Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
મહાપાધ્યાય શ્રી મેઘવિજય.
શ્રી ન્યાયવિશારદ મહામહોપાધ્યાય યશોવિજયજીના સમકાલીન આ મહાપુરૂષ વિક્રમની ૧૮ મી સદીમાં થઈ ગયા છે. તેમણે જૈનદર્શનની અપૂર્વસેવા બજાવી છે. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય વિષય ઉપરાંત આધ્યાત્મિક અને જ્યોતિવિધામાં પણ પ્રવીણ હતા. તેઓના જન્માદિ સંબંધે જીવનની હકીકત મળી નથી. તેઓ શ્રી હરવિજય સ રિના વશમાં થયા છે, અને તે ગુરૂ પરંપરા નીચે પ્રમાણે છે –
હીરવિજયસૂરિ.
કનક વિજય. શીલ વિજય
ચારિત્ર વિજય.
સિદ્ધિવિજય કમલવિજય
કૃપા વિજય.
મેઘવિય.
તેઓની લેખશેલી તપાસતાં પિતાના હાથના લખેલા દરેક ગ્રંથની શરૂઆતમ રું દ શ્રીં શ્રી જ છે નમ: આ પ્રમાણે દિવ્ય મંત્રનો ઉલ્લેખ કરેલ છે, આ સ્વહસ્ત લિખિત ગ્રંથો મળી આવે છે તે પરથી એ ધડ લેવો જોઈએ કે આવા મહાન ધુરધર વિદ્વાનોએ પણ લેખક (લીઆ)ને ઉપેક્ષીને માત્ર ગ્રંથની શુદ્ધતા ખાતરજ પિતાને હાથે લખી શ્રમ લીધો છે.
સમયનિર્ણય–એમને સૌથી આગળને ગ્રંથ મારવાડના સાદડી નગરમાં ૧૭૨૭ની વિજયાદશમીએ પૂરો કરેલ દેવાનંદાબ્યુદય મહાકાવ્ય મળી આવેલ છે, અને છેલ્લા વખત સં. ૧૭૬૦ માં સતસંધાન મહાકાવ્ય-એ નામનો ગ્રંથ મળી આવે છે તે પરથી એ નિ. શ્રિત થાય છે કે સં. ૧૭૨૭ થી ૧૭૬૦ માં અવશ્ય વિદ્યમાન હતા. હવે ૧ર૭ માં રચેલ ઉક્ત દેવાનંદાલ્યુદય મહાકાવ્યમાં વિજયસેન સૂરિના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિનું ભિન્ન ભિન્ન સમયનું ઈતિવૃત્ત ઇતિહાસરૂપે કવિતા રૂપમાં પરિણમાવ્યું છે તે તે પરથી આપણે એમ વિચારી શકીએ કે શ્રી વિજયદેવને જન્મ ૧૨૪૩ અને સ્વર્ગવાસ સં. ૧૭૧૩ ના આસાડ શુદી ૧૧ છે, તે તે સ્વર્ગવાસ સમય ૧૭૧૩ પહેલાં પણ મેઘવિજ્ય વાચક હયાત હતા એ ચોક્કસ સિદ્ધ થાય છે તે આપણે ૧૭૦૦ માં અગર તે પહેલાં તેમને જન્મ મૂકી શકીએ.