Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૭૦
શ્રી જૈન . કે. હેરલ્ડ.
ઉત્તમ યોગ્ય જાણી અંબિકા અને કાવડ યક્ષના વર દીધો. ગુરૂએ વિહાર કરતાં તારણગિરિએ શ્રી અજિતનાથની યાત્રાએ ગયા. કેટલેક દિવસે સા આસરાજ ત્યાંથી કુંવરને લઈને બંને બંધવ સાથે ધવલક નગરમાં આવી રહ્યા. ત્યાંથી ગુરૂએ આપેલ વરના મહિમાથી દિને દિને વ્યાપારથી ઉદયવંત થયા. એવામાં વિક્રમ સં. ૧૨૭૪ વર્ષ માં વસ્તુપાલને લલિતાદે સાથે પાણિ ગ્રહણ થયું. પુન: તેજપાલનપદે સાથે પાણિગ્રહણ થયું. એવામાં માતા કુંવરને સ્વર્ગવાસ થયો. અગ્યાર દિવસને અંતરે પિતા શા આસરાજને સ્વર્ગવાસ થયો. આવી રીતે ૧૮ વર્ષ વ્યાપારમાં થયા. તે જ વર્ષે અંબિકા અને કવડ યક્ષની કૃપાથી રાજ શ્રી વિરધવલે વસ્તુપાલને ઘણું આગ્રહ મંત્રિપદ આપ્યું. તેટલામાં ત્યાં ભંડારીપદ તથા મંત્રી પદના તિલક કરવાના અવસરે મંત્રી વસ્તુપાલ જ્ઞાતિ ત્રીસ પાટણ પાખલે પિોખતો હતો એવામાં પાટણમાં નગર શ્રેષ્ઠીને ઘેર ભવિષ્યતાને યોગે નોતરું વિસર્ય-દેવાયું નહિ. અજાણ પણે તે શેઠને પુત્ર વર્ષ ૧૩ ને તે સામાન્યપણું-સામાન્ય સ્થિતિ થવાથી થી તેલ હળદર હીંગ વેચી બપોરે (બે પ્રહરે) ઘેર આવ્યો એટલે પિતાની માતાને રૂદન કરતી દીઠી. આ દેખી પુત્રે કહ્યું “આ કેમ?” ત્યારે માતાએ કહ્યું “આપણું પાટણ નગરના મુખ્ય શ્રેષ્ઠી તારા પિતાનું મરણ તારા બાલપણુથી થયું છે. દ્રવ્ય પણ નહિ તેથી આપણે ઘેર નેતરું ( નુહુતરું) ન આવ્યું અને એ રાજમંત્રિ ભાગ્યવંત થયો પણ છિદ્ર સહિત છે.” અતઃ
वयोवृद्धा तपोद्धा येच वृद्धा बहुश्रुता
सर्वत्वे धन वर्धस्व द्वारे तिष्ठति किंकराः। આમ વિચારી તેણીએ બધી બેટા આગળ આસરાજ પ્રાગ્વાટ, કુંવરબાલ વિધવા એ શ્રીમાલી મંત્રીને મેટ છિદ્ર એ છે–આ વાત પુત્રને સઘળી કહી. આ સાંભળી બેટાને હર્ષ થયો એટલાં જ્યાં સમગ્ર સાજન ભોજન કરે છે, મુખ્ય ગૃહસ્થ હર્ષમાં બેઠા વાર્તા કરે છે ત્યાં તેણે આવી ચેરાસી સાજનાની આજ્ઞા કહી–ભાગી બે હાથ જોડી માતાએ જે વિપરીત વાત કહી હતી તે બધી વાત સકલ સાજન કરી, ત્યારે તેને સાજનોએ કહ્યું કે તું કોણ ઘર ? આ પત્તનમાં મુખ્ય થઇને આ કેવી વાત કહી ? લાજ નથી? એટલે તેણે મંત્રીની ઉત્પત્તિ સઘળી વૃદ્ધ ગૃહસ્થપાસે પ્રકાશી. આ સાંભળી સકળ લજજાવંત થયા. ચિત્તમાં સંદેહ પેઠો. સકલ સાજને તેની વૃદ્ધ માતાને પૂછયું. તેણે કહ્યું “ મુખ્ય ઘેર નેતરું નહિ અને તેને ઘેર તમે દ્રવ્ય ખાતર ગયા, પણ તમે સકલ સાજને જઈ બરૂડી ગામમાં તેની ઉત્પત્તિના કારક શ્રી ભુવનચંદ્ર ગુરૂ સમગેત્રીઆને પૂછો. તેથી સાજનાએ બધું ગુરૂને પૂછયું ત્યારે શ્રી ગુરૂએ યથાર્થ વાત કહી દીધી. એટલે તે પાટણે આવ્યા. મંત્રીની વાત માહે માંહી કહેવાતાં નગરમાં અને અન્ય ગામમાં વિસ્તરી. એટલે ત્યાંથી વિક્રમ સંવત ૧૨૫ વર્ષમાં મંત્રી વસ્તુપાલ અને તેજપાલથી પ્રાગ્વાટે લઘુશાખા પ્રગટ થઈ એટલે સ્વજ્ઞાતિને પરજ્ઞાતિના દુબલ ગૃહસ્થને ભજનમાં તેડી કવલે કવલે ( બ?) સુવર્ણ મહોર દઈ સ્વાતિ વધારી નામ રાખ્યું. સકળ જ્ઞાતિ લઘુશાખા થઈ એટલે શ્રી ભુવનચંદ્ર સૂરિ વિહાર કરતાં પાટણ આવ્યા, મને હામહેન્સવે શીલાએ પધરાવ્યા. ત્યાં ચોમાસું રહ્યા. મંત્રી વસ્તુપાલ ગુરૂવચનથી પંચાધર પાસ પ્રાસાદે વર્ષમાં ચાર ટ થયાત્રા નિપજાવી-કરી. ચાર વાર પૈઢ સાયમિકને