Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
લેખકોને નમ્ર વિનંતિ.
પૂજ્ય મુનિરાજાઓ, જૈન ગ્રેજ્યુએટો તથા વિદ્વાન જૈન લેખકને સવિનય વિનંતિ કરવામાં આવે છે કે જૈન વસ્તીવાળા લગભગ તમામ શહેરમાં મહાન કેન્ફરન્સને વિજય વાવટા ફરકાવતા તથા કોન્ફરન્સના સર્વમાન્ય વાત્ર ગણતા આ માસિક પત્રમાં કેન્ફિરન્સે હાથ ધરેલા વિષયો સંબંધી તથા સમસ્ત જૈન કામની સામાજિક. નેતિક અને ધાર્મિક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ થાય તેવા સરળ ભાષામાં લખાયેલા લેખોને પ્રથમ પદ આપવામાં આવે છે અને જૈન ભવ્યત્વ સૂચવનાર ઐતિહાસિક લેખોને પણ ખાસ સ્થાન અપાય છે. અમે આશા રાખીએ છીએ કે પદવીધારી જૈન ગ્રેજયુએટોની માફક અન્ય વિદ્વાન જૈન લેખકે તથા પૂજ્ય મુનિ મહારાજાઓ, વધારે નહીં તે માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પૃષ્ઠ જેટલો લેખ આ પત્રમાં લખી મોકલી સ્વધર્મી બંધુઓને પોતાની વિદ્વત્તાનો લાભ આપવાનું મન ઉપર લેશે.
૧ આ પત્ર માટેનું લખાણ કાગળની એકજ બાજુએ, સારા અક્ષરથી અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બન્ને બાજુએ, અથવા પેન્સીલથી લખેલું લખાણ ટાઈપમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલે થવાનો પણ વિશેષ સંભવ છે માટે આ સુચના તરફ લક્ષ આપવા ખાસ વિનંતિ છે. 1. ૨ લખાણ મોડામાં મોડું દરેક મહિનાની તા. ૧૫ મી પહેલાં અને મળવું જોઈએ.
કે લેખકને લેખ ગ્ય જણાશે તો દાખલ કરી જે અંકમાં પ્રસિદ્ધ થશે તે અંક અને નિયમિત લેખકને નિયમિતપણે સર્વ અંક મત મોકલવામાં આવશે. - ૪ પસંદ નહિ પડેલા લેખો પાછા મોકલવાનું બનતું નથી, જેને જોઈએ તેણે ટપાલ ખર્ચ મોકલી મંગાવી લેવા.
૫ અપ્રકટ પ્રાચીન જૈન ગુજરાતી સાહિત્ય, ધાર્મિક અભ્યાસ વધે તેવા સંવાદ, શિક્ષણ સારી રીતે આપી શકાય તેવા અભ્યાસપીઠે, પટ્ટાવલિઓ, શિલાલેખે, ગ્રંથની પ્રશતિઓ, પ્રાચીન જૈન પ્રભાવકેનાં ચરિત્ર વગેરેને ખાસ પ્રથમ સ્થાન આપવામાં આવશે.
૬ રાજ્યકીય ધાર્મિક વિવાદવાળું, નિંદાત્મક વગેરે આડે માર્ગે દોરનાર અને કલેશ ઉપજાવનાર લખાણને સ્થાન બીલકુલ આપવામાં નહિ આવે.
૭ લેખકે પિતાનું પુરૂં નામ તથા ઠેકાણું લખવા કૃપા કરવી. તે પ્રગટ કરવા ઇચ્છા હોય તે તે અગર તેમ ન હોય તો કોઈ સંજ્ઞા-તખલ્લુસ મોકલવું. નનામા લેખ લેવા કે પાછા મોકલવા બંધાતા નથી.
પ્રીસેસ સ્ટ્રીટ, મુંબઈ
મોહનલાલ દલીચંદ દેશાઈ, બી. એ. એ એલ બી.
તંત્રી. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેલ્ક. ,