Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 301
________________ ૨૫૮ ૩૧. સામાયિક સામાયિક સિવાય કેવળજ્ઞાન નથી. સામાયિક આત્મા છે . સામાયિક જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્વરૂપ છે. સામાયિક એ વનો ઉપયોગ છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. સામાયિક આપણો સ્વભાવ છે. આપણું સ્વરૂપ છે. તેથી તેને શુદ્ધ સામાયિક પ્રાપ્ત થઈ શકે છે. અનાદિ કાળથી વિભાવમાં રહેલા આત્માને સ્વભાવમાં સામાયિક દ્વારા લાવી શકાય છે. સામ, સમ, સમ્મ (સમ્યકત્વ) ત્રણ પ્રકારનું સામાયિક છે. ઉપયોગ લક્ષણ આત્મા છે. પણ તે ઉપયોગને આત્મામાં રાખી શકતા નથી, માટે જેનો ઉપયોગ આત્મામાં અવસ્થિત છે તેને નમસ્કાર કરવો. સામાન્ય ધર્મ ગ્રહણ કરવાથી સામાયિકમાં રહી શકાય છે. વિશેષ ધર્મના વિચારથી રાગ દ્વેષ - વિકલ્પ થાય છે. અનંત તીર્થંકર ગણધરોએ સેવેલું સામાયિક આજે આપણને મળ્યું છે. સામાન્યના પાયા ઉપર વિશેષનો મહેલ છે. સર્વ જીવમાં વત્વ છે, તે પહેલો એકડો છે. બધા વિકલ્પો શાન્ત કરવા માટે આત્માનું આલંબન કરવું. પરિગ્રહ વિરમણ વ્રત સાધુએ લીધા પછી આહાર ઉપધિ અને શરીર રહે છે, તેને પણ સાધુ વોસિરાવે છે. શરીર ઉપર પણ મુર્દા છોડી પણ મનની મુર્દા છોડવી મુશ્કેલ છે.વિચારોનું મમત્વ, પક્કડ, પરિગ્રહ છોડવાનું સૂત્ર “તમેવ સચ્ચે નિઃશંક જું જિણેહિં પવેઈઅં” મનને કોઈ દેખતું નથી, એટલે મનમાં ગમે તેટલો ક્ચરો હોય તો કંઇ લાગતું નથી. તે મનનો પરિગ્રહ છે. બીજાની વિષ્ટા એ વિષ્ટા લાગે છે પોતાની નથી લાગતી, માટે ભગવાને કહ્યું તે જ સાચું, તે સિવાયનું મારૂં બધું ખોટું. આપણા મનના ભાવોને અને આપણને ભગવાન જાણે છે, જુએ છે એવું આપણે મતિ શ્રુતજ્ઞાનથી જાણ્યું. છતાં પોતાના દોષ કાઢવા તૈયાર નથી થતાં. તેમ જ જ્ઞાની ગુરૂ કહે તે કરવા તૈયાર નથી થતા. પણ પોતાના મનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342