Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૩૭ શિષ્યોને કેટલા પ્રેમથી આપે છે ? શ્રુતજ્ઞાનનું દાન એ સૌથી કિંમતી દાન છે. ધન્ય છે આવા ગુરૂભગવંતને !
૮. અરિહંત સાથે એકાકાર થવાની અનોખી કળા ' પ્રભુના નામ સ્મરણ – પ્રેમ દ્વારા આત્મ સાક્ષાત્કારની દિવ્ય પ્રક્રિયા
ઘણી વખત નીચે જણાવેલ તત્ત્વની વિચારણા પૂ. ગુરુ મહારાજ રજુ કરતા. તેનો ટૂંક સાર આ પ્રમાણે છે.
ચોવીસ કલાક પરમાત્માની હાજરીની અનુભવ કરવાની પ્રક્રિયા.
પરમાત્મા અનંત શકિતથી પૂર્ણ છે. સર્વ હિતકર, સર્વ મંત્રમય, સર્વ તેજોમય, સર્વ રહસ્યમય છે. તે સદા આપણું હિત કરવા માટે તત્પર છે. આપણા અંદર રહેલી દુષ્ટ વૃત્તિઓનો નાશ કરવા માટે, આપણા અંદર રહેલા અનાદિના મોહના સંસ્કારોનો ધ્વંસ કરવા માટે, આપણા અંદર રહેલી વિષય, કષાય અને સ્વાર્થની અધમ પરિણતિનો નાશ કરવા માટે પરમાત્મા તેમના અતુલ બળ વડે તત્પર છે.
નામ હે આવી મળે, મન ભીતર ભગવાન, મંત્ર વડે જેમ દેવતા, હાલો કીધો આછુવાન.
પરમાત્માના સ્મરણ માત્રથી તેમની શિવશકિતનું આપણામાં અવતરણ થાય છે. આપણે સ્મરણ કરીએ છીએ ત્યારે આપણા મનમાં તેમનું આગમન થાય છે. આપણા આત્મ પ્રદેશોમાં તેમનું આગમન થતાં તેની અચિંત્ય શકિત - આપણા મિથ્યા મોહનો ધ્વંસ કરે છે. તે આપણું મૂળ રૂપે પ્રગટ કરવા માટે સક્રિય રીતે કાર્યશીલ છે - તેવું સ્વીકારવું અને અનુભવવું તે સાધના માર્ગમાં અત્યંત ઉપયોગી છે.
મિથ્યા મોહ રૂપ અંધકારનો નાશ કરવો અને અનંતકલાનિધાન આત્મસ્વરૂપનું દર્શન કરાવવું તે પરમાત્માના અસ્તિત્વ માત્રથી થનારૂં સ્વાભાવિક કાર્ય છે. જેવી રીતે સૂર્યના અસ્તિત્વ માત્રથી અંધકારનો નાશ અને પ્રકાશનો અનુભવ સૂર્યની સ્વાભાવિક શકિતથી થાય છે, તે રીતે જ નામ સ્મરણરૂપ મંત્રના આહ્વાહનથી પધારેલા પરમાત્માનું આપણા આત્મપ્રદેશોમાં અસ્તિત્વ માત્ર જ આપણા સર્વ અજ્ઞાન - મિથ્યા મોહ આદિ અંધકારનો નાશ કરે છે અને આપણા સત્ ચિત્ આનંદ સ્વરૂપના પ્રકાશનો અનુભવ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org