Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૨૨
છ સૂત્રોની સમાલોચના પ્રથમ સત્ર - ભેદ વિજ્ઞાન : લક્ષણ ભેદે પુદ્ગલથી જીવની ભિન્નતાનું વેદન. પછી બીજા સત્રથી અભેદ વિજ્ઞાન. જીવત્વ સાથે સજાતીયતાનો સંબંધ કથંચિત્ અભેદભાવનો અનુભવ કરાવે છે.
ભેદ વિજ્ઞાન માટેનું સૂત્ર – “ઉપયોગો લક્ષણ છે. અને અભેદ વિજ્ઞાન માટેનું સૂત્ર “પરસ્પરોપગ્રહો જીવાનાં છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. પુદ્ગલનું લક્ષણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. ઉપયોગ લક્ષણ સ્વરૂપ જીવથી પુદ્ગલની ભિન્નતા ભાવિત થવાથી પુદ્ગલનું આકર્ષણ મટી જાય છે. જડ પરતંત્ર છે, જીવ સ્વતંત્ર છે. સ્વતંત્રતાનું જ્ઞાન થવાથી પુદ્ગલનું દાસત્વ છૂટી જાય છે, દલતયા પરમાત્મા એવ જીવાત્મા પોતાના આત્માનું દલ (સત્તા) પરમાત્મા સ્વરૂપ છે એવો અનુભવ આ સૂત્રના ચિંતન અને અનુપ્રેક્ષાથી થાય છે.
ચોથા સૂત્રની અનુપ્રેક્ષાથી સ્વ આત્મામાં લક્ષ્ય સ્થિર કરી પલટાતા પર્યાયોમાં આત્મદ્રવ્યની એકતા ભાવિત થવાથી વિકલ્પ જાળ તૂટી જાય છે અને અંતે સ્વ આત્મદ્રવ્યમાં તલ્લીનતા રૂપ અભેદ અનુભૂતિ દ્વારા આત્મસાક્ષાત્કાર અને તેના ફળ સ્વરૂપ કૈવલ્ય અને મોક્ષનો લાભ થાય છે.
મૈત્રી આદિ ભાવો જેમ ચિત્તશુદ્ધિનું સાધન છે, તેમ ત્રિપદીનું ધ્યાન ચિત્તમાં સ્થિરતા લાવે છે. શુદ્ધિ માટે જીવત્વ સામાન્યનો વિચાર મુખ્ય છે, તેમ સ્થિરત્વમાં મહાસત્તા સામાન્ય (પાંચમું સૂત્ર) નો વિચાર મુખ્ય છે. બન્ને પ્રકારના સામાન્યના પાયા ઉપર આત્મધ્યાન સ્થિર થાય છે.
પોતાના ગુણ પર્યાયથી તેના આધારૂપ આત્મદ્રવ્ય એક અને અભિન્ન છે. એ એત્વનું ધ્યાન શુકલધ્યાનના બીજા પાયારૂપ બને છે. “મોહ ક્ષયા જ્ઞાન, દર્શનાવરણ ક્ષયાત્ કૈવલ્ય'- એ સૂત્રમાં કહ્યા મુજબ બારમા ગુણ સ્થાનકે લઈ જઈને આત્મામાં રહેલ કેવળજ્ઞાન પ્રગટાવનાર થાય છે.
એક અઠવાડિયા સુધી પૂ. ગુરુભગવંતે આ સુત્રો ઉપર અદ્ભુત સમાજ આપી હતી. તેમાં સમજાવેલ તત્ત્વોની સામાન્ય નોંધ કરી છે. ૨૪ કલાકની સાધના માટે આ છ સૂત્રોનું ચિંતન – મનન કરવું.
(પૂ. ગુરુભગવંતની અનુપ્રેક્ષા કેટલી ઊંડાણવાળી છે તે આ તાત્ત્વિક વિચારણા ઉપરથી સમજી શકાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org