Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
ભકિતનું પ્રત્યક્ષ દૃષ્ટાંત પૂરું પાડવા માટે શ્રીપાલનો સમગ્ર રાસ આપણું જીવન બનવું જોઈએ.
શ્રી નવકાર અને નવપદની આરાધનાને સંસારમાં સારભૂત માનીને સર્વ (જીવો)ના શુભના સંકલ્પપૂર્વક જેઓ આરાધે છે તેઓ નિકટભવી બનીને સર્વ અશુભના પારને પામે છે એમાં સંશય નથી.
શ્રી નવપદજી તથા અહ - પરમાત્માના ધ્યાન વખતે સદા સર્વદા વિશ્વના જીવોની સાથે અભેદ અનુભવવાનો અભ્યાસ પાડવો જોઈએ. અને તે દ્વારા ઈર્ષા, અસૂયા આદિ ભાવમળોનો સર્વથા નાશ શીધ્રપણે થાય તેવી ભાવના કરવી જોઈએ. શ્રી નવપદજીના ભકતો સાથે વિશેષ પ્રીતિ, ભકિત આદિ ભાવો કેળવવા જોઈએ.
ધર્મ મહાસત્તાના ગુપ્ત સંકેતથી નવકાર અને નવપદના સાચા ભાવથી આરાધક બનવા અને બનાવવાના સંયોગો ગોઠવાતા જાય છે અને અધિકારી (યોગ્ય) આત્માને તેના હથિયાર બનાવીને ધર્મ મહાસત્તા પોતાનું નિયત કાર્ય સદા આગળ ધપાવે છે. ધર્મ મહાસત્તાના નમ્ર સેવક બનવાનું બળ અને સત્ત્વ તે લઘુકમ આત્માઓમાં જ પ્રગટી શકે છે. શ્રીપાલ મહારાજાના રાસના ચતુર્થ ખંડની તાત્વિક ઢાળોનું સુંદર રીતે પરિશીલન થવાથી જરૂરી નમ્રતા અને ભક્તિ આપોઆપ પ્રગટે છે. શ્રીપાલ રાજાના રાસના છેલ્લા કળશની ઢાળમાં આપેલો અનુભવ અને તેનો મહિમા ખૂબ ખૂબ પરિશીલન કરવા જેવો છે. જૈનસંઘ સમ્યક્ત્વપ્રધાન હોવાથી તેને ઝીલવા હંમેશાં તત્પર છે, ઝીલાવનાર જોઈએ. પૂર્વપુરુષોના પંથે શ્રી જિનશાસનની સેવા અને આરાધના માટે ચાલવું એ આપણા સૌનું કર્તવ્ય છે.
જાતિ, કુળ, બળ, બુદ્ધિ, શ્રત અને સૌભાગ્યશાળીના મદથી રહિત બનીને શ્રી સિદ્ધચક્ર ભગવંતની ત્રિભુવનવિજયી આરાધના માટે જેઓ તૈયાર થાય છે, તેઓને શાસનદેવદેવીઓ સદા સહાય કરે છે. સિદ્ધચક્રને ભજીએ રે, ભવિજન ભાવ ધરી; મદ માનને તજીએ રે, કુમતિ દૂર કરી. સિદ્ધચક્રના ધ્યાને રે, સંકટ ભય ન આવે; કહે ગૌતમ વાણી રે અમૃત પદ પાવે. ઉપરના સ્તવનના ભાવ ખૂબ વિચારવા જેવા છે.
શ્રી નવપદજી મહારાજાના સાથે અનંતકાળ સુધી ચાલે તેવો અતૂટ સંબંધ બાંધવા માટે આ માનવભવમાં ઉત્તમોત્તમ તક મળી છે એમ માનીને ભકિતભર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org