SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ વાત, નિંદા એ પાર્ટનરશિપવાળો બિઝનેસ છે. એમાં બે જણ હોય તો જામે, એકલા નિંદા કામે નહીં. અહીં એટલું ધ્યાન રાખવું કે લોકવિરુદ્ધ નિંદા ઇત્યાદિ પ્રવૃત્તિ જીવનમાં ન જોઈએ. રાવણના જીવનમાં ભવનિર્વેદ છે. સંસારને અસાર માને છે તેથી જ ધરણેન્દ્ર રાવણની ભક્તિ કરવા ઇચ્છે છે ત્યારે રાવણ ભક્તિના ફળ તરીકે મોક્ષ જ માંગે છે. અર્થાત્ સંસારને અસાર જ માને છે તો જ મોક્ષ માગે ને! મોક્ષ માગે છે તેથી માર્ગનુસરિતા પણ છે. જીવનમાં ભૌતિક સુવિધાઓ પણ છે કે જેનાથી જીવન અસ્તવ્યસ્ત ન થઈ જાય. અર્થાત્ ઇષ્ટફલસિદ્ધિ પણ છે. જ્યાં સુધી સીતાનું અપહરણ નહોતું કર્યું ત્યાં સુધી લોકવિરુદ્ધ એક પણ પ્રવૃત્તિ ન હતી. ત્રણ ખંડનો માલિક છે છતાં એના જીવન ઉપર કોઈ આંગળી ચીંધી શકે એવો એક પણ અવગુણ નથી. 100% જેન્ટલમેન છે. રાવણના જીવનમાં એક પણ વસ્તુ લોકવિરુદ્ધ નહીં દેખાય. નિકાચિત કર્મના કારણે સીતાનું અપહરણ થયું. રામ સાથે યુદ્ધ ચાલુ છે. જે દિવસે મરી ગયો તે દિવસે પણ ભગવાનની ભક્તિ કરવા જાય છે ત્યારે એમ નથી કહેતો કે હું જીતી જાઉં. પણ ભગવાનને કહે છે કે પ્રભુ, મને સમાધિ મળજો ભવોભવતમારું શાસન મળજો. આપણા જીવનમાં અનંતીવાર લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરWકરણ આવ્યું છે. 4,5,6 પ્રાર્થનાઘણીવાર જીવનમાં આત્મસાત્ પણ ૧લી, રજી પ્રાર્થના જીવનમાં ન હોય તો ૪,૫,૬ની કોઈ તાત્ત્વિક વેલ્યુ નથી.” સભાઃ “લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરFકરણ જેના જીવનમાં હોય પણ ભવનિર્વેદ, માર્ગાનુસારિતા નહતો કલ્યાણ ન થાય.” ગુરુજી: "4, 5,6 જેના જીવનમાં છે પણ ૧લી, રજી પ્રાર્થના જેના પ્રાર્થના : 2 20 પડાવ : 6
SR No.032872
Book TitlePrarthana Part 01
Original Sutra AuthorN/A
AuthorNiswarth
PublisherParmarth Pariwar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy