Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 288
________________ શ્રી. જૈન . કો. હેરલ્ડ. વિજયસેનસૂરિએ ધર્મસાગર ઉપાધ્યાય રચિત કુંદકુંદાલ” નામને ખંડનાત્મક ગ્રંથ તેને ઉસૂત્ર તરીકે જણાવી અમાન્ય ઠરાવ્યું અને જલશાયી કર્યો અને ધર્મસાગર ઉપાધ્યાયની તેમાં સંમતિ લઈ આ પ્રબળ ઝગડાના સમાધાનાથે આ આજ્ઞાપત્ર શ્રીમદ્ વિજ્યસેન સૂરિની સંમતિ લઈ હીરવિજયસૂરિએ લખી જગ્યા જગ્યાએ ફેરવ્યું. આવા સમાધાન કારક સંત મહાત્મા પુરૂષને કેટલો બધે ધન્યવાદ ઘટે છે ! આવી જ રીતે જે પુરૂષાર્થ દરેક વિરોધી પ્રસંગમાં હમણાંના મહાપુરૂષોએ સ્કરાવ્યું હોત તે કેટલી વિષમતા, કલેશમયતા, અને વિપત્તિ દૂર થાત ! અનેક કામો વિનમાં પડ્યાં છે અને પડયે જાય છે તેવી સ્થિતિ ન આવત. હાલના વિરોધને ઉપરના આજ્ઞાપત્રથી બલવાર રીતે શમાવવાની જરૂર રહે છે એ સહેજ સમજી શકાય તેમ છે. તેના એક એક બોલ વિચારવા જેવા છે. જેમકે. (૧) પરપક્ષીને કેઈએ પણ કઈ જાતનું કઠિણ-આકરું વચન ન કહેવું. આ વચનને આશય બધા સારી રીતે સમજતા હશે પણ કેટલા પાળે છે?] (૨) પરપક્ષીને તે જે ધર્મના હોય તે ધર્મનાં કાર્ય સર્વથા અનુમોદવા યોગ્ય નથી. એમ કોઈએ કહેવું નહિ. [ આવું “સર્વથા શબ્દવાળું ગભિતાશય કથન છતાં છેવટનું નિષધાત્મક કથન સમાધાન અર્થે સુંદર રીતે વપરાયેલ શું નથી?] (૩) ગચ્છનાયકને પૂછ્યા વિના શાસ્ત્ર સંબંધી કોઈ નવી પ્રરૂપણું ન કરવી. [હમણાં ગચ્છનાયક કેટલા છે? શું સ્થિતિ છે તેને નિર્ણય કરે ઘટતું નથી ? ] (૪) દિગંબર સંબંધી ચૈત્ય, કેવલ શ્રાદ્ધ એટલે શ્રાવકથી પ્રતિષ્ઠિત થયેલ ચૈત્ય અને વ્યલિંગીનાં દ્રવ્યથી નિષ્પન્ન થયેલ એમ એ ત્રણ જાતનાં ચિત્ય સિવાય બીજા સર્વ ચૈત્ય વાંદવા ગ્ય છે અને તેમાં કોઈ શંકા કરવી નહિ, આવી આજ્ઞાથી કોઈપણ ગચ્છનું ચૈત્ય માન્ય થયું છે એ આનંદદાયક બીના છે ] (૫) સ્વપક્ષીનાં ઘરમાં પૂર્વોક્ત ત્રણ અવંદનિક પ્રતિમા હોય તે સાધુને વાસક્ષેપથી પૂજનિક થાય. (૬) સાધુની પ્રતિષ્ઠા શાક્ત છે, [અમુક સાધવને માન આપનાર તેમની પ્રતિષ્ઠા કરે છે તેમાં બીજા સાધુવને માનાપમાન કંઈ હોઈ શકે? (૭) સાધર્મિક વાત્સલ્ય કરતાં સ્વજનાદિક સંબંધથી પરપક્ષીને જમવા તેડવાથી તે સ્વામી વચ્છલ ફેકટ થતું નથી. આ પરથી એમ શું નથી થતું કે પરપક્ષીને સ્વજનાદિક સંબંધે નેતરી શકાય તેમજ પરપક્ષીને ત્યાં તેવા સંબંધે નેતર્યા જમવા જઈ શકાય ? (૮) શાસ્ત્રમાં કહેલ જે સાત દેશ વિસંવાદી નિન્દવ અને એક સર્વ વિસંવાદી નિન્દવ મળી આઠ છે તે સિવાય બીજા કોઈને નિહ ન કહેવા. આ પરથી એક ગણ નો બીજા ગચ્છનાને નિહવ ન ગણી શકે ] - ૪ વિજયસેન સુરિ ( તપાગચ્છની પ૮ મી પાટે) જન્મ સં. ૧૬૦૪ નારદ પુરિમાં દીક્ષા ૧૬૧૩, બાદશાહ અકબરે તેમને “કાલિસરસ્વતિ એ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં ૧૬૭ જયેષ્ઠ વદિ ૧૧ સ્તંભ તીર્થમાં + હિરવિજય રિ. (તપાગચ્છની ૫૮ મી પાટે ) જન્મ સં. ૧૫૮૩ માર્ગશીર્ષ શુદી ૪ પ્રહલાદનપુરમાં, દીક્ષા પાટણમાં સં. ૧પ૮૬, વાચક્ષદ સ. ૧૬૦૮, સૂરિપદ સં. ૧૦, સ્વર્ગગમન સં. ૧ પર ના ભાદ્રપદ શુદિ 11 ને દિને ઉM (ઉના)માં થયું,

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376