SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દોષદૃષ્ટિવાળા કાગડા જેવા હોય છે. એને ઉકરડો અને મરેલા ઉંદરો જ દેખાય. બગીચામાં ઊગેલાં ફૂલો ન દેખાય. સંવત્સરીના દિવસે ખાય એની પણ નિંદા ન કરાય. નિંદા કેવળ પોતાના દોષોની અને જે અધમાધમ જીવો છે, જે માર્ગને ધક્કો પહોંચાડે છે, ઉન્માર્ગને સ્થાપે છે, શાસનના પ્રત્યનિક છે. એ બધાંની નિંદા નહીં કરો તો પાપ બંધાશે.” સભાઃ પ્રભાવના માટે બહેનો પડાપડી કરતાં હોય છે, એની નિંદા કરાય?” ગુરુજી: “પ્રભાવના માટે પડાપડી કરનારની પણ નિંદા ન કરાય. એને ગુરુ મ.સા. સમજાવશે. પણ તમારે નિંદા ન કરવી. વર્ષો પહેલાં દુષ્કાળ વગેરે કારણસર અનાજ વિતરણ કરવા નીકળેલા યુવાનો ગાડીઓ ચોરામાં ઠાલવી જાય અને કહે કે અમે આગળના ગામમાં જઈએ છીએ. તમે તમારી રીતે લઈ લેજો. કાર્યકર્તા પાછા આવ્યા. અનાજના ઢગલા જેમના તેમ. એક દાણો પણ ઓછો ન થાય. આપવા છતાં જાતે લે નહીં. આપણી વૃત્તિ નીચે ગઈ કેમ કે શ્રીમંત ઘરની સ્ત્રીઓ પણ પ્રભાવના માટે પડાપડી કરે. આ આપણી તુચ્છ વૃત્તિ, અશુભ લેશ્યાના પ્રતીક છે. પ્રભાવના માટે ઝૂંટાઝૂંટી ન હોય. ઇવન માંગવું એ કેટલું નાનપભર્યું હશે કે શાંતનુ શેઠે ચોરી કરી પણ માંગ્યું નહીં. ખાનદાન માણસમાગી શકે નહીં.” સભાઃ “અમે તો ફ્રેન્કલી કહી દઈએ કે મારી આગ્રહ કરવાની ટેવ નથી. તમે જાતે માંગી લેજો.” ગુરુજી: “તમારી આગ્રહ કરવાની ટેવ નથી એ કોઈ ગુણ નથી, પણ એ તો દોષ છે. આગ્રહ કરવાની ટેવ નથી તો ટેવ પાડ. કશું જ ફ્રેન્કલી મંગાય નહીં.” સભાઃ “સાધુ ભગવંતો વગેરે તો વસતિ વગેરેનીયાચના કરે છે?” | પ્રાર્થના : 2 18 પડાવ : 6
SR No.032872
Book TitlePrarthana Part 01
Original Sutra AuthorN/A
AuthorNiswarth
PublisherParmarth Pariwar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy