Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 41
________________ રીતે ભક્તિ કરતાં હોય ત્યારે ભાઈઓએ વિવેક રાખવો જોઈએ. આર્યદેશની વાતો સાંભળશો તો આનંદચકિત થઈ જશો. તાનસેને રાજદરબારમાં એકવાર કહેલું કે દરેક રાગોની વિશિષ્ટ તાકાત હોય છે. હિંડોળ રાગથી હિંડોળા અને શેરડીના સંચાઓ ચાલે છે. શ્રી રાગથી અકાલને મારી હટાવાય અને લીલી હરિયાળી થાય છે. ભાગ્યશ્રી રાગ શુદ્ધ રાગમાં ગવાય તો સરસ્વતી માતાનું સર્જન થાય છે. તેવી જ રીતે દીપક રાગ ગાવાથી અગ્નિ વગર દીપક પ્રગટ થઈ જાય છે. રાજાને આશ્ચર્ય થયું કે જો ખરેખર તમારા દીપક રાગમાં તાકાત હોય તો અહીંયા ઘીના દીવાઓ તમે દીપક રાગથી પ્રગટાવી આપો. ત્યારે તાનસેને જવાબ આપ્યો કે રાજાધિરાજ એ હું નહીં કરી શકું કેમ કે સામે મેઘમલ્હાર રાગ ગાવો પડે. નહીં તો છ મહિના સુધી મારે તળાવમાં છાતીસમાણા પાણીમાં બેસવું પડે ત્યારે તેમાંથી પ્રગટેલો દાહ શાંત થાય. રાજાએ કહ્યું કે તમે છ મહિના દરબારમાં નહીં આવો તો ચાલશે. પરંતુ મારે તમારા દીપક રાગની તાકાત જોવી છે. રાજાભિયોગને કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ગામ વડનગરમાં સંગીતની કસોટી થઈ અને તાનસેન દ્વારા દીપક રાગ ગવાતા બધા દીપક અગ્નિ વગર પ્રગટ્યા. પરંતુ તાનસેને રાગના પ્રતાપે શરીરમાં લાગેલા દાહને કારણે દોડીને તળાવમાં ઝંપલાવ્યું અને છાતીસમાણા પાણીમાં રહેવાનું શરૂ કર્યું. બીજે દિવસે સવારે તે ગામની નાની દીકરીઓ પાણી ભરવા આવી અને તેમણે તાનસેનને જોતાવેત જ કહ્યું કે આપનું નામ તાનસેન છે ને? અને આપના ઇંગિત પરથી જણાય છે કે આપે દીપક રાગ ગાયો લાગે છે. તાનસેને પૂછ્યું કે બેટા તમને કેવી રીતે ખબર પડી? બંને દીકરીઓએ જવાબ આપ્યો કે અમે પણ સંગીતના ઉપાસક છીએ અને આપ અમારે ત્યાં પધારો. અમે તમને મેઘમલ્હાર સંભળાવીશું અને પ્રાર્થના : 2 34 પડાવ : 7

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112