Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
તિલક-મંજરી.
૫૧૧
" स्पष्टभावरसा चित्रैः पदन्यासः प्रनर्तिता ॥
नाटकेषु नटस्त्रीव भारती भवभूतिना ॥" ૩૧ મા શ્લોકમાં, વાપતિરાજના વધ ની કીર્તિ છે. ૩ર મા શ્લોકમાં, “વે તાંબર શિરોમણિ શ્રી બાપભટિ-ભદ્રકીર્તિ સૂરિના બનાવેલા “તારાગણ નામના કાવ્યનું સંકીર્તિન કર્યું છે. ૩૩ ભામાં, યાયાવર રાજશેખર કવિની વાણીને વખાણી છે. ૩૪ મેં લેક કવિએ પોતાના ગુરૂશ્રી મહેદ્રસૂરિનાં વચનોની પ્રશંસા માટે લખ્યો છે; પછીના બે લોકોમાં, રૂદ્રકવિની શૈલોક્ય સુંદરી' ની તથા તેના પુત્ર કઈમરાજની સૂક્તિઓની પ્રશંસા છે. આવી રીતે, સ્વમત તથા પરમતમાં થઈ ગયેલા મહાકવિઓની ઉદાર વૃત્તિથી ભૂરિ ભૂરિ પ્રશંસા કરી ઉપસંહાર કરતાં કહે છે કે
" केचिद्वचसि वाच्येऽन्ये केऽप्यशून्ये कथारसे ।
વિદ્રને કરાતા ઘા સર્વત્ર વન | ૨૭ ” આના પછીના જ કાવ્યોમાં, પરમાર, વૈરસિંહ, સીયક, સિંધુરાજ અને વાસ્પતિ રાજનું વર્ણન છે. ૩ થી ૪૮ માં કાવ્ય સુધી કવિના આશય દાતા રાજા ભેજના પ્રતાપ અને પ્રભાવનું વર્ણન છે, ૫૦ મા કાવ્યમાં પ્રસ્તુત કથાની ઉત્પત્તિનું કારણ દર્શાવ્યું છે. (એ શ્લોક ઉપર ટાંકવામાં આવ્યો જ છે ) પ૧–પર માં કાવ્યમાં પિતાના પિતામહ અને પિતાની પ્રશંસા કરી છે. “ મધ્ય દેશમાં આવેલા સકાયનામા પ્રદેશમાં દેવર્ષિના દ્વિજ હતો કે જેનો પુત્ર સર્વશાસ્ત્રમાં કુશળ સ્વયંભૂ જે કસવ દેવ નામ મહારે પિતા છે.” આમસંક્ષેપમાં પિતાનું પુરાતન વાસસ્થાન અને કુલપ્રકાશિત કરી છેલ્લા કાવ્યમાં કવિ
" तजन्मा जनकड़ि पड़ जरजः सेवाप्तविद्यालवो
विप्राश्रीधनपाल इस्यविशदामे तामवनात्कथाम् । પ્રબંધ ચિંતામણિમાં પણ આજનામ આપેલું છે; તેમાં જણાવ્યું છે કે પૂર્વે ઘણી જ સ્કૃદ્ધિવાન વિશિલા નામની નગરીમાં, મધ્ય દેશમાં જન્મેલે કાપ ગેત્રી સર્વદેવ નામે બ્રાહ્મણ રહેતા હતા.'—જ્યારે આત્મ પ્રબોધમાં અવંતી પુરીમાં સર્વધર નામે ભોજરાજાને પુરોહીત વસતો હતો” એમ જણાવી સર્વધર નામ આપ્યું છે. અને ઉપદેશ પ્રાસાદમાં ધારાનરીમાં લક્ષ્મીધર નામે એક બ્રાહ્મણ હત” એમ જણવી લક્ષ્મીધર એ નામ આપ્યું છે. આમ સર્વ દેવ, સર્વધર અને લક્ષ્મીધર એ ત્રણ નામોમાં સર્વદેવજ સત્ય પ્રતીત થાય છે કારણ કે તે ધનપાલે તેિજ જણાવેલું છે, (પીઠીકાના કે પ૧–પર આ પ્રમાણે છે.)
મારા દિકરા વિ કથા પ્રારાવાર નિવેરાના अलब्ध देवर्षिरित प्रसिद्धि यो दानवर्षित्व विभूषितोऽपि ॥ शास्त्रेवधीती कुशलः कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः ।
तस्यात्मजन्मा समभून्महात्मा देवः स्वयंभूरिव सर्वदेवः ॥ છતાં નામમાં કેવા ફેરફાર કાલાંતરે થાય છે. એ જણવવા ખાતર આ દર્શાવેલું છે
–તંત્રી