________________
સંવત સત્તરમા સૈકામાં જૈન સંઘની રિસ્થિતિ.
૪૬૯
(૯) પરપક્ષી સંધાતે ચર્ચાની ઉદીરણા કોઈએ ન કરવી [એટલે લેવા દેવા વગર ચર્ચા જગાડવી નહિ ] અને કોઈ પરપક્ષી ચર્ચાની ઉદીરણું કરે તો શાસ્ત્રાનુસાર ઉત્તર દેવે, પણ કલેશ વધે તેમ ન કરવું. [એટલે ગાળો ભાંડવી, કસિત વચન કાઢવાં એમ થવું ન જોઈએ)
(૧૦) જે ગ્રંથ શ્રી વિજયદાનસૂરિએ બહુ જન સમક્ષ જલશરણ કર્યો તે ઉસૂત્ર કંદદાલ ગ્રંથ માંહેનો અર્થ બીજાએ કોઈ ગ્રંથમાં આ હોય તે તે અર્થ ત્યાં અને પ્રમાણ જાણ, [આવી જ રીતે જે કોઈ ગ્રંથમાં અપ્રમાણ લખેલું હોય તે સિદ્ધ કરી બહુ જન સમક્ષ અપ્રમાણુ ભૂત તરીકે સિદ્ધ કરવો જોઇએ અને ત્યારપછી તેને અપ્રમાણભૂત જાહેર કરવો જોઈએ.]
(૧૧) સ્વપક્ષીય સાથ સાથે પરપક્ષીય હોય ને યાત્રા કરી હોય તે તેથી યાત્રા ફોકટ જતી નથી.
(૧૨) તથા પૂર્વાચાર્યોને સમયમાં જે સ્તુતિ સ્તોત્રાદિ કહેવાતાં હતાં તે બોલતાં કેઈએ ના ન કહેવી. [ અટકાવવા નહિ કે દોષ ન ગણવો. આમ હોય તે ત્રિસ્તુતિ ચ. તુર્થ સ્તુતિના ઝઘડા કેટલે અંશે વ્યાજબી છે?] - આ બોલથી અન્યથા પ્રરૂપનારને ગચ્છને તથા સંઘને ઠપકે છે સહી. ,
ઉપરોક્ત કુંદકુરાલના રચનાર ધર્મ સાગર ઉપાધ્યાયે પિતે તે ગ્રંથ જલશાયી કરવામાં સંમતિ આપી છે એ તેની અમમત્વ બુદ્ધિ ઐય પ્રત્યે ભાવના, અને સુજ્ઞતા સૂચવે છે. તે સમર્થ વિદ્વાન પુરૂષ હતા એ નિઃસંશય છે. તેમણે દરેક મતમતાંતરમાં જઈ તેનું ખંડન કરવા. માટે પુરુષાર્થ સારે સેવ્યો હોય એમ જણાય છે કારણ કે સં. ૧૬૧છે માં આષ્ટિક મસૂત્ર દીપિકા અને ત્યારપછી કુપક્ષ કૌશિક સહસ્ત્ર કિરણ નામને વિશાલ ગ્રંથ રચેલ છે. ૨. શાસન,
શ્રી હીરવિજય સૂરિ પરમ ગુરૂભ્યો નમસંવત ૧૬૫૮ વર્ષે શગુન સિત દસમી રે અહમદાવાદ નગરે શ્રી વિજયસેન સુરભિ લિંખ્યતે. સમસ્ત સાધ્વી શ્રાવક શ્રાવિકા યોગ્ય. ૧ સાધ્વીઈ વખાણું વેલાઓ આવવું અને આઠિમ પાખિયે આખો દહાડે આવે
તે ના નહિ. * ૨ તથા શ્રાવિકાએ પિણ વખાણનિ વેલા આવવું અને વખાણ ઉઠયા પછી શ્રાવિકા
વાંદવા આવે તે વાંદિને પાછિ વલે પણ બેસવું નહિ તથા ઉભા રહેવું નહિ તથા સાંજે દિવાનું કામ હોય તિહારે શ્રાવિકા ઉપાશા બાહિર બેસી સાંઝી દેવી તથા ઉપધાનની કીયા કરણહારિ શ્રાવિક સવ એકઠી મિલિને ઉપાશે આવવું અને તરત ક્રિયા કરીને જવું પણ બેસી ન રહેવું. તથા ગીતાર્થે માસ મળે આઠમ ચઉદાસી પંચમી એ છ દિવસને વિષેજ આલોઅણુ
દેવી કારણ વિના ૪ તથા પચાસ વર્ષ મધ્યવ િપન્યાવિકાને (?) આલોયણ દેવી નહિ ૫ તથા ઉત્તરાધ્યયન પ્રમુખ કાલિક સિદ્ધાંત સંભળાવ્યું જોઈએ તે સાંઝની પડિલેહણ
કર્યા પછી આઠમ પાખિને દિહાડે સંભલાવવું, કારણ વિના. ૬ તથા શ્રી વિજયદાન સુરીને વારે તથા શ્રી હીરવિજય સુરીને વારે જે ગ્રંથની થાપના
છે તે ગ્રંથ ગાનાયકની આજ્ઞાપૂર્વક ગીતાર્થે સો હોય તો તે પ્રવર્તાવવા તથા લિખાવવા, અન્યથા નહિ,