Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 26
________________ ગુરુજીઃ “માંગવાનો જન્મ શામાંથી થયો એ જોવાનું. સાધુભગવંત પણ માગે છે અને ભિખારી પણ માગે છે. પણ બંનેમાં ફરક છે. ભિખારી લાચારીના કારણે માગે છે. જ્યારે સાધુ ભગવંતને અહિંસક જીવન જીવવું છે. અહિંસક રીતે આજીવિકા ચલાવવા માટે યાચના સિવાય બીજો કોઈ ઉપાય જગતમાં નથી. અહિંસક આજીવિકા ચલાવવાની વૃત્તિ છે. માટે એ કોઈ દોષ નથી, ગુણ છે. પ્રજાનું કૌવત હણાઈ જઈ રહ્યું છે. જેટલું મફતમાં મળતું હોય એટલું ઘરભેગું કરો એવી વૃત્તિ પેદા થઈ રહી છે. માગવામાં માગવામાં ફેર છે માગવાની વૃત્તિના અવગુણના છેડા છેક આચાર્ય પદવી માંગવા સુધી પહોંચતા હોય છે. સાબરમતીમાં સુશ્રાવક જવાનમલજી પ્રતાપચંદજી બેડાવાળા. પોતાની શ્રાવિકા શાક પીરસવાનું ભૂલી ગઈ હોય તો ખાલી રોટલી વાપરીને ઊભા થઈ જાય પણ શ્રાવિકા પાસે શાક માગ્યું નથી. | મૂળ વાત, દેવ-ગુરુ-ધર્મ તથા એને પૂરક વ્યવસ્થાની નિંદા કરનારની નિંદા કરવી પડે.” સભાઃ “રીત-રિવાજોની નિંદા ન થાય?” ગુરુજી: “ના, પૂર્વકાળમાં માણસ બાજોઠ પર થાળી રાખીને વાપરતો હતો. તમને આ પરંપરા ઓર્થોડોક્સ લાગે છે. જ્યારે એક ફોરેનર ઇન્ડિયા આવ્યો. તેને વાપરવા માટે બાજોઠ આપ્યો તો એણે પોતાની ડાયરીમાં લખ્યું કે ઇન્ડિયામાં દરેક વ્યક્તિને વ્યક્તિગત ડાયનિંગ ટેબલ આપવામાં આવે છે. કોમન ડાયનિંગ ટેબલ નથી. એ ખૂબ ખુશ થયો. ખરેખર આર્ય રીત-રિવાજો એ ધર્મના પૂરક હતા એની નિંદા ન કરાય અને કોઈ નિંદા કરતો હોય તો બચાવ કરવો. | પ્રાર્થના : 2 19 પડાવઃ 6

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112