SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં નથી એને ધર્મપમાડવો સહેલો. જેના જીવનમાં સંસ્કૃતિ, મર્યાદા હોય તેને ધર્મપમાડવો સહેલો. ૧લી, રજી પ્રાર્થના વિના 4, 5, 6 પ્રાર્થના જીવનમાં અનંતીવાર આવી હતી. તેથી ગણધર ભગવંતે ૧લી, રજી પ્રાર્થના પછી ૪થી, પમી,૬ઠ્ઠી પ્રાર્થના માગી.” સભાઃ “જેના જીવનમાં લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે, દા.ત. સ્મગલર છે એને ધર્મ કરવાનું મન થાયતો ધર્મ કરી શકે?” ગુરુજીઃ “જેના જીવનમાં લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે એવા જીવોએ જાહેરમાં ધર્મ ન કરાય.” સભાઃ “કેમ ન થાય?” ગુરુજીઃ “શાસનની અપભ્રાંજના થાય.” સભાઃ “ધર્મમાં આવશે તો સ્મગલિંગનો ધંધો છૂટી જશે.” ગુરુજી: “ધર્મમાં આવવાની ના નથી પાડી. ઉપાશ્રયના દરવાજા ખુલ્લા છે. સજ્જન મોભાદાર વ્યક્તિ ગમે ત્યારે આવી શકશે, જ્યારે મોટી લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર જાહેરમાં ધર્મનકરી શકે. દાન પણ જાહેરમાં ન આપી શકે. સ્મગલિંગ કરીને પૈસા લાવ્યો એટલે ખોટી રીતે કમાયો છે, માટે તેને જાહેરમાં દાન નહીંથાય.” સભાઃ “સ્મગલર જાહેરમાં દેરાસર બનાવે તો શું કરવાનું?” ગુરુજીઃ “સંઘમાં આપણું કોઈ નથી સાંભળવાના.બાકી સંઘાચાર્ય પગલાં લઈ શકે. દા.ત. આવા સ્મગલરે બનાવેલા દેરાસરમાં પગ પણ મૂકાય નહીં અને કોઈ પગ ન મૂકે. મારું ચોમાસું મુલુંડમાં હતું. સંવત્સરીની રાત્રે હું પ્રાયઃ 12.30 વાગે માત્રુ પરઠવવા નીચે આવ્યો. મંડપમાં જ માત્રાની કૂંડી હતી ત્યાં રસોડામાંથી ધૂમાડો નીકળતાં જોયો. મેં ત્યાં તપાસ કરી તો શીરો, મગ પ્રાર્થના : 2 પડાવ : 6 " 2 21
SR No.032872
Book TitlePrarthana Part 01
Original Sutra AuthorN/A
AuthorNiswarth
PublisherParmarth Pariwar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy