Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 62
________________ (7) કોઈ આદેશ કરે ત્યારે આદેશને હા જી,તથાસ્તુ વગેરેથી સ્વીકારવો. (8) એમને પૂછીને બધું કરવું. (9) એમના જમ્યા પહેલાં જમવું નહીં. (10) બીજાની આગળ એમના જ ગુણ ગાવા. (11) એમને જ આગળ લાવી, જશ અપાવવો. આ વિનયના પ્રકારો છે.” સભાઃ “સેવા અને ભક્તિમાં શું ફરક છે?” ગુરુજી: સેવામાં (1) એમને આપણા પોતાના કરતાં સારી વસ્તુ આપવી. દા.ત. સારાં ખાનપાન, મુલાયમ વસ્ત્ર, ગાદલાં વગેરે (2) રોજ એમની પગચંપી કરવી, (3) એમની બીમારીમાં ખાસ સમય કાઢી એમની સેવામાં રહેવું. (4) એમનું કામકાજ કરવું વગેરે. ભક્તિમાં (1) અંતરમાં એમના પ્રત્યે અથાગ બહુમાન રાખવું. (2) બહુમાન પ્રમાણે એમની અદબ જાળવવી અને (3) વિશેષ ભક્તિ કાર્ય કરવું. તથા (4) બીજાઓ આગળ એમનું ગૌરવ વધારવું. (5) કદી એમની નિંદા કરવી નહીં કે સાંભળવી પણ નહીં. પણ (6) એમના દોષ ઢાંકવા અને ગુણ ગાવા. એમનો સ્વભાવ ઉગ્ર હોય તો પણ સહન કરી લેવો. પણ એમને ધિક્કારવા નહીં.” સભાઃ “સાહેબજી ! આપને નથી લાગતું કે આ બધી વાતો પુસ્તકમાં સારી લાગે. વાસ્તવિક જીવનમાં શું આ શક્ય છે? મા-બાપની આવી સેવાભક્તિ કરીએ તો લોકો માવડીયો ન કહે?” ગુરુજીઃ “ઇતિહાસથી પરિચિત નથી એટલે નહીં પણ નજીકના ભૂતકાળથી પણ પરિચિત નથી માટે આવું બોલો છો. બાકી વાંચો. મુકુંદરાયજીએ પોતાના માતુશ્રીની વાતો લખી છે. પરણીને આવીને કામ ઉપાડી લીધું. હું અનાજ સાફ કરું ને જો દાણો હેઠે પડે તો સસરાને કે બાઇજીને ન ગમે. ઈ દાણો નીચેથી ઉપાડાય નહીં. વીણીને ચોકમાં પંખી માટે નંખાય. પણ ઝાડુ કાઢીને એ દાણો ન લેવાય. રોજ બે-બે પ્રાર્થના 2 55 પડાવ : 8

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112