Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૩૯ અને મન કામ નહીં કરે તો આત્મા તો છે જ. આત્માથી હું પરમાત્માને પકડી રાખીશ, પણ ભગવાનને નહિ છોડું.”
આ વાત સાંભળતાં આપણું હૃદય તેમના ચરણ કમળમાં ઢળી પડે છે.' મન, વાણી અને કાયા કામ નથી કરતાં - તો આત્મા વડે પરમાત્મ સ્વરૂપને પકડી રાખવાનો દિવ્ય અને મનોહર ભાવ આવા સંતોમાં જ જોવા મળે છે. ધન્ય છે આવા પ્રભુમય જીવન જીવનાર સંત પુરુષને ! તેમના હૃદયમાં ભગવાન સાથે કેવી પ્રીતિ, ભકિત અને અભેદ સધાયો હશે ! પોતે - આત્મસ્વરૂપ છે-તે કેટલું ભાવિત થયેલું હશે ! મન, વાણી અને કાયાથી આત્માનું ભેદજ્ઞાન કેટલું અધ્યાસ રૂપ બની ગયું હશે ! મન, વાણી અને કાયા ન હોય તો આત્મા તો બેઠો જ છે તે ઉદ્ગારો કેટલા મહાન છે !
એક સંત પુરુષને મુમુક્ષુએ પૂછયું – “ક્યાં રહેવું ?” સંત પુરુષ - “ભગવાનમાં” મુમુક્ષુ - “ભગવાનમાં કોઈ રહેતું હશે ? સાચું કહો ?” સંતપુરુષ - “સાચું હતું તે કહ્યું. હવે તું કહેતો હોય તો ખોટું કર્યું.”
બસ, આ જ વસ્તુ પૂ. ગુરુમહારાજમાં જોવા મળી. “આત્માથી હું ભગવાનને પકડી રાખીશ.” કેટલું અદ્ભુત ! “તેને નહીં છોડું” - તે તો તેનાથી પણ અતિ અદ્ભુત ! સાચે જ તેમનું અહ, અહમાં ફેરવાઈ ગયું હતું. સંતો પરમાત્મામાં જ વસતા હોય છે.
---*--- પૂ. ગુરુમહારાજે સાધકને કેટલાક નિયમો પાળવા માટે કહેલું, જે તેમની આજ્ઞા મુજબ ચાલુ છે.
પહેલો નિયમ પૂ. ગુરુમહારાજ - (૨૦૧૪ - ચૈત્ર વદી એકમથી) | “બેસણાનું પચ્ચખ્ખાણ રાખવું. આ એક જ પચ્ચખ્ખાણથી રાત્રિભોજન, અભણ્ય, સચિત્ત વસ્તુનો ત્યાગ, ઊભા ઊભા ખાવું, પાણી પીવું વગેરે એક સાથે બંધ થાય છે. વારંવાર ખાવાથી શારીરિક નુકસાન પણ થાય છે. ઉકાળેલા પાણીથી એક સાથે ઘણું નિયમન થઈ જાય છે.”
સાધક – “ક્યાં સુધી બેસણાનું પચ્ચખ્ખાણ ચાલુ રાખવું ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org