SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. તો આ વિરોધાભાસન આવ્યો?” ગુરુજીઃ “પાદરી પ્રાયશ્ચિત આપે છે. એમના ગ્રંથોમાં પ્રાયશ્ચિતની વાત પણ લખી હશે છતાં આલોચના એમના ધર્મમાં નથી, કારણ કે એમને પાપ કોને કહેવાય એની સમજ જ નથી.” સભાઃ “ખૂન કરીએ તો પાપ લાગે એ તો પાદરી પણ માને.” ગુરુજી: મનુષ્યનું ખૂન કરો તો પાપ લાગે એ તો પાદરી પણ માને. પણ, તમારા સ્કૂટર નીચે ઉંદરકચડાઈને મરી ગયો તો એનું પ્રાયશ્ચિત તમે પાદરી પાસે લેવા જશો તો પ્રાયશ્ચિત નહીં આપે કારણ કે એમના ધર્મમાં મનુષ્ય સિવાય બાકીની જીવસૃષ્ટિને જીવ માન્યો જ નથી. જીવ જ નથી માન્યો તો તેની હિંસાનું પ્રાયશ્ચિત ક્યાંથી આપશે?” સભાઃ “પાદરી અર્થાત્ અનાર્યદર્શન મનુષ્ય સિવાય બીજી જીવસૃષ્ટિમાં જીવ નથી માનતા માટે પ્રાયશ્ચિત નહીં આપે. જયારે આર્યદર્શનમાં તો મનુષ્ય સિવાય બીજી જીવસૃષ્ટિમાં જીવ માન્યો છે. એ તો પ્રાયશ્ચિત આપી શકે ને?” ગુરુજી: “મનુષ્ય સિવાય બીજી જીવસૃષ્ટિમાં પણ જીવ છે એવું આર્યદર્શન માને છે પરંતુ પાપ-પુણ્યના ફંડા બરાબર ક્લિયર નથી.” સભાઃ “ઉદાહરણથી સમજાવો ને?” ગુરુજી: “ચેડા રાજાની દીકરી એકવાર જંગલમાં ભૂલા પડ્યાં હતાં. ત્યાં એક સંન્યાસીનો આશ્રમ આવ્યો. સંતોએ ચેડા મહારાજાની દીકરી છે એવી ખબર પડતાં બોલ્યા કે ચેડા રાજા અમારા રાજા હતા. અને રાજકુમારીને રસ્તો બતાવવા આવ્યા. થોડે સુધી ચાલ્યા પછી દૂરથી જ નગરનો રસ્તો બતાવી દીધો પણ પોતે આગળ સુધી મૂકવાન આવ્યા.” સભાઃ “કેમ?” પ્રાર્થના : 2 43 પડાવ : 7
SR No.032872
Book TitlePrarthana Part 01
Original Sutra AuthorN/A
AuthorNiswarth
PublisherParmarth Pariwar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy