________________
શ્રી. જૈન . કો. હેરલ્ડ. વિજયસેનસૂરિએ ધર્મસાગર ઉપાધ્યાય રચિત કુંદકુંદાલ” નામને ખંડનાત્મક ગ્રંથ તેને ઉસૂત્ર તરીકે જણાવી અમાન્ય ઠરાવ્યું અને જલશાયી કર્યો અને ધર્મસાગર ઉપાધ્યાયની તેમાં સંમતિ લઈ આ પ્રબળ ઝગડાના સમાધાનાથે આ આજ્ઞાપત્ર શ્રીમદ્ વિજ્યસેન સૂરિની સંમતિ લઈ હીરવિજયસૂરિએ લખી જગ્યા જગ્યાએ ફેરવ્યું. આવા સમાધાન કારક સંત મહાત્મા પુરૂષને કેટલો બધે ધન્યવાદ ઘટે છે ! આવી જ રીતે જે પુરૂષાર્થ દરેક વિરોધી પ્રસંગમાં હમણાંના મહાપુરૂષોએ સ્કરાવ્યું હોત તે કેટલી વિષમતા, કલેશમયતા, અને વિપત્તિ દૂર થાત ! અનેક કામો વિનમાં પડ્યાં છે અને પડયે જાય છે તેવી સ્થિતિ ન આવત. હાલના વિરોધને ઉપરના આજ્ઞાપત્રથી બલવાર રીતે શમાવવાની જરૂર રહે છે એ સહેજ સમજી શકાય તેમ છે. તેના એક એક બોલ વિચારવા જેવા છે. જેમકે.
(૧) પરપક્ષીને કેઈએ પણ કઈ જાતનું કઠિણ-આકરું વચન ન કહેવું. આ વચનને આશય બધા સારી રીતે સમજતા હશે પણ કેટલા પાળે છે?]
(૨) પરપક્ષીને તે જે ધર્મના હોય તે ધર્મનાં કાર્ય સર્વથા અનુમોદવા યોગ્ય નથી. એમ કોઈએ કહેવું નહિ. [ આવું “સર્વથા શબ્દવાળું ગભિતાશય કથન છતાં છેવટનું નિષધાત્મક કથન સમાધાન અર્થે સુંદર રીતે વપરાયેલ શું નથી?]
(૩) ગચ્છનાયકને પૂછ્યા વિના શાસ્ત્ર સંબંધી કોઈ નવી પ્રરૂપણું ન કરવી. [હમણાં ગચ્છનાયક કેટલા છે? શું સ્થિતિ છે તેને નિર્ણય કરે ઘટતું નથી ? ]
(૪) દિગંબર સંબંધી ચૈત્ય, કેવલ શ્રાદ્ધ એટલે શ્રાવકથી પ્રતિષ્ઠિત થયેલ ચૈત્ય અને વ્યલિંગીનાં દ્રવ્યથી નિષ્પન્ન થયેલ એમ એ ત્રણ જાતનાં ચિત્ય સિવાય બીજા સર્વ ચૈત્ય વાંદવા ગ્ય છે અને તેમાં કોઈ શંકા કરવી નહિ, આવી આજ્ઞાથી કોઈપણ ગચ્છનું ચૈત્ય માન્ય થયું છે એ આનંદદાયક બીના છે ]
(૫) સ્વપક્ષીનાં ઘરમાં પૂર્વોક્ત ત્રણ અવંદનિક પ્રતિમા હોય તે સાધુને વાસક્ષેપથી પૂજનિક થાય.
(૬) સાધુની પ્રતિષ્ઠા શાક્ત છે, [અમુક સાધવને માન આપનાર તેમની પ્રતિષ્ઠા કરે છે તેમાં બીજા સાધુવને માનાપમાન કંઈ હોઈ શકે?
(૭) સાધર્મિક વાત્સલ્ય કરતાં સ્વજનાદિક સંબંધથી પરપક્ષીને જમવા તેડવાથી તે સ્વામી વચ્છલ ફેકટ થતું નથી. આ પરથી એમ શું નથી થતું કે પરપક્ષીને સ્વજનાદિક સંબંધે નેતરી શકાય તેમજ પરપક્ષીને ત્યાં તેવા સંબંધે નેતર્યા જમવા જઈ શકાય ?
(૮) શાસ્ત્રમાં કહેલ જે સાત દેશ વિસંવાદી નિન્દવ અને એક સર્વ વિસંવાદી નિન્દવ મળી આઠ છે તે સિવાય બીજા કોઈને નિહ ન કહેવા. આ પરથી એક ગણ નો બીજા ગચ્છનાને નિહવ ન ગણી શકે ] - ૪ વિજયસેન સુરિ ( તપાગચ્છની પ૮ મી પાટે) જન્મ સં. ૧૬૦૪ નારદ પુરિમાં દીક્ષા ૧૬૧૩, બાદશાહ અકબરે તેમને “કાલિસરસ્વતિ એ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં ૧૬૭ જયેષ્ઠ વદિ ૧૧ સ્તંભ તીર્થમાં
+ હિરવિજય રિ. (તપાગચ્છની ૫૮ મી પાટે ) જન્મ સં. ૧૫૮૩ માર્ગશીર્ષ શુદી ૪ પ્રહલાદનપુરમાં, દીક્ષા પાટણમાં સં. ૧પ૮૬, વાચક્ષદ સ. ૧૬૦૮, સૂરિપદ સં. ૧૦, સ્વર્ગગમન સં. ૧ પર ના ભાદ્રપદ શુદિ 11 ને દિને ઉM (ઉના)માં થયું,