________________
૧૮
શ્રી પ્રક્ષ વ્યાકરણ સૂત્ર
ભાલા-પરશુના પ્રહાર કરીને નારકીના દેહને કાપે છે, વાંસલેથી અંગ-ઉપાંગને છેદે છે, કડકડતા ઉના ક્ષાર સિંચીને ગાત્રને બાળે છે, ભાલાની અણીઓ ભાંકીને શરીરને જર્જરિત કરે છે, ભેંય ઉપર પાને રગદોળે છે, અને તેમના અંગોપાંગ સૂજી જાય છે. વળી નરકમાં નહાર, ફૂતરા, શીયાળ, કાગડા, બિલાડાં, અષ્ટાપદ, ચિત્રા, વાઘ, સિંહ, એવાં મમત્ત જાનવરે જે સદા ભેજનરહિત હાઈ સુધાથી પીડાઈને અતિ ઘર અને બીહામણા શબ્દો કરે છે અને જેમનાં રૂપ અત્યંત બીહામણાં છે, તેઓ નારકીને પગ વચ્ચે ઘાલીને પિતાની આકરી દાઢથી તીવ્ર રીતે ડંખે છે, ખેંચે છે, તીનખે કરીને તેમને ફાડે છે, અને તેમના દેહને વિદારીને દિશા-દિશામાં ફેકી દે છે તેથી તેમનાં અંગના સાંધા ઢીલા થઈ જાય છે અને અંગોપાંગ વ્યાકુળ થઈ જાય છે. તે નારકીના શરીરને કંક, કૂર ગીધ, ઘર અને મેટા કાગડા જેવા પંખીઓને સમૂહ પિોતાના કર્કશ, નિશ્ચળ અને આકરા નખે કરીને ચુંટે છે અને લેહમય ચાંચે કરીને તેમને પકડે છે. એ પંખીઓ આકાશમાંથી ઉતરી આવીને તેમને પાંખે કરીને મારે છે અને તીવ્ર નખે કરીને જીભ તથા આંખ ખેંચી કાઢે છે, નિર્દયપણે ત્વચાને ઉતરી નાંખે છે, અને તેમના મુખને પહોળા કરીને ભાગે છે. એટલે એ નારકીઓ આકંદ કરતા ઉંચા ઉછળે છે, નીચા પડે છે અને ચારે બાજુએ પારભ્રમણ કરે છે. પૂર્વ કર્મના ઉદયથી તેઓ પશ્ચાત્તાપ કરે છે, મળે છે, અને પિતાને નિંદે છે.