Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૬૪
જ્વોનું વત્વ છે તેના ઉપર નજર જશે ત્યારે ધર્મધ્યાન થશે. જીવત્વ સામાન્યના પાયા પર જીવને હિતકારી પ્રવૃત્તિ થાય છે. આપણે પ્રત્યેક પર્યાયમાં જીવ છીએ. જીવ ધ્રુવ, શાશ્વત, અખંડ, નિર્વિકાર છે તે શુકલ ધ્યાનનો પહેલો પાયો (ઉર્ધ્વતા સામાન્ય).
અનંત વખત આપણે (પર્યાય) અનંત પીડા ભોગવી, અનંત વખત સ્વર્ગના સુખ ભોગવ્યાં, છતાં આપણે જીવ રૂપે કાયમ રહ્યા તે ઉર્ધ્વતા સામાન્ય છે.
સામાન્યમાં મોક્ષ છુપાયો છે. તેની કાંઈ કિંમત નહિ તેનું નામ દર્શન મોહનીય છે.
દર્શનાવરણીય કર્મના કારણે બોધ થતો નથી. તે મુજબ વૃત્તિ ન થવા દેવી તે દર્શન મોહનીય. તે પ્રમાણે પ્રવૃત્તિ ન થવા દેવી તે ચારિત્ર મોહનીય. વિશેષ ટપકાં છે-બિન્દુ છે. સામાન્ય મહાસાગર છે. તે બિન્દુને સાગરમાં ભેળવીએ.
પર્યાય બિન્દુ છે, જીવદ્રવ્ય મહાસાગર છે.
પર્યાયને દ્રવ્યમાં ભેળવવું તે મોક્ષ છે.
આત્મા આત્મા વડે આત્મામાં જાય તે શુકલ ધ્યાનનો પહેલો પાયો છે. આત્મા, ગુણ પર્યાયવાન છે તે શુકલ ધ્યાનનો પહેલો પાયો.
ગુણ પર્યાય આત્મામાં ભળી જાય. આત્મા એક જ રહે તે બીજો પાયો શુકલ ધ્યાનનો છે.
ઉત્પાદ ધ્યય ધ્રૌવ્ય યુક્ત તત્ સત્.
ફળમાં જે આવ્યું તે મૂળમાં છે.
બધા સામાન્યમાં મહા સામાન્ય ‘સત્’ છે, જે ઉત્પાદ વ્યય ધ્રૌવ્યરૂપ છે.
વિશેષથી રાગ દ્વેષરૂપ વિકલ્પ થાય છે.
નિર્વિકલ્પ થવા માટે સામાન્ય જોઈએ.
સામાન્ય ઉપરનો ભાવ તે સામાયિક છે. વિશેષમાંથી સામાન્યમાં જવું
તે સામાયિક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org