Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 350
________________ પ્રસ્તુત કુલકનો ઉપસંહાર ૧૧૪૧ ગુરુ બહુમાન એ જ મોક્ષ છે, કેમકે ગુરુબહુમાન એ મોક્ષનું અવંધ્ય કારણ છે. ગુરુબહુમાનથી પરમગુરુ(પરમાત્મા)નો સંયોગ થાય છે. પછી શંકા વિના સિદ્ધિ થાય છે.' ગુરુની આશાતના કરનારા ગોશાળો, જમાલી વગેરેની જેમ સંસારમાં ભમે છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે - આચાર્ય ભગવંત અપ્રસન્ન થવા પર અબોધિ (સમ્યક્ત્વનો અભાવ) થાય છે અને આશાતના થવાથી મોક્ષ થતો નથી. તેથી મોક્ષના અભિલાષી સાધુએ ગુરુને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો. (૯/૧/૧૦) ગુરુબહુમાન એ મોક્ષનું અવંધ્ય કારણ છે. ગુરુબહુમાન એ મોક્ષનું સાધકતમ કારણ છે. ગુરુબહુમાન એ મોક્ષનું અનન્યથાસિદ્ધ કારણ છે. બીજા કારણો હોવા છતાં પણ ગુરુબહુમાન હોતે છતે જ મુક્તિ થાય છે, ગુરુબહુમાન ન હોવા પર મુક્તિ થતી નથી. ગુરુબહુમાન હોતે છતે અન્ય કારણો હોય કે ન હોય, મોક્ષ થાય છે. આમ સિદ્ધિની સિદ્ધિ માટે ગુરુબહુમાન ખૂબ આવશ્યક છે. ગુરુબહુમાનનું માહાસ્ય જાણવા રત્નસિંહસૂરિજીએ રચેલ શ્રીધર્માચાર્યબહુમાનકુલક અને મેં રચેલ તેની વૃત્તિ જોવા. વૃત્તિ સહિત આ કુલકને ભણીને બધા ગુરુનું માહાસ્ય જાણીને પોતાના હૃદયમાં ગુરુબહુમાનને પ્રતિષ્ઠિત કરીને શીધ્ર પરમપદને પામો એમ હું ઇચ્છું છું. (૪૦) वह-मारण-अब्भक्खाणदाण-परधणविलोवणाईणं। सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसि कयाणं ॥ तिव्वयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा ॥ વધ, મારણ, આળ આપવું, બીજાનું ધન હરવું વગેરે એકવાર કરાયેલાનો સૌથી ઓછો ઉદય દસગણો છે, અતિ તીવ્ર પ્રક્વેષ થવા પર સોગણો, લાખ-કરોડગણો, કરોડ કરોડગણો કે તેથી પણ વધુ ઉદય છે. जाणइ अ जहा भोगिड्डिसंपया सव्वमेव धम्मफलं । तह वि दढमूढहियओ, पावे कम्मे जणो रमई ॥ લોકો જાણે છે કે ભોગ-ઋદ્ધિની સંપત્તિ એ બધુ જ ધર્મનું ફળ છે, છતાં દઢ રીતે મૂઢ હૃદયવાળા થઈને તેઓ પાપકાર્યોમાં રમે છે.

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402