SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટાવે છે. શરીરનું ભલે કષ્ટ સહન કરે પણ અગ્નિ તો સર્વભક્ષી છે. એમાં કેટલાં બધાં જીવડાં, પતંગિયાં વગેરે બળીને ખાખ થઈ જાય? હવે જેને સર્વભક્ષી અગ્નિમાં પાપ દેખાતું નથી એ વ્યક્તિ એ પાપ કેવી રીતે છોડશે ? પાપ છોડ્યા પહેલાં પાપ, પાપ તો લાગવું જોઈએ ને? પાપ સમજાય તો જ પાપ છોડશો. સમયાવિના પાપ કેવી રીતે છોડશો? ગાંધીજી તો ઓપન માઈન્ડેડ હતા કે મારા જીવનમાં જે ભૂલો થઈ છે તે ગમે તેની સામે કબૂલ કરવામાં મને જરાય ખોટું લાગતું નથી. આપણાં શાસ્ત્રો ગમે તેની સામે પાપો કન્સેસ કરવાની ના પાડે છે. પાપ તો સંવિજ્ઞગીતાર્થ ગુરુ આગળ જ પ્રકાશિત કરવાં જોઈએ.” સભાઃ “પાપ, ગમે તેની આગળ કબૂલ કેમ ન કરાય? આ તો નિખાલસતા ન કહેવાય?” ગુરુજી: “તમે કદાચ જીવનમાં કુસંગના કારણે સિગારેટ પીધી હોય તો તમારો દીકરો નાનો છે તેને કહેવાય? ના.કેમ?” સભાઃ “બાપ સિગારેટ પીતો હતો તો દીકરાને શું ના પાડશે? માટે દીકરાની બગડવાની પૂરી શક્યતા છે. તેથી દીકરાને ન કહેવાય.” ગુરુજી: “બધી વસ્તુમાં વિવેક જોઈએ. દા.ત. કદાચ બિલ ગેટ્સ રોજનું 1 કરોડનું દાન કરે છે અને મને આવીને કહી જાય કે 1 વર્ષનું દાન જ્યાં જરૂર હોય ત્યાં મને લાભ આપજો. આ વાત તમને મેં કહી દીધી. પાલીતાણા તીર્થની રક્ષા માટે 10 કરોડની જરૂર છે તો તરત તમે શું કહેશો? બિલ ગેટ્સે કીધું છે તો ત્યાંથી મંગાવી લ્યો. તમે જે 1-2 કરોડ વાપરવાના હતા તે પણ બંધ થઈ જાય. કાંઈ પણ કહેતા પહેલાં વિવેક જોઈએ. એમ પ્રાયશ્ચિત ગમે તેની પાસેથી ન લેવાય.” સભાઃ “પાદરીઓ પ્રાયશ્ચિત આપે છે. પ્રાયશ્ચિતની વિધિ એમના શાસ્ત્રમાં બતાવી છે. તો આપે કહ્યું કે આલોચના અત્યંતર તપ છે એ અન્ય ધર્મમાં પ્રાર્થના : 2 42 પડાવ : 7
SR No.032872
Book TitlePrarthana Part 01
Original Sutra AuthorN/A
AuthorNiswarth
PublisherParmarth Pariwar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy