Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 65
________________ માતુશ્રીને આપ્યાં. માસીબા ઘરે આવેલાં ત્યારે માતુશ્રી માટે કહ્યું કે વહુમા તો એકલપંડે સો માણસને હેતથી ખવરાવે એવાં છે. એક વાર જમવામાં સેવ હતી. દાદાને ખબર પડી કે સેવ વહુએ વણી છે. તો દાદીને કહ્યું કે તમે વહુને કામમાં હાથ દેતા હોવ તો?દાદીએ કહ્યું કે વહુ મને હાથ અડાડવા નથી દેતાં. જૂનાપાનાં કપડાંનાં ગોદડાં સીવે છે. મને કહે છે કે તમે કરતાં હોવ ઈ કરો. તમે ગાશો, બોલશો એ સાંભળીશ. હું નવરી બેસી નથી શકતી એટલે કરું છું. | મારા પિતાજીનાં લગ્ન પછી બે વર્ષે દાદીની આંખો ચાલી ગઈ. દાદી કહેતાં કે વહુ એટલે મૂલ ન થાય. એ ઘરનાં માણસોની તો શું પણ પારકાની યે સંભાળ લે છે. રાજકોટમાં રોજ 60 માણસ આપણે ત્યાં જમતું. સવાર અને સાંજ ઘરમાં હું આંધળી, તમે સૌ છોકરાં નાનાં, રસોઇયો કે માણસ ન હતું. એ એકલે હાથે રાંધતી. એ જોઈને કોઈને પણ થાય કે આ એકલપંડે કામમાં કેમ પહોંચતી હશે?” સભાઃ “ભલે આટલી બધી વડીલોની ભક્તિ કરે પણ સાસુ-આંસુજ.” ગુરુજી: “આ તમારી ભૂલ છે. દાદી આગળ કદાચ કોઈ મારા માતુશ્રીની ભૂલ કાઢે તો દાદી સાંભળવા પણ તૈયાર ન થાય. દાદી ફરિયાદ કરનારને કહી દેકે તમે તો શું પણ મારી સગી દીકરી કે દીકરો આવીને મને કહે તોય હું આ વાત માનવા તૈયાર નથી. મારી વહુની ભૂલ થાય જ નહીં. ને કોક વાર થાય તો એ એવી સીધી પડે કે તેમાં સહુનું ભલું જ હોય.” આગળ વાત કરતાં દાદી કહે કે, એટલી વાત સાચી કે તમે કોઈ એના ઉપર વાંક ઢોળો, આળ ચઢાવો તોય એ બચાવન કરે ને હું પૂછીશ તો એ એવો જવાબ દેશે કે જેમાં કોઈનું યે ઘસાતું ઈ નહીં બોલે. બહુ થાય તો પ્રાર્થના : 2 58 પડાવ : 8

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112