Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
તપગચ્છની પટ્ટાવલિ,
૩૩૩
શિષ્યપણે રહી ૩૦ વર્ષ યુગપ્રધાન, સર્વ આયુ ૧૦૦ વર્ષ સંપૂર્ણ લઘુગુરૂભાઈ શ્રી આર્ય સુહસ્તિને ગચ્છ ભળાવી જિન કલ્પની તુલના કરી વીરાત ૨૮૮ વર્ષે સ્વર્ગે ગયા.
વીરાત ૨૨૦ વર્ષે સામુચ્છેદિક નામ ચોથો નિન્યવ પ્રગટ થયો. વીરાત ૨૨૮ વ ગગવ નામે પાંચમો , ,
એવામાં આર્યસહસ્તી સૂરિ ભવ્ય જીવને પોપકારી થકા વિચરતાં શ્રી માલવ દેશે ઉજેણી નગરીમાં ભદ્રા નામે સાર્થવાહ પાસે વાહનશાલા યાચી ચોમાસું રહ્યા છે
ત્યાં નિત્ય સઝાય ધ્યાન કરે છે. એકદા શ્રીગુરૂ પ્રતિક્રમણ કરી પ્રથમ પિરસી નલિની ગુલ્મ વિમાન અધ્યયનની સઝાય કરે છે એટલામાં સાત ભૂમિએ ભદ્રા પુત્ર અવંતિ સુકમાલ નામે ૩૨ સ્ત્રી સાથે સુખ સાથે સુખવિલાસ કરતા થકા ગુરૂ કથક અધ્યયન મધુર સાદે સાંભળી એક ચિત્ત થકી જાત મરણ પામી નલિનીમુલ્મ વિમાનને દેવસુખ દીઠે. રાત્રીના વિલાસ મૂકી ઉતાવળો મેડી થકી ઉતરી ગુરૂને નમીને કહ્યું. સાધુજી ! તમે કહેલું નલિની ગુલ્મ વિમાનની દેવસુખ સાહિબીની વાત અહીં રહ્યા તમે કેમ જાણો છો? આર્યે કહ્યું. શ્રી જિન વચનાનુસારે ! કી પુત્રે કહ્યું પૂજ્ય! એ સુખ ભોગવી અહી હું ઉપ છું તે હવે કે એ સુખપુનરપિ કેમ પામું!” ગુરૂએ કહ્યું વ્રત લ્યો તે તે સુખ લહો ! ત્યા. તેણે ભદ્રા માતાની આજ્ઞા લઈ બત્રીશ કન્યા કટિ દ્રવ્ય તજી શ્રીગુરૂ હસ્તે દીક્ષા લીધી. ગુરૂને કહ્યું આ કઠીન દીક્ષામાં ઘણા દિવસ જાય તે સહેવાય નહિ, માટે અણુશણ કરું.! આ સાંભળી ગુરૂએ કહ્યું તમારા જીવને જેમ સુખને હેતુ હોય તેમ કરો. ગુરૂવચન તહત કહી જ્યાં સ્મશાન હતું ત્યાં કરી વનમાં કાઉસગ રહી અણુસણુ કીધું. માર્ગે જતાં કોમલપણુથી બંને પગે કાંટા કરના લાગવાથી લોહીનાં ટપકાં પડ્યા છે તેથી તેની ગંધથી રાત્રીને વિષે નવ પ્રસૂતા શિયાણી પોતાના પરિવાર સહિત જ્યાં અવંતિસુકમાલ સાધુ દેહની મૂચ્છ તછ કાઉસગ્ગ રહ્યા છે ત્યાં આવી બને પગથી માડી સઘળાં શરીરના ભક્ષણરૂપ મહા ઉપસર્ગ કર્યો. પણ તે મુનિ દઢ ચિત્તથી ધ્યાનમાં રહી આયુ સંપૂર્ણ થતાં ઉદારિક દેહ તજી સૌધર્મ રાજધાનીએ નલીની ગુલ્મ વિમાન દેવની સાહબી સાથે ઉપન્યાં એટલે માતાએ પુત્ર આયુ પૂર્ણ થયે ક્ષણભંગુર દેહ જેણી એક સગભાં વહુને ઘેર મૂકી ૩૧ વહુ યુક્ત ભદ્રાએ દીક્ષા આરાધિ દેવલોકે ગયા. ઘેર સગર્ભા સ્ત્રીએ પુત્ર જખ્યો. તેણે પિતા દમદ સ્થાનકે પ્રસાદ નિપજાવી શ્રી અવંતી નામે પાર્શ્વનાથને બિંબ સ્થાપ્યો તે સગતિને ભજનાર થયો. હવે શિયાણીને સંબંધ
અવંતિ સુકમાલ પહેલાં ત્રીજે ભવે માછીના અવતાર હતા. ત્યાં બત્રીશ હતી. તે માછીએ સાધુને ઉપદેશ સાંભળી શ્રાદ્ધ ધર્મ આરાધી મરણ પામ્યો. નલિની ગુલ્મ વિમાને દેવપણે ઉપન્યાં. ત્યાથી ચ્યવી કટિધ્વજ વ્યવહારિઆને ઘેર અવંતી સુકમાલ નામે પુત્રપણે ઉન્યાં. અને વડી સ્ત્રીને બીજે ભવે વણિકપુત્રી થઇ. પુનઃ ત્યાંની સ્ત્રી મટી અપમાની હતી તે વાવી થઈ ત્યાંથી મરણ પામી શિયાણી થઈ. તે વેરે ભક્ષણરૂપ મહા ઉપસર્ગ ર્યા. તે પાબિંબ આજ દિન સુધી સપ્રભાવ ઉજેણી નગરીએ છે. ઇતિ અવંતિ સુ. કમાલ સંબંધ દશપૂર્વ ધારક શ્રી આર્ય સુહસ્તી સૂરિ પુનઃ—જેને દીક્ષિત ભિક્ષુક જીવ તેની ઉપગારી તેણે થયા. શ્રીવીરાત્ બસે અને પંચ્યાસી વર્ષ સંપ્રતિ એવો નામને રાજા થયે, તેને સંબંધ કહે છે.