SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ તમારી પદુડી નીકળી જાય છે ને ! ભલે ઇરિયાવલિયમ્ સૂત્રમાં 1 મિનિટ લાગે પણ તેમાં ૧૮૨૪૧૨૦રીતે માફી માગવાની હોય છે.” સભાઃ “૧૮૨૪૧૨૦રીતે માફી?” ગુરુજી: “પ૬૩પ્રકારના જીવોની હિંસા રાગથી અને દ્વેષથી એમ બે પ્રકારે થાય છે. (2) તે જીવોની હિંસા અભિઠ્યા, વતિયા વગેરે 10 પ્રકારે થઈ શકે.મનથી,વચનથી, કાયાથી ત્રણ પ્રકારે. હિંસા કરવી અને કરાવવી અને અનુમોદવી એમ ત્રણ પ્રકારે થઈ શકે. ભૂતકાળમાં હિંસા થઈ હોય, વર્તમાનકાળમાં થતી હોય અને ભવિષ્યમાં થવાની હોય એમ ત્રણ પ્રકારે માફી માંગવામાં આવે છે. વળી તે માફી અરિહંત, સિદ્ધ,સાધુ,દેવ, ગુરુ અને આત્મા એમની સાક્ષીએ માગવામાં આવે છે તેથી : પ૬૩૪૨ 410x3x3x36 =૧૮૨૪૧૨૦રીતે માફી મંગાય છે. અન્ય દર્શનીયોને પાપ કેટલી રીતે લાગે છે એનો ખ્યાલ નથી. એમના ધ્યાનમાં જ નથી કે આવી રીતે પણ પાપ લાગી શકે. દા.ત. કમઠ સંન્યાસ લઈને બેઠો છે. ખુલ્લા રોડ પર ઉનાળામાં પંચાગ્નિ તપ કરે છે. ઉનાળામાં, ઉપાશ્રયમાં ગરમી લાગે છે તો રોડ ઉપર કેવી ગરમી હોતી હશે! એમાં ચોવિહાર ઉપવાસ કરીને ધ્યાન કરે. અત્યારે આપણા ક્યા મ.સા. આવું કરે છે?” સભાઃ “એનામાં અજ્ઞાનતા છે.” ગુરુજી: “ખાલી કોઈને કહી દો કે એ અજ્ઞાન છે તેટલા માત્રથી ન ચાલે. સાથે સાથે સમજાવવું પડે કે અજ્ઞાનતા શું છે ? જેમ સંસારમાં કોઈને દાનવીર બતાવવો હોય તો એની ત્રણ-ચાર પ્રવૃત્તિઓ દાનવાળી જણાવવી જોઈએ. પછી લોકો એને દાનવીર જાહેર કરશે. સભાઃ “કમઠમાં અજ્ઞાનતા શું?” ગુરુજી: “કમઠને ખબર નથી કે પોતે સાધુ છે? આટલી ભડભડતી અગ્નિ પ્રાર્થના : 2 પડાવ : 7
SR No.032872
Book TitlePrarthana Part 01
Original Sutra AuthorN/A
AuthorNiswarth
PublisherParmarth Pariwar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy