SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ આવે તે જ કરે છે તે મનનો પરિગ્રહ છે. મનનો પરિગ્રહ મોટો છે તેવું માને તે આગળ વધે છે. બધા જીવોને આપણા સમાન રાખતા શીખીએ તો પૂર્ણ અહિંસા પાળી શકાય. જિનશાસન એ જીવશાસન છે. જીવને હિત કરનારૂં અને પુદ્ગલને હાર કરનારૂં છે. આર્ત્ત રૌદ્ર ધ્યાન મનની ગુલામી છે. આત્મા રાજા છે, ઇન્દ્રિયો નોકર છે. તે નોકરની આપણે ગુલામી કરીએ છીએ. ભગવાનથી કોઈ ચીજ છાની નથી, ભગવાન આપણને જુએ છે તે સાક્ષીએ કાર્ય કરીએ તો મન ગટર જેવું છે તે ગંગા જેવું બની જાય. બધી નદીઓ ગંગા જેવી હોવા છતાં સમુદ્રમાં જાય છે. આપણી પણ તે જ દશા છે. તે ખાચ સાગરને શોષવા માટે સામાયિક છે. ૩૨. જિનવચન જિનવચન ત્રણ વચન કહે છે. જીવ અનાદિ છે, અનાદિ કર્મના સંબંધમાં છે. તેથી અનાદિથી સંસારમાં ભટકે છે. તેમાંથી છૂટવા ચાર શણ, સુકૃત અનુમોદન, દુષ્કૃત ગણ્યું. અરિહંતાદિમાં શરણ આપવાની શક્તિ છે તેવી શ્રદ્ધા રાખવી તે સૌથી મહત્ત્વનું છે. કર્મના નિયમની શ્રદ્ધા થયા પછી ધર્મના નિયમની શ્રદ્ધા અતિ જરૂરી છે. અરિહંત ધર્મનું મૂળ છે, સિદ્ધ ધર્મનું ફળ છે. સાધુ ધર્મનું સ્વરૂપ છે. શરણ લેવામાં મનને મારવું પડે છે. શરણ તે આત્માને આપે છે. આપણા આત્માનું સ્મરણ પંચ પરમેષ્ઠિ કરતા હતા તેવું આપણે સ્મરણ કર્યું તે શરણાગત કહેવાય. આપણે તેમનું સ્મરણ કર્યું એટલે આપણો ઉપયોગ તેમનામાં ગયો. તેથી આપણો ઉપયોગ શુભ થયો. વધારે એકાગ્રતા થાય તો શુદ્ઘ ઉપયોગ થાય. આપણા દોષને ટકાવનાર આપણા સિવાય કોઈ જ નથી. આપણા ગુણને લાવવામાં અટકાવનાર આપણા સિવાય કોઈ જ નથી. મનને મારવું તે તપ છે. મનની ઈચ્છાથી રિ ત થવાની ઇચ્છા, તે મોક્ષનો માર્ગ છે. મનને મારવા માટે મનને બીજે કયાંય બાંધવું પડે છે. ઇચ્છા રોગનું ઔષધ આજ્ઞા છે. પ્રત્યેક ક્રિયા આજ્ઞા પાલનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy