Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
થયો. સાધક માટે જાહેરમાં જવાનો પ્રથમ પ્રસંગ હતો. તે સમયે શ્વસુરગૃહે જતી પુત્રીને માતા-પિતા શિખામણ આપે તેવી રીતે જાહેર જીવનમાં આવતાં વિપ્નો, તેમાં ધ્યાન રાખવા જેવી મહત્ત્વની વાતો સમજાવી.
(૧) જ્યારે પણ જાહેર પ્રસંગમાં જવાનું થાય ત્યારે આપણે બીજા ઉપર ઉપકાર કરીએ છીએ - તે વિચારને ગૌણ કરીને આપણા ઉપર બીજાઓનો ભાવોપકાર થઇ રહ્યો છે તેની કદર કરતાં શીખવું જોઇએ. જે સમય આપણો નિરર્થક જવાનો હતો, તે પ્રભુ ભક્તિ દ્વારા સાર્થક કરવાની તક સિદ્ધચક્ર પૂજન આદિ પ્રસંગોમાં મળે છે. શ્રી સંઘનો તેમાં આપણા ઉપર ભાવોપકાર થાય છે, તે ભાવને મુખ્યતા આપવી.
(૨) બહુમાન, સન્માનના પ્રસંગો આવે ત્યારે કોઇપણ વસ્તુ સ્વીકારવી નહીં, માત્ર શ્રીફળ જ સ્વીકારવું.
શ્રીફળ શા માટે?
શ્રીફળમાં ચાર વસ્તુ છે - (૧) છોતરાં (૨) લાકડાની કાચલી (૩) લાલ રંગનું પડ (૪) સફેદ પદાર્થ (જે મૂળભૂત વસ્તુ છે)
આવી જ ચાર વસ્તુ આપણા અંદર છે. છોતરાં તે આપણું શરીર છે. લાકડાની કાચલી તે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ છે. લાલ રંગનું પડ (સફેદ પદાર્થ ઉપર લાગેલું પાતળું પડ) તે રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રૂપ ભાવ કર્મ અને સફેદ પદાર્થ તે આપણો આત્મા છે.
સંઘ શ્રીફળ આપે છે તેની પાછળ સંઘનો આશીર્વાદ છે – (૧) છોતરા રૂપા શરીર ઉપર મમત્વ ન રાખીશ. (૨) જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મની કાચલીને તોડી નાંખજે. (૩) લાલ પડ રૂપ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રૂપ ભાવ કર્મથી મુકત બની (૪) સફેદ પદાર્થ રૂપ આત્મસ્વરૂપનો અનુભવ આસ્વાદ કરજે.
આ કારણે શ્રીફળ સ્વીકારવું, જે સંઘના આર્શીવાદ રૂપ છે. આવી બીજી અનેક શિખામણો આપેલી.
શાસ્ત્રનું વ્યવસ્થિત અધ્યયન કરી, જે કાંઈ કહેવાનું હોય તે શાસ્ત્ર આધાર સાથે જ કહેવું. જિન ભકિતને કેન્દ્રમાં રાખી શાસ્ત્ર સાપેક્ષ કહેવું.
યશના અધિકારી દેવ, ગુરુ અને ધર્મ છે. કોઢિયામાંથી શ્રીપાલ બનાવનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org