Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
શ્રી આનંદઘનજી.
૧૦૧ જે જે કહું તે કાન ન ધારે, આપ મને રહે કાલે; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મહારે સાલેહ.
કુંથુ ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને કેલે; બીજી વાતે સમર્થ જે નર, એહને કેઈ ન જેલે છે. કુંથ૦ ૭ મન સાધ્યું તેને સઘળું સાધ્યું, એહ વાત નહીં ખાટી; એમ કહે સારું તે નવિ માનું, એક હી વાત છે મેહેટી હે.
, કુંથુ ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું આનંદઘન પ્રભુ માહરૂં આણે, તે સાચું કરી જાણે હો.
હવે તેઓશ્રીના પદ માટે શું લખવાનું હોય? તેઓએ ૧૦૮ ઉપરાંત પદો રચ્યા છે અને તેનું વિવેચન શ્રી મોતીચંદ ગીરધરલાલ કાપડીયાએ સવિસ્તર કર્યું છે. ને તેમાંથી ૫૦ પદેનું વિવેચન છપાવ્યું છે. બાકીના ૫૮ પદોનું વિવેચનવ ળું સાહિત્ય શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાસે છે. તેઓ વહેલી તકે પ્રગટ કરશે એવી આશા છે. સુજ્ઞ વાચકને તે વાંચવા ભલામણું છે. અત્રે તે તેઓના પદમાંથી થેડા પદે રજુ કરી સંતોષ માનીએ છીએ. પદમાં વૈરાગ્યરસ, શાંતરસ, અધ્યાત્મજ્ઞાન, ભારોભાર ભરેલાં છે. તેઓશ્રીના ૧૦૮ પદનું વિવેચન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ કર્યું છે. શ્રી આનંદઘન પદ ભાવાર્થ સંગ્રહ, પ્રકાશક શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ ત્રીજી આવૃત્તિ જે વાંચવાથી આનંદ ઉત્પન્ન થાય અને વૈરાગ્ય પેદા થાય અને નિશ્ચય અને વ્યવહાર દષ્ટિથી જે વિસ્તારથી વિવેચન કર્યું છે તે અવશ્ય વાંચવા જેવું છે. શ્રી આનંદઘનજીના સ્તવને ઉપર પ્રખર વિદ્વાને પૂર્વોચાય શ્રી