SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ૩૧. સામાયિક સામાયિક સિવાય કેવળજ્ઞાન નથી. સામાયિક આત્મા છે . સામાયિક જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્વરૂપ છે. સામાયિક એ વનો ઉપયોગ છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. સામાયિક આપણો સ્વભાવ છે. આપણું સ્વરૂપ છે. તેથી તેને શુદ્ધ સામાયિક પ્રાપ્ત થઈ શકે છે. અનાદિ કાળથી વિભાવમાં રહેલા આત્માને સ્વભાવમાં સામાયિક દ્વારા લાવી શકાય છે. સામ, સમ, સમ્મ (સમ્યકત્વ) ત્રણ પ્રકારનું સામાયિક છે. ઉપયોગ લક્ષણ આત્મા છે. પણ તે ઉપયોગને આત્મામાં રાખી શકતા નથી, માટે જેનો ઉપયોગ આત્મામાં અવસ્થિત છે તેને નમસ્કાર કરવો. સામાન્ય ધર્મ ગ્રહણ કરવાથી સામાયિકમાં રહી શકાય છે. વિશેષ ધર્મના વિચારથી રાગ દ્વેષ - વિકલ્પ થાય છે. અનંત તીર્થંકર ગણધરોએ સેવેલું સામાયિક આજે આપણને મળ્યું છે. સામાન્યના પાયા ઉપર વિશેષનો મહેલ છે. સર્વ જીવમાં વત્વ છે, તે પહેલો એકડો છે. બધા વિકલ્પો શાન્ત કરવા માટે આત્માનું આલંબન કરવું. પરિગ્રહ વિરમણ વ્રત સાધુએ લીધા પછી આહાર ઉપધિ અને શરીર રહે છે, તેને પણ સાધુ વોસિરાવે છે. શરીર ઉપર પણ મુર્દા છોડી પણ મનની મુર્દા છોડવી મુશ્કેલ છે.વિચારોનું મમત્વ, પક્કડ, પરિગ્રહ છોડવાનું સૂત્ર “તમેવ સચ્ચે નિઃશંક જું જિણેહિં પવેઈઅં” મનને કોઈ દેખતું નથી, એટલે મનમાં ગમે તેટલો ક્ચરો હોય તો કંઇ લાગતું નથી. તે મનનો પરિગ્રહ છે. બીજાની વિષ્ટા એ વિષ્ટા લાગે છે પોતાની નથી લાગતી, માટે ભગવાને કહ્યું તે જ સાચું, તે સિવાયનું મારૂં બધું ખોટું. આપણા મનના ભાવોને અને આપણને ભગવાન જાણે છે, જુએ છે એવું આપણે મતિ શ્રુતજ્ઞાનથી જાણ્યું. છતાં પોતાના દોષ કાઢવા તૈયાર નથી થતાં. તેમ જ જ્ઞાની ગુરૂ કહે તે કરવા તૈયાર નથી થતા. પણ પોતાના મનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy