Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય
સંવત્ ૧૮૭૩ માં સૌભાગ્યસાગર થયા તેમાંથી વાનગી:~ મહિમા સાગર સદ્ગુરૂ, તાસતણે સુસાયેરે: જંબુસ્વામી ગુણ ગાયા, સૌભાગ્યે ધરી ઉત્સાહૅરે–
૩૫
વીશમી સદીમાં સર્વોત્કૃષ્ટ ગુ.રાતી ભાષામાં લખનાર શતાવધાની કવિ શ્રીમદ્ રાજ ચંદ્રજી થઇ ગયા છે. એમના ધણા લેખાને સામટા સંગ્રહ શ્રીમદ્ રાજચંદ્ર' નામ* મેટા પુસ્તકમાં કરવામાં આવ્યા છે એ ગ્રંથથી ગુજરાતી ભાષાના શાન્તરસયુક્ત આત્મજ્ઞાનના સાહિત્ય વિભાગમાં અમૂલ્ય વધારા થયા છે એ ગ્રંથનું સાહિત્ય ઉત્તમ, મધ્ય અને કનિષ્ટ મુમુક્ષુઓને – જૈન અને જૈનેતર એ તમામને નિક્ષપાત દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે.
પૂર્ણ હુતિ—નિપક્ષ દૃષ્ટિએ આ લેખનું વાચન કરવાથી સ્પષ્ટ સમજાશે કે પ્રાચીન ગુજરાતી ભાષાનુ` સાહિત્ય તા જેની પાસે જ છે તથા ગુજરાતી ભાષાના મૂળઉત્પાદકો ના જ છે એટલુ જ નહિ પણ આધુનિક ગુજરાતી ભાષાના આદિ કવિ જૈન મુનિ શ્રીમાન ઉડ્ડયવત છે અને પ્રાચીન ભાષાના આદિ કવિ દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણ છે અને ભાષાના મૂળ ઉપદેશ પરમ પૂજ્યતમ શ્રી મહાવીર સ્વામી છે.
આ લેખ કાઇના આક્ષેપ રૂપે નથી પરંતુ નસમાજને સન્માર્ગ બતાવવાની ખાતર છે. જે કે રાવ બહાદુર હરગોવિંદદાસ ભાઇના લેખને પ્રત્યુત્તર આપની ઇચ્છા ન હતી પરંતુ મિત્ર મંડલના કેટલાક સુન બધુએની માગણી ઉપરથી આ લેખમાં ‘સાહિત્ય'ના લેખના જવાબ સમાઈ જાય છે.
આ લેખનું મનન કરવાથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ વગેરેનું ભાન થશે એમ મારી માન્યતા છે.
આ લેખ ગુજરાતી ભાષાના શોખીન સાને આનંદ દાયક થાએ એજ ઇચ્છા. ત્યરુમ્ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
તા ૧-૧-૧૯૧૪
ટંકારા-કાર્ડિઆવાડ
ગાકુલદાસ નાનજીભાઇ ગાંધી.
X X X ઉપરોક્ત લેખ વડાદરામાં નીકળતા ‘સાહિત્ય’ નામના માસિકના નવખર ૧૯૧૩ ના અંકમાં આવેલા રા. બ. હરગોવિન્દદાસ દ્વારકાંદાસ કાંટાવાળાના જૂની ગુજ રાતી અને જૈન સાહિત્ય' એ નામના શેના ઉત્તરરૂપે છે. તે લેખ પણ ઉપર।ક્ત લેખના લેખક રા. ગાકુલદાસના ગુજરાત શાળાપત્રના જીનથી ઑગસ્ટ ૧૯૧૩ ના અકામાં પ્રસિદ્ધ થયેલા લેખના ઘણા મંતવ્યોની વિદ્ અભિપ્રાય દર્શાવવા અર્થે રા. બ. રગેાવિન્દદાસે લખ્યું તે. આ વિદ્ધ અભિપ્રાયની સામે અને પેાતાના મતથ્યાના પ્રતિપાદનઅર્થે એક