Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૫૩
હું મારા આત્માથી પરિપૂર્ણ તૃપ્ત બન્યો છું.
આત્માના અનુભવરસના પરમ આનંદમાં તૃપ્ત બનીને હું સ્થિરતાપૂર્વક તે આનંદ અનુભવું છું. (થોડી ક્ષણ સ્થિરતાપૂર્વક ધ્યાન કરીને
આનંદ અનુભવવો...............
આ કાળની ‘આલિ’ જે પ્રવાહથી અનંત છે, તે આત્માના જ્ઞાન અને આનંદની તૃપ્તિમાં જ વહી જાઓ તેવી પરમાત્માને ભાવપૂર્વકની મારી પ્રાર્થના છે.............
મને માર્ચ આત્મામાં જ સદા આનંદ રહો.......
મારા આત્માનું સ્મરણ કરાવનારા પૂર્ણાનંદને પામેલા પરમાત્માનું જ મને નિરંતર સ્મરણ રહો............
.............. (આ રીતે
સર્વ જીવોને પણ આત્મ-સ્વરૂપનો આનંદ મળો. પાંચ ધારણાનો નિત્ય અભ્યાસ કરવો.).........
आत्माहं सच्चिदानंदो, ज्ञान दर्शन लक्षणः । शुद्धात्म द्रव्य मेवाहं, शुद्ध ज्ञान गुणो मम ॥ सिद्धात्मा शुद्ध रूपोस्मि, ज्ञान दर्शन लक्षणः । (શુદ્ધઉપયોગ તથા જ્ઞાનસાર, ગ્રંથ)
ધ્યાન પૂરૂં થયા પછીની પરમાત્માને પ્રાર્થના :પ્રભુ છો ત્રિભુવનનાથ, દાસ હું તાહરો, કરૂણાનિધિ ! અભિલાષ અ છે મુજ એ ખો; આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો, ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધો. (શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન.)
(૬) ઉપરનો પ્રયોગ કરીને પછી પરમાત્માના મીલન માટે તૈયાર થવું. (૭) “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.” (આનંદઘનજી કૃત સ્તવન)
(૮) પ્રભુને ભેટી પડવું તે અરિહંતાકાર ઉપયોગ છે. પ્રભુ સાથે ગાઢ આલિંગન તે ઉપયોગ આકાર આત્મા છે. પ્રભુ અનુભવ પ્યાલો પીવડાવે છે તે જ આત્મસાક્ષાત્કાર છે.
આવા અનુભવ માટે જ્ઞાની પુરુષોએ પોતાને સ્ત્રી રૂપે અને પ્રિયતમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org