Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૦
હોય અને વાંચતું હોય તે રીતે,
......................................................................
|
એમ છુટું છુટું વાંચવું. ધીમે ધીમે અભ્યાસ વધતાં શીઘ્ર વાંચતી વેળા પણ ઉચ્ચારણ અને દ્રષ્ટિનો ઉપયોગ સાથે રહેશે. આ રીતે વાંચીને જાપનો અભ્યાસ ચાલુ રહેતાં થોડા સમય પછી આંખો બંધ કર્યા પછી પણ અક્ષરો દેખાવા માંડશે. તે પછી હ્રદયરૂપી કોરા કાગળ ઉપર ધ્યાનરૂપી કલમ વડે પોતાના નામની જેમ પંચપરમેષ્ઠિના નામને લખતા હોઇએ તેવી રીતે એકાગ્રતાથી જાપ કરવો. શરૂઆતમાં આવી એકાગ્રતા ન આવે તો પણ ધ્યેય તો તે જ રાખવું જેથી દિન-પ્રતિદિન સ્થિરતા વધતી જશે.
અક્ષરો જોવા માટેની બીજી રીત
ઉપરની રીત મુજબ જાપ નિયમિત કરવા ઉપરાંત નેત્રો બંધ કરીને અક્ષરો નજર સમક્ષ લાવવા માટે બીજા પણ પ્રયોગો છે. જેમ કે-નેત્રો બંધ કરીને સામે એક કાળું પાટીયું ધારવું, પછી ધારણાથી જ હાથમાં ચાકનો કકડો લઇને તેના ઉપર નમસ્તે' એમ ધારણાથી લખવું એટલે લખેલું દેખાશે. ન દેખાય ત્યાં સુધી ફરી ફરીને એ રીતે પ્રયત્ન કરવો. પછી `અરિહંતનું' લખવું. ફરી ફરી પ્રયત્ન કરવાથી તે દેખાશે. આ રીતે નવે પદો માટે પ્રયત્ન કરવો, અક્ષરો જોવા માટે આવો પ્રયત્ન દરરોજ થોડો વખત કરવો અને પ્રયત્નની સાથે પ્રથમની રીત પ્રમાણેનો જાપ પણ ચાલુ જ રાખવો.
(અક્ષરો ન દેખાય તો પણ તે દેખાય છે તેવો જ ભાવ રાખવો, ધીમે ધીમે મનથી - ઉપયોગથી સ્પષ્ટ અક્ષરો દેખાશે.)
=
અક્ષરો સફેદ ચળકતા દેખાવા શરૂ થાય ત્યારે સાધનાની શરૂઆત થઇ છે તેમ સમજવું, અક્ષરો દેખાય ત્યારે નમસ્કાર મંત્ર સાથે સંબંધ બંધાય છે. આપણા આત્મપ્રદેશોમાં અક્ષર ધ્યાનથી એક કંપન થાય છે, જેનાથી અનાદિના મોહનીય કર્મના સંસ્કારો મંદ થવા માંડે છે અને આત્માનું શુદ્ધ ચૈતન્ય જે જગતનું સર્વોત્કૃષ્ટ મંગળ છે તે દિશામાં વિકાસ થાય છે.
આ વિષયમાં વાંચન કરવા માટે યોગ શાસ્ત્ર' અને 'વીતરાગ સ્તોત્ર' ઉપર લક્ષ્ય આપવું. શાસ્ત્રીય જ્ઞાન મેળવવા માટે `નવતત્ત્વ'નો અભ્યાસ કરી લેવો તેમજ જીવન નિયમિત રાખવું અને સાધનાને કેન્દ્રમાં રાખીને ચાલવું. આ રીતે વાર્તાલાપ થઇ રહ્યો છે એ દિવસોમાં ગુરુ મહારાજની કૃપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org