SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ (7) કોઈ આદેશ કરે ત્યારે આદેશને હા જી,તથાસ્તુ વગેરેથી સ્વીકારવો. (8) એમને પૂછીને બધું કરવું. (9) એમના જમ્યા પહેલાં જમવું નહીં. (10) બીજાની આગળ એમના જ ગુણ ગાવા. (11) એમને જ આગળ લાવી, જશ અપાવવો. આ વિનયના પ્રકારો છે.” સભાઃ “સેવા અને ભક્તિમાં શું ફરક છે?” ગુરુજી: સેવામાં (1) એમને આપણા પોતાના કરતાં સારી વસ્તુ આપવી. દા.ત. સારાં ખાનપાન, મુલાયમ વસ્ત્ર, ગાદલાં વગેરે (2) રોજ એમની પગચંપી કરવી, (3) એમની બીમારીમાં ખાસ સમય કાઢી એમની સેવામાં રહેવું. (4) એમનું કામકાજ કરવું વગેરે. ભક્તિમાં (1) અંતરમાં એમના પ્રત્યે અથાગ બહુમાન રાખવું. (2) બહુમાન પ્રમાણે એમની અદબ જાળવવી અને (3) વિશેષ ભક્તિ કાર્ય કરવું. તથા (4) બીજાઓ આગળ એમનું ગૌરવ વધારવું. (5) કદી એમની નિંદા કરવી નહીં કે સાંભળવી પણ નહીં. પણ (6) એમના દોષ ઢાંકવા અને ગુણ ગાવા. એમનો સ્વભાવ ઉગ્ર હોય તો પણ સહન કરી લેવો. પણ એમને ધિક્કારવા નહીં.” સભાઃ “સાહેબજી ! આપને નથી લાગતું કે આ બધી વાતો પુસ્તકમાં સારી લાગે. વાસ્તવિક જીવનમાં શું આ શક્ય છે? મા-બાપની આવી સેવાભક્તિ કરીએ તો લોકો માવડીયો ન કહે?” ગુરુજીઃ “ઇતિહાસથી પરિચિત નથી એટલે નહીં પણ નજીકના ભૂતકાળથી પણ પરિચિત નથી માટે આવું બોલો છો. બાકી વાંચો. મુકુંદરાયજીએ પોતાના માતુશ્રીની વાતો લખી છે. પરણીને આવીને કામ ઉપાડી લીધું. હું અનાજ સાફ કરું ને જો દાણો હેઠે પડે તો સસરાને કે બાઇજીને ન ગમે. ઈ દાણો નીચેથી ઉપાડાય નહીં. વીણીને ચોકમાં પંખી માટે નંખાય. પણ ઝાડુ કાઢીને એ દાણો ન લેવાય. રોજ બે-બે પ્રાર્થના 2 55 પડાવ : 8
SR No.032872
Book TitlePrarthana Part 01
Original Sutra AuthorN/A
AuthorNiswarth
PublisherParmarth Pariwar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy