૮૨૪૧૨૦રીતે માફી માગવાની હોય છે.” સભાઃ “૧૮૨૪૧૨૦રીતે માફી?” ગુરુજી: “પ૬૩પ્રકારના જીવોની હિંસા રાગથી અને દ્વેષથી એમ બે પ્રકારે થાય છે. (2) તે જીવોની હિંસા અભિઠ્યા, વતિયા વગેરે 10 પ્રકારે થઈ શકે.મનથી,વચનથી, કાયાથી ત્રણ પ્રકારે. હિંસા કરવી અને કરાવવી અને અનુમોદવી એમ ત્રણ પ્રકારે થઈ શકે. ભૂતકાળમાં હિંસા થઈ હોય, વર્તમાનકાળમાં થતી હોય અને ભવિષ્યમાં થવાની હોય એમ ત્રણ પ્રકારે માફી માંગવામાં આવે છે. વળી તે માફી અરિહંત, સિદ્ધ,સાધુ,દેવ, ગુરુ અને આત્મા એમની સાક્ષીએ માગવામાં આવે છે તેથી : પ૬૩૪૨ 410x3x3x36 =૧૮૨૪૧૨૦રીતે માફી મંગાય છે. અન્ય દર્શનીયોને પાપ કેટલી રીતે લાગે છે એનો ખ્યાલ નથી. એમના ધ્યાનમાં જ નથી કે આવી રીતે પણ પાપ લાગી શકે. દા.ત. કમઠ સંન્યાસ લઈને બેઠો છે. ખુલ્લા રોડ પર ઉનાળામાં પંચાગ્નિ તપ કરે છે. ઉનાળામાં, ઉપાશ્રયમાં ગરમી લાગે છે તો રોડ ઉપર કેવી ગરમી હોતી હશે! એમાં ચોવિહાર ઉપવાસ કરીને ધ્યાન કરે. અત્યારે આપણા ક્યા મ.સા. આવું કરે છે?” સભાઃ “એનામાં અજ્ઞાનતા છે.” ગુરુજી: “ખાલી કોઈને કહી દો કે એ અજ્ઞાન છે તેટલા માત્રથી ન ચાલે. સાથે સાથે સમજાવવું પડે કે અજ્ઞાનતા શું છે ? જેમ સંસારમાં કોઈને દાનવીર બતાવવો હોય તો એની ત્રણ-ચાર પ્રવૃત્તિઓ દાનવાળી જણાવવી જોઈએ. પછી લોકો એને દાનવીર જાહેર કરશે. સભાઃ “કમઠમાં અજ્ઞાનતા શું?” ગુરુજી: “કમઠને ખબર નથી કે પોતે સાધુ છે? આટલી ભડભડતી અગ્નિ પ્રાર્થના : 2 પડાવ : 7
Page #49
--------------------------------------------------------------------------
________________ પ્રગટાવે છે. શરીરનું ભલે કષ્ટ સહન કરે પણ અગ્નિ તો સર્વભક્ષી છે. એમાં કેટલાં બધાં જીવડાં, પતંગિયાં વગેરે બળીને ખાખ થઈ જાય? હવે જેને સર્વભક્ષી અગ્નિમાં પાપ દેખાતું નથી એ વ્યક્તિ એ પાપ કેવી રીતે છોડશે ? પાપ છોડ્યા પહેલાં પાપ, પાપ તો લાગવું જોઈએ ને? પાપ સમજાય તો જ પાપ છોડશો. સમયાવિના પાપ કેવી રીતે છોડશો? ગાંધીજી તો ઓપન માઈન્ડેડ હતા કે મારા જીવનમાં જે ભૂલો થઈ છે તે ગમે તેની સામે કબૂલ કરવામાં મને જરાય ખોટું લાગતું નથી. આપણાં શાસ્ત્રો ગમે તેની સામે પાપો કન્સેસ કરવાની ના પાડે છે. પાપ તો સંવિજ્ઞગીતાર્થ ગુરુ આગળ જ પ્રકાશિત કરવાં જોઈએ.” સભાઃ “પાપ, ગમે તેની આગળ કબૂલ કેમ ન કરાય? આ તો નિખાલસતા ન કહેવાય?” ગુરુજી: “તમે કદાચ જીવનમાં કુસંગના કારણે સિગારેટ પીધી હોય તો તમારો દીકરો નાનો છે તેને કહેવાય? ના.કેમ?” સભાઃ “બાપ સિગારેટ પીતો હતો તો દીકરાને શું ના પાડશે? માટે દીકરાની બગડવાની પૂરી શક્યતા છે. તેથી દીકરાને ન કહેવાય.” ગુરુજી: “બધી વસ્તુમાં વિવેક જોઈએ. દા.ત. કદાચ બિલ ગેટ્સ રોજનું 1 કરોડનું દાન કરે છે અને મને આવીને કહી જાય કે 1 વર્ષનું દાન જ્યાં જરૂર હોય ત્યાં મને લાભ આપજો. આ વાત તમને મેં કહી દીધી. પાલીતાણા તીર્થની રક્ષા માટે 10 કરોડની જરૂર છે તો તરત તમે શું કહેશો? બિલ ગેટ્સે કીધું છે તો ત્યાંથી મંગાવી લ્યો. તમે જે 1-2 કરોડ વાપરવાના હતા તે પણ બંધ થઈ જાય. કાંઈ પણ કહેતા પહેલાં વિવેક જોઈએ. એમ પ્રાયશ્ચિત ગમે તેની પાસેથી ન લેવાય.” સભાઃ “પાદરીઓ પ્રાયશ્ચિત આપે છે. પ્રાયશ્ચિતની વિધિ એમના શાસ્ત્રમાં બતાવી છે. તો આપે કહ્યું કે આલોચના અત્યંતર તપ છે એ અન્ય ધર્મમાં પ્રાર્થના : 2 42 પડાવ : 7
Page #50
--------------------------------------------------------------------------
________________ નથી. તો આ વિરોધાભાસન આવ્યો?” ગુરુજીઃ “પાદરી પ્રાયશ્ચિત આપે છે. એમના ગ્રંથોમાં પ્રાયશ્ચિતની વાત પણ લખી હશે છતાં આલોચના એમના ધર્મમાં નથી, કારણ કે એમને પાપ કોને કહેવાય એની સમજ જ નથી.” સભાઃ “ખૂન કરીએ તો પાપ લાગે એ તો પાદરી પણ માને.” ગુરુજી: મનુષ્યનું ખૂન કરો તો પાપ લાગે એ તો પાદરી પણ માને. પણ, તમારા સ્કૂટર નીચે ઉંદરકચડાઈને મરી ગયો તો એનું પ્રાયશ્ચિત તમે પાદરી પાસે લેવા જશો તો પ્રાયશ્ચિત નહીં આપે કારણ કે એમના ધર્મમાં મનુષ્ય સિવાય બાકીની જીવસૃષ્ટિને જીવ માન્યો જ નથી. જીવ જ નથી માન્યો તો તેની હિંસાનું પ્રાયશ્ચિત ક્યાંથી આપશે?” સભાઃ “પાદરી અર્થાત્ અનાર્યદર્શન મનુષ્ય સિવાય બીજી જીવસૃષ્ટિમાં જીવ નથી માનતા માટે પ્રાયશ્ચિત નહીં આપે. જયારે આર્યદર્શનમાં તો મનુષ્ય સિવાય બીજી જીવસૃષ્ટિમાં જીવ માન્યો છે. એ તો પ્રાયશ્ચિત આપી શકે ને?” ગુરુજી: “મનુષ્ય સિવાય બીજી જીવસૃષ્ટિમાં પણ જીવ છે એવું આર્યદર્શન માને છે પરંતુ પાપ-પુણ્યના ફંડા બરાબર ક્લિયર નથી.” સભાઃ “ઉદાહરણથી સમજાવો ને?” ગુરુજી: “ચેડા રાજાની દીકરી એકવાર જંગલમાં ભૂલા પડ્યાં હતાં. ત્યાં એક સંન્યાસીનો આશ્રમ આવ્યો. સંતોએ ચેડા મહારાજાની દીકરી છે એવી ખબર પડતાં બોલ્યા કે ચેડા રાજા અમારા રાજા હતા. અને રાજકુમારીને રસ્તો બતાવવા આવ્યા. થોડે સુધી ચાલ્યા પછી દૂરથી જ નગરનો રસ્તો બતાવી દીધો પણ પોતે આગળ સુધી મૂકવાન આવ્યા.” સભાઃ “કેમ?” પ્રાર્થના : 2 43 પડાવ : 7
Page #51
--------------------------------------------------------------------------
________________ સભા ફૂલો કે શહેરમૅઘર હો અપના, વાળી વાતનું શું? ગુરુજી: કોઈ ફૂલોનાં શહેરમાં ઘર નથી, ચારે બાજુ મડદો હોય એને સ્મશાન કહેવાય. સભાઃ “અમે ૫૦૦-૧૦૦૦ની નોટમાં નિત્યત્વની બુદ્ધિ કરીને બેઠા હતા તેથી જ આઠ નવેમ્બરના ડીમોનેટાઇઝેશન આવ્યું ત્યારે નોટો અનિત્ય થઈ ગઈ અને બધાં ટેન્શનમાં આવી ગયા.” ગુરુજી: “તમે જે પૈસાને હારની જેમ સાચવીને બેઠા છો એ તમને કામ આવશે કે નહીં એ પછીની વાત છે. પણ પૈસાના કારણે તમે કેટલા દુઃખી થાવ છો? એ પૈસા ભેગા કરતાં કેટલો દમ નીકળી ગયો? 5-10 લાખ છુપાવીને ભેગા કર્યા. તમને એમ હતું કે છૂપી રીતે ભેગી કરેલી કટકી મને કામ આવશે પણ એ નોટો નકામી થઈ ગઈ. એ નોટો સાપના ભારા જેવી લાગવા લાગી. તમારી છૂપી કટકી તો બહાર નીકળી સાથે સાથે તમે પરિવાર સાથે કરેલો દગો પણ બહાર આવ્યો. ઘરમાં સ્વજનોને પૈસાની જરૂર હતી છતાં આપ્યા નહીં. અને 8 નવેમ્બરના રોજ બહાર કાઢ્યા. તમારી કટકીઝઘડાનું કારણ બની.” સભાઃ “અનિત્ય ભાવના ભાવશું તો અમે કેરલેસ થઈ જઈશું. દા. ત. કાચનોગ્લાસ તૂટી ગયો તો અમને થશે કે અનિત્ય જ હતો ને, વાંધો નહીં.” ગુરુજી: “અનિત્ય ભાવના બરાબર કેળવો તો તમે કેરલેસ નહીં પણ કેરફુલ થશો. દા.ત. આ દુનિયામાં સૌથી ડેલિકેટ વસ્તુ જો કોઈ હોય તો એ આપણું શરીર જ છે. કઈ ઘડીએ શું થઈ જાય, કાંઈ ખબર ના પડે. સવારમાં હટ્ટાકટ્ટો લાગતો માણસ સાંજે ખાટલા ભેગો થઈ જાય. થોડીવાર પહેલા હટ્ટાકટ્ટા લાગતા સનત્કુમાર ચક્રવર્તી એકાદ કલાકમાં રોગવ્યાપ્ત થઈ ગયા.' સભાઃ “એદાક કલાકમાં જ!” પ્રાર્થના : 1 44 પડાવ : 3
Page #52
--------------------------------------------------------------------------
________________ પાંડવો અને કૌરવો વચ્ચે જે ઝગડા હતા તે ભૌતિક બાબતે હતા માટે એને ધર્મયુદ્ધ ન કહેવાય. જેને પાપ-પુણ્યના ફંડા ક્લિયર નથી તો પ્રોપર પ્રાયશ્ચિત કેવી રીતે આપશે? સંવિજ્ઞ-ગીતાર્થ ગુરુ જ સાંગોપાંગ આલોચના આપી શકે. આલોચના એ જૈન શાસનની મોનોપોલી છે. એવી રીતે (1) ભવનિર્વેદ,(૨) માર્થાનુસારિતા, (3) ઇષ્ટફળસિદ્ધિ, (4) લોકવિરુદ્ધ ત્યાગ (5) ગુરુજનપૂજા અને (6) પરાર્થકરણ. આ છ પ્રાર્થનામાં જે માગણીઓ કરી છે તે તમે અન્ય ધર્મમાં પણ પામી શકો છો. સુહગુરુજોગો અને તāયણ સેવણા આભવમખંડા એ લોકોત્તર સૌંદર્ય છે. જૈનધર્મ અત્યંત પ્રામાણિક છે કે જે દર્શનમાં જેટલો વિકાસ થઈ શકે તેટલો ઉલ્લેખ કરે છે. છ પ્રાર્થના પછી આગળનો વિકાસ કોઈ સાધકમાં દેખાય તો એમાં તે-તે ધર્મશાસ્ત્રો વગેરે કારણ નથી પણ અંતરનો સહજ ઉઘાડ થતાં કેવલજ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે. 84 લાખ જીવાયોનિમાં 14 લાખ મન્યુષ્ય છે. એમાં સંજ્ઞા પંચેન્દ્રિય મનુષ્ય કેવલ અઢીદ્વીપમાં છે. એમાં મોટા ભાગના મનુષ્યો અનાર્ય છે. એમનામાં કાંઈધર્મ જેવું નથી. વર્તમાન દુનિયાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો મનુષ્યની મોટી સંખ્યા ખ્રિસ્તીઓ અને મુસલમાનોની છે. પછી હિન્દુ વગેરે આવે. એમાં જૈનધર્મ પાળનારા બહુ ઓછા. એમાં પણ સાધુ તો ખૂબ જ ઓછા છે.” સભાઃ “માઇક્રો માઈનોરિટી છે.” ગુરુજીઃ “વાત સાચી છે. સાધુઓની સંખ્યા માઇક્રોમાઇનોરિટીમાં છે. સંવિજ્ઞ-ગીતાર્થ શુદ્ધ પ્રરૂપક પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતનાં તમને દર્શન થાય તો તમને લાગે કે આ યુનિક છે.” પ્રાર્થના : 2 45 પડાવ : 7
Page #53
--------------------------------------------------------------------------
________________ સભાઃ “અમને અત્યંત અહોભાવ થાય.” ગુરુજીઃ “ખાખ અહોભાવ ? આવા ગુરુભગવંતની નિંદા થાય ? ગુરુભગવંત વ્યાખ્યાન 5-10 મિનિટ મોડું મૂકે તો તમારું મન ઊંચ-નીચું થાય અને તમારો બકવાસ ચાલુ થઈ જાય. યુનિક વ્યક્તિને પામીને મન ઊંચુંનીચું કરાય? તમારા માટે સુગર લોકોત્તર નહીં લૌકિક જ છે.” સભાઃ “અમને કેમ સુગુરુ લોકોત્તરન કહેવાય?” ગુરુજીઃ “કદાચ શાસનરક્ષાનું કોઈ કાર્ય તમને સુગુરુ ભળાવે તો, એમાં પણ બાર્ગેનિંગ કરાવો એવા છો. કદાચ કોરો તો એલ.આઈ.સી.ના મેડિક્લેમના જેમ હપ્તા ભરો એમ હપ્ત-હપ્ત કામ કરો એવા છો. એમાં જો ફોર્સ કર્યો તો તો અમારું આવી જ બન્યું. ભગવાન શ્રી મહાવીરસ્વામી અને શ્રેણિક મહારાજા જેવું કામ નથી કરાવી શક્યા તેવું કામ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. અને કુમારપાળ મહારાજાની જોડી કરાવી શકી છે. ગુરુ પર બહુમાન કેવું ગજબનું ! એક વાર ગુરુ મ.સા.એ માદરપાટનાં કપડાં પહેર્યા ત્યારે કુમારપાળ મહારાજાએ કહ્યું કે આપ મારા ગુરુ થઈને આવાં કપડાં પહેરો તો મારી આબરૂનું શું? ત્યારે ગુરુ મ.સા. કહે છે કે તને તારી આબરૂની ચિંતા છે. તારા સાધર્મિકની કોઈ ચિંતા ખરી? તરત લાખો રૂપિયાનો સવ્યય સાધર્મિક માટે કર્યો. આને કહેવાય સુહગુરુનો યોગ. મને નથી લાગતું કે ગુરુ મ.સા.એ ઇશારો કર્યો હોય અને કુમારપાળ મહારાજાએ કામ ન કર્યું હોય. ગુરુ મ.સા. કાળ કરી ગયા ત્યારે રડે છે કે મારા ઘરના અનાજનો એક પણ દાણો ગુરુના પેટમાં નથી ગયો.” સભાઃ “સાહેબજી, અમે એ અપેક્ષાએ તો નસીબદાર ને ! કે અમારે ત્યાં તો ગુરુભગવંત ગોચરી આવી શકે છે?” ગુરુજી: “ઓ નસીબદારો ! ૧૫-૨૦-૪૦મે માળે કેમ રહેવા ગયા છો?” પ્રાર્થનાઃ 2 પડાવ : 7 46
Page #54
--------------------------------------------------------------------------
________________ સભાઃ “ઉપરથી દેખાય ને કે ગુરુ આવી રહ્યા છે. અમારે નયસારની જેમ ઝાડ પર ચઢીને જોવું ન પડે માટે ૪૦મે માળે રહેવા ગયા છીએ.” ગુરુજી: “તમારી ભક્તિના ઉત્કૃષ્ટભાવ જોતાં એક સૂચન કરવાનું મન થાય છે કે ઉપરથી ગુરુ દેખાતાં તમને વંદનની તાલાવેલી લાગશે. ૪૦મો માળ અને ગુરુ વચ્ચેનું અંતર 14 રાજલોક જેટલું લાગશે. ૪૦મા માળેથી સીધો કૂદકો મારતાં નહીં. નહીંતર તમારા રામ રમી જશે. તમારી ભક્તિની ખૂબ ખૂબ અનુમોદના. આ તો થઈ મજાક...! રાજકોટના અજૈન પરિવારની વાત છે. એમણે એમના ઘરે સંન્યાસીને જમવા આમંત્રણ આપ્યું હતું. બધું થોડું થોડું પીરસેલું. થાળીમાં પૂરણપોળી એક જ મૂકેલી. સંન્યાસીએ અડધી પૂરણપોળી ખાધી એટલે ઘરના માલિક ગરમાગરમ બીજી પૂરણપોળી પીરસવા લાગ્યા. ત્યારે સંન્યાસીએ પોતાનો સંકલ્પ કહ્યો કે પોતે પૂર્ણપાત્ર જ જમે છે (અર્થાત્ પાત્રમાં એકવાર જેટલું લીધું હોય તેટલું જ વાપરે છે. બીજી વાર લેતા નથી.) તે દિવસે ઘરના માલિક અને તેમનાં પત્ની સવારે જ નહીં, સાંજે પણ ન જમ્યા. એમણે પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કર્યો. પોતાની બેકાળજીથી દિવસમાં એક જ વખત પૂર્ણપાત્ર ભોજન લેનાર વૃદ્ધ સંન્યાસીને ભોજન માટે નિમંત્રી તેમને ભૂખ્યા રાખ્યા એ ખેદના કારણે કોળિયો જ મોંમાં જઈ શકે એવું જ ન હતું. તમારા આંગણે ગુરુભગવંતોના પગલાં જ થતાં નથી. ક્યારેક પાછા જાય તો તમને અફસોસ થાય છે? ...વિશેષ વાતો અવસરે... પ્રાર્થના : 2 47 પડાવ : 7
Page #55
--------------------------------------------------------------------------
________________ પડાવ : 8 જળ ભરી સંપુટ પત્રમાં,યુગલીક નર પૂંજત ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંતઃ આપણે ભવનો અંત લાવવા માટે પ્રાર્થનાસૂત્રની વિચારણા કરી રહ્યા છીએ. ભરતચક્રીએ દંડરત્નથી અષ્ટાપદના દાંતા પાડ્યા, તેથી અષ્ટાપદ પર્વત સીધા-ઊંચા સ્તંભની જેમ ચડી ન શકાય તેવો થયો. એમાં ભરતચકીએ પર્વતની ફરતા મેખલા જેવા તથા મનુષ્યોથી ઉલ્લંઘન ન થઈ શકે તેવા એક એકયોજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યાં. આઠ યોજનનાં પગથિયાં ચઢીને જાઓ તો તમને ભરત મહારાજાએ બનાવેલાં અદ્ભુત તીર્થનાં દર્શન થાય. તેવી જ રીતે (1) ભવનિબૅઓ, (2) મગ્ગાણુસારિઆ, (3) ઇટ્ટાફલસિદ્ધિ, (4) લોગવિરુદ્ધચ્ચાઓ (5) ગુરુજણપૂઆ, (6) પરFકરણ, (7) સુહગુરુ જોગો (8) તયણ સેવણા.... અષ્ટાપદ પર્વતના આઠ પગથિયાં ચઢો તો ભગવાનનાં દર્શન થશે એમ પ્રાર્થનાસૂત્રનાં આઠ પગથિયાં ચડ્યાં તો આપણી અંદર પરમાત્મા પ્રગટ થશે. અર્થાત આપણામાં આંતરિક સૌંદર્ય પ્રગટે. સભાઃ “અમારી અંદર પ્રાર્થનાસૂત્રના આઠ સ્ટેપ્સ પામવામાં શું રૂકાવટ આવે છે?” ગુરુજી: “થિયેટરમાં સ્કિન પર લખેલું આવે કે રૂકાવટ કે લિયે ખેદ છે, ત્યાં રૂકાવટનું કારણ ફિલ્મની પટ્ટી આદિ કપાઇ જવું છે. એમ આપણી અંદર પ્રાર્થનાસૂત્રના આઠસ્ટેપ્સમાં રૂકાવટનાં કારણો નીચે મુજબ છે: (1) સંસારના સ્વરૂપનો વિચાર કરતાં જ નથી તેથી ભવનિર્વેદ આવતો પ્રાર્થનાઃ 2 પડાવ : 8 48
Page #56
--------------------------------------------------------------------------
________________ નથી, ભવના સ્વરૂપનું ચિંતન કરીએ તો વૈરાગ્ય આવે. ભવનું ચિંતન નથી એટલે વૈરાગ્ય નથી આવતો. સંસાર અસાર છે એમાં કોઈ શ્રદ્ધાની જરૂર નથી. પ્રત્યક્ષ દેખાય જ છે. સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે. જિગરજાન મિત્રો દુશ્મન થાય, પતિ-પત્ની ઝગડે. પત્ની પતિથી અલગ પૈસા ભેગા કરે. પતિ-પત્ની એકબીજા પર કેસ કરે. મા-દીકરો ઝગડે. મા-બાપથી સંતાનો અલગ રહેવા જાય.' સભાઃ “એક પતિદેવ ઓફિસથી ઘરે વહેલા આવી ગયા. પત્નીએ પૂછ્યું કે કેમ આજે ઓફિસથી વહેલા ઘેર આવ્યા? તો પતિદેવે જવાબ આપ્યો કે આજે એક કામમાં ભૂલ થઈ તો શેઠે કહ્યું કે નરકમાં જા. તેથી હું ઘરે આવ્યો કેમ કે મારા માટે ઘર એ નરક જ છે.” સભાઃ “તમે બીજાનું ઉદાહરણ લઈને કહેવા માગો છો, કે અમારું ઘર એ નરક છે, પણ શાસ્ત્રો તો શાલિભદ્રના ઘરને પણ નરક જ કહેશે. ગુરુજી: પણ તમે ભવાભિનંદીપણા (સંસારમાં સુખ છે) નાં ચશમાંથી સંસારને જુઓ છો તેથી ઘર એક મંદિર માનો છો તેથી વૈરાગ્ય થતો નથી. બાકી આ સંસારમાં ક્યાંય પણ નજર કરો, વૈરાગ્ય થયા વગર રહેશે નહીં. (2) આપણામાં પ્રજ્ઞાપનીયતાનો અભાવ હોવાથી “માર્ગાનુસારીપણું આવતું નથી. માટે સરળ બનવાની જરૂર છે. (3) “ઇષ્ટફલસિદ્ધિ નથી તેની પાછળ સંકલ્પનો અભાવ છે. માટે દઢ સંકલ્પવાન બનવાનું. (4) “લોગવિરુદ્ધચ્ચાઓ” આપણામાં નથી એનું કારણ, મર્યાદાઓ આપણને ગમતી નથી. માટે મર્યાદાવાન બનવાની જરૂર છે. (5) “ગુરુજણપૂ” જીવનમાં નથી કેમ કે કૃતજ્ઞતા ગુણ જ નથી. માટે કૃતજ્ઞ બનવાની જરૂર છે. પ્રાર્થના : 2 પડાવ : 8 xu
Page #57
--------------------------------------------------------------------------
________________ (6) “પરત્થકરણ” જીવનમાં નથી એનું કારણ સ્વાર્થ છે. માટે આપણે નિઃસ્વાર્થ બનવાની જરૂર છે. (7) સુહગુરુ-(૮) તેમની સેવા ન ગમવાનું કારણ આપણને અનુશાસન ગમતું નથી. માટે આપણે સમર્પિત બનવાની જરૂર છે. આપણી મૂળ વાત, લોગવિરુદ્ધચ્ચાઓની ચાલી રહી છે. નરસિંહ મહેતાને ભગવાનના ભજનમાં રસ છે. એમને સંસારની પંચાતમાં રસ નથી. નવાં નવાં ભજનો બનાવે છે. એક સજ્જનઇમાનદાર-ગુણિયલ વ્યક્તિ છે. જ્યારે તમને ભગવાનનાં સ્તવન બનાવતાં આવડે? અરે! બીજાએ બનાવેલસ્તવનો પાકાં કરી શકો? નરસિંહ મહેતા પોતે ભજનો બનાવે છે. એટલે એમનામાં બુદ્ધિ છે, એ તો સાબિત થાય છે. આપણા જેવા મૂર્ધનથી. ધારે તો બુદ્ધિ હોવાથી ધંધો કરી પૈસા કમાઈ શકવાની એમનામાં આવડત છે. પણ સંસારની પ્રવૃત્તિઓમાં રસ નથી. ભગવાનનાં નવાં નવાં ભજન બનાવવામાં અને ગાવામાં રસ છે.” સભાઃ “આ તો ગુણ કહેવાય. આને થોડી ખામી કહેવાય?” ગુરુજી: “નરસિંહ મહેતાએ લગ્ન કર્યા છે. એમની દીકરી કુંવરબાઈને બ્રહ્મચર્ય પાળવાના અધ્યવસાય નથી તેથી લગ્ન કરાવવાની જવાબદારી મા-બાપના શિરે આવે. જાનની, કરિયાવર વગેરેની વ્યવસ્થા મારા ભગવાન કરશે. ભગવાનના ભરોસે બેઠા છે. જ્યારે ઘરમાં હાંડલા-કુસ્તી ચાલે છે અને પોતે ભજનમાં મસ્ત છે. સાધુ 24 કલાક ધર્મ કરી શકે, ગૃહસ્થ 24 કલાક ધર્મ નથી કરી શકતો. જેને 24 કલાક ધર્મ જ કરવો હોય તેને ભગવાને કહ્યું છે કે તારે સંસાર છોડી સાધુ થવું પડે. કોઈ કહે કે મને સંસારની જવાબદારીઓ ફાવતી નથી. આ જવાબદારીઓથી કંટાળ્યો છું ને પાછો કહે કે સંસારમાં પ્રાર્થના : 2 પડાવ : 8
Page #58
--------------------------------------------------------------------------
________________ રહેવું છે તો શાસ્ત્રમાં તો કહ્યું જ છે કે સંસારમાં રહેવું હોય તો જવાબદારી આવશે. એકલો ધર્મ જ ગમતો હોય તો સાધુધર્મ સ્વીકાર. ભગવાનની આજ્ઞા છે કે જે ભૂમિકામાં તમે છો તે ભૂમિકાની જવાબદારીમાંથી છૂટવાની વાત નથી. ધર્મના અનુયાયીઓને બેજવાબદાર બનાવવા નથી માગતો. પરંતુ, સગુણી, સંસ્કારી, કર્તવ્યનિષ્ઠ બનાવવા માગે છે. તેથી જ ભગવાનની આજ્ઞા છે કે માત્ર ધર્મઆરાધના કરવી હોય તો સાધુધર્મ છે. સાધુધર્મ આરાધવા જેવો લાગે પણ આરાધી ન શકે એના માટે ગૃહસ્થધર્મછે. તમે લગ્ન કર્યા છે તેથી અર્થોપાર્જન કરવાની તમારી જવાબદારી આવશે.અર્થોપાર્જન કરવાના સમયે પણ તમે ભગવાનનાં ભજન ગાયાં કરો એ ઉચિત નથી. ઘરમાં હાંડલાં કુસ્તી કરતાં હોય અને તમે કહો કે હું તો ભજન ગાયા કરીશ તો એ ગૃહસ્થ તરીકે ઉચિત ન કહેવાય. નરસિંહ મહેતા કેટલા સીધા, સાદા અને સદાચારી છે. છતાં એમની આબરૂ કેવી ખરાબ થઈ?” સભાઃ “શું ખરાબ થઈ?” ગુરુજી: “નરસિંહ મહેતાને આવતા જુએ અને દુકાનદારો આઘાપાછા થઈ જાય. સજ્જન માણસ છે. એને ના કેવી રીતે પાડવી? પાછું મફતમાં ને મફતમાં કેટલી વાર આપવું? આવા સજ્જન વ્યક્તિની આબરૂ બેકાર થઈ સંસારમાં બેઠા છો તો સાંસારિક જવાબદારી વહન કરવી જ પડશે. અન્ય કોઈ સંતાનાદિ જવાબદારી વહન કરી શકે એમ નથી તો તમારા શિરે અર્થોપાર્જન આવશે.” સભાઃ “ચેડામહારાજા હસ્થ હતા છતાં તેમણે પોતાની દીકરીઓને હું લગ્ન નહીં કરાવું એવી બાધા લીધી, તે ઉચિત છે?” પ્રાર્થના : 2 51 પડાવ : 8
Page #59
--------------------------------------------------------------------------
________________ ગુરુજીઃ “પિતા તરીકેની તમારી જે જવાબદારી આવતી હોય તે જવાબદારી વહન કરનાર કોઈ અન્ય વ્યક્તિ હોય તો તમે એ જવાબદારીમાંથી મુક્ત થઈ શકો છો. ચેડામહારાજાની જવાબદારી વહન કરનાર અન્ય મંત્રી આદિ હોય તો એમણે બાધા લીધી હોય તો અનુચિત નથી. ઊલટું ઉચિત છે. એની અનુમોદના કરવી જોઈએ. નરસિંહ મહેતાને કુંવરબાઈનાં લગ્નની જવાબદારી લેનાર નથી. ઘરે જાન આવવાની છે. છતાં કોઈ તૈયારી નથી. આ ઉચિત ન કહેવાય.” સભાઃ “ભગવાન જ આપણી જવાબદારી વહન કરશે.” ગુરુજી: ભગવાનની કૃપાથી જ બધું થાય છે પણ એનો મતલબ એવો નથી કરવાનો કે પુરુષાર્થ બંધ કરી દેવાનો. તમે તો કાલે સવારે ઊઠીને ભગવાનનો જાપ કરશો અને કહેશો કે ભગવાન આવીને રસોઈ બનાવી જશે. તો આવું કશું કરવાનું નથી.” સભાઃ “એમના જીવનમાં બીજી કોઈ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ?” ગુરુજી: “સાધુ એવા મને ભગવાનની ભક્તિ કરવાની છૂટ છે, છતાં ભક્તિમાં મર્યાદા આવશે. જેમ કે હું રસ્તામાં રાસડા લેવાનું ચાલુ કરી દઉં એ ચાલે? દેરાસરમાં સ્તવનો બોલતાં નાચવાનું ચાલુ કરું એ ચાલે? દેરાસરમાં ભગવાનની સામે આળોટું તો ચાલે? ભગવાનનું નામ લેવું હોય તો જમતાં જમતાં લેવાય? અશુચિસ્થાનોમાં ભગવાનનું નામ લેવાય? એવી રીતે એક ગૃહસ્થ તરીકે પણ અમુક એરિયામાં ભગવાનનું નામ ન લેવાય છતાં ત્યાં પણ નામ લે, ભજન ગાય તે ઉચિત ન કહેવાય.” સભાઃ “આ પાર્શિયલ એપ્રોચ-ભેદભાવનો અભિગમ ન કહેવાય?” ગુરુજી: પૈસાના કારણે ભેદભાવ કરે તે ચાલે. ટ્રેનમાં ફર્સ્ટક્લાસ ખાલી જાય. સેકંડ ક્લાસ આખો ખીચોખીચ ભરેલો હોય છતાં ફર્સ્ટક્લાસમાં પ્રાર્થના : 2 પર પડાવ : 8
Page #60
--------------------------------------------------------------------------
________________ બેસવા ન દે. ત્યાં કોઈ ભેદભાવ તમને લાગતો નથી. 95-96% આવ્યા હોય છતાં એડમિશન ન મળે અને 50% વાળાને એ જ ફેકલ્ટીમાં એડમિશન આપે. આ ભેદભાવ નથી? પૂર્વના ઋષિમુનિઓએ જાતિ વગેરેનો ગુણના આધારે ભેદ કર્યો તો એને પાર્શિયલ એપ્રોચ કહેવો એ ઉચિત નથી. મૂળ વાત, અમુક કર્મો ઉદયમાં આવતાં વાર લાગે પણ લોકવિરુદ્ધ પ્રવૃત્તિમાં તત્કાળ તેનું માથું પરિણામ જોવા મળતું હોય છે. થોડા વખત પહેલાંની વાત છે. એક ઓફિસરે 50 લાખ રૂપિયાની લાંચ લીધી. સીબીઆઇવાળાને ડાઉટ ગયો કે આ ઓફિસર ફૂટેલો લાગે છે. તેથી તપાસ જારી રાખી અને ઓફિસર રંગે હાથ પકડ્યો. તેથી તેને કસ્ટડી થઈ. પૂછપરછ ચાલતી હતી એ દરમિયાન એની દીકરી અને પત્નીને અત્યંત આઘાત લાગ્યો કે લોકોને મોટું શું બતાવવું? તેથી બંનેએ આપઘાત કરી લીધો. એક રૂમમાં માની લાશ લટકે છે. બીજી રૂમમાં બહેનની લાશ લટકે છે.જોઈને દીકરો સ્તબ્ધ થઈ ગયો.બાપને કસ્ટડીમાં સમાચાર મળ્યા. કૉર્ટમાં અરજી કરી કે મને જવા દો. મારો દીકરો ઘરે એકલો છે. એ ગાંડો થઈ જશે કે આપઘાત કરી લેશે. એને જામીન મળ્યા. બીજા દિવસે બાપદીકરાએ આપઘાત કરી લીધો. લોકવિરુદ્ધનું કેવું ફળ મળ્યું? રાવણ ત્રણ ખંડનો ધણી છે. સીતાનું અપહરણ કર્યું તો યુદ્ધના મેદાનમાં મરવાનો વખત આવ્યો.યુધિષ્ઠિરે લોકવિરુદ્ધ કાર્ય-જુગાર રમ્યો તો જંગલમાં જવું પડ્યું.” સભાઃ “યુધિષ્ઠિર જેવા મહાપુરુષને પણ સહન કરવું પડે?” ગુરુજી: “લોકવિરુદ્ધ કરો તો ભલભલાને સહન કરવું પડે. ભગવાન મહાવીર જેને મહાત્મા કહે છે એ સત્યકી વિદ્યાધર જે ક્ષાયિક સમ્યક્ત પ્રાર્થના : 2 53 પડાવ : 8
Page #61
--------------------------------------------------------------------------
________________ પામ્યા છે એ પામવામાં આપણને કેટલા ભવો થશે એ તો ભગવાન જાણે. એવા સત્યકી વિદ્યાધરને લોકવિરુદ્ધના કારણે કમોતે મરવાનો વખત આવ્યો. લોકવિરુદ્ધનો ત્યાગ કરવો હોય તો, “મહાજનો યેન ગત સ પત્થા: ઉત્તમ પુરુષોના માર્ગ પર ચાલવાનું અને એમનું જ અનુકરણ, અનુમોદન કરવું એમાં જજીવનની સફળતા છે.” ગુરુજણપૂઆ 1) ભવનિર્વેદથી સંસાર પરની દષ્ટિઊઠી જવાથી સંસાર અસાર લાગ્યો. 2) માર્થાનુસારિતાથી ચિત્ત સરળ બન્યું તેથી તત્ત્વ તરફ ઝોક આવ્યો. 3) ઇષ્ટફલસિદ્ધિથી ચિત્ત સ્વસ્થ બન્યું. 4) લોગવિરુદ્ધ પ્રવૃત્તિના ત્યાગથી ચિત્તમાં કોમળતા આવી. સદ્ગુરુના યોગની ભૂમિકા મજબૂત કરતાં ગણધર ભગવંત આગળ પ્રાર્થના કરે છે, “મારા જીવનમાં ગુરુજનની પૂજા હો.” સભાઃ “ગુરુજનપૂજામાં કોનો સમાવેશ થાય?” ગુરુજી: “ગુરુજન પૂજામાં માતા-પિતા, ઉપકારીયા ગુણિયલ વડીલ પૂજય પુરુષોની પૂજા અર્થાત્ વિનય-સેવા-ભક્તિ. અહીંયા ગુરુજનમાં સાધુભગવંતને નથી લેવાના. (1) માતા-પિતાદિ આવે એટલે ઊભા થવું, હાથ જોડવા, એમને આસન દેવું, (2) ત્રિકાળ પ્રણામ કરવા (3) લેવા-મૂકવા જવું (4) એમની હાજરીમાં ઊંચા સાદે બોલવું નહીં, (5) કોઈની સાથે એ વાત કરતાં હોય ત્યારે વચ્ચે બોલવું નહીં, (6) એમનાથી નીચા આસને બેસવું. | પ્રાર્થના 2 54 પડાવ : 8
Page #62
--------------------------------------------------------------------------
________________ (7) કોઈ આદેશ કરે ત્યારે આદેશને હા જી,તથાસ્તુ વગેરેથી સ્વીકારવો. (8) એમને પૂછીને બધું કરવું. (9) એમના જમ્યા પહેલાં જમવું નહીં. (10) બીજાની આગળ એમના જ ગુણ ગાવા. (11) એમને જ આગળ લાવી, જશ અપાવવો. આ વિનયના પ્રકારો છે.” સભાઃ “સેવા અને ભક્તિમાં શું ફરક છે?” ગુરુજી: સેવામાં (1) એમને આપણા પોતાના કરતાં સારી વસ્તુ આપવી. દા.ત. સારાં ખાનપાન, મુલાયમ વસ્ત્ર, ગાદલાં વગેરે (2) રોજ એમની પગચંપી કરવી, (3) એમની બીમારીમાં ખાસ સમય કાઢી એમની સેવામાં રહેવું. (4) એમનું કામકાજ કરવું વગેરે. ભક્તિમાં (1) અંતરમાં એમના પ્રત્યે અથાગ બહુમાન રાખવું. (2) બહુમાન પ્રમાણે એમની અદબ જાળવવી અને (3) વિશેષ ભક્તિ કાર્ય કરવું. તથા (4) બીજાઓ આગળ એમનું ગૌરવ વધારવું. (5) કદી એમની નિંદા કરવી નહીં કે સાંભળવી પણ નહીં. પણ (6) એમના દોષ ઢાંકવા અને ગુણ ગાવા. એમનો સ્વભાવ ઉગ્ર હોય તો પણ સહન કરી લેવો. પણ એમને ધિક્કારવા નહીં.” સભાઃ “સાહેબજી ! આપને નથી લાગતું કે આ બધી વાતો પુસ્તકમાં સારી લાગે. વાસ્તવિક જીવનમાં શું આ શક્ય છે? મા-બાપની આવી સેવાભક્તિ કરીએ તો લોકો માવડીયો ન કહે?” ગુરુજીઃ “ઇતિહાસથી પરિચિત નથી એટલે નહીં પણ નજીકના ભૂતકાળથી પણ પરિચિત નથી માટે આવું બોલો છો. બાકી વાંચો. મુકુંદરાયજીએ પોતાના માતુશ્રીની વાતો લખી છે. પરણીને આવીને કામ ઉપાડી લીધું. હું અનાજ સાફ કરું ને જો દાણો હેઠે પડે તો સસરાને કે બાઇજીને ન ગમે. ઈ દાણો નીચેથી ઉપાડાય નહીં. વીણીને ચોકમાં પંખી માટે નંખાય. પણ ઝાડુ કાઢીને એ દાણો ન લેવાય. રોજ બે-બે પ્રાર્થના 2 55 પડાવ : 8
Page #63
--------------------------------------------------------------------------
________________ કિલો જાર સવાર-સાંજ પારેવાંને નંખાતી. પણ દાણા વીણતાં આ કાળજી રાખવાની વાત સાસુજીએ એકવાર કહી પછી ભૂલ ન થઈ. મુકુંદરાયના માતુશ્રી કહે છે કે હું નવી પરણીને આવી. દીવાસળીની ડબ્બી નવી-સવી આવેલી. સવારે એક સળી વપરાય. બપોરે દેવતા(અગ્નિ)ભરવાનો. સાંજે દેવતાને ચેતાવીને (ફૂંક મારીને) રાંધવાનું, કોડિયાં પેટાવવાનાં. મારા પિતાજીને ત્યાં દીવાસળી બહુ જોઈ હતી એટલે અગ્નિ ભરવાની ટેવ નહીં. એક દિવસ સવારમાં જ બે દીવાસળી અને સાંજે દેવતા સરખો ભરેલો નહીં એટલે ત્રીજી દીવાસળી વાપરવી પડી. આ વાતની સસરાને ખબર પડી એટલે “આજે દિવસ સારો છે, મુરત સારું છે” કહી અમને અલગ કર્યા. વડીલોનું અનુશાસન કેવું? કરકસર ખવરાવ્ય-પીવરાવ્યું નહીં, પણ એવી કે દાણો સાફ કરતી વખતે એક પણ દાણો ઢોળાવો ન જોઈએ.પારેવાંને બે-ચાર ગડિયાં (માપ) જાર નંખાય. પણ લેતાં કે નાંખતાં દાણો ઢોળાવો ન જોઈએ. વાડામાંથી ઘેર સોંસરવી નીરણ લાવી ઢોરને નાંખવા સવારે-રાત્રે નીકળવાનું પણ તણખલું હેઠે ન પડવું જોઈએ. છાણ લેતાં, છાણાં થાપતાં, સૂકવતાં છાણ ચોંટી ન રહેવું જોઈએ. ધોયેલાં કપડાં એવી રીતે સંકેલવા કે પહેરતી-ઓઢતી વખતે વાર જ ન લાગે. આ બધી વાતોમાં ભૂલ થાય તો દાદાને ન ગમે. કરકસર એવી કે ચાર દિવસે એક દીવાસળી (માચીસની સળી) વાપરું.” સભાઃ “અમારે તો જમતાં જમતાં કેટલાય દાણા નીચે પડે.” ગુરુજી: “દક્ષિણ ભારતના પ્રસિદ્ધ કવિ તિરુવલ્લુવરે લગ્ન પછી પત્નીને કહ્યું કે હું જમવા બેસું ત્યારે પાટલા પરસોયો (ચીપિયો) અને પાણીનો એક વાટકો અચૂક મૂકવા. પત્નીએ પતિની આજ્ઞા સ્વીકારી. સવારે અને સાંજે પતિ જમવા બેસે ત્યારે બધી સામગ્રી સાથે સોયો-વાટકો પણ અચૂક મૂકે. પ્રાર્થના : 2 પ૬ પડાવઃ 8
Page #64
--------------------------------------------------------------------------
________________ પચાસ વર્ષ લગ્નજીવનનાં પૂર્ણ થયાં, છતાં એક પણ વાર સોયાનો ઉપયોગ થયો નથી. અને છતાં પત્નીને પૂછવાનું મન થયું નથી કે રોજ બે વખત સોયા-વાટકાને મૂકવાની, લૂછવાની આ બધી કડાકૂટ શા માટે? એક દિવસ પતિએ જ પૂછ્યું કે સોયો-વાટકાને મૂકવાની આ કડાકૂટ શા માટે એવો પ્રશ્નતને થતો નથી? પત્ની કહે છે કે કડાકૂટ શાની? તમે કહો તે કરવામાં તો આનંદ જ આવે ને ! આ છે વડીલોની ભકિ.” સભાઃ “પતિ સોયો શા માટે મૂકાવતો હતો?” ગુરુજી: “એક દિવસ પતિએ ખુલાસો કર્યો. ભાતનો એક પણ દાણો નીચે પડી જાય તો, સોયા વડે એને લઈ પાણીમાં ડૂબાડી, શુદ્ધ કરીને એ દાણો ખાઈ લેવો એ આશયથી સોયો-વાટકો મૂકવાનું કહેલું. પતિને 50 વર્ષમાં એક પણ વાર સોયાનો ઉપયોગ કરવો ન પડ્યો પણ 50 વર્ષ સુધી આ રીતે સોયો મૂક્યા કરવો અને એ સંબંધી મનમાં પ્રશ્ન પણ ન થવો એ કાંઈ નાની-સૂની ઘટના ન હતી. | મૂળ વાત, મુકુંદરાયના માતુશ્રીની વાત,સહુનાં કપડાં નદીએ ધોઈ આવે. ગાયને નીરણ-પૂળો કરે, દોહે અને એના છાણાંય એ થાપે. મુકુંદરાયના દાદા કહેતા કે કોઈ મા એનાં જણ્યાંની સંભાળ લે એના કરતાં વહુ ગાયની વધારે સંભાળ લે છે. સૌનાં કપડાં એવાં બગલાની પાંખ જેવાં ઊજળાં હોય અને કરચલી વગરના હોય જેથી એવો વહેમ પણ ન જાય કે આ વહુઠામ માંજીને કે છાણા થાપીને ઊઠી છે. ઘરનું બધું દળણું વહુ જ દળે અને છતાં કામમાં ક્યાંય દોડાદોડન લાગે. મોઢા પર ક્યાંય થાક ન વર્તાય. એક દિવસ દાદા જમવા બેઠા. પાપડ જોઈને દાદાએ પૂછ્યું: આ પાપડ ક્યાંથી? મારી ફઇએ કીધું કે ભાભીએ વણ્યા છે. આ સાંભળતાં દાદાની આંખમાં આંસુ આવી ગયા. જમીને એક ચૂંક અને રૂપાની કંકાવટીદાદાએ પ્રાર્થના : 2 પ૭ પડાવ : 8
Page #65
--------------------------------------------------------------------------
________________ માતુશ્રીને આપ્યાં. માસીબા ઘરે આવેલાં ત્યારે માતુશ્રી માટે કહ્યું કે વહુમા તો એકલપંડે સો માણસને હેતથી ખવરાવે એવાં છે. એક વાર જમવામાં સેવ હતી. દાદાને ખબર પડી કે સેવ વહુએ વણી છે. તો દાદીને કહ્યું કે તમે વહુને કામમાં હાથ દેતા હોવ તો?દાદીએ કહ્યું કે વહુ મને હાથ અડાડવા નથી દેતાં. જૂનાપાનાં કપડાંનાં ગોદડાં સીવે છે. મને કહે છે કે તમે કરતાં હોવ ઈ કરો. તમે ગાશો, બોલશો એ સાંભળીશ. હું નવરી બેસી નથી શકતી એટલે કરું છું. | મારા પિતાજીનાં લગ્ન પછી બે વર્ષે દાદીની આંખો ચાલી ગઈ. દાદી કહેતાં કે વહુ એટલે મૂલ ન થાય. એ ઘરનાં માણસોની તો શું પણ પારકાની યે સંભાળ લે છે. રાજકોટમાં રોજ 60 માણસ આપણે ત્યાં જમતું. સવાર અને સાંજ ઘરમાં હું આંધળી, તમે સૌ છોકરાં નાનાં, રસોઇયો કે માણસ ન હતું. એ એકલે હાથે રાંધતી. એ જોઈને કોઈને પણ થાય કે આ એકલપંડે કામમાં કેમ પહોંચતી હશે?” સભાઃ “ભલે આટલી બધી વડીલોની ભક્તિ કરે પણ સાસુ-આંસુજ.” ગુરુજી: “આ તમારી ભૂલ છે. દાદી આગળ કદાચ કોઈ મારા માતુશ્રીની ભૂલ કાઢે તો દાદી સાંભળવા પણ તૈયાર ન થાય. દાદી ફરિયાદ કરનારને કહી દેકે તમે તો શું પણ મારી સગી દીકરી કે દીકરો આવીને મને કહે તોય હું આ વાત માનવા તૈયાર નથી. મારી વહુની ભૂલ થાય જ નહીં. ને કોક વાર થાય તો એ એવી સીધી પડે કે તેમાં સહુનું ભલું જ હોય.” આગળ વાત કરતાં દાદી કહે કે, એટલી વાત સાચી કે તમે કોઈ એના ઉપર વાંક ઢોળો, આળ ચઢાવો તોય એ બચાવન કરે ને હું પૂછીશ તો એ એવો જવાબ દેશે કે જેમાં કોઈનું યે ઘસાતું ઈ નહીં બોલે. બહુ થાય તો પ્રાર્થના : 2 58 પડાવ : 8
Page #66
--------------------------------------------------------------------------
________________ એટલું કહે કે એને એમ લાગ્યું હશે, એમ રાખો. મને શું પૂછો છો? એટલે મારી પાસે મારી વહુનો વાંક કાઢવા કોઈએ આવવું નહીં. નહીંતર મને તમારા પર વિશ્વાસ નહીં રહે. મારી પુત્રવધૂતો માંજીને પાણિયારે ઊગતા સૂરજ સામે મેલ્યું હોય એવી તાંબાના બેડાં જેવી ચોખ્ખીને ઊજળી છે. વિચારવા જેવું છે કે સગા દીકરા-દીકરી પર જેટલો વિશ્વાસ નથી એટલો વિશ્વાસ પુત્રવધૂ પર છે. છતાં તમે કહેતા હો કે સાસુ = આંસુ તો તમારી માન્યતા તમને મુબારક.” સભાઃ “પૂર્વકાળની ઘણી વાતોમાં શ્રવણ જેવા દીકરાની વાતો આવે છે. તો આજે શ્રવણ કેમ પાકતા નથી?” ગુરુજીઃ “શ્રવણ પાકતા નથી. એમાં ત્રણ વાતો છે. (1) લૉર્ડ મેકોલેનું ભણતર મા-બાપના ઉપકારોને ભૂલાવે છે. (2) મા-બાપને સંતાનો માટે સમય નથી. (3) સંતાનોનું ઘડતર કરતાં આવડતું નથી માટે શ્રવણ નથી પાકતાં.” સભાઃ “ઘડતર કેવી રીતે કરાય?” ગુરુજી: “આપણે મુકુંદરાયનાં માતુશ્રીની વાત કરી, એમની જ ઘટનાથી તમને સમજાવું. એકવાર મુકુંદરાયજી પડોશના છોકરા સાથે રમતાં રમતાં ઝગડ્યા. એમાં છોકરાને પછાડી, છાતી ઉપર ચઢી બેસી એના મોમાં ધૂળ ભરેલી. એટલે એની મા ઇ છોકરાને તેડીને ફરિયાદે આવેલી. મેં ઘરે આવીને માતુશ્રીને કીધું કે ઈ ગાળ શેનો કાઢે? ગાળ કાઢે એટલે મોંમાં ધૂળ તો ભરું જ ને? માતુશ્રીએ કીધું કે એના મોઢામાં ધૂળ ભરવાથી હવે ફરી વાર એ ગાળ નહીં કાઢે એમને લાગે છે? કે વધારે તારી હારે બાઝશે? પ્રાર્થના : 2 પ૯ પડાવ : 8
Page #67
--------------------------------------------------------------------------
________________ એ છોકરાની મા તો આ પહેલાં આપણે ત્યાં આવી નથી. ઈ છોકરાના માવતર આ ઘર માટે કેવા મત બાંધશે? આપણે શું છીએ, કેવા છીએ એ કાંઈ જાણતા નથી.પોતાના છોકરા કરતાં તું ખરાબ છે એમ જ માને. એક વાર તારી અને આ ઘરની છાપ ખરાબ પડી તે ઈ પાછા એનાં સગાં ઓળખીતામાં સૌને કહે તો એ છાપ ભૂંસાતાં કેટલી વાર લાગે ?તારા કપડાં પર શાહી ઢોળાય તો એનો ડાઘ કાઢતાં કેટલી કડાકૂટ થાય?કેટલો વખત બગડે? તું ડાહ્યો દીકરો થઈને સૌહારે સમજીને રે ‘તો હોવ તો? એણે ગાળ કાઢી ત્યારે એની હારે બાઝવાને બદલે તે એને કીધું હોત કે ભાઈ! તું હોંશિયાર. તને ન ફાવતું હોય તો રમત બંધ. એમ કહ્યું હોત તો ઝગડો ન થાત.” સભાઃ “આ રીતે સંતાનોને સમજાવવાં જઈએ તો તો ફેસબુક, વ્હોટ્સએપ હવા ખાય.” ગુરુજી: “ફેસબુક છો ને હવા ખાતી. નહીંતર તમારે ઘરડાંઘરની હવા ખાવાનો વખત આવશે.” સભાઃ “ગુરુજણપૂઆમાં મા-બાપની ભક્તિ કરવાનું કહ્યું તો મા-બાપની કઈ કઈ ઇચ્છાઓ પૂરી કરવાની?” ગુરુજી: “ગુરુજણપૂઆમાં તમારા ઉપકારી, મા-બાપ વગેરે લીધાં છે. તમારા ઉપકારી મા-બાપ ધાર્મિક જ હોય એવો કોઈ નિયમ નથી. એ સંસારી જીવો છે. જેમણે તમારી ઉપર ઉપકાર કર્યા છે. એમનો સ્વભાવ સારો, ગુણિયલ, ધાર્મિક હોય એવો એકાંત નથી. અહીં મા-બાપ વગેરેની ભૌતિક તથા ધાર્મિક ઇચ્છાઓ પણ પૂરી કરવાની આવશે. એ ગુરુજણપૂઆમાં જશે. ધ્યાન એટલું રાખવાનું કે, ભૌતિક ઇચ્છાઓ સંસ્કૃતિ, સદાચાર, ધર્મને અવિરોધી જોઈએ.” પ્રાર્થના : 2 6) પડાવ : 8
Page #68
--------------------------------------------------------------------------
________________ સભાઃ “પિતાજી શોર્ટલાવવાનું કહે તે લાવી આપવી?” ગુરુજીઃ “ના, શૉર્ટસંસ્કૃતિવિરુદ્ધ છે માટે ન લાવી અપાય.” સભાઃ “પિક્યરની ટિકિટ.?” ગુરુજી: “ના, પરસ્ત્રીને મિક્સરમાં જોવી એ સદાચારમાં આવશે? આવી આપણી સંસ્કૃતિ છે? માટે પિક્યરની ટિકિટન લાવી અપાય.” સભાઃ “પિતાજી રિમેરેજની વાત કરે તો?” ગુરુજીઃ “પિતાજી રિમેરેજની વાત કરે એમાં પાત્ર વિધવા, અન્યની સ્ત્રી ન હોય, કુંવારી કન્યા હોય અને તમારે વ્રત ન હોય તો પિતાજીનાં લગ્ન કરાવી આપવાં એ ગુરુજણપૂમાં આવશે.” સભાઃ “આનું શાસ્ત્રમાં ઉદાહરણ છે?” ગુરુજી: “હા ! એક તાપસીએ ચેડામહારાજાની દીકરી સુષ્ઠાનું ચિત્ર આલેખીને શ્રેણિક મહારાજાને બતાવ્યું. શ્રેણિક મહારાજાએ તાપસીને પૂછ્યું કે, આ સ્ત્રીનું ચિત્ર તમે તમારી બુદ્ધિથી આલેખ્યું છે કે કોઈ સ્ત્રીના રૂપદર્શનથી દોર્યું છે? તાપસીએ કહ્યું કે જેવું રૂપ મેં જોયું છે તેવું યથાશક્તિ દોર્યું છે. રાજાએ પૂછ્યું કે હે ભદ્ર! મુક્તાવલિ(મોતીની માળા)ની જેમ આ બાળા કોના વંશમાં ઉત્પન્ન થઈ છે? ચંદ્રલેખાની જેમ તે હાલ કઈ નગરીને અલંકૃત કરે છે? ક્ષીરસાગરને લક્ષ્મીની જેમ ક્યા ધન્ય પુરુષની એ પુત્રી છે ?ક્યા પવિત્ર અક્ષરો એના નામમાં આવ્યા છે?સરસ્વતીએ કઈ કળાથી તેના પર અનુગ્રહ કર્યો છે? કોઈ પુરુષ ને તેના કરને ગ્રહણ કર્યો છે? તાપસીએ જવાબ આપ્યો કે હે રાજન્ ! વૈશાલી નગરીના અધિપતિ અને હૈદ્ય વંશમાં ઉત્પન્ન થયેલા ચેટક રાજાની તે કુમારી સર્વકળાનો ભંડાર છે અને સુજેઠા તેનું નામ છે.” સભાઃ “શ્રેણિક રાજાએ નામ ખૂબ સરસ રીતે પૂછ્યું કે ક્યા પવિત્ર અક્ષરો પ્રાર્થના : 2 6 1 પડાવ : 8
Page #69
--------------------------------------------------------------------------
________________ તે બાળા નામમાં આવ્યા છે? બીજું તે બાળા કેટલું ભણેલી છે ? એ પૂછવાની રીત પણ સરસ હતી કે સરસ્વતીએ કઈ-કઈ કળા દ્વારા તેના પર કૃપા કરીછે?” ગુરુજી: “રૂચિ અનુયાયી વીર્ય હોય છે.જે ફિલ્ડમાં તમારી રૂચિ હોય એ પ્રમાણે ક્ષયોપશમ થાય. મૂળ વાત, બીજા દિવસે શ્રેણિક રાજાએ સુજેષ્ઠાની યાચના કરવા માટે એક દૂતને શીખવીને ચટક રાજા પાસે મોકલ્યો. સંદેશો આપવામાં હોંશિયાર દૂત તરત વૈશાલી પહોંચીને ચટક રાજાને નમીને બોલ્યો, કે હે રાજન! મારા સ્વામી મગધપતિ શ્રેણિક તમારી કન્યા સુજેષ્ઠાની માંગણી કરે છે. મહાન પુરુષોને માટે કન્યાની માંગણી કરવી તે કદી પણ લજ્જાકારક નથી. ચેટક રાજા બોલ્યા, “અરે દૂત! તારો સ્વામી પોતાથી અજાણ્યો લાગે છે. જે વાહીકુળમાં ઉત્પન્ન થઈ હૈહય વંશની કન્યાને ઇચ્છે છે. સમાનકુળના વરકન્યાનો વિવાહ થવો યોગ્ય છે. માટે હું શ્રેણિકને કન્યા નહીં આપું. તું ચાલ્યો જા.” દૂતે આવીને તે વૃત્તાંત શ્રેણિક રાજાને કહ્યો. તેથી શત્રુઓથી પરાભવ પામ્યો હોય તેમ તે ઘણો ખેદ પામ્યો. તે વખતે અભયકુમાર પિતાના ચરણકમળમાં ભ્રમરરૂપે થઈને ઊભો હતો. તે બોલ્યો કે પિતાજી ! શોક ન કરો. હું આપની ઇચ્છા પૂર્ણ કરીશ.” સભાઃ “અહીંવિધવા કે અન્ય સ્ત્રી હોત અથવા અભયકુમારને વ્રત હોત તો આ વાક્ય ન બોલત. બરાબર?” ગુરુજી: હા.” સભાઃ “પછી શું થયું?” ગુરુજી: "72 કળામાં માસ્ટર અભયકુમારે શ્રેણિક મહારાજાનું ચિત્ર દોર્યું. ગુટિકાથી વર્ણ (કલર) તથા સ્વર (અવાજ) બદલાવી, વણિકનો વેશ લઈને પ્રાર્થના 2 6 2 પડાવઃ 8
Page #70
--------------------------------------------------------------------------
________________ મૈથુનના સંસ્કાર એકેન્દ્રિયમાં પણ છે. વનસ્પતિમાં પણ અમુક વનસ્પતિ એવી છે કે શૃંગાર સજેલી યુવાન સ્ત્રી એની પર પિચકારી છાંટે તો ઝાડ જલદી વધે. પપૈયાનાં ઝાડ માટે સાંભળ્યું છે કે નર અને માદા ઝાડ બાજુબાજુમાં ઊગાડે તો જ ફળ આવે. નહીંતર ના આવે.” સભાઃ “શાસ્ત્રમાં તો કહ્યું છે કે એકેન્દ્રિય નપુંસક હોય છે, તો એમાં નરમાદા ક્યાંથી આવ્યું?” ગુરુજી: “વાત સાચી પણ જે નપુંસકમાં પુરુષ જેવા લક્ષણ હોય તે પુરુષ નપુંસક અને જેમાં સ્ત્રી જેવાં લક્ષણ હોય તે સ્ત્રી નપુંસક સમજવું. અને એ અપેક્ષાએ નર-માદા સમજવું. બાકી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સમૂચ્છિમ પંચેન્દ્રિયને નપુંસક વેદનો જ ઉદય હોયછે. મૂળ વાત, અનાદિ કાળથી મૈથુન સંજ્ઞાના સંસ્કાર હોવા છતાં આ વ્યક્તિઓએ બ્રહ્મચર્ય પાળવાનો પુરુષાર્થ કર્યો. પરંતુ એમના ધર્મમાં બતાવેલી મર્યાદાઓના પાલનમાં ચૂક્યા. માટે આવું પરિણામ આવ્યું.” સભાઃ “ધર્મમાં બતાવેલી મર્યાદાઓનું પાલન કર્યું હોય છતાં ચૂકે, તો શું સમજવું?” ગુરુજી: “ધર્મમાં બતાવેલી મર્યાદાનું પૂરેપૂરું પાલન કર્યું હોય છતાં ચૂકે તો સમજવાનું કે કોઈ પૂર્વના કર્મનો ઉદય થયો અને પતન થયું. શાસ્ત્રમાં આદ્ર કુમાર, નંદીષણમુનિ વગેરે જે ચૂક્યા ત્યાં પૂર્વનું કર્મ પ્રધાન છે. મર્યાદાપાલનમાં ક્યાંય ચૂક્યા નથી.” સભાઃ “આર્દ્રકુમાર મુનિની ઘટના શું છે?” ગુરુજી: “શ્રેષ્ઠીપુત્રી શ્રીમતી ઉદ્યાનમાં રમતે ચડી. એમાં વર વરવાની રમતમાં મંદિરમાં ઊભેલા સ્વરૂપવાન નવયુવાન આદ્રમુનિને જોઈને તે બોલી, “મારો વર આ.” અને તરત દેવવાણી થઈ, “મુગ્ધા! તું યોગ્ય વરને વરી છે. ત્યાં તો દુંદુભિ ગડગડવા લાગી અને દેવોએ પુષ્પોપ્રાર્થના : 1 પડાવઃ 4
Page #71
--------------------------------------------------------------------------
________________ રત્નોનો વરસાદ કર્યો. ગભરાયેલી શ્રીમતી એ મુનિના પગે વળગી પડી. અનુકૂળ ઉપસર્ગથયો જાણી આદ્રમુનિ ત્યાંથી ચાલતા થયા. હવે શ્રીમતીએ એ જ મુનિને પરણવાનો આગ્રહ રાખ્યો. તેના પિતાએ કહ્યું કે ભ્રમરની જેમ ભમતાં મુનિ કેવી રીતે શોધવા? તું ઓળખીશ કેવી રીતે ? માટે કોઈ બીજા મનગમતા વરને વરવું ડહાપણભર્યું છે. શ્રીમતીએ કહ્યું કે પિતાજી, આપ કેમ ભૂલી જાવ છો કે ઉત્તમ રાજાઓ અને સર્જનો એકવાર બોલેલું અવશ્ય પાળે છે. અને કન્યા તો એક જ વાર કોઈને વરે છે. તમે પૂછો છો કે તેમને કેવી રીતે ઓળખીશ? હું તેમના પગ જોઈને તરત ઓળખી લઈશ. કેવા ઘાટીલા, ભરાવદાર અને સુડોળ પગ હતા! આવા પગતો હજુ સુધી કોઈના જોયા નથી. આના માટે થઈને 12 વર્ષ સુધી સાધુઓને વહોરાવવા લાગી. 12-12 વર્ષનાં વહાણાં વાઈ ગયાં. તે મુનિના વાવડ પણ ન મળ્યા. છતાં અડગ વિશ્વાસ અને ઊંડી ધીરતા લઈ તે વાટ જોતી રહી. એક દિવસ આકસ્મિક રીતે તે જ મુનિ શ્રીમતીને ત્યાં આવી ગયા. મૂળ વાત, અહીં કર્મ માનવું જ પડે. મર્યાદા ચૂક્યા નથી.” સભાઃ “રોજ રોજ પેપરોમાં બાવાઓનાં પરાક્રમો આવે છે. આવામાં કોઈ પૂછે કે દીક્ષા લેવાય કે નહીં, તો શું સલાહ અપાય?” ગુરુજી: “માર્ગાનુસારી તો એક જ વાત કરે. ભગવાને બતાવેલી મર્યાદાઓના પાલનથી હિત શક્ય છે. એ મર્યાદાઓ ચૂકો તો પ્રશ્ન આવે. બીજું નિકાચિત કર્મનો ઉદય થાયતો પ્રશ્ન આવે. નિકાચિત કર્મ આત્મા ઉપર છે કે નહીં એ તો આપણે કહી ન શકીએ. તેથી નિકાચિત કર્મને આગળ કરીને દીક્ષા અટકાવાય નહીં. પણ, જેનામાં માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય તે વિચારશે કે સાધુપણામાં કેટલાં ધતિંગ ચાલે છે, કેટલાં કૌભાંડો, ઝઘડાઓ, ઇર્ષ્યા બધું પ્રાર્થના : 1 પડાવઃ 4
Page #72
--------------------------------------------------------------------------
________________ પૂરજોશમાં ચાલે છે માટે જે ધર્મ કરવો હોય તે ઘરે રહીને કરો. જયારે માર્ગાનુસારી ક્ષયોપશમવાળો એમ કહેશે કે જો દીકરા! ધંધામાં રોજ કેટલાય વેપારીઓ ઊઠી જાય છે. તો શું હું તને ઘરે બેસાડી દઉં? તને કહીશ ધંધો કર-પણ સંભાળીને કર. એવી જ રીતે દીક્ષા લેવી છે? સત્તર વાર વિચારીને લે. દીક્ષા લેવાની કોઈને ના નથી પણ લીધા પછી બરાબર પાળવી હોય તો જ લેજે.” સભાઃ “રોજ અમુકનાં પ્રકરણો બહાર આવતા હોય તો પણ દીકરાને દીક્ષા લેવાનું કહેવાનું?” ગુરુજીઃ “શાસ્ત્રમાં બ્રહ્મચર્ય પાળવાની જેટલી મર્યાદા કહી છે તેમાં કોઈ વ્યકિતએ ભૂલ કરી, એમાં ધર્મનો શો વાંક?” સાપનું ગમન વાંકુંચૂંકું હોય છે પણ જ્યારે પોતાના બિલમાં પ્રવેશ કરે ત્યારે સીધો ચાલે છે. સાપને ખબર છે કે જો બિલમાં પ્રવેશ કરતાં આડોઅવળો થઈશ તો શરીર પર ઉઝરડા પડશે. એમ માર્ગાનુસારી હંમેશાં સીધું અર્થઘટન કરશે.” સભાઃ મહારાજસાહેબો પોતાની નિશ્રામાં પ્રતિષ્ઠા થાય, પોતાનું નામ થાય તેથી દેરાસર બંધાવવાનો ઉપદેશ આપે છે. આમાં માર્ગાનુસારી કેવી રીતે વિચારે?” ગુરુજી: “બધા મહારાજસાહેબો પોતાની નામના, નિશ્રા માટે જ દેરાસર બનાવવાનો ઉપદેશ આપતા નથી. સમજો કે, કદાચ કોઈ સાધુ પોતાની નામના માટે ઉપદેશ આપે ત્યારે માર્ગાનુસારી જીવની વિચારણા આપણે જોઈએ. તમારી બિલ્ડીંગમાં સાધુભગવંત પધાર્યા અને બિલ્ડીંગમાં દેરાસર બનાવવાનો ઉપદેશ પોતાની નામના માટે જ આપ્યો. પ્રાર્થના : 1 65 પડાવ : 4
Page #73
--------------------------------------------------------------------------
________________ ત્યારે માર્ગાનુસારી જીવ વિચારે કે.. બિલ્ડીંગમાં દેરાસર થાય તો સારું, દેરાસર દૂર હોય તો લોકોને જવાનો કંટાળો આવે. તેથી દર્શન-પૂજા કર્યા વગરના રહી જાય. વળી બિલ્ડીંગની ચારેબાજુ દેરાસર છે તો શું વાંધો? જેમ કે દીકરાની એક ઓફિસ છે અને બીજી થાય તો શું વાંધો? બીજી-ત્રીજી-ચોથી ઓફિસ વિદેશમાં થાય તો વાંધો નથી, તો દેરાસરમાં વાંધો શું ? ભગવાનની મૂર્તિનો આકાર જ એવો છે કે જગતનું કલ્યાણ થયા જ કરે. દેરાસરમાં કોઈ જીવ આવશે તો પામશે. બિલ્ડીંગમાં દેરાસર બનાવવામાં જગ્યા નહીં વાપરીએ તો જિમ બનાવશે અને જિમમાં જઈને શું ઉકાળી લેવાના છીએ? બિલ્ડીંગમાં દેરાસર હોય તો ઘરડાં-બાળકો જાતે જઈ શકે. એક્સિડન્ટનો ડર ન રહે. દૂર હોય તો મા-બાપ બાળકોને એકલાં પૂજા કરવા મોકલે નહીં અને પોતે સમય કાઢી ન શકે તો બાળકો પૂજાથી વંચિત રહી જાય.” વગેરે વગેરે સભાઃ “મહારાજ સાહેબ પોતાની નામના માટે ઉપદેશ આપે છે તો ?" ગુરુજી: “કદાચ નામનાનો ભાવ હશે તો એ એમનો વિષય. પણ તમને તો 100% ફાયદો છે, કેમ કે, તમે તો દેરાસર 100% વિધિપૂર્વક જ બનાવો છો...એમાં તમને નુકસાન શું?” સભાઃ “જે મ.સા. પાસે જઈએ તે પૈસા ખર્ચવાનો જ ઉપદેશ આપે છે. એક મ.સા.એ દેરાસરનો ઉપદેશ આપ્યો, બીજા મ.સા. આવ્યા તેમણે ઉપાશ્રયનો ઉપદેશ આપ્યો, ત્રીજા મ.સા.એ તીર્થરક્ષાનો ઉપદેશ આપ્યો, ચોથાએ છ'રિપાલિત સંઘનો ઉપદેશ આપ્યો, પાંચમાં મ.સા.એ જ્ઞાનભંડારનો ઉપદેશ આપ્યો, અમે શું પૈસા પેદા કરતી ફેકટરીછીએ?” ગુરુજી: “તમે જ કહો, અનંતકાળથી ખાવા-પીવા-હરવા-ફરવા સિવાય આપણા આત્માએ કશું કર્યું છે? આ ભવની જ વાત કરું તો એક વ્યક્તિના પ્રાર્થના : 1 66 પડાવ : 4
Page #74
--------------------------------------------------------------------------
________________ ખાવા-પીવા, હરવા-ફરવા, દવા-કપડાં-ઘર વગેરે બધાંનું ટોટલ મારીએ તો વર્ષે 2 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય. 50 વર્ષની ઉંમર સુધીમાં પોતાની જાત પાછળ, શરીર પાછળ ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા વાપર્યા હશે. પ૦ વર્ષમાં આટલા રૂપિયા પોતાની જાત પાછળ વાપરીને તમે શું પ્રાપ્ત કર્યું?” સભાઃ “પાપનાં પોટલાં.” ગુરુજી: “જે શરીર પાછળ કરોડો રૂપિયા વાપર્યા એ શરીર રાખ થઈ જશે. મરી ગયા પછી શરીર તો એક દિવસ વધારે રાખી ન શકાય. વાસ મારે, કીડા પડવા માંડે એવા શરીર પાછળ કરોડો રૂપિયાની ચટણી કરી નાખી. આવા શરીરને સ્મશાન સુધી લઈ જવાના પૈસા આપવા પડે. એટલું જ નહીં, એને બાળવા માટે લાકડાં પણ પૈસા આપીને લેવા પડે તેમ છે. શરીર માટે તમારા બધાંનો સામૂહિક ખર્ચો જોશો તો છાતીનાં પાટિયાં બેસી જશે. ભારતમાં 70 કરોડ સ્ત્રી-પુરુષો મહિને વાળ કપાવવા પાછળ ફક્ત 50 રૂપિયા ખર્ચ તો 70 કરોડ રૂા. ૫૦=રૂા.૩૫00 કરોડ. 3500 કરોડX૧૨મહિના=રૂ.૪૨,૦૦૦ કરોડથાય. અહીં તો માત્ર વાળ કપાવવાનો ખર્ચ બતાવ્યો. બાકી તો અબજોના અબજો રૂપિયા શરીર પાછળ વાપરી નાખીએ છીએ, એ પણ પાછા અનંત કાળથી. આમ છતાં કંટાળો, થાક, વધારે થયું એમ નથી લાગતું અને બેચાર મ.સા.એ ભગવાનની આજ્ઞા મુજબ અનુષ્ઠાનનો માત્ર ઉપદેશ જ આપ્યો છે. તો પણ મહારાજ સાહેબ માટે ખરાબ બોલીએ કે સાધુઓને તો પૈસા જ જોઈએ છે. હાટડી ખોલીને બેઠા છે... આવા શબ્દો માર્ગાનુસારી ક્યારેય ન બોલે.” સભાઃ “મ.સા.ના ઉપદેશથી કોઈને વાત બેસી જાય કે દેરાસર વગેરે પ્રાર્થના : 1 પડાવ : 4
Page #75
--------------------------------------------------------------------------
________________ બનાવું, તો અમે બોલીએ કે મ.સા.ના હાથમાં બકરો સારો આવી ગયો છે.” ગુરુજી: “તમારી જીભ કાતરનું કામ કરે છે. ભવાંતરમાં જીભ નહીં મળે.” સભાઃ “અગ્નિશમને ગુણસેન ઉપર દ્વેષ થયો તેમાં અગ્નિશર્માની માર્ગાનુસારિતા ક્યાં ખૂટી?” ગુરુજી: “ગુણસને ત્રણ-ત્રણ વાર પારણાંનું આમંત્રણ આપ્યું છતાં કોઈક કારણસર અગ્નિશમનું પારણું ન થયું ત્યારે અગ્નિશમ વિચારે છે કે ગુણસેન રાજા હજુ મને હેરાન કરવા માંગે છે. હજુ પણ એમના મનમાં મારા માટે નફરત-દ્વેષ છે.ખરેખર એણે વિચારવું જોઈએ કે હું ભૂખના લીધે દુઃખી છું અને ભૂખ શરીરના કારણે છે. શરીર ના હોત તો કોઈની તાકાત નથી કે મને હેરાન કરે. હું ગુણસેનના કારણે દુઃખી નથી. જેમ ચંદ્રગ્રહણમાં ચંદ્ર ઢંકાઈ જાય છે એમ સંસાર=શરીર-ઇન્દ્રિયમનની ઇચ્છાઓ આત્મગ્રહણ છે. જેમાં આત્માઢંકાઈ જાય છે. આત્મા ઢંકાઈ જવાના કારણે આપણે દોષનો ટોપલો બીજાના માથે નાખીએ છીએ. અગ્નિશર્માએ પણ આ જ કર્યું. શરીરના કારણે ભૂખ લાગી અને પોતાના દુઃખની વરમાળા ગુણસેનને પહેરાવી દીધી.” સભાઃ “આપણને આવી સમજ આવી જાય તો સંસારમાં કોઈદુઃખી ન કરી શકે.” ગુરુજીઃ “આર્ય! તારી વાત સાચી છે. આપણે દુઃખી આપણા આંતરિક દોષો મોહ-માયા-લોભ વગેરેના કારણે છીએ. બહારની દુનિયામાં જેટલાં પણ દુઃખો દેખાય છે તે બધાં દોષોનાં ફળ છે. મરીચિએ અભિમાન કર્યું તો નીચગોત્ર કર્મ બાંધ્યું. એના કારણે હલકા ભવોમાં જવું પડ્યું. મરીચિએ કુળમદ કર્યો ત્યારે એ દુઃખી હતા પોતાના માનના કષાયના કારણે. અંતે જે હલકા ભવોમાં જવું પડ્યું તે માન પ્રાર્થના 1 68 પડાવ : 4
Page #76
--------------------------------------------------------------------------
________________ કષાયનું ફળ હતું. વ્યક્તિ પોતાના આંતરિક દોષો અને દોષનાં ફળના કારણે જ દુ:ખી છે, એના સિવાય દુ:ખી થવાનું ત્રીજું કોઈ કારણ હોય તો બતાવોઆપણે વિચારણા કરીએ.'' સમાઃ “સાસુનો સ્વભાવ ખરાબ હોય તો?” ગુરુજીઃ “સાસુનો સ્વભાવ ભલે ગમે તેટલો ઘટિયા હોય, તમે દુઃખી તમારા આંતરિક કષાય અને તેના ફળથી થશો. બાકી તમને લલિતા પવાર જેવી સાસુ મળે તો પણ દુ:ખી નહીં કરી શકે.” સભાઃ “માર્ગાનુસારી જીવને સંવિજ્ઞ ગીતાર્થ ગુરુ મળે તો ઝડપી વિકાસ થાય.” ગુરુજી: “હા, માર્ગાનુસારિતા છે અને એમાં સંવિજ્ઞ ગીતાર્થ ગુરુ મળી ગયા તો કલ્યાણ ચપટીમાં થઈ જાય.” સભાઃ “ઉદાહરણ?” ગુરુજીઃ “માષતુષ મુનિએમનો જ્ઞાનાવરણીય ક્ષયોપશમ સામાન્ય પણ નથી. કોઈ ગજબ કોટિની વૈયાવચ્ચ કરી હોય તેવો પણ ઉલ્લેખ વાંચ્યો નથી. છતાં સંવિજ્ઞ-ગીતાર્થ ગુરુએ બતાવેલ માર્ગદર્શન મુજબ મા-રુષ, મા-તુષ લાંબો સમય ગોખતા રહ્યા. એના પરિણામે કેવળજ્ઞાન પામી ગયા. આપણું કેવું? ગુરુ મ.સા. કહે જીવવિચાર ભણો તો આપણી ઇચ્છા સ્તુતિની હોય. ગુરુ કહે કર્મગ્રંથ ભણો તો આપણને કંઈક અલગ જ સૂઝે.” સભાઃ “એનો અર્થ ગુરુ કહે એમ કરવાનું?” ગુરુજીઃ “સંવિજ્ઞ-ગીતાર્થ ગુરુ કહે એમ જ કરવાનું.” સભાઃ “સંવિજ્ઞ-ગીતાર્થ ગુરુના સાંનિધ્યથી માલતુષ મુનિનું હિત થયું પણ જે માર્ગાનુસારી હોય અને ગુરુ મળ્યા હોય એવું ઉદાહરણ આપો ને?” પ્રાર્થના : 1 69 પડાવ : 4
Page #77
--------------------------------------------------------------------------
________________ ગુરુજી: “મેઘકુમાર પૂર્વે હાથીના ભવમાં દાવાનળ લાગેલો જોઈને જાતિસ્મરણ થવાથી તૃણ-વૃક્ષ વગેરેનું ઉમૂલન કરીને યૂથની રક્ષાને માટે તે નદીના કિનારે ત્રણ સ્થડિલો કર્યા. આખો એરિયા સાફ કર્યો. એક પણ નોકર નથી, નથી એક પણ મદદ કરનાર, બધું કામ જાતે કરવાનું, આટલી મોટી જગ્યાની પોતાને જરૂર નથી, છતાં બીજા માટે સાફ કરે છે. 500 માણસોનો જમણવાર હોય, તમે એક-બે કલાક પીરસો તો કમર દુખી જાય ને?હાથીનું શરીર અને તમારું શરીર-બંનેમાં કદાવર શરીર કોનું? છતાં આટલા મોટા કદાવર શરીરે ઘાસ કેવી રીતે સાફ કર્યું હશે? તમારે તો વાંકા વળવું હોય તો વળી શકો છો,પણ હાથી કેવી રીતે વળી શકે? છતાં એકદમ નિટ એન્ડક્લીન ત્રણ ચંડિલ (નિર્દોષભૂમિ) તૈયાર કર્યા. અથથી ઇતિ સુધીનું પોતાનું યોગદાન છે એવા સ્પંડિલમાં પોતાને ઊભા રહેવા જગ્યા નહીં. માંડ માંડ જગ્યા મળી એમાં શરીરને ખણવા માટે એક પગ ઊંચો કર્યો ત્યાં પ્રાણીઓની ભીડમાં ફસાઈ ગયેલું એક સસલું પગવાળી જગ્યાએ આવીને ઊભું રહ્યું. દયાપૂર્ણ હૃદયવાળો હાથી એક પગ ઊંચો રાખી ત્રણ પગે અઢી દિવસ ઊભો રહ્યો. દાવાનળ શાંત થતાં પ્રાણીઓ પોતપોતાને ઠેકાણે ચાલ્યા ગયા. ત્યારબાદ સુધા-તૃષાપીડિત હાથી પાણીને માટે દોડવા ગયો પરંતુ પડી ગયો. ભૂખ-તરસના દુઃખથી ત્રીજે દિવસે મૃત્યુ પામ્યો. હાથીને હજુ ગુરુ નથી મળ્યા. ગુરુનો ઉપદેશ નથી સાંભળ્યો તો પણ સસલા પર કેવી દયા ! પગ અકડાઈ ગયો છતાં સસલા પર પગ ન મૂક્યો.” સભાઃ “કેમ?” ગુરુજી: મને કોઈ કચડી નાખે તો મને નથી ગમતું તો પછી એ સસલાને કેવી રીતે ગમે? અઢી દિવસ એક પગ ઉપર ઊભો રહે છે. જ્યારે આપણને ગુરુ મળ્યા છે. ગુરુનો ઉપદેશ સાંભળ્યો છે છતાં સંવત્સરી પ્રતિક્રમણ ઊભા પ્રાર્થના : 1 70 પડાવ : 4
Page #78
--------------------------------------------------------------------------
________________ ઊભા કરવા તૈયાર નથી. ૪-ખમાસણા બેઠાં બેઠાં આપીએ.” સભાઃ “ધર્મ માટે ત્યાગ કરવાનો કહેશો તો નહીં થાય. બાકી અમારા દીકરા-દીકરીઓના સ્કૂલ એડમિશન માટે કલાકો લાઈનમાં ઊભા રહીએ છીએ.” ગુરુજી: “બાળકોના એડમિશનની વાત પછી. બહેનો દરરોજ રસોડામાં ઊભા ઊભા કલાક રસોઈ કરે અને ભાઈઓ ટ્રેનમાં કલાક સુધી ટીંગાતા જાય, પણ ઉપાશ્રયમાં જરાય ત્યાગ કરવા તૈયાર નથી. જાણે ઘરનો થાક ઊતારવા ઉપાશ્રયમાં આવતા ન હોય. મૂળ વાત- હાથીએ આટલો મોટો એરિયા સાફ કર્યો, એક સસલા માટે અઢી દિવસ ત્રણ પગે ઊભો રહ્યો, અને માર્ગાનુસારિતા કહેવાય. આને જ ભગવાનના આશીર્વાદ કહેવાય. આને જ ગુરુની કૃપા કહેવાય. આપણા આત્માને જે હિતકર હોય એ કરવું એનું નામ માર્ગાનુસારિતા. જ્યારે આપણી વાત કરીએ. આપણી સમજ કેવી છે?તમારી વિચિત્રતા જુઓ. ઘરના ઓટલે કૂતરું આવીને બેઠું, તમે કેવું હટ હટ કરશો ! જ્યારે હાથી એક સસલા માટે કેવું બલિદાન આપી શકે છે!” સભાઃ “અમને ધર્મમાં કશી જ ખબર પડતી નથી.” ગુરુજીઃ “એવું નથી. અવસરે તમે ફિલોસોફર બની કલાક વ્યાખ્યાન આપી શકો એમ છો. અને ત્યાં તમારો ઉપદેશ કોઈ સાંભળે તો થાય કે મહારાજ સાહેબ બોલી રહ્યા છે. સભાઃ “થોડાંક સેમ્પલ આપો ને?” ગુરુજી: “સંધ્યાના રંગો જેવું અસ્થિર આપણું જીવન છે, એમને મોતનો આભાસ થઈ ગયો હશે. એટલે જ ઉપધાન કરાવી લીધાં. બધાં સારાં કામો કરાવીને ગયા છે. અફસોસ ન કરવો. સારા માણસોની જરૂર તો બધે જ હોય છે. એમની પાછળ તમે રડશો તો એમને અંતરાય થશે. મન મક્કમ પ્રાર્થના : 1 71 પડાવઃ 4
Page #79
--------------------------------------------------------------------------
________________ કરો. દીકરા-દીકરીને મોટા કરવાનાં છે. તમે તો ધર્મ સમજેલા છો, જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. અફસોસ કરીને શું ફાયદો ? ચોથની પાંચમ થવાની નથી. જે જ્ઞાનીએ જોયું હશે તે જ થશે. એમાં આપણે શું કરી શકીએ? આ તો થઈ મૃત્યુ વખતની વાત. પણ કોઈની દીકરી સાસરેથી પાછી આવી હોય ત્યારે તમને સમજાવવાનું કહે તો તમે અટકો?” સભાઃ “જરાય નહીં.” ગુરુજીઃ “સીતા, ચંદનબાળા વગેરે સતીઓએ જે સહન કર્યું હતું તેવું સહન તારે ક્યાં કરવાનું છે? હમણાં સહન કરીશ તો પછી સુખ જ સુખ છે. હું તમને સમજાવતાં જોઉં ત્યારે મને પણ મન થઈ જાય કે બે-ચાર પોઇન્ટ્સ લખી લઉં, જીવનમાં કામ લાગશે.” સભાઃ “અમારે તો ડાહી સાસરે જાય અને ગાંડી શિખામણ દે એવું છે.” ગુરુજી: “ભલે ગાંડી શિખામણ દેતી હોય, પણ શિખામણ ગાંડી નથી. શિખામણ લેવા જેવી હોય છે. મૂળ વાત, કૂતરું કરડી જાય તો કદાચ 14 ઇંજેક્શન લેવા પડે પણ વાંદાની તો કોઈ હેરાનગતિ નથી ને? છતાં ઘરમાં વાંદો દેખાય તો શું કરશો?” સભાઃ “સૂપડીમાં લઈ બહાર ફેકીશું.” ગુરુજી: “બાજુવાળાના ઘરમાં?” સભાઃ “અમે એટલા ખરાબ નથી.” ગુરુજી: “અમારી પાસે તમારી રામાયણો આવે છે. મુંબઈના ડૉલર એરિયામાં બિલ્ડીંગની નીચે રહેલા ઉપાશ્રય ઉપર તથા આજુબાજુની જગ્યામાં વધેલો લોટ, શાક, દાળ વગેરે નીચે ફેંકે છે. વળી બાજુમાં જ દેરાસર છે. દેરાસર જોતાં બોલવાનું મન થઈ જાય કે “સુંદરતા સુરસદનથી પ્રાર્થના : 1 72 પડાવ : 4
Page #80
--------------------------------------------------------------------------
________________ રે અધિક...” એવા સુંદર દેરાસર ઉપર જે વસ્તુઓ શ્રાવક-શ્રાવિકાઓ ફેંકે છે તેનો એક સાધુ તરીકે ઉલ્લેખ ન કરી શકાય. મને તે બિલ્ડીંગનો વોચમેન કહે કે તમારા શ્રાવકોને તો મારવા જોઈએ. મેં પૂછ્યું કેમ? તો કહે સાહેબજી, અમે દેરાસરના ઉપરના ભાગની શુદ્ધિ કરીએ છીએ ત્યારે એવી વસ્તુઓ મળે છે કે મને બે ઝાપટ મારવાનું મન થાય એવી ગંદી વસ્તુઓ જૈનો ફેંકે છે. તમારાં આવાં અપલક્ષણો જોતાં તમે બાજુવાળાના ઘરમાં વાંદો નાંખો એમાં મને કશું આશ્ચર્ય નથી થતું. છતાં તમે ના પાડો છો તો માની લઈએ કે તમે બાજુવાળાના ઘરમાં નહીં નાંખો પણ મારો સવાલ છે કે વાંદાને ઘરમાંથી બહાર કેમ કાઢો છો?” સભાઃ “વાંદાને ઘરમાંથી બહાર ન કાઢીએ તો તેનું મલ્ટીપ્લિકેશન થાય.” ગુરુજી: “મલ્ટિપ્લિકેશન થાય તો શું પ્રોબ્લેમ છે? તમારો દીકરો લગ્ન કરીને આવે છે તો તમારા દીકરાનું મલ્ટિપ્લિકેશન ન થયું? વાંદો તો એમ પણ નથી કહેતો કે મારે સૂવા માટે ઘોડિયું જોઈશે. જ્યારે તમારે પૌત્ર થાય તો ઘોડિયું લાવવું પડે છે કે નહીં?” સભાઃ “વાંદો આખા ઘરમાં ફર્યા કરે છે.” ગુરુજી: “તમારો પૌત્ર થશે તો એ ઘરમાં નહીં ફરે ? ઈવન, હોલમાં પેશાબ-સંડાસ પણ કરી જશે. તો શું પૌત્રને ઘરમાંથી કાઢી નાખો છો?” સભાઃ “વાંદાને જોતાં દ્વેષ થાય છે જ્યારે પૌત્રને જોતાં આનંદ થાય છે.” ગુરુજીઃ “ઘણાને રજનીકાંત કાળો હોવાથી નથી ગમતો, પણ એ સાઉથમાં સુપરસ્ટાર છે. લાખો-કરોડો લોકો એના દીવાના છે. તેના મંદિરો છે. આ સાંભળતાં ભલે તમને રજનીકાંત ગમતો ન હોય છતાં તમે વિચારોને કે કાંઈક તો દમ લાગે છે રજનીકાંતમાં. જે વાંદાને જોઈને તમને નફરત થાય છે એ જ વાંદાઓની મુનિઓ જીવદયા પાળે છે તો તમને થવું જોઈએ કે વાંદામાં જીવત્વ છે. પૂજય ગુરુભગવંતો એની જીવદયા કરે છે તો મારાથી | પ્રાર્થના 1 પડાવ : 4
Page #81
--------------------------------------------------------------------------
________________ એને તરછોડાય તો નહીં જ.” સભાઃ “વાંદો બીમારી ફેલાવે છે માટે ઘરમાંથી કાઢી મૂકીએ છીએ.” ગુરુજી: “છીપકલી(ગરોળી)ની લાળમાં ઝેર હોય છે. કદાચ એ લાળવાળું તમે ખાવ તો તમારા રામ રમી જાય. વૈજ્ઞાનિકો કહે છે કે મચ્છરથીડેગ્યમેલેરિયા થાય છે. આયુર્વેદમાં મેલેરિયાનું કારણ મચ્છર નથી કહેતા એવું મારા ધ્યાનમાં છે.) પણ વાંદાથી કોઈ રોગ થતો નથી. બીજી વાત, મોટા મોટા ડાયનાસોર વગેરે ખતમ થઈ ગયા પણ વાંદો આજ સુધી ટક્યો છે. તેથી વાંદો યુનિક વસ્તુ થઈ. તમને તો યુનિક વસ્તુઓ ભેગી કરવાનો શોખ છેને? તો હવે વાંદો તમારા ઘરમાં રાખશો ને?” સભાઃ “વાંદાને ઘરમાં રાખવામાં વાંધો છે.” ગુરુજીઃ “વાંદાને ઘરમાં રાખવામાં વાંધો શું? એ બોલો.” સભાઃ “એ વાંદો છે એ જ વાંધો છે.” ગુરુજી ઘર મોટું છે પણ મારા ઘરમાં મેં જેને મારાં માન્યાં છે એ રહેતો વાંધો નથી. જેમ કે દીકરો મારો છે માટે એ રહે તો વાંધો નથી. પણ દીકરો જે દિવસે એની પત્નીનો થઈ ગયો તે દીવસે દીકરાને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકીશું. ઘરમાં ૧૦જણ છીએ. ઘર ખીચોખીચ છે તો પણ એમાં જમાઈને રાખીશું! કેમ કે મારાં અને મારાં માનેલાં બધાં આ ઘરમાં રહી શકે છે. ભલે પછી બધું એડજસ્ટ કરવું પડે. પણ જે મારા નથી અથવા મારાં માનેલા નથી, એને હું આ ઘરમાં રહેવા દઈશ નહીં.” સભાઃ “હાથી આત્મા વગેરે માને છે?” ગુરુજી: “મેઘકુમારનો પૂર્વભવ હાથી. એ ભવમાં જાતિસ્મરણજ્ઞાન થયું હતું તેથી આત્મા, પુણ્ય, પાપ, પરલોક બધું સ્પષ્ટ દેખાયું માટે આત્મા વગેરેને માને છે. | પ્રાર્થનાઃ 1 પડાવ : 4 74
Page #82
--------------------------------------------------------------------------
________________ તમારી જાતને હાથી સાથે સરખાવજો. હાથીને ગુરુનો યોગ, ઉપદેશ કશું નથી મળ્યું છતાં એનું લેવલ વિચારો. એના જ કારણે બીજા ભવમાં ભગવાનના ભક્ત શ્રેણિક રાજાને ત્યાં રાજકુમાર થયો અને ભગવાનનો જ શિષ્ય થયો.” સભાઃ “ઘરમાં વાંદો થાય તો ૧રવ્રતધારી શ્રાવક શું કરે?'' ગુરુજી: ઘરમાં વાંદો થાય જ નહીં એની તમારે તકેદારી રાખવી જોઈએ. છતાં વાંદો પેદા થયો તો શ્રાવકની વિચારણા એવી હોય કે આ જીવ ઘરમાં કોઈના પગમાં આવશે તો મરી જશે. વળી ઘરમાં રાખીશ તો વાંદાની સંખ્યા વધી જતાં જીવદયા પાળવાની મુશ્કેલી થશે માટે યથાયોગ્ય વ્યવસ્થા કરું આવી વિચારણા શ્રાવકના જીવનમાં હોય. તમે ઉપરોક્ત વિચારણાથી ઘરમાંથી વાંદો કાઢો છો કે આ ઘર મારું છે એમાં બીજો કેવી રીતે રહે? હાથી કેટલું કષ્ટ સહન કરવા તૈયાર છે. જ્યારે તમે મનુષ્ય થઈને પણ જરાય સહન કરવા તૈયાર નથી.” સભાઃ “આવું કેમ છે?” ગુરુજી: “માર્ગાનુસારિતાનો અભાવ છે.” સભાઃ “માર્ગાનુસારિતા લાવવા શું કરવું?” ગુરુજીઃ “માર્ગાનુસારિતા લાવવી હોય તો એક કામ કરવાનું. જે વસ્તુમાં ચાંચ ન ડૂબે ત્યાં તટસ્થ રહેવાનું. જેટલું ખબર પડે એનો સ્વીકાર કરી લેવાનો. સમજો કે દેરાસરમાં ભગવાનને પ્રક્ષાલની વિધિ છે. ગુરુ મહારાજને અક્ષતથી વધાવવાની વિધિ છે. આ વિધિ માટે ઓ.એમ.જી.વાળા બોલશે કે ભગવાનને કેમ દૂધથી પ્રક્ષાલ? ગરીબોને દૂધ પીવા મળતું નથી અને તમે ભગવાનની મૂર્તિ ઉપર દૂધ ઢોળી નાખો છો. પ્રાર્થના : 1 75 પડાવ : 4
Page #83
--------------------------------------------------------------------------
________________ આવી વાત તમારા ધ્યાનમાં આવી તો સૌથી પહેલાં તો તટસ્થ રહેવાનું. પછી સત્ય-અસત્ય, લાભ-નુકસાન બધું સમજવાની કોશિશ કરવાની. કોઈ પણ બાજુ ઢળી નહીં જવાનું. ન સમજ પડે તો તટસ્થ રહો. જેને માર્ગાનુસારી બનવું છે તેણે તટસ્થ રહેતાં શીખવાનું. દા.ત. તમે મ.સા.ને ગોચરી માટે વિનંતી કરી હતી. મ.સા.તમારા ઘરે પધાર્યા. તમે ઓફિસ ગયા હતા. બીજા દિવસે તમે ઉપાશ્રય ગયા. તરત જ મ.સા. તમને ખિજાયા કે “ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો.” હવે તમારે શું કરવાનું? વિચારવાનું કે મ.સા. કોઈ દિવસ આવાં કટુ વચનો બોલે નહીં છતાં આજે મને આવતાંની સાથે આવું જાહેરમાં બોલ્યા તેથી નક્કી મારી કાંઈક ભૂલ થઈ લાગે છે. તેથી મ.સા.ને કહેવાનું કે મારી ભૂલ બતાવો, અને એનું પ્રાયશ્ચિત આપો. અને ગુરુમહારાજ તમને ભૂલ બતાવે કે તમારા ઘરે વહોરવા આવ્યા. તમારી ૨૦વર્ષની દીકરી નાની ચડ્ડી પહેરીને ફરતી હતી. આ ચાલે? પણ તમે એની જગ્યાએ સામે દલીલ કરો એવા છો કે સાહેબજી, આવાં કપડાં તો હવે બધાંના ઘરમાં પહેરાય છે. એમાં કંઈ ખોટું નથી. તમારે આવવું હોય તો સુખેથી પધારજો. પણ તમારે અમને આ રીતે ખખડાવવાની જરૂર નથી. આ તો મહારાજ સાહેબને સામો જવાબ આપ્યો અને વળી મનમાં એવી ગાંઠ બાંધશો કે ભવિષ્યમાં આ મ.સા.ને ઉપાશ્રયમાં પગ મૂકવા નહીં દઉં.” સભાઃ “શાસ્ત્રીય કોઈ ઉદાહરણ ખરું કે ગુરુએ સંતાનોનાં કારણે માબાપને ઠપકો આપ્યો છતાં શાંતિથી સાંભળ્યો હોય?” ગુરુજીઃ શાસ્ત્રમાં અહંદત્ત અને પુરોહિતપુત્રની વાત આવે છે. અહંદત્ત રાજકુમાર છે પણ ખૂબ વંઠી ગયેલ છે. એના ઘરે જે સાધુઓ આવે એને હેરાન કરે છે. એક દિવસ જોગાનુજોગ એ રાજ્યમાં અહંદતના કાકા પ્રાર્થના 1 પડાવ : 4
Page #84
--------------------------------------------------------------------------
________________ મ.સા. પધાર્યા જેમણે વર્ષો પૂર્વે દીક્ષા લીધેલી છે. અહંદત્ત એમની પણ મજાક-મશ્કરી કરે છે કે સાહેબજી, આપ નાચો ને! કાકા મ.સા. ૭ર કળા ભણેલા છે. એમણે કહ્યું કે હું નાચું પણ સંગીત કોણ વગાડશે? બીજું, સંગીતમાં તાલ તૂટે તો મારો પિત્તો જાય. રાજકુમારે સંગીત આપ્યું. મ.સા. નાચ્યા અને નૃત્યમાં એવાં સ્ટેપ્સ લીધાં કે રાજકુમાર સંગીત ન આપી શક્યો. મ.સા.એ અહંદત્તને હાથમાં લીધો-એનાં હાડકાં ઉતારી નાખ્યા. રાજકુમારને અસહ્ય વેદના થાય છે. મ.સા. ઉપાશ્રય ગયા. આ બાજુ રાજાને હકીકતની ખબર પડી. રાજા ઉપાશ્રયે આવે છે ત્યારે મ.સા. કેટલું સંભળાવે છે! રાજાને ઘણો ઠપકો આપ્યો છતાં રાજા શાંતિથી સાંભળે છે. એમ અહીંયા તમારે પણ શાંતિથી ગુરુ મ.સા.નો ઠપકો સાંભળી લેવાનો કે 20 વર્ષની તમારી દીકરી આવા ઉભટ કપડાં પહેરે છે તે કેમ ચલાવી લેવાનું?” સભાઃ “અમારું અમારાં સંતાનો આગળ ચાલતું નથી.” ગુરુજી: “મને ઊઠાં ન ભણાવો. તમારા દીકરા-દીકરીઓને બગાડનાર કોણ? નાના હતાં ત્યારથી એ બાળકોને તમે ઉભટ કપડાં પહેરાવ્યાં, હવે એ કેમ માનશે?નાનપણમાં બાળક વડીલોના સંપૂર્ણ નિયંત્રણમાં હોય છે. ત્યારે તમે શા માટે ઉભટ કપડાં પહેરાવ્યાં? હજી તમારી ભૂલ સમજાતી નથી?” સભાઃ “માર્ગાનુસારી બનવામાં અમને તકલીફ શું આવે છે?” ગુરુજી: “માર્ગાનુસારી બનવું હોય તો સ્વભાવમાંથી ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયોને દૂર કરવા પડે, કષાયો માર્ગાનુસારી બનવા દેતા નથી. તમને બટેટાં, કાંદા, અનંતકાય ખાવાનો લોભ છે. એક શરીરમાં અનંત જીવો હોવાથી અમે તેનો ત્યાગ કરવાનું કહીએ. પણ તમે તમારી પ્રાર્થના : 1
Page #85
--------------------------------------------------------------------------
________________ જીભડીના લોભને માટે અમને બદનામ કરો છો કે મ.સા.પાસે જઈએ એટલે બાધા આપી દે ભલા ભાઈ! વિચાર તો ખરો કે અમે ભીંડાં, દૂધીની એજન્સી તો નથી લીધી કે તેને ચલાવવા માટે બટેટાં બંધ કરાવીએ છીએ. જ્યાં જ્યાં ઊંધી બુદ્ધિ છે ત્યાં ત્યાં ક્યો કષાય કામ કરે છે એ વિચારશું તો અવશ્ય એક દિવસ આપણે માર્થાનુસારી બની જઈશું. સૌ જલદીથી જલદી માર્ગાનુસારી બનીએ એ જ શુભાભિલાષા સહ..” પ્રાર્થના 1 પ્રાર્થના : 1 78 78 પડાવ : 4
Page #86
--------------------------------------------------------------------------
________________ પડાવ : 5 જળ ભરી સંપુટ પત્રમાં,યુગલીક નર પૂંજત ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંતઃ ભગવાનનાં સ્વરૂપનો બોધ ભવનો અંત લાવવા માટે આપણે ભેગા થયા છીએ. દુનિયામાં પરમાત્માની ઉપાસના કરનારા, ભગવાનમાં વિશ્વાસ રાખનારા ઘણા લોકો છે. ફોર્ડ એક મોટર કંપનીના માલિક છે. એને એકવાર રોગ થયો. ઘણા ઇલાજો કર્યા પણ કાંઈ ફરક ન પડ્યો. ડૉક્ટરોએ એને અનક્યોરેબલ જાહેર કર્યો. ફોર્ડને ભગવાન પર વિશ્વાસ એટલે ભગવાન પાસે ગયો. ભગવાન સાથે વાત કરી કે હે ભગવાન! મારી કંપનીની ગાડી બગડી જાય તો એને રિપેર કરી આપવાની મારી જવાબદારી છે. મારું શરીર તેં બનાવ્યું છે. તારી કંપનીનો માલબગડી ગયો છે તો હવે એને રિપેર કરવાની જવાબદારી પણ તારી. ફોર્ડને ભગવાન પર અતૂટ વિશ્વાસ છે. ગણધર ભગવંતોને પણ ભગવાનમાં અતૂટ વિશ્વાસ છે. પણ ફરક માત્ર એટલો કે ફોર્ડને ભગવાનના સ્વરૂપનો બોધ નથી. ભગવાનને જગત્કર્તા તરીકે ઓળખે છે. જયારે ગણધર ભગવંતોને ભગવાનના સ્વરૂપનો બોધ છે તથા સુખદુઃખની પૂર્ણ સમજ છે. તેથી ગણધર ભગવંત આ સંસારનો અંત લાવવા ભગવાન! મને વિનયી બનાવજે! ભગવાન! મારામાં ક્ષમા લાવજે! આવી કોઈ માગણી ન કરતાં એમણે પહેલી માગણી કરી ભવનિબેઓની. ભગવાન તારા પ્રભાવથી મને સંસાર અસાર લાગો, આ જગત સારભૂત છે એવી મારી બુદ્ધિ નાશ પામો, બીજી માગણી કરી જે મોક્ષનો માર્ગ છે એમાં મારું ગમન થાઓ. મને એ જ માર્ગ સાચો લાગે. હું ક્યાંય ભટકાઈ ન જાઉં. પ્રાર્થના : 1 79 પડાવઃ 5
Page #87
--------------------------------------------------------------------------
________________ જીવ અચરમાવર્તમાં હોય ત્યાં સુધી લિમિટ બહાર સંસાર વધી રહ્યો છે. ચરમાવર્તામાં આવે એટલે લિમિટમાં આવી ગયા. તાત્વિક વૈરાગ્ય જેના જીવનમાં હોય તો તેનો મોક્ષ અવશ્ય થશે, જ્યારે સંસાર કપાવાની ગેરંટી માર્ગાનુસારિતાથી આવે છે. અર્થાત્ મોક્ષની ગેરંટી ભવનિબૅઓથી આવે છે. તમને સંસાર અસાર લાગી ગયો, તો ડેફિનેટલી તમારો મોક્ષ થશે. પણ તમારો મોક્ષ ક્યારે થશે?કેટલો જલદી થશે? એની ગેરંટી માર્ગાનુસારિતા આપે છે. ભવ-નિર્વેદથી સંસારનો કિનારો દેખાઈ ગયો. પણ કિનારો દેખાવા છતાં ઊલટી દિશામાં જશો તો ભવ વધ્યા કરે. કિનારા તરફની ગતિએ માર્ગાનુસારિતા છે. માર્ગાનુસારીપણાની આવશ્યકતા માર્ગાનુસારીપણાનો ગુણ અત્યંત આવશ્યક છે. સાધના માર્ગમાં જો આ ગુણ પ્રાપ્ત ન કરી શકીએ તો ફંટાયા જ કરશું. માટે પ્રથમ તો દિશા બદલવી પડશે. ભવનિર્વેદ= સંસાર ખરાબ લાગે, એટલે વૈરાગ્ય આવે. એટલે આજ સુધી આપણું મોટું સંસાર માર્ગ તરફ હતું એ ચેન્જ થયું, પણ હજુ મોક્ષમાર્ગનથી આવ્યો. ફક્ત આપણું મોટું ફર્યું છે, પણ હજુ ચાલવાનું બાકી છે, તેથી ગણધર ભગવંત ભગવાનને પ્રાર્થના કરે છે કે મને બુદ્ધિ એવી થાવ કે મારું ચાલવાનું પણ સાચું થાય.અનાદિકાળની આપણી ઊંધી ચાલને બદલવાની છે. અનાદિકાળથી ઊંધી ચાલના સંસ્કાર આપણા આત્મામાં અડ્ડો જમાવીને બેઠા હોવાથી, આપણું માથું ઊંધું છે, તેથી જ બધી ઉપાધિ છે. સંસાર અસાર લાગી ગયો તેથી ધર્મમાં આવ્યા, પરંતુ માર્ગાનુસારીપણું નહીં હોય તો ધર્મમાં પણ ઊલટું જ પકડાશે. સમવસરણમાં કોને ક્યાં બેસવાનું એની આખી વ્યવસ્થા હોય છે. પ્રાર્થના 1 પડાવ : 5 8O
Page #88
--------------------------------------------------------------------------
________________ ઇન્દ્રમહારાજાની સીટ સૌથી આગળ રિઝર્વ હોય કદાચ ઇન્દ્રમહારાજા ન આવ્યા હોય તો જગ્યા ખાલી રહે, પણ ત્યાં બીજા ન બેસે. માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય, તો દિમાગ ફાટે, “બધે પૈસા અને સત્તાની જ બોલબાલા છે.”ખરેખર, ધર્મમાં પણ બેહદ પક્ષપાત! સમવસરણની વ્યવસ્થા પાછળનાં કારણો ન સમજે અને ઉલ્કાપાત કર્યા કરે.સમજો કે મારા ચોમાસામાં કોઈ શ્રાવકે દર શનિવાર-રવિવાર કોઈ ને કોઈ અનુષ્ઠાન રાખ્યાં. હું તો ફક્ત નિશ્રા આપું છું, દ્રવ્યસ્તવ શ્રાવક માટે ધર્મ છે. અને શ્રાવકે કરાવ્યો છે. પોતાના પૈસા છે. એ સારા માર્ગે વાપરી રહ્યો છે. પરંતુ માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય તો વિચારવાનું બોલવાનું ચાલુ થશેઃ “આખું ચોમાસું અનુષ્ઠાન અને જમણવાર ચાલ્યા. ખાઓ, ખાઓ અને ખાઓ-અમે તો આ વખતે આખું ચોમાસું ખાધું જ છે.” ખરેખર તો જેણે સાધર્મિક ભક્તિ કરી અને તમને જમાડ્યા એ શ્રાવક માટે ધર્મ હતો. તારે ન વાપરવું હોય તો તું નહીં આવે, પણ નિંદા શા માટે કરે છે? પાછો પડલામાં પહેલાંની જેમ બધા જ જમણવારમાં પહેલો હોય, છતાં બકબક ચાલ્યા જ કરે. માર્ગાનુસારી ક્ષયોપશમ હશે તે ખોટા ધર્મમાં પણ જેટલું સારું હશે તેટલું પકડશે. જ્યારે માનુસારી ક્ષયોપશમ નહીં હોય તે સાચા ધર્મમાંથી પણ ખોટું પકડશે. સભાઃ “ઉદાહરણથી સમજાવો ને!” ગુરુજી: અન્ય ધર્મોમાં વિધાન મળે કે અમુક યજ્ઞ કરો તો પૈસા મળશે, અમુક યજ્ઞ કરો તો પુત્ર મળે, અમુક યજ્ઞ કરો તો શરીર સારું મળે. જયારે અન્ય ધર્મમાં રહેલો માર્ગાનુસારી જીવ વિચારશે. દીકરો થયો તો કોણ સુખી થયું છે? દીકરો થાય એટલે ઉપાધિ વધે છે, એને ભણાવો, ગણાવો, પ્રાર્થના : 1 81 પડાવ : 5
Page #89
--------------------------------------------------------------------------
________________ ધંધે લગાડો, પરણાવો. કેટલી ઉપાધિ! પૈસા તો બધા અનર્થોનું મૂળ છે, પૈસા વધે તો અભિમાન આવે, ભય વધે, ઇર્ષા વધે. દીકરો, પૈસો વગેરે કરતાં તો ધર્મ કરવો બહુ સારો છે. અન્ય ધર્મમાં પણ જે રાગ-દ્વેષ ન કરવાની વાતો હશે, વિકાર વાસનાને તોડે એવી વાતો હશે, એ માર્ગાનુસારી જીવને ગમશે, જ્યારે માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય તો સાચા ધર્મમાંથી પણ ઊલટું જ પકડશે. દેરાસરમાં આવશે તો નિર્વિકારી તીર્થકરમાં એનું મન નહીં ચોટે. એના મગજમાં જે વિધિ વગેરે બેસી ગયું હશે, તેમાં જ માથું માર્યા કરશે. એના મગજમાં જે વિધિ વિધાન સેટ થઈ ગઈ હશે એ વિધિ કે વિધાન બીજામાં નહીં દેખાય તો શિંગડાં ભરાવશે.” સભાઃ “માર્ગાનુસારીએ શું કરવાનું?” ગુરુજી: “આખા સંઘનો હું નાયક નથી, સંઘમાં થતી અવિધિઓ સુધારવાનો મારો અધિકાર નથી. તો વગર અધિકાર માથું નહીં મારે. ક્યાંય અવિધિ વગેરે ચાલુ હશે તો જવાબદાર વ્યક્તિને ધ્યાન દોરશે, પણ માથાફોડ નહીં કરે.” માર્ગાનુસારિતાના અભાવનું ઉદાહરણ સભાઃ “માર્ગાનુસારિતાનો અભાવ હોય એવા જીવની માથા મારવાની પ્રવૃત્તિનું ઉદાહરણ આપો ને?” ગુરુજી: “સમજો, કોઈ સોનાની વાટકી લઈને પૂજા કરવા આવ્યું અને વાટકીને ભંડાર ઉપર મૂકીને હાથ ધોવા ગયું, તો એનો જીવ એમાં જ રહેશે કે સોનાની વાટકી આમ મૂકીને જવાય?કદાચ સોનાની વાટકી ખોવાઈ ગઈ, તો કહેશે કે અમે તો કહેતા જ હતા, કે જમાનો ખૂબ ખરાબ છે. લોકો ધર્મસ્થાનમાં ચોરી કરતાં પણ અચકાતાં નથી.” સભાઃ “સી.સી.ટી.વી. કેમેરા હોયછેને?” પ્રાર્થના : 1 ૮ર પડાવ : 5
Page #90
--------------------------------------------------------------------------
________________ ગુરુજી: “જો તમે એને કીધું કે સી.સી.ટી.વી. કેમેરા છે, તો તરત સામે જવાબ આપશે કે મોટી મોટી દુકાનોમાં કેટલાય સી.સી.ટી.વી. કેમેરા હોય છે, છતાંય ચોરીઓ નથી થતી? સોનાની વાટકીના બદલે ચાંદીની વાટકીથી પૂજા કરત તો તમને શું ફરક પડત? ચાંદીની વાટકીને સોનાનું પોલીશ કરાવી લેવું જોઈએ. જ્યારે અહીંયા જેની સોનાની વાટકી ખોવાઈ છે, એ અબજોપતિ વ્યક્તિ છે. એને એકાદવાટકી ખોવાઈતો કશો ફરક પડતો નથી. મને કહો શું સોનાના દાગીના ખોવાતાં જ નથી? જેટલા દિવસ ઉત્તમદ્રવ્યથી ભગવાનની પૂજા કરી એ લાભો મળ્યો ને?” સભાઃ “મનમાં થયા કરશે કે સોનાની વાટકી ખોવાઈ ગઈ.” ગુરુજીઃ “સોનાની વાટકી ખોવાઈ ગઈ એ યાદ આવશે ત્યારે પુણ્ય જ બંધાશે.” સભાઃ “અફસોસ થાય તો પુણ્ય થોડું બંધાય?” ગુરુજી: “અહીં અફસોસ શું થાય છે? હવે મારે ચાંદીની વાટકીથી પૂજા કરવી પડે છે, અર્થાત્ સોનાની વાટકીથી થતી પૂજા યાનિ ધર્મ ન થયાનો અફસોસ છે. ધર્મન થયાનો અફસોસ હોય તો પુણ્ય બંધાય કે પાપ?” સભાઃ “પુણ્ય.” ગુરુજી: “જયારે એણે સોનાની વાટકીથી પૂજા કરી ત્યારે શું બંધાતું હતું?” સભાઃ “પુણ્ય.” ગુરુજી: “વાટકી હતી ત્યારે પુણ્ય બંધાયું, વાટકી ખોવાઈ ત્યારે પણ પુણ્ય બંધાયું. હવે સોનાની વાટકી કેમ લાવ્યા હતા વગેરે ઉપદેશ આપવાની જરૂર શું?” સભાઃ “વાટકી ખોવાઇ ત્યારે દુઃખ થયું ને?” ગુરુજી: “સમજો, સંઘમાં કોઈએ સામૂહિક સિદ્ધિતપ કરાવ્યાં. એક પ્રાર્થના : 1 પડાવ : 5
Page #91
--------------------------------------------------------------------------
________________ પુણ્યાત્મા ન કરી શક્યા, હવે જ્યારે જ્યારે પણ વાત નીકળે કે સંઘમાં સિદ્ધિતપ સારાં થયાં, ત્યારે ત્યારે એ પુણ્યાત્માને થશે કે હું ન કરી શક્યો, આવો અફસોસ થશે, એનાથી પુણ્ય બંધાશે કે પાપ?” સભાઃ “પુણ્ય.” ગુરુજીઃ “ધર્મ ન કરી શક્યાના અફસોસથી પુણ્ય બંધાય. અને સોનાની વાટકી ખોવાઈ ગઈ, હવે ચાંદીની વાટકીથી પૂજા કરવી પડે છે આ અફ્સોસથી પણ પુણ્ય બંધાય. પણ એની જગ્યાએ આર્તધ્યાન કરો કે મારી 30 હજારની વાટકી ખોવાઈ ગઈ તો પાપ બંધાય. માર્ગાનુસારી નહીં હોય તો ગુરુની, સહવર્તીની, આરાધક બધાની હાલત ખરાબ થશે. આપણામાં માર્ગોનુસારિપણું આવતું નથી. કારણ કે આપણામાં સ્વદોષનો ભયંકર કોટિનો કદાગ્રહ છે. કોઈ જવાબદાર વ્યક્તિ યોગ્ય રીતે આપણા દોષો બતાવે તો પણ સાંભળવા માટે આપણે જરાય તૈયાર નથી. બધા મિત્રો ભેગા થયા છો. તમે વાત ચાલુ કરી કે મારું ડ્રાઇવિંગ એવું ફાસ્ટ છે કે કલાકનું અંતર 15 મિનિટમાં પૂરું થઈ જાય. હું ભાયખલાથી થાણા 10 મિનિટ અને 25 સેકંડમાં પહોંચી શકું ! તમારાથી આટલું ફાસ્ટ ડ્રાઇવિંગ થઈ શકે? આ સવાલ કોઈએ પૂછ્યો, તરત તમે બોલ્યા કે આટલા વર્ષોથી ઘાસ થોડું કાપ્યું છે? ભરવાડોને ગાડી આવડી જાય તો આપણને ન આવડે? ઓફિસમાં મારો સ્ટાફ એકદમ ડિસિપ્લિનમાં જ રહે. સ્ટાફે પેપરવર્કનું કામ બરાબર ન કર્યું હોય, તો પેપર સીધું મોઢા પર મારી દઉં. જેમતેમ નહીં ચાલે. સમાજમાં કોઈનાં લગ્ન હોય તો કપડાંની ખરીદી કરવા મને જ બોલાવે. શેરવાનીના કલર, ડિઝાઇન વગેરેની મને ખબર પડે એવી કોઈને પ્રાર્થના : 1 84 પડાવ : 5
Page #92
--------------------------------------------------------------------------
________________ ના પડે. ઇવન એકતા કપૂર પોતે મને ફોન કરે કે મારી સિરિયલમાં ક્યા પાત્રને ક્યાં કપડાં પહેરાવવાં એ નક્કી કરી આપો ને! વિરાટ કોહલીનો લગ્ન પહેલાં ફોન આવ્યો હતો કે મારે લગ્નનું આમંત્રણ પીએમને દેવા જવું છે તો સાથે આવ ને ! મેં સ્પષ્ટ ના પાડી કે હું હમણાં મારા કઝિનનાં લગ્નમાં બીઝી છું. પહેલાં ઘરનાં પછી ગામનાં. વાત બરાબરને ! અનંત અંબાણીનો ફોન આવ્યો હતો, મેં કટ કરી નાંખ્યો. કદાચ એને શોપિંગ જવું હશે. - તમારી બડાઈ ચાલ્યા જ કરી, સભા બરખાસ્ત થઈ. પછી તમારા જવાબદાર વડીલે તમને સાઇડમાં બોલાવીને શાંતિથી તમને કહ્યું કે એકેય ટોપિક એવો નથી નીકળ્યો કે જેમાં તે આપવડાઈ ન મારી હોય. તને બધી જ ખબર પડે છે? તું શહેનશાહ છે? દરેક વાતમાં અભિમાન કેમ કરે છે? અભિમાનથી શું ફાયદો છે? વડીલ શાંતિથી હિતબુદ્ધિથી સમજાવે છે કે આપવડાઈ કરવાથી આપણી છાપ બગડે, પણ પોતાના દોષોનો એવો કદાગ્રહ છે કે ઊલટાનું વડીલના ગળે પડશે કે મારી નામના થાય છે, તેથી તમને મારી ઇર્ષા આવે છે. જેને માર્ગાનુસારી બનવું હોય તેણે પોતાના દોષોનો કદાગ્રહ છોડવો પડે.” જિદ્દીપણું છોડવું સભાઃ “ઉપરોક્ત ઉદાહરણ સંસારની બાબતનું થયું. ધાર્મિક બાબતનું આવું જિદીપણાનું ઉદાહરણ આપો ને?” ગુરુજી: સમજો, મ.સા. વહોરવા આવ્યા. બે ઠાણાં જ હતાં. તેથી તમે આડેધડ વહોરાવવા જિદ કરી અને તમને જવાબદાર વ્યક્તિએ યોગ્ય સમયે ટકોર કરી, તો તમે સાંભળી શકો?ઊલટાનું તમે કહેશો કે તમને ધર્મમાં ખબર ન પડે, આમ જ કરાય. સમજો વડીલ કોઈ મ.સા.ને પૂછે કે પ્રાર્થનાઃ 1 85 પડાવ : 5
Page #93
--------------------------------------------------------------------------
________________ આવી જિદ ઉચિત કહેવાય કે અનુચિત? અને મ.સા. પણ એમ કહે કે આ અનુચિત જિદ છે, તો મ.સા. નવા છે તેમને પણ ખબર નથી પડતી એમ બોલી નાખે. સ્વદોષનો પક્ષપાત હશે તેનામાં જક્કીપણું આવશે. તેથી તેનામાં માર્ગાનુસારીપણું નહીં આવે. શાસ્ત્રીય ઉદાહરણ જોઈએ: રાજગૃહી નગરીમાં વિશ્વનંદી રાજાને વિશાખાનંદી નામનો પુત્ર તથા વિશ્વભૂતિ નામનો ભત્રીજો હતો. યુવાન વિશ્વભૂતિ એકવાર અંતઃપુરસહિત નંદનવનના પુષ્પકરંડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. તે ક્રીડા કરતો હતો તેવામાં વિશાખાનંદી ત્યાં ક્રીડા કરવાની ઇચ્છાથી આવ્યો. પણ વિશ્વભૂતિ અંતઃપુર સાથે ત્યાં હોવાથી પ્રોટોકોલ પ્રમાણે વિશાખાનંદી અંદર જઈ ન શક્યો. પોતાના દીકરા વિશાખાનંદીને ઉદ્યાનમાં જવા ન મળ્યું આ સમાચાર દાસીઓ પાસેથી સાંભળીને પ્રિયંગુરાણી રિસાઈને કોપભુવનમાં જઈને બેઠી. રાજાએ રાણીની ઇચ્છા પૂર્ણ કરવા માટે યાત્રાભેરી વગડાવી અને કપટવડે સભામાં કહ્યું કે આપણો પુરુષસિંહનામનો સામંત ઉદ્ધત થઈ ગયો છે, માટે તેનો વિજય કરવા હું જઈશ. આ વાત સાંભળીને સરળ સ્વભાવી વિશ્વભૂતિ ઉપવનમાંથી રાજસભામાં આવ્યો અને ભક્તિથી રાજાને પાછા વાળી પોતે લશ્કર સાથે પ્રયાણ કર્યું. તે પુરુષસિંહ સામંત પાસે ગયો. ત્યાં સામંતને સમર્પિત જોઈ પાછો આવ્યો. માર્ગમાં પુષ્પકરંડક વન પાસે આવ્યો. ત્યાં દ્વારપાળે જણાવ્યું કે અંદર વિશાખાનંદી કુમાર છે. આ સાંભળીને તે ચિંતવવા લાગ્યો કે મને કપટ વડે પુષ્પકરંડક વનમાંથી કાઢવામાં આવ્યો છે. ગુસ્સે થયેલા વિશ્વભૂતિએ ત્યાં મુષ્ટિ વડે કાંઠાના વૃક્ષ પર પ્રહાર કર્યો. જેથી તેનાં સર્વ ફળો તૂટી પડવાથી પૃથ્વી ફળોથી આચ્છાદિત થઈ પ્રાર્થના 1 પડાવ : 5 86
Page #94
--------------------------------------------------------------------------
________________ ગઈ. ત્યારે વિશ્વભૂતિ બોલ્યો કે જો વડીલ પિતાશ્રી પર મારી ભક્તિ ન હોત તો હું આ કોઠાના ફળની જેમ તમારા સર્વનાં મસ્તક ભૂમિ પર પાડી નાખત. પણ તેમના પ્રત્યેની ભક્તિથી હું તેમ કરી શકતો નથી. પરંતુ આ વંચનાયુક્ત ભોગોની મારે જરૂર જ નથી. ત્યારપછી તેણે સંભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી. વિશ્વનંદી રાજા ત્યાં આવ્યા. વિશ્વભૂતિને નમી-ખમાવી રાજ્ય લેવા માટે પ્રાર્થના કરી. પરંતુ વિશ્વભૂતિને રાજ્યની ઇચ્છા વગરના જાણીને રાજા પાછા ફર્યા. તપસ્યાથી અતિશય કૃશ થયેલા વિશ્વભૂતિમુનિ એકવાર મથુરાનગરીમાં માસક્ષમણને અંતે વહોરવા પ્રવેશ્યા. ત્યારે વિશાખાનંદી પણ મથુરાનગરીમાં આવેલ છે. વિશ્વભૂતિમુનિ કૃશ શરીરના કારણે ગાય સાથે અથડાવાથી પડી ગયા. આ જોઈને વિશાખાનંદી હસીને બોલ્યા કે કોઠાનાં ફળો પાડવાનું તારું બળ ક્યાં ગયું? આ સાંભળી વિશ્વભૂતિએ ક્રોધથી તે ગાયને શીંગડેથી પકડીને આકાશમાં ભમાવી. મોક્ષમાર્ગમાં સતત એલર્ટ રહેવું પડે. ખરેખર આ શરીર નાશવંત છે. એની તાકાત નાશ પામી એમાં શું થઈ ગયું, એમ વિચારવાને બદલે વિશ્વભૂતિ ગુસ્સે થઈ ગયા કે તું મને પૂછે છે કે મારી તાકાત ક્યાં ગઈ, તો લે ત્યારે તે ગાયને શીંગડેથી પકડીને આકાશમાં ભમાવીને ઉછાળી. વિશ્વભૂતિને અપ્રશસ્ત અભિમાનને કારણે અશુભભાવ આવ્યો, માર્ગાનુસારિતા ગઈ. અને નિયાણું કર્યું. મને એવું બળ મળો કે જેથી મને કોઈ પરાભવ ન પમાડી શકે એવા પરાક્રમવાળો હું થાઉં અને વિશાખાનંદીના મોતનું કારણ બનું.” સભાઃ “નિયાણું કરે એટલે ઇચ્છિત વસ્તુ મળી જ જાય?” ગુરુજી: “ના, એવું નથી. નિયાણું કરનાર વ્યક્તિના સ્ટૉકમાં જે વસ્તુનું પ્રાર્થના : 1 પડાવ : 5
Page #95
--------------------------------------------------------------------------
________________ નિયાણું કર્યું છે તે વસ્તુ પ્રાપ્ત કરાવી આપે તેવું પુણ્ય પણ જોઈએ. વિશ્વભૂતિએ સંયમની ખૂબ સરસ આરાધના કરી હતી. માટે સ્ટોકમાં પુણ્ય હતું તેથી વાસુદેવ થયા. બાકી કેંગો મળે. તમે બેંકમાં કરોડો રૂપિયા ડિપોઝીટ કર્યા હોય તો જ એક ભરો તો મળે. બાકી ચેક બાઉન્સ થાય, તેમ અહીં પણ નિયાણું કરે એટલે મળી જ જાય એવું નહીં. નિયાણું બાઉન્સ થાય. સાથે સાથે દુર્ગતિ પણ થાય. ભૂલ હોય કે ન હોય, બીજાં હસે તોહસવાદો આ તો શાસ્ત્રની વાત થઈ પણ તમારે અને મારે પણ આમાંથી બોધ લેવાનો છે. સમજો, હું ચૌમાસી પ્રતિક્રમણમાં અભુષ્ઠિઓ ખામતી વખતે ૪માસાણ, ૮પખાણું. બોલવાનું હતું એની જગ્યાએ 8 માસાણું બોલ્યો, બધાં હસ્યાં, તો મારે શું કરવું જોઈએ? મારી ભૂલ થઈ તો હસે એમાં ગુસ્સે થવાની જરૂર શી? ભૂલ સુધારી લેવી જોઈએ. અને જો મારી ભૂલ થઈ નથી છતાં બધાં હસે છે તો ભલે હસતાં. એનાથી મારે શું લેવાદેવા? એમ તમારે પણ તમારા જીવનમાં આ જ શીખવાનું છે. તમારે બે દીકરા છે અનુજ અને આદિ. તમને કોઈએ પૂછ્યું કે તમારા મોટા દીકરાનું નામ શું? તમે કહ્યું અનુજ અને સામેવાળો હસ્યો, તો તમને શું થશે?” સભાઃ “ઈગો હર્ટથશે.” ગુરુજી: “પહેલાં એ તો પૂછો કે કેમ હસ્યા? તમને કોઈ કહે કે મોટા દીકરાનું નામ અનુજ ન રખાય કારણ કે અનુજનો મતલબ થાય નાનો, પશ્ચાત્ ગાયતે તિ અનુન: એટલે કે જે પાછળથી જન્મ્યો છે. અર્થાત્ એની પૂર્વે સંતાન હોવા જોઈએ. તમને તો “અપરથી અનુજ નામ ગમ્યું એટલે રાખી દીધું. નામનો અર્થ તો વિચારવો જોઈએ ને!” સભાઃ “અર્જુનને અનુજ કહે છે.” ગુરુજી: “અર્જુનથી મોટા બે ભાઈઓ છે માટે યુધિષ્ઠિર અર્જુનને અનુજ પ્રાર્થના : 1 88 પડાવ : 5
Page #96
--------------------------------------------------------------------------
________________ કહીને બોલાવે છે. નાના દીકરાનું નામ આદિ રાખ્યું. આદિનો અર્થ થાય પ્રથમ. નાના દીકરાને કેવી રીતે આદિ કહેવાય? તમારી આવી ભૂલ થઈ હોય તો સ્વીકારી લેવાની. માર્ગાનસારીપણું લાવવું હશે તો તમારે નક્કીપણું છોડવું પડશે. કારણ કે, જક્કીપણા પાછળ કોઈ ને કોઈ કષાય કામ કરતો જ હશે. તમારી ભૂલ નથી છતાં લોકો હસે છે? ભલે હસતાં. માર્ગાનુસારી બનવું હશે તો સ્વભાવમાંથી જક્કીપણું છોડવું જ પડશે. તમે ધર્મમાં આવ્યા. તમારી સામે ઘણી વાતો આવશે. જે વાતમાં સમજ ન પડે તેમાં તટસ્થ રહેવું. અમુક જક્કી લોકો ગુરુને એવા એકાંતે પકડશે કે એમના સિવાયના બીજા બધા ગુરુઓ અક્કલ વગરના.” સભાઃ “ઉદાહરણથી સમજાવો ને?” ગુરુજી: “દીક્ષા લીધેલા સાધુઓએ સ્વજનધૂનન કરવાનું છે. મેં મારા શિષ્યાદિને થોડાં વર્ષો સ્વજનો સાથે વાત નહીં કરવાની બાધા આપી હોય ત્યારે મારા જક્કી ભક્તો આ વાતને એકાંતે પકડશે અને બીજા સાધુઓની નિંદા કરશે. નૂતન દીક્ષિત સગા મા-બાપ સાથે વાત કરતાં નથી. ખૂબ સરસ. પણ કોઈ અન્ય મ.સા. પાસે કોઈએ દીક્ષા લીધી અને ત્યાં નૂતન દીક્ષિત બીજા જ દિવસે પોતાનાં સ્વજનોની સાથે વાત કરતાં જોશે એટલે તરત જ કાગારોળ મચાવશે કે “અપને યહાં ઐસા નહીં હૈ.' ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ સભાઃ “નૂતન દીક્ષિતે મા-બાપ સાથે વાત કરાય કે નહીં? પદાર્થ શું છે?” ગુરુજીઃ “સ્વજનધૂનન કરવાનું હોવાથી નૂતન દીક્ષિત સ્વજનો સાથે વાત ન કરે તો સારું. પણ નૂતન દીક્ષિતના ગુરુને ઉચિત લાગે ને વાત કરવા દે તો એમાં કોઈ કાગારોળ મચાવવાની જરૂર નથી. કોઈ નૂતન દીક્ષિતે બે-પાંચ વર્ષ વાત ન કરી તો કાંઈ ધન્ના અણગાર બની જતા નથી. અને કોઈ નૂતન | પ્રાર્થના : 1 89 પડાવ : 5
Page #97
--------------------------------------------------------------------------
________________ દીક્ષિતે વાત કરી તો મોટું પાપ કરી નાખ્યું છે એવું પણ નથી. ગુરુને ઉચિત લાગે તો પહેલા જ દિવસે વ્યાખ્યાન પણ કરાવે.” સભાઃ “એવું ક્યારેય થયું છે?” ગુરુજી: “ગણધર ભગવંતોને તીર્થંકર પ્રભુ દીક્ષાના પ્રથમ દિવસે જ વ્યાખ્યાન કરાવે છે.” સભાઃ “વર્તમાન કાળમાં આવું થયું છે ખરું?” ગુરુજી: “તપસ્વીસમ્રાટ રાજતિલક સૂરીશ્વરજી મ.સા.એ નૂતન મુનિવર મુક્તિવલ્લભ વિ. (હાલ આ. મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.ને દીક્ષાના પ્રથમ દિવસે જ વ્યાખ્યાન કરાવ્યું હતું. | મૂળ વાત, જક્કી વલણવાળા એકાંતને જ પકડશે. મેંદીક્ષા લઈને વર્ષો સુધી વાર્ષિક જ કાપ કાઢ્યો છે તો મારા ભક્તો જક્કી વલણવાળા હશે તો કહેશે કે સાધુએ કાપ શેના કાઢવાના હોય? સાધુએ થોડું ટીવીની એડમાં કામ કરવાનું છે? કોઈ સાધુ કાપ ન કાઢે તો સારી વાત છે. પણ એનો મતલબ એમ નથી કે કોઈ સાધુ જેને શારીરિક કોઈ તકલીફ છે અથવા મનની મક્કમતા નથી. અને કાપ કાઢ્યો તો એ સાધુ ન કહેવાય. જક્કી વલણવાળા ધર્મમાં જે પણ પકડશે, તે એવી જડતાથી પકડશે કે બીજાને લબડધક્કે લેતાં જાય. મને કોઈએ પૂછ્યું કે સાહેબ આપ વ્યવહારિક કેટલું ભણેલા છો? કઈ કોલેજમાં ભણેલા છો? સંસારીપણે ક્યાં રહેતા હતા? વગેરે સવાલો પૂછયાં. મેં પેલા ભાઈને કહ્યું કે અમારાથી સાંસારિક વાતોના જવાબ ન અપાય. જક્કી વલણવાળા ભાઈ ત્યારે મારી બાજુમાં જ બેઠા હતા. એક વાર તે અન્ય કોઈ બીજા મ.સા.ને વંદન કરવા ગયો છે ત્યાં કોઈ ભાઈએ મહારાજસાહેબને આવા જ સવાલો પૂછયા. મ.સા.એ જવાબ આપ્યો, પ્રાર્થના 1 90 પડાવ : 5
Page #98
--------------------------------------------------------------------------
________________ “મેં એમ.બી.બી.એસ. કર્યું હતું માટુંગા રૂઈયા કોલેજમાંથી. હું અને માધુરી દીક્ષિત ક્લાસમેટ હતા.” જક્કી વલણવાળા ભક્ત આ વાત સાંભળી. તરત જ એની ટેપરેકોર્ડર ચાલુ થઈ જશે કે જે આપણા મ.સા. ચુસ્ત છે. આ મ.સા. શિથિલ છે, આપણા મ.સા. સાચા છે. આ મ.સા. બરાબર નથી. હકીકતમાં મેં ઉત્સર્ગ માર્ગે કહ્યું હતું કે અમારાથી સંસારી જીવનની વાત ન થાય. અને બીજા મ.સા.એ સામેવાળાના જીવનનું હિત થાય એમ હશે તો અપવાદે જવાબ આપ્યો હશે કે હું એમ.બી.બી.એસ. હતો. એમ.બી.બી.એસ. ભણીને પણ દીક્ષા જ લેવી પડી. તું સમજી જા વગેરે.. જ્યાં ઉત્સર્ગથી ફાયદો હોય ત્યાં ઉત્સર્ગ માર્ગે ચાલવું જોઈએ. અને જ્યાં અપવાદ માર્ગે ફાયદો હોય ત્યાં અપવાદ માર્ગે ચાલવું જોઈએ. ઉત્સર્ગ-અપવાદ બંને માર્ગ છે. તમારા મનમાંથી કાઢી નાખો કે અપવાદ શિથિલતા. એટલું ધ્યાન જરૂર રાખવું કે જયાં ઉત્સર્ગ માર્ગે ચાલવા જેવું હોય ત્યાં ખોટેખોટા અપવાદ માર્ગનો સહારો લઈએ તો હાડકાં ભાંગી જાય. ઉત્સર્ગથી સાધુ ગોચરી જાય ત્યારે ઉપદેશ આપવા ન બેસે. પણ કોઈ યુવાને સવાલ પૂછ્યો કે સાહેબજી ! ઓ.એમ.જી.ની બધી વાતો સાચી છે? આ યુવાન ઉપાશ્રયમાં પગ મૂકતો નથી. વળી સાધુ-ભગવંતનો પરિચય પણ નથી. માટે જીવ યોગ્ય લાગે અને સાધુએ અપવાદે 5-10 મિનિટ સમજાવ્યું હોય કે લોકો ધર્મથી લૂંટાયા નથી, વ્યસનોથી લૂંટાય છે, હેરાન થાય છે. વ્યસનો બંધ થાય એના માટે ગવર્નમેન્ટમાં હલચલ મચાવો વગેરે વગેરે સમજાવ્યું. પ્રાર્થના : 1 91 પડાવ : 5 I , s Re
Page #99
--------------------------------------------------------------------------
________________ જંબુસ્વામીના ભાઈમહારાજ પોતાના સંસારી ઘરે વહોરવા ગયા. પાછા વળતાં વાતો કરે છે અને પોતાના પાત્રા ભાઈના હાથમાં આપી દીધા. એમને થયું કે પાત્રા હાથમાં હશે તો ઉપાશ્રય સુધી ભાઈ મૂકવા આવશે અને મારે જે કાર્ય કરવું છે તે થઈ જશે. ખરેખર એવું જ થયું. અને આપણને જંબુસ્વામી મળ્યા. આવું જ કોઈ વર્તમાન સાધુએ કર્યું હોય તો એની પર મોટી રામાયણ કરવાની હોય? કદાચ સાધુભગવંતથી ચૂકાઈ ગયું અને લાંબો ઉપદેશ આપી દીધો. તો એમને એમના ગુરુ સમજાવશે. આખા ગામની જવાબદારી તમારીછે? તમે આખા ગામના નાયકછો?” પણ આવા જક્કીઓની એક જ માંપાટ ચાલ્યા જ કરશે. “અપને મ.સા. અચ્છે હૈં, દૂસરે મ.સા. મેં દમ નહીં.” આવા જીવોમાં માર્ગાનુસારીતા નથી. આવા જીવો મહાસંયમી, વિવેકી, ત્યાગી સાધુઓની આશાતના કરીને પાપ બાંધે છે. માગનુસારી ક્ષયોપશમવાળા પોતાના હિત-અહિતને લગતા જ સવાલ પૂછશે. જ્યારે માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય તે બીજાની જ પંચાત કર્યા કરશે. દા.ત... જેનો માર્ગાનુસારી ક્ષયોપશમ હશે તે સવાલો પૂછશે કે આજની સ્કૂલોના ભણતરમાં આત્મા-પરલોક-પુણ્ય-પાપ બધું ભૂલાઈ જાય એવું છે. એમાં મારા બાળકને ભણાવું તો મને કેવું પાપ લાગશે? મારો દીકરો નાસ્તિક થઈ જાય તો? એનું પાપ મને લાગશે? પિતા તરીકે મારું કર્તવ્ય શું ? પરંતુ માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય તો બીજાને લગતા જ સવાલો પૂછશે. સાહેબજી ! શ્રાવકોના છોકરાઓને ભણાવવા માટે જૈન સ્કૂલ બનાવવાનો ઉપદેશ સાધુથી અપાય ? આમાં જે ઇન્વોલ્વ થાય તે સાધુ કહેવાય ? વગેરે વગેરે..” સભાઃ “સાધુ ભગવંતોમાં 100% માર્ગાનુસારીતા હોયને?” પ્રાર્થના : 1 92 [ પડાવ : 5
Page #100
--------------------------------------------------------------------------
________________ ગુરુજી: “સંવિગ્ન-ગીતાર્થને માર્ગનો 100% બોધ હોય, ક્યારે ક્યું પગલું લેવું, કોને દીક્ષાની વાત કરવી, કોને દીક્ષાની ના પાડવી વગેરે બરાબર જાણે.” સભાઃ “ત્યાગ કરવા માગતો હોય તેને ના પાડે?” ગુરુજીઃ “હા, ત્યાગ કરવા માગતો હોય છતાં વધારે હિત દેખાય તો ના પણ પાડે. પેથડશાહ મંત્રી ગુરુ મ.સા. પાસે પ હજારનું પરિગ્રહ પરિમાણ માંગતા હતા ત્યારે ગુરુના પાડે છે. એમને પાંચ હજારના બદલે પાંચ લાખ રૂપિયાનું પરિગ્રહ પરિમાણ વ્રત આપ્યું. ગિરનાર તીર્થની રક્ષા માટે પેથડશાહ મંત્રીએ એ જમાનામાં 11200 કિલો સોનાની બોલી બોલીને ગિરનાર તીર્થની રક્ષા કરી. કદાચ પેથડશાહ ન હોત તો અનંતાનંત તીર્થકરોની કલ્યાણકભૂમિગિરનારતીર્થ આજે આપણા હાથમાં ન હોત. સંવિગ્નગીતાર્થ ગુરુની ગીતાર્થતાનાં દર્શન પેથડશાહને આપેલા પરિગ્રહ પરિમાણ વ્રતમાં થાય છે. બાકી માર્ગના બોધ વગરના મારે તમારે આવાં પગલાં લેવા નહીં.” સ્વદોષદર્શન થાય તો માર્ગાનુસારિતા આવે. સભાઃ “આપનામાં તો માર્ગાનુસારિતા હશે ને?” ગુરુજી: “ભઇલા, શું વાત કરવી? સ્વદોષ દર્શનની બાબતમાં બાપે માર્યા વેર છે.” સભાઃ “આપતો શાસ્ત્રો ભણો એટલે માર્ગાનુસારિતા આવે ને?” ગુરુજીઃ વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું ? ઉદાહરણથી સમજાવું તો તમને મારી વિચિત્રતા સમજાશે. | પ્રાર્થના : 1 93 પડાવ : 5
Page #101
--------------------------------------------------------------------------
________________ ત્રિષષ્ઠીના દશમા પર્વના પહેલા સર્ગમાં. ऋषभस्वामि निर्वाणादूर्ध्वं साधु स साधुभिः / विहरन् प्रबोध्य भव्यान् प्राहिणोत् साधु सन्निधौ / / 10- पर्व, १-सर्ग, 60 | ઋષભસ્વામીના નિર્વાણ પછી પણ સાધુઓની સાથે વિહાર કરતો મરીચિ ભવ્યજનોને બોધ કરી કરીને સાધુઓની પાસે મોકલતો હતો. ભગવાનના નિર્વાણ પછી કપિલનો ભેટો થયો. આ ૧૦મા પર્વમાં ઉલ્લેખ ષિષ્ઠીના પહેલા પર્વમાં अन्यदा स्वामिनः पादपद्मान्ते दूर भव्यकः / कुतोऽपि कपिलो नाम राजपुत्र समाययौ / पर्व-१, सर्ग-६, श्लोक-६३९ धर्मान्तर तु शुश्रुषुः, क्षिपन् दृष्टिमितस्ततः / પ્રેક્ષકૂવો મરી + સ્વામિ શિષ્ય વિસ્તક્ષમ્ | પર્વ-, 6, સ્નો-જરૂ. અન્યદા મહાત્મા ઋષભસ્વામી વિશ્વનો ઉપકાર કરવામાં વર્ષાઋતુના મેઘ સમાન દેશના આપતા હતા ત્યાં કપિલ નામે કોઈ રાજપુત્રે આવીને ધર્મ સાંભળ્યો. બીજા પ્રકારના ધર્મને સાંભળવાની ઇચ્છાવાળા એ કપિલે આમતેમ દષ્ટિ ફેરવી એટલે સ્વામીના શિષ્યોમાં વિલક્ષણ વેશવાળા મરીચિને તેણે જોયો. | દશમા પર્વમાં કપિલ ઋષભસ્વામીના નિર્વાણ પછી મળ્યો.જયારે પહેલા પર્વમાં ઋષભસ્વામીની હાજરીમાં મળ્યો. આ વિરોધાભાસ બતાવીને હું કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ.સા.ને નીચા પાડવાની કોશિશ કરીશ કે એમની ગ્રંથરચનામાં સ્કૂલના રહી ગઈ છે. સાથે સાથે વર્તમાનના ગુરુ ભગવંતોને આ ધ્યાનમાં ન આવ્યું? ખરેખર શાસ્ત્ર ભણે છે કે ઘાસ કાપે છે? પ્રાર્થના : 1 84 પડાવ : 5
Page #102
--------------------------------------------------------------------------
________________ ભક્તો-ભક્તાણીઓ પાછળ ઘેલાઓને ક્યાંથી દેખાય? બસ ઉપધાન, ચોમાસાં, ૯૯ઓ કરાવવી છે. ઓચ્છવ-મોચ્છવમાં જ રચ્યાપચ્યાં છે. વગેરે..વગેરે.. મારા દિલમાં જેટલી નફરત ભરી હશે તે આ નિમિત્તને પામીને બહાર ઊલટી કરીશ.” સભાઃ “આવું શા કારણે થાય?” ગુરુજી: “માન કષાયના કારણે.” સભાઃ “ખરેખર આવિરોધાભાસવાળા પાઠ વાંચીને શું કરવું જોઈએ?” ગુરુજીઃ “અહીં જે વિરોધાભાસ છે તે માત્ર માહિતીસ્વરૂપ છે. તેનાથી કશું આત્મિક નુકસાન ન થાય. હેય-ઉપાદેય વગેરે બાબતનો વિરોધાભાસ હોય તો સંવિગ્ન-ગીતાર્થપાસે વિચાર-વિમર્શ કરવો જોઈએ. આ વાત પરથી મૂળ પકડવાનું હતું કે કપિલમાં માર્ગાનુસારિતાનો અભાવ છે. કપિલ ભગવાનના નિર્વાણ પહેલાં મળ્યો કે પછી, એ મહત્ત્વનું નથી. પણ કપિલમાં માર્ગાનુસારિતા નથી એ સમજવાનું છે. કેમ કે તીર્થકર પ્રરૂપિત ધર્મ ન રૂચ્યો. એમ મારામાં માર્ગાનુસારિતા નહીં હોય તો મારું કલ્યાણ પણ અઘરું છે. સ્વદોષદર્શન થાય તો માર્ગાનુસારિતા આવે. કપિલ માટે લખ્યું છે કે...જેમ ચક્રવાકને ચાંદની, ધુવડને દિવસ, વાયુના રોગવાળાને શીતપદાર્થ, બકરાને મેઘ ન રૂચે તેમ કપિલને પ્રભુનો કહેલો ધર્મ રૂટ્યો નહીં. તેથી બીજા પ્રકારના ધર્મને સાંભળવાની ઇચ્છાવાળા કપિલે આમતેમ દષ્ટિ ફેરવી. વિલક્ષણ વેશવાળા મરીચિ તેના ધ્યાનમાં આવ્યા. મરીચિએ પ્રથમ આહત ધર્મ બતાવ્યો પણ તેને રૂચ્યો નહીં. તેથી કપિલે સવાલ પૂછ્યો, તમારી પાસે ધર્મ નથી? ત્યારે મરીચિએ ઉત્સુત્ર ભાષણ કર્યું અને માર્ગથી પતન પામ્યા. કઈ જ નહિં, | પ્રાર્થના : 1 95 પડાવ : 5
Page #103
--------------------------------------------------------------------------
________________ મરીચિ અત્યારે 11 અંગ ભણેલા છે. નયસારના ભવમાં સમ્યગ્દર્શન પામ્યા ત્યારે એમનામાં જે માર્ગાનુસારિતા હતી તે મરીચિના ભવમાં ઉત્સુત્ર ભાષણ કરવાથી માર્ગાનુસારિતા ચાલી ગઈ. નયસારના ભવમાં સમ્યગ્ગદર્શન પામ્યા પછી સાધુ નથી થયા છતાં એમનામાંથી માર્ગાનુસારિતા ગઈ નથી. જયારે મરીચિમાં જોવા જેવું છે. 11 અંગના પાઠી, અનેક ભવ્યજીવોના પ્રતિબોધક, ઋષભદેવ ભગવાનના હાથે દીક્ષિત, અને સંસારી પૌત્ર 12 વ્રતધારી ભરત ચક્રવર્તીના પુત્ર અને છતાં માર્ગોનુસારિતા ચાલી ગઈ. અને 1 કોટાકોટિ સાગરોપમ સંસાર વધાર્યો.” સભાઃ “ધર્મ અહીં પણ છે અને ત્યાં પણ છે આટલું જ બોલ્યા, એમાં મરીચિમાં મિથ્યાત્વ આવી ગયું? માર્ગાનુસારિતા ચાલી ગઈ? અને કૃષ્ણ મહારાજાએ અમે જ જગતકર્તા છીએ, અમે જ દ્વારકા રચી હતી અને સ્વર્ગમાં જવાની ઇચ્છાથી અમે જ પાછી સંહરી લીધી છે. અમારા સિવાય બીજો કોઈ કર્તાહર્તા નથી, અમે જ સ્વર્ગલોકને આપનાર છીએ.. વગેરે વગેરે .. પોતાનો મિથ્યા પ્રલાપ જગતમાં ફેલાવડાવ્યો છતાં કૃષ્ણમહારાજામાંથી માર્ગાનુસારિતા કેમ ન ગઈ?” ગુરુજી: “કૃષ્ણ મહારાજામાં ક્ષાયિક સમ્યગુદર્શન છે. તેથી માર્ગ અને માર્ગવિરુદ્ધ તત્ત્વ-અતત્ત્વને બરાબર જાણે છે. કૃષ્ણ મહારાજાને ખબર છે, મારી નામનાનો ભાવ, મારો ઇગો મને સંતાપ આપી રહ્યો છે. હું માન કષાયના કારણે બળી રહ્યો છું. કૃષ્ણ મહારાજાનું સમ્યગ્દર્શન જીવતું છે. તેથી માર્ગ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા છતાં માર્ગભ્રષ્ટ થયા નથી.” સભાઃ “અમે દીક્ષાની વાત વડીલો આગળ કરીએ તો તેઓ દીક્ષાની કઠિનતા જણાવે છે, પાછાં વડીલો પૂજા-પ્રતિક્રમણ બધું કરે છે.” ગુરુજી: “મેઘકુમારે દીક્ષાની વાત કરી ત્યારે અભયકુમારે કહ્યું કે તમે બહુ પ્રાર્થના : 1 96 પડાવ : 5
Page #104
--------------------------------------------------------------------------
________________ સુંદર વાત કરી. પરંતુ દીક્ષા લીધા પછી પાલન કરવાની શક્તિ છે? કામદેવને જીતવો મુશ્કેલ છે. પ્રવ્રજ્યાના પરિણામ કાયમ ટકાવી રાખવા દુષ્કર છે. પરિષદો સહન કરવા તે સહેલી વાત નથી. અહીં અભયકુમાર મેઘકુમારને દીક્ષાની ના નથી પાડતા પરંતુ દીક્ષા કેટલી અઘરી છે એમ સમજાવે છે. એમ તમારા વડીલો તમારા વૈરાગ્યની ચકાસણી નથી કરતા ને ? ચકાસણી કરવા માટે તમને દીક્ષાનાં કષ્ટોનું વર્ણન કરતાં હોય તો કંઈ ખોટું નથી.” સભાઃ “શ્રેણિક મહારાજા પણ અભયકુમારના વૈરાગ્યની ચકાસણી કરવા માટે ના પાડતા હતા?” ગુરુજીઃ “ના, અહીં શ્રેણિક મહારાજા પુત્ર ઉપરના રાગના કારણે અભયકુમારને દીક્ષા માટે ના પાડતા હતા. પરંતુ શ્રેણિક મહારાજા ત્યારે પણ દીક્ષા લેવા જેવી છે એમ માનતા હતા.” સભાઃ “હલકા ધર્મને ઊંચો માને એનામાં માર્ગાનુસારિતા હોય?” ગુરુજી: “ના, હલકા ધર્મને ઊંચો માને કે ઊંચા ધર્મને હલકો ધર્મ માને એનામાં માર્ગાનુસારીપણું નથી. સૌ પ્રથમ તો મોટા ભાગના લોકો સારું કામ કરવા તૈયાર નથી. અને જે સારાં કામ કરવા તૈયાર થાય એમને સારાં કામનો ખ્યાલ સ્પષ્ટ નથી કે ક્યો ધર્મ ક્યારે થાય? કેટલો થાય?ક્યાં થાય?આ કશી ખબર હોતી નથી.” સભાઃ “અનુકંપા ધર્મ ક્યારે થાય? કેટલો થાય?ક્યાં થાય?” ગુરુજી: “અનુકંપા ધર્મ ત્રણ કારણે થાય. ૧)સ્વદયા માટેઃ દીન-દુઃખી તમારી પાસે હાથ લાંબો કરી રહ્યો છે. શક્તિ હોવા છતાં તમે ગરીબને દાન ન કરો તો તમારામાં નિષ્ફરતા આવી જાય. માટે દાન કરવું જોઈએ. પ્રાર્થના : 1 97 પડાવ : 5
Page #105
--------------------------------------------------------------------------
________________ 2) શાસન પ્રભાવના માટેઃ વરઘોડા આદિમાં જે અનુકંપા કરાય છે તે શાસન પ્રભાવના માટે છે. 3) શાસન અપભ્રાજનાનું નિવારણ કરવા માટે દુષ્કાળ, ભૂકંપ વગેરે કુદરતી આફતો વખતે જો જૈનો અનુકંપાનું કામ ન કરે તો લોકોને થાય કે આમના ધર્મમાં દયા જેવી કોઈ વાત જ નથી લાગતી. માટે અનુકંપા કરવી જોઈએ. - ઉપરોક્ત ત્રણ કારણે અનુકંપાદાન કરવાનું છે. અનુકંપાદાન જ તમને સૌથી શ્રેષ્ઠ ધર્મ લાગે તો ખોટું. સુપાત્રદાન ઊંચો ધર્મ છે. જેમ દૂધપાકમાં દૂધ મહત્ત્વનું હોય છે. ઇલાયચી, કેસર ગૌણ હોય છે. એવી જ રીતે સુપાત્રદાન એ ઊંચો ધર્મ છે. એના બદલે અનુકંપાને જ સૌથી મહાન ધર્મ માની લ્યો એ ખોટું છે. આવા પ્રકારની ખોટી બુદ્ધિ આવે તો માર્ગાનુસારિતા ચાલી જાય છે.” સભાઃ “સંસાર અસાર લાગ્યો અને માગનુસારિતા આવી, એટલે સમ્યગ્ગદર્શન આવી ગયું કહેવાય?” ગુરુજી: “ના, માર્ગાનુસારિતા માટે શાસ્ત્રમાં સદધન્યાની ઉપમા આપવામાં આવી છે. માર્ગાનુસારી આંધળો છે પણ નસીબદાર આંધળો છે કેમ કે તેનાં પગલાં જ્યાં દરવાજો છે એ તરફ પડે છે. અંધ કહ્યો તેથી સમ્યગુદર્શન નથી આવ્યું એમ કહેવાય. તામલી તાપસની વાત તામલી તાપસે સંન્યાસ લીધો છે. 60000 વર્ષ તપ કર્યો. ત્યાગી હોવાથી ઇન્દ્રિયોની એક પણ આસક્તિ એમના જીવનમાં નથી. પોતે સંન્યાસી હોવાથી ભિક્ષા ઉપર જીવનનિર્વાહ કરે છે. પોતે જે ભિક્ષા લાવ્યો હોય તેના ચાર ભાગ કરે છે. એમાંથી એક ભાગ ખેચરને, એક ભાગ સ્થલચરને અને એક ભાગ જલચરને નાંખે અને ચોથો ભાગ પોતે વાપરે. પ્રાર્થના 1 98 પડાવ : 5
Page #106
--------------------------------------------------------------------------
________________ દા.ત. તેણે એક ભાગ સ્થલચર બિલાડીને ખવડાવ્યો. બિલાડી સંસારી જીવ છે. બિલાડી ખાઈને ઉંદર મારે અથવા અન્ય કોઈ અવિરતિજન્ય પ્રવૃત્તિ કરે તો એ પ્રવૃત્તિનું પાપ તામલી તાપસીને લાગે. કારણ કે, પોતે સંન્યાસી થઈને અવિરતિધરનું પોષણ કરે છે. પરંતુ અવિરતિધરનું પોષણ થાય છે એ તેને નહીં સમજાય. આની જગ્યાએ 12 વ્રતધારી ભરત મહારાજાના જીવનમાં અબજો, અબજો આરંભ સમારંભ છે. અવિરતિજન્ય ઘણી પ્રવૃત્તિઓ હોવા છતાં તે સમજે છે કે મને કઈ કઈ રીતે પાપ લાગે છે. તામલી તાપસના જીવનમાં કોઈ વસ્તુ તમને ખરાબ-ખોટી નહીં દેખાય. કોઈ એના અવર્ણવાદ કરશે, નિંદા કરશે તો પણ એ જીવ ઉપર દુર્ભાવ નહીં કરે. નેગેટિવ એપ્રોચ નહીં રાખે. છતાં તેનામાં સમ્યગદર્શન નહીં હોવાથી સૂક્ષ્મ ગુણ-દોષની એને ખબર નહીં પડે. માટે માર્ગાનુસારીને અહીંસદંધન્યાયથી ઓળખાવ્યો છે. સદધન્યાય એટલે શું? સબંધ હોવાથી હિત તરફ ગતિ થાય એવા જ ભાવતૂર. શાસ્ત્રમાં 1500 તાપસોની વાત આવે છે. એમને ભવ-નિર્વેદ એટલે સંસાર 100% અસાર લાગે છે. પોતે અન્ય ધર્મના તાપસો છે પણ એમનામાં માગનુસારિતા એવી છે કે એમને માર્ગને અનુરૂપ જ ક્ષયોપશમ થાય છે. અષ્ટાપદ તીર્થ જૈનોનું હોવા છતાં એમણે ક્યાંકથી સાંભળ્યું હશે કે અષ્ટાપદ પર્વત પર જે સ્વલિબ્ધિથી જાય એનો એ જ ભવમાં મોક્ષ થાય. મોક્ષની અભિલાષા છે પણ એના માટે આડા-અવળા રસ્તે ન જતાં એમને સીધો રસ્તો જ સૂઝે છે. એમના જીવનમાં એક આસક્તિ ન દેખાય. આપણે સંવત્સરીનો એક ઉપવાસ કર્યો હોય અને સાકરનું પાણી ગળામાં જાય તો ટાઢક લાગે ! | પ્રાર્થના : 1 99 usid : 4
Page #107
--------------------------------------------------------------------------
________________ તૃપ્તિ થાય! જયારે એમની ઇન્દ્રિયો આપણા જેવી છે પણ ક્યારેય ઉપવાસ, છઠ,અઠ્ઠમના પારણે મગનું પાણી, સાકરનું પાણી કે ગોળનું પાણી વાપર્યું નથી. પારણે સૂકી લીલ-ફૂગ વાપરે છે. આ સૂકી લીલ-ફૂગમાં ટેસ્ટ શું આવે? તમને કોઈ અરડૂસીનાં પાન આપે તો ખાશો ? કે ઘૂ ઘૂ કરશો?અરડૂસીના પાનથી કંઈ ઇન્દ્રિયને તૃપ્તિ મળે? તૃષા શાંત થાય? એમના જીવનમાં 1% પણ આસક્તિ દેખાય નહીં. 100% ભવનિર્વેદ અને સાથે સાથે માર્ગાનુસારી બુદ્ધિ હોવાથી અષ્ટાપદ પર્વત પર ગયા છે. બીજે નથી ગયા. પાછું જે અષ્ટાપદ તીર્થ મોક્ષ માટે આવ્યા હતા તે અષ્ટાપદ તીર્થની યાત્રા કરીને નીચે ઊતરતાં ગૌતમસ્વામીને જોયા કે તરત એમનું શરણું સ્વીકારી લીધું. હવે જાત્રા પણ નથી કરવી. આ ગુરુ જ મોક્ષે લઇ જશે આ જે બુદ્ધિ થઈ તે તેમની માર્ગાનુસારિતા જ છે.” સભાઃ “તો પછી આમનામાં મિથ્યાત્વ શું?” ગુરુજી: "1500 તાપસી સંન્યાસી છે અને પારણે સૂકી લીલ-ફૂગ વાપરે છે. જ્યાંથી સૂકી લીલ-ફૂગ લે છે ત્યાં સૂક્ષ્મ અદત્તાદાનનું પાપ લાગે. સ્વામીની રજા વગર લઈ લે છે. કારણ કે સૂક્ષ્મ અદત્તાદાનની એમને ખબર ન પડે.” સભાઃ “માલિકની રજા ના લે?” ગુરુજી: “જેમ કે મકાન ઇત્યાદિમાં ઊતરવું હોય તો રજા લેતાં પણ હોય પણ નાની-નાની બાબતમાં સૂક્ષ્મ અદત્તાદાનને સમજી શકે નહીં. માટે ત્યાં સુધી મિથ્યાત્વ લાગે. સરૂદષ્ટિને 1OO% ગુણ-દોષનો વિવેક હોય. સમ્યગદષ્ટિને દોષમાં દુઃખનું સંવેદના અને ગુણમાં સુખનું સંવેદનથાય. માર્ગાનુસારીપણું કદાગ્રહત્યાગથી આવશે અને કદાગ્રહત્યાગ સ્વદોષદર્શનથી થશે.” સભાઃ “માર્ગભૂલેલા જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભો રહું.” પ્રાર્થના : 1 100 પડાવ : 5
Page #108
--------------------------------------------------------------------------
________________ ગુરુજી: “ત્યારે સોનાનો સૂરજ ઊગ્યો સમજજો . ભવનિર્વેદવાળા, માર્ગાનુસારી જીવના આત્મા ઉપર પણ ઘણાં કર્મો લાગેલા છે. અનંતકાળથી ભવભ્રમણ કરતા આપણા આત્માએ કર્મો બાંધવામાં પાછું વળીને જોયું નથી. સભાઃ “નાના બાળકને પણ પાપ બંધાય?” ગુરુજી: “થોડા વખત પૂર્વે એક બહેન ગર્ભવતી હતી. એ ખુરશી પર બેસવા જતાં હતાં ત્યાં 4-5 વર્ષના એક છોકરાએ ખુરશી મસ્તીના મૂડમાં હટાવી લીધી. બહેન પડી ગયાં અને મિસકેરેજ થયું. પંચેન્દ્રિય જીવ મરી ગયો. એ જીવને મારવાનું પાપ કોને લાગે? આ રીતે અનંતકાળથી આપણા આત્મા ઉપર પાપ-કર્મો લાગેલાં છે અને એ પાપ-કર્મોના કારણે આત્માના ગુણો ઉપર આવરણ છે. આત્મગુણોનાં આવરણ બે પ્રકારનાં છે. તમે ઓફિસથી ઘરે આવી રહ્યા છો. ટ્રાફિકમાં તમારી ગાડી ફસાઈ ગઈ. ન તમે આગળ જઈ શકો, ન તમે પાછળ જઈ શકો. આની જગ્યાએ તમે કબૂતર હોત તો ઊડીને જઈ શકત પરંતુ તમારી ઊડવાની શક્તિ કુંઠિત થઈ ગઈ છે. તમે તમારી શ્રાવિકાને ઘરે ફોન કરી મેસેજ મોકલાવો છો કે આજે હું લેટ થઈશ. પણ મોબાઇલમાં સંભળાય છે શું કે “ઈસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ, કૃપયા થોડી દેર બાદ ફોન કરે. “પહેલાં રોડ ટ્રાફિક હતો પરંતુ હવે તો નેટવર્કનો પણ ટ્રાફિક આવી ગયો છે. આની જગ્યાએ હાથી પગ પછાડીને મેસેજ મોકલાવે ત્યાં બીજા હાથીને મેસેજ મળી જાય. પગ પછાડવા દ્વારા જમીનમાં કંપન પેદા થાય અને એ કંપન દ્વારા બીજો હાથી સમજી જાય કે હાથી શું મેસેજ મોકલવા માગે છે. જયારે તમે પગ પછાડો તો ઘરમાં તમારી શ્રાવિકા કશું નહીં સમજે. અને પગ પછાડવાથી પગદુ:ખશે. પ્રાર્થના : 1 101 પડાવ : 5
Page #109
--------------------------------------------------------------------------
________________ એ નફામાં. હાથમાં આ શક્તિ છે, પણ તમારામાં આ શક્તિ કુંઠિત થઈ ગઈ છે. બિલ ગેટ્સ રોજના 6 કરોડ રૂપિયા દાનમાં આપે તો પણ બસો સોળ વર્ષ સુધી ખૂટે નહીં એટલા પૈસા એની પાસે છે. જયારે તમારી પાસે આટલા પૈસા નથી. તેથી તમે આટલું મોટું દાન ન કરી શકો. તમે કબૂતરની જેમ ઊડી નથી શકતાં, હાથીની જેમ મેસેજ નથી મોકલાવી શકતાં, બિલ ગેટ્સની જેમ દાન નથી આપી શકતાં છતાં તમારું આત્મકલ્યાણ અટકતું નથી. જો તમારામાં ભવનિર્વેદ આદિ ગુણો છે તો આપણે સૌ માર્ગાનુસારીપણું પામીએ એ જ પ્રભુને પ્રાર્થના..” પ્રાર્થના 1 પ્રાર્થના : 1 102 102 પડાવ : 5
Page #110
--------------------------------------------------------------------------
________________ નોંધ
Page #111
--------------------------------------------------------------------------
________________ : નોંધ: આ પુસ્તક આપને અન્ય કોઈ નામે પ્રકાશિત કરવું હોય તો અંદરની મેટર યથાવત્ રાખીને પ્રકાશિત કરવાનો હક્ક પરમાર્થ પરિવાર આપને આપે છે. આ પુસ્તક વાંચ્યા પછી જરૂર ન હોય તો નીચેના ઠેકાણે પરત કરવી આર. કે. મેટલ ઈંડસ્ટ્રીઝ ૪/એ, જવાહર મેન્શન બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, ફણસ વાડી, વિનય હોટલની બાજુમાં, મુંબઈ - 400 004 મો. 9820441030 કરી ( રાજભા : િર tag OOD # **#જ D htent" # નિક
Page #112
--------------------------------------------------------------------------
________________ પરમાર્થ-પરિવાર દ્વારા પ્રકાશિત પુસ્તકો : (01) સારાંશ 02) સુખના સમીકરણો 03) શ્રાવિકો (4) સમજ 05) સમર્પિત 09) સંયુક્ત પરિવારનો મહિમા 07) અતિથી સંકોર એટલે વિહાર સેવા ગ્રુપ 08) સચ્ચઉરી મંડણ 09) મને વેષ શ્રમણનો મળજો... 10) રોગ ભાગ - 1 (કોમરણ, તેહરણ, દષ્ટિગ) 11) રણ ભાગ - 2 (કોમરણ, હરણ, દષ્ટિરોગ) 12) ક્ષમાધર્મ ભાગ - 1 (ઉપકારીક્ષમા, અપેકોરીક્ષમાં 13) ક્ષમાધર્મ ભાગ - 2 (વિપાકક્ષમાં) 14) ક્ષમાધર્મ ભાગ - 3 (વચનમાં, ધર્મક્ષમાં) 15) પ્રાર્થના ભાગ - 1 (જયવીયરાય સૂત્ર) 16) પ્રાર્થના ભાગ - 2 (જયવીયરાય સૂત્ર) 17) અદ્ભુત 18) પુરુષાર્થ 19) અવતાર માનવીનો... 20) શિરો 21) વાણી 22) ઈતિહાસ 23) શ્રાવિ (હિન્દી) 24) સંયુક્ત પરિવાર મહિમા (હિન્દી) 25) તિથી સાર (હિન્દી) 26) Final Verdict (સારાંશ) 27) Authentic Sukh (સુખના સમીકરણો) 28) IdealHouse Wife (શ્રાવિકો) 29) Importance of Joint Family (સંયુક્ત પરિવારનો મહિમા) 30) Wish You All the Best (જા સંયમ પંથે દીક્ષાર્થી) 31) Dedicated (સમર્પિત) 32) Marvelous (reca) 33) Journey of Enlightenment (2422bel Hset) 34) Vihar Seva Group (વિહોર સેવા ગ્રુ૫) 35) Understanding (સમજ)