Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 35
________________ પાસે આજે 60 તોલા સોનું હોત. વ્યસની યુવાને કાકાને વળતો સવાલ કર્યો કે તમારી ઉંમર કેટલી થઈ? તો કાકાએ જવાબ આપ્યો કે 60 વર્ષ. યુવાને ફરી સવાલ કર્યો કે તમે દારૂ, સિગારેટ પીઓ છો? તો કાકા કહે કે ના, તો તમારી પાસે 360 તોલા સોનું હોવું જોઈએ ને! છે તમારી પાસે 360 તોલા સોનું? જડ અને વક્ર લોકો એવા હોય છે કે તમે એને સમજાવવા જાવ તો તમને ગળે વળગે. કોઈ સજ્જને દારૂ, સિગારેટનું સેવન જીવનમાં ક્યારેય કર્યું નથી છતાં કેન્સર થાય તો કહેશે કે દારૂ-સિગારેટ ન પીધાં છતાં કેન્સર થયું તો અમને શાંતિથી પીવા દો. માથાકૂટ ન કરો. ભલા માણસ ! સિગારેટ વગેરે પીતા ન હતા છતાં કેન્સર થયું તો વિચાર કર કે જે પીએ છે તેને તો કેન્સરના ચાન્સ કેટલા વધી જાય?” સભાઃ “વક જડ તો કહેશે કે મારા દાદા રોજની ૬૦બીડી પીતા હોવા છતાં કાંઈન થયું, ૮૩વર્ષ જીવ્યા.” ગુરુજી: “આવા જડ, વક્રને સમજાવી ન શકાય. વ્યસનો પણ માત્ર ભૌતિક આશયથી નથી છોડવાના.” સભાઃ “આપે ગઈ કાલે કહ્યું કે “નિન્હો નોડપિ તો એમાં અધમાધમ જીવ સિવાય બીજા કોઈની નિંદા ન કરવી. અમારા ઘરે કોઈ વસ્તુ ચોરી જાય તો એની પણ નિંદા ન કરાય?” ગુરુજી: “ના, તમે આર્યદિશની સત્યઘટનાઓથી પરિચિત નથી. બાકી કેવા કેવા અદ્ભુત ઉદાહરણો તમને સાંભળવા મળે. મુકુન્દરાય પારાશર્યજીએ પોતાની માની વાતો લખી છે તે વાંચો તો સમજાય. મારાં બાનાં અવસાન પહેલાંના ત્રણેક વર્ષે બનેલી હકીકત છે. બાના પિયરના ગામ મોરબીમાં એક ભાઈ રહેતા હતા. પણ ભાવનગર આવે ત્યારે બા પાસે આવતા રહેતા. તેઓ મારી માને ફઈ કહેતા અને પ્રાર્થના : 2 28 પડાવ : 7

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112