________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વામાં આવે તેમ મા પલાળીમાં ઘી
(૧૦) ટકી નાખવામાં આવે છે, ને ગરમ પાણીમાં પલાળવામાં આવે છે. પલળે એટલે તેમાં મરચાં નાખી ખાવામાં આવે છે. તેમજ આ પંઆ બે કલાક સુધી પલાળી પછી પાણી કાઢી નાખે છે. ત્યાર પછી ચૂલા ઉપર પણ ચઢાવી તેમાં ઘી પૂરે છે, ઘી ઉનું થાય છે કે તરત તેમાં સૂકાં મરચાં અને અડદની દાળ નાખે છે; તે લાલચોળ થતાંજ ઉપર બતાવેલા પૌઆ વઘારમાં નાખે છે, અને તેમાં મીઠું નાખી તબેથાવતી હલાવી હલાવ કરી ઉતારી નાખવામાં આવે છે. વળી ઉપર કહ્યા મુજબ પિઆ પલાળી તેમાં દહીં અને મીઠું નાખી કાલવીને ખાય છે.
લોટ-ચેખા શેકીને દળીને રાખવામાં આવે છે. ઉનાળામાં ત્રણ માસ સુધી, ચોમાસામાં પંદર દિવસ, અને શિયાળામાં બે મહિના આ લેટ રાખી મૂકવાથી બગડતું નથી. રાત્રે વાળુ કરવાને બદલે આ લેટમાં ઘી, અને ખાંડ, અથવા મીઠું, મરી અને આમલી એકઠું કરી ખાવામાં આવે છે. આના એટલા બધા પદાર્થ બને છે કે બધા અત્રે લખી શકાય તેમ નથી.
રાજમાન્ય ભાત. સારી જાતના ચેખા લાવી તે સારા ખાંડીને રાખી મૂકવા; પછી બે મહિના બાદ તે ફરીથી ખાંડી પાણીએ ઘણી વાર ધોવાથી તેમાંથી સ્વચ્છ પાણી નિકળવા માંડે એટલે તેને નિતરતા મૂકવા. પછી જેટલા ચોખા હોય તેના કરતાં ત્રણગણા ચેખા જેમાં માય એવું એક તપેલું ચૂલા ઉપર મૂકી તેમાં સુમાર પ્રમાણે પાણી રેડવું, ને તેની નીચે સારે તાપ કરવો. પાણીમાં આધરણ આવે કે તેમાં પેલા ધોયલા ચોખા ઓરી દેવા; પછી ઉભો આવે એટલે બે ત્રણ વાર હલાવવા. હાથની આંગળીએ ચંપાય એવો ભાત થાય ત્યારે તેમાં થોડું દૂધ અથવા ઘી નાખી તપેલા
For Private and Personal Use Only