Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૧૨ સમાધિ વિચાર ગ્રંથમાં બારમા દેવલોકના દેવનું દષ્ટાંત આવે છે. બારમા દેવલોકનો દેવ કૌતુકથી જગત ઉપર શું ચાલે છે તે જોવા માટે પૃથ્વી ઉપર આવ્યો અને રેક મનુષ્યનું રૂપ ધારણ કર્યું. એક નગરમાં નાનકડું ઘર વસાવીને પુત્ર, પુત્રી, સ્ત્રી આદિ પરિવાર સાથે રહે છે. જંગલમાંથી લાકડાં લાવી કિઠિયારાનું જીવન જીવે છે. કોઈ વખત મજૂરી કરવા પણ જાય છે. કોઈ દિવસ ભીખ માંગવા પણ જાય છે. કોઈ વખત વેપાર કરવા પણ જાય છે. પરદેશી રાજાએ નગરને ઘેરો ઘાલ્યો. લોકો નગરમાંથી નાસવા લાગ્યા. આપણા આ બારમા દેવલોકના દેવ પણ નગરમાંથી નિકળીને જંગલમાં જાય છે. એક પુત્રને ખભા ઉપર લીધો, બીજાને હાથ ઉપર લીધો, સ્ત્રીના માંથે સામાનનું એક પોટલું ઉપડાવ્યું; બીજું પોટલું પોતાને માથે ઉપાડીને જંગલમાંથી પસાર થઈ. એક નાનકડા ગામમાં આવી વસે છે. મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ પ્રમાણે જગતમાં અનેક પ્રકારના ખેલ કરતી વખતે તેના મનમાં શું વિચારે છે?
મેં તો બારમા કલ્પકો, દેવ મહા ઋદ્ધિવંત; અનુપમ સુખ વિલસું સદા, અદ્ભુત એહ વિરતંત. એચેષ્ટા જે મેં કરી, તે સવિ કૌતુક કાજ; રંક પર્યાય ઘારણ કરી, તિનકો એ સવિ કાજ. જેમ સુર એહ ચરિત્રને, નવિ ધરે મમતા ભાવ દીન ભાવ પણ નહિ કરે, ચિંતવે નિજ સુર ભાવ.
(સમાધિ વિચાર)
આપણા આ બારમા દેવલોકનો દેવ પૃથ્વી ઉપર અનેક અવસ્થામાંથી પસાર થતાં અંદર વિચારે છે કે- હું તો બારમા દેવલોકનો દેવ છું' આ પરિસ્થિતિમાંથી પસાર થતાં તેને દીનપણું નથી, અને કોઈ આસકિત પણ નથી. કારણ કે હું બારમા દેવલોકનો મહાન સુખી દેવ છું તેવું મનમાં ધારણ કરે છે. તેને પરિસ્થિતિનું સુખદુઃખ કે રાગદ્વેષ નથી.
આ પ્રમાણે આપણે પણ પરવશપણે જયારે કર્મના કારણે અનેકવિચિત્ર સંજોગો ઉપસ્થિત થાય, તે વખતે તેમાં સુખદુઃખ કે રાગદ્વેષ ન કરતાં અંદરથી વિચારીએ કે – “ભગવાન સીમંધરસ્વામી પરમાત્માએ કહ્યું છે તે મુજબ હું સત્તાએ શુદ્ધ, સચ્ચિદાનંદ સ્વરૂપ - અનંત સુખ અને આનંદનો પરમ ભંડાર છું. અચિત્ય શક્તિનો સ્વામી છું. કેવળજ્ઞાન આદિ અનંત ગુણ - લક્ષ્મીનો નિધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org