________________
૮૨૯
દસ પ્રકારના એષણાદોષો
(૭) પંડક - નપુંસક. (૮) મત્ત- દારૂના નશાવાળો. (૯) કૂણિક - કુન્જ. (૧૦) ખંજ - પગ વિનાનો (૧૧) વરિત - રોગી (૧૨) ખાંડતો - ખાંડણી-દસ્તાથી જે સચિત્તને ખાંડતો હોય તે. (૧૩) પીસતો - પથ્થર ઉપર તલ, મીઠું, જીરુ વગેરે પીસતો હોય તે. (૧૪) લોઢતો - યંત્રથી કપાસના બીજ કાઢતો હોય તે. (૧૫) પિંજતો - પિંજવા વડે રૂને કોમળ બનાવતો હોય તે. (૧૬) કાંતતો - રૂની પૂણીઓમાંથી દોરા બનાવતો હોય તે. (૧૭) વિલોક - બે હાથથી વારંવાર રૂને સૂક્ષ્મ કરતો કે દહીં વગેરેને મથતો. (૧૮) રજસ્વલા - માસિક કાળમાં હોય તે. (૧૯) સબાલા - સ્તનપાન કરતા બાળકવાળી. (૨૦) ગર્ભિણી - આઠ મહિનાના ગર્ભવાળી.
(૭) ઉન્મિશ્ર - આપવા યોગ્ય એવી સાકર વગેરે વસ્તુ આપવા માટે અયોગ્ય એવા સચિત્ત દાણા વગેરેની સાથે એક કરીને અપાય તે ઉન્મિશ્ર દોષ છે. અહીં એક કરવું એટલે માત્ર ભેગું કરવું. આ દોષમાં પણ ચાર ભાંગા છે – (૧) સચિત્તની સાથે સચિત્ત મિશ્ર. (૨) અચિત્તની સાથે સચિત્ત મિશ્ર. (૩) સચિત્તની સાથે અચિત્ત મિશ્ર. (૪) અચિત્તની સાથે અચિત્ત મિશ્ર. આમાં પહેલા ત્રણ ભાંગા ન કલ્પ, ચોથો ભાંગો શુદ્ધ છે.
(૮) અપરિણત - આપવાની વસ્તુ અચિત્ત ન હોય તે. અથવા સંઘાટક બે સાધુમાંથી એક સાધુને અશન વગેરે નિર્દોષ લાગે અને બીજાને સદોષ લાગે છે.
(૯) લિસ - મધ, દહી, દુધ, છાશ વગેરેથી ખરડાયેલું આપે તે લિમ દોષ છે. (૧૦) છર્દિત - ભૂમિ ઉપર ઢોળતા ઢોળતા વહોરાવેલું ગ્રહણ કરાય તે છર્દિત દોષ છે.
આ છર્દિત દોષ મળવાથી પૂર્વે કહેલા બેતાલીસ દોષ થાય છે. અહીં વારક મંત્રીની કથા પૂર્વે કહી જ છે. સોળ ઉદ્ગમના દોષો ગૃહસ્થને લીધે થાય છે, કેમકે પ્રાયઃ ગૃહસ્થો